SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ સાત ૧૬૧ આપણા દેશની પૂર્વકાલીનતમ લિપિ છે અને આપણા રાષ્ટ્રની વર્તમાન લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી ઉદ્ભવી છે. અશોકના લેખમાંના અક્ષરોમાં સામાન્યતઃ આડી અને ઊભી પણ સીધી રેખાઓનો ઉપયોગ થયો છે. અક્ષરોનું કદ મોટું અને ક્યાંય વળાંક જોવા મળતો નથી. રુદ્રદામાના લેખમાં અક્ષરોનું કદ થોડું નાનું થયું છે અને મરોડમાં સ્પષ્ટ વિકાસ દેખાય છે. અર્થાત્ આ અક્ષરો મરોડદાર થયા છે અને જરૂરી વળાંક બધે જ દેખાય છે. એટલે કે અશોકના સમયની સીધી રેખાવાળા મોડમાં વળાંક જોવા મળે છે. અક્ષરોનાં માથે બિંદુ સ્વરૂપે શિરોરેખા બંધાવા લાગી છે. સ્કંદગુપ્તના લેખોમાંના અક્ષરોના મરોડમાં અગાઉ કરતાં વળાંકનું પ્રમાણ વધ્યું છે અને કદ વિશેષ નાનું થયું છે. વધારે વળાંકને કા૨ણે સ્કંદગુપ્તના લેખમાંના અક્ષરો સુંદર મોડયુક્ત અને મનોહર જણાય છે. આમ, બ્રાહ્મી લિપિના, લગભગ આઠ શતક દરમ્યાન થયેલા ક્રમિક વિકાસને સમજવા માટેનો આ પૂર્વકાલીનતમ અજોડ નમૂનો છે. ભાષાની માહિતી અશોકના ચૌદ ધર્મલેખો એના સામ્રાજ્યની પ્રચલિત રાજભાષા પ્રાલિમાં છે અને ગદ્યમાં છે. રુદ્રદામાનો લેખ સંસ્કૃત ભાષામાં અને ગદ્યમાં છે. શુદ્ધ અને શિષ્ટ સંસ્કૃત ગદ્ય શૈલીનો આ ઉત્તમ અને પૂર્વકાલીન આભિલેખિક પુરાવો છે. જો કે આ લેખના રચનાકારનું નામ જાણવા મળતું નથી. આખોય લેખ ગદ્યમાં હોવા છતાંય કાવ્યપદ્ધતિએ લખાયો છે. આમ, આ લેખ આલંકારિક સંસ્કૃત ગદ્યનો ઉપલબ્ધ નમૂનાઓમાંનો એક વિશિષ્ટ નમૂનો છે. આ લેખમાં અલંકારનું બાહુલ્ય ધ્યાનાર્હ છે તેમ જ સમાસયુક્ત શબ્દોનું પ્રમાણ સવિશેષ છે.. સ્કંદગુપ્તનો લેખ સંસ્કૃતમાં અને પદ્યમાં છે. આખો લેખ ચોત્રીસ શ્લોકનું સુંદર અને ભાવવાહી કાવ્ય છે. સામાન્ય રીતે કોઈ પણ સાહિત્યની શરૂઆત એના આરંભકાળે મહદંશે પદ્યમાં થાય છે; છતાં અશોક અને રુદ્રદામાના લેખો ગદ્યમાં છે, જ્યારે અનુકાલીન સ્કંદગુપ્તનો લેખ પદ્યમાં છે એ બાબત ધ્યાનાર્હ છે. શિક્ષણનો વિકાસ અશોક અને સ્કંદગુપ્તનાં લખાણોમાં આ બાબતે કોઈ નિર્દેશ નથી. રુદ્રદામાના લેખમાં એનો રાજકવિ રુદ્રદામાનું ચરિત્ર નિરૂપતાં એણે પ્રાપ્ત કરેલી વિદ્યાઓનો ઉલ્લેખ કરે છે જે ઉપરથી તત્કાલીન ગુજરાતના શિક્ષણમાં વિદ્યમાન કેટલીક વિદ્યાઓનો અને શિક્ષણપદ્ધતિનો ખ્યાલ મળી રહે છે. આ લેખમાં શબ્દવિદ્યા, અર્થવિદ્યા, ગાંધર્વવિદ્યા, ન્યાયવિદ્યા જેવી મહાવિદ્યાઓનો ઉલ્લેખ છે. ઉપરાંત યુદ્ધવિદ્યાનો નિર્દેશ છે. વળી શિક્ષણની પદ્ધતિના ચાર તબક્કાઓ- પારણ, ઘારણ, વિજ્ઞાન અને પ્રયોગ વિશેની માહિતી હાથવગી થાય જ છે૧૭. લોકકલ્યાણનો આદર્શ આ ત્રણેય લેખ આ ત્રણેય રાજાના પ્રજાકલ્યાણ પરત્વેના આદેશની વિગતો ઉપલબ્ધ કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy