________________
તીર્થાધિરાજને પારસનાથ પહાડ' તરીકે ઓળખે છે. | પાર્શ્વનાથ પરમાત્માએ કેવળજ્ઞાન અવસ્થામાં લગભગ ૭૦ વર્ષ સુધી પૃથ્વીતલને પાવન કરી જ્યારે પોતાનો નિર્વાણકાળ નજીક આવતાં પુનઃ શ્રી સમેતશિખર તીર્થાધિરાજ પર પધારે છે જ્યાં ૩૩ મુનિવરો સાથે ૧ માસનું અનશન કરી કાયોત્સર્ગ મુદ્રામાં શ્રાવણ સુદ-૮ના દિવસે વિશાખા નક્ષત્રમાં શિવરમણીને વરે છે.
પાર્શ્વનાથ પરમાત્મા નિર્વાણ પામતા શોકાકુલ બનેલા દેવ-દેવેન્દ્રો પરમાત્માનો વિશિષ્ટ નિર્વાણ કલ્યાણક મહોત્સવ કરે છે. પરમાત્મા જે સ્થળેથી નિર્વાણ પામ્યા તે સ્થળ “સુવર્ણભદ્ર ટૂંક' નામે જગવિખ્યાત બને છે. જે ટૂંકનું બીજું નામ “ધર્મગાડંબર ટૂંક” પણ છે.
ગગનચૂંબી આ ટૂંક પર પૂ.આ.ભ.વિ. દિનકર સૂરીશ્વરજી મહારાજની સત્રેરણાથી આનંદ દેશના ગંધપુરનગરના પ્રભસેન રાજાએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય ચૌમુખજી જિનાલય બનાવી મહાતીર્થનો ૨૦મો તીર્થોદ્ધાર કર્યો હતો. આ ટૂંક પરથી કુલ ૨૪ લાખ મુનિશ્વરો મુક્તિવધૂને વર્યા છે.
આ સુવર્ણભદ્ર ટૂંકની યાત્રા કરનાર ૧ ક્રોડ પૌષધોપવાસનું ફળ મેળવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ ૨૨માં તીર્થપતિ શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણથી ૮૩,૭૦૦ વર્ષે નિર્વાણ પામ્યા છે. | ખરેખર શ્રી સમેતશિખર તીર્થાધિરાજ પર ૨૦ જિન નિર્વાણપદને પામ્યા છે. એટલે એના અણુ-અણુ પવિત્રતમ તો છે જ, સાથે સાથે આ તીર્થાધિરાજ પર દિવ્ય ઔષધિઓ, રસ કુપિકા તથા વિવિધ ધાતુઓ પણ છૂપાયેલી છે. જે તજજ્ઞ હોય તે મેળવી શકે, જાણી શકે. ૫. જયવિજયજી મ. એ તીર્થમાળામાં તો આગળ વધીને હીરાની ખાણ આ તીર્થાધિરાજ પર પણ છે એમ સૂચવ્યું છે. (‘પાર્થ પ્રભુ પ્યારા' માંથી સાભાર)
(૨) મધુબન ગામ પાસે લગભગ ૪૫૦૦ ફૂટની ઊંચાઈ ઉપર પાર્શ્વનાથ
છે કે
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