________________
૧૦૪
ક્ષત્રપકાલીન ગુજરાત ગુફાલેખોમાં નિર્દિષ્ટ વર્ષો કયા સંવતનાં ?
નહપાનના સમયના આઠ ગુફાલેખોમાં નિર્દિષ્ટ વર્ષ ૪૧, ૪૨, ૪૫ અને ૪૬ એના શાસનકાલને જણાવાનું મહત્ત્વનું સાધન છે. આ વર્ષો કયા સંવતનાં છે એ સારુ ચાર સૂચિતાર્થ અત્યાર સુધીમાં અભિવ્યક્ત થયા છે : પ્રાચીન શક સંવત, વિક્રમ સંવત, શક સંવત અને રાજયકાલનાં વર્ષ. હવે આ અભિપ્રાય અહીં અવલોકીએ.
પ્રાચીન શક સંવત : આ મતના પ્રવર્તક છે જાયસ્વાલ અને સ્ટેન કોનો. પ્રાચીન શક સંવતનો આરંભ ઈસ્વીપૂર્વ ૧૨૩માં થયો હોવાનું સ્વીકારીને જાયસ્વાલે નહપાનને ઈસ્વીપૂર્વ ૮૨થી ૭૭ સુધી રાજય કર્યું હોય એવો અભિપ્રાય આપ્યો છે. આ સંવતનો પ્રારંભ ઈસ્વીપૂર્વ ૮૩માં થયો છે એવું માની સ્ટેન કોનો નહપાનને ઈસ્વીપૂર્વ પ૭ની આસપાસ મૂકે છે. ઉભયને અનુમોદન આપી સત્યશ્રાવ પણ નહપાનના ગુફાલેખોમાંના વર્ષને પ્રાચીન શક સંવતના હોવાનું સ્વીકારે છે.
પરંતુ નહપાનના સત્તાકાલને ઈસ્વીસનની પૂર્વે મૂકી શકાય નહીં. આ વિદ્વાનો પણ સંવતના આરંભકાળ વિશે એક મત નથી. વસ્તુતઃ તો પ્રાચીન શક સંવતની શરૂઆત ઈસ્વીપૂર્વ ૭૧ કે ૬૧માં થઈ હોવાની સામાન્ય માન્યતા છે. આથી, નહપાનના ગુફાલેખોમાંનાં વર્ષ પ્રાચીન શક સંવતનાં હોવાનું મંતવ્ય સ્વીકાર્ય જણાતું નથી. | વિક્રમ સંવત : આ મતના મુખ્ય પ્રવર્તક છે સર એલેકઝાંડર કનિંગહમ. એમને અનુસરી સ્ટેન કોનો, બખલે, ડ્યુબ્રેઈલ, નીલકંઠ શાસ્ત્રી જેવા વિદ્વાનો પણ આવો મત દર્શાવે છે ૯. નહપાનના સમયનાં સ્થાપત્યનાં લક્ષણો, શિલાલેખોની લિપિના અક્ષરોની શોડાસના મથુરાના લેખોની લિપિના અક્ષરો સાથેની સમકાલીનતા, નહપાનનું છેલ્લું જ્ઞાત વર્ષ ૪૬ અને આંધ લેખોમાંનું વર્ષ પર તેમ જ એ બંને વર્ષ વચ્ચેના છ વર્ષના ગાળામાં બનેલા બનાવોને ૩૦ ગોઠવવાની અશક્યતા વગેરે જેવા મુદ્દાઓની છણાવટ કરી તથા વિક્રમ સંવતનો આરંભ નહપાનના રાજયકાલથી થયો હોવાનું માની આ વિદ્વાનો નહપાનના શાસનકાલને વિક્રમ સંવતી ગણતરીએ ઈસ્વીપૂર્વ પ૮થી ૧૨ દરમ્યાન ગોઠવે છે.
* પરંતુ આપણે નોંધ્યું તેમ દોલતપુર અને આન્ધૌમાંથી હાથ લાગેલા ચાષ્ટનના સમયના યષ્ટીલેખોમાં નિર્દિષ્ટ વર્ષ ૬ અને ૧૧ને ધ્યાનમાં લેતાં નહપાનના રાજ્યના અંત અને ચાષ્ટનના શાસનના આરંભ વચ્ચે આશરે સો વર્ષનો ખાલી ગાળો રહેલો જણાય છે. ક્ષહરાત રાજ્યનું ઉમૂલન કરનાર ગૌતમીપુત્ર અને ક્ષહરાત રાજ્યના પ્રાપ્ત કરેલા પ્રદેશમાંના ઉત્તર તરફના વિસ્તારો ગુમાવી દેનાર વાસિષ્ઠીપુત્ર પુલુમાવિ કે વાસિષ્ઠીપુત્ર શાતકર્ષિના સમય વચ્ચેનું ટૂંકું અંતર લક્ષ્યમાં લેવાથી ઉક્ત લાંબો ગાળો સંભવિત જણાતો નથી. તેથી નહપાનના સમયના ગુફાલેખોમાંનાં વર્ષ વિક્રમ સંવતના ચોકઠામાં ગોઠવી શકાતાં નથી.
શક સંવત : રેપ્સન આ મતના મુખ્ય પ્રવર્તક છે. ચાખનાદિ વંશોના રાજાઓના સિક્કામાં પ્રયોજાયેલો સંવત નહપાનના લેખોમાં ઉપયોગાયો હોવાનો સંભવ, એના ગુફાલેખોમાં ઉલિખિત કુશળ શબ્દ, નહપાન કુષાણોનો સૂબો વગેરે મુદ્દાઓના સંદર્ભમાં રેપ્સને આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org