________________
પહાડ અથવા તો તેને સમ્મેતશિખર પહાડ કહેવાય છે પૂર્વ ચોવીસીઓમાં કેટલાય તીર્થંકરો અહીં મોક્ષ પામ્યાની જનશ્રુતિ છે. વર્તમાન ચોવીસીના વીસ તીર્થંકરો અહીં મોક્ષપદ – નિર્વાણ પામ્યા છે. ગામમાં તળેટીમાં શ્રી ભોમયાજીનું મંદિર છે જે અહીંના રક્ષક છે. પહાડ ઉપર ચઢતા ૬ માઈલ, યાત્રા કરતાં ૬ માઈલ અને નીચે ઉતરતા ૬ માઈલ એમ કુલ્લે અઢાર માઈલનું અંતર છે.
ξ
શ્રી ભોમયાજી મહારાજના દર્શન કર્યા બાદ બે માઈલ ચાલતાં ગાંધર્વનાળું આવે છે. ત્યાંથી થોડે આગળ જતાં બે રસ્તાઓ આવે છે. ડાબા હાથે શ્રી ગૌત્તમ સ્વામીની ટ્રંકથી થઈને જલમંદિર ઉપર પહોંચી શકાય છે. જમણા હાથે ડાકબંગલા થઈ શ્રી પાર્શ્વનાથજીની ટૂંક ઉપર પહોંચાય છે. સામાન્ય રીતે પહેલી વખત અને બધી ટૂંકો ૫૨ જવા માટે જલમંદિરના રસ્તે જવાય છે. જલમંદિરના રસ્તા ઉપર આગળ વધતાં સીતા નાળું આવે છે. ત્યાંથી ઉપર ચઢાણ છે ત્યારબાદ શ્રી મહાવીર ભગવાનના પ્રથમ ગણધર શ્રી ગૌત્તમ સ્વામીની ટૂંક આવે છે. લગભગ બધી ટૂંકો ઉ૫૨ દર્શનાર્થે ચરણપાદુકાઓ સ્થાપિત છે. બીજી ટૂંક સત૨મા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનની છે. ત્રીજી ટૂંક શ્રી ઋષભાનની, ચોથી ટૂંક શ્રી ચંદ્રાનન શાશ્વત જિનની, પાંચમી ટૂંક એકવીસમા તીર્થંકર શ્રી નેમીનાથ ભગવાનની છે. છઠ્ઠી ટૂંક અઢારમા તીર્થંકર શ્રી અરનાથની, સાતમી ટૂંક ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાનની છે. આઠમી ટૂંક અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ પ્રભુની, નવમી ટૂંક નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ પ્રભુની, દસમી ટૂંક છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુની છે. અગિયારમી ટૂંક વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનની છે. બારમી ટૂંક આઠમા શ્રી ચંદ્રપ્રભુની છે. આ ચઢાણ કઠિન છે. તે૨મી ટૂંક શ્રી આદિશ્વર ભગવાનની છે. (આદિશ્વર પ્રભુ અષ્ટાપદ પર મોક્ષપદ પામ્યા છે.) ચૌદમી ટૂંક ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનની છે. પંદરમી ટૂંક દસમા શ્રી શીતલનાથ ભગવાનની છે. સોળમી ટૂંક ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ પ્રભુની છે. સત્તરમી ટૂંક બારમા તીર્થંકર વાસુપૂજ્ય સ્વામીની છે. (મોક્ષ સ્થાન-ચંપાપુરી) અઢારમી
શ્રી સમ્મેતશિખર પાર્શ્વનાથ
૫