________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
કેછે
LIFE IS A TEMPLE DECORATE IT
દસ્ત...
માનવજીવન એક મંદિર છે... દેવાલય છે. આપણે એ મંદિર શણગારવાનું છે. મંદિરમાં કચરો ના ભરાય!. વાસનાનો કચરો ને કામનાઓનો કાટમાળ આ જીવન-મંદિરમાં ન ઠલવાય!
મંદિરના શણગાર છે... કીર્તન... નર્તન પૂજન... અર્ચન.
આરાધના – ઉપાસનાની ઊર્મિઓ જ્યાં હિલોળા લે તે દેવાલય દીપે છે - પ્રબળ પુરુષાર્થની પ્રાણ – પ્રતિષ્ઠા કરી દો આ મંદિરમાં! પછી જુઓ! સફળતા ખુદ તમારા કદમોમાં ઝૂકશે.
કાંઈ પણ કરો – ગમે ત્યાં જાઓ કે ગમે ત્યાં જીવો... પણ એક વાત પ્લીઝ, ના ભૂલશો આ જીવન મંદિર છે! એની પવિત્રતાને જરીયે દુન્યવી દ્વન્દ્રોના ડાઘ ના લાગે એની કાળજી રાખજો! સત્ય - શીલ - સંયમ અને સૌમ્યતાના શૃંગારથી શણગારો આ દિલના દેવળને!
પરોપકાર પૂજા બને, કર્તવ્યપાલન કીર્તન બને..
નમ્રતાનાં નૃત્યો જામે અને પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રેમ પ્રાર્થના બનીને રણકી ઊઠે!
જીવન વ મંરિ હૈ”
૧ ૨૬
વિચાર પંખી
For Private And Personal Use Only