SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ક્ષત્રપકાલીન ગુજરાત જૂનાગઢની અન્ય ગુફાઓ જૂનાગઢ અને તેના પરિસરમાં વાલુકામય શ્વેત પાષાણની બહુલતાને લીધે કેટલાંક સ્થળે શૈલોત્કીર્ણ ગુફાઓની વિપુલતા જોવા મળે છે. આમાં પંચેશ્વર, માઈગઢેચી અને માત્રી મંદિરની ગુફાઓ નોંધપાત્ર છે. કાળવા ચોકથી થોડાક અંતરે પંચેશ્વરની જીર્ણશીર્ણ અવસ્થામાં સ્થિત ગુફા છે. નરસિંહ મહેતાના ચોરાની પાછળના ભાગે ગુફાઓ આવેલી છે. અહીં માઈગઢેચી નામની દરગાહ આવેલી હોઈ ગુફાઓ તે નામથી ખ્યાત છે. ગુફાની ઉપર મંદિરમાંથી પરિવર્તિત કરેલી મસ્જિદ છે. ૭.૮૧ X ૩.૯૨ મીટરનો વિસ્તાર ધરાવતી મુખ્ય ગુફાની અંદર પશ્ચિમ તરફ ૨.૪૨ X ૧.૮૧ મીટરની નાની ગુફા આવેલી છે. તો માત્રી મંદિર તરીકે ખ્યાત દેવસ્થાનવાળી અવશિષ્ટ ગુફા બાવાપ્યારાની ગુફાઓની દક્ષિણ-પશ્ચિમે આવેલી છે. આ ગુફા નોંધપાત્ર નથી. આ ત્રણેય ગુફાઓ કોઈ ચોક્કસ ધર્મ માટે કંડારેલી કે કેમ તે વિશે કશું કહેવું શક્ય નથી. ભરુકચ્છનું જૈનતીર્થ ભરુકચ્છમાં પૂર્વકાળથી જૈનોના વીસમા તીર્થકર મુનિસુવ્રતનું ચૈત્ય હતું, જે માવવો. તીર્થના નામથી ખ્યાત છે. વિવિધ તીર્થજ્યમાં કાવવોધત્વમાં આ તીર્થની માહિતી છે. કહેવાય છે કે પ્રાકૂ-ક્ષત્રપ કાળમાં વિદ્યમાન આર્ય ખપૂટ ભરૂચના વતની હતા અને વિદ્યાસિદ્ધ આચાર્ય હતા. એમણે ભરુકચ્છનું આ તીર્થ બૌદ્ધોના સંકજામાંથી છોડાવ્યું હતું. એવું પ્રમાdhવરિતમાં (શ્લોક ૨૪) નિર્દેશાયું છે. આ તીર્થનો સાતવાહન રાજાએ જીણોદ્ધાર કરાવ્યો હતો ત્યારે પાદલિપ્તસૂરિએ એના ધ્વજદંડની પ્રતિષ્ઠા કરી હતી; તેમ જ આ પ્રસિદ્ધ તીર્થનો સમુદ્ધાર સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી રાજા વિક્રમાદિત્યે (?) કરાવ્યો હતો. આથી, ક્ષત્રપકાળના આ તીર્થની હયાતી પુરવાર થાય છે. તારંગા અને સ્તંભનક બૌદ્ધધર્મના અનુયાયી રાજા અને આર્ય ખપુટના સમકાલીન વેણીવત્સરાજે ગિરિ (તારંગા)" ઉપર તારાફર (તારાપુર) નામનું નગર વસાવ્યું હતું અને એમાં બૌદ્ધદેવી તારાનું મંદિર પ્રતિષ્ઠિત કર્યું હતું. તારંગાના ડુંગરની તળેટીમાં ઉત્તર દિશાએ તારણ માતાનું સ્થાનક આવેલું છે. આ મંદિરની પાસે ધારણદેવીનું સ્થાનક એક ગુફામાં છે. અહીંની બીજી એક ગુફા “જોગીડાની ગુફા'થી ઓળખાય છે. એમાં તામ્રવર્ણા પાષાણ ઉપર બોધિવૃક્ષ નીચે ચાર બુદ્ધમૂર્તિઓ કંડારેલી છે. કહેવાય છે કે આર્ય ખપુટના ઉપદેશથી વેણીવત્સરાજ જૈનધર્મી થયો હતો ત્યારે તેણે અહીં મહાવીરની શાસનદેવી સિદ્ધાયિકાનું મંદિર બંધાવ્યું હતું. તારંગાતીર્થ પરનું હાલનું સિદ્ધશિલા નામક સ્થાનક સિદ્ધાયિકા મંદિરની જગ્યાએ હોવાનું જણાય છે. આ સ્થાન હાલના મુખ્ય મંદિર અજિતનાથ પ્રાસાદની વાયવ્યમાં થોડા દૂરના અંતરે એક ઊંચી ટેકરી ઉપર આવેલું છે અને ત્યાં ચોમુખજીની મૂર્તિ તથા અજિતનાથનાં પગલાં પ્રતિષ્ઠિત છે. પાદલિપ્તચાર્યના શિષ્ય નાગાર્જુનને શેઢી નદીના કાંઠે આવેલા સ્તંભનકથામણા)માં પાર્શ્વનાથની મૂર્તિ પ્રતિષ્ઠિત કરી હતી એ સંદર્ભે અહીં જૈનાલય બંધાવ્યું હોવાનું સૂચવાય છે. જો કે હાલ આ સ્થળે કોઈ અવશિષ્ટ એંધાણ જોવા મળતાં નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy