SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ છા ૧૦૯ દેવી-આકૃતિ પહેલપ્રથમ જોવા મળી. આથી એવું અનુમાન થયું કે ક્ષહરાતો ઉત્તરમાંથી આવ્યા હોય. (જુઓ : ધ સાતવાહન્સ ઍન્ડ ધ વેસ્ટર્ન ક્ષત્રપ્સ, પૃષ્ઠ ૧૪૪). જો કે આ બાબતે હજી વધુ અન્વેષણ અપેક્ષિત છે. તો વળી દિલીપ રાજગોર રે નામના ક્ષહરાતવંશી રાજાની નોંધ કરે છે, એમના એક લેખમાં‘અભેરક : ધ અલિએસ્ટ વેસ્ટર્ન ક્ષત્રપ' ન્યુમિઝમૅટિક પેનોરમા-એસેઝ ઇન મેમરી ઑવ એસ.એમ.શુક્લ (સંપાદકો : કે.કે માહેશ્વરી અને વિશ્વજિત રથ) દિલ્હી, પૃષ્ઠ ૧૨૯-૪૨. ૪. રેસન, કૅટલૉગ., પૃષ્ઠ ૬૪, નંબર ૨૩૭-૨૪૦. ૫. જર્નલ એશિયાટિક, પુસ્તક ૧૧, પૃષ્ઠ ૧૯૧ અને પુસ્તક ૧૨, પૃષ્ઠ ૩૭-૪૫., કૉહિઈ, પુસ્તક ૨, પૃષ્ઠ ૨૭૪. ૬. કાઁઈઇ., પુસ્તક ૨, પૃષ્ઠ ૭૦., ઇક્વિૉ .. પુસ્તક ૧૪, પૃષ્ઠ ૧૪૨., કૉહિઈ., પુસ્તક ૨, પૃષ્ઠ ૨૭૪ અને ૨૭૬, પાદનોંધ ૧. ૭. જરૉએસો., ૧૯૦૬, પૃષ્ઠ ૨૧૧. ૮. જુઓ હવે પછીનો મુદ્દો : ભૂમક અને નહપાન. ઉપરાંત રેપ્સન, કેટલૉગ., ફકરો ૮૭; અહિઆંકડ, | પૃષ્ઠ ૫૦. ૯. દેવરાસ, પ્રઈહિક., ૧૯૪૦, પૃષ્ઠ ૧૪૮. ૧૦. કેવળ નામોના અર્થમાં રહેલા સામ્યથી બે વ્યક્તિઓ વચ્ચેની સમાનતા સાબિત થતી નથી. દા.ત. કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત (પોહિએઇ., પૃષ્ઠ પ૦૫). આથી, નામવાચક શબ્દોના અર્થસામ્યથી ભૂમક અને સ્સામોતિક એક જ હોવાનું પુરવાર થતું નથી. બીજું ચાષ્ટ્રનના સિક્કાઓ અને શિલાલેખો એના પિતા તરીકે સામોતિકનું નામ સ્પષ્ટ દર્શાવે છે. બંનેનાં કુળ ભિન્ન છે તે ધ્યાનાર્હ રહે. ૧૧. ભમકના તાંબાના સિક્કાની સવળી બાજ ઉપરનાં પ્રતીક નહપાનના ચાંદી અને તાંબાના સિક્કાની અવળી બાજુ ઉપર દૃશ્યમાન થાય છે. (જુઓ : રેપ્સન, કેટલૉગ., ફકરો ૮૭-૮૮). એક વ્યક્તિના સિક્કાની સવળી બાજુ (અગ્રભાગ) જો બીજી વ્યક્તિના સિક્કાની અવળી બાજુ (પૃષ્ઠભાગ) હોય તો પ્રથમ વ્યક્તિ પુરોગામી ગણાય. ૧૨. ક્ષત્રપવંશોના ૩૦ શાસકોમાંથી ઘણાખરા રાજાઓએ સરેરાશ દશ વર્ષ સત્તાકાલ ભોગવ્યો હોવાનું એમની સાલવારીથી સૂચિત થાય છે. આ સંદર્ભમાં ભૂમકે પણ આશરે દશ વર્ષ રાજ્ય કર્યું હોય એવી અટકળ કરીએ, તો નહપાનના પુરોગામી તરીકે તેણે ઈસ્વી ૨૩થી ૩૨ સુધી સત્તા સંભાળી હોવાનું સંભવિત હોઈ શકે. ૧૩. જિનસેનના ‘હરિવંશ પુરાણ'-માંની ગાથા નહપાને ૪૨ વર્ષ અને પટ્ટાવની ગાથા તથા તિનો પUત ૪૦ વર્ષ સુધી રાજય કર્યું હોવાનું નોંધે છે. બંને ઉલ્લેખો સીધા નહપાનના સંદર્ભમાં હોઈ એવું સૂચિત થાય છે કે કદાચ એણે ચાલીસ-બેંતાલીસ વર્ષ રાજય કર્યું હોય. એના શિલાલેખોમાં છેલ્લું જ્ઞાત વર્ષ ૪૬ છે અને તે તેના રાજકાલનું છે. જો આ છંતાલીસ વર્ષ ભૂમક અને નહપાન બંનેને માટે હોવાનું સ્વીકારીએ અને જો જૈનાનુશ્રુતિ મુજબ નહપાને ચાલીસ વર્ષ રાજ્ય કર્યું હોય તો ભૂમકે કેવળ છ વર્ષ જ રાજ્ય કર્યાનો અંદાજ મૂકી શકાય. ૧૪. સિક્કાઓનાં પ્રાપ્તિ સ્થાનો ઉપરથી ઇતિહાસનિરૂપણ વાસ્તના ઘણા કોયડા ઉકેલાયા છે તો સંખ્યાતી પ્રશ્નો ઉદ્દભવ્યા પણ છે. આની સાધકબાધક સોદાહરણ ચર્ચા વાસ્તે જુઓ : રસેશ જમીનદાર, ઇતિહાસ સંશોધન, અમદાવાદ, ૧૯૭૬, પ્રકરણ ૪ (ભારતીય ઇતિહાસનિરૂપણમાં સિક્કાઓ : કેટલીક મર્યાદાઓનું અવલોકન), પૃષ્ઠ ૨૯થી ૩૬ અને આ જ લેખકનો અંગ્રેજી લેખ : “ડઝ ધ ફાઈન્ડસ્પૉટ ઑવ કૉઇન્સ રીઅલી થ્રો લાઈટ ઑન હિસ્ટોરિકલ જયૉગ્રાફ્સ ?', જોઇ., પુસ્તક ૨૨, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy