________________ નહિ, ત્યાં સુધી તે સમાજની ઉન્નતિ અને પ્રગતિની આશા રાખવી વ્યર્થ છે; અને મોટી મોટી વાત કરવી નિરર્થક છે. સુધારકાએ કેવી રીતે કામ લેવું જોઈએ તે વિષે લેકીએ આ ગ્રંથમાં ઈસારા કર્યા છે તે પણ લક્ષમાં લેવા જેવા છે. નીતિના દરેક સિદ્ધાંતમાં તત્ત્વજ્ઞાનને અમુક સિદ્ધાંત પણ પાયાભૂત હોય છે. જનહિતવાદમાં ચિદ્દશક્તિ સ્વતંત્ર ક્રિયાકારક રહેતી નથી; તેથી તે મતમાં જડચેતનને ભેદ માત્ર મુસાઈ જાય છે. વળી વ્યવહાર પરત્વે જ્ઞાનની પ્રક્રિયાનો સિદ્ધાંત કેન્ટ સ્થાપીને તે મતની જ્ઞાનની પ્રક્રિયાને પણ એણે દોષિત ઠરાવી છે. આમ જનહિતવાદ સર્વથા ત્યાજ્ય કરે છે. પરંતુ આ ઉપરથી એમ સમજવાનું નથી કે આંતર નીતિવાદમાં સમાજના શ્રેયને અને લેકના હિતને અનાદર અને અભાવ છે. આમ નીતિના સિદ્ધાંતમાં આંતરવાદ આદરણીય થાય છે; અને તેથી તેની સામે મૂકાતા આક્ષેપોને પરિહાર લેકી કરે છે. આપણી કલપનાદિ શકિતઓને સંબંધ નીતિમાં કેવો છે તે પણ એ કહે છે. ' આંતરવાદ પ્રમાણે નીતિ સમજતાં એમ સ્પષ્ટ થાય છે કે મનુષ્યના સ્વભાવમાં મૂળે કેટલાંક વલણ રહેલાં છે તે સંજોગના બળે દશ્ય કાર્યોમાં પ્રતીત થવાનો પ્રયાસ કરે છે, અને તેથી નીતિના ક્રમમાં ઉન્નતિને અવકાશ રહે છે, અને વૃત્તિઓ કેળવાતી જાય છે. આ કેળવણીની પદ્ધતિ કેવા પ્રકારની છે, અથવા કેવાં કેવાં કારણોને લીધે સમાજે પિતાની નીતિનાં ધોરણ ઉંચાં કરતાં જાય છે અને તેથી કરીને કેવા કેવા સદાચાર પ્રત્યે તેમની પસંદગી વળતી જાય છે તેનું દિગદર્શન લેકી કરે છે, અને તેમાંથી કેટલાક ઉપયોગી નિયમો એ તારવી કાઢે છે. તેમની અત્ર પુનરૂક્તિ કરવી ઉચિત નથી. પરંતુ આ નિયમોમાં જે કે સામાન્ય અંશ રહેલો હોય છે, પરંતુ અનેક કારણોને લીધે દેશ દેશમાં અને જાત જાત પ્રતિ તે ભિન્ન ભિન્ન હોય છે. લેકી કહે છે તેમ આ નિયમોનું આપણું જ્ઞાન આબોહવાના