SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવપદ આરાઘના (તૃતીય દિવસ) સિસ | જિનશાસનના પરમ રહસ્યભૂત શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધનાના ત્રીજા દિવસે આચાર્ય પદની આરાધના કરવાની છે. આચાર! બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે વ્યક્તિ અને સમષ્ટિ માટે! આચારથી આખું વ્યક્તિત્વ પરખાય છે... આચારથી વિચારોનું વલણ જાણી શકાય છે. પાંચ આચારોના પાલનમાં પ્રાણ પૂરનાર તથા એના પ્રચાર માટે પળેપળ પ્રવૃત્ત આચાર્યોને જિનશાસનમાં તીર્થંકરની ગેરહાજરીમાં તીર્થપતિના સ્થાને નીરખવામાં આવે છે. સમગ્ર સંઘના સંચાલનની જવાબદારી આચાર્યના શિરે હોય છે. સૂરજ સંતાઈ ગર્યો હોય કે ચાંદો છુપાઈ ગયો હોય ત્યારે અજવાસ માટે દીવો કામ લાગે છે, તેમ તીર્થકર ભગવંતો કે કેવળજ્ઞાની અરિહંતો નથી ત્યારે જિનશાસનનાં રખોપાં કરે છે શાસન, સંઘ અને સંયમને સમર્પિત સૂરિદેવો! સમગ્ર સંઘનું હિત જેમની આંખોમાં છે. સકળ સંઘના તમામ જીવો પ્રત્યે મારા-પરાયાની ભેદરેખા વગર જેમનું વાત્સલ્ય વરસે છે...એવા આચાર્ય ભગવંતને અનંત વંદના!! . ' તે જ વિચાર પંખી, For Private And Personal Use Only
SR No.008948
Book TitleVichar Pankhi
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy