SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાધિરાજને પારસનાથ પહાડ' તરીકે ઓળખે છે. | પાર્શ્વનાથ પરમાત્માએ કેવળજ્ઞાન અવસ્થામાં લગભગ ૭૦ વર્ષ સુધી પૃથ્વીતલને પાવન કરી જ્યારે પોતાનો નિર્વાણકાળ નજીક આવતાં પુનઃ શ્રી સમેતશિખર તીર્થાધિરાજ પર પધારે છે જ્યાં ૩૩ મુનિવરો સાથે ૧ માસનું અનશન કરી કાયોત્સર્ગ મુદ્રામાં શ્રાવણ સુદ-૮ના દિવસે વિશાખા નક્ષત્રમાં શિવરમણીને વરે છે. પાર્શ્વનાથ પરમાત્મા નિર્વાણ પામતા શોકાકુલ બનેલા દેવ-દેવેન્દ્રો પરમાત્માનો વિશિષ્ટ નિર્વાણ કલ્યાણક મહોત્સવ કરે છે. પરમાત્મા જે સ્થળેથી નિર્વાણ પામ્યા તે સ્થળ “સુવર્ણભદ્ર ટૂંક' નામે જગવિખ્યાત બને છે. જે ટૂંકનું બીજું નામ “ધર્મગાડંબર ટૂંક” પણ છે. ગગનચૂંબી આ ટૂંક પર પૂ.આ.ભ.વિ. દિનકર સૂરીશ્વરજી મહારાજની સત્રેરણાથી આનંદ દેશના ગંધપુરનગરના પ્રભસેન રાજાએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય ચૌમુખજી જિનાલય બનાવી મહાતીર્થનો ૨૦મો તીર્થોદ્ધાર કર્યો હતો. આ ટૂંક પરથી કુલ ૨૪ લાખ મુનિશ્વરો મુક્તિવધૂને વર્યા છે. આ સુવર્ણભદ્ર ટૂંકની યાત્રા કરનાર ૧ ક્રોડ પૌષધોપવાસનું ફળ મેળવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ ૨૨માં તીર્થપતિ શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણથી ૮૩,૭૦૦ વર્ષે નિર્વાણ પામ્યા છે. | ખરેખર શ્રી સમેતશિખર તીર્થાધિરાજ પર ૨૦ જિન નિર્વાણપદને પામ્યા છે. એટલે એના અણુ-અણુ પવિત્રતમ તો છે જ, સાથે સાથે આ તીર્થાધિરાજ પર દિવ્ય ઔષધિઓ, રસ કુપિકા તથા વિવિધ ધાતુઓ પણ છૂપાયેલી છે. જે તજજ્ઞ હોય તે મેળવી શકે, જાણી શકે. ૫. જયવિજયજી મ. એ તીર્થમાળામાં તો આગળ વધીને હીરાની ખાણ આ તીર્થાધિરાજ પર પણ છે એમ સૂચવ્યું છે. (‘પાર્થ પ્રભુ પ્યારા' માંથી સાભાર) (૨) મધુબન ગામ પાસે લગભગ ૪૫૦૦ ફૂટની ઊંચાઈ ઉપર પાર્શ્વનાથ છે કે શ્રી સમેતશિખર પાર્શ્વનાથ
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy