________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઘાટ ના વઘા!
આપણે જીવીએ તો છીએ જ! પણ જરી જિંદગી પર ઢંકાયેલા નકાબોને ઉઘાડી તો જુઓ!
આજે જીવીએ છીએ...એ જીવન આપણું પોતાનું છે કે પછી ઉછીનું ઉધારનું જીવન જીવીએ છીએ?
આપણા સંસ્કારો ઉછીના... આપણા વિચારો ઉછીના.. આપણા આચારો ઉછીના...
આપણું નર્તન ઉછીનું. આપણું વર્તન ઉછીનું..
આપણું કીર્તન ઉછીનું.. બધું જ ઉછીનું...? બધું જ ઉધાર..? ઉધારે-ઉધાર લેવાનું ને ઉધારે-ઉધાર દેવાનું? માટે તો અશાંતિની અગનપિપાસા આપણને સળગાવ્યા કરે છે...ક્યાંય ચેન નથી!
જિંદગી સામે મુક્કો ઉગામવાની જરૂર નથી. સરળતાથી સાથ દઈએ...હાથ મિલાવીએ તો જિંદગી આપણને નવું બક્ષી શકે. આજે તો માણસ માણસને ક્યાં મળે છે? મળે છે તોય એકબીજાની “ઇમેજ' ને મળે છે! જાણે એક એક ચહેરા પર નકાબ છે!
જન :-
વિચાર પંખી
For Private And Personal Use Only