SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ક્ષત્રપકાલીન ગુજરાત અબતકર, પ્રદહિકૉ., નાગપુર અધિવેશન, ૧૯૫૦, પૃષ્ઠ ૩૯-૪૨; સુધાકર ચટ્ટોપાધ્યાય, પૃષ્ઠ ૪૩ ૪૭; કાલે ખંડાલવાલ, લલિતકલા, નંબર ૩-૪, પૃષ્ઠ ૧૬-૨૫. ૩૪. વી.એસ. દેવરાસ, પ્રઈહિકૉ., લાહોર અધિવેશન, ૧૯૪૦, પૃષ્ઠ ૧૫૨-૫૩ ૩૫. કૉહિઈ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૭૪. ૩૬. જુઓ નકશો નંબર ૨. ૩૭. એઇ., પુસ્તક ૮, પૃષ્ઠ ૧૬; ઇએ., પુસ્તક ૪૭, પૃષ્ઠ ૭૧. જો કે આ બધાં સ્થળોનો ઉલ્લેખ કદાચ જિલ્લાના મથકો તરીકે થયો હોઈ શકે. તેથી આપણે હવે ઉજજન, મીનનગર અને ભરૂચ એ ત્રણમાંથી કયું સ્થળ પાટનગર હશે તેનો વિચાર કરીએ. ૩૮. મુનિ કલ્યાણવિજયજી, વીર નિર્વાણ સંવત મૌર જૈન વાર્તાનના, પૃષ્ઠ ૫૬-૫૮. ૩૯. જબિઓરિસો., ૧૯૩૦, પૃષ્ઠ ૨૩૦. આ કથામાં નહપાન અને ગૌતમીપુત્ર વચ્ચેના યુદ્ધની વાત નોંધાઈ છે. ભરુકચ્છનો નભોવાહન રાજા કોશસમૃદ્ધ હતો જયારે પ્રતિષ્ઠાનનો સાલવાહન રાજા બલસમૃદ્ધ હતો એવો નિર્દેશ આ કથામાં છે. આથી, ભરુકચ્છ અને પ્રતિષ્ઠાન બંને ઉભય રાજાઓનાં પાટનગર હોવાનું સૂચવાય છે. વળી સાલવાહનનો અમાત્ય પ્રતિષ્ઠાન છોડી ભરુકચ્છમાં વસે છે અને નભોવાહન સાથે દગો રમે છે. આ ઉપરથી ભરુકચ્છ નહપાનની રાજધાની હોવી જોઈએ એવું અનુમાની શકાય. ૪૦. આનું મુખ્ય કારણ તો નહપાનને હરાવ્યા પછી સાતવાહન રાજાએ નહપાનના સિક્કા ઉપર પ્રતિછાપ (counter stuck) અંકિત કરી તે સિક્કાઓ ચલણમાં લીધા તે છે. મોટો જથ્થો મળ્યો હોવાથી તે સ્થળ રાજધાની હોઈ શકે. પરંતુ અહીં તો મોટા જથ્થાની ઉપલબ્ધિ જય-પરાજયના પાયામાં છે. ૪૧ એના સમયના ગુફાલેખોમાં એનાં દીકરી-જમાઈનો વારંવાર ઉલ્લેખ આવે છે. જયારે એના કોઈ પુત્રનો ઉલ્લેખ ક્યાંય નથી. આથી, પ્રાયઃ તે અપુત્ર હોવાનું કહી શકાય. ૪૨. સામાન્યતઃ રાજાઓ વચ્ચેના યુદ્ધ પાટનગરમાં કે પાટનગરનાં પ્રાંગણમાં ખેલાતાં હોય છે. આ બાબત આ સંદર્ભે ધ્યાનાર્હ ગણાય. નહપાનના સમયના શિલાલેખો અને એના સિક્કાલેખોનાં પ્રાપ્તિ સ્થાનો ઉપરથી એની રાજસત્તાનું વડું મથક હાલના મહારાષ્ટ્રમાં કોઈ પર્વકાલીન નગરમાં હોવાનું સંભવે. પણ શિલાલેખો તો એના જમાઈ ઉષવદારે કોરાવ્યા છે અને ઉત્કીર્ણ કરાવ્યા છે અને તેય તે માત્ર ગુફાદાનને લગતા હોઈ પશ્ચિમઘાટના ડુંગરોમાંથી મળ્યા છે. એણે નાસિકથી પુષ્કર સુધીના વિસ્તારોમાં દાન દીધેલાં છે પણ પશ્ચિમઘાટના પ્રદેશમાં શૈલગ્રહોનાં દાન દીધેલાં હોઈ એ જળવાઈ રહ્યાં છે, અન્યત્ર નહીં. આથી, એનું પાટનગર મહારાષ્ટ્રમાં હોવાની અટકળ માત્ર છે, હકીકત નહીં. આથી, ભરૂચ એની રાજધાની હોવાનું જણાય છે. ૪૩. આમાંનાં ઘણાં સ્થળોનો પરિચય પ્રકરણ અગિયારમાંની પાદનોંધ જોવી. ૪૪. અહીં નિર્દિષ્ટ સ્થળોની વિશેષ માહિતી માટે જુઓ ગુરાસાંઈ., ૧૯૭૨, ગ્રંથ ૧માં પ્રકરણ ૧૦ અને ૧૧. ૪૫. કાત્તાપ્રસાદ જૈન, ઈહિકવૉ.. પુસ્તક ૫, ૧૯૨૯, પૃષ્ઠ ૩૫૭. ૪૬. જુઓ : પેરિપ્લસ , ગુજરાતી આવૃત્તિ, કંડિકા ૪૯. ૪૭. પદ્માવતીના સાહિત્યિક ઉલ્લેખ વાસ્તે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ પંદર. ૪૮. બૉબારૉએસો., પુસ્તક ૨૨, પૃષ્ઠ ૨૨૪; યઝદાની, અહિડે., પૃષ્ઠ ૯૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy