________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવવાની રીત
જે પોતાની જાતને ના સમજી શકે... મળવી ના શકે એ બીજાઓની સાથે સહજીવન કેવી રીતે જીવી શકે? પહેલાં પોતાની જાતને સમજો...જાણો... માણો... ત્યાર બાદ આપોઆપ સહજીવન જીવવાની જડીબુટ્ટી જડી આવશે. પોતપોતાની અહંની કેદમાંથી છૂટ્યા વગર સહજીવનનું સૌંદર્ય શતદલ કમળની જેમ ખીલી ના શકે! અહંની આગમાં શેકાતા માણસો સાથે રહે તેથી શું? એ સહજીવન ના જીવી શકે!
મજેથી જીવવું છે?
આનંદથી જીવવું છે? તો આ ચાર સૂત્રો જીવનમાં વણી લો... ૦ બોલો ખરા... પણ બકો નહીં, ૦ ખાઓ-પીઓ, પણ છકો નહીં, ૦ દેખો-ભાળો પણ તાકો નહીં, 0 ધૂમો-ફરો પણ થાકો નહીં. બસ.. પછી સુખ તમારી સોડમાં સંતાતું આવશે!
વિચાર પંખી
For Private And Personal Use Only