________________
પ્રકરણ દશ
૧૮૧
ઉપસાવી હતી.
(૬) રુદ્રસિંહ ૧લાના સિક્કા ઉપરના લખાણમાં પ્રાકૃત ભાષાના વિનિયોગથી સાતવાહન પ્રભાવનું સૂચન વ્યક્ત થયું છે.
(૭) વાસિષ્ઠીપુત્ર પુલુમાવિનો નાસિકનો ગુફાલેખઃ આ લેખમાં ગૌતમીપુત્ર શાતકર્ણિએ પશ્ચિમી ક્ષત્રપ રાજવંશને નિર્મૂળ કર્યાનો નિર્દેશ છે.
(૮) રુદ્રદામાનો ગિરિનગરનો શૈલલેખ ઃ આ લેખમાં સ્પષ્ટ નિર્દેશ છે કે તેણે ક્ષિણાપથના સ્વામી શાતકર્ણિને બે વખત હરાવ્યો પણ તે દૂરનો સગો ન હોઈ તેને છોડી મૂક્યો.
(૯) કહેરી ગુફાનો લેખ ઃ આ લેખમાં જણાવ્યા મુજબ ગૌતમીપુત્ર સિરિ શાતકર્ણિની પત્ની મહાક્ષત્રપ રુદ્રદામાની પુત્રી હતી.
(૧૦) બંને રાજવંશના અભિલેખ : આ લખાણોમાં પરસ્પર એકબીજા પાસેથી પ્રાપ્ત કરેલા પ્રદેશોનો નિર્દેશ થયેલો છે”.
(૧૧) સાતવાહનોના શિલાલેખો : જેમાં શહેરીત શબ્દનો નિર્દેશ પશ્ચિમી ક્ષત્રપ રાજવંશના એક કુળ તરીકે થયેલો છે.
(૧૨) સિક્કા ઉપરની મુખાકૃતિ : બંને રાજવંશના સિક્કા ઉપર અગ્રભાગે સિક્કા નિર્માણ કરનાર જીવિત રાજાની મુખાકૃતિ ઉપસાવવાની પ્રથાનું સામ્ય છે''.
(૧૩) ત્રિકૂટ પર્વતનું પ્રતીક : બંને રાજવંશના સિક્કા ઉપર પૃષ્ઠભાગે “ચૈત્ય પ્રતીક તરીકે ઓળખાતા ત્રિકૂટ પર્વતના પ્રતીકને ઉપસાવવાની સામાન્ય પદ્ધતિ.
(૧૪) સામ બિરુદ : સ્વામી=સામ બિરુદનો સહુ પ્રથમ પ્રયોગ ક્ષત્રપોએ કર્યો, જેનું અનુકરણ સાતવાહનોએ કર્યું હતું.
(૧૫) મૂળ શક જાતિના સૈનિકો : એમણે પોતાના શક શાસકોની તો સૈન્યસેવા કરેલી પણ સાતવાહન શાસકોના સૈન્યમાં કામ કરેલું.
(૧૬) આ બંને રાજવંશોના અભિલેખોમાં પિતૃપક્ષના નામનો વિનિયોગ સામાન્ય હતો૧૫.
(૧૭) શક સંવત : આ વિખ્યાત સંવતનો પ્રારંભ ચાને કર્યો હતો, ખાસ તો સાતવાહનો ઉપરના વિજયની સ્મૃતિમાં. બંને રાજવંશનો સંક્ષિપ્ત પરિચય
શક જાતિના પશ્ચિમી ક્ષત્રપોથી વિશેષ ખ્યાત આ શાસકો સ્વતંત્ર સત્તાધીશ પ્રારંભથી જ હતા અને તત્કાલના ગુજરાતના વિશાળ ભૂભાગ ઉપર (આજના પશ્ચિમી ભારતના પોણા ભૂભાગ ઉપર) ઈસ્વી ૨૩થી ૪૧૫ સુધી તેમણે સત્તાનાં સૂત્રો સંભાળેલાં હતાં. સમયાંતરે તેમણે વિવિધ પાટનગરો (દા.ત. ભરુકચ્છ, ઉજ્જૈન અને ગિરિનગર)માંથી શાસન કર્યું હતું. ગુજરાત ઉપર રાજકીય પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યા પછી તેઓ લગભગ નામકર્મે ભારતીય બની ગયા હતા. ત્યારના આપણા રાષ્ટ્રના બધા પ્રમુખ ધર્મ પ્રત્યે તેઓ શ્રદ્ધાન્વિત હતા. આ રાજાઓએ પોતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org