________________
ટૂંક ચોથા શ્રી અભિનંદન સ્વામીની છે. ઓગણીસમી ટૂંક પ્રમુખ જલમંદિર છે. અહીં શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. વિશ્રામ માટે ધર્મશાળા છે. સેવાપૂજા માટે નહાવાની વ્યવસ્થા છે. આગળ જતાં શ્રી શુભગણધર સ્વામીની વીસમી ટૂંક આવે છે. એકવીસમી ટૂંક પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ પ્રભુની છે. બાવીસમી ટૂંક શ્રી વારિષણ શાશ્વતા જિનની છે. તેવીસમી ટૂંક શ્રી વર્ધમાન શાશ્વત જિનની છે. ચોવીસમી ટૂંક શ્રી સુમતિનાથ ભગવાન પાંચમા તીર્થંકરની છે. પચ્ચીસમી ટૂંક સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનની છે. છવ્વીસમી ટૂંક શ્રી મહાવીર સ્વામી (મોક્ષ સ્થાન-પાવાપુરી) ભગવાનની છે. સત્તાવીસમી ટૂંક સાતમા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની છે. અઠ્ઠાવીસમી ટૂંક બીજા તીર્થકર અજીતનાથ ભગવાનની છે. ત્રીસમી ટૂંક બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ પ્રભુ (ગિરનારજી મોક્ષસ્થાન) છે. અને એકત્રીસમી ટૂંક શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે. અહીં ભગવાનનું સમાધિ સ્થાન છે. આ દાયકામાં મુંબઈથી નીકળેલા છ'રી પાલિત સંઘની સ્મૃતિમાં અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરિજી મ. ની નિશ્રામાં અહીં વીસ જિનાલયનું નિર્માણ થયું છે. નવી બનેલી કચ્છી ધર્મશાળા સારી સગવડો ધરાવે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી સમેતશિખર પાર્શ્વનાથ કે ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