________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ આંસુ સારી જુઓ અન્ય માટે!
બીજાનું દુઃખ જોઈને આપણું હૈયું જો હલબલી ના ઊઠે તો પછી કેવું નઠોર ને કઠોર હૈયું લઈને આપણે જીવતાં હોઈશું? જરી વિચારી જો જો!
હૈયું તો કૂણું કૂણું ને કોમળ જોઈએ. કઠોર હૈયામાં લાગણીના છોડવા નથી રોપાતા કે પ્રેમનાં ફૂલો ખીલી નથી શકતા. ફૂલોને ફોરમવા માટે ધરતી કૂણી જોઈએ. માટી ભીની જોઈએ...
કાળજું જો કોમળ હશે, મન જો મૃદુ હશે. તો બીજાનું દર્દ તમારું પોતાનું બનશે. તમારી આંખો છલકી ઊઠશે બીજાનું દર્દ જોઈને!
પોતાના દુઃખ પર આંસુ પાડનારા તો ઘણા છે, પણ જમાનાના દર્દને જીરવી લે એ તો ખરેખર ફરિશ્તા જેવા છે! ક્યારેક તો બીજાની વેદનાની વિધામણ અનુભવો! જે લોકો બીજાના માટે આંસુ વહાવે છે...એમની આંખોમાંથી આંસુ નથી ટપકતાં પણ મોતી ઝરે છે!
હર આંખ યહીં હૂં તો બહુત રોતી હૈ, હર બુંદ મગર અક નહીં હોતી હે, પર દેખ કે રો દે જો જમાને કા ગમ, ઉસ આંખ સે આંસૂ ગિરે, વો મોતી છે!'
વિચાર પંખી
For Private And Personal Use Only