________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમ આખર પ્રેમ છે!
કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી, કે પાતળો પડતો નથી, કોઈનો સ્નેહ ક્યારેય શોષાતો નથી કે સુકાઈ જતો નથી! પણ હાયે..
આપણી અપેક્ષાઓ આંધળી દોટ મૂકતી હોય છે... આપણી આકાંક્ષાઓ..ઝંખનાઓ સવારે ન વધે એટલી રાત્રે વધે છે અને રાત્રે ન હોય એટલી સવારે વિસ્તરે છે!
શું આપણે આપણી ઇચ્છાઓને સંકોરી ના શકીએ? ઇચ્છાઓનું આકાશ તો અનંત છે! અસીમ છે! એનો છેડો જ નથી હોતો કાશ! આ આકાશ સમેટાઈ જાય..પ્રેમની પગદંડીએ પગલું મૂકતાં પહેલાં આકાંક્ષાઓની અગનપિપાસાને બુઝાવી દો મારા દોસ્ત! પ્રેમ આખર પ્રેમ છે! પ્રેમની પગથારે ઊભા ઊભા વહેમની વહેંચણી ના કરાય! એ ના ભૂલશોકે પ્રેમ એ માંગવાની મજબૂરી નહીં પણ અનરાધાર આપવાની અમીરાત છે!
ચાંદો કાળી રાતે નથી નીકળતો,
- દીવડો સ્નેહ વગર નથી જલતો, લેવડ – દેવડનો હિસાબ અને પ્રેમ?
જનાબ પ્રેમ માંગવાથી નથી મળતો.”
જર
વિચાર પંખી
For Private And Personal Use Only