________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળી જતું નથી. અલબત્ત, આપણે આપણું જીવન બનાવી શકીએ!
જીવન - નદીનું વહેણ વહ્યા જ કરે છે, વહે છે માટે તો જીવન છે, જીવંત છે! અટકી જશે તો ઝંખવાઈ જશે. પણ દોસ્ત પળેપળ જીવવા માટે જિંદાદિલી જોઈએ જોશ જોઈએ.
સબૂર, જોશ સાથે હોશ તો જોઈએ જ! નહીંતર બેહોશને ખાનાબદોશ થતાં વાર નહીં લાગે!
જીવનનો સ્પિરિટ' ન ગુમાવી બેસો, હિંમત જો હારી ગયા તો જીવનને કાટ લાગી જશે. જિંદગી બોજ બની જશે! નદી વહેતી હોય તો ખાડાટેકરા આવ્યા કરે પણ વહેવું એનો સ્વભાવ છે.
વહેતા રહો, સહેતા રહો, દિલની વેદના, રાખો દિલમાં
સહુને ના, કહેતા રહો!
વિચાર પંખી
૧૩૧
For Private And Personal Use Only