________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ
કંઈક તો કરે! હી
થાકીને શું બેઠો છે, જરા ચાલી તો જો અંધારાની વાત છોડ, આવી દિવાળી તો જો!
આંખની યમુના તો બધાયે વહાવે છે તું તારી આંખમાં બે આંસુ ખાળી તો જો!
માયૂસી પોતે જ મહોરી ઊઠશે જમાનાની તું મોસમની મદભર આંગળી ઝાલી તો જો.
દુનિયાનાં ફૂલો કેમ ના લાગે તને ખુશબોભર્યા? કોણ છે આ બાગનો ઉપર માળી તો જો.
દુનિયા તો જુગજુગથી છે કાળમીંઢ પથ્થર જેવી તું તારી પોતાની જાતને જરા ગાળી તો જો.
દોલત તને દુનિયાભરની મળી જશે એ દોસ્ત! કોઈના દિલમાં સ્નેહનો દીવો બાળી તો જો.
-
-
-
૧૩૮
વિચાર પંખી
For Private And Personal Use Only