________________ હવેથી નીતિભ્રષ્ટ રોમન લેકેને ઈતિહાસ તેમની પડતીને જ ઈતિ- હાસ છે. ભવ્ય સ્ટઈક મત નીતિમાં લથડી ગએલા અને લથડતા મને - ટટ્ટાર કરવા કે રાખવા સમર્થ થઈ શક્યો નહિ. એપિક્યુરસના મતે તે આ પડતીની ગતિમાં ત્વરિતતા ઉમેરી. પમ્પી અને સીઝર જેવા આગેવાનોમાં ઉડે ઉડે રાજ્ય–લેભ જાગ્રત થયો અને પ્રજા-વિગ્રહ મંડાણા. તેમાં લેકની ખુવારી થઈ અને ઓગસ્ટસના સમયમાં પાદશાહત શરૂ થઈ; અને પ્રજાને માથે લેઢાને પાયે પનોતી બેઠી. લેકે વહેમી અને ભ્રષ્ટ થઈ ગયા; લશ્કરમાં ગેર વ્યવસ્થા ચાલી; અમીર વર્ગ છુંદાઈ નિસ્તેજ બની ગયો: ગરીબ વર્ગ સુસ્ત અને એદી બની ગયો; કળા, હુન્નર નાશ પામ્યાં; ખેતી સ્વદેશાભિમાન અને શૌર્યને અસ્ત થયો; અને નીતિભ્રષ્ટતા નિરંકુશ બની ઉઘાડેછોગે શેરીએ અને કૈટે ઘૂમવા લાગી. માઠી દશામાં ધર્મ માણસને દિલાસા રૂપ થઈ પડે છે. પરંતુ રોમને ધર્મ મૂળથીજ રાજકીય હતા, અને રાજ્ય ભ્રષ્ટ થઈ જતાં તે ધર્મને માટે પણ માન જતું રહ્યું. તેથી માત્ર ધાર્મિક ક્રિયાઓમાંજ ધર્મ ગણવા લાગ્યો; અને ખ્રિસ્તિ ધર્મ આવતાં તે ભાગ પ્રત્યે પણ તિરસ્કારની નજરથી જોતાં લેકે શીખ્યા. પરંતુ એક બીના અત્ર ખાસ લક્ષમાં રાખવા જેવી છે. દરેક પરિવર્તનમાં લાભ અને હાનિ બન્ને સમાએલાં હોય છે. પણ લેકી કહે છે તેમ રેમને આ સમયે લાભ વિના હાનિજ પ્રાપ્ત થઈ અને તેનાં ત્રણ કારણો પણ એ બતાવે છે. પાદશાહતની સ્થાપના, ગુલામગીરીને રિવાજ, અને તરવારના પ્રાણઘાતક ખેલ. તેથી કરીને “વિલાસવૃત્તિની સાથે આવવા જોઈતા અન્ય સદાચાર તેમનામાં આવ્યા નહિ. સુધારે વધતાં રીતભાત વધારે સભ્ય થાય છે અને પરોપકાર વૃત્તિ સતેજ થાય છે. બુદ્ધિની ચંચળતા. અને ઔદ્યોગિક સાહસ વધે છે; રાજકીય લાભોનું ક્ષેત્ર વિસ્તાર પામે છે. અને મોટાઈના ખાસ સદાચાર ઓછા થઈ જાય છે તે તેને બદલે સમાનતાના સદાચાર વૃદ્ધિ પામે છે.” આમાંનું કશું રેમન લેકને પ્રાપ્ત થઈ શકયું નહિ. તેથી રેમ નષ્ટ થયું.