________________
પ્રકરણ છ
અભિપ્રાય દર્શાવ્યો છે.
રુશળ શબ્દ અને કુષાણોનો સૂબો હોવાના મત આ ગ્રંથલેખકે ખોટા હોવાનું અગાઉ સાબિત કર્યું જ છે, તેથી રેપ્સનની આ બંને દલીલો સ્વીકાર્ય રહેતી નથી. દોલતપુર અને આંધૌમાંથી વર્ષ ૬ અને વર્ષ ૧૧ના અનુક્રમે પ્રાપ્ત લેખો પછી નહપાનના સમયના ગુફાલેખોમાંનાં વર્ષ ૪૧થી ૪૬ ચાષ્ટનના સમયના યષ્ટિલેખોમાંનાં વર્ષ ૬, ૧૧ અને ૫૨ની મધ્યમાં આવે છે. નહપાન ચાષ્ટનનો પુરોગામી હોવાની હકીકત આપણે અવલોકી ગયા તેમ જ ભૂમક, નહપાન, ચાષ્ટ્રન અને જયદામાના સિક્કાઓનો વિગતવાર અભ્યાસ ઉભયની સમકાલીનતાનો મુદ્દો નિર્મૂળ બનાવે છે. આથી આ વર્ષો શક સંવતનાં હોવાનો મત પ્રતિપાદિત થઈ શકતો નથી.
૧૦૫
રાજ્યકાલનાં વર્ષ ઃ પેરિપ્લસના આધારે વિદ્વાનોનું એક જૂથ॰ પ્રસ્તુત મંતવ્ય દર્શાવે છે. ઉપરાંત વેમ શિના સિક્કાઓ નહપાનના રાજ્યમાં પ્રચારમાં હતા”, તો ભૂમક-નહપાનના સિક્કા ઉપરનાં પ્રતીકો સ્પાલિરિસ અને અય રજાના સિક્કાઓ પરનાં પ્રતીકો સાથે સામ્ય ધરાવે છેપ. આ બધી વિગતો પણ નહપાનનાં વર્ષ એના રાજ્યકાલનાં છે તેના સમર્થનમાં ઉપાદેયી નીવડે છે.
પેરિપ્લસના રચનાકાલનો વિવાદ દૂર થાય નહીં ત્યાં સુધી નહપાનનો સમય નિર્ણિત કરવામાં પેરિપ્લસનો આધાર નિર્ણાયક થતો નથી. પરંતુ વેમ ફૅિશના સિક્કાઓ નહપાનના રાજ્યવિસ્તારમાંથી હાથ લાગ્યા છે એ હકીકત નહપાનનાં વર્ષ રાજ્યકાલનાં હોવાના અભિપ્રાયને સમર્થન બક્ષે છે; કેમ કે વેમ કમ્ફિશ એ કુષાણવંશનો સ્થાપક રાજા હતો. વળી ભૂમક-નહપાન કુષાણોના, ખાસ કરીને કણિષ્કના, ઉપ૨ાજ ન હતા એ આપણે અગાઉ અવલોકી ગયા છીએ (જુઓ પૃષ્ઠ ૮૦થી ૮૨). વળી કણિષ્કનો સત્તાકાલ રાજા રુદ્રદામાના અમલના અંત પછી અને મથુરાના નાગવંશી રાજાઓના અમલ પૂર્વે હોય તે સંભવિત છે. (જુઓ પ્રકરણ નવઃ કણિદ્ધનો સમયનિર્ણય). આથી નહપાન વેમ કફૅિશનો સમકાલીન હોવા સંભવે. ઉપરાંત શક સંવતનો પ્રવર્તક ચાષ્ટન હતો એ આપણે પુરવાર કર્યું છે (જુઓ આ ગ્રંથમાં પરિશિષ્ટ પાંચ). આ બધી હકીકતોને ધ્યાનમાં રાખતાં નહપાનના ગુફાલેખોમાંનાં વર્ષ રાજ્યકાલનાં હોવા વિશે ખસૂસ કોઈ શંકાને અવકાશ નથી.
નહપાનના સમયના ગુફાલેખોમાં ઉલ્લિખિત વર્ષ ૪૧ અને ૪૬ના અનુસંધાને એવું સૂચિત થઈ શકે કે નહપાને ઓછામાં ઓછાં ૪૬ વર્ષ તો રાજસત્તા ભોગવી હતી. નહપાનનું રાજ્ય વર્ષ ૪૬ પછી થોડા સમયમાં જ પૂરું થયું હોય. એટલે તેણે આશરે ઈસ્વી ૩૨થી ઈસ્વી ૭૮ સુધીમાં રાજકાજ સંભાળ્યું હોય. પરંતુ એના રાજ્યકાલનાં વર્ષોમાંનું છેલ્લું જ્ઞાત વર્ષ ૪૬ એના પુરોગામી ભૂમકના સમાવેશ સાથે ગણતરીમાં લઈએ અને જૈન આનુશ્રુતીક આધારોના સંદર્ભે નહપાનનો રાજ્ય-અમલ આશરે ૪૦ વર્ષનો હોવાનું સ્વીકારીએ તો સંભવ છે કે એણે આશરે ઈસ્વી ૩૮થી ૭૮ સુધી સત્તાનાં સૂત્રો સંભાળ્યા હોય. શક્ય છે કે ક્ષહારતના વંશના બંને રાજાઓએ કુલ મળીને સંભવતઃ પંચાવનેક વર્ષ રાજ્ય કર્યું હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org