________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવા બનશો ?
ગુલાબ અને ધતૂરો..
બંને ઊગે જમીનમાંથી.. છતાંયે બન્નેની જીવનની રીતમાં મોટો તફાવત રહેલો હોય છે. બંનેને એ જ માટી, એક જ પાણી મળે છે, એક જ જાતનું હવામાન મળે છે... છતાં પણ ગુલાબ શતદલ પાંખડીએ ખીલી ઊઠશે અને ધતૂરો અલબત્ત, ઊઘડશે. પણ એનો ઉઘાડ કોઈના ઉરને ઉલ્લાસ નહીં બક્ષે! ગુલાબની એક એક પાંખડી કોમળતા વેરે છે. સુગંધને ફોરે છે... ગુલાબ જ્યાં હોય છે ત્યાં ખુશબોની દુનિયા રચાઈ જાય છે. જ્યારે ધતૂરાની સામે જોવા માટે કોઈનીય પાંપણ તૈયાર નહીં થાય!
ગુલાબ જેવા બનો! દોસ્ત, ગુલાબનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે.. અવનવું અસ્તિત્વ છે. ગુલાબની પાસે જનાર મહેંક માણે છે... તમારી પાસે આવનાર તમારા ગુણોની સુગંધથી સભર બને એવું વ્યક્તિત્વ વિકસાવો.
ગુલાબનો કોઈ જવાબ નથી! ધતૂરાનો કોઈને ખ્યાબ નથી!'
વિચાર પંખી
For Private And Personal Use Only