________________
પ્રકરણ સોળ
શિક્ષણ-પદ્ધતિ અને ભાષાલિપિ
શિક્ષણની સ્થિતિ
ક્ષત્રપકાલ દરમ્યાન ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને તેની પરિપાટીને જાણવાનાં સાધનો ઘણાં અલ્પ છે. આથી, આ બાબતે સ્પષ્ટ અને સુરેખ ચિત્ર આલેખવાનું કાર્ય દુષ્કર છે. આ સમયનાં સાહિત્યિક સાધનો અલ્પ સાંખ્યિક છે તેમ તેમાં કેળવણી સબબ કોઈ વિવરણ આમેજ નથી; પરંતુ સમકાલીન સાહિત્યિક પ્રવૃત્તિ આ વિશે થોડી સહાયરૂપ બને છે. મુખ્યત્વે તો રુદ્રદામાના શૈલલેખમાંથી આ અંગે ઠીક ઠીક જાણકારી હાથવગી થઈ શકી છે. રુદ્રદામાના લેખમાં નિર્દિષ્ટ વિદ્યાઓ, હકીકતે તો રુદ્રદામાના વ્યક્તિગત સંદર્ભમાં અને તેય રાજાના રાજય સંચાલનને ઉપયોગી હોઈ, સામાન્ય લોકો માટે તે પ્રકારની વિદ્યાઓનાં અધ્યયન-અધ્યાપનનો પ્રબંધ હોવાનું કહેવું મુશ્કેલ છે. પરંતુ તે અન્વયેં તેનું સર્વસામાન્ય કથન પ્રસ્તુત કરી શકાય.
રુદ્રદામાના શૈલલેખમાં શબ્દવિધા, અર્થવિદ્યા, ગાંધર્વવિદ્યા, ન્યાયવિદ્યા વગેરેને મહાવિદ્યાઓ કહી છે (શબ્દાર્થ-જ્વલ્વે-ચાયાધાનાં વિદ્યાનાં મફતીનાં..) આ ઉપરાંત યુદ્ધવિદ્યા અને શિક્ષણપદ્ધતિના ચાર તબક્કાઓનોય નિર્દેશ ધ્યાનાર્હ છે (તુર-ગ-રથસિ વર્ષ-નિયુદ્ધપારVI-ધારા-વિજ્ઞાન-પ્રયો).
શબ્દવિદ્યા એટલે વ્યાકરણશાસ્ત્ર એવો અર્થ અહીં અભિપ્રેત હોય એમ જણાય છે. વાંચતા-લખતા થયેલા વિદ્યાર્થીને શબ્દવિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું હશે. પાણિનિ, પતંજલિ અને ભર્તુહરિના ગ્રંથોનો અભ્યાસ વિદ્યાર્થી કરતો હશે. સંભવતઃ અષ્ટાધ્યાયી, મહામાર્ગ, વાવવી જેવા ગ્રંથો સંદર્ભ તરીકે ઉપયોગાતા હશે.
અર્થવિદ્યા એટલે કાં તો અર્થશાસ્ત્ર, કાં તો રાજ્યશાસ્ત્ર અથવા બંને. આ લેખમાં બંને અર્થ અભિપ્રેત હોઈ શકે. આ વિદ્યાના તાલીમ માટે કૌટલ્યનો અર્થશાસ્ત્ર ગ્રંથ મુખ્ય સંદર્ભ પુસ્તક હોવું જોઈએ. કામન્દકે રચેલો નીતિસર ગ્રંથ પણ આ સમય દરમ્યાન શિક્ષણના અભ્યાસક્રમમાં પ્રચલિત હશે.
ગાંધર્વવિદ્યાથી સંગીતવિદ્યા એ અર્થ અભિપ્રેત હોવો જોઈએ. એટલે ક્ષત્રપકાલ દરમ્યાન શિક્ષણમાં સંગીતનું જ્ઞાન આવશ્યક ગણાતું હશે. સંગીતના કયા ગ્રંથનું અધ્યયન થતું હશે એ કહેવું મુશ્કેલ છે. પરંતુ ભારતના નાટ્યશાસ્ત્રનો સંભવતઃ ઉપયોગ થતો હોવો જોઈએ કેમ કે આ ગ્રંથમાં ગીત, વાદ્ય, નૃત્ય સહિત નાટ્યકળાનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. સંભવતઃ સંગીતવિદ્યા સામાન્ય લોકોમાં પણ પ્રચારમાં હોઈ શકે.
ન્યાયવિદ્યા દ્વારા વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન અપાતું હશે એમ કહી શકાય. પણ પૂર્વકાળમાં ન્યાયવિદ્યાથી હેતુવિદ્યા કે તવિદ્યા અર્થ અભિપ્રેત હતો. એટલે કે વિદ્યાર્થીઓને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org