________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં પર્યુષણ મહાપર્વ... (બીજો દિવસ) કણિી
પર્યુષણ શબ્દનો અર્થ જાણો છો? Come on... હું તમને ઓળખાણ કરાવું આ પર્વની! પર્યુષણમાં પર + ૩૬ આમ બે શબ્દોનું સંવાળું સંયોજન છે : પરિ એટલે ચારે બાજુથી... ૩ એટલે રહેવું... વસવું.... બેસવું... ચારે બાજુથી આત્મામાં રહેવું, સમગ્રતાથી સ્વમાં જીવવું એનું જ નામ પર્યુષણ! જે અર્થ ઉપવાસનો છે. આત્માની નિકટમાં રહેવું, તે જ અર્થ પર્યુષણનો છે. દુનિયાની ભીડમાં ભલે ખંડ - ખંડ બનીને આપણે જીવીએ. પણ ધર્મના જગતમાં તો અખંડ બનીને સમગ્રતાથી જ કદમ ભરી શકાય! Live with your totality in the present monment. એટલે પર્યુષણની પ્રાણભરી ઉપાસના!
પર્યુષણ શીખવે છે જાતમાં જવાની રીત: પર્યુષણ આપે છે જાતમાં જીવવાની શીખ! જગતની આળપંપાળમાં રહીને પણ જો જાતમાં જીવતાં નહીં આવડે તો જીવન ઝંખવાઈ જશે! પર્યુષણની પળોમાં કરો જાત સાથે વાત!
જાત સાથે મુલાકાત! My friend! Live with yourself.
0
વિચાર પંખી
For Private And Personal Use Only