________________ આપણું જ્ઞાન જેવું જ હોય છે. તેથી કેઈપણ દેશની નૈતિક ઉન્નતિ કે પ્રગતિના નિયમો તારવી કાઢવા પૂર્વે તે દેશને ઇતિહાસ સર્વ પાસા મનન પૂર્વક શોધા જોઈએ. યુરોપના અનેક ઐતિહાસિક ગ્રંથને અભ્યાસ કરી યુરોપના સંબંધમાં આવા નિયમ લેકીએ તારવી કાઢયા છે, અને આ ગ્રંથમાં કહ્યા છે. બીજા પ્રકરણથી યુરોપને નૈતિક ઈતિહાસ ગ્રંથકાર કહેવા માંડે છે. યુરેપના ઇતિહાસમાં પ્રેમને ઈતિહાસ મધ્યબિંદુ છે. સુધરેલી દુનિયાની ભિન્ન ભિન્ન પ્રજાઓ, ભિન્ન ભિન્ન વિચારો, ધર્મો અને સંસ્થાઓ રેમના સાર્વભૌમ રાજ્યની છત્રછાયા નીચે રેમમાં એકઠાં થાય છે, અને પછી યુરોપમાં પ્રસરી જાય છે. ખ્રિસ્તિ ધર્મ પણ એમજ ફેલાય છે. આ ખ્રિસ્તિ ધમની મૂળ જન્મભૂમિ તે એશિયામાં આવેલ સિરિયા પ્રાંત હતો. પરંતુ રોમમાં આવી એ સર્વોપરિ થયો અને યુરોપમાં ફેલાઈ ગયો. સાતમા સૈકાની શરૂઆતમાં હઝરત મહમદ પેગંબરે મુસલમાની ધર્મ સ્થાપ્યો અને દુનિયામાં “દીન, દીન ના પિકાર ઉઠયા. એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર રાખી આરબ લડવૈયાઓ બહાર નીકળી પડયા અને સે વર્ષમાં તે લગભગ આખી દુનિયા ઉપર ફરી વળ્યા. તેમણે આફ્રિકા અને ઈજીપ્તમાં રાજ્ય સ્થાપ્યાં; ઈરાનમાંથી પારસીઓને હાંકી કાઢયા; અફગાનીસ્તાન, બલુચિસ્તાન, તાતાર ઇત્યાદિ દેશે સર કર્યા, અને ચીનની સરહદ સુધી પહોંચી વળ્યા. સીરિયા, તુર્કસ્તાન ઇત્યાદિમાં રાજ્ય જમાવી બગદાદમાં ખલીફાત સ્થાપી. આણી તરફ આફ્રિકામાંથી તેઓ પેન ઉપર ધસ્યા, અને ત્યાંથી કાન્સ તરફ ચાલ્યા. પણ પિઈટીઅર્સની લડાઈમાં ચાર્લ્સ મારટલે તેમને શિકસ્ત આપી, અને તેથી યુરોપનાં નસીબ અને ઈતિહાસ ફરી ગયાં; અને પછી રમના ખ્રિસ્તિ ધર્મગુરૂઓ આખા યુરેપને તેમની સામે ઉશ્કેરવા લાગ્યા, અને ધર્મયુદ્ધો ચાલુ થયાં. સમય જતાં યુરોપમાં ખ્રિસ્તિ ધર્મ દઢ થે, અને મુસલમાનોની બીક મટી ગઈ. પરંતુ ખ્રિસ્તિ સમય પહેલાં રેમની નૈતિક સ્થિતિ કેવી હતી અને તેનાં શા શા કારણે હતાં તેમની તપાસમાં ગ્રંથકાર પ્રવૃત્ત થાય છે.