________________
૧૦૮
ક્ષત્રપકાલીન ગુજરાત ઉષવદાત્તના એક લેખમાં ધૂરાહોરે એવો ઉલ્લેખ છે. આ ઉપરથી મહાને (વર્તમાન જિલ્લાના પર્યાય સમો) વહીવટી વિભાગ ગણાવી શકાય. નહપાનનું રાજ્ય બહાર નામથી વહીવટી વિભાગથી વિભાજિત હશે. ગાવસૂત્ર-
નિજી નહપાનને અતિ સમૃદ્ધ રાજવી તરીકે ઓળખાવે છે. આથી એના સત્તાકાળ દરમ્યાન એની પ્રજા સુખી હશે અને રાજ્યની તિજોરી સમૃદ્ધ સંપન્ન હશે. વિશાળ સામ્રાજ્યનો અધિપતિ હોવા છતાંય એની સૈનિક શક્તિ વિશે કોઈ માહિતી મળતી નથી. પેરિપ્લસ નહપાનને શોખીન રાજા તરીકે વર્ણવે છે : દા.ત. રાજાને સારુ ઊંચા પ્રકારનાં રૂપાનાં વાસણ, અંતઃપુર વાસ્તે રૂપાળી બાંદીઓ, ઊંચી કોટીનો દારૂ અને લેપ વિદેશથી આવતાં હતાં,કહો કે આયાત થતાં હતાં જ.
નહપાનને પદ્માવતી નામની પત્ની અને દક્ષમિત્રા નામની પુત્રી હતાં. પુત્રી દક્ષમિત્રાને દીનીકના પુત્ર ઉષવદાત્ત સાથે પરણાવી હતી. દક્ષમિત્રો અને ઉષવદારનાં નામભિધાન ઉપરથી એ બંનેએ ભારતીય સંસ્કૃતિ અપનાવી હોવાનું સૂચિત થાય છે. એના સમયના ગુફાલેખોમાં એના જમાઈ-દીકરીના સંખ્યાબંધ ઉલ્લેખ આવે છે જયારે એના કોઈ પુત્રનો ક્યાંય ઉલ્લેખ સરખો જોવા મળતો નથી. આથી એ સમયે એને પુષ્ઠ વયનો કોઈ પુત્ર હોવા અસંભવે છે.
ર
પાદનોંધ ૧. લાયક અને એનો પુત્ર પતિક (જુઓ : સરકાર, સીઇ., પૃષ્ઠ ૧૨૦-૨૧).
ઘટાક. મથુરા નજીકના ગણેશરા પાસેથી ફૉગેલને ઘટાક નામના રાજાનો એક ખંડિત શિલાલેખ હાથ લાગ્યો હતો (જુઓ : જરૉએસો., ૧૯૧૨, પૃષ્ઠ ૧૨૧, રાય ચૌધરી, પોહિએઈ., પૃષ્ઠ ૪૫૦ અને
૪૮૪). ૩. ક્ષહરાત વંશના એક અન્ય રાજાના સિક્કા મળ્યા છે (અળતેકર, ન્યૂસોઇ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૫ અને
ત્રિવેદી, એજન, પુસ્તક ૧૭, પૃષ્ઠ ૮૯-૯૦, પટ્ટ ૧૫, નંબર ૯). સિક્કાના આધારે આ રાજા ક્ષહરાત ક્ષત્રપ અર્ત (અંત) હોવાનું સૂચવાયું છે. આ રાજાના સિક્કાના અગ્રભાગે સિંહસ્તંભ, ધર્મચક્ર અને બ્રાહ્મી લિપિમાં લેખ-ક્ષતિસ ક્ષત્રપક્ષ તસ- તથા પૃષ્ઠભાગે હાથમાં પુષ્પમાળા ધારણ કરેલી દેવની આકૃતિ અને ગ્રીક લેખ છે. લખાણમાંના અક્ષરોના મરોડના આધારે આ બંને વિદ્વાન ક્ષહારત ક્ષત્રપ અર્તને ભૂમકના પુરોગામી શાસક તરીકે ઓળખાવે છે. પરંતુ આ રાજા ક્યાંનો હતો કે તે ભૂમક-નહપાન સાથે કેવા પ્રકારના સંબંધ ધરાવતો હતો એ વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. આથી આ રાજા તક્ષશિલા, મથુરા કે ગુજરાતનો હતો એની જાણકારી પ્રાપ્ત થઈ નથી. એના સત્તાપ્રદેશ કે સમયાવધિ વિશે કશું સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. અજયમિત્ર શાસ્ત્રી મધુ રૂાન નામના એક બીજા રાજાનો ઉલ્લેખ કરે છે ક્ષહરાત વંશના શાસક તરીકે. કચ્છ જિલ્લામાંથી આ રાજાના થોડાક તાંબાના સિક્કા હાથ લાગ્યા છે. એના સિક્કાના અગ્રભાગે દક્ષિણાભિમુખ ઊભેલી Nike નામની દેવીની આકૃતિ છે. એના બંને હાથમાં હારમાળા છે અને સિક્કાની કિનારને સમાંતર ગ્રીક લેખ ખંડિતાવસ્થામાં છે. પૃષ્ઠભાગમાં બે સ્તંભ છે, જેમાં ડાબો સિંહશીર્ષથી શોભે છે અને જમણો ચક્રશીર્ષથી સોહે છે. બ્રાહ્મીમાં લેખ છે-ક્ષદરતિસ ક્ષત્રપર્સ મધુડસ યાનસ, સિક્કાની કિનારને સમાંતર. ના દેવીની આકૃતિ ભારતીય ગ્રીક, ભારતીયસીથિયન અને ભારતીયપલ્લવ સિક્કાઓ ઉપર જોવા મળે છે. પરંતુ પશ્ચિમ ભારતમાં આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org