Page #1
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પત્રકારત્વ સંપાદક:ડૉ. કુમારપાળ દેસાઈ
તારી ઇન્સાનિયત ઓરતના
સદાકાળ સત્તા તો. ફશાસન અને યનો વિવાદ
ત્રીલેખ
- નોટ
Hી,
જી
ની રે
.
કિસ્તાનમાં ખબારી
આ ગ્વાલ્િય ર શહે ૨ના છેડે , કિલ્લાના બો ઢોળાવવાળા માર્ગ પર આવેલા મતદાનમાં અંધ કારમાંથી એકે ૪૫ ઉંદ ક આ દ મીન આકૃતિ ખાવી એ આદમી એક કરિની પાસે ગોઠાભેર તારી બેઠી અને લાંબો નિશ્વાસ નાખતી બોલી, તેને
વ્યારા (Hઇ મુરાદ ! હું તારો મોટો ભાઈ બોલ્ડ ઔરંગઝેબ ૨૮ તારી કબૂર પર મહેંદી મૂકવી લો એ નદુઆ ગુજારવા આવ્યો છું, તાતી હુમગીર બાદશાર્ણ મારી કહેવાતી ખુલ સિો કરી લઉં.''
- ૩ દા.
વી
ઓ
વાલિયરે ૨૬ હે રના છેડે, કિલ્લો ના ઢોળાવવાળા ભાગ પર આવેલા મસ્તાનમાં અંધ કાર માંથી એક પડછંદ આદમીની આકૃતિ આવી, એ આદમી એક કબરની પાસે ગોદHભેર
બેદી અને લાંબો નિકાસ નાખની બોલી, ચા બોલા પત્રકારો શાસક
સન સુધરે એવા શુભાશયથી કરાયેલી { પ્યારા માજી મુરાદ. હું તારો મોટો ભાઈ મહું વાલ દ્વારા અપહતી જાણ ફા
[] જોવા માંડે છે. 'બળો માટી (પતિ) ગઝેબ, આજ તારી કબર પર મહેંદી મૂકવા - બૈરી (પળી) પર શ્રો એ જૂન 2 a Rય બીબામાં ઢાળીને કહીએ તો 'નબળt નું દુઆ ગુજારવા આવ્યો છું. હુંબકી માલમગાર Pસ્ય પત્રકાર પર શુરો' તેમ કહી શ || નસકોએ તટસ્થ પત્રકારો પર અવારનવાર બાદશાહ મારી કહેવાની ગુનેગારી. વિરો. થોડી નારી હોવાના કિસ્સા બને જ છે. હમ | તમાં શરીફ શાસન અને પત્રકારો વચ્ચેના
તે ખુલાસો કરી લઉં.” સંબંધોએ આવો વિવાદ સર્જે છે.
રેમ સફેદ પાંશુ વ્યક્તિ થોભી, એની ધોળી તું પહેલાં ભારતમાં ઇન્ડો.પાક કેશિપ S૨ ટાઈમ'ના (2) નઝમ શેઠીએ કે વિચાર ગોષ્ઠિમાં પાકિ.માં શરીફ શાય ઊણપો પર આંગળી ચીંધી હતી. તેનાથી
તો ભવાંવાળી આંખોમાં આખોય ઇતિહાસ આવીને ના પાકે, શાસકોએ તેમને દેશદ્રોહી ન ને અપહરણમાં ખપી જાય એવી છુપી ધરપકડ
આ સમાયો. એણો મુરાદની કબરને કહ્યું , નો આક્ષેપ છે. તેમને ભારતની સંસી ઉંસ્થા રો (આર એ ડબલ્ય)ના એજન્ટ ગણાવીનેTT (Dય મુરલ! સુરજ ન દીવાન બજૂથો બુ વડનો ધૂહ ચોડ્યો છે કે જેથી લાહોર ટાઇમ્સ’માં છપાતી સરકારની ટીકા ઓ પર અને સુંદરીને પછી તેને મોતને ઘાટ વિના, - પડદો પાડી શકાય. .
રે ગજેબનો આકાર ધું દિલ્હી ખાતેની વિચારગોષ્ઠિમાં શ્રી નઝમ શેઠીએ ધ્યકત કરેલ ટીકાત્મક વિચારોને પરથી બીજું ગુલાબ કાઢયું ને ! નાવીને તેમને ઝપટમાં લીધા છે. તેમના મેગેઝિનમાં વ્યક્ત થતી તટસ્થ ટીકાઓના આત્માની શાન્તિ માટે ફરી આ તક ઝડપી લેવામાં આવી છે. શ્રી શેઠીના પત્રીના એક અહેવાલમાં હવાલો આપીને વારે એ બોલ્યો, છે કે શ્રી શરીફના મિત્ર સમુદાયમાંથી અમને તથા અમારા સ્ટાફને ધમકીઓ કયાની વતી હતી. પાકિસ્તાનમાં ઉ એ સ્તરે ભ્રષ્ટાચાર અંગે બીબીસી દ્વારા બનાવાતી ફિલ્મમાં આવીને કારોની મુલાકાત લેવાઇ હતી તે તમામને એક યા બીજી રીતે ધમકી મળી રહી છે કે હેરાન ચા છે. - કેસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇએ તથા ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ શ્રી ૨૫ કડું અંગ અશાન દર્શાવ્યું છે. તેનો અર્થ એ કે તેમને અન્ય કોઈએ દુશમન દવે ગુમ ડાનો દેખાવ કરવાનું ઉચ્ચ કક્ષાએ અગાઉ વિચારાયું હોવું જોઈએ, વિરોધ પક્ષોએ ખાં તપૂર્વ વડાપ્રધાન બેંનઝીર ભુટ્ટો વગેરેએ વર્તમાન શાસનને “અખબારી જગતનું દુડી
નું નિાવ્યો ઉતાર્યા L. એણે કમર ( ર પર મૂક્યું. મૃત
નહી હૈ જિસ ગી કિસી ભી =
a
૮, ૯.
દલાવ
3
,
AS A
{ વખત પહેલાં પેશાવર ખાતે ચરસ રાખવાના ગુના સબબ પકડાયેલા એક રહેમતથા આરીદીને લાહોરની જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, કડક સજા નરેઇન મળી હળી પણ શકે નહિ, આ બનાવમાં સૂચ્ચાઈ જે હોય તે પણ એ વિવાદ સર્જાયા પછી પત્રકારો જ નહિ લોકો પણ માનવા લાગ્યા છે ાખવા માટે ખોટી રીતે ચર્સના ગુનામાં સંડોવી દેવામાં આવ્યા હતા ,
ટિફ શેર્સ અને સરકાર વચ્ચે ચાલતા ષ્ટાચાર અંગે પોતાનાં અ.. લખવા માટે જાણીતા હતા. આફ્રીદીની નજીકના વર્તુળ
અવારનવાર તેમને બોલાવીને દબાણ કરાતું હતું કે તમે જ કાળા જેવી મોટાં નામોને માદક દ્રવ્યોની દાણચરીમાં સંડોવા "
શું? એક
આજની ૧ સુંદરીનો ! ડગી જાય છે, એ બાદશાહ જી રે ભૂલ, ( છતાં હંમેશાં | ખબર છે ( રહે છે, મારી | જીર બ્રહ: જs/પના / પરી જી ને તારીનંતા ‘તરી કરી રહ્યા (છાપરી હાસ્તો તે કદી બાદશtહ ફેઈ બાબત ( વિચાર પણ ન કર્યો. ત૨# ડાપટ ગાતે બીરબલઃ =
કહ્યું હતું કે કોઈ એક ગોલ પર તમારે બીજી ગાલ ધરવો જ જમાવહિન કરે છે હૈ યે !
| મન
તેનો '
પણ
૨જન્મો પર
ફા નું મંદિર
ગુજરાતી સાહિત્ય પરિષદ : = અમદાવાદ-૩૮૦OOG
Page #2
--------------------------------------------------------------------------
________________
ઝવેરચંદ મેઘાણી જ્ઞાનપીઠ પ્રકાશન શ્રેણી-૧
સાહિત્ય અને પત્રકારત્વ
સંપાદક કુમારપાળ દેસાઈ
જ સાડ,
ર
ગુજરાતી સાહિત્ય પરિષદ : અમદાવાદ-૩૮૦૦૦૯
Page #3
--------------------------------------------------------------------------
________________
Sahitya ane Patrakaratva : 1999Ed. by Kumarpal Desai Published by Gujarati Sahitya Parishad Ahmedabad - 380009
મુદ્રણ અધિકાર
:
ગુજરાતી સાહિત્ય પરિષદ
પ્રથમ આવૃત્તિ
:
૧૯૮૦
દ્વિતીય સંવર્ધિત આવૃત્તિ:
૧૯૯૯
કિંમત
:
૧૩૦ રૂપિયા
પ્રત સંખ્યા
:
૫૫૦
મુખપૃષ્ઠ
રજની વ્યાસ
પ્રકાશક
માધવ રામાનુજ, પ્રકાશનમંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૯
કૉપ્યુટર ટાઈપ સેટિંગ:
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી, અમદાવાદ
મુદ્રક
ભગવતી મુદ્રણાલય ૧૫/સી, બંસીધર એસ્ટેટ બારડોલપુરા અમદાવાદ-૩૮૦૦૦૪
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
દરેક પ્રવૃત્તિનાં બે પરિણામો હોઈ શકે : એક, તત્કાલવર્તમાનને પ્રભાવિત કરનારું પરિણામ અને બીજું થયેલા કામની દૂરગામી અસરો નીપજાવનારું પરિણામ. આ ભૂમિકાએ ગુજરાતી સાહિત્ય પરિષદે ‘સાહિત્ય અને પત્રકારત્વ' વિષય પર ૨૦મી એપ્રિલ, ૧૯૮૦ના દિવસે યોજેલા પરિસંવાદ ઉપર નિર્દેશ્યાં છે. એ બંને પરિણામોની દૃષ્ટિએ સફળ રહ્યો છે.
પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા શ્રોતાઓ તેમાં અપાયેલાં વક્તવ્યોથી સમૃદ્ધ થયા તો, એ વક્તવ્યો પૂર્વે પરબના વિશેષાંક રૂપે તથા પછીથી “સાહિત્ય અને પત્રકારત્વ' એ શીર્ષકથી ગ્રંથ રૂપે સુલભ બનતાં પત્રકારત્વ અને સાહિત્ય ઉભયક્ષેત્રનાં જિજ્ઞાસુ-અભ્યાસી વાચકો પણ લાભાન્વિત થયા.
૧૯૮૦માં પ્રકાશિત થયેલું એ પુસ્તક છેલ્લાં કેટલાક વર્ષોથી અલભ્ય થયું હતું. એ સ્થિતિમાં માત્ર તેનું પુનર્મુદ્રણ ન કરતાં સામગ્રીમાં થોડું સંવર્ધન પણ થયું છે જેનો યશ સંપાદક શ્રી કુમારપાળ દેસાઈને ફાળે જ જાય છે. અપેક્ષા છે સંવર્ધિત રૂપે પુનર્મુદ્રિત આ આવૃત્તિ પણ સૌનો આવકાર પામશે.
માધવ રામાનુજ
પ્રકાશનમંત્રી ગુજરાત સાહિત્ય પરિષદ
Page #5
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
[બીજી આવૃત્તિ વેળાએ ] સાહિત્ય અને પત્રકારત્વ વિશે ૧૯૮૦ની ૨૦મી એપ્રિલે ગુજરાતી સાહિત્ય પરિષદે પરિસંવાદ યોજ્યો હતો જેની વિગતો પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાંથી મળી રહેશે. આ વિષયના અભ્યાસીઓની માંગને કારણે આ પુસ્તકનું પુનઃ પ્રકાશન થઈ રહ્યું છે. પંદર વર્ષના ગાળામાં પત્રકારત્વજગતમાં ઘણાં દૂરગામી અસરો કરનારાં પરિવર્તનો થયાં છે. આ પરિવર્તનોની આ ગ્રંથમાં યથાશક્ય નોંધ લીધી છે. આ ગ્રંથનું લખાણ પ્રત્યેક લેખકને મોકલવામાં આવ્યું હતું અને તેમાં જે કાંઈ ફેરફાર સૂચવ્યા તે બધાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્ય-સામયિકો વિશે પૂર્તિરૂપે શ્રી રમણ સોનીએ લેખ લખી આપ્યો, તે માટે આભારી છું. પુસ્તકને અંતે ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના રીડર શ્રી નવલસિંહ કે. વાઘેલાએ અભ્યાસીઓને ઉપયોગી એવી વિસ્તૃત લેખસૂચિ કરી આપી છે. ગુજરાતી સાહિત્ય પરિષદ આ પુસ્તકનું પુનઃ પ્રકાશન કરે છે તે માટે એ સંસ્થાને કાર્યવાહકોનો આભારી છું. આ વિષયના વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને આ પુસ્તક ઉપયોગી બનશે તેમ માનું છું.
તા. ૨૧ માર્ચ, ૯૯
- કુમારપાળ દેસાઈ
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
[પ્રથમ આવૃત્તિ ] સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે ગાઢ સંબંધ છે. એક રીતે જોઈએ તો પત્રકારત્વ સાહિત્યનું જ એક અંગ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હીમાં યોજાયેલા અધિવેશનમાં પત્રકારત્વ વિભાગ હતો, પણ એ પછી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સર્જન, વિવેચન, સંશોધન અને પરિસંવાદ એટલા જ વિભાગો રાખવાનું નક્કી થયું, જેથી પત્રકારત્વ જેવો સાહિત્યની નજીકનો અને ક્યારેક તો સાહિત્યની અનેક શાખાઓ સાથે ઓતપ્રોત લાગતો વિભાગ સીધી સાહિત્યિક ચર્ચાનો લાભ પામી શક્યો નથી.
પત્રકારત્વ એવું સમૂહ માધ્યમ છે કે તેની સાથેનો સાહિત્યનો સંબંધ પરોક્ષ બનતો જાય તે પાલવે નહીં. વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુલેખન, આસ્વાદ, પ્રકાશનના પ્રશ્નો વગેરેને સાહિત્યિક પત્રકારત્વ સાથે આંતરિક સંબંધ છે. એટલે સાહિત્ય અને પત્રકારત્વની એકબીજાના પૂરક તરીકેની કામગીરીની સમીક્ષા કરવી, મૂલ્યાંકન કરવું અને તેને વિશે પ્રવર્તતાં ભ્રમો અને ગેરસમજ દૂર કરવા માટે પત્રકારો અને સાહિત્યકારો એકઠા મળીને ચર્ચા-વિચારણા કરે તે જરૂરનું લાગ્યું. તેનું મૂર્ત પરિણામ એટલે સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાતો આ પરિસંવાદ.
જેમ ઘણા અધ્યાપકો સર્જકો હોય છે તેમ અમુક પત્રકારો પણ સર્જકો છે. તેથી અધ્યાપનના અને પત્રકારત્વના પ્રશ્નોની ચર્ચા ક્યારેક સાહિત્યના તાત્વિક તેમજ વ્યાવહારિક પ્રશ્નોની ચર્ચામાં મદદરૂપ થઈ શકે. સાહિત્યની સાચી સમજ કેળવી શકાય અને સર્જાતા સાહિત્ય વિશે સાચી દિશાનો અભિગમ બંધાતો જાય તેવું સર્જવામાં અધ્યાપકો, સાહિત્યકારો અને પત્રકારોનું આ પ્રકારનું મિલન ખૂબ ઉપકારક થાય તેમ છે.
પરિષદભૂમિ પર યોજાયેલા પ્રથમ કવિ-સંમેલનમાં સંમેલનના પ્રમુખ શ્રી નિરંજન ભગતે કહેલું કે શિક્ષણ-સંસ્થાઓમાં સાહિત્ય એ સાધન છે, જ્યારે સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ માટે સાહિત્ય સાધન અને સાધ્ય બંને બને છે. એટલે કે અહીં સાહિત્ય સીધું ભાવક સુધી પહોંચે એવા ઉપક્રમો થવા જોઈએ.
Page #7
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારના કાર્યક્રમોમાં સંનિષ્ઠ પત્રકારોની મદદ મળતાં એને નવું જ પરિમાણ મળે છે એની ખાતરી આ પરિસંવાદ કરાવી.
આનંદની વાત તો એ છે કે આને અંગે અધિકારી, વિદ્વાનો, તંત્રીઓ, પત્રકારો અને લેખકોનો સક્રિય સાથ મળી શક્યો અને તેમના આ વિષય પરના મનનીય વાર્તાલાપો પ્રાપ્ત થઈ શક્યા. આ પરિસંવાદની વ્યવસ્થા અને તેને લગતી કેટલીક જવાબદારી નવગુજરાત કૉલેજની મલ્ટિકોર્સ ઇન્સ્ટિટ્યૂટ અને તેના પ્રમુખ આચાર્યશ્રી એમ. સી. શાહે સાહિત્યપ્રીત્યર્થે ઉપાડી લીધી એની નોંધ લેવી ઘટે. આ રીતે ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોમાં શિક્ષણ-સંસ્કારની વિવિધ સંસ્થાઓએ સહકાર આપી એક તંદુરસ્ત પ્રણાલિકા ઊભી કરી છે, જેનું અનુકરણ ગુજરાતની અન્ય સંસ્થાઓ પણ કરશે તેવી અપેક્ષા છે. ગુજરાતનાં જુદાં જુદાં શહેરો અને ગામડાંઓમાં આવા અનેક કાર્યક્રમો થઈ શકે.
આ પરિસંવાદમાં સાહિત્ય અને પત્રકારત્વના પરસ્પર સંબંધોને વ્યાપકપણે આવરી લેતી દષ્ટિએ વિષયોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક બેઠકમાં એક વિષય રાખી તેનાં જુદાં જુદાં પાસાંઓ વિશે વિવિધ વક્તાઓ ચર્ચા કરે અને દરેક બેઠકને અંતે બેઠકના અધ્યક્ષશ્રી સમાપન કરે તેવી વ્યવસ્થા હતી. ચર્ચાને અંતે અનેક મુદ્દાઓ અને પ્રશ્નો ઊપસી આવ્યા હતા.
આ પરિસંવાદનો આરંભ રવિવાર તા. ૨૦-૪-'૮૦ના રોજ થયો. પ્રારંભે આ લખનારે પરિસંવાદના આયોજન પાછળની ભૂમિકા સમજાવી. એ પછી પ્રિ. એમ. સી. શાહે ભાગ લઈ રહેલા લેખક અને પત્રકારમિત્રોનું સ્વાગત કર્યું. શ્રી વાડીલાલ ડગલીના પ્રારંભિક ઉદ્ધોધને સાહિત્ય અને પત્રકારત્વને લગતા મહત્ત્વના મુદ્દાઓને ચર્ચાની એરણ પર ઉપસાવીને મૂક્યા. આ પછી ગુજરાતના બે અગ્રણી દૈનિકોના તંત્રીઓએ પોતાનાં વક્તવ્યો આપ્યાં. ત્યાર બાદ પ્રથમ બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો. ચારે બેઠકમાં જુદા જુદા વક્તાઓ ભિન્ન ભિન્ન વિષયો પર બોલ્યા.
સવારના નવ વાગ્યાથી શરૂ થયેલો આ પરિસંવાદ સાંજના પોણા સાત સુધી ચાલ્યો હતો. બપોરે લેખકોએ અને પત્રકારોએ સાથે ભોજન લીધું હતું અને આખો દિવસ સાહિત્યકારો અને પત્રકારોનો મેળાપ ચાલુ રહ્યો હતો.
Page #8
--------------------------------------------------------------------------
________________
આમાં શ્રોતાઓ મોટી સંખ્યામાં હાજર હતા. મુંબઈ, નડિયાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, ખેડા જેવાં સ્થળોએથી આ વિષયમાં રસ ધરાવનારા જિજ્ઞાસુઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદમાં સામેલ થનાર વક્તાઓ ઉપરાંત શ્રી અનંતરાય રાવળ, શ્રી ઈશ્વર પેટલીકર, શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ), શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી જયંત કોઠારી, શ્રી પ્રમોદકુમાર પટેલ, શ્રી વિનોદ ભટ્ટ, શ્રી ચિમનલાલ ત્રિવેદી, શ્રી જયંત ગાડીત, શ્રી ચંદ્રકાન્ત શેઠ અને શ્રીમતી વર્ષા અડાલજા જેવા સાહિત્યકારો તેમજ શ્રી કૃષ્ણવીર દીક્ષિત, શ્રી ચકોર, શ્રી બાબુભાઈ શાહ, શ્રી મહેશ ઠાકર, શ્રી રવીન્દ્ર ભટ્ટ, શ્રી ધનંજય શાહ જેવા પત્રકારો પણ હાજર હતા. શ્રી યશ શુક્લ, શ્રી જયવદન પટેલ અને શ્રી ચીમનભાઈ પટેલ અનુપસ્થિત હોવાથી એમના નિબંધોનું વાંચન અનુક્રમે શ્રી પ્રિયકાન્ત પરીખ, શ્રી મહેશ ઠાકર અને શ્રીમતી વર્ષા અડાલજાએ કર્યું હતું. આમ આખો દિવસ સાહિત્ય અને પત્રકારત્વના પારસ્પરિક સંબંધ અને પ્રભાવનાં જુદાં જુદાં પાસાંઓની છણાવટ કરવામાં આવી તેમાં ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકપત્રોની ચર્ચા પણ સાંકળી લેવામાં આવી હતી.
આ પરિસંવાદમાં ઉપસ્થિત વક્તાઓએ ઉપસાવેલા પ્રશ્નો સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે નવાં પ્રસ્થાનો માટેની ભૂમિકા તૈયાર કરી આપશે, અને એ રીતે બંને ક્ષેત્રોમાં ચાલતી પ્રવૃત્તિને ઉપકારક નીવડશે તો આ પરિસંવાદના આયોજનનો હેતુ સફળ થયેલો ગણાશે. “પરબના જૂન ૮૦ના વિશેષાંકમાં પ્રગટ થયેલા લેખો અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. આમાં ગ્રંથને અંતે ગુજરાતીમાં પ્રગટ થયેલાં પુસ્તકોની સૂચિ બનાવવામાં સહાયરૂપ થવા માટે ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અને ગુજરાતી સાહિત્ય પરિષદ ગ્રંથાલયના ઉત્સાહી સાહિત્યપ્રેમીઓના આભારી છીએ.
સાહિત્ય અને પત્રકારત્વ ઉભય ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરનારને આ પુસ્તક ઉપયોગી નીવડશે, એવી શ્રદ્ધા છે.
- કુમારપાળ દેસાઈ
|
|
|
Page #9
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
સાહિત્ય અને પત્રકારત્વ
૧. સાહિત્ય અને પત્રકારત્વ
૨.
પરસ્પર પૂરક પ્રવૃત્તિ
૩. આજનો યક્ષપ્રશ્ન ઃ અખબારી સ્વાતંત્ર્ય
ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
૪. સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ ૫. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ ૬.ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદન ૭. ગુજરાતી અખબારોમાં કટાક્ષ-કવિતા ૮. તંત્રીલેખો
૯. વિકાસનો આલેખ
૧૦. પત્રકારની ક્રિયાશીલતા ૧૧. પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા ૧૨. પત્રકારત્વનો લોકપ્રભાવ ૧૩. પત્રકાર : એક વિધાયક પરિબળ ૧૪. પ્રબળ રચનાત્મક શક્તિ
પત્રકાર : એક વિધાયક બળ
સાહિત્યિક પત્રકારત્વ
૧૫. સાહિત્યિક સામયિકો : જૂનાં અને નવાં ૧૬. ગુજરાતી સાહિત્ય-સામયિકો - એક દૃષ્ટિપાત ૧૭. ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ ૧૮. સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ ૧૯. સાહિત્યેતર વિષયો
૨૦. એક જ મુલ્કની બે કહાણી
વાડીલાલ ડગલી
શ્રેયાંસ શાહ
ચીમનભાઈ પટેલ
૨૧. દૈનિક પત્રોનું આર્થિક આયોજન ૨૨. દૈનિક વ્યાવસાયિક સફળતાનું રહસ્ય
૨૩. પત્રકારની સજ્જતા
૨૭. ફલશ્રુતિ
૨૮. પત્રકારત્વ : લેખસૂચિ ૨૯. કર્તાસૂચિ
૨૪. વ્યવસાયી પત્રકારોની સમસ્યા
૨૫. નિષ્ઠા અને ખુમારીનો રણકાર
૨૬. પરિસંવાદનો સમારોપ
બળવંતભાઈ શાહ
યાસીન દલાલ
જયવદન પટેલ
નાથાલાલ દવે યજ્ઞેશ શુક્લ
વાસુદેવ મહેતા
નરેન્દ્ર ત્રિવેદી રમણ સોની
પત્રકારત્વ : એક પડકાર
નરભેરામ સદાવ્રતી
કુમારપાળ દેસાઈ
નિરંજન પરીખ હરીન્દ્ર દવે
૬૭
કિરીટ ભટ્ટ ભગવતીકુમાર શર્મા ૭૧ ચંદ્રકાન્ત એચ. મહેતા ૭૮ ચીમનભાઈ પટેલ ઈશ્વર જે. પંચોલી
પ્રતાપ શાહ
ભૂપત વડોદરિયા કિરીટ ૨. ભટ્ટ
શશીકાન્ત નાણાવટી
૧૧
૧૮
૨૧
નીરુ દેસાઈ
યશવન્ત શુક્લ
રઘુવીર ચૌધરી
નવલસિંહ વાઘેલા
૨૯
8so
× જ છુ
6-2
૧૦૧
૧૧૩
૧૧૮
૧૨૭
૧૩૧
૧૩૯
૧૪૪
૧૪૯
૧૫૩
૧૫૮
૧૬૦
૧૬૩
૧૭૧
૨૩૧
Page #10
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
અને
પત્રકારત્વ
Page #11
--------------------------------------------------------------------------
________________
–
– – – – – – – – | શ્રી વાડીલાલ ડગલી -
શ્રી શ્રેયાંસ શાહ – | શ્રી ચીમનભાઈ પટેલ –
––– – – – – – – – – – સાહિત્ય અને પત્રકારત્વ પરસ્પર પૂરક પ્રવૃત્તિ આજનો યક્ષપ્રશ્ન : અખબારી સ્વાતંત્ર્ય |
Page #12
--------------------------------------------------------------------------
________________
- સાહિત્ય અને પત્રકારત્વ
વાડીલાલ ડગલી
પત્રકારત્વ અને સાહિત્યનો કાચો માલ ભાષા છે. બાંધકામ ઉદ્યોગની પરિભાષામાં કહું તો સાહિત્ય અને પત્રકારત્વ બંનેનાં ઈંટ-ચૂનો અને સિમેન્ટ ભાષા છે. આથી એક એવો આભાસ થાય કે આ બંને એક જ પ્રકારની પ્રવૃત્તિ છે. પણ હકીકત એમ છે કે પત્રકારત્વ આપણા રહેવાના સીધાસાદા ઘર જેવું છે, જ્યારે સાહિત્ય તાજમહાલ જેવી કળાકૃતિ છે. કાચો માલ એક છે, પણ આખરી બનાવટ જુદી છે. કોઈ પત્રકારે બહુ સારો લેખ લખ્યો હોય તો કોઈ એમ કહે : “આ તો એક સાહિત્યકૃતિ જેવું તમે લખ્યું.” કોઈ સાહિત્યકૃતિ નબળી હોય તો વિવેચક કહી બેસે : “આ તો છાપાળવું છે.” આમ કળાની દૃષ્ટિએ પત્રકારત્વની મથરાવટી મેલી છે. પણ એવું બનતું હોય છે કે ઘણા પત્રકારો સાહિત્યમાં પડ્યા હોય છે. ઘણા ઉત્તમ સાહિત્યકારો ઉત્તમ પત્રકારો પણ હતા. આમ કહું છું ત્યારે ગાંધીજી, મુનશી, મેઘાણી, મહાદેવભાઈ, જયંતી દલાલ અને મડિયા મને તરત યાદ આવે છે. વિદ્યમાન સાહિત્યકારોની વાત કરીએ તો ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર, હરીન્દ્ર દવે, ભગવતીકુમાર શર્મા અને રાધેશ્યામ શર્માનું સ્મરણ થાય છે. આ યાદી ઘણી લાંબી કરી શકાય. પણ કહેવાનો મુદ્દો એ છે કે પત્રકાર અને સાહિત્યકારનું જોડકું આપણા સંસ્કારજગતની સામાન્ય ઘટના છે.
સાહિત્ય અને પત્રકારત્વના સંબંધની ચર્ચા કરીએ એ પહેલાં સાહિત્ય અને પત્રકારત્વ શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. સાહિત્ય એટલે એવું લખાણ કે જેનું મુખ્ય લક્ષણ સર્વ કાળ અને સર્વ સ્થળના ભાવકોને આનંદ આપે એવા વિચારોની અભિવ્યક્તિ અને આકૃતિ હોય. સાહિત્યના હાર્દમાં બહુ વિશાળ અર્થમાં વિચાર છે. આ વિચારની રજૂઆત એ અભિવ્યક્તિ અને જે કૃતિ દ્વારા અભિવ્યક્તિ થાય છે એની રચનાકળા એટલે આકૃતિ. આમ કવિતા, નિબંધ, વાર્તા કે નાટક આ સાહિત્યવિચારનું માળખું છે. સાહિત્યનો આનંદકણ વિચારમાંથી જન્મે છે.
સાહિત્યની એક લાક્ષણિકતા એ છે કે એ સ્થળ અને કાળ પર વિજય મેળવે
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨ D સાહિત્ય અને પત્રકારત્વ
છે. સાહિત્યની અભિવ્યક્તિ અને આકૃતિની કળા જેટલી ઊંચી તેટલી એ સાહિત્યકૃતિની સ્થળ-કાળ સામે વિજયક્ષમતા. કવિ ભવભૂતિએ જ્યારે પગ લાંબા કરીને નિરાંતે કહ્યું : “જાતો હ્યયં નિરવધિઃ વિપુના 7 પૃથ્વી” ત્યારે તેણે પોતાનો સાહિત્યિક આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કરતાં સાહિત્યના એક પ્રધાન લક્ષણનું વર્ણન પણ કર્યું હતું.
પત્રકારત્વ એટલે એવું લખાણ કે જે સમાચાર આપે, સમાચાર સમજાવે અને સમાચારની સમીક્ષા કરે. આ લખાણના વિચારો ઉપરછલ્લા હોય છે. એનો ઝોક લોકપ્રિયતા ભણી હોય છે અને એની રચના ઉતાવળમાં કરી હોય છે. આથી જ આજનું છાપું આવતી કાલે પસ્તી બની જાય છે. જ્યારે સાહિત્યકૃતિ દસકાઓની અવગણના પછી પણ ક્યારેક ફરી માથું ઊંચકે છે અને તાજા ગુલાબ જેવી લાગે છે. પણ અહીં કહેવું જોઈએ કે કેટલુંક પત્રકારત્વ કળાકૃતિની કોટિએ પહોંચે છે.
સાહિત્ય અને પત્રકારત્વની મેં જે વ્યાખ્યાઓ આપી એ શુદ્ધ વ્યાખ્યાઓ છે. હકીકત જરા જુદી પણ હોય. સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે એટલી આવ-જા હોય છે કે બન્ને સીમાડા સતત સ૨કતા સીમાડા છે. આથી સાહિત્ય અને પત્રકારત્વ વિષે આપણે જે ચર્ચા કરી એમાં એક વાત સતત યાદ રાખવી પડશે : આ બંને વ્યવસાયોનું માધ્યમ શબ્દ છે.
૩
સાહિત્ય અને પત્રકારત્વનું માધ્યમ સમાન છે, પણ બંનેનાં ધ્યેય જુદાં છે. પત્રકારત્વ બનાવોની આજુબાજુ ફરે છે. બનાવ પત્રકારત્વનો પ્રાણ છે. નક્કર સમાચાર માટે પત્રકાર મથામણ કરતો હોય છે. એની ટિપ્પણો એટલે કે તંત્રીલેખોનો પાયો પણ નક્કર સમાચાર છે.
સાહિત્યનું લક્ષ્ય સમાચાર નહીં પણ માનવનું ચિત્ત છે. સ્થૂળ બનાવ સાહિત્યનો કાચો માલ છે. પત્રકારત્વના પ્રાણ સમા નક્કર સમાચાર પણ સાહિત્યને માટે તો ફક્ત ખીંટી જ છે. આ ખીંટી ઉપર સાહિત્ય એની પોતાની દુનિયા એવી રીતે ટીંગાડે છે કે ખીંટી અદૃશ્ય થઈ જાય છે અને સાહિત્યસર્જન પ્રગટ થાય છે. સાહિત્યનો આધાર કલ્પના છે, પત્રકારત્વનો આધાર હકીકત છે. નવલકથા કે નવલિકા માટે કથાનક (પ્લૉટ) હોવું સાવ જરૂરી નથી. આ આધુનિક પ્રયોગશીલ વાર્તાકારો પૂરતું મર્યાદિત નથી. શ્રી રામનારાયણ પાઠકની નવલિકા “જક્ષણી” તમે ફરી વાંચશો તો હું શું કહેવા માગું છું એ સ્પષ્ટ થશે. “જક્ષણી’’માં કથાનક નથી છતાં તમને સારી વાર્તા અને સારી સાહિત્યકૃતિ મળે છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પત્રકારત્વ [ ૧૩ હવે સવાલ એ થાય છે કે સાહિત્યના મૂળ સમી કલ્પના શું છે ? કલ્પનામાં લાગણી અને તર્ક બંનેનું મિશ્રણ છે કે કોનું ઓછું પ્રમાણ કે કોનું વધુ પ્રમાણ એ કહી ન શકાય. લાગણી અને તર્કની સપ્રમાણતા સાહિત્યવિવેક છે. જ્યારે તર્કનો અતિરેક થાય ત્યારે સાહિત્ય મટી શાસ્ત્ર થાય અને લાગણીનો અતિરેક થાય ત્યારે સાહિત્ય મટીને અતિરંજન થાય.
સાહિત્યકાર અને જરૂરી વસ્તુ - અનિવાર્ય ચીજ કલ્પના, સાહિત્યવિવેક અને આગવો દૃષ્ટિકોણ છે. સાહિત્યકાર માટે મહત્ત્વ કથાનું નહીં પણ દૃષ્ટિકોણનું છે. શેક્સપિયરે ઐતિહાસિક અને કાલિદાસે પૌરાણિક કથાઓ લઈને એ કથાઓને પોતાના દૃષ્ટિકોણથી એવી રીતે બદલી કે માનવજાતને અમર નાટકો મળ્યાં. સાહિત્યમાં પ્રાણપ્રશ્ન લેખકનો દૃષ્ટિકોણ છે. એવો સવાલ ઊભો થાય કે લેખકનો દૃષ્ટિકોણ શું પદાર્થ છે ? મને લાગે છે કે લેખકનો દૃષ્ટિકોણ એટલે લેખકની જીવનસમજણ. લેખક કઈ રીતે જીવનનું અર્થઘટન કરે છે અને કઈ રીતે જીવનના અંધારા ખૂણામાં પ્રકાશ ફેંકે છે એ પરથી એનો દૃષ્ટિકોણ નક્કી થાય છે.
જીવનના અર્થઘટનની વાત કરું છું ત્યારે મનમાં એવો સવાલ ઊભો થાય છે કે કોણ જીવનનું અર્થઘટન મૌલિક રીતે કરી શકે ? મને એમ લાગે છે કે જીવનનું અર્થઘટન એ આખરે તો લેખક માટે પોતાની જાતનું અર્થઘટન છે. અંગત અનુભવની સચ્ચાઈ સારા સાહિત્યનો માપદંડ છે, આથી જે સૂક્ષ્મતાથી પોતાની જાતને જાણે અને સર્જકતાથી છતી કરે એ લેખક સાહિત્યપદાર્થ પામે. મોંતેઇનના નિબંધો, ગાંધીજીની આત્મકથા, કબીરની કવિતા અને દોસ્તોવસ્કીનું “ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ” આ દૃષ્ટિએ જોવાથી આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે.
પત્રકારત્વ પણ જીવનનું અર્થઘટન કરે છે, પણ એ અર્થઘટન સીમિત છે. પત્રકારત્વનું અર્થઘટન ચોક્કસ સ્થળ અને ચોક્કસ કાળ પૂરતું મર્યાદિત હોય છે. એણે તો શું બન્યું, કેવી રીતે બન્યું અને એ બનાવની પાછળ કયાં બળો કામ કરતાં હતાં એટલાથી જ સંતોષ માનવો પડે છે. પત્રકારત્વ પ્રત્યાઘાત આપે છે એ મોટા ભાગે સમાજના પ્રતિનિધિઓના અને તંત્રીના. સાહિત્યના પ્રત્યાઘાત અંગત હોય છે. સામાન્ય રીતે, પત્રકારત્વના પ્રત્યાઘાત સામાજિક હોય છે.
સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેના ભેદની વાત કરીએ છીએ ત્યારે એ બંને ભાષાનો ઉપયોગ કરે છે તેમાં શો ફેર છે એ જોઈએ. પત્રકાર ભાષાનો ઉપયોગ કરે
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪ | સાહિત્ય અને પત્રકારત્વ છે ત્યારે તે જાણે કે શબ્દને કહેતો હોય છે કે, “મારી પાસે સમય નથી.” ટૂંકાં વાક્યોમાં, ટૂંકા ફકરામાં પત્રકાર માહિતી અને ટિપ્પણ રજૂ કરવા માગે છે. પત્રકાર માટે ભાષા કેવળ સાધન છે. પત્રકાર ભાષાનો ઉપયોગ કરે પણ ભાષામાં ડૂબી ન જાય. એને તો ભાષાની પવનપાવડીએ ચડી સમાચારો દેશના એક છેડેથી બીજા છેડા સુધી ફેલાવી દેવા છે. સારી ભાષા પત્રકાર લખે, પણ એ એક આડપેદાશ છે. એનું મુખ્ય કામ તો અત્યંત લાઘવપૂર્વક સમાચારો આપવાનું અને સમજાવવાનું છે. પત્રકાર ભાષાભક્તિ કરવા જાય તો બાવાનાં બેય બગડે. અલંકારિત ભાષા પત્રકાર લખે તો એનું વર્તમાનપત્ર કથળી જાય. પત્રકારમાં ભાષા પ્રત્યે સભાનતા છે પણ એ સભાનતા બનાવની અસરકારક રજૂઆત માટે વપરાય છે.
સાહિત્યકાર માટે ભાષા સાધન અને સાધ્ય બને છે. સાહિત્યકાર ભાષાનો ઉપયોગ કોઈ ઘટનાની વાત કરવા માટે નહીં પણ જીવનની ઝાંય સમજાવવા માટે કરતો હોય છે. આથી સારા સાહિત્યકારનું ચિત્ત તાજા શબ્દોની ટંકશાળ જેવું હોય છે. ઘણી વાર શબ્દ તો એનો એ હોય પણ એ શબ્દને કોઈ સારો સર્જક જે રીતે વાપરે તેથી એની અર્થછાયા બદલાઈ જાય છે. સાહિત્યકાર ભાષાનો અર્થથી ભિન્ન એવો પણ ઉપયોગ કરે છે. શબ્દનું લાવણ્ય, શબ્દનો ધ્વનિ અને શબ્દનો લય સાહિત્યકાર સતત વિકસાવે છે. સાહિત્યકાર માટે ભાષાના સૌંદર્યનું નિર્માણ એ પોતે એક હેતુ બની જાય છે. પત્રકારત્વ માટે આ કળાપ્રવૃત્તિ અડચણકર્તા છે પણ સાહિત્યકાર માટે એ ઉપકારક છે.
સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે જેટલી ભિન્નતા છે તેટલી સમાનતા પણ છે. બંનેનો પાયો ભાષા છે એટલે ભાષા પ્રત્યે સભાનતા પત્રકારમાં પણ હોય છે. સૌથી આકર્ષક સમાનતા એ છે કે બંને શબ્દની શોધ કરે છે. હેતુ જુદા છે પણ યોગ્ય શબ્દ માટે બંને મથે છે. શબ્દની શોધ જ્યારે પત્રકાર કરે છે ત્યારે પણ ભાષાની ક્ષમતા વધે છે. * આધુનિક સમયમાં આ શબ્દની શોધની પ્રવૃત્તિમાં સાહિત્યકાર અને પત્રકાર નજીક આવ્યા છે. આનું કારણ કદાચ એ છે કે બંને બોલચાલના શબ્દો શોધતા હોય છે. બોલચાલની ભાષા સાહિત્યિક ભાષા કરતાં વધારે અકૃત્રિમ છે એટલા માટે કદાચ સાહિત્યકાર એમના ભણી નજર કરતો હશે. સાહિત્યકારને અર્થની જ નહીં પણ વાણીની પ્રમાણિકતા પણ જોઈએ છે. વળી બોલચ ની ભાષા વહેતા પાણી જેવી છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પત્રકારત્વ ૧૫
આથી એમાં ઝરણાની તાજગી હોય છે. આમ બોલચાલની ભાષામાં ઘણી વાર શબ્દની પ્રમાણિકતા અને તાજગી હોય છે.
પત્રકારને બોલચાલની ભાષામાં અભિવ્યક્તિની અસરકારક સગવડ મળે છે. ગાંધીજીના પત્રકારત્વમાં બોલચાલની ભાષાનો જે રીતે ઉપયોગ થયો તેથી અજગર જેવો પડેલો દેશ ઊભો થઈ ચાલવા માંડ્યો. ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠ, કરસનદાસ માણેક અને ચુનીલાલ મડિયાએ જે રીતે બોલચાલની ભાષાનો ઉપયોગ કર્યો તેથી ગુજરાતી પત્રકારત્વ અને ગુજરાતી ભાષા બંને એક પગથિયું ઊંચે ચડ્યાં.
સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે સૌથી મોટી સમાનતા એ છે કે બંનેનો વિષય માણસનું સામુદાયિક જીવન છે. પત્રકારત્વ સમાજની તવારીખ છે. આજનું પત્રકારત્વ આવતી કાલનો ઇતિહાસ છે. જુદી જુદી ઘટનાઓ દ્વારા પત્રકારત્વ સમાજની તસવીર રજૂ કરે છે. સાહિત્યકાર વ્યક્તિ અને સમાજની તસવીર એવી રીતે દોરે છે કે એ કળાકૃતિ બને. આમ, પત્રકાર સમાજનો ફોટોગ્રાફર છે, સાહિત્ય સમાજનો ચિત્રકાર છે.
સાહિત્યકારનો અવાજ અંગત છે પણ પત્રકારની જેમ તેનો વિષય તો માનવસમાજ છે. એકપાત્રી નવલકથા લખો તો પણ તમારે પાત્રની આજુબાજુના સમાજ વિશે જ લખવું પડે. પાત્રના મનની જ વાત લખવી હોય અને તેના ચિત્તની બહારની દુનિયાને એક બાજુ રાખવી હોય તો મને દહેશત છે કે એ સાહિત્ય નહીં બને. પાત્રના મનમાં શું ચાલે છે એટલું જ લખવું હોય તો એ અધ્યાત્મ કહેવાય; સાહિત્ય નહીં.
આમ માનવજીવન સાહિત્ય અને પત્રકારત્વનો એક માત્ર વિષય છે. પત્રકાર માનવજીવનનું બયાન લખતો જાય છે, જ્યારે સાહિત્યકાર માનવજીવનના કાચા માલમાંથી પોતાના કલ્પનાબળથી નવી દુનિયા સર્જે છે.
સાહિત્ય અને પત્રકારત્વ જે રીતે ભાષા પાસેથી કામ લે છેલ્લેથી ભાષા સમૃદ્ધ બને છે. આ સતત પ્રક્રિયા છે. જો સાહિત્ય અને પત્રકારત્વ એકબીજા પાસેથી શીખે તો બંનેની ગુણવત્તામાં ક્યારેક વધારો થાય. સાહિત્ય પત્રકારત્વ પાસેથી શું શીખી શકે ? પત્રકારમાં જે ચોકસાઈ હોય છે એ સાહિત્યકારે કેળવવા જેવી છે. સમાચાર સંસ્થાની ચોકસાઈ આપણા નવલકથાકારો અને નિબંધકારોમાં હોય તો સાહિત્ય તમારા ને મારા જીવન માટે વધુ પ્રસ્તુત બને. આ કરતાંયે મોટી વાત એ છે કે
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬ સાહિત્ય અને પત્રકારત્વ હકીકતની ચોક્સાઈના પાયા પર કલ્પના સાહિત્યકૃતિ રચે તો સાહિત્યકૃતિની ગુણવત્તા વધે એમ મને લાગે છે.
પત્રકારત્વમાં સ્થળમર્યાદાને કારણે જે લાઘવ છે એનો પણ સાહિત્યકારે અભ્યાસ કરવો જોઈએ. પત્રકારત્વમાં શબ્દાળુતા અને લાઘવ એકસાથે હોય છે પણ એનામાં જે લાઘવ છે એ સાહિત્યકૃતિમાં સીંચવા જેવું છે. મુનશીની નવલકથાઓમાં ભાષાનું જે લાઘવ છે એને કારણે એમાં જે વેગ આવ્યો છે એમાં પત્રકારત્વના સારા અંશોની છાંટ છે.
પત્રકારત્વ સાહિત્ય પાસેથી ભાષાનું સૌંદર્ય કેમ નિર્માણ કરવું એ જાણી શકે છે. સાહિત્યકાર માટે ભાષા કેવળ માધ્યમ નથી, પણ એક સૌંદર્યશાસ્ત્રીય નેમ પણ છે. આથી અહીં ભાષા કેવળ શ્વેત કે શ્યામ રંગની નહીં પણ વચગાળાના રંગોવાળી પણ હોય છે. આવી ભાષાને કારણે વિચારમાં પણ અનાયાસે ક્યારેક નીરક્ષીરભાવની માત્રા વધે છે. પત્રકાર સાહિત્યની આ શબ્દમથામણ તરફ વધારે ધ્યાન આપે તો એનું પત્રકારત્વ એકીસાથે વધુ ચોક્કસ અને લાવણ્યમય બની શકે.
પણ પત્રકારત્વને સાહિત્ય પાસેથી કંઈ ખરું શીખવાનું હોય તો એ માનવમૂલ્યો માટેની ચીવટ, સાહિત્યના અંતરંગમાં અનુકંપા હંમેશાં હોય છે. આ અનુકંપાની અભિવ્યક્તિ નબળી બળી હોય, પણ અનુકંપાને તમે સાવ નિચોવી નાખી સારી સાહિત્યકૃતિ ભાગ્યે જ રચી શકો. પત્રકારત્વ પર સાહિત્યની આ અનુકંપાની ઝરમર થાય તો માનવસમાજની સમસ્યા એ વધુ અસરકારક રીતે રજૂ કરી શકે. સાહિત્યકારની અનુકંપા પત્રકારત્વમાં પ્રવેશે તો પત્રકારત્વનું ફલક અત્યારે છે એ કરતાં મોટું થવાની શક્યતા છે.
આપણે ત્યાં અંગ્રેજી ભાષાનું પ્રાધાન્ય છે એટલે એના અનેક ફાયદા અને કેટલાક ગેરફાયદા થયા છે. પણ એક વાત આપણે સ્વીકારવી પડશે કે અંગ્રેજી ભાષા આપણા સંસ્કારજીવન માટે એક અગત્યની ભાષા બહુ લાંબા સમય સુધી રહેવાની છે. સાહિત્યની વાત કરીએ તો અંગ્રેજીમાંથી ઉત્તમ સાહિત્યના અનુવાદ આપણે કરીએ છીએ અને એની ગતિ વધવી જોઈએ. વર્તમાનપત્રો તો મોટા ભાગે અંગ્રેજીમાં આવતા સમાચારોના ગુજરાતીમાં અનુવાદ આપતાં હોય છે અને સારા અંગ્રેજી લેખોનો પણ અનુવાદ ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકોમાં ઘણી વખત પ્રગટ થતો હોય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પત્રકારત્વ ૧૭ આવી મોટી પ્રવૃત્તિ પ્રત્યે આપણાં વર્તમાનપત્રો, યુનિવર્સિટીઓ અને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી વિદ્યાસંસ્થાઓની ઉપેક્ષા સ્તબ્ધ કરી દે એવી સાંસ્કારિક ઘટના છે. વર્તમાનપત્રના કાર્યકરોનો મોટો ભાગ આ અનુવાદપ્રવૃત્તિમાં જ રોકાયેલો હોય છે. આમ છતાં આપણે એમ માનીએ છીએ કે અનુવાદની બાબતમાં તો પડશે એવા દેવાશે જેવું વલણ રાખવું એ ઠીક છે. આવી મનોવૃત્તિને કારણે આપણા પત્રકારત્વનું વૈચારિક પોત પાતળું રહ્યું છે કારણ કે અનુવાદમાં અઘરો શબ્દ આવે તો એને એક બાજુ મૂકી જલદી અનુવાદ પ્રેસમાં પહોંચાડવાની વૃત્તિ હોય છે. સાહિત્યકૃતિમાં પણ આવું બનતું હોય છે.
આથી મારું એવું સૂચન છે કે ગુજરાતનાં વર્તમાનપત્રો, યુનિવર્સિટીઓ અને થોડી વિદ્યાસંસ્થાઓએ ભેગાં થઈને એક અનુવાદ સંસ્થા (ટ્રાન્સલેશન ઇન્સ્ટિટ્યૂટ) સ્થાપવી જોઈએ. આ સંસ્થાની દસબાર મુખ્ય સ્થળોમાં શાખાઓ હોવી જોઈએ. આ સંસ્થાએ અનુવાદ એક વિષય તરીકે શીખવવો જોઈએ અને આમ કરતાં કરતાં શિક્ષણ સાથે એક ડિપ્લોમા આપવાની ગોઠવણી કરવી જોઈએ. આ ડિપ્લોમાનો કોર્સ એક વર્ષથી વધુ ન હોવો જોઈએ. ગુજરાતમાં જ્યાં પત્રકારત્વનું શિક્ષણ અપાતું હોય ત્યાં અનુવાદ એક ખાસ વિષય તરીકે એવી રીતે દાખલ કરવો જોઈએ કે વિદ્યાર્થીને ઉપર સૂચવ્યા એવા ડિપ્લોમાના કોર્સ જેટલું શિક્ષણ મળે. અનુવાદ એ શીખવવાનો વિષય છે એ વાત સ્વીકારીએ તો મારું સૂચન તમને ગળે ઊતરશે.
જે દૈનિક પત્ર સત્યનો પ્રસાર કરવાના પુરુષાર્થ ઉપર નિર્ભર નથી, એ પ્રત્યેક સવારે પ્રજાનું જીવન હરવા માટે મોકલેલો વિષનો પ્યાલો છે.
- ઓલિવ શ્રાઈનર
Page #19
--------------------------------------------------------------------------
________________
ર
પરસ્પર પૂરક પ્રવૃત્તિ D શ્રેયાંસ શાહ
સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે વર્ષોથી એક પ્રગાઢ સંબંધ રહ્યો છે. સાહિત્યે પત્રકારત્વને ઘણી ભાષાસમૃદ્ધિ પૂરી પાડી છે, તો પત્રકારત્વે ઘણા સાહિત્યસર્જકોમાં સુષુપ્ત પડેલી સર્જનશક્તિને ખીલવી છે. સમાજના સંસ્કાર અને વિચારોનું ઘડતર કરનારાં આ બે પરિબળોની અલગતામાં અને એકતામાં એક વિશિષ્ટતા છે, કે બંનેની અભિવ્યક્તિનું માધ્યમ માત્ર શબ્દ જ છે અને માટે જ સાહિત્યમાંથી પત્રકારત્વમાં અને પત્રકારત્વમાંથી સાહિત્યમાં સરકવાનું વારંવાર બનતું આવ્યું છે. તાજેતરમાં સાહિત્ય માટેનું પુલિત્ઝર પારિતોષિક મેળવનાર અમેરિકન નવલકથાકાર નોર્મન મેઈલરની એક હજાર પાનાંની નવલકથા આજે વિવાદાસ્પદ બની છે. દેહાંતદંડ પામેલા મનુષ્યની અને એના કુટુંબીજનોની રૂબરૂ મુલાકાત લઈને તૈયાર કરેલી દસ્તાવેજી કથા સાહિત્ય કહેવાય કે પછી પત્રકારત્વ, એવો ગૂંચવાડો સાહિત્યકારો અને પત્રકારો વચ્ચે ઉદ્ભવ્યો છે. તો આ તબક્કે બર્નાર્ડ શોનાં એ કથનનો સ્વીકાર કરવો રહ્યો કે, All Literature is Journalism.
વળી આપણે ત્યાં તો ઘણા પ્રસિદ્ધ સાહિત્યકારો વ્યવસાયે પત્રકાર હતા. અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ નવલકથાકાર ચાર્લ્સ ડીકન્સ પણ રિપોર્ટર હતા. થોમસ હાર્ડી, જ્યૉર્જ ઇલિયટ અને અમેરિકાના અર્નેસ્ટ હૅમિંગ્વેની નવલકથામાં, એમના સાહિત્યમાં, એમનું પત્રકારત્વ ક્યાંક ક્યાંક ડોકિયું કરતું હતું અને ક્યારેક માનવું પડતું હતું કે, એક જ માણસ બેવડી ભૂમિકામાં સાહિત્ય સાથે પત્રકારત્વને સફળ રીતે ન્યાય આપી રહ્યો છે. સાહિત્યનો સિક્કો મારવાથી કોઈ લખાણ ચિરંજીવી બની શકતું નથી અને પત્રકારત્વનો સિક્કો મારવાથી કોઈ લખાણ કચરાટોપલીમાં ચાલ્યું જતું નથી. લખાણમાં કેટલું જીવન છે, એના સર્જનમાં કેટલું કલાતત્ત્વ છે, એના પર એના ચિરંજીવીપણાનો આધાર રહે છે.
આજનો યુગ એ સાચા અર્થમાં પત્રકા૨નો યુગ છે. લૉર્ડ ગ્રેના મત મુજબ પત્રકારત્વ એ સ્વતંત્રતાનો રસિક દેવ છે, અને જગતની ચોથી મહાસત્તા છે. પ્રજાજીવનની એ પારાશીશી છે. લોકજીવનની એ વેધશાળા છે. વર્તમાનપત્ર લોકોનો મિજાજ, એમની જિજ્ઞાસા, પૃચ્છા અને આકાંક્ષાઓને વાચા આપવાનું એક સ્વચ્છ અને પ્રબળ માધ્યમ છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ થોમસ જેફરસન તો કહે છે, “અખબારો
Page #20
--------------------------------------------------------------------------
________________
પરસ્પર પૂરક પ્રવૃત્તિ ] ૧૯ વિનાના શાસનવાળો સમાજ પસંદ કરવાનું વધુ ઇચ્છનીય છે.”
પત્રકારત્વનો ઇતિહાસ નાનામોટા અન્યાય સામે સામાન્ય માણસની લડતનો . ઇતિહાસ છે. બ્રિટન, ફ્રાન્સ કે અમેરિકાની સામાન્ય પ્રજા એક યા બીજા સ્થાપિત હિતો સામે શબ્દની શક્તિથી લડતી રહી છે. આજે પણ પત્રકારત્વ લોકશાહીના માન્ય સ્તંભો ઉપરાંતના એક વધારાનો સ્તંભ તરીકે પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. અખબારની કે આવા કોઈ પણ લખાણની શક્તિ નેપોલિયન જેવાનેય સમજાઈ હતી. નેપોલિયને જ કહ્યું છે કે, “ફ્રાન્સની બરબૂન રાજાશાહીના હાથમાં લખાણની શક્તિ હોત, તો એનું આવું બદનામ મોત થયું ન હોત.” નેપોલિયને એવું પણ ભાખ્યું હતું કે છાપખાનાની શાહીમાં ભલભલાં તંત્રો પણ ડૂબી જશે અને ખરેખર આવું જ બનતું રહ્યું છે. આ કલમની શક્તિ છે. આ કલમને જ્યારે પ્રજાના હાથ અડે, પ્રજાનો ધબકાર સ્પર્શે, ત્યારે એમાં એક બળ જન્મે છે. પત્રકારત્વ અને સાહિત્ય પોતાની વિદ્યાની ગમે તેટલી મગરૂબી સેવે પણ એને લોકજીવનથી દૂર ચાલ્યા જવાનું પાલવે નહીં.
આજે તો અખબારો વધ્યાં છે, એનું વેચાણ, એનો ફેલાવો, અને સાથેસાથે એનો પ્રભાવ પણ વધ્યો છે, વર્તમાનપત્રની નીતિ ગમે તે હોય, પણ લોકોની નજરે એની વિશ્વસનીયતા ટકી રહેવી જોઈએ, કારણ કે, સાચા પત્રકારત્વનો આધાર હકીકતોના સત્યનિરૂપણ પર રહેલો છે. લોકલાગણી સાથે સમાંતર ચાલતી અખબારની નીતિ લોકોની ચાહના ગુમાવતી નથી. અખબારનો ફેલાવો જ એની લોકચાહનાની ઉત્તમ પારાશીશી છે. વધતાં અખબારો અને વધતા ફેલાવાની સાથે, ગુજરાતી પત્રકારત્વનો જો કોઈ પ્રાણપ્રશ્ન હોય તો એ છે કે આ નવા પડકારોને પહોંચી વળી શકે એવા પત્રકારોની નવી પેઢી તૈયાર થઈ શકી છે ખરી ? એના માટેની કોઈ વ્યવસ્થા છે ખરી ? એના માટે માત્ર થીયરી કે જ્ઞાનમાહિતીનાં પ્રમાણપત્રો નહીં ચાલી શકે. એ માટે તો અખબારનો જીવ જોઈએ, કોઠાની સૂઝ જોઈએ, ભાષાની તાકાત જોઈએ, વાંચવા અને વિચારવાની આદત જોઈએ. વિજ્ઞાન કે વાણિજ્યના સ્નાતકોની જેમ પત્રકારત્વના વિષય પર સ્નાતકો બહાર પાડવાથી કશું જ નહીં નીવડે. જૂના પીઢ પત્રકારો નવા પત્રકારોને તૈયાર કરી તાલીમ આપે, તક આપે એવું થાય અને જૂના જમાનાના વૈદ્ય જેવી પોતાના ધંધાના રહસ્યને સંતાડી રાખવાની મનોવૃત્તિને તિલાંજલિ આપે, તો જ પત્રકારત્વના ક્ષેત્રમાં, નવા પત્રકારોનો સંચાર થવાની શક્યતાઓને જોઈ શકાય. આધુનિક યુગમાં પ્રજાની પ્રવૃત્તિ અને જાગૃતિના અનેકવિધ વિકાસ સાથે અખબારે કદમ મિલાવવાના છે એટલે એક સમયે રિપોર્ટર માત્ર સાંભળીને લખી-
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦. સાહિત્ય અને પત્રકારત્વ
વાંચી શકે તેટલું બસ હતું. એ સ્થિતિ આજે નથી. નવા નવા પડકારો વધી રહ્યા છે, તેણે ઘણી બધી જ્ઞાનશાખાઓમાં ચંચુપાત કરવો પડે છે. મારું માનવું છે કે પત્રકાર છાપાં સિવાય કાંઈ વાંચે જ નહીં એવી સ્થિતિ ચાલવાની નથી. ઝવેરચંદ મેઘાણીએ સાચે જ એક પ્રસંગે નોંધ્યું છે કે “પાનાં ફરે તો સોનાં ઝરે'– ખૂબ વાચનથી સોના જેવું સાહિત્ય મળે, અને પત્રકારત્વની પરિભાષામાં ચોક્કસ ફેર પડે.
સાહિત્ય અને પત્રકારત્વ, એ એક સિક્કાની બે બાજુઓ હોય છતાં, એમાં વિરોધાભાસ જણાય છે. સાહિત્યવાળા પોતાને ઊંચા સમજે છે, તો પત્રકારો, એક ખુમારીથી, બાકીના બધા કરતાં ઊંચા સમજે છે. બંને ક્ષેત્રના કસબીઓ એકબીજાની સામે ઘૂરક્યા કરે છે. એકબીજાને સુધારી નાખવાની ફિકરમાં પડ્યા છે. પરંતુ હું દઢપણે માનું છું કે સાહિત્ય અને પત્રકારત્વની સ્પર્ધા જ ન હોઈ શકે. સાહિત્યને સમયની પાબંધી નથી, તો પત્રકારત્વને સમયની પાબંધી પર નભવું પડે છે. પત્રકારત્વ આજની વાત કરે છે, એને ચોક્કસ દિવસ અને તારીખ સાથે સંબંધ છે, જ્યારે સાહિત્ય ચિરંજીવ છે. માટે જ પત્રકાર અને સાહિત્યકાર જો અળગાં રહેશે તો બંનેને હાનિ થશે. બંનેનું સામીપ્ય પરસ્પરને પૂરક બની રહેશે, એ નિશ્ચિત છે.
“આપણી ઘણીખરી અશક્તિ કાર્યકારી બુદ્ધિ અને દેશસેવાની તીવ્ર વેદના – એ બેની ન્યૂનતામાંથી ઉત્પન્ન થાય છે. કહે છે કે સર્વે ઘÍ તંડુનVરથમૂનીઃ - સર્વ ધર્મનો આધાર શેર ધાન્ય ઉપર છે. અર્થાતું ખાવાનું મળતું હોય તો જ ધર્મ બની શકે. પણ ધ્યાનમાં રાખો કે, કર્તવ્ય કરવા માટે માત્ર શેર ધાન્યની જ જરૂર છે. એટલી સંપત્તિ પ્રાપ્ત થઈ કે ત્યાંથી દેશસેવાનો અમાપ ધર્મ શરૂ થયો. આ ધર્મ પત્રકાર ઉપર છે, તેટલો બીજા કોઈ ઉપર નથી. હિન્દુસ્તાનનાં વર્તમાન પ્રશ્નો અર્થશાસ્ત્રની દૃષ્ટિએ નહીં પણ ધર્મ યાને કર્તવ્યશાસ્ત્રની દૃષ્ટિએ ઉકેલવા જોઈએ, અને ધર્માદ્રર્થક્ય વાક્ય એ ભારતસાવિત્રીના મંત્રનું સ્મરણ કરી એ મર્ગ પ્રબળ લોકમત પ્રવર્તાવવો એ વર્તમાનપત્રોનું કર્તવ્ય છે.”
– આનંદશંકર ધ્રુવ (બીજી પત્રકાર પરિષદના સ્વાગત પ્રમુખપદેથી આપેલા વક્તવ્યમાંથી)
Page #22
--------------------------------------------------------------------------
________________
GU
આજનો યક્ષપ્રશ્નઃ અખબારી સ્વાતંત્ર્ય
- a ચીમનભાઈ પટેલ, સાહિત્યક્ષેત્રને કોઈ સીમાડા નથી એમ પત્રકારત્વક્ષેત્ર માટે પણ કહી શકાય. હું અહીં પત્રો, પત્રકારત્વ અને પત્રકારને સ્પર્શતી ખાસ એક-બે વાતો પર જ ઉલ્લેખ કરવાનું પસંદ કરીશ, જેથી આજની કાર્યવાહીમાં એના પર ખાસ ચર્ચા થાય તો એ ઘણી ઉપકારક બની રહે.
ભારતના વર્તમાનપત્રના તંત્રીઓની સંસ્થા એડિટર્સ ગિલ્ડ ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવાં, લોકશાહી રસમમાં પત્રકારની જવાબદારી પ્રત્યે સભાન એવાં રાષ્ટ્રોમાં ચાલતી ચર્ચા-વિચારણાઓના નિષ્કર્ષનો ભારતના સંજોગોને અનુકૂળ એવી પોતાની વિચારણામાં સમાવેશ કરી પત્રકારને માર્ગદર્શક નીવડી રહે એવા આચારસંહિતાના કેટલાક આદર્શોનો મુસદ્દો તૈયાર કર્યો છે, જે એટલા માટે રજૂ કરું છું કે અખબારની રોજબરોજ વ્યવહાર પ્રક્રિયા જો ધોરણસરની ન બની રહેતી હોય તો પત્રકારત્વ વિશે સેવેલા સામાન્ય આદર્શો અર્થહીન બની જાય છે. અખબારની પહેલી અને છેલ્લી ફરજ પોતાના વાચક પ્રત્યે અને એ દ્વારા સમગ્ર પ્રજા પ્રત્યે છે. પ્રેસને પોતાની સત્તા હોવી એ એક વાત છે અને એનો ઉપયોગ કરવો એ બીજી વાત છે.
અખબારનું પાયાનું કામ સત્યની શોધ કરી એને પ્રજા સમક્ષ જાહેરમાં મૂકવાનું છે. સમાચારો મેળવીને એનું પ્રગટન કરવું અને એ અંગેના અભિપ્રાય ને અભિવ્યક્તિ આપવા પાછળનો આશય તો પ્રજાને પોતાના તત્કાલીન પ્રશ્નોથી વાકેફ કરી, એ અંગેના નિર્ણયો લેવા પ્રજાને સક્ષમ બનાવવાનો છે.
અખબારે સમાજજીવનમાં દરેક ક્ષેત્રના ટીકાકાર બનવાનું છે. અગ્રલેખ દ્વારા એણે અનિવાર્ય એવા સુધારાઓની કે પરિવર્તનોની પ્રજાના હિતાર્થે હિમાયત કરવાની છે. જાહેરમાં કે ખાનગીમાં થતો સત્તાનો દુરુપયોગ અગર ગેરવાજબી કૃત્યોને એણે પ્રકાશમાં આણવાનાં છે. જો સ્પષ્ટ કારણો મનાઈ ફરમાવતાં ન હોય તો સમાચારપ્રાપ્તિનાં સાધનોનો ઉલ્લેખ થવો જોઈએ. સાધનની ગુપ્તતા જાળવવાનું કોઈ કારણ હોય તો એ કારણનું સ્પષ્ટીકરણ થવું જોઈએ.
મહત્ત્વની બાબતો અંગે જાણવાનો પ્રજાનો હક્ક સર્વોપરી છે. જાહેર રીતે મળતી બેઠકો અને ખુલ્લા દસ્તાવેજો મારફતે સરકારના સમાચારો પ્રજા સુધી આણવા અખબારે બરાબર મથવું જોઈએ. અચોક્કસ અને ગેરમાર્ગે દોરનારાં જે નિવેદનો
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨ | સાહિત્ય અને પત્રકારત્વ
હોય એની પાર્થભૂમિ પૂરી હકીકત સાથે અખબારે રજૂ કરવી જોઈએ.
વાચકોનો વિશ્વાસ એ મારા પત્રકારત્વનું લક્ષણ છે. સમાચારો સત્યપૂર્ણ, ચોકસાઈવાળા, પૂર્વગ્રહરહિત અને કશીયે તોડમરોડ વિનાના છે અને એમાં તમામ પાસાં રજૂઆત પામ્યાં છે એવું દર્શાવવા પૂરો પ્રયત્ન કરી છૂટવું જોઈએ. અગ્રલેખો,. વિશ્લેષણાત્મક લેખો અને સમીક્ષાલેખોમાં પણ અખબારી અહેવાલના ધોરણ જેટલી જ ચોકસાઈ જાળવવી જોઈએ. કોઈ પણ પ્રાપ્ત અહેવાલમાંથી એ પ્રગટ થાય એ પૂર્વે, અફવાઓને નિચોવી કાઢી એનું બે વાર ચોકસાઈપૂર્વક અવલોકન કરવું જોઈએ. તમામ ક્ષતિઓ નિવારવાનું તો અશક્ય છે, પણ ભૂલોને સુધારી લેવાનું સરળ છે. સુધારો કરતી વખતે આપણે ભૂલ કરી છે એવું દેખાડતાં ડરવું ન જોઈએ. થયેલી ભૂલનો તત્કાળ સ્વીકાર કરી અખબારે એનો સુધારો તાબડતોબ અને ધ્યાન ખેંચાય એ રીતે રજૂ કરવો જોઈએ.
અખબારી અહેવાલો અને અભિપ્રાયોની અભિવ્યક્તિ વચ્ચે સ્પષ્ટપણે ભેદરેખા દોરવી જોઈએ. અખબારી અહેવાલો અંગત અભિપ્રાયો કે પૂર્વગ્રહોથી મુક્ત હોવા જોઈએ અને એમાં મુદ્દાની તમામ બાજુઓ રજૂઆત પામેલી હોવી જોઈએ. અગ્રલેખની ટીકાઓમાં સત્યથી વેગળો એવો પક્ષપાત પત્રકારત્વના નૈતિક જુસ્સાને હણી નાખનારો છે. ખાસ લેખો કે કોઈ બાબતની હિમાયત કરતી રજૂઆત અગર લખનારનાં પોતાનાં તારણો કે અર્થઘટનોનો હોય એ રીતે સ્પષ્ટ ઉલ્લેખ થવો જોઈએ.
વધુ મહત્ત્વની કે અગત્ય ધરાવતી બાજુઓને છોડી દઈ રજૂ થતી કોઈ પણ કથની ન્યાયપૂર્ણ નથી. ન્યાયપૂર્ણતામાં સંપૂર્ણતાનો સહજ રીતે જ સમાવેશ થાય છે.
જાહેર વિવાદમાં જો એક અખબાર પક્ષકાર થાય છે કે સામી બાજુને પોતાનો પક્ષ રજૂ કરવાની તક કે એ માટેની જગા અખબારમાં આપવાનો ઇન્કાર કરવામાં આવે તો અખબારી સ્વાતંત્ર્ય અર્થહીન બની રહે છે.
કોઈ પણ સમાચાર સાથે સંકળાયેલી વ્યક્તિઓના હક્નો પત્રકારે આદર કરવો જોઈએ. અખબારી અહેવાલના વાજબીપણા અને ચોક્સાઈ અંગે જનતાને જવાબ આપવો પડવાનો છે, એમ ધારી એણે સુરુચિનાં સામાન્ય ધોરણોનું પણ પાલન કરવું જોઈએ. એ યાદ રાખવું ઘટે કે અખબારમાં બેકાળજીભર્યા અહેવાલથી કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તો એ ભાગ્યે જ સુધારી લઈ શકાતી હોય છે, અને અખબારના એ પછીના બીજા અંકમાં પ્રગટ થતો સુધારો, જેને હાનિ પહોંચી હોય એ વ્યક્તિને એટલું વળતર આપી શકતો હોતો નથી. જેને માટે કોઈ આરોપ હોય એ વ્યક્તિને ખુલાસાની તક આપ્યા વિના પ્રતિષ્ઠા કે નૈતિક ચારિત્ર્ય અંગેના બિનસત્તાવાર
Page #24
--------------------------------------------------------------------------
________________
આજનો યક્ષપ્રશ્ન: અખબારી સ્વાતંત્ર્ય | ૨૩ આક્ષેપોનું અખબારે પ્રસારણ કરવું ન જોઈએ. ગુનાઓ અને દુર્ગુણોની વિગતો વિષે જિજ્ઞાસા જાગે એવો માંદલો રસ અખબારે પેદા કરવો ન જોઈએ. ( પત્રકાર પોતાના અહેવાલો માટે જાહેર જનતાને જવાબદાર લેખાવો જોઈએ અને અખબારો વિષેની પોતાની ફરિયાદોને વાચા આપવા પ્રજાને પ્રોત્સાહિત કરવી જોઈએ. વાચકો સાથે નિખાલસ એવો સીધેસીધો સંપર્ક પેદા થવો જોઈએ. કોઈ ખાસ રસ પ્રત્યેના ઉપકારભાવથી પત્રકારોએ પોતાની જાતને મુક્ત રાખવી જોઈએ અને કેવળ પ્રજાના સમાચાર જાણવાના હક્કની મર્યાદા જ સ્વીશ્વરવી જોઈએ.
પોતાના વ્યવસાયની બહારથી કે સમાચાર પૂરા પાડનાર સાધનો પાસેથી કોઈ લાભ પત્રકારે સ્વીકારવો જોઈએ નહીં. અહેવાલો પ્રાપ્ત કરવા માટે થતો ખર્ચ અખબાર તરફથી એમને મળવો જોઈએ. પત્રકારોએ પ્રસિદ્ધિના તખ્તાથી હંમેશાં દૂર રહેવું જોઈએ. એમણે તો ઇતિહાસનો અહેવાલ આપવાનો છે, સ્વયં ઇતિહાસ રચવાનો નથી.
' અખબારના તંત્રવિભાગનો કોઈ પણ સભ્ય કોઈ પણ જાહેર હોદ્દો ધરાવતો હોવો ન જોઈએ. નાણાં લઈને કે નાણાં વગર પણ એણે કોઈ પણ રાજકારણી વ્યક્તિ કે રાજકીય સંગઠન કે પક્ષ માટે કામ કરવું જોઈએ નહીં.
પ્રજાના બધા જ વર્ગો તરફથી પત્રો, પત્રકારત્વ અને પત્રકાર પાસે જે આદર્શોની અપેક્ષા રખાય છે એ અગર આદર્શ પત્ર, પત્રકારત્વ અને પત્રકાર માટેની આચારસંહિતાના આદર્શોની આ વાત થઈ. હવે આપણા દેશની વાસ્તવિક પરિસ્થિતિમાં આવી આદર્શમય રીતે કામગીરી બજાવવાના પ્રયત્નમાં પ્રેસ અને પત્રકાર માટે પેદા થતા પડકારો જેમાંથી ઉદ્ભવે છે એવી એક મૂળભૂત ક્ષતિ-ઊણપની વાત અહીં રજૂ કરવાનું હું ખૂબ વાજબી ગણું છું.
પ્રેસ કમિશન સમક્ષ જ્યારે આ ગંભીર બાબતની મૌખિક રજૂઆત કરી ત્યારે એની ગંભીરતાને પ્રમાણી મારી પાસે એની લેખિત રજૂઆતની માગણી કરવામાં આવી હતી, જે કશાય ખચકાટ વગર મેં લેખિત પૂરી કરી હતી.
આજે અહીં એકત્ર સભાન સાહિત્યસમાજના ધ્યાન પર એ મુદ્દો હું એટલા માટે લાવવા ઇચ્છું છું કે વાસ્તવિકતામાં પ્રવર્તતા વિસંવાદનો એમને ખ્યાલ આવે અને એ વિસંવાદ દૂર કરવા જરૂરી એવી જનમતની જાગૃતિ ઊભી કરવામાં એ સૌનો પણ સહયોગ સાંપડી શકે.
મેં આરંભમાં, આચારસંહિતાના ઉલ્લેખમાં, અખબારી સ્વાતંત્ર્ય અંગે અછડતો ઉલ્લેખ કર્યો છે. એ બાબતે વધુ ઊંડા ઊતરી ગંભીર રીતે વિચારવું ખૂબ જરૂરી છે, અને એ દિશામાં જ મારો આ નિર્દેશ છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
| સાહિત્ય અને પત્રકારત્વ
ભારતના રાજ્યબંધારણની કલમ ૧૯(૧)(એ) અને (જી) અનુસાર ભારતના પ્રત્યેક નાગરિકને મળેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો લાભ તમામ વ્યક્તિઓ કે બધાં ક્ષેત્રોની જેમ પત્રકાર કે પ્રેસને મળે છે.
