________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિ ગુસ્સો કેમ આવે છે? કી
આપણા જ માપદંડથી બીજાને જ્યાં સુધી આપણે માપતા રહીશું... આપણી જ ફૂટપટ્ટીથી બધાનું મૂલ્યાંકન કરતા રહીશું.. આપણી દોરેલી સીમાઓમાં જ્યાં સુધી બીજાને બાંધવાની કોશિશ કર્યા કરીશું. આપણે બધાના ન્યાયાધીશ બનીને ન્યાય તોળવાની કોશિશ કરશું... ત્યાં સુધી ક્રોધ આવ્યા જ કરશે! આમાં દોષ આપણો જ છે. બીજાઓનો નહીં. આપણને હંમેશાં બીજા પાસેથી અનુકુળ વર્તનની સખત અપેક્ષા રહે છે.. એ અપેક્ષા ન સંતોષાય ત્યારે ગુસ્સો - ચીડ- નારાજગીના ભાવો પેદા થાય છે.
ક્ષણિક અસંતુલન આપણા સમગ્ર વ્યક્તિત્વ પર ઘેરી અસર નાંખે છે. અસંતુલિત વ્યક્તિત્વ પ્રજ્ઞા અને સંવેદનશીલતાને શોષી લે છે.
જ્યાં સુધી અહં ચેતનાના આયામો નષ્ટ નહીં થાય ત્યાં સંબંધોમાં જીવતા અહંકારના કારણે અસંતુલન રહેશે જ.
૧ ૩૨
વિચાર પંખી
For Private And Personal Use Only