________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
D
વ્યસ્ત...જીવન તંદુરસ્ત રા
કરો, કંઈક કરો, કંઈક સારું કરો! સાવ નિષ્ક્રિય બનીને બેસી ન રહો! બેસી રહેવામાં જિંદગી જડ બની જશે! એની પ્રગતિ ગતિમાં છે! જિંદગી બને છે જ કશુંક સારું કરવાથી! સર્જનાત્મક બનો.. દોસ્ત! Be creative!
આરામ કરવાથી તો જિંદગીને કાટ લાગવા માંડશે. જિંદગીના લોખંડને જો કર્તવ્યનું પારસ સ્પર્શી જાય તો જિંદગીની
એક એક પળ સોનેરી બની જાય એક એક ક્ષણ સોહામણી બની જાય!
આરામથી પડી રહેવા માટે જીવન નથી. જીવન છે કશુંક શુભ કરી છૂટવા માટે! કંઈક પ્રશસ્ત કરી જવા માટે! વ્યસ્ત રહો..વ્યસ્તતા તમારા દિલદિમાગને સ્વસ્થતા આપશે. ખાલી મન તો ભૂતનું ઘર બની જાય છે. તન વ્યસ્ત તો મન તંદુરસ્ત!
બહુ નાનું અમથું જીવન છે...સાવ આવડી અમથી જિંદગીમાંયે ઘણું બધું કરી શકીએ, જો કરવા ધારીએ તો! બાકી મારવાનું છે જ એક દિવસ પણ કંઈક સારું કરીને મરીએ!
મોત ઉસકી જિસકા જમાના કરે અફસોસ, વૈસે તો જીતે હૈ સબ મરને કિ લિયે.
વિચાર પંખી
For Private And Personal Use Only