________________ 13 હવે ઈતિહાસનું તાત્પર્ય જે ઉપદેશમાં હોય તો આ બીનામાંથી આપણે ઘણું શીખવાનું મળી આવશે. સમયને અનુસરી ઘણું બાબતમાં આ પણે ફેરફાર કરવા પડે છે; નહિ કરીએ તે એની મેળે થશે. કાળ કિવા પ્રગતિને નિયમજ એવે છે. આમ હિંદુસ્તાનમાં અનેક પરિવર્તન થયાં છે અને થશે. પરંતુ લક્ષમાં રાખવાની વાત અત્ર એટલી જ છે કે જે ફેરફારો કરવા આપણે શક્તિમાન થઇએ અથવા કરી શકીએ તે કેવળ એક દેશી થઈ ન જાય એ જોવાની બહુ આવશ્યકતા છે. સારાની સાથે નરસું ચાલ્યું આવતું હોય તે નરસું સમય જતાં નીકળી જશે એવી આશાથી તે વખતે સંતોષ માન ઉચિત ગણાય; પણ જાણે કે અજાણે નરસુંજ માત્ર પેસી જતું હોય તે વિચારશીલ પુરૂષોએ તે વાત તુરત લક્ષમાં લેવી ઘટે છે. પાશ્ચાત્ય સંસર્ગના બળે આપણી રહેણીકરણીમાં, માત્ર વિલાસ વૃત્તિને સંતોષવા કેવળ અનુકરણરૂપે ઘણું પેસી જાય છે, જેથી લાભ કઈ ' થતું નથી અને હાનિ તો થાય છે. એકજ દાખલો અત્રે બસ થશે. હા પીવાને રિવાજ સમાજના છેક નીચલા થરમાં પણ ઘરેઘર પેસી ગયો છે. કેવી કેવી મુશ્કેલીઓ એ ધર્મને વેઠવી પડી હતી એ વાત હવે ગ્રંથકાર ત્રીજા પ્રકરણમાં કહે છે. રોમનું સાદું પણ ભવ્ય જીવન હવે નષ્ટ થઈ ગયું હતું, અને વિલાસ વૃત્તિને લીધે મનુષ્યનાં આચરણ કેવળ નીતિભ્રષ્ટ અને અધમ થઈ ગયાં હતાં. લોકો ભોળા અને વહેમી થઈ ગયા; અને આવી અનુકૂળ સ્થિતિ મળતાં ઈજીપનો અલખવાદ (Mysticism) રોમમાં પસી પ્રબળતા પામે. રોમના રાજ્યમાં અન્ય ધર્મોને ઘણી સ્વતંત્રતા હતી અને લેખકોને પોતાના વિચાર જણાવવાની છૂટ હતી. તેથી અનેક મતમતાં તરો રામમાં ચાલતા હતા અને લોકોનાં મન તે તરફ વળતાં હતાં. યાહુદી ધર્મમાં એકેશ્વરવાદ હોવાથી લોકોને તે બહુ આકર્ષક થવા માંડ્યો હતો. ટૂંકામા લેકિનાં મન અત્યારે એવી સ્થિતિમાં આવી ગયાં હતાં કે કોઈ પ્રબળ ધર્મ મળતાં તુરત તેમાં તેઓ ભળી જાય.