________________
પરિશિષ્ટ સાત
ગિરિનગરના શૈલલેખોનું સાંસ્કૃતિક મહત્ત્વ
ભૂમિકા
અશોકના ધર્મલેખોના નામથી વિખ્યાત એક અજોડ આભિલેખિક જ્ઞાપક જૂનાગઢમાં અસ્તિત્વ ધરાવે છે. જૂનાગઢનું પૂર્વનામ ગિરિનગર હતું. ગિરિનગરથી ઉજ્જયન્ત (ગિરનાર) જવાના માર્ગ ઉપર એક મહાકાય શૈલ દૃષ્ટિગત થાય છે. આ શૈલ(ખડકો ઉપર ત્રણ ભિન્ન ભિન્ન રાજવંશના ત્રણ રાજાના સમયના ત્રણ લેખ ઉત્કીર્ણ થયેલા છે. આ શૈલના પૂર્વભાગે મૌર્ય સમ્રાટ અશોકના ચૌદ ધર્મલેખો કોતરેલા છે, તો પશ્ચિમ બાજુએ ચાખનવંશીય રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ ઉત્કીર્ણ છે અને ઉત્તર બાજુ ઉપર ગુપ્ત રાજવી સ્કંદગુપ્તનો લેખ છે'. આમ આ એક જ શૈલ ઉપર ત્રણ લેખો એક સાથે કોતરેલા જોવા પ્રાપ્ત થાય છે. ગિરિનગરનો આ અભૂતપૂર્વ દસ્તાવેજ “અશોકના શૈલલેખ'થી સુખ્યાત છે કેમ કે ત્રણેયમાં તેનો લેખ પૂર્વકાલીન છે. આમ, ઈસ્વીપૂર્વ ત્રીજી સદીથી ઈસ્વીસનની પાંચમી સદી સુધીના આઠ સૈકા જેટલા લાંબા કાળના ત્રણ જુદા જુદા તબક્કાને લગતી કેટલીક ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનો પરિચય આ લેખત્રયીથી પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત શૈલખંડ અસલમાં સુદર્શન સરોવરની પાળે હતો, પરંતુ વર્ષોથી આ સરોવરની હસ્તી નથી. અત્યારે તો આ શૈલ વર્તમાન ઇમારતથી સુરક્ષિત છે. જો કે શેલયુક્ત ઇમારત વૃક્ષાદિથી સંલગ્નિત હોઈ સરોવર શૈલખંડની કઈ દિશામાં હતો તે બાબતે વિભિન્ન મંતવ્યો રજૂ થતાં રહ્યાં છે. સાઠના દાયકામાં એનું પુનઃ અન્વેષણ હાથ ધરીને ડૉ.રમણલાલ નાગરજી મહેતાએ સુદર્શન સરોવરનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. શૈલલેખોનો હેતુ
મૌર્ય સામ્રાજ્યના સ્થાપક અને આપણા દેશના ઐતિહાસિક યુગના સહુ પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્તના અમલ દરમ્યાન આપણા રાજયનો (ગુજરાત પ્રાંતનો) સૂબો વૈશ્ય પુષ્યગુપ્ત હતો. તેણે ઊર્જયન્તમાંથી વહેતી નદીઓનાં પાણીને નાથવા સેતુ બાંધી સુર્શન સરોવરની રચના કરી. તે પછી અશોક મૌર્યના શાસનસમયે એના રાષ્ટ્રીય (સૂબા) યવનરાજ" તુષાર્કે આ સરોવરમાંથી નહેરો ખોદાવી અને એની સ્મૃતિરૂપે અશોકે આ શૈલ ઉપર ચૌદ ધર્મલેખો કોતરાવ્યા હતા. ઈસ્વીસનની બીજી સદીમાં પશ્ચિમી ક્ષત્રપ સમ્રાટ રુદ્રદામાના સત્તાકાળ દરમ્યાન નદીઓમાં આવેલા ભારે પૂરને કારણે સરોવરની પાળમાં મોટું ગાબડું (ભંગાણ) પડ્યું ત્યારે એના અમાત્ય સુવિશાખ પલ્હવે તૂટેલી સરોવરની પાળનું સમારકામ કરાવ્યું હતું. આની માહિતી પ્રસ્તુત શૈલની બીજી બાજુ ઉપર ઐતિહાસિક દસ્તાવેજ રૂપે કંડારાવીને પૂરી પાડી છે. પાંચમી સદીમાં ગુપ્ત નરેશ સ્કંદગુપ્તના સમયમાં પુનશ્ચ સરોવરની પાળને નુકસાન થયું ત્યારે એના ગોપ્તા (સૂબા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org