બંધારણમાં અભિવ્યક્તિના સ્વાતંત્રની જોગવાઈ છે, અખબારોના સ્વાતંત્ર્યની જોગવાઈનો કોઈ અલાયદો ઉલ્લેખ એમાં નથી. અખબારોની સ્વતંત્રતા તો પ્રજાને સાંપડેલ વ્યાપક સ્વાતંત્ર્યમાંથી જ ઉદ્દભવે છે.
આ સીધોસાદો લાગતો મુદ્દો ઘણો ગંભીર છે. એક તરફ અખબારના સ્વાતંત્રને માટે કોઈ અલગ જોગવાઈ નથી. એની સામેની તમામ કાર્યવાહી એને એક ઉદ્યોગ ગણીને જ કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ પ્રજાઘડતરના એક મહત્ત્વના અને ખૂબ અસરકારક એવા માધ્યમ તરીકે એની પાસે ઘણી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવે છે, એની પર ઘણી ઘણી જવાબદારીઓ લાદવામાં આવે છે.
આ એક વરવો વિસંવાદ છે. જો અખબાર બીજા ઉદ્યોગો જેવો હોય તો પછી વિશિષ્ટ એવી પ્રજાકીય જવાબદારીઓની અપેક્ષા એની પાસે શી રીતે રખાય ? બીજા ઉદ્યોગોની જેમ એ છાપું ઉત્પન્ન કરે અને વેચે અને એ વેચાણ દ્વારા વધુ ને વધુ સમૃદ્ધ થવા મથે, એ સ્વાભાવિક લેખાવું જોઈએ. પણ એમ થતું નથી. અખબારોને ઉદ્યોગ ગણવા છતાં એની પાસે અપેક્ષાઓ એક સંનિષ્ઠ સામાજિક સેવા સંસ્થા જેવી અને જેટલી જ રાખવામાં આવે છે ! આ વિસંવાદ દૂર કરવાનો પ્રયાસ થવો જોઈએ.
આ વિસંવાદ તરફ ધ્યાન દોરું છું, ત્યારે અખબારને કેવળ ઉદ્યોગ ગણવાની મારી હિમાયત નથી. આપણા તમામ ગંભીર વિચારકોની સાથે સંમત થઈને હું અખબારની સામાજિક જવાબદારીઓનો અલબત્ત સ્વીકાર કરું છું, પણ મારો વિરોધ એટલો જ છે કે બીજાઓ પણ – સરકાર કે વહીવટી તંત્ર પણ – અખબારને એના એ જ સ્વરૂપે ઓળખે અને મૂલવે. એને બીજા ઉદ્યોગોની તોલે ગણી એના અતિ સંવેદનશીલ સ્વરૂપને રૂંધવા-ડામવાનો પ્રયત્ન કોઈ ન કરે.
ફરી પાછો હું મૂળ વાતનો દોર સાંધું છું, કે અખબારો જે સ્વાતંત્ર્ય આપણા દેશમાં ભોગવે છે એ પ્રજાના વિશ્વાસને કારણે છે અને પ્રજાની વતીનું છે. અને એટલે અખબારની પહેલી અને છેલ્લી ફરજ પોતાના વાચક પ્રત્યે અને એ દ્વારા પોતાને સ્વાતંત્ર્ય બક્ષનાર સમગ્ર પ્રજા પ્રત્યે છે.
લોકોની ઇચ્છા-અનિચ્છાને પ્રગટ કરવાનું વાહન બનવા સાથે, સમાજની પરિસ્થિતિને યથાવત્ બતાવતી સ્વચ્છ આરસી બની રહેવાનું કાર્ય જો અખબારો બજાવે તો એ આરસીમાં પરિસ્થિતિનું પ્રતિબિંબ જોવાની અને એ ચિત્રમાં જરૂર હોય
Page #26
--------------------------------------------------------------------------
________________
આજનો યક્ષપ્રશ્ન : અખબારી સ્વાતંત્ર્ય ૨૫
તો ફેરફાર લાવવાનો ઉપાય કરવાની સમાજના આગેવાનોને સુગમતા થાય. નેતાએ આ વાત સ્વીકારે તો જ અખબાર લોકશાહીમાં સારી સેવા કરી શકે. ' અખબારની નજર સામે રહેલા આવા ગંભીર ઉદ્દેશની પરિપૂર્ણતા માટે મેં પ્રેસ કમિશન સમક્ષ લેખિત સૂચન રજૂ કર્યું હતું કે રાષ્ટ્રિય વિકાસ અને સામાજિક સેવાના ધ્યેયમાં અખબારોને ઉચિત રીતે જોતરવાં હોય તો એમને સામાજિક સેવ સંસ્થાઓનો દરજ્જો બક્ષી એનો વહીવટ ચોક્કસ ધ્યેય ધરાવતાં ટ્રસ્ટોના હાથમાં સોંપવો જોઈએ. પ્રાઇવેટ કે પબ્લિક કંપનીઓ કે માલિકોની પકડમાંથી અખબારોને મુક્ત કરી મહાત્મા ગાંધીની ટ્રસ્ટીપણાની ભાવનાને ત્યાં અમલી બનાવવી જોઈએ, અને અખબારોને જૂથો રચવા દેવાને બદલે એને એક એક એકમ રૂપે એમની સ્વતંત્ર અલગ વ્યક્તિમત્તા સાથે પાંગરવા દેવાં જોઈએ. બંધારણથી આ નવું સ્વરૂપ ન અપાય ત્યાં સુધી એકલદોકલ અંગત રીતે આવા વિચારો ધરાવે અને અમલ કરવા માગે તોપણ એ કારગત નીવડે નહીં.
પોતાનું સ્વાતંત્ર્ય જેની પાસેથી અખબારો હાંસલ કરે છે એ પ્રજા પાસે પ્રત્યક્ષ રૂપે, નિયમિત રૂપે, સમૃદ્ધ અને સભર રૂપે પહોંચવા માટે અખબારોના કિંમતવધારાને નીચો આણવા સરકારે સીધી કે આડકતરી વગ ન થઈ શકે એવી જોગવાઈ સાથે સબસીડી દ્વારા સીધી સહાય કરવી જોઈએ. સસ્તુ બન્યા વિના અખબાર એકેએક વ્યક્તિના હાથમાં પહોંચવાનું નથી અને સામાજિક પરિવર્તનના ઉત્તમોત્તમ સાધન સમું અખબાર સમાજના આખરી આદમી લગી ન પહોંચે ત્યાં લગી અખબાર પાસે રાખવામાં આવતી અપેક્ષાઓ ફળીભૂત થવાની નથી.
અખબારોને એનો છાપવાનો કાગળ મેળવી આપવામાં, જરૂરી સાધનસામગ્રી વાજબી દરે સંપડાવવામાં, અંગ્રેજી અને પ્રાંતીય ભાષાઓ વચ્ચે જાહેરાતોમાં કશો ભેદ રાખ્યા વિના એને જાહેરાતનો પુરવઠો પૂરો પાડવામાં જો જવાબદાર તંત્ર ઊંડો રસ લે તો જ અખબારો આપણે જેની આરંભમાં વાત કરી એવી પ્રજા પ્રત્યેની નૈતિક જવાબદારી પૂરી કરવા શક્તિમાન થાય, અન્યથા એવી બધી વાતો સાવ હવાઈ જ બની રહેવાની.
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૬
n સાહિત્ય અને પત્રકારત્વ
આપણાં વર્તમાનપત્રોમાં સૌથી વધુ અવકાશ, શ્રેષ્ઠ સ્થાન રાજકારણને આપવામાં આવે છે; હવે જ્યાં સુધી ભારત સ્વતંત્ર ન હતું, ત્યાં સુધી આમ કરવામાં કંઈ અર્થ ન હતો પણ હવે રાજકારણને અન્ય વિષયોને મળે છે તેટલું જ મહત્ત્વ અપાય એ ઇચ્છવાજોગ છે. રાજકારણ સિવાય બીજા પણ વિષયોમાં આપણે રસ લેતા થવું જોઈએ. આપણે અભિપ્રાય કેળવવો જોઈએ, સામાજિક જાગૃતિ લાવવી જોઈએ, કર્તવ્યભાન કરાવવું જોઈએ. પણ આ તરફ હજી પ્રયાણ થયેલું ખાસ જણાતું નથી.
આપણી ભાષાનાં વર્તમાનપત્રો વિશે બોલતાં એમ પણ કહેવાનું મન થાય છે કે એઓ ભાષાશુદ્ધિ પર ધ્યાન આપે, દીર્ઘ-હ્રસ્વ પર દૃષ્ટિ ફેરવે, પરભાષાના શબ્દોના ઉચ્ચારો બરાબર ગ્રહણ કરે અને શબ્દશઃ અક્ષરશઃ ભાષાંતર ન કરતાં, ભાવ અને અર્થ સમજાય એવાં જ ભાષાંતર કરે..... જેમ ઉદ્યાનમાં વધુ પુષ્પો અને વનમાં વધુ વૃક્ષો શોભામાં અભિવૃદ્ધિ કરે છે, એમ જ ભાષામાં વિવિધ શબ્દો અને શબ્દપ્રયોગોથી સૌંદર્ય વધે છે. વર્તમાનપત્રો ભાષાને વિકસાવવામાં સારો ફાળો આપી શકે છે.
– મહેન્દ્ર ન. પંડ્યા
-
(ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૮મા અધિવેશનની કાર્યવાહીમાંથી)
Page #28
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી
પત્રકારત્વનું સરવૈયું
Page #29
--------------------------------------------------------------------------
________________
। શ્રી બળવંતભાઈ શાહ
I
શ્રી યાસીન દલાલ
| શ્રી જયવદન પટેલ
I
શ્રી નાથાલાલ દવે
I
| શ્રી યજ્ઞેશ શુક્લ
I
શ્રી વાસુદેવ મહેતા
-
સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ
ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદન ।
ગુજરાતી અખબારોમાં કટાક્ષકવિતા
તંત્રીલેખો
વિકાસનો આલેખ
Page #30
--------------------------------------------------------------------------
________________
સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ
- a બળવંતભાઈ શાહ
લગભગ ૧૭૫ વર્ષના ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાંથી સ્વતંત્રતાનાં ૫૦ વર્ષ બાદ કરીએ તો સ્વાતંત્ર્ય પૂર્વેના ગુજરાતી પત્રકારત્વનો આશરે સવાસો વર્ષનો ઇતિહાસ એના ઉભવ, ઘડતર, વિકાસ અને વિસ્તારનો છે. સો શરદ જીવેલા દેશભરના કુલ ૧૯ પત્રોમાંથી ચાર ગુજરાતી પત્રો છે એ એની ગૌરવવંતી સિદ્ધિ છે. એ ચાર પત્રો એ (૧) “મુંબઈ સમાચાર', (૨) “જામે જમશેદ', (૩) ખેડા વર્તમાન” અને (૪) “ગુજરાત મિત્ર અને ગુજરાત દર્પણ'. આજે પણ આઝાદી પૂર્વે જન્મેલાં અને અર્ધી સદી વટાવી ચૂક્તાં માતબર ગુજરાતી દૈનિકોમાં અમદાવાદનાં “સંદેશ” અને ગુજરાત સમાચાર', સૌરાષ્ટ્રના ફૂલછાબ' વગેરેનો સમાવેશ થાય છે.
સવાસો વર્ષમાં નીકળેલાં બધાં પત્રોનો ઉલ્લેખ કરી એની ચર્ચા કરવી અશક્ય છે, તેથી આ ગાળા દરમ્યાન પત્રકારત્વના ઇતિહાસમાં જે વ્યક્તિઓ, પત્રો અને પરિબળોએ ઉલ્લેખનીય ફાળો આપ્યો એની નોંધ લઈ એ ગાળાના પત્રકારત્વનાં કેટલાંક સામાન્ય લક્ષણોની ચર્ચા કરીશું. ૧૯૪૬ના માર્ચની ૩૧મીએ મુંબઈ ઇલાકામાંથી ગુજરાતી ભાષાનાં ૨૯ દૈનિકો, ૭૮ સાપ્તાહિકો અને ૧૨ પખવાડિકો સહિત કુલ ૧૧૯ જેટલાં પત્રો નીકળતાં હતાં. સ્વતંત્ર ભારતમાં એમની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ છે. (૧) ગુજરાતી સાહિત્ય, સંસ્કૃતિ અને પત્રકારત્વમાં અલબેલી નગરી મુંબઈ . અને પારસીઓનો નોંધપાત્ર ફાળો છે. ગુજરાતનું પ્રથમ પત્ર ગુજરાતમાંથી નહીં, પરંતુ મુંબઈમાંથી પ્રગટ થયું. એની સાથે ગુજરાતનું નહીં પણ મુંબઈનું નામ જોડવામાં આવ્યું. ૧૮૨૨માં નીકળેલા “મુંબઈ સમાચાર'ને ૧૦૦ વર્ષ પૂરાં થવા આવ્યાં છે. પ્રથમ ગુજરાતી છાપખાનું, પ્રથમ પંચાંગ અને પ્રથમ ગુજરાતી અખબાર પ્રસિદ્ધ કરવાનો યશ પારસી સંગૃહસ્થ શ્રી ફરદૂનજી મર્ઝબાનજીને ફાળે જાય છે, જ્યારે ગુજરાતની તળ ભૂમિમાંથી પ્રથમ ગુજરાતી સાપ્તાહિક અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ૧૮૪૯માં પ્રસિદ્ધ કર્યું અને એ “બુધવારિયા' તરીકે લોકપ્રિય બન્યું.
સ્વતંત્રતા પૂર્વેના ગુજરાતી પત્રકારત્વ સાથે સર્વશ્રી ફરદૂનજી મર્ઝબાન, દાદાભાઈ નવરોજી, કરસનદાસ મૂળજી, કેખુશરૂ કાબરાજી, સોરાબજી કાપડિયા, પાલણજી દેસાઈ, વીર નર્મદ, મહેરજીભાઈ માદન, ઇચ્છારામ દેસાઈ, આનંદશંકર ધ્રુવ, ગાંધીજી, ઇન્દુલાલ યાજ્ઞિક, મહાદેવભાઈ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર કિશોરલાલ
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦ ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું. મશરૂવાળા, મગનભાઈ દેસાઈ, ઉમાશંકર જોશી જેવા મહારથીઓ સંકળાયેલા હતા. એમની પાસે પત્રકારની દૃષ્ટિ અને ચોક્કસ ધ્યેય હતાં. પત્રકારની ખુમારી અને ખુવાર થવાની તૈયારી હતી. પત્રકારત્વ એમને માટે આજની જેમ ઉદ્યોગ ન હતો, મિશન હતું. તેથી એમના પત્રોમાં એમની આગવી છાપ અને દૃષ્ટિનાં દર્શન થાય છે. સમયના પરિવર્તન સાથે પ્રજાકીય જાગૃતિ આવતી ગઈ એમ અખબારોનો અભિગમ બદલાતો ગયો. આમ શ્રી ફરદૂનજીએ “મુંબઈ સમાચાર'નો આરંભ તત્કાલીન વેપારી વર્ગને કેટલીક માહિતી પૂરી પાડવા અને અન્ય પ્રજા માટે “અચરજભરેલી અને ભેદભરેલી' વાર્તાઓ, દોહરા, ચોપાઈ, કહેવતો વગેરે પ્રસિદ્ધ કરવા માટે કર્યો. વીર નર્મદે એમના દાંડિયા' દ્વારા સામાજિક સુધારાની જેહાદ જગાવી પત્રકારત્વને નવી દૃષ્ટિ આપી.
શ્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ “સ્વતંત્રતા' અને “ગુજરાતી' સાપ્તાહિકોમાં રાજકારણને ધિક્કાર્યા વિના સામાજિક સુધારાઓ પર ભાર મૂક્યો. શ્રી કેખુશરૂ કાબરાજીના “રાસ્ત ગોફ્તાર અને શ્રી કરસનદાસ મૂળજીનાં ‘સત્ય પ્રકાશમાં સામાજિક સુધારાઓની જ હિમાયત કરાઈ. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકે ૧૯૧૫માં શરૂ કરેલા ‘નવજીવનમાં દેશની સર્વાગી સ્વતંત્રતા અને દલિત-પીડિત જનતાના ઉત્કર્ષ માટે એમના જીવનના સૂત્ર સમા સંગ્રામને કેન્દ્રસ્થાને રાખી એનું સંચાલન કર્યું. સાક્ષરશ્રી આચાર્ય આનંદશંકર ધ્રુવે ‘વસંત'નું સંચાલન કર્યું, પણ પત્રકાર વિશેનું એમનું મંતવ્ય આજે પણ યાદ કરવા જેવું છે. પત્રકારની નિર્ભીકતા વિશે એમણે કહ્યું છે કે “તમને ઠપકો મળે, જેલ મળે, તમે નિંદાના ભોગ બનો, અરે ! ફાંસીના માંચડે પણ ચડજો; પરંતુ તમારા અભિપ્રાયો તો પ્રસિદ્ધ કરજો જ. એ માત્ર હક્ક નથી. એ ધર્મ છે, ફરજ છે.” | ગુજરાતી તેમજ સમગ્ર દેશના પત્રકારત્વ પર કોઈની ક્રાંતિકારી અસર થઈ હોય તો એ રાષ્ટ્રપિતા ગાંધીજીની. દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન', ભારતમાં યંગ ઇન્ડિયા', ગુજરાતી તેમજ હિંદીમાં ‘નવજીવન’, “હરિજન” અને “હરિજનબંધુ', સત્યાગ્રહવગેરે એમનાં સાપ્તાહિકો હતાં. પત્રકાર તરીકેનો એમનો આદર્શ પણ કેટલો ઊંચો હતો ! તેઓ માનતા કે “સ્વાર્થી હેતુઓ માટે અથવા જીવનનિર્વાહ માટે પત્રકારત્વનો દુરુપયોગ કદી ન થવો જોઈએ. તંત્રીઓએ કે છાપાંઓએ ગમે એ થાય તોપણ, પરિણામોની પરવા કર્યા સિવાય દેશહિત માટેના પોતાના વિચારો રજૂ કરવા જોઈએ.' આજના સાપ્તાહિકોની જેમ રંગબેરંગી અને અર્ધનગ્ન તસવીરો, સનસનાટીભર્યા સમાચારો, સેક્સ કે ગુનાઓની પ્રચુરતાને કારણે એની નકલો લાખો પર પહોંચી ન હતી. સમાજ અને દેશના વિવિધ કચડાયેલા વર્ગને જાગ્રત કરવા એમણે એમના વિચારપત્રો દ્વારા કોમી એકતા, અસ્પૃશ્યતા, ખારી, સ્વદેશી, ગ્રામોદ્યોગ, દારૂબંધી,
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ ૩૧ કેળવણી જેવા આજે અખબારોને સાવ નીરસ લાગે એવા વિષયોને જ એઓ સ્પર્શતા હતા. આજે કોઈ અખબાર જાહેરખબર વંગર ચાલી શકે જ નહીં, ત્યારે ગાંધીજીએ ૩૦ વર્ષ સુધી કોઈ પણ જાતની જાહેરખબર લીધા વિના એમનાં સાપ્તાહિકો ચલાવ્યાં હતાં.
‘ઇન્ડિયન ઓપિનિયન' એમણે પોતાને હસ્તક લીધું ત્યારે એની ૪૦૦ નકલો હતી. એ જમાનામાં રૂ. ૨૬,૦૦૦ની અંગત ખોટ સહન કરી અને છતાંય ખબરો. માટે વધુ જગ્યા મેળવવા જાહેરખબરો લેવાનું નક્કી કર્યું. ગોખલે, દાદાભાઈ નવરોજી અને ટૉલ્સ્ટૉય જેવા મહાપુરુષો એના વાચકો હતા. એમના “નવજીવન'ના વાચકોમાં ખેડૂતો અને મજૂરોનો પણ સમાવેશ થતો હતો. ૧૯૧૬ની હોમરૂલની ચળવળ, ૧૯૧૭માં લોકમાન્ય ટિળકની મુક્તિ, રોલેટ-કાયદા સામે પ્રજાકીય વિરોધને લઈને પ્રજામાં આવેલી જાગૃતિને કારણે ગાંધીયુગની અસર નીચેનાં પત્રોમાં રાજકારણને પ્રાધાન્ય મળવા લાગ્યું. એ વખતે મોટા ભાગનાં પત્રો દેશની આઝાદીની લડતના ટેકેદારો હતાં. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં આવેલાં લગભગ અઢીસો જેટલાં દેશી રાજ્યોની પ્રજાને જાગ્રત કરવા શ્રી અમૃતલાલ શેઠે “સૌરાષ્ટ્ર'નો આરંભ કર્યો ‘દેશસેવા કરવા માટે એમને નવાં વર્તમાનપત્રોની આવશ્યકતા લાગી હતી. “એ વર્તમાનપત્રો આજની કાળી શાહીથી નહીં લખાય, એ તો લખાશે અમારા લોહીની લાલ શાહીથી. એમાં દુઃખના, વેદનાના, બળવાના પોકારથી ધરતી ધણધણી ઊઠશે. રાજાઓના દિલ થરથરશે અને એમનાં સિંહાસનો ડોલવા માંડશે. પ્રજાકલ્યાણના નવા યજ્ઞો અમે વર્તમાનપત્રોનાં કાર્યાલયોમાં માંડીશું.” આમ સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને વાચા આપવામાં “સૌરાષ્ટ્ર' ઉપરાંત, “કાઠિયાવાડ સમાચાર”, “કચ્છ વર્તમાન”, “સૌરાષ્ટ્ર મિત્ર', “કચ્છ મિત્ર”, “કચ્છ કેસરી', “કર્મભૂમિ', “પ્રજામત', “ફૂલછાબ' વગેરે પત્રોએ ફાળો આપ્યો.
રાણપુરની ત્રિપુટીમાંથી છૂટા પડેલા શ્રી સામળદાસ ગાંધીએ “વંદે માતરમ્' શરૂ કર્યું તો “ઇન્સાફના પાયા ઉપર રચાયેલી સમાજરચના”ને ધ્યેય તરીકે સ્વીકારી શ્રી કકલભાઈ કોઠારીએ એ માટેની જન-જેહાદમાં “નવસૌરાષ્ટ્ર' દ્વારા યથાશક્તિ ફાળો આપવાનો સંકલ્પ જાહેર કર્યો. શ્રી ઝવેરચંદ મેઘાણી છાપાના લેખનને ઉત્કૃષ્ટ કલાઓમાંથી એક કલા માનતા હતા, તો “પ્રજાબંધુ'ના તંત્રી શ્રી ચુનીલાલ વર્ધમાન શાહને મન “પત્રકારત્વ એ સેવાનો એવો પવિત્ર વ્યવસાય” હતો કે જેમાં પત્રકારે તલવારની ધાર પર ચાલીને પવિત્ર ફરજ બજાવવાની છે. સ્વતંત્રતા બાદ પત્રકારત્વ ઉદ્યોગ બનતાં એના પર ધનનો પ્રભાવ વધતો ગયો છે. એની અગમચેતી આપતાં શ્રી
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૨ I ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
મગનભાઈ દેસાઈએ કહ્યું હતું કે “આવા બહોળા વ્યવસાય માટે ધન જોઈએ, તેથી ધનપતિ એમાં પડે છે. એની નીતિ ૫૨ હકૂમત મેળવે છે. એ હકૂમત એમના સ્વાર્થની મૂળ બાબતથી આગળ એઓ વાપરતા નથી. એમને એ સમજવું પડશે કે પત્રની પ્રતિષ્ઠાને આંચ તો ન જ આવવી જોઈએ.” સાક્ષરશ્રી આચાર્ય આનંદશંકર ધ્રુવે પણ ધનના ઢગલા નીચે સત્ય દબાઈ ન જ એની ચેતવણી આપી હતી. સાહિત્ય પરિષદના પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી શ્રી મહાદેવભાઈ દેસાઈએ “સત્યનિષ્ઠા”ને પત્રકારના પ્રથમ ધર્મ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે “સમાચાર એ પવિત્ર વસ્તુ છે. એને બદલીને કે મચડીને કે એમાં વધઘટ કરીને એને ભ્રષ્ટ કરવાનો કોઈને અધિકાર નથી.”
આમ આરંભકાળમાં સામાજિક બાબતોને મહત્ત્વ આપતું ગુજરાતી પત્રકારત્વ રાજકીય જાગૃતિ આવતાં રાજકારણના પ્રશ્નોમાં રસ લેતું થયું. છતાં એક નોંધવા જેવી બાબત એ છે કે, ઇંગ્લૅન્ડમાં અંધશ્રદ્ધા, કુરિવાજો સામેની જેહાદમાંથી પત્રકારત્વનો ઉદ્ભવ થયો. જ્યારે ગુજરાતમાં વર્તમાનપત્રોનો ઉદ્ભવ થયા બાદ એનો ઉપયોગ સુધારકો સામે થયો. સામાજિક સુધારાઓના સમર્થકો અને વિરોધીઓ એમ બે ભાગમાં પત્રકારત્વ વહેંચાઈ ગયું. એમાંય વિચિત્રતા એ હતી કે સામાજિક સુધારાઓને ટેકો આપતાં “રાસ્ત ગોફતાર” કે “સત્ય પ્રકાશ”ના રાજકીય વિચારો સંકુચિત હોઈ તેઓ બ્રિટિશ શાસનના ટેકેદાર હતા, જ્યારે “એમ. એ. બના કે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી” જેવી વાર્તાઓ પ્રસિદ્ધ કરી, સામાજિક સુધારાઓની હાંસી ઉડાવતા “ગુજરાતી”એ પ્રજાની રાજકીય આકાંક્ષાઓને પારખી હતી. ગાંધી-યુગનાં વર્તમાનપત્રો એક ડગ આગળ વધ્યાં. આ પત્રો અને એમાંય ખાસ કરીને ગાંધીજીનાં “નવજીવન” અને “હરિજન” પત્રોએ રાજકીય અને સામાજિક એ બંને ક્ષેત્રોમાં ક્રાન્તિકારી અને પ્રગતિશીલ વિચારો રજૂ કરીને આ દેશની જનતાને સ્વતંત્રતાના આંદોલન માટે જાગ્રત અને સજ્જ કરી.
અગાઉ જણાવ્યું એમ કેટલાક સુધારકો અને મહા૨થીઓ ગુજરાતી પત્રકારત્વ સાથે સક્રિય રીતે સંકળાયેલા હોવાથી પત્રકારત્વના એમના અભિગમ અને આદર્શ ઉચ્ચ કોટિના હતા, પરંતુ બધાં પત્રો એ કોટિમાં મૂકી શકાય એમ નથી. કેટલાક પત્રોના તંત્રીઓ અને લેખકો એકબીજા સામે આક્ષેપો અને અંગત ટીકાઓ કરતા કે એકબીજાના કુટુંબની ખાનગી વાતો જાહેરમાં મૂકતાં સંકોચ અનુભવતા નહીં. એકબીજાને હલકા પાડવાની કે ગાલિપ્રદાન કરવાની એમની મનોવૃત્તિ હતી. ઉદાહરણ તરીકે “મુંબઈના ચાબુક” નામનું પત્ર એના વિરોધીઓ સામે ઝેરી પ્રચાર કરતાં બીભત્સતામાં ઊતરી પડતું હતું. “મુમબઈ શમશેરે કેઆની” નામના પત્રને મા-બહેન સામે ગાલિપ્રદાન
Page #34
--------------------------------------------------------------------------
________________
સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ [ ૩૩
કરવામાં શરમ નહોતી.
એવી જ રીતે “સમી સાંજ”ના પ્રથમ અંકમાં એના અગ્રલેખમાં શ્રી ફિરોજશા મર્ઝબાને લખ્યું છે કે “મર્યાદાભરી ચૂપકીદી મને રુચતી નથી. કોણીને બદલે ઠોંસો મારવો અને એક અપમાનને બદલે ચાર ગાળ દઈને ઊભા રહેવું એ મારો ઠરાવ છે.” અંગત આક્ષેપબાજીની આ પ્રણાલિકા હજીય ક્યારેક જોવા મળે છે.
ભાષા-ઘડતરમાં ફાળો ગુજરાતી પત્રકારત્વના આરંભકાળમાં પારસીઓનો ફાળો હોવાથી તત્કાલીન પત્રોમાં પારસી-ગુજરાતી જોવા મળે છે. આજે જે “મુમબઈ સમાચાર” છે એનું અસલ નામ “શ્રી મુંબઈના સમાચાર” હતું. તત્કાલીન સમયના શિક્ષિતોના એક ચોપાનિયાનું નામ “ગનેઆન પરસારક” (જ્ઞાન પ્રસારક) હતું. તત્કાલીન પારસી ગુજરાતી ભાષાનો એક નમૂનો જોઈએ : “લેજીશલેટીવ કાઉશલ બેઠી હતી તે વેળાએ એક બીલ મીશતર લીજેટે રજુ કરીઉ હતું તે ઉપરથી તેવું જોવામાં આવે છે કે વેરથી મુંબઈ અને છાશતી ખાતે જે પાણી લાવવાનું કામ ચાલે છે તેની ઉપર ૩પ લાખ રૂ નો ખરચ થાઈ ચૂક્યો હતો.” આમ પારસીઓ બોલતા એવી જ ભાષામાં સમાચારો પ્રસિદ્ધ થતા હતા. આવી ઢંગધડા વિનાની, જોડાક્ષર વિનાની, ચિત્ર-વિચિત્ર વાક્યરચનાઓમાં અશુદ્ધ ગુજરાતી ભાષા જોવા મળતી. વળી, પારસીઓને કારણે ફારસી શબ્દોનો છૂટથી ઉપયોગ થતો હતો. તેથી ઘણા ફારસી શબ્દો ગુજરાતીમાં પ્રચલિત થઈ ગયા છે. ઉદાહરણ તરીકે : અખબાર, અહેવાલ, કામિયાબ, આઝાદ, જંગ, બંદોબસ્ત. આમ આરંભકાળનું પારસી-ગુજરાતી આજે આપણને કઠે એવું છે.
“રાસ્ત ગોફતારે” ભાષાશુદ્ધિનો પ્રયાસ કર્યો તો અર્વાચીન ગુજરાતી ગદ્યના પિતા વીર નર્મદે એને મઠારીને ભાષાનું શુદ્ધીકરણ કર્યું. શ્રી ઇચ્છારામ દેસાઈએ તેમનાં પત્રોમાં ભાષાશુદ્ધિનો આગ્રહ રાખ્યો એટલું જ નહીં, પણ વિચારોને વ્યવસ્થિત રીતે વ્યક્ત કરવા, વિચાર બદલાય ત્યાં ફકરાઓ પાડવા, યોગ્ય શીર્ષક મૂકવાં, પત્રને ઉઠાવ મળે તે રીતે એની ગોઠવણી કરવી વગેરેમાં નોંધપાત્ર ફાળો આપ્યો. અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થાય એ તો સહેજે સમજી શકાય, પરંતુ પ્રિન્સેસ સ્ટ્રીટ'નું કોઈએ રાણીની શેરી ગુજરાતી કર્યું હતું એમ તે વખતે “ધી ઇકોનોમિસ્ટ' અખબાર માટે કરકસર' અખબાર એવો શબ્દપ્રયોગ થયો હતો.
શ્રી ઇચ્છારામ દેસાઈએ સંસ્કૃત શબ્દોનો વપરાશ વધાર્યો. શ્રી અમૃતલાલ શેઠ, શ્રી સામળદાસ ગાંધી અને શ્રી કકલભાઈ કોઠારીએ સૌરાષ્ટ્રની જન-જાગૃતિ માટે અખબારો શરૂ કરતાં ત્યાંની વેગીલી અને જુસ્સાદાર ભાષા, શબ્દોની રમત
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪ | ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું અને ભભક, ત્યાંના તળપદા શબ્દો અને વાક્યપ્રયોગો વગેરેનું પ્રદાન કર્યું. એમાં વિચાર કરતાં શબ્દાળુતા વિશેષ હતી. ગાંધીજીના પ્રભાવને કારણે સાદી, સરળ છતાં સચોટ ભાષાનું ચલણ વધવા માંડ્યું. એમણે સાચી જોડણીનો આગ્રહ રાખી જોડણીકોષ તૈયાર કરાવ્યો. એમના સાદા, અનાડંબરી, ટૂંકાં વાક્યોમાં વિચારની સ્પષ્ટતા આવી. નવા નવા શબ્દપ્રયોગો થવા માંડ્યા. શ્રી ઇન્દ્રવદન ઠાકોરનો સરળ ભાષા માટેનો આગ્રહ એવો હતો કે અખબારની ભાષા સાહિત્યિક નહીં, પણ સામાન્ય વાચકને સરળતાથી સમજાય એવી હોવી જોઈએ.
આરંભકાળે સમાચાર એજન્સીઓ કે ખબરપત્રીઓ ન હતાં. તેથી “મુંબઈ સમાચારે' એના વાચકોને સમાચારો મોકલી આપવા વિનંતી કરી હતી. વળી, તત્કાલીન ગુજરાતી પત્રોમાં અંગ્રેજી વિભાગ પણ આવતો હતો.
સરકારી નિયંત્રણો : આંતરિક કટોકટી દરમ્યાન આપણને સેન્સરશિપ અને અખબારી સ્વાતંત્ર્યની ગૂંગળામણનો કડવો અનુભવ થયો હતો. સીધેસીધી સેન્સરશિપ લાદ્યા વિના પણ સરકારી દબાણથી અખબારી સ્વાતંત્રમાં કેવા અવરોધો પેદા થાય છે એ આપણને વિદિત છે.
બ્રિટિશ શાસન દરમ્યાન તો શાસકોની નીતિ અને પ્રજાની આકાંક્ષા વચ્ચે ઉત્તર-દક્ષિણ જેટલું અંતર હોવાથી સતત ઘર્ષણ ચાલતું હતું. સ્વતંત્રતા પૂર્વે વિવિધ ધારાઓથી અખબારો પર નિયંત્રણો લાદવામાં આવતાં હતાં. એમાં રવિવારે અખબાર પ્રગટ કરવું નહીં, સરકારી અમલદારો વિરુદ્ધ કે પ્રજાની ધાર્મિક લાગણી ઉશ્કેરાય એવાં લખાણો પ્રસિદ્ધ કરવાં નહીં વગેરે ફરમાનોનો સમાવેશ થતો હતો. ૧૮૫૭ના બળવા બાદ આ નિયંત્રણો આકરાં બન્યાં. ૧૮૭૮ના વર્નાક્યુલર પ્રેસ એક્ટ અનુસાર સરકાર વિરુદ્ધ યા પ્રજામાં વિખવાદ પેદા કરે એવી કોઈ પણ બાબત પ્રસિદ્ધ નહીં કરવાની બાંયધરી આપવી પડતી હતી. એની સામે ઝુંબેશને પરિણામે દાયકા બાદ એ કાયદો રદ થયો. ૧૯૦૮ અને ૧૯૧૦ના કાયદા અનુસાર અદાલતમાં ન્યાય મેળવવા જઈ શકાતું નહોતું. આથી કટોકટી દરમ્યાન કેટલાંક અખબારો અવનવી તરકીબો અજમાવીને સેન્સર અધિકારીઓની આંખમાં ધૂળ નાખતાં એમ બ્રિટિશ શાસન દરમ્યાન તો કાયદાઓના નિયંત્રણોમાંથી છટકબારીઓ શોધવાના પ્રયાસો થતા હતા.
આજે અખબારોને “વનમાળી વાંકો', “ઠોઠ નિશાળિયો' કે 'ઇદમ્ તૃતીયમ્' વિના ચાલતું નથી. પારસીઓની વિનોદવૃત્તિને કારણે આ કટાક્ષ કૉલમો આપણને જાણે કે વારસામાં મળી છે. એ વખતે “દાંતરડું”, “પારસપંચ”, “ગપસપ” અને “ભીમસેન” જેવાં હાસ્યરસિક સામયિકો નીકળતા હતાં તો “કાતરિયું ગેપ” સાપ્તાહિકમાં જાહેરખબરો
Page #36
--------------------------------------------------------------------------
________________
સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ m ૩૫ રમૂજી શૈલીમાં પ્રસિદ્ધ થતી હતી. તદુપરાંત, ‘ગુજરાતી'માં શ્રી ખરશેદજીની ‘ભર કટોરા રંગ’; ‘સાંજ' અને ‘ગુજરાતી-પંચ’માં ‘બિરબલ'ના નામે; ‘જામે જમશેદ’ અને ‘કયસરે હિંદ’માં ‘ચલણી રૂપિયા’ના નામે; ‘મુંબઈ સમાચાર’માં ‘ઉઘાડા છોગે’; ‘હિન્દુસ્તાન’માં શ્રી મસ્તફકીર અને ‘ફૂલછાબ'માં શ્રી ગુણવંતરાય આચાર્યની ‘હું, બાવો અને મંગળદાસ'ની કટાક્ષકૉલમો પ્રસિદ્ધ થતી હતી. કલાગુરુ શ્રી રવિશંકર રાવળનાં સામાજિક ઠઠ્ઠાચિત્રો ‘વીસમી સદી’ અને ‘કુમાર’માં તો શ્રી બંસીલાલ વર્મા(ચકો૨)નાં રાજકીય કાર્ટૂનો ‘નવ સૌરાષ્ટ્ર', ‘રેખા’ અને ‘પ્રજાબંધુ'માં પ્રસિદ્ધ થતાં હતાં.
સ્વતંત્રતા પૂર્વેના પત્રકારત્વ પર આપણે ઊડતી નજર નાંખી. સ્વતંત્રતા બાદ સમાચા૨-પત્રો પર સત્તા અને સંપત્તિનો પ્રભાવ વધ્યો છે. શિક્ષણ-પ્રસારને કારણે નકલોનો ફેલાવો કૂદકે અને ભૂસકે વધે છે. ટેક્નોલૉજીના વિકાસના ફળસ્વરૂપ ઑફસેટ અને ફોટો-કંપોઝને પરિણામે વર્તમનપત્રોના રૂપરંગમાં પરિવર્તન આવ્યું છે. પરંતુ મૂળ સવાલ એ થાય છે કે ગુણવત્તાની દૃષ્ટિએ પત્રકારત્વના સત્ત્વમાં સુધારો થયો છે ખરો ? ૧૯૫૦માં ‘ગુજરાત સમાચાર' એના ખાનપુરના નવા મકાનમાં આવ્યું ત્યારે મુ. શ્રી ઉમાશંકર જોશીની લીધેલી મુલાકાતમાં અમે એક પ્રશ્ન પૂછ્યો હતો, ‘ગુજરાતી વર્તમાનપત્રથી તમને સંતોષ થાય છે ખરો ?’ એમનો ઉત્તર કંઈક આ પ્રમાણે હતો, ‘અંગ્રેજી છાપું વાંચવાની આવશ્યકતા ન રહે એવું ગુજરાતી વર્તમાનપત્ર નીકળે ત્યારે સંતોષ થાય.'
આ સંદર્ભમાં સ્વ. મહાદેવભાઈ દેસાઈએ ઉચ્ચારેલા શબ્દો આજે પણ એટલા જ યથાર્થ છે. એમણે કહ્યું હતું કે “વર્તમાનપત્રો એ ધંધો બની શકે છે. કમાવાનું સાધન અને વેપાર થઈ શકે છે, અને થયાં છે. છતાં વર્તમાનપત્રો પાણીના નળની જેમ, સુધરાઈખાતાની જેમ, ટપાલખાતાની જેમ લોકસેવાનું અમૂલ્ય સાધન થઈ શકે છે. એ કમાવાનું સાધન માત્ર બને છે ત્યારે એ નખ્ખોદ વાળે છે. પરંતુ પોતાનો ખર્ચ કાઢતાં કાઢતાં એ સેવાનું સાધન બને છે, ત્યારે એ લોકજીવનનું આવશ્યક અંગ બને છે.”
Page #37
--------------------------------------------------------------------------
________________
૫
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ
યાસીન દલાલ
ભારતીય પત્રકારત્વમાં ગુજરાતી પત્રકારત્વનું પોતાનું એક આગવું સ્થાન રહ્યું છે. જેમ ગુજરાતે દેશને ઘણી બાબતોમાં દોરવણી આપી છે. એમ ગુજરાતી પત્રકારત્વે પણ દેશના પત્રકારત્વમાં ઘણી નવી કડીઓ કંડારી છે. ગુજરાતી પત્રકારત્વ પાસે ગૌરવ લઈ શકાય એવી ઘણી વસ્તુઓ છે. દેશનું જૂનામાં જૂનું અખબાર “મુંબઈ સમાચાર' ગુજરાતી ભાષામાં પ્રગટ થાય છે. ભારતમાં અખબારોના પ્રારંભકાળમાં પ્રાદેશિક ભાષાઓની બાબતમાં બંગાળીની સાથે ગુજરાતીમાં અખબારો પ્રગટ થયેલાં.
આઝાદી સંગ્રામમાં ગુજરાતી અખબારોએ આપેલો ફાળો નોંધપાત્ર રહ્યો છે. પશ્ચિમ ભારતમાં આઝાદીની લડતને મુખ્ય ટેકો પ્રાદેશિક અખબારોનો મળ્યો હતો. અને એમાં પણ ગુજરાતી અખબારોની ભૂમિકા ઉલ્લેખનીય રહી હતી. સ્વ. અમૃતલાલ શેઠ અને સામળદાસ ગાંધી જેવા એ સમયના મહાન પત્રકારોએ આઝાદીની લડતમાં સર્વસ્વ હોમી દીધું હતું અને અનેક યાતનાઓ વેઠીને વર્તમાનપત્રો ચલાવ્યાં હતાં. એ સમયે, “જન્મભૂમિ' અને ‘વંદેમાતરમ્' જેવા અખબારોએ ઇતિહાસ સર્જેલો.
આ જ રીતે, સૌરાષ્ટ્રમાં કેટલાંક રજવાડી રાજ્યોમાં થતા અન્યાયોની સામે અવાજ ઉઠાવવાની બાબતમાં અખબારોએ અગ્ર ભાગ ભજવેલો એ જાણીતી હકીકત છે. અન્યાયી રાજવીઓની સામે એ સમયના પત્રકારત્વે પ્રબળ લોકમત ઊભો કરેલો અને ભૂગર્ભ પ્રવૃત્તિ પણ ચલાવેલી. | ગુજરાતી અખબારોના ફેલાવાએ છેલ્લા દોઢબે દાયકામાં એક ચોક્કસ ગતિ પકડી છે. એ.બી.સી.ના અહેવાલ મુજબ ૧૯૭૫માં ગુજરાતી દૈનિકોનો કુલ ફેલાવો ૫,૯૩,૮૯૫ હતો, એ વધીને ૧૯૭૮માં ૭,૧૧,૮૮૩ સુધી પહોંચ્યો હતો. આમ ગુજરાતી પત્રોના ફેલાવામાં ત્રણ વર્ષના ગાળામાં લગભગ વીસેક ટકા જેટલો વધારો નોંધાયો. આ ગાળામાં જ કેટલાંક દૈનિકોએ તો પોતાના ફેલાવામાં પચાસ ટકાથી પણ વધુ પ્રગતિ કરી છે. આમ છતાં, ગુજરાતની લગભગ ચાર કરોડની વસ્તી જોતાં આ આંકડો જો કે વિક્રમજનક નથી જ, છતાં એનાથી એટલું તો સિદ્ધ થાય છે કે ગુજરાતી પત્રકારત્વ આજે વિકાસના નવા તબક્કામાં પ્રવેશ્ય છે. આજે ગુજરાત સમાચાર'નો અધિકૃત ફેલાવો સાત લાખ નકલોનો છે. - રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝપેપર્સના ૧૯૭રના અહેવાલ મુજબ ગુજરાતી ભાષામાં ત્યારે કુલ ૩૫ દૈનિકો પ્રસિદ્ધ થતાં હતાં. આ ઉપરાંત ૧૪૧ સાપ્તાહિકો હતાં.
Page #38
--------------------------------------------------------------------------
________________
" સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ [ ૩૭ ગુજરાતીમાં પ્રગટ થતાં કુલ વર્તમાનપત્રોનો આંકડો ૪૪૩નો હતો. આજની સ્થિતિની વાત કરીએ તો હાલ ગુજરાતી ભાષામાં કુલ ૧૦૪ જેટલાં દૈનિકો પ્રગટ થઈ રહ્યાં હોવાની માહિતી સાંપડે છે. ૧૯૭૪માં ગુજરાતીમાં કુલ ૪૪૧ પત્રો ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં હતાં, એમાંથી દૈનિકોનો આંકડો ૩૩નો હતો. એ જ વર્ષે કેરાલામાંથી ૪૮૧ પત્રો મલયાલમ ભાષામાં પ્રગટ થતાં હતા. મહારાષ્ટ્રનો આંકડો ૭૧૯નો હતો. મહારાષ્ટ્રમાં કુલ ૧૩૫ દૈનિકો પ્રસિદ્ધ થયાં હતાં. અત્યારે ગુજરાતીમાં ૮૫૦ સાપ્તાહિકો, ૮૭ પાક્ષિકો તથા ૫૦૪ માસિકો નીકળે છે.
પ્રથમ અખબારી પંચ ૧૯૫૪માં નિમાયું ત્યારે ભારતમાં દૈનિકોનો કુલ ફેલાવો પચીસ લાખનો હતો. આજે બીજા અખબારી પંચની કામગીરી ચાલુ છે ત્યારે દૈનિકોનો કુલ ફેલાવો લગભગ બે કરોડના આંક સુધી પહોંચ્યો છે.
૧૯૬૫થી ૧૯૭૫ સુધીના સમયગાળાને ગુજરાતી અખબારોની બાબતમાં ફેલાવાની દૃષ્ટિએ હરણફાળનો યુગ કહી શકાય. આ ગાળામાં ગુજરાતી દૈનિકોનો ફેલાવો લાખની સંખ્યાને આંબીને આગળ વધવા લાગ્યો. આ જ ગાળામાં માહિતીપ્રદ અને ઉત્તેજક લેખો ધરાવતાં સામયિકોનો ફેલાવો પણ કૂદકે ને ભૂસકે વધતો ગયો છે. આજે મુંબઈના એક સાપ્તાહિકનો ફેલાવો ત્રણ લાખની ઉપર પહોંચ્યો છે. બે ગુજરાતી દૈનિકોનો ફેલાવો પાંચ લાખથી ઉપર પહોંચ્યો છે. રાજકોટ જેવા નાના કેન્દ્રનું એક દૈનિક લાખની નકલની લગોલગ પહોંચ્યું છે. જોકે, ફેલાવામાં આ વધારો પણ સપ્રમાણ અને તંદુરસ્ત નથી. ચારથી પાંચ દૈનિકોનો ફેલાવો ખૂબ વધ્યો છે, ત્યારે કેટલાંકનો ફેલાવો ઘટ્યો પણ છે અને મોટી માછલી નાની માછલીને ગળી જાય એવું પણ બન્યું છે. હાલ ગુજરાતી દૈનિકોની કુલ રીડરશિપ ૪૬ લાખની હોવાનો અંદાજ છે. ૧૯૮૦માં ગુજરાતીમાં કુલ ૭૮૮ પત્રો નીકળતાં, એ આજે ૧૫૪૫ થયાં છે.
આની સાથે સાથે ૧૯૭૦ના અરસામાં ગુજરાતી અખબારોના કલેવર ઉપર પણ મોટી અસર થઈ. પાનાં વધ્યાં, રવિવાર અને બુધવારની જુદી જુદી રંગબેરંગી પૂર્તિઓ બહાર પડવા લાગી, થોકબંધ વિષયો ઉપર લેખો છપાવા લાગ્યા. તસવીરો અને કાર્ટુનોનું પ્રમાણ અને ધોરણ પણ સુધર્યું. આ અરસામાં વૃત્તાંતનિવેદનનું ધોરણ પણ ઠીકઠીક ઊંચું જતું ગયું. ૧૯૮૦ના દાયકામાં આ વલણ ચાલુ રહ્યું.
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વની કામગીરીને વિસ્તરણ, કલેવર અને ગુણવત્તા એવા વિભાગોમાં વહેંચીએ તો પ્રથમ બે મુદ્દાઓની બાબતમાં ગુજરાતી પત્રકારત્વે સિદ્ધિનાં શિખરો સર કર્યા છે, એમ કહીએ તો ચાલે. ફેલાવાની વાત આગળ કરી છે, ફેલાવાની સાથે અખબારોનું કદ પણ વધ્યું છે, અને પાનાની સંખ્યામાં એનું પ્રતિબિંબ પડ્યું છે. એક સમયે ચારથી છ પાનાથી દૈનિકો સંતોષ માનતાં. આજે દરરોજ ૧૦ થી ૨૦ પાનાં આપવાં સામાન્ય થઈ પડ્યું છે. મોટા
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૮ | ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું ભાગના દૈનિકો પોતાનાં માસ્ટરહેડ દરરોજ જુદા જુદા રંગોમાં છાપે છે. રવિવારની પૂર્તિઓ હવે બહુરંગી બનાવાય છે અને એમાં લે-આઉટની અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પૂર્તિની વાચનસામગ્રીમાં પણ અભૂતપૂર્વ વૈવિધ્ય જોવા મળે છે અને ઘરના સૌ સભ્યોને કોઈ ને કોઈ લેખ પોતાના રસ અને રુચિ પ્રમાણેનો મળી આવે એવું આયોજન થાય છે. મોટા ભાગનાં દૈનિકો હવે ફોટો ટાઇપસેટિંગ તરફ વળ્યા હોવાથી ઓછી જગ્યામાં વધુ સામગ્રી સમાવવાનું શક્ય બને છે. માહિતીપ્રદ સામયિકો હવે ઑફસેટ ઉપર છપાય છે અને અત્યારે ઓફસેટનો યુગ જામી રહ્યો છે એમ કહી શકાય. રાજકોટનું દૈનિક “જયહિંદ' ઓફસેટ ઉપર છપાતું પશ્ચિમ ભારતનું કદાચ પ્રથમ દૈનિક હતું. કમ્પોઝની બાબતમાં પણ હવે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. ધીમે ધીમે ફોટો કમ્પોઝ પદ્ધતિનું વિસ્તરણ થતાં પત્રકારત્વની દુનિયામાં હજી નવા પ્રયોગો, નવાં કલેવર જોવા મળશે એ નિઃશંક છે. વૃત્તાંતનિવેદકો હવે સીધા કૉપ્યુટર પર બેસીને અહેવાલ તૈયાર કરે છે.
વૃત્તાંતનિવેદનની બાબતમાં પણ છેલ્લાં પંદરેક વર્ષમાં ગુજરાતી પત્રકારત્વે સારી એવી પ્રગતિ કરી છે એમ નિઃસંકોચ કહી શકાય. દૈનિકોના વૃત્તાંતનિવેદકોની સંખ્યા વધી છે અને જિલ્લાવાર તેમજ પ્રદેશવાર જુદા જુદા પ્રતિનિધિઓ નીમવાની વ્યવસ્થા અમલમાં આવી છે. અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવાં અગત્યના શહેરોમાં ખાસ પૂર્ણ રિપોર્ટરો ઘણાં દૈનિકોએ નિયુક્ત કર્યા છે, અને દિલ્હીની અંતરંગ ઘટનાઓ તથા સમાચારની ભીતરમાં સમાચાર મેળવી આપવામાં આ રિપોર્ટરોએ ઘણા કિસ્સાઓમાં નોંધપાત્ર કુશળતા દાખવી છે. મોરારજીભાઈના ૧૯૭૭ના ઉપવાસ પ્રસંગે જન્મભૂમિ'ના દિલ્હી ખાતેના પ્રતિનિધિએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. દિલ્હીની રાજકીય ઘટનાઓના અંતરંગ આપવાની બાબતમાં ગુજરાતી અખબારો બીજી ઘણી ભાષાનાં અખબારોની આગળ નીકળી જાય એમ છે. કેટલાંક ગુજરાતી દૈનિકોના આવા અહેવાલો અને અગ્રલેખોમાં વ્યક્ત થતા અભિપ્રાયોનો પડઘો દિલ્હીમાં પડતો થયો છે એ એક ગૌરવ લેવા જેવી પ્રક્રિયા છે. રવિવાર ઉપરાંત સોમવાર અને બુધવારે અમદાવાદનાં દૈનિકો ખાસ વિષયો ઉપર લેખો પ્રગટ કરે છે અને વાચક વાંચતાં થાકી જાય એટલી માહિતી પીરસે છે. જિલ્લા મથકોને ઘણાં દૈનિકો કૉપ્યુટરથી સાંકળી લે છે.
એક જમાનામાં દૈનિક પત્ર દૂરનાં સ્થળોએ સાંજે અથવા બીજા દિવસે સવારે ટ્રેનમાં પહોંચતું. આજે અમદાવાદનું દૈનિક છેક પોરબંદર અને વેરાવળ સુધી સવારમાં જ પહોંચી જાય છે. સંખ્યાબંધ દૈનિકોએ આજે પોતાની જુદી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઊભી કરી છે અને પોતાની ટૅક્સીઓ દ્વારા સવાર પડતાં જ ગામેગામ અખબાર પહોંચતું થાય એવી રચના કરી છે. આને લીધે લોકોને તાજા સમાચારો તરત જ મળતા થાય છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ [ ૩૯ ગુજરાતી પત્રકારત્વે વિસ્તરણ સારું એવું કર્યું છે, એમ સ્વીકાર્યા પછી એ સત્યની પણ જેને યાદી અપાવવી પડે છે કે વિસ્તરણ એ વિકાસનો પર્યાય નથી. આજે ગુજરાતી ભાષાનું છાપું ગામડે ગામડે અને ઘરે ઘરે પહોંચતું જરૂર થયું છે, પણ ફેલાવાની સાથે સાથે ગુણવત્તા જાળવવાનું કપરું કામ એનાથી બહુ સિદ્ધ થયું નથી. ગુજરાતી પત્રકારત્વનું આયુષ્ય દોઢસોએક વર્ષનું થયું છે અને એ દોઢસો વર્ષના ગાળામાં એણે ઘણાં નવાં શિખરો શર કર્યા છે, પણ હજી ઘણી બાબતોમાં અપેક્ષાઓ પૂરી કરવાનું બાકી છે. આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને લોકોની વાચનભૂખ ઊઘડી છે, પણ આ વધેલી વાચનભૂખને એણે મહદંશે ઉત્તેજક અને અરુચિકર સામગ્રી વડે સંતોષી છે. અખબારની એક મહત્ત્વની કામગીરી પ્રજાના સંસ્કારઘડતરની છે. આ બાબતમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વની ભૂમિકા ચર્ચાસ્પદ છે. થોડા સમય પહેલાં આપણા બંધારણમાં લોકોના અધિકારોની સાથે ફરજો ઉમેરવામાં આવી હતી, અને એમાંની એક ફરજ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ વિકસાવવા અંગેની હતી. આમ છતાં, ગુજરાતી દૈનિકો જ્યોતિષ ઉપરાંત ચમત્કારોની કથાઓ પાનાં ભરીને છાપ્ય જાય છે. અખબારને લોકશાહીનો પ્રહરી કહેવામાં આવે છે, અને લોકશાહીમાં લોકમત ઘડવાની સાથે લોકરુચિનું પણ ઘડતર કરવાની અઘરી જવાબદારી અખબારે નિભાવવાની હોય છે.
સ્વાતંત્ર્ય પૂર્વેનું સમગ્ર ભારતીય પત્રકારત્વ મહદંશે પ્રયોજનપ્રધાન હતું અને ગુજરાતી પત્રકારત્વના વિકાસની સાથે અઝાદીની લડત એ સમયે જોડાયેલી રહી હતી. આથી, એ સમયનાં અખબારોમાં રાજકીય ઘટનાઓનું પ્રાચર્ય સ્વાભાવિકપણે જ રહ્યું. પરંતુ સ્વાતંત્ર્ય પછી પેલો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થઈ જતાં, અખબારો થોડો સમય સુધી તો ધ્યેયહીન અને દિશાહીન બનીને ભટકતાં રહ્યાં. એ પછી ધીમે ધીમે વિકાસશીલ દેશોના પ્રશ્નોની ભૂમિકા કંઈક બંધાઈ, પણ રાજકારણનું પ્રમાણ ઘટવાને બદલે વધતું ગયું. આજનાં અખબારોને “રાજકારણ-ગ્રસ્ત” કહી શકાય. એટલી હદે રાજકીય ઘટનાઓનું સ્થાન એમાં વધ્યું છે. બીજી તરફ સાહિત્ય અને સંસ્કારની પ્રવૃત્તિઓનું કવરેજ' સતત ઘટતું રહ્યું છે. આજે ગુજરાતી અખબારોમાં સાહિત્યિક કટારોનું પ્રમાણ પહેલાં કદી નહોતું એટલું નીચું ગયું છે. કોઈ જાણીતા વિચારક કે લેખકનું ભાષણ છાપામાં છપાયેલું જોવું એ સ્વપ્નવત્ બની ગયું છે. કોઈ નેતા કે પ્રધાન મંદિરમાં દર્શને જાય તો એને પણ મોટી ઘટના માનીને અખબારો પ્રથમ પાને એની તસવીર છાપે છે, પણ કેળવણી કે સાહિત્યના વિષયમાં બનેલી મોટી ઘટનાની નોંધ સુધ્ધાં લેતા નથી. ફિલ્મજગતની ગપસપથી કૉલમો ભરી દેવાય છે, પણ ફિલ્મના માધ્યમની “એકેડેમિક ચર્ચા કરતા લેખો જોવા મળતા નથી. ફિલ્મોની સમીક્ષાએ પણ મોટા ભાગનાં દૈનિકોમાંથી વિદાય લીધી છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦ ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
મહત્ત્વનાં કેન્દ્રોમાં ખાસ સંવાદદાતાઓ નીમવા છતાં સમાચારોના સંકલનની બાબતમાં ગુજરાતી અખબારોમાં ખાસ આયોજન જોવા મળતું નથી. મહત્ત્વની ઘટનાઓના રિપોર્ટિંગની બાબતમાં “ફોલો અપ” અહેવાલો જોવા મળતા નથી. કોઈવાર ઈરાનની ઘટનાઓ અંગે આખું પાનું ભરીને અહેવાલ જોવા મળે, પણ પછી દિવસો સુધી ઈરાન અંગે એક લીટી પણ વાંચવા ન મળે. લેખો સામાન્ય રીતે લીડર પેઈજ ઉપર ગોઠવવાની પરંપરા છે, પણ ઘણાં ગુજરાતી પત્રો મહત્ત્વના લેખોને ગમે એ પાને મૂકી દે છે. વાચકોના પત્રોની બાબતમાં તો લગભગ ઉદાસીનતા જોવા મળે છે. એકાદ-બે ગુજરાતી પત્રોને બાદ કરતાં મહત્ત્વના પ્રશ્નો ઉપર વાચકોના પત્રોના વિભાગમાં ચર્ચા જામી હોય એવું બનતું નથી.
છેલ્લા દોઢ દાયકામાં બનેલી કેટલીક ઘટનાઓ નોંધપાત્ર છે. “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ની ગુજરાતી આવૃત્તિ ૧૯૮૮માં શરૂ થઈ, પણ ટૂંકા ગાળામાં (૧૯૯૩માં) બંધ થઈ ગઈ. એ જ જૂથનું મહિલા સામયિક “ફેમિના' પણ ગુજરાતીમાં આવ્યું, અને બંધ થયું. પણ, દિલ્હીના એક જૂથનું “ગૃહશોભા' ચાલી રહ્યું છે. જાણીતું હિન્દી સામયિક “મનોહર કહાનિયાં” પણ ગુજરાતીમાં આવી ચૂક્યું છે. “ઇન્ડિયા ટુ ડે'ની ગુજરાતી આવૃત્તિ પાક્ષિક હતી. એ હવે સાપ્તાહિક બની રહી છે. સુરતનું જન્મભૂમિ જૂથનું બપોરનું દૈનિક “પ્રતાપ' '૯૧માં બંધ થયું. તાજેતરમાં ઇન્ડિયન એક્સપ્રેસ જૂથનું પાક્ષિક “રંગતરંગ' પણ બંધ થયું છે. “જન્મભૂમિ'ની ગુજરાતી આવૃત્તિ ગાંધીનગરથી નીકળી પણ ચાલી નહીં. ‘ચિત્રલેખા” અને “અભિયાન' શ્રેણીમાં નીકળતું મુંબઈનું યુવદર્શન બંધ થયું, પણ અમદાવાદથી એ પ્રકારનું સાપ્તાહિક નેટવર્ક શરૂ થયું છે. “અખંડ આનંદ', 'નિરીક્ષક”, “કુમાર” વગેરે બંધ થઈને ફરીથી શરૂ થયાં છે. સાહિત્યિક સામયિકોમાં પ્રત્યક્ષ” અને “ઉદ્દેશ'નો ઉમેરો થયો છે. ૧૯૮૫માં દૈનિક સમભાવ' અમદાવાદથી શરૂ થયું.
સ્વાતંત્ર્ય પછીના પત્રકારત્વમાં એક મોટો ફેરફાર એ થયો કે એ માત્ર સેવાક્ષેત્ર ન બની રહેતાં વ્યવસાય બનતો ગયો, અને વ્યવસાયમાંથી ઉદ્યોગ તરફ એની ગતિ થઈ. ઉદ્યોગોમાં નફો કરવાનું મુખ્ય ધ્યેય હોય છે. આમ અખબારોનું સમગ્ર માળખું બદલાતું ગયું અને દૈનિક અખબારો તો મોટા ઉદ્યોગપતિઓના જ હાથમાં જઈ પડ્યાં. સ્વાતંત્ર્ય પહેલાં અખબારનવેશનું કે પત્રકારનું જે સ્થાન હતું, એ ધીમે ધીમે અખબારના માલિકે લઈ લીધું. સ્વાતંત્ર્ય પછીના પત્રકારત્વ ઉપર આ હકીકતે ઘણી મોટી અસર પાડી છે. આવી બીજી અસરકારક ઘટના દેશના તખ્તા ઉપર રાજકારણીઓના વધેલા પ્રભાવની છે. આ પ્રભાવે પણ પત્રકારત્વ ઉપર મોટી અસર પાડી અને ખૂબ ફેલાવો ધરાવતાં મોટાં દૈનિકોનાં નામો કોઈ ને કોઈ રાજકીય પક્ષ કે નેતાની સાથે જોડાવા
Page #42
--------------------------------------------------------------------------
________________
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ
લાગ્યાં. છેલ્લાં દસેક વર્ષમાં રાજકારણીઓનો આ પ્રભાવ વધ્યો છે. કટોકટીના અરસામાં આ પ્રભાવ તદ્દન સપાટી ઉપર ઊપસી આવ્યો અને પક્ષોની અસંરની રેખા બિલકુલ સાફ દેખાવા લાગી. આ બધાં પરિબળોને લીધે ગુણાત્મક રીતે અખબારોને સહન કરવું પડ્યું છે. પત્રકારનું તાટસ્થ્ય જોખમાયું છે અને એટલે અંશે પત્રકારત્વની વિશ્વસનીયતા ઘટી છે. અનુભવે દર્શાવ્યું છે કે આપણું પત્રકારત્વ એના સ્વાતંત્ર્ય ઉપર તરાપ આવે છે જ્યારે એનો અસરકારક સામનો નથી કરી શકતું અને એને આઝાદી મળે છે ત્યારે પચાવી નથી શકતું. ગુજરાતી પત્રકારત્વને આ વિશેષ લાગુ પડે છે.
આજના ગુજરાતી પત્રકારત્વની સૌથી મોટી ઊણપ એ છે કે આપણી પાસે સંપૂર્ણ કહી શકાય એવું એક પણ દૈનિક કે સામયિક નથી. બે-ત્રણ ગુજરાતી દૈનિકો વાંચી નાખ્યા પછી પણ આપણે સંતોષ અનુભવી શકતા નથી અને એકાદ અંગ્રેજી છાપું હાથમાં લેવું જ પડે. આ કોઈ સુખદ સ્થિતિ નથી. ગુજરાતી અખબારો સમાચાર અને ફીચરની બાબતમાં સમતુલા જાળવી શકતાં નથી. અમદાવાદનાં અખબારો સમાચા૨ને ભોગે લેખોને ચમકાવે છે અને રાજકોટનાં અખબારો આ બંનેની વચ્ચે સમતુલા જાળવવાનો થોડો પ્રયત્ન કરે છે. આંત૨૨ાષ્ટ્રીય સમાચારોનું પ્રમાણ ગુજરાતી અખબારોમાં ઘણું અપૂરતું હોય છે એવી સામાન્ય ફરિયાદ છે. સર્વેક્ષણ ઉપરથી જણાયું છે કે મુંબઈનાં દૈનિકો ચારથી સાત ટકા આંત૨૨ાષ્ટ્રીય સમાચારો છાપે છે, ત્યારે અમદાવાદ અને રાજકોટનાં દૈનિકો માંડ દોઢથી બે ટકા જગ્યા આંત૨રાષ્ટ્રીય સમાચારો માટે ફાળવે છે. અમદાવાદનાં મોટો ફેલાવો ધરાવતાં દૈનિકો તંત્રીલેખ માટે સરેરાશ ફક્ત ૫૦ સેન્ટિમીટર જગ્યા ફાળવે છે.
૩ ૪૧
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વની સમીક્ષા કરતી વખતે સામયિકોનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. અગાઉ નિર્દેશ કર્યો છે એમ, આજે માહિતીપ્રદ અને ઉત્તેજક લખાણ પીરસતાં સાપ્તાહિકોની સંખ્યા અને ફેલાવો ખૂબ વધ્યાં છે, અને એનું મુદ્રણ અદ્યતન ઑફર્સટ પદ્ધતિ ઉપર થવા માંડ્યું છે. મુખપૃષ્ઠ બહુરંગી જોવા મળે છે, એમ અંદર પણ બહુરંગી તસવીરો છપાય છે. આવાં બે ગુજરાતી સાપ્તાહિકોનો ફેલાવો એક લાખ નકલથી ઉપર ગયો છે. બીજી તરફ શિષ્ટ અને સંસ્કારઘડતર કરે તથા સાહિત્યિક, સાંસ્કૃતિક પ્રકારની સામગ્રી પીરસે એવાં સામયિકોનો ફેલાવો દૈનિકોના ફેલાવાની સાથે વધવો જોઈએ, એના બદલે ખૂબ ઘટ્યો છે: ‘મિલાપેં' બંધ પડ્યું ત્યારે
આ પરિસ્થિતિની એકાએક આઘાત સાથે જાણ થયેલી, પણ આજે પણ શિષ્ટ સામયિકોના ફેલાવામાં થઈ રહેલા ઘટાડાની પ્રક્રિયા ચાલુ જ છે. આ સ્થિતિ ખૂબ શોચનીય છે. આ પ્રક્રિયા દેશવ્યાપી કે વિશ્વવ્યાપી છે એમ કહીને આશ્વાસન લઈ શકાય એમ નથી. મરાઠી અને મલયાલમ ભાષાઓમાં આવાં સામયિકો આજે પણ ગર્વભેર ટકી રહ્યાં છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૨ ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
બીજી બાજુ માહિતીપ્રદ સાપ્તાહિકોમાંથી મોટા ભાગનાનું ધોરણ સારું એવું નીચું રહ્યું છે અને માત્ર ઉત્તેજક લખાણો આપીને ફેલાવો વધારવા તરફનું વલણ એમણે દર્શાવ્યું છે. આ સાપ્તાહિકો માહિતીનો ઢગલો કરી દે છે એ વાત સાચી, પણ ગાંધીજીએ કહ્યું હતું એમ “પત્રકારત્વનું કામ લોકોને શિક્ષણ આપવાનું છે, નહીં કે, લોકોના મગજમાં ખપતી અને અણખપતી માહિતી ઠસોઠસ ભરી દેવાનું.” અલબત્ત, આમાં મુંબઈનાં બે સાપ્તાહિકોએ પોતાનું ધોરણ ઠીકઠીક સુધાર્યું છે અને રિપોર્ટિંગને વધુ અધિકૃત બનાવવાના પ્રયત્ન કર્યા છે એની નોંધ લેવી રહી. ‘ઇન્ડિયા ટુ ડે” હવે ગુજરાતીમાં પણ બહાર પડે છે.
સમગ્ર ભારતીય પત્રકારત્વ અને ગુજરાતી પત્રકારત્વ અંગે કહી શકાય કે માલિકો અને રાજકારણીઓનાં હિતોની પાસે વાચકના હિતનો ભોગ ધરાઈ રહ્યો છે. બઢ઼ડ રસેલે એક વાર કહ્યું હતું કે, કોઈ પણ સંસ્થા પોતાની પ્રજાને શું આપે છે, પોતાના પરિવારના સભ્યોને શું આપે છે, અને અંતે પોતાના નેતાને શું આપે છે એના ઉપર એની સફળતાનો આધાર રહે છે. એના કહેવા મુજબ, ઘણી વાર, આમાંથી ત્રીજી શરત આગલી બે શરતોને ઢાંકી દેતી હોય છે. આપણા પત્રકારત્વની બાબતમાં આમ જ બની રહ્યું છે.
અખબારોની ભૂમિકા અને કાર્યક્ષેત્ર વિષે આજે ભાગ્યે જ કોઈ વિવાદ રહ્યો છે. ગુજરાતી અખબારોની વિકાસની શક્યતા અંગે પણ બે મત નથી. લોકમતને પ્રભાવિત કરનાર સૌથી અસરકારક શસ્ત્ર તરીકે એની ક્ષમતા પણ નિર્વિવાદ છે. રાષ્ટ્રના અર્થતંત્રમાં એક વ્યવસાય કે ઉદ્યોગ તરીકે એણે ભજવવાના ભાગ અંગે પણ કોઈ દલીલ નથી. પ્રશ્ન માત્ર એટલો જ છે કે આટલી વિશાળ શક્યતાઓની પશ્ચાભૂમિકામાં આપણું પત્રકારત્વ સંતુલિત નીતિ જાળવી રાખીને, તથા ઉદ્યોગની સાથે સાથે સેવાવૃત્તિનું પાસું પણ બીજામાં લઈને એ રાષ્ટ્રની અને ખાસ તો લોકશાહીની વિકાસયાત્રામાં કદમ મિલાવે છે કે કેમ. અખબારોએ આપણને રાજકીય સ્વાતંત્ર્ય અપાવ્યું પણ વાણીનું સ્વાતંત્ર્ય અણીને સમયે એ જાળવી શકશે કે કેમ એ શંકાની વાત છે.
ગુજરાતી અખબારોએ છેલ્લા દોઢ દાયકામાં અસાધારણ ફેલાવો સાધ્યો છે અને સાજસજ્જા, લે-આઉટ, મુદ્રણ વગેરેમાં નવાં સીમાચિહ્નો સર કર્યા છે. હવે આ ક્ષેત્રમાંની સિદ્ધિઓને મજબૂત કરીને એણે ગુણલક્ષી બાબતો ઉપર ધ્યાન આપવાનો સમય પાક્યો છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૬
ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદન
જ્યવદન પટેલ
n
આજનો આપણો યુગ અખબાર યુગ છે, અખબાર છેક દૂર-દૂરનાં ગામડાં સુધી પહોંચી ગયું છે. શિક્ષણનો પ્રચાર અને પ્રસાર વધતો જાય છે, એમ એમ અખબારનો વિસ્તાર અને એની અસર પણ વધતાં જ જાય છે. અખબારે એનું સામર્થ્ય અને એની તાકાત સિદ્ધ કરી બતાવેલાં હોઈ, એ સત્તાના ચોથા સ્તંભનું બિરુદ પામેલ છે. સ્વાતંત્ર્ય પૂર્વેના કાળમાં અને સ્વાતંત્ર્ય પછીના સમયમાં અખબાર એની શક્તિનો પરચો એની પોતાની રીતે આપતું જ રહ્યું છે. લોકમત ઘડવાની દિશામાં કે લોકઅવાજ ઊભો કરવાની બાબતમાં અખબાર એક અસરકારક અને પ્રબળ માધ્યમ પુરવાર થયું છે.
સમાચાર અથવા તો વૃત્તાંત એ કોઈ પણ પત્રનું – કોઈ પણ અખબારનું ફેફરું છે, સમાચાર એ અખબારનો પ્રાણવાયુ છે. સમાચારના પાયા પર અખબારની બાંધણી થાય છે, એની સધ્ધરતા ઊભી થાય છે. આજનું અખબાર સમાચારો સિવાય પણ ઘણું બધું આપે છે, પણ સમાચાર એ એનું અનિવાર્ય અંગ છે. સમાચાર વિભાગ નબળો હોય તો એ અખબારનું એક મહત્ત્વનું અંગ લકવાનો ભોગ બની ગયું છે, એમ કહીએ તો ખોટું નથી. સમાચાર વિભાગ જેટલો સમૃદ્ધ એટલું અખબાર સમૃદ્ધ. સમાચાર વિભાગ જેટલો તટસ્થ અને તંદુરસ્ત એટલું અખબાર શક્તિશાળી. કારણ કે અખબારનું પ્રધાન કાર્ય તો લોકોને સમાચાર પૂરા પાડવાનું છે. સમાચાર અથવા વૃત્ત એ જ એનો પ્રધાન હેતુ છે. એટલે કોઈ પણ અખબારમાં વૃત્તાંતનિવેદકની કામગીરી પાયાની કામગીરી ગણાય છે.
કોઈ પણ અખબારના પાયારૂપ સમાચારની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા હોય તો એમ કહી શકાય કે, ક્યાંક પણ બનેલા મહત્ત્વના તાજા બનાવનો ચોક્કસ અને પૂર્વગ્રહથી મુક્ત એવો અહેવાલ કે જે વાંચવાને, જાણવાને લોકો ઉત્સુક હોય. બીજા શબ્દોમાં કહીએ તો જે ઘટના બની છે, અથવા કોઈ પણ ક્ષેત્રે કોઈ બનાવ બન્યો હોય એ અંગેની ચોક્કસ, સંપૂર્ણ, તટસ્થ અને તાજી સમયસરની માહિતી એ
સમાચાર.
આજે દિશા અને કાળનાં અંતર ઘટ્યાં છે. માનવી એકંબીજાની વધુ નજીક આવ્યો છે; દૂર દૂરનાં, દેશ-દેશનાં હિતો અને પ્રશ્નો પણ હવે તો એક બીજા સાથે ગૂંથાતાં જાય છે; એટલે જુદા જુદા દેશ, જુદા જુદા સમાજો એકબીજા સાથે ૨સ લેતા થયા છે. રાજકીય જાગૃતિ અને સભાનતા પણ પ્રગટી છે. રાજકારણ માણસના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે. વસ્તી વધતી જાય છે, વિજ્ઞાન વિકસતું જાય
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૪ D ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
છે અને ત્યારે અવનવા અને તરેહ-તરેહના બનાવોનું પ્રમાણ પણ વધતું જાય છે. એ સ્થિતિમાં સમાચાર એ માણસ-માણસને એકબીજા સાથે જોડવાનો એક સેતુ બની જાય છે. દુનિયાના કોઈ એક ખૂણે બનેલી ઘટના, દુનિયાના બીજા ખૂણે સંવેદના ઊભી કરી જાય છે, અને પરિણામે વૃત્તાંતનિવેદનનું ફલક પણ હવે વિસ્તરતું જાય છે, ભવિષ્યમાં પણ એનો વ્યાપ અને એનું મહત્ત્વ વધતાં જ રહેવાનાં છે.
એટલે જ, કોઈ પણ પત્રનું અનિવાર્ય અંગ એનો વૃત્તાંતનિવેદક હોય છે. એક કાળે જેમ, કવિઓ જન્મજાત હોવાનો દાવો કરવામાં આવતો હતો, એમ એવું પણ કહેવાતું કે પત્રકાર બનતો નથી, જન્મતો હોય છે. એમાં અંશતઃ સત્ય રહેલું છે એની ના પાડી શકાય નહીં. પહેલી વાત તો એ છે કે પત્રકારમાં પત્રકારત્વ માટેની અંદરની રુચિ હોવી જોઈએ, અંત૨નો ૨સ હોવો જોઈએ, એના લોહીમાં અભિરુચિ ઊતરવી જોઈએ; આ રસરુચિની સાથે જરૂરી તાલીમનો સમન્વય આવશ્યક છે. જન્મજાત કહેવાતા વૃત્તાંતનિવેદકે પણ અખબારી સંદર્ભમાં આવશ્યક તાલીમ મેળવેલી હોય તો એ વૃત્તાંતનિવેદક, સફળ વૃત્તાંતનિવેદક બની શકે છે. સફળ વૃત્તાંતનિવેદક થવા માટે જિજ્ઞાસાવૃત્તિ, કુતૂહલવૃત્તિ, સાહસિકતા, સભાનતા, નીડરતા, નિ:સંકોચપણું, આત્મશ્રદ્ધા વગેરે ગુણો તો જરૂરી છે જ; સાથે સાથે ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ, સંવેદનશીલ અને ધારદાર કલમ હોવી જોઈએ. સમાચારનું ડ્રાફ્ટિંગ આકર્ષક અને અસરકારક હોવું જોઈએ, શૈલી અને રજૂઆતમાં પણ વૃત્તાંતનિવેદકની પોતાની આગવી વિશેષતા હોવી જોઈએ. કઈ ઘટનાને સમાચાર કહી શકાય, અને એ ઘટનાને કેવો ઘાટ આપી, કેવા સ્વરૂપમાં અખબારમાં ચમકાવી શકાય એ બધી કળાઓ પણ કુશળ વૃત્તાંતનિવેદકમાં હોવી જોઈએ. કોઈ પણ જગાએથી સમાચારની ગંધ પારખી લેવાનો ગુણ – અને સમાચા૨નું પગેરું મેળવી સમાચારને શોધી કાઢવાનો કસબ પણ વૃત્તાંતનિવેદક પાસે હોવો જોઈએ. ઘટનાઓ તો ચોપાસ બનતી જ હોય છે, પણ એમાંની કઈ ઘટના સમાચાર બની શકે, એ પારખી કાઢવાની શક્તિને જ અંગ્રેજીમાં ‘નોઝ ફૉર ધી ન્યૂઝ’ કહે છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી, ખાસ કરીને ૧૯૫૪-૫૫ પછી, રાજકારણ અને સમાજજીવનમાં નવાં નવાં પરિવર્તનો ઊભાં થવા માંડ્યાં. કેટલાક સામાજિક મૂલ્યો અને નીતિમત્તાનાં ધોરણો પર પણ એની અસર થવા માંડી, એમ પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદકની રીતિ-નીતિ, રૂપ-રંગ અને રંગઢંગમાં પણ પરિવર્તન થવા માંડ્યું. મોટા ભાગનાં અખબારોએ તટસ્થતા, સમતોલપણું અને સ્વાસ્થતા ગુમાવવા માંડી અને અગાઉ અખબારો ચોક્કસ પ્રકારના ઉમદા ‘મિશન’ને નજરમાં રાખીને ચાલતાં હતાં, એ ‘કૉમર્શિયલ’ બનતાં ગયાં. રિપૉર્ટિંગની કામગીરીમાં પણ પોતાને ગમતી-ન ગમતી રીતે સમાચારોને ‘મચડવાની’ એક પદ્ધતિ-સ્ટાઇલ શરૂ થઈ. રાજકારણની ઘટના હોય કે કોઈ સામાજિક ઘટના હોય, પણ પોતાની અંગત રુચિ કે અંગત ખ્યાલો મુજબ એને ઘાટ આપવાનું શરૂ થયું. રાજકારણમાં પણ ચોક્કસ નિશાનને નજ૨માં
Page #46
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદન ૪૫ રાખીને જ વૃત્તાંતનિવેદન કરવાનું પણ શરૂ થયું. આ બધાંને કારણે વૃત્તાંતનિવેદન અંગે શુદ્ધિ અને આચાર બાજુ પર મુકાઈ ગયાં. પરિણામ એ આવ્યું કે રિપૉટિંગનું ધોરણ નીચું ઊતરતું ગયું છે. સાચું રાજકીય ચિત્ર જાણવું હોય તો વાચકને ત્રણ-ચાર જુદાંજુદાં અખબારો વાંચવાં પડે છે, અને સામાન્ય વાચક તો જુદી જુદી નીતિ ધરાવતાં જુદાં જુદાં અખબારોમાં, એકની એક વાત, જુદી જુદી રીતે આલેખાયેલી જોઈને દ્વિધામાં પડી જાય છે કે ગેરસમજનો ભોગ બને છે. આ માટે પત્રસંચાલકોએ સ્વીકારેલી નીતિ જેટલી જવાબદાર છે એટલા જ વૃત્તાંતનિવેદકો પણ જવાબદાર છે.
જોકે, એ વાત સાચી કે વૃત્તાંતનિવેદનની શૈલી અને રજૂઆત અંગેની કલા છેલ્લા ત્રણ દાયકાથી ખીલી છે. વૃત્તાંતનિવેદનને પણ સાહિત્યિક સ્પર્શ આપવાનો પ્રયાસ કોઈ કોઈ અખબારમાં જોવા મળે છે. વૃત્તાંતનિવેદનને સાહિત્યિક સ્પર્શ મળતાં સમાચાર આકર્ષક બની જાય છે, વાચકના હૃદયમાં સંવેદના પ્રગટાવી જાય છે. અનુભવે મેં જોયું છે કે પત્રકાર સાહિત્યના રંગથી રંગાયેલો હોય, પત્રકારની સાથે સાથે એ સાહિત્યકાર પણ હોય તો એ પત્રકારત્વનો – એના લેખનનો રંગ ઑર જ હોય છે. એવા વૃત્તાંતનિવેદકે લખેલા સમાચાર કે લેખ પ્રજાના હૈયામાં સીધા જ આરપાર ઊતરી જાય છે અને ધારી અસર ઊભી કરે છે. અગાઉ વૃત્તાંતનિવેદનમાં લખેલા હેવાલ સીધા, સરળ, કોઈ પણ રંગરોગાન વિનાના, કે કલ્પનાના સ્પર્શ વગરના લાગતા હતા, એ અહેવાલો માત્ર અહેવાલો જ હતા, માહિતી જ હતી; એટલે એમાં શુષ્કતા જણાતી હતી; પણ આજના સાંપ્રત અખબારો જોઈશું તો એમાં વૃત્તાંતનિવેદનની કલા ખીલતી જોવા મળે છે, વૈવિધ્ય જોવા મળે છે, લાલિત્ય જોવા મળે છે.
શિક્ષણ, વિજ્ઞાન, રાજકારણ, અર્થકારણ એ બધાંનો વિકાસ થતો જાય છે, એમ એમ સમાજજીવન અને જાહેર જીવનમાં પણ અનેકવિધ દિશાઓ ઊઘડે છે. પ્રવૃત્તિઓ ધબકે છે, ઘટનાઓ બને છે. એમ એમ વૃત્તાંતનિવેદનનું ક્ષેત્ર પણ વિસ્તરતું જાય છે. અને એ રીતે વૃત્તાંતનિવેદનની કામગીરીના પણ વિભાગો ઊભા કરવામાં આવ્યા છે, જેમ કે પોલીસ-કોર્ટનું રિપોર્ટિંગ, રાજકીય પક્ષોનું રિપોર્ટિંગ, શિક્ષણ સંસ્થાઓનું રિપોર્ટિંગ, મજૂર પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રનું રિપોર્ટિંગ, સરકારી કચેરીઓનું રિપોર્ટિંગ, સાંસ્કૃતિક અને કલાની પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ વગેરે વગેરે.
આ કામગીરી દરેક વૃત્તાંતનિવેદકને એના અભ્યાસ, રસ અને રુચિ મુજબ વહેંચાયેલી હોય છે તો એમાં સફળતા સારી મળે છે. પોતાના અંગત રસ અને અંગત અભિગમ જે વિષયમાં હોય એમાં એ વધુ સફળ બને છે. પણ આજકાલ કેટલાંક અખબારોમાં ગમે એ વૃત્તાંતનિવેદકને ગમે એ કામગીરી સોંપાય છે ત્યારે એના અહેવાલોમાં અસરકારકતા જોવા મળતી નથી, જીવંતપણું જોવા મળતું નથી.
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૭
| ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
સમાચારમાં કે અહેવાલમાં સશક્તપણું કે અસરકારકતા ત્યારે જ આવે કે વૃત્તાંતનિવેદકે એમાં દિલથી કામ કર્યું હોય. આજકાલ ગુજરાતી પત્રોમાં, વૃત્તાંતનિવેદનના ક્ષેત્રે નવી નવી શક્તિઓ ઘણી આવે છે, નવી કલમો અને નવું લોહી પણ આવતું જાય છે. કોઈ પણ ક્ષેત્રમાં કે કોઈ પણ વ્યવસાયમાં જ્યારે નવી શક્તિ કે નવું લોહી કે નવા પ્રવાહો ભળે છે ત્યારે જ એને ગતિશીલતા મળે છે. પત્રકારત્વ અને એમાંય વૃત્તાંતનિવેદકની કામગીરી એક વિશેષ પ્રકારની કામગીરી છે. આ કામગીરી વિશેષ પ્રકારના ગુણો અને વિશેષ પ્રકારની શક્તિ પણ માગી લે છે. જે નવો ફાલ આ ક્ષેત્રે આવે છે એમાં આંગળીના વેઢે ગણી શકાય એવા જ થોડા વૃત્તાંતનિવેદકો સાચા અર્થમાં વૃત્તાંતનિવેદક કહી શકાય એવા હોય છે. એવું પણ જોવા મળે છે કે, પોલીસ, કોર્ટ કે જુદા જુદા રાજકીય પક્ષો તરફથી જે વિગતો મળે, કે એમની મારફતે જે માહિતી પૂરી પાડવામાં આવે, એ જ બહુધા અખબારમાં છાપીને-ચમકાવીને સંતોષ માનવામાં આવે છે, પણ વિગતોમાં ઊંડા ઊતરી, પોતાની રીતે જાતમાહિતી મેળવી, બનાવની ભૂમિકા અને સંદર્ભને સમજી વિચારી વૃત્તાંતનિવેદન કરનારા વૃત્તાંતનિવેદકો બહુ ઓછા જોવા મળે છે. વૃત્તાંતનિવેદન ખીલતું જાય છે એ વાત સાચી, પણ ધોરણ સચવાતું નથી, ભાષાશુદ્ધિ જળવાતી નથી, ક્યાંક ક્યાંક અતિરે કપણું વર્તાય છે, શબ્દોના અનુચિત ઉપયોગો જોવા મળે છે, અને જેમ જેમ અખબારોનો ફેલાવો વધતો જાય છે, એમ એમ ભાષાનું ધોરણ જળવાતું નથી. પત્રના ફેલાવાની સાથે સાથે પત્રમાં પણ ભાષાની શુદ્ધતા જળવાઈ રહે એ એટલું જ મહત્ત્વનું છે.
એવા ઘણા પ્રસંગો, ઘટનાઓ, ઝંઝાવાત ઊભાં થાય છે કે જ્યારે વૃત્તાંતનિવેદકે સ્વસ્થતા જાળવવાની રહે છે, સમતોલપણું જાળવીને ગંભીરતાથી કામગીરી બજાવવાની હોય છે. આવા પ્રસંગોએ આવેશ, ઉત્તેજના, પૂર્વગ્રહ અને ઉતાવળાં અનુમાનોથી પ્રેરિત અહેવાલ અપાય તો એથી સનસનાટી ભલે ઊભી થતી હશે, પણ સમાજને મોટી હાનિ પહોંચે છે. વૃત્તાંતનિવેદકો તો અહેવાલો લખી, ચીફ રિપોર્ટર સમક્ષ રજૂ કરી દેતા હોય છે. મુખ્ય વૃત્તાંતનિવેદનની કામગીરી ઘણી જવાબદારીવાળી હોય છે, કયા સમાચારને કેટલું મહત્ત્વ આપવું, કયા સમાચારને કઈ રીતે રજૂ કરવો, કયા સમાચારમાં કઈ કઈ ખૂટતી માહિતી છે એ જાણી વધુ માહિતી મેળવવા રિપોર્ટરને કહેવું. સમાચાર કે ઘટના બન્યા પછી “ફોલો-અપ' કરવાની કામગીરી – એ બધી જવાબદારી મુખ્ય વૃત્તાંતનિવેદકને માથે હોય છે. કોઈ પણ અખબારનો મુખ્ય વૃત્તાંતનિવેદક જેટલો શક્તિશાળી અને સૂઝવાળો એટલી જ એનો સમાચાર વિભાગ સમૃદ્ધ અને ધારી અસર ઊભી કરનારો હોવાનો.
આપણાં ગુજરાતી અખબારો જેમ જેમ સમૃદ્ધ થતાં જાય છે, એમ એમ સમાચાર વિભાગને પણ સમૃદ્ધ કરવાનો બનતો યત્ન કરે છે. જોકે હજુ જે રીતનો પ્રયત્ન થવો જોઈએ એ રીતનો થતો નથી. આજના સમાચારપત્રો, જુદા જુદા વિભાગો
Page #48
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદન O ૪૭
આપે છે, પ્રાસંગિક લેખો આપે છે, રાજકારણના પ્રવાહોની નોંધ આપે છે, શિક્ષણને લગતા, સમાજજીવનને લગતા વિભાગો આપે છે, એ સારી વાત છે, પણ સમાચારના ભોગે એ બધું થશે તો દૈનિકપત્રનો પ્રાણ હણાયા વિના રહેવાનો નથી..
અને છેલ્લે, રાષ્ટ્રપિતા ગાંધીજીએ અખબારો અંગે ઉલ્લેખ કરતાં એક વાત લખેલી એ યાદ આવે છે. એમણે લખેલું : “જે સમાચારની સત્યતાની ચકાસણી શક્ય ન હોય એવા સમાચાર છાપવા કરતાં ન છાપવા બહેતર છે.” વૃત્તાંતનિવેદનના ક્ષેત્રે જેટલી તટસ્થતા જળવાશે, અંગત હિત કરતાં જાહેર હિતને લક્ષમાં રખાશે, લોંકપ્રિયતાને બદલે, સિદ્ધાંતપ્રિયતાને પ્રાધાન્ય અપાશે, વિગતો પૂર્વગ્રહ કે પક્ષપાત વિના ૨જૂ થશે, અને કોઈની પણ શેહ-શરમની અસરમાં આવ્યા વિના સત્યની ૨જૂઆત થશે એટલી જ સમાજની સેવા થશે, પત્રનું પોતાનું પણ એક આગવું પોત – આગવું વ્યક્તિત્વ પ્રગટ થશે.
આપણા સુશિક્ષિતોએ વૃત્તવિવેચનને એક ગંભીર અને પવિત્ર વ્યવસાય બનાવવી જોઈએ... જો આપણા ગણ્યાગાંઠ્યા પણ સમર્થ લેખકો આ વ્યવસાયને પવિત્ર વ્યવસાય કરી મૂકે તો આપણાં વર્તમાનપત્રોને એમની યોગ્ય પ્રતિષ્ઠા મળે. જે એ વ્યવસાયમાં પડેલા છે એમણે ધંધો, કમાવાનો ધંધો કરી મૂકેલો છે; જેનામાં શક્તિ છે અને પ્રતિભા છે એમનો મુખ્ય વ્યવસાય બીજો છે. શ્રી રામનારાયણ પાઠક જેવા પોતાના સ્વૈરવિહારનો એક એક કટકો કોઈ ખાસ દૈનિક કે સાપ્તાહિકમાં આપતા થાય, ગગનવિહારી મહેતા જેવા પોતાની અવળવાણીનો લાભ નિત્ય નિયમિત રીતે આપતા જાય – જેમ રોબર્ટ લિન્ડ (“વાઈ. વાઈ.”) ન્યૂસ્ટેટ્સમેન અને નેશનને આપે છે – જો કાકાસાહેબ અને કિશોરલાલભાઈ જેવા સમર્થ વિચારકોનો થોડો સમય પણ વૃત્તવિવેચનને પણ મળતો જાય, જો ગૂજરાત વિદ્યાપીઠમાંથી પાકેલા ઉમાશંકર જોષી, સોમાભાઈ ભાવસાર, શ્રીધરાણી જેવા નિત્ય પ્રગતિવંત કવિઓ અને બીજા પોતાની કવિત્વશક્તિનો ગામડાંની સેવાર્થે ઉપયોગ કરી આપણાં દૈનિકોને અને સાપ્તાહિકો એનો લાભ આપતાં જાય, અને ગામડામાં ફામ કરી રહેલાઓની પાસે આપણે લેખો મેળવતા જઈએ તો આપણાં વર્તમાનપત્રો વધારે વૈવિધ્ય અને સમૃદ્ધિ મેળવશે, અને ચિરંજીવી નહીં તો ક્ષણજીવી પણ સુવાચ્ય સાહિત્ય આપણે ગુજરાતી જગતને ઔપી શકીશું.
– મહાદેવભાઈ દેસાઈ
(ગુજરાત સાહિત્ય પરિષદનું બારમું અધિવેશનપત્રકારત્વ-વિભાગના પ્રમુખ તરીકે આપેલા વક્તવ્યમાંથી)
Page #49
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી અખબારોમાં કટાક્ષ-કવિતા
3 નાથાલાલ દવે
આપણાં અખબારોમાં વિવિધ વિષયો પર અનેક પ્રકારની કટારો લખાય છે. બાળકોની ફૂલવાડી, યુવાનો માટે ક્રિકેટ, આરોગ્ય, સાહિત્ય, નાટક, સંગીત, સિનેમા, કાયદા, ઊર્ધ્વ ચેતના, ગાયત્રી ઉપાસના, ભૂતપ્રેત, પુનર્જન્મ – આવા અસંખ્ય વિષયો પર કટારો પ્રગટ થાય છે ને વાચકો એનો આનંદ માણે છે. એમાં કોઈ કોઈ વાર ચમકી જતી કટાક્ષ-કવિતા વિશે હું બે શબ્દો કહીશ.
ગુજરાતમાં કવિતારસિક વાચકોનો પણ એક વર્ગ છે. કોઈ ઉત્તમ અધ્યાપક કે શિક્ષકે રસ લગાડ્યો હોય અને એ વરસોથી જળવાઈ રહ્યો હોય એવા વાચકો પણ છે. તેઓ છાપામાં કવિતા જોઈને આનંદ પામે છે, ન જુએ તો નિરાશ થાય છે.
મોણ વગરની રોટલી રસા વગરનું શાક,
એમ કવિતા વગરનું છાપું એ જોતાં જ લાગે થાક.” ગુજરાત સમાચાર'માં વરસો સુધી સ્વ. રમણભાઈ ભટ્ટની “નારદવાણી' પ્રગટ થતી. “જન્મભૂમિ'માં કરસનદાસ માણેક “વૈશંપાયનની વાણી' લખતા
“જામ છે, જામ છે, જામ છે, મારું નામ નવા નગરનો જામ છે. વિલાતે બેસીને કોંગ્રેસનું વાટવું,
આજ કાલ એ મારું કામ છે.” સ્વ. વેણીભાઈ પુરોહિત નિવૃત્ત થયા ત્યાં સુધી “આખા ભગતના પપ્પા” પીરસતા રહેતા. સ્વ. મેઘાણીભાઈ “સાંબેલાના સૂર' ઉપરાંત હાસ્યકાવ્યોના પણ સરસ પ્રયોગો કરતા. સુભાષબાબુ ૧૯૩૭માં કૉંગ્રેસ પ્રમુખ તરીકે બ્રિટિશ સરકારને અલ્ટિમેટમ આપવા ઉતાવળા થતા હતા ત્યારે મેઘાણીભાઈએ બંગાળી ભાષામાં જ એમની ગમ્મત કરી હતી. “આમાદેર બાંગ્લાદેશર એકટિ આ છે કાર્જકરમ,
દિયે દાઓ અલ્ટિમેટમ, આમાદેર કુંજેભોરા કોકિલ ડાકે અલ્ટિમેટમ,
આમાદેર ગર્દભેરા દાંડાય ભંકે અલ્ટિમેટમ.” હાસ્યકટાક્ષની ઑલમો નિયમિત વંચાય છે. શ્રી બકુલ ત્રિપાઠી, શ્રી વિનોદ
Page #50
--------------------------------------------------------------------------
________________
O ૪૯
ગુજરાતી અખબારોમાં કટાક્ષ-કવિતા ભટ્ટ, શ્રી દેવેન્દ્રભાઈ ઓઝા(વનમાળી વાંકો)ની માર્મિક હાસ્યમજાકો, શ્રી નિરંજન ત્રિવેદી, શ્રી રતિલાલ અનિલ, શ્રી રતિલાલ બોરીસાગર વગેરેના કટાક્ષલેખો વાચકો અનિવાર્યપણે વાંચે છે. કારણ કે હાસ્ય એ સર્વોત્તમ ઔષધ છે. ગદ્યલેખો જેમ વંચાય છે એમ હળવી પ્રાસંગિક હાસ્યકવિતા પણ ખૂબ વંચાય છે. અખબારોમાં કોઈ મુક્તક, કોઈ છપ્પો, કોઈ ગઝલની બે કડી ચમકે છે ત્યારે વાચકોની આંખોમાં આનંદ પ્રગટે છે.
શ્રી ચકોરનાં કાર્ટૂનોની પેઠે કટાક્ષકવિતા મિતાક્ષરી હોવા છતાં ઘણું કહી જાય છે. આખા અગ્રલેખ જેટલી વાત ચાર પંક્તિના મુક્તકમાં સમાવી શકાય છે— “લૂંટે કોઈ છાતી સામે બરછી બંદૂક તાકી, એ તો જૂના જમાનાના જૂનવાણી કિસ્સા. બજેટ તો આધુનિક પિસ્તોલ ઑટોમેટિક, બારે માસ મારા ખંખેરતા રહે ખિસ્સા.' અથવા તો જુઓ આ નાના કાવ્યનો મર્મ
જયતે’
છે.
‘સત્યમેવ સરસ મુદ્રાલેખ ઑફિસ કેરી ભીંત પર ખુરશી કેરી પીઠ પર શોભી રહે છે બરાબર. ગોઠવી તો ઠીક દીધો છે
પણ કદિ વિચાર કીધો છે ?
‘સત્ય
જો
જીતશે
આપનું શું
થશે ?’
કવિતા
આ નાની સરખી વાત “આ છેડે વિદ્યુત જેવી છે ઓ છેડે ઊભા ઉત્સુક એના ચાહક, તો કાવ્ય ભાવુક સુધી કાં ના પહોંચે ? વચ્ચે વિવેચક ખડા મંદવાહક.”
અથવા તો વિવેચક વિશે
અંગ્રેજીમાં પ્રાસંગિક હાસ્ય-કવિતા અદ્ભુત વિકાસ પામી છે. “ધ સ્ટેટ્સમૅન”માં સેગિટેરસ ઉપનામે એક મહિલાએ ૪૦ વરસ એકધારાં ઉત્તમ કટાક્ષકાવ્યો આપેલાં.
Page #51
--------------------------------------------------------------------------
________________
૫૦
| ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
જ્હોન મેસફિલ્ડ જેવા ગંભીર કવિ પણ કોઈ વાર હાથ અજમાવી લેતા –
"The Girl who studied Dante once,
Is bearing children to a dance." ઓગડેન નેશની આ પંક્તિઓ –
"God in his wisdom made a fly
And then he forget he made it why!" ગિલ્બર્ટ સુલિવાનના ‘મિકાડો', “પાઇરેટસ ઑફ પિનાફોર' વગેરે કાવ્યઓપેરા વિશ્વવિખ્યાત થયા છે. રવીન્દ્રનાથની “જૂતાર આવિષ્કાર', ‘ટિંગ ટિંગ છ' જેવી કૃતિઓ સહુને સુપરિચિત છે.
હિંદી સામયિકોમાં કટાક્ષ-કવિતાના અતિ સુંદર નમૂના પ્રગટ થતા રહે છે. જુઓ લખનૌથી આવેલો એક શેર –
“કભી ધક્કેસે ચલતી હૈ ઉસે હમ કાર કહેતે હૈ,
જો ધકેસે ભી નહીં ચલતી ઉસે સરકાર કહેતે હૈ.” સ્વરાજ પછીનાં ૩૦ વર્ષ વિશે તારકેશ્વરીબહેનની આ ટીકા જુઓ –
ઐસે વૈસે કૈસે કૈસે હો ગયે,
કેસે કૈસે ઐસે વૈસે હો ગયો.” અથવા તો ઉદ્ઘાટન વિશે એક આ નાનું મુક્તક –
“નગરપાલિકાને બનાવાયા હૈ એક અદ્યતન સ્મશાન, અબ પ્રતીક્ષા કી જા રહી હૈ, કિ કોઈ નેતા મરે
તો ઉસકો જલાકર ઉદ્ઘાટન કરે.” જે કહેવાનું છે એ કેવું ચોટદાર રીતે કહેવાઈ જાય છે છતાં ટૂંકુ અને ટચ !
હાસ્યકવિતા પ્રાસંગિક હળવી ગણીને કાઢી નાખવા જેવી વસ્તુ નથી. સરલ દેખાય છે પણ લખવી સહેલી નથી. કોઈકને જ એ ફાવે છે. કાવ્યસાહિત્યનો એ એક સરસ આવકારપાત્ર પ્રકાર છે. અખબારોમાં ન-છૂટકે ખૂણેખાંચે મૂકવા જેવી એ વસ્તુ નથી. જે સંપાદકો શંકા સાથે, સંકોચ સાથે, બીતાં બીતાં એને સ્થાન આપે છે; એમને મારે કહેવાનું છે કે વાચકો એ રસથી માણશે, વિશ્વાસ રાખો. ઉત્સાહથી એ પ્રગટ કરો. આ હળવી કવિતા લોકો આનંદથી વાંચશે, માણશે, અને એ વાંચતા હશે તો કોઈક દિવસ ગંભીર ઉત્તમ કવિતા વાંચવાનું એને મન થશે. હળવી કટાક્ષ-કવિતા
Page #52
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી અખબારોમાં કટાક્ષ-કવિતા
|
૫૧
આમ વાચક અને ઉત્તમ કવિતા વચ્ચે સેતુરૂપ બને છે અને ઉત્તમ કવિતા માટેનો વાચકવર્ગ તૈયાર કરી આપે છે. •
પ્રિય છે વાચક ! ઝીલો હોસ્ટ કેરાં ફૂલ. નર્મમર્મ માણી થાજો મનથી પ્રફુલ્લ. હસે એનો વિશ્વમહીં વિજય નિશ્ચિત, સર્વ સંકટોને સ્મિત કરે પરાજિત.”
ઓ લોકો, તમે એમ ન જાણશો કે હું ડાંડિયો ડમ ડમ ડમ ડાંડી પીટી જ જાણું છું—શૈયતને જુલમીઓના જુલમમાંથી બચાવવાને, લુચ્ચાની ટોળી વિખેરી નાખવાને, તમારામાંથી અજ્ઞાન, વહેમ ને અનીતિ કાઢી નાખવાને, દેશનું ભલું થાય તેમ કરવાને હું થોડો ઘણો લાયક છઉં. મેં તરેહ તરેહવાર આદમીઓ જોયા છે – પંડિત સાથે, મૂરખ સાથે, નીતિમાન સાથે, અનીતિમાન સાથે, ભલા અને ડાંડડાંડગા-ડાંડિયા લોકો સાથે મારે ઝાઝો પ્રસંગ પડ્યો છે – પૈસાદાર અને ગરીબનાં ઘરોમાં ફરી વળ્યો છઉં – ગાડી, ઘોડે બેઠો છઉં ને જંગલોમાં ચાલ્યો છઉં – સાહેબી ને વેઠ કરી છે - મતલબ કે મેં દુનિયાને સારી પેઠે ઓળખી છે. હું ડાંડિયાના ભેદપ્રપંચો જાણું છઉં - (ડાંડિયાપણું કર્યું નથી) માટે ડાંડિયાઓની વાત હું બહાર કાઢીશ અને તે ઉપરથી તેઓ મને ડાંડિયો કહેશે, માટે હું મારી મેળે પહેલેથી જ ડાંડિયો છઉં એમ કહું છું –ખબરદાર
– નર્મદ
Page #53
--------------------------------------------------------------------------
________________
તંત્રીલેખો
યજ્ઞેશ શુકલ તત્રીલેખ - જે સામાન્ય રીતે અગ્રલેખ તરીકે નિર્દેશાય છે અને અંગ્રેજીમાં જેને માટે Editorial' અથવા 'Leader' એવા શબ્દપ્રયોગ થાય છે એ વાસ્તવમાં તો વર્તમાનપત્રના હૃદયના સ્થાને છે. હમણાં હમણાં તંત્રીલેખોનું મહત્ત્વ ઓછું અંકાતું. જણાય છે અને એને પરિણામે અથવા તો તંત્રીઓને પોતાની કલમનો સીધેસીધો પરિચય વાચકોને કરાવવાનું વધારે રૂચિકર થઈ પડ્યું છે એટલે, તંત્રીઓની સહી હેઠળના લેખોનું પ્રમાણ વર્તમાનપત્રોમાં વધવા લાગ્યું છે. આથી કુદરતી રીતે જ, તંત્રીલેખને સ્થાને આવતાં લખાણોનું મહત્ત્વ ઓછું અંકાવા લાગે. બાકી સીધેસીધી રીતે જોઈએ તો તંત્રીલેખ-અગ્રલેખ કે અંગ્રેજી “એડિટોરિયલ' કે “લીડર' દ્વારા એમ જ તંત્રીનોંધો-નોટ્સ' દ્વારા જે વિચારો રજૂ થાય છે એ વર્તમાનપત્રની નીતિને ફુટ કરનારા હોઈ એનું પૂરતું મહત્ત્વ રહેલું છે.
અંગ્રેજી પત્રકારત્વમાં હમણાં તંત્રીઓની કલમે સ્વતંત્ર કટારો સવિશેષ પ્રમાણમાં પ્રગટ થવા લાગી છે અને એનું અનુકરણ આપણા ગુજરાતી પત્રકારત્વમાં સુધ્ધાં થવા લાગ્યું છે. આમ છતાં આવી તંત્રીના હસ્તાક્ષર સાથેની કટારો રોજિંદી બની નથી; એટલે અંશે તંત્રીલેખો-અગ્રલેખો-નું મહત્ત્વ અંગ્રેજીમાં કે ગુજરાતીમાં ને બીજી ભાષાઓનાં પત્રકારત્વમાં રહેલું જ છે. પણ તંત્રીની સહી સાથેની સ્વતંત્ર કટારોનું પ્રમાણ જેમ જેમ વધતું જશે એમ એમ અગ્રલેખ કે તંત્રીલેખનું મહત્ત્વ આપોઆપ ઓછું થઈ જવાનો ભય રહે જ છે.
પત્રકારો માટેના વેતનબોર્ડ, પત્રકારોના જે વિવિધ વર્ગો પાડ્યા છે એમાં તંત્રી પછીના મદદનીશ તંત્રી, સમાચાર તંત્રી અને અગ્રલેખલેખક-તંત્રીલેખ લેખક-નું સ્થાન એકસાથે નક્કી કરેલું છે. સામાન્ય રીતે આ વર્ગીકરણ અંગ્રેજી પત્રકારત્વને લક્ષમાં રાખીને થયેલું છે; કારણ કે, વેતનબોર્ડ નક્કી કરેલાં વર્ગીકરણમાં સમાવેશ પામે એવા કેટલાય વર્ગોનો, હજી આજે પણ, ગુજરાતી પત્રકારત્વમાં તો અભાવ જ છે. આમ છતાં અગ્રલેખલેખકનું સ્થાન, ભલે અપવાદરૂપ કિસ્સાઓમાં, ગુજરાતી પત્રકારત્વમાં નિશ્ચિત થયું છે. મારી જાણ પ્રમાણે ગુજરાતનાં અથવા તો બીજાં ગુજરાતી વર્તમાનપત્રોમાં ભાગ્યે જ અગ્રલેખલેખકનું અલગ સ્થાન હસ્તીમાં છે. મોટે ભાગે તો, મારી જાણમાં છે ત્યાં સુધી, ગુજરાતી વર્તમાનપત્રોના તંત્રીઓ જ મુખ્યત્વે એમનાં પત્રોના અગ્રલેખલેખકો છે. ને તંત્રીઓ – જેઓના નામ અખબારોના તંત્રી તરીકે જાહેર થયેલાં છે એઓ
Page #54
--------------------------------------------------------------------------
________________
તંત્રીલેખો - ૫૩
અગ્રલેખ લખવા ઉપરાંત બીજી ઘણી જવાબદારી અદા કરે જ છે. એક કાળે આપણા ગુજરાતી પત્રકારત્વમાં તંત્રીને માથે અગ્રલેખ લખવા ઉપરાંત સમાચારસંપાદનની અને બીજી ઘણી જવાબદારીઓ રહેલી હતી. તંત્રીપદ અંગે ‘મેનેજિંગ એડિટર’ની એક નવી કક્ષા હસ્તીમાં આવેલી છે એ મુખ્યત્વે તો માલિકીપદ સાથે સંકળાયેલી જણાય છે.
અંગ્રેજી અને ગુજરાતી અથવા બીજી ભાષાઓનાં વર્તમાનપત્રોની સરખામણી ક૨વાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. છતાં એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતી ભાષાનાં અખબારો કરતાં અંગ્રેજી ભાષાનાં અખબારોનો ફેલાવો, સ્વાભાવિક રીતે જ, વધુ છે. બીજી ભાષાઓનાં વર્તમાનપત્રો પણ એમાં ખાસ અપવાદ નથી. એટલે, અથવા અંગ્રેજી પત્રકારત્વ સામાન્ય રીતે પશ્ચિમમાં વધુ પ્રમાણમાં વિકસ્યું હોઈ એની અસર એના વિકાસ પર અહીં આપણે ત્યાં પણ થઈ છે. એટલે અંગ્રેજી ભાષાનાં અખબારોના અગ્રલેખો એક જ વ્યક્તિને હાથે લખાતા નથી. વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા એ લેખો લખાતા હોય છે.
ગુજરાતી ભાષાનાં વર્તમાનપત્રોમાં આવી સ્થિતિ આવતાં હજી પણ ઠીંક ઠીક સમય જશે. દરમ્યાન હમણાં તો એક જ વ્યક્તિ ‘સર્વગુણસંપન્ન’ અથવા ‘સર્વશાસ્ત્રવિદ્યાવિશારદ’ મનાય છે અને એ વ્યક્તિ જ તમામ વિષયો પર પોતાના પત્રની નીતિ અનુસારનાં મંતવ્યો વ્યક્ત કરી વાચકોનું માર્ગદર્શન કરે છે. પછી લેખનો વિષય રાજકારણ હોય, અર્થનીતિ હોય, સામાજિક પ્રશ્ન હોય કે બીજો કોઈ પણ વિષય હોય.
તંત્રીલેખો લખતાં આવડે એ પહેલાં પત્રકારત્વનાં બીજાં ભાષાંતરથી માંડીને સમાચારદોહન અને સંપાદન જેવાં કામોમાં પાવરધા થઈ જવાય એ આવકારપાત્ર લેખાય. આપણા ગુજરાતી પત્રકારત્વમાં સીધેસીધા તંત્રીસ્થાન પર બેસીને અગ્રલેખી જ શરૂઆત કરનારા પણ છે. નથી એવું નથી જ. પણ એવી વ્યક્તિઓ અપવાદરૂપ જ છે. પણ જો પત્રોનાં બીજાં અંગોપાંગની સારવાર કરવાની જવાબદારી આવી વ્યક્તિઓ પર અચાનક આવી પડે તો તેમાંથી તેઓ પૂરી સફળતાથી પાર પડે કે કેમ એ પ્રશ્ન છે. પણ એની ઝાઝી ચર્ચામાં નહીં ઊતરતાં મને તો સમાચારના ભાષાંતર-સારોહન-સારવાર-સંપાદન વગેરે કામો કર્યાને પરિણામે અગ્રલેખો . લખવાના કામમાં વધારે ફાવટ આવી ગઈ એમ કહેવામાં જરાય સંકોચ થતો નથી. ને ‘ગુજરાતી’ જેવા શુદ્ધ ભાષાના આગ્રહી એવા અખબારમાં આ પ્રકારની પ્રાથમિક તાલીમ મળી હોઈ દૈનિક પત્રકારત્વમાં સુધ્ધાં' ભાષાશુદ્ધિનો મારો આગ્રહ શક્ય તેટલા વધુ પ્રમાણમાં જાળવી શાયો છે એમ હું વિના સંકોચે કહી શકવાની સ્થિતિમાં છું.
—
-
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૪ ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
* ‘વંદેમાતરમ્'માં હતો ત્યારે અગ્રલેખો સંબંધમાં સામળદાસભાઈ કરવા જેવું હોય તો ખાસ સૂચન પણ કરતા. એક સૂચન એમણે બહુ આગ્રહપૂર્વક કર્યું હતું અને એ એમની ઝડઝમક ભરેલી આગ ઝરતી તેજીલી ભાષાનું અનુકરણ ન કરવાનું હતું. “એથી તમારું વ્યક્તિત્વ અગ્રલેખોમાં ઊપસતું અટકી જશે.' એવું એમનું સ્પષ્ટ કથન હતું. એટલે એ મેં ખાસ અપનાવ્યું હતું અને પરિણામે મારા અગ્રલેખોની ભાષા સાદી, સરળ અને સચોટ ભાષા-કથન ધરાવતી હતી.
આ પણ અગ્રલેખની જ વાત છે. દેશભરમાં આઝાદીની રોશની પ્રકટી ચૂકી હતી ને કૉંગ્રેસના હાથમાં શાસનનો દોર આવી ગયો હતો. એ સંજોગોમાં કામદારોમાં અસંતોષ હોય અને એઓને ઉશ્કેરવાના પ્રયાસો પણ થતા રહે તોપણ એનો સામનો શાંતિથી, સમજાવટથી થવો જોઈએ. એને બદલે મુંબઈમાં કામદારોનાં તોફાની ટોળાં પર ગોળીબાર થયો. કોંગ્રેસી શાસનમાં આવો ગોળીબાર મને અયોગ્ય લાગ્યો. સામળદાસભાઈ જૂનાગઢ જતાં ‘વંદેમાતરમ્'નો તમામ તંત્રભાર મારે માથે આવ્યો હતો. એમાં થોડીક હળવાશ રહે એ સારુ અગ્રલેખ લખવાનું કામ મારા સાથી સ્વ. શ્રી રતિલાલ મહેતાને સોંપ્યું હતું. ગોળીબાર થયો એ દિવસનો અગ્રલેખ લખાઈ ગયો હતો. પણ મને લાગ્યું કે કોંગ્રેસી શાસનમાં પ્રજા પર, એના કોઈ પણ વર્ગ પર, ગોળીબાર થાય એ ઠીક નહીં. એટલે મેં તંત્રી સ્થાનેથી' એક નાનો અગ્રલેખ લખીને પહેલે પાને છાપ્યો. એમાં કામદારો સાથે દમદાટીથી નહીં પણ સમજાવટથી કામ લેવાનો અનુરોધ કર્યો હતો. અલબત્ત મેં કામદારોનાં તોફાનનો વિરોધ કર્યો પણ સાથોસાથ ગોળીબારનો પણ સખ્ત વિરોધ કરી એ ટાળવાનો આગ્રહ કર્યો હતો.
| ‘વંદેમાતરમ્' કૉંગ્રેસનું અખબાર ગણાતું હોઈ, એમાં કોંગ્રેસી શાસનનો વિરોધ ન થઈ શકે એવો વિરોધ મારી સમક્ષ આ મિત્રવર્તુળ વ્યક્ત કર્યો. કૉંગ્રેસમાં આપણું સારું નહીં દેખાય એવી દલીલ પણ કરી. પણ હું ગોળીબાર ટાળવો જ જોઈએ એ વિચારમાં મક્કમ હતો. એટલે મેં એના વિરોધની કશી ગંભીર નોંધ ન લીધી. થોડા દિવસમાં કોઈ કામસર શ્રી સામળદાસભાઈ મુંબઈ આવ્યા. એઓ સમક્ષ આ બાબત ફરિયાદ થઈ. પણ એઓએ મારો પક્ષ લઈ, યજ્ઞેશે વિરોધ કર્યો એમાં કશું ખોટું નથી કર્યું,' એમ સ્પષ્ટ જણાવ્યું. આજે કોંગ્રેસી ને પ્રજાનાં શાસન દરમ્યાન, પ્રજા પર થઈ રહેલા ગોળીબારોની કુલ સંખ્યા બ્રિટિશ શાસનકાળના ગોળીબારોની સંખ્યાનો મુકાબલો કરે એટલી કે એથી પણ વધુ થવા જાય છે. અથવા કહો કે થઈ ચૂકી છે. એ આપણા સૌની ચિંતાનો વિષય નથી ?
સામળદાસભાઈના આકસ્મિક અવસાન પછીથી ‘વંદેમાતરમ્ની સ્થિતિ ડામાડોળ થવા લાગી હતી, એ વેળા ઘાટકોપરમાં રહેતા એક પીઢ પત્રકાર સાથે અગ્રલેખ લખવાની ગોઠવણ થઈ હતી. એક વાર ત્યાંથી અગ્રલેખ લખાઈને આવ્યો એના કંપોઝ
Page #56
--------------------------------------------------------------------------
________________
તંત્રીલેખો n ૫૫
થયેલા પ્રૂફ મારી પાસે આવ્યાં. લેખ અસાધારણ વાંધાભર્યો હતો. કુંભમેળાને અંગે એ લખાયો હતો ને એમાં હરદ્વારમાં ભારે જાનહાનિ થયાના હેવાલ પર ટીકા-ટિપ્પણી કરતાં વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ પર ભારે આક્ષેપાત્મક ટીકાઓ કરવામાં આવી હતી. આ લેખ છપાય તો ‘વંદેમાતરમ્’ પર વહેર્લી આફત આવી પડે એ સ્પષ્ટ હતું. એકબે સહકાર્યકર ભાઈઓને વિશ્વાસમાં લઈને એ લેખ રદ કરી મેં તત્કાળ નવો લેખ લખી નાખ્યો. જેમ જેમ લેખ લખાતો ગયો એમ એમ એક એક પાનું પછી નીચે કંપોઝમાં પહોંચતું ગયું ને એક બાજુથી લેખ પૂરો થતાં અર્ધા ઉપર ભાગના અગ્રલેખનાં પ્રૂફ પણ મારી પાસે આવી રહ્યાં. આવા બીજા પણ એક્ને પ્રસંગો ઊભા થયા હતા, જ્યારે તત્કાળ અગ્રલેખ લખવો પડ્યો હતો. આ રીતે ‘વંદેમાતરમ્’ની અનુભવ-પાઠશાળામાં પ્રત્યક્ષ પાઠ મળ્યા અને તેણે અગ્રલેખ લખવાની જવાબદારી અદા કરવામાં ભારે હિંમત પ્રેરી.
‘વંદેમાતરમ્’ની લીલા સંકેલાઈ ગઈ. ‘જામેજમશેદ' સંસ્થામાંથી સાંજનું દૈનિક ‘પ્રજામત’ નીકળ્યું. ને મારા હૃદયરોગનો અને એને પગલે ડાયાબિટીસનો હુમલો થયો; ગંભી૨ (૧૯૫૪). એમાં ‘પ્રજામત’ પણ બંધ પડ્યું ને ગુજરાતી પત્રકારત્વના ભીષ્મ પિતામહ સ્વ. સોરાબજી પાલનજી કાપડિયાએ મારો હાથ પકડ્યો. એઓની ભલામણથી ‘સમાચાર' પરિવારના શ્રી. મંચેરજી કામાએ આર્થિક અને શારીરિક રીતે સાવ પંગુ બની ગયેલા પણ મક્કમ મનોબળવાળા એક પીઢ પત્રકારનો હાથ પકડ્યો. ને ૧૯૫૮ના એપ્રિલની તા. ૨૫મીએ શંકરજયંતીના પવિત્ર દિવસથી અગ્રલેખ લખવાની જે શરૂઆત થઈ એ ૧૯૭૮ના જાન્યુઆરીની ૨૦મી સુધી અસ્ખલિત ચાલુ રહી છે. અસ્ખલિત શબ્દ હેતુપૂર્વક ઉપયોગમાં લીધો છે. ૧૯૭૧-૭૨ના સંધિકાળમાં ત્રણ વાર હૃદયરોગના હુમલા થયા મહિના દોઢ મહિનાને ગાળે. એ દરમ્યાન હૉસ્પિટલમાં રહેવું પડ્યું ને થોડો આરામ લેવા પૂરતું અગ્રલેખ લખવાનું બંધ રહ્યું. એ સિવાય બહારગામ હોઉં તોપણ સતત લખ્યું છે.
સામાન્ય રીતે રાજકારણ અને અર્થકારણથી આગળ વધીને ‘સમાચાર’ના અગ્રલેખોને સાહિત્યનું સ્વરૂપ આપવા સુધી હું લઈ જઈ શક્યો; ને રમતગમત જેવા વિષયો પણ અગ્રલેખનો વિષય બની શક્યા એ પણ મારું સદ્ભાગ્ય. હું ધારું છું કે છેલ્લાં ૨૫ વર્ષમાં ‘સમાચાર’ના અગ્રલેખો દ્વારા ન છણાયો હોય એવો કોઈ વિષય ભાગ્યે જ મળશે.
અગ્રલેખોનું લેખન પૂરતી ગંભીરતા માગે છે. પણ ક્યારેક હળવી ક્ષણો સુધ્ધાં લેખનને વધારે વાચનક્ષમ બનાવે છે. વળી વિષયના નિરૂપણમાં સચોટતા સાથે નાવીન્ય હોય તોપણ વાચનક્ષમતા વધે છે. અગ્રલેખમાં ચર્ચાયેલા વિષયને અંગે શક્ય એટલી વિગતો ટૂંકામાં અપાય અને પછી એની છણાવટ થાય ને એમાં ટીકા-ટિપ્પણી
-
Page #57
--------------------------------------------------------------------------
________________
પક | ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું ઉમેરાય તો એ લેખન વધારે પ્રતીતિકર બની રહે છે. વધારે પડતાં પાંડિત્યપ્રચુર શબ્દપ્રયોગો અને ક્લિષ્ટ વાક્યરચના વાંચનારને કંટાળો આપનારાં બની રહે છે. ટૂંકમાં તમારે કોઈ મંતવ્ય વ્યક્ત કરવું હોય એ સ્પષ્ટ અને સચોટ ભાષામાં, સામાન્ય જનના ચિત્તમાં ઊતરી જાય એવી રીતે કહેવામાં આવે તો એ અસરકારક થઈ પડે છે.
વાંચનારાઓ પર અસર પડે એવું લેખન કરવા ઇચ્છનાર સામાન્ય જ્ઞાનથી પરિપુષ્ટ હોવો જોઈએ. ધર્મ, વિજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર વગેરે વિષયો એવા છે કે એના પર ટીકા-ટિપ્પણ કરવા ઇચ્છનારે એના પાયાના સિદ્ધાંતોથી વાકેફગાર રહેવું જોઈએ. એટલે લખનાર બહુશ્રુત હોય તો એ સર્વ સામાન્ય જનના મનમાં ઠસી જાય એવું લેખન કરી શકે છે.
દરેક પત્રને એનાં પોતાનાં નીતિ-નિયમો હોય છે. તટસ્થ રહીને પણ, પક્ષાપક્ષીથી પર રહીને પણ, આપણને જે વ્યાજબી લાગે એ કહેવાની વૃત્તિ આપણામાં હોવી જોઈએ. એમ છતાં અત્યારના સમયમાં આપણે જે કાંઈ કહીએ એ જ સાચું એવી જડતા રાખવી પણ પરવડે નહીં. એટલે આપણાથી વિરુદ્ધ મત અંગે સહિષ્ણુતા પણ હોવી જોઈએ.
તંત્રીલેખો આજે તો પત્રની નીતિને સ્પષ્ટ વાચા આપતા હોવા વિશે પણ ક્યારેક શંકા જાગી જાય છે. એમાં લખનારના મનોભાવનો પડઘો જ વિશેષ પ્રમાણમાં સંભળાતો જણાય છે. આમ છતાં તંત્રીલેખો લખનાર પોતાની જવાબદારી સમજે, સમજતો રહે તો એ વાંચનારને માટે રાહબર બની શકે છે. આપણા પત્રકારત્વમાં આજે આવા રાહબર બનવાની યોગ્યતા ધરાવતા તંત્રીલેખ લખનારા કેટલા ? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય.
અગ્રલેખલેખક અન્ય હોય તોપણ પ્રકટ થયેલા અગ્રલેખ માટેની સંપૂર્ણ જવાબદારી તો તંત્રીની જ લેખાય છે અને અગ્રલેખલેખકના લખાણ માટે, કડક લખાણ માટે, ક્યારેક તંત્રીઓ દંડાઈ પણ જાય છે. અગાઉના સમયમાં, આપણા પત્રોમાં અગ્રલેખો, અને સવિશેષ જવાબદારીભર્યા લખાણો મોટે ભાગે તો તંત્રીશ્રી પોતે જ લખવાની જવાબદારી અદા કરતા. “ગુજરાતી'માં સ્વ. મુ. શ્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના અગ્રલેખો, પછીથી સ્વ. શ્રી મણિલાલ ઇચ્છારામ દોસાઈના અગ્રલેખો અને એ પછી સ્વ. મુ.અંબાલાલ જાનીના અગ્રલેખો આ રીતે નોંધપાત્ર રહેતા. અને એમના અગ્રલેખોમાં વ્યક્ત થયેલા વિચારોની તમામ સ્થાને ગંભીર નોંધ લેવાતી. લોકમાન્ય ટિળકનું ‘કેસરી' પત્ર બહોળો ફેલાવો પામ્યું એ લોકમાન્યનાં વિચારો-મંતવ્યો એમના અગ્રલેખો દ્વારા વાંચવા-જાણવા મળતાં એટલા માટે. લોકમાન્યને જે અગ્રલેખ માટે આકરી સજા થઈ હતી એ અગ્રલેખ લોકમાન્યનો લખેલો ન હતો. એ કાળે લોકમાન્ય પ્રવાસમાં હતા અને એમની ગેરહાજરીમાં કાકાસાહેબ ખાડિલકર અગ્રલેખો લખતા. એઓએ લખેલા
Page #58
--------------------------------------------------------------------------
________________
તંત્રીલેખો
| પ૭
એક અગ્રલેખ માટે લોકમાન્ય પર ખટલો ચાલ્યો ને એઓ સજા પામી કારાવાસમાં ગયા. ખટલો ચલાવતા ન્યાયમૂર્તિ પણ જાણતા હતા કે પ્રસ્તુત અગ્રલેખ લખાયો એ વેળા લોકમાન્ય પ્રવાસમાં હતા ને અગ્રલેખ કાકાસાહેબે લખ્યો હતો..
લોકમાન્યને સમજાવવામાં આવ્યું હતું કે તમે માત્ર એટલું જ કહો કે તમે એ લેખ લખાયો ત્યારે પ્રવાસમાં હતા. એટલે આપોઆપ સાબિત થાય કે એ અગ્રલેખ તમારો – લોકમાન્યનો લખેલો નથી. લોકમાન્ય એવું કહે તો એઓ સામે કામ ન ચલાવાય એવા સંજોગો હતા. પણ લોકમાન્ય એવા આદર્શ પત્રકાર હતા કે પોતાની જવાબદારી જતી કરવાને એઓ ક્યારેય તૈયાર ન થાય. તેઓએ સ્પષ્ટ કહ્યું : જાહેર પ્રવૃત્તિને અંગે મારે તો અવારનવાર બહાર જવું પડે. ને મારું કામ મારા સહકાર્યકરોએ કરવું પડે એ સંજોગોમાં સહકાર્યકરોએ જે કંઈ કર્યું હોય એની સંપૂર્ણ જવાબદારી મારી જ હોય એને હું ન સ્વીકારું તો મારા સાથીઓ પ્રત્યે હું બેવફા નીવડ્યો એમ કહેવાય.’ આમ લોકમાન્ય હસતે મોઢે એ લેખની જવાબદારી સ્વીકારીને વર્ષોનો કારાવાસ ભોગવ્યો. એ કારાવાસે આપણને ગીતા ઉપરનું એક અનોખું ભાષ્ય લોકમાન્ય દ્વારા સુલભ કરી આપ્યું એ જાણીતી વાત છે.
અગ્રલેખ-લેખનની જવાબદારી અદા કરતાં મારા લખાણ માટે અમારા તંત્રી શ્રી સોરાબજી કાપડિયાને ગુંડાઓના હુમલાનો ભોગ થવું પડ્યું હતું ને એને અંગે મને ખૂબ શરમ ઊપજી હતી. વહોરાઓના સુધારક વર્ગને સ્વ. સોરાબજીનો શરૂઆતથી જ સાથ હતો અને એઓ અવારનવાર વડા મુલ્લાંજીના આપખુદ વર્તન સામે “સમાચારમાં ઝુંબેશ પણ ચલાવતા. સુધારક વહોરાઓએ પોતાની પરિષદ ભરી દીધી હતી ને એમાં કેટલાક સુધારાના ઠરાવો કર્યા હતા. એ બધી સામગ્રી આપીને શેઠ સોરાબજીએ મને અગ્રલેખ લખવાનું સૂચન કર્યું ને બધી સામગ્રીનો અભ્યાસ કરી, એનો યથાયોગ્ય ઉપયોગ કરીને, મેં અગ્રલેખ લખ્યો : “યુગધર્મને પિછાનો, વડા મુલ્લાંજી !' એમાં સુધારક વહોરાઓની માગણીઓ સ્વીકારવાની સમર્થ દલીલો કરવામાં આવી હતી. આ અગ્રલેખ પ્રગટ થયો અને એ જ દિવસે હજી હું “સમાચાર' કાર્યાલયમાં પહોંચે એ પહેલાં તો ઠેર ઠેર “સમાચાર'નો બહિષ્કાર કરો'નાં પોસ્ટરો જુનવાણી વહોરાઓ દ્વારા ચોંટાડાયેલાં નજરે પડ્યાં ને “સમાચાર' કાર્યાલયથી થોડેક દૂર એ દિવસના સમાચારની હોળી પણ થતી જોઈ.
હું મૂંગો મૂંગો કાર્યાલયમાં જઈને મારા સ્થાને બેસી ગયો. શેઠ સોરાબજી પણ થોડા સમયે આવી પહોંચ્યા. ને એઓ હજી એમની ખુરસી પર સ્થાન લે એ પહેલાં તો તોફાની વહોરાઓનું ટોળું કાર્યાલયમાં ધસી આવ્યું. થોડીક આમતેમ ભાંગફોડ કરી અને ટોળામાંથી થોડાક તોફાનીઓ સોરાબજી પર ધસી જઈને એઓને મુક્કા મારવા
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૮
| ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
લાગ્યા. સદ્ભાગ્યે બીજા ભાઈઓ મદદે આવી પહોંચ્યા એટલે એઓને ઝાઝું લાગ્યું નહીં. વળી, “સમાચાર'ની હોળી થવા માંડી ને બુમરાણ મચ્યું એટલે પોલીસને ખબર અપાઈ ગઈ હતી એટલે તોફાની ગુંડાઓ ઝાઝું તોફાન કરે એ પહેલાં પોલીસ પણ આવી પહોંચી ને તોફાનીઓને પકડી ગઈ. આનો ખટલો ચાલ્યો. મારી પણ જુબાની લેવાઈ ને કેટલાક તોફાનીઓને સજા પણ થઈ. આ બનાવ પછી “મારા લખાણને લીધે તમારે હુમલાનો ભોગ થવું પડ્યું!” એમ કહીને શેઠ સોરાબજી આગળ મારી દિલગીરી વ્યક્ત કરી, તો એઓએ સામેથી કહ્યું કે “મારા કહેવાથી તમે લેખ લખ્યો હતો. અગ્રલેખની જવાબદારી મારી જ એટલે એમાં તમારે દિલગીર થવાનું કશું કારણ નથી.”
બીજા પણ કેટલાક પ્રસંગો એવા જરૂર ઊભા થયા કે જ્યારે અગ્રલેખમાં વ્યક્ત થયેલા વિચારો અંગે કોઈ એકાદ વર્ગનો રોષ જાગે ને એ રોષ સોરાબજી શેઠ આગળ વ્યક્ત થાય તો એઓ જવાબદારી પોતાને માથે વહોરી લઈને રોષ વ્યક્ત કરનારને ક્યાં તો ઠંડા પાડી દેતા અથવા સામો રોષ કરીને વિદાય કરી દેતા.
‘વંદેમાતરમ્'નો એક પ્રસંગ નોંધવાની લાલચ થોભાવી શકતો નથી. ભારત જે દિવસે પ્રજાસત્તાક જાહેર થયું એ દિવસે શ્રી સામળદાસભાઈએ સૌરાષ્ટ્રનું પ્રધાનપદ છોડીને ‘વંદેમાતરમ્'નું તંત્રીપદ સ્વીકારી લીધું હતું. દેશમાં, કેન્દ્રમાં ને રાજ્યોમાં કૉંગ્રેસનું શાસન શરૂ થયું હતું. પણ આ શાસનનો વહીવટી દોર તો નોકરશાહીના હાથમાં જ હતો ને વિધાનસભામાં પુછાતા પ્રશ્નોના જવાબો પણ એ નોકરશાહી ભાષામાં જ અપાતા.
એક વાર સામળદાસભાઈએ મને અગ્રલેખ લખવા જણાવ્યું. એઓ ક્યાંક રોકાયા હતા. મેં અગ્રલેખ લખ્યો ને છપાયો પણ ખરો. સાંજે છાપું નીકળ્યું. સામાન્ય રીતે છાપું નીકળે એટલે અમે સામળદાસભાઈના ઓરડામાં ચા પીવા એકઠા થતા. સાથે મિત્રવર્તુળમાંનું પણ કોઈ ને કોઈ હોય. છાપું નીકળતાં જ પહેલાં બધા અગ્રલેખના લખાણથી વાંચે ને સામાન્ય રીતે સામળદાસભાઈને મોઢે અગ્રલેખના લખાણથી વાતચીતની શરૂઆત થાય. એ દિવસનો અગ્રલેખ મેં લખેલો હતો એ હું ને સામળદાસભાઈ ને નીચે કંપોઝ વિભાગ અને પૂફરીડરો સિવાય કોઈ જાણતું ન હતું. એટલે સામળદાસભાઈનો જ અગ્રલેખ હોય એમ સૌએ એના મોં-ફાટ વખાણ કરવા માંડ્યાં. કોંગ્રેસી શાસનવાળા એક રાજ્યમાં ધારાસભ્ય પૂછેલા પ્રશ્નના પ્રધાનશ્રી તરફથી ઉત્તરની આખરી પ્રશ્નાવલિના ઉત્તરમાં ‘હા’, ‘ના’, ‘હા’, ‘ના’, ‘હા’, ‘ના’ સિવાય બીજો એક પણ અક્ષર ઉચ્ચારાયો ન હતો ! એ પ્રશ્નોત્તરી આખેઆખી ઉતારીને મેં નીચે થોડીક જ એવી મતલબની ટીકા કરી હતી કે આપણે આઝાદ થયા છીએ ખરા, પણ આપણે નોકરશાહીની ગુલામીમાંથી હજી મુક્ત થયા નથી ને આપણા લોકપ્રિય પ્રધાનશ્રીઓ પણ આ નોકરશાહીના
Page #60
--------------------------------------------------------------------------
________________
તંત્રીલેખો ૫૯ હાથમાં કેવા રમી રહ્યા છે એ આ ‘હા’, ‘ના’ સિવાય એઓ પાસે પ્રજાને કહેવા જેવું કાંઈ નથી એવું ઉત્તર પરથી સ્પષ્ટ થાય છે.
હું સામળદાસભાઈની બાજુમાં જ બેઠો હતો. એટલે ટેબલ નીચેથી પગ અડાડીને મને આ બધા પ્રસંશાગાન સાંભળવાની આડકતરી સૂચના સામળદાસભાઈ આપ્યા કરતા હતા. ઠીક ઠીક વાર સુધી આમ અગ્રલેખનું પ્રસંશા પારાયણ ચાલુ રહ્યા પછી સામળદાસભાઈએ બધાનો ભ્રમ ભાંગ્યો. સામળદાસભાઈના દેખતાં મને સૌએ અભિનંદન આપવાં જ પડે એવી પરિસ્થિતિ એ હતી.
અગ્રલેખની મારી પદ્ધતિ એ છે કે સવારનાં અખબારો આવી જાય એટલે સામાન્ય રીતે મુખ્ય સમાચારો વિગતે વાંચી એમાંથી લખવા જેવો વિષય પસંદ કરી લઉં. જુદાં જુદાં અખબારોમાં એક જ સમાચાર જુદી-જુદી વિગતે આવ્યા હોય એનો અભ્યાસ કરી લઉં અને પછી એના પર અગ્રલેખ લખવાનો આરંભ કરું. અગ્રલેખ લખી રહ્યા પછી સામાન્ય રીતે, એક વાર ફરી જોઈ જાઉં. જ્યારે કાર્યાલયમાં નિયમિત હાજરી અપાતી ત્યારે પ્રૂફ જતી વેળા પણ એ વધારે સારી રીતે વાંચી લેવાય. દરમ્યાન છાપાંઓ વધારે બારીકીથી વાંચી લેવાય. એમાં લખવા જેવા વિષયો ભરપૂર હોય. અનુકૂળ સમયે થોડા થોડા નાના નાના અગ્રલેખો લખાતા જ રહે ને એ પૂરક રૂપે મુખ્ય અગ્રલેખ સાથે મુકાતા રહે. ક્યારેક એવું પણ બને કે છેક છેલ્લી ઘડીએ કોઈ વિશિષ્ટ ઘટના એવી બને કે એની અગ્રલેખ દ્વારા નોંધ લેવી પડે તો એમ પણ થઈ શકે. બીજાં પત્રોના અગ્રલેખો વગેરે અગ્રલેખ લખતાં પહેલાં વાંચવાની મને ટેવ નથી. એ નિરાંતે જ વંચાય.
અગ્રલેખલેખન અંગે વ્યક્તિ વ્યક્તિએ નિરાળી પદ્ધતિ અપનાવાતી હોય છે. એને અંગે કોઈ નિયમ ધારાધોરણ હોઈ શકે નહીં. પણ સામાન્ય રીતે વાચન ને મનનથી વિચારોને પરિપુષ્ટ કરતાં રહેવાથી અને જરૂરી સંદર્ભે હાથવગા રાખવાથી અગ્રલેખલેખનમાં ઠીકઠીક સરળતા આવી રહે છે. વિચારોની સ્પષ્ટતા એની રજૂઆતમાં હોય તો અગ્રલેખોનું વાચન પણ રસભર્યું બને ને સાથે એ માહિતી પ્રેરક પણ બની રહે. સચોટ માર્ગદર્શન પણ એનું મુખ્ય લક્ષણ હોવું ઘટે, અનુભવથી ઘડાતાં ઘડાતાં અગ્રલેખના લેખનમાં પણ સ્વાભાવિકતા આવી રહે અને એવી સ્વાભાવિકતા અગ્રલેખને સુવાચ્ય બનાવતી હોઈ, હંમેશાં આવકારપાત્ર બની રહે છે.
(મૂળ લેખનો સંક્ષેપ)
Page #61
--------------------------------------------------------------------------
________________
૯
વિકાસનો આલેખ વાસુદેવ મહેતા
સ્વાતંત્ર્ય પહેલાંનું અને પછીનું ગુજરાતી પત્રકારત્વ એવા બે ખંડ અલગ વિચારવા માટે કેટલાંક સબળ કારણ છે. વિભાજનની રેખા ૧૯૫૦માં મૂકીએ તો એની પૂર્વેના ભાગને પછીના ભાગથી અલગ કરે એવા ત્રણ મુદ્દા છે : ગુજરાતનાં લગભગ તમામ દૈનિકોના આજના માલિકો ૧૯૫૦ પછી ચિત્રમાં આવ્યા છે, અને એમણે આજનાં દૈનિકોની દુનિયામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ૧૯૫૦ની સાથે આવેલી બીજી નવીનતા અખબારી ક્ષેત્રમાં પ્રવેશેલાં ટેક્નોલોજિકલ સાધનોની છે. હાથમુદ્રણ અને ફ્લૅટ-બેડ રોટરી મશીનોનો યુગ સમાપ્ત થયો અને મોનો ટાઇપ તથા ઘણા વધારે ઝડપી, રંગ-બેરંગી છાપકામ કરતા ટ્યુબ્યુલર રોટરી મશીનોનો યુગ આવ્યો, જેની સાથે અખબારોનાં મૂડીમાળખાં પણ બદલાઈ ગયાં. ત્રીજી ઘટના લોકશાહીના આગમનની છે. સ્વરાજ્ય આવવા સાથે કલમ પરનાં બંધનો ગયાં અને લોકશાહીને પગલે આવેલી મુક્ત ચૂંટણીઓથી અખબારોનો અવાજ ભારે તથા સત્તાવાહી બન્યો. ગુજરાતી વર્તમાનપત્રોનો જે વિકાસ ૧૯૫૦ પછી થયો એમાં ૧૯૫૦ની આસપાસ આવેલી આ ત્રણ નવીનતાઓનો ફાળો મહત્ત્વનો છે અથવા એ નવીનતાઓએ જે કર્યું એમાં ૧૯૫૦ પછીના ગુજરાતી પત્રકારત્વનાં સારાં-નરસાં પાસાં આવી જાય છે.
સ્વાતંત્ર્ય પછી ગુજરાતી વર્તમાનપત્રોનો ફેલાવો એટલો વધ્યો છે કે, એના આંકડા ત્રીસ વર્ષ પહેલાંના ઇતિહાસકારની કલ્પનામાં પણ આવવા મુશ્કેલ હોત. કલાકની ૪૦,૦૦૦- નકલો છાપી, પાનાં ગોઠવીને વાળીને બહાર પાડતાં ટ્યુબ્યુલર રોટરી સામે છાપાનો કંગાળ ફેલાવો હોવાથી એ મશીનોનું શું કરવું એ પ્રશ્ન ૧૯૫૦માં હતો, જ્યારે આજે એવાં બબ્બે મશીનો પણ મોટાં દૈનિકોના ફેલાવાને પહોંચી વળતાં નથી, અને આજે તો મોનો-ટાઇપ તથા ટ્યુબ્યુલર રોટરીના યુગમાંથી પણ નીકળીને ગુજરાતી દૈનિકો ફોટો-કંપોઝ અને ઑફસેટ પ્રિન્ટિંગના યુગમાં પ્રવેશી રહ્યાં છે.
સ્વાતંત્ર્ય પહેલાંનાં વર્તમાનપત્રો માત્ર ચાર, છ કે આઠ પાનાંની દૂબળી કાયાનાં હતાં અને છાપાં તરીકે માત્ર શુષ્ક સમાચાર-સૂચિ જેવાં હતાં. ત્રીસ વર્ષમાં સમાચાર મેળવવાનાં સાધનોમાં એમણે બહોળો વધારો કરવા ઉપરાંત લેખો અને કતારોની મબલખ સામગ્રી ભરી છે. મોટાં દૈનિકોમાં ૩૦ થી ૪૦ વિભાગો અઠવાડિયામાં આવે
Page #62
--------------------------------------------------------------------------
________________
વિકાસનો આલેખ | ૧૧ તો જેવુંતેવું વૈવિધ્ય ન કહેવાય. દૈનિકે ન ઝડપી હોય એવી પ્રવૃત્તિ શોધવી મુશ્કેલ છે. જૂનાં દૈનિકોમાં શુષ્ક વિષયસૂચિને પણ અવ્યવસ્થિત અને કદરૂપી રીતે ગોઠવી. દેવામાં આવતી. આજે દૈનિકોનાં પાનાંની સજાવટને કલાત્મક બનાવવામાં સતત ચીવટ રાખવામાં આવે છે. સામગ્રીમાં તથા સજાવટમાં જરાય શુષ્કતા ન આવે એની ખબરદારીમાં તંત્રીઓ અને ઉપ-તંત્રીઓની ઊંઘ હરામ થઈ જાય છે. . .
ગુજરાતની પ્રજાના જીવનમાં આ અખબારોનું મહત્ત્વ કેટલું ? એનું માપ કાઢવા માટે લોકોની સામાન્ય જાગૃતિની તપાસ કરતાં જણાશે કે દુનિયા, દેશ અને ખાસ કરીને ગુજરાતની મોટી મોટી નવાજૂની કચ્છથી વલસાડ સુધીનાં ગામો સુધી પહોંચી જાય છે. નાનકડી હોટેલો, બજારો અને ચૌટામાં બેસતા સામાન્યમાં સામાન્ય લોકો અનેક ઘટનાઓથી ઠીકઠીક વાકેફ હોય છે અને ટીકા-ટિપ્પણ પણ સારું કરી શકે છે. યુદ્ધ અને રેલસંકટ તથા બીજી રાષ્ટ્રીય આપત્તિઓના સમાચાર ગામેગામ ફેલાવવાનો યશ રેડિયો કે અંગ્રેજી છાપાંઓને નહીં પણ ગુજરાતી વર્તમાનપત્રોને જાય છે.
ગુજરાતનાં વર્તમાનપત્રો તથા પત્રકારત્વનું આ જમા પાસું સધ્ધર ગણાય. પરંતુ ઋણ પાસુંય ખાસું ભારે અને દુઃખદ છે. વિકાસ થયો છે પરંતુ ગતિ અને દિશામાં ગરબડ છે. શ્રી યાસીન દલાલે ગુજરાતી દૈનિકો અને સાપ્તાહિકોના વેચાણના આપેલા આંકડા પ્રભાવશાળી છે, પરંતુ સાપેક્ષ ચિત્ર જુદું છે. ગુજરાતની કુલ વસ્તીના માત્ર ત્રણ ટકા જેટલા જ લોકો ગુજરાતી દૈનિકો ખરીદ કરે છે. એક નકલ સરેરાશ પાંચ વ્યક્તિઓ વાંચે એમ માનીએ તો વાચકોની ટકાવારી પંદર ટકાથી વધતી નથી. વસ્તીના ૮૫ ટકાને જેની જરૂર લાગતી નથી અને જેની પડી નથી એ પ્રવૃત્તિ વેપાર હોય કે સેવા હોય પણ તેણે સંતોષ કે અભિમાન લેવા જેવું શું? જે નાનકડો સંસ્કારી વર્ગ છાપાં નિયમિત વાંચે છે એ પણ વર્તમાનપત્રને પોતાનું ગણીને આત્મીયતા, આદર કે પ્રેમથી, જોતો નથી. વર્તમાનપત્રની અનેક ઊણપો જોઈને અસંતોષથી પીડાય છે. સમાચારોમાં પણ ચોકસાઈનો અભાવ, વિગતોની ભેળસેળ વગેરેની શંકા હોવાથી સાવધાનીપૂર્વક વાંચે છે. છાપાં સાથે એમનો સંબંધ સમાચાર અને મુખ્યત્વે મનોરંજન પૂરતો હોય છે. તંત્રીઓના અભિપ્રાયો, શિખામણો અને માર્ગદર્શનની વાચકોને કશી પડી નથી. અખબારને સમાચાર ખાતર રોજિંદી જરૂરી ચીજ તરીકે લે છે, પણ એનાથી વાચકોનો સામાન્ય થર ખુશ કે પ્રભાવિત થતો નથી. ગુજરાતી વર્તમાનપત્રોનો વિકાસ એકદંડિયા કે બહુમાળી ઇમારતના જેવો છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૬૨ | ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું સામૂહિક પ્રસારણના પ્રધાન સાધનને છાજે એવો એનો પાયો લાંબો-ચોડો નથી. ફેલાવાના આંકડા ત્રીસ વર્ષમાં દસેક ગણા વધ્યા છે, પરંતુ વાચકોનાં આદર, સંતોષ કે વિશ્વસનીયતામાં મોટું ગાબડું છે. તંત્રીલેખો કોઈ વાંચતું નથી અને એ ટૂંકા ને ટૂંકા બનતા જાય છે કારણ કે વાચકો એને નિરુપયોગી ગણીને એના પર નજર પણ ફેરવતા નથી. ( પત્રકારત્વ અને સાહિત્યની ભાગીદારીની મીમાંસા જરૂરી છે. ગુજરાતી પત્રોમાં જાહેરખબરો તથા સમાચારો પછી ત્રીજો ભાગ પ્રકીર્ણ સામગ્રીનો છે, જેમાં વિવિધ વિષયોને લગતા વિભાગો કે કતારો, ટૂંકી તેમજ લાંબી વાર્તાઓ, ચિત્રકથા, કાવ્યો, પ્રાસંગિક મહત્ત્વના લેખો તથા માર્મિક નિબંધોનો સમાવેશ થાય છે. અખબારના નિમિત્તે જ આ સામગ્રી આપવામાં આવે છે, અને એમાં સાહિત્યકાર મિત્રોનો ફાળો બહુ મોટો છે. પરંતુ સાહિત્યકાર છાપામાં લખવા છતાં સાહિત્યકાર જ રહે છે અને પત્રકાર એના વ્યવસાયમાં ગમે તેટલી કલમ ચલાવે તોપણ એ પત્રકાર જ રહે છે.
( પત્રકારત્વ અને સાહિત્યના ઉદ્દેશો, સાધનો અને ઉપયોગો જુદાં જુદાં છે. ડૉક્ટર કે ઇજનેર કે શિક્ષકની જેમ પત્રકાર પણ શુદ્ધ સાહિત્યનું સર્જન કરી શકે, અને સાહિત્યકાર વર્તમાનપત્રમાં ફાળો આપી શકે કે વ્યવસાયી પત્રકાર પણ બની શકે. એ રીતે એમની સરહદો ખુલ્લી છે, પરંતુ અસ્તિત્વ અલગ-અલગ છે એ ભૂલવું ન જોઈએ. પત્રકાર અને સાહિત્યકાર લાંબી મજલના સહપાન્થી છે, પણ એમની મંઝિલો જુદી જુદી છે.
| ગુજરાતી સાહિત્યકારોએ વર્તમાનપત્રોમાં ઘણો ફાળો આપ્યો છે, પણ પત્રકારત્વની સેવા નથી કરી; ઊલટું, વર્તમાનપત્રોમાંથી સારા પ્રમાણમાં ખેંચ્યું છે. ભણેલાનું પ્રમાણ ગુજરાતમાં માત્ર પંચાવન ટકા છે. સાહિત્યકારો તથા પત્રકારોએ એટલામાં જ રમવાનું છે. પપ ટકામાં કેટલાકના ઘરના હિસાબમાં પુસ્તક-છાપાં માટે જોગવાઈ નહીં હોય, કેટલાકને રસ નહીં હોય અને કેટલાકનું ભણતર કાચું હોવાથી પુસ્તક-છાપાં દૂર રહેતાં હશે. બાદબાકીમાં ઘણો ઓછો સમૂહ રહે. આ સ્થિતિ છાપાં તેમજ સાહિત્યને એકસરખી નડે છે. છતાં નિરક્ષરતા ઝડપથી ઓછી કરીને વાચન-શોખ વધારવામાં સાહિત્યકારોને રસ જ નથી. નિરક્ષરતાનિવારણ ઝુંબેશ માટે સરકાર પૈસા આપે છતાં એમાં સાહિત્ય પરિષદનું નામ નહીં !
પત્રકાર અને સાહિત્યકાર, જુઘ કે એક એવી માથાઝીંક, અર્થહીન છે. સાહિત્યકારોએ ગુજરાતી વર્તમાનપત્રો માટે કરવા માં કામોનો ખડકલો વધતો જાય છે. અમારું મુખ્ય ઓજાર ભાષા સાવ ઘસાઈ ગયું ૬ વર્ણન, વિવરણ, આલેખન તથા
Page #64
--------------------------------------------------------------------------
________________
વિકાસનો આલેખ | ઉ૩
ઊર્મિ-વહન માટે આજની ભાષામાં કશું સત્ત્વ રહ્યું નથી; અતિશય વપરાશથી કૂચો થઈ ગઈ છે; એનો વાક ચાલ્યો ગયો છે. સતત દોડતી દુનિયાને છાપાંમાં ઉતારવા માટે શબ્દોની ટંકશાળની જરૂ૨ ત્રણ દાયકાથી ઊભી થઈ છે, વર્તમાનપત્રોને નવા શબ્દો, નવા અલંકારો, નવી શૈલીઓ અને નવા ભાષાપ્રયોગો પૂરા પાડવાને બદલે દારિત્ર્ય વેઠતાં છાપાંમાંથી સાહિત્ય પોતે ઉઠાવે છે.'
ગુજરાતી વર્તમાનપત્રોમાં ભાષાની કટોકટી ચાલે છે. પત્રકારો હંમેશ ઉતાવળમાં હોવાથી જે તત્કાલ મળે એ વાપરી લે છે. નવા શબ્દો, વાક્યરચના, શૈલીના પ્રયોગો માટે એમને જરાય અવકાશ નથી. છતાં નવા શબ્દોની તાતી જરૂર છાપાં માટે પડ્યા જ કરે છે.
છાપાં તેમજ સાહિત્યને ખરેખર લોકભોગ્ય બનાવવા માટે જે ભગીરથ કાર્ય કરવાનું છે એ નથી છાપાં કરતાં, કે નથી સાહિત્યકારો કરતા. છાપાંને માટે અત્યારની ગુજરાતી લિપિ પણ કાયમની રહી નથી. અંગ્રેજી મુદ્રણમાં એટલી ક્રાંતિ થઈ છે કે, છાપામાં અંગ્રેજી અક્ષરો જેટલી જગ્યા (કોલમ x સેન્ટિ.)માં સમાય છે એનાથી ત્રીજા ભાગના પણ ગુજરાતી શબ્દો તેટલી જગ્યામાં સમાઈ શકતા નથી; અને વધારામાં એ યાદ રાખવું જોઈએ કે આધુનિક અંગ્રેજી ખૂબ અર્થઘન છે, જેથી એનો લાભ બેવડો છે. નવા મરોડ અને સરળ છતાં અર્થઘન ભાષા સાહિત્યકારો મેળવી આપે તો જ ગુજરાતી છાપાં સામૂહિક માધ્યમ તરીકે યથાર્થ ઠરે. ગુજરાતમાં સરળ ભાષાવાળાં, સસ્તામાં સસ્તા તથા રાજકારણ ઉપરાંત બીજી પ્રવૃત્તિઓનું નગ્ન નહીં પણ વિવેકભર્યું વાસ્તવિક પ્રતિબિંબ પાડતાં છાપાંની જરૂર ચોખ્ખા પાણીના જેટલી જ છે. શ્રી ચીમનભાઈ પટેલે (સંદેશ) અખબારોની માલિકીના પ્રશ્નની છણાવટ કરીને ટ્રસ્ટીશીપનું સ્વરૂપ વધુમાં વધુ યોગ્ય લેખ્યું. જે માલિકી ગુજરાતના છાપાને ઉપર મુજબ બનાવીને ચલાવે એ ગમે એ પ્રકારની હોય એ સામે અમને વાંધો નથી. જો એઓ ટ્રસ્ટીશીપ જેવા આદર્શને છાપાના ચોકઠામાં ગોઠવી શકે તો અમને એ ઊલટાના આવકાર્ય બનશે, કારણ કે છાપું હવે ઉદ્યોગ હોવાથી એમની વહીવટી શક્તિની પણ અમને ઘણી જરૂર છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૬૪
| ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું
વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતું ઘણું લખાણ અલ્પજીવી હોય છે એ ખરું છે, કોઈ પંડિતો એ લખાણને છાપાળવું કહે એનીય ફિકર કરવાની જરૂર નથી, પરંતુ સાહિત્યના જુદા જુદા વાતાગમ વિભાગો (વૉટર-ટાઇટ કમ્પાર્ટમેન્ટ્સ) જન્માવીને કોઈને કહેવાનો, દલીલબાજી કરવાનો, પત્રકાર ઊંચો કે સાહિત્યકાર ? પત્રકારમાં દૈનિકકાર મહાન કે માસિકકાર ? સાહિત્યમાં ગદ્યલેખક મહાન કે પદ્યલેખક ? ગદ્યલેખકમાં મૌલિક સર્જનકાર મહાન કે વિવેચક ? પદ્યલેખકમાં અર્થઘન અગેય કવિતાલેખક કવિ કહેવાય કે સરલ ગદ્ય કવિતા લખનાર ? – એવી એવી ચર્ચા કરવાનો કાંઈ અર્થ હોય તોપણ એનો અંત આવે એમ નથી. દરેક ક્ષેત્રમાં પ્રતિભાને અવકાશ છે. પ્રતિભા નિર્જીવ વસ્તુને સજીવ બનાવી શકે છે. ચિરંજીવી સાહિત્યનો લેખક એક ગ્રંથકાર અને વર્તમાનપત્રોનો તેજસ્વી સંપાદક એ બેઉની તુલના કરો, અને જો બેઉની પ્રતિભાને તોળી શકાતી હોય તો બેઉનું વજન જરૂર સરખું થશે. પત્રકારત્વ સાહિત્યકારત્વ કરતાં ઊતરતું જ લેખાય એમ સાહિત્યનો પક્ષપાતી કહે અને વર્તમાનપત્રનો પક્ષપાતી સાહિત્યને ઊતરતું કહીને સૌથી પહેલો કાપ ગ્રંથવિવેચનના જ પાના ઉપર મૂકે, તેથી કાંઈ બેઉની પ્રતિભાનાં સાચાં મૂલ્ય અંકાઈ જતાં નથી. પત્રકારત્વ સાહિત્યકારત્વ જેટલું વૃદ્ધ થયું નથી. પરંતુ જ્યારે ભાવિ ઇતિહાસકાર એ બેઉની નિષ્પત્તિ પાછળ રહેલી પ્રતિભાનો તુલનાત્મક ઇતિહાસ લખશે, ત્યારે એ જરૂર ન્યાય તોળશે કે એક સાચા સાહિત્યકાર જેટલો જ મહાન એક સાચો પત્રકાર છે અને સાહિત્યવિવેચન તથા વૃત્તવિવેચન બંને જોડિયા ભાઈ છે.
- ચુનીલાલ વર્ધમાન શાહ (ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા અધિવેશનના પત્રકારત્વ
વિભાગના પ્રમુખ તરીકે આપેલા વક્તવ્યમાંથી)
Page #66
--------------------------------------------------------------------------
________________
પત્રકાર :
એક વિધાયક
પરિબળ
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી કિરીટ ભટ્ટ
શ્રી ભગવતીકુમાર શર્મા
શ્રી ચંદ્રકાન્ત મહેતા
શ્રી ચીમનભાઈ પટેલ
શ્રી ઈશ્વરભાઈ જે. પંચોલી
પત્રકારની ક્રિયાશીલતા
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા
પત્રકારનો લોકપ્રભાવ
પત્રકાર : એક વિધાયક પરિબળ
પ્રબળ રચનાત્મક શક્તિ
Page #68
--------------------------------------------------------------------------
________________
પત્રકારની ક્રિયાશીલતા
કિરીટ ભટ્ટ
વાતની શરૂઆત કરું એ પહેલાં જ ગુજરાતી સાહિત્ય પરિષદ અને નર્વગુજરાત કૉલેજ ઑફ જર્નાલિઝમે સંયુક્ત રીતે ઘણા વખતે સાહિત્યના પત્રકારત્વ પડખાને યાદ કરીને આવું સર્વાગી ચર્ચાસત્ર યોજ્યું એટલે અભિનંદન આપવાનું સહેજે મન થાય છે. આવું કાંઈ ન થાય તો પત્રકારોય સાહિત્ય સાથેનો પોતાનો નાતો અવિભાજ્ય છે એ વાત વીસરી જાય અને વધુ ને વધુ ધંધાર્થી થતા જતા પત્રકારત્વમાં રહીસહી સર્જનાત્મકતા, પાંખી મૂલ્ય-પરસ્તી અને નહીંવત્ હેતુલક્ષિતા બુઠ્ઠી થઈ જવાનો ભય રહે છે.
વધારે ભાર દઈને એટલું કહેવાનું મન થાય છે કે આ પરિસંવાદના પ્રયોજકોએ કેવળ ગુજરાતી જ નહીં, પરંતુ અંગ્રેજી વૃત્ત-વ્યવસાયમાં પડેલા ગુજરાતીભાષીનેય યાદ કરીને આ કાર્યક્રમમાં જોડાવાની ખેવના રાખી એટલે ઊંડી પ્રસન્નતાનો અનુભવ થયો. બાકી શ્રી ઝવેરચંદ મેઘાણી અને શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી જેવા ગુજરાતીઅંગ્રેજી પત્રકારો-સર્જકોનો યુગ યાદ કરીએ તો ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનોમાં શ્રી સોમાલાલ શાહ, શ્રી રવિશંકર રાવળ, શ્રી કનુ દેસાઈ, શ્રી ઓમકારનાથ પંડિત સુધીના કલાસર્જકોય અનાયાસ આ સંકુલનો એક ભાગ જ હતા. '
- હવે તો ગતિવિધિ એ સ્થિતિએ આવીને ઊભી છે કે ગુજરાતી સાહિત્ય પરિષદનું વૃત્તાંતનિવેદન પણ લોકહૃદય સુધી પહોંચાડવાની પોતાની જવાબદારી છે, એટલી સમજ પણ મોટા ભાગનાં છાપાંઓએ ગુમાવી દીધી છે. એટલે આ બે મહત્ત્વનાં સર્જક અંગો – સાહિત્ય અને પત્રકારત્વ - જાણે પરસ્પરથી અળગાં થઈ ગયાં છે. આજના પ્રયાસથી બંને જોડવાની પ્રક્રિયા શરૂ થાય તો એ પગલું સત્કાર્ય બનશે એ નિઃશંક છે.
હવે સીધો મારી વાત પર આવું. હું પત્રકારત્વના વ્યવસાયમાં મુખ્યત્વે quiાનિદકની ક્કામગીરી બજાવું છું. સરકારી કાયમી નોકરી મૂકીને આ વ્યવસાયમાં પ્રોમ્પો ત્યારે પ્રધા-પાણી એવા ખ્યાલથી જ આવેલો કે હું પોતે હવે વિશેષ મૂલ્યપરસ્ત
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૮
| પત્રકાર : એક વિધાયક પરિબળ
અને હેતુલક્ષી ક્ષેત્રમાં પગ મૂકી રહ્યો છું.
પોણા બે દાયકાના પત્રકારત્વના અનુભવ પછી આજે હું બેફિકરપણે એવું કહેવાની સ્થિતિમાં નથી કે મારી કલ્પના અને હકીકતને નિકટનો સંબંધ છે જ.
ક્રિયાશીલ પત્રકાર-ActiveJournalist-નું પાયાનું કામ સત્યની શોધ કરીને એને ઉઘાડું પાડવાનું છે, એમ હું સમજું છું. આજનો પત્રકાર આ કામ મહદ્ અંશે કરતો નથી, કાં એ કરી શકતો નથી કે પછી જે પરિબળો વચ્ચે એ ઘેરાયેલો છે એ આ કાર્ય એને કરવા દેતાં નથી.
એનું કારણ શું? કારણ એટલું જ કે પત્રકારે સત્ય શોધીને એના આખરી માલિક-વાચક-સમાજ કે રાષ્ટ્ર સમક્ષ એ અર્પણ કરવાનું છે. આ વાત એ ભૂલી ગયો છે. કદાચ આજે એને એની ખબર જ રહી નથી. નથી એને સત્યની ખબર કે નથી એનો માલિક કોણ છે એની ખબર.
એ આજે કોને પોતાનો માલિક સમજી રહ્યો છે ? કાં તો છાપું ચલાવતી પેઢી કે કંપનીના માલિકને. કાં તો છાપાના આર્થિક પાસાને સભર રાખતા સ્તંભો જેવા કે વિજ્ઞાપનદાતાઓ કે સરકારને એ પોતાના માલિકો સમજે છે. આમ ન હોય ત્યાં એ પોતાનું દિશાભાન ખોઈને, આદર્શની ભ્રાંતિમાં નાંખનારા કોઈ રાજકીય કે સત્તાખોરના ઇરાદા પોષવાનું સાધન બનીને કોઈક અદશ્ય માલિકની સેવામાં રચ્યોપચ્યો રહે છે,
પરિણામે બહુજનસમાજ - જે સત્યશોધક પત્રકારનો મૂળ માલિક છે - એને એ - પોતાનું કર્તવ્ય કરતી વખતે મધેનજર રાખતો નથી. અને એટલે જ સત્ય શોધવાનું
પોતાનું મૂળ કાર્ય છે એમ યાદ રાખવાની અને જરૂર લાગતી નથી. આમ દિશાશ્રુત થયેલો આજનો પત્રકાર એનાથી જોજનો દૂર ફેંકાઈ ગયો છે.
આ પત્રકાર કાર્યશીલ રહે નહીં એ ખાસ જોવા ઉપર જણાવેલાં પરિબળો સતત સક્રિય રહે છે. બની બેઠેલા માલિકોનો મૂળ હેતુ સત્યસ્ફોટન નથી, પણ સ્વાર્થસિદ્ધિ છે. પત્રકારને આ વાતની સરત રહી નથી. એટલે અભાનપણે આભાસી માલિકોના ઋણમાં રહીને એ અક્રિયાશીલ' પત્રકારત્વમાં આવી રહ્યો છે.
એટલે, સત્ય શું? કોનું સત્ય ? કોની આંખે જોયેલું સત્ય ? કોને ખાતર શોધેલું સત્ય ? અને એનું પત્રકારના હેતુલક્ષી અને મૂલ્યપરસ્ત જીવનમાં સ્થાન શું? આ બધા
Page #70
--------------------------------------------------------------------------
________________
પત્રકારની ક્રિયાશીલતા U ૧૯
પ્રશ્નો સંદર્ભ વગરના થઈ ગયા છે.
પોતાનું પાયાનું કામ સત્ય જોવાનું ને દેખાડવાનું છે, એ પત્રકાર જોતો જ નથી. એટલે દેખાડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. આમ આજે પત્રકાર પત્રકાર તરીકે જીવતો નથી.
એ માત્ર દબાણો, લાચારી કે પ્રલોભનો વચ્ચે નિરાંતે જીવવા ટેવાઈ ગયો છે - મોટે ભાગે એ પત્રકાર તરીકે મરી ચૂક્યો છે. આજની અમારી આ દશા શ્રી હસમુખ પાઠકની મૃત્યુ' શીર્ષકધારી એક કવિતામાં આબાદ ફુટ થઈ છે :
“ચોકની વચ્ચે પડેલા એક ઉંદરના મરેલા દેહ પર તિણા ઉઝરડા નહોરના આ જ ઠંડા પહોરના હું જોઉં છું હું જોઉં છું હું જોઉં પણ હું જોતો નથી. મારી નજર તો સાવ ખાલી આંખ મારી કાચનો કટકો મારા હૃદયના ક્યાંય ના ખટકો જોયા છતાં હું કાળજે કંપે નહીં.
બસ કરું જંપું અહીં.” આમ પત્રકાર તરીકે નહીં જીવતા પત્રકારના જીવનમાં અવરોધો કે પડકારનોય અવકાશ નથી. વિવિધ પ્રકારનાં સ્થાપિત હિર્તાની પકડમાં ને એના રાજકારણમાં અટવાઈ રહેવાનું કે એમાંથી પોતાની અંગત મહત્ત્વાકાંક્ષાની રોટલી શેકતા રહેવા
Page #71
--------------------------------------------------------------------------
________________
૭૦
| પત્રકાર : એક વિધાયક પરિબળ
સિવાય એમાં ક્રિયાશીલ પત્રકારની હસ્તી હોય એવું મને લાગતું નથી.
ક્રિયાશીલ અશ્વો ત્રણ પ્રકારના હોય છે. એક ચાબુક મારતાં જ કૂદકો મારી ભાગે છે. બીજો માત્ર ચાબુકના વીંઝાવાથી દોડતો થઈ જાય છે, જ્યારે ત્રીજો તો ચાબુક પડેલો જોઈને સતત ભાગતો જ રહે છે. આજના પત્રકારની હેતુવિહોણી દોડક્રિયાશીલતા' ત્રીજા પ્રકારની છે એવું જણાવતાં રુધિર વહેતા ઘાવ સમી વેદના અનુભવી શકું છું.
આ બધી ચૂડ-બંધનોમાંથી પત્રકારને બહાર કાઢવા – હેતુલક્ષી આદર્શની કેડી ઉપર એને મૂકવા, પ્રથમ ક્રિયાશીલ પત્રકારત્વના અને પછી મુક્ત પત્રકારત્વના એના કર્તવ્યની સભાનતા લાવવા – એને મુક્ત કરવો પડશે. આ દીક્ષા દેવા વ્યવહારુ ને વાસ્તવિકતાપરસ્ત શાણપણ કે રાજકારણની પકડમાંથી પણ એને બહાર લાવવો પડશે.
આ માટે પત્રકારે ભોગ પણ આપવો પડશે. કોઈ જાતના આદર્શ વિનાની કેવળ “ખિસ્સા ભરવાનો હેતુ ધારણ કરી, આગેવાન થઈને ચાલતી માલિકોની પેઢીને નિર્મળ કરવી પડશે, જરૂર પડે તો લોહી રેડવું પડશે. પરસ્પર માટે સમર્પણ ને ત્યાગની તમન્ના કેળવવી પડશે. દંભની દુનિયામાંથી પોષીને કેળવેલા અહમને ઓગાળવો પડશે. આ તો શરૂઆતનો માત્ર પૂર્વ ભાગ જ હશે. મજલ તો ઘણી ઘણી લાંબી છે.
અખબારી જગતમાં બે પાત્રો મહત્ત્વનાં કામ બજાવે છે અને બજાવી શકશે અને મોટે ભાગે એ લોકોને અત્રે ચર્ચિત અવરોધક પરિબળોનો સામનો કદાચ સીધો કરવો પડતો નથી.
આ બે મહત્ત્વનાં અંગો છે : હ્યુમરિસ્ટો – હળવી હાસ્યકટાર – લેખકો અને કટાક્ષચિત્રકારો – કાર્ટૂનિસ્ટો. વધુ ચર્ચા કર્યા વગર એમને માટે રહેલા મોકળા મેદાનની ઈર્ષ્યાજનક ઉપયોગિતાનો ઉપયોગ એઓ કરતા રહે એટલું જ.
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૧
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા
– ભગવતીકુમાર શર્મા
સાંસ્કૃતિક સજ્જતા એ મનુષ્યનો જ કહી શકાય એવો વિશેષાધિકાર છે.
સાંસ્કૃતિક સજ્જતા એ જેટલી માણસની ભીતર વસી શકનારી ચીજ છે તેટલી એના બાહ્ય પરિવેશમાં હોતી નથી. એ એના Beingનો એક અવિચ્છેદ્ય અંશ હોય અથવા ન હોય. એ એનાં ભપકાદાર વસ્ત્રો નથી, વસ્ત્રોની નીચે ઢંકાયેલી સુંવાળી કે બરછટ ત્વચા પણ નથી; એ તો ત્વચાની હેઠળ વહેતું લોહી છે. બાહ્ય દૃષ્ટિએ અસંસ્કારી લાગતો માણસ પણ ભીતરમાં સાંસ્કૃતિક સજ્જતા ધરાવતો હોય એમ બને. એ વિના સંતસાહિત્ય અને લોકકલાઓનું આટલું મોટું અક્ષયપાત્ર આપણને ઉપલબ્ધ ન થયું હોત.
સાંસ્કૃતિક સજ્જતાની પણ મહત્ત્વની શરતો હોવાનું મને સમજાય છે : (૧) સહૃદયતા (૨) વિચારશીલતા અને (૩) સ્વાતંત્ર્યપ્રીતિ.
આમાં પાયાનો ગુણ છે સહૃદયતા, સમભાવ. ‘મિત્રચ વક્ષુષા સમીક્ષામદે' એ આપણું ચિરપરિચિત સૂત્ર છે. સહૃદયતાનો ગુણ કેળવવામાં એ મહત્ત્વનું દિશાસૂચન કરી શકે એમ છે. સહૃદયતા કેળવાય છે અંતર્ગત ઋજુતામાંથી, સૂક્ષ્મ સંવેદનશીલતામાંથી, સતત જાગ્રત રહેતા નિતાંત માનવીય દૃષ્ટિકોણમાંથી, વિશાળ અને ઉદાર પરિપ્રેક્ષ્યના સેવનમાંથી તથા હરહંમેશ તત્પર એવી સમજદારીથી.
આ બધા ગુણો સંગીન વૈચારિક ભૂમિકા વડે પિરપોષ પામતા રહે છે. વૈચારિક સજ્જતા માટે વિશાળ અને ઊંડાણયુક્ત વાચન આવશ્યક છે.
મને લાગ્યું છે, કે પત્રકારત્વમાં જે ઝડપ, તાત્કાલિકતા તેમજ Instant વલણો બાંધવાની તથા તત્ક્ષણ અભિપ્રાયો આપવાની જે આવશ્યકતા છે એને કારણે ક્યારેક કોઈક કોઈક પત્રકારની વિચારશક્તિ મર્યાદિત થઈ જવાનો, સહ્રદયતામાં વિક્ષેપ પડવાનો અને એની સાંસ્કૃતિક સજ્જતા ઊણી ઊતરવાનો ભય રહે છે. વૃત્તાંતનિવેદન, વૃત્ત-વરણી, વૃત્ત-સજાવટ વગેરે કામગીરી બજાવતા પત્રકારો માટે ઝડપ, તાત્કાલિકતા વગેરે અત્યંત આવશ્યક પણ છે, પરંતુ જેઓને વિચારપૂત અભિપ્રાયદર્શન તથા સમીક્ષાનું કાર્ય કરવાનું હોય એઓ પણ હંમેશાં તાત્કાલિકતાને વશ વર્તીને જ કામગીરી બજાવે તો એનાં ઇષ્ટ પરિણામો ન પણ આવે.
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા માટે બીજો આવશ્યક ગુણ એ એની સ્વાતંત્ર્યપ્રીતિ. એ પોતાના સ્વાતંત્ર્યની રક્ષા અને અભિવ્યક્તિ માટે તો કટિબદ્ધ હોય જ, , એ સાથે એને અન્યોના સ્વાતંત્ર્યના જતનનો યે-એવો જ ઉમળકો હોય. એમ થવાથી
Page #73
--------------------------------------------------------------------------
________________
૭૨ પત્રકાર : એક વિધાયક પરિબળ એની પત્રકારચર્યામાં નિર્ભીકતાની સાથે તટસ્થતા, સમતુલા અને વિધાયકતા સિદ્ધ થવાની સુભગ શક્યતા રહે.
પત્રકારની સાંસ્કૃતિક ચર્ચા પ્રજાજીવનની સૂક્ષ્મ સંપત્તિને સ્પર્શતી હોવાથી તેણે પોતાની એ પ્રવૃત્તિ પરત્વે સવિશેષ સાવધાન અને સુસજ્જ રહેવું જોઈએ એ સ્વાભાવિક
પરંતુ પત્રકારની ઇમેજ તથા એને વિષેના ખ્યાલો સંબંધે આનાથી કંઈક જુદી જ પરિસ્થિતિ પ્રવર્તતી હોવાનો ખ્યાલ આવે છે. પત્રકાર એટલે સ્પષ્ટવક્તા, કટુભાષી, જેની ને તેની ટીકા કરનારો, વાંકદેખો, ખણખોદિયો, નિંદારસનું પરોક્ષ-અપરોક્ષ પોષણ કરનારો, ઉતાવળિયા અને બદ્ધ અભિપ્રાયો આપનારો, પોતાને સર્વજ્ઞ માનનારો, પોતાને વળતી ટીકાથી પર માનનારો, અસહિષ્ણુ એવી તેને વિષેની છાપ ક્યાંક ક્યાંક પ્રવર્તે છે. આ છાપ સંપૂર્ણતઃ સાચી નથી તેમ છેક ખોટી છે એમ કહેવુંયે મુશ્કેલ છે. આ છાપામાંના જે તથ્થાત્મક અંશો છે એ પત્રકારને ક્યારેક પૂર્ણપણે સહૃદય, વિચારશીલ અને સ્વાતંત્ર્યપ્રેમી બનાવવામાં વિજ્ઞકાર નીવડે છે જેથી એની સાંસ્કૃતિક સજ્જતામાં ઓછપ અનુભવાય છે.
દૈનિક પત્રકારત્વની સાથે જે ઝડપ, ઉતાવળ, તત્કાળ અભિપ્રાય આપવો, ઊંડાણમાં ઊતરવાની શક્યતાની ઊણપ, એને કારણે એવી વૃત્તિનો ક્રમશઃ હ્રાસ થવો, અખબાર જેવું સબળ સાધન પોતાની પાસે હોવાની સભાનતામાંથી જન્મતાં ચોક્કસ પ્રકારનાં વૃત્તિ-વલણો, સર્વજ્ઞતાના ક્યારેક ક્યાંક કરાતા દાવા, શૈક્ષણિક લાયકાતની અનિવાર્યતાનો અભાવ, Specialisation વિકસાવવા માટેની સાનુકૂળતા, સુવિધા તથા વૃત્તિની ગેરહાજરી, વધારે પડતો રૂટીની કાર્યબોજ, આ બધાં કારણોને લીધે આપણા પત્રકાર માટે સાંસ્કૃતિક સજ્જતા કેળવવા-ટકાવવા-સંમાર્જિત કરવાનું મુશ્કેલ બને છે ને એ પરિસ્થિતિ એની સહૃદયતા તથા વિચારશીલતાને કુંઠિત કરનારી નીવડે છે.
એનો અર્થ એ નથી કે પત્રકારે કોઈની કે કશાની ટીકા ન કરવાની હોય અને બધું સુખું સુખું જ કહેવા-લખવાનું હોય, પણ એની પાસે એટલી તો અપેક્ષા રહે કે એ જે કાંઈ લખે એમાં એની વિચાર-સંપત્તિ, જ્ઞાન, નિષ્ઠા અને આત્મપ્રતીતિનો રણકો હોય; એમાં દોષદૃષ્ટિ, પૂર્વગ્રહ, અભિગ્રહ, અંગત ગમા-અણગમા, કોઈને ઊંચે ચઢાવવાની ને કોઈને ઉતારી પાડવાની વૃત્તિ ન જ હોય; એમાં એની માહિતીની પરિમિતતા કે સત્યની વિકૃતિ પણ ન હોય. એ જે કાંઈ કહે-લખે એ સ્પષ્ટપણે છતાં સહૃદયતાના તંતુને ગુમાવ્યા વિના, દિલચોરી રાખ્યા વિના, અંતિમવાદી ને ખંડનાત્મક બન્યા વિના, સામાના દૃષ્ટિકોણને સમજવાની ખેવના રાખીને કહે–લખે તો એના લેખનમાં, અભિપ્રાયદર્શનમાં સચ્ચાઈ, નિષ્ઠા અને વિધાયકતા આવે અને એમાં એની સાંસ્કૃતિક સજ્જતા પ્રતિબિંબિત થાય.
Page #74
--------------------------------------------------------------------------
________________
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા [ ૭૩ આવી સાંસ્કૃતિક સજ્જતા જેમ એના ભીતરી વિકાસ-જતન-સંપોષણમાંથી બંધાય એમ બૌદ્ધિક અભિગમ, વિશાળ વાચન, વિચારોના આદાનપ્રદાન ઇત્યાદિમાંથી પણ ઘડાતી રહે અને જો એ આ આવશ્યકતાઓ પ્રતિ સજાગ રહે તો એને સંતોષવા માટેનું વલણ એનામાં વિકસતું રહે છે અતિ પ્રતિકૂળ સંજોગોમાંયે બાહ્ય સજ્જતા શોધવા પ્રયત્નશીલ રહે.
આપણું મોટું દુર્ભાગ્ય છે કે ગુજરાતી દૈનિક પત્રકારત્વમાં આવી આંતરબાહ્ય સાંસ્કૃતિક સજ્જતા ધરાવતા પત્રકારો ઘણા ઓછા છે ને જે છે એઓને એ સજ્જતામાંથી આવિષ્કત થતી એમની શક્તિને લેખે લગાડવા માટેનો પર્યાપ્ત અવકાશ આપણું પત્રકારત્વ હજુ સુધી પૂરો પાડી શક્યું નથી. વસ્તુત: આપણું સાંપ્રત દૈનિક પત્રકારત્વ ઘણે બધે અંશે સાંસ્કૃતિક સજ્જતાની અને એની અભિવ્યક્તિના અવકાશની દરિદ્રતાથી પીડાય છે. આપણા પત્રકારત્વ પર રાજકારણ, સનસનાટી-રસિકતા, લોકભોગ્યતાને જ નજર સમક્ષ રાખવાનું વલણ, નર્યો ધંધાદારી અભિગમ, વ્યાપારી ગણતરીઓ તેમજ મોટા ભાગના પત્રકારોની વ્યક્તિગત અસજ્જતાનું એવું ભારે વજન ખડકાયું છે કે આ બધાં કારણોને લીધે પત્રોની અને પત્રકારોની સાંસ્કૃતિક સજ્જતાને અંકુરાવાની શક્યતા ઘણી ઓછી રહેવા પામી છે.
આજે આપણું પત્રકારત્વ સાધનસંપન્નતા, ફેલાવો, વાચકોની દિલચસ્પી વગેરે સંબંધમાં ઘણું સમૃદ્ધ બન્યું હોવા છતાં એની સાંસ્કૃતિક સજ્જતાને સંબંધ છે ત્યાં સુધી એ કેટલાક દાયકાઓ પહેલાં હતું એનાથી ખાસ આગળ વધ્યું હોય એમ લાગતું નથી – બલકે કેટલેક અંશે તો તેણે પીછેહઠ કરી હોય એવો વહેમ પડે છે. અલબત્ત, આમાં સાંપ્રત યંત્રયુગપ્રેરિત દેશકાળે પ્રજાસમૂહના વલણમાં સર્જેલાં આમૂલ પરિવર્તનોએ ઘણો ભાગ ભજવ્યો છે. આજના “જેટયુગમાં જ્યારે સમસ્ત પ્રજાજીવન જ ઉપરછલ્લું, ઉતાવળિયું, અધીરિયું, સપાટીપ્રિય, સપાટ, સ્વકીય મુદ્રા વિનાનું બન્યું જતું હોય ત્યારે પ્રજાજીવનના જ એક અંશરૂપ પત્રકારત્વ એના પ્રભાવથી અલિપ્ત રહી શકે એવી અપેક્ષા વધારે પડતી છે, પરંતુ પત્રકારત્વ પ્રજાને દોરવણી આપે, ખાસ કરીને લોકહૃદયની ચેતનાને એ દીપ્તિમંત રાખે એવી જો આપણી અભિલાષા હોય તો ઉપર કહ્યા એ વિપરીત પ્રભાવમાંથી પંડને શક્ય એટલું બચાવવા તેણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આપણું પત્રકારત્વ આજે એવો પુરુષાર્થ કરી રહ્યું છે ખરું ? જવાબ એકંદરે નકારમાં આપવો પડે એવી સ્થિતિ છે.
થોડાંક ઉદાહરણોથી મારી વાત સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરું છું :
આજે ગુજરાતમાં સંખ્યાબંધ ગુજરાતી ચલચિત્રો સર્જાય છે. કલાદૃષ્ટિએ એમાંની ઘણીખરી ફિલ્મો સાવ નિકૃષ્ટ કોટિની હોય છે, છતાં એ ફિલ્મોએ એક બહોળો પ્રેક્ષક વર્ગ તૈયાર કર્યો છે. આ ચિત્રો કેટલાં ખરાબ છે અથવા એમાંનું કોઈક
Page #75
--------------------------------------------------------------------------
________________
૭૪
] પત્રકાર : એક વિધાયક પરિબળ
ચિત્ર કંઈક સારું છે કે નહીં એ જાણવા માટે પ્રેક્ષકોને કોઈ ગુજરાતી અખબાર પાસે તો ઠીક, ગુજરાતી ફિલ્મવિષયેક સાપ્તાહિક પાસે પણ નહીં, પરંતુ અમદાવાદમાંથી પ્રગટ થતા એક અંગ્રેજી અખબાર પાસે જવું પડે એવી સ્થિતિ છે ! એ અખબાર અતિ સામાન્ય ગુજરાતી ચિત્રની સમીક્ષા પણ ધાર્મિક નિયમિતતાથી પ્રગટ કરે છે એ માટે એનો આભાર માનીએ, પરંતુ જે વર્ગ ગુજરાતી ચિત્રો જુએ છે એ આ અંગ્રેજી અખબાર સુધી પહોંચી શકતો નથી !
બીજું એક ઉદાહરણ લઈએ.
ગુજરાતમાં ‘આકાશવાણી'નાં ત્રણ કેન્દ્રો છે : અમદાવાદ-વડોદરા, રાજકોટ અને ભૂજ. અને હવે સૂરત, ગોધરા, આહવા અને દમણનાં એફ. એમ. ઍન્ડ કેન્દ્રો. આ ઉપરાંત મુંબઈ કેન્દ્રના ગુજરાતી કાર્યક્રમો પણ ગુજરાતમાં સાંભળી શકાય છે. આ કેન્દ્રોના કાર્યક્રમોની સમીક્ષા પ્રગટ કરવાનું કર્તવ્ય મુંબઈના ગુજરાતી અખબારો તો નિભાવે છે, પરંતુ ગુજરાતમાંથી પ્રગટ થતાં ગુજરાતી અખબારો, માત્ર એક અપવાદને બાદ કરતાં, ‘આકાશવાણી'નાં આ કેન્દ્રોની પ્રવૃત્તિઓની સદંતર ઉપેક્ષા જ કરે છે ! જે કાર્યક્રમો લેખાં લોકો સાંભળે છે એના સારા-નરસા અંશોની સમીક્ષા કરી Listners' interestને સંકોરવાની તથા એ કાર્યક્રમોની કક્ષા વિષે રચનાત્મક સૂચનો કરવાની અખબારોની ફરજ ન ગણાય શું?
એમ તો ગુજરાતમાં પીજનું ટેલિવિઝન કેન્દ્ર પણ છે, જેનું કામકાજ અમદાવાદમાં ચાલે છે, પરંતુ એ કેન્દ્રના કાર્યક્રમો વિષે, એની કક્ષા વિષે, મેં ક્યારેય ગુજરાતના કોઈ અખબારમાં કાંઈ વાંચ્યું હોય એમ યાદ નથી. હવે તો થોડાક સમયમાં અમદાવાદને પૂર્ણ દરજ્જાનું ટી.વી. કેન્દ્ર પણ મળનાર છે. એ કેન્દ્રની કામગીરીનીયે શું આપણાં વૃત્તપત્રો આ જ રીતે ઉપેક્ષા કરશે ? છેલ્લાં દસ વર્ષમાં દેશભરમાં ટેલિવિઝનચેનલોનો અને એમાં લોકોના રસનો બેહદ વિસ્તાર થયો છે. અખબારોમાં એને વિશે અઢળક સામગ્રી છપાય છે, પણ એનો હેતુ સાંસ્કૃતિક નથી. ગૉસિપ-લેખનનો વિશેષ
આકાશવાણી'ના દિલ્હી કેન્દ્ર પરથી ગુજરાતી ભાષામાં વંચાતા સમાચારોની ભાષા, ઉચ્ચાર, સ્વરભાર વગેરેના સ્તર વિષે આપણાં વર્તમાનપત્રોએ ક્યારેય ચિંતા વ્યક્ત કરી છે ખરી ?
થોડાક સમય પહેલાં દ્વારિકામાંથી એક આખું પુરાતન મંદિર ઉત્પનન દ્વારા શોધી કાઢવાની વિરલ કામગીરી રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ બજાવી હતી, પરંતુ એ ઘટનાને લગતો પ્રથમ વિગતવાર સચિત્ર અહેવાલ કોઈ ગુજરાતી પત્રે નહીં પણ અમદાવાદમાંથી પ્રગટ થતા એક અંગ્રેજીભાષી અખબારે આપ્યો હતો એનીયે દુ:ખ સહિત નોંધ લેવી રહી.
Page #76
--------------------------------------------------------------------------
________________
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા
☐ ૭૫
સર્જનાત્મક સાહિત્યલેખન, પુસ્તકસમીક્ષા, સાહિત્યિક કાર્યક્રમો ઇત્યાદિને પણ ગુજરાતનાં વર્તમાનપત્રો પૂરતું અને યોગ્ય સ્થાન આપે છે એમ કહેવું મુશ્કેલ છે. ફાધર વાલેસ જેવા એક વિદેશી વિદ્વાનને આપણી ગુજરાતી ભાષામાં લેખનકાર્ય બદલ ગુજરાતનું શ્રેષ્ઠ સાહિત્યિક બહુમાન ‘રણજિતરામ સુવર્ણચંદ્રક' મળે એ વિરલ ને સુભગ ઘટનાનું સમાચારમૂલ્ય સુધ્ધાં ગુજરાતનાં મોટા ભાગનાં અખબારો માટે એક ફકરા જેટલું જ વર્તાય એ દુઃખદ નહીં તો બીજું શું ? ગુજરાતના કદાચ એક જ અખબારે આ પ્રસંગને તંત્રીલેખ દ્વારા મૂલવવાની ગરિમા દાખવી હતી. મહારાષ્ટ્ર, બંગાળ કે હિન્દીભાષી પ્રદેશમાં આવી ઘટના બની હોત તો ? આ બાબતમાં મુંબઈમાંથી પ્રગટ થતાં ગુજરાતી અખબારો સુખદ અપવાદરૂપ છે. હરીન્દ્ર દવે જેવા એક ઉત્તમ કવિ, નવલકથાકાર અને પત્રકારના નિધનની ઘટનાને જે રીતે ગુજરાતનાં બે મુખ્ય દૈનિકોએ મૂલવી હતી - કવર કરી હતી એ આપણા પત્રકારત્વની સાંસ્કૃતિક દરિદ્રતાનું ઘોતક છે.
વર્ષો પહેલાં ઉર્દૂના આ સદીના એક મહાન કવિ ‘જિગર’ મુરાદાબાદીનું અવસાન થયેલું ત્યારે એને વિષે ગુજરાતના માત્ર એક વર્તમાનપત્રે તંત્રીલેખ લખવા જેટલી સૂઝ દાખવેલી એ જોઈને સ્વ. ચુનીલાલ મડિયા આફરીન થઈ ગયેલા. એ જ મડિયાનું અમદાવાદમાં રેલવે ટ્રેનમાં આકસ્મિક આઘાતજનક અવસાન થયું ત્યારે ગુજરાતનાં અખબારોએ, એક-બે અપવાદોને બાદ કરતાં, એ અખબારને માત્ર એક ફકરામાં સમાવી દીધેલો ! મડિયા ક્યાં કોઈ રાજકારણી કે ઉદ્યોગપતિ કે ફિલ્મસ્ટાર કે ક્રિકેટર હતા ?
અંગ્રેજી વર્તમાનપત્રોની સાપ્તાહિક આવૃત્તિઓમાં એક આખું પાનું ભરીને ખીચોખીચ પુસ્તક-સમીક્ષાઓ અચૂક રીતે પ્રગટ થાય છે, પરંતુ અલ્પ અપવાદો સિવાય, ગુજરાતી અખબારો પુસ્તક-સમીક્ષાને સાવકા સંતાન જેવું સ્થાન આપે છે. ગુજરાતી પત્રો આટઆટલી પૂર્તિઓ પ્રગટ કરે છે, પણ એમાં સર્જાતા સાહિત્યના અંકુરો જોવા મળે છે ખરા ? ભાગ્યે જ કોઈ પત્ર સપ્તાહે એક કવિતા કે એક લલિત નિબંધ પ્રગટ કરવાની હિંમત દાખવે છે. શ્રી ભોળાભાઈ પટેલને એમના સુન્દરતર પ્રવાસ-નિબંધો પ્રગટ કરવાનું કોઈ દૈનિક પત્ર તો ઇજન આપે જ ક્યાંથી ? જોકે પછીથી આમાં સુખદ અપવાદ સર્જાયા છે, આપણાં વર્તમાનપત્રોની પૂર્તિઓમાં ધારાવાહી નવલકથા અનિવાર્ય અંગ બની ચૂકી છે, પણ કોઈ પત્રે પ્રયોગલક્ષી, આરૂઢ નવલકથા છાપવાની હામ બતાવી છે ખરી ? આ વર્તમાનપત્રો જાતજાતના સિસ્ટર પબ્લિકેશન્સ પ્રગટ કરે છે - સિનેમાથી માંડીને ધર્મવિષયક, પરંતુ શુદ્ધ સાહિત્યનું સામયિક પ્રગટ ક૨વાનું કોઈએ સાહસ કર્યું છે ખરું ? એકમાત્ર અપવાદ મુંબઈમાંથી પ્રગટ થતાં ‘કવિતા’ ત્રૈમાસિકનો છે. એક જમાનો હતો જ્યારે ‘પ્રજાબંધુ' સાપ્તાહિક એની
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૦
| પત્રકાર : એક વિધાયક પરિબળ
સાહિત્યિક ગુણવત્તા માટે વિખ્યાત હતું. આજે ગુજરાત-મુંબઈમાંથી સાપ્તાહિકો ઘણાં પ્રગટ થાય છે ને એનો ઉપાડ ગરમ ભજિયાંની જેમ થતો રહે છે, પણ એમાંનું કોઈ પ્રજાબંધુ' કે “ગુજરાતી'ની કક્ષાને આંબવાનું સ્વપ્ન પણ એવી શકે એમ છે ખરું ? પ્રજાબંધુ', “સંદેશ” વગેરેના સાહિત્યસમૃદ્ધ દીપોત્સવી આજે પણ સ્મૃતિમાંથી વિલાયા નથી. સ્વ. કંચનલાલ મામાવાળાના સંપાદન હેઠળ સૂરતના “ગુજરાતમિત્ર' પ્રગટ કરેલા દીપોત્સવી અંકોએ જુદી જ ભાત પડી હતી. આજે દિવાળી પર્વે ગુજરાતનાં મુખ્ય અખબારો દળદાર પૂર્તિઓ કરે છે ખરાં અને એમાં મોટે ભાગે હોય છે જાહેરખબરોના રાફડા વચ્ચે પથરાયેલાં રાશિવાર વાર્ષિક ભવિષ્ય !
એમ લાગે છે, કે આજથી કેટલાક દાયકાઓ પૂર્વે પત્રકારત્વ અને સાહિત્યકલા વચ્ચે જે અને જેટલી નિકટતા હતી એ આજે ખૂબ ઘટી ગઈ છે.
સાહિત્યની વાત જવા દઈએ અને અન્ય કલાઓ તથા જીવનની બીજી સંસ્કારવિદ્યાઓનો વિચાર કરીએ તો આપણાં પત્રોમાં એ બધું એકંદરે કેવું અસ્પૃશ્ય રહ્યું છે ! ચિત્રકલા, પુરાતત્ત્વ, શિલ્પ, નૃત્ય, રંગભૂમિ, પ્રાયોગિક ચલચિત્રનિર્માણ, પશુપંખીશાસ્ત્ર, આકાશદર્શન, છબીકલા, પરિભ્રમણ-પ્રવૃત્તિ, હસ્તકલા-કારીગરી, લોકજીવનના અનેક અંશો અને આવિષ્કારો, ઇત્યાદિ આપણાં અખબારો દ્વારા મહદ્ અંશે ઉપેક્ષિત રહ્યાં છે. પત્રોનું આ વલણ એ એ ક્ષેત્રોના અને પ્રજાના સાંસ્કૃતિક વિકાસમાં સહાયરૂપ નથી જ નીવડી રહ્યું. એનાં ભવિષ્ય કેવાં માઠાં, કપરાં પરિણામો આવશે એના અણસાર અત્યારથી જ દૃષ્ટિગોચર થવા માંડ્યા છે. આપણી પ્રજા વધારે ને વધારે એકાંગી બનતી જાય છે, એનું વિચારદારિદ્રય ઉઘાડું પડતું જાય છે, એનાં રસરુચિ ચલચિત્રોની ઉપરછલ્લી ને કૃત્રિમ સૃષ્ટિથી આગળ વધતાં નથી.
એમ લાગે છે, કે આપણાં વર્તમાનપત્રોની કચેરીઓમાં મુ. બચુભાઈ રાવતની એક એક લઘુ આવૃત્તિ હોવી જ જોઈએ. ક્યાંક ક્યાંક હશે પણ ખરી, પરંતુ એમને કામ કરવાની મોકળાશ, સ્વતંત્રતાયે આપવી જોઈએ. એક બચુભાઈએ એક નાનકડા સામયિક દ્વારા ગુજરાતની પેઢીઓ સુધી સંસ્કાર-પ્રસારનું જેવું ને જેટલું કામ કર્યું છે એવું કામ કર્યાનો દાવો આપણું આજનું કોઈ વર્તમાનપત્ર કરી શકે એમ છે ખરું ?
એ સાચું છે કે દૈનિક પત્રોનું પ્રથમ કર્તવ્ય સમાચારો આપવાનું અને વૃત્તવિવેચનનું છે, પણ એ મર્યાદાને જ્યારે આપણે પોતે જ વળોટી ચૂક્યા છીએ અને વાચનવૈવિધ્ય સુધ્ધાં પીરસવાની જવાબદારી સ્વીકારી છે ત્યારે વિવિધ સાંસ્કૃતિક વિદ્યાઓની ગતિવિધિથી વાચકોને અંધારામાં રાખવાની ભૂલ આપણે ન કરી શકીએ.
આપણું પ્રજાજીવન ચિંતાજનક લક્ષણો બતાવી રહ્યું છે. એક તરફ એના પર કાદવિયા રાજકારણના જાડા થર બાઝયા છે. બીજી તરફ રેઢિયાળ ચલચિત્રોના અતિરેકની ભ્રષ્ટ અસરો વર્તાય છે. ત્રીજી તરફ કૃતક ધાર્મિકતા-આધ્યાત્મિકતાનો
Page #78
--------------------------------------------------------------------------
________________
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા [ ૭૭
ગોકીરો સંભળાય છે. વિચારશીલતાનો હ્રાસ કરપીણ બનતો જાય છે. બંગાળ, મહારાષ્ટ્ર અને દક્ષિણના બીજા પ્રાંતોની પ્રજાની તુલનાએ ગુજરાતી પ્રજા એની સાંસ્કૃતિક પરંપરાઓ તથા અસ્મિતાથી કેટલેક અંશે રિક્ત બનતી જાય છે. આપણી સાંસ્કૃતિક ભોંયમાંથી આપણાં મૂળ ઊખડતાં જાય છે. કૃત્રિમ ચળકાટ અને ગ્લેમરનો પ્રભાવ આપણા પ્રજાજીવન પર વધતો જાય છે. આપણી ભાષા, બોલીઓ, ઉચ્ચારશુદ્ધિ, આપણો ઇતિહાસ, આપણી પુરાતત્ત્વીય તથા લૌકકલાની સમૃદ્ધિ, વગેરેના જતન અંગે આપણે એકંદરે ઉદાસીન છીએ. આ પરિસ્થિતિ પરત્વેની ઊંડી ચિંતા તથા એના નિવારણના ઉપાયો આપણાં પત્રોમાં ભાગ્યે જ વ્યક્ત થાય છે. એ પત્રો જ કેટલેક અંશે પથગ્યુત થયેલાં જણાય છે. માત્ર સમાચાર, માત્ર રાજકારણ, કેવળ લોકપ્રિયતા પર નજર, ધંધાદારી દૃષ્ટિકોણ, સનસનાટીનો અતિરેક, અંધશ્રદ્ધાવર્ધક લેખો છાપવાની હોડ, ઉછીની-વાસી-એંઠી વાચનસામગ્રી – પત્રમાલિકોએ બાંધેલા અને પત્રકારોએ સ્વીકારવી પડેલી આ વાડમાંથી ગુજરાતી પત્રકારત્વે મુક્ત થવું જ રહ્યું. કૂતરો માણસને કરડે એ નહીં પણ માણસ કૂતરાને કરડે એ સમાચાર થયા એવું પત્રકારત્વનું પાયાનું સૂત્ર છે એ સાચું, પરંતુ જો આપણાં પત્રો પ્રજાજીવનની સૂક્ષ્મ સંપત્તિ શા એના સાંસ્કૃતિક આવિર્ભાવોની આ રીતે ઉપેક્ષા કરવાનું ચાલુ રાખશે તોપણ માણસ કૂતરાને કરડે એવા કિસ્સા વધતા જ જશે !
સર્વોદય યુગનું પત્રકારત્વ એ બ્રાહ્મણ' વ્યવસાય હશે, અને બ્રાહ્મણવૃત્તિનો માણસ જ એના સંપાદક-પદ માટે સુયોગ્ય બનશે. સત્તા, સંપત્તિ અને મહત્તાની લાલસાઓથી અને રાજકીય પક્ષવાદથી એ પર હોવો જોઈશે અને એનું માનસ લોકસંગ્રહની ભાવનાથી પ્રેરાયેલા તટસ્થ દ્રષ્ટાનું હોવું જોઈશે. ઉમેરવાની ભાગ્યે જ જરૂર છે કે બહુશ્રુતતા અને વ્યવસાયી કાબેલિયત એ તો એના મૂળભૂત ગુણો હશે જ. એક આદર્શની મેં રજૂઆત કરી છે. એટલે જો એના શબ્દાર્થમાં એને લેશો તો આપને એમ લાગશે કે એવો માણસ અલભ્ય નહીં હોય તોયે અતિ દુર્લભ તો ગણાય જ. પરંતુ આને દિશાસૂચન લેખશો તો એ આદર્શને ઠીક ઠીક પ્રમાણમાં પોતામાં મૂર્તિમંત કરતા હોય એવા માણસો નહીં મળી રહે એમ હું માનતો નથી. ગુજરાતની ભૂમિ નિર્વીર્ય નથી; અને ગાંધીનું તપ આ ભૂમિમાંથી હજી પરવારી ગયું નથી
- - રવિશંકર મહેતા (ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા સંમેલનના પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી)*
Page #79
--------------------------------------------------------------------------
________________
પત્રકારત્વનો લોકપ્રભાવ
ચંદ્રકાન્ત એચ. મહેતા
હિન્દીના પ્રસિદ્ધ કવિ શ્રી દિનકરે એક કવિતામાં કહ્યું છે :
કલમ દેશકી બડી શક્તિ હૈ, ભાવ જ ગાનેવાલી; | દિલમેં નહીં દિમાગમેં ભી આગ લગાનેવાલી.
આ વાત પત્રકારની કલમ અનેકોલમને સંપૂર્ણપણે લાગુ પડે છે ! કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે એમ, “પત્રકાર એટલે લોકશિક્ષણનો આચાર્ય, બ્રાહ્મણોનો બ્રાહ્મણ અને ચારણોનો ચારણ ! પ્રજા જ્યારે યુયુત્સુ થઈ જાય છે, ત્યારે ઘણી વાર પત્રકારને લડવૈયા અને સેનાપતિ પણ થવું પડે છે. અને સારી પેઠે ક્ષાત્ર ધર્મ કેળવવો પડે છે.
જ્યાં જ્યાં અન્યાય થતો હોય, જ્યાં જ્યાં દીન, દુર્બળ અને મૂક વર્ગો પર જુલ્મ ચાલતો હોય, ત્યાં “ક્ષતાત્વિને ત્રાયતે' - એવા પોતાના બિરુદનું સ્મરણ કરી પત્રકાર ઝંપલાવે છે. એવા પ્રસંગો હોય ત્યારે વિચાર, માહિતી, સંસ્કારો, અભિરુચિ અને આદર્શોની પરબ ચલાવી એ સમાજ-સેવક બની જાય છે. અજ્ઞાનને લીધે અથવા અદૂર-દૃષ્ટિને લીધે લોકો જ્યાં લઢતા હોય ત્યાં નાંખન શનીય લોકોની દૃષ્ટિ શુદ્ધ કરવાને એ મથે છે. સમાજચક્રનાં પૈડાં જ્યારે એક રાગ ભૂલી જઈને ચિત્કાર કરે છે, ત્યારે એ યોગ્ય ઠેકાણે સ્નેહ રેડી ઘર્ષણ દૂર કરે છે. અને જ્યારે જ્યારે સરકાર-દરબારના પ્રસંગો આવે છે ત્યારે ત્યારે એ પ્રજાનો પ્રતિનિધિ થઈ લોકમતને એકધારો બનાવી લોકશક્તિ ચેતવે છે. આવી રીતે લોકસેવક, લોકપ્રતિનિધિ, લોકનાયક અને લોકગુરુની ચતુર્વિધ પદવી પત્રકાર ભોગવી શકે છે.” કાકાસાહેબની પ્રસ્તુત ઉક્તિ પત્રકારત્વના પ્રબળ પ્રભાવ પર પૂરતો પ્રકાશ ફેંકે છે.
આધુનિક યુગ સામૂહિક પ્રસારણના માધ્યમનો જમાનો છે. રેડિયો, ટી.વી., ફિલ્મ, નાટક, અખબાર, વગેરે લોકસંપર્કનાં સબળ માધ્યમો પુરવાર થયાં છે. પરંતુ એ સૌમાં અખબારનું સ્થાન અનોખું છે. વિશ્વની સભ્યતા અને સંસ્કૃતિઓની આગેકૂચમાં અખબારી આલમે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. રેડિયો, ટેલિવિઝન અને અખબારોએ વિશ્વના વિવિધ દેશો વચ્ચેનું વિશાળ અંતર દૂર કરીને સામીપ્તની સૃષ્ટિ ખડી કરી દીધી છે ! અને તેથી જ એક દેશની મહત્ત્વની ઘટનાઓનો પડઘો અને પ્રભાવ અન્યત્ર પણ અસરકારક રીતે ધ્વનિત થાય છે.
રેડિયો એ લોકસંપર્કનું અસરકારક માધ્યમ છે, પણ એની પણ કેટલીક મર્યાધઓ છે. ધ. ત.રેડિયો શાવ્ય-સાધન હો એના પી પ્રસારિત થતા સક્ષમાર માણસે સાવધાનપણે સાંભળવા પડે છે. સમાચાર. સભક્ષા જો ચૂકી જa એ સમાચાર પુનઃ સાંભળવાની વ્યવસ્થા સુલભ નથી..દિલીપોઝરાનો બહોળો પ્રશR જી
Page #80
--------------------------------------------------------------------------
________________
પત્રકારત્વનો લોકપ્રભાવ ] ૭૯ આપણા દેશની આમજનતા સુધી થયો નથી. અને લોકસંપર્કનું અત્યંત સબળ અને પ્રબળ માધ્યમ હોવા છતાં ચલચિત્ર પોતાના મનોરંજનલક્ષી દૃષ્ટિકોણને કારણે લોકશિક્ષણનું અસરકારક માધ્યમ બની શક્યું નથી ! પરંતુ અખબાર એ સર્વસુલભ હોઈ જનસંપર્કનાં અન્ય માધ્યમો કરતાં અનુકૂળતા અને લોકપ્રિયતાની દૃષ્ટિએ મોખરે છે. કારણ કે એમાં ધારીએ ત્યારે વાંચી શકવાની આકર્ષક સુવિધા છે. મનુષ્ય માટે માહિતી, માર્ગદર્શન અને મનોરંજન એમ ત્રિવિધ જવાબદારીઓ એકસામટી અદા કરતું અખબાર મેદાન મારી જાય છે ! મનુષ્ય જેમ સૂર્યોદયની કે સવારે ગરમ પીણાની પ્રતીક્ષા કરે છે, એમ અખબાર માટે અત્યંત ઉત્સુકતા સેવે છે. છાપાં વગરનો દિવસ એને માટે એક વિશેષ અભાવનો દિવસ બની રહે છે.
પત્રકારત્વનો લોકજીવન પર આશ્ચર્યજનક પ્રભાવ જોવા મળે છે. આ પ્રભાવ વિવિધ સ્વરૂપે દૃષ્ટિગત થાય છે. વર્તમાનપત્રનું હેડિંગ પણ લોકમાનસનો ઘણી વાર એવો પ્રબળ કન્જો લઈ લેતું હોય છે કે એ હેડિંગનું ઉચ્ચારણ કરતાં લોકો અત્ર-તત્રસર્વત્ર જોવા મળે છે. દા. ત. કોઈ છાપાએ જનતાપક્ષનો આંતરિક વિખવાદ વ્યક્ત કરતા સમાચાર “જનતાપક્ષમાં યાદવાસ્થળી” – એ શીર્ષક હેઠળ છાપ્યા હોય, તો મોટા ભાગના લોકો એ શીર્ષકને પકડી લેશે. અને કોઈને પણ જો પૂછવામાં આવે કે ‘જનતાપક્ષ'માં આજકાલ શું ચાલે છે, તો તરત જ કહી દેશે “જનતાપક્ષમાં યાદવાસ્થળી !” ક્રિકેટ-કૉલમના લેખક ભારતીય ટીમની નબળાઈ દર્શાવતા હેડિંગ બાંધે કે “ક્રિકેટ ટીમનો ધબડકો', તો એ શીર્ષકો વારંવાર બોલાતાં ઠેકાણે ઠેકાણે નજરે પડશે !
અખબારનાં લોકવિચારને વ્યક્ત કરતાં કૉલમ પણ અત્યંત પ્રભાવશાળી પુરવાર થતાં હોય છે. ઇંગ્લેન્ડના લોકપ્રિય અખબાર “ધી ટાઇમ્સ” વિષે તો એમ કહેવાય છે કે એનું લોકવિચાર'નું કૉલમ અન્યાય કે અત્યાચાર કરનાર સામે ધમકી સાબિત થાય છે. “ધી ટાઇમ્સના લોકવિચારના કૉલમમાં હું ફરિયાદ કરીશ”- શબ્દો મોટ ચમરબંધીના હાંજા પણ ગગડાવી નાખે છે.
અખબારોના લેખો જ નહીં, કાર્ટુનો પણ લોકપ્રભાવનું પ્રબળ માધ્યમ છે. કાર્ટુનની ચાબુકના કારણે સત્તાધીશનો બેલગામ ઘોડો પણ ડરીને સીધો ચાલતો નજરે. પડે છે. કાર્ટુનની અસરકારકતાને કારણે તમામ સરમુખત્યારોને કાર્ટુનિસ્ટ ગમ્યા નથી. બેયોનેટ કે બંદૂક કરતાં પણ કલમથી સરતા શબ્દો સમક્ષ સત્તાધીશ ઝૂકતા રહ્યા છે. પત્રકાર એ સરકારનો આલોચક, પણ સમાજનો સંત્રી છે.
લોકમતના ઘડતર અને પરિવર્તનમાં પત્રકારત્વનું કાર્ય અત્યંત મહત્ત્વનું છે. એક વિદ્વાન લેખક કે પ્રાધ્યાપક જેટલી મોટી સંખ્યામાં લોકશિક્ષણનું કાર્ય સંપન્ન ન કરી શકે તેટલી મોટી સંખ્યામાં પત્રકાર લોકશિક્ષણનું કાર્ય સાધી શકે છે. ગાંધીજીએ લોકશિક્ષણ માટે પત્રકારત્વનો સરર્સ અને સફળ ઉપયોગ કરી દેખાડ્યો. “યંગ
Page #81
--------------------------------------------------------------------------
________________
૮૦ | પત્રકાર : એક વિધાયક પરિબળ ઇન્ડિયા’ અને ‘હરિજનબંધુ'માં પ્રગટ થયેલા લેખોએ લોકોમાં નવા વિચારોના વાવેતરનું અને લોકજાગૃતિની મશાલ પ્રગટાવવાનું અદ્ભુત કાર્ય કરી દેખાડ્યું. રાજા રામમોહનરાય કે નર્મદ જેવા સમાજસુધારકોએ પણ પોતાનો સુધારાવાદી દૃષ્ટિકોણ લોકો સુધી પહોંચાડવા માટે પત્રકારત્વનો જ આશ્રય લીધો હતો. અને ફ્રાંસમાં ક્રાન્તિનાં પ્રેરક બળ વોત્તેર તથા રૂસોના લેખો જ બન્યા હતા. લોકરુચિના ઘડતરમાં સફળ પત્રકારની જોશીલી કલમ ચેતનાની ચિનગારી પ્રગટાવે છે. અમૃતલાલ શેઠ, શામળદાસ ગાંધી કે ઝવેરચંદ મેઘાણીની ભાષામાં રહેલું જોય લોકરુચિ-ઘડતરમાં અત્યંત વિધાયક સિદ્ધ થયું હતું.
આજનાં અખબારો વિશાળ વાચકવર્ગ ધરાવતાં થયાં છે, એનું એક કારણ અખબારોમાં અપાતી લોકોના મનને સમૃદ્ધ કરનારી જ્ઞાન-માહિતી-પ્રધાન પૂરક સામગ્રી પણ છે. સમાચાર-પત્રોનો જન્મ મૂળ તો સમાચારો આપવા માટે જ થયો હતો, પણ આજનાં અખબારો માત્ર સમાચારો આપવાનું જ નહીં, વિવિધ વિષયોને એકસાથે સમાવી “ગાગરમાં સાગર' ભરવાની ઉક્તિ સાર્થક કરી રહ્યાં છે. સમાચારપત્રોમાં આજે જ્ઞાન, વિજ્ઞાન, જ્યોતિષ, રાજકારણ, અર્થકારણ, રમત-ગમત, સામાજિક પ્રશ્નો, બાળકો, યુવાનો તથા સ્ત્રીઓ માટેની કૉલમ, સાહિત્ય, ધર્મ, ચિંતન અને મનનનો સમાવેશ કરતા અભ્યાસલેખો વગેરે અનેકવિધ સામગ્રીનો સમાવેશ થાય છે. આમ આજનું અખબાર જ્ઞાન-વિજ્ઞાનની મંજૂષા પણ બન્યું છે. સામયિકોના ખાસ વિષયો અખબારે પોતાનામાં સમાવી લીધા છે. રમત-ગમતના મૅગેઝિનમાં રમતગમતની માહિતી હોય ! પણ આ માહિતીનેય અખબારી કૉલમ પોતાનામાં સમાવી લઈને ઘેર બેઠે ગંગાનો લાભ આપે છે.
( પત્રકારત્વ લોકોને સ્પર્શતું પ્રબળ માધ્યમ હોવાને કારણે પત્રકારે લેખના વિષયની પસંદગી અને ભાષા-શૈલીનો પણ ખ્યાલ રાખવો પડે છે. સેન્સેશનલ ન્યૂઝમાં રસ ધરાવતાં છાપાં ભાષાના લોકપ્રભાવ પરત્વે બેદરકાર હોય છે ! અખબારની ભાષા કે શૈલીમાં અખબારનું પોત પ્રગટ થતું હોય છે. દા.ત. મહારાષ્ટ્ર કોંગ્રેસના એક અગ્રણી બ્રિજલાલ વર્માએ રાજીનામું આપ્યું, ત્યારે એક અખબારે શીર્ષક બાંધ્યું હતું : “કોંગ્રેસના કબૂતરખાનામાં પેઠેલો ફડફડાટ!” ચૂંટણીમાં ‘શામળભાઈ હાર્યા' લખવાને બદલે ‘શામળભાઈ ઊથલી પડ્યા' જેવા શબ્દોનો પ્રયોગ લોકોને રૂચિકર લાગતો નથી !
પત્રકાર શકુનિ પણ બની શકે છે અને યુધિષ્ઠિર પણ ! પરંતુ સાચા પત્રકારત્વની નેમ કેવળ અર્થપ્રાપ્તિ હોઈ શકે નહીં ! અર્થોપાર્જનની વૃત્તિથી પ્રેરિત થઈ “પીળા પત્રકારત્વ' દ્વારા લોકોની વાસનાવૃત્તિને ગલીપચી કરવી એ ગંગાજળને ઉકરડે પધરાવવાની પ્રવૃત્તિ છે, એનો ઇનકાર ભાગ્યે જ કોઈ કરી શકે ! અતિશયોક્તિભર્યા, બિનપાયેદાર કે કપોળકલ્પિત ઘેરા રંગોવાળા સમાચારોનો લોકોના મન પર લુષિત પ્રભાવ પડે છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શું અખબારો લોકમત-ઘડતરને યોગ્ય
Page #82
--------------------------------------------------------------------------
________________
પત્રકારત્વનો લોકપ્રભાવ એ ૮૧
દિશા આપે છે ખરાં ? સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાંનાં અખબારો આ ધ્યેયને વરેલાં હતાં અને પ્રજાનું પ્રતિનિધિત્વ કરવાની નેમ એમણે જાળવી રાખી હતી. પરંતુ આઝાદી પછીનું પત્રકારત્વ લોક-ઘડતરનું પ્રભાવક બળ બની શક્યું નથી ! લોભ, લાલચ, અને ધનલાલસાએ આઝાદી પછીનાં અખબારોને તટસ્થ અને લોકકલ્યાણલક્ષી રહેવા દીધાં નથી.
The power of press -41441 udll 27S BLE SCHI S. P. Thiaya Rajan sa E 24H “The raw material of Journalism is the public mind and the practice of the art is constant excercise in mob psychology. Looking on modern newspapers as a whole, one finds that they are based on the acute distortion of values. True it is that the idea of newspapers as guides of public opinion had really long ceased to be true to the facts, they are symbols rather than guides and men read them to find grounds for their established convictions, or even prejudices.”
લોકસંપર્ક અને લોકશિક્ષણના આ અત્યંત પ્રભાવશાળી માધ્યમ પાસે, લોકમતને ઘડનારા આ સ્વયં નિર્વાચિત્ પ્રતિનિધિઓ પાસેથી એ આશા રાખીએ કે લોકધર્મ પ્રત્યે આંખમીંચામણાં કે ચેડાં કરવાને બદલે લોકોન્નતિનાં અગ્રદૂત બની રહે.
લોકોની નિયમરહિત દરમિયાનગીરીઓ અટકાવવાનો ઉપાય જ એ છે કે જાહેર પત્રોની નીકો દ્વારા એમને એમની પોતાની બાબતોની પૂર્ણ માહિતી આપવી અને એવી વ્યવસ્થા યોજવી જેથી આ પત્રો સારાયે લોકસમૂહમાં પ્રસરી જઈ શકે. લોકમત એ આપણા શાસનનો પાયો હોવાથી એ મત સમ્યક રીતે ઘડવો એ આપણો પ્રમુખ હેતુ રહેવો જોઈએ; અને વર્તમાનપત્રો ન હોય પણ સરકાર હોય અને સરકાર ન હોય પણ વર્તમાનપત્રો હોય, એ બેમાંથી શાની પસંદગી કરવી એનો નિર્ણય કરવાનું જો મને સોંપવામાં આવે તો હું બેધડક સરકાર ન હોય પણ વર્તમાનપત્રો હોય એ પરિસ્થિતિ પસંદ કરું. પણ મારા કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક વ્યક્તિને આ પત્રો મળવા જોઈએ અને એ વાંચવાને એ શક્તિમાન હોવો જોઈએ.”
– થોમસ જેફરસન (અમેરિકાના પ્રમુખ)
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૩
પત્રકાર : એક વિધાયક પરિબળ
ચીમનભાઈ પટેલ અખબારની અસરકારકતા પાછળનું મુખ્ય મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે રેડિયો જેવું શ્રાવ્ય સાધન આપણી પ્રાચીન શ્રવણપરંપરાનું જ બીજી રીતે અનુસંધાન હોઈ, મધ્યયુગનાં આખ્યાનો, વાર્તાકથાઓમાંથી પ્રગટ થતી એવી મનોરંજકતા મેળવવાનું જ માધ્યમ બની રહ્યું છે. રેડિયો સાંભળનારો જનસમુદાય એની પરથી પ્રસારિત થતા સમાચારોને મુકાબલે વધુ તો મનોરંજનના કાર્યક્રમો જ સાંભળે છે, અને રેડિયોકાર્યક્રમોનું આયોજન કરનારા પણ કદાચ અજાણપણે જ કાર્યક્રમોમાં મનોરંજનનું તત્ત્વ જ વિશેષ મૂકી આપે છે.
શ્રવણની આ પરંપરા સામે આપણે ત્યાં જેનું ચલણ ઓછું હતું એ લખાણનું મૂલ્ય મનોવૈજ્ઞાનિક રીતે ઘણું વધારે છે. ‘લખ્યું વંચાય' એ વ્યવહાર સૂત્રે લખેલાં કે છાપેલાં લખાણોનું ગાંભીર્ય ઘણું વધારી દીધું છે અને એટલે લખાણને છાપનારાં અખબારોનું જનસમાજ પર ઘણું વર્ચસ્વ છે.
વળી, આધુનિક યુગની વિચારસરણી અનુસાર લોકશાહીમાં ચાર સત્તાઓનો મહિમા થયેલો છે. રાજ્યનો વહીવટ કરતી કારોબારી, એ કારોબારી જેમાંથી રચાય છે એ વિધાનસભા અને ન્યાયાલય – આ ત્રણ સંસ્થાઓ રાજ્ય સાથે સંકળાયેલી છે, જ્યારે ચોથી પ્રેસની– અખબારોની સ્વતંત્ર રીતે ઉદ્ભવેલી છે. અખબારોએ આરંભથી લોકહિતની જે કામગીરી બજાવી છે અને રાજસત્તા કંઈ ખોટું કરતી હોય, નિષ્ક્રિયતા સેવતી હોય તો એ સામે લોકોનો અવાજ રજૂ કરીને પોતે એક સત્તા છે એમ સ્થાપિત
કર્યું છે.
આપણા દેશ પૂરતો વિચાર કરીએ તો ૧૯૮૦ના જાન્યુઆરીમાં પ્રેસના ઉદ્ભવને બે શતાબ્દી થઈ છે. પ્રેસનો આરંભ અંગ્રેજોએ કર્યો હતો. ભારતમાં બ્રિટિશ રાજ હતું, એટલે ત્યાંથી આવેલા અંગ્રેજોએ અન્ય આધુનિક ક્ષેત્રોમાં જેમ કામગીરીનો આરંભ કર્યો હતો એમ પ્રેસનો પણ આરંભ કર્યો હતો. વ્યાપક રીતે જોઈએ તો અંગ્રેજો એમની સત્તા ટકાવી રાખવાનું હિત ધરાવે, એમના દ્વારા ચાલતાં પ્રેસ પણ સત્તાના ટેકામાં રહે, પરંતુ આ સ્થાનિક હિતની સામે, બ્રિટનમાં પ્રેસ ચોથી સત્તા તરીકે વિધાયક કામગીરી બજાવીને સ્થાપિત થયું હતું, આથી એ આચારધોરણને વશ વર્તીને એ છાપાં સરકારની પણ ટીકા કરતાં હતાં.
સન ૧૮૨૩માં કલકત્તા જર્નલ'ના માલિક અને તંત્રી સિલ્ક બકિંગહામે
Page #84
--------------------------------------------------------------------------
________________
પત્રકાર : એક વિધાયક પરિબળ
_ ૮૩ :
સરકારી તંત્રની અને અમલદારોની ટીકા કરી હતી, એને લીધે ગવર્નર જનરલે એમને હિંદ છોડી ઇંગ્લેન્ડ ચાલ્યા જવાનો હુકમ ફરમાવ્યો હતો. ભવિષ્યમાં કોઈ છાપું કોઈ એવી ટીકા ન કરી શકે એટલા માટે ઑર્ડિનન્સ બહાર પાડી પ્રસસ્વાતંત્ર્ય પર કાપ મૂક્યો હતો. એ સામે બકિંગહામે સુપ્રિમ કોર્ટમાં દાદ માગી હતી અને પ્રેસનું સ્વાતંત્ર્ય ન જોખમાવું જોઈએ એવી માગણી એ સમયના બંગાળના આગેવાન નાગરિકોએ કરી હતી, જેમાં રાજા રામમોહન રાય અને દ્વારકાનાથ ટાગોર મુખ્ય હતા. જોકે ગવર્નર જનરલનો હાથ ઉપર રાખવા એ વખતે એ કાયદો ઉથાપ્યો ન હતો, પરંતુ સન ૧૮૩૬માં પ્રેસની સ્વતંત્રતા માન્ય રખાઈ હતી અને કાયદો સુધાર્યો હતો. આમ પ્રેસની સ્વતંત્રતા અને સત્તા બ્રિટિશ કાળમાં માન્ય રખાઈ હતી. ખુદ અંગ્રેજ તંત્રી અને માલિકોએ એ કેડી પાડી હતી. એ પછી ભારતીય તંત્રીઓ અને માલિકોએ એ માર્ગને અનુસરીને, અખબારો વિધાયક બળ છે એવો ઇતિહાસ સર્જેલો છે.
આઝાદીની લડતને સાથ આપવાનું કામ કરીને પ્રેસે મુખ્ય વિધાયક ફાળો આપેલો છે. એ વખતે છાપાં ચલાવવામાં એ આર્થિક રીતે લાભદાયી ન હતું. મિશનરી ભાવનાથી એ હાથ ઉપર લેવાની મોટા ભાગનાં પ્રેસોએ હામ ભીડી હતી. માતૃભાષામાં છાપાંનો ફેલાવો એટલો બધો ઓછો હતો કે એ દુ:સાહસ ગણાતું હતું. ગુજરાતમાં પ્રથમ દૈનિક “સંદેશ' પ્રગટ થયું. એ અગાઉ સાપ્તાહિકોનો યુગ હતો. આમ, ભારતના પ્રેસને આરંભથી દેશના સંજોગોને લીધે એક વિધાયક કામગીરીમાં જોતરાવાનું સહજ રીતે પ્રાપ્ત થયું હતું, અને એ કામને એક રાષ્ટ્રીય ભાવના લેખે ઉપાડી લેવામાં છાપાંઓએ ગૌરવ માન્યું હતું એ માટે આર્થિક રીતે અને રાજસત્તા દ્વારા જ વેઠવું પડે એ હસતે મોંએ સહેવામાં એમણે પોતાનો ધર્મ માન્યો હતો. આમ, પ્રેસનો ઇતિહાસ આઝાદી સુધી વિધાયક પ્રકારનો રહ્યો હતો અને તેણે લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ અને ભાવના સીંચવામાં એક શક્તિશાળી બળની ગરજ સારી હતી.
આઝાદી પૂર્વે પ્રેસને વિધાયક પરિબળ બનાવવામાં મિશનરી જુસ્સાવાળા તંત્રી અને માલિકોની જેમ એવા જ ઉમદા આદર્શો ધરાવતા પત્રકારોનો પણ ફાળો હતો.
પ્રેસ એક તંત્ર તરીકે અને પત્રકારો એના પૂર્જા તરીકે આવી વિધાયક કામગીરી બજાવવા કટિબદ્ધ હોય તો જ આ ચોથી સત્તા પોતાની સાચી શક્તિમત્તા દાખવી શકે.
કોઈ પણ દેશના પ્રજાજનોનાં માનસ સામાજિક પરંપરા, આર્થિક ઢાંચો, ધાર્મિક સંસ્કારો એ બધાથી એક યા બીજા પ્રકારે conditioned થયેલાં હોય છે. કોઈ પણ નવા વિચારનો, નવા આયોજનનો સામાન્ય રીતે રૂઢિરક્ષક બહુજનસમાજ ,
Page #85
--------------------------------------------------------------------------
________________
૮૪ પત્રકાર : એક વિધાયક પરિબળ તરફથી વિરોધ જ થતો હોય છે. સ્થાપિત હિતો દ્વારા ઊભા થતા અવરોધો, પ્રજાનો સહજ પ્રમાદ, વધુ પડતી આકાંક્ષા-અપેક્ષાઓ, શક્તિ કે સાધનો પરત્વે અશ્રદ્ધા કે પછી આત્મવિશ્વાસનો અભાવ – આ બધાં તત્ત્વો પેલા વિરોધને વધુ વરવું રૂપ આપે છે. તાજેતરનો રાજકીય ફિયાસ્કો આનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પરિસ્થિતિ, સાચી અને સારી વસ્તુ વિષે પ્રજા અને શાસનતંત્રનું ધ્યાન દોરી એ સારી વસ્તુના અમલીકરણ માટેનાં ઉપયોગી સાધનો અને ઉચિત માર્ગો પરત્વે જાગૃતિ આણી, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં લગી તંતોતંત મથતા રહેવાની નિષ્ઠા જ પ્રેસ તેમજ પત્રકારને એક વિધાયક બળ બનાવી શકે.
માનવજાતના સાંસ્કૃતિક ઉત્થાનના સંદર્ભમાં, રાષ્ટ્રીય પ્રગતિની સિદ્ધિઓ, શક્યતાઓ, સંઘર્ષો વગેરેના અનુસંધાનમાં એક અદના આદમીએ ઇન્સાનિયતને નાતે અદા કરવાની જવાબદારી એને યાદ દેવડાવવાની ફરજ એક સજાગ પ્રેસ અને પત્રકારત્વની છે.
સમાજજીવન અને રાષ્ટ્રજીવનને માટે વિધાયક પરિબળ બની રહેવા માટે પ્રેસ તેમજ પત્રકારે મોટી સજ્જતા દાખવવાની રહે છે. આર્થિક જોખમ ઉપરાંત રાજસત્તા દ્વારા ઊભા થતા પડકારો જેમ પ્રેસ ઝીલવાના હોય છે એમ પત્રકારે સમગ્ર પ્રજાકીય પરિવેશને સાંગોપાંગ પામવા માટે ઊંડા અને ઝીણવટભર્યા અધ્યયનનું ભાથું મેળવવું પડે છે.
પ્રેસ પોતાની હામ-હિંમતથી, સંયમ અને ઔચિત્યથી, ત્યાગ અને નીતિથી, સમયોચિત સક્રિયતાથી, પોતાની આર્ષદૃષ્ટિથી સમાજજીવન- રાષ્ટ્રજીવન માટે વિધાયક પરિબળ બની શકે છે, તો સામે પડેલી સમસ્યાઓના ઉકેલ માટેની ઊંડી અધ્યયનશીલતા, જનમાનસનું તલસ્પર્શી વાસ્તવિક જ્ઞાન, જનમાનસને પલોટવાની સૂઝબૂઝ, વિકાસક કે વિધાયક અભિગમને અદના આદમી સુધી પહોંચાડવાની ધગશ અને કુનેહ, વ્યક્તિ કે સમુદાયના પૂર્વગ્રહોના નિરાકરણ માટેના ઉપાયો, નવતર વિકલ્પો રજૂ કરવાની કલ્પના, એ વિકલ્પોની કામયાબી માટે સક્રિય જહેમત ઉઠાવવાની તૈયારી – આ બધા વ્યક્તિલક્ષી ચિંતન ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંબંધોના સંદર્ભો, માનવસમાજોના પરસ્પર પ્રત્યેના અભિગ્રહો અને આગ્રહો – આ બધાની ઊંડી સમજણ ધરાવતું શાણપણ લઈ એક પ્રતિબદ્ધ અને નિર્ભીક પત્રકાર સમાજજીવન માટે અચૂક એક સંમાન્ય એવું વિધાયક પરિબળ બની શકે છે.
પણ આ તો થઈ આદર્શની વાત. હવે આ સાથે વાસ્તવિકતાનું વરવું રૂપ પ્રગટ કરવાનું પણ ખૂબ જરૂરી સમજું છું.
Page #86
--------------------------------------------------------------------------
________________
પત્રકાર એક વિધાયક પરિબળ [ ૮૫ વર્તમાન સમયમાં પ્રેસ અને પત્રકાર બેઉની હેસિયત શી છે એની સમીક્ષા કર્યા વિના વિધાયકતાની આ આખી ચર્ચા કેવળ કલ્પનાવિહાર બની રહે એમ છે.
પહેલાં હું પ્રેસની અને પછી પત્રકારની એક વિધાયક પરિબળ બની રહેવાની ગુંજાયેશ કેટલી છે એની ચર્ચામાં ઊતરીશ.
આપણે આઝાદી પૂર્વેના સમયમાં પ્રેસે જે મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી એનું અવલોકન આગળ કર્યું. પરંતુ આજે એનું કૌવત ઓસરતું ગયું છે. આજે એની એક બળ તરીકેની શક્તિ નહીવત્ કહી શકાય. આઝાદી પહેલાં છાપાંનો ફેલાવો ઘણો ઓછો હતો અને આજે એના પ્રમાણમાં ફેલાવો ઘણો બધો કહી શકાય, એ જોતાં એવું વિધાયક બળ વધવું જોઈએ, પણ સ્થિતિ એથી ઊલટી છે.
જે કાળે છાપાં ચલાવવામાં આર્થિક રીતે મુશ્કેલીઓ હતી ત્યારે એનું પ્રેરક બળ મિશનરી ભાવના હતું. આજે છાપાં ચલાવવાં એ એક ઉદ્યોગ બન્યો છે. આઝાદી પૂર્વે અમુક ઉદ્યોગોએ રાષ્ટ્રીય ભાવનાને વશ થઈ આર્થિક ખર્ચાને પહોંચી વળવા ઉદ્યોગનો ટેકો છાપાંને શરૂ કરવા આપ્યો હતો. હવે ઉદ્યોગો પોતાનું સ્થાપિત હિત જાળવવા અને વિસ્તારવા છાપાંનો ઉપયોગ કરે છે. આઝાદી પહેલાં, એ હાંસલ કરવાનું દેશ સમક્ષ જે ધ્યેય હતું એમાં સૌ પોતપોતાની રીતે હિસ્સો આપતા હતા. સ્વરાજ પછી લોકશાહી સુદઢ કરવાનું અને દેશની સમૃદ્ધિ વધારી અસમાનતા દૂર કરવાનું ધ્યેય સ્વીકારવું જોઈતું હતું. પરંતુ એ ધ્યેય વિસરાઈ ગયું છે. રાજકારણીઓ અને રાજકીય પક્ષો સત્તા અને એ દ્વારા સંપત્તિના સ્વાર્થમાં પડી ગયા છે. એ જ રીતે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ લોકોના ભોગે વધુમાં વધુ કેમ મેળવવું એ શોષણમાં પડ્યો છે. શિક્ષણ જેવું જે પ્રજાઘડતરનું ક્ષેત્ર કહેવાય એ પણ ભ્રષ્ટ થયું છે.
આજે તમામ ક્ષેત્રે ઓટ આવેલી છે. અને એમાંથી પ્રેસ પણ મુક્ત નથી. વિધાયક બળ તરીકે વર્તવા તરફ એની જેટલી નજર છે તેથી વધુ એનો ફેલાવો કેમ વધે અને એ વધુ નફો કેમ કરે એ તરફ છે. એ માટે જેને રીઝવવા પડે એને રીઝવવામાં લોકહિતને વિઘાતક બનવું પડે તો એને અરેરાટી થતી નથી. સિનેમા ટિકિટબારી પર નજર રાખે છે તેમ પ્રેસ લોકરુચિ અને સ્થાપિત હિતોની ઇચ્છા લક્ષમાં લે છે. ક્ષેત્રમાંની સ્પર્ધા ઉપરાંત ઉત્પાદનનાં સાધનો વધતા ભાવ, ઊંચાં જતાં પગારધોરણો એ બધા ખર્ચને જો એ પહોંચી ન વળે તો એ પોતાની હસ્તી જાળવી શકે નહીં. વળી બીજાં ક્ષેત્રોમાં આવેલી ફરજની ઓટ એનામાં પણ આવેલી હોવાથી વધુ નફો કેમ થાય એ જ મનોદશા વ્યાપક બનેલી છે. જ્યારે એ સ્થિતિ હોય ત્યારે એ વિધાયક બળ રહી શકે નહીં.
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૬
D પત્રકાર : એક વિધાયક પરિબળ
આજે છાપાંની નકલો ઝડપથી વધતી જાય છે એ એમની કોઈ વિધાયક શક્તિને લીધે નહીં, પણ લોકોની વાચનટેવ વધી રહી છે એને કારણે. શિક્ષણ વધે છે એના કરતાં વાચનટેવ વધી રહી છે. આ વાચનટેવ પણ નવી છે અને ઘડાયેલી નથી. આથી એને એની રૂચિનું વાચન બહુ ગમે છે. વિધાયક એવું વાચન પસંદ કરનારો વાચક વર્ગ નાનો છે. કલાપૂર્ણ-મનોરંજન કરતાં હલકું મનોરંજન પ્રેક્ષકોને વધુ ગમે છે અને તેથી એની હરીફાઈ સિનેમા કરતાં હોય છે. છાપાંની સ્થિતિ પણ અમુક અંશે એવી છે અને એની હરીફાઈ થતી રહે છે. કલાપૂર્ણ સિનેમા જેમ વ્યવસાયની રીતે પોસાય એમ નથી એમ શુદ્ધ વિધાયક છાપું ઉદ્યોગમાં ટકી શકે કે કેમ એ સવાલ છે. ગુજરાતમાં “કુમાર”, “નવનીત', ‘સમર્પણ', ‘નિરીક્ષક વગેરે સામયિકોની જે સ્થિતિ છે એ આ સવાલ પરત્વે પ્રકાશ પાડનારી છે.
આઝાદી પહેલાં લોકોમાં પણ જે રાષ્ટ્રીય અને જીવનઘડતરની ભાવના હતી, એમાં ઓટ આવી છે. ચોમેરનું વાતાવરણ એના પર અસર કરે છે. પરિણામ એ છે કે લોકહિતની દૃષ્ટિવાળાં સામયિકો બંધ થાય છે અને છીછરી લોકરુચિને પોષનારાં નવાં નવાં પ્રગટ થાય છે અને એમનો ફેલાવો વધતો જાય છે.
આ વિષમ સ્થિતિ હોવા છતાં પ્રેસ એનું અવલંબન લઈ પોતાનો બચાવ ન કરી શકે. પ્રેસ ઉદ્યોગ બન્યો છે એ વાસ્તવિકતા છે, પણ પ્રેમ વ્યવસાય બન્યો હોય તોપણ બીજા વ્યવસાય કરતાં એ ભિન્ન છે એ પણ એક સંગીન વાસ્તવિકતા જ છે. શિક્ષણ પણ આજે વ્યવસાય બન્યું છે, પરંતુ એક સ્થળ માલ પેદા કરનાર વ્યવસાય અને પ્રજાઘડતર કરનાર શિક્ષણના વ્યવસાયમાં મોટો ભેદ રહેલો છે. એ જ રીતે પ્રેસનો વ્યવસાય એ સ્થૂળ માલ પેદા કરનાર વ્યવસાય નથી. એ વાચકોની માનસિક, બૌદ્ધિક ભૂખને સંતોષનારો વ્યવસાય છે. એ એની ભૂખને જેટલા પોષક વાચનથી સંતોષે તેટલું હિતાવહ છે.
આજે વાતાવરણ વિષમ હોય તો એને ભેદવાની ફરજ એની છે. એ ભેદાય કે ન ભેદાય, એ જુદી વાત છે પણ એ ભેદવા પ્રેસે વિધાયક બળ તરીકે પૂરેપૂરા ઝૂઝવું જોઈએ. એમાં જ પ્રેસનું સાર્થક્ય છે.
પ્રેસની પરિસ્થિતિ પછી હવે પત્રકારની પરિસ્થિતિનો ક્યાસ કાઢવો રહે છે.
પ્રજાને માટે એક વિધાયક પરિબળ બની રહેવા માટે પત્રકારમાં એકલી એની વ્યક્તિગત ગુણવત્તા જ પૂરતી નીવડતી નથી. જે સમાજને માટે એ વિધાયક પરિબળ બની રહેવા ઇચ્છે છે એ સમાજને એનામાં ભરપૂર વિશ્વાસ હોવો જોઈએ. આપણી ચોતરફ નજર ફેરવતાં સ્પષ્ટપણે લાગે છે કે પત્રકારે પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
પત્રકાર : એક વિધાયક પરિબળ [ ૮૭ પ્રજાથી એની વિમુખતાનું એ સીધું પરિણામ છે.
કેવળ ૧૯૮૦ની આમચૂંટણીઓનાં જ નહીં; ૧૯૭૭, એ પૂર્વે ૧૯૭પ અને એનીયે પહેલાં ૧૯૭૧ એમ આપણા દેશના રાજકીય જીવનની પરિપાટીમાં પરિવર્તન આણનારાં ચૂંટણી પરિણામોની પૂર્વધારણામાં આપણા મોટા ભાગના પત્રકારોને સાંપડેલી સરિયામ નિષ્ફળતા એમની પ્રજા પ્રત્યેની વિમુખતાનો સજ્જડ પુરાવો છે. પત્રકારોની ગુલબાંગો, વિધાયક પરિબળ કે દૃષ્ટિસંપન્ન વિચારક હોવાના એમના દાવાઓની ભરપૂર અવગણના કરતી રહીને આ ચારે તબક્કે પ્રજા પોતાની રીતે જ વર્તી છે. પ્રજાની નાડ પારખનારા, પ્રજાના વિચારપ્રવાહને વળાંક આપનારા, રાષ્ટ્રના ભાવિને દિશાનિર્દેશન પૂરું પાડનારા પત્રકારના ગાલ પર આનાથી વધારે મોટો તમતમતો તમાચો બીજો ક્યો હોઈ શકે ?
હવે સવાલ એ થવાનો કે આવું થયું કેમ ? આપણાં અખબારોનો આઝાદી પૂર્વેનો જોમ જુસ્સો અને થનગનાટ, આપણા એ હિંમતવાન પત્રકારોની ફનાગીરી અને ફકીરીનો જેને અંદાજ છે એ હરકોઈ પૂછવાના કે તો પછી આવું થયું શાથી ?
શું આપણે બ્રિટિશરોના બંદીવાન હતા, ત્યારે જ આપણી સામે કોઈ સહિયારો આદર્શ – Common Cause હતું ? અને હવે એવું કોઈ સહિયારું સ્વપ્ન જ આપણી પાસે નથી ? સ્વપ્ન ન હોય તો, આપણે આગળ જોયું એમ દેશમાં સમાનતા સિદ્ધ કરવાનું સ્વપ્ન હોવું ઘટે - પણ એ માટેની સભાનતા પત્રકારમાં અકબંધ હોય તોયે એક સ્વપ્નશિલ્પી તરીકેની એની પ્રમાણભૂતતામાં–વિશ્વસનીયતામાં ભારે મોટી ઓટ આવી ગઈ છે.
જેવી આપણને આઝાદી હાંસલ થઈ કે આપણા લડાયક જુસ્સાનો જુવાળ ધીમે ધીમે ઠરવા માંડ્યો. હવે આપણી પાસે ઉત્થાન અને ઉન્નતિનું નવું સ્વપ્ન હતું. આઝાદી પછી કે ૧૯૬૯ સુધી રાષ્ટ્રીય પક્ષ સમી કોંગ્રેસનું દેશ પર એકચક્રી શાસન રહ્યું ત્યારે પણ સભાન પત્રકારત્વે એક વિધાયક પરિબળ તરીકે સમાજજીવનની – રાષ્ટ્રજીવનની ઘણી મોટી સેવા બજાવી છે, અને દેશના ઇતિહાસે એની નોંધ લેવી પડશે.
જ્યારે કોંગ્રેસની સામે અડીખમ ઊભો રહી તેનો કાન પકડે એવો વિરોધપક્ષ દેશમાં હસ્તી ધરાવતો નહોતો ત્યારે લોકશાહી શાસનપ્રણાલી ધરાવતા દેશને માટે જરૂરી એવી ભૂલ સુધારની, પડકારની, વિરોધની કામગીરી દેશનાં સંનિષ્ઠ અખબારો અને દૃષ્ટિસંપન્ન પત્રકારો બજાવી રહ્યાં હતાં.
આ બંને તબક્કામાં આઝાદી પૂર્વે અને એ પછી – તફાવત હતો તે એ કે
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૮
| પત્રકાર : એક વિધાયક પરિબળ
આઝાદી પૂર્વે રાજકારણી પ્રવૃત્તિમાં રાષ્ટ્રીયતાનો રંગ વધુ બળવત્તર હતો. બીજા તબક્કામાં એ રંગ ધીરેધીરે ઊપટતો જતો હતો, જ્યારે રાજકારણનો રંગ વધુ ઘટ્ટતા પકડતો જતો હતો. આ આખી પ્રક્રિયા સન ૬૯ સુધી ચાલતી રહી.
પણ ત્યાર પછીના ત્રીજા તબક્કામાં – '૬૯ થી '૮૦ સુધીના ત્રીજા તબક્કામાં - પરિસ્થિતિએ મોટો પલટો લીધો. રાષ્ટ્રીય દૃષ્ટિકોણવાળા, પ્રજાની ઉન્નતિના જ આદર્શને વરેલા ભેખધારી સેવકો રાજકારણમાંથી અસ્ત પામી રહ્યા હતા અને એમને સ્થાને રાજકારણને એક વ્યવસાય માત્ર માનનારા કારકિર્દીવાંછુઓની ભરતી થયે જતી હતી.
કેવળ પોતાની સત્તાભૂખ સંતોષવાની એષણાવાળા કે પોતાની મુરાદો બર લાવવાની જ ઝંખનાવાળા રાજકારણીઓની દોડધાર્મ, કાગારોળ, નૈતિક સ્તરની લોકશાહી જીવનરસમની મહત્તાને સાવ ગૌણ બનાવી દીધી. રાજકારણની આ વિપલાળ પત્રકારત્વનેય આભડી ગઈ અને એ એટલી હદે કે મોટા ભાગનાં અખબારો કોઈ વ્યક્તિ, જૂથ કે પક્ષની પ્રશસ્તિનો બુંગિયો બની રહ્યાં. ભારતવર્ષની લગભગ નિરક્ષર પણ હૈયાઉકલતવાળી પ્રજા આ પાખંડને પારખી ગઈ, પરિણામે અખબારોની અને અખબારોની સાથે પત્રકારની વિશ્વસનીયતા નષ્ટ થઈ. રાજકારણની આ પકડ પ્રતિદિન એટલી મજબૂત ભીંસ લેતી ગઈ કે પત્રકારનો નિજી અવાજ એમાં ગૂંગળાઈ ગયો અને ટેપરેકોર્ડ કરેલા નારાઓની જેમ પક્ષ, જૂથ કે વ્યક્તિનાં પ્રશસ્તિ કે પ્રચારથી અખબારોનાં પાનાં ઊભરાતાં ચાલ્યાં. આજની હાલતને તો કોઈ ટીકાટિપ્પણની જરૂર જ નથી !
વ્યક્તિ, જૂથ કે પક્ષ સાથેનું આ રાજકારણીય identification અખબારો અને પત્રકારોને નિસ્તેજ બનાવવામાં કામિયાબ નીવડ્યું. એમાં પત્રકારની આકાંક્ષાઅપેક્ષા કે માનઅકરામની લાલસાની સાથોસાથ અખબારોની મજબૂરી પણ કામ કરી ગઈ છે, એટલું નોંધવું હું ઉચિત સમજું છું.
મૂલ્યોના ધ્વંસની સામે આક્રોશ જગાવનારા કે સામે પૂરે હૈયાની હામથી થાપટ મારી તરવાનો અખતરો કરનારાઓને ડુબાડવાના પ્રસંગોએ જેમ પત્રકારોની નૈતિક તાકાત પર મીઠી અસર પહોંચી છે, એમ અખબારોની આર્થિક આત્મનિર્ભરતાને તોડી ફોડી નાંખવાના પ્રયાસોએ પણ અખબારોના અવાજને ગૂગળાવ્યો છે.
વાસ્તવિકતાનો આ વરવો ચિતાર છતાં, પ્રેસે અને પત્રકારોએ ધૂંધળી પરિસ્થિતિના ધુમ્મસને ભેદવા પોતાની વિધાયક શક્તિમત્તાનો પૂરો ક્યાસ કાઢતા રહી મધ્યે જ જવાનું છે.
ખેદની વાત એ છે કે તાત્કાલિક હેતુઓ સિદ્ધ કરવાના આશયથી અમુક વ્યક્તિઓ કે જૂથના પ્રપંચી પ્રયાસો સમગ્ર રાષ્ટ્રીય જીવનને માટે કેટલી હદે વિઘાતક
Page #90
--------------------------------------------------------------------------
________________
પત્રકાર : એક વિધાયક પરિબળ ૮૯
છે, એ ભાગ્યે જ કોઈ સમજે છે. પ્રેસ અને પત્રકારની વિધાયક સ્થિતિ એક લોકશાહી રાષ્ટ્રનું અણમોલ ધન છે. એનો હ્રાસ આખરે તો રાષ્ટ્રની નિર્માલ્યતામાં જ ઉમેરો કરવાનો છે, એની ગંભીર નોંધ લેવાવી જોઈએ.
આજે ચોતરફ ચાલતી મૂલ્યહાસની સ્પર્ધા વચ્ચે ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રેસ અને પત્રકારની વિધાયકતાની ચર્ચા યોજે છે એ ખરેખર અભિનંદનીય છે. લોકશાહીની આ ચોથી સત્તા એક ખૂંખાર તાકાત છે. એને ટકાવી રાખવા, એને ઓર ખીલવવા હમદર્દીની જરૂર છે. અહીં એકઠા મળેલા સાહિત્યકારો અને સભાન શ્રોતાઓ આવા હમદર્દી બની રહે તો ભારતીય પત્રકારત્વની ઘસાવા-લોપાવા લાગેલી વિધાયક શક્તિ પુન: પાંગરી ઊઠે એવી આશા રાખી શકાય.
પત્રો, પત્રકારત્વ અને પત્રકાર – એ બધાંના વિધાયક અંશોની ચર્ચા મેં કરી અને એ સાથે એમાં વિઘાતક નીવડતાં તત્ત્વો વિષે પણ જે મંતવ્યો અહીં મેં રજૂ કર્યા છે, એ મારાં પોતાનાં છે, છતાં એ અનુભવમાંથી જ ઉદ્ભવેલાં છે.
સંભવ છે કે મારા એ નિરીક્ષણમાં ખામી પણ હોય, કોઈક કે કેટલાક એ સાથે સંમત ન પણ હોય, પરંતુ મારે નમ્રપણે એટલું જ કહેવાનું કે મેં મારા મંતવ્યો કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ સિવાય અહીં રજૂ કર્યા છે.
-
1
પત્રકારના આદર્શનો હું જ્યારે વિચાર કરું છું અને મારા અંતઃકરણને પૂછું છું કે પત્રકારનો આરાધ્યદેવ કોણ – વર્તમાનપત્ર ? જવાબ “નામાં મળે છે. “લોકકલ્યાણ' ઉપર પણ મન ઠરતું નથી. પત્રકારનો આરાધ્યદેવ તો સત્ય સિવાય બીજો કોઈ હોઈ શકે નહીં – થઈ શકે નહીં. સમાચારમાં અને વિચારમાં એણે નિરંતર એ જ દેવની ઉપાસના કરવી જોઈએ. આવી ઉપાસના નિર્ભયતા વિના, લોકકલ્યાણની ઉચ્ચ ભાવના વિના, રાગદ્વેષરહિત તટસ્થ દૃષ્ટિ વિના, વ્યવસાયની પ્રામાણિકતા વિના, સતત અભ્યાસ, અવલોકન, ચિંતન વિના શક્ય નંથી, એટલે આરાધ્યદેવ તરીકે સત્યનું પ્રતિષ્ઠાપન અને પૂજા-ભક્તિ થતાં આપોઆપ અન્ય દેવોની આરાધના થઈ જાય છે.
– મોહનલાલ મહેતા “સોપાન' (ગુજરાત સાહિત્ય પરિષદના ૨૨મા સંમેલનના પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી)
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રબળ રચનાત્મક શક્તિ
ઈશ્વર જે. પંચોલી
પત્રકાર અને અખબાર વિધાયક બળ બની સમાજ અને રાષ્ટ્રને સમૃદ્ધ અને ઉન્નત બનાવવામાં મહત્ત્વનું પ્રદાન કરી શકે છે, પરંતુ જો પત્રકાર કે અખબાર પોતાનો ધર્મ ચૂકે તો એ વિનાશક બળ બની સમાજ અને દેશને પારાવાર હાનિ પણ પહોંચાડી શકે છે. પીળા પત્રકારત્વના અનર્થકારી રાહ અપનાવતા પત્રકારો પોતાના અંગત લાભો માટે કામ કરતા રહીને સમાજ તથા રાષ્ટ્રજીવનને છિન્નભિન્ન કરી નાખે છે. કમનસીબીની વાત એ છે કે આવો અધર્મ આચરતા પત્રકારો, સામયિકો અને અખબારોને પંપાળીને – એમને સારો એવો આર્થિક લાભ આપીને (અલબત્ત, પોતાની વગોવણી થતી અટકાવવાના અથવા પોતાના વિશે પ્રચાર કરાવવાના હેતુથી જ) પત્રકાર જગતમાં ભ્રષ્ટાચાર ફેલાવાઈ રહ્યો છે. નિષ્ઠાવાન પત્રકારો અને તંત્રીઓ વાજબી સગવડો કે લાભો મેળવવા માટે પણ પ્રધાનો, અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિઓનો સંપર્ક સાધવામાં સંકોચ અનુભવે છે, જ્યારે વગોવણીનો ધંધો લઈ બેઠેલા કેટલાક પત્રકારો પોતાના વર્તમાનપત્રના પ્રભાવનો દુરુપયોગ કરી ખોટા લાભો પડાવતા રહે છે. ધર્મ ચૂકેલા પત્રકારો અંગત હિત ખાતર આમ કરે એ સમજી શકાય પરંતુ આવા પત્રકારોને રાજકારણ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના મહારથીઓ આદર આપતા રહે એ આશ્ચર્યની વાત છે – આ આદર હાર્દિક નથી હોતો, ભયપ્રેરિત હોય છે. આવા પત્રકારો અખબારી આલમને બદનામ કરતા રહે છે.
પત્રકારો એટલે પરમ પવિત્ર એવો દાવો ન કરી શકાય, એવી અપેક્ષાયે રાખી ન શકાય. અન્ય ક્ષેત્રોની જેમ પત્રકારત્વના ક્ષેત્રમાંયે દૂષણો પ્રવેશ્યાં છે. પણ પત્રકારોને બગાડવા માટેની જવાબદારી મહદ્ અંશે રાજકીય નેતાઓ અને પોતાને અનુકૂળ હોય એવું છપાવવા ઇચ્છતા અને પોતાની વિરુદ્ધ કંઈ પણ પ્રસિદ્ધ થતું અટકાવવા મથતા ધનિકોની છે. એઓ ભેટ-સોગાદો અને ખાણીપીણી દ્વારા પત્રકારોને ફોડવાનો પ્રયત્ન કરતા રહે છે. કેટલીક વાર સરકારના માહિતી ખાતાના અધિકારીઓ પણ આવી ‘ટ્રિક અજમાવી કેટલાક પત્રકારોને પોતાની મરજી મુજબ નચાવે છે.
પણ પત્રકારોમાં ભ્રષ્ટાચાર વ્યાપક નથી બન્યું એનું એક કારણ એ છે કે સંવાદાતા–રિપોર્ટરને જ પત્રકાર તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાનપત્રમાં સંવાદદાતાનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે; પણ ખૂફરીડર, સબએડિટર (ઉપતંત્રી), ચીફ સબ-એડિટર, ન્યૂઝ-એડિટર, આસિસ્ટન્ટ એડિટરનું સ્થાન ઓછું મહત્ત્વનું નથી. જેમને વર્તમાનપત્રો સાથે પનારો પડ્યો હોય છે એવા ઘણા લોકો પણ આ સત્ય જાણતા હોતા નથી, ત્યારે
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રબળ રચનાત્મક શક્તિ ] ૯૧ સામાન્ય લોકોને તો આની જાણ હોય જ ક્યાંથી ? સંવાદદાતાઓને ફિલ્ડવર્ક કરવાનું હોય છે આથી એમને સૌ જાણે છે અને હિત ધરાવનારાઓ “એમને હાથમાં લઈશું તો આપણું કામ થઈ જશે' એમ માનતા હોય છે. વધુ શક્તિશાળી અને વગદાર મહાનુભાવો તંત્રી કે માલિકને જ સાધીને પોતાનું ધાર્યું કરાવવાનું પસંદ કરે છે, આમ છતાં એકંદરે આપણાં વર્તમાનપત્રો અને પત્રકારો પોતાનો ધર્મ જાળવી શક્યાં છે એ ગૌરવની વાત ગણાય.
એક જમાનો એવો હતો કે યુવાનો મિશનરી સ્પિરિટ-સેવાની લગનથી પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવતા હતા. આઝાદી પછી વર્તમાનપત્રો વેપારી ઢબનાં બનવા લાગ્યાં છે અને એમાં ઝંપલાવનારાઓ માત્ર સેવાની ધગશથી એમાં ઝંપલાવતા નથી. માલિકોનો અખબાર કાઢવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સમાજ અને રાષ્ટ્રની સેવાનો નથી રહ્યો (અપવાદ જરૂર હોઈ શકે). અન્ય ઉદ્યોગપતિઓની જેમ એમની નજર પણ નફા પર રહે છે. આવી પરિસ્થિતિમાં અખબારમાં કામ કરતા પત્રકારો પણ આર્થિક હિતના વિચારને પ્રાધાન્ય આપતા થયા હોય તો એમાં એમનો વાંક ન ગણાય. પત્રકારોએ પણ પોતાના પરિવારનું લાલનપાલન કરવાનું હોય છે, એ પોતાનાં સંતાનોને સારી રીતે ઉછેરવા ઝંખતા હોય છે. આ માટે પૈસો જોઈએ કે જે એમને એમના કામની વિશિષ્ટ જવાબદારીના પ્રમાણમાં ભાગ્યે જ મળતો હોય છે. પત્રકારોની પાયાની જરૂરિયાતો સંતોષવા તરફ પૂરતું ધ્યાન અપાયું નથી. એમનાં પગારધોરણ નીચાં છે– પ્રાદેશિક ભાષાઓનાં વર્તમાનપત્રોમાં કામ કરતા પૂફરીડરોને જે પગાર મળે છે એના કરતાં શહેર સુધરાઈના નીચલી કક્ષાના કારકુનનો પગાર વધુ હોય છે. તાલુકાના અને ગામડાંઓના ખબરપત્રીઓને માસિક મહેનતાણું પાંચપંદર કે વધુમાં વધુ પચીસ-ત્રીસ રૂપિયા અપાતું હોય છે. આવા સંજોગોમાં એ ખબરપત્રીઓ પાસેથી શી આશા રાખી શકાય ? પરિણામે અખબારોને નિષ્ઠાવાન ખબરપત્રીઓ મળતા નથી અને જેઓ ખબરપત્રી બને છે એમાંના કેટલાક પોતે જે અખબારના ખબરપત્રી હોય એ અખબારનું પોતાના નામનું પ્રેસ કાર્ડ બતાવી યાદશક્તિ ચરી ખાતા રહે છે. પત્રકારો ખરેખર વિધાયક બળ બની શકે એ માટે એમનું જીવનધોરણ સુધારવા માટે એમના વેતનમાળખામાં સુધારો કરવામાં આવે એ અનિવાર્ય છે.
એ જ રીતે પત્રકારોએ પણ એક વાસ્તવિકતા સમજી-સ્વીકારી લીધા વિના છૂટકો નથી. આપણા દેશની આર્થિક વ્યવસ્થામાં કોઈ ક્રાંતિકારી પરિવર્તન આવવાની શક્યતા દેખાતી નથી. આથી આપણને માલિકો વિના ચાલવાનું નથી. આપણામાંના કોઈ લાખો રૂપિયાનું રોકાણ કરી શકવાના નથી. સહકારી ક્ષેત્રે આ દિશામાં થયેલ એકલદોકલ પ્રયાસનો રકાસ જ થયો છે. આવા સંજોગોમાં આપણને રોજીનું અને
Page #93
--------------------------------------------------------------------------
________________
૯૨ - પત્રકાર : એક વિધાયક પરિબળ
સમાજ તથા રાષ્ટ્રની સેવાનું સાધન પૂરું પાડનાર માલિકોની ટીકા કરતા રહેવાથી કોઈ અર્થ સરતો નથી. જેઓ વર્તમાનપત્રના ક્ષેત્રમાં મોટી મૂડીનું રોકાણ કરે છે એમને નફા ઉપરાંત વધારામાં કીર્તિ મળે છે, જેટલી બીજા ઉદ્યોગપતિઓને મળતી નથી. આથી વર્તમાનપત્ર-ઉદ્યોગના પ્રાણ સમા પત્રકારો, પ્રેસ કામદારો અને વહીવટી પાંખના કર્મચારીઓ પ્રત્યે પોતાને સહાનુભૂતિભર્યું વલણ દાખવે, પત્રકારોની કામગીરીનું મહત્ત્વ સમજી-સ્વીકારી એમના પ્રત્યે પર્રિવારના સભ્યો જેવો વર્તાવ રાખે, એમની આર્થિક સ્થિતિ બહેતર થાય એ પ્રકારનાં વેતન-ધોરણ અમલમાં મૂકે એ પણ એટલું જ જરૂરી છે. અખબારને સાચા અર્થમાં વિધાયક બળ બનાવવા માટે આમ કરવામાં આવે એ અનિવાર્ય છે.
અખબારોના માલિકો-સંચાલકો છાપકામ સુધારવા પાછળ છૂટા હાથે ખર્ચ કરે છે. એઓ લાખો રૂપિયાની કિંમતનાં રોટરી મશીન, ફોટો ઑફસેટ મશીન તથા અન્ય યંત્રસામગ્રી વસાવે છે. વર્તમાનપત્રોના વિકાસ માટે આમ કરવામાં આવે એ જરૂરી છે, આવકાર્ય છે. પરંતુ એઓ લોખંડનાં યંત્રોને જેટલું મહત્ત્વ આપે છે એના એકસોમા ભાગ જેટલુંય મહત્ત્વ અખબારના હૃદય સમા પત્રકારોને ન આપે એ કેવું ? જે દિવસે માનવયંત્રો યોગ્ય દેખભાળના અભાવે કટાઈ જશે એ દિવસો લાખો–કરોડોની કિંમતનાં પોલાદી યંત્રો શા કામનાં રહેશે ?
પ્રાદેશિક ભાષાનાં વર્તમાનપત્રોમાંનાં કેટલાંક ખૂબ સમૃદ્ધ બન્યાં છે; આમ છતાં કચેરીમાં સંદર્ભગ્રંથોની લાઇબ્રેરી વસાવવાની તકેદારી ‘જન્મભૂમિ’ જેવા એકાદબે પત્રોના સંચાલકોએ જ રાખી છે. દરેક અખબારી કચેરીમાં સંદર્ભગ્રંથોની અદ્યતન લાઇબ્રેરી વસાવવામાં આવે એ અખબારનવેશોની કાર્યક્ષમતા અને વર્તમાનપત્રોનું ધોરણ સુધારવા માટે અનિવાર્ય ગણાવું જોઈએ. આવી જ રીતે પત્રકારત્વનો કોર્સ ચલાવતી શિક્ષણ સંસ્થાઓ અભ્યાસક્રમમાં અનુવાદને મહત્ત્વ આપે એ બહુ જરૂરી છે. હજી આવતાં ઘણાં વર્ષો સુધી આપણે અંગ્રેજી ભાષા પર આધાર રાખવો પડે તેમ છે ત્યારે પત્રકારોને અંગ્રેજીમાંથી ગુજરાતી કે અન્ય પ્રાદેશિક ભાષાઓનું સરસ ભાષાંતર કરવાની પૂરતી તાલીમ અપાવી જોઈએ.
સાહિત્યકાર અને પત્રકારના સંબંધો વિશે વિચારીએ. કેટલાક પત્રકારો સાહિત્યકારોને વેદિયા ગણી એમની ઉપેક્ષા કરે છે, તો કેટલાક સાહિત્યકારો પત્રકારોની ગણના કરતા નથી. કેટલાક વળી એમને ભાષાના દુશ્મનો માને છે. આ વાત બરાબર નથી. સાહિત્યકાર અને પત્રકાર એકબીજાનાં પૂરક બળ જેવા છે. વર્તમાનપત્રોમાં જોડણીદોષ અને મુદ્રણદોષની ઊણપનો સ્વીકાર કર્યા પછીયે એટલું તો કહેવું જ પડશે કે પત્રકારોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં નમ્ર ફાળો તો આપ્યો જ છે. કેટલાક સાહિત્યકારો જેને છાપાળવી ભાષા તરીકે ઓળખાવીને એની ઠેકડી ઉડાવે છે એ ભાષા લોકોની છે એ ભૂલવું ન જોઈએ. વળી, વર્તમાનપત્રોની કારકિર્દીના પ્રારંભકાળમાં કેટલાક પારસી પત્રકારોએ અને એ પછી ગુજરાતી પત્રોના કેટલાક વિદ્વાન તંત્રીઓએ
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રબળ રચનાત્મક શક્તિ ] ૯૩
ગુજરાતી ભાષાને શક્તિશાળી શબ્દો અને પર્યાયો આપ્યા છે. અને સાહિત્યને લોકો સુધી પહોંચાડવામાં વર્તમાનપત્રોનો ફાળો નાનોસૂનો નથી. આપણા કેટલાક સારી કોટીના નવલકથાકારો, નવલિકાલેખકો, નિબંધકારો અને કવિઓન લોકો સુધી પહોંચાડી, એમને લોકપ્રિય બનાવવાની પ્રશંસનીય કામગીરી બજાવી છે. આજે પણ એ એ કામગીરી બજાવી રહેલ છે. અને હવે તો વર્તમાનપત્રો અને સાહિત્યકારો વચ્ચે સ્વાર્થનો એવો નાતો બંધાઈ ગયો છે કે એમને એકબીજા વિના ચાલે એમ નથી. વર્તમાનપત્રોનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં વાર્તાસાહિત્ય અને અભ્યાસપૂર્ણ લેખોનું સ્થાન અનિવાર્ય બન્યું છે. અને વર્તમાનપત્રોના માધ્યમ દ્વારા લેખકો સહેલાઈથી વધુ ભાવકો પાસે પહોંચી શકે છે. આપણે જે ઉન્નત સમાજરચના કરવા ઝંખીએ છીએ એ માટે પત્રકારો-સાહિત્યકારોનો સહિયારો પુરુષાર્થ હિતાવહ છે અને આવા સહિયારા પુરુષાર્થનું સાધન વર્તમાનપત્રો પૂરું પાડી રહે છે.
છેલ્લે અખબારી સ્વાતંત્ર્યની વાત પણ કરી લઉ. અખબારી સ્વાતંત્ર્યનો પ્રશ્ન બહુ પેચીદો છે. અખબારી સ્વાતંત્ર્ય એટલે કોનું સ્વાતંત્ર્ય ? અખબારોના માલિકોની સ્વતંત્રતા કે પત્રકારોની સ્વતંત્રતા ? માલિકની વાત જવા દઈએ, પણ હું તો પત્રકાર છું. હું વર્તમાનપત્ર શરૂ કરું તો એ વર્તમાનપત્રની નીતિ કોઈ બીજાને નક્કી કરવા ન દઉં. સામ્યવાદમાં માનનારના અખબારમાં મૂડીવાદની પ્રશસ્તિ કરતા લેખ કે સમાચારને
સ્થાન કેવી રીતે મળે ? મૂડીવાદી વિચારસરણી ધરાવતા અખબારમાં સામ્યવાદની હિમાયત કરતાં લખાણો પણ પ્રસિદ્ધ ન થાય એ સમજી શકાય એવી વાત છે. પણ આટલું તો થવું જ જોઈએ : અખબારની નીતિ નક્કી થયા પછી એના રોજબરોજના કામમાં માલિકો-સંચાલકોનો હસ્તક્ષેપ હોવો ન જોઈએ. નીતિનો અમલ કરવાની જવાબદારી પત્રકાર-તંત્રીની હોઈ શકે.
અખબારી સ્વાતંત્ર્ય વિશે ગાંધીજીએ પોતાની આત્મકથામાં જે લખ્યું છે એ તમને કહી સંભાળવવાની લાલચ રોકી શકતો નથી. ગાંધીજીએ લખ્યું છે : “વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવાં જોઈએ એ હું “ઇન્ડિયન ઓપિનિયન'ના પહેલા માસની કારકિર્દીમાંથી જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાડે છે ને પાકનો નાશ કરે છે, એમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો એ નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.
‘આ વિચારસરણી સાચી હોય તો દુનિયાનાં કેટલાંક વર્તમાનપત્રો નભી શકે ? પણ નકામાંને બંધ કોણ કરે ? કોણ કોને નકામું ગણે ? કામનું અને નકામું સાથે સાથે ચાલ્યાં જ કરવાનાં. એમાંથી મનુષ્ય પોતાની પસંદગી કરવાની રહી.”
Page #95
--------------------------------------------------------------------------
________________
૯૪
m પત્રકાર : એક વિધાયક પરિબળ
“એણે સર્વજ્ઞ હોવાનો દેખાવ ક૨વાનો હોય છે; એને સર્વવ્યાપી થવાની ઉમેદ હોય છે; એ સર્વશક્તિમાન ગણાવાનું પ્રાગત્સ્ય પણ ધરાવે છે. એની મહેચ્છાને મર્યાદા નથી. એની ભયાનકતાનો પણ સુમાર નથી. એ ધારે તો અર્વાચીન મનુ ને ધારે તો અર્વાચીન શકુનિ નીવડી શકે અને એ એ રૂપે મોર્લી, સ્ટેડ કે લેબૂશીયર તરીકે અથવા હર્સ્ટ કે હાર્વર્થ તરીકે એ પૂર્ણાવતાર મનાયો ને પુજાયો છે.
એ રોજની એક એક જિંદગી જીવે છે. એના કાર્યપ્રદેશની સીમાઓ જીવનની સીમા સુધી લંબાયેલી હોય છે. એની ફરજ એક જ દિવસમાં કોડીબંધ સ્વભાવો અને કોડિબંધ બનાવોના મર્મગ્રાહક અને મીમાંસક થવાની હોય છે. એ અનેકનાં ગુણગૌ૨વ પિછાને છે, અનેકની મહત્તાનો આંકનાર છે, અનેકનાં છિદ્રો જાણે ને પાપો ઉઘાડાં પાડે છે. પરલોકમાં જે કામ યમ-પ્રધાન ચિત્રગુપ્ત કરતા હશે એ આ લોક પરત્વે એને વિધાતાએ સોંપ્યું જણાય છે.
આવી અસાધારણ ફરજો અસાધારણ લાક્ષણિક સાધનસંપત્તિ માગી લે છે. હરેક વિષયનું વિશાળ છતાં આછોતરું જ્ઞાન લઈ રાખવું; હરેક લાગણીનો નેક છતાં ક્ષણિક પલકાર અનુભવવો; હરેક પ્રવૃત્તિની ભારેખમપણે ઉપલક નોંધ લેવી; આવા આવા એના ભાગ્યલેખ હોય છે. તેથી, એની કલમનો હ૨ફેહરફ રાતદિવસ એને જ સિદ્ધ કરવામાં રોકાય છે.
લખાણ તો એનો પ્રાણ છે. એ કામ એને મન આહાર, નિદ્રા ને ભય જેવું જ સ્વભાવસિદ્ધ બની રહે છે. શબ્દબ્રહ્મની જ ઉપાસનાથી મોક્ષ થતો હોય તો સૌથી પહેલો ને સંપૂર્ણ મોક્ષ પત્રકારનો થવો જોઈએ, કેમ કે એને તો ઇચ્છે તોયે અન્ય દેવનું રટણ અશક્ય છે. શબ્દોના સ્વામી થવાની હોંશમાં એ શરૂઆત કરે છે ને એનો દાસાનુદાસ થઈને સમાપ્તિ કરે છે. શબ્દશક્તિની વેદી પરનો એ સૌથી કરુણાજનક વધ્ય પશુ છે.
એ લખાણોની ભાષા લોકભાષા જ હોવી જોઈએ. લોક્સમુદાય પર પ્રભાવ પાડવો ને લોકહૈયાં કબજે કરવાં; લોકમત ઘડવો ને લોકલાગણીના પડઘા પાડવા; આમ લોકજીવન સાથે સમગ્રપણે એકતાર થવાના એ અભિલાષીને, લોકદેવના એ અથાક પૂજારીને, અનન્ય પૂજારીને, બીજી ભાષા ખપે જ કેમ ? એટલે એનું નિશાન હંમેશાં વાંચનારને વશવર્તી કરવાને જ તકાય છે અને એ હેતુ એ આડંબરી વાક્યવૈભવનાં કે ચમત્કારી પદલાલિત્યનાં, સરલ સચોટ વસ્તુકથનનાં અથવા કાચા કે સંસ્કારયુક્ત કટાક્ષનાં : એમ જ્યારે જે શ૨ની જરૂર પડે ત્યારે એ વછોડી પાર પાડે છે.”
વિજયરાય વૈદ્ય (‘જૂઈ અને કેતકી’, પૃ. ૭૨-૭૩)
Page #96
--------------------------------------------------------------------------
________________
સાહિત્યિક
પત્રકારત્વ
Page #97
--------------------------------------------------------------------------
________________
–––––––––––––––––––––– | શ્રી નરેન્દ્ર ત્રિવેદી - સાહિત્યિક સામયિકો : જૂના અને નવાં |
શ્રી નરભેરામ સદાવ્રતી – ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ શ્રી કુમારપાળ દેસાઈ - સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ શ્રી નિરંજન પરીખ – પત્રકારત્વ અને સાહિત્યેતર વિષયો
-
-
-
----
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
Page #98
--------------------------------------------------------------------------
________________
સાહિત્યિક સામયિકો : જૂના અને નવાં
In નરેન્દ્ર ત્રિવેદી
અકળાયેલી બપ્પોર અને આફરેલું પેટ આંખને ઘેરી રહ્યાં છે ત્યારે ચાલો ગુલશન'ની યાદે દીવાસ્વપ્નનું એક ઝોકું માણી લઈએ. તો આ વાત છે એક ગુલશન'ની. એના બાગબાનું નામ તમે પૂછો એ પહેલાં જ હું જણાવી દઉં : સાહિત્યિક સામયિકોના બ્રાહ્મમુહૂર્તે સ્મરણ કરવા જેવું એ નામ છે : સ્વ. હાજી મહમ્મદ અલારખિયા શિવજી. ઈ. સ. ૧૯૦૧માં એક રૂપિયાના લવાજમથી ‘ગુલશન’ નામનું સચિત્ર માસિક એમણે શરૂ કરેલું – શરૂ કરેલું પણ એકાદ વરસના ગાળામાં એ કરમાઈ ગયેલું; કરમાઈ ગયેલું પણ “વીસમી સદીની કેડી કંડારતું ગયેલું. ઈ. સ. ૧૯૧૬માં એ કેડીને પાંખો ફૂટી ને એ પાંખોના ઇન્દ્રધનુષી રંગોએ હજારોને આનંદવિભોર કર્યા. હાજીની સંપાદકીય કોઠાસૂઝના ફલસ્વરૂપે “વીસમી સદી' સામાન્યમાં સામાન્ય જનથી માંડી નરસિંહરાવ જેવા સાક્ષરવર્યનું માનીતું માસિક બન્યું. સાહિત્યકારોના મિજાજને જરા પણ આંચ આવવા દીધા વિના એમની પાસેથી સામાન્ય જનનું મનોરંજન થાય એવું કામ કઢાવવાનું નિઃશંક લોઢાના ચણા ચાવવા જેવું છે. પણ હાજીએ તો એ હેરતભર્યો પ્રયોગ એના “વીસમી સદી'માં રમતાં રમતાં કરી બતાવ્યો. સર્જક અને ભાવકનો સમાદર સાહિત્યને સર્વદેશીયતા અને સર્વકાલીનતાની કઈ ઉચ્ચઉચ્ચ સપાટીએ પહોંચાડે છે એનો પ્રત્યક્ષ પુરાવો “વીસમી સદીના અંકોના પાને પાને પથરાયેલો પડ્યો છે. પંડિતાઈનો અખાડો કે સભારંજની પિત્તળપ્રકાશન બનવાને બદલે, સાચા સાહિત્યિક સામયિકે જ્ઞાન અને આનંદનું રસાયણ કરી પોતાનો “સહિતસ્ય ભાવ' સિદ્ધ કરવાનો છે. લોકને લેહ લગાડે નહીં એ સાહિત્ય નહીં અને સાહિત્ય લોકને લેહ લગાડ્યા વગર રહે નહીં એ આપણા લોકસાહિત્ય હાજરાહજૂર કરી બતાવ્યું છે. “વીસમી સદીનો પુરુષાર્થ આ દિશાનો હતો, એટલું જ નહીં બલ્ક, “વીસમી સદી' એમાં નોંધપાત્ર રીતે સફળ રહ્યું. સફળ રહ્યું ને સાથેસાથે બીજાં સાહિત્યિક સામયિકો માટે પથપ્રદર્શક પણ બની રહ્યું ને એ એટલે સુધી કે હાજી મહમ્મદના અવસાન સાથે એનો અંત આવ્યો ત્યારે પંથ એનો એ અનંત બની ચૂક્યો હતો.
એ પંથ પર અંકાયેલાં પગલાંની એ શી વાત ! લાંબી લંગારનાં લેખાંનો તો અહીં અવકાશ નથી પણ ઉતાવળે-ઉતાવળેય થોડાં નામો તો લેવાઈ જ જાય છે. વીસમી સદીના સમાંતરે વા સમયાંતરે પ્રગટેલાં અને બંધ પડી ગયેલાં આ સાહિત્યિક સામયિકોમાં પહેલું યાદ આવે છે... આચાર્ય આનંદશંકર ધ્રુવનું “વસંત'. એની
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૮ m સાહિત્યિક પત્રકારત્વ
સાથોસાથ યાદ આવે છે રમણભાઈ નીલકંઠનું ‘જ્ઞાનસુધા’, રા. વિ. પાઠકસાહેબનું ‘પ્રસ્થાન’, ક. મા. મુનશીનું ‘ગુજરાત’ અને વિજયરાય વૈદ્યનાં ‘કૌમુદી’ અને ‘માનસી’. નામો લેવા જ બેઠા છીએ તો ઉદ્ધવજી તુલસીદાસનું ‘ગરવી ગુજરાત’, મટુભાઈ કાંટાવાળાનું ‘સાહિત્ય’, જયકૃષ્ણ વર્મા અને યજ્ઞેશ શુક્લનું ‘ગુણસુંદરી’, ગોકુળદાસ રાયચુરાનું ‘શારદા’, ઝવેરચંદ મેઘાણીનું ‘ફૂલછાબ’, ચુ. વ. શાહનું ‘પ્રજાબંધુ’ અને બબીબહેન ભરવાડાનું ‘આરસી’ પણ ભેગાભેગ યાદ કરી લઈએ.
આમ છતાં કેટલાંક નામો એવાં છે જે સાધિકાર વિશેષ ઉલ્લેખ માગી લે છે. એ નામો જયંતી દલાલનું ‘રેખા’ – ‘ગતિ’, સુરેશ જોષીનું ‘મનીષા’ અને પ્રબોધ ચોકસી સાથેનું ‘ક્ષિતિજ', ભાનુ ઝવેરીનું ‘ગ્રંથાગાર’, ચુનીલાલ મડિયાનું ‘રુચિ’, રાધેશ્યામ શર્માનું ‘યુવક’, લાભશંકર ઠાકર અને ‘રે’ મિત્રોનાં દોઢ માસિક ‘રે’ અને ‘કૃતિ’, જ્યોતિષ જાનીનું ‘સંજ્ઞા', મહેન્દ્ર મેઘાણીનું ‘મિલાપ’ અને ભગત સાહેબનું ‘સાહિત્ય’.
આમાંનાં ઘણાંખરાં સામયિકોએ મુક્ત વિચાર અને મુક્ત ચર્ચાનો એક અનેરો અને અદકેરો મંચ પૂરો પાડ્યો છે. પત્રકાર અને સાહિત્યકારના ઉત્તમ અંશોનું અભિન્નત્વ એમાં પ્રતિપાદિત થયું છે. એના ઘોષ-પ્રતિઘોષની યાદે આજે પણ કાન સ૨વા બને છે. ને એ આટલે વર્ષેય પોતાના જૂના અંકો થકી નિત્યનૂતન તાજગીની લહેરો રેલાવતાં રહ્યાં છે.
અ-ક્ષરધામવાસી બનેલાં આ સામયિકો પછી જોઈએ તો સાહિત્યક્ષેત્રે ‘બુદ્ધિપ્રકાશ’ આપણું સૈકાજૂનું સામયિક છે. ‘કુમાર’ને આટલે વર્ષે પણ ઘડપણ આવ્યું નથી. ‘અખંડ આનંદની’ ધૂન ચાલુ છે. ‘નવચેતન’ની મૂડી ખૂટી ગઈ નથી. ‘પરબ’ની પરખ થતી રહી છે. ‘ઊર્મિ-નવરચના'નું નામ સંભળાતું બંધ થયું નથી. ‘કવિલોક’ ધીર આલોક આપતું રહ્યું છે. ‘કવિતા'ને કાટ ચડ્યો નથી. ‘સમર્પણ’નું દર્પણ તરડાયું નથી ને ‘નવનીત’ કંઈ નહીં તો ડેરી બ્રાન્ડ સ્નિગ્ધતા જાળવી રહ્યું છે. (આ ‘સમર્પણ’ અને ‘નવનીત’નું સમન્વિત રૂપ કેવું હશે એ આજનું કુતૂહલ છે.) ‘ગ્રંથ’ ગોથું ખાતાંખાતાંય થોથું બની જવાથી બચ્યું છે. ‘ચાંદની’એ પચ્ચીસ વર્ષ પૂરાં કર્યાં છે. ‘આરામ’ રામને ગોતી રહ્યું છે. ‘ભૂમિપુત્ર’ની ‘પાંચ મિનિટની’ વાર્તાએ આકર્ષણ ઊભું કર્યું છે. ‘ઉગાર’ નજર કરી જવા જેવું બન્યું છે. ‘વિશ્વમાનવ’ અને ‘કોડિયું’ પોતપોતાની રીતે સાહિત્યિક ફાળો આપતાં રહ્યાં છે. ‘અભિષેક’ અવળી-સવળી ધારે ચાલે છે. બધા વચાળે ‘એતદ્’ ને ‘ઊહાપોહ’ આગવાં રહ્યાં છે. ‘ઇલૅન્ડ’ અને ‘તોડફોડ' પ્રગટતાં રહ્યાં છે પણ એમના ભેરુબંધોની નામાવલિને અંતિમ સ્વરૂપ મળવાનું હજી બાકી છે. વાત માંડી જ છે તો છેલ્લે છેલ્લે કલકત્તાના ‘કેસૂડાં’ અને ‘નવરોઝ’ જેવા કેટલાક વાર્ષિક અંકોનેય યાદ કરી લઈએ. એમાં યશવંત પંડ્યાનાં ‘વીણાં’- ‘શરદ’, સૌદામિની વ્યાસનું ‘અંગના’, બબીબહેન ભરવાડાનું ‘જ્યોત્સ્ના’, દિલીપ કોઠારીનું
Page #100
--------------------------------------------------------------------------
________________
સાહિત્યિક સામયિકોઃ જૂના અને નવા [ ૯૯
શ્રીરંગ', શિરીષ મહેતાનું ઉત્તરા', વિષ્ણુ પંડ્યાનું “સાધના અને ગુજરાત સરકારના માહિતીખાતાનું ગુજરાત' સહેજે સ્મરણે ધસી આવે છે.
દૈનિકોના દળદાર દીપોત્સવી અંકોની સાહિત્યિક ઝાકમઝોળ હવે પહેલાં જેવી સર્વવ્યાપી રહી નથી છતાં હરીન્દ્ર દવેએ “જનશક્તિ' દ્વારા અને ભગવતીકુમાર શર્માએ “ગુજરાતમિત્ર' દ્વારા શગ ફગફગતી રાખી છે.
અખબારોના સામયિક વિભાગોમાં આવતી સાહિત્યિક કટારો પર અમદાવાદનાં એક-બે અખબારોએ નિર્લેપતા બતાવી હોવાના અપવાદોને બાદ કરતાં લગભગ બધાં જ અખબારો સાહિત્યિક રુચિના સંવરણ-સંવર્ધનની પ્રવૃત્તિને આજેય પ્રેમથી પોષતાં રહ્યાં છે.
જૂનાં, નવાં ને એમ જૂજવાં આ સાહિત્યિક સામયિકોના કાળપ્રવાહનું વસ્તુગત પરિપ્રેક્ષ્યમાં વિહંગાવલોકન કરતાં એટલું ખસૂસ લાગે છે કે જ્યારે પણ સાહિત્યકાર અને સામયિકકાર(પત્રકાર)ની સંગત સુપેરે સધાઈ છે ત્યારે સર્જક અને ભાવકનું સમારાધન થયું છે, ને જ્યારે પણ એ સંગત તરડાઈ-ઠરડાઈ છે ત્યારે સર્જક યા ભાવક યા તો કેટલીકવાર તો એ બેઉ અકળાઈને એવાં સામયિકોથી વિમુખ બન્યા છે. દુઃખ સાથે કહેવું પડે છે કે સર્જક અને ભાવકના સમસંવેદનનું સમારાધન કરતી સામયિક સૃષ્ટિ અને સંપાદકીય દૃષ્ટિ ઉત્તરોત્તર વિલોપાતી ચાલી છે. સામયિકોને પ્રાણવાયુ પૂરો પાડતી ડાયલોગની બારી પર લોખંડી કમાડ દેવાઈ ગયાં છે. વાચકો સાથે વાદ-પ્રતિવાદમાં પડવાનું પળોજણ બન્યું છે ને એવી પળોજણમાં પડ્યા વિના કે વાચકો શું વાંચે છે ને શું વાંચવા માગે છે એની લગીરે સ્પૃહા કર્યા વિના લખનારા ને છાપનારા એક બાજુ “ના હું તો ગાઈશ”ના વૈશાખનંદની તાનમાં મસ્તાન છે તો બીજી બાજુ, સાક્ષરોની એસીતેસી કરી સામાન્ય જનને લપટાવતી લસલસતી લેબાશી કરનારા “ગધા ગુલતાન’ છે. દેખીતી રીતે જ આમાં પહેલાવાળા કરતાં બીજાવાળાનો ઉપાડો વધારે છે. પરિણામ એનું એ આવ્યું છે કે સાહિત્યિક સામયિકો વધુ ને વધુ સંકોચાતાં ગયાં છે ને અપ-સામયિકો તગડાં બનતાં ચાલ્યાં છે. આ જ વાત બીજી રીતે કહીએ તો, સામયિકોમાંથી સાહિત્યનું બાસ્પીભવન થતું રહ્યું છે ને અવશિષ્ટ કચરાના ઉકરડા થતા રહ્યા છે. આના સીધા પરિણામ સ્વરૂપે સાહિત્યકારો સંગેમરમરિયા આવાસોના વાસી બનતા ચાલ્યા છે ને એમની સરસ્વતી ‘દ્વારે લુપ્તા સરસ્વતી બની છે. સાહિત્યકાર લોકથી વિમુખ બન્યો છે ને લોક સાહિત્યથી વિમુખ બન્યું છે.
ટૂંકમાં, સાક્ષરો અને સામાન્ય જનનાં સામયિકોના ખુલ્લંખુલ્લા બે અલગ ચોકા પડી ગયા છે. એ બે ચોકાની વાત કાળક્રમના રૂપમાં જરા વીગતે કરીએ તો સાહિત્યિક સામયિકો જે એક કાળે સર્જકો, સાક્ષરો અને સામાન્ય જનનું “એક સમારાધનમ્” હતાં એ કાલાંતરે એવાં ને એટલાં સંકુલાતિસંકુલ બન્યાં કે સામાન્ય જનનો તો એમાંથી પહેલે ધડાકે જ છેદ ઊડી ગયો. “તું તારે રસ્તે ને હું મારે રસ્તના
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૦૦ | સાહિત્યિક પત્રકારત્વ
ન્યાયે સામાન્ય વાચકવર્ગ આવાં સામયિકોને નવ ગજના નમસ્કાર કરી એને ફસાવતી છતાં ફાવતી દિશામાં ઢળી પડ્યો ને પિત્તળ પ્રકાશનોને તડાકો પડ્યો..... બીજો ધડાકો થયો ને સર્જકો અને સાક્ષરોનાં ને વળી સર્જકોમાંથી સર્જકોનાં અને સાક્ષરોમાંથી સાક્ષરોનાં તડાં પર તડાં પડતાં ગયાં. એક સામયિકને અમુક આણિ મંડળીનું તો બીજાને તમુક આણિ મંડળીનું લેબલ લાગતું ગયું. સાહિત્યનાં વહેતાં નીર સામયિકોના જુદા જુદા કુંડમાં બંધિયાર બનવા માંડ્યાં, બંધિયાર બન્યાં ને ક્યાંક ક્યાંક તો ગંધાવા પણ માંડ્યાં. એ બૂથી અકળાયેલાઓએ કલમનાં કોશ-કોદાળીથી ફૂડની પાળો તોડવા માંડી – ને તોડફોડની આ લીલા બૂટપાલીસથી લઈ, ધૂનફેરી ને શેરી-નાટક સુધી આજ આવી પૂગી છે. લોકાભિમુખ બનવાની સાહિત્યના આ નવ-આંદોલનવાદીઓની ઉક્ત લીલા માત્ર કૃતક દાર્શનિકતા ના બની બેસે અને કુંડની પાળો ખરેખાત તૂટે તો ગુજરાતી સાહિત્યના ને એમ એનાં સામયિકોનાં પાણી નિઃશંક કંચનવરણાં બને. એટલું જ નહીં, બલ્બ કાલે ઊઠીને, સ્પર્યાસ્પશ્યના ભેદ ભૂંસીને, તૂષિત વાચકની તૃષા તોષતા અને સાહિત્યકાર અને સામયિકકારની પેલી રૂડીરૂપાળી સંગતથી ડાયલૉગના દરબારમાં એને આનંદવિભોર કરી દેતા, શુદ્ધ સાહિત્યિક સામયિકના અવતારનું એ પરમ નિમિત્ત બની રહે. એથી ઊલટું, તૂટતી પાળોનો કાટમાળ સાહિત્યિક સામયિકોના પેલા રહ્યાસહ્યા કુંડોને જ પૂરી દે તો ?
– તો, આવતી કાલ આજના હિસાબે નિચ્ચે, અંધારી.
-
સ્વાધીન બનવાના અરમાનની સાથોસાથ, જેમ વ્યવસાયમાં ખાતર પૂરવાનું આયોજન પણ કરવું જોઈએ, એમ વ્યવસાયના સર્વ અંગભૂતોના યથોચિત યોગક્ષેમની જોગવાઈ ઉપરાંતની કમાણી વગે કરવાને બદલે, આ લોયજ્ઞનું ફળ લોકોને જ અર્પણ થાય એવી શ્રેયાર્થી ભાવના પણ આ વ્યવસાય પરત્વે પ્રગટાવવી જોઈએ. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ જેવાં પ્રકાશન ટ્રસ્ટોનું બંધારણ જ, પોતાનાં કમાણી આપતાં પ્રકાશનોનો નફો, ઉચ્ચ ગણિત, તત્ત્વમીમાંસા કે વિજ્ઞાન સંશોધનો જેવાં અલ્પ ખપતવાળાં પુસ્તકોના પ્રકાશનયજ્ઞમાં વાપરવાના આદેશવાળું છે. વ્યાપારી બુદ્ધિથી ચાલતી ઘણી પ્રકાશન પેઢીઓ પણ પાઠ્યપુસ્તકોમાંથી થતી પોતાની ધીકતી કમાણી ઇતિહાસ ને અર્થશાસ્ત્ર, શિક્ષણ અને સાહિત્ય, કાવ્ય અને વિવેચન આદિનાં ઓછી ખપતવાળાં પ્રકાશનો પાછળ રોકતી હોય છે. આપણી પત્રમાલિક કંપનીઓ તથા ટ્રસ્ટો એ રીતે આ વ્યવસાયમાંથી રળાતી સમૃદ્ધિનો વિનિયોગ વિચારપત્રો અને ચિત્રપત્રોના નવા પ્રસ્થાન પાછળ કેમ ન કરે ?
- બચુભાઈ રાવત (ગુજરાતી સાહિત્ય પરિષદ ત્રેવીસમું સંમેલન : પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી)
Page #102
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દૃષ્ટિપાત
રમણ સોની
મુદ્રણયંત્ર આવ્યું ને વર્તમાનપત્રો તથા સામયિકો શરૂ થયાં – એવું વિધાન એક તથ્યલેખે ખોટું નથી, તોપણ એક ઘટનાલેખે આ વાત એટલી સરળ અને સીધી નથી. અલબત્ત, મુદ્રણયંત્ર સાધન ઉપરાંત એક મહત્ત્વનું પરિબળ પણ હતું, પરંતુ સૌથી મોટું પ્રેરક પરિબળ તો નવજાગૃતિને કારણે આવેલી સક્રિયતા હતું જેણે આ વર્તમાનપત્રો અને સામયિકોની સામગ્રીનું તેમજ એમનાં સ્વરૂપનું ઘડતર કર્યું. એ આખીય પ્રક્રિયા અંગ્રેજી સંસ્કૃતિનાં દેખાતાં અનુસરણોથી માંડીને સ્વતંત્ર મથામણો અને પ્રવૃત્તિઓ સુધી વિસ્તરેલી હતી; એટલે કે ઠીકઠીક સંકુલ હતી.
ભારતમાં તેમ ગુજરાતમાં મુદ્રણયંત્રો – પહેલાં તો શીલાછાપ યંત્રો- આવતાં જ મુદ્રિત સામગ્રીનો વિસ્ફોટ થવા માંડેલો. ઈ. ૧૭૮૦માં બંગાળીમાં “બંગાળ ગેઝેટ' નામે વર્તમાનપત્ર પ્રગટ થયું અને ગુજરાતમાં રૂસ્તમજી કેરશાસ્પજી નામના પારસી સજ્જને પહેલી વાર છાપખાનું સ્થાપીને ઈ. ૧૭૮૦નું પંચાંગ છાપેલું.
જેમ રંગભૂમિ-પ્રવૃત્તિમાં એમ મુદ્રણની પ્રવૃત્તિમાં પણ પારસીઓ અગ્રેસર રહ્યા. તરત કશુંક નવું કરવાની તાલાવેલી અને સાહસભર્યા ઉત્સાહથી પ્રેરાઈને એમણે વિવિધ કાર્યો આરંભ્યાં એમાં મોટે ભાગે તો અનુસરણવૃત્તિ હતી; ક્યાંક થોડાકે સ્વતંત્ર દૃષ્ટિ-શક્તિથી પણ કામ કર્યા હતાં. આ અગ્રેસરપણાનું એક સારું પરિણામ તે ઈ. ૧૮૨૨માં ગુજરાતી ભાષામાં શરૂ થયેલું પહેલું વર્તમાનપત્ર “મુમબઈના સમાચાર' (જે પછી “મુંબઈ સમાચાર' તરીકે આજ સુધી ચાલતું રહ્યું છે).
એ પછી મુંબઈમાં અને અમદાવાદ, સુરત વગેરે ગુજરાતનાં બીજાં શહેરોમાં પણ વર્તમાનપત્રો શરૂ થયાં. (એથીય વધુ છાપખાનાં શરૂ થયાં.) સમાચાર, જાહેરખબર, સાહિત્યસામગ્રી તથા અન્ય જ્ઞાનલક્ષી સામગ્રી દ્વારા પ્રજાની જિજ્ઞાસા અને જરૂરિયાતો સંતોષવાનું તેમજ કંઈક અંશે નવી જાગૃતિ પ્રસારવાનું કામ એમણે ઉપાડ્યું. પરંતુ, તે વખતે કેટલાક અંગ્રેજ પત્રકારોએ અહીંનાં એકબે અલ્પજીવી અંગ્રેજી વર્તમાનપત્રોમાં દાખવેલી એવી પત્રકારી તીવ્રતા આ ગુજરાતી વર્તમાનપત્રોમાં ભાગ્યે જ જોવા મળતી હતી.
એ કર્યું સામયિકોએ, નર્મદ(“ડાંડિયો')માં કે કરસનદાસ મૂળજી(‘સત્યપ્રકાશ')માં જે તીખાશ અને આક્રમકતા હતાં; એમના આંદોલનકારી અવાજમાં જે પત્રકારી તારસ્વર સંભળાયેલો એ તે વખતનાં વર્તમાનપત્રોના અધિપતિઓમાં બહુ સંભળાયેલો
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦૨ | સાહિત્યિક પત્રકારત્વ જાણ્યો નથી. આ વિદગ્ધ સુધારકોની વિચારલક્ષી પ્રવૃત્તિઓમાં, એમનાં સામયિકપત્રોના માધ્યમથી, પત્રકારી સક્રિયતા પણ ઉમેરાઈ હતી.
આ બધા પરથી એક બીજું કારણ એ નીકળી શકે કે શરૂઆતને તબક્કે પત્રકારત્વ' અને આપણે જેને ‘સાહિત્યિક પત્રકારત્વ' તરીકે ઓળખાવીએ છીએ એ બે વચ્ચે પણ ઘણો ઓછો ભેદ હતો. અંગ્રેજીમાં પત્રકારવિદ્યા(જર્નાલિઝમ)ની અને બીજી બાજુએ સાહિત્યલક્ષી સામયિકપ્રવૃત્તિની જે ક્રમશઃ અલગ, સ્વતંત્ર વિકસેલી લાંબી પરંપરાઓ હતી એનો સંપર્ક આપણને તો એક્સામટો, એકસાથે જ થયો. મુદ્રણયંત્રે એને રસ્તો કરી આપ્યો ત્યારે આપણા સુધારકો-વિચારકો-સાહિત્યકારોએ એ બધી દિશાઓને એકસાથે ગ્રહી. સમાચાર, જાહેરખબર આદિ સામગ્રીને બાદ કરીએ તો આપણાં શરૂઆતનાં, સુધારાલક્ષી વિચારપત્રો જેવાં સામયિકો પણ પત્રકારી મિજાજ દેખાડતાં રહ્યાં હતાં. પ્રજાહિત માટેનાં એ પ્રહરીઓ હતાં.
એક પ્રશ્ન એ થાય કે આ સુધારાલક્ષી વિચારપત્રોને સાહિત્યનાં સામયિકો ગણાવવાનું કારણ કર્યું ? આમ તો એ પછી પણ વર્ષો સુધી આપણાં સાહિત્યસામયિકોએ સાહિત્યની સાથેસાથે કે ગૌણ ભાવે વિચાર-ચિંતનનાં પત્રોની ભૂમિકા ભજવી છે. પરંતુ એના તંત્રીઓ મુખ્યત્વે સાહિત્યકારો હતા એટલે એમનું મુખ્ય વલણ સાહિત્ય-વિષયક લખાણો પ્રગટ કરવાનું રહ્યું. એ કારણે આ સામયિકોનું મુખ્ય પ્રદાન સાહિત્યના ક્ષેત્રમાં ગણાયું છે. આરંભકાલીન સામયિકોના તંત્રી-સંપાદકો પણ સાહિત્યકારો હતા – સુધારક સાહિત્યકારો. એથી, પ્રવૃત્તિલેખે એમનાં સામયિકોની સામગ્રી સમાજધર્મ-સુધારણાની રહી પણ એમાંનાં લખાણોનું સ્વરૂપ – એનું ગદ્યરૂપ– સાહિત્યકારની લાક્ષણિકતાઓને પ્રગટાવનારું બન્યું. સાહિત્યસ્વરૂપોનો નવપ્રસ્થાનલક્ષી વિકાસ પણ આ સામયિકોને આધારે થતો રહેલો. એ સર્વ અર્થમાં એ “સાહિત્યસામયિકો' હતાં.
ઈ. ૧૮૫૦માં “બુદ્ધિપ્રકાશ' શરૂ થયું ત્યારથી માંડીને આજ સુધીનાં દોઢસો વર્ષોનાં સામયિકોનો ઇતિહાસ ઘણો રોમાંચક છે. એ એક બૃહદ અધ્યયનનો વિષય છે. એટલે અહીં તો એક ઝડપી વિહંગદર્શન થઈ શકે. મુખ્ય સામયિકોનાં લાક્ષણિકતા અને વલણોની પણ એક રેખા જ ઉપસાવી શકાય.
૧૯મી સદી ઉત્તરાર્ધનાં સામયિકો - કેટલીક વિશેષ વિગતો
ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાઓની જાળવણીના તેમજ વર્તમાન સમયની સર્વ બૌદ્ધિક પ્રવૃત્તિઓને પ્રસારવાના ફાર્બસના સદાશયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મુખપત્રરૂપે શરૂ કરાયેલું “બુદ્ધિપ્રકાશ' (૧૮૫૦) શરૂઆતમાં ૧૬ પાનાંનું પાક્ષિક
Page #104
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દૃષ્ટિપાત | ૧૦૩ હતું ને ઘણા બધા સામાજિક વિષયોને સામગ્રી તરીકે આલેખતું હતું. પણ ૧૮૫૫થી દલપતરામ તંત્રી થતાં એમાં સાહિત્યની સામગ્રી પણ ઉમેરાઈ. તે સમયનાં લગભગ સર્વ સામાજિક તેમજ સાહિત્યિક સંચલનોનું પ્રતિબિંબ આ માસિક સામયિકમાં ઝિલાયેલું છે. દલપતરામની સાહિત્ય-પ્રેરકતાનું તેમજ તેમના વૈચારિક ગદ્યના વિકાસનું પણ એ વાહક હતું. આજ સુધી અખંડ ચાલતું રહેલું, સંશોધન-અધ્યયનની દિશામાં જઈને વળી સાહિત્યના સર્વસામાન્ય રસનું માસિક બનેલું ‘બુદ્ધિપ્રકાશ' ગુજરાતનું સૌથી લાંબો આયુષ્યકાળ ધરાવતું સામયિક છે.
એ સમયે પણ વધુ ઉત્તેજક સામયિકો તો હતાં “સત્યપ્રકાશ' (૧૮૫૫) અને ડાંડિયો' (૧૯૬૪), કેમકે એમણે ધાર્મિક-સામાજિક ક્ષેત્રે ઘણો મોટો ઊહાપોહ – ક્યારેક વિવાદ પણ – જગવ્યો. કરસનદાસ મૂળજી જેવા અત્યંત નિર્ભીક પત્રકારસુધારકે “સત્યપ્રકાશ' દ્વારા ધાર્મિક પાખંડો સામે અવાજ ઊંચક્યો હતો. વિખ્યાત મહારાજ લાયબલ કેસ'ની નિર્ણાયક સફળતામાં અન્ય પરિબળો-વ્યક્તિઓ ઉપરાંત સત્યપ્રકાશ'નો પણ ઘણો મોટો ફાળો હતો. જોકે આ સામયિકનાં લખાણોની ભાષા, એની લખાવટ, પ્રાથમિક અને ઠીકઠીક અણઘડ હતી.
નર્મદના અનેકરંગી વ્યક્તિત્વનું બલકે એના વિવિધ સમયના મિજાજો(મૂડ્ઝ)નું પ્રતિબિંબ “ડાંડિયોમાં બરાબર ઝિલાયું છે. મુખ્યત્વે એ ઓજસ્વી અને તીખાશવાળા સામાજિક પત્રકારત્વના માધ્યમ તરીકે આરંભાયેલું. વિશ્વનાથ ભટ્ટે આ જ સંદર્ભે નર્મદને “જાગ્રત પ્રહરી' કહેલો. એ ઉપરાંત ગુજરાતી ગદ્યના (ખાસ તો નર્મદના ગદ્યના વિકાસનું પણ એ વાહક બનેલું. એના વૈચારિક ને સાહિત્યિક ગદ્યનાં ઘણાં પરિમાણો એમાં દેખાશે. વિશિષ્ટ લઢણોવાળી છતાં એની ભાષા પ્રમાણમાં સાફ અને અસરકારક હતી.
શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું, સરકારના કેળવણી ખાતાનું સામયિક“ગુજરાત શાળાપત્ર' (૧૮૬૨) શરૂઆતમાં મહીપતરામ નીલકંઠના તંત્રીપદે ચાલતું હતું. ૧૮૭૦માં નવલરામ એના તંત્રી થયા એ પછી, ૧૨ વર્ષ સુધી, ગ્રંથાવલોકનોનો વિભાગ પણ એમાં નોંધપાત્રપણે ઊપસ્યો. મુદ્રણયંત્રે જે પ્રકાશન-વિસ્ફોટ,સરક્યો હતો એ સ્થિતિમાં, સારા-નરસા વાચનને જુદું પાડી આપવું તેમજ સાહિત્યલેખનની શિષ્ટતાનું અને સજ્જતાનું ધોરણ ઊભું કરી આપવું ઘણું જરૂરી હતું. એથી જ, ઉત્તમ ગ્રંથોની વિગતવાર સમીક્ષાઓ કરવા ઉપરાંત નવલરામે કેટલાંક ઝડપી, માર્મિક અવલોકનોના સાતત્યથી પહેલા વિવેચકની મહત્ત્વની જવાબદારી નિભાવી. પુસ્તક વિશે ગોળગોળ અભિપ્રાય આપવાને બદલે સારાને સ્પષ્ટપણે સારું કહેવું અને નબળું હોય તો એના પર “બે-ચાર ચાબખા અવશ્ય લગાવવા”, એવા એમના જાણીતા અભિપ્રાયમાં વિવેચકની
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦૪ T સાહિત્યિક પત્રકારત્વ
ચિકિત્સાદૃષ્ટિ ઉપરાંત શિક્ષક-સુધારકનો શુદ્ધિ-આગ્રહ પણ જોઈ શકાશે.
સુધારકયુગ અને સાક્ષરયુગના સંધિકાળે શરૂ થયેલા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘ગુજરાતી’(૧૯૮૦)એ આ શુદ્ધિ-આગ્રહને પત્રો-સામયિકોની ભાષાની અશુદ્ધિઓ સામેની જેહાદ સુધી વિસ્તાર્યો હતો. એ સમયે કેટલાક પારસી તંત્રીઓ-લેખકોના રેઢિયાળ અનુવાદોની ટીકા કરીને એની સામે એમણે શિષ્ટ-શુદ્ધ અનુવાદો મૂકી આપેલા. એટલું જ નહીં, પ્રેસમાં થતી અશુદ્ધિઓથી કંટાળીને એમણે પોતાનો જ ‘ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ’ સ્થાપેલો અને ‘ગુજરાતી ટાઇપ ફાઉંડ્રી' ઊભી કરેલી ! ગુજરાતી સામયિકોમાં પહેલી વાર વિવિધ વિષય-વિભાગોનું વ્યવસ્થાપૂર્વક આયોજન તથા ‘કાવ્યદોહન’ ગ્રંથશ્રેણી આ સામયિકનું મહત્ત્વનું પ્રદાન ગણાય.
આમ તો સાક્ષરી સાહિત્યિક પત્રકારત્વની ભૂમિકા ‘ગુજરાતી' દ્વારા રચાઈ હતી પણ એનો વધુ ઊંડાણવાળો અને વ્યાપક આવિષ્કાર મણિલાલ દ્વિવેદી, ૨મણભાઈ નીલકંઠ ને પછી આનંદશંક૨ ધ્રુવે ચલાવેલાં સામયિકો દ્વારા થયો.
‘ગુજરાતી’માં ‘નારીપ્રતિષ્ઠા' નામની જાણીતી લેખમાળા ચલાવ્યા પછી મણિલાલે સ્ત્રીઓના સામાજિક (અને એમને માટેની કેળવણીના) પ્રશ્નોને લઈને ‘પ્રિયંવદા' (૧૮૮૫) શરૂ કર્યું. એમાંનાં મણિલાલનાં લખાણો પ્રત્યક્ષ સંબોધનની અને વાતચીતની શૈલીવાળાં હતાં, કસાયેલા વક્તા તરીકેની એમની વાક્છટાનો લાભ પણ ‘પ્રિયંવદા’ને મળતો હતો. આવી, માધુર્ય અને પ્રાસાદિકતાની કાળજી છતાં અને ‘સ્ત્રીઓને વાંચવાલાયક ન હોય એવા વિષયો એમાં ન આવે' એવા સંકલ્પ છતાં ચર્ચાઓમાં મણિલાલના પાંડિત્યનો પ્રવેશ થયો હતો, એની દુર્બોધતા સામે મહિલાઓએ ફરિયાદ કરી હતી ! પાંચ વર્ષ પછી મણિલાલને પણ લાગ્યું કે માત્ર સ્ત્રીવિષયક સામયિક ચલાવવું દુષ્ક૨ છે, સીમિત અને એકાંગી પણ છે. એટલે એમણે તત્ત્વચર્ચા, સુધારો, અધ્યાત્મ, વેદાન્ત, જ્ઞાનવિજ્ઞાન આદિ વિષયોમાં વિસ્તરતું ‘સુદર્શન’ (૧૯૯૦) શરૂ કર્યું. અલબત્ત, એ પાંચ વર્ષમાં ‘પ્રિયંવદા’એ સ્ત્રી-જાગૃતિની દિશામાં ઠીકઠીક વિચાર-આંદોલનો ઊભાં કરેલાં. પંડિત અને પત્રકાર-વિચારક તરીકેની મણિલાલની શક્તિઓને ‘સુદર્શન’માં મોકળાશ મળી. પંડિતયુગના ઘણા લેખકોની સાક્ષરી વિચારધારાને તેમજ એ સમયના સર્જનાત્મક સાહિત્યને ‘સુદર્શને’ પ્રગટ કર્યાં હતાં. ગુજરાતીના એક ઉત્તમ તત્ત્વદર્શી નિબંધકાર તરીકે મણિલાલ ઊપસ્યા એમાં ‘સુદર્શન' મહત્ત્વનું વાહક બન્યું. મણિલાલનો લેખસંગ્રહ ‘સુદર્શન ગદ્યાવલિ’ આ સામયિકનું એક પ્રમુખ પ્રદાન છે. પ્રાર્થનાસમાજના મુખપત્ર તરીકે શરૂ થયેલું ‘જ્ઞાનસુધા’ (૧૮૯૨) ક્રમશ: નવી સુધારક-વિચારણા, તત્ત્વચિંતન અને સર્જનાત્મક-વિવેચનાત્મક સાહિત્ય સુધી વિસ્તર્યું હતું. એના તંત્રી રમણભાઈ નીલકંઠની સુધા૨ક તેમજ હાસ્યકાર તરીકેની શક્તિઓ ‘જ્ઞાનસુધા’ દ્વારા
Page #106
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દષ્ટિપાત | ૧૦૫ આવિષ્કાર પામતી રહી. એમના હળવા નિબંધો તથા એમની વિખ્યાત નવલકથા “ભદ્રંભદ્ર' આ સામયિકનાં પાને અવતરી હતી. એ ઉપરાંત ન્હાનાલાલની ઉત્તમ કલાકૃતિઓ, બળવંતરાયની “પ્રેમનો દિવસ” સૉનેટમાળા વગેરે કૃતિઓ, રામલાલ મોદીના સંશોધનલેખો તેમજ રમણભાઈનાં તત્ત્વલક્ષી ને વિવેચનાત્મક લખાણોએ “જ્ઞાનસુધા'નું વિશિષ્ટ પ્રદાન આંક્યું હતું.
૧૮૯૬માં આરંભાયેલા ને ૧૯૧૪થી માસિક બનેલા “સમાલોચકે સાક્ષરી પરંપરાનો વિસ્તાર કરવામાં સારી કામગીરી બજાવી હતી પણ પંડિતયુગનું પૂરું પ્રતિનિધિત્વ જાળવતું છતાં ઘણું વ્યાપક અને ઉદાર બનેલું સામયિક તો હતું આનંદશંકર ધ્રુવનું ‘વસંત' (૧૯૦૨). વીસમી સદીના આરંભે પ્રગટ થયેલા આ સામયિકે લગભગ ચાર દાયકા (૧૯૩૯)સુધી ચાલીને પંડિતયુગની વિહંદુ-પરંપરાને ગાંધીયુગમાં પણ સંચારિત કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. (વચ્ચે, આચાર્ય આનંદશંકરને ગુજરાત બહાર જવાનું થતાં ૧૯૧૩થી ૧૯૨૪ સુધીનાં ૧૨ વર્ષ રમણભાઈ નીલકંઠ એના તંત્રી રહેલા.) આનંદશંકરની સમન્વયવાદી દૃષ્ટિએ સામાજિક-ધાર્મિક વિચારણાને એકપક્ષી મતાગ્રહમાંથી મુક્ત ને મોકળી કરી એટલું જ નહીં, મૂળ સત્ય સુધી પહોંચતી એમની ઊંડી તત્ત્વજિજ્ઞાસાએ એને પરિશુદ્ધ રૂપ પણ આપ્યું. “વસંત'માં વિષયોની વ્યાપકતા જ કેટલી મોટી હતી – અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, કેળવણી, રાજકારણ, સમાજ, વિજ્ઞાન, માનસશાસ્ત્ર, કૃષિવિજ્ઞાન, ઉદ્યોગ, સંગીત, ખગોળ અને સાહિત્ય ! માનવજ્ઞાન અને કળાની અનેક શાખાઓ પરનાં નોંધપાત્ર લખાણો વસંત'માં સ્થાન પામતાં રહ્યાં. આનંદશંકરનાં, પછી ઉમાશંકર જોશીએ સંપાદિત કરેલાં મૂલ્યવાન પુસ્તકોનાં મોટા ભાગનાં લખાણો ‘વસંત’નાં પાને આવિષ્કાર પામેલાં હતાં. ઉમાશંકરે ૧૯૪૭માં “સંસ્કૃતિ' શરૂ કર્યું ત્યારે એમના મનમાં ‘વસંત' એક આદર્શ નમૂના (મોડેલ) રૂપે રહ્યું હતું, એ પણ “વસંતના વ્યાપક ફલકનો અને એના પ્રદાનનો ખ્યાલ આપે છે. ૨૦મી સદી પૂર્વાર્ધ સાહિત્યિક પત્રકારત્વની નવી દિશાઓ
| ‘વસંતે' વિચારલક્ષી વ્યાપકતા અને મોકળશ ઊભાં કર્યાં ને ૨૦મી સદીના ચારેક દાયકા સુધી એ પ્રવૃત્ત રહ્યું એ બરાબર પરંતુ એ વિદ્ધપરંપરાનો વિસ્તાર કરનારું, ગંભીર પ્રકારનું સામયિક હતું. સરળતા અને રસિકતા દ્વારા વ્યાપક સાહિત્યરસિક વર્ગનાં વિસ્મય-જિજ્ઞાસાને જગાડવા-પોષવાનું કામ “વીસમી સદી' (૧૯૧૬)એ કર્યું. એ આપણું પહેલું સચિત્ર (ઇલસ્ટ્રેટેડ) સાહિત્ય-સામયિક હતું. એમાં સચિત્રતા કેવળ સુશોભન કે આકર્ષણ માટે ન હતી કેમકે એ ચિત્રો વિખ્યાત ચિત્રકળાકારોનાં હતાં – મુનશીની નવલકથા હોય ને એનાં પ્રતાપી પાત્રોનાં ચિત્રરેખાંકનો રવિશંકર રાવળે
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ] સાહિત્યિક પત્રકારત્વ
કરેલાં હોય, કલકત્તામાં તૈયાર થતું એનું બહુરંગી મુખપૃષ્ઠ પણ નીવડેલા ચિત્રકારનું રહેતું. સાહિત્યની ગુણવત્તાનું કે રુચિનું ધોરણ નીચે ઉતાર્યા વિનાની સાચી લોકપ્રિયતા બલકે લોકલક્ષિતા એના સંપાદક હાજીમહંમદ અલારખિયા શિવજીનું ધ્યેય હતું. એ ધ્યેય પાર પાડવા એમણે ઉત્તમ લેખકો પાસેથી જહેમતપૂર્વક લખાણો કઢાવ્યાં, મુદ્રણ આદિની ઉત્તમ વ્યવસ્થા નિપજાવી, ખર્ચ કરવામાં ખુવાર થઈ જવા સુધી પાછું વળીને ન જોયું. પરિણામે “વીસમી સદી” હાજીમહંમદના અકાળ અવસાન સાથે અકાળે જ બંધ પડ્યું. પરંતુ એ ચાર વર્ષમાં એણે સાહિત્યિક પત્રકારત્વનો એક નવો ચહેરો ઉપસાવ્યો.
“વીસમી સદી'નું અધૂરું કામ બે સામયિકોએ જુદી જુદી રીતે ઉપાડી લીધું– ગુજરાત' (૧૯૨૨) દ્વારા મુનશીએ અને “કુમાર' (૧૯૨૪) દ્વારા રવિશંકર રાવળ અને બચુભાઈ રાવતે.
આ દરમ્યાનમાં આરંભાયેલા એક સામયિકનો નિર્દેશ કરવો અનિવાર્ય છે. મટુભાઈ કાંટાવાળાએ “વીસમી સદીની પહેલાં, “સાહિત્ય' (૧૯૧૩) શરૂ કરેલું એ વિહંદુ-પરંપરાની રીતે ‘વસંત'ના કુળનું હતું પણ ભાષામાં સરળતા અને સાદગીથી એ વધુ લોકલક્ષી બન્યું હતું. પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના પ્રગટીકરણનો પણ એનો, શરૂઆતથી જ, એક આશય હતો જે પછી પ્રેમાનંદના નાટકોના વિવાદ સુધી પ્રસર્યો. આ તરકટના પ્રતિવાદરૂપે પણ ‘વસંત”, “બુદ્ધિપ્રકાશ', “સમાલોચક”, “ગુજરાત”, કૌમુદી' આદિ સામયિકો સક્રિય થયેલાં અને એ સમયખંડ સાહિત્યિક ઊહાપોહની રીતે નોંધપાત્ર બનેલો.
મુનશીના અસ્મિતાલક્ષી દૃષ્ટિકોણે અને પંડિતયુગીન શુષ્કતા સામે રસિકતા અને જીવંતતાના વલણે ગુજરાતને એક લાક્ષણિક સામયિક બનાવ્યું. ચેતન'(૧૯૨૦)માં બટુભાઈ ઉમરવાડિયા સાથે જોડાઈને નવયુવક વિજયરાય વૈદ્ય રમણભાઈ નીલકંઠના પરિષદ-વ્યાખ્યાનની જે નિર્ભીક અને સંગીન સમીક્ષા કરેલી એમાં દેખાયેલી એમની સાહિત્યિક પત્રકારની શક્તિથી આકર્ષાઈને મુનશીએ વિજયરાયને પોતાની સાથે જોડ્યા એથી પણ “ગુજરાત” વધુ સમૃદ્ધ થયું. પરંતુ વિજયરાય કોઈની સાથે કે કોઈની મુખ્યતા હેઠળ કામ કરવાને બદલે અલાયદું સામયિક ઊભું કરવાનો સ્વતંત્ર મિજાજ ધરાવતા હતા એણે શુદ્ધ સાહિત્યિક પત્રકારત્વની દિશા ખોલી – “કૌમુદી' (૧૯૨૪) અને માનસી (૧૯૩૫) વારા. આ દરમ્યાનમાં. “ગુજરાતની સાથે જ આરંભાયેલું “નવચંતન' (૧૯૨૨) ચાંપશી ઉદેશીની લાક્ષણિક પત્રકાર-દૃષ્ટિથી નોંધપાત્ર તો બનેલું પરંતુ મુખ્ય પ્રવાહમાં એ અગ્રણી ન બની શક્યું. અલબત્ત એ સાતત્યપૂર્વક ચાલ્યું, આજ સુધી ચાલતું રહ્યું છે.
ખંત, સૂઝ અને યુયુત્સા-વૃત્તિએ વિજયરાય વૈદ્યનું એક સાહિત્યિક પત્રકાર
Page #108
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દષ્ટિપાત
D ૧૦૭
તરીકેનું વિલક્ષણ અને મજબૂત કાઠું નિપજાવ્યું હતું. “કૌમુદી'એક નમૂનેદાર સાહિત્યસામયિક રૂપે વિકસ્યું કેમકે લેખક તેમજ સંપાદક તરીકે નિષ્ઠાપૂર્વકનો ઘણો પરિશ્રમ તથા સાહિત્ય અને સાહિત્ય-સામયિક માટેના ઊંચા તેમજ તીવ્રતમ આગ્રહો એના કેન્દ્રમાં હતા. ‘નવાની નેકી અને જૂના સામે બંડ'ની એમની નિર્ભીક-સ્પષ્ટ પત્રકારનીતિએ સાહિત્યિક વાતાવરણને વેગીલી સક્રિયતા ને જીવંતતા બહ્યાં હતાં. પારાવાર આર્થિક વિટંબણાઓ સામે ઝઝૂમીને પણ એમણે “કૌમુદી-“માનસી” દ્વારા લગભગ સાડાત્રણ દાયકા સુધી, ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની એક તેજસ્વી લાક્ષણિક રેખા આંકી. મુનશીએ એક વાર ઉમાશંકર જોશીને કહેલું – “કોઈ એવું સામયિક કાઢોને... એય ને બસ વાંચ્યા જ કરીએ !” ત્યારે ઉમાશંકરે એમને “કૌમુદી' ચીંધેલું !
રવિશંકર રાવળ તો “વીસમી સદી' સાથે સંકળાયેલા હતા જ. બચુભાઈ રાવતને એ સામયિકમાં જોડાવા માટે બોલાવવા એ વિચારતા હતા ત્યાં જ હાજીમહંમદના અવસાનથી “વીસમી સદી' બંધ થયું પણ રવિશંકર રાવળનો, કલા-સાહિત્ય અને જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોને રસપ્રદ રીતે રજૂ કરવાનો સંકલ્પ “કુમાર' (૧૯૨૨) દ્વારા ચરિતાર્થ થયો ને દૃષ્ટિવંત સંપાદક બચુભાઈ રાવતની સૂઝ અને ઝીણવટથી એ સમૃદ્ધ થયો. ચિત્રકળા, સાહિત્ય, શિલ્પ, સંગીત, નૃત્ય, નાટક એવી કળાઓથી આરંભીને ઇતિહાસ, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, રમતજગત એવાએવા અનેક વિષયોની અધિકૃત છતાં રસપ્રદ વૈવિધ્યવાળી સામગ્રી દ્વારા કુમારે' આવતીકાલના નાગરિકોનાં રુચિ-સંસ્કારના ઘડતરનું કામ કૌશલપૂર્વક કર્યું. મુદ્રણ અને નિર્માણની કરકસરપૂર્વકની સુઘડતા-કલાત્મકતા એનો વિશેષ રહ્યો. એનો કોઈ પણ અંક, આજેય એટલો જ રસપ્રદ ને સ્કૂર્તિદાયક બની શકે એમ છે. બચુભાઈ રાવતના અવસાન પછી થોડોક સમય બંધ પડેલા “કુમારને ધીરુભાઈ પરીખના તંત્રીપદે ફરી ચાલુ કરવામાં આવ્યું છે.
પંડિતયુગીન સામયિકો જેવી પ્રશિષ્ટતા ધરાવતું રામનારાયણ પાઠકનું પ્રસ્થાન' (૧૯૨૬) એની નીવડેલી પ્રયોગશીલતાથી આગવી વિશેષતા ધરાવતું બનેલું. “મૉડર્ન રિવ્યુને આદર્શ (મોડેલ) તરીકે સ્વીકારીને વ્યાપક પ્રશ્નોને એણે હાથ ધર્યા હતા. તેમ છતાં સાહિત્ય એના કેન્દ્રમાં રહ્યું હતું. રામનારાયણ પાઠક ('દ્વિરેફ')ની પ્રયોગલક્ષી વાર્તાઓ એમાં જ પ્રગટેલી તેમજ વિવેચક રામનારાયણ અને રસિકલાલ પરીખના અભ્યાસલેખોથી એ સમૃદ્ધ થયેલું. નવી પેઢીના લેખકોની તેજસ્વિતાને માટે પણ ‘પ્રસ્થાન' પ્રેરક બનતું રહેલું સ્વાતંત્ર્યોત્તર સમયનાં સામયિકો દૃષ્ટિકોણ અને વલણોનું વૈવિધ્ય
પંડિતયુગ સાથે પૂર્વ-અનુસંધાને રાખીને ‘વસંત' ગાંધીયુગીન સાક્ષરી પરંપરા અને વ્યાપક વિચારલક્ષિતા સુધી વિસ્તર્યું એ જ રીતે ૧૯૪૭માં આરંભાયેલું સંસ્કૃતિ'
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૮
| સાહિત્યિક પત્રકારત્વ
સાહિત્ય અને સંસ્કૃતિના વ્યાપક ફલક પર, પ્રશિષ્ટતા સાથે અનુસંધિત રહીને એ પછી બદલાતાં રહેલાં યુગપરિબળો સાથે – અદ્યતન સાહિત્ય-સમય સાથે – પણ મોકળાશથી છતાં ઉત્તમના આગ્રહપૂર્વક પ્રવર્તતું રહેલું એક પ્રમુખ સામયિક બન્યું. અગ્રણી સાહિત્યકાર અને સંપાદક તરીકેની ઉમાશંકર જોશીની શ્રદ્ધેયતાએ પણ બદલાતી પેઢીઓના તેજસ્વી સાહિત્યકારો-વિચારકોને “સંસ્કૃતિ સાથે જોડેલા રાખ્યા. એના ૪૦૦ ઉપરાંત અંકો તથા “વિવેચન વિશેષાંક”, “શેસ્પિયર વિશેષાંક”, “કાવ્યાયન', “સર્જકની આંતરકથા', પ્રતિભા અને પ્રતિભાવ' નામના ઉત્તમ સંચયગ્રંથોનું રૂપ પામેલા) વિશેષાંકો એની સાહેદી પૂરે છે. છેલ્લા, પૂર્ણાહુતિ વિશેષાંક'- માંની, “સંસ્કૃતિ વિદાય માગે છે” નામની નિવેદન-કેફિયત, વ્યાપકભાવે પણ આપણી સામયિક-પ્રવૃત્તિ વિશે માર્મિક નિરીક્ષણો આપતો એક મૂલ્યવાન લેખ બની રહે છે.
૧૯૫૦માં આરંભાયેલું મિલાપ' ઉત્તમ વાચનના દોહનનું આપણું એક નમૂનેદાર ડાયજેસ્ટ-સામયિક હતું. બહોળા વર્ગની વાચનરુચિને પ્રેરવા-કેળવવાની એના સંપાદક મહેન્દ્ર મેઘાણીની શક્તિ આ સામયિક દ્વારા પ્રગટી-વિકસી હતી ને એ અનેક ઉપયોગી સંપાદન-પુસ્તિકાઓ સુધી વિસ્તરી હતી. ૨૮ વર્ષ ચલાવીને ‘મિલાપને એમણે સમેટું એ પછી પણ એમની આ ઉપયોગી દોહન-સંપાદનપ્રવૃત્તિ ચાલુ જ છે.
સાતમા દાયકાનો આરંભ વિભિન્ન દૃષ્ટિકોણવાળાં નોંધપાત્ર સામયિકોનો હતો. સૌથી મોટું ને મહત્ત્વનું સ્થિત્યંતર ‘ક્ષિતિજ' દ્વારા આરંભાયું. ભૂદાનપ્રવૃત્તિ અને વ્યાપક જીવનવિચાર વિશે, ૧૯૫૯માં પ્રબોધ ચોક્સીએ આરંભેલું આ સામયિક ૧૯૬૧માં સુરેશ જોશી હાથમાં લે છે ને એને અદ્યતન સાહિત્યની આબોહવા ઊભી કરવામાં પ્રયોજે છે. પશ્ચિમી સાહિત્યસર્જન અને સાહિત્યવિચાર અનુવાદો-દોહનોવિવેચનલેખો દ્વારા એમાં આવિષ્કાર પામે છે ને રૂઢ સાહિત્યપ્રણાલીઓની સામે ચિકિત્સાપૂર્વકના ઊહાપોહનું વાતાવરણ સર્જે છે. ગુજરાતી સર્જન-વિવેચનની અદ્યતન કૃતિઓ પણ એમાં પ્રકાશિત થવા લાગે છે. ગુજરાતીમાં અદ્યતનતાના પ્રસારણમાં એ મહત્ત્વનું પરિબળ બને છે.
‘ક્ષિતિજ'માં વિદ્રોહની સાથે સંગીનતા હતી. એ જ ગાળામાં “રે' મઠ દ્વારા આરંભાતા “રે” અને એ પછી “કૃતિ' (મુદ્રાલેખ – “કૃતિ, સંસ્કૃતિ નહીં')માં આક્રમક ઉચ્છેદકતા હતી જેમાં “સંસ્કૃતિ', “કુમાર” જેવાં પ્રશિષ્ટ સામયિકોની સાથે ક્ષિતિજ'નો પણ જાણે કે નિષેધ હતો. ૧૯૬૭ સુધી ચાલેલું “ક્ષિતિજ' સામયિક “ઊહાપોહ', ‘એતદ્' આદિ સુરેશ જોશીપ્રેરિત સામયિકોમાં અનુસંધાન પામતું રહ્યું પણ “૨', ‘કૃતિ', સંદર્ભ' આદિ સામયિકો અદ્યતનતાના વાવાઝોડાની જેમ આવીને, જીર્ણ-રૂઢને
Page #110
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દષ્ટિપાત ૧૦૯ હચમચાવીને, તાજગીને વહેતી કરવાની થોડીક જરૂરી કામગીરી બજાવીને સ્વેચ્છાએ ખરી પડયાં.
સમયના અનુક્રમે નજર કરીએ તો ૧૯૫૯માં ભારતીય વિદ્યાભવનનું સમર્પણ આરંભાય છે ને ૧૯૬રમાં કુંદનિકા કાપડિયાનું “નવનીત'. પાછળથી, ૧૯૮૦માં, આ બે સામયિકો સંયુક્ત થાય છે એ પહેલાં પણ વ્યાપક પ્રકારનાં, સાહિત્યને પ્રાધાન્ય આપનારાં, સામયિકો તરીકે એમની મુદ્રા હતી.
વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરનું વિવેચન-સંશોધનનું સામયિક “સ્વાધ્યાયં ભોગીલાલ સાંડેસરાના સંપાદકપદે આરંભાયેલું ને એણે પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના સંશોધનવિવેચનની ઘણી મોટી કામગીરી બજાવી હતી. એક પ્રકારના મોભાદાર યુનિવર્સિટી જર્નલનું એનું સ્વરૂપ ઘણો વખત જળવાયું હતું. આજે પણ આ સામયિક ચાલે છે.
વાડીલાલ ડગલીની પ્રેરકતાથી, યશવંત દોશીના સંપાદનમાં ૧૯૬૪માં 'ગ્રંથ' શરૂ થયેલું – ગ્રંથાવલોકનના એકમાત્ર અને પૂરા કદના માસિક સામયિક તરીકે. સરજાતા સાહિત્યનાં તથા વિવેચન-સંશોધનનાં પુસ્તકો વિશે પ્રત્યક્ષ વિવેચન આપતા આ સામયિકે સામ્પ્રત સાહિત્યને અવલોકવા-મૂલવવાની ને એમ સાહિત્યિક વાતાવરણને અને ધોરણોને રચવાની એક અત્યંત ઉપયોગી કામગીરી સતત ૨૨ વર્ષ સુધી બજાવી. ૧૯૮૬માં એને બંધ કરવામાં આવ્યું ત્યારે સૌને એની ખરેખર ખોટ વરતાયેલી. (એને બંધ કરવાનાં બહુ કારણો ન હતાં એવું પણ ઘણાંને લાગેલું.) ભારતભરની ભાષાઓમાં પણ કેવળ સમીક્ષાનું આખેઆખું સામયિક ભાગ્યે જ થોડી ભાષાઓમાં હતું – આજે પણ સ્થિતિ એ જ છે.
૧૯૯૬માં શરૂ થયેલા “સંજ્ઞા'ની એક લાક્ષણિકતા એના સંપાદક જ્યોતિષ જાનીની કલ્પનાશીલ સક્રિયતા હતી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કહેલું એમ એ “dynamic' હતું. સામયિકની લાક્ષણિક સાઇઝ, એનું એવું જ લાક્ષણિક મુદ્રણ અને મુખપૃષ્ઠ એની આગવી ઓળખ હતાં. સામગ્રીમાં, એની રજૂઆતમાં અને સંપાદકીય કૌશલમાં એક પ્રકારની સૂઝવાળી અ-રૂઢતા હતી – સુરેશ જોશીની લાંબી (છતાં અધૂરી રહેલી) વિશિષ્ટ, ઉત્તેજક મુલાકાત એનું એક મહત્ત્વનું દૃષ્ટાંત છે. દાયકો ચાલેલા “સંજ્ઞા'એ કેટલાક સ્મરણીય અંકો આપ્યા. પણ, જ્યોતિષ જાનીનું આ સંપાદન-કૌશલ “સંજ્ઞા' પછીનાં એમનાં સામયિક-સંપાદનોમાં જોવા ન મળ્યું. આજનાં સામયિકો માત્ર પ્રકારલક્ષી નિર્દેશો
આજે ચાલતાં – જૂનાં ચાલુ તેમજ છેલ્લા એક દોઢ દાયકાથી આરંભાયેલાં -
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૧૦ | સાહિત્યિક પત્રકારત્વ
આ સામયિકોની વાત એમને ત્રણેક પ્રકારમાં વહેચીને કરવી સગવડરૂપ બનશે : (૧) કોઈ એક વિષય-વિશેષને વરેલાં – કેવળ કવિતાનાં કે ગદ્યનાં કે વિવેચન વિશેનાં; (૨) સર્જન-વિવેચનનાં વિવિધ સ્વરૂપોની કૃતિઓ પ્રગટ કરનારાં અને (૩) વ્યાપક પ્રકારનાં – વિવિધ વિષયનાં પણ સાહિત્યની મુખ્યતાવાળાં.
બે-અઢી દાયકાથી ચાલતું “કવિતા” આકર્ષક, કંઈક વૈભવી નિર્માણવાળું, કવિઓના ફોટોગ્રાફ પણ છાપનારું ને હસ્તાક્ષર-વિશેષાંકો કરનારું, વિદેશી કવિઓની કવિતાના અનુવાદો પણ પ્રગટ કરનારું; લાક્ષણિક નિર્માણ-કૌશલ ઉપરાંત સર્વપ્રિય કવિતાથી લોકપ્રિય બનેલું, સુરેશ દલાલ સંપાદિત સામયિક છે. એની સામે કવિલોક' સાદું છતાં સુઘડ, મુદ્રણસજ્જાની પણ સૂઝવાળું, સામ્પત કવિતા ઉપરાંત થોડાંક કવિતાવિષયક ટૂંકાં, ક્યારેક સઘન વિવેચનલખાણો પણ પ્રગટ કરનારું ગુજરાતી કવિતાનું ઋતુપત્ર છે. વર્ષો સુધી રાજેન્દ્ર શાહે એ ચલાવ્યું – પછી ધીરુભાઈ પરીખ ને હવે હેમંત દેસાઈ એના સંપાદકો છે.
સાહિત્યસર્જનના નૂતન આવિષ્કારોને પ્રમાણવાના સંકલ્પ સાથે ભરત નાયકે ૧૯૮૧માં આરંભેલું ગદ્યપર્વ' સર્જનાત્મક ગદ્યનું - વિશેષ નવી ટૂંકી વાર્તા વિશેનું - એક ધ્યાનાકર્ષક સામયિક છે. નાટક અને રંગભૂમિ વિશેનાં સામયિકો ગુજરાતીમાં બહુ લાંબું ચાલ્યાં નથી – વર્ષો પહેલાં “એકાંકી' નામે એક સામયિક ગુલાબદાસ બ્રોકરે ચલાવેલું. હમણાં જ “નાટક' (૧૯૯૮) નામે એક સામયિક હસમુખ બારાડીની મુખ્ય સક્રિયતાથી આરંભાયું છે એ સુચિહ્ન છે.
વિષયવિશેષનાં સર્જનેતર વિષયનાં સામયિકોમાં, દાયકા ઉપર ચાલીને પછી સમેટાયેલા, કેવળ ભાષાવિજ્ઞાનને વિષય કરતા “ભાષાવિમર્શ' (૧૯૭૮-૧૯૯૦)નો ઉલ્લેખ કરવો જ જોઈએ કેમકે એ વિષયના તજ્જ્ઞ ડૉ. હરિવલ્લભ ભાયાણીએ એ વિષયના અભ્યાસીઓને લેખન સક્રિય કરીને ઝડપથી વિકાસ પામતા આ શાસ્ત્ર વિશે ઘણી મૂલ્યવાન સામગ્રી સંપડાવી આપી હતી. કેવળ વિવેચનને પ્રગટ કરતું એસ. એન. ડી. ટી. યુનિ.નું ‘વિવેચન' (૧૯૮૨-૮૪), ઓછી ગ્રાહક-વાચક સંખ્યા અસ્વીકાર્ય લાગવાથી એના સંપાદક સુરેશ દલાલે ૧૦-૧૨ અંકો પછી સમેટી લીધેલું. પરંતુ આ જ વિષયનું, ફાર્બસ ગુજરાતી સભાનું “ત્રમાસિક' (૧૯૩૬) આજ સુધી ચાલતું રહ્યું છે – સંગીનતાથી. સાહિત્યવિવેચન-સંશોધન તેમજ અન્ય વિદ્યાશાખાઓના માતબર અને દીર્ઘ અભ્યાસલેખોને પ્રગટ કરતું આ સામયિક સાહિત્યના અભ્યાસીઓમાં તો
* આ સામયિકો વિશેની વિગતવાર ચર્ચા માટે જિજ્ઞાસુઓ “શોધ નવી દિશાઓની
(સં. શિરીષ પંચાલ)માંનો મારો લેખ (પૃ. ૧૩૨ થી ૧૫૩) જોઈ શકે. – ૨.
Page #112
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દૃષ્ટિપાત
D ૧૧૧
ઘણું પ્રિય છે. એમાં, એનાં પૂરા સમયનાં સંપાદક મંજુ ઝવેરીની વિધાયક સક્રિયતા મહત્ત્વનું કારણ છે.
ભારતીય ભાષાઓના સાહિત્યના અનુવાદનું એક લાક્ષણિક સામયિક “સેતુ' (૧૯૮૪) સુરેશ જોશી અને ગણેશ દેવીએ બે વર્ષ ચલાવ્યું તેને સુરેશ જોશીના અવસાન પછી ગણેશ દેવી અને શિરીષ પંચાલે એકાદ વરસ ચલાવ્યું) એમાં કેટલુંક સૂઝપૂર્વકનું, મહત્ત્વનું કામ થયેલું. અનુવાદનું, સેતુરૂપ સામયિક હોવું અનિવાર્ય ગણાય, પણ આપણે ત્યાં આવાં વિશિષ્ટ સામયિકોનું કોઈ ભાવિ નથી.
૧૮૮૬માં “ગ્રંથ' બંધ પડ્યું એ પછી સમીક્ષાના સ્વતંત્ર સામયિકની ખોટ વરતાતી હતી. ૧૯૯૧માં શરૂ થયેલું ત્રમાસિક સામયિક પ્રત્યક્ષ' એ દિશામાં પ્રયત્નશીલ છે. પહેલાં બે વર્ષ જયદેવ શુક્લ અને નીતિન મહેતા સાથે હતા, ને હવે સ્વતંત્ર રીતે રમણ સોની એનું તંત્ર-સંપાદન સંભાળે છે. ૧૯૯૫માં પ્રગટ થયેલો એનો “સંપાદકવિશેષાંક' બહોળો સ્વીકાર પામેલો, ઉપયોગી પુરવાર થયેલો અંક હતો.
વિષય-વિશેષનાં આ સામયિકોની, પ્રત્યેકની મુદ્રા અલગ છે– એમના દરેકના અલગ ક્ષેત્રે એ આંકી આપેલી છે ને એ એનો વિશેષ છે. બીજી તરફ ગુજરાતી સાહિત્ય પરિષદનું પરબ'; ગુજરાત સાહિત્ય અકાદમીનું “શબ્દસૃષ્ટિ'; ક્ષિતિજ સંશોધન કેન્દ્રનું “એતદ્', ચારુતર વિદ્યામંડળનું ‘વિ' તથા સ્વતંત્ર સાહસરૂપે ચાલતાં “ઉદ્દેશ', તાદર્થ્ય', “કંકાવટી' વગેરે સર્જન-વિવેચનનાં વિવિધ સ્વરૂપોની કૃતિઓ પ્રગટ કરતાં વ્યાપક સાહિત્યિક સામયિકો છે. ગુજરાતીમાં આજે લખાતું સાહિત્ય વિવિધ સ્વરૂપની સાહિત્યકૃતિઓ – આ દરેક સામયિકમાં લગભગ સમાન સ્તરે પ્રગટ થાય છે. તો શું આ બધાંને એક જ સામયિકના વિવર્તીરૂપ ગણવાં ? આપણા એક વરિષ્ઠ સાહિત્યકારે કહેલું એમ સંપાદકોની શક્તિ વિવિધ સામયિકોમાં વહેંચાયેલી રહે એને બદલે થોડાંકને સમેટી લઈને કોઈ એક-બે સામયિકોમાં જ કેન્દ્રિત થવી જોઈએ – એ સાચું વલણ, સાચી પ્રતિક્રિયા છે ? આ બાબતોમાં તથ્ય હોવા છતાં, બાહ્ય દૃષ્ટિએ સમાન સ્વરૂપનાં, સરખી ભૂમિકા ભજવતાં દેખાતાં હોવા છતાં આ દરેકની – દરેકની નહીં તો મોટા ભાગનાંની – મુદ્રા નોખી નોખી છે. સંસ્થાગત નતિ અને સંપાદકીય વલણ ઝાઝાં વ્યાવર્તક ન હોવા છતાં કંઈક દૃષ્ટિભેદ, કંઈક પદ્ધતિભેદ તો એમાં દેખાય જ છે. લેખકવર્તુળ વ્યાપક હોવા છતાં કેટલાંકમાં અમુક સાહિત્યિક વલણો બનાવનાર લેખકોનું જૂથ જુદું પણ દેખાવાનું. એક આખા દાયકાનો સમયખંડ
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૧૨ સાહિત્યિક પત્રકારત્વ લઈને પ્રત્યક સામયિકમાં પ્રગટ થયેલાં મહત્ત્વનાં કૃતિઓ-લેખોની યાદી કરીને સરખાવીએ તો દરેક સામયિકની વિભિન્ન મુદ્રાઓનો કંઈક અંદાજ આવે.
ત્રીજા પ્રકારનાં વિવિધ વિષયોનાં, પણ સાહિત્યની મુખ્યતાવાળાં – સામયિકોનું પ્રમાણ હવે ઘટતું ચાલ્યું છે. આપણાં બધાં જ મહત્ત્વનાં પૂર્વકાલીન સામયિકો મહદંશે આવા વ્યાપક પ્રકારનાં હતાં – ‘બુદ્ધિપ્રકાશ', ‘સુદર્શન', ‘વસંત', “પ્રસ્થાન', “સંસ્કૃતિ' આદિ. “કૌમુદી'થી કેવળ સાહિત્યના સામયિકની દિશા વધારે સ્પષ્ટ થતી ચાલી જે સ્વાતંયેત્તર સામયિકોમાં વધુ કેન્દ્રિત બનતી ગઈ. છતાં આજે પણ “કુમાર', નવનીતસમર્પણ' આદિ સામયિકો આ પ્રકારનાં છે જેમાં સાહિત્યકૃતિઓ અગ્રિમ સ્થાને છે. સાહિત્યિક પત્રકારત્વની આ સૌથી વ્યાપક, ખુલ્લી દિશા છે કે આ પ્રકારનાં સામયિકોનો ગ્રાહક-વાચકવર્ગ પણ સ્વાભાવિક જ વધુ મોટો રહેવાનો.
આપણાં સાહિત્ય-સામયિકોની આ પરિચયરેખા આછી-પાતળી છે. પણ એના પરથી આપણી સામયિક-પ્રવૃત્તિનો એક પાયાનો નકશો તો મળવાનો જ. સાહિત્ય વિશેના, સાહિત્યની જીવન સાથેની નિસબત વિશેના દૃષ્ટિકોણની ભિન્નતાએ આપણા સાહિત્યિક પત્રકારત્વને અનેક-પરિમાણી તો બનાવ્યું જ છે, ભલે એનાં કેટલાંક પરિમાણો કાચાં કે નબળાં રહી ગયાં હોય. સંપાદકોનાં જહેમત અને (ખુવાર થવા સુધીની) સમર્પણશીલતા, સાહિત્યિક પ્રવૃત્તિઓ અને વલણો બાબતેનું એમનું નેતૃત્વ, એમની યુયુત્સા અને સમન્વયશીલતા, એમની સૂઝ અને એમના અભિનિવેશો, એ બધાંએ – ભલે દરેકેદરેક સંપાદકે ચિરકાલી પ્રભાવ પાથર્યો હોય, પણ – સાહિત્યમાં પટ ઉપર એક વિશિષ્ટ-આકર્ષક ભાત તો ઉપસાવી જ છે.
પત્રકારત્વથી જુદું પડી રહેતું અને વર્તમાનપત્રોમાં ચાલતી સાહિત્યચર્ચાઓ કરતાં વધુ પ્રભાવક રહેલું આ સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યની તત્ક્ષણનો હિસાબ આપવા ઉપરાંત અને વિશિષ્ટ આબોહવા રચવા ઉપરાંત સાહિત્યના ઇતિહાસને રચનારી પણ એક મહત્ત્વની પીઠિકા બની રહેલું છે.
* આવી તુલનાસામગ્રી પૂર્વનિર્દિષ્ટ, ‘શોધ નવી દિશાઓની'માંના લેખમાં રજૂ થયેલી જોઈ
શકાશે.
Page #114
--------------------------------------------------------------------------
________________
(૧૭)
ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ
D નરભેરામ સદાવ્રતી ગુજરાતી સાપ્તાહિકો વિશે વિચાર કરતાં સર્વપ્રથમ સાત દાયકા પહેલાંના સમયની મને ઝાંખી થાય છે. એ વખતે મારા ગામમાં “સૌરાષ્ટ્ર' નામના સાપ્તાહિકની માત્ર એક જ નકલ ચોરીછૂપીથી આવતી. એક વેપારીની દુકાને પંદરવીસ માણસો એકત્ર થાય અને વેપારી પોતે જ સૌ સાંભળે તેમ વાંચે. હું પણ કુતૂહલથી ત્યાં હાજર રહું, પણ કાંઈ સમજ પડે નહીં. માત્ર એ અખબારમાંથી વાંચવામાં આવેલ એક કિસ્સો મને યાદ આવે છે જેમાં એ જમાનાના સૌરાષ્ટ્રવાસી સુપ્રસિદ્ધ બૅરિસ્ટર પોપટલાલ ચુડગરે કોઈક સ્ટેશને સાંકળ ખેંચી ટ્રેન ઊભી રખાવી પાણીની વ્યવસ્થા કરવાની સ્ટેશનના સત્તાવાળાઓને ફરજ પાડી હતી.
થોડા જ સમયમાં આ સાપ્તાહિક આવતું અચાનક બંધ થઈ ગયું. રાણપુરમાંથી સ્વ. અમૃતલાલ શેઠના તંત્રીપદે પ્રસિદ્ધ થતું દેશી રજવાડાંઓની પ્રજાના પ્રાણપ્રશ્નોને વાચા આપતું અને એ રીતે દેશના સ્વાતંત્ર્યસંગ્રામને સહાય કરતું એ સાપ્તાહિક હતું.' સૌરાષ્ટ્રનાં રજવાડાંઓએ એના પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પછી જેમાં અમને કિશોરાવસ્થામાં ખૂબ જ રસ પડતો અને પ્રસિદ્ધિના દિવસની અમે અધીરાઈથી જેની રાહ જોતાં એ સાપ્તાહિક હતું ‘બહુરૂપી'. એમાં એક ડિટેક્ટિવ વાર્તા હોય. એ વાર્તાનાં હંમેશનાં પાત્રોમાં ખાનગી ડિટેક્ટિવ ચિત્રગુપ્ત. એનો સાથીદાર મનહર અને બંનેના વિશ્વાસુ મિત્ર પોલીસ ઇન્સ્પેક્ટર કાવસજી, અંધારી આલમના નાયકો કે ખલનાયકો ઝુલ્ફીકારખાં, વામન પહેલવાન, પ્રો. પિનાકપાણિ, વગેરેનો સમાવેશ થતો હતો. એ બધા તેમજ ચિત્રગુપ્તનું મુંબઈના લેમિંગ્ટન રોડ પરનું નિવાસસ્થાન આજે પણ સ્મૃતિપટ પર કાયમ રહ્યાં છે. મારા જેવા એ વખતના અનેક કિશોરો આ સાપ્તાહિકના રસિયા હતા અને રસ પણ એટલો બધો કે જૂના અંકો, તેમજ વાંચવાના રહી ગયેલા અંકો ગમે ત્યાંથી મેળવીને અમે વાંચીએ ત્યારે જ જંપ વળે.
એ પણ એક જમાનો હતો. બીજાં સાપ્તાહિકો કંદાચ હશે, પણ એ બધાં મુંબઈ-અમદાવાદ જેવા શહેરો સુધી જ પહોંચતાં હશે. અમને જૂનાગઢમાં મળતાં નહીં.
- ત્યાર પછીનાં થોડાં વર્ષો દરમિયાન સ્વ. મેઘાણીભાઈના તંત્રીપદે ‘ફૂલછાબ' શરૂ થયું, કહો કે “સૌરાષ્ટ્ર' સાપ્તાહિક “ફૂલછાબ' નામ ધારણ કરીને તખતા પર પુનઃ પ્રવેશ્ય. એ વખતે વડોદરાના પુસ્તકાલયમાં જઈને સૌરાષ્ટ્રના સમાચારો વાંચવા માટે ‘ફૂલછાબ'ને અવશ્ય શોધવું પડતું. ત્યારે હું વડોદરામાં હતો.
દેશના સ્વાતંત્ર્યની લડતને કારણે સર્જાયેલા રાજકીય વાતાવરણમાં એ જમાનામાં જે કોઈ સાપ્તાહિકો પ્રસિદ્ધ થતાં એમનું પ્રાણતત્ત્વ રાજકારણ જ હતું. એમાં તત્ત્વજ્ઞાન
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૪ | સાહિત્યિક પત્રકારત્વ
હતું, વાર્તાઓ પણ આવતી, પરંતુ પ્રધાનસ્થાને તો તત્કાલીન રાજકારણ – બ્રિટિશ શાસન સામેની લડત. આ સાપ્તાહિકો વાંચનાર મોટા ભાગના ભણેલા વર્ગનું પણ મુખ્યત્વે આવું જ માનસ હતું.
મહાત્મા ગાંધીજીના “હરિજનબંધુ'નું સ્થાન એ જમાનામાં આગવું હતું. મહાત્માજીનાં લખાણો એ સમયનો રાષ્ટ્રપ્રેમી વર્ગ વાંચવાનું ભાગ્યે જ ચૂકતો. અંગ્રેજોને ‘ભારત છોડો'નો સર્વપ્રથમ પડકાર આ સાપ્તાહિક દ્વારા જ થયો અને એનો ધ્વનિ દેશભરમાં તેમજ દેશના સીમાડાઓની બહાર પ્રસરી રહ્યો. ગાંધીજીના સ્વર્ગવાસ પછીના ‘હરિજનબંધુ'માં વૈચારિક ક્ષેત્રે કદાચ ઝાઝો ફરક ન હતો, પણ સ્વયં ગાંધીજીના વ્યક્તિત્વમાંથી વહેતી થતી વિચારધારાના પ્રભાવ આગળ એમના અંતેવાસીઓ દ્વારા વહેતી રાખવામાં આવેલી વિચારધારા લોકહૃદયને બહુ સ્પર્શી શકી નહીં. એ વાત માત્ર અમુક દીક્ષાબદ્ધ ગાંધીવાદીઓ પૂરતી જ સીમિત બની રહી. સમય પલટાયો, સમયની માત્રા પલટાઈ. દૈનિકો, સાપ્તાહિકો, પાક્ષિકો તેમજ માસિકો એ સર્વમાં ક્રમશઃ પરિવર્તન આવવા લાગ્યું. માસિકો તો બહુધા સાહિત્યિક હતાં, પરંતુ બાકીનાં લગભગ બધાં જ મિશનરી મટીને અર્થપ્રધાન બન્યાં. ત્યાગી કહેવાતા નેતાઓ પણ જો અર્થપ્રાપ્તિને ત્યાગના બદલારૂપ ગણવા માંડ્યા હતા તો સર્વ પ્રકારનાં અખબારો પણ નિર્ભેળ અર્થપ્રધાન વ્યવસાય શા માટે ન બને ? એવા ન બને તો એમનું અસ્તિત્વ પણ ન જ રહે. પત્રકારોનાં માનસ પણ મિશનરી અને આદર્શવાદી મટીને અર્થપ્રધાન બન્યાં, કારણ કે એઓએ પણ સમયની વાસ્તવિકતા વચ્ચે જ પોતાનાં કુટુંબોને નિભાવવાનાં હતાં.
પલટાયેલા સમયની સાથોસાથ દૈનિકોના રવિવારના અંકો સાથે સાપ્તાહિક પૂર્તિઓ નીકળવા માંડી અથવા તો કેટલાંક સાપ્તાહિકો દૈનિકોની સાપ્તાહિક પૂર્તિઓ બની ગયાં. સામાન્ય અખબારી વાચન કરતાં આ પૂર્તિઓનું વાચન ભિન્ન પ્રકારનું રહ્યું. પૂર્તિઓ દૈનિકો સાથે જોડાયેલાં સામયિકો સમી જ હતી. આજે પણ એવું જ છે. પરંતુ એ જમાનામાં પૂર્તિઓનાં પણ આદર્શો અને માનવમૂલ્યો પ્રધાન સ્થાને હતાં. પૂર્તિઓમાં દેશપરદેશની રાજકીય ઘટનાઓની સમીક્ષાઓ થતી, સળંગ વાર્તાઓ પણ પ્રગટ થવા લાગી અને વિવિધ વિષયો પરના માહિતીપ્રદ લેખો પણ પ્રસિદ્ધ થવા લાગ્યા. સ્ત્રીઓ અને બાળકો માટેના વિભાગો પણ દેખાવા લાગ્યા.
સિનેમા અંગેની માહિતી અને એની સમીક્ષાઓ પણ ધીરે ધીરે અખબારોનાં અનિવાર્ય અંગો બની ગઈ. સ્વતંત્ર સિને-સાપ્તાહિક તરીકે સર્વપ્રથમ પ્રાકટ્ય ‘ચિત્રપટ'નું થયું હતું. એ પછી એને પગલે બીજાં ઉદ્ભવ્યાં અને આથમ્યાં, નવાં શરૂ થયાં અને એ ઘટમાળ ચાલુ રહી.
સમયની ગતિ વધુ તેજ બની અને તેના પરિણામરૂપ આજે સારી સંખ્યામાં ગુજરાતી સાપ્તાહિકો પ્રગટ થઈ રહ્યાં છે. ભારતનો સામાન્ય મનુષ્ય પણ વધારે વાંચતો થયો. વિષયવૈવિધ્યનું ફલક પણ વધુ ને વધુ વિસ્તરતું ગયું. એના પરિણામે ગુજરાતની જેમ ભારતની બધી જ ભાષાઓમાં તેમજ અંગ્રેજી ભાષામાં અનેક
Page #116
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ ણ ૧૧૫ સાપ્તાહિકો પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. કેટલાંક સાપ્તાહિકો પૂર્ણત: રાજકારણ અને અર્થકારણને મહત્ત્વ આપે છે. તો બીજાં ઘણાં રાજકારણને પ્રધાન સ્થાને રાખીને અન્ય વિષયોને સ્થાન આપે છે. કેટલાંક બંનેની સમતુલા જાળવે છે. હિંદી ભાષામાં પ્રસિદ્ધ થતાં “ધર્મયુગ” અને “સાપ્તાહિક હિંદુસ્તાન' જેવાં સાપ્તાહિકોને એમનું પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે. અમેરિકન સાપ્તાહિકો ‘ટાઇમ’ અને ‘ન્યૂઝવીકે પણ ભારતનું બજાર ઠીક ઠીક સર કર્યું છે. અંગ્રેજી અને બીજી ભાષાઓના સાપ્તાહિકો તેમજ વિશિષ્ટ વિષયો પરનાં અન્ય સામયિકો આ ભાષાઓ બોલતા અને સમજતા લોકો તો વાંચે જ, પરંતુ આપણાં આજનાં પ્રમુખ ગણાતાં ગુજરાતી સાપ્તાહિકો માટે ઘણો બધો ખોરાક પણ તેઓ પૂરો પાડે છે. આ સ્થિતિએ આપણને પરાવલંબી કરી મૂક્યા છે. આ જોઈને મને વિચાર પણ આવે છે કે આ સાપ્તાહિકો જો એકસામટાં બેચાર અઠવાડિયાં પ્રસિદ્ધ જ ન થાય તો અથવા એમાંનાં “મસાલેદાર' સાપ્તાહિકો થોડો સમય બંધ પડી જાય તો ગુજરાતનાં સાપ્તાહિકોની શી વલે થાય ? કારણ માત્ર એ જ કે સંદર્ભગ્રંથો– વિવિધ વિષયો પરના-નો અભાવ છે.
આ વિધાન અનેકને ખૂંચે એવું છે, પરંતુ હકીકતનો ઇન્કાર કરી જ શકાય તેમ નથી. અહીં બહેનો અને બાળકો માટેનાં તથા સિનેમાગૃષ્ટિનાં સાપ્તાહિકોને મેં આ ચર્ચામાંથી બાકાત રાખ્યાં છે.
સાપ્તાહિકોનો ફેલાવો એમની ગુણવત્તા નક્કી નથી કરતો. ફેલાવો વધારવામાં ધંધાકીય કુનેહ અને સૂઝ મુખ્ય કામ કરે છે. ઓછા ફેલાવાવાળાં સામયિકોની ગુણવત્તા ઊંચી હોઈ શકે છે અને આપણે ત્યાં પણ આ હકીકત જોઈ શકાય છે. આમ છતાં ગુણવત્તા” શબ્દને પણ અનેક સંદર્ભમાં તપાસવો પડે એવી સ્થિતિ છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે દૈનિક, સાપ્તાહિક કે અન્ય કોઈ પણ પ્રકારનાં પ્રકાશનના તંત્રીપદે પત્રકાર ન હોય એવી કોઈ પણ વ્યક્તિ રહે એ વાજબી ગણાય ? આ પ્રશ્ન કોઈની પણ અંગત ટીકા માટે નથી કરવામાં આવ્યો, પરંતુ લોકોની ભ્રમણા દૂર કરવાનો હેતુ એમાં રહેલો છે. તંત્રીપદે બેઠેલી વ્યક્તિ માત્ર માલિકીને કારણે જ, પોતાનું કે પોતાના પરિવારની કોઈ પણ વ્યક્તિનું નામ તંત્રી તરીકે આજે મૂકી શકે છે. આમાં માલિક તરીકેનો અધિકાર મુખ્ય છે, પત્રકાર તરીકેની ગુણવત્તા નહીં. આખરે દૈનિક, સાપ્તાહિક કે માસિક તૈયાર કરવાનું કામ તો સાચા પત્રકારનું જ છે. અખબાર પર તંત્રી તરીકે જે કોઈ વ્યક્તિનું નામ છપાય અને એ વાંચીને દુનિયા એના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતી રહે તે પોતે પત્રકાર ન હોય અને સાચા પત્રકાર કે પ્રકાશનના સાચા સર્જકને કોઈ ઓળખે પણ નહીં એ એક મોટી છેતરપિંડી નથી? દુનિયાને નીતિમત્તાના ઉપદેશ આપનાર અખબારોના પાયામાં જ છેતરપિંડી હોય એ વિચિત્ર નથી લાગતું ? તો છેતરપિંડીના પાયા પર રચાયેલી ઇમારતો પણ કેવી હોય તે સમજવું મુશ્કેલ નથી.
આ મારું પ્રામાણિક વિધાન છે, છતાં બીજો પ્રશ્ન પણ થાય છે કે શું માલિકીસ્થાને હોય તો જ તે વધુ સારું દૈનિક, સાપ્તાહિક કે અન્ય કોઈ પ્રકારનું વધુ સારું સામયિક
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૩ | સાહિત્યિક પત્રકારત્વ
સર્જી શકે ? ના, સર્વત્ર એવું ન પણ બને. પત્રકારોએ પણ આવાં પ્રકાશનો શરૂ કર્યા અને તેઓ નિષ્ફળતામાં ગયાં એવાં ઉદાહરણો આપણે જાણીએ છીએ. અહીં સાચી વાત તો એ છે કે આવા સાહસિક પત્રકારો પાસે સાધનો નથી. સાધનસંપન્ન પત્રકાર માલિકીસ્થાને પણ શોભે અને તે સારાં પ્રકાશન પ્રગટ કરી પણ શકે, પરંતુ જે પત્રકાર ન હોય એવી વ્યક્તિનું નામ તંત્રીપદે મૂકવામાં આવે એ કદાચ આપણાં જ દેશમાં બની શકતું હશે.
સાપ્તાહિકોની ગુણવત્તાને મૂલવતાં પ્રથમ તો એ કહેવું જ રહ્યું કે આપણે ત્યાં સસ્તા માર્ગો જ અપનાવાયા છે – અપનાવાતા રહ્યા છે. જે વિષય પસંદ કરવામાં આવે તેનું સ્વતંત્ર અન્વેષણ, વિશ્લેષણ અને એ બન્નેના નવનીતરૂપ રજૂઆત આપણે ત્યાં થતી નથી. સીધાં ભાષાંતરો કે રૂપાંતરો, અન્ય સામયિકોમાંની તસવીરો સારી રીતે હોય તો તેનાં કટિંગોના બ્લૉકો, વગેરે આપણાં સાપ્તાહિકોમાં પ્રધાન સ્થાન ભોગવી રહ્યાં છે. જે વિષયો પરત્વે સ્વતંત્ર મહેનત કરવામાં આવે છે એ કાં તો છીછરા હોય છે અથવા તો એના પરની મહેનત અધૂરી હોય છે. લખનાર પોતાની આવડત દ્વારા એક લેખ ઊભો કરી શકે, પરંતુ વિષયને એ ન્યાય તો ન જ આપી શકે. કેટલાંક અંગ્રેજી એમજ ભારતીય ભાષાઓનાં સામયિકોમાં પ્રારંભે તેમના તંત્રીથી માંડીને વિવિધ વિષયો પરના નિષ્ણાતો, લેખકો, વૃત્તાંતનિવેદકો, સલાહકારો વગેરે નામાવલિઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આટલી મોટી સંખ્યાના સર્જકો અને તેમાંય વળી મોટા ભાગના સ્ટાફના જ માણસો હોય છે તેઓ જે સામયિક સાથે જોડાયેલા હોય એમાં કચાશ દેખાય જ ક્યાંથી ? ત્યાં તંત્રી પોતે પત્રકાર જ હોય છે. માલિક કોણ છે તેની સામાન્ય વાચકને તો ભાગ્યે જ ખબર પડે છે. માલિક તો પોતાના સ્થાન પર બેસીને તંત્રીની માગ અનુસાર ખર્ચ કરવામાં કંઈ બાકી રાખતો નથી. અખબારોનાં પાનાં પરના વિષયો સાથે અથવા અન્યત્ર પત્રકારોનાં જ નામ ચમકે છે. આપણે ત્યાં તો સ્ટાફ પરના પત્રકારનું સાચું નામ પ્રસિદ્ધ ન થાય એવી ઘણે સ્થળે “કાળજી” રાખવામાં આવે છે. સ્ટાફ પરનો પત્રકાર પ્રસિદ્ધિ મેળવી પોતાનું મૂલ્ય વધારે એ ઘણાં માલિકોને ગમતું નથી. આપણાં સામયિકોમાં પણ ક્યાંય નામ પ્રસિદ્ધ કરવાની ઉદારતા દાખવવામાં આવે તો પણ એ નામ બહુધા અન્ય ક્યાંયથી ઉદ્ધત કરેલા ફેરફારવાળા લેખની સાથે હશે.
આ વિષયની ચર્ચા અહીં એટલા માટે કરી છે કે તે સામયિકના પાયામાં પડેલો છે. એમાં એક પ્રકારનું શોષણ પણ રહેલું છે. શોષણથી મુક્ત અખબારની ખુમારી જ અનોખી હોય છે.
આજે સાપ્તાહિકોનું પ્રકાશન ઘણું મોંઘુ પણ થઈ ગયું છે. કાગળ, શાહી, પગારો, વગેરે ઉપરાંત પણ બીજા ઘણા ખર્ચા અનિવાર્ય બની રહે – જો સાપ્તાહિકની ગુણવત્તા વધારવી હોય તો. ક્યાંય એક ઘટના બને પછી એ રાજકીય હોય કે અન્ય પ્રકારની, પરંતુ જો એનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કરીને વિસ્તૃત રજૂઆત કરવી હોય તો એની પાછળ ઘણો મોટો ખર્ચ કરવો પડે. વિષયના અન્વેષણમાં પડેલા
Page #118
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ ૧૧૭ પત્રકારને સંતોષજનક મહેનતાણું તો આપવું પડે, પરંતુ ઘટનાસ્થળે જવા માટે તેમજ ત્યાં કામગીરી બજાવવા માટે પણ ખર્ચ કરવો પડે. આ રીતે તૈયાર થયેલા લેખોની ગુણવત્તા આપોઆપ ખીલી ઊઠે છે અને તે લોકોને આકર્ષી શકે છે. એનું હીર છાનું રહેતું નથી. અલબત્ત ધંધાકીય કુનેહ તો ફેલાવો વધારવા માટે અનિવાર્ય જ છે. આ કુનેહ ન હોય તો ગમે તેવો સારો માલ જેમ ગ્રાહક સુધી પહોંચી શકતો નથી, તેમ સામયિકોની બાબતમાં પણ બને છે. | ગુજરાતી સાપ્તાહિકો વિશે હજી ઘણી લાંબી ચર્ચા થઈ શકે એમ છે, પરંતુ સમયની મર્યાદાને માન આપીને તેનું સમાપન હવે એ રીતે જ કરી શકાય કે આપણાં સાપ્તાહિકોમાં મૌલિકતા ઓછી છે. મૌલિકતા લાવવા માટે ઘણી ઓછી મહેનત કરવામાં આવે છે. જ્યાં મહેનત થાય છે ત્યાં ધંધાકીય સૂઝ કે સાધનો ઓછાં છે. આ કારણે ઓછી ગુણવત્તાવાળાં સામયિકો વધુ ફોલી શકે છે અને ગુણવત્તાવાળાં સાધનો પાછળ રહી જાય છે. વાચકો અમુક માગે છે માટે અમુક જ પ્રકારનું સાહિત્ય આવે એવી દલીલ વ્યર્થ છે, વાસ્તવમાં વાચકો સામેથી કશું જ માગતા નથી. એમને તો જે કંઈ આપવામાં આવે છે એ જ તેઓ લે છે. જે સાહિત્યનો વધુ સ્વીકાર થતો દેખાય એમાં વાચકોના અમુક વર્ગનો ચોક્કસ માનસિક સ્તર પણ કામ કરતો હોય છે, પરંતુ જો એમની સમક્ષ પણ સોનું રજૂ કરવામાં આવશે તો કથીર પાછળની એની દોડ એ અવશ્ય થંભાવી દેશે.
હિંદની આપણી બીજી ભાષાઓની પત્રકારીનું પણ અધ્યયન થવું જોઈએ. અને એથી આગળ જઈને આપણાં પત્રોએ હિંદના બીજા પ્રદેશોના વૃત્તસાહિત્ય સાથે સતત સંસર્ગ રાખી એમને વિષે ખબરો આપવી જોઈએ. એ મેળવવા માટે નિરનિરાળા પ્રદેશમાં રહેતાં ગુજરાતી ભાઈ-બહેનોની મદદ લેવા ઉપરાંત, દેશી ભાષાઓનાં પત્રોમાં પણ આવી લેવડદેવડનો ભાઈચારો રચાવો જોઈએ. તો જ હિંદના લોકજીવનમાં દેખાતી વિભક્તતામાં જે એક અવિભક્તતા રહેલી છે, તેનાં આપણે દર્શન કરતા થઈશું અને તેને જીવંત સંસ્કાર રૂપે ખીલવી શકીશું. આથી કરીને પત્રકાર સાહિત્યકાર કરતાં લોકશિક્ષકના બિરુદને વધારે યોગ્ય બને છે. પત્ર દ્વારા લોકશિક્ષણ આપવાની કળાની તાલીમ આપણે હિંદુસ્તાનમાં બધી ભાષાઓના સહકારથી ખીલવવી જોઈએ.”
– મગનભાઈ દેસાઈ (ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯મા અધિવેશનના પત્રકારત્વ
વિભાગના પ્રમુખપદેથી આપેલ વ્યાખ્યાનમાંથી)
Page #119
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ
॥ કુમારપાળ દેસાઈ
સાહિત્ય અને પત્રકારત્વ એ બંનેનો ઉદ્ગમ ભાષાકીય અભિવ્યક્તિને રૂપે થાય છે. સર્જક પોતાના હૃદયની તીવ્ર અનુભૂતિને કલ્પનાનો ઓપ આપીને ભાષાના માધ્યમ દ્વારા નવોન્મેષ પ્રગટાવે છે, જ્યારે પત્રકારનું મુખ્ય કાર્ય માહિતી કે વિચારનું સંક્રમણ સાધવાનું છે. સાહિત્યનો સંપૂર્ણ ઝોક સર્જકની અભિવ્યક્તિ ૫૨ છે. માહિતી પીરસવા જેવી ભૌતિક ઉપયોગિતા પર એની નજર નોંધાયેલી હોતી નથી. સાહિત્ય જનસમૂહમાં પ્રતિષ્ઠા પામે તો એ તેની યોગ્યતાનું પ્રમાણ છે એમ હંમેશાં બનતું નથી, જ્યારે અખબારી લખાણમાં તો વાચકસમૂહ દ્વારા થતી સ્વીકૃતિ એ તેનું સૌથી મોટું પ્રમાણપત્ર મનાય છે.
૧૮
આમ, સાહિત્ય અને પત્રકારત્વ બંનેનો અભિગમ તદ્દન નિરાળો હોવા છતાં બંને વચ્ચે ભાષાની સમાન ભૂમિકા રહેલી છે. ભાષા પર જેટલો હક સાહિત્યનો છે, એટલો જ અધિકાર બીજાં સામૂહિક પ્રસારણનાં માધ્યમોનો છે. તેમાં પણ અખબારનો તો સવિશેષ છે. રેડિયોમાં શબ્દની સાથે અવાજનું અવલંબન લેવામાં આવે છે. ટેલિવિઝનમાં શબ્દ દશ્ય અને અવાજ બંનેનો સાથ લે છે. નાટકમાં અભિનય છે, પરંતુ અખબારમાં તો માત્ર છાપેલા શબ્દની સહાયથી જ પત્રકારે ધારેલી અસર ઉપજાવવાની અને ઉપસાવવાની છે.
ભાષાના માધ્યમ દ્વારા સાહિત્યકાર આત્માભિવ્યક્તિનો ઉદ્દેશ સાધે છે, જ્યારે વર્તમાનપત્રનો ઉદ્દેશ માત્ર વાચક સાથે ‘કૉમ્યુનિકેશન' સાધવાનો છે. જે જોયું કે જે સાંભળ્યું એ વાચકના ચિત્ત સુધી પહોંચાડવું એ જ પત્રકારના કાર્યની ઇતિશ્રી છે. આમ સાહિત્યમાં આત્માભિવ્યક્તિ અને એક રીતે આત્મલક્ષિતાનું તત્ત્વ પ્રવર્તે છે જ્યારે વર્તમાનપત્રમાં વસ્તુનું સચોટ આલેખન મુખ્ય હોય છે. આત્મલક્ષિતાને તેમાં ભાગ્યે જ કોઈ અવકાશ હોય છે. ફોટોગ્રાફની જેમ હૂબહૂ છબી પૂરી પાડવી એ વર્તમાનપત્રનો ઉદ્દેશ હોય છે. સાહિત્યકાર ભાષાથી સૌંદર્યાનુભૂતિ અને સૌંદર્યબોધ કરાવે છે, જ્યારે પત્રકા૨ ભાષાના માધ્યમથી યથાર્થ દર્શન કે સચોટ અસરનો હેતુ સાધે છે. આ ભેદનું કારણ એ છે કે સાહિત્યકાર અને પત્રકા૨નો કીમિયો તદ્દન જુદો છે. સાહિત્યકાર શબ્દનો બંદો છે, તો પત્રકાર શબ્દનો સોદાગર છે. સાહિત્યકાર શબ્દને પ્રતીક તરીકે વાપરે છે, જ્યારે પત્રકારને માટે શબ્દ એ સીધું વાહન બની જાય છે. એક રીતે કહીએ તો, પત્રકાર શબ્દનો સ્થૂળ ઉપયોગ કરે છે, સાહિત્યકાર તેનો સૂક્ષ્મ ઉપયોગ કરી જાણે છે. જેટલે અંશે પત્રકાર શબ્દને પ્રતીક તરીકે વાપરતો થાય, તેટલે અંશે એના
Page #120
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ | ૧૧૯
લખાણમાં સાહિત્યિક તત્ત્વ આવે છે. પોતાના લખાણને સાહિત્યિક સ્પર્શ આપવા માટે પત્રકાર શબ્દને કલ્પનાનો સ્પર્શ આપીને તેનો પ્રતીકાત્મક ઉપયોગ કરે છે. વર્તમાનપત્રમાં પ્રગટ થયેલો લેખ એ સાહિત્ય છે એવી જાડી ગણતરી સામાન્ય રીતે પ્રવર્તે છે. આનું કારણ એ છે કે સાહિત્ય ને પત્રકારત્વ બંનેનું માધ્યમ ભાષા છે. ભાષાની અભિવ્યક્તિ માટે બંને સભાન પ્રયત્નો કરતા હોય છે અને નિરૂપણની ખૂબીઓ મેળવવાનો પણ સાહિત્યકાર અને પત્રકારનો પ્રયાસ હોય છે.
સાહિત્યકાર વાસ્તવિક પરિસ્થિતિને પોતાની અનુભૂતિમાં રસીને મૂકે છે, જ્યારે પત્રકારને એવું કરવાનું હોતું નથી. આથી પત્રકારના લખાણની કિંમત સમાચારરૂપ વસ્તુના તાજા વાચનમાં રહેલી છે, જ્યારે સાહિત્યની અસર સંવેદન જાગ્રત કરવા રૂપે હોવાને લીધે એ ચિરંજીવ હોય છે. તેથી સાહિત્ય જ્યારે વાંચો ત્યારે તાજગીનો અનુભવ કરાવે છે. આજના સમાચાર આવતી કાલે વાસી બને છે. પણ કવિતા ક્યારેય વાસી બનતી નથી. વર્તમાનપત્રની તત્કાળ અસર ઘણી મોટી થાય છે, આથી જ પ્રજામાં મોટાં આંદોલનો ઊભાં કરવામાં, ક્રાંતિ લાવવામાં, લોકશાહીને સુસ્થિત કરવામાં કે જિવાડવામાં વર્તમાનપત્ર અગત્યનું પરિબળ ગણાય છે.
ભાષાના વિકાસ સાથે જેટલો સાહિત્યને સંબંધ છે, તેટલો જ બલકે એનાથી વિશેષ સંબંધ પત્રકારત્વને છે. વર્તમાનપત્રે પોતાના ઉપયોગ માટે ભાષાને વિશિષ્ટ રીતે ખીલવી છે. ચિત્રાત્મકતા, ઉદ્ધોધન, ભાવસભરતા, જુસ્સો – આ બધાંની વર્તમાનપત્રને જરૂર પડે. આથી ભાષાને એણે એ રીતે ખીલવવા પ્રયાસ કર્યો છે. એક રીતે તો અભિવ્યક્તિ માટે સાહિત્યકાર કરતાં પણ પત્રકારને સતત પડકાર ઝીલવાનો હોય છે. નવલકથામાં રાજદરબારનું વર્ણન કરવાનું હોય, તો “સરસ્વતીચંદ્ર' ભાગ૧માં આવતું ભૂપસિંહના દરબારનું વર્ણન યાદ કરીએ; પરંતુ પત્રકારને તો આ દુનિયામાં વખતોવખત થતા જુદા-જુદા રાજ્યાભિષેકોના અહેવાલો લખવાના આવે છે. નેપાળના રાજાનો કે ઇંગ્લેન્ડની રાણીના રાજ્યાભિષેક વખતે તદ્દન વિરોધી પરિસ્થિતિઓનો એણે સામનો કરવાનો હોય છે. એથીયે વિશેષ કેટલાક બનાવો એવા બને છે કે જે પત્રકારની કલમની, એની નિરૂપણશક્તિની અગ્નિપરીક્ષા બની રહે છે. માનવી અવકાશમાં ચાલ્યો કે માનવી ચંદ્રની ધરતી પર ઊતર્યો એ ઘટના અને એના રોમાંચને સાકાર કરવા પત્રકારનું શબ્દસમર્થ્ય કસોટીએ ચઢે છે. તેનામાં રહેલી સર્જકતા અભિવ્યક્તિ વખતે એની મદદે આવે છે. પ્રથમ અણુબોમ્બથી સર્જાયેલો માનવસંહાર બતાવવા માટે કે ભારતના અણુપ્રયોગની જગતને જાણ કરવા માટે પત્રકારને ખૂબ પરિશ્રમ ખેડવો પડે છે.
પ્રજામાનસ પર તત્કાળ અસર કરવા માટે પત્રકારત્વને જોશીલી અને બળકટ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૨૦ | સાહિત્યિક પત્રકારત્વ ભાષાની જરૂર પડે છે. આમાં તળપદી ભાષા વધુ કામ આપી શકે. તે સહેલાઈથી ચોટદાર બનતી હોવાથી અખબારો તળપદી ભાષાનો ખૂબ ઉપયોગ કરે છે. આમ જનતા સાથે કોમ્યુનિકેશન’ સાધવા માટે આ અનિવાર્ય પણ છે. બીજી બાજુ સંસ્કૃતમય શૈલી ધરાવતું હોઈ અખબાર આપણે ત્યાં જોવા નહીં મળે. એવું વલણ ધરાવતું અખબાર બહુ લોકપ્રિય પણ ન નીવડે. વળી જરૂરિયાત પ્રમાણે અખબાર પોતાની આગવી પરિભાષા પણ ઊભી કરી લે છે.
સાહિત્યિક લખાણ અને અખબારની લખાણનો ભેદ એ છે કે સાહિત્ય એ કલાની સભાનતા અને ગંભીરતાથી સર્જેલો કસબ છે, જ્યારે પત્રકારનું લખાણ એ એવા કારીગરનો કસબ છે કે જે ગંભીર અને જાગ્રત હોવા છતાં કલાની સભાનતા દાખવી શકતો નથી. અખબારી લખાણને છાપાની ઝડપ અને સમયની મર્યાદા સાથે તાલ સે કદમ મિલાવવાના હોય છે. અખબારી લેખન પર એક એવો આક્ષેપ કરવામાં આવે છે કે એનું ખૂબ ઝડપી ઉત્પાદન થતું હોય છે, પરંતુ ઝડપથી લખવું તે કોઈ આસાન બાબત નથી. આ માટે લખનાર પાસે વિષયનું વૈવિધ્ય અને શૈલી પાસેથી ધાર્યું કામ કઢાવવાની આવડત હોવાં જોઈએ. મેથ્ય આર્નલ્લે પત્રકારત્વને ‘ઉતાવળે લખાયેલું સાહિત્ય' (Literature written in a hurry) કહ્યું છે. પત્રકારને સાહિત્યકાર જેટલી નિરાંતે લખવાની અનુકૂળતા હોતી નથી. એના પર સમયનો તકાદો હોય છે. સાહિત્યમાં જેટલી અભિવ્યક્તિની મોકળાશ, પસંદગીનું વૈવિધ્ય અને પ્રયોગશીલતા હોય છે એટલી પત્રકારત્વમાં નથી. કારણ કે પત્રકારને પોતાના “બજારની માંગનો સતત ખ્યાલ રાખવો પડે છે. આમ છતાં સાહિત્યમાં વર્તમાનપત્ર આવે છે, એના કરતાં વર્તમાનપત્રમાં સાહિત્ય વિશેષ આવે છે. આથી જ પત્રકારત્વ એ સાહિત્યિક રચનાનું પ્રવેશદ્વાર ગણાય છે. કારણ કે એની પાસેથી લેખકને આવશ્યક પૂર્વભૂમિકા અને તાલીમ મળી રહે છે. ઘણા ખ્યાતનામ સર્જકો પહેલાં પત્રકારો હતા અને પછી પ્રસિદ્ધ લેખકો બન્યા.
અખબારનું મોટા ભાગનું લખાણ સમયની ફ્રેમમાં મઢાયેલું હોય છે. આનો અર્થ એવો નથી કે અખબારમાં આવતું બધું લખાણ પ્રાસંગિક અને ક્ષણજીવી હોય છે. બીજી રીતે વિચારીએ તો સાહિત્યમાં પણ કેટલું સર્જન ચિરંજીવ હોય છે ? કાળના પ્રવાહમાં કેટલી બધી કૃતિઓ વિસ્મૃતિથી વીંટળાઈ ગઈ હોય છે ! આથી એમ કહી શકાય કે સાહિત્યના ઉત્કૃષ્ટ સર્જનની માફક પત્રકારનું ઉચ્ચ કોટિનું લખાણ પણ ચિરંજીવ બને છે.
ઘણી વાર આજનું અખબારી લેખન આવતી કાલનું સાહિત્ય બનતું હોય છે. ચાર્લ્સ ડિકન્સની વિખ્યાત નવલકથા “A Tale of Two Cities' પહેલાં “All the Year Round” નામના સામયિકમાં પ્રગટ થઈ હતી. વખત જતાં એને સાહિત્ય
Page #122
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ | ૧૨૧
તરીકે સ્વીકારવામાં આવી. વળી પત્રકારત્વ પાસેથી લેખકોને ઉત્તમ કક્ષાની તાલીમ મળે છે. એમાંથી સાંપડેલા આત્મવિશ્વાસને પરિણામે કેટલાકે મનોરમ સાહિત્યસર્જન કર્યું છે. છેલ્લા બે સૈકામાં ઇંગ્લેન્ડમાં ઘણા પત્રકારોએ ઉચ્ચ કક્ષાનું સાહિત્યસર્જન કર્યું છે. આમાં ડેનિયલ ડીફો, જોસેફ એડિસન, રિચાર્ડ સ્ટીલ, જોનાથન સ્વિફ્ટ, ચાર્લ્સ ડિકન્સ, રૂડયાર્ડ કિપ્લિગ, આર્નોલ્ડ બેનેટ, જ્હૉન ગાલ્લવર્ધી, જી. કે. ચેસ્ટરટન, એચ. જી. વેલ્સ, જ્યોર્જ બર્નાર્ડ શૉ, આર્થર ક્વીલર કૂચ, જી. કે. પ્રિલે, રેબેકા વેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. અમેરિકામાં પણ એલેક્ઝાન્ડર હેમિલ્ટન, વિલિયમ બ્રાન્ટ, હેરિયટ સ્ટોવ, માર્ક ટ્વેઇન, અર્નેસ્ટ હેમિંગ્યું અને હૉન સ્ટાઇનબેક જેવા સમર્થ સાહિત્યસર્જકોએ પોતાના લેખનનો પ્રારંભ અખબારી લખાણથી કર્યો હતો. ૧૯૩૨ના જાન્યુઆરીના ‘Fortnightly Review'માં જાણીતા લેખક આઇવર બ્રાઉન લખે છે :
સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે ખાસ કોઈ પાયાનો તફાવત નથી. માત્ર અમુક સમયને અંતરે પ્રગટ થવાને કારણે પત્રકારત્વમાં અલ્પજીવિતા હોય છે. સાહિત્યના પુસ્તકની બાંધણી પાકી હોય છે અને બીજાની કાચી હોય છે. વળી કેટલાક લોકો ગપસપને સુચિંતિત કૃતિની સાથે ભેળવી દઈને પત્રકારત્વ પ્રત્યે સૂગ દર્શાવે છે અને કેટલાક તો એક કે બે આનામાં તે મળતું હોય છે એટલે એને હલકું ગણે છે.”
એ હકીકત છે કે અખબારના સામાન્ય કાગળ પરનાં ઘણાં લખાણોએ પુસ્તકનું આગવું રૂપ ધારણ કર્યું છે. એ સામયિકો અદૃશ્ય થઈ ગયાં હોય, પરંતુ એ લખાણો પુસ્તકના સ્થાયી રૂપમાં હજી પણ આનંદ પામે છે. આમ, પત્રકારત્વ એ સાહિત્યની સામગ્રી ધરાવતું એક પ્રાથમિક રૂપ છે. ઘેરા રંગ (Loud Colours) અને કંઈક અંશે સ્થૂળ (Crude) સ્વરૂપ ધરાવતું પત્રકારત્વ સાહિત્યની કાચી સામગ્રી પૂરી પાડે છે. | ગુજરાતમાં સામાન્ય રીતે અખબારી લખાણ એટલે સાહિત્યથી હલકું લખાણ એવો પૂર્વગ્રહ પ્રવર્તતો જોવા મળે છે. એ લખાણને છાપાળવી શૈલી' કહીને ઘણી વાર ઉતારી પાડવામાં આવે છે. ઝડપથી પ્રગટ થતાં અખબારોમાં શૈલીની સુઘડતા કે જોડણીની શુદ્ધિ વિશે પૂરતી તકેદારી રાખવામાં આવતી નથી. પરંતુ આ દોષને નજરમાં રાખીને અખબારમાં પ્રગટ થતાં લખાણોને ઉતારી પાડવા એ યોગ્ય ગણાય નહીં. શ્રી કનૈયાલાલ મુનશીની પ્રસિદ્ધ નવલકથા 'પાટણની પ્રભુતા' પહેલાં “વીસમી સદી” માસિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. શ્રી ઝવેરચંદ મેઘાણીના ઘણા સાહિત્યની ગંગોત્રી દૈનિક પત્રકારત્વ છે. લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધીજી, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર, આચાર્ય આનંદશંકર ધ્રુવ, ઉમાશંકર જોશી જેવાના
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૨૨ D સાહિત્યિક પત્રકારત્વ
વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલા લેખો પુસ્તકાકારે જોવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં ઘણી મોટી સંખ્યામાં નવલકથાકારો દૈનિક દ્વારા આગળ આવ્યા છે. ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ વ. શાહ, શિવકુમાર જોશી, ઈશ્વર પેટલીકર, મોહમ્મદ માંકડ, વિઠ્ઠલ પંડ્યા, સારંગ બારોટ અને શયદા જેવા ઘણા નવલકથાકારોએ અખબારમાં લખીને પોતાની સર્જન-પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો છે. શ્રી સુરેશ જોષીની ‘માનવીનાં મન' જેવી કૉલમ શુદ્ધ સાહિત્યિક બરનીં હોવા છતાં તેમાં પ્રતિબિંબિત સંવેદનાને કારણે રોચક વાચન પૂરું પાડે છે. ‘પ્રજાબંધુ’ની સાહિત્યચર્ચા, ‘ગુજરાતી’ની સાહિત્યપૂર્તિની સળંગ શ્રેણી, ‘જન્મભૂમિ’નો ‘કલમ અને કિતાબ’ વિભાગ તેમજ ‘સંસ્કૃતિ’, ‘કુમાર’, ‘ગ્રંથ’ અને ‘નવચેતન' જેવાં સામયિકોએ કરેલી સાહિત્યસેવા ભૂલી શકાશે નહીં.
અખબાર એ સામૂહિક પ્રસારણનાં માધ્યમોમાંનું એક ગણાય છે, તેમ છતાં એ સાહિત્ય સાથે અત્યંત નિકટનો સંબંધ ધરાવે છે. જે પત્ર સાહિત્યિક દૃષ્ટિએ વધુ સુઘડ અને વધુ રોચક વાચન પૂરું પાડે તે ઊંચી કોટિનું એમ અત્યારે પણ મનાય છે. સામગ્રી વર્તમાનપત્રની હોય, વર્તમાનપત્ર માટે હોય છતાં એ સામગ્રીને સાહિત્યિક ઘાટ આપવાનો પત્રકારનો સતત પ્રયત્ન હોય છે. પત્રકારત્વના વિકાસ સાથે પણ સાહિત્ય સંકળાયેલું રહ્યું છે.
‘નવચેતન’ના તંત્રીશ્રી ચાંપશીભાઈ ઉદેશીને સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેના સંબંધ અંગે પ્રશ્ન પૂછતાં તેમણે આવો ઉત્તર આપ્યો હતો :
“ખરું જોતાં તો પત્રકારત્વ એ સાહિત્યનો જ એક પ્રકાર છે. પણ એ પ્રકાર એક રીતે પ્રાસંગિક અને અલ્પજીવી હોઈને સાહિત્યના અન્યાન્ય પ્રકારો જેટલું મહત્ત્વ એને ન અપાય એ સ્વાભાવિક છે. સાહિત્યનું આયુષ્ય જેટલું વધારે એટલું અદકું એનું મૂલ્ય. એટલે જ આપણે સામાન્યતઃ પત્રકારત્વને સાહિત્ય લેખતા નથી. સાહિત્યનો મૂળ અર્થ છે ‘સાધન’. એ મૂળ અર્થાનુસાર પત્રકારત્વ પણ જનતાને સાંપ્રત પ્રવાહોથી પરિચિત રાખવાનું સાધન છે. પણ પત્રનો પ્રત્યેક અંક ઝડપભેર તૈયાર કરવાનો હોઈને એ તૈયાર કરતી વેળા સાહિત્યની ચિરંજીવતાની દૃષ્ટિ રાખવી પાલવતી નથી, આમ છતાં હવે વર્તમાનપત્રો પણ સાહિત્યનો યોગ સાધતાં થયાં છે. પત્રકારને સાહિત્યનો જેટલો વધુ સ્પર્શ તેટલે અંશે એ વધારે સારી રીતે રજૂઆત કરી શકે એમ હું માનું છું. સાહિત્યના લેશમાત્ર સ્પર્શ વિનાનું પત્રકારત્વ મીઠા વિનાના ભોજન જેવું લેખાય.”
સાહિત્યકાર પત્રકારત્વને કઈ રીતે સમૃદ્ધ કરી શકે તેનો સુંદર દાખલો સ્વ. ઝવેરચંદ મેઘાણીએ પૂરો પાડ્યો છે. સાહિત્યની ફોરમને વર્તમાનપત્રમાં મૂકીને, તેમજ સાહિત્યની મૂલ્યવત્તાને સહેજે હાનિ પહોંચાડ્યા વિના સાહિત્યિક સુગંધવાળી, હળવાશભરી, પાસાદાર ભાષાનો એમણે પ્રયોગ કર્યો છે. ૧૯૪૧માં અમદાવાદમાં
Page #124
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ ૧૨૩
કોમી રમખાણ થયાં ત્યારે ઝવેરચંદ મેઘાણીએ તેજસ્વી શૈલીવાળા લોકોનાં હૃદય પર સચોટ છાપ પાડે તેવા લેખો આપ્યા હતા. છેલ્લો કટોરો', હજારો વર્ષની જૂની અને “માડી તારો બેટડો આવે, આશાહીન એકલો આવે’ એ ગાંધીજી ગોળમેજી પરિષદમાંથી પાછા આવ્યા ત્યારે લખેલું કાવ્ય તેનાં ચિરંજીવ દૃષ્ટાંતો છે. ૧૯૬૯માં ગાંધી શતાબ્દીના વર્ષમાં આવાં રમખાણ થયાં ત્યારે કરસનદાસ માણેકે “શતાબ્દીનો જલસો જુઓ ઝળહળે છે!' એવું કાવ્ય આપ્યું હતું. આવો બનાવ બને ત્યારે ક્વચિતું સાહિત્યકાર આખું પુસ્તક રચાય તેટલી રાહ જોતો નથી. પ્રસંગની તત્કાળ અભિવ્યક્તિ માટે અખબારનો આશરો લે છે. આ દૃષ્ટિએ પત્રકારત્વ એ સાહિત્યની સામગ્રી ધરાવતું એનું પ્રાથમિક રૂપ છે. સાહિત્ય પત્રકારત્વને અણગમાની નજરે જુએ છે, એનું એક કારણ પત્રકાર ઉપયોગમાં લેતો ભાષાના ઘેરા રંગો (Loud colours) છે. વાચક પર તાત્કાલિક અસર ઊભી કરવા માટે તે અતિશયોક્તિનો આશ્રય લે છે. એ પત્રકારત્વની મોટી કમજોરી છે. “The Times” અને “ગાર્ડિયન' જેવાં અખબારો શબ્દની અભિવ્યક્તિમાં જે સમતોલપણું રાખે છે તે ધડો લેવા જેવાં છે. આમ છતાં પત્રકારત્વ સાહિત્યની કાચી સામગ્રી પૂરી પાડે છે. વર્તમાનપત્રોનું અનુભવવિશ્વ અસીમ છે. ન્યૂઝ સ્ટોરી', સામાજિક બનાવો, રાજકીય પરિસ્થિતિ, દેશવિદેશમાં બનતા વિલક્ષણ બનાવો– આમ વર્તમાનપત્રે પોતાનો પથારો એટલો વિશાળ બનાવ્યો છે કે એનાથી સાહિત્ય પણ અળગું રહી શક્યું નથી. ઘણી નવલકથાઓનું કથાવસ્તુ, પાત્રો, એમાંનાં સમાજચિત્રો અને એનું સેટિંગ – આમાંથી કેટલીક સામગ્રી વર્તમાનપત્રમાંથી સીધી લીધી હોય અથવા તેની સીધી અસર ધરાવતી લાગે છે. સાહિત્યકારની સામગ્રીનું એક મહત્ત્વનું સાધન વર્તમાનપત્ર બન્યું છે. રોજિંદા જીવનનું અવલોકન, સ્વાનુભવ, ઇતિહાસ, વિજ્ઞાન અને બીજાના અનુભવો જેવાં સામગ્રી મેળવવાનાં અન્ય સાધનો સર્જક પાસે છે પણ સાહિત્યનું મૂલ્ય સામગ્રી પરથી અંકાતું નથી, જ્યારે વર્તમાનપત્રનું મૂલ્ય સામગ્રી પરથી અંકાય છે. વર્તમાનપત્રમાં વેધક રજૂઆત અને સચોટ શૈલી હોય છે. પણ તે હંમેશાં ‘સેન્સેશનલ’ સામગ્રીની શોધમાં રહે છે. સાહિત્ય માટે આવી સામગ્રીની અનિવાર્યતા નથી. રોજના જીવન સાથે સંપર્ક રહે તે માટે વર્તમાનપત્રને એની જરૂરિયાત લગભગ અનિવાર્ય છે. શાશ્વત સાથે સંબંધ બાંધવા માટે સાહિત્યની જરૂર છે. વર્તમાનપત્રમાં જોવા મળતું શાશ્વત સાથે સંબંધ બાંધી આપનારું સાહિત્ય અપવાદરૂપ છે.
સાહિત્ય વર્તમાનપત્રથી જલકમલવત્ કદી રહી શકવાનું નથી. બીજી બાજુ સાહિત્ય વિના વર્તમાનપત્રો ખોડંગાતાં ખોડંગાતાં પણ ચાલશે, પરંતુ એમનો અવગમનનો – કૉમ્યુનિકેશનનો – ધર્મ બજાવવામાં પૂરાં સફળ નહીં થાય. આથી જ આજનાં
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૪ | સાહિત્યિક પત્રકારત્વ
વર્તમાનપત્રોએ માત્ર સમાચાર આપીને બેસી રહેવાને બદલે પોતાની વસ્તુસામગ્રીને વધુ સાહિત્યિક ફોરમ આપવા પ્રયાસ કર્યો છે. આમાં સાહિત્યસ્વરૂપોને ચુસ્ત વળગી રહેવાને બદલે પોતાની જરૂરિયાત પ્રમાણે અખબારોએ કેટલાક મૌલિક ઉમેરા ક્ય છે. આ માટે આપણાં અખબારોમાં આવતાં “આજની વાત' જેવાં સંવાદના કૉલમનું દૃષ્ટાંત જોઈએ. અહીં નાટકના સાહિત્યસ્વરૂપમાં પ્રયોજાતા સંવાદને અખબારે પોતાની આગવી રીતે ઉપયોગમાં લઈ લીધો છે. કટાક્ષલેખોમાં સમર્મ હાસ્યરસ (Humour) વિશેષ હોય છે, જ્યારે અખબારોમાં પ્રગટ થતી કટાક્ષિકાઓમાં નર્મયુક્ત વાકચાતુરી (Wit) વિશેષ હોય છે. હાસ્યલેખોમાં મનુષ્યની વૃત્તિ પર હાસ્ય હોય છે, જ્યારે અખબારમાં પ્રગટ થતી કટાક્ષિકાઓમાં તત્કાળ બનતી ઘટનાઓને વણીને વ્યક્તિ, પક્ષ કે સંસ્થા પર ઘણી વાર કટાક્ષ ફેંકાતો હોય છે. આવી જ રીતે સાહિત્યની ટૂંકી વાર્તાએ અખબારી સત્યકથા કે સમાજ કથાનું રૂપ ધારણ કર્યું છે. પોતાની મર્યાદામાં રહીને પણ સૌથી વિશેષ અખબારી નિબંધના કલાસ્વરૂપને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી કરસનદાસ માણેક, “નારદ અને વેણીભાઈ પુરોહિત જેવાઓએ જૂના આખ્યાન કે છપ્પાના પદ્યસ્વરૂપને જુદા જ હેતુ માટે વર્તમાનપત્રની સેવામાં લીધું છે. એમણે પદ્યસ્વરૂપને બદલ્યું છે એટલું જ નહીં, પરંતુ એમાં વર્તમાનપત્રને રેડ્યું છે.
પ્રજાની ભાષા જેટલી વિકસિત હોય, એટલું એનું સાહિત્ય વિકસિત હોય છે. એના પત્રકારત્વ માટે પણ આ વાત એટલી જ સાચી છે. ભાષાના વિકાસ માટે જેટલો સાહિત્યને સંબંધ છે તેટલો જ અખબારને સંબંધ છે. યુરોપના આજના સાહિત્યને વર્તમાનપત્રોએ પુષ્કળ નવીન અને આધુનિક શબ્દો આપ્યા છે. ત્યાંથી આજ કાલની નવલકથાઓ અને નાટકોમાં વર્તમાનપત્રોના શબ્દપ્રયોગોનો ઘરખમ ઉપયોગ થાય છે. કમનસીબે આપણે ત્યાં સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેનો સેતુ બરાબર રચાયો નથી.
સાહિત્ય અને પત્રકારત્વના સહિયારા ક્ષેત્રમાં આજે કટોકટી ઊભી થઈ છે. દુનિયામાં જે બની રહ્યું છે, તેને ઝીલવા માટે પ્રાદેશિક ભાષામાં અખબારો પાસે સાધનો ખૂટી ગયાં છે. એને જોઈએ તેવા શબ્દો મળતા નથી. ઉપમા, અલંકાર, કહેવતો, રૂઢિપ્રયોગો અને વાક્યરચનાઓ વગેરે જૂનાં થઈ ગયાં હોવાથી નવી પરિસ્થિતિનું પ્રતિબિમ્બ પાડવામાં તે મોળાં પડે છે. અંગ્રેજી પત્રકારત્વની શાબાશી આપવા જેવી પ્રવૃત્તિ એ છે કે, પોતાના વપરાશી શબ્દકોષની નિરંતર કાયાપલટ કર્યા કરે છે. અતિ વપરાશને કારણે ઘસાઈ ગયેલા શબ્દોને કાઢી નાખીને પ્રચલિત શબ્દપ્રયોગો, લોકબોલીના શબ્દપ્રયોગો, નવીન સાહિત્યરચનાઓમાંથી સાંપડેલા નવા શબ્દો-અલંકારો, તેમજ વિજ્ઞાનની અનેકવિધ શાખાઓના શબ્દપ્રયોગો પણ અખબારી ભાષામાં લેવાય છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ ૧૨૫ પત્રકારો પોતે પણ નવા શબ્દો યોજતા હોવાથી અંગ્રેજી અખબારોની ભાષા હંમેશાં તાજી, ફો૨મદાર અને બળકટ લાગે છે, જ્યારે ગુજરાતી વર્તમાનપત્રોની ભાષા આ રીતે વિકસી શકી નથી.
આમાં પણ વિજ્ઞાન, ટેક્નૉલૉજી, અર્થશાસ્ત્ર વગેરેએ આપણી ભાષાકીય કટોકટી ઘણી વધારી દીધી છે. માનવીએ પહેલી વાર એવરેસ્ટ શિખર પર આરોહણ કર્યું કે કમ્પૂચિયામાં હૃદયવિદારક દુષ્કાળ પડ્યો – જેવા બનાવોને તો જૂનાં ભાષાકીય સાધનોથી કંઈક ન્યાય આપી શકાય, પરંતુ આજકાલની દુનિયામાં મોટો ભાગ તો વિજ્ઞાન, ટેક્નૉલૉજી, અર્થકારણ, મેડિસીન વગેરે રોકે છે. આ માટે આપણી પાસે શબ્દભંડોળ નથી. જેમ કે કાનૂની ભાષામાં ‘Aims and Objects', અર્થશાસ્ત્રમાં એક બાજુ ‘Inflation' અને બીજી બાજુ ‘Stagnation' થતું હોય તો એને માટે અંગ્રેજીમાં ‘Stagflation' શબ્દ મળે છે. એનો ગુજરાતી પર્યાય શો ? આવી જ રીતે વિજ્ઞાનમાં ‘Fast Breeder Reactor' શબ્દ છે.
એવી જ રીતે ભારતે જાહેરાત કરી કે અણુશક્તિમાં ભારત ‘Blast’ કરશે, પરંતુ ‘Explosion’ નહીં કરે. આને ગુજરાતીમાં શું કહીશું ?
Teach-in, Black Power, Appeal, Streaking, In-put, Knowhow જેવા શબ્દો વિજ્ઞાનના નથી છતાં ગુજરાતીમાં એને બંધબેસતા શબ્દો હજુ ઉપસાવી શકાયા નથી.
આવા અનેક શબ્દો અંગ્રેજીમાં સર્જાયા છે અને પ્રચારમાં આવ્યા છે. એનો સર્જનાત્મક સાહિત્યમાં પણ ઉપયોગ થાય છે. વળી એક વિષયની પરિભાષાનો પ્રયોગ બીજા વિષયનું નિરૂપણ કરતી વખતે કરવામાં આવે છે, જે આપણે ત્યાં થતું નથી.
આપણા સાહિત્યે વર્તમાનપત્રનો આ અભાવ ઓછો કરવા પ્રયત્ન કરવો જોઈએ. જો સાહિત્ય પાસેથી વર્તમાનપત્રોને નવા નવા શબ્દો અને નોખી નોખી અભિવ્યક્તિ જેવા ઓજારો નહીં મળે તો અખબારો ગમે એવા અને ગમે ત્યાંથી શબ્દો લઈને એમનું કામ આગળ ધપાવશે અને ધપાવે પણ છે. આને પરિણામે અખબારની ભાષા બેડોળ બનવા લાગી છે.
બીજી બાજુ અખબારોએ પણ સાહિત્યનો વધુ ને વધુ સંપર્ક કેળવવાની જરૂ૨ છે. સાહિત્યનો સંપર્ક અખબારનું સ્વરૂપ સફાઈદાર રાખવામાં અને ભાષાને સંમાર્જિત કરવામાં ઉપયોગી થાય છે. કોઈ સ્થળે બૉમ્બમારો થયો, તે જ મોટો બનાવ નથી, પરંતુ કોઈ નવું પુસ્તક લખાયું એ પણ બનાવ છે. કાવ્ય કે નાટક્ના ક્ષેત્રે કોઈ નવો પ્રયોગ થયો એ પણ એક મોટી ઘટના છે. વર્તમાનપત્ર આની ઉપેક્ષા કરે તો સાહિત્ય
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૬ - સાહિત્યિક પત્રકારત્વ
કરતાં વર્તમાનપત્રને વધુ નુકસાન થશે. વર્તમાનપત્ર સાહિત્યને કાચી સામગ્રી પૂરી પાડે છે, તો વર્તમાનપત્રને વિકસવા માટે ભાષાને ધારદાર રાખવા માટે, એનું કૉમ્યુનિકેશન સચોટ બની રહે તેટલા માટે સાહિત્યમાંથી પ્રેરણા લેતા રહેવું જોઈએ. માણસના સાચા મિજાજને સમજવા માટે પણ સરજાતા સાહિત્યનો સતત સંપર્ક જરૂ૨નો છે. આજે આ બંને વચ્ચે અળગાપણું હોવાથી શિષ્ટ સાહિત્યકૃતિઓની ભાષા અને અખબારી ભાષા વચ્ચે અંતર વધતું જાય છે, જે કોઈ રીતે ઇષ્ટ નથી. આ અંતરને નિવારવાનો એક માર્ગ વર્તમાનપત્રોમાં સાહિત્ય વિભાગને મહત્ત્વ મળે ને પ્રત્યેક જાગ્રત વર્તમાનપત્ર તે વિભાગને ગાજતો રાખે એ છે.
આ પરિસંવાદનો હેતુ મિત્રભાવે આ કટોકટી વિશેની સભાનતા જગાડવાનો છે, કારણ કે સાહિત્ય અને પત્રકારત્વને એકબીજા વિના ચાલવાનું નથી અને તેઓ પોતાનું દારિદ્રચ કોઈ પણ ત્રીજા સાધન વડે ફેડી શકે તેમ નથી.
હિન્દુસ્તાન પર ત્યારે ગાંધીજીનો પ્રભાવ હતો. નવી હવા ભારતવર્ષમાં ત્યારે ફેલાતી હતી, એ હવાની પ્રે૨ક લહે૨ આપણાં અખબારોને ત્યારે ડોલાવતી હતી. નવા શબ્દો ત્યારે આવતા હતા. નવી વાણી ત્યારે ફૂટતી હતી. ગુર્જરગિરાની અનેક છૂપી સ૨વાણીઓ ત્યારે, કોઈક ધસમસતા ધોધ સ્વરૂપે બહાર પડવાને ધસતી હતી. કોઈ દિવસે નહીં એટલા જોરપૂર્વક ‘શબ્દોનું સામર્થ્ય' ત્યારે લોકસમૂહને પકડતું હતું.
શબ્દોનું સામર્થ્ય ! શબ્દોએ તો અનેક ઉલ્કાપાતો કર્યા છે.... ગાંધીયુગના રાષ્ટ્રવાદે સ્વાધીનતાના નવા શબ્દોનું સર્જન કર્યું અથવા તો, ગુલામીના પટાંતરો ખેંચીને, એ યુગની નૂતન શક્તિઓએ, ઢંકાયેલા શબ્દોને બહાર ખેંચ્યા ને ગુજરાતના દિલમાં નવા દીવાઓ ચેતી રહ્યા.
ગાંધીયુગના આ ‘નવા શબ્દો' અને અસહકારના ઐતિહાસિક જમાનાના એ નવીન ભાષાપ્રયોગો ગુજરાતનાં વર્તમાનપત્રોને પાને ચઢચા ને એ પત્રોનાં પુરાણાં સ્વરૂપો ઝાંખાં પડ્યાં. સારું થયું કે રાજદ્વારી પૂર આવ્યાં ને નવા યુગનાં વર્તમાનપત્રોને મહાપરાણે વળગી રહેવા મથતાં એ જર્જરિત પટકુળો ગઈ કાલની ગુજરી બન્યાં. સામળદાસ ગાંધી (ગુજરાતી સાહિત્ય પરિષદ - તેરમું અધિવેશન : પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી)
---
Page #128
--------------------------------------------------------------------------
________________
સાહિત્યેતર વિષયો ૧૯
a નિરંજન પરીખ વર્તમાનપત્રો વગર આધુનિક વિશ્વનું અસ્તિત્વ શક્ય નથી. આપણું આધુનિક વિશ્વ કેવું છે ? અને આપણાં વર્તમાનપત્રો કેવાં છે? ઝડપથી પરિવર્તન પામી રહેલા આપણા સમાજમાં તત્કાળ તૈયાર કરી શકતા આહાર, તત્કાળ કેળવણી, તત્કાળ માહિતી અને જ્ઞાનપ્રસારણ તેમજ તત્કાળ અસ્તિત્વમાં આવતાં નગરો તો જાણે રોજિંદી ઘટના બની ગઈ છે.
નવ સમાજરચનાને વરેલો ભારત દેશ ઔદ્યોગિકીકરણ અને આધુનિકીકરણના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારત પણ ઝડપથી અસ્તિત્વમાં આવતી અવનવી મનો-આર્થિક નીપજોથી મુક્ત રહી શકે નહીં.
મનો-આર્થિક નીપજ ઝડપથી સર્જાતી અને વિલાતી રહે છે. એના અલ્પકાલીન અસ્તિત્વની છાપથી, એની અસરથી આપણી ચેતના સતત ભભૂકતી રહે છે. બાહ્ય વાસ્તવિકતાની છાપના પરિણામે દરેક વ્યક્તિના મસ્તિષ્કમાં આ વિશ્વ અંગે એનું પોતાનું માનસ-સ્વરૂપ રમતું રહે છે. જેમ જેમ મનો-આર્થિક નીપજ બદલાતી રહે, જેટલી ઝડપથી બદલાતી રહે એટલી ઝડપથી માનવીના મનમાં રહેલી વિશ્વ વિષેની છાપ બદલાતી રહે છે. જૂની સમજ તૂટતી જાય છે, નવી સમજ સર્જાતી જાય છે – અને તે પણ અલ્પકાળ માટે જ.
સમૂહ માધ્યમોએ આપણી વિશાળ પૃથ્વીને વિશ્વગામમાં ફેરવી નાંખી છે. ઝડપી સંપર્ક વહેવારે અને એમાંય વળી માનવસર્જિત સુસંકલિત અને હેતુલક્ષી સંપર્ક સંદેશાના વહેવારે એક વિશિષ્ટ “માનવલોક' સર્યું છે. વર્તમાનપત્રનો સુસંકલિત અહેવાલ કે હેતુલક્ષી સંદેશાવાળી જાહેરાત લોકમાનવ પર અલ્પ, કે દીર્ઘ અસર નિપજાવે છે. તેની ચેતનાને ભભૂકતી રાખે છે. વર્તમાનપત્ર વાંચતો કે વાંચી શકતો માનવી રોજના આવા હજારો શબ્દોને વાચ-સ્પર્શ કરતો હોય છે. એમાંથી કેટલાય શબ્દો-સંદેશાઓ- એની ચેતનાને ભભકાવી જૂની સમજ તોડી, નવી સમજ સર્જતા હોય છે – ગૂંચવાડો પણ સર્જાતો હોય છે. પરંતુ અત્યાર સુધી ધીમી ગતિથી ચાલી આવેલા સમાજના માનવીનું મસ્તિષ્ક આટલી ઝડપથી સર્જાતી કે વિલાતી સમજ માટે સમર્થ નથી.
આ વિશ્વ અંગે કે આપણાં રોજિંદા જીવનનાં જ્ઞાન કે સમજને આવરી લેતાં પુસ્તકો ! – સાહિત્યનું આયુષ્ય પણ, રોજેરોજ ઝડપથી બદલાતી જતી સમાજના
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૮ | સાહિત્યિક પત્રકારત્વ
કારણે અલ્પકાલીન બની ગયું છે. લોક-માનવ પાસે ફુરસદ હોતી નથી. તે પોતાના જીવનાધિકારને–અસ્તિત્વને પણ ભોગવી શકતો નથી. અમુક ચોક્કસ મર્યાદિત ઉપયોગિતાની ધ્યેયપ્રાપ્તિ સિવાય તે પોતાના અસ્તિત્વને પણ માણતો નથી–મનાવતો નથી. પરિણામે સરળ ભાષામાં કઠણ જ્ઞાન અને સમજ તેમજ માહિતીનું પ્રસારણ કરતાં વર્તમાનપત્રો પુસ્તકોનું સ્થાન લઈ રહ્યાં છે અને અલ્પાયુષી બની ગયેલાં પુસ્તકો વર્તમાનપત્રોમાં ખપવા માંડ્યાં છે.
આપણાં વર્તમાનપત્રો પર નજર માંડીએ તો એ વિજ્ઞાપનપત્રો દેખાવા માંડે છે. દૃષ્ટાંત તરીકે એક વર્તમાનપત્રના એક સપ્તાહના ૧૦૦ પાનાંના ઉત્પાદન પર નજર ફેરવીએ તો ૬૦થી ૭૦ પાનાં વિજ્ઞાપનોથી છલકાતાં દેખાય છે. પરિણામે વર્તમાનપત્ર ઉદ્યોગનો “સ્વાતંત્રમોહ', વિજ્ઞાપનના ઉદ્યોગના સ્વાતંત્ર્ય તરીકે નજરમાં ખેંચવા માંડે છે.
વર્તમાન નિર્ભીક રીતે પ્રગટ કરવા માટે મળેલું સ્વાતંત્ર્ય નભાવવા વિજ્ઞાપનો પ્રગટ કરતો વર્તમાનપત્ર ઉદ્યોગ વિજ્ઞાપનના પ્રકાશનમાં કેવી આઝાદી માણે છે ? લોકહિતના રક્ષણને દૃષ્ટિમાં રાખીને વર્તમાન પ્રગટ કરવાનો, સ્વાતંત્ર્ય આગળ ધરવાનો દાવો કરનારાઓ વિજ્ઞાપન પ્રગટ કરવાની પસંદગીમાં નીચી મૂછ ધરાવે છે. લોકમત જાગ્રત કરવાની ફરજ બજાવતાં વર્તમાનપત્રો વાસ્તવમાં તો લોકહિતનું ભક્ષણ કરતાં વિજ્ઞાપનપત્રો જ બની રહે છે.
વર્તમાનપત્રોમાં વિસ્તારવાદી મનોવૃત્તિ ધરાવતી વિજ્ઞાપનો વિશે એટલી ચોખવટ તો કરવી જ રહી કે વિજ્ઞાપનોની બાબતે કોઈ સ્વતંત્રતાનું પાલન થતું નથી – અરે વિજ્ઞાપનની સ્વતંત્રતા માટે કોઈ આગ્રહી પણ થતું નથી. વાંધાજનક વિજ્ઞાપનોને લગતા ૧૯૫૪ના ધારાનો છડેચોક ભંગ કરીને ધોળે દહાડે દેખા દેતી વિજ્ઞાપનોના કારણે લોકો લૂંટાય છે–છેતરાય છે–રહેંસાઈ જાય છે.
લગ્ન પહેલાં અથવા પાછળથી, તાકાત અને જવાનીની ભરપૂર ખુશીઓ માટે”, “સંતાનપ્રાપ્તિ તથા સંતતિનિયમન માટે....”, “બોલતો પથ્થર- નેપોલિયનની હાર”, “ભેટ થાપણ ૪થો ડ્રો” વગેરે શીર્ષકોવાળી વિજ્ઞાપનો, ચીટકુંડ, બેનિફિટ ફંડ, શબ્દરચના હરીફાઈ, વરલી મટકાના આંકની વિજ્ઞાપનો, પરદેશમાં નોકરી અપાવવા માટે રાતોરાત છપાતી વિજ્ઞાપનો દ્વારા લોકો ધોળે દહાડે લૂંટાય છે. વિજ્ઞાપનના નામે, જડીબુટ્ટીઓના નામે ખોટી ચમત્કારિક દવાઓની વિજ્ઞાપનો પ્રગટ કરવા માટે વર્તમાનપત્રના સ્વાતંત્ર્યનો, વ્યાપારઉદ્યોગના સ્વાતંત્ર્યનો, દુરુપયોગ વિજ્ઞાપનો દ્વારા જ થાય છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
સાહિત્યેતર વિષયા D ૧૨૯
રોજિંદા જીવનના વહેવારોમાં રાજકારણ, અર્થશાસ્ત્ર, વ્યાપારઉદ્યોગ, વિજ્ઞાન, કળા, રમતગમત, મનોરંજન, સામાજિક સંસ્થાઓની પ્રવૃત્તિઓ, કાયદો અને વ્યવસ્થા, ધર્મ, સંરક્ષણ, મજૂ૨પ્રવૃત્તિ, ગુનાખોરી, જ્યોતિષ, કૌભાંડોની છણાવટ, ચારિત્ર્યખંડન વગેરે વિષયો વર્તમાનપત્રોમાં પ્રગટ થાય છે. (ઘડીભર માની લઈએ કે વાર્તા, નવલકથા, કવિતા, નાટકો વગેરે વર્તમાનપત્રોમાં પ્રગટ થતા નથી – અને થાય છે તોપણ જાહેરાત કરતી હોય તેવા ટીકાટિપ્પણી સાથે પ્રગટ થતાં હોય છે.) તોપણ વર્તમાનપત્ર એ સાહિત્ય નથી એમ કહેવું એ સહેલું નથી.
વર્તમાનપત્રોનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે – વર્તમાનપત્રો ઊંડી સૂઝથી જીવનના નિકટતમ સ્પર્શ-વર્તુળમાં આવી રહ્યા છે. સાહિત્યનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. કલ્પના કે ભભકાના વાઘા ઉતારી એ પણ જીવનને સ્પર્શતું બન્યું છે.
મોટા ભાગે રાજકારણ અને રાજકારણીઓને ચગાવતાં-પછાડતાં વર્તમાનપત્રો સમાજની જરૂ૨ પ્રમાણે રાજકારણને પ્રકાશમાં લાવી શકતાં નથી. રાજકારણીઓના વર્તમાન રોજિંદા રાજકારણમાંથી ઊંચાં આવતાં વર્તમાનપત્રો શુદ્ધ રાજ્યશાસ્ત્રની દૃષ્ટિએ નવી પેઢીના ભવિષ્યને ભૂતકાળની પેઠે જ ચૂકી જાય છે. લાખ્ખો વિદ્યાર્થીઓના અભ્યાસની જરૂરિયાત, સામાન્ય માનવીની સમજ માટેની ભૂખ, ભાવિ નેતાઓ માટે માર્ગદર્શન – પ્રેરણાની જરૂરિયાત, લોકમતને નજ૨માં ૨ાખી કેળવણીવિષયક રીતે રાજકારણ પર પ્રકાશ ફેંકવાની ફ૨જ બજાવતું વર્તમાનપત્ર જોવાનું નસીબ હજુ બાકી છે. અર્થશાસ્ત્રની બાબતે પણ આવી જ હાલત છે.
રાજકારણના વર્તમાન વિષે એટલું જરૂ૨ કહેવું જોઈએ કે એ વિજ્ઞાપન જેવા દેખાય છે – ત્યારે હેતુલક્ષી રાજકીય વર્તમાન વાસ્તવમાં વિજ્ઞાપન તરીકે પ્રગટ થાય છે ! એ કેમ વિસરાય !
બીજા વિષયો, તજ્જ્ઞોના વિષયો અંગે વાત કરતાં એક નિરીક્ષણ કરી લેવું જોઈએ કે વિશિષ્ટ જ્ઞાન એટલે કે વિજ્ઞાનની સમજ આપતા વિષયો સનસનાટીભરી રીતે પ્રકાશન પામતા હોય છે – કેટલીક વખત તો હવામાનના વૈજ્ઞાનિક સમાચારો જ્યોતિષીઓની આગાહીની માફક પ્રગટ થાય છે. તો-વળી જ્યોતિષ જેવા વિષયો વૈજ્ઞાનિક દાવા સાથે પ્રગટ થાય છે. વિજ્ઞાનના પરિણામે આપણી સમજ મૂળમાંથી બદલાઈ રહી છે – આપણું વર્તન બદલાઈ રહ્યું છે ત્યારે વિજ્ઞાનને પણ ચમત્કારમાં ખપાવવાની આપણી આદત બદલાતી નથી. ઊલટાનું એવું જોવા મળે છે કે ચમત્કારને વૈજ્ઞાનિક કારણોથી સમજાવવામાં આવે છે.
વર્તમાનપત્રો આપણા રોજિંદા માનસિક જીવનને ઘડે છે. લોકજીવન અંગેની
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૩૦ | સાહિત્યિક પત્રકારત્વ આપણી ચેતનાને ભભૂકતી રાખે છે. હાલના યુગમાં વર્તમાનપત્રોનું પ્રભુત્વ વિશેષ છે. સાહિત્યેતર વિષયોનું જ્ઞાન તજૂ જ્ઞોની જટિલ ભાષામાં જકડાયેલું ન રહે અને સાદી સરળ ભાષામાં એ જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનું કાર્ય વર્તમાનપત્રો બજાવે છે. વિશિષ્ટ કે જટિલ ભાષામાં જકડાયેલ જ્ઞાન-માહિતી લોકો સુધી પહોંચાડીને આપણી સંસ્કૃતિ બદલવાનું અને રૂપાંતર પામી રહેલી આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ રજૂ કરવાનું કાર્ય વર્તમાનપત્રો બજાવે છે. લોકસંસ્કૃતિની અદ્ભુત અનુભૂતિ પામવાનું સાધન વર્તમાનપત્રો છે.
સામાજિક પરિવર્તન અને ઔદ્યોગિકીકરણ પામી રહેલા દેશોમાં વ્યાપાર અને ઉદ્યોગોની સાથોસાથ કળા, વિજ્ઞાન, રમતગમત અને મનોરંજનનું પણ વ્યવસાયીકરણ થવા પામ્યું છે. શહેરોમાંથી પ્રગટ થતાં વર્તમાનપત્રોનું શહેરીકરણ થયું છે એમ માનવું ભૂલભરેલું છે – કારણ કે વર્તમાનપત્રોનું મૂળ સ્વરૂપ જ રાષ્ટ્રીય છે - લોકસંસ્કૃતિનું છે.
વર્તમાનપત્રોમાં રોજબરોજ પ્રગટ થતા ચિત્રવિચિત્ર અહેવાલોમાંથી એવા કેટલાયે અહેવાલો સુંદર રીતે - સુસંકલિત રીતે પ્રગટ થતા હોય છે કે જે આધુનિક માનવની - લોકમાનવીની ચેતનાને જાગ્રત કરે છે. સમાજના દૂષણો પ્રકાશમાં આણવાની સાથોસાથ ગુનાખોરીનાં દૂષણો ફેલાવા પામે છે. પરંતુ માનસિક સ્વસ્થતા જાળવતા પત્રકારો આ બાબતે સભાનતા પણ કેળવે છે. યુવાનોને હાનિકર્તા પ્રકાશનને લગતો ૧૯૫૭નો ધારો આ અંગે પૂરતી જોગવાઈ ધરાવે છે.
આમ છતાંયે જ્યારે આપણા રોજિંદા જીવન અંગેના પત્રકારના અહેવાલનું ખરું મહત્ત્વ એનું હાર્દ પામીએ છીએ ત્યારે પત્રકારને આપણે માનની નજરે જ જોઈએ છીએ. વર્તમાનમાં જે કંઈ બને તે માત્ર એ ઘટના જાણનાર થોડાક માણસોની જાણકારી પૂરતી મર્યાદિત ના રહે તે જોવાની ફરજ પત્રકારની છે. આવી ઘટનાઓ અંગેનાં પત્રકારનાં તત્કાલીન ઉચ્ચારણોની લોકમાનસ પર ઊંડી અસર પડતી હોય છે. પત્રકારના આવા શબ્દો – ઉચ્ચારણો એ જીવનના નિકટતમ દર્શનની સિદ્ધિરૂપ છે. પત્રકારનાં આવાં ઉચ્ચારણો લોકોમાં પ્રવર્તતા વિચારોને નવી દિશા સૂચવી બનતી ઘટનાઓને વળાંક પણ આપી શકે છે. રોજિંદા જીવનની ઘટનાઓ ઘાટ લઈ રહી હોય છે ત્યારે પણ પત્રકાર એટલી સભાનતા તો ધરાવતો જ હોય છે કે એના વાચક સાથીઓના મસ્તિકનાં કયાં ચક્રો એના શબ્દોથી ગતિમાન બનશે. આમ પત્રકાર યોગ્ય સમયે યોગ્ય શબ્દો ઉચ્ચારીને વર્તમાન રચવામાં સહભાગી બની રહે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
એક જ મુલ્કની બે કહાણી
0 હરીન્દ્ર દવે
નરેન્દ્ર ત્રિવેદી, નરભેરામ સદાવ્રતી, કુમારપાળ દેસાઈ તથા નિરંજન પરીખનાંઅભ્યાસપૂર્ણ અને સઘન વક્તવ્યોમાંથી ચાર વધુ વિચારવાના મુદ્દાઓ પ્રાપ્ત થાય છે : (૧) સાહિત્યકાર લોકથી વિમુખ બન્યો છે અને લોક સાહિત્યથી વિમુખ બન્યું છે
એ હકીકત સાચી છે ? સારાં સામયિકો ટકતાં કેમ નથી ? (૨) સામયિકના તંત્રી તરીકે વ્યવસાયી પત્રકારને બદલે માલિકનું નામ હોય ત્યારે
શી પરિસ્થિતિ થાય ?
સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચેનો સંબંધ કેવો, કયા સ્વરૂપનો છે ? (૪) વર્તમાનપત્રો વિજ્ઞાપનપત્રો જેવાં બની ગયાં છે, છતાં વર્તમાનપત્રો કે
સામયિકોમાંના સાહિત્યેતર વિષયો અંગે શી પરિસ્થિતિ છે ?
સારાં સામયિકો ટકતાં નથી, એમાં “સારા” અને “સામયિક' એ બંને શબ્દોની આપણી વ્યાખ્યા શી છે તે સમજવું જરૂરી છે. દુનિયાભરમાં અમુક પ્રકારનાં સામયિકો થોડો વખત ચાલીને બંધ થઈ ગયાં છે. ચોક્કસ સંસ્થાઓ કે તંત્રોની આસપાસ ઊભાં થયેલાં સામયિકો ઘણું લાંબું આયુષ્ય જોઈ શક્યાં છે. તો કેટલાંક સામયિકો તો જન્મ એ પહેલા જ બંધ પડી ગયાં છે. આ બધાનો કોઈ લઘુતમ સાધારણ અવયવ કાઢી ચોક્કસ પરિણામ પર પહોંચવાનું અશક્ય છે. પ્રયોગલક્ષી સામયિક સંશોધનલક્ષી વિદ્વાનોને ભાગ્યે જ રુચે : સંશોધનલક્ષી સામયિકો સર્જકતાલક્ષી વાચકોને મનમાં ન બેસે. સર્જકતાલક્ષી સામયિકોનો વાચક બોધક કે પ્રેરક સ્વરૂપનાં સામયિકો પસંદ ન કરે. અને ઉપર જણાવેલાં બધા જ પ્રકારનાં સામયિકોનો વાચક સર્વપ્રિય સ્વરૂપનાં સામયિકો પસંદ કરે કે ન પણ કરે. એક વાચકને ચોક્કસ સામયિક સત્ત્વશીલ અને સુંદર લાગે તો બીજા વાચકને બીજું ચોક્કસ સામયિક હાથમાં ન આવે તો ચેન ન પડે. બીજા વાચકને ગમતું ચોક્કસ સામયિક પહેલા વાચકના હાથમાં આવે તો એને સસ્તુ કહી બેસે.
સાહિત્યિક પત્રફારત્વની વાત કરીએ ત્યારે આમાંના કોઈને વિચારણાની મર્યાદા બહાર રાખી શકાય નહીં. વળી બંને પ્રકારનાં સામયિકોમાં જે મર્યાદા છે એ એક જ પ્રકારની છે. કેટલાંક પ્રયોગલક્ષી સામયિકો પશ્ચિમમાં થતા પ્રયોગોનો હૂબહૂ પરિચય આપે છે, જ્યારે કેટલાંક સર્વપ્રિય સામયિકો પણ પોતાનાં પૃષ્ઠો પરની
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૩૨ | સાહિત્યિક પત્રકારત્વ
મસાલેદાર સામગ્રી માટે પશ્ચિમનાં એ જ પ્રકારનાં પત્રો પર નજર માંડે છે. આપણે ત્યાં ઇન્વેસ્ટિગેટિવ રિપૉટિંગ પણ આપણી સર્જકતાની માફક જ પ્રાથમિક દશામાં છે. છતાં એ બંનેમાં કેટલુંક નક્કર કામ પણ થયું છે. સાહિત્યિક પત્રકારત્વની વાત કરીએ ત્યારે આનંદશંકર ધ્રુવના ‘વસંત'ની સાથે શયદાના “બે ઘડી મોજ'ની વાત કરવી જ પડે; વિજયરાજના “કૌમુદી'ની સાથે મેઘાણીના “ફૂલછાબ'ને સમાવી જ લેવું પડે.
સામયિક ચાલવા કે બંધ પડવાનો આધાર એના સ્વરૂપ પર નથી. ‘નવચેતન', કુમાર”, “સંસ્કૃતિ' જેવાં સામયિકો આટઆટલાં વર્ષોથી ટકી રહ્યાં છે કે “મનીષા', “કૌમુદી”, “ગુજરાત' વગેરે સામયિકો બંધ પડી ગયાં છે, તે વિશે પણ કોઈ સર્વસ્વીકૃત જવાબ ન આપી શકાય. કોઈ એક સામયિક ન ચાલે તો ગુજરાત નગુણું છે તેવી નિંદા કરવાની જરૂર નથી; કોઈ એક સામયિક ટકે તો ગુજરાતની સંસ્કારિતા સતર્ક છે, સજાગ છે એમ હરખાઈ જવાની જરૂર નથી. કોઈ નબળા સામયિકને સબળો સાથ હોય તો એ વરસો સુધી ચાલી શકે; કોઈ સબળું સામયિક, સબળો સાથે હોય તોપણ નબળા આયોજનને કારણે બંધ પડી જાય એ શક્ય છે. આપણાં સામયિકો કેમ ચાલ્યાં, કે કેમ બંધ પડી ગયાં તે વિશે સંશોધન જરૂરી છે. આપણાં સત્ત્વશીલ સંપાદકોનું ખમીર અને મર્યાદા બંને એમાંથી જોઈ શકાશે.
સામયિકસંચાલન પૂરા સમયની પ્રવૃત્તિ છે. એને ફાજલ સમયમાં વ્યાસંગ તરીકે અપનાવતા સંપાદકો ગમે તેટલાં સત્ત્વશીલ સામયિકો સર્જે તોપણ ટકી શકે નહીં. મુનશીના “ગુજરાતથી માંડી સુરેશ જોશીના “મનીષા' સુધીનાં સામયિકો તેનું દૃષ્ટાંત પૂરું પાડે છે. લોકપ્રિય સામયિકોનો મોટો વર્ગ છે. સઘન સાહિત્યકૃતિ રચનારાની તોલે ઘેરઘેર વંચાય એવો પ્રજાપ્રિય લેખ લખનારાનું મૂલ્ય પત્રકાર તરીકે હું ઓછું ન આંકું. સમસ્ત પ્રજા કોઈ પત્રકારને સ્વીકારે ત્યારે એ કેવળ સસ્તું મનોરંજન આપનાર ન હોઈ શકે પ્રજા સાથે તેનો સંબંધ જોડતી કોઈક વસ્તુ તેની કૃતિમાં હોવી જ જોઈએ. એટલે જ કોઈ પત્ર બંધ પડી જાય ત્યારે તેનાં કારણો સાહિત્યેતર હોઈ શકે; કોઈ પત્ર વધુ પડતું ચાલે તેનાં કારણો સાહિત્યિક પણ હોઈ શકે. એથી ઊંધું પણ શક્ય છે. આથી ગીતાનો ‘નાનુશોચિંતિ પંડિતા’વાળો બોધ સામયિકોના ટકવા, ન ટકવા વિશે લેવા જેવો છે.
સામયિકના તંત્રી તરીકે પત્રકાર સિવાયનો કોઈક હોય, એટલે કે માલિક કે માલિકનાં સ્વજનોમાંથી કોઈ હોય ત્યારે શું ?
માલિક પોતે ઘણી વાર પત્રકાર હોય છે. આપણે ત્યાં અને અન્યત્ર આવાં
Page #134
--------------------------------------------------------------------------
________________
એક જ મુલ્કની બે કહાણી [ ૧૩૩ ઉદાહરણો છે. ઉમાશંકર જોશી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. પરંતુ માલિક પત્રકાર ન હોય, કોઈ પત્રકારની શક્તિનો ઉપયોગ કરે અને પોતાનું કે પોતાના સ્વજનનું નામ તંત્રી તરીકે મૂકે ત્યારે એક જુદી પરિસ્થિતિ રચાય છે. આ પરિસ્થિતિ સાવ વિશિષ્ટ છે એવું પણ નથી. મુદ્રક-પ્રકાશક તરીકે જેમનાં નામ આવે છે તેઓ ક્યારેક તો મુદ્રણ કે પ્રકાશન વિશે કશું જ જાણતા નથી હોતા. પરંતુ તંત્રીનું નામ રાતોરાત બદલવું હોય ત્યારે તંત્રીથી જુદા અને માલિક અથવા વ્યવસ્થાપકના વિશ્વાસુ મુદ્રકપ્રકાશક હોય તે જરૂરી છે. મુદ્રક-પ્રકાશક જેમ મુદ્રણ કે પ્રકાશનના જાણકાર હોય એવું હંમેશાં બનતું નથી; એમ તંત્રી પણ હંમેશાં કાર્યવાહક તંત્રી હોય એવું બનતું નથી.
તંત્રી સ્થાને જેનું નામ ચાલતું હોય તેનામાં તંત્રસંચાલનની જો કશીયે ગતાગમ ન હોય તો ખરેખર કામ તો જે પડદા પાછળ હોય એ જ કરે એવું બને છે. ત્યારે આ હકીકત બહુ છૂપી રહેતી નથી. સામાન્ય વાચક ભ્રમમાં નથી હોતો. એ તરત જ સામયિક પાછળ કોની લેખિની કામ કરી રહી છે એ બરાબર જાણે છે. માલિકીનું નામ વ્યવસ્થાપક તંત્રી તરીકે આવે એ ઉચિત છે. જ્યારે એનું નામ કાર્યવાહક તંત્રી તરીકે આવે, ત્યારે એ પોતાના સામયિક કે વર્તમાનપત્રને થોડોક અન્યાય કરે છે. કારણ કે વ્યવસાયી પત્રકારનું નામ તંત્રી, સંપાદક કે સહતંત્રી જેવા કોઈ સ્વરૂપે આવતું ન હોય ત્યારે એનું Involvement ઘટી જાય છે જોકે બીજી તરફથી વ્યવસાયી પત્રકારનો જીવ કંઈ પણ ઓછું નીપજે એનાથી સંતોષાતો નથી. એ તો પોતાથી શક્ય એટલું ઉત્તમ પરિણામ આપવામાં જ માને છે.
માલિક પત્રકારની અસ્મિતાને પ્રગટ થવા ન દે કે એના નામને ચમકાવા ન દે, અથવા તો વ્યવસાયી પત્રકાર પોતે તંત્રી હોય ત્યારે પણ પોતાના સાથીઓનાં નામની બાઇલાઇન આપતાં સંકોચ અનુભવે એ બંને એકસરખી કમનસીબ પરિસ્થિતિ છે. વાંક માત્ર એકલા માલિકનો નથી; વ્યવસાયી પત્રકાર પોતે તંત્રી હોય ત્યારે પણ પોતાના તેજસ્વી સાથીઓના લખાણો કે અહેવાલો નામ સાથે પ્રગટ ન કરે એવા કિસ્સાઓ નોંધાયા છે. કોઈ પણ પત્રકારની અસ્મિતા આડે પડદો બનવાની આદત ખોટી છે. પછી તે માટે માલિક કસૂરવાર હોય કે પત્રકાર, બલ્ક પત્રકારજગતમાં ઊગતાં તરણાંને પણ આદરથી જોવાં ઘટે. હેનરી મિલર કહે છે એમ ક્યારે કર્યું તરણું મોટું વૃક્ષ બની બેસશે એ આપણે જાણતા નથી.
સાહિત્યકાર અને પત્રકાર બંનેને કુમારપાળભાઈએ કહ્યું તેમ ભાષાથી કામ પાર પાડવાનું હોય છે; પણ એમ તો ભાષાથી કામ લેનારાની સંખ્યા ઘણી મોટી છે. સાહિત્યકાર અને પત્રકાર આ બંને જાણે એકમેક સાથે સગાઈ જ ન હોય એમ વર્તતા
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ] સાહિત્યિક પત્રકારત્વ
જોવામાં આવે છે. સાહિત્યકારો નબળાં લખાણોને છાપાળવાં કહીને નિંદે છે અને પત્રકારો નબળાં લખાણોને સાક્ષરી કહી અવગણી કાઢે છે. સાહિત્યકાર અને પત્રકાર બંને ભાષા વડે પોતાનું સંવેદન વ્યક્ત કરે છે. ઉત્તમ પત્રકારત્વ ઉત્તમ સાહિત્યના સ્થાને આવી શકે છે. જ્હોન હસ્સનું હિરોશિમા વિશેનું રિપોર્ટિંગ ‘ટાઇમ' મેગેઝિનના એક અંક પૂરતું મર્યાદિત ન રહેતાં સર્વકાલીન મહત્ત્વની સાહિત્યકૃતિ બની ગયું છે. પત્રકાર સાહિત્યકાર હોવો જ જોઈએ એ જરૂરી નથી, પણ સાહિત્યકાર જો પત્રકારત્વની તાલીમમાંથી પસાર થયો હોય તો એની દૃષ્ટિનો વ્યાપ વધે છે. હેમિંગ્યું તો કોઈ પણ નવલકથાકારે છ મહિના પત્રકારત્વની તાલીમ લેવી જ જોઈએ એમ માનતા હતા. મને અંગત રીતે આ વાત સાચી લાગે છે. આપણાં સાહિત્યકારોને ક્રિકેટનો સ્કોર પૂછો કે અમેરિકામાં પ્રાઇમરીઝનો ઝોક કોના તરફ છે એ પૂછો કે અફઘાનિસ્તાનના પ્રશ્ન વિશે પૂછો તો હંમેશાં એની પાસેથી જવાબ મળશે જ એવી આશા રાખી શકાય નહીં. એ જ રીતે પત્રકારોને ગુજરાતી સાહિત્યમાં કયા નવા અવાજો આવ્યા એનો ભાગ્યે જ ખ્યાલ હોય છે. આ બહુ તંદુરસ્ત પરિસ્થિતિ નથી. પત્રકારત્વ સાહિત્યકારના વ્યાપને વધારે છે, એ સાહિત્ય પત્રકારત્વને ઊંડાણ આપે છે. સાહિત્ય અને પત્રકારત્વ એ બે જુદાં જુદાં ક્ષેત્રોની નહીં, પરંતુ એક જ મુલ્કની બે કહાણી છે. આ વિષય ઉપર હજુ વધુ કહી શકાય. ઝવેરચંદ મેઘાણી કે ડોમ મોરાઇસ જેવા પત્રકારોનાં ઉદાહરણો સાથે આ વાત વિસ્તારી શકાય. ભગવતીકુમાર કે રાધેશ્યામ વ્યવસાયી પત્રકારો તરીકે સુરેશ જોશી, રઘુવીર ચૌધરી, સુરેશ દલાલ, મોહમ્મદ માંકડ, શિવકુમાર જોશી, ઈશ્વર પેટલીકર, યશવન્ત શુક્લ, ચંદ્રકાન્ત બક્ષી વગેરે કટારલેખકો તરીકે કે નવલકથાકાર હરકિશન મહેતા કે વિજ્ઞાનલેખનથી આરંભ કરનારા નગેન્દ્રવિજય પ્રજાપ્રિય સાપ્તાહિકોના સંપાદકો તરીકે વિશિષ્ટ ઉલ્લેખ માગી લે છે. આ યાદી હજી પૂર્ણ નથી. આ તો અછડતાં તત્કાલ સ્મરણે ચડ્યાં તે નામો છે. પણ સાહિત્ય કે પત્રકારત્વ વચ્ચે કોઈ નાતો જ નથી એમ માનનારાઓ માટે આ યાદી એ માન્યતા તજી દેવાની પ્રેરણા કરવા માટે પર્યાપ્ત માની શકાય.
નિરંજન પરીખે મહત્ત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે. અઠવાડિયે સો પૃષ્ઠોમાંથી ૭૦ પૃષ્ઠો વિજ્ઞાપનનાં હોય ત્યારે સામાન્ય રીતે સ્વીકૃત ૬૦ ટકા વાચનસામગ્રી : ચાલીસ ટકા જાહેરખબરનું ધોરણ વિસારે પડાય છે. પણ અખબારી કાગળ દહાડે દહાડે જે રીતે મોંઘો થતો ચાલ્યો છે એ જોતા ૬૦ : ૪૦નું ધોરણ આજે બહુ કામ આપે એવું નથી, પરંતુ ૫૦ : ૫૦થી વધારે વિજ્ઞાપન આવે ત્યારે તો વર્તમાનપત્ર વિજ્ઞાપનપત્ર જ બની જાય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
એક જ મુલ્કની બે કહાણી [ ૧૩૫
કાયદા દ્વારા પ્રતિબંધિત વિજ્ઞાપનો પ્રગટ કરવામાં આચારસંહિતા ચુકાય છે તો સરકારને પક્ષે કાયદાનો અમલ જ થતો નથી. આમાં આપણે દોષ લેને દઈશું ? આપણી ભાષાના સમર્થ કવિ લાભશંકરે એક વેળા ગેરમાર્ગે દોરવતાં વિજ્ઞાપનો પર એક સુંદર નાનો લેખ લખ્યો હતો. આ રીતે પ્રજામાં જાગૃતિ પ્રગટાવી શકાય. સ્મરણશક્તિ વધારી પરીક્ષામાં પાસ કરી દેતું તાવીજ કે ધાર્યું થાય એવું યંત્ર આ દુનિયામાં હોત તો કદાચ કોઈ જ દુ:ખી ન હોત અને રાજ્યના શાસન માટેની સ્પર્ધા કૉંગ્રેસ, જનતા ઇત્યાદિ પક્ષો વચ્ચે નહીં, મંત્રશાસ્ત્રીઓ વચ્ચે થતી હોત.
આમ તો વર્તમાનપત્રો વિવેક દાખવે, સરકાર કાયદો અમલમાં મૂકે છે અને સજાગ નાગરિકો પ્રજામત જાગ્રત કરે એ સિવાય કોઈ ઉપાય રહેતો નથી.
સાહિત્યિક પત્રકારત્વના વિષય પરની આજની ચર્ચામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં અવલોકનો વિશે એકબે વક્તાએ ધ્યાન ખેંચ્યું. નગરમાં જે કંઈ સાંસ્કૃતિક ઘટના બને તેની નોંધ ભાગ્યે જ લેવાતી હોય છે. આમાં એક જ પત્રકાર અપવાદરૂપ છે. એ છે કૃષ્ણવીર દીક્ષિત. છેલ્લા ત્રણ દાયકાનો મુંબઈનો સાંસ્કૃતિક ઇતિહાસ કોઈને તપાસવો હોય તો કૃષ્ણવીર દીક્ષિતનાં લખાણો એ માટે પૂરતી સામગ્રી પૂરી પાડે છે. ભાગ્યે જ કોઈ સાંસ્કૃતિક કે સાહિત્યિક ઘટના એવી હશે જેની નોંધ કૃષ્ણવીર દીક્ષિતે ન લીધી હોય. સાહિત્યિક પત્રકારત્વની વાત કરીએ ત્યારે આ એક પત્રકારનો નામ પાડીને ઉલ્લેખ કરવો જરૂરી છે. નિષ્ઠા, વિવેક અને સચ્ચાઈ સાથે રાગમુક્ત રહીને કૃષ્ણવર દીક્ષિતે મુંબઈના સાંસ્કૃતિક જીવન માટે જે કંઈ કર્યું છે એ બીજા કોઈ પણ શહેર માટે કોઈ પત્રકારે કર્યું નથી એવું વિધાન લગાર પણ અતિશયોક્તિના ભય વિના કરી શકાય.
સાહિત્યિક પત્રકારત્વ વિશે આ ચારે વ્યાખ્યાનોમાં ઘણા નોંધપાત્ર મુદ્દાઓ રજૂ થયા છે. એમાંથી ચારેક મુદ્દાઓ પર જ આપણે થોડોક વધુ વિચાર અત્રે કર્યો છે. આ બંને શબ્દો પરસ્પર પૂરક હોય કે ન હોય, પરસ્પર વિરોધી તો નથી જ એ વાત પર ભાર મૂકીને આ ચર્ચાનું સમાપન કરું છું.
(અધ્યક્ષસ્થાનેથી કરાયેલું વક્તવ્ય - સંવર્ધિત)
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૬ સાહિત્યિક પત્રકારત્વ
પત્રકાર જેમ સર્જક છે એમ દાસાનુદાસ પણ છે જ. સ્વતંત્રતા, નીડરતા, સંયમ અને વિચારગાંભીર્ય એ પત્રકારનાં આભૂષણો છે. પત્રકારત્વ એ એક યોગ છે એ અસિધારાવત છે. યા નિશા સર્વ ભૂતાનામ્ તસ્યાનું નાર્તિ સંયમી એ ગીતાબોલ પત્રકારને યથાર્થ લાગુ પડે છે. નીડર અને સ્વતંત્ર પત્રકારત્વે વિશ્વભરમાં સ્વતંત્ર વિચારશક્તિના ઝરણાં વહેતા કર્યા છે અને દેશકાળ પણ પલટાવ્યા છે. ફૂલીફાલી ઉન્મત્ત સત્તાની અસહિષ્ણુતાને કે કાતિલ કિન્નાખોરીને એણે મસ્તક પર ઝીલી છે અને વધેરી પણ છે. એમ કરતાં કંઈક ખપી પણ ગયા હશે એમના સમર્પણમાં તૈલસિંચને એમણે પત્રકારત્વની જ્યોત ઝળહળતી રાખી છે. પત્રકારત્વનો વ્યવસાય પવિત્ર છે. કેવળ સ્વાર્થના લોભે એને ભ્રષ્ટ કરનારા કાળે કરીને પત્રકારત્વમાંથી ભ્રષ્ટ થયા છે અને થશે. મા જોઙ વીઘન પત્રકારત્વને જ વરેલા પત્રકારને માટે કર્તવ્યપાલન એ જ મોટો ધર્મ છે. એની સત્તાની, નેતાગીરીની કે મોટાઈની કુછ પરવા નથી.”
– કાલિદાસ શેલત (ગુજરાત સાહિત્ય પરિષદના ૧૮મા અધિવેશનના પત્રકારત્વ વિભાગના
પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાંથી)
Page #138
--------------------------------------------------------------------------
________________
પત્રકારત્વ : એક પડકાર
Page #139
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શ્રી પ્રતાપ શાહ – દૈનિકપત્રોનું આર્થિક આયોજન
શ્રી ભૂપત વડોદરિયા – દૈનિકોની વ્યાવસાયિક સફળતાનું રહસ્ય | | શ્રી સુદર્શનસિંહ મજીઠિયા – પત્રકારત્વના શિક્ષણના પ્રશ્નો
શ્રી શશીકાંત નાણાવટી – વ્યાવસાયિક પત્રકારના પ્રશ્નો
શ્રી નીરુભાઈ દેસાઈ - નિષ્ઠા અને ખુમારીનો રણકાર | શ્રી યશવંત શુક્લ - સમારોપ | શ્રી રઘુવીર ચૌધરી – ફલશ્રુતિ
Page #140
--------------------------------------------------------------------------
________________
ર૧
,
દૈનિકપત્રોનું આર્થિક આયોજન
0 પ્રતાપ શાહ વિશ્વની સમગ્ર વર્તમાન વ્યવસ્થાઓનો પાયો મહદ્ અંશે જ્યારે અર્થપ્રાધાન્યવાળો છે, ત્યારે બહુ સ્વાભાવિક છે કે, વર્તમાનપત્રો પણ તે જ પોતાના હેતુઓને સારી રીતે પાર પાડી શકે, જે વર્તમાનપત્રો આર્થિક રીતે પગભર હોય ! વર્તમાનપત્રોની આવી આર્થિક નિર્ભરતા માટે, જે અન્ય ઉદ્યોગોને તેનું ઇન્ફાસ્ટ્રક્ટર જેવું કે મૂડી, કાચો માલ, જમીન, પાણી, વીજળી, વેચાણ વ્યવસ્થા વગેરે હોય છે, તેમ અખબારી ઉદ્યોગ માટે પણ તેનું ઇન્ફાસ્ટ્રક્ટર હોવું જરૂરી છે. આમાં મૂડી એ મહત્ત્વની વસ્તુ હોવાનું સ્વીકાર્યા વિના ચાલવાનું નથી.
