________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કટાક્ષો કે આલોચનાઓથી મન પડી ના ભાંગે એવું ડિફેન્સ કેળવી લો... અને પછી પૂરા જોશોજિગરથી જિંદગીના ધ્યેય સુધી પહોંચવા માટે નીકળી પડો! પીછેહઠ કદાચ કરવી પડે તોય વ્યુહરચનાપૂર્વક... આગે બઢવાની તક મેળવવા માટે જ! ક્યારેક સામાના વજીરને લેવા એકાદ ઘોડો કે એકાદ પ્યાદું ગુમાવવું પડે તોય તૈયારી રાખજો! ભીતરમાં સંસ્કારો ને હિંમતની મૂડી સલામત છે તો જીવનની શતરંજ પર તમે ક્યારેય નહીં હારી શકે! ભલે પછી બાજી ગમે તેટલી લાંબી ચાલે!
વિચાર પંખી
૧૨૫
For Private And Personal Use Only