________________
૧૧૪
ક્ષત્રપકાલીન ગુજરાત વૃત્તાકારે ખરોષ્ઠી અને બ્રાહ્મીમાં લખાણ છે; તો બીજા પ્રકારમાં સિક્કાની વચ્ચે ત્રિકૂટ પર્વત, એની ટોચે અને ડાબે ચંદ્રકલા તથા જમણી તરફ સૂર્ય અને નીચેના ભાગે નદીનું સૂચન કરતી સર્પાકાર રેખા અને ખરોષ્ઠી તેમ જ બ્રાહ્મીમાં લેખ છે. એના મહાક્ષત્રપ તરીકેના સિક્કા એના ક્ષત્રપ તરીકેના બીજા પ્રકારના સિક્કા સાથે સામ્ય ધરાવે છે. ચાષ્ટન કુષાણોનો ઉપરાજ ન હતો
સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિથી પરાજિત પામેલા નહપાન પછી ક્ષહરાતોએ ગુમાવેલા પ્રદેશ સાતવાહનો પાસેથી પાછા મેળવવા કુષાણોએ, ખાસ કરીને કણિક્કે, ચારુનને દક્ષિણ-પશ્ચિમ ભારતના પ્રાંતો વાસ્તે ઉપરાજ નીમ્યો હોવાની અટકળ દિનેશચંદ્ર સરકારે વગેરેએ કરી છે; પણ કોઈ સીધા પુરાવાઓનો નિર્દેશ એમણે કર્યો નથી. જો કે આપણે અગાઉ અવલોકી ગયા (જુઓ પ્રકરણ ૫) કે પશ્ચિમી ક્ષત્રપોએ કુષાણોની રાજનિષ્ઠા સ્વીકારી ન હતી. તેથી ચાખન કુષાણોનો સૂબો હોવાનું તથાકથિત મંતવ્ય નિરાધાર બને છે અને તે સાથે પશ્ચિમી ક્ષત્રપો કુષાણોના ખંડિયા રાજા હોવાની બાબતનો પણ છેદ ઊડે છે.
એનો સમય : કચ્છ જિલ્લાના આન્ધીમાંથી પ્રાપ્ત થયેલા ચાષ્ટનના સમયના ચાર યષ્ટીલેખોમાં વર્ષ પરનો નિર્દેશ છે. આ વર્ષો શક સંવતનાં છે એ વિશે હવે કોઈ શંકા રહી નથી. આ ગણતરી પ્રમાણે વર્ષ પર બરોબર (પર + ૭૮) ઈસ્વી ૧૩૦-૩૧ આવે. આથી ચાટન ઈસ્વીની બીજી સદીના બીજા ચરણમાં સત્તાધીશ હતો એ પુરવાર થાય છે. પણ આન્ધૌ ગામેથી વીસમી સદીના સાઠના દાયકામાં ચાષ્ટનના સમયનો એક વધુ યષ્ટીલેખ હાથ લાગ્યો છે, જેમાં વર્ષ ૧૧નો નિર્દેશ છે અને ચાખનને ક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે. એટલે શક વર્ષ ૧૧ બરોબર ઈસ્વી ૮૯માં ચાન ક્ષત્રપ તરીકે અધિપતિ હોવાનું સાબિત થાય છે. પરંતુ તે પછી કચ્છ જિલ્લાના દોલતપુર ગામેથી એક યષ્ટીલેખ મળી આવ્યો છે જેમાં નિર્દિષ્ટ વર્ષ ૬ છે. આથી ચાણન ઈસ્વી ૮૪માં શાસક હોવાનું વધુ એક વાર પુરવાર થાય છે. આમ, કચ્છમાંથી પ્રાપ્ત ચાટનના સમયના છ લેખોથી સ્પષ્ટ થાય છે કે તે શક સંવતના પ્રારંભથી સત્તા ભોગવતો હતો અને આપણે અવલોક્યું તેમ એ સંવત પણ એણે પ્રવર્તાવેલો. શક વર્ષ પરના લેખોમાં એને રીના કહ્યો છે, તો સિક્કાઓમાં રષિા ક્ષત્રપ અને રીના મહાક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે. શક સંવતનો પ્રવર્તક ચાન્ટન હોઈ એનો શાસનકાલ આમ ઈસ્વી ૭૮થી ૧૩૦ સુધીનો હોવાનું સાધાર અનુમાન થઈ શકે.
પરંતુ તોલમાયના મત મુજબ એ સમયે ઉજ્જનની ગાદી ઉપર ચાન્ટન રાજ્ય કરતો હતો. આ ગ્રંથનો રચનાકાળ ઈસ્વી ૧૪૦નો સ્વીકારાય છે. એટલે કે ચાટન ઈસ્વી ૧૪૦માં પણ સત્તાધીશ હતો. એના પૌત્ર મહાક્ષત્રપ રુદ્રદામાનો જૂનાગઢનો શૈલલેખ વર્ષ ૭૨નો (ઈસ્વી ૧૫૦-૫૧નો) છે. આથી એમ સૂચિત થાય છે કે ચાટનની રાજકીય કારકિર્દીનો અંત ઈસ્વી ૧૪૦ અને ૧૫૦ની વચ્ચે કોઈક સમયે, ખાસ કરીને ૧૪૦ પછી થોડા જ સમયમાં આવ્યો હોય.
રાજધાની અને રાજ્યવિસ્તાર : એના સમયના બધા જ અભિલેખો કચ્છ પ્રદેશમાંથી મળ્યા હોઈ એવું સૂચિત થઈ શકે કે પશ્ચિમમાં કચ્છથી પૂર્વમાં ઉજ્જન સુધી એનું રાજ્ય વિસ્તરેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org