SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ક્ષત્રપકાલીન ગુજરાત એની રાજધાની એના સમયના શિલાલેખોમાં ગોવર્ધન (નાસિક પાસે), કર્પર આહાર (કાપુર, મહારાષ્ટ્ર), ચિખલપદ્ર (ચિખલી, ગુજરાત ?), પ્રભાસ (સોમનાથ પાટણ), ભરુકચ્છ (ભરૂચ), દશપુર (હાલનું મંદસોર), શૂર્પારક (હાલનું સોપારા), રામતીર્થ (સંભવતઃ રામકુંડ, મહારાષ્ટ્ર), પુષ્કર (અજેમર પાસે), નાનંગોલ (સંજાણ પાસેનું નારગોલ), ઉજ્જન વગેરે સ્થળોનો ઉલ્લેખ છે. આ બધાં સ્થળોમાં કોઈ અમુક વિશિષ્ટ મહત્ત્વ દર્શાવ્યું નથી. દરેક સ્થળે એક યા બીજા પ્રકારનાં દાન આપ્યાનો કેવળ ઉલ્લેખ છે. તેથી આ બધાં તીર્થસ્થાનો હોવાનું સૂચવાય; વહીવટી સ્થાનો હોવાનું અનુમાની શકાય નહીં. આ લેખોનાં પ્રાપ્તિ-સ્થાનો હાલના મહારાષ્ટ્રમાં આવેલાં છે, જયારે દાનનાં સ્થળો મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આવેલાં છે. કેટલાક વિદ્વાનોએ ઉજન, મીનનગર અને ભરૂચને નહપાનની રાજધાનીનાં સ્થળવિશેષ તરીકે સૂચવવાનો પ્રયાસ કર્યો છે; તો કેટલાકે શૂર્પારક, ગોવર્ધન, દશપુર, પુષ્કર વગેરેનો સંભવ રાજધાનીના મથક તરીકે વ્યક્ત કર્યો છે. ઉજ્જન : તિલ્યોની પત્રયની ગાથા મુજબ ઉજ્જનની ગાદી ઉપર બલમિત્ર-ભાનુમિત્ર પછી નભ:સેન(નહપાન) આવ્યો. તેથી તે નહપાનની રાજધાની હોવાનો સંભવ સૂચવાયો ૩૮. ઉષવદારે કરેલાં દાનમાં ઉર્જનનો સમાવેશ થાય છે. પરંતુ આ સિવાય અન્ય સીધાં પ્રમાણો પ્રાપ્ત થતાં ન હોઈ ઉન નહપાનની રાજધાની હોવાનું સાબિત થતું નથી. મીનનગર : પેરિપ્લસમાં બે જગ્યાએ આ સ્થળનો ઉલ્લેખ છે (જુઓ કંડિકા ૩૮ અને ૪૧). આમાંથી કંડિકા ૪૧માંનો ઉલ્લેખ નાબુનસના સંદર્ભમાં છે. પરંતુ પૂર્વાપર સંબંધ જોતાં આ ઉલ્લેખ સ્પષ્ટતઃ સુરાષ્ટ્ર પ્રદેશના મુખ્ય નગરને સંદર્ભે હોઈ શકે. આથી, મીનનગર નહપાનના રાજયનું પાટનગર સંભવી શકે નહીં. ભરૂચ : આવશ્યસૂત્ર-નિર્યુ$િ ને આધારે જાયસ્વાલ નહપાનની રાજધાનીના સ્થળ તરીકે ભરૂચ હોવાની સંભાવના અભિવ્યક્ત કરે છે૩૯. પેરિપ્લસમાં નહપાનના રાજયનો જે વિસ્તાર દર્શાવાયો છે તેમાં ભરૂચનો સમાવેશ થાય છે. પરંતુ એના સિક્કાનો ઘણો મોટો જથ્થો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના જોગલ થમ્બીમાંથી પ્રાપ્ત થયો છે°, જયારે ભરૂચમાંથી હજી સુધી, એના સિક્કા હાથવગા થયા નથી. પરંતુ નહપાનનો પરાજય સાતવાહન રાજાને હાથે થયાની નોંધ આ નિર્યુક્તિમાં છે, જેને વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના એક લેખમાંના ‘ગૌતમીપુત્રે ક્ષહરાત વંશનો નિર્મૂળ કર્યાના ઉલ્લેખથી સમર્થન મળે છે. નહપાન એ ક્ષહરાત વંશનો પ્રાયઃ છેલ્લો જ્ઞાત રાજા હોવાનું સંભવે છે. એટલે ભરૂચ એ નહપાનની રાજધાની હોવાનું સ્પષ્ટ થાય છે. એનો રાજ્યવિસ્તાર એના રાજ્યની રાજધાની બાબતે ઘણાં સ્થળોનું સૂચન થયું છે, જે ઉપરથી એનો રાજ્યવિસ્તાર કેટલો હશે એનો સહજ અંદાજ આવી શકે છે. એના રાજયની ભૌગોલિક સીમા નિર્ણિત કરવા કાજે બે સાધનો છેઃ સિક્કાઓનાં પ્રાપ્તિસ્થાનો તથા પુષ્કરમાંથી પ્રાપ્ત તાંબાના થોડા સિક્કા અને જૂનાગઢમાંથી પ્રાપ્ત ચાંદીના થોડાક સિક્કા. જોગલથમ્બીનો સિક્કાનિધિ તો સુખ્યાત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy