Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર પ
(ચિંતન સંગ્રહ)
P
For Private And Personal Use Only
સ્નેહીવ
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિચાટ પંખી (ચિંતન સંગ્રહ)
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનકાર [આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.]
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कोवा (गांधीनगर) R.३८२००९
પુનઃ સંપાદન જ્ઞાનતીર્થ - કોબા
પાંચમી આવૃત્તિ વિ.સં. ૨૦૩૫, ૩૧ ઑગસ્ટ ૨૦૦૯
મંગલ પ્રસંગ રાષ્ટ્રસંત શ્રતોદ્ધારક આચાર્યદેવશ્રીપધસાગરસૂરિજીનો
૭૫મો જન્મદિવસ. તિથિ : ભાદરવા સુદ-૧૧, તા. ૩૧-૮-૨૦૦૯, સાંતાક્રુઝ - મુંબઈ
મૂલ્ય પાકું પૂંઠું રૂ. ૧૨૦.૦૦ કાચુ પેઠું: રૂ. ૫૦.૦૦
આર્થિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર
પ્રાણા શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા, તા. જિ. ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૪૨૦૪, ૨૩૨૭૬૨પર
email: gyanmandir@kobatirth.org
website : www.kobatirth.org
મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટર્સ, અમદાવાદ - ૯૮૨૫૫૯૮૮પપ ટાઈટલ ડીઝાઈન : આર્ય ગ્રાફિક્સ - ૯૯૨૫૮૦૧૯૧૦
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी
श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन-अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी. ४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन हिताय बहुजन सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया. जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1. પ્રકાશકીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરંતુ જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતુ લોકપ્રિય સાહિત્ય છે. - પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કંઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટમંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પાસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની
મૈત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત છેઆચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે
વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો.
વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુનઃપ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા.
તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંસ્થાના શ્રુતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું. ( શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુન:પ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત શ્રી વિચાર પંખી ગ્રંથને પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે.
આ આવૃત્તિનું મૂફરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ શાહ તથા ફાઈનલ સ્કૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જેન, શ્રી આશિષભાઈ શાહનો તથા આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કપ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ, શ્રી સંજયભાઈ ગુર્જર તથા બાલસંગભાઈ ઠાકોરનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.
આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કર. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદાન આપને લાભદાયક થશે.
પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી.
અન્ત, નવા કલેવર તથા સજ્જા સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ સાથે...
ટ્રસ્ટીગણે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર
=
=
=
==
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વન મિનિટપ્લીઝ! આમાં મારું પોતાનું કશું જ જ્ઞથી તણખલા ધleણીવીણીd માળો બનાવ્યો હર્તા વિચારપંખીએ... ડાયરીની ડાળીએ આજે એ પંખી ડાળીનો માળો મુકીને પુસ્તકના પીંજરામાં કેદ થઈને તમારી વળે આવે છે. સાચવજો. પંખી છે. પંપાળો એને, પછડાટ નહીં દેતા! તમને ગમે તો તમારા દિલની ડાળીએ વડનું નિર્માણ કરવા દે... એળે, નહીંતર પીંજરા સાથે બીજા ને સોંપી દે છે. જેમાં આમાં કંકુ પણ છે તે સહુ વડીલોળે વંદા.. ભિત્રોને મહોબ્બત. દોસ્તને સલામw
- dહદીપ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્યારે જાય કંખી ત્યારે કંઈક મત રહે છે iMી અંતરના આકાશે ટોળે વળે છે વિચાર પંખી.. વિચાર પંખી
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ, કલા તથા શ્રુત-સાધનાનું આહ્લાદક ઘામ
શ્રી મહાવીર જૈન આશધના કેન્દ્ર, કોબા તીર્થ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલું સાબરમતી નદીથી નજીક સુરમ્ય વૃક્ષોની ઘટાઓથી છવાયેલું કોબા તીર્થ પ્રાકૃતિક શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરાવે છે. ગચ્છાધિપતિ, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ની દિવ્ય કૃપા અને યુગદ્રષ્ટા રાષ્ટ્રસંત આચાર્ય પ્રવર શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજીના શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની સ્થાપના ૨૬ ડિસેમ્બર ૧૯૮૦ ના રોજ કરવામાં આવી. આચાર્યશ્રીની એવી ઈચ્છા હતી કે અહીં ધર્મ, આરાધના તથા જ્ઞાન-સાધનાની કોઈ એકાદ પ્રવૃત્તિ જ નહીં, પણ અનેકવિધ જ્ઞાન અને ધર્મપ્રવૃત્તિનો મહાસંગમ થાય, એટલા માટે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની ઉચ્ચ ભાવનારૂપ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની સ્થાપના કરવામાં આવી.
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી નીચેની શાખાઓમાં સતત પ્રયત્નોથી ધર્મશાસનની સેવામાં તત્પર છે.
(૧) મહાવીરાલય : હૃદયમાં અલૌકિક ધર્મોલ્લાસ જગાડનાર પરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનો શિલ્પકલાયુક્ત ભવ્ય પ્રાસાદ મહાવીરાલય જોવા લાયક છે. પહેલા માળે ગર્ભગૃહમાં મૂળનાયક મહાવીરસ્વામી વગેરે ૧૩ પ્રતિમાઓના દર્શન અલગ-અલગ દેરીઓમાં કરી શકાય છે તથા ગ્રાઉન્ડ ફલોર પર આદીશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા, માણિભદ્રવીર તથા ભગવતી પદ્માવતી સહિત પાંચ પ્રતિમાના દર્શન કરી શકાય છે. તમામ પ્રતિમાઓ એટલી સુંદર અને ચુંબકીય આકર્ષણ ધરાવે છે કે જાણે કે સામે દર્શન કરવા બેઠા જ રહીએ!
મંદિરને પરંપરાગત શૈલીથી શિલ્પાંકનોથી રોચક પદ્ધતિથી અલંકૃત કરવામાં આવેલ છે. જેમાં પગથિયાંથી શરૂ કરીને શિખરના ગુંબજ સુધી તથા રંગમંડપથી ગર્ભગૃહનો દરેક પ્રદેશ જોતાં જૈન શિલ્પકલા આધુનિક યુગમાં પુનઃ જીવિત થઈ હોય તેવું લાગે છે. દરવાજા પર કોતરાએલા ભગવાન મહાવીરના પ્રસંગોમાં ૨૪ પક્ષ, ૨૪ યક્ષિણીઓ, ૧૬ મહાવિદ્યાઓ, વિવિધ સ્વરૂપોથી સજ્જ અપ્સરાઓ, દેવો, કિન્નર, પશુ-પક્ષી તથા લતામંજરી વગેરે આ મંદિરને જૈન શિલ્પ તથા સ્થાપત્યના ક્ષેત્રમાં એક અપ્રતિમ ઉદાહરણ પુરું પાડે છે.
મહાવીરાલયની ખાસ વિશિષ્ટતા એ છે કે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના અંતિમ સંસ્કારનો સમય એટલે કે દર વર્ષે ૨૨ મે ના રોજ બપોરે
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે વાગ્યે ને સાત મિનિટે મહાવીરાલયના શિખરમાંથી સૂર્યકિરણ શ્રી મહાવીરસ્વામીના કપાળને સૂર્યતિલકથી ઝગમગાવે એવી અનુપમ તથા અદ્વિતીય વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે આ આહ્લાદક પ્રસંગના દર્શન ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાવવિભોર બનીને દર્શન કરે છે.
(૨) આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ સ્મૃતિ મંદિર (ગુરુમંદિર) : પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ પ્રશાંતમૂર્તિ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજીના પુણ્ય દેહના અંતિમ સંસ્કારના સ્થળ ઉપર પૂજ્યશ્રીની પુણ્યસ્મૃતિમાં સંગમરમરનું નયનરમ્ય કલાત્મક ગુરુ મંદિર બનાવવામાં આવ્યું છે. સ્ફટિક રત્નોથી બનાવેલાં આ મંદિરમાં અનન્તલબ્ધિ નિધાન શ્રી ગૌતમસ્વામીજીની મનોહર મૂર્તિ તથા સ્ફટિકમાંથી જ બનાવેલી ચરણ-પાદુકા ખરેખર દર્શનીય છે!
(૩) આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (જ્ઞાનતીર્થ) : વિશ્વમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાન વારસાના વિશાળતમ સંગ્રહ ધરાવતા અઘતન સાધનોથી સંપન્ન શોધ સંસ્થાનના રૂપે પોતાનું નામ જાળવી રાખતું આ જ્ઞાનતીર્થ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના આત્મા સ્વરૂપે છે આ જ્ઞાનતીર્થ પોતાના કાર્યો દ્વારા સમાજમાં પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે નામ ધરાવે છે. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની અંતર્ગત નીચે પ્રમાણેના વિભાગો કાર્યરત છે. (અ) દેવર્નિંગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર (બ) આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર (પ્રિન્ટેડ ગ્રંથોની લાયબ્રેરી) (ક) આર્યરક્ષિત શોધસાગર (કમ્પ્યુટર વિભાગ સાથે) (ડ) સમ્રાટ સમ્મતિ સંગ્રહાલય-આ કલાપૂર્ણ મ્યુઝિયમમાં પુરાતત્ત્વના અધ્યેતા તથા જિજ્ઞાસુ દર્શકો માટે પ્રાચીન ભારતીય શિલ્પકલાની પરમ્પરાના ગૌરવશાળી દર્શન અહીં કરી શકાય છે. પાષાણ તથા ધાતુની મૂર્તિઓ, તાડપત્ર તથા કાગળ પર લખેલી સચિત્ર હસ્તપ્રતો, લઘુચિત્રપટ, વિજ્ઞપ્તિપત્રો, કાષ્ઠ તથા હાથીદાંતમાંથી બનાવેલી પ્રાચીન તેમજ અર્વાચીન અદ્વિતીય કલાકૃતિઓ તેમજ અન્ય પ્રાચીન વસ્તુઓને ખૂબ જ આકર્ષક તથા પ્રભાવશાળી ઢંગથી ધાર્મિક તથા સાંસ્કૃતિક ગૌરવને અનુરૂપ પ્રદર્શિત કરવામાં આવી છે. (ઈ) શહેર શાખા-પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તેમજ શ્રાવક-શ્રાવિકાઓના સ્વાધ્યાય, ચિંતન અને મનન માટે જૈનધર્મની પુસ્તકો નજીકમાં જ મળી રહે તે હેતુથી જૈન લોકો જ્યાં વધુ ૨હે છે તેવા અમદાવાદના પાલડી ટોલકનગર વિસ્તારમાં આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની એક શહે૨શાખા ઈ. સ. ૧૯૯૯ થી શરૂ કરવામાં આવી છે કે જે આજે ચતુર્વિધ સંઘના શ્રુતજ્ઞાનના અધ્યયન માટે સતત સેવા આપી રહી છે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) આરાધના ભવન : આરાધકો અહીં ધર્મારાધન કરી શકે એટલા માટે આરાધના ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણ તથા પ્રકાશમય બે ઉપાશ્રયોમાં મુનિ ભગવંતો નિવાસ કરીને પોતાની સંયમ આરાધનાની સાથે-સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, ધ્યાન, સ્વાધ્યાય વગેરેનો યોગ પ્રાપ્ત કરે છે.
(૫) ધર્મશાળા : આ તીર્થમાં આવતાં યાત્રિકો તેમજ મહેમાનોને રહેવા માટે આધુનિક સુવિધાઓથી સંપન્ન યાત્રિકભવન અને અતિથિભવન બનાવવામાં આવ્યાં છે. ધર્મશાળામાં વાતાનુકૂલિત (એ.સી.) તથા સામાન્ય એમ બધા મળી ૪૬ રૂમોની સુવિધા છે.
(૬) ભોજનશાળા અને અલ્પાહાર ગૃહ : આ તીર્થમાં પધારેલા શ્રાવકો, દર્શનાર્થીઓ, મુમુક્ષુઓ, વિદ્વાનો તેમજ યાત્રિકોને જૈન સિદ્ધાંતને અનુરૂપ સાત્ત્વિક ભોજન મળી રહે તે હેતુથી વિશાળ ભોજનશાળા અને અલ્પાહારગૃહ (કેન્ટીન)ની સુંદર સુવિધા ઉપલબ્ધ છે.
(૭) શ્રુતસરિતા : આ બુકસ્ટોલમાં વ્યાજબી ભાવે જૈન સાહિત્ય, આરાધના સામગ્રી, ધાર્મિક ઉપકરણો જેવા કે કેસેટ, સી.ડી. વગેરે પુરું પાડવામાં આવે છે. અહીં એસ.ટી.ડી. ટેલીફોનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રકૃતિના ખોળે શાંત અને સુરમ્ય વાતાવરણમાં આ તીર્થસ્થાનનો વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો લાભ લે છે.
(૮) વિશ્વમૈત્રીધામ-બોરીજતીર્થ, ગાંધીનગર : યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની સાધનાનું સ્થળ બોરીજતીર્થનો પુનરુદ્ધાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણા તેમજ શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સાથે સંલગ્ન વિશ્વમૈત્રી ધામના તત્ત્વાવધાનમાં પ્રાચીન દેરાસરના જીર્ણોદ્વાર રૂપે નવનિર્મિત ૧૦૮ ફૂટ ઊંચા વિશાળ મહાલયમાં ૮૧.૨૫ ઈંચના પદ્માસનસ્થ શ્રી વર્લ્ડમાનસ્વામીની પ્રતિષ્ઠા ક૨વામાં આવી છે. વર્તમાન મંદિરમાં આ સ્થળ પર જમીનમાંથી નીકળેલી ભગવાન મહાવીરસ્વામી વગેરેની પ્રતિમાઓની પ્રથમ પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. નવું મંદિર સ્થાપત્ય તેમજ શિલ્પ એ બંને જોવા જેવા છે. અહીં મહિમાપુર (પશ્ચિમ બંગાળ)માં જગત્ શેઠ શ્રી માણિકચંદજી દ્વારા ૧૮ મી સદીમાં કસોટી પથ્થરથી બનાવેલાં ભવ્ય અને ઐતિહાસિક જિનાલયનો પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. હાલમાં તેને જૈનસંઘની ઐતિહાસિક ધરોહર માનવામાં આવે છે. નિસંદેહ એમાં આ તીર્થના પરિસરમાં પૂર્વ અને પશ્ચિમ ભારતનાં જૈનશિલ્પનો અભૂતપૂર્વ સંગમ થયેલો છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
આ જીવન ખોવા માટે નહીં
www.kobatirth.org
વિચાર પંખી
જીવન જીવવા માટે છે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ખોવાઈ ગયેલા આપણા આત્માને
ખોળી લેવા માટે છે...!
આ જીવન ઢસરડો કરીને પૂરું કરવા માટે નહીં પણ જિંદાદિલીથી જીવવા માટે છે...! આ જીવન ઊંઘવા માટે નહીં પણ ઊંઘી ગયેલા
આપણા આત્માને જગાડવા માટે છે...!
આ જીવન છે :
નરમાંથી નારાયણ બનવા માટે...! જનમાંથી જૈન બનવા માટે..! જૈનમાંથી જિન બનવા માટે...! જીવમાંથી શિવ બનવા માટે..! સંસારીમાંથી સાધુ બનવા માટે...! આત્મામાંથી પરમાત્મા બનવા માટે...!
સુખ-દુઃખના સરવાળા માટે જિંદગી નથી...
જિંદગી છે :
અંધારામાં અજવાળું કરવા માટે!
For Private And Personal Use Only
૧
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુબારક જન્મદિવસ! કી
આજે તમારી જન્મદિવસ છે!
આજનો દિવસ તમારા માટે દાડમની ખીલતી કળીના જેવો ઊઘડ્યો છે! Come on my friend, જુઓને... આજની ઉષા કેવી ઊજળી ઊજળી ભાસે છે. સૂરજ શરમથી લાલચોળ થતો સોડ છોડે છે ક્ષિતિજની!
જીવનનું નવું વર્ષ તમને અપૂર્વ હર્ષ! મધુરપ વેરે છે આજની સવારનો સ્પર્શ!
જીવનની કિતાબનું એક વધુ કોરું પૃષ્ઠ તમને મળ્યું છે આજના દિવસે! જોઈએ, તમે એમાં કેવું ચિતરામણ કરો છો? આડાઅવળાં લીટાં કરીને કે શાહીના ડાધડૂધી પાડીને કાગળ બગાડી પણ શકો અને સરસ મજાનું ગીત આલેખી શકો...રંગ અને રૂપની સૃષ્ટિ ઉતારી શકો! તમારા જીવનનું નવું સરસ : ૦ તમારા તનને સ્વસ્થતા આપે ૦ તમારા મનને સ્વચ્છતા આપે ૦ તમારા જીવનને સહજતા આપે એવી શુભ કામનાઓની સોણલાંભરી છાબ
તમારે નામ મારા જનાબ!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
D
વ્યસ્ત...જીવન તંદુરસ્ત રા
કરો, કંઈક કરો, કંઈક સારું કરો! સાવ નિષ્ક્રિય બનીને બેસી ન રહો! બેસી રહેવામાં જિંદગી જડ બની જશે! એની પ્રગતિ ગતિમાં છે! જિંદગી બને છે જ કશુંક સારું કરવાથી! સર્જનાત્મક બનો.. દોસ્ત! Be creative!
આરામ કરવાથી તો જિંદગીને કાટ લાગવા માંડશે. જિંદગીના લોખંડને જો કર્તવ્યનું પારસ સ્પર્શી જાય તો જિંદગીની
એક એક પળ સોનેરી બની જાય એક એક ક્ષણ સોહામણી બની જાય!
આરામથી પડી રહેવા માટે જીવન નથી. જીવન છે કશુંક શુભ કરી છૂટવા માટે! કંઈક પ્રશસ્ત કરી જવા માટે! વ્યસ્ત રહો..વ્યસ્તતા તમારા દિલદિમાગને સ્વસ્થતા આપશે. ખાલી મન તો ભૂતનું ઘર બની જાય છે. તન વ્યસ્ત તો મન તંદુરસ્ત!
બહુ નાનું અમથું જીવન છે...સાવ આવડી અમથી જિંદગીમાંયે ઘણું બધું કરી શકીએ, જો કરવા ધારીએ તો! બાકી મારવાનું છે જ એક દિવસ પણ કંઈક સારું કરીને મરીએ!
મોત ઉસકી જિસકા જમાના કરે અફસોસ, વૈસે તો જીતે હૈ સબ મરને કિ લિયે.
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ પડી ભલે જાવ, પડ્યા ના હો! સિ
રસ્તે ચાલતાં ઠોકર વાગે ને માણસ પડી જાય. એ તો જાણે સમજ્યા! પણ જો સમજુ માણસ હોય તો ધૂળ ખંખેરીને ઊભો થઈ જાય. કદાચ જરીક વાગ્યે હોય તો એને પંપાળીને પડ્યો ન રહે! પાટાપિંડી કરીને ચાલે. જીવનના રસ્તે ચાલતાં ક્યારેક આપણે પડી જઈએ...ઠોકર વાગી પણ જાય... પણ, એટલામાત્રથી પડ્યા ન રહેવાય! પડવામાં નાનમ નથી...પડ્યા રહેવામાં નાનમ છે...પતનની પળોમાં જ જાતનું જતન કરીએ તો.જીવન રતનની જેમ ઝળહળી ઊઠે... સમજી રાખો દોસ્ત! જે ચાલે છે તે જ પડે છે..આથડે છે... પણ મંઝિલ પણ તો એને જ મળે છે ને? બેસી રહેનારા કંઈ આગળ નથી વધી શકતા! આગળ તો એ વધે છે કે જે ગતિશીલ છે. જેનાં કદમોમાં ગતિ છે...પ્રગતિ એની પાસે સરકી આવે છે.
My Friend,
don't cry but again and again try! 'शमा परवाने को जलना सिखाती है सांझ सूरज को ढलना सिखाती है
गिरनेवाले को कोसते हो क्यों? ठोकरें इन्सान को चलना सिखाती है।'
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ લાવો, તમારો હાથ! ક્ષિી
દુનિયામાં મજેથી જીવવું હોય તો એક કામ કરો! દોસ્તોની મૂડી વધારો! દોસ્તની દોલત એકઠી કરો... જેટલા દોસ્ત વધશે તમારું દિલ એટલું જ ભર્યુંભર્યું રહેશે અને દિલ જો સભર તો જિંદગીની સફર ખુશીથી તરબતર!
હૈયાની ધરતી પર મૈત્રીનો મબલખ પાક પેદા કરો.. પણ સબૂર! દોસ્ત, એ માટે હૈયાને કૂણું બનાવવું પડશે.. કોમળ કરવું પડશે. પોચા હૈયામાં જ પ્રેમનાં ફૂલો ખીલી શકે છે.
એ માણસ કેવો ગરીબ છે કે જેને કોઈ મિત્ર નથી! જેનો કોઈ દિલોજાનદોસ્ત નથી!
અલબત્ત, દોસ્તીની દુનિયામાં ડગલું મૂકતાં પહેલાં આકરી કિંમત ચૂકવવી પડે છે.. સ્વાર્થના શણગાર સજવા પડે છે.. સ્વાર્થવિહોણું હૈયું જ મૈત્રીનાં ગીત ગાઈ શકે! સ્વાર્થની શતરંજ પર દોસ્તીના દાવ ન ખેલી શકાય!
'सांस का पिंजरा किसी दिन टूट जायेगा,
हर मुसाफिर राह में ही छूट जाएगा, हर किसी को प्यार कर लो, प्यार लो सब का, क्या पता कब प्यार का घट फूट जायेगा?'
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઘાટ ના વઘા!
આપણે જીવીએ તો છીએ જ! પણ જરી જિંદગી પર ઢંકાયેલા નકાબોને ઉઘાડી તો જુઓ!
આજે જીવીએ છીએ...એ જીવન આપણું પોતાનું છે કે પછી ઉછીનું ઉધારનું જીવન જીવીએ છીએ?
આપણા સંસ્કારો ઉછીના... આપણા વિચારો ઉછીના.. આપણા આચારો ઉછીના...
આપણું નર્તન ઉછીનું. આપણું વર્તન ઉછીનું..
આપણું કીર્તન ઉછીનું.. બધું જ ઉછીનું...? બધું જ ઉધાર..? ઉધારે-ઉધાર લેવાનું ને ઉધારે-ઉધાર દેવાનું? માટે તો અશાંતિની અગનપિપાસા આપણને સળગાવ્યા કરે છે...ક્યાંય ચેન નથી!
જિંદગી સામે મુક્કો ઉગામવાની જરૂર નથી. સરળતાથી સાથ દઈએ...હાથ મિલાવીએ તો જિંદગી આપણને નવું બક્ષી શકે. આજે તો માણસ માણસને ક્યાં મળે છે? મળે છે તોય એકબીજાની “ઇમેજ' ને મળે છે! જાણે એક એક ચહેરા પર નકાબ છે!
જન :-
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનો પણ, જવું છે કયાં?
ક
જરી રોકાઈ જાવ! Please, wait just a minute!
ક્યાં જઈ રહ્યા છો? જરી તો વિચારો! ક્યારનાયે ચાલ્યા જ કરો છો! અરે, ચાલતા નથી પણ દોડ્યું જ જાવ છો.. જુગજુગથી! પણ ક્યાં? એ વિચાર્યું છે ક્યારેય? ક્યાં જવા માટે નીકળ્યા છો? ચાલી-ચાલીને ક્યાં પહોચવું છે? દોડી દોડીને ક્યાં જવું છે? પહેલાં મંઝિલ તો નક્કી કરો. પહેલાં લક્ષ્ય નિર્ધારિત કરો... યાત્રા આપોઆપ આરંભાઈ જશે... મંઝિલ વગર તમે ચાલ્યા જ કરશો તો પહોંચશો ક્યાં? જ્યાં જવાનું છે ત્યાં નહીં પહોંચાય અને રસ્તાઓમાં અટવાઈને જિંદગી પૂરી થઈ જશે! બહુ સમજવાની જરૂર છે.
“નામ ન જાનું ગાંવકા, બિન જાને કિત જાઉં?
ચલતે ચલતે જુગ ભયો, દો કોસ પર ગાંવા” પાસે જ મંઝિલ હોય... આપણી બાજુમાં થઈને જ આપણું લક્ષ્ય સરકી જાય... છતાંયે આપણને ખબર નહીં પડે ને આપણે એને ખોળવા માટે ખાંખાંખોળા કર્યા કરીશું!
કદમ ભરતાં પહેલાં જ વિચારી લો કે તમારે ક્યાં જવું છે અને તમારી કઈ દિશા છે?
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જિંદગી – સજા કે મજા?
જુઓને, કેવું નાનું અમથું આપણું જીવન છે?
જાણે ખીલેલા ગુલાબની પાંદડી પર આવીને ચૂપચાપ બેસી ગયેલું ઝાકળ બિન્દુ! ક્યારે ખરી પડે... કાંઈ કહેવાય નહીં!
જીવની કહાણી પણ કાંઈક આવી છે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હજુ આંખો ઊઘડે ના ઊઘડે ત્યાં પલકો સદાના માટે બિડાઈ જાય!
હજુ શ્વાસની સરગમ પર જીવનનું ગીત વણાય ના વાય ત્યાં એ સરગમ જ તૂટી જાય! નંદવાઈ જાય!
ફૂલ હજુ કળીમાંથી ખુશબો બનીને મહેંકે ત્યાં એને મૂરઝાઈ જવું પડે!
હજુ કાળાં-ભમ્મર વાદળાં ધરતી પર વરસવા માટે ભેગાં થાય ત્યાં પવનના સુસવાટા એને વેરવિખેર કરી મૂકે!
८
હજુ દીવડાની જ્યોતિ જલે ન જલે...ત્યાં હવાની એક આછી લહેરખી એ જ્યોતને બૂઝવી જાય!
હજુ ઊંઘના ઉંબરે શમણાં ઊતરીને પાંપણમાં સંતાય ત્યાં તો આંખ ઊઘડી જાય!
હજુ સૌંદર્યનાં સતરંગી સોણલાં આંખ્યુમાં અંજાય ન અંજાય ત્યાં તો નૈન નિમીલિત બની જાય!
બસ, આવું છે જીવન!
પણ બે પળની મજા...પાર વગરની સજા!
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ સાવ સાગા પંથસૂત્ર) .
તમામ સમસ્યાઓનું મૂળ છે અપેક્ષા! તમામ જાતનાં દુઃખોનું મૂળ છે અપેક્ષા!
સુખી થવાનો સાર્ચ } સારો ને સાદો રસ્તો છે અપેક્ષાઓથી અળગા બનવાનો! આપણે બીજાની પાસેથી કેટલી બધી અપેક્ષાઓ રાખી છીએ? આપણે માંગીએ છીએ પઠાણી અદાથી. અને જ્યારે કોઈ કાંઈ નથી આપતું.. કે નથી મળતું ત્યારે પછી ભીતરમાં દુ:ખની ચિનગારી ભડફવા માંડે છે! માટે
અપેક્ષા-આકાંક્ષાઓના અડાબીડ જંગલમાં અટવાઈ ના જાવ! કલ્પનાઓ કામનાઓના કાટમાળ નીચે દટાઈને જીવનને ગૂંગળાવી ના નાંખો!
ન રાખ આશ, કદી કોઈ પાસ
પછી તને કોણ કરી શકે નિરાશ?” માંગવાનું છોડો, તમને સુખ આપોઆપ મળશે, અપેક્ષાઓ ઓછી કરો, આકાંક્ષાઓ અળગી કરો, સુખ તમને શોધશે!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલો, સુઘરીએ
દુનિયાને ઘડવાના મનોરથો સેવનાર માણસને મોટા ભાગે દુનિયાદારી જ ઘડી નાંખે છે! બીજાને સુધારવાની વેવલી વળગણો વેંઢારનારા આપણે જાતે જ સુધરી જઈએ તો? પણ હાય! આપણી નજર મોટા ભાગે બીજા પર જ મંડાયેલી રહે છે...
"We all are other-oriented." બીજાની નાની અમથી ભૂલ પણ આપણને અસહ્ય ભાસે છે.. ખેંચે છે. જ્યારે આપણી પોતાની ભૂલોની ભૂગોળ તરફ આપણને આંખમિચામણાં કરતાં ફાવી. ગયું છે! એક વાત ન ભૂલવી જોઈએ કે જીવનની શરૂઆત જાતથી થાય છે! જાતની ભાતને ભાતીગળ બનાવવાનું શીખી લઈશું તો જીવન આખું ઝળહળતું ને જીવંત લાગશે. જાતને ભૂલીને જગતની જંજાળમાં જ અટવાઈ જઈશું તો જીવન આખું કડવું વખ બની જશે! જીવનને અમૃત બનાવીએ અને એના એક એક ઘૂંટને “સીપ' કરીએ... જીવનનો રસ જીવનની અંતિમ ક્ષણ સુધી, શ્વાસની છેલ્લી સરગમ સુધી માણવાનો છે.
जिन्दगी अमृत है, मेरे राजा! इसे ढोलो कम, पीओ ज्यादा।
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન સંદેશ
અલખના આરાધક ગોરખનાથ ગાય છે :
મન મેં રહિણા, ભેદ ન કહિણા,
બોલીબા અમૃતવાણી આગલા અગ્નિ હોઈબા અવધુ,
આપણ હોઈબા પાણી! મનની વાત મનમાં રાખો. જાહેર ના કરો. બોલો તો મીઠું-મધઝરતું...કદાચ સામેનો માણસ ધખેલો અંગારો બનીને દઝાડે તો આપણે શીળા પાણી થઈને એને શાંત કરી દેવો!
ગોરખ કહે સુણસુરે અવધુ, જગ મેં એસે રહિણા આખે દેખિબા, કાને સુણિબા, મુખતે કછુ ન કહિણ... ગોરખનાથ સાદ દે છે..અવધુ...આતમ. દુનિયામાં રહેવાની કળા શીખી લે... દુનિયાદારીમાં રહીને પણ દુખાવું કે દુભાવું નહીં. એ માટે આંખે જોવું...ભલે, કાનથી સાંભળવું ખરું પણ મોટેથી બોલવાનું નહીં! જોઈએ-સાંભળીએ તેટલું કહેવાનું નહીં!
યે જગ હે કાંટે કી બાડી, દેખી દેખી પદ ધરણા આ દુનિયા તો કાંટાની વાડ જેવી વાટ છે...માટે જોઈ જોઈને પગ મૂકવાનો.... બહુ સમજી વિચારીને જગતમાં જીવવું!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િચાલો...સુખની શોઘમાં!
તમે કાંઈક શોધી રહ્યા હો એવું લાગે છે? શું શોધો છો? સુખને શોધો છો?
અરે.. પણ સુખ તો બિલકુલ તમારી પાસે જ છે. પછી શા માટે શોધો છો? સુખનાં ફૂલો તમારી નિકટમાં જ ખીલેલાં છે. પણ તમે એ ફૂલો તરફ નજર સુધ્ધાં નાખતા નથી!
કદાચ તમને સુખ “ઇન્સ્ટન્ટ' જોઈએ છે. દરેક સુખનાં સાધનોને ઝંખે છે...દરેકની નજર Room at the top પર ફરતી રહે છે.. પણ હાય! “ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઇ જિંદગી!” સુખનાં ફૂલો ખીલવવા જતાં ક્યાંક દુઃખની શૂળ ન વાગી બેસે! નહીંતર પછી કહેશો. સુખનાં સરોવર સુકાઈ ગયાં ને ઊગ્યાં દુઃખનાં ઝાડ
પહેલાં સુખને સમજી લો. પછી એની તલાશમાં નીકળો, નહીંતર સુખ પાસેથી પસાર થવા છતાંય તમે સુખ નહીં મેળવી શકો!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવા બનશો ?
ગુલાબ અને ધતૂરો..
બંને ઊગે જમીનમાંથી.. છતાંયે બન્નેની જીવનની રીતમાં મોટો તફાવત રહેલો હોય છે. બંનેને એ જ માટી, એક જ પાણી મળે છે, એક જ જાતનું હવામાન મળે છે... છતાં પણ ગુલાબ શતદલ પાંખડીએ ખીલી ઊઠશે અને ધતૂરો અલબત્ત, ઊઘડશે. પણ એનો ઉઘાડ કોઈના ઉરને ઉલ્લાસ નહીં બક્ષે! ગુલાબની એક એક પાંખડી કોમળતા વેરે છે. સુગંધને ફોરે છે... ગુલાબ જ્યાં હોય છે ત્યાં ખુશબોની દુનિયા રચાઈ જાય છે. જ્યારે ધતૂરાની સામે જોવા માટે કોઈનીય પાંપણ તૈયાર નહીં થાય!
ગુલાબ જેવા બનો! દોસ્ત, ગુલાબનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે.. અવનવું અસ્તિત્વ છે. ગુલાબની પાસે જનાર મહેંક માણે છે... તમારી પાસે આવનાર તમારા ગુણોની સુગંધથી સભર બને એવું વ્યક્તિત્વ વિકસાવો.
ગુલાબનો કોઈ જવાબ નથી! ધતૂરાનો કોઈને ખ્યાબ નથી!'
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
HASTE MAKES WASTE
ઉતાવળ ક્યારેક વણમાંગી આફત નોતરે છે. જલ્દબાજી ક્યારેક જલદ બનીને જિંદગીને જલાવી દે છે! ઉતાવળા ન બનો. શાંતિથી વિચારીને ડગલું ભરો! જિંદગી કિંમતી છે! બહુ મૂલ્યવાન છે! ઉતાવળે એવા કોઈ કદમ ના ભરો કે જેથી જીવન નાહકનું ઝંઝામાં ઝીંકાઈને ચીંથરેહાલ બની જાય!
મન મળ્યું છે વિચારવા માટે! બુદ્ધિ મળી છે નિરાંતે નિર્ણય કરવા માટે! ધૈર્ય બહુ જરૂરી છે જીવનમાં! અધીરતા જીવનને કાર્યક્ષમ નથી બનવા દેતી!
ઉતાવળ કાર્યને આરંભાવી દે ખરી પણ પૂરતા વિચાર્યા વગરની શરૂઆત પાછળથી કાર્યને કથળાવી દે છે, બગાડી દે છે. કારણ કે, ઉતાવળની સાથે હતાશાનો મૈત્રી-કરાર છે. અલબત્ત, ક્યારેક ઉતાવળ આવશ્યક પણ બને... છતાંયે હંમેશ માટે તો નહીં જ!
માત્ર પ્રવૃત્તિની પળનો નહીં પણ સાથે સાથે પરિણામની ક્ષણનો પણ વિચાર કરીને પગલું ઉપાડો!
૧૪
જે લોકો વિચારીને... સમજીને કદમ ભરે છે એમને નિષ્ફળતા નંદવી નથી શકતી... બલકે સફળતા એમના અસ્તિત્વને વધાવે છે.
યહૂદી ધર્મગ્રંથ ‘તાલમુદ’ નું એક વાક્ય યાદ રાખવા જેવું છે. ‘મીઠું, આથો અને ઉતાવળ ઓછાં સારાં!'
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમાનસિક તાણમાંથી મુક્ત બનવા!!!
૦ બોલીને બહાર ફેંકી દો - મનમાં ને મનમાં ધૂંધવાયેલા ન રહો. તમારા
સાથી/મિત્રો જોડે દિલની વાત કરીને હળવા ફૂલ બની જાવ. ૦ થોડીવાર માટે ખોવાઈ શકશો? સમ્પ્રવૃત્તિઓમાં ખોવાઈ જાવ! દશ્ય, પ્રવાસ, સંગીત, નિર્દોષ રમતગમત વગેરે પ્રવૃત્તિઓમાં થોડા વખત માટે ડૂબવાનું
શીખો. 0 ઉશ્કેરાટથી બચવા માટે ઘરગથ્થુ કામકાજમાં જોડાવ.. ૦ બાળકો સાથે નિર્દોષ વાત કરો. એમને વાર્તા કહો. ૦ પ્રસંગ પડ્યે ઝૂકી જાવ...આગ્રહી ના બનો... ૦ બીજા માટે કાંઈક કરી છૂટો... ૦ એક સમયે એક જ કામ કરો... 0 મહાન બનવાની ઇચ્છાને નિયંત્રણમાં રાખો.. 0 નિષ્ફળતા મળે તો થાકી ન જાવ...હારી ન જાવ. ૦ બીજામાં વિશ્વાસ મૂકવાનું શીખો... ૦ તમારી જાતને બીજામાં ભળવા દો...અતડા ન રહો... ૦ સ્વસ્થ મનોરંજન માટે થોડો સમય ફાળવો...
વિચાર પંખી
૧પ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ
એ ભાઈ...બોલતાં શીખો ને! પછી
સપ્રસિદ્ધ ગ્રીક ફિલોસોફર પ્લેટો એક જગ્યાએ લખે છે. જેમની પાસે સારી રીતે વાર્તાલાપ કરવાની આવડત નથી, એ લોકો જ વધારે બોલ બોલ કરે છે.” (સોરી, બક બક કર્યા કરે છે)
જરી વિચારણા માગી લેતું વાક્ય છે :- વધારે એ જ બોલે છે કે ખરેખર જેને બોલતાં નથી આવડતું! કારણ કે જેને બોલતાં આવડે એ તો ટૂંકમાં Short & Sweet જે કહેવાનું છે તે કહી જ દે!
બહુ બોલનારની વાતમાં સચ્ચાઈ ક્યારેક ઝંખવાઈ જાય છે! કારણ કે સત્ય સંક્ષેપમાં સમાયેલું છે. બોલો પણ થોડું!
થોડું બોલો એ પણ મીઠું...મધુરું! બોલતાં જો આવડે તો શબ્દ શબ્દ અણમોલ બની જાય ને ન આવડે તો વાત વણસી જાય...! બોલવું એ પણ કળા છે..! શીખવા જેવી, સમજવા જેવી કળા છે!
હોઠોની પાંદડી વચ્ચે શબ્દોની એવી કુંપળો ફૂટે કે જે ફૂલઝર બનીને સામી વ્યક્તિના અસ્તિત્વને આનંદથી ઓળઘોળ બનાવી દે! શબ્દ સળગાવી પણ દે! શબ્દ શણગારી પણ દે!
પસંદગી તમારી...!!!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિત સુખ તમને શોઘે છે! ફી
સુખ તમારી આસપાસ વિખરાયેલું છે... આનંદ તમારી ચારે બાજુ પથરાયેલો છે... પ્રસન્નતા તમારી સામે જ નૃત્ય કરે છે... સ્વસ્થતા બિલકુલ તમારી પાસે જ ફરે છે....
પણ જો તમને શોધતાં આવડે તો! જો તમને અનુભવતાં આવડે તો! કારણ કે... “સુખ નથી કોઈના ચહેરામાં...
સુખ નથી ફૂલોના સેહરામાં.... સુખ તો સંતાયેલું છે તમારી.
બે માસૂમ પાંપણના પહેરામાં.. સારા દેખાવા માટે દર્પણ બદલવા કરતાં જાતને બદલી નાંખીએ તો કેમ? દર્પણ બદલી બદલીને કેટલાં બદલશો?
જાત બદલશો તો
જગત આખું બદલાઈ જશે!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમને કોણ છેતરે છે! પર
ગત અને અનાગતની વચ્ચે સોયની અણી જેટલો વર્તમાન આપણી પાસે હોય છે. વર્તમાન ક્ષણની વાત કરીએ છીએ ત્યાં તો એ ભૂતકાળમાં તબદીલ થઈ જાય છે. ભૂતકાળ પ્રત્યેક પળે વધુ ને વધુ સમૃદ્ધ બનતો જાય છે, જ્યારે વર્તમાન દરેક પળે પીગળે છે. ઓગળે છે. પળની ખરતી પાંદડીઓ સાથે કાળનું કુસુમ પોતાની નજાકત પ્રગટ કરતું રહ્યું છે!
સમય કેટલો બધો છેતરામણો છે! સરી જવું, વહી જવું, સરકી જવું એ જ તો સમયનો સ્વભાવ છે! આપણે સ્વસ્થ બનીને વહી જતા સમયને નીરખી નથી શકતા. માટે તો સમય આપણને છેતરી જાય છે.
સમયના હાથે વારે ઘડીએ છેતરાતા આપણે પાછા ફરિયાદ કરીએ છીએ કે સમય નથી મળતો! પણ દોસ્ત! સમયને કોણ મળે છે? છે તમારી તૈયારી સમયને મળવાની?
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભૂલવાનું યાદ ાખો!
ભૂલવાનું બહુ અઘરું છે, દોસ્ત!
કેટલીક વાતો... કેટલીક રાતો... કેટલીક મુલાકાતો ભૂલી શકાતી નથી...! ભૂલી જવા માટે હૈયું વજ્જરનું જોઈએ. કોમળ હૈયું... આવું હૈયું ભૂલી શકતું નથી કશું જ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે ભુલાતું નથી, ત્યારે યાદોના ઝૂલા રચાઈ જાય છે અંતરની આંબાડાળે ને મનપંખી એના પર ઝૂલ્યા જ કરે છે..સ્મરણોની દોર હીંચીને!
પણ, જિંદગીમાં સરવાળા જ નથી કરવાના દોસ્ત! ક્યારેક બાદબાકી પણ કરવી પડતી હોય છે!
ભૂલી જાવ...બીજાની ભૂલોને!
વીસરી જાવ... ...બીજાના અન્યાયોને!
વિચાર પંખી
યાદ એક એવી જાળ છે કે જેમાં ગૂંચવાયા પછી ઉકેલાવું મુશ્કેલ છે! એમાંય યાદ જ્યારે ફરિયાદ બનીને વીંટળાઈ વળે છે જિંદગીને, ત્યારે પછી આંસુ આગ બને છે...શ્વાસોની સરગમ ત્યારે આના સૂર છેડે છે.
પણ જો ભૂલવાની કળા શીખી લઈએ તો?
ચોક્કસ...ભૂલવું એ પણ આવડત માંગે છે! ભૂલીને હળવા ફૂલ બનો!
પણ હાય! ક્યારેક!
‘અંતરની અમાસ ઝંખે યાદો કેરા દીવડા!'
For Private And Personal Use Only
૧૯
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sિ કેવા બનવું છે, દોસ્ત? કે
તમે ક્યારેય દરિયાના તીરે “મોર્નિગ વાંક' લેવા કે ઢળતા સૂરજની આંખે લટાર મારવા નીકળ્યા છો ખરા? દરિયાના કિનારે ભીની ભીની રેતીમાં પગલાં ધર્યા છે? દરિયાની લહેરોને સ્પર્શીને આવતી “સૉલ્ટી” હવાની તાજી લહેરખી ચહેરા પર સ્પર્શી છે ખરી? આ બધું તો ઠીક....
પણ, ક્યારેય દરિયાના પાણીને ખોબામાં ભરીને હોઠે અડાડ્યું છે? થું.. યૂ... કરી નાખ્યું હશે! પાણી મોમાં જતાંવેંત જ ઘૂંકી કાઢ્યું હશે! કારણ કે દરિયાનું પાણી ખારું ખારું ઊસ... હોય છે!
શા માટે, તમે જાણો છો? દરિયો પાણીને સંગ્રહે છે! એકઠું કરે છે...એ સંઘરાખોર છે..માટે ખારો રહે છે, જ્યારે નદીનું પાણી ચોખ્યું અને મીઠું મધ જેવું હોય છે કારણ કે નદી પાણીને વહેતું રાખે છે. એમાં ગતિ છે!
જે આપે છે તે સહુને ગમે છે,
જે સંગ્રહે છે તે કોઈને નથી ગમતા. આપો દિલ દઈને! અહીં તો લૂંટાવાથી લાલી રહે છે લાલા! વાદળાંઓ પણ જો વરસે તો વહાલાં લાગે... ભર્યા ભર્યા વાદળાં પણ જો ઘેરાઈ જ રહે તો વાતાવરણ બોઝિલ બની જાય. ઉદાસ ઉદાસ બની જાય! ને વરસી પડે ત્યારે વાહ રે વાહ! આપવામાં માપ નહીં! લૂંટાવામાં લોભ નહીં!
નહીંતર પછી તમે કહેશો : “કોઈએ ખોબો ભરી પીધાં નહીં સાવ ખારાં સાવ ખારાં જળ છીએ અમે!'
10
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ ઝરણું... વહ્યા કરે છે! ક્ષિી
માણસની જિંદગી એ તો પર્વતની છાતી ચીરીને વહી નીકળતા ઝરણા જેવી છે! એનું ધ્યેય હોય છે વિલીન થઈ જવું, સમાઈ જવું!
હા, ક્યારેક એ ઝરણું ધગધગતા રણની રેતીમાંય “ઢબુરાઈ જાય, શોષાઈ જાય..તો ક્યારેક એ ઝરણું આફતોના ખડકોને ઓળંગીને સાગરના ખોળામાં ય સમાઈ જાય.. ડૂબી જાય!
તમે નિર્ણય કર! તમારા જીવનઝરણાને ક્યાં લઈ જવું છે? સમસ્યાઓ અને અસફળતાઓના રણમાં રગદોળવું છે કે પછી...
સમસ્યાનો સહજતાપૂર્વક સામનો કરીને સુખના સોહામણા સાગરમાં જીવનની નાવને લઈ જવી છે?
જીવન વહ્યા કરે જળની જેમ
આપણે રહીએ કમળની જેમ!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવવાની રીત
જે પોતાની જાતને ના સમજી શકે... મળવી ના શકે એ બીજાઓની સાથે સહજીવન કેવી રીતે જીવી શકે? પહેલાં પોતાની જાતને સમજો...જાણો... માણો... ત્યાર બાદ આપોઆપ સહજીવન જીવવાની જડીબુટ્ટી જડી આવશે. પોતપોતાની અહંની કેદમાંથી છૂટ્યા વગર સહજીવનનું સૌંદર્ય શતદલ કમળની જેમ ખીલી ના શકે! અહંની આગમાં શેકાતા માણસો સાથે રહે તેથી શું? એ સહજીવન ના જીવી શકે!
મજેથી જીવવું છે?
આનંદથી જીવવું છે? તો આ ચાર સૂત્રો જીવનમાં વણી લો... ૦ બોલો ખરા... પણ બકો નહીં, ૦ ખાઓ-પીઓ, પણ છકો નહીં, ૦ દેખો-ભાળો પણ તાકો નહીં, 0 ધૂમો-ફરો પણ થાકો નહીં. બસ.. પછી સુખ તમારી સોડમાં સંતાતું આવશે!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
એક અણગમતો પ્રસંગ કે
એક ન ગમતી ઘટના....
www.kobatirth.org
કેવી રીતે જીવશો?
વિચાર પંખી
આપણા આખા દિવસની પ્રસન્નતાને પીંખી નાંખે છે!
કો’કનો એકાદ શબ્દ પણ આપણી શાંતિને સળગાવી દે છે...કો’કનો એકાદ ‘ઇશારો આપણને હલબલાવી દે છે...વારંવારે આપણો ‘મૂડ' મરી જાય છે! શું આપણે એટલા નબળા છીએ કે આપણો ગુસ્સો...આપણો પ્રેમ...આપણી તમામ લાગણીઓ પર ગમે તે નિયંત્રણ કરી શકે?
ના, દોસ્ત! આપણી પર નિયંત્રણ આપણું પોતાનું જ હોવું જોઈએ! આપણે કંઈ ચાવી દીધેલાં પૂતળાં છીએ કે કો'કના નચાવ્યા નાચ્ચે જઈએ!!! કો'કના દોરવ્યા દોરવાઈ જઈએ! આપણું પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવવું જોઈએ! ઘટનાઓ ઘા ના બને
પ્રસંગો પીડા ના કરે...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંજોગો સત્તાવી ના જાય...
એવી રીતે જીવન જીવતાં શીખો!
For Private And Personal Use Only
૨૩
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शरीरं मे विचर्षणम्। जिह्वा मे मधुसत्तमा ||
(તેતરીય ઉપનિષદ) શરીરમાં સ્કૂર્તિ અને જબાન પર મીઠાશ!
આ બે વાતો જે તમારી પાસે છે તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતાના શિખરે પહોંચતાં નહીં રોકી શકે. તમને અવરોધી નહીં શકે! બહુ સમજવા જેવી વાત છે!
શરીરમાં સ્કૂર્તિ જોઈએ, ચુસ્તી જોઈએ! શરીર “એલર્ટ' જોઈએ. સુસ્ત અને શુષ્ક શરીર જીવન-સત્ત્વ મેળવવા કામિયાબ નથી નીવડતું...તનમાં જો તાજગી હોય. તરવરાટ હોય..તો પથ્થર પણ પગથિયું બની જાય. ફૂલ પણ સ્કૂલમાં તબદીલ થાય...સાથે સ્વરની મધુરપ પણ જોઈએ જ. માટે તો કબીર કહે છે :
ઐસી બાની બોલીએ' એવા શબ્દો બોલો કે જે બીજાના દિલને વીંધે નહીં પણ વહાલની શાલમાં લપેટી લે! તરવરતું તન અને મધઝરતાં વચન બસ દોસ્ત,
ઝળકી ઊઠશે જોબન અને જીવન!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ આંસુ સારી જુઓ અન્ય માટે!
બીજાનું દુઃખ જોઈને આપણું હૈયું જો હલબલી ના ઊઠે તો પછી કેવું નઠોર ને કઠોર હૈયું લઈને આપણે જીવતાં હોઈશું? જરી વિચારી જો જો!
હૈયું તો કૂણું કૂણું ને કોમળ જોઈએ. કઠોર હૈયામાં લાગણીના છોડવા નથી રોપાતા કે પ્રેમનાં ફૂલો ખીલી નથી શકતા. ફૂલોને ફોરમવા માટે ધરતી કૂણી જોઈએ. માટી ભીની જોઈએ...
કાળજું જો કોમળ હશે, મન જો મૃદુ હશે. તો બીજાનું દર્દ તમારું પોતાનું બનશે. તમારી આંખો છલકી ઊઠશે બીજાનું દર્દ જોઈને!
પોતાના દુઃખ પર આંસુ પાડનારા તો ઘણા છે, પણ જમાનાના દર્દને જીરવી લે એ તો ખરેખર ફરિશ્તા જેવા છે! ક્યારેક તો બીજાની વેદનાની વિધામણ અનુભવો! જે લોકો બીજાના માટે આંસુ વહાવે છે...એમની આંખોમાંથી આંસુ નથી ટપકતાં પણ મોતી ઝરે છે!
હર આંખ યહીં હૂં તો બહુત રોતી હૈ, હર બુંદ મગર અક નહીં હોતી હે, પર દેખ કે રો દે જો જમાને કા ગમ, ઉસ આંખ સે આંસૂ ગિરે, વો મોતી છે!'
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારું દિમાગ કેટલું મહાન!
તમને ખબર છે?
‘કમ્પ્યૂટર’માં સંઘરાતી સ્મૃતિ-શક્તિને ‘બીટ્સ' કહેવામાં આવે છે. સારા એવા કમ્પ્યૂટરમાં ૧૦ લાખ બીટ્સ સંઘરી શકાય છે. મોટામાં મોટું કમ્પ્યૂટર જે અત્યારે છે, તેની અંદર ૧ અબજ બીટ્સ સંધરાય છે. મનુષ્યના મગજમાં ૧૪ અબજ ‘ન્યૂરોન્સ’ છે. એક ‘ન્યૂરોન્સ’ એક સેકન્ડમાં ૧૪ સ્મૃતિઓ સંઘરી શકે છે. એટલે કે ૧૯૬ અબજ પ્રકારની અલગ અલગ સ્મૃતિઓને સંઘરવાની શક્તિ આપણા મગજમાં છે અને તે પણ એક જ સેકંડમાં!
૫૦ વરસનો માણસ ૧ અબજ, પાંચ કરોડ, સત્તાવન લાખ સેકંડ જીવતો હોય છે. આમ જીવનની દર સેકંડે ૧૯૬ જાતની સ્મૃતિઓ આપણે ભેગી કરી શકીએ તો સમગ્ર જીવન દરમિયાન કેટલી?
૨૬
અત્યારના વૈજ્ઞાનિક-પ્રયોગો દ્વારા મંદ વિદ્યુતના પ્રવાહ દ્વારા આ બધી સુષુપ્ત સ્મૃતિઓને જગાડી શકાય છે!
કાશ, આપણે આપણા આત્મામાં રહેલી શક્તિઓને ઓળખતા થઈએ અને એનો વિધેયાત્મક ઉપયોગ કરીએ!
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમે seતા તો નથી ને? રિ
ડર એક જાતની ઊધઈ છે, જે માણસને ભીતરથી કોતરી નાખે, અંદરથી ફોલી ખાય છે. માણસના મગજમાં ડર~બીકના કીટાણુઓ એકવાર ઘૂસી ગયા પછી જલદી એ નીકળતા નથી. ઊલટાના અંદર ને અંદર ફેલાતા જાય છે. માણસ ભીતરથી ભાંગી પડે એટલી હદે ડર ડહોળી નાંખે છે માણસના મગજને!
ડરવાનું શા માટે? કોનાથી ડરવાનું? દુનિયામાં બહુ ઓછાને જે મળે છે તે આપણને મળ્યું છે. માનવનું જીવન ભયની ભૂતાવળ ભગાડી દો ભાઈ! હૈયામાં ઊછળતો ઉત્સાહનો ફુવારો! આંખોમાં તમન્નાઓનું કાજળ, અને જીવનમાં સમજની સંવાદિતા.. બસ! જિંદગી બનાવવા માટે આટલી વાતો પૂરતી છે. ડરો નહીં! હિંમત ન હારી જાવ!
યાદ રાખો : ડરનાર માણસ દુનિયાને જીતી નથી શકતો! ડરનારને દુનિયા દબાવી દે છે!
ડરને દફનાવી દો!
ભયને ભગાડી દો.
વિચાર પંખી
૨
૭
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્મિતના વમળમાં આંસૂ
કેટલા બધા-નાના ને ઊંડા જખમો લઈને આપણે જીવીએ છીએ! કોઈની વાણીથી કે કોઈના વર્તનથી આપણે દુભાઈએ છીએ. દુણાઈએ છીએ. અલબત્ત, ભીતરના ઘાવને કોણ જાણી શકે કે જોઈ શકે?
માણસો માત્ર બંદૂકથી જ મરે એવું નથી! એકાદ શબ્દનું તીર પણ માનવીના હૈયાને છેક ઊંડે સુધી વીંધી નાખે છે! શબ્દો ક્યારેક મશીનગનનું કામ કરતા હોય છે.
૨૮
શબ્દોથી મરેલાં હૈયાંઓને ઉપાડીને ફરતી જીવતી લાશોને માણસ તરીકે ઓળખવામાં આવે છે. ભીતરનું જીવન તો સાવ જ મરી જાય છે... સંકોચાઈ જાય છે, સમેટાઈ જાય છે! ચહેરાના સરોવરમાં રચાતા સ્મિતના વમળમાં મોટા ભાગે આંસુઓ છુપાયેલાં હોય છે. અફકોર્સ, એ આંસુને ઓળખવા માટે આંખ કામ નથી લાગતી!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીતરની ભોમકાને ખેડવા માટે તો ભાવનાઓની મૂડી જોઈએ... પણ હાયે, અહીં તો...
‘મનુષ્યો ભાગ ભજવે છે.
કદી ઈશ્વરથી ચઢિયાતો!
નિત નવા મોત આપે છે ને, મરવા પણ નથી દેતા!
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'One can take-up your insult,
but not artificial smile.'
ફૂલોની શૂભન કોણ જાણે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલું તીખું ને સોંસરું ઊતરી જાય એવું વાક્ય છે!
તમે કોઈનું અપમાન કરશો...કોઈની ઉપેક્ષા કરશો તો સામી વ્યક્તિ સહી લેશે.ખમી લેશે..જીરવી લેશે... પણ તમે એની સાથે બનાવટી વ્યવહાર કર્યો... દેખાવ પૂરતી લાગણીઓ બતાવી તો એ સાચે જ અસહ્ય બની જશે!
વિચાર પંખી
કાંટા વાગે એની વેદના તો નજરે ચઢે...પણ કાગળનાં ફૂલો,..ખુશબોવિહોણાં ફૂલોને સ્પર્શતાં જે વેદના વેઠવી પડે છે એને બધા ક્યાં સમજી શકે છે?
લોકોને મહોરાં પહેરીને જીવવાની જાણે આદત પડી ગઈ છે? આપણી Originality જાણે મરી પરવારી છે... અહીં તો બધું જ બનાવટી! હાસ્ય પણ તકલાદી અને આંસુ પણ તકલાદી...ગ્લિસરીનની' જાણે જિંદગી એટલે -
‘એક ચેહરે પે કઈ ચેહરે લગા લેતે હૈં લોગ’
For Private And Personal Use Only
૨૯
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક
જરીક
શ્રી
શું આપણી જિંદગીની ક્ષિતિજ પર એકાદ પણ એવો દિવસ
નહિ ઊગે કે જે ભૂતકાળથી ખરડાયેલો ના હોય... જે ભવિષ્યકાળથી તરડાયેલો ના હોય... જિંદગી વર્તમાન છે!
જિંદગી અબીહાલ છે! ભૂતકાળ શું છે?
મરેલી યાદોનું કબ્રસ્તાની ભવિષ્ય શું છે!
ઇચ્છાઓનું અનંત આકાશ! કાશ, આ આકાશ સમેટાઈ જાય!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક ભૂપsો કે થાળણી? આ
સૂપડો અને ચાળણી બંને રોજિંદા જીવનનાં માર્મિક પ્રતીકો છે. જો એના પર લગીરે વિચારવામાં આવે તો! સૂપડો ઝાટકી નાખે છે અનાજમાંથી કાંકરા... છોતરાને ખંખેરી નાંખે છે!
જ્યારે ચાળણી અનાજને ચાળી તો દે.. પણ કાંકરાને સંઘરી રાખે! બોલો કેવા બનવાનું પસંદ કરશો? મારું માનો તો સૂપડા જેવા બનજો... દોષો-દુર્ગુણોને ઝાટકી નાખવાના...
ચાળણી જેવા ના બનશો.. નહીંતર ગુણો ચળાઈ જશે ને દોષોના કાંકરા રહી જશે!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આપવાનો આનંદ!
૩૨
તમારી પાસે કાંઈક છે?
મનગમતું કાંઈક છે?
તો આપો...આંખો મીંચીને!
ઘો દિલ ખોલીને!
આપવાનો આનંદ જ ર છે. દેવાની મજા માણવા જેવી છે! તમે ક્યારેય ગુલાબની પાંદડીઓને જોઈ છે? જો તમે એને હથેળીમાં બંધ કરી દેશો તો કરમાઈ જશે. એ કૂણી કૂણી પાંદડીઓ ચીમળાઈ જશે...! મૂરઝાઈ જશે...! પણ જો તમે એને ખુલ્લી હથેળીમાં રાખશો તો એની ફોરમતી સુવાસ તમને, તમારી આસપાસને... તરબતર બનાવી દેશે!
ખાડા-ખાબોચિયાં જેવા બંધિયાર ના બનો! મારા મહેરબાન! મન મૂકીને વરસતાં વાદળાં જેવા બનો!
માટે તો કવિએ ગાયું છે;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, ને ગમતાનો કરીએ ગુલાલ
Give & Give, Demand Nothing...!
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િઆજે એ...કાલે આપણે!
બીજાની તરફ આંગળી ચીંધનાર માણસ જો ક્યારેક પોતાની જાતને જોવાની તસ્દી લે તો?
સામી વ્યક્તિને જ મૂલવવાની આળપંપાળમાં પડેલો માનવી જરી જાત તરફ ઝૂકીને જોતાં શીખે તો?
પણ ના. આપણને બધાને ટેવ પડી ગઈ છે. બીજા તરફ જોવાની! બીજાનું જ જોવાની! અને એ જોવામાં જ આપણે આપણું ઘણું બધું ગુમાવી બેસતા હોઈએ છીએ. એનો જો કે આપણને અણસાર પણ નથી આવી શકતો!
આપણી આંખો કે જે સામે જ જોવા ટેવાયેલી છે... એને ક્યારેક નીચી નમાવીને હૈયામાં ડોકિયું કરીશું ખરા આપણે?
બીજાના ગુણદોષની ચર્ચા કરતાં આપણે આપણી ગલતીઓને શું ગળી જતા નથી?
જે પોતાની જાતને સમજી ના શકે. મૂલવી ના શકે.. એ વળી બીજાને શું મૂલવવાના? સરિતા તટે બળતી ચિતા, લોકો બેઠા રેતમાં,
કાંઈક આવ્યા વેષમાં ને કાંઈક આવ્યા હતમાં, મરનારને સહુ હિસાબ કરતા, પુણ્યનો ને પાપનો,
મૃતક બોલ્યું: “આજ મારો, કાલ વારો આપનો
વિચાર પંખી
૩૩
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મા આખર મા છે!
યહૂદી ધર્મગ્રંથ ‘તાલમૂદ' માં એક ઠેકાણે લખ્યું છે: ‘ઈશ્વર બધે નથી પહોંચી શકતો માટે તેણે મા' નું સર્જન કર્યું છે.' કેવી ઊંચી વાત છે! મા એ પરમાત્માની નાની આવૃત્તિ છે. ‘મા’ ની મમતાનાં મોલ કરતાં કરતાં કવિઓ પણ થાકી ગયા! એના વાત્સલ્યને વાચા આપવા માટે તો શબ્દોય શોધ્યા ના જડે! લખવા લાગો તો અક્ષરો ઓછા પડે!
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા વિષે તો ખલિલ જિબ્રાન પણ મોંધી વાત કરે છે: માણસના હોઠ પર જો કોઈ રમ્ય શબ્દો સરકી શકે તો તે હશે ‘મા’! અને મીઠો મધઝરતો ઉચ્ચાર જો કોઈ હોય તો તે છે ‘મારી મા!
માની આંખનું આંસુ એ આંસુ નહીં પણ લોહી છે! એના હોઠ પરથી સરકતા શિખામણના શબ્દો એના માસૂમ હૈયાની કારી વેદનાને છતી કરે છે. એના બિન્દુ જેવા આંસુમાં સિંધુનો ખળભળાટ ખામોશ છે. માનાં આંસુ ત૨ફ બેપરવા ના બનશો.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે: ‘માના આશીર્વાદ ભાવમંગલ છે. આખરે તો પરમાત્મામાંય ‘મા' છે... આત્મામાં તો છે જ!
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક
પડદો હટાવો ને...!!
પડદો મખમલનો હોય કે મલમલનો પડદો આખર પડદો છે! આત્મા અને પરમાત્માની વચ્ચે પણ જાતજાતના અને ભાતભાતના પડદા પડેલા છે. પાપોના પડદા.. વાસનાઓના પડદા. જેના કારણે આપણે પરમાત્માને પામી નથી શકતા.. આ જીવનમાં જો એ તમામ પડદાઓને અળગા કરી દઈએ તો.. આપણો આત્મા પરમાત્મામાં સમાઈ જાય..! પણ આપણા રામ તો રોજ નવા-નવા પડદારએ જાય છે! પછી ક્યાંથી સાંપડે આપણને પરમાત્માનું નિકટ્ય? કેવી રીતે આત્માની આરસીમાં પરમાત્માની છબી ઊપસશે? વાસનાઓના ડાઘાઓથી આત્માનો આઈનો ધંધળાઈ ગયો છે.. ભક્તિની ભીનાશથી એ આરસીને માંજીએ....આ આંખોમાં અવિનાશીના આકર્ષણને આજીએ..પછી જુઓ...! પાપોના પડદા કેવા ચિરાય છે! અને પરમાત્મા આપણી એકદમ પાસે...! તદ્દન નિકટ.. જાણે “વહેંત છેટો વાલમા'
અરે, પછી આપણી અને પરમાત્માની વચ્ચે લગીરે અંતર નહીં રહે!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોબનિયું ચાલ્યું જશે..
‘જોબન શું છે? વીજળીનો તણખો, ઝળકે તો અજવાળું નહીંતર ભડકો!” તમે યૌવનના ઉંબરે ઊભા છો? તમારી ઉમર યૌવનની સંતાકૂકડીમાં તમને રમાડે છે?
Be Careful! જો જો. આ જવાની જીવનને જલાવી ના દેજવાનીથી જીવનને ઝળકાવવાનું છે! પણ વીજળીનો તણખો અજવાળુંયે પાથરે અને ભડકે બળતી આગ પણ ઓકે!
તમારા યૌવનને મશાલ બનાવજો... જો જો, જોબન જવાળા ન બને!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કોને દોષ દો છો?
`Day by day,
In every way,
We are getting better & better.'
ફ્રાંસિસી ડિપ્લોમેટ ‘એમિલ કોંટે’ નું આ વાક્ય હતાશાનાં હીબકાં ભરતા...કે નિરાશાની નિંદામણમાં ગરકાવ બનેલા માનવને જોમ અને જોશ આપવાની અદ્ભુત તાકાત ધરાવે છે!
તમે હંમેશાં વિધેયાત્મક વિચાર કરો!
વિચાર પંખી
Think very Positively.
નકારાત્મક વલણ તમને આગળ નહીં વધવા દે! જે નજર સામે છે તેને જુઓ, સમ્યગ્ રીતે જુઓ! જે આસપાસમાં વિખરાયેલું છે...એને વિવેકથી અપનાવી લો!
કાળા માથાનો માનવી ધારે તે કરી શકે! પણ ચંદ્રમા પર પગલાં મૂકવાની મસ-મોટી ડંફાસો મારનાર માનવીને ધરતી પર જીવતાં નથી આવડતું! આ કેવી કરુણતા છે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ગિલા ન કર યહ ન દિયા,
રહ ન દિયા, ઉસને મુઝ કો!
ઈતના ક્યા કમ હૈ? જો
ઉસને ઈન્સાન બના દિયા તુજ કો?”
For Private And Personal Use Only
૩૭
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ તમને કયો ગ્રહ નડે છે? શી
જાતજાતને ગ્રહોના ગૂંચવાડા માણસને ગૂંગળાવી નાખે છે! તમને પણ કો'ક ને કો'ક ગ્રહ નડતો જ હશે. નડે છે ને? તમે ય દોરા-ધાગા, મંતરજંતર કરીને ગ્રહોની ગૂંચને ઉકેલવા મથો છો... પણ ગ્રહોનું નડતર કનડ્યા જ કરે છે તમને ખરું ને? બીજા ગ્રહોની વાત જવા દો. આપણે તો એક એવા ગ્રહની વાત કરવી છે કે જેનાથી તમેઅમે બધાં જ પરેશાન છીએ અને એ છે પૂર્વગ્રહ!
કેટલીય જાતના પૂર્વગ્રહોની પીડા લઈને આપણે જીવીએ છીએ! કોઈ એવી વ્યક્તિ હશે આપણા જીવનમાં કે જેના પ્રત્યે આપણને પૂર્વગ્રહ ના હોય? ઉપગ્રહોના યુગમાં જીવતા આપણે પૂર્વગ્રહ છોડી શકતા નથી!
અરે, ભારતના ઉપગ્રહને અમેરિકા પોતાને ત્યાંથી છોડવા તૈયાર છે પણ ભારત પ્રત્યેના પૂર્વગ્રહને છોડવા એ તૈયાર નથી! - સૂર્ય-ચંદ્ર કે શનિ-મંગળ જેવા ગ્રહો માટે તો ઘણા જાપ-દોરા કર્યા હશે પણ આ પૂર્વગ્રહથી મુક્ત બનાવા કાંઈ વિચાર્યું ક્યારેય?
આ તો જે મળે એના પ્રત્યે સારો વિચાર હજુ પાંગરે ત્યાં તો “આ આવો', આ તેવો', શરુ થઈ જાય પૂર્વગ્રહનું પારાયણ!
પૂર્વગ્રહના પાતળા દોરે પ્રેમનો પતંગ ચગાવવાનું પાગલપણ આપણે ઘણી વખતે કરી બેસીએ છીએ અને એમાં બિચારો પ્રેમ વગોવાઈ જાય છે!
પૂર્વગ્રહની પીડામાંથી મુક્ત થવા માટે પ્રેમના મંત્રનો જાપ કરો, લાગણીઓના દોરા બાંધો.
વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ પળવારમાં વરાળ થઈને ઊડી જાય છે, પૂર્વગ્રહનો આકરો તાપ લાગતાંવેંત જ! નિશ્ચલ અને નિર્ચાજ નેહની આડે જો કોઈ પડદો હોય તો તે છે પૂર્વગ્રહ! પૂર્વગ્રહ વિગ્રહ કરાવે છે...માટે આગ્રહ કરું છું કે પૂર્વગ્રહથી મુક્ત બનો! ઉપગ્રહ છોડતાં પહેલાં પૂર્વગ્રહ છોડો!”
૩૮
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઝઘડો સાસુ વહુનો!
સમાજના ચોકઠામાં પુરાયેલા સંબંધોમાં વધુ ને વધુ બિસમાર અને બીમાર બનતો સંબંધ જો કોઈ હોય તો તે છે સાસુ અને વહુનો!
વહુ એટલે
જાણે સાસુ અને વહુ વચ્ચે સ્નેહનો નાતો હોઈ જ ના શકે! સાસુનું સમીકરણ એટલે
જે પડાવે આંસુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જુએ ત્રાંસું
જે સોનું નહીં પણ કાંસું એનું નામ ‘સાસુ’!
જે ઝગડે બહુ
જેને દબડાવે સહુ એનું નામ ‘વહુ’!
વહુને રડાવે નહીં...આસું પડાવે નહીં તો એ સાસુ કેવી? સાસુને સામી ન થાય...બરાબરની સંભળાવે નહીં...એ વહુ કેવી?
સંબંધોનો પુલ જાણે તૂટી ગયો છે...કે તરડાઈ ગયો છે! માટે તો આખું પારિવારિક જીવન ભંગાણના આરે ઊભું છે. સમાજનું સ્વાસ્થ્ય ભંગાર થતું જાય છે! સંબંધોનું સ્વાસ્થ્ય તદ્દન કથળ્યું છે ત્યાં સૌન્દર્ય અને શણગારની વાત ક્યાં કરવી? પરિવારની પ્રેમભરી ઇમારતના પાયામાંથી જો સંબંધની એકાદ ઈંટ પણ તૂટે કે તરડાય તો આખી ઇમારતને આંચકો આપે છે.
સંબંધોના દીવામાં સ્નેહનું તેલ પૂરો...પ્રેમની જ્યોતને વધુ ને વધુ પ્રકાશવાન બનાવો!
સાસુ-વહુના સંબંધો તો મા અને બેટીનો નાતો છે! પણ જ્યાં સ્વાર્થ અને શોષણના જ સોદા હોય ત્યાં સ્નેહ અને સંબંધની વાત ક્યાં કરવી?
તમે સાસુ હો તો વહુને હમેશાં કહો ‘સારું, એવું કરજે...'
વહુ હો તો સાસુને કહો - ‘વારુ એમ કરીશ’!
પછી ‘સાસુ સોના જેવી ને વહુ ઘરેણા જેવી!' વિચાર પંખી
For Private And Personal Use Only
૩૯
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1913 A BEAUTIFUL FACE Y MAY BE HEARTLESS!
માત્ર રૂપાળા ચહેરાઓના ચાહકોને ચોટ લાગી જાય એવી વાત છે ! પણ ક્યારેક કડવીવખ સચ્ચાઈને પણ જીરવવી પડે છે! આમેય સત્ય “સુગરકોટેડ' હોતું જ નથી - જીવન જીવતાં જગતમાં ઘણી બધી જાતનાં ઝેર જીરવવાં પડે છે દોસ્ત! આ પણ એવું જ એક ઝેર છે!
કેવળ કાયાની કમનીયતા કે ખૂબસૂરતીની પાછળ જો પાગલ બન્યા તો ખોવાઈ જશો...અટવાઈ જશો. આંધળા-પાટા જેવી આ જિંદગીની અવાવરુ ગલીઓમાં!
તનનું સૌન્દર્ય એક'દિ કરમાઈ જવાનું! શરીરનું સૌષ્ઠવ એક'દિ ઓગળી જવાનું! અને રૂપાળાં હૈયાં તો સાવ આળો. ક્યારેક તો તદ્દન કાળાં, ભીતરમાં ઝંખનાનાં જાળાં, બાઝયાં હોય એવાં હોય છે! બહુ સાવધ રહીને પસંદગીના પંથે પગલું મૂકવા જેવું છે!
બાહરી રૂપરંગમાં રોકાઈ ગયા તો સંબંધનો સેતુ અરસપરસ રચી નહીં શકો!
આંખ ભલે ખૂબસૂરતીને ખોળ્યા કરે પણ અંતરને અંતર સુધી પહોંચવા દો! અંતરમાં અંતર ના રહે એ જુઓ!
રૂપ અને જવાની તો બજારમાં મળતા પરચૂરણ જેવાં, જ્યારે ખલાસ થઈ જાય..રામ જાણે! મોટા ભાગે તો મળે જ નહીં. ખરુંને? રૂપ નહીં પણ હૃદય જુઓ! એક વાત તમને કાનમાં કહું છું
ઝાંઝવામાં કંઈ સલિલ નથી હોતું,
શમણાનું નામ કંઈ મંઝિલ નથી હોતું, રૂપની ધૂપ પર એતબાર ન કર દોસ્ત,
રૂપની પાસે કાંઈ દિલ નથી હોતું! (રૂપાળા ચહેરાઓની માફી સાથે)
૪૦
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિફરત કરનેવાલોં સે! કી
માત્ર બાહ્ય સંજોગો.. બાહ્ય પ્રવૃત્તિઓ અને બાહરી પરિસ્થિતિઓમાં અટવાતા માનવી માટે ઘણી વખતે આપણે ખોટી ધારણાઓ બાંધી લેતા હોઈએ છીએ... વર્તનના આધારે એના સમગ્ર વ્યક્તિત્વને આપણે પિછાણવાનો દાવો કરી બેસીએ છીએ! અને મોટે ભાગે તો આપણી નજરમાં સામી વ્યક્તિ ગુનેગાર જ હોય છે...
અલબત્ત, કમી કે કમજોરી નબળાઈ કે વિવશતા દરેકના વ્યક્તિત્વમાં ઓછાવત્તા અંશે રહેલી હોય છે... એમાંય જ્યારે મજબૂરીઓની માંદગી ઉમેરાય ત્યારે વ્યક્તિ ભાંગી પડે છે, થાકી જાય છે...હારી જાય છે...અને ખોટું કરી બેસે છે..ખરાબ બની જાય છે...પણ માનવી છે શું? દોસ્ત! નસીબ-કર્મોના હાથમાં રમતું રમકડું! કર્મોની માટીનાં રમકડાં જેવા આપણે ઘડાયા છીએ જ એવા કે કાંઈક ને કાંઈક આપણને ખેંચ્યા કરે...! ખૂટ્યા કરે...!!
સામી વ્યક્તિના વેરવિખેર વ્યક્તિત્વનું પોસ્ટમોર્ટમ' કરવા કરતાં એની વિવશતાને હળવેથી સ્પર્શવી જોઈએ! કોઈને ગુનેગાર બનવું નથી ગમતું પણ સમય અને સંજોગોના સકંજામાં સપડાયેલો માનવ જીવનપંથે પછડાટ પણ ખાય છે – ઠોકર પણ ખાય છે.
પછડાટ ખાઈને પડી જનાર પ્રત્યે તિરસ્કાર કે નફરત ના શોભે ભઈલા! એના બાહરી વર્તન ને દેખીતા સંજોગો કરતાં પણ જે કંઈક એને પીડે છે એનો તો વિચાર કરો!
ઉંમરનો રસ્તો યે હમવાર નથી હોતો
આપણો પડછાયો યે મદદગાર નથી હોતો! દોસ્ત! મજબૂરીઓની વાત જવા દે બાકી
જનમથી માનવી ગુનેગાર નથી હોતો!'
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમ આખર પ્રેમ છે!
કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી, કે પાતળો પડતો નથી, કોઈનો સ્નેહ ક્યારેય શોષાતો નથી કે સુકાઈ જતો નથી! પણ હાયે..
આપણી અપેક્ષાઓ આંધળી દોટ મૂકતી હોય છે... આપણી આકાંક્ષાઓ..ઝંખનાઓ સવારે ન વધે એટલી રાત્રે વધે છે અને રાત્રે ન હોય એટલી સવારે વિસ્તરે છે!
શું આપણે આપણી ઇચ્છાઓને સંકોરી ના શકીએ? ઇચ્છાઓનું આકાશ તો અનંત છે! અસીમ છે! એનો છેડો જ નથી હોતો કાશ! આ આકાશ સમેટાઈ જાય..પ્રેમની પગદંડીએ પગલું મૂકતાં પહેલાં આકાંક્ષાઓની અગનપિપાસાને બુઝાવી દો મારા દોસ્ત! પ્રેમ આખર પ્રેમ છે! પ્રેમની પગથારે ઊભા ઊભા વહેમની વહેંચણી ના કરાય! એ ના ભૂલશોકે પ્રેમ એ માંગવાની મજબૂરી નહીં પણ અનરાધાર આપવાની અમીરાત છે!
ચાંદો કાળી રાતે નથી નીકળતો,
- દીવડો સ્નેહ વગર નથી જલતો, લેવડ – દેવડનો હિસાબ અને પ્રેમ?
જનાબ પ્રેમ માંગવાથી નથી મળતો.”
જર
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતની રીત
પ્રેમ એક અદ્ભુત ચીજ છે! બધાં મૂલ્યો કરતાં માનવીય મૂલ્યો શાશ્વત છે! માનવીય મૂલ્યો જળવાય છે પ્રેમના આગોશમાં! પણ આપણે તો પ્રેમના નામેય સોદા કરીએ છીએ - પ્રેમ નથી કરતા! કરીએ તો એ વસ્તુને..વ્યક્તિત્વને...અસ્તિત્વને નહીં! દેહની પાછળ પાગલ બની જઈએ છીએ..દિલને પિછાણે છે કોણ? પ્રેમ અને વહેમ હોઈ જ ના શકે એકી સાથે! નેહ અને સંદેહ રહી જ ના શકે સાથે! લાગણી અને માગણી ક્યારેય સમાંતર ન જીવી શકે!
આપણો તો પ્રેમ પણ પાંગળો...સ્નેહ પણ શુષ્ક અને સુસ્ત! જે દિવસે અપેક્ષાવિહોણો પ્રેમ કરવાના શ્રીગણેશ કરીશું. બસ જીવન ત્યારે જ સાચી દિશામાં ગતિશીલ બનશે! એક વાત સમજી લેવાની જરૂર છે:
કોઈને પણ કામનાથી બાઝવું એટલે જિંદગીભર લાલસામાં દાઝવું!' લાગણીમાં વળી માગણી શું?
આપણા હિસાબી દિમાગમાં સાચો પ્રેમ પાંગરી શકે ખરા? આપણે તો આકાંક્ષાઓના અઢળક કાટમાળ નીચે દટાઈને જીવીએ છીએ ને વાતો કરીએ છીએ પ્રેમની!
પ્રેમ જ્યારે અપેક્ષાવિહોણો બનશે ત્યારે જ પરમાત્માની ઝલક મળશે! પરમાત્મા તમારા શ્વાસોની સરગમ પર ગીત બનીને ઊતરી શકે, જો પાગલ બની જાવ પરમાત્મા માટે તો પછી તમે કહી શકશો...
દિલના જખોને જગત આગળ કદી ખોલું નહીં,
પ્રેમના એ રત્ન મોંઘા પથ્થરે તોલું નહીં, એમ લાગે તુજ વિના પણ અન્ય સાંભળનાર છે,
તો મરી જાઉં પરંતુ શબ્દ પણ બોલું નહી”
વિચાર પંખી
૪૩
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(Re
હિન લાવો, તમારો હાથ જોઈ દઉં!
તમને જ્યોતિષમાં રસ ખરો? રાશિવાર ભવિષ્ય જાણવાની ઇંતેજારી ક્યારેક ઈધણની જેમ સળગી ઊઠે છે ભીતરમાં? કુંડળીના કુંડાળા ને જન્મપત્રીના ચિતરામણમાં તમે ખોવાઈ જાવ ખરા? વાર્ષિક ભવિષ્ય કે અઠવાડિક ભવિષ્ય ને છેવટે આજનું ભવિષ્ય પણ વાંચવાનો નશો તમને વળગ્યો છે ખરો?
ઘણે ભાગે એવું બનતું હોય છે કે જ્યોતિષ જીવનની જિંદાદિલીને, જિંદગીના ઝમીર અને ખમીરને ભરખી જાય છે!
જ્યોતિષના ચક્રો ક્યારેક વિષચક્ર બની જાય.. અને પછી ભવિષ્યવાણીઓના આંટાફેરામાં કે શનિ-મંગળની દશાના દાબડામાં આપણું ખમીર-આપણું જોશ પુરાઈને દયનીય બની જાય!
દોસ્ત! તમારું ભાવિ પંચાંગોનાં પૂઠાં વચ્ચે પથરાયેલું નથી. તમારું ભાવિ તમારા પ્રબળ પુરુષાર્થના પર્વત પર પાંગરેલું છે! અલબત્ત, સાહસ જોઈએ. તળેટીથી પર્વત સુધીની યાત્રા કરવા માટે! હથેળીઓની આડી-ઊભી રેખાઓમાં જિંદગીની ઇમારતનો નકશો ક્યાંય નહીં જડે મારા દોસ્ત! એ તો
હાથમાં છે તોય કાબૂ બહાર છે!
હસ્તરેખાઓનો કેવો ભાર છે! અલબત્ત, જ્યોતિષ વિજ્ઞાન તરીકે સત્યની સમાંતર ઊભું રહે છે, પણ જ્યારે જીવનની સાથે એનાં ચેડાં ચાલુ થઈ જાય પછી માનવી ઝંખવાઈ જાય..એની તમન્નાઓ આડા રસ્તે દોરવાઈ જાય અને ભઈલા, તમન્નાઓના તીરે ઊભા રહીને તરફડિયાં મારનારા તમારા-મારા જેવા લોકો તમાશો બની રહે છે.
આંખ વગર ઊડતું પંખી બહુ જલદી અકસ્માતનો ભોગ બને છે! જ્યોતિષની જાળ કરોળિયાની જાળ જેવી છે...રચનારને પોતાને જ ગૂંચવી નાંખે છે! કરોળિયો પોતે જ શિકાર બની જાય છે પોતાની જાળનો! ભૂલેચૂકેય આલતુફાલતૂ ફૂટપાથિયા જ્યોતિષના ફંદામાં ફસાતા નહીં! કારણ કે :
‘ન શોધો ભાગ્યની રેખા તમે કોરી હથેળીમાં!
સીડી પથ્થરની ક્યાંથી હોય પત્તાની હવેલીમાં તમન્નાઓને પાંખો હોય છે, આંખો નથી હોતી ઊડે છે ટોડલેથી ખાય છે પછડાટ ડેલીમાં!”
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિ જીના ઉસકા જીની હૈ... સી
કોઈ કાફલો જ્યારે નિશ્ચિત અને નિર્ણત મંઝિલ તરફ કૂચ કરે છે ત્યારે એ કાફલાના કદમમાં જોશ હોય છે. ગતિ હોય છે, દમામભેર મંઝિલ તરફ આગળ વધ્યે જ જાય છે. અલબત્ત, કાફલો ક્યારેક નાનો બની જાય, કેટલાક યાત્રીઓ પાછળ રહી જાય, કેટલાકનો સાથ-સંગાથ છૂટી પણ જાય, એનાથી શું? કાફલાના કદમનો દમ ઘૂંટાતો નથી! એ તો ચાલે જ જાય છે અથક અને અનવરત!
જિંદગી આપણી શું છે મારા દોસ્ત? બસ.. ચાલ્યા જ કરીએ છીએ જુગજુગથી! આ યાત્રા અંતવિહીન છે. આ યાત્રાનો અંત જ નથી! અનંતની યાત્રમાં જો ખંત ખોવાઈ કે ખોરંભાઈ ના જાય તો યાત્રા હમેશાં ગતિશીલ રહે છે.અને ગતિશીલ વ્યક્તિત્વ જ ખૂબ પ્રગતિશીલ બની શકે!
લાંબી સફર ક્યારેક કંટાળાજનક નીવડે છે. જો યોગ્ય અને નિકટનો સાથ-સથવાર ના હોય તો! પણ જો વિશ્વસ્ત હમરાહી સાંપડી જાય તો સફર આનંદભરી બની રહે છે.
અફકોર્સ! આપણે ચાલીએ કે થાકી જવાનું બહાનું કાઢીએ.. વિસામાને મંઝિલ માનવાની ભૂલ કરી બેસીએ - છતાંય જિંદગીની સફર, જિંદગીનો કારવાં ચાલ્યા જ કરશે!
યા ખૂન પસીના કરકે બહા
યા તાન કે ચાદર સોતા જા, યહ નાવ તો ચલતી જાયેગી
તુ હંસતા રહે યા રોતા જા.” રડી રડીને પણ જીવવું તો પડશે જ, તો પછી હસતાં હસતાં જીવવામાં હાનિ શું? મસ્તીથી આગે કદમ બઢાવવામાં નુકસાન શેનું?
સુખ્યાત ફિલોસોફર કમ ડિપ્લોમેટ “હેમર ગુડ' નું એક વાક્ય યાદ રાખી લેશો:
"The longest journey is the journey inward!' સહુથી લાંબી યાત્રા અંતરયાત્રા છે!' વિચાર પંખી
૪૫
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ શ..શ...કોઈને કહેતા નહીં!
બે યુવાનો વાતો કરતા હતા : એકે પૂછયું “કેમ લાગી?” બીજો કહે : આપણે તો ઘસીને ના પાડી દીધી! પણ કેમ?' અરે-કેમ શું વળી... વ્હાઈટ' નથી" બે યુવતીઓ વચ્ચે વાત ચાલતી હતી... એકે પૂછ્યું...કેમ... “વાત જાણીને?' “ના રે.. બાબા...આપણને પસંદ નથી!' પણ કંઈ ખામી?” અરે ખામી? ‘હાઈટ' જ નથી!”
જીવનમાં હમસફર શોધવા નીકળેલી જુવાન પેઢીની પસંદગી આજે અટવાઈ ગઈ છે : હાઈટ” અને “વ્હાઈટના જંગલમાં! અને જ્યાં પસંદગીના માપદંડ માત્ર “વ્હાઈટ અને હાઈટ' જ હોય પછી જિદગીમાં ડગલે ને પગલે “ફાઈટ થાય કે દિમાગ હંમેશાં ‘ટાઈટ’ રહે એમાં નવાઈ શું?
જ્યાં જીવન આખાની યાત્રાનો સવાલ છે ત્યાં પસંદગીની પારાશીશી કેવળ બાહ્ય રૂપ-રંગ કે દેખાવ જ રાખીશું? રૂપ-રંગ ને રસાળતા જોબનની એક ઉમર હોય છે દોસ્ત!
રૂપ નીતરતું જોબન એટલે
પિત્તળ પર ઢોળાયેલું સોનું જ્યારે એ ઊતરી જાય
પછી કોણ અહીં કોનું?” જોબન તો જીવનનો એક તબક્કો છે. જીવનની સમગ્રતા નથી. પસંદગીનું પોત એટલું પાતળું તો ના રાખો કે એની પારદર્શિતામાં જીવન સાવ કઢંગું દેખાય!
-
૪૯
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યક્તિત્વની પસંદગી ક્યારેક વીંખાઈ જશે ત્યારે પ્રેમનું પંખી બિચારું પીંખાઈ જશે.
અસ્તિત્વની પસંદગી અનહદ આનંદને ઉઘાડશે અને જીવનના બગીચામાં સ્વર્ગને ઉતારશે!
અસ્તિત્વ એટલે આત્મા! વ્યક્તિત્વ એટલે દેહ!
શિકાયત અપનોં સે હોતી હૈ, ગેર સે નહીં મુહબ્બત દિલ સે હોતી હે, ચહેરોં સે નહીં
|ળા
વિચાર પંખી
૪૦
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તમારે શું જોઈએ છે?
‘ઈ. એમ. વોકર’ નામનો જાણીતો કવિ એક મજાની વાત કરે છે... માનવની જરૂરિયાતો બતાવતાં એ લખે છે :
Human needs :
Some food - Some Sun Some Work - Some Fun & Someone.
ખાવાનું પણ જોઈએ...તડકો ય જોઈએ...કામ કરવાનું પણ જોઈએ...થોડીક મજાક-મસ્તી પણ જોઈએ, સહુથી વધારે મહત્ત્વની વાત છે Someone ની! કો'ક જોઈએ...
૪.
ચોક્કસ-જીવનમાં એકાદ તો એવી વ્યક્તિ એવો દોસ્ત...એવી જગ્યા જોઈએ જ કે-જ્યાં આપણે આપણું હૈયું ઠાલવી શકીએ! વેદનાનો અગ્નિ જ્યારે આંખો વાટે આંસુ બનીને નીતરી જાય છે ત્યારે હૈયું હાશ ને હળવાશ અનુભવે છે.
કોઈનો વિશ્વાસ જીતો કોઈના થઈને! કોઈને આપીને પછી મેળવવાની અપેક્ષા રાખજો...જેઓ કોઈના નથી થઈ શકતા તેઓ જાતના પણ નથી થઈ શકતા.
જિંદગી છે! ઉતારચઢાવ તો આવ્યા કરે...ખુશી-ઉદાસીની પળો આવ્યા કરે...આંસુ સ્મિતની ઈટ્ટા-કિટ્ટા ચાલ્યા કરે...કો'ક જો આપણને સમજનાર હોય તો જીવન હળવું ફૂલ બની જાય!
શરત એક જ છે : તમે બીજાના થાવ! પણ આપણે ક્યાં સ્વાર્થોની સંતાકૂકડીમાંથી બહાર નીકળીએ છીએ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મતલબ વિનાની લાગણી
મળતી નથી અહીં!
દિલમાંયે માનવીના
અહીં તો દિમાગ છે!”
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિઆ શિખામણ નથી હોં! ફિ
આપણા સમાજમાં એવા લોકોની પણ એક જમાત હોય છે જે વણજોયે શિખામણનો શીરો તમને પીરસ્યા કરે! માગવા ન જાઓ તો યે હું પણ કંઈક છું' ની અદાથી સલાહ સૂચનો આપ્યા કરે! એવા લોકો બિચારા ભૂલી જાય છે કે માગ્યા વગર શિખામણ અપાય નહીં! પૂછયા વગર સલાહ-સૂચન દેવાય નહીં!
આમ પણ શિખામણ માગવાની ચીજ છે, આપવાની નહીં! સલાહ લેવાની વસ્તુ છે, દેવાની નહીં!
આપવું હોય ત્યારે સામે કોઈ માંગનાર છે કે નહીં એનો વિચાર તો કરવો જ જોઈએ! આ તો જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે ચાલુ થઈ જાય! જાણે દુનિયા આખીને સુધારવાનો ઇજારો એ જનાબના ખિસ્સામાં જ હોય!
વારે વારે શિખામણ આપનારા સામી વ્યક્તિનો સ્નેહ ગુમાવી બેસે છે! માગે ને શિખામણ અપાય તો એ શીરા જેવી લાગે પણ વણજોઈતી શિખામણ તો સોટી જેવી જ લાગે!
શિખામણ=જે મણ જેટલું શીખ્યા હોય એ જ શિખામણ આપી શકે! તમારા મારા-જેવા શિખાઉનું કામ નહીં...નહીંતર કો'ક હળવેથી કહેશે
'अरे सुधारक जगत के, मत कर चिंता यार!
दिल ही तेरा जगत है, पहले इसे सुधार' તમને કોઈ એવા શિખામણની લહાણી આપનારા ભેટી જાય તો કોઈ ન સાંભળે એમ સંભળાવજો! (કાનમાં જ કહેજો!) “ઓ શિખામણ આપનારા એટલો ઉપકાર કર,
ઈશ્વરી ઇન્સાફ પર મૂંગો રહી એતબાર કર. વક્રદષ્ટા, રાહ જે લીધો અમે, સીધો જ છે,
ખોડ તારી આંખમાં છે, જા પ્રથમ ઉપચાર કર!
c
..
-
-
-
વિચાર પંખી
૪૯
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ “હાય” ને‘બાય'
કહી
કૉલેજમાં “નોલેજ” મેળવવાનો દાવો કરતી જુવાનપેઢીમાં બે વાક્યો બહુ cheaply વપરાય છે! એક છે “હાય” અને બીજો છે “બાય'.
જાણે આખી પેઢી “હાય” અને “બાય' ના બે છેડા વચ્ચે છોલાઈ છોલાઈને જીવે છે, કોઈ મળશે કે કોઈને મળવાનું હશે તો તરત જીભ સળવળશે.. હાય!' કોઈકથી છૂટા પડવાનું થશે કે વિદાય લેવાની હશે તો હોઠો પર બેજાન શબ્દો ફૂટશે..બાય'!
શું આપણે “હાય હાય” અને “બાય બાય' કરીને જીવન જીવ્યે જ ઈશું? “હાય” લેવામાંય સારી નહીં અને આપવામાં યે સારી નહીં!” “હાય” ની હૈયાવરાળ તો જાણે હરદમ આપણી આસપાસ મંડરાયેલી મળે છે. જરાક કાંઈક બગડ્યું. કોઈકે કાંઈક નુકસાન કર્યું કે તરત આપણે કહીશું. “હાય હાય, શું કર્યું?” “હાય હાય', “કેવું કરી નાખ્યું?“હાય હાય, શું થશે?” “હાય હાય. કેવો છે?' આ બધાં આપના તકિયાકલામ જેવાં ચલણી વાક્યો છે!
પણ જો જીવનવ્યવહારમાં “હાય” ને બદલે “હોય” કરવાનું શીખી લઈએ તો કદાચ હૈયાહોળી કે લોહીઉકાળાથી તો બચી જ જવાય! કાંઈક બન્યું હાય હાય કરવાના બદલે કહો : “હોય...ચાલ્યા કરે’ ‘હોય ભાઈ હોય, દુનિયામાં બધું બન્યા કરે! સંસાર છે, હોય! ચાલ્યા કરે!”
હાય નહીં પણ હોય! હાય કરશો તો “હાય” આવશે. શા માટે કર્યું?” અને પછી શરૂ થઈ જશે સવાલોનો સળવળાટ! એના બદલે “હોય” કહેશો તો તરત મનનું સમાધાન થઈ
જશે!
બોલો શું ગમશે? હાયમાં છે લ્હાય!'
હાયમાં છે એન્જોય!”
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેમ છે, દોસ્ત?
કોઈ પૂછે કેમ છો?” તો તરત જ ચવાઈ ગયેલો જવાબ દઈએ કે “મજામાં! અથવા "ફાઈન'! પણ ખરેખર તમે મજામાં છો ખરા? કે પછી સજા જેવું જીવન ગુજારતા હોવા છતાં સામાને સારું લગાડવા “મજામાં' ની વાતો કરો છો?
ક્યારેક પૂરી ઈમાનદારી સાથે જાતને જરી આ સવાલ પૂછી જુઓ “કેમ
છો?”
બીમાર અને બિસમાર જીવન જીવનાર જ્યારે મજાની વાતો કરે છે ત્યારે બહુ વિચિત્ર લાગે છે! આપણું તો જીવન જ એવું ભારેખમ બની ગયું છે કે આનંદ, મજા, મસ્તી, પ્રસન્નતા આ બધા શબ્દો આપણને અજાણ્યા ભાસે છે!
અફકોર્સ, જીવન છે તો જંજાળ પણ રહેવાની જ! જિંદગી છે તો પ્રશ્નો પણ પેદા થવાના જ! સ્વસ્થપણ અને સહજપણે એ પ્રશ્નોને ઉકેલવા જોઈએ!
મજામાં' કહેતી વખતે સ્વર માંદલો કે માયકાંગલો ના બનવો જોઈએ. આ તો કહી દે કે “મજામાં ને પછી રામાયણનો અધ્યાય વાંચવા માંડે કે “આનું' આમ છે.. આનું તેમ છે,' ગામ આખાની પળોજણ!
એક વાત સમજી લો... મજા તમારા મનમાં છે! મજા કે સજા?
પસંદગી તમારી કોઈ પૂછે ને કહેવાનું મન થાય તો બેધડક કહેજો...
પૂછમા, તું કેમ ચાલે છે? ચાલવા દે જેમ ચાલે છે! પાડ માન ઈશ્વરનોઆપણું જેમતેમ ચાલે છે!”
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ દોસ્તીની બારાખડી છે
નીતિશાસ્ત્રનું એક વાક્ય છે :
“સમાનશીલ – વ્યસનેષુ સખ્યમ્' દોસ્તી કરવી સરખે સરખાની સાથે મૈત્રીનો માંડવો બાંધવો પણ સમાનતાના આંગણે! પહેલી નજરે બહુ મહત્ત્વની નથી લાગતી વાત..પણ મૈત્રીનો નાતો. જો સમાન કુલ સમાન શીલ સ્વભાવ અને સમાનરુચિ - અભિરુચિવાળાઓ વચ્ચે જોડાય તો એમાં તિરાડ પડવાની કે એ સંબંધ તરડાવાની સંભાવના ઓછી રહે છે! જો સમાનતાને સમજ્યા કે સ્વીકાર્યા વગર દોસ્તીના દાવ ખેલી બેઠા જેની તેની સાથે, તો દોસ્તી દુશ્મનીની દાવેદાર બની બેસશે!
સરખેસરખાની પ્રીત જીવનને તંદુરસ્તી અર્પે છે. અલબત્ત, પ્રેમનો પ્રવાહ કે સંબંધનો વેગ એટલો તો તીવ્ર હોય છે કે એમાં માણસ બહુ વિચારી શકતો નથી અને મૈત્રી માગી બેસે. ઠીક છે...ચાલી જાય તો જિંદગી આખી ઝળહળી જાય, ન બને તો પત્તાના મહેલની જેમ મૈત્રીનો મહેલ તૂટી પડે! વાત બની જતી હોય...દોસ્તી જામી જતી હોય ત્યાં તો બધા જ વાહવાહ “માશાલ્લાહ' કહેશે પણ એ જ બનેલી વાત જો બગડી...તો ખલાસ! વાહવાહ કરનારા હાય હાય કરશે! બની કે ચેહરે પે લાખો નિસાર હોતે હૈ બની બનાઈ જબ બિગડતી હૈ
તો દુશમન હજાર હોતે હૈ!” સાચવજો ભાઈ...દોસ્તીના દાબડામાં પ્રેમનું મોતી જળવાય એ તમારી વાત તદ્દન સાચી, પણ દોસ્તીના દાબડા પર સમાનતાનું પડ સાચવી રાખજો. કારણ કે આપણી મૈત્રી-દોસ્તી અપેક્ષાના આછા રંગથી પણ રંગાયેલી તો રહેવાની જ! હા. કોઈ પણ જાતની ઝંખના વગર પ્રીતનો સંબંધ કર્યો તો વાંધો જ નહીં!
નહીંતર પછી જ્યારે તમારી પાંપણની પછવાડે આંસુઓનો કાફલો આવી ઊભો હશે ત્યારે મારા જેવા કો'ક તમને હળવેથી કહેશે. Don't be foolislı, my friend!
કોઈ તારું બની જાયે અને ઊંચાં મકાનોમાં? નથી હોતું જમીનોનું, કલેજું આસમાનોમાં!'
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમત પણ આંસુ-નીતરતું... ફ્રિી
જિંદગીના વળાંકો પર ક્યારેક અજીબોગરીબ “ઍક્સિડેન્ટ્સ” સર્જાતા હોય છે! એકાદ “પુશ” વાગે ને જીવનનો રસ્તો બદલાઈ જાય! અલબત્ત, યાત્રા તો ચાલુ જ રહે છે!
જીવનયાત્રાના રાહીએ એક વાત ભૂલવા જેવી નથી કે જિંદગી આજે જે છે તે કાલે ન પણ હોય!
આજે જે આંખોમાં હેત -- પ્રીતનો દરિયો હેલે ચડ્યો હોય, કાલે કદાય એ જ આંખો નફરતના ધગધગતા અંગારા પણ વરસાવે!
આજે જે ચહેરા પર પહેલી જ નજરે સ્મિતનાં અસંખ્ય ફૂલો ખીલી ઊઠ્યાં હોય એવું લાગે, કાલે એ ચહેરો જોતાં જ ઊબકા આવી જાય! આ બધું સહજ છે, સ્વાભાવિક છે!
'ये चांदनी भी जिनको छूते हुए डरती है,
लोग उन फूलों को पैरों तले कुचलते हैं । આવું બનવું અશક્ય નથી! હસતા હો તો રડવાની તૈયારી રાખો! સ્મિતના સરોવરમાં ડૂબતાં પહેલાં આંસુના રણમાં રઝળવાની પણ ક્ષમતા કેળવી લેવી જરૂરી છે! કારણ કે દુનિયાનો આ જ નિયમ છે! ફૂલ કહે છે કેલટું સુંદર છે આ મારું વદન
તે છતાં દુનિયા કરે છે શાને આટલું દમન? દિવ્યભાષી બુલબુલે દીધો તરત એનો જવાબ
“એક દિનના સ્મિતનો બદલો છે વર્ષોનું રૂદન'
વિચાર પંખી
પ૩
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ તણો, પણ તણાઈના જાવ! પણ
તરવું કે તણાવું - બન્ને જુદી વસ્તુ છે. જિંદગીમાં મોટા ભાગે આપણે તણાઈ જતા હોઈએ છીએ. પછી પ્રવાહ લાગણીઓનો હોય કે ભાવનાઓનો હોય! પ્રવાહમાં વહી જનારા ક્યારેય સામા કિનારે પહોંચી શકતા નથી, કારણ કે કિનારા તરફ એમની નજર રહી શકતી જ નથી!
ક્યારેય પણ લાગણીઓમાં વહી જવાથી બચવું જોઈએ! શાંત સંતુલિત અને સ્વસ્થ જીવનયાત્રા માટે આ બહુ જરૂરી છે! જેઓ સંતુલિત રહે છે તેઓ જ જીવન જીતી જાય છે ને જીવી જાય છે. જ્યારે તણાઈ જનારા “બેલેન્સ' ગુમાવી બેસનારા મોટા ભાગે જીવન હારી જાય છે, કારણ કે ડૂબવાનો ડર તરનારા કરતાં તણાઈ જનારના માથે વધુ ઘેરાતો રહે છે!
જીવનનાં ઘણાં બધાં પાસાં છે..પ્રેમ...કર્તવ્ય, ભાવના, લાગણી, વ્યવહાર...આ બધાંમાં તણાઈ ના જાવ! ચારે બાજુનું વિચારીને...નિર્ણય કરો!
સંસારના સાગરમાં તર્યા કરશો તો આજે નહીં તો કાલે પણ કિનારા તરફ ગતિ કરી શકશો. પણ જો તણાઈ ગયા તો પછી તળિયે પહોંચતાં વાર નહીં લાગે!
તરવું એટલે અનાસક્તિમાં જીવવું! તણાવું એટલે આસક્તિમાં સબડવું!
આસક્તિ જ જીવનના સત્ત્વને શોષી લે છે! પછી તે વ્યક્તિ પ્રત્યેની હોય કે વસ્તુ માટેની!
આસક્તિમાં અધિકારની વસૂલાત છે.
અનાસક્તિમાં આનંદની અમીરાત છે. ભીતરની ભોમકામાં અનાસક્તિનું નાનું ઝરણુંયે જો વહ્યા કરતું હશે તો મનનો મેલ નીકળી જશે...
આસક્તિ ખરડે છે.. આસકિત કરડે છે. આસક્તિ તરડે છે...
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* જિંદગી ઈતિહાન લેતી હૈ!
ભારતનો હિમાલય હોય કે જાપાનનો ફૂજીયામા... આગ્સ પર્વતની શૃંખલા હોય કે એન્ડિઝની પર્વતમાળા, જુગ-જુગ વીતી જવા છતાં આજે પણ અડીખમ ઊભા છે! એ જ સર્વવિજયી અદા ને જિંદાદિલીના જુવાળ સાથે!
તોફાનો આવે ને જાય, આંધી-અંધડ આવે ને વિદાય લે... ધોધમાર વરસાદ હોય કે આકરા તડકાનો તરફડાટ હોય, પહાડ નિશ્ચલ ઊભા રહે છે.. નિસ્પંદ ખડા રહે છે!!
દોસ્ત! હિંમત અને હૈયાઉકલતને ભીતરમાં જીવંત રાખ! દુનિયાની કોઈ તાકાત તને નમાવી નહીં શકે!
વંટોળિયા અને વાવાઝોડા પછી જ આકાશનું સૌંદર્ય નિખરે છે. ધોધમાર વરસાદ પછી જ પર્વતો નવી દુલ્હનના જેવો લીલોછમ શણગાર સજે છે! વૃક્ષોનાં પાંદડાં ભીની ભીની ગંધને વેરે છે!
તારી કસોટી થાય - તારી ઈસ્તિહાન લેવાય તો હારી ન જઈશ. ઈતિહાન એની જ લેવાય જેણે શિક્ષણ મેળવ્યું હોય! અભણની પરીક્ષા નથી હોતી - તેઓ “પાસ” નથી થતા... “ક્લાસ' નથી મેળવતા.ભલે પછી “માસ પ્રમોશન' ની જમાતમાં ભળી જાય! જોશ - અને હોશ જીવંત હોય જિંદગી જવાંમર્દ! જોશ અને હોશ અને જેના ખામોશ એનું જીવન એટલે અસફળતાનું આગોશ! ઈતિહાનથી આંખમીંચામણા ન કર દોસ્ત!
તીરે ઊભો શું ટટળે છે?
જા, મોતી ખૂબ જ ઊંડે છે! ઊઠ દોસ્ત મારા, ઊભો થા,
ખુદ જવાની તુજને ઢંઢે છે! મોતી ગહેરાઈમાં હોય...સપાટી પર છીપલાં મળે..મોતી નહીં! શું છીપલાં જ વિણ્યા કરશો?
કે પછી મોતી મેળવવા મરજીવા બનશે? વિચાર પંખી
પપ
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
́DON'T LOOSE BUT USE !
કેટલાંક લોકો વારે વારે ને ઘડીએ ઘડીએ મગજ ગુમાવી બેસતા હોય છે. જરીક આડુંઅવળું થયું કે ઊંધુંચનું વેતરાયું ને એમની કમાન છટકી! સાવ નજીવી વાતમાંયે દિમાગ તંગ થઈ જાય! દિમાગ તંગ એટલે દિલ બદરંગ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તંગ ના બનો. આકળા ના થાઓ. કોઈ પણ વાતને એકદમ ‘હાર્ડ' એન્ડ ‘ફાસ્ટ’ સખત અને સતત ‘હાવી’ ન થવા દો તમારા મગજ પર!
દિમાગને ‘લૂઝ’ ના કરો પણ તેનો ‘યુઝ' કરો, ઉપયોગ કરો!
જે દિમાગ છે. વિચારવાની શક્તિ છે... સમજવાની ક્ષમતા છે તે ગુમાવવા માટે નથી... પણ ઉપયોગ કરવા માટે છે!
૫૩
અલબત્ત, Loose કરવું હોય તો તમને કોઈ રોકી નહીં શકે પણ Loose માં ‘લૉસ' છે! Use માં સૂઝ છે...સમજ છે!
કોઈ આપણા પર અકારણ મગજ ગુમાવે એ આપણને નથી પાલવતું તો પછી આપણે બીજાના માટે આપણું દિમાગ કેમ ગુમાવી દઈએ છીએ? એકવાર..ગુમાવ્યું...બેવાર ગુમાવ્યું પછી કદાચ ખોવાઈ જશે...ચીડિયા થઈ જશે...ને તમે કોઈનેય નહીં ગો! Loose Mind ક્યારેક સામાના મન પર એવા ધા કરે છે કે જેને જલદી રૂઝ નથી આવતી!
‘જેનું દિમાગ જરીક વારમાં લૂઝ થઈ જાય, એના પ્રેમનો પળવારમાં ફ્યૂઝ ઊડી જાય!'
Never loose MIND
but
Forever use MIND
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I WANT TO SAY TO YOU 11
ઘડિયાળના કાંટાની આસપાસ સમયનાં કેટકેટલાં ફૂલો ખીલે છે..ને ખરી પડે છે? આપણને એની ક્યાં પડી છે? સમયની રેતી વણથંભી રીતે સરકતી રહે છે.
એ રેતી પર પડેલાં પગલાં વીણવાની ઘેલછાને વળગી રહેવાનો કોઈ અર્થ ખરો?
ધુમ્મસની જેમ વહી જતાં વાદળાંઓ વચ્ચે કોઈ ઇમારત ઊભી કરવાનો અર્થ ખરો?
જીવન વધે જ જાય છે. અથક અને અનવરત વહેવું એ જ જાણે જિંદગી
છે...!
બંધાઈ જવામાં જિંદગી ગંધાઈ જાય છે! બંધિયાર જીવન અંધિયાર બની જાય છે! જિંદગી એટલે પળેપળની પરિવર્તનશીલતા! પણ હાય! આપણો તો એક એક દિવસ ઊગે છે જાણે પાનખરમાં પડી પડીને પીળાં થયેલાં પાંદડાં જેવો! આપણી એક એક સાંજ આથમે છે ગમગીનીમાં ચૂંટાયેલા ગીત જેવી! આપણો પ્રેમ પણ ક્યારેક તો દોરી
વળગણી બની રહે કે જેના પર આંસુનીતરતાં ભીનાં
સ્મરણો સુકાયા કરે! આપણી આંખો જાણે આંસુઓનું સ્મશાન...!! ને આપણું દિલ જાણે જૂની-ભરેલી યાદોનું
કબ્રસ્તાની
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ જીવન જીવવા જેવું છે? હી
જી, હા સળગતી સમસ્યાઓના રણ વચ્ચે પણ સમાધાનનું સોહામણું ઝરણું મળી આવે છે. જો જીવનને સહજતાથી જીવવામાં આવે તો!
સહજતા અને સમગ્રતા એ જીવન જીવવાની બે ગુરુચાવી (Master Key) છે. જીવનની યથાર્થતાનો સ્વીકાર કરો! મુસ્કાનમાં જીવન છે તો આંસુમાંયે જીવન છે!
સુખની ગલીપચીમાં જીવન છે તો દુઃખની ટીસ. પીડાની કસકમાંયે જીવન છે જ! જીવનને એકાંગી-એક તરફી ના બનાવી દો! જીવનને સમગ્રતાની સોડમાં જુઓ અને જીવો!
જિંદગીમાં “સંજોગો અને નસીબની દુહાઈ દેનારાઓનું કામ નથી, જિંદગીમાં જવાંમર્દી જોઈએ.. ખમીર જોઈએ! જોખમની સામે અડીખમ ઊભા રહેવાની દૃઢતા જોઈએ! સુરક્ષાની સાંકડી ગલીમાં ગૂંગળાઈ જઈને જીવવા કરતાં તો બહેતર છે...જોશોહોંશથી આફતોમાં અથડાઈને આગળ વધવું!
Think deeply Speak Mildly touch Softly and live with your Totality
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન, અબીહાલા!
ભૂતકાળની ભૂતાવળોનો જનાજો ઉપાડીને ક્યાં સુધી જીવ્યા કરીશું? સ્મૃતિઓની વણઝાર આપણને વીતેલી વળગણો સાથે જોડી રાખે છે... અતીતનો અવસાદ આપણે ઓગાળી શકતા નથી! એક બાજુ ભૂતકાળ સાથે નાતો જોડી રાખીએ છીએ. તો બીજી બાજુ ભવિષ્યનાં શમણાંઓનો કાફલો આપણી આંખ અને અંતરને એવો ઘેરી વળે છે કે વર્તમાનની પળો સાથે આપણે આંખમીંચામણા કરી દઈએ છીએ! વાસ્તવમાં તો જે કંઈ છે તે માત્ર વર્તમાન છે! વર્તમાન સાથે વેર બાંધીને માણસ આનંદ મેળવી જ ના શકે! આનંદની એક જ ક્ષણ હોય છે. અને તે છે વર્તમાન! હમણાંની ક્ષણ!. વર્તમાનમાં જીવવું એટલે પ્રતિપળની જાગૃતિ! એ જ સુખના ખજાનાની ચાવી છે. ભૂલી જાવ ભૂંડા ભૂતકાળને! ખંખેરી દો ભવિષ્યનાં કોરાંધબ શમણાંઓને! સ્વીકારી લો જે શુભ છે, શ્રેય છે, તેને! જીવો વર્તમાનમાં!
Pleasc, live in the present!
વિચાર પંખી
પહ
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ મૃત્યુ માણવા જેવું છે! કો
મૃત્યુનો શોક માનવીને અવાફ કરી મૂકે છે. વિલાપ ને કકળાટ...કંદન ને તરફડાટથી કશું જ વળતું નથી.... વ્યક્તિ નિયતિની સમક્ષ નિરાધાર બનીને ટળવળે છે! આ પરિસ્થિતિમાં આશ્વાસનના અમળાઈ ગયેલા શબ જેવા શબ્દો પણ માણસને ગળાડૂબ ગમગીનીના ગારામાંથી નથી ઉગારી શકતા! મૃત્યુ તો જાણે જન્મ્યા ત્યારથી જ આપણી સાથે ને સાથે જ ચાલે છે... શ્વાસ લેતા હોઈએ છીએ એટલામાં તો જીવનથી આપણે કેટલા દૂર નીકળી જતા હોઈએ છીએ..કદાચ મૃત્યુ જ આપણને જીવનની સમીપ લાવે છે! ત્યારે થાય છે :
Where is Life? We have lost in living! પણ જો જાગ્રત હોઈએ...
તો ચિતાની જવાળામાંથી પ્રગટેલો ચિંતનનો દીવો જીવનને અને એની પેલે પારના પ્રદેશને અજવાળી દે છે! શ્વાસની સૃષ્ટિને સમેટી લેવામાં મૃત્યુનો વિજય છે... પણ સ્મરણોની સદાબહાર સૃષ્ટિને મૃત્યુ ક્યારેય નથી સમેટી શક્યું...એમાં તો એની હાર જ છે!
મૃત્યુમાંથી જન્મે છે શોક...શોકમાંથી જન્મે છે સ્થળ કાળ પર છવાયેલાં. ઘવાયેલાં સંસ્મરણો.. અને એમાંથી નીતરે છે, આપોઆપ આવિર્ભત બને છે ચિંતન! ચોંટાડેલું કે થીગડાં મારેલું નહીં! પણ એવું ચિંતન કે જેમાંથી લીધેલું સમાધાન અને એમાંથી સાંપડેલી શાંતિ ચિરસ્થાયી બની રહે!
પણ જે જીવન જીવવું પડે છે તે જીવન એવું મજાનું અને નિર્દોષ જીવો કે અંતિમ પળોમાં તમારું “
કોસ' કબૂલી શકે :I ended my life
with a broken Fiddle with a broken Song
with a broken Heart but not with a single regret.
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ જીવવું હોય તો શીખો મરતાં!
વિદા! અલવિદા!
જેના પર આપણું સમગ્ર અસ્તિત્વ ફિદા હોય એને જ જ્યારે વિદા આપવી પડે...એ જ આપણી પાસેથી હંમેશ હંમેશ માટે અલવિદા લઈ લે...તો? હાય!
એ પીડાને શબ્દોની સોડમાં સંકોરવી કે અક્ષરોની આરસીમાં ઉપસાવવી અશક્ય છે!
જન્મ્યા ત્યારથી જ મૃત્યુ આપણી આંગળી ઝાલીને ચાલે છે...આપણી બિલકુલ સમાંતર! આપણા કદમની સાથે કદમ મિલાવીને મોત ચાલે છે - અલબત્ત, આપણે ઘણી વખત એને જોઈ કે જાણી શકતા નથી!
પ્રિયજનની વિદાય પછી આપણી પાસે રહે છે માત્ર વીતેલી યાદોના અંગારા જેવાં સંભારણાં કે જે આપણને પળેપળ દઝાડ્યા કરે! ક્યારેય ના ભરી શકાય એવું એકાંત અને સ્મૃતિઓની વણથંભી વણઝાર!
એ વખતે શું આશ્વાસનના ફિક્કા અને બેજાન શબ્દો કંઈ અસર કરી શકે ખરા?
બાહરી દિલાસાઓ ભીતરના ખાલીખમપણાને ભરવા નકામા નીવડે છે... અને એક ઘેરી ઉદાસી આખા અસ્તિત્વને ઘેરી વળે છે!
ત્યારે, તમે મૃત્યુની યથાર્થતાને અને અનિવાર્યતાને વિચારી શકશો ખરા? જીવન જીવતાં વિચારતા રહેજો! સાથે સાથે આત્માની અમરતાને પણ વાગોળતા રહેજો! કારણ કે :ભૂમિથી, નભથી, નરકથી સ્વર્ગથી દૂર
હોય ક્યાંયે માનવી, પણ મોતથી મજબૂર માટી છે બધું જ આ મૃત્યુની રાજધાનીમાં
એક શાશ્વત છે ભીતરી સ્નેહનું સિંદૂર.” આ સિંદૂર તમે સાચવી રાખજો! વિચાર પંખી
૩૧
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ અઠ્ઠમના સાધકને સંદેશ! આપી
આજે તમે ત્રણ દિવસની મહાન સાધનાના શ્રીગણેશ માંડ્યા છે! કેટલા ખુશનસીબ છો તમે? પરમાત્માની કૃપાનાં ઘેરાં ઘેરા વાદળાં તમારી આત્મભૂમિ પર મન મૂકીને વરસી પડશે? એક વાત કહું? તમને ગમશે?
તનનો શણગાર તપથી કરશો ત્રણ દિવસ માટે! જીવનને જાપ અને ધ્યાનથી ઝળહળતું કરશો. તો સાથો સાથ..
૦ હૈયાને હેતથી છલોછલ બનાવી દેજો... 0 મનને મૈત્રીથી મઘમઘતું બનાવી દેજો... ૦ અંતરને આનંદથી ઓળઘોળ કરી દેજો.. ૦ આંખોમાં નેહનાં મીઠાં નીર ભરી દેજો....
૦ પ્રાણોમાં પરમાત્મપ્રેમનાં પુષ્પો ખીલવજો! એવી આરાધના | સાધના કરજો કે આ ત્રણ દિવસોમાં તમે પ્રગટાવેલા ઉપાસનાના દીવડા દિવસો સુધી તમારા જીવનને પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની અચિંત્ય કૃપાના તીરે લઈ જાય! આ ત્રણ દિવસોમાં બને તો મૌનના મહાસાગરમાં ખોવાઈ જજો!
૦ વિચારોનું મૌન ૦ વાણીનું મૌન
૦ વર્તનનું મૌન તમારા મનને નવો આનંદ આપશે નવી તાજગી બક્ષશે. ત્રણ દિવસો દરમિયાન ગુસ્સાને તો “ગેટ આઉટ' કરી દેવાનો! “અહં' કરવામાં રહેમ રાખજો... ઊંચા સાદે તો બોલતા જ નહીં! બીજાની સાથે વાત કરવી પડે તો પણ મૃદુ-મીઠા ને થોડા શબ્દોમાં પતાવજો.
તમારી સમગ્રતાને પ્રભુ પાર્શ્વનાથના ચરણોમાં સોંપી દેજો!
ફર
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ રોમે રોમે એની રટણા.. ૦ મનમાં એની પ્રીત.... ૦ હોઠે એનાં ગીત... ૦ આંખોમાં એનાં શમણાં..
0 અંતરમાં એની કરુણા... આનંદઘનજી આદિનાથમાં ખોવાઈ ગયા. ગૌતમ જેમ મહાવીરમાં સમાઈ ગયા....
એમ તમે પ્રભુ પાર્શ્વનાથના દીવાના બની જજો! પરમાત્માનાં પગલાં તમારા જીવનમાં થશે ને તમારું આખું આયખું ધન્ય બની જશે!
વિચાર પંખી
૧૩
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ આરાઘને અભિવાદન ક
સલામ, તમારા તપશ્ચર્યાથી તરબોળ વ્યક્તિત્વને! અભિવાદન, તમારા આરાધનાથી ઓળઘોળ અસ્તિત્વને!
તમારી સોહામણી ત્રિદિવસીય સાધનાનો આજે સુંદર મજાનો દિવસ છે! પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના એટલે જીવનનું એક મહામૂલું સંભારણું! ભગવંત પાર્શ્વનાથ એટલે મંત્રોની દુનિયાના “માઈલ સ્ટોન'! એમની આસપાસ મંત્ર - ઉપાસનાના એટલા તો દીવડા જલેલા છે કે એમાંથી એકાદ ઉપાસનાનો દીવડો જો આપણે જીવનમાં જલાવી દઈએ તો જીવતર અજવાળાના ધોધથી ઝળહળી ઊઠે! તમને ખબર છે? જ્યારે તમે જાપની સાધનમાં ડૂબી જાવ છો ત્યારે તમારી આસપાસ એક “ઈલેક્ટ્રૉ ડાયનેમિક ફીલ્ડ' રચાઈ જાય છે. તમારી ઈર્દગિર્દના અણુઓમાં એક નવી જાતની ઊર્જાનો આવિર્ભાવ થાય છે... અને બીજી તરફ તમારી ભીતરમાં ગુણાત્મક પરિવર્તન (Qualitative Transformation) આકાર લે છે. અકોર્સ..તમારું વલણ એ માટે વિધેયાત્મક Positive હોવું જરૂરી છે! મંત્રોમાં એ તાકત છે કે જે તમારા વ્યક્તિત્વને બદલી નાંખે. તમારા અસ્તિત્વને બદલી નાંખે! પણ સબૂર! સાધનાની ક્ષણોમાં સાવધાન રહેજો! વિચારોમાં જરીયે નબળાઈ કે વાણીમાં થોડીયે અકડાઈ કે પછી વર્તનમાં લગીરે અતડાઈ જો ભૂલેચૂકે ભળી તો તમારી ઉપાસના ઊણી ઊતરશે!
સાધના સ્વના અંતઃકરણને આનંદથી ભરી દેવા માટે કરજો!
સાધના “સ્વ” ને સમજવા | પામવા ને પહેચાનવા કરજો! ઉપાસના એવી કિરજો કે મનના ગગન પરથી વાસનાનાં વાદળાંઓ વિખેરાઈ જાય! તમને દિલની લાખ દુઆઓ!
તમારું તન સ્વસ્થ બને! તમારું મન સ્વચ્છ બને!
તમારું જીવન સહજ બને!
ઉ૪
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
fી ૧૫ મી ઓગષ્ટ2... * સ્વતંત્રતા! ક્યાં છે? હલ
આજે રાષ્ટ્રનો સ્વતંત્રતા દિવસ ઊજવાય છે..! કહેવા પૂરતાં આપણે આજથી બરાબર ૬ર વરસ એટલે બાવીસ હજાર છસોને ત્રીસ દિવસ પહેલાં આઝાદ પણ બની ગયા પણ ખરેખર આપણે આઝાદ છીએ ખરા? અરાજકતા અને અંધાધૂંધી... અવ્યવસ્થા અને આતંક...!!
શું આ સ્વતંત્રતા છે..? ચોરે ને ચૌટે બળાત્કાર, અપહરણો.. આનું નામ આઝાદી..?
શું આટલા માટે આપણા નરબંકાઓએ પોતાની જાનફેસાની કરી હતી? ભગવાન મહાવીર અને બુદ્ધ જે દેશમાં જન્મ્યા એની આ દશા? આજે સુભાષ-સરદાર કે ગાંધી... નહેરુ આવીને દેશની હાલત જુએ તો? એમના મોઢામાંથી આવું જ કંઈક નીકળે :
પંખી સમજે છે કે ચમન બદલાયું છે,
સિતારાઓ મલકે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસ પાડે છે (કે)
છે લાશ એની એ જ, ફક્ત કફન બદલાયું છે'
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રક્ષા - બંધન કે મુક્તિ?
આજે છે રક્ષાબંધન! આ દેશની સંસ્કૃતિ અદ્દભુત છે! આ દેશનાં પર્વો લાજવાબ છે! એક એક પર્વની રચના પ્રેમને ઉન્નત ને ઊજળો બનાવવા માટે થયેલી છે! ભાઈ અને બહેનના સંબંધો જુગજુગથી જીવંત છે! બીજા સંબંધો સંકોચાઈ જાય... પણ આ સંબંધ હંમેશાં Live રહ્યો છે. પ્રેમમાં બંધન નથી. મુક્તિ છે! બાંધે તે પ્રેમ નહીં! ભાઈની ભાવના સાથે બહેનની લાગણીઓ જ્યારે ભળે છે ત્યારે પરિવારમાં સમાજની સંવાદિતા રચાય છે!
જીવનના રણમાં સંબંધોનું જંગલ ઊભું ના કરતા. સંબંધોનો બગીચો બનાવજો...જંગલમાં યાત્રી અટવાઈ જાય છે ભટકાઈ જાય...! બગીચામાં હાશ...હળવાશ' મેળવે છે! જીવનયાત્રામાં આવનારા-મળનારા સહયાત્રીઓ સુવાસથી છલકાઈને જાય એવા સંબંધો જાળવો! તમને ખબર છે આ પર્વ વૈયક્તિક છે? રક્ષાબંધન બધા માટે નથી, કેવળ ભાઈબહેન માટે છે! બહેનની હેતનીતરતી શુભેચ્છાઓ રેશમી દોરામાં પરોવાઈને ભાઈના હાથે બંધાય છે. લાગણીઓ કંકુમાં ભળીને ભાઈના કપાળે શોભે છે. ચાંદી જેવું સ્મિત ચોખામાં ભળીને કંકુમાં ચોંટે છે અને ભાઈની આંખોમાં નિશ્ચલ નેહનો દરિયો. ઘૂઘવાટા ભરે છે! સ્વાર્થવિહોણા સંબંધોની કિંમત ઓછી નહીં આંકતા! રક્ષાનું મૂલ્ય જો આપ - લેની ભાષામાં સમજ્યા તો તમે આ પર્વને માણી નહીં શકો! ચાંદીની રાખડી શું કરશો, જો ચાંદી જેવું મિત બહેનીના હોઠે નહીં રમે?
રૂપિયાનો રોગ લાગુ પડશે જો ભાઈની ભાવનાઓ બહેનીને નહીં ગમે!
આપ્યા - લીધાની ભાષા વેપારમાં ને વ્યવહારમાં છે, આપણો તો સ્નેહનો નાતો છે!
શું આપવું ને કેવું આપ્યું જો જોશો, તો રક્ષા મુક્તિ નહીં રહે. બંધન બની જશે! કોણે આપ્યું છે એ મહત્ત્વનું છે!
રાખડી તો હેતભીની આંખડી રાખડી તો પ્રસન્નતાની પાંદડી'
૧૬
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રક્ષાબંઘન...(ભાઈના માટે)
હલ્લો માય બ્રધર...! બહુ ખુશ છો કાંઈ આજે? અચ્છા સમજી ગયો... બહેનની હેતભીની રાખડીએ તમને ખુશીની ખુશબોમાં તરબતર બનાવી દીધા છે... ખરું ને?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા...લોખંડની વજ્ર સાંકળમાં પળભર પણ નહીં જકડનાર હૈયું લાગણીઓના કાચા દોરે જીવનભર જકડાઈ રહે છે...
પણ સબૂર...! દોસ્ત...આ જમણા હાથે બંધાયેલી રક્ષા તમારા પર જવાબદારી મૂકે છે... બહેનના રક્ષણની!
એની ભાવનાઓ–એની કોમળ લાગણીઓ એના માસૂમ મનને જરીયે ઠેસ ના પહોંચે એની કાળજી રાખજો...! એવું કંઈ કામ ના કરશો કે જેથી એનું દિલ દુભાય..!
ચોક્કસ? Promise O. K.
તમે બહેનીને કહેજો
વિચાર પંખી
‘કોઈના દિલને દુભવવાની એમાં તાબ નથી, આ દિલ ખરાબ છે પણ એટલું ખરાબ નથી...!'
For Private And Personal Use Only
૬૭
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રક્ષાબંઘન...(બહેનના માટે)
આજનો દિવસ તમારો છે.
જી હાં.. બહેન! તમારો છે. આજનું આખું પર્વ તમારા નામે લખાયેલું છે. તમારી કોમળ આંગળીઓને સ્પર્ધાયેલો એકાદ રેશમી દોરો.. તમારા ભાઈના આખા જીવનને નવલું રૂપ આપી દેવા સક્ષમ છે.
તમે ધારો તો તમારી લાગણીઓના લાસ્યથી ભાઈના આખા જીવનને ભાતીગળ બનાવી શકો. તમારા અંતઃકરણના ઊંડાણથી ભર્યાભર્યા હૈયે ભાઈના હાથે રક્ષા બાંધજો ને પરમાત્માને પ્રાર્થના કરજો :
મારા ભાઈનું તન સ્વસ્થ રહે... મન પ્રસન્ન રહે..
જીવન જિદાદિલ રહે..” ભાઈને કહેજો :
સાજ ને ઝંકારવાની વેળ છે. સૂરની સાથે શબ્દનો મેળ છે... આપણી વચ્ચે બીજું કશું નથી... એક નાતો છે, અને નિર્ભેળ છે...!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિ પર્યુષણ મહાપર્વ... (પ્રથમ દિવસ)
પ્રાણીમાત્રને પ્રેમનો પયગામ આપતું પર્વ! વેર - વિખવાદનાં ઝેરી બંધન કાપતું પવ!
જીવનની સરગમ પર સ્નેહના સૂર છેડતું પર્વ!
હૈયામાં હાશ-હળવાશની તાજગી રેડતું પર્વ જાતમાં જીવવાની રીત બતાડતું પર્વ! સહુના પ્રત્યે આંતર પ્રીત જગાડતું પર્વ!
અહિંસાની આલબેલ પોકારતું પર્વ!
હિંસાની આગને ઠારતું પર્વ! પર્વોની દુનિયામાં સોહામણું પર્વ!
પર્વોના મેળામાં લોભામણું પર્વ! આવો, આપણે હેતપ્રીતના તોરણ બાંધતા અને તૂટેલાં દિલોના તારોને સાંધતા આ પર્વને વધાવીએ. આ મહાપર્વની પાવન પળોને ત્યાગ, તપ અને પ્રભુભક્તિની ભીનાશથી ભરી ભરી બનાવીએ.
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં પર્યુષણ મહાપર્વ... (બીજો દિવસ) કણિી
પર્યુષણ શબ્દનો અર્થ જાણો છો? Come on... હું તમને ઓળખાણ કરાવું આ પર્વની! પર્યુષણમાં પર + ૩૬ આમ બે શબ્દોનું સંવાળું સંયોજન છે : પરિ એટલે ચારે બાજુથી... ૩ એટલે રહેવું... વસવું.... બેસવું... ચારે બાજુથી આત્મામાં રહેવું, સમગ્રતાથી સ્વમાં જીવવું એનું જ નામ પર્યુષણ! જે અર્થ ઉપવાસનો છે. આત્માની નિકટમાં રહેવું, તે જ અર્થ પર્યુષણનો છે. દુનિયાની ભીડમાં ભલે ખંડ - ખંડ બનીને આપણે જીવીએ. પણ ધર્મના જગતમાં તો અખંડ બનીને સમગ્રતાથી જ કદમ ભરી શકાય! Live with your totality in the present monment. એટલે પર્યુષણની પ્રાણભરી ઉપાસના!
પર્યુષણ શીખવે છે જાતમાં જવાની રીત: પર્યુષણ આપે છે જાતમાં જીવવાની શીખ! જગતની આળપંપાળમાં રહીને પણ જો જાતમાં જીવતાં નહીં આવડે તો જીવન ઝંખવાઈ જશે! પર્યુષણની પળોમાં કરો જાત સાથે વાત!
જાત સાથે મુલાકાત! My friend! Live with yourself.
0
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતા પર્યુષણ મહાપર્વ... (ત્રીજો દિવસ) તા
જીવનના સરોવરમાં પ્રેમનાં પોયણાં ખીલવવાની પ્રેરણા આપનાર પર્યુષણનો એક સંદેશ છે અહિંસાનો! સામાન્ય રીતે અહિંસાનો અર્થ કોઈને મારવા નહીં એવો કરવામાં આવે છે. પણ ના. આ અર્થ તમે તો જાણો છો કે કોઈનો જીવ ઝૂંટવવો એ જેમ હિંસા છે તેમ કોઈના દિલને દુભવવું એ પણ હિંસા છે. બીજાના દેહને જેમ પીડા નથી આપવાની તેમ અન્યના દિલને પણ ઠેસ નથી પહોંચાડવાની! શરીરના ઘા સમયની પાટાપિંડીથી રૂઝાઈ જાય છે. મનને લાગેલા ઘા જલદી નથી રૂઝાતા! ભૂલેચૂકેય કોઈના પ્રાણને પીડા ના આપશો. પંપાળી ના શકો તો કંઈ નહીં! જીવનમાં ડગલે ને પગલે આપણે અહિંસાની આલબેલ પોકારવાની છે! હિંસાની હાયવોય હવે ઠારીએ... જીવનને અહિંસાથી શિણગારીએ!
My friend लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो। जला सको तो दीप जलाना, दिल जलाना मत सीखो। बिछा सको तो फूल बिछाना, शूल बिछाना मत सीखो। पिला सको तो प्यार पिलाना, जहर पिलाना मत सीखो।
Forget, forgive & be friend!
વિચાર પંખી
૧
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર્યુષણ મહાપર્વ... (ચોથો દિવસ)
આવો દોસ્ત! પર્યુષણની ચાંદની જેવી શીળી ચોથા દિવસની ઊજળી ઊજળી ઉષાનો સ્પર્શ તમને હળવેથી ભેટે છે! આજનો દિવસ કલ્પસૂત્રની વાચનાનો પ્રથમ દિવસ! તમે કલ્પસૂત્ર અંગે જાણો છો ખરા? આવો..ત્યારે એની જ વાર્તા આજે કરીએ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોક અને મોહની જાળને જલાવી દેનારા આ કલ્પસૂત્રને યુગપ્રધાન-ચૌદ પૂર્વધર ભગવાન ભદ્રબાહુ સ્વામીએ ‘દૃષ્ટિવાદ' નામના ૧૨ મા અંગના નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાંથી અલગ તારવીને ‘દશાશ્રુતસ્કંધ’ ના આઠમા અધ્યયન તરીકે સુગ્રથિત બનાવ્યું. ગુરુશિષ્ય પરંપરાથી મુખપાઠ થતા આ કલ્પસૂત્રને વિ. સં. ૫૧૦ માં લિપિબદ્ધ (ગ્રંથરૂપે) કરવાનું શ્રેય છે મહાન શ્રુતધર શ્રીદેવર્ધિગણી ક્ષમાશ્રમણને! એ ધરતી હતી વલ્લભીપુર (સૌરાષ્ટ્ર) ની! આ ગ્રંથનું સર્વ પ્રથમ સંઘ સમક્ષ વાંચન વિ. સં. ૫૨૩ માં થયું છે. ગુજરાતના ત્યારના પાટનગર આનંદપુર (વડનગર) ખાતે રાજા ધ્રુવસેનના રાજ્યપરિવારના શોકને દૂર કરવા માટે આચાર્ય શ્રી. કાલિકસૂરીશ્વરજીના શ્રીમુખે! આ ગ્રંથ પર ‘સુબોધિકા’ નામની સંસ્કૃતમાં રસમય ટીકા (Commentary) લખવાનો જશ જીતે છે વિ. સં. ૧૬૯૬ ના જેઠ સુદ ૨ ના દિવસે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી! ગુજરાતી ભાષામાં એના પ૨ ખીમશાહી ટીકા લખવાનું કાર્ય વિ. સં. ૧૭૦૭ ના વૈશાખ સુદ ૧૦ ના દિવસે અમદાવાદ ખાતે મુનિશ્રી ખીમાવિજયજીએ પૂર્ણ કર્યું. તત્કાલીન નગરશેઠ શ્રી હેમાભાઈ પ્રેમાભાઈની હાજરીમાં અમદાવાદમાં સકળ સંઘ સમક્ષ એ જ વરસે એના વાંચનનો પ્રારંભ થયો.
જર્મન સ્કૉલર રીયુ જે. સ્ટીવન્સન ઈ. સ. ૧૮૪૯ માં પ્રથમ વાર વર્તમાનમાં કલ્પસૂત્રને વિદ્વતાપૂર્ણ સંપાદનથી સાંકળીને પ્રગટ કરવાનું શ્રેય મેળવે છે! આ છે કલ્પસૂત્ર અંગે આછીપાતળી જાણકારીની ઝલક!
કલ્પ એટલે આચાર!
૭૨
શ્રમણજીવનની આચાર વ્યવસ્થાની વિસ્તૃત વિવેચના ને વિચારણા કરતા કલ્પસૂત્રને સાંભળતાં ભાવવિભોર બની જજો!
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં પર્યષણ મહાપર્વ...(પાંચમો દિવસ) ફિ
સોણલાની પણ એક સોહામણી દુનિયા છે... ભાવિના અનેક સંકેતો શમણાંની સોડમાં ઇશારા કરે છે. ભગવાન મહાવીરની માતા ત્રિશલાએ જોયેલાં ૧૪ નમણાં શમણાં કેવાં સુવાળાં ને પ્રારાં પ્યારાં છે? એક એક સ્વપ્ન મહાવીરના મોહક વ્યક્તિત્વને કળીમાંથી ઊઘડતા ફૂલની જેમ ઉઘાડું કરે છે. સપના એ વ્યક્તિના ભીતરી અસ્તિત્વની પ્યાસને પ્રગટ કરે છે! સુંદર સોણલાંની છાબ પણ એના જ નસીબમાં હોય છે કે જે અંતરથી સુંદર હોય! અત્યારે તો વૈજ્ઞાનિકો આધુનિક Micro electrionic instruments દ્વારા સપનાંઓના અજાણ્યા પ્રદેશની સફર ખેડે છે.
આપણાં શાસ્ત્રો તો સદીઓથી આ વાતને વિવેચી રહ્યાં છે! જરી પલકોનો પડદો પાડીને પહોંચી જજો ક્ષત્રિયકુંડના રાજપ્રસાદમાં પોઢેલાં દેવી ત્રિશલાની પાસે...એમના અસ્તિત્વમાંથી નીતરતી લાગણીઓની ભીનાશને જોજો!
એક વાત ના ભૂલશો...આજનો દિવસ મહાવીર જન્મ વાંચનનો છે, મહાવીરનો જન્મદિવસ નથી! આજનો દિવસ દેવી ત્રિશલાને આવેલાં શમણાંઓના નમણા ગામમાં ગરબે ઘૂમવાનો દિવસ છે.
વિચાર પંખી
૭૩
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફિલ પર્વષણ મહાપd...(છઠ્ઠો દિવસ)
GS
પરમાત્મા મહાવીર દેવના રોમાંચક જીવનપ્રસંગોની પાવન પ્રેરણાના અમીઘૂંટ પાતી આજની અલબેલી ઉષા પર્યુષણનો છઠ્ઠો દિવસ લઈ આવી છે. વર્ધમાન રમે છે મિત્રોની મહેફિલમાં પણ એના અંતરના આંગણે તો ઉદાસીનતા જ રહે છે. માની ઇચ્છા સંતોષવા યશોદા સાથે લગ્નજીવન પણ જીવે છે, છતાંયે એનો આત્મા આ બધાં બંધનોથી અળગો છે! સર્વ ત્યાગની કેડીએ ચાલ્યા જતા વર્ધમાનને વિદાય આપતી યશોદાની જરા કલ્પના તો કરી, પોતાના પતિને ત્રિભુવન પતિ બનાવવાના કોડ ખાતર એ નમણી નારીએ પોતાના સુખની જરાયે પરવા ન કરી. એણે હસતા મોઢે વિદાય આપી પોતાના કંથને મહાન સંત થવા માટે! અરે એટલું જ નહીં, પ્રાણપ્યારી પુત્રી પ્રિયદર્શનાને પણ ત્યાગના પંથે વાળી. મહાવીરની મહાન ઇમારતમાં આ યશોદાએ પોતાના ધબકતા પ્રાણોની કાંઈક કાંઈક ઈંટો મૂકી હશે. એ મહાન નારીએ પોતાના સર્વસ્વને દૂર દૂર જતા જોઈ બોર બોર જેવડાં આંસુ પાડ્યાં હશે! છતાં પણ કોઈ ફરિયાદ વિના પોતાના જીવન-ધનને જગતધન બનાવનાર એ યશોદાને ઓળખ્યા વિના મહાવીરની ઓળખાણ અધૂરી રહેશે.
..
છે
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક પર્યુષણ મહાપર્વ...(સાતમો દિવસ)
ઊગતા સૂરજની સાખે લહેરાતી, પ્રસન્નતાનાં ફૂલો વિખેરતી સોહામણી પળ પર્યુષણનો સાતમો દિવસ લઈ આવી છે.
સંસ્કૃતિના આદ્ય પુરસ્કર્તા પરમાત્મા આદિનાથ તથા કાશીના કોડામણા રાજ કુમાર પાર્શ્વનાથના જીવનની ઘણી ઘણી વાતો આજે સાંભળવાનો દિવસ છે. તેમ ઇતિહાસના પાનાંઓ પર સોનેરી અક્ષરે કંડારાયેલી પ્રેમની સર્વોચ્ચ કહાણી પણ આજે સાંભળજો નેમ અને રાજુલ! આઠ...આઠ ભવની પ્રીતના જેણે ચોક પુરાવ્યા છે એવી રાજુલને તરછોડીને ગિરનારની વાટે ચાલ્યા જતા નેમ! યુગયુગની પિછાણ જાણે કે પળભરમાં કોઈ કોઈને જાણતું નથી એ હકીકતની પથ્થરદીવાલ બની જાય છે.
નેમ વિના નહીં ભજું નાથ અનેરોની ધૂણી ધખાવી બેઠેલી રાજુલ પ્રિયતમને પામવા, સદા માટે એનામાં લીન બની જવા સંયમના કાંટાળા રાહે કમળકોમળ કદમો માંડે છે. દેહ - પ્રેમને સ્વાર્થ સંબંધોની ભુલભુલામણીમાં ભૂલા પડેલા આપણે જરા એક નજર આ પ્રેમનાં પ્રતીકો તરફ નાંખીએ કે જેથી આપણા અણુએ અણુએ દિવ્ય પ્રેમની સરવાણી વહે. જેમાં પરમ શાંતિનાં નીર લહેરાતાં હોય!
વિચાર પંખી
પ
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપર્યુષણ મહાપર્વ...(આઠમો દિવસ)
વજ હૃદયના બોલ
ક્ષમાપના
મીઠા મનના કોલ
ક્ષમાપના આજે દિવસ છે સંવત્સરીનો! ક્ષમાપનાનો! ક્ષમાપના જીવનની પાયાની જરૂરિયાત છે ક્ષમા.. ક્ષમાવિહોણું જીવન તો રણ જેટલુંય રળિયામણું નથી લાગતું! રણમાંય રાત પડ્યે રેતીનો સુંવાળો ને શીળો...શીળો સ્પર્શ સાંપડે છે. જ્યારે ક્ષમા વગરના જીવનમાં તો નર્યા વેરની આગ ધગધગે છે, દાઝવા સિવાય કશું બીજું નથી એ જીવનમાં! દોસ્ત... આ જિંદગી મિત્રોની મહેફિલ બનાવવા માટે છે...શત્રુઓનું સ્મશાન ઊભું કરવા માટે નથી..! આ જીવન છે દોસ્તની દોલત વધારવા માટે, નહીં કે દુશ્મનોની દયનીયતા પેદા કરવા! ભૂલ થઈ નથી થઈ, માફી માંગી લેવામાં નાનમ નથી! ઝૂકવામાં જરીય ઝાંખપ નહીં લાગે! ઊલટું સામી વ્યક્તિનું દિલ તમે જીતી લેશો! હું ઇચ્છું છું. આજે તમારી આંખોમાં
કરુણાનું કાજળ અંજાય! તમારા દિલના દરવાજે
મૈત્રીનાં લીલાંછમ તોરણ બંધાય. તમારા હોઠોની પાંદડીઓ વચ્ચે
હેત પ્રીતનાં ફૂલો ખીલે! તમારા ચહેરા પર સ્મિતની
રમ્ય ચાંદનીનાં નીર ઝીલે!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૈત્રીનું માથું મોતી
દોસ્તીના દાબડામાં સચવાશે! ક્ષમાનું રતન
મૈિત્રીના જતન વગર ઝંખવાશે! સૃષ્ટિના તમામ જીવાત્મા સાથે મૈત્રીનો નાતો બાંધવા માટે આપણાં ધર્મશાસ્ત્રો આપણને ઉપદેશે છે. આદેશ છે ત્યારે કમ સે કમ જેની સાથે જીવીએ છીએ જેની સાથે રહીએ છીએ, એ બધાંની સાથે તો મૈત્રી રચીએ રાખીએ!
મૈત્રીનો પ્રારંભ નિજથી કરો! મૈત્રીની શરૂઆત નિજીથી કરો!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવપદ આરાઘના...(પ્રથમ દિવસ) થી
અરિહંત! વિશ્વનું સર્વશ્રેષ્ઠ તત્ત્વ છે અરિહંત! અરિહંત પરમાત્માની અચિંત્ય કૃપાથી જ આપણને ધર્મતીર્થની ધર્મશાસનની પ્રાપ્તિ થઈ છે..
સમગ્ર સૃષ્ટિ માટે વંદનીય..પૂજનીય એવા અરિહંત પરમાત્માનું ધ્યાન કરવા માટે નવ દિવસીય આરાધના સત્રનો આજથી પ્રારંભ થાય છે! આ નવ દિવસોમાં આકાશમાં સૂર્ય – ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, વગેરેના તેજમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. વાતાવરણ બદલાય છે. માટે તો આ નવ દિવસો સાધના માટે શ્રેષ્ઠ મનાયા છે! સિદ્ધચક્રની સાધના એટલે સૃષ્ટિના શ્રેષ્ઠ યંત્રની ઉપાસના
જેના કેન્દ્રમાં અરિહંત છે.
કોઈ પણ આત્મા જ્યારે રાગદ્વેષના બંધનોથી સંપૂર્ણપણે મુક્ત બને છે અને તીર્થકર બને છે, ત્યારે એ જગત આખા માટે પૂજનીય બની જાય છે! અહતું એટલે પૂજા કરવા માટે ઉપયુક્ત! આરાધના સાધના ઉપાસના કરવા માટે બધી જ રીતે યોગ્ય તત્ત્વ છે અરિહંત!
અરિહંતનું ધ્યાન સમગ્ર ચિત્તતંત્રને વિશુદ્ધ કરે છે. શરીરની અસ્વસ્થતાને ઓગાળે છે. “અરિહંત' શબ્દમાં એ તાકાત છે કે જેનાથી તમામ ભય દૂર થઈ જાય. સાધનામાં જરૂરી છે આપણી સમર્પણની ભાવના!
Divine force needs dedication. ‘સાધનાની સફર ખેડે તે સંત છે.
મુક્તિના મીઠા સૂર છેડે તે મહંત છે. દુનિયાને જીતનાર અંતે હારી જાય છે.
જે ખુદની જાતને જીતે તે “અરિહંત' છે!”
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િનવપદ આરાધના...(દ્વિતીયદિવસ)
જી હાં! તમને કોઈકની નજર સતત જુએ છે! જાણો છો એ કોણ જુએ છે? અનંત સિદ્ધ પરમાત્માઓ તમને પ્રતિપળ પ્રતિક્ષણ નિહાળે છે...એમની કરુણા-નીતરતી મહેર નજર અવિરત વરસ્યા કરે છે આ સૃષ્ટિ પર!
તમે નહીં જાણતા હો...જ્યારે એક આત્મા સિદ્ધ બને છે ત્યારે જ એક આત્મા અવ્યવહાર રાશિ'ની નિગોદમાંથી બહાર નીકળીને “વ્યવહાર રાશિમાં પ્રવેશે છે! અને પછી એની ક્રમિક વિકાસ યાત્રા પ્રારંભાય છે. આપણા આત્મા પર પણ કોઈક સિદ્ધ આત્માનો આ મહાન ઉપકાર છે. કોણ છે એ આત્મા? આપણે નથી જાણતા! આ ઉપકારનો બદલો આપણે કેવી રીતે વાળીએ?
આજનો દિવસ છે. સિદ્ધપદની આરાધના કરવા માટેનો! લાલ રંગમાં સિદ્ધ પદનું ધ્યાન ધરવાથી આપણા તરફ સિદ્ધ ભગવંતનું આકર્ષણ થાય છે... લાલ રંગ આકર્ષણ માટે જ છે!
લાલ રંગની માળા...લાલ રંગનું આસન.. આ બધું જાપમાં ધ્યાનમાં સહાયક બને છે!
સિદ્ધ પરમાત્માની આરાધના કરીને, આત્માને શુદ્ધ, બુદ્ધ કરીને સિદ્ધત્વ તરફ ગતિશીલ બનાવીએ.
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપદ આરાઘના (તૃતીય દિવસ) સિસ
| જિનશાસનના પરમ રહસ્યભૂત શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધનાના ત્રીજા દિવસે આચાર્ય પદની આરાધના કરવાની છે.
આચાર! બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે વ્યક્તિ અને સમષ્ટિ માટે! આચારથી આખું વ્યક્તિત્વ પરખાય છે... આચારથી વિચારોનું વલણ જાણી શકાય છે. પાંચ આચારોના પાલનમાં પ્રાણ પૂરનાર તથા એના પ્રચાર માટે પળેપળ પ્રવૃત્ત આચાર્યોને જિનશાસનમાં તીર્થંકરની ગેરહાજરીમાં તીર્થપતિના સ્થાને નીરખવામાં આવે છે.
સમગ્ર સંઘના સંચાલનની જવાબદારી આચાર્યના શિરે હોય છે. સૂરજ સંતાઈ ગર્યો હોય કે ચાંદો છુપાઈ ગયો હોય ત્યારે અજવાસ માટે દીવો કામ લાગે છે, તેમ તીર્થકર ભગવંતો કે કેવળજ્ઞાની અરિહંતો નથી ત્યારે જિનશાસનનાં રખોપાં કરે છે શાસન, સંઘ અને સંયમને સમર્પિત સૂરિદેવો!
સમગ્ર સંઘનું હિત જેમની આંખોમાં છે. સકળ સંઘના તમામ જીવો પ્રત્યે મારા-પરાયાની ભેદરેખા વગર જેમનું વાત્સલ્ય વરસે છે...એવા આચાર્ય ભગવંતને અનંત વંદના!!
.
'
તે
જ
વિચાર પંખી,
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નવપદ આરાધના (ચતુર્થ દિવસ)
જેમના ચરણોમાં બેસીને સમ્યજ્ઞાનની ગંગોત્રીમાં ઝીલવા મળે છે એવા ઉપાધ્યાય ભગવંતોની આરાધના કરવાનો આજે અનેરો દિવસ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ જિનશાસનમાં ઉપાધ્યાયનું છે. કારણ કે જ્ઞાનનું દાન કરે છે ઉપાધ્યાય ભગવંત! મશાલના અજવાળે માઈલોની સફર થઈ શકે છે પણ મશાલ પેટાવનાર મશાલચીને વીસરી જઈએ તો આપણે નગુણા ગણાઈશું!
‘જ્ઞાનીના બહુમાનથી જ્ઞાનતણા બહુમાન!'
રખે આશાતના કરતા, એવા જ્ઞાની ઉપાધ્યાય ભગવંતોની આરાધના કરજો!
મંત્ર-તંત્રના દૃષ્ટિકોણથી લીલા રંગની માળા...લીલું આસન...લીલાં વસ્ત્રો... અને લીલા રંગમાં ઉપાધ્યાય પદનો મંત્રગર્ભિત જાપ તનના સ્વાસ્થ્ય માટે બહુ સૂચક મનાયો છે. લીલો રંગ ‘ઍનર્જી’ને ગ્રહણ કરે છે... માટે તો વૃક્ષનાં પાંદડાંઓમાં રહેલું ‘કલોરોફિલ’ આપણને ‘ઑઝોન’ આપવામાં સહાયક બને છે. પ્રાચીન સરસ્વતીકલ્પ પ્રમાણે સરસ્વતીની સાધના પણ લીલા રંગમાં કરવાની રહે છે.
વિચાર પંખી
‘ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં' નો જાપ જ્ઞાનની ગંગોત્રીનું ‘પીનપૉઈન્ટ’ ખોલી આપે છે તેમ તનની તબિયતનું તૂટેલું તારામૈત્રક રચી આપે છે.
ઊજળા હૈયે ને ઉરના ઉમંગે ઉપાધ્યાય ભગવંતને પ્રણામ કરજો.
સ્વાધ્યાયની શીખ આપે ઉપાધ્યાય! દ્રવ્ય-પર્યાયના ભેદ બતાવે ઉપાધ્યાય!
જીવનના અધ્યાયને
ઊંડાણથી સમજાવનારા
ઉપાધ્યાય ભગવંતને વંદના.
For Private And Personal Use Only
૧
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવપદ આરાઘના (પાંચમો દિવસ) ની
સર્વજ્ઞ શાસનના સિદ્ધાંતોને જીવનમાં જીવનાર ને જગતને એ રાહ ચીંધનાર સાધુ પુરુષોના પાવન ચરણે ભાવભીની વંદના!
જે કોઈ સાધુ ભગવંત પરમાત્મા જિનેશ્વર ભગવંતના શાસનને સમર્પિત છે...સન્મુખ છે.. પછી એ કોઈ પણ ગચ્છના હોય, પંથના હોય,.. સમુદાયના હોય...એ આપણા માટે સદા સર્વદા વંદનીય છે.. આદરણીય છે!
બહુ ધ્યાન માંગી લે એવો શબ્દ છે “સવ્વસાહૂણં'! મારી તમારી માન્યતાના ચોકઠામાં પુરાયેલા નહીં. પણ “સવ' એટલે બધા જ સાધુ ભગવંતો, જેઓ પરમાત્માને પંથે ગતિશીલ છે. જેમણે જાતને સમર્પિત કરી છે પરમાત્મશાસન માટે-જગતને મહાવીરનો સંદેશો દેવા ફરી રહ્યા છે! એ તમામ સાધુ ભગવંતોને હૈયાની અનંતશ વંદના...
સાધના કરે તે સાધુ...! શ્રમ કરે..કષાયોને દૂર કરવા માટે પરિશ્રમ કરે તે શ્રમણ! મૌનના મહાસાગરમાં ડૂબકી મારે...ડૂબી જાય તે મુનિ...!
આવા સાધુભગવંતનો જાપ શ્યામ રંગના વર્તુળમાં કરવાનો છે. તમને ખબર હશે: શ્યામ રંગ Suck-up કરે છે...શોષી લે છે, ચૂસી લે છે. અંતરની ધરતી પર ઊગી નીકળેલાં વાસનાઓનાં ઝાડવાં-ઝાંખરાંને સૂકવી દે છે
ઝંખનાઓનાં જાળાંને જલાવી દે, કામનાઓની ભીનાશને શોષી લે.
એ જ શ્યામ રંગમાં સાધુ પદની સાધના માટેનાં સૂચનો સૂચક છે. માનસિક વિકૃતિઓને દૂર કરવામાં સાધુ પદનું ધ્યાન સહાયક બને છે.
શ્યામ વસ્ત્ર, શ્યામ માળા, શ્યામ આસન આ બધું ઉપયોગી છે. કાળો ડિબાંગ અંધાર છે માટે તો સૂર્યનું મહત્ત્વ છે!
સાધુતામાં સૂર્યની ઉપાસના કરીને જીવનમાં છવાયેલો અજ્ઞાનનો અંધાર ઓગાળી દઈએ...એ જ આજના દિવસનો પયગામ છે!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િનવપદ આરાઘના (છઠ્ઠો દિવસ) ની
જેની પ્રાપ્તિ આત્માને અંધકારથી પ્રકાશ તરફ ઘેરી જાય છે. એ સમ્યગુ દર્શનને અનંતશઃ પ્રણામ. | દર્શન એટલે જોવું દેખવું. સમ્યગ એટલે સાચી રીતે સારી રીતે...જે વસ્તુ જેવી છે. એવી જ એને જોવી એનું નામ સમ્યગુદર્શન!
અફકોર્સ, આપણે બધા દર્શન તો કરીએ છીએ.. જોઈએ તો છીએ, પણ આપણું દર્શન ભાગ્યે જ સમ્યગુ હોય છે! આપણી આંખો પર માન્યતાઓ, પ્રતિબદ્ધ પૂર્વગ્રહો અને જડ વળગણોનાં ચશમાં ચઢાવીને જ આપણે બધા જોતા હોઈએ છીએ ને? માટે તો સાચી સમજણ આપણે કેળવી શકતા નથી કે સારી દૃષ્ટિ આપણે મેળવી શકતા નથી...!
દર્શન વ્યક્તિનું હોય કે સમષ્ટિનું જોવું વસ્તુનું હોય કે વિશ્વનું
સમજવું આત્માનું હોય કે પરમાત્માનું! બધું જ “સમ્યગુ હોવું જોઈએ. સમીચીન હોવું જોઈએ...! સમ્યગુ જનાર કશું જ ખોતો નથી... જ્યારે સમ્યગુ નહીં જોનાર ખોટે રસ્તે દોરવાઈને સર્વસ્વ સળગાવી બેસે છે.
શ્વેત રંગમાં સમ્યગુ દર્શન પદની ઉપાસના પાછળ આ એક જ રહસ્ય છે. શ્વેત રંગ સ્વસ્થતા માટે સૂચક ગણાય છે...સમજૂતી માટે સૂચક છે.
મનની સ્વસ્થતા વિચારોની એકાગ્રતા ચિત્તની સહજતા માટે સમ્યગુ દર્શન પદનું આરાધન કરવાનું છે...
સમજણનો નાનકડો દીવો જીવનખંડમાં જલી ઊઠશે તો અંતર આનંદની અમીરાતથી ઊભરાવા માંડશે.
જો જો તમારું દર્શન પ્રદર્શન ના બને! તમારી સમજણ ઘર્ષણ ના બને
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપદ આરાઘના (સાતમો દિવસ) સી
આજનો દિવસ છે સમ્યગુજ્ઞાનની આરાધના કરવા માટે! જ્ઞાન! જ્ઞાન વગર તો ચાલે જ કેમ? જ્ઞાન એ તો જીવન માટે શ્વાસ જેટલું જરૂરી છે! જોયા પછી જાણવું જરૂરી બને છે. માત્ર જોયા કરવાથી શું? જોવું અને જાણવું જાણવું અને જોવું..આમ આ બન્ને એકબીજા સાથે સંયુક્ત છે, જોડાયેલાં છે.
શ્રદ્ધા પણ જ્ઞાનોપેત હોવી જરૂરી છે. ખાલીમાલી શ્રદ્ધા ક્યારેક નબળી પડીને નંદવાઈ જાય છે...જ્યારે સમજણભરી શ્રદ્ધા વધુ ને વધુ પ્રગાઢ થતી હોય છે! પરમાત્માને જાણો! આત્માને ઓળખો! જાતને જાણો! જગતને ઓળખો! અમૃત બનીને જ્ઞાન જ્યારે અંતરની અવનિ પર વરસે છે અનરાધાર..ત્યાર પછી કષાયોના તાપ શમી જાય છે...વાસનાઓના મેલ ધોવાઈ જાય છે! કામનાઓની બળતરા શાંત પડી જાય છે!
જ્ઞાન મેળવવા માટે સદા પ્રયત્નશીલ રહો... ઉંમર, સ્થાન કે સંજોગોનાં બહાનાં કાઢીને કે કર્મની કાંધે પુરુષાર્થને ટિંગાડીને આલતુફાલતુ ના બની જાવ! પળેપળને જ્ઞાનથી સીંચી લો...
શુદ્ધ સ્ફટિક જેવા પારદર્શી જ્ઞાનને મેળવવા શ્વેત વસ્ત્રો/શ્વત માળા શ્વેત આસન અને કલ્પનાઓના કાલીન પર શ્વેત રંગોનો સાગર લહેરાતો હોય એવા બનીને “ £ નમો નાણસ” નો કે માતા સરસ્વતીનો જાપ કરો.
સ્મરણશક્તિને સતેજ કરવા... ભણેલું યાદ રાખવા અને સંતપ્ત જીવનને સાંત્વના આપવા માટે આજના જાપ..તપ... અને સ્વાધ્યાય ખૂબ જ ઉપયોગી નીવડે છે! દરરોજ સ્વાધ્યાય કરવા પ્રતિજ્ઞા કે સંકલ્પ કરો... જેમ તનને તંદુરસ્ત રાખવા ખોરાક જરૂરી છે તેમ મનને મસ્ત રાખવા સ્વાધ્યાય જરૂરી છે!
સ્વાધ્યાય!
સ્વનું જેમાં અધ્યયન થાય એ સ્વાધ્યાય કહેવાય! સ્વાધ્યાયથી સમૂળગા અળગા રહ્યા તો સ્વને સમજવાની સમર્પવાની ક્ષમતા નહીં સાંપડે!
८४
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવપદ આરાધના (આઠમો દિવસ) સિમ
KCSIC
સંયમ...
ભડકી ના જશો...શબ્દ સાંભળીને કે અક્ષરો વાંચીને! સંયમ જરૂરી છે ભઈલા! આપણું જીવન બદસૂરત અને બેહૂદુ બની ગયું છે કારણ કે સંયમનો આછો અણસાર પણ ક્યાં છે આપણા વર્તન-વ્યવહારમાં?
સંયમનો અર્થ માત્ર સંસારત્યાગ કરશો તો કદાચ સંયમ “દૂરની મંઝિલ – પુણ્યનો ઉદય' અને બીજી ઘણી વિશેષતાઓમાં અટવાઈ જશે...
જીવનમાં ડગલે ને પગલે સંયમની જરૂર છે! ખાવામાં સંયમ, પીવામાં સંયમ, બોલવામાં સંયમ, ચાલવામાં સંયમ...
વિચારોનો સંયમ પણ એટલો જ આવશ્યક છે જેટલો વર્તનનો સંયમ જરૂરી છે...આપણે તો બેફામ બોલીએ છીએ...મન ફાવે એમ બકીએ છીએ... (સોરી..કહીએ છીએ!) અને વ્યવહાર તો આપણો વિચારવિહોણો છે જ! પછી સંયમની શું વાતો કરીએ? કેવી રીતે સંયમની આરાધના કરીશું?
જીવનમાં જડેલી સંયમની શ્વેત ચાદરને પળે પળે આપણે ખરડીએ છીએ.. કાંઈ કેટલાય વાસનાના ડાઘ આપણે એ ચાદર પર લગાડીએ છીએપછી! પરમાત્મા પ્રસન્ન થાય કઈ રીતે? સિદ્ધચક્રની કૃપા આપણા પર વરસે કેવી રીતે?
સંયમની સાધના શ્વેત વસ્ત્રગ્ધત માળા જેત આસન સાથે જેમ કરવાની છે તેમ હૈયાને પણ શુભ શ્વેત સ્વચ્છ રાખવું જરૂર છે...હૃદયમંદિર જો અસ્વચ્છ હશે...ગંદું હશે તો સંયમની પ્રતિષ્ઠા કેમ કરીને કરશો?
આજથી સંકલ્પ કરો : જીવનની દરેક વૃત્તિ અને પ્રવૃત્તિ પર સંયમનો શણગાર કરવા માટે!
બોલવાની ના નથી...પણ સંયમથી! ખાવાની ના નથી...પણ સંયમથી
જીવવાની ના નથી...પણ સંયમથી! સંસ્કારોની મૂડી જળવાય છે
સંયમની સુરક્ષામાં, સ્વસ્થ અને સહજ જીવવાની
કેડી જડે છે સંયમના નકશામાં!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપદ આરાધના (નવમો દિવસ)
તપશ્ચર્યા!
સર્વજ્ઞ પરમાત્માના ધર્મશાસનની આ જગતને જે અપૂર્વ દેણ છે એમાં તપ બહુ મહત્ત્વ ધરાવે છે!
ખાણમાંથી નીકળેલા સોનાને શુદ્ધ કરવા અગ્નિમાં તપાવવું પડે છે...એમ અનાદિકાળના કુસંસ્કારોથી દબાયેલા આત્માને અણિશુદ્ધ કરવા માટે તપશ્ચર્યા જરૂરી છે!
અલબત્ત, તપના અનેક પ્રકારો છે. ન ખાવું એ જેમ તપ છે, તેમ ઓછું ખાવું એ પણ તપ છે! સહુથી મોટું તપ છે.
‘કમ ખાવ, ગમ ખાવ ઔર જિંદગી બનાવ.'
કમ ખાવાનું તમે અને હું સમજી શકીએ છીએ પણ ગમ ખાવાની વાત તો સમ ખાવા પૂરતીયે આપણે જાણતા નથી! જાત પર કાબૂ રાખવોદિમાગ પર નિયંત્રણ રાખવું...બહુ જરૂરી છે! સ્વને અનુશાસિત કરવું એ મહાન તપશ્ચર્યા છે. તપ તો કર્મોને તપાવવા માટે કરવાનો છે, જ્યારે આપણે તો પોતે જ તપી જઈએ છીએ! તપ કરીને તવાની જેમ આપણે તપી જઈએ છીએ...શું બહુ સારા લાગીએ છીએ એ વખતે આપણે? જરી વિચારો તો ખરા!
ઠંડી રોટલી કે ઠંડાં ઢોકળાં આપણા દિમાગને ગરમ કરી મૂકે છે! કેવી દયનીય સ્થિતિ આપણી છે!
ફ
તનની તપશ્ચર્યાની સાથે મનની તપશ્ચર્યા કરવાનું આપણે શીખી લઈએ! મનની તપશ્ચર્યા માટે તપની સાથે જપ જરૂરી છે...
તપ અને જય! બીજી બધી લપ...!
નવપદની સાધનાના નવ નવ દિવસોની તપશ્ચર્યા..સાધના.. આરાધના.. ઉપાસના બધાનો સરવાળો કરવા માટે એ જોજો કે
હૈયું કેટલું કોમળ બન્યું? ગુસ્સો કેટલો મોળો પડયો? ‘અહં’ ને ‘મમ’ કેટલાં ઓગળ્યાં? તમારા તપસ્વી આત્માને વંદન! તમને તપસ્વીને અભિનંદન!
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િનવરાત્રિ...(હવન અષ્ટમી) થી
આજે છે હવન અષ્ટમી!
નવરાત્રિમાં શક્તિરૂપી દેવી તત્ત્વોની ઉપાસના કરનારાઓને મન આજનો દિવસ ઉમદા છે, પવિત્ર છે!
જી હાં! તમે પણ હવન કરી શકો છો! અરે કરવો જોઈએ! પણ સબૂર...હવન કરશો શેનો? હું કહું તમને?
તમારી ભીતરમાં ઢબુરાયેલી વાસનાઓને હોમી દો! " કામનાઓથી કાળાધબ બનેલા કાળજાને હોમી દો! હવન...એવો કરો કે જીવન નંદનવન બનીને પમરી ઊઠે!
જરી જુઓ તો ખરા ઝાંકીને ભીતરમાં...! કેટલી બધી ગંદકી ભરી છે ભીતરમાં? કેવા ઢગ ખડકાયા છે કચરાના?
બધી જાતની ગંદકી દૂર થઈ જાય અને આત્મા સ્વચ્છ બને. સ્વસ્થ બને.. એવો હોમ કરીને વિચારોના વ્યોમને સુગંધથી સભર બનાવો.
તક મળી છે તો સાધનાના તીર વડે તકદીરને વીંધી લો તહેવારો શું આનંદ-પ્રમોદ માટે છે? તહેવારોના ધ્યેયને ભૂલી ના જશો..
આજે જ્યારે હોમ-હવન કરો ત્યારે જુગજૂની વાસનાઓની વળગણોને પણ હોમી દેજો.. જરી-પુરાણી ઝંખનાઓના કાટમાળને જલાવી દેજો!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવશત્રિ (નૈવેદ્ય નવમી...) આ
નવરાત્રિની નોમને “નૈવેદ્ય નવમી' કહેવામાં આવે છે! નૈવેદ્ય! પરમાત્માના ચરણે જે ધરાય તે! માના ચરણે જે અર્પણ કરાય છે! જ્યાં પ્રીતનાં પોયણાં પાંગર્યા હોય ત્યાં અર્પણ આકરું ન લાગે! જ્યાં સ્નેહના સોદા કર્યા હોય ત્યાં પછી સમર્પણ સાંકડું ને રાંકડું ન લાગે! માના ચરણે તો આખું જીવન જ નૈવેદ્ય રૂપે સમર્પી દેવાનું છે. જીવનથી વધીને માને કે પરમાત્માને બીજું આપણે શું આપી શકીએ?
માને તો જેટલું દઈએ એટલું ઓછું! પરમાત્માના ચરણે આપણું આખું આયખું ધરી દેવાનો સંકલ્પ આજના દિવસે જ કરી લેવાનો હોય છે. એકવાર અર્યા પછી આ જીવન માની મૂડી બની જશે. આપણે પછી માત્ર એના Trustee! માલિક નહીં! આપણે એ મૂડીને સાચવવાની છે! મા ક્યારે માંગી લે, શી ખબર? જ્યારે મા માંગે ત્યારે મલકાતા મોઢે ને છલકાતા હૈયે એને જીવન સોંપી શકીએ, એ રીતે જીવનને જાળવજો!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતી આરતી ઉતારે પણ આ રીતે ફી
તમે ક્યારેય પરમાત્માની આરતી ઉતારી છે ખરી?
મંદિરમાં - દેરાસરમાં દરરોજ સાંજ પડે આરતીના ઘંટ સંભળાય છે... દીવા ઝળુંઝળું થાય છે. નગારે ઘા દેવાય છે, ક્યાંક શંખ પુરાય છે. અને મીઠા સૂરો શબ્દોમાં આરતી ઉતારાય છે. જાણો છો શા માટે આરતી ઉતારવાની છે? આપણા અંતઃકરણની આર્તતા. વ્યથા, પીડાને દૂર કરવા માટે આરતી ઉતારવાની છે. અરતિ-દુઃખ જેનાથી દૂર થાય તેનું નામ આરતી! પણ જો જો આરતી ઉતારતી વેળા હૈયું એકદમ આર્દ જોઈએ, દિલ ખૂબ જ કોમળ જોઈએ, પરમાત્માના મિલન માટે હૈયું હલબલી ઊઠે, દિલમાં ભાવનાઓના જુવાળ ખળભળી ઊઠે, ત્યારે જે આરતી ઊતરશે, એ આરતી ખરેખર અરતિને દૂર કરનારી હશે! પછી ભલે ને આરતી માની ઉતારો કે પરમાત્માની!
આરતી એની જ ઉતારાય જેને પામવા માટે પ્રાણ તરફડતા હોય, જેને મળવા મન તલસતું હોય, જેને જોવા નજરું વહેતી હોય...હૈયામાં ભાવનાઓનો ધોધ, આંખોમાં હેતની હેલી ને હાથમાં આરતી..
સમજો, તમારી અરતિ દૂર થઈ જ જવાની!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોરતાંના ઓરતા...
ફરી એકવાર ધરતી અને આકાશ હેલે ચઢયાં છે. ચાંદ અને તારાઓના દાંડિયા લઈને નીકળી પડેલી રાત રમે છે!
નવરાત્રિ! કેટલો અર્થગંભીર શબ્દ છે! આપણે એને સાવ છીછરો અને છેતરામણો કરી મૂક્યો છે! સમ્યક્ દૃષ્ટિ ખોવાઈ ગઈ છે!
તમામ પર્વોની રચના પાછળ કાંઈક ધ્યેય છે! આદર્શોની ઊંડી સૂઝ છે. વ્યવહારની વ્યાપક સમજ છે! નોરતાના નવેનવ દિવસ શક્તિની આરાધના ઉપાસનાના મહામૂલા દિવસો છે! આ દિવસોમાં વાતાવરણ બદલાઈ જાય છે. મંત્ર-તંત્ર અને યંત્રની સાધના માટે આ દિવસો મહત્ત્વના મનાયા છે.
શક્તિની આરાધના કરીને ભીતરમાં ઢબુરાઈ ગયેલી અઢળક આત્મશક્તિને જાગ્રત કરવાની છે! 'મા' ના ચરણે જ્યારે જીવન સમર્પિત બને ત્યારે જ શક્તિના ધોધનો ‘પીનપૉઈન્ટ’ ખૂલે!
८०
નૃત્ય કરવાનું છે પણ ‘મા’ ને રીઝવવા! પરમાત્માને ‘પ્લીઝ’ કરવા! નહીં કે લોકોનો ‘વન્સમૉર’ મેળવવા! નાચવાનું છે...માના ચરણોમાં! જગતના ચોકમાં નહીં! ‘મા એ તો શક્તિની સ્વરૂપા છે. આત્મશક્તિની આરાધના કરવા માટે નવરાત્રિના દિવસો છે! ખાઈ-પીને જલસા કરવા માટે નહીં! એ માટે તો આખી જિંદગી પડી છે! વરસમાં બહુ થોડા દિવસો આવે છે કે જ્યારે સમગ્ર અસ્તિત્વ આંદોલિત બની જાય... એવું વાતાવરણ સર્જાય છે...કુદરતના ખોળામાં!
પરમાત્માની પ્રસન્નતા મેળવવા માટે જીવન છે. દુનિયાની નજરોમાં વસવા માટે ન નાર્ચોરી
એક વાત સમજી લેજો...શોર...અવાજ... ઘોંઘાટ, આ બધામાં તમારી પ્રાર્થના ખોવાઈ જશે તો પરમાત્મા સુધી કે ‘મા’ સુધી નહીં પહોંચી શકે! પરમાત્માને પામવાનો માર્ગ છે મૌનનો! માને મેળવવાનો રસ્તો છે ખામોશીનો! શબ્દો કરતાં મૌનની તાકાત વધારે છે!
શબ્દો શબ જેવા બની જશે જો મૌનના સૂરમાં નહીં ઢળ્યા હોય!
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ સંસ્કારોની છેડતી ના કરો!!
દિવસ ઊગે છે આથમવા માટે જ! સવારનો સૂરજ પ્રગટે છે સાંજે ઢળવા માટે! રાતે ચાંદો નીકળે છે. સવારે ડૂબવા માટે!
પણ કો'ક દિવસ દાડમની કળી જેવો ઊઘડે છે. કો'ક દિવસ સોનેરી કિરણોને વેરે છે.
કો'ક ચાંદો ચાંદીના જેવો ચળકતો હોય છે! નવરાત્રિ તો વીતી જવાની! તમે કદાચ આ સાધના માટે સર્જાયેલા દિવસોને ખાવાપીવામાં ને હલ્લોગુલ્લો કરવામાં પૂરા કરી દેશો! તો તો... નાહ્યા પછી સરી પડેલા પાણીની જેમ બધું જ વહી જશે..તમે કોરા ધબ રહી જશો... આ દિવસો ખાણીપીણીની ઉજાણી કરવા માટે નથી! એક બીજાની સતામણી કરવા માટેના નથી! આ દિવસો છે સ્વસ્થ બનીને “સ્વ” ને શોધવા માટે દિવ્ય તત્ત્વની. કે પરમાત્માની કૃપા મેળવવા માટે!
સાંસ્કૃતિક પર્વોને વિકૃતિઓની વેવલી વળગણોમાં વીંખી ના નાંખો! સંસ્કૃતિને ચીંથરેહાલ બનાવી દેવાનું પાપ પ્રકૃતિ નહીં સાંખી શકે.. આમેય દેશમાં કે વિશ્વમાં ચારે બાજુ અશાંતિની આગ લબકારા લે છે ત્યારે સંસ્કૃતિને કદાય શણગારી ના શકીએ, પણ એના ચીરહરણના પાપમાં ભૂલેચૂકે ભાગીદાર ના બનતા!
દુનિયાને રીઝવવા જતાં જો પરમાત્મા રૂઠી ગયા તો? જગતને ખુશ કરવા જતાં જો જાત નારાજ બની જશે તો?
ના, એવું ના કરતા! પર્વોની પાછળનાં રહસ્યોને જાણો.. એના મહત્ત્વને સમજ... ગતાનુગતિકતામાં ગૂંચવાઈ ના જાવ! આનંદ-ઉલ્લાસ-નૃત્ય બધું બરાબર, પણ સંસ્કારોને સળગાવીને તો નહીં જ! જરા ઠંડા કલેજે વિચારજો! નવરાત્રિમાં જે કરો છો, જુઓ છો, એમાં સંસ્કારોને ઘસરકો તો નથી લાગતો ને? ઘસરકો ઘા બની જશે તો મુશ્કેલી ઊભી થશે!
સંસ્કારોને સાચવી રાખો! એક જીવંત આંદોલન ઉપાડીશું આપણે?
સંસ્કાર બચાવ! વિચાર પંખી
૯૧
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન છે સંગ્રામ!
આજે છે વિજયાદશમી! વિજયને વરવાની તિથિ! વિજય મેળવવાનો મોંઘો દિવસ! નવરાત્રિના દિવસો દરમિયાન કરેલી ઉપાસનાની એક જ ફલશ્રુતિ હોઈ શકે અને તે વિજયા શેના પર વિજય? પૂછો છો? આપણી જાત પર! બીજું બધું હારી જઈશું તો ચાલશે બહુ નફો-નુકસાન નહીં રહે.. પણ જો જાત સામે હારી ગયા તો તો એ હાર નામોશીભરી હાર ગણાશે. જાત સાથે ઝઝમવું છે. અને જાત સામે જીતવું છે. આજનું પર્વ જીવવાની ઝળહળતી પ્રેરણા આપતું પાવન પર્વ છે. જાતને તમે જીતી લો, જગત આપોઆપ જીતાઈ જશે. હૈયાના કુરુક્ષેત્ર ઉપર પળેપળનો સંગ્રામ ચાલી રહ્યો છે, વાસનાઓ અને ભાવનાઓ વચ્ચે! વાસનાના રાવણને ઉપાસનાના રામ બનીને આરાધનાના તીર વડે વીંધી નાંખીએ..
યાદ રાખો “અર્નેસ્ટ હેમિંગ્વ'નું આ વાક્ય! 'Man is not made for defeat, a man can be destroyed but not defeated!'
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક ખાનગી વાત પણ જાહેરમાં
ફી
શરદપૂર્ણિમાના ઉજાગરા હજુ તમારી આંખોના ટેરવે બાઝી રહેલા છે... માટે વાત કરું છું પૂનમની!
પૂનમની રાત કેમ રળિયામણી ને રઢિયાળી લાગે છે, ખબર છે? કારણ કે ત્યારે ચાંદો પૂરબહારમાં ખીલી ઊઠે છે! સોળ શણગાર સજીને ચાંદની ઊતરી આવે છે અવનિ પર રાસ રમવા માટે!
પૂનમ વખણાય છે ચાંદાના લીધે ચાંદો વહાલો લાગે છે એના સંપૂર્ણ વિકાસના લીધે!
લો, ત્યારે તમને ખબર નથી! આપણો પ્રેમ પણ અસલ આ ચાંદા જેવો છે! "Love is like the Moon. When it does not increases, it decreases!' પ્રેમ તો ચાંદા જેવો છે. એ જ્યારે વધતો નથી ત્યારે ઘટવા માંડે છે!' કમસે કમ પ્રેમ ઝંખનારા પ્રેમની લાંબી પહોળી વાતો કરનાર કે પ્રેમના નામે નાકનું ટીચકું મરોડનારા લોકો માટે આ બહુ મહત્ત્વની વાત છે!
બીજનો ચંદ્ર ભલે ફિક્કો હોય આછો હોય, અધૂરો હોય, પાતળો હોય પણ એના વિકાસની યાત્રા ગતિશીલ રહે છે. પૂર્ણતા તરફ એ ચંદ્ર પ્રગતિશીલ રહે છે.. આહિસ્તા આહિસ્તા પણ એકધારી રીતે ચાંદો વધતો રહે છે અને
જ્યાં પૂનમની રાત આવી કે પૂરબહારમાં પોતાની સંપૂર્ણ અદાથી નીકળી પડે છે ચાંદો આભના અનંત બગીચામાં! પણ પછી શું? પછી એ ઘટવા માંડે છે. ફિક્કો પડવા માંડે છે, ઝંખવાતો જાય છે, કારણ કે વધતો નથી. જે વધે નહીં એ ઘટે જ, અને છેવટે અમાસની કાળી રાત એને ભરખી જાય છે!
તમારા ભીતરમાં રહેલો પ્રેમ પણ બરાબર આવો જ છે. આ ચાંદા જેવો જ, એ જ્યારે વધતો નથી, વહેંચાતો નથી, ફેલાતો નથી ત્યારે અટકી જાય...અને મોટે ભાગે તે વાસનાની અલીગલીમાં ભટકી જાય છે!
પ્રેમને પ્રતિપળ વધારતા રહો, નહીંતર ઘટી જશે.
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘeખમ ભાવ વઘાટો! .
દિવાળીના દિવસો નજદીક દોડી આવે છે તેમ કેટલાક શબ્દો તીડના ટોળાની જેમ આપણને ઘેરી વળે છે. એમાં ‘ભવ્ય સેલ'..ધરખમ ભાવ ઘટાડો.. વગેરે વાક્યોનાં તીર તો વારે વારે આંખ અને કાનને વાગ્યા કરે છે! ભવ્ય સેલની રેલમછેલમાં ધસારોય સારો એવો થતો હોય છે. (ખાસ કરીને બહેનોનો) સેલની રેલમાં કંઈ કેટલીય બહેનો બિચારી તણાઈ જાય છે! કંઈ કેટલા રૂપિયા પર્સથી વિખૂટા પડી જાય છે! ધસારો હોય ત્યાં ઘસારો હોય જ! આ એક એવી છેતરામણી જાળ છે કે ભલભલા એમાં ભોળવાઈ જાય! સેલની સુંવાળી જેલના સળિયા તો એમાં ફસાનારને જ વાગે! ભાવઘટાડો જોયો એટલે આપણે ભરમાઈ જઈએ છીએ પણ વિચાર કરીએ તો આપણે ખોટમાં છીએ!
ભલે, ચારે બાજુ ભાવઘટાડાનાં પાટિયાં માર્યા હોય પણ તમે તો તમારા દિલના આંગણે “ભાવ વધારોનું બોર્ડ ટીંગાડી દો! હાસ્તો! હૈયાના ભાવ ઘટી ગયા તો ખલાસા ભાવો વધતા રહેશે, પ્રભાવ વધશે.. અને જીવનની નાવ આગળ ધપશે. જો ભાવ ઘટી ગયા તો જીવનની નાવમાં કાણાં પડી જશે ને પછી આસ્તે આસ્તે સંસારના દરિયામાં તળિયે!
માટે ભાવ વધારો ભઈલા! ઘટાડવાની વાત નહીં! ધંધો વિકસાવવો હોય તો મૂડી જોઈએ. ભાવનાઓની મૂડી પર જ ધર્મનો ધીખતો વેપાર કરી શકાશે! ભાવઘટાડાની ભ્રમણામાં ભોળવાઈ ન જાવ!
ભાવ વધારો! સેલની ઘેલછા છોડો. ભાવનાની મૂડી વધારો, લાગણીની દોલત એકઠી
કરો...
હૉલસેલ હોય
કે રીટેલ... પણ ધરખમ સેલમાં સપડાવા જેવું નથી!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
OM/
િશયામ, પણ સલૂણી રાત!
આજનો દિવસ છે શ્યામ ચતુર્દશીનો!
શ્રમણ પરમાત્મા તીર્થંકર મહાવીર સ્વામીએ પાવાપુરીમાં આજના દિવસે એમની અંતિમ પ્રવચન શ્રેણીનો પ્રારંભ કર્યો, ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં જે આકલિત છે તે! જીવનમાં વિચાર-વર્તન ને વાણીની સંવાદિતા લાધવાની કેડી ચીંધી! દેવો, માનવો, પશુપંખીઓ લીન-તલ્લીન બનીને પ્રભુના શ્રતિમધુર સ્વરના પ્રવાહમાં વહેતાં જ રહ્યાં...વહેતાં જ રહ્યાં...!!
મંત્ર-તંત્રની સાધના કરનારા સાધકો માટે આજની રાત ઘણી જ અગત્યની! રાત-રાતભર મંત્ર જાપની ધૂણી ધખાઈને બેસી જશે તાંત્રિકો અને માંત્રિકો.. યંત્રના આરાધકો યંત્રનું આલેખન કરશે.જાપ કરનારા જાપનું જાગરણ કરશે... કાળીડિબાંગ રાતે સાધનાનો સૂરજ ઊગશે.
રાત ગમે તેવી ગાઢ હોય પણ એના છેડે પ્રભાતનો ચંદરવો શણગારાયેલો હોય છે! અંધકાર જેટલો ગાઢ.. પ્રકાશનાં કિરણ એટલી જ તીવ્રતાથી પથરાઈ
જાય!
આજની રાતની વાત એટલી જ કે જીવનના રાહે અંધારી આલમનો ઓથાર છવાયો હોય... અવગુણોનું અંધારું અસ્તિત્વને ઉણું ઉતારતું હોય... છતાં યે જાપાની જ્યોત પાપના તિમિરને વિદારી નાખવા સક્ષમ છે! જોઈએ જાપમાં જીવનની જીવંતતા!
જ્યાં જાત નથી ભળતી ત્યાં પછી ભાત નથી ઊઘડતી. ભાત વગર પ્રભાત સાવ પીળું પીળું ભાસે! ચતુર્દશીની રાતનો ચંદરવો ચારે છેડે સોહી રહે એવો કરજો જાપ! તો રાત પણ પ્રકાશી ઊઠશે!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડિ દિલનો દીપ જલાવો દિવાળીએ! સ
આજે દિવાળી!
જે દિલના દેવાલયને અજવાળે.. અંતરના આકાશને ઉંધાડે, પ્રાણોને પ્રેમથી પલાળે, દેહના દીપને ઉજમાળે એનું જ નામ દિવાળી! મન જો મળે..વેરની ગાંઠો ગળે અને દિ' જે. વળે તો જ દિવાળી સાર્થક બને!
“દીપ સે દીપ જલે” નો સંદેશો આપવા માટે આવે છે આ દિવાળીનું પર્વ વરસો વરસ! અમાવસથી અજવાળી પૂનમ સુધીની યાત્રા એટલે દિવાળીની ઉજવણી!
આપણે પણ દિલના ગોખમાં દિવ્ય દીવા પેટાવીએ...અંતરને આલોકિત કરે...જીવનપથને પ્રકાશિત કરે એવા દીવડા જલાવીએ!
આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં આસોની અમાસની અંધારી કાજળ-શ્યામ રાતે શ્રમણ પરમાત્મા મહાવીર સ્વામીનો દેહ – દીપ ઓલવાઈ ગયો. ૭૨૭૨ વર્ષ સુધી દુનિયાને દિવ્ય પ્રકાશ આપનાર જ્યોતિ વિલાઈ ગઈ.. અનંત અસીમ અસ્તિત્વમાં! અને આંતર-દીપની યાદમાં લોકોએ બાહરી દીવા જલાવ્યા. આ દીવા તો પ્રતીક છે સંકેત છે! ખરેખર તો...
તનના કોડિયામાં રહેલી મનની વાટને સ્નેહના ઘીમાં ઝબોળીને જ્ઞાનની જ્યોત જલાવવાની છે!
દિલનો દી જલ્યો તો સમજો દિવાળી સફળ ને જીવનની સફર સફળ. તો જ દિવાળી આપણા દિ' વાળશે.
રાત ભલે હો અંધારી
વાટ ભલે હો કાંટાળી ‘તમે જલાવો દીપ સ્નેહના”
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિર વરસની તરસ સરસ છે!
અંતર એનું આસોપાલવ આંખો એની જ્યોતનો વૈભવ
જેના હૈયે અઢળક કરુણા
એને બારેમાસ દીપોત્સવી' દોસ્ત! આપણે તો દિ' ઊગે ને દિવાળી હોય -- રાત પડે ને રંગોળી હોય! એવું કંઈક કરી લેવા માટે આજે વરસના ઊઘડતા ને ઊછળતા પ્રભાતે સંકલ્પ કરવાનો છે. નૂતન વરસ તમને સાદ દે છે!
આવ્યું નવું - નકોર વરસ સવાર છે સલૂણ ને સરસ
બુઝવવા કો'કની ભૂખ – તરસ
વરસ દોસ્ત મન મૂકીને વરસ!” ખરેખર દોસ્તી
વરસ્યા કરવા માટેનો પયગામ લઈને આવે છે દરેક નવું વરસ આપણે તો તરસ્યા રહેવાનું જ શીખ્યા છીએ – કારણ કે તરસના તીરે ટળવળીએ છીએ - વહાલની વર્ષાને પૂછ્યું જ નથી ને? હવે વરસવાનું શીખીએ! અનરાધાર! મન મૂકીને વરસતાં વાદળાં બની જાવ દોસ્ત!
દુનિયા આખી સળગે છે.. સંતપ્ત છે!
દરેકનાં જીવન ધખે છે પીડાના અંગારથી! આપણે નિજ નેના મેહ બનીને વરસી રહીએ!
કો'કની આંખનાં આંસુ લુછીએકોકની ભૂખમાં ભાગ પડાવીએ
કંઈક કરીએ કો'કની ખાતર! મારા દોસ્ત!
આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વહાલ મુબારક
તને બધું ખુશહાલ મુબારક
મારા તુજને સાલ મુબારક! વિચાર પંખી
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઈની બીજ બહેનની રીઝ
આજે છે ભાઈબીજ!
આજનો દિવસ પર્વ ગણાય છે. પારિવારિક જીવનના લાગણીના ભાવતંતુઓને ગૂંથી રાખવામાં/ગૂંચવ્યા વગર ગૂંથવામાં આવાં પર્વો મહત્ત્વનો ભાગ ભજવે છે.
શ્રમણ પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણથી દુ:ખના દરિયામાં ડૂબેલા રાજા મંદિવર્ધનને એમના બહેન સુદર્શના સાંત્વના આપે છે... દુઃખી મનને મમતાભર્યો દિલાસો આપે છે. નંદિવર્ધનને ભાઈના વિરહની વેદનાથી મુક્ત કરે છે.
૯.
સંબંધોના જગતમાં અરસપરસની હૂંફ બહુ મહત્ત્વનું ‘ફૅક્ટર’ છે.
સંબંધોને સુંવાળા રાખવા સમજ અપેક્ષિત છે. ગેરસમજની ગણતરીઓ સંબંધોને ખરબચડા બનાવી દે છે.
દુનિયાના રાહે ફૂલો કરતાં કાંટા વધારે છે, પણ નવાઈ એ છે કે કાંટા કરતાં ફૂલના ઘા આકરા હોય છે! પારકાની અપેક્ષા કરતાં યે પોતાનાની ઉપેક્ષા આકરી પડે છે!
સંબંધોને સાચવી રાખો!
કયો સંબંધ ક્યારે ઉપયોગી બને, કાંઈ કહેવાય નહીં!
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિર જ્ઞાનથી ઝળહળ બનીએ
આજે જ્ઞાનપંચમી છે!
સમ્યગુ જ્ઞાનની આરાધના-ઉપાસના કરવા માટેની પ્રેરણા આજના દિવસની એક એક ક્ષણ આપણને સંભળાવે છે.
જ્ઞાનનો અજવાસ જો માણસ પાસે ના હોય તો જીવનના અંધારભર્યા એ પંથે એકાદ ડગલું યે ન મૂકી શકાય! જ્ઞાન એ તો દીવો છે. જે જીવનને ઝળહળતું કરી દે સાચી સમજણ જે આપે તેને જ જ્ઞાન કહેવાય!
જે જ્ઞાન જીવનને અજળાળે.. જીવનને સંસ્કારોથી શણગારી દે એ જ સાચું જ્ઞાન કહેવાય! આજે તો જ્ઞાનના નામે અજ્ઞાનની અડાબીડ આંધળી દોટમાં લોકો દોડી જાય છે.
આજે લાભ પાંચમ પણ છે. લાભ! શેનો લાભ? જીવન જો પાપોના શાપથી મુક્ત બને તો જ ખરેખરો લાભ મળ્યો કહેવાય! આવો લાભ સમ્યજ્ઞાન મેળવવાપામવા પરમાત્માની પ્રાણભરી પર્યાપાસના કરવી પડે!
આજનો દિવસ એટલા માટે જ છે!
માત્ર જ્ઞાનનાં દર્શન – પૂજન કરીને ઇતિશ્રી ન સમજી લેતા! આજે સમય મેળવીને જ્ઞાનભંડારો અને ઉપાશ્રયોનાં કબાટોમાં કે તમારા ઘરની આડમારીઓમાં કેદ પુસ્તકો-ગ્રંથોની ધૂળ ખંખેરજોવ્યવસ્થિત પૂઠાં વગેરે ચઢાવજો... સરખી રીતે ગોઠવજો સ્વાધ્યાય કરજો. આ પણ ઉચ્ચ પ્રકારની શ્રુતભક્તિ છે. જ્ઞાનપંચમીની આરાધના જ્ઞાનમય બનીને કરશો તો જ પાંચમ સાર્થક થશે. બાકી ખાલી ઉપવાસ કે દેવવંદન આત્માને જ્ઞાનપ્રાપ્તિ માટે તલપાપડ નહીં બનાવી શકે.
વિચાર પંખી
૯
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મંઝિલ શોધે મુસાફરને...
ચતુર્દશી... અને ચાર મહિનાના ચાતુર્માસની ચહલપહલ ભરી પૂર્ણાહુતિ! જો કે ક્યાં કશું પૂર્ણ થાય છે?... એક સંપૂર્ણતા અન્ય અપૂર્ણતાને ઉજાગર કરે છે...જીવન તો ચાલ્યા કરે છે...સમયના વિભાગો માનવજાતે રચેલા છે. કાળના પ્રવાહમાં તો એક સરખી ગતિ છે!
૧૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજના દિવસને ‘વૈકુંઠ ચતુર્દશી' પણ કહેવાય છે. જી હાં! જો ચાર મહિના આરાધના... ઉપાસના... સાધનાના સહવાસમાં વિતાવ્યા હશે તો ચોક્કસ, વૈકુંઠ આપણી પાસે... સાવ સમીપમાં છે....! વૈકુંઠ...જેમાં કોઈ કુંઠા નહીં... એ જ વૈકુંઠ! એ વૈકુંઠ પણ અહીં ઉતારી શકાય છે...! આપણું જીવન જ વૈકુંઠ બની જાય, જો કુંઠાઓની કારમી કાગારોળથી આપણે અળગા રહી શકીએ! જીવનને કુંઠિત ના કરો...! કુંઠિત બનશો તો વિકાસની ક્ષિતિજો ધૂંધળાઈ જશે... ઉન્નતિનાં શિખરો નિરાશાના ધુમ્મસમાં છુપાઈ જશે...!
=>
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ
HERE IS LIFE?
અરે તમારો ચહેરો ફિક્કો કેમ લાગે છે? તમારી આંખોમાં ઉદાસીના પડછાયા કેમ ઊતરી આવ્યા છે?
તમારું હૈયું પણ હિજરાતું હોય એવું લાગે છે. શા માટે? તમને ખબર છે?
જ્યારે તમે ઉદાસ થાઓ છો..જ્યારે તમે નિરાશ થઈ હારી જાઓ છો.. ત્યારે તમારા લોહીમાંના શ્વેતકણો ઓછા થઈ જાય છે!
ઓક્સફોર્ડ યુનિવર્સિટી ની એક પ્રયોગશાળામાં થયેલા પ્રયોગોમાં જાણવા મળ્યું છે કે, લોહીમાંના શ્વેતકણો જીવન જીવવાની ક્ષમતા વધારે છે.
ખરેખર જીવન જીવી જાણવું હોય તો... હતાશાનાં હીબકાં ભરવા છોડી દો... નિરાશાની નીંદામણ નાંખી દો...
ઉદાસીનો ઉકળાટ શાન્ત કરી નાખો.... જીવો મજેથી! પ્રસન્ન થઈને
પ્રફુલ્લિત બનીને! તમે ખુશીનાં ફૂલો પાથરી દો તમારા ચહેરા પર! પછી જુઓ, તમને જીવવાની કેવી મઝા આવે છે!
વિચાર પંખી
૧૦૧
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
WHAT IS LIFE?
1. Life is a Gift 2. Life is a Sorrow 3. Life is a Duty 4. Life is a Tragedy 5. Life is a Mystery 6. Life is a Song 7. Life is a Journey 8. Life is an opportunity 9. Life is a Struggle 10. Life is an Adventure 11. Life is a Puzzle 12. Life is a Spirit 13. Life is a Bliss 14. Life is a Goal 15. Life is a Beauty 16. Life is a Drama 17. Life is a Dream 18. Life is a Book 19. Life is a Love 20. Life is a Game 21. Life is a Chess 22. Life is a Temple 23. Life is a Challenge 24. Life is a Cricket 25. Life is an Ocean 26. Life is a Meal 27. Life is a Festival
Accept it. Overcome it. Perform it. Face it. Unfold it. Sing it. Complete it. Take it. Fight it. Dare it. Solve it. Realise it. Feel it. Achieve it. Praise it. Act it. Realise it. Read it. Enjoy it. Play it. Win it. Decorate it. Meet it. Play it. Dive into it. Eat it. Celebrate it.
વિચાર પંખી
૧૦૨
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A GIFT ACCEPT
તમને એક સવાલ પૂછું...?
કોઈ ખૂબ જ પ્યારથી તમને કાંઈક ભેટ આપે તો તમે એનો સ્વીકાર કરો કે અસ્વીકાર?પછી ભલે ને ભેટ નાની હોય.. નજીવી હોય. વસ્તુની કશી જ કિંમત નથી. કિંમત છે આપનાર વ્યક્તિની..હેતભીની નજરનો એકાદો અણસાર કે ઇશારો કે જીવનની અણમોલ યાદ બની રહે છે, ખરું ને? તો પછી મારા દોસ્ત... આ જિંદગી આપણને પરમાત્મા તરફથી મળેલી પ્રેમભરી ભેટ છે. એનો સ્વીકાર કરીએ..એને ઠુકરાવાય નહીં...
અફકોર્સ.. જીવન તો મહામૂલું છે.. આ ભેટના મોત થતાં જ નથી...પ્રેમથી મળે છે. પ્રેમથી સ્વીકાર.. પ્રેમના પડદા પર વહેમની વળગણો ના ચિતરાય. ત્યાં તો આપનારને એમ જ કહેવાય...
_ 'तेरे फूलों से भी प्यार, तेरे कांटों से भी प्यार' અરે, કહી દો ખુમારી સાથે...!
'तु जैसे जिलायेगा जिये जायेंगे
जो काम कहेगा किये जायेंगे जब आयें हैं, पीने तेरे हाथों से तु जहर भी देगा, तो पिये जायेंगे।'
વિચાર પંખી
૧૦૩
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
LIFE IS SORROW OVERCOME IT
જીવનમાં દુઃખનો દરિયો ક્યારેક ઘુઘવાટા ભરે છે. જિંદગીની સફરમાં કાંટા પણ વાગે છે...
આમેય જીવનનો રાહ ફૂલગુલાબી પાંદડીઓથી પાથરેલો છે જ નહીં... :...................
અળગા થવાનું છે...
૧૦૪
આ બધા આપણી સાથે સમાંતર ચાલતા પર્યાયો છે... આજે વિષમતા... એ જોડણીકોશનો શબ્દ નહીં, પણ જીવવાનો પર્યાય બની ગયો છે. પળે પળે પારદર્શી પીડાની પ્રવંચના પ્રાણને પીંખી નાંખે છે... આપણે આ બધાથી મુક્ત બનવાનું છે...
આંસુ.........ઉદાસી.........
વેદના........વિવશતા........
રસ્તામાં કાંટા છે, તો વાગશે જ...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનાથી આપણે અટકી નથી જવાનું...
કે ભટકી નથી જવાનું...!
‘દુઃખ વગર, દર્દ વગર,
મન વલોવાય છે,
દુઃખની કશી વાત વગર,
ક્યારેક વલોપાત વગર...!’
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A DUTY PERFORM IT
જી.. હાં.. જિંદગી એક કર્તવ્ય છે..જવાબદારી છે. આપણે આપણા કર્તવ્યનું પાલન કમર કસીને કરવાનું છે. જવાબદારીને જોશોહોંશથી અદા કરવાની છે. ફરજને કરજની જેમ નથી ચૂકવવાની, પરંતુ ફોરમતા ફૂલની જેમ મહેકાવવાની
છે.
પણ...આપણે તો Duty without beauty ના યુગમાં જીવીએ છીએ! અફકોર્સ, કર્તવ્યની કેડી કાંટાળી હોય છે. પણ કષ્ટોના કાંટાથી ડગી જાય છે તે ઇન્સાન ઊણો ઊતરે છે, જીવનના ક્ષેત્રમાં..! અહીં તો બોલબાલા છે આફતોમાં ખુમારીને જીવંત રાખનારની! કર્તવ્ય...! જી.. હાં... આપણી સાથે જીવતા, સાથે રહેતા તમામ પ્રત્યે આપણાં કર્તવ્યો છે...રાષ્ટ્ર સમાજ.. પરિવાર, ધર્મ બધાના પ્રત્યે આપણી ફરજ છે. “પછી એમ ના કહેવું પડે ક્યાંક :
પ્રણય માંગે, ફરજ માંગે,
ધરા માંગે, ગગન માંગે કહો કોને કરું રાજી?
હૃદયના એક ટુકડામાં?'
વિચાર પંખી
૧0૫
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
LIFE IS A TRAGEDY FACE IT
હાં મારા દોસ્ત, જિંદગી કરુણતાનું કાવ્ય બનીને ક્યારેય આપણી સામે આવી ઊભી રહે છે ત્યારે ચહેરા પર ચાંદી જેવા સ્મિતના બદલે વિષાદનાં વલવલતાં વાદળાં છવાઈ જાય, આંખોના સરોવરમાં વેદનાનાં વમળો સર્જાઈ જાય. પાંપણના ટેરવાથી ખરતાં મોતીને કદાચ કોઈ રેશમી રૂમાલમાં ઝીલી લેશે પણ હૈયાના અતલ ઊંડાણમાં ધગધગતી વેદનાના લાવાને કોણ સ્પર્શશે...?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિલની ધરતી પર દુઃખના ડેરા...તંબુ એવા નંખાઈ જાય છે કે પાછા જલદી સમેટાતા નથી...! મોસમની જેમ મન પણ વારે વારે બદલાયા કરે.
૧૦૭
લાગણીઓમાં ગૂંથાઈ જાવ પણ ગૂંચવાઈ ન જાવ...!
ક્યાં સુધી આંસુ અને ઉદાસીનો જનાજો મહોબતની કાંધે ઉપાડ્યા કરશો..? પોલૅન્ડના ખ્યાત અભિનેતા ‘રોમન પોલાંસ્કીની જેમ શું તમે પણ એમ કહી શકશો?
...I am used to grieves!'
'धरा तपी तो गगन आँख में जल भर लाया चाँद रोया तो समंदर में ज्वार लहराया मगर ए दोस्त! मेरा काफिला लूँटा जिस दिन न कोई आँख भरी, न किसी को प्यार आया ।'
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A MYSTERY UNFOLD IT
કોઈક અણઉકલ્યા ને વણશોધાયા રહસ્યના જેવી જિંદગી મળી છે આપણને! રહસ્યની રઢિયાળી રાત જેવા જીવનને ઉઘાડવાનું છે, ખોલવાનું છે!
જાતની ખોજ કર્યા વગર જગતમાં જ ખોવાઈ ગયા તો આપણું જીવન અતૃપ્ત રહેશે! ભીતરની ભાતીગળ ભોમકાને ખેડીએ...અંતરમાં જામી પડેલા અંધકારને ઉલેચીએ!
એક એક મહોરાને ઉતારીને... એક એક પડદાને ચીરીને.... જિંદગીની સમગ્રતા સંપૂર્ણતાને જોઈએ.. જાણીએ... સમજીએ... અને સ્વીકારીએ!
જે પોતાની જિંદગીનાં રહસ્યોનો તાગ ન મેળવી શકે એ અન્યને તો શું સમજશે ને શું સ્વીકારશે?
ઈજીપ્તના પિરામિડો કે હિમાલયની ગુફાઓ કરતાં પણ વધુ રહસ્યભરી જિંદગીની દાસ્તાન છે! જરી હિંમત જોઈએ પર્દાનશીન જિંદગીનો ઘૂંઘટ ઉઠાવવા માટે! કારણ એકવાર જિંદગીને જોયા પછી એનો સ્વીકાર કરવો પડે! અલબત્ત, જિંદગી ખુદ તૈયાર છે તમને મળવા.. પણ જો તમે તૈયાર હોવ તો!
“હુસ્ન બેતાબ હે જલ્લા દિખાને લિયે
કોઈ તો આમાદા બનો પર્દા ઉઠાને કે લિયે!' જિંદગીનું સૌન્દર્ય નીરખવા હળવેથી નકાબને ઉઠાવી લો ને?
વિચાર પંખી
૧૦૭
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A SONG SING IT
ક્યારેય કોઈ હેતભીની હલક સાથે ગવાતાં મીઠાં ગીતો સાંભળ્યાં છે...? વાતાવરણમાં સ્વરના દીવડા પેટાવતો કોઈ અવાજ તમે મન ભરીને સાંભળ્યો છે? કેવી મીઠાશ ટપકતી હોય ગીતના શબ્દ...શબ્દ...? પણ જ્યારે શબ્દોનાં ફૂલો દર્દભીનાં હોઠોની પાંદડી પર પથરાય ત્યારે આંસુ નીતરતી વેદનાના બાહુપાશમાં જકડાયેલું ગીત આપણને હચમચાવી દે છે!
બસ તો મારા દોસ્ત, જિદગીનું કાંઈક આવું જ છે..! જિંદગી એક ગીત છે... આપણે મસ્તીથી ગાવાનું છે..
ક્યારેક આરોહમાં ગીત ચઢશે તો ક્યારેક વળી અવસાદના અવરોહમાં ગીત નીચે ઊતરશે. પણ ગીત આખરે ગીત... આરોહ અને અવરોહ વગર ગીત ઘૂંટાતું નથી...! સંગીતના સૂર સપ્તકના નિયમોની બહાર જઈને કોઈ ગાવા લાગે તો ગત બેસૂરું બની જાય...! એમ જીવનના યે નિયમો છે...! મર્યાદાઓ છે...! શબ્દને તું વાવવા કોશિશ ન કર
મૌનને ફણગાવવા કોશિશ ન કર વાંઝણી છે બારમાસી ઝંખના
લાગણી લંબાવવા કોશિશ ન કર.”
૧૦૮
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A JOURNEY COMPLETE IT
જીવન એક યાત્રા છે...! પ્રવાસ છે... આ સફર ચાલે છે જુગ-જુગથી! ક્યારેક એકલા તો ક્યારેક ભીડમાં...! ક્યારેક આભમાં તો ક્યારેક નીડમાં...!
પણ જિંદગી એટલે તો ચાલવું ચાલ્યા જ કરવું. કમનસીબી કેવી છે...? ક્યાં જવાનું છે ને ક્યાં પહોંચવાનું છે એનું નામ-ઠામ જાણ્યા વગર માત્ર આપણે ચાલ્યા જઈએ છીએ.. એવું પણ બની શકે કે ગામ આપણી પડખે રહી જાય ને આપણે આગળ નીકળી જઈએ! આમ જોવા જઈએ તો જીવનની યાત્રા... એટલે ઘરથી કબર સુધી કે હૉસ્પિટલથી સ્મશાન સુધીની સફર!
Life is only a journey from cradle to crematorium &9^i usl માનવી થાકી જાય છે... હાંફી જાય છે...!
'न साथी है न मंजिल का पता है
जिंदगी बस रास्ता ही रास्ता है।' સાચું જ છે ને કે
“માની મુપિરો’
વિચાર પંખી
૧૦૯
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS AN OPPORTUNITY TAKE IT
આ માનવીનું જીવન સુવર્ણ તક છે... સોનેરી અવસર છે... એનો ઉપયોગ કરી લઈએ. મિત્ર! શી ખબર....આ પળો ફરી સાંપડે કે નહીં..? તકદીરના ભરોસે બેસી રહેનારા તકનો લાભ ઉઠાવી નથી શકતા.. અનંત, અસીમ જન્મોમાં જે મોકો આપણે નથી મેળવી શક્યા... એ આજે અનાયાસે મળ્યો છે તો એને માણી લઈએ...
ગયેલો સમય અને વહેલાં નીર પાછાં વળતાં નથી.... વિચારોની વળગણો ખંખેરીને કાંઈક નક્કર પગલું ઉપાડો, દોસ્ત.. પ્લાનિંગ કે આયોજન અહીં ફિક્કાં પડે છે, અહીં તો એ જ જીતે છે જે સમયની સરગમ પર બફિકીનું ગીત છેડી શકે...! ને કિસ્મતના ઘડવૈયાને કહી શકે.
મેં કદી માંગી નથી જગમાં યુગોની જિંદગી, કોઈ યુગને સાંપડે એક એવી ક્ષણ મળે.'
“ખોટી તું રકઝક ના કર જિંદગી પર શક ના કર
એ ફરી નહીં આવે તું જતી આ તક ના કર.”
૧૧૦
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
વિચાર પંખી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LIFE IS A STRUGGLE FIGHT IT
જીવન એટલે સંઘર્ષ... સતત સંઘર્ષ...
ક્યારેક શોક... ક્યારેક હર્ષ પણ... અવિરત સંઘર્ષ...!
જીવનનું ફૂલ સંઘર્ષની સોડમાં જ વધુ ખીલે છે... પમરે છે ને... મહેંકે છે...! આંધીના ગળામાં હાથ ભેરવ્યા વગર જિંદગી તમે શું જીવવાના હતા...? અહીં તો ક઼દમબકદમ માથે કફન બાંધીને જીવનારા જ જીવે છે... ‘સત્તર પંચા પંચાણું' ની દુહાઈ દઈ દઈને ગણતરીપૂર્વક ડગલાં ભરનાર શું જીવવાના હતા...? એ તો જીવશે તોયે મરવાના વાંકે...! એમનું જીવન એટલે તો માત્ર ઉંમરના ઉંબરે શ્વાસની આવનજાવન સાથે સમયના ફૂલો ખીલે ને ખરી પડે એટલું જ! બાકી જીવન એટલે તો સામી છાતીએ સંધર્ષોથી લડી લેવાની ખુમારી...! મોહતાજ કે માયૂસીના પડખામાં સંતાતી બીમાર ને બિસમાર જિંદગી એ કંઈ જિંદગી છે?
'जो चट्टानों को चटका दे रवानी उसको कहते हैं जो दिल पर नक्श हो जाय कहानी उसको कहते हैं
नही मालूम है तुझको करिश्मा कैसा होता है ? उलट दे जो हिमालय को जवानी उसको कहते हैं ।
For Private And Personal Use Only
૧૧૧
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS AN ADVENTURE DARE IT
કોઈ તમને પૂછે.. જિંદગીનું બીજું નામ શું હોઈ શકે...? કહેશો..?
અરે, એમાં આટલી પશોપશમાં શું પડી ગયા..? જિંદગી એટલે સંઘર્ષ લડત! ઝંઝામાં ઝીંકાયા વગર જિંદગીની જવાંમર્દી ઝળહળી ના શકે...! Conne on! જિંદગીના મેદાન પર આંતરશત્રુઓ સામે લડવાનો “મૂડ' કેળવીએ.. સંઘર્ષનું સાતત્ય ખુમારીનો ખળભળાટ... જોશીહોશની ઝળકતી મશાલ એટલે જીવન..! સામી છાતીએ લડવાનું છે.
My dear friend, without a fight there
can be no brigntness no light in life! કાંટાઓની ચૂભનને ચૂમ્યા વગર ફૂલોનું આલિંગન નથી સાંપડતું...કોઈ સમજૂતી નહીં. કોઈ શરણાગતિ નહીં. સામનો કરી લેવાની લલક જોઈએ.
ખાળ તારી આંખડીના નીરને, સંકટોમાં આ ન શોભે વરને,
એને ઠોકર મારીને રસ્તે લગાવી ક્યા સુધી પંપાળશે તકદીરને...?”
૧૧૨
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A PUZZLE SOLVE IT
જિંદગી એક કોયડો છે... સમસ્યા છે...
અલબત્ત, દરેક કોયડાનો ઉકેલ એની ભીતર જ છુપાયેલો હોય છે. આપણને ઉકેલતાં આવડવું જોઈએ! દરેક સમસ્યાની સોડમાં જ સમાધાન સંતાઈને ઊભું રહેલું હોય છે, જો આપણી નજર એને ઓળખી શકે તો! પણ મોટા ભાગે ઉકેલવા જતાં ઊલટાના આપણે વધુ ગૂંચવાઈ જઈએ છીએ. કોયડાને ઉકેલતાં પહેલાં કોયડાને બહુ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે.
જિંદગીને જરી બારીકાઈથી સમજી લો. ઉલઝનો આપમેળે સુલઝી જશે..ઉતાવળ ક્યારેક અણધારી અને વણમાંગી આફત નોતરે છે. શાંતિથી, સ્વસ્થતાથી જિંદગીના કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરો. એ માટે"Right decision at the right moment' આ સૂત્ર સતત આંખ સામે રાખો. દરેક સમસ્યાની સોડમાં એનું સમાધાન સંતાયેલું હોય છે. પણ આપણે સમસ્યાની સામે જ તાકી રહીએ છીએ... આજુબાજુ જોઈએ તો કદાચ સમાધાન જડી આવે!
વિચારો નથી આવતા એક આરે સમાધાન શંકાનું શંકા વધારે...!”
વિચાર પંખી
૧૧૩
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
S
LIFE IS A SPIRIT UTILISE IT
જિંદગી એક ઍનર્જી છે..
ઊર્જા છે...
શક્તિનો ધોધ છે! આપણે એનો વિધેયાત્મક ઉપયોગ કરી લેવાનો છે. સર્જનાત્મક ઉપયોગ કરવાનો છે. ઊર્જાનો ઊછળતો દરિયો ક્યારેક બેકાબૂ પણ બની જાય! શક્તિનો ધોધ ક્યારેક ધાર્યા કરતાં વધુ તીવ્રતાથી વરસે છે. જો આ બધાંનો સાચો ને સારો ઉપયોગ કરી લેતાં આવડે તો જ આપણા વ્યક્તિત્વની સાર્થકતા છે. શક્તિને અવરોધી ના શકાય... અને પરિવર્તિત કરી શકાય... You can convert or transfer your energy but you can not suppress it...!
જિદગીની ઊર્જાનો ઉમદા ઉપયોગ કરવા માટે આપણે કટિબદ્ધ બનીએ! વારે વારે આ જીવન મળતું નથી, વિચારોની વણઝારમાં અટવાયા કરવાથી કશું જ વળતું નથી! જે કંઈ સાધન, જે કંઈ સુવિધા મળી છે તેનો સદુપયોગ કરી લઈએ! નહીંતર આ તો શક્તિ છે. સળગાવી પણ દે ને શણગારી પણ દે! પસંદગી તમારી!
Don't forget that : “You are a torrent of boundless energy.'
૧૧૪
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A BLISS FEEL IT
અરે.. પણ જોઈએ છે શું..?
સુખ જોઈએ છે... ને..? ઓ માય ગોડ...! સુખ તમારી પાસે છે. છતાં તમે એને જોઈ શકતા નથી!
ઓ મારા... મહેરબાન...! તમારું જીવન એ જ પરમ સુખ છે... પરમ આનંદનો ખજાનો છે. માનવીનો અવતાર ખરેખર મજાનો છે. તમારી આસપાસ સુખનાં તરો-તાજાં ફૂલો વીખરાયેલાં છે! જરી હળવા હાથે એને સ્પર્શે તો ખરા.. જાતમાં સુખના સાગર લહેરાય છે... શા માટે જ ગત તરફ દોટ મૂકો છો સુખને શોધવા?
આ ધરતી.. આ આકાશ, આ ફૂલ. આ ચાંદ.. આ સૂરજ... આ ભર્યા ભર્યા વાદળાં...
આ વૃક્ષની ડાળે ઝૂલતાં...ઝૂમતાં પંખી.. બસ સુખ જ સુખ છે... ચારે બાજુ..!
જિંદગી કામિયાબ થઈ જશે પ્રશ્નો બધા જવાબ થઈ જશે તમે જો ઝીલશો આંચલમાં આંસુ આંસુ ગુલાબ થઈ જશે.”
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
૧૧૬
LIFE IS A GOAL ACHIEVE IT
મંઝિલ વગરની મુસાફરીનો અર્થ શો?
દરેક યાત્રાનું એક ધ્યેય... એક લક્ષ્ય હોય છે, તો પછી જીવન લક્ષવિહોણું કેમ ચાલે? ધ્યેયવિહોણું જીવન મુર્દા જીવન છે... ગતાનુગતિક રૂઢિઓની વણઝારે વળગ્યા રહેવું ને ગૂંગળાતા... ગૂંચવાતા જીવવું એ શું જીવન છે...? ને એક આદર્શ જોઈએ આંખ સામે! નકશો બનાવો જીવનનો અને એ મુજબ સફર આરંભો! ભલે વર્ષોની વેલ પાંગર્યા કરે ને જનમોનાં જળ વહ્યા કરે... પણ લક્ષ્યને આંબવાનું છે જ. ગંગોત્રીની ગોદમાંથી નીકળતી ગંગા સાગરની સોડ શોધે છે. અથડાતી, કુટાતી...ક્ષીણ બનતી, વિસ્તીર્ણ બનતી... આફતોમાં આળોટતી... અંતે તો પહોંચે છે જ દરિયાની સોડમાં! તમારી તમન્નાઓનો તરવરાટ તમને કેડી ચીંધે... જંજીર ઝાંઝર અને એવી જિંદાદિલી જગાવો જિગરમાં!
લક્ષ્ય હો પૂર્ણાનંદનું! જીવન હો આત્માનંદનું!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उठाके आँख तो देखो कहाँ हो ?
नहीं है दोस्त, ये मंजिल, जहाँ हो
न बैठो हार कर, पोंछो पसीना उठो, संभलो अभी तो तुम जवाँ हो ।
't
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
જગ?
LIFE IS BEAUTY PRAISE IT
શું તમારી આંખો સૌંદર્યને શોધે છે...? પણ દોસ્ત... જિંદગી પોતે જ સૌંદર્ય છે.. એવું સૌંદર્ય કે જેનો રંગ ક્યારેય ફિક્કો પડતો નથી...કે ઊતરતો નથી!
શું સૌંદર્ય માત્ર ફેશનની પૂતળીઓના પાવડરથી રંગેલા ચહેરાઓ કે લાલીલિપસ્ટિકના લપેડા – થપેડામાં જ હોય છે એમ માનો છો? ભૂલો છો Friend! ત્યાં કદાચ સૌંદર્ય હશે તોય ઝૂરતું હશે. મરી ગયેલું ને માંદું માંદું સૌંદર્ય હશે.
ઉં હું... એવું સૌંદર્ય વળી શું જોવું હતું! જુઓ જરી જિંદગીના માસૂમ સૌંદર્યને! જિંદગીની એક એક પળ રૂપનીતરતી રાત જેવી છે. ચારે બાજુ. કુદરતની અદા... કુદરતની મહેંક...કુદરતનો કારોબાર કેવા નિશ્ચલ સૌંદર્યનાં સતરંગી સોણલાં વેરે છે..! ક્યારેક નિગાહો ફેરવીને જુઓ તો ખરા.. આ માસૂમ જિદગીની મનહર... મદભર સુંદરતાને..!
“ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ન મળે
પરિચિતોને ધરાઈ ધરાઈને જોઈ લેવા દો.. આ હસતા ચહેરા... આ મીઠી નજર મળે ન મળે”
વિચાર પંખી
૧
૭
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
IS
LIFE IS A DRAMA ACT IT.
જિંદગી નાટક છે. દુનિયાના રંગમંચ પર આપણે બધા અભિનય કરવા એકઠા થયા છીએ. અભિનય બહુ જબરજસ્ત સૂઝ અને સમજ માંગે છે. અભિનયમાં જો જીવંતતા નહીં હોય તો એ અભિનય, એ “એક્ટિગ” બીજા પર જરીયે અસર કરી શકતાં નથી. અભિનેતા ક્યારેક રાજાનો રોબીલો પાઠ પણ અદા કરે અને ક્યારેક વળી ભિખારીની મોહતાજભરી અદા પણ પ્રસ્તુત કરે! આપણે છીએ શું...? નસીબના નબળા હાથે ઘડાતા ને ઘૂમરાતા સમયનાં રમકડાં...! સંજોગો માનવીને રમાડે છે. આપણે રમી લેવાનું છે! બીજાને રમવા દેવાના છે! અભિનયનો જે “પાર્ટ' આપણને મળ્યો છે એમાં આપણે પ્રાણ પૂરીને એ પાત્રાભિનય અદા કરીએ! અલબત્ત
Drama of life is only the walking on the road of Dreainland!
World is a theatre, *Karma' is a Director, We all are actors, People are spectators.
૧૧૮
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LIFE IS A DREAM REALISE IT
ક્યારેય નમણાં શમણાંના ઝરણામાં જાતને ઝબોળી છે? શમણાની રંગીન દુનિયાની સફર માણવા જેવી હોય છે. પણ દોસ્ત... શમણાં ક્યાંક ભ્રમણા ન બની જાય...!
વિચાર પંખી
કાચાં સપનાં શા ખપનાં? સપનાં સાચાં જોઈએ, નીરખેલા ખ્વાબની વાતો મીઠી લાગે... મધુરી લાગે... પણ એ ખ્વાબ જો સાકાર ના બને તો શા કામના?
જિંદગી એ સ્વપ્ન છે તો આપણે એ સ્વપ્નને સાકાર કરવાનું છે. રાત ભલે શમણાં જોવા માટે હોય પણ એને સફળતાનો શણગાર આપવા તો દિવસ જ જોઈએ... શમણાં જુઓ પણ સાચાં જુઓ! નહીંતર શમણાં જોયા કરશોને આંખો ને આંસુથી ધોયા કરશો!
પછી એમ ના કહેતા કે!
શોધી શકશો ઘર તમે મારું તરત સાત સપનાનું સૂકું તોરણ હશે...
For Private And Personal Use Only
૧૧૯
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
૧૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LIFE IS A BOOK READ IT
=
જીવન તમારું હોય કે મારું... એ છે એક પુસ્તક! અલબત્ત, વાંચવાની આવડત જોઈએ! પુસ્તકોનાં પાનાં વચ્ચે કીડા બનીને ઘૂમનારા ઘણા લોકો જીવન – કિતાબને વાંચવામાં નિષ્ફળ નીવડે છે! જિંદગીનું પુસ્તક વાંચવા માટે ભીતરની આંખો ઉઘાડી જોઈએ! એક એક દિવસ આ કિતાબનાં પૃષ્ઠો છે. અકોર્સ - કોઈક પૃષ્ઠ પર ક્યારેક કોઈ શાહી વગેરેનો ધબ્બો પણ લાગેલો હોઈ શકે. પણ એનાથી કંઈ પુસ્તક આખાને ફેંકી ન દેવાય! જીવનમાં કદાચ એકાદ ભૂલનો દાગ લાગી ગયો હોય એટલા માત્રથી જીવનનો તિરસ્કાર ના કરી શકાય!
એક વાત કહી દઉં દોસ્ત કે...બીજાનું જીવનપુસ્તક વાંચવાનું મન થાય ત્યારે માત્ર એનું ઉપ૨નું કવર પેજ જોઈને મોહી ના પડતા...અંદરનાં પાનાંઓ પર પથરાયેલા વ્યક્તિત્વને પણ જોવાનો પ્રયત્ન કરજો, નહીંતર પછી પેલી ફ્રેન્ચ લેખિકાએ કહ્યું તેમ ‘ઘણા માણસો પરણે છે ‘પ્લેબોય’ ના કવર પેજ જેવી છોકરીને અને ઇચ્છે છે કે એ બાયબલના જેવી ટકાઉ હોય!' થશે?
'हर एक चेहरा यहाँ खुली किताब है दिलों का हाल किताबों में क्या ढूंढते हो?"
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
વિચાર પંખી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LIFE IS LOVE ENJOY IT
પ્રેમવિહોણું જીવન તો સ્મશાન જેટલું યે સોહામણું નથી લાગતું દોસ્ત!
પ્રેમ એ જ જીવન છે! જીવનમાંથી પ્રેમને બાદ કરી દો તો પછી ૨હેશે શું? ખાલીખમ થઈ જશે જિંદગી! પણ.. પ્રેમના નામે આજે તો એવા એવા ધંધા (સૉરી... ગોરખધંધા!) થાય છે કે બિચારો પ્રેમ બદનામ થઈ ગયો−! આ પ્રેમનું કોઈ શાસ્ત્ર નથી... કોઈ પદ્ધતિ નથી.
પ્રેમ...એ પ્રેમ છે. શીખીને સમજીને કરેલા પ્રેમ જેવું બીજું બદસૂરત કંઈ જ નહીં હોય! એક વાત સમજી લેજો... પ્રેમ હિસાબનીશોનું કે દીધા-લીધાની દુહાઈ દેના૨નું કામ નથી. પ્રેમ છે મળ્યા-ગુમાવ્યાની ગણતરી કર્યા વગરની સ્થિતિ!
પ્રેમ વિના જીવી ના શકાય, Frical!
'बिना चांदनी के चाँद खिलते न देखा बिना स्नेह के दीप जलते न देखा बिना बादलों के रही भूमि प्यासी बिना प्यार जीवन संभलते न देखा । '
For Private And Personal Use Only
૧૨૧
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
LIFE IS A GAME PLAYIT
Yes, my friend...!
જિંદગી એક રમત છે...અને રમતમાં ક્યારેક જીતનો ઝળકાટ મળે તો ક્યારેક હારની હાયવોય પણ સ્વીકારવી પડે...!
પણ એથી કંઈ રમતનો રંગ ઝાંખો નથી થઈ જતો. ખેલદિલી (Sportsmanship) એ તો ૨મતની જાન છે.
ખેલમાં જો ખેલદિલી ન હોય તો એ ખેલ તમાશો બની જાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો, જો, જિંદગી ક્યાંક તમાશો ન બની જાય...! જીવનમાં કદમ-કદમ પર આવતા આઘાતો... પ્રત્યાઘાતોનો જિંદાદિલીથી જીરવવા એનું જ નામ ખેલદિલી!
રમતમાં ગમત શોધજો,
મમતને વળગી ના રહેશો...
કારણ કે જિંદગીમાં એવું પણ બને છે :
૧૨૨
Play up, play up & play the game.
કોઈ વેળા કોઈની પ્રીત પણ તકલીફ આપે છે. હૃદયને જે ગમે તે રીત પણ તકલીફ આપે છે. હંમેશાં હારથી હિંમત નથી હારી જતો માનવ! ક્યારેક જગતમાં જીત પણ તકલીફ આપે છે!’
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
CINE
@
LIFE IS CRICKET PLAYIT
ક્રિકેટ! બહુ જાણીતો ને કદાચ બહુ ગમતો શબ્દ લાગે છે ને? જ્યારે ક્રિકેટની સીઝન હોય ત્યાર પછી બીજું બધું થંભી જતું હોય છે! પણ તમને ખબર છે ને દોસ્ત કે જિંદગી એ પણ ક્રિકેટ છે! હા, બિલકુલ ક્રિકેટ! Come on, દુનિયાના મેદાન પર જિદગીની ક્રિકેટ રમીએ! પણ જો જો.. ખેલદિલી ખોઈ ના નાંખશો રમતમાં! પરમાત્મા આપણા “અમ્પાયર' છે. કર્મોની કાતિલ બૉલિંગ સામે આપણે કર્તવ્યની જાનદાર ને ઝમકદાર બેટિંગ કરી લેવાની છે! ઉમરની પીચ” ક્યારે ટર્ન લે એ કાંઈ કહેવાય નહીં! એકાદ ભૂલ કે વિવશતાના
સ્પોટ' પર બૉલ એવો “મૂવ થાય કે ફટકો ક્યાં મારવો એની મથામણમાંથી બહાર આવીએ ત્યાં તો “ક્લીન બોલ્ડ'! અવસર, મહેનત અને નસીબના ત્રણે ત્રણ સ્ટમ્પ' ઊખડી જાય! વળી ક્રોધ... માન... માયા... લોભની “ફોર સ્લીપ અને રાગ દ્વેષની ‘ગૂગલી કે પછી કામનાઓના કવર પૉઈન્ટ”, મહત્ત્વાકાંક્ષાઓના 'મિડ ઓન મિડ ઓફ ને સુસ્તીના “સલી પૉઈન્ટ' ના ઘેરવામાંથી સંજોગોના બૉલને જો આબાદ પાસ કરી નાંખ્યો તો તો સફળતાનો ચોક્કો કે સિદ્ધિનો છક્કો લાગી ગયો સમજો! પણ સબૂર! દોસ્ત ખબર છે ને? બેટિંગ બે રીતે કરાય... એક તો બૉલથી જાતને બચાવવા માટે બૅટનો ઉપયોગ કરાય (Defensive) જેમકે રાહુલ દ્રવિડ કે ચંદર પોલ! અને બીજી રીત છે કર્તવ્યના બેટથી સંજોગોના બૉલને ફટકારે રાખવાનો (Offensive) વીરેન્દ્ર સેહવાગ કે ડી' વિલિયર્સ પંસદગી તમારી તક ફરી મળતી નથી... “લુઝ' બૉલ કે ફૂલટોસ બૉલ' ક્યારેક જ મળે છે! એકાગ્રતા ધૈર્ય અને સૂઝ ક્રિકેટ માટે બહુ જરૂર છે! જીવનમાં પણ આ ત્રણ વાતો મહત્ત્વ ધરાવે છે! તમે સફળતાના “સેચુરી બેટ્સમેન પણ બની શકો!
અને શૂન્ય રન પર આઉટ” પણ થઈ શકો.......
પસંદગી તમારી!
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LIFE IS A CHESS WIN IT
દોસ્ત, ક્યારેય ‘ચેસ રમ્યા’ છો? હાં... હાં... ‘શતરંજ ની જ વાત કરું છું! બહુ બુદ્ધિ અને એકાગ્રતાની આકરી કસોટી કરે એવી કેટલીક રમતોમાંની એક રમત છે ‘ચેસ!' રાજમહેલના રંગમોલથી માંડીને ફૂટપાથના પાટિયે ઘણી વખતે શતરંજના ઘોડા કૂદતા જોવા મળે છે! તમને ખબર છે ‘ચેસ’રમવા માટે ચાર વાર્તા ખૂબ જ અગત્યની છે?
1. Observation
2. Plan
3. Defence
4. Attack
રમતના પ્રારંભમાં બહુ સાવધાનીભર્યું નિરીક્ષણ કરવું પડે છે ‘ચેસમાં’! સામી વ્યક્તિના આખા ‘પ્લાન'ને કલ્પના-શક્તિથી સમજી લેવો પડે છે. જામેલા પથરાયેલા ‘ચેસ બૉર્ડ' પર સામી વ્યક્તિની બાજી કેવી રીતે ગોઠવાયેલી છે એની સ્પષ્ટ તાસીર સમજી લેવી પડે છે ત્યાર બાદ કેવી રીતે સામી વ્યક્તિને ‘ચેક' આપીને સંકજામાં લેવો અને ‘ચેકમેટ' કરી દેવો, એનો પ્લાન કરવો પડે છે. આડેધડ ઘોડાને કૂદાવાય નહીં કે પ્યાદાને દોડાવાય નહીં! ‘પ્લાન’ કરતી વેળા ચોકસાઈ કરવી પડે છે... પ્લાન કરતી વખતે કેવળ સામાને ભીંસમાં લેવાનો વિચાર કરતાં પહેલાં આપણું ‘ડિફેન્સ-રક્ષણ' કરી લેવું' પણ જરૂરી બને છે... એ માટે ‘કેસલિંગ' કરીને રાજાને સુરક્ષિત બનાવી દેવો પડે છે. ‘કેસલિંગ’ કર્યા પછી પણ રાજા ‘ચેકથી' બચે એની તકેદારી રાખવી પડે છે, આટલું કરી લીધું... બસ, પછી પૂરા જોર શોરથી આક્રમણ કરીને સામાને ઘેરી લેવાનો! ‘શતંરજનો’ તાજ તમારા માથે!
(નિરીક્ષણ)
(આર્યજન)
(રક્ષણ)
(આક્રમણ)
જિંદગીનું પણ બિલકુલ આવું જ છે દોસ્ત! કાંઈ પણ નિર્ણય કરતાં પહેલાં નિરીક્ષણ બહુ મહત્ત્વનું છે... આપણી શક્તિ સંજોગો અને આસપાસના વાતાવરણને મૂલવીને / તપાસીને પછી જીવનનો ‘પ્લાન' કરો, ધ્યેય નક્કી કરો, ક્યાં જવું છે, એનો નિર્ણય કરો પણ સબૂર! સમાજની સાથે/સામે સંઘર્ષોનું બ્યૂગલ વગાડતાં પહેલાં જાતને સુરક્ષિત કરી લો... આક્ષેપો/સંદેહ
૧૨૪
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કટાક્ષો કે આલોચનાઓથી મન પડી ના ભાંગે એવું ડિફેન્સ કેળવી લો... અને પછી પૂરા જોશોજિગરથી જિંદગીના ધ્યેય સુધી પહોંચવા માટે નીકળી પડો! પીછેહઠ કદાચ કરવી પડે તોય વ્યુહરચનાપૂર્વક... આગે બઢવાની તક મેળવવા માટે જ! ક્યારેક સામાના વજીરને લેવા એકાદ ઘોડો કે એકાદ પ્યાદું ગુમાવવું પડે તોય તૈયારી રાખજો! ભીતરમાં સંસ્કારો ને હિંમતની મૂડી સલામત છે તો જીવનની શતરંજ પર તમે ક્યારેય નહીં હારી શકે! ભલે પછી બાજી ગમે તેટલી લાંબી ચાલે!
વિચાર પંખી
૧૨૫
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
કેછે
LIFE IS A TEMPLE DECORATE IT
દસ્ત...
માનવજીવન એક મંદિર છે... દેવાલય છે. આપણે એ મંદિર શણગારવાનું છે. મંદિરમાં કચરો ના ભરાય!. વાસનાનો કચરો ને કામનાઓનો કાટમાળ આ જીવન-મંદિરમાં ન ઠલવાય!
મંદિરના શણગાર છે... કીર્તન... નર્તન પૂજન... અર્ચન.
આરાધના – ઉપાસનાની ઊર્મિઓ જ્યાં હિલોળા લે તે દેવાલય દીપે છે - પ્રબળ પુરુષાર્થની પ્રાણ – પ્રતિષ્ઠા કરી દો આ મંદિરમાં! પછી જુઓ! સફળતા ખુદ તમારા કદમોમાં ઝૂકશે.
કાંઈ પણ કરો – ગમે ત્યાં જાઓ કે ગમે ત્યાં જીવો... પણ એક વાત પ્લીઝ, ના ભૂલશો આ જીવન મંદિર છે! એની પવિત્રતાને જરીયે દુન્યવી દ્વન્દ્રોના ડાઘ ના લાગે એની કાળજી રાખજો! સત્ય - શીલ - સંયમ અને સૌમ્યતાના શૃંગારથી શણગારો આ દિલના દેવળને!
પરોપકાર પૂજા બને, કર્તવ્યપાલન કીર્તન બને..
નમ્રતાનાં નૃત્યો જામે અને પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રેમ પ્રાર્થના બનીને રણકી ઊઠે!
જીવન વ મંરિ હૈ”
૧ ૨૬
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A CHALLENGE MEET IT
જીવન એક પડકાર છે... “ચેલેંજ છે! પડકાર ઝીલી લેવાની ક્ષમતા કેળવવાની છે. જે લોકો જિદગીને પડકાર નથી માનતા. તેઓનું જીવન શુષ્ક અને સુસ્ત હોય છે! જ્યારે કોઈ આપણને પડકાર ફેંકે “ચેલેંજ' આપે ત્યારે કંઈક કરી બતાવવાનું મન થાય! પડકાર તમારા ખમીરને ઢંઢોળે છે... નાહિંમત માનવીઓ પડકારના પ્રહારો નથી ખમી શકતા... એ તો તૂટી જાય છે, તરડાઈ જાય છે! જિંદગીના એક એક ક્ષેત્રની ચુનૌતીને પહોંચી વળવાની તૈયારી - કરીને જ જીવનના પંથે આગળ વધવું જોઈએ. પડકાર પ્રાણમાં જોશને પૂરે છે અને જીવંત રાખે છે! જિંદગીને પડકાર માનીને જીવો! જીવનને “ચેલેંજ' સમજીને આગળ વધો!
પડકારમાં ખુમારીનો ખળભળાટ હોય
બીમારીનો બડબડાટ નહીં! પડકારમાં કરી લેવાનો રણકો હોય
નામર્દાઈનો છણકો નહીં! ‘ઑલિમ્પિક્સ' રમતના ૩ મૂળ મંત્રો જિંદગીના પડકારની પિછાણ કરાવે છે. ૦ સીટીયસ' - પહેલાથી વધારે તેજ ૦ એલટીયસ' - પહેલાથી વધારે ઊંચા ૦ ફોરઠીયસ' – પહેલાથી વધારે શક્તિશાળી દિવસે દિવસે શું પ્રતિક્ષણે પડકારોને પહોંચી વળવા માટે કટિબદ્ધ બનો! ચેલેંજ” ને “ઍકસેપ્ટ' કરો. Daring Personality કેળવો... નાની અમથી અસફળતાથી અકળાઈને અમળાઈ ન જાવ! કે મોટી સફળતાથી અંજાઈ ના જાવ!
વો હી કારવાં, વો હી જિંદગી વો હી રાસ્તે, વો હી મહિલે મગર અપને અપને મુકામ પર
કભી તુમ નહીં કભી હમ નહીં!' વિચાર પંખી
૧૨૭
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS AN OCEAN DIVE INTO ITS
દરિયો! ઊછળતો ને ઊભરાતો દરિયો! જિંદગી સાગર છે દોસ્ત! અફાટ જળરાશિને જિગરમાં સમાવીને જીવતા દરિયાની તાસીર જેવી જ છે જિંદગી તમારી ને મારી!
દરિયો હોય એટલે ભરતી આવે ને ઓટ પણ આવે! જિંદગીમાં પણ બઢતી આવે ને ખોટ પણ જાય!
ક્યારેક આભ ઊંચાં મોજાં ઉછાળે...તરતી હોડીઓ કે જહાજોને પછાડી દે એવા ઘુઘવાટા કરતાં તોફાની તરંગો ઊઠે... અને ક્યારેક શોત... ધીર... આસ્તેથી આવીને કિનારાની રેતી પર છવાઈ જતા શરમાતા... સંતાતા તરંગો પણ ઊઠે..કારણ દરિયો છે ને! જિંદગીના સાગરમાંયે દુઃખની ઓટ ને સુખની. ભરતી આવ્યા જ કરે!
એક વાત સમજી લેજો...દરેક ભરતી પોતાની સોડમાં ઓટને લઈને આવે છે! સુખનાં ફૂલો ખીલ્યાં એટલે દુઃખના કાંટા સાથે ઊગવાના જ! સુખનો ચાંદો ઝળક્યો ને છલક્યો કે દુઃખનાં કાળાં ભમ્મ વાદળાં ધસી આવ્યાં સમજો!
છતાંયે Friend...મોતી પણ તો દરિયાના પેટાળમાં જ પાકે છે! મોતી મેળવવા... સાગરમાં ઊતરવું પડે છે! જિંદગીના અર્કને મેળવવો હશે તો ઊંડે...ખૂબ ઊંડે ઊતરવું પડશે!
મરજીવા બનીને જીવો દોસ્ત! માછીમાર બનીને નહીં! દરિયાની સફર તો બંને કરતા હોય છે! બોલો તમે કોણ?
જા ભલે અંધાર ઘેર્યા આભમાં તેજ કે જ્યોતિ વિના આવીશ ના,
ડૂબવું જો હોય દિલમાં ડૂબજે પણ પછી મોતી વિના આવીશ ના'
૧૨૮
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A MEAL EAT IT
તમને જમતાં આવડે છે? ખાવાની ખરી રીત ખબર છે? કેવો બેહૂદો પ્રશ્ન લાગે છે, ખરુંને? પણ મારા વહાલા દોસ્ત! પેટ ભરવું જુદી ચીજ છે ને ભોજન કરવું જુદી વસ્તુ છે!
પેટ ભરનારાઓ રીત - રસમ કે વાતાવરણ વ્યવસ્થા વગેરેનો વિચાર કરવાની તસ્દી નથી લેતા! જ્યાં જોયું... જ્યાં મળ્યું ત્યાં મોટું મારી બેસે! જ્યારે ભોજન કરનારની ભાત ખાઉધરાઓની જમાત કરતાં ન્યારી હોય!
ભોજનમાં ભજનનો ભાવ ભળે તો ભોજન પણ ભવ્ય બને! આયુર્વેદના મત પ્રમાણે ભોજન કરો નહીં પણ પાણીની જેમ પીઓ! જ્યારે પાણી પીઓ નહીં પણ ભોજનની જેમ એને ચાવી ચાવીને ખાઓ!
'જિંદગી પણ “સીપ' કરવા માટે છે. ઘૂંટડે ઘૂંટડે ભરીને પીવા માટે છે! એકલું ગળ્યું જમવાનું યે સારું ન લાગે.. તીખું તમતમતું પણ જોઈએ... આંખમાં પાણી ને નાકમાં સળવળાટ પેદા કરે એવું તીખું ખાવાની યે મઝા હોય છે! જિંદગીમાં યે એક સરખી મીઠાશ મજા નથી આપતી. વેદનાની તીખાશ..દુઃખનો તમતમાટ પણ જીવનને મજાનું બનાવે છે! કેટલાક લોકોને નાસ્તાથી ચાલી જાય. કેટલાક વળી બપોરનું ખાણું ખાય ને કેટલાક સાંજના વાળું પછી યે ધરાતા નથી! તમને ખબર છે ને જે જેટલું ઓછું ખાવા રોકાય છે. એને એટલું ઓછું ભાડું આપવું પડે છે? જિંદગી જમણ છે પણ ખાવા માટે નહીં, ખવડાવવા માટે! Life is meal, but not only for yourself but for all mankind.
વિચાર પંખી
૧૨૯
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A FESTIVAL CELEBRATE IT_
ઉત્સવના ઉમંગભર્યા વાતાવરણમાં જિંદગી જીવવાની છે મારા ભાઈ! જિંદગી ઉત્સવ છે! મેળો છે! મહોત્સવ છે!
ઉત્સવમાં નૃત્ય હોય.... આસું નહીં! ગમગીની કે ઘૂટનમાં ગરમાળાના જેમ સેકાઈને જીવનારા લોકો જીવનને ઉત્સવનો ઓપ નથી આપી શકતા!
મેળામાં કેટલાય લોકો ભેળા મળે! બધા સાથે ચાલે.. સાથે ખાય... સાથે નાચે કૂદે.. અલબત્ત, જો અહંની આગ ભડકી ઊઠે તો તકરાર પણ થઈ જાય! જિંદગીને મહોત્વસ બનાવીએ અને ઊજવીએ!
અક્કોર્સ... ઉત્સવ અમુક સમય માટે નિયત હોય છે... એમ જિંદગીનો આ તહેવાર પણ આખરે મેળાની માફક વિખરાઈ જવાનો છે...એમાં આનંદ ને પ્રમોદની ક્ષણો માણી લેવાય... પણ જો મેળાના બજારને કાયમી દુકાનો માની બેઠા તો હાથ ખંખેરવાનો વારો આવશે. જિંદગીના ઉત્સવમાં લાગેલી સંબંધોની હાટ કે સંબંધીઓની વાટ પણ થોડા સમય માટે છે! એને કાયમી ના માની બેસતા!
જિંદગીની Grace ને જાળવી રાખો...ઉત્સવમાં ઉદાસીનો ઊભરો ના શોભે... ઉલ્લાસ જોઈએ! ખેલદિલી જોઈએ! એકબીજા માટે કરી છૂટવાની લલક જોઈએ!
Life is not a still Photograph, it is just a movie જિંદગી સ્થિર ચિત્ર નથી પણ પળે પળે ચાલી જતી ચિત્ર-શ્રેણી છે. જિંદગીના રંગો પળે પળે પલટાતા રહે છે. બજારના ભાવો જેમ એક સપાટીએ સ્થિર નથી રહેતા એમ મનના ભાવો પણ એક સપાટી નથી જાળવી શકતા. પણ મજા તો ત્યાં છે કે આપણી જિંદગીને સ્થિર અને સુવ્યવસ્થિત માની બેસીએ છીએ! જ્યારે કે જીવન જેટલું અસ્તવ્યસ્ત અને વહી જતી પદાર્થ દુનિયામાં બીજો છે કયો? જરા બતાવો તો ખરા!
આપણી બહુ મોટી ભૂલ છે કે આપણે જિંદગીને સમજી શકતા નથી કે સમજપૂર્વક સ્વીકારી શકતા નથી! આપણને જેવી કલ્પના હોય એવું જીવન કંઈ
૧૩
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળી જતું નથી. અલબત્ત, આપણે આપણું જીવન બનાવી શકીએ!
જીવન - નદીનું વહેણ વહ્યા જ કરે છે, વહે છે માટે તો જીવન છે, જીવંત છે! અટકી જશે તો ઝંખવાઈ જશે. પણ દોસ્ત પળેપળ જીવવા માટે જિંદાદિલી જોઈએ જોશ જોઈએ.
સબૂર, જોશ સાથે હોશ તો જોઈએ જ! નહીંતર બેહોશને ખાનાબદોશ થતાં વાર નહીં લાગે!
જીવનનો સ્પિરિટ' ન ગુમાવી બેસો, હિંમત જો હારી ગયા તો જીવનને કાટ લાગી જશે. જિંદગી બોજ બની જશે! નદી વહેતી હોય તો ખાડાટેકરા આવ્યા કરે પણ વહેવું એનો સ્વભાવ છે.
વહેતા રહો, સહેતા રહો, દિલની વેદના, રાખો દિલમાં
સહુને ના, કહેતા રહો!
વિચાર પંખી
૧૩૧
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિ ગુસ્સો કેમ આવે છે? કી
આપણા જ માપદંડથી બીજાને જ્યાં સુધી આપણે માપતા રહીશું... આપણી જ ફૂટપટ્ટીથી બધાનું મૂલ્યાંકન કરતા રહીશું.. આપણી દોરેલી સીમાઓમાં જ્યાં સુધી બીજાને બાંધવાની કોશિશ કર્યા કરીશું. આપણે બધાના ન્યાયાધીશ બનીને ન્યાય તોળવાની કોશિશ કરશું... ત્યાં સુધી ક્રોધ આવ્યા જ કરશે! આમાં દોષ આપણો જ છે. બીજાઓનો નહીં. આપણને હંમેશાં બીજા પાસેથી અનુકુળ વર્તનની સખત અપેક્ષા રહે છે.. એ અપેક્ષા ન સંતોષાય ત્યારે ગુસ્સો - ચીડ- નારાજગીના ભાવો પેદા થાય છે.
ક્ષણિક અસંતુલન આપણા સમગ્ર વ્યક્તિત્વ પર ઘેરી અસર નાંખે છે. અસંતુલિત વ્યક્તિત્વ પ્રજ્ઞા અને સંવેદનશીલતાને શોષી લે છે.
જ્યાં સુધી અહં ચેતનાના આયામો નષ્ટ નહીં થાય ત્યાં સંબંધોમાં જીવતા અહંકારના કારણે અસંતુલન રહેશે જ.
૧ ૩૨
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સરળ બનો...
બીજાઓ સમક્ષ અંચળો ઓઢીને વ્યવહાર કરવાની આપણને આદત પડી ગઈ છે, એ આદત જો વધુ ને વધુ સતત સખત બનતી જશે તો કદાચ આપણે આપણી જાત સમક્ષ પણ નિર્દભ અને નિખાલસ નહીં બની શકીએ!
-
વિચાર પંખી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે માણસ જાત સાથે પણ નિષ્કપટ ના રહી શકે એ માણસનું અંતઃકરણ દૂષિત અને દોષિત જ રહેશે.
એક મજાની ફ્રેન્ચ કહેવત છે :
‘નિષ્કલંક - નિખાલસ અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકે નથી.’
નિખાલસ બનો.
સાલસ બનો.
દંભ તો દાવાનળ છે, જીવનને જલાવીને રાખ બનાવી દેશે દંભથી બચો.
For Private And Personal Use Only
૧૩૩
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારો...
પોતાની જાત પાસેથી કામ લેવા માટે બુદ્ધિનો-દિમાગનો ઉપયોગ કરવો જોઈએ. પણ બીજા પાસેથી કામ લેવા માટે હૃદયનો..હૃદયમાં રહેલી લાગણીઓનો સાથ લેવો એ જ ઉચિત છે.
કટુ શબ્દોના કાંટા કે અળખામણી વાતોના બાવળ તો આપણી જીભ પર જલદી ઊગી નીકળે છે...પણ મીઠા શબ્દોનાં ફૂલો તો માવજત કરીને ખીલવવાં પડે છે!
૦ ૦ ૦ બીજા કોઈનું સારું સાંભળે ત્યારે જે માણસ શંકા અને સંદેહ વ્યક્ત કરે.... અને બીજાનું ખરાબ કે બૂરું સાંભળીને જે માણસ એ માની લે... એવા માણસોથી સાવધાન રહેવા જેવું છે.
જે વિચારે ઓછું તે બોલે વધુ... જે વિચારે વધારે તે બોલે થોડું... વિચારશક્તિને વધાર વચનશક્તિ આપોઆપ ખીલી ઊઠશે.
૧૩૪
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમજવા જેવું...
પોતાની જવાબદારીઓમાંથી છટકી જવું તદ્દન સહેલું છે...પણ જવાબદારી પ્રત્યે લાપરવાહ બનવાથી જે પરિણામ આવશે એમાંથી છટકવું શક્ય નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠવાડિયાના છ દિવસ બાવળનું વાવેતર કરતાં આપણે સાતમે દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે અમને કાંટા નહીં આપતા!
હૃદયમાં જો ઉદારતા નથી તો સમજી લેજો કે :
બહુ ખરાબ પ્રકારના હૃદયરોગના તમે શિકાર બન્યા છો.
‘બીજાઓ મારા માટે શું ધારે છે?' એવા વિચારોના વમળમાં નાહક તમે અટવાઓ છો! બીજા લોકો પણ કદાચ એવું જ વિચારતા હશે કે ‘તમે એમના માટે શું ધારો છો?’
વિચાર પંખી
તમે તમારી જાતને ઈમાનદાર બનાવો...તમે તમારી જાતને પ્રામાણિક બનાવો...આસપાસની ચિંતામાં ના ગૂંચવાઓ! પોતાની જાત સિવાય બીજા કોઈથી આપણે છેતરાતા નથી!
For Private And Personal Use Only
૧૩૫
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિકામનાઓનો કાટમાળ થી
ઈશાક સિગટ (નોબલ પારિતોષિક વિજેતા) એક બહુ મહત્ત્વની વાત કરે છે : ઈશ્વરે આપણને બુદ્ધિ આપવામાં બહુ જ કરકસર કરી છે...પણ એષણાઓ - કામનાઓ અને મોહાંધતા આપવામાં પાછું વળીને જોયું નથી! પાછી – એષણાઓ - આકાંક્ષાઓ કે મોહાંધતા એટલા મજબૂત પ્રમાણમાં આપી છે કે,
માનવી બુદ્ધિની બાબતમાં સાવ મૂરખ હોય પણ કામનાઓની બાબતમાં કરોડપતિ બની જાય છે. કામનાઓ જો સીમામાં હોય...
એષણાઓ જો અસીમ ના બને તો તો જીવન બહુ જટિલ નથી બનતું. પણ એવું બનતું નથી. માણસજાત અટવાઈ જાય છે એષણાઓના જંગલમાં! માણસ માત્ર કટાઈ જાય છે કામનાઓના કાટમાળ તળે દટાઈને!
૧૩૬
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિક
અને છેલ્લે.. ક
આજે આપણા દેશમાં!
માને છે ક્યાં કોઈ હવે કાનૂન મારા મુલકમાં! કરી શકે છે કોઈ પણ હવે ખૂન મારા મુલકમાં! જિંદગીની ફિલોસોફી લઈને ફરે છે જેબમાં! આજે દરેક જણ છે અફલાતૂન મારા મુલકમાં!
મસ્ત બની ગયા એટલા દીવડા સળગાવવામાં ઘરને જે સળગાવી બેઠા દિવાળી મનાવવામાં
૦ ૦ ૦ શ્વાસ પછી શ્વાસ હોય છે એમ જ તારી આશ હોય છે!
ક્યાં લઈ જશે કોને ખબર ઇચ્છાઓ સૂરદાસ હોય છે! જમાનાથી ભટકે છે રણમાં ઝાંઝવાઓ દેવદાસ હોય છે!
(સંકલિત)
-
:
વિચાર પંખી
૧૩૭
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ
કંઈક તો કરે! હી
થાકીને શું બેઠો છે, જરા ચાલી તો જો અંધારાની વાત છોડ, આવી દિવાળી તો જો!
આંખની યમુના તો બધાયે વહાવે છે તું તારી આંખમાં બે આંસુ ખાળી તો જો!
માયૂસી પોતે જ મહોરી ઊઠશે જમાનાની તું મોસમની મદભર આંગળી ઝાલી તો જો.
દુનિયાનાં ફૂલો કેમ ના લાગે તને ખુશબોભર્યા? કોણ છે આ બાગનો ઉપર માળી તો જો.
દુનિયા તો જુગજુગથી છે કાળમીંઢ પથ્થર જેવી તું તારી પોતાની જાતને જરા ગાળી તો જો.
દોલત તને દુનિયાભરની મળી જશે એ દોસ્ત! કોઈના દિલમાં સ્નેહનો દીવો બાળી તો જો.
-
-
-
૧૩૮
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િતિખારા...
પહેલાં કામ જોવામાં આવતું જ્યારે આજે નામ જોવાય છે.
૦ ૦ ૦ આજના પોતાની જાતને હીરો ગણતા માણસો બીજાને ઝીરો જ ગણે છે.
૦ ૦ ૦ જીવન કેવું સાંકડું ને રાંકડું હું ને મારી વહુ” એમાં આવી ગયા સહુ!”
૦ ૦ ૦ નાના છોકરાઓ રડીને બીજાની પાસેથી વસ્તુ મેળવે છે તો મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે.
૦ ૦ ૦ સંસારથી જે જે તે જ
પરમાત્માને પૂજે...
૦ ૦ ૦ દુનિયાદારીમાં જે લીન,
તે પ્રભુભક્તિમાં દીન...!
વિચાર પંખી
૧૩૯
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ
અમeતુ
છે
જિંદગી સાવ નાની છે તોય ભઈલા, મજાની છે, જો આવડે જીવતાં તો, નહીંતર પરેશાની છે!
જીવન કેવું નમણું છે? કોઈ વહી જતું ઝરણું છે! જાણે બંધ આંખે દેખાતું
આ સરસ શમણું છે! વાત સાવ ટૂંકી ટચ છે લાગણીઓ લાંબી લચ છે, સુખ અને દુઃખ બે છેડા જિંદગી વચ્ચોવચ્ચ છે!
જિંદગી જરીક શમણાં... અઢળક ભ્રમણા...!
૧૪૦
વિચાર પંખી
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારા જ માટે છે
ઉપાશ્રય
:-
મેડિકલ સેન્ટર
શ્રોતાઓ
આઉટડોર પેશન્ટ
સાધુઓ
ક્વોલીફાઈડ ડૉક્ટર્સ
તીર્થંકર ભગવંતો
:
સુપ્રીમ સર્જન
દવાઓ
જિનાજ્ઞા પીલ્સ આરાધના ટેબલેટસ કરુણાના કેયૂલ્સ પ્રાયશ્ચિત્તના લિકવીસ
વિચાર પંખી
૧૪૧
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૨
અયન કલ્યાણક :
શ્રમણ ભગવાન મહાવીર
અષાઢ સુદ ૬ : વિ. પૂ. ૫૪૩ વર્ષ
જન્મ કલ્યાણક :
www.kobatirth.org
દીક્ષા કલ્યાણક ઃ
ચૈત્ર સુદ ૧૩ : વિ. પૂ. ૫૪૨ વર્ષ સોમવાર, ૩૦ માર્ચ, ઈ. પૂ. ૫૯૯ વર્ષ
કેવળજ્ઞાન કલ્યાણક :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારતક વદ ૧૦ : વિ. પૂ. ૫૧૨ વર્ષ સોમવાર, ૨૯ ડિસેમ્બર, ઈ. પૂ. ૫૬૯ વર્ષ
નિર્વાણ કલ્યાણક ઃ
વૈશાખ સુદ ૧૦ : વિ. પૂ. ૫૦૦ વર્ષ રવિવાર, ૨૩ એપ્રિલ, ઈ. પૂ. ૫૫૭ વર્ષ
આસો વદ ૦)) : વિ. પૂ. ૪૭૦ વર્ષ મંગળવાર ૧૫ ઑક્ટોબર, ઈ. પૂ. ૫૨૭ વર્ષ.
For Private And Personal Use Only
વિચાર પંખી
Page #154
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आचार्य श्री कैलाससागरमरिजालमंदिर कोबा ती Acharya Sri Kallasasagarsur G a ndir S uvirin Adana Kondra koba Tin Cardigan 38 07 (diuj INDIA Websw irts on E stensiobatirth.org ISBN 978-81-89177-13-3 For Private And Personal Use Only