________________
ક્ષત્રપકાલીન ગુજરાત
અવલોકી; જેમાં મુખ્યત્વે (કહેવાતા) અરબી સમુદ્ર ઉપરનાં બંદર-નગરો ક્ષત્રપકાળ દરમ્યાન કઈ સ્થિતિમાં હતાં તેનું વિશ્લેષણ સમાવ્યું છે. હવે આપણે વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં થયેલાં સ્થળતપાસ અને ઉત્ખનનકાર્યની પ્રવૃત્તિઓને પરિણામે જે અવશેષો હાથ લાગ્યા છે તેના અહેવાલોના આધારે માનવપ્રવૃત્તિઓને સમજવાનો પ્રયત્ન કરીશું; ખાસ કરીને ક્ષત્રપકાલનાં ગામો અને નગરોમાંથી હાથવગી થયેલી ચીજવસ્તુઓના સંદર્ભે. મુખ્યત્વે માટીકામની ચીજોના નમૂના વિશેષ પ્રમાણમાં હાથ લાગ્યા છે. ઉપરાંત પથ્થર, ધાતુ, હાડકાં, શંખછિપોલીમાંથી નિર્માણ થયેલી વસ્તુઓ પણ ઠીક ઠીક પ્રમાણમાં મળી આવી છે.
માટીની ચીજવસ્તુઓ
માટીકામ એ આપણા રાષ્ટ્રમાં સમયે સમયે અને વિવિધ ભૂભાગમાં થતી રહેલી પ્રાવૃત્તિક પરિસ્થિતિ છે. માટીને માનવી સાથે ભવોભવનો સંબંધ છે. ક્ષત્રપકાલ દરમ્યાન મળેલી માટીકામની વસ્તુઓમાં વિભિન્ન આકાર-પ્રકારનાં વાસણો, મુદ્રાઓ, મૂર્તિઓ, મણકા, રમકડાં વગેરેનો સમાવેશ થાય છે. આ સમયનાં વાસણોમાં સાદાં તેમ જ ઘૂંટેલાં લાલ વાસણ, સાદાં તેમ જ ઘૂંટેલાં કાળાં વાસણ, બરછટ સ્વરૂપનાં કાળાં અને લાલ વાસણ, ચીતરેલાં વાસણ, લાલ ઓપવાળાં વાસણ, સફેદ માટીનાં વાસણ, કાચનો ઓપ ચડાવેલાં વાસણ, રોમીય કોઠીઓ, અબરખ છાંટેલાં વાસણ અને સુશોભિત વાસણનો સમાવેશ થાય છે.
માટીનાં વાસણો
સહુથી વધુ પ્રમાણમાં આ સમયનાં વાસણો છે સાદાં તેમ જ ઘૂંટેલા લાલ વાસણ; જેમાં વાડકા, કૂંડાં, લોટા, ઘડા, માટલાં, કોઠીઓ, થાળીઓ, કલેડાંનો સમાવેશ થાય છે. * સાદાં તેમ જ ઘૂંટેલાં કાળાં વાસણમાં માટલાં, નાના ઘડા, કલેડાં વગેરે વાસણો બનતાં. * કાળાં અને લાલ બરછટ વાસણોનો અંદરનો ભાગ તેમ જ કાંઠો કાળો હોય છે અને બહારનો ભાગ લાલ રંગનો હોય છે. પહોળા મોંની હાંડલી આ પ્રકારનાં વાસણોમાં મુખ્યત્વે જોવા મળે છે. * ખાસ કરીને ચીતરેલાં વાસણોમાં લાલ ચૂંટેલાં વાસણા ઉપર કાળા રંગે ચિત્રકામ કરેલું જોવા મળે છે. આવાં વાસણો ઉત્તર ગુજરાતમાંથી વધારે પ્રમાણમાં મળે છે. ચીતરવાની આ પદ્ધતિ ક્ષત્રપકાલ દરમ્યાન શરૂ થઈ જણાય છે. વડનગર,નગરા, શામળાજી વગેરે સ્થળોએથી આ પ્રકારનાં વાસણો મળી આવ્યાં છે. * ચીતરામણની પરિપાટી સાથોસાથ બીબાંથી ઉપસાવેલી છાપો વડે એને સુશોભિત કરવાની પદ્ધતિ અસ્તિત્વમાં હતી. સુશોભિત વાસણો ઉપર રેખાઓ, ફૂલો, પશુઓ અને પંખીઓની આકૃતિ જોવી પ્રાપ્ત થાય છે. * લાલ ઓપ ચડાવેલાં વાસણો આ સમયની વિશેષતા છે. લાલ લીસાં વાસણોથી ખ્યાત આ વાસણોમાં લાંબી ડોકવાળાં અને સાંકડા મોંવાળા કુંજા જેવા ઘાટના વાસણ, વાટકા, રકાબી, નારચાંવાળા કરવડા ઇત્યાદિનો સમાવેશ થાય છે. * રોમથી આયાત થતાં વાસણોમાં અણીદાર તળિયાવાળી અને પકડવાનાં હાથાવાળી કોઠીઓનો સમાવેશ થાય છે. પીળાશ પડતાં રંગવાળી દળદાર કોઠીઓનું મોં લાંબું અને એની ડોકની બંને બાજુએ એને પકડવાના હાથા રહેતા. નગરા, શામળાજી, દેવની મોરી, ધાતવા, વલભીપુર, સોમનાથ, દ્વારકા, પીંડારા વગેરે સ્થળોએથી રોમીય કોઠીઓ ઉપલબ્ધ થઈ છે. રોમ સાથેના વેપારના આ સંગીન પુરાવા છે. * સફેદ માટીનાં વાસણ વડનગરમાંથી મળ્યાં છે. *
For Personal & Private Use Only
www.jainelibrary.org
૨૧૦
Jain Education International