આમ છતાં એક વાત લક્ષ બહાર જવી જોઈએ નહીં કે અખબારી વ્યવસાય એ મૂડીપ્રાધાન્ય વ્યવસાય હોવા છતાં બીજા ઉદ્યોગોના કરતાં તેની સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી સવિશેષ છે અખબાર એક પ્રકારનો પ્રહરી છે. જનમાનસનું અને લોકશાહીનું, લોકશિક્ષણનું તે એક સબળ માધ્યમ છે. આ દૃષ્ટિએ અર્થપ્રધાનતાવાળા આ યુગમાં આ ક્ષેત્રે તે વાતની સાવચેતી રાખવી રહી કે વર્તમાનપત્રો કેવળ ઉદ્યોગ ન રહે ! તેના ઉપર ઇજારાશાહીના, એકહથ્થપણાના કે મૂડીવાદી હોવાના આક્ષેપો ન આવે એટલું જોવું જ રહ્યું.
આ એટલા માટે વિચારણીય છે કે, પ્રેસ એ લોકશાહીમાં સત્તાનું ચોથું માધ્યમ મનાતું હોવાથી, મૂડીવાદી લોકો પોતાની મૂડીની સલામતી માટે કે રાજકીય આગેવાની માટે વર્તમાનપત્રો ઉપર પોતાનું આધિપત્ય હોય તો સારું, એવું ઇચ્છે તે બહુ સહજ મનાય. દેશમાં બહુ મોટા પ્રમાણમાં નહીં, તો સારા પ્રમાણમાં પણ આવું બનતું રહ્યું છે કે કેટલાક ધનપતિઓ વ્યક્તિગત રીતે કે કોર્પોરેશન રચીને અખબારી આધિપત્ય માટે પ્રયત્નશીલ રહ્યા છે. બીજી બાજુ સરકાર આવું એકહથ્થુપણું ન વધે તે જોવા પ્રયત્ન કરતી રહી છે. છેક ૧૯૫૨-૫૩થી આવા છૂટાછવાયા કે અછડતા પ્રયાસો સરકાર દ્વારા થતા રહ્યા છે, પરંતુ તેમાં ભારોભાર નિષ્ફળતા જ મળી છે.
મારું કાર્યક્ષેત્ર લઘુ અને મધ્યમ અખબારો પૂરતું મર્યાદિત છે. અહીં મારો જે વિષય છે તે છે : “દૈનિકપત્રનું આર્થિક આયોજન”. જેમાં લઘુ અને મધ્યમ ઉપરાંત મોટાં દૈનિકપત્રો પણ આવી જાય. મોટાં અખબારો અંગે હું કંઈ લખું તે “અનધિકાર ચેષ્ટા' મનાશે. આનો અર્થ એવો નથી કે એમના સમક્ષ આર્થિક સમસ્યાઓ નહીં હોય ! હોવાની જ. પણ તેને ઉકેલવાનાં બળ અને સૂઝ પણ તેમની પાસે હોવાનાં. એટલે તે પરત્વે ચર્ચા કરતાં મધ્યમ અને નાનાં દૈનિકપત્રોની આર્થિક બાજુ વિષે જ ચર્ચા કરીએ.
અખબારોના આર્થિક આયોજનનો વિચાર કરતી વખતે સૌપ્રથમ પ્રિન્ટિંગનાં સાધનોનો વિચાર કરવો પડે. એક જમાનો એવો હતો ખરો, જ્યારે છાપું કાઢવા માગતા બુદ્ધિજીવી પત્રકારો કે સંપાદકો છાપકામ બીજે કરાવીને પોતાનું પત્ર આ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૪૦
] પત્રકારત્વ : એક પડકાર
ક્ષેત્રીય આવડતના કારણે ચલાવી શકતા હતા. પરંતુ એ જમાનો આજે રહ્યો નથી. આજે પ્રિન્ટિંગ મશીનરી જ નહીં, પણ તે વિદેશી સાધનો સાથે સરખાવી શકાય તેવાં સાધનો વિનાનાં વર્તમાનપત્રોને ટકી રહેવાનું દિવસે દિવસે કઠિન બનવા લાગ્યું છે. જે પ્રિન્ટિંગ મશીનો બીજા દેશે ભંગાર ગણીને કાઢી નાખ્યાં છે, અને જેનું ઉત્પાદન પણ છેલ્લાં દશ વર્ષ જેટલા સમયથી બંધ કરી દેવાયું છે, તેવાં પ્રિન્ટિંગ મશીનોનો ઉપયોગ આપણા મધ્યમ અને લઘુ અખબારો કરી રહ્યા છે. આવાં અખબાર સામે વિકટ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તેનો ફેલાવો ૨૦-૨૨ હજાર કરતાં વધે છે. ૨૦૨૨ હજારના ફેલાવા સુધી તો પોતાનું છાપકામ દોઢ-બે લાખની કિંમતના પ્રિન્ટિંગ મશીન દ્વારા કરી શકાતું હતું. પરંતુ ૨૨ હજારથી વધવા સાથે જ તેનું “ફ્લેટ બેડ રોટરી કામ આપી શકતું નથી, અને જો તેણે પોતાના વિકાસને જારી રાખવો હોય તો તેને સીધા ૧૫-૨૦ લાખના ખર્ચે ઓફસેટ સ્પીડો અથવા બીજાં સાધનો વસાવવાં પડે છે. આવી મોટી રકમ ઊભી કરવાનું કામ તેની સામે એક સમસ્યા બની રહે છે.
હાથ-કમ્પોઝ દ્વારા ચાલતા નાના કે મધ્યમ વર્તમાનપત્રને પોતાનાં સારાં અને સુરુચિભર્યા લખાણો માટે સ્વચ્છ અને સુઘડ છાપકામ સારુ, હવે મોનો કે લાઇનોટાઇપ મશીનો ચાલે તેમ નથી. હવે તો ઓફસેટ કૉપ્યુટર આવી ગયાં છે. જોકે પરદેશમાં આ બંને પ્રકારો મોનો અને લાઇનો જૂના જમાનાના બની ગયા છે, પરંતુ તેની ખરીદ પણ ૬-૭ લાખથી ઓછામાં થઈ શકતી નથી. તેથી આવાં નાના કે મધ્યમ કક્ષાનાં અખબારોની આર્થિક પરિસ્થિતિ સાથે ભાગ્યે જ સુસંગત મનાય. વળી એ બધું પણ અદ્યતન ટેક્નોલોજીની દૃષ્ટિએ તો આઉટ ઑફ ડેટ જેવું છે. સારું અને આધુનિક પ્રિન્ટિંગ બનાવવું હોય તો ફોટો કમ્પોઝિંગ કે ઓફસેટ પ્રિન્ટિંગ અપનાવવું રહે. પરંતુ તે માટે તો ૨૫-૩૦ લાખની જોગવાઈ કરવી રહે, તે આજની પરિસ્થિતિમાં નાનાં કે મધ્યમ અખબારો માટે શક્ય જ નથી.
આજથી લગભગ ૧૫ વર્ષ પહેલાં ૧૯૮૫માં ન્યૂઝપ્રિન્ટનો ભાવ ટન દીઠ રૂ. ઉ000/- આસપાસ હતો, એ આજે રૂ. ૨૨,૦૦૦ જેટલે પહોંચ્યો છે. બીજી બાજુ ફેલાવો વધારવો હોય તો પાનાં વધુ આપવાં જોઈએ, જેથી વાચકને પસ્તીમાંથી મળતું વળતર લક્ષમાં લેતાં છાપું સસ્તું લાગે, આવું કરી શકે તે જ અખબાર ફેલાવો વધારી શકે. ફેલાવો વધતાં પગભર બની શકે અને સાથે પ્રતિષ્ઠિત પણ બની શકે. પરંતુ આવું ત્યારે જ શક્ય બને, જો તેને જાહેરખબરો વધારે મળે. જે અખબાર જાહેરખબરો મેળવી શકે તે જ અખબાર વધુ પાનાં આપી શકે. ઓછી જાહેરખબર અને વધુ પાનાં આપવાનું ન્યૂઝપ્રિન્ટના ઊંચા ભાવના કારણે પોષાય નહીં. (૪૦ પૈસામાં ૧૨ પાનાં સામે ૩૦ પૈસામાં ૯ પાનાં આપતા અખબાર શી રીતે સ્પર્ધા કરી શકે ?) આ પરિસ્થિતિના નિરાકરણ માટે “પ્રેસ કમિશન” અને “ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી ઓન ન્યૂઝપેપર ઇકોનોમિક્સ' જે કંઈ સૂચવી ગયા છે તે આજના સંદર્ભમાં જૂનું થઈ ગયું છે. આજે તો એક પ્રકારનો ઉદારતાવાદ (લિબરાઇલેશન) અને તેમાંથી ઊભાં થતાં હરીફાઈનાં તત્ત્વોને નજરઅંદાજ કરી શકાય નહીં. અહીં મોટું માછલું નાના માછલાને
Page #142
--------------------------------------------------------------------------
________________
દૈનિક પત્રોનું આર્થિક આયોજન [ ૧૪૧
ખાય તે પરિસ્થિતિ ધીમે ધીમે ઊભી થતી જાય છે. આમાં વળી ઇલેકિટ્રક માધ્યમ આવતાં એ પણ જાહેરખબર આવકમાં એક મોટું હરીફ બની ગયું છે. મોટા ભાગની કન્ઝયુમર્સ ચીજોની જાહેરખબરો ટી.વી. માધ્યમોમાં ચાલી ગઈ છે. એમાં તો મોટાં અખબારોને પણ સહન કરવું પડે તેમ છે. પરંતુ એક આશાનું કિરણ પણ અહીં છે. તે એકદમ જિલ્લા કક્ષાનાં અખબારોને મળતી સ્થાનિક જાહેરખબરોથી જિલ્લા કક્ષાનાં અખબારોને ટકવા માટેની એક આશા છે.
આજે એક બાજુ ન્યૂઝપ્રિન્ટની ઉપરનો અંકુશ લગભગ નાબૂદ થાય તેવું જ છે. ત્યારે ન્યૂઝપ્રિન્ટની બાબતમાં જે થોડીક સગવડો નાનાં અખબારોને મોટાં કરતાં વધુ મળતી હતી તે અત્યારે બિલકુલ નથી.
અખબારી અર્થકારણની ત્રીજી બાજુ છે – જાહેરખબર. એ જેટલી વધુ તેટલું તે અખબારનું અર્થતંત્ર મજબૂત. ત્રણ-ચાર સમિતિઓ અને કમિશનોએ જાહેરખબરને લગતાં વિવિધ પાસાંઓ તપાસ્યાં પછી સરકારને કરેલી ભલામણોને આધારે, દેશી ભાષાનાં અખબારોને આ બાબતમાં પ્રાધાન્ય આપવાની સરકારે નીતિ અપનાવેલી હોવા છતાં અંગ્રેજી ભાષાનાં અખબારોને દેશી ભાષાનાં અખબારોનાં કરતાં જાહેરખબરોના ઊંચા ભાવ અપાતા રહ્યા છે. સરકારી નીતિ અને રાષ્ટ્રીય નેતાઓનું દેશી ભાષાનાં અખબારો તરફ સહાનુભૂતિભર્યું વલણ હોવા છતાં, નોકરશાહીમાં આઈ.એ.એસ. કક્ષાના અમલદારોના મનમાં અને વ્યવહારમાં અંગ્રેજી ભાષાનું જે મહત્ત્વ અને પ્રભુત્વ રહ્યું છે, તે કારણે અંગ્રેજી ભાષાનાં અખબારો પ્રત્યે આવું વલણ રહ્યું છે અને સરકારની નિર્ધારિત નીતિનો અમલ પણ કંઈક ઊણો રહેતો આવ્યો છે. જાહેર સાહસો પર તેમનું પ્રભુત્વ હોવાથી, જાહેર સાહસો અને જાહેરખબરો પણ દેશી ભાષાનાં કરતાં અંગ્રેજી ભાષાનાં અખબારો તરફ ઝોકવાળી રહી છે. ઉપરાંત મોટા ઉદ્યોગપતિઓ અને અંગ્રેજીમાપી અખબારો સાથે સીધી કે આડકતરી સંકળાયેલા હોઈને તેમનાં આર્થિક અને રાજકીય આધિપત્યના કારણે જાહેરખબરો પર તેમનો અંકુશ રહે તેથી તેમનું લક્ષ પણ પોતાનાં અખબારો કે માસ-મિડીયા પર પોતાનો અંકુશ વધુ રાખવાના ઇરાદાથી જાહેરખબરોનું વલણ મોટા અખબારો તરફ રહે, તેવું કરતા રહેતા હોય છે.
વળી, એ વાત એટલી જ સહજ અને સાચી છે કે, જેમને પોતાના માલની પ્રતિષ્ઠા કે વેચાણ વધારવું છે, તેઓ પોતાની જાહેરખબર જે અખબારોનો વાચકવર્ગ મોટો હોય તેમાં જ આપવાનું પસંદ કરવાના. આ સમસ્યા પણ નાના અને મધ્યમ કદનાં અખબાર સમક્ષ જાહેરખબર ક્ષેત્રે રહેવાની. આમ છતાં એ નોંધવું રહ્યું કે, દેશી ભાષાનાં નાના અને મધ્યમ અખબારોનું પ્રમાણ વધી રહ્યું છે, તેનો વાચકવર્ગ એકંદરે અંગ્રેજીભાષી અખબારો કરતાં વધારે છે. તેમનો એક અભિગમ છે : જુદા જુદા વિસ્તારમાંના લોકો પોતાના વિસ્તારમાં, તેમજ પોતાના સામાજિક જીવન સાથે સંકળાતા હોય તેવા સમાચારો ઇચ્છતા હોય છે. મોટાં અખબારો જેને વધુ વિસ્તારો આવરી લેવાના હોય છે, તેઓ બધા વિસ્તારના ઉપર કહ્યા તે પ્રકારના સમાચારોને
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૪૨
D પત્રકારત્વ : એક પડકાર
બહુ મહત્ત્વ આપી શકે નહીં, આથી નાના નાના વિસ્તારાં પૂરતા સ્થાનિક મનાવી શકાય તેવાં દૈનિકપત્રો વધ્યાં છે અને વિકસ્યાં છે. તેનું કારણ તેમાં અપાતું સ્થાનિક સમાચારોનું મહત્ત્વ છે. મોટાં વર્તમાનપત્રો સવારના પહોરમાં મોટર દ્વારા આવી જતાં હોવા છતાં દરેક નાના-મોટા શહેરમાં તેના પોતાના સ્થાનિક વર્તમાનપત્રની માંગ વધી રહી છે, તે સૌ કોઈ જાણે છે.
અખબારી વ્યવસાય માટે ચોથો અને મહત્ત્વનો મુદ્દો છે તે અનુભવી તાલીમ પામેલા પત્રકારો અને પ્રિન્ટિંગ-કમ્પોઝિંગનાં નવાં સાધનોનો સુપેરે ઉપયોગ કરી શકે તેવા તાલીમ પામેલા બિન-પત્રકાર કર્મચારીઓની પ્રાપ્તિનો. આ બંને પ્રકારના કર્મચારીઓની અગત્ય ઘણી મોટી છે, પરંતુ જેમ સામાન્ય રીતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ નાના કેન્દ્રને બદલે મોટા કેન્દ્રમાં રહેવાનું વધુ પસંદ કરે છે, વધુ તાલીમ પ્રાપ્ત ડૉક્ટરો કે એવા અન્ય વ્યવસાયીઓની સમાજજીવનની કલ્પના ઉચ્ચ પ્રકારની હોય છે, અને તેઓ તે કારણે મોટાં કેન્દ્રોની જ વધુ પસંદગી કરતા હોય છે, તેમજ આ અખબારી વ્યવસાયમાં પણ દૂરનાં કેન્દ્રો કે જ્યાંથી નાનાં અને દેશી ભાષાનાં અખબારોનું પ્રકાશન કરી વિકસાવી શકાય એવી શક્યતા હોય છે, ત્યાં આ પ્રકારના કર્મચારીઓ પ્રાપ્ત કરવાની મુશ્કેલી હોય છે. ઓછી શક્તિ અને ઓછી આવડતવાળાથી તેમને ચલાવી લેવું પડતું હોય છે.
આમ છતાં જ્યારે વેતનનો પ્રશ્ન આવે ત્યારે મોટાં અને નાનાં કેન્દ્રો વચ્ચેના તફાવતને ધ્યાનમાં લીધા વિના, વેઇજ બોર્ડ કે એ પ્રકારનાં કમિશનો ફેર વેઇજ અને મિનિમમ વેઇજને જ લક્ષમાં લેતાં રહ્યાં છે. આ કારણે એક પ્રકારની આર્થિક અસમતુલા ઊભી થાય છે.
આ બધી મુશ્કેલીના ઉકેલ માટે ૧૯૫૪ના પ્રેસ કમિશને તથા 'પની ફૅક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ખૂબ લંબાણથી ચર્ચા-વિચારણા કર્યા પછી પ્રાઈઝ પેઇઝ શેડ્યુલ અને ભાવનિયંત્રણની જે ભલામણ કરી છે તે ભલે આજે ઘણી જૂની ગણાય પરંતુ હજુ પણ તેની આવશ્યકતા છે. તેને અમલમાં લાવવી જરૂરી છે. અખબારી સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારના કારણે સુપ્રીમ કોર્ટે અગાઉ અમલમાં લાવવામાં આવેલા પ્રાઇઝ પેઇઝ શેડ્યુલને રદ કર્યું હતું. તે પછી બંધારણમાં એ માટે જરૂરી સુધારો કરી લેવાનું કામ રાજકીય અસ્થિરતાના કારણે અટવાઈ ગયું છે. તેને ફરી હાથ ઉપર લઈ ઉકેલવામાં આવે તો પ્રાઇઝ પેઇઝ શેડયુલ જેવી વ્યવસ્થા ગોઠવાય તો નાનાં, મધ્યમ અને મોટાં વર્તમાનપત્રો વચ્ચેની સ્પર્ધા તો દૂર થાય, સાથેસાથે દરેક પોતપોતાની ગજાશક્તિ અનુસાર વિકાસ પણ સાધી શકે. અન્ય ઉદ્યોગો કરતાં અખબારી ઉદ્યોગમાં એક વિચિત્રતા છે. નાના-મોટા ઉદ્યોગોમાં એકબીજાનાં હિતો સામ-સામે હોવા છતાં તેમાં એકબીજાને પૂરક બનવું પડતું હોય છે, જ્યારે અખબારી ક્ષેત્ર નાનાં, મધ્યમ અને મોટાં વચ્ચે એની વિશિષ્ટ આર્થિક પરિસ્થિતિ, વિશિષ્ટ રાજકીય પરિસ્થિતિ અને વિશિષ્ટ ટેનિકલ પરિસ્થિતિને કારણે કેટલાંક સમાન હિનો હોવા છતાં ટકરામણ ઊભી થાય છે. પ્રાઇઝ પેઇઝ શેડ્યુલ જેવું હોય તો આવી અર્થડામણ ઘટી રહે. સ્પર્ધા રહે તોપણ
Page #144
--------------------------------------------------------------------------
________________
દૈનિક પત્રોનું આર્થિક આયોજન D ૧૪૩ તે તંદુરસ્ત સ્પર્ધા કહી શકાય એવી રહે. સરકાર આ દિશામાં વિચારવું જોઈએ.
“દૈનિકપત્રોનું આર્થિક આયોજન" એ વિષય એક હોવા છતાં આપણે ઉપર જોયું તેમ એનું આયોજન, વિસ્તાર આદિની દષ્ટિએ હંમેશાં અલગ રહેવાનું છે. જેમ દરેક કુટુંબનું આર્થિક આયોજન તેની પોતાની આવક, જરૂરિયાતો, પોતે જ્યાં રહે છે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ, પોતાના પરિવારનો સામાજિક દરજ્જો – આ બધાંને લક્ષમાં રાખીને કરવામાં આવતું હોય છે, તેમ દરેક દૈનિકનું આર્થિક આયોજન કે તેનાં પ્રસિદ્ધિસ્થાન, તેનો પોતાનો ઢાંચો, નાનું, મધ્યમ કે મોટું, જાહેરખબરની કે વેચાણની આવક, ખર્ચ વગેરેને નજરમાં રાખીને કરવાનું રહે છે. આથી દૈનિકપત્રોના આર્થિક આયોજનરૂપે કોઈ સર્વસામાન્ય માળખું આપવાનું સરળ કે વહેવારુ મનાય નહીં.
આમ છતાં કહેવું હોય તો સામાન્ય રીતે એવું કહી શકાય કે, મેટ્રોપોલિટન સિટી કે મોટા સ્ટેટ કેપિટલોમાંથી પ્રસિદ્ધ થતાં અખબાર માટે એક કરોડથી સવા કરોડ કરતાં ઓછી મૂડી ચાલી શકે નહીં, જ્યારે રિજીયોનલ કે ડિસ્ટ્રિક્ટ સેન્ટરમાંથી તે સ્થળ પરત્વે ૪૦ થી ૫૦ લાખની મૂડીમાં સારું અખબાર આપી શકાય, પરંતુ આવું અખબાર જો એ ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર્સની આગવી વિશિષ્ટ પરિસ્થિતિને લક્ષમાં લે નહીં, તો તેને માટે લાંબો વખત ખોટ ખાવાની સ્થિતિ ઊભી થાય પણ ખરી. તેમાંય વેઇજ બોર્ડની ભલામણો પછી આવાં અખબારો માટે અકળામણ ઠીકઠીક વધી રહે.
એ જ રીતે સરકારની જાહેરખબરની નીતિ નાનાં અખબારો તરફી હોવા છતાં એકલી એ સરકારી જાહેરખબર પર ખર્ચ નીકળી શકવાનો નથી. તેમણે પણ તેમની સ્થાનિક જાહેરખબરો વધે તેવું કરવું રહે. ૬ પાનાંના અખબાર માટે કે ૮ પાનાંના અખબાર માટે ૪૦ ટકા જેટલી જાહેરખબર મળે તેવી પરિસ્થિતિ સર્જાય તો જ તે અખબાર સક્ષમ રીતે પગભર થઈ શકે. જે અખબાર પગભર ન થાય, ખોટ ખાતું જ રહે, અને તેને સુધારવા પગલાં ન લઈ શકે, તો એની ખોટ એવી ઝડપથી વધતી રહે છે કે, તે ખોટમાંથી પાછા વળવાનું, ઊગરવાનું સહેલું રહેતું નથી, અને અખબાર બંધ કરવા ફરજ પડે છે.
આમ, કોઈ પણ અખબાર માટે ૪૦ ટકા જાહેરખબરની પ્રાપ્તિ ઉપરાંત આવક, ખર્ચ અને ફેલાવા ઉપર ચાંપતી સતત નજર હોવી, અને કોઈ પણ અખબાર, તે નાનું કે મધ્યમ, રિજીયોનલ કે ડિસ્ટ્રિક્ટ હોય, તેને માટે જરૂરનાં માનવાં રહે છે.
અહીં દૈનિક વર્તમાનપત્રોનાં આર્થિક આયોજન પરત્વે લક્ષમાં લેવા જેવા મુદાઓ, વર્તમાન મુશ્કેલીઓ આદિનો ઉલ્લેખ કરીને આ વિષયનું કંઈક સ્થળ - બહુ ઝીણવટમાં ઊતર્યા વિનાનું નિરૂપણ કર્યું છે.
આપણી પાસે એવા મહાનુભાવો છે, જેમને દૈનિકપત્રોના આર્થિક આયોજનનો અનુભવ જ નહીં, સફળતાનું શ્રેય પણ પ્રાપ્ત થાય છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
રિર,
દેનિકોની વ્યાવસાયિક સફળતાનું રહસ્ય
ભૂપત વડોદરિયા આ યુગ જ દૈનિક વર્તમાનપત્રોનો છે. નિરાંતનો આ જમાનો નથી એટલે દૈનિક વર્તમાનપત્ર ઉપરાંતનું કાંઈ વાંચવા માટે ખાસ સમય કાઢવો પડે છે. દૈનિક અખબાર તો મોટા ભાગના માણસો માટે સવારની ચા સાથેની એક રોજિંદી જરૂરિયાત બની ગયું છે. દૈનિકો નહોતાં અગર બહુ ઓછાં હતાં ત્યારે માણસો સવારમાં પૂજાપાઠને અગ્રિમતા આપતા અને પૂજાપાઠ કરવા જેટલી ઉમરે નહીં પહોંચેલા કસરત કરતા કે ફરવા જતા. પણ દૈનિક આપણા જીવનમાં દાખલ થયા પછી એવું બન્યું છે કે સવારનો આપણો પ્રથમ મુલાકાતી અખબાર બને છે. કુટુંબના નાનામોટા દરેક સભ્યને અખબાર ઉપર એક ઊડતી નજર નાખ્યા વગર ચાલતું નથી. આજે ખાસ કરીને દૈનિકો જ ચાલે છે. માસિકો તુરત માંદાં પડી જાય છે અને અઠવાડિકો અનિયમિત થઈ જાય છે કેમ કે એ બંનેની કામગીરી દૈનિકોએ ઠીકઠીક અંશે છીનવી લીધી છે અને જે કાંઈ ત્રુટી રહી હશે એ લોકપ્રિય સાપ્તાહિકો સમાચાર કે વિચારનાં સાપ્તાહિકો નહીં પણ કુતૂહલ પોષનારાં અભુત રસનાં કે અવનવી સામગ્રીનાં સાપ્તાહિકો- ચાલે છે, ફાલે છે અને આપણા જીવનમાં જેમ જેમ ફુરસદ અને કંટાળાની લાગણી વધતી જશે તેમ વધુ ચાલવાનાં. ' દૈનિકની વ્યાવસાયિક સફળતાનું કોઈ સૌથી મોટું રહસ્ય હોય તો તે એ છે કે તેણે એકલદોકલ નહીં પણ કુટુંબ-એકમને વાચક તરીકે પકડેલ છે. વર્તમાનપત્ર કુટુંબપત્ર છે અને તેથી એ ઘરઘરની જરૂરિયાત બની ગયું છે. તેની સફળતાનું એક મોટું કારણ તે માણસને અને તેના કુટુંબને ઘરની બહાર શહેરમાં શું બને છે ત્યાંથી માંડીને આખી દુનિયામાં શું ચાલે છે તે જોવાની એક બારી પૂરી પાડે છે. પોતાની સોસાયટીથી નજીકના રેલવે ફાટક ઉપર કોઈના આપઘાતની ખબર તેનાં સંભવિત કારણોની અટકળ સાથે બીજા જ દિવસે સવારે તેના હાથમાં આવે છે. શહેરમાં ક્યાં કઈ ફિલ્મ ચાલે છે, આ વર્ષે કેરીનો પાક કેવો થશે, કે બજારમાં કેરી આવી કે નહીં, ખાંડ કાર્ડ ઉપર મળવાની કે નહીં અને કેરોસીનની છૂટ થશે કે નહીં તે બધું એ વર્તમાનપત્ર મારફતે જ જાણે છે. એક વર્તમાનપત્ર સરેરાશ વાચક માટે એકસો પ્રશ્નકુંડળીની ગરજ સારે છે. પોતાના વિસ્તારમાં વીજળી ક્યારે ગાયબ થવાની અને કેટલા સમય પછી વીજળીનો પંખો ફરશે તે જાણવા માટે પણ એ વર્તમાનપત્રનો જ આશ્રય લે છે. દુનિયા આ ગતિના યુગમાં નાની બની છે એટલે જે ગામનું કદી નામ પણ સાંભળ્યું ન હોય ત્યાં કોઈક મોટી હોનારત કે આશ્ચર્યજનક બીના બને એટલે
Page #146
--------------------------------------------------------------------------
________________
દેનિક પત્રોની વ્યાવસાયિક સફળતાનું રહસ્ય [ ૧૪ આ ગામનું નામ માણસને રહસ્યકથાની કોઈ અકળ ઘટનાના ઊગમસ્થાન જેવું લાગે છે અને તેનો ભેદ પામવા એ તલપાપડ બને છે. વર્તમાનપત્રો એના આ કુતૂહલને બીજા જ દિવસે ઠીક અંશે સંતોષી દે છે.
આ બધી બાબતોમાં વર્તમાનપત્રની વિશ્વાસપાત્રતા મહત્ત્વનો ભાગ ભજવે છે. વર્તમાનપત્રની સફળતામાં વાચકવર્ગની આ વિશ્વાસની લાગણી ઘણો મોટો અને મહત્ત્વનો ભાગ ભજવે છે. વર્તમાનપત્રની સફળતામાં એવો બીજો મોટો ફાળો વર્તમાનપત્રની અણધારી ઘટનાની પરિસ્થિતિને પહોંચી વળવાની સજ્જતા બની રહે છે. વર્તમાનપત્રની રોજિંદી કામગીરી બરાબર હોય પણ કશું અણધાર્યું બને ત્યારે એ ઊંઘતું ઝડપાઈ જાય અને સમયસર જાગી ના શકે ત્યારે વાચકનું મન તે અખબાર ઉપરથી તુરત ઊઠી જાય છે. વર્તમાનપત્રનો એ ખાસ નિયમ છે કે દશેરાના દિવસે ઘોડો દોડવો જ જોઈએ. જેમ કેટલીક વ્યક્તિઓ વ્યવહારકુશળતાથી જીતી જાય છે, તેમ કેટલાંક વર્તમાનપત્રો સમાચારકુશળતાથી જીતે છે. વ્યવહારકુશળ માણસ પ્રસંગને બરાબર સાચવી જાણે છે. લગ્ન હોય કે મરણ હોય, તેણે કઈ રીતે વર્તવું જોઈએ, વહેવારમાં શું કરવું જોઈએ એની સૂઝબૂઝ આવા માણસને બરાબર હોય છે. સમાચારકુશળ વર્તમાનપત્ર લોકોની જિજ્ઞાસાને ઉત્તેજનારી ઘટનાનું મહત્ત્વ તરત જ કળી જાય છે અને તે મુજબ સમાચારની બાતમી એકઠી કરીને તેની યોગ્ય માવજત કરે છે અને કેટલીક વાર અમુક દિવસ સુધી તેનો પીછો પકડે છે. એથી ઊલટું, કેટલાંક વર્તમાનપત્રના ડેસ્ક ઉપરના એક કે વધુ માણસો કશા માટે તૈયાર હોતા નથી. ધારણા મુજબના સમાચારો કે સમાચાર સંસ્થાઓએ પીરસેલી ખબરો તેમના રોજિંદા મેનુમાં યથાસ્થાને હાજર હોય છે પણ કાંઈ અણધાર્યું અને ત્યારે તેઓ તેને માનવા જ તૈયાર થતા નથી. તેમનો પ્રત્યાઘાત નકારાત્મક જ હોય છે. અખબારનવેશને પોતાની ફરજ બરાબર બજાવવાની ધગશ હોય તો તેણે કંઈ પણ બનવાની માનસિક તૈયારી રાખવી પડે છે. કદાચ આજે રાત્રે જ પ્રલય થાય તો નવાઈ નહીં એમ માનીને તેણે તૈયાર રહેવું પડે છે. કેટલાક તૈયારીની વાત તો દૂર રહી, કાંઈ પણ મોટા સમાચાર આવી પડે ત્યારે નારાજ થઈ જાય છે. મોટા ખબરનું સ્વાગત એક લપ સમજીને કરે છે અને તેથી તેની માવજતમાં કાંઈ દમ દેખાતો નથી. એકદમ માનવાનું મન ન થાય પણ સાચી વાત એ છે કે વર્તમાનપત્રની રાજકીય નીતિ તેની સફળતામાં ખાસ ભાગ ભજવતી નથી. વાચકોને અત્યંત તીવ્ર રાજકીય તરફદારી કે અણગમો ગમતાં નથી. સરેરાશ વાચક સામાન્ય મતદાર જેવો છે. કોઈક મુદ્દા પર ક્યારેક તે ઉશ્કેરાય છે, બાકી રાજકીય વિચારસરણીની બૂલાતને તે અંગત આબરૂનો સવાલ બનાવી દેતો નથી. તે અમુક ઉમેદવારને ચોક્કસ મત આપે પરંતુ નાથાલાલને બદલે પૂંજાલાલ ચૂંટાઈ જાય તો તેનાથી તે ભોંઠો પડી જતો નથી કે ઉદાસ થઈ જતો નથી. આથી વર્તમાનપત્ર જ્યારે
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૩ D પત્રકારત્વ : એક પડકાર
બહુ જ આગ્રહથી વાત કરે ત્યારે તે એમાં ભાગીદાર બની શકતો નથી. મોટા ભાગના વાચકો રાજકીય કબૂલાતમાં એટલા બધા અફર કે અક્કડ હોતા જ નથી અને આથી પોતાનું વર્તમાનપત્ર એક જ બાજુનું વાજું વગાડ્યા ના કરે એટલી આશા રાખે છે. એકંદરે લોકલાગણીને પારખનારાં અને તેને માન આપનારાં વર્તમાનપત્રો અહીં જીતી જાય છે. વર્તમાનપત્રને લોકપ્રવાહ સાથે ચાલવું જ પડે છે. વર્તમાનપત્ર પોતાના વિચારો લોકપ્રવાહની વિરુદ્ધ-પણ વ્યક્ત કરે તો તેથી નુક્સાન થતું નથી પણ તેને જીદનો વિષય બનાવે ત્યારે તેને સહન કરવું પડે છે. ગુજરાતમાં આ રીતે કેટલાંક અખબારો તૂટી ગયાં હોય તેવું બન્યું છે. લોકમતને ઘડવાનું કામ વર્તમાનપત્રો કરે છે, ક૨વું પણ જોઈએ પણ લોકોના માથે પોતાના વિચારો ઠોકી જ બેસાડવા તેવી નીતિ ચાલતી નથી. લોકમત સાનુકૂળ ન હોય તેવા સંજોગોમાં પણ જેમ કેટલાક રાજકીય નેતાઓ પોતાની પ્રતિભાને જોરે તેની ઉપર સવાર થઈને તરી પાર થઈ શકે છે તેમ કેટલાક તંત્રીઓ પણ એવું કરી શકે છે પણ આવા અપવાદો જ હોઈ શકે.
વર્તમાનપત્રની વ્યાવસાયિક સફળતા એટલે એના ફેલાવામાં તંદુરસ્ત વિકાસદરની વૃદ્ધિ અને પ્રજા ઉપરના તેના પ્રભાવનું એકંદર જતન. આ બંને સદ્ભાગ્ય સાથે ના પણ ચાલે. અમેરિકાના ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ જેવા અખબારના ફેલાવામાં મોટી હરણફાળ જોવા ન મળે પણ તેના પ્રભાવમાં ઘટાડો થયો નથી. રાજકીય નીતિ કે બીજી કોઈ પણ બાબતને લીધે તેના વેચાણમાં એક મર્યાદા દેખાય પણ તેની એકંદર સચ્ચાઈમાં વિશ્વાસ ટકી રહે એવું બને છે. તેના દશ લાખ ગ્રાહક ન બંધાય પણ દશ લાખ માણસના વિશ્વાસનું માન તેને મળ્યું હોય. વર્તમાનપત્રનો પ્રભાવ તેના સમાચારોની વિશ્વાસપાત્રતાથી ખાસ વધે છે. તેના કોઈ ને કોઈ સમાચાર ખોટા પુરવાર ન જ થાય તેવું તો ન બની શકે પણ વાચકને એટલો ભરોસો રહે છે કે ખોટા ખબર મળ્યા હશે પણ તેણે જાણીજોઈને ખોટા ખબર છાપ્યા નહીં જ હોય અને કોઈ પણ ખબર આપવામાં વાચકોને ગે૨૨સ્તે દોરવાનો તેનો આશય નથી જ. આવો વિશ્વાસ ટકાવી રાખવા વર્તમાનપત્રને કાનની બૂટ પકડવી પણ પડે છે. અમેરિકાએ ચંદ્ર ઉપર માણસને ઉતાર્યો ત્યારે ‘ન્યૂયૉર્ક ટાઇમ્સે’ વર્ષો પહેલાં પોતાને ત્યાં છપાયેલી એક ટીકાની માફી માગી હતી. અવકાશયુગ ઘણો દૂર હતો અને તેના આગમનનો કોઈ અણસાર પણ નહોતો ત્યારે એક વૈજ્ઞાનિકના ‘શેખચલ્લી તરંગ’ની ટીકા કરતાં ‘ન્યૂયૉર્ક ટાઇમ્સે' લખ્યું હતું કે માણસ કોઈ બીજા ગ્રહ ઉપર જઈ શકે તે વાત જ અશક્ય છે. માણસ ચંદ્ર પર ખરેખર ઊતર્યો ત્યારે તેણે પોતાની જૂની ટીકા પાછી ખેંચી લીધી. વ્યાવસાયિક સફળતા મેળવવા માગતા વર્તમાનપત્રે ખુલ્લું મન રાખવું જ પડે છે. વર્ષો પહેલાં એક ગુજરાતી અખબારમાં એક ગૃહસ્થના મરણના ખોટા ખબર છપાઈ ગયા. એ ગૃહસ્થ જ્યારે એ અખબાર પાસે દાદ માગવા ગયા ત્યારે તંત્રીએ સુધારો છાપવાની આનાકાની કરી. તંત્રીની દલીલ એ હતી કે છાપું
Page #148
--------------------------------------------------------------------------
________________
દૈનિક પત્રોની વ્યાવસાયિક સફળતાનું રહસ્ય B ૧૪૭
ભૂલ કબૂલ કરે તે વાતમાં માલ શું ! છાપાની આબરૂનું શું ! બહુ બહુ તો એટલું કરી શકાય કે તમારું નામ અમારી જન્મનોંધની કટારમાં મૂકી દઈએ ! ૪૦ વર્ષની ઉંમરના ગૃહસ્થને નવજાત બાળક તરીકે દુનિયા સમક્ષ ફરી વન્સમૉર કરતાં શરમ થઈ અને પછી જાહેરખબર રૂપે તેમણે પોતાની હસ્તી જાહેર કરી. વર્તમાનપત્ર પગભર થાય, સફળ થાય પછી તે પોતાની ભૂલ કબૂલ કરવાની ઉદારતા કેળવે ત્યારે તેની પ્રતિષ્ઠા વધે છે. માનવમાત્ર ભૂલને પાત્ર હોય તો વર્તમાનપત્ર માત્ર ભૂલને પાત્ર ન હોય ! જોકે કેટલાક વળી ભૂલ કબૂલ કરવાની બાબતને મુદ્દલ ગંભીર ગણતા જ નથી તેવું બને છે અને ‘ક્ષમાપના’નું ખાસ રોજિંદું કૉલમ જ ચલાવ્યે રાખે છે.
વર્તમાનપત્રની સફળતાનું એક અગત્યનું કારણ તેની સમાચારોની માવજત અને રજૂઆતની એકંદર સફાઈ બની રહે છે. બીજી રીતે વર્તમાનપત્રનું ધોરણ સારું હોય, સરસ લેખવિભાગો તેમાં હોય, લોકપ્રિય કટારો હોય પણ આ બધા સુંદર ટાપુઓની શોભા મારી નાખે તેવો સમાચારોનો ખારો ધૂસ દરિયો રોજ ઘૂઘવતો હોય, સમાચારનો ગુજરાતી તરજુમો અગમ્ય હોય, કેટલીક વાર તદ્દન હાસ્યાસ્પદ હોય ત્યારે વાચકનું મન ઊતરી જાય છે. કોઈ સમાચારની ઓછીવત્તી ગંભીરતા, તેનું મહત્ત્વ કે તેના કોઈ જરૂરી મુદ્દાની કશી કાળજી જ જોવા ન મળે. વાચક સમજી જાય છે કે ચટણીસંભાર કે એકાદ મિષ્ટાન્ન સરસ છે બાકી એકંદર થાળીમાં માલ નથી. કેટલાક વળી પોતાની આ નબળાઈને સદ્ગુણમાં વટલાવી નાખે છે. એક તંત્રીએ કહેલું કે અમારા છાપામાં છાપભૂલોના અતિરેકને કારણે જ વાચકોનું ભાષાજ્ઞાન વધ્યું છે અને અમારા છબરડા લોકોને એટલું મનોરંજન પૂરું પાડતા રહ્યા છે કે અમારે કદી કોઈ અલગ ૨મૂજી કૉલમનો પ્રબંધ જ ક૨વો નથી પડ્યો.
વર્તમાનપત્ર જ્યારે આત્મસંતોષમાં પડી જાય છે અગર ઘરેડમાં પડી જાય છે ત્યારે સફળતા કટાઈ જવા માંડે છે. વર્તમાનપત્રનો ધબકાર તેની તાજગી હોય છે. પહેલી જ નજરે જે વર્તમાનપત્ર નિષ્પ્રાણ લાગે, ઉદાસીન લાગે તેનાં અંદરનાં પાનાંમાં સોનાની ખાણ પડી હશે તોય તેની કિંમત નહીં થાય. તંત્રીની અને તંત્રીમંડળની તાકાત કે નબળાઈ ત્યાં જ દેખાય છે. વર્તમાનપત્ર ટીમવર્ક છે અને સમાચારતંત્ર કાર્બલ હોય તોય બાકીની ટુકડીની બેકાળજીને લીધે માર ખાઈ જાય તેવું બને છે. વર્તમાનપત્રની સફળતામાં આ ટીમવર્ક બોલતું હોય છે. આખી ટીમ સંવાદ અને શિસ્ત વગરની હોય ત્યાં એકાદ સારા બૅટ્સમેનથી કે બૉલરથી કે વિકેટકીપરથી કોઈ ફત્તેહ મળતી નથી. કારણ કે આ તો રોજેરોજનો ખેલ હોય છે અને વર્તમાનપત્રોને ફ્રેન્ડલી મૅચની ભાવના બિલકુલ માફક ન આવે.
અખબારોએ સફળ થવા માટે પોતાની એક શૈલી પણ વિકસાવવી પડે છે. ‘ટાઇમ’ જેવા સાપ્તાહિકે પોતાની એક શૈલી પેદા કરી છે. દૈનિક વર્તમાનપત્ર માટે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૮
| પત્રકારત્વ : એક પડકાર
આવી કોઈ શૈલીની વાત ન હોય પણ પહેલા પાનાના સમાચાર-તરજુમાની ભાષા, અગ્રલેખના પાંડિત્યની ભાષા અને જિલ્લાના ગામેગામના ખબરોની ભાષા વચ્ચે જમીન આસમાન જેવું અંતર પડી જતું હોય છે. બાર કે સોળ પાનાંના અખબારમાં વેપારના પાનાંથી માંડીને સિટી પેઇજ સુધીનાં બધાં પાનામાં કોઈ એકસરખી ભાષાશૈલી સંભવી શકે નહીં પણ ભાષાશૈલીની દૃષ્ટિએ શિખરો અને તળેટીઓ હોય તોપણ તે એક જ ગિરિમાળાની લાગવી જોઈએ. વર્તમાનપત્રનું વ્યક્તિત્વ આ રીતે જ ઊપસી શકે. વાચકોની પસંદગીનું પૃથક્કરણ કરીશું તો આ મુદ્દો ધાર્યા કરતાં ઘણો વધુ મહત્ત્વનો ભાગ ભજવતો જણાશે.
સફળતાના કોઈ નિયમો તો નથી હોતા અને એનું કોઈ રહસ્ય હોય તો તે પણ આવા કોઈ નિયમોની રચનામાં સંપૂર્ણપણે ખુલ્લું પડી શકતું નથી. એક નવું અખબાર બધા નિયમોનો ભંગ કરીને સફળ થયાનું એક દૃષ્ટાંત પૂરું પાડે ત્યારે નિયમો ફરી નવેસરથી તૈયાર કરવા પડતા હોય છે. બધાં જ ક્ષેત્રોને આ વાત લાગુ પડે છે. મોટા ભાગે નિષ્ફળતાનાં જ તપાસપંચ હોય છે – સફળતાની દરેક વાત ન્યારી જ હોય છે.
અત્યારે પણ આપણી પાસે થોડાંક સુંદર સામયિકો છે, પણ જે ભૂતકાળમાં હતાં તેનું સ્મરણ કરતાં માત્ર નામો યાદ કરીને અટકી જઈએ છીએ. મણિલાલ નભુભાઈનું પ્રિયંવદા', “સુદર્શન', રમણભાઈનું જ્ઞાનસુધા', આચાર્ય આનંદશંકરનું ‘વસંત', શ્રી વિશ્વવંદ્યનું “મહાકાલ', શ્રી પુરુષોત્તમ વિશ્રામ માવજીનું “સુવર્ણમાલા', હાજી મહમદનું “વીસમી સદી', શ્રી મુનશીનું “ગુજરાત કે વિજયરામનું કૌમુદી' – હજી આમાં ઘણાં નામો ઉમેરી શકાય.
આ સામયિકોમાં જે કંઈ સત્ત્વશીલ હતું એ બધું જ ગ્રંથસ્વરૂપે આપણને મળી ચૂક્યું છે ?
આપણી પાસે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા છે, વિદ્યાસભા, ફાર્બસ, નર્મદ સાહિત્યસભા જેવી બીજી સાહિત્યિક સંસ્થાઓ છે. પ્રતિવર્ષ સંખ્યામાં વધતી જતી કૉલેજો છે, જેનો ધર્મ ગુજરાતી ભાષાનું અધ્યયન કરાવવાનો છે. આપણી પાસે થોડા એવા પ્રકાશકો છે જેમણે નક્કર અર્પણ કર્યું છે. આ સૌ જો એક એવો સંકલ્પ કરે કે આપણાં આ સામયિકોમાં રહેલી સમૃદ્ધિને આપણે ક્રમે ક્રમે ગ્રંથસ્થરૂપે ઉપલબ્ધ કરવી છે તો એમાંનું ઘણું જે ટકાવી રાખવા જેવું છે એ ટકી રહે, એટલું જ નહીં, વિશાળ વાચકવર્ગને પહોંચી શકે.
- હરીન્દ્ર દવે (‘કલમની પાંખે'માંથી)
Page #150
--------------------------------------------------------------------------
________________
પત્રકારની સજ્જતા ૨૩
'n કિરીટ ૨. ભટ્ટ આજનાં આપણા જીવનનું કોઈ અંગ એવું નથી, કોઈ સમસ્યા એવી નથી જે પત્રકારના ક્ષેત્રની બહાર હોય. અભિવ્યક્તિના આ ક્ષેત્રે એક તરફ આપણા જ્ઞાનનો વિસ્તાર કર્યો છે, જિજ્ઞાસાને સંતુષ્ટ કરી છે તો બીજી તરફ પોતાની જીવંતતાના કારણે જનજીવનમાં પણ પ્રાણ રેડ્યા છે. અક્ષરજ્ઞાન પામેલા માનવીઓનો મોટો ભાગ આજે છાપાં સિવાય ભાગ્યે જ કશું વાંચે છે એ હકીકત સ્વીકારીએ તો કાર્લાઇલના આ શબ્દો સાર્થક લાગે છે. તેણે કહેલું – 'Great is Journalism.' આમ જાહેર પ્રજામતને, આધુનિક સંયોગો હેઠળ, અસર પહોંચાડવાની એની શક્તિ અગાધ છે. પ્રજામતને ઘડવામાં, વિચારો અને અભિપ્રાયોને ધાર્યો વળાંક આપવામાં આ ક્ષેત્રના લોકો પાસે જે સંભાવનાઓ છે તે કદાચ, આટલા પ્રમાણમાં, અન્ય કોઈ ક્ષેત્રના લોકો પાસે નથી. નેપોલિયને આથી જ હજાર બોયોનેટના ભય કરતાં ચાર વિરોધી અખબારનો ભય સવિશેષ હોવાનું કહ્યું હશે. પણ જ્યારે આટલી શક્તિ, આટલો વ્યાપ અને આટલો પ્રભાવ હોય, ત્યારે આ ક્ષેત્રમાં પડેલા પત્રકારોની જવાબદારી પણ આપોઆપ એટલી જ ભારે બની જાય છે. એની સામેનો પડકાર એટલો જ વિરાટ બની જાય છે.
પત્રકારત્વ આજે હવે વ્રત રહ્યું નથી, વૃત્તિ બની ગયું છે. પરંતુ આ સ્થિતિમાંય જો પત્રકારો વિધાયક દૃષ્ટિ અપનાવે, દૃષ્ટિવંત નેતૃત્વ પૂરું પાડે તો તેઓ પ્રજાજીવનને ઉત્તમતાની શોધમાં મદદરૂપ થઈ શકે એમ છે. કોઈ પણ રાષ્ટ્રનું નવઘડતર કરવામાં રાજકીય અને સામાજિક ક્ષેત્ર, ભાષા અને પત્રકારત્વ આ ચાર ક્ષેત્રોની સુધારણા જરૂરી બને છે. પત્રકાર એટલે સમાજનો સજાગ પ્રહરી’, ‘પત્રકાર એટલે લોકમતનો ઘડવૈયો', “પત્રકાર એટલે લોકસમૂહનાં આંખ-કાન'- આ બધી વ્યાખ્યાઓ જોતાં તો પત્રકાર ગરીબડો' જરાય નથી. હા, જેને બીજો કોઈ ધંધો નથી એટલે આ ક્ષેત્રમાં આવી બેઠા છે એવા પત્રકારોની આ વાત નથી. પરંતુ સ્વતંત્ર વિચાર કરનારા, દૃઢ લોકમત ઘડનારા, ગહન અધ્યયન, સહજ રુચિ, કઠોર પરિશ્રમ, વૈર્ય અનંત કુતૂહલ અને માનવીય વ્યવહારોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી હકીકતને કૌશલ્યથી રજૂ કરવાની ક્ષમતા જે ધરાવે છે તેની આ વાત છે અને આવા પત્રકારોની જવાબદારી સવિશેષ છે. સાતત્ય, ક્રિયાશીલતા અને કાર્યાન્વિતિની અપેક્ષા સહેજે તેની પાસેથી રહે છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૫૦ | પત્રકારત્વ : એક પડકાર
લોકશાહી દેશોમાં તો સંસદ પછી સૌથી વધુ શક્તિશાળી “પ્રેસ' ગણાયું છે. લોકપ્રિય સરકારના મુખ્ય આધારસ્તંભોમાં તેનું સ્થાન છે અને આથી પત્રકારોની પણ એક સામાજિક જવાબદારી સિદ્ધ થાય છે. તેમણે “જન-હિતૈષી' બનવું રહ્યું. જનતાંત્રિક સંસ્થાઓના વિકાસમાં પત્રકારત્વ મહત્ત્વનો ફાળો આપી શકે એમ છે. અમેરિકન રાષ્ટ્રપતિ જેફર્સને કહ્યું છે કે સમાચારપત્ર વિનાના શાસન અને શાસન વિનાના સમાચારપત્ર – એ બેમાંથી મારે એકની જ પસંદગી કરવાની હોય તો હું શાસન વિનાના સમાચારપત્રને પસંદ કરું. પત્રકારોએ પણ જનમત ઘડવાનો જ નથી, તેને કેળવવાનો પણ છે અને તેના અગ્રણી પણ થવાનું છે. આ દૃષ્ટિએ પત્રકારોની ક્રિયાશીલતા અતિ મહત્ત્વની બને છે.
પત્રકારોએ અસંદિગ્ધ રજૂઆત, બનાવોના ભેદ પારખવાની આંતરસૂઝ, અભિવ્યક્તિની તેજસ્વિતા, ખંત, બુદ્ધિચાતુર્ય, હિંમત અને અગાધ શ્રમશક્તિ કેળવવા રહ્યાં. બીજી પત્રકાર પરિષદ વખતે આચાર્ય આનંદશંકર ધ્રુવે યોગ્ય જ કહેલું, “સત્ય પ્રકટ કરી અસત્ય અને અજ્ઞાનને વિદારવું એ પત્રકારની પહેલી ફરજ છે... આ ઉપરાંત (તેની પાસે) સમાચારની સત્યાસત્યતા, એનું લાઘવ, ગૌરવ અને સરસતાનીરસતા પારખવાની શક્તિ તેમજ એને શબ્દોમાં મૂર્તિમંત કરવાની સાહિત્યશક્તિ જોઈએ.” પત્રકારત્વનો આશય સત્ય-સંશોધન દ્વારા, સત્ય તરફ જનતાને દોરવા દ્વારા અને લોકકલ્યાણ દ્વારા સેવા-વ્યવસાય ચલાવવાનો છે. આ કાર્ય અત્યંત નાજુક, ગંભીર અને જવાબદારીભર્યું છે અને આ બધું કરવા છતાં મહેનતના પ્રમાણમાં પૈસા મળે પણ ખરા, ન પણ મળે છતાં “One must go on writing and recording until the pen drops from one's hand' એ તૈયારી ન હોય અને આ ક્ષેત્રને વ્યવસાય તરીકે નહીં પણ ધર્મ તરીકે અપનાવવા જે સજ્જ હોય, જે અભિપ્રાયના અહંકાર કે સત્તાના લોભથી અલિપ્ત ન હોય, જે વિધાયક, સહિષ્ણુ, સંયમી, સર્વદા નીડર અને પ્રત્યેક માનવીને શક્ય તેટલી તકો આપનાર ન હોય, અન્યાય પરત્વે અસહિષ્ણુ અને છતાં સહૃદય ન હોય એવા પત્રકારોનું આ ક્ષેત્ર નથી.
સ્વ-વિવેકી, સજાગ અને સતત ક્રિયાશીલ પત્રકાર શું કરી શકે એ આપણે અમેરિકન પ્રમુખ નિકસનના પ્રસંગથી જાણીએ છીએ. ગાંધીજીનાં ‘નવજીવન’ કે ‘યંગ ઇન્ડિયા' કે તિલકનું ‘કેસરી' કે અમૃતલાલ શેઠનું પ્રદાન આપણાથી અજાણ્યું નથી. અને તેથી જ ક્રિયાશીલ પત્રકાર શું કરી શકે એવો પ્રશ્ન પૂછવા કરતાં એ શું ન કરી શકે એમ પૂછવું વધુ સાર્થક ગણાશે. ઉત્તમ પત્રકાર શું કરી શકે એનું એક જ ઉદાહરણ પર્યાપ્ત થશે.
Page #152
--------------------------------------------------------------------------
________________
પત્રકારની સજ્જતા - ૧૫૧
૧૫મી એપ્રિલ ૧૯૧૩ના દિવસે નવું, વિશાળકાય ટીટેનિક જહાજ તેની પ્રથમ સફરમાં જ ડૂબવા લાગ્યું. ૧૩૦૦ મુસાફરો અને ૮૫૦ કર્મચારીઓને લઈ જતું પ્રથમ કક્ષાનું આ જહાજ એવે સ્થળે ડૂબી રહ્યું હતું કે કશી સહાય મેળવવી અસંભવ હતી. ન્યૂયૉર્કનું ‘ઇન્ડિપેન્ડન્ટ’ અખબાર, આખરી ઓપ પામી, મુદ્રણયંત્ર પર ચડવામાં હતું ત્યાં જ આ સમાચાર આવ્યા. ને તરત પ્રથમ પૃષ્ઠના સમાચારોની ફેરબદલી શરૂ થઈ. ચાર દિવસ પહેલાં જ જેને ભવ્ય વિદાય આપવામાં આવી હતી તે જહાજ અંગેની બધી જ વિગતો મંગાવાઈ, ‘ટીટેનિક’ના ત્રણ મોટા બ્લૉક તૈયાર કરાયા. જહાજી કંપની પાસેથી મુસાફરો અને કર્મચારીનાં નામ-સરનામાં મેળવી લેવાયા, જહાજના કપ્તાન સ્મિથની જીવન-ઝરમર તૈયાર કરાઈ અને ક્ષણે ક્ષણે મળતા સમાચારોને તૈયાર કરી કંપોઝ વિભાગને પહોંચાડાયા. આપ નહીં માનો પણ
આ બધું માત્ર અડધા જ કલાકમાં કરી લેવાયું અને બરાબર ત્રીસ મિનિટ પછી ‘ઇન્ડિપેન્ડન્ટ’ છેલ્લા સમાચાર સાથે મશીન પર ચઢ્યું. વર્તમાનપત્રોના ઇતિહાસમાં આવું ઉદાહરણ ભાગ્યે જ બીજું મળે, પણ એક ‘ઇન્ડિપેન્ડન્ટ’ જે કરી શક્યું તે બીજું કોઈ પણ અખબાર ધારે તો કરી શકે ખરું. વિજ્ઞાન આજે તો ઘણું વિકસ્યું છે. સગવડો ખૂબ વધી છે. અને એટલે અંશે એ જમાનામાં કઠિન ગણાતાં કાર્યો આજે સ૨ળ બન્યાં છે.
આમ છતાં પત્રકારનું જીવન કાંટાળો તાજ છે. બહારથી રંગીલું, ઝમકદાર, રસઝરતું દેખાતું તેનું જીવન ખરેખર એવું નથી. શ્રી ૨મેશ ગૌતમ યોગ્ય જ નોંધે છે : “સાચો પત્રકાર કોઈના કહેવાથી કોઈ થઈ શકતો નથી, કોઈનો બનાવ્યો બનતો નથી. એ તો એક ધૂન છે. જીવનભરની લગની છે, શોખ છે. વશીકરણમંત્ર છે. એક વાર પત્રકાર થયો તે આજીવન પત્રકાર રહ્યો સમજવો. અખબારી જીવનનું જેણે લોહી ચાખ્યું, તેને એની સુરતા લાગી જ સમજવી. એ લત છૂટે, તો જીવ સાથે જાય, તે પહેલાં નહીં. પત્રકારત્વ એક મનોદશા છે. ચિત્તની અટલ સ્થિતિ છે.... એનું ચિત્ત, એની વૃત્તિ, એની કલ્પના, એની કાયાનું રૂંવેરૂંવું પત્રકારત્વની લાક્ષણિક પ્રવૃત્તિઓ માટે તડપે છે.” અને એવી ચિત્તવૃત્તિ સાથે પ્રામાણિકતા હોય, કર્તવ્યનિષ્ઠા હોય, કાર્યક્ષમતા હોય, સાથે સાહસ અને સૂઝ હોય તો આપોઆપ એ પત્રકાર અલગ તરી આવે.
ફ્રાંસમાં Liberty, equality and fraternity – આ ત્રણ શબ્દો ક્રાંતિ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૫ર
| પત્રકારત્વ : એક પડકાર
સર્જી શક્યા. નેલ્સનનું એક સૂત્ર – ‘England expects everyman to do his duty' fullauret Said asj. 'Hang the Kaiser’ sel sisss guir મહાયુદ્ધ જીતી ગયો – પણ એ બધા પાછળ ચોક્કસ હેતુ, સ્પષ્ટ ઉદ્દેશ અને સચોટતા અનિવાર્ય. પત્રકારની સજ્જતા માટે પણ આ ગુણોની અનિવાર્યતા છે.
મહાત્મા ગાંધીએ કહ્યા મુજબ પત્રકારત્વનો ઉદ્દેશ જનતાની ઇચ્છાઓ–વિચારોને સમજવાનો અને તેને વ્યક્ત કરવાનો છે. બીજો ઉદ્દેશ છે લોકોમાં વાંછનીય ભાવનાઓ જાગ્રત કરવાનો અને ત્રીજો ઉદ્દેશ છે સાર્વજનિક દોષોને નિર્ભયતાથી પ્રગટ કરવાનો. જો આજનો પત્રકાર આ ધ્યેય નજર સમક્ષ રાખી ક્રિયાશીલ રહેશે – જો એક લક્ષ્ય, સતત પરિશ્રમ અને કાર્યનિષ્ઠા એ જાળવી રાખશે – તો આવતી કાલ એની હશે.
સમાચાર અને વિચાર નિતર્યા બનતાં બંનેની અભ્યાસપૂર્ણ માવજત અને અર્થઘટન કરનારાં સામયિકોની આપણે ત્યાં સવિશેષ જરૂર છે. એમની જો અછત રહેશે તો વિચારોની દરિદ્રતા દૈનિકોને પણ નડશે. કદાચ ફેલાવો વધશે, પણ સામર્થ્ય નહીં વધે. દૈનિક અને સામયિક પત્રોનો તાત્ત્વિક વિકાસ અંતતોગત્વા વાચકની સજ્જતા ઉપર આધારિત છે. જૂજવા મતોનું તોલન કરનારો, ઘટનાઓની ભીતરમાં પહોંચીને તેની બેંદ્ધિક આલોચના કરનારો વિચારશીલ વાચક એ જ તો પત્રોનો ધ્યાનવિષય હોવો જોઈએ. એનું સમારાધન કરવાની દૃષ્ટિથી જ સર્વ પ્રવૃત્તિ થવી જોઈએ.
– યશવંત શુક્લ (ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૪મા અધિવેશન પ્રસંગે પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલું વક્તવ્ય.)
Page #154
--------------------------------------------------------------------------
________________
વ્યવસાયી પત્રકારોની સમસ્યા ૨૪
0 શશીકાન્ત નાણાવટી ‘પત્રકાર' શબ્દનો પ્રભાવ હજુ સમાજ ઉપર સારો છે. પત્રકાર શબ્દ એક એવો જાદુઈ ચિરાગ છે કે જેનું નામ પડતાં રાજભવનથી માંડીને એસ.ટી. કે એ.એમ.ટી.એસ.ના દરવાજાઓ ફટ કરતાંક ખૂલી જતા હોય છે અને હૉસ્પિટલથી માંડીને સિનેમાઘર સુધી તે કતારમાં ઊભા રહ્યા વિના પ્રવેશ પામી શકતો હોય છે, એવી આજે પણ સામાન્ય માન્યતા છે અને તે સાવ ખોટી છે તેવું પણ કહી શકાય એમ નથી. આવું મોભાવંત સામાજિક સ્થાન ભોગવતો પત્રકાર તેના કાર્યાલયની ચાર દીવાલોમાં કેવો પાંગળો અને લાચાર છે, તેનો અનુભવ વિના ભાગ્યે જ કોઈને ખ્યાલ આવી શકશે.
આજના પત્રકારની કલમથી માંડીને આત્માના અવાજ સુધીની તમામ વસ્તુઓ અખબારોના સંચાલકો પાસે છે. સાંભળતાં કદાચને કોઈને આંચકો અને આઘાત લાગશે પણ વાસ્તવિકતા એ છે કે પત્રકાર ખૂન, બળાત્કાર કે જુગાર-શરાબના અડ્ડા પરના પોલીસ છાપાના સમાચારથી માંડીને તંત્રીલેખ સુધી જે કાંઈ લખે છે તેના શબ્દેશબ્દ પર અખબારના સંચાલકોની આંખ ફરી ગયા પછી જ તે છપાય છે. હકીકતમાં આજનો પત્રકાર જડ, અચેતન ‘ટાઇપરાઇટર' જેવો છે, જેની ચાવીઓ પર સંપાલકોની આંગળીનું દબાણ થતાં અવસાનના સમાચારથી માંડીને, વિશ્વના રાજકારણ સુધીની સામગ્રી એ “ટાઇપ કરી જાય છે ! આમ બહાર વાઘનું મહોરું, પહેરીને ગાલે ગુલાલ લગાડી ફરતા પત્રકારના પગ કાર્યાલયમાં પડતાં જ તેના ગાલનો ગુલાલ ખરી જાય છે અને વાઘનું પેલું મહોરું ઊતરી જતાં એમાંથી પ્રગટ થાય છે તેજહીન લાચાર લહિયો ! આજની પત્રકાર પેઢી જો નિસ્તેજ, ઉષ્માહીન કે શક્તિહીન બની રહી હોય તો તેનું કારણ આ જ છે. આ પરિસ્થિતિએ પોતાની સલામતી તથા સંરક્ષણ માટે તેમને ટ્રેડ યુનિયનના માર્ગે ધકેલ્યા છે અને તેમને પોતાનું યુનિયન રચી “સંઘર્ષ દ્વારા સિદ્ધિ અને સલામતી' એ સૂત્ર હેઠળ એકત્ર કર્યા છે.
પત્રકાર અને કારખાનાના કારીગર કે પેઢીના ગુમાસ્તા વચ્ચે મૂળભૂત ભેદ એ છે કે પત્રકાર એ સર્જક છે અને સર્જનની પ્રક્રિયા મનની મોકળાશ, સલામતીની લાગણી અને પોતાના અખબાર સાથેના એકનિષ્ઠ પારિવારિક સંબંધની પ્રસન્નતા સિવાય શક્ય નથી. દુ:ખની વાત તો એ છે કે કેટલાક અખબારના સૂત્રધારો આ વાત
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૪
] પત્રકારત્વ : એક પડકાર
સમજવા અને જો સમજતા હોય તો સ્વીકારવા તૈયાર નથી. ફળરૂપે વ્યવસાયી પત્રકારો અને અખબારના સંચાલકો વચ્ચેના સંબંધમાં ઉત્તરોત્તર અંતર વધતું જ જાય છે. મોટા ભાગનાં અખબારોમાં સંચાલકો અને પત્રકારોના સંબંધો આત્મવિશ્વાસ અને ખુમારી સીંચનારા કૌટુંબિક સંબંધોના બદલે આજે માલિકો અને કામદારો જેવા બની રહ્યા છે અને પરિણામે નવી પત્રકાર પેઢી યંત્રવત્, બિનજવાબદાર, ઉષ્માહીન અને નિસ્તેજ થવા લાગી છે. આ જ પ્રક્રિયા જો ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં ખુમારીભર્યો સાચો પત્રકાર શોધ્યો જડી શકશે નહીં. આમ પોતાના સ્વત્વ અને ખુમારીને કેમ જાળવવાં એ પત્રકારો માટેની પહેલી સમસ્યા છે.
વ્યવસાયી પત્રકારોમાં બે ભાગ છે. એક છે રિપૉર્ટર, જે બહાર ફરીને સમાચાર મેળવતો હોય છે અને બીજો છે કાર્યાલયમાં બેસી સમાચારો કે લેખોના અનુવાદ કે સંકલનકાર્ય કરતો પત્રકાર.
પ્રથમ પ્રકારના પત્રકારની સમસ્યાનો આપણે પહેલાં વિચાર કરીએ. રિપોર્ટરોના કામનો સમય કે કલાકો નિશ્ચિત હોતા નથી. વળી આગ, હુલ્લડ, વગેરે જેવા જોખમકારક સંજોગોમાં એમણે ખડા પગે અને ક્યારેક ચોવીસ કલાક પણ કામ કરવું પડે છે. આમ છતાં તેમના પગારમાં આ અંગેનો કોઈ વિશેષ લાભ હોતો નથી. એટલું જ નહીં, પરંતુ આવી જોખમભરી કામગીરી બજાવતાં તેમને શારીરિક હાનિ પહોંચે કે જીવનભરની અપંગતા આવે તો તેની સામે તેમના કે તેમના કુટુંબની આર્થિક સલામતીની કોઈ યોજના હોતી નથી. પરિણામે ભાવી અસલામતીની લાગણીથી રિપોર્ટર કે તેનો પરિવાર સતત ગૂંગળામણ અનુભવતો હોય છે. અને સમગ્ર વ્યવસ્થાની ક્રૂર મજાક તો એ છે કે આ જ રિપૉર્ટર પાસેથી અતિજોખમી પરિસ્થિતિમાં વધુમાં વધુ કામની અપેક્ષા રખાતી હોય છે ! આમ છતાં રિપોર્ટર માટે મોટા વીમા પોતાના ખર્ચે લેવાની અખબારોએ ખેવના કરી નથી.
રિપોર્ટરોને ખાસ સંજોગોમાં કલાકો સુધી એક જ સ્થળે પડ્યાપાથર્યા રહી પરિસ્થિતિના સમાચારપ્રવાહ સાથે રહેવું પડતું હોય છે. આ કામગીરી માટે તેમને નથી તો કોઈ આર્થિક લાભ અપાતો કે નથી કોઈ તેમની સગવડની ચિંતા કરતું.
રિપોર્ટરોને પોતાના સમાચાર-સંપર્કો સાચવવા ક્યારેક કોઈ બે સમાચાર તેમના અંગેના છાપવાની કે તેમના માથે ઋણ ચડાવવાની જરૂરત પડતી હોય છે. પરન્તુ આવા પ્રસંગે કેટલાક સંચાલકો એવી શંકાથી તેમના તરફ જોતા હોય છે કે રિપોર્ટરો કંઈક ડાબા હાથનો લાભ લેતા હશે. પરિણામે રિપૉર્ટર ભારે ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ જતો હોય છે. ક્યારેક કોઈ રિપોર્ટ અનુચિત લાભ લેવા પ્રયાસ નહીં જ કર્યો હોય કે “કેશ ઓર કાઇન્ડ માં આવો લાભ નહીં જ લીધો હોય તેમ કહી નહીં શકાય.
Page #156
--------------------------------------------------------------------------
________________
વ્યવસાયી પત્રકારોની સમસ્યા ૧૫૫
પરંતુ સંચાલકોએ ગોળ અને ખોળ' વચ્ચેનો ભેદ પામવા જેટલી કુશળતા કેળવવી જોઈએ અને કોઈ એક પ્રસંગનો લાભ લઈ આખી રિપૉર્ટર જ્ઞાતિને દંડવી ન જોઈએ. એક જ દંડે સૌને હાંકવાની સંચાલકોની નીતિ રિપૉર્ટરોનો આત્મવિશ્વાસ હણે છે, તેમની નિષ્ઠા નંદવાય છે અને એ બેદિલીથી યંત્રવત્ કામ કરતો બની જાય છે.
હવે તો કેટલાંક અખબારોએ સરકારી તંત્રની જેમ ખાતાઓની ફેરબદલીનો નવો રવૈયો શરૂ કર્યો છે. જેમ પોલીસ અધિકારી કે સરકારી અફસરને એક જ સ્થળે લાંબો સમય રખાતો નથી તેમ રિપોર્ટરને પણ એક જ પ્રકારની ફરજ ઉપર લાંબો સમય રખાતો નથી. આ કારણે એક સ્થળે રિપૉર્ટરના વિશ્વસનીય સંબંધો બંધાય ત્યાં તો તેને ત્યાંથી બદલાઈ જવું પડતું હોય છે અને આનો ગેરફાયદો આખરે તો અખબારને જ થતો હોય છે. આ ફેરબદલીઓ રિપૉર્ટરને “ઓલરાઉન્ડર બનાવવાના આશયથી કરવામાં આવતી હોવાનું સમજાવાય છે. પરંતુ સત્ય એ છે કે સંચાલકોને પોતાના રિપોર્ટરો પર વિશ્વાસ હોતો નથી. તેમને સતત શંકા રહ્યા કરતી હોય છે કે આ સંબંધોનો રિપૉર્ટરો પોતાના અંગત હિત કે હેતુ માટે ઉપયોગ કરશે. ક્યારેક કોઈ રિપોર્ટરે પોતાના સ્થાનનો ઉપયોગ અનધિકાર હેતુઓ માટે નહીં જ કર્યો હોય તેમ પણ નહીં કહેવાય. છતાં આ પ્રશ્નને બીજી રીતે ઉકેલવાને બદલે ખાતાંઓમાં ફેરફાર દ્વારા ઉકેલવાની પ્રથા રિપૉર્ટરના સ્વમાનને આઘાત આપનારી બને છે અને તેઓ ખુમારીપૂર્વક કામ કરી શકતા હોતા નથી.
સંચાલકોના આવા શંકાશીલ માનસ અને જોખમભરી કામગીરીમાં ભાવિ અસલામતી વચ્ચે સ્વત્વ ટકાવીને પૂરા આત્મવિશ્વાસ સાથે કામ કેમ કરવું એવી મહત્ત્વની સમસ્યા રિપોર્ટરોની છે.
બીજા પ્રકારના પત્રકારો, જેઓ ડેસ્ક ઉપર કામ કરનારા છે, તેમની સમસ્યા વળી અલગ પ્રકારની હોય છે. મોટા ભાગનાં અખબારો પાસે રેફરન્સ લાઇબ્રેરી હોતી નથી. પરિણામે ક્યારેક તત્સણ લખવાની નોંધો માટે પત્રકારને ફાંફાં મારવાં પડતાં હોય છે. આવા પ્રસંગે ક્યારેક પોતાની યાદશક્તિના આધારે કે આજુબાજુ બેઠેલાંઓની અધકચરી માહિતીના આધારે એમને લખવું પડતું હોય છે. આવા લેખો કે નોંધો, લખનારની પ્રતિષ્ઠામાં કશો જ ઉમેરો કરી શકતાં હોતાં નથી.
કોઈ કહે તો માની ન શકાય અને કહેનાર તથા સાંભળનાર બંને દીવાના લાગે પણ કઠોર વાસ્તવિકતા તો એ છે કે કેટલાંક અખબારોમાં સામાન્ય રોજિંદી જરૂરતો માટે પણ પત્રકારોને મેનેજમેન્ટ સાથે સંઘર્ષ કરવો પડતો હોય છે ! ... અને આટઆટલી પ્રતિકૂળતા વચ્ચે, માનસિક તનાવ વચ્ચે તેમની પાસેથી ઉચ્ચ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫૭ n પત્રકારત્વ : એક પડકાર
કોટિના સર્જનાત્મક લેખોની અપેક્ષા રાખવામાં આવતી હોય છે. સર્જનાત્મકતાને વાતાવરણ, માનસિક પ્રફુલ્લિતતા કે સુવિધાઓ સાથે જે પ્રગાઢ સંબંધ છે તે વાત ભાગ્યે જ કોઈ મેનેજમેન્ટ સ્વીકારે છે. કામદાર અને લેખક વચ્ચેનો ભેદ તેઓ આંકતા નથી.
આજનાં મોટા ભાગનાં અખબારોએ ‘તંત્રી'નો દરજ્જો રદ કરેલો છે અને માલિકોએ આ કામનું સુકાન હાથમાં લીધેલું છે. આમ પત્રકારત્વ ક્ષેત્રમાંથી સ્વ. સામળદાસ ગાંધી, સ્વ. અમૃતલાલ શેઠ, સ્વ. કકલભાઈ કોઠારી, શ્રી હરગોવિંદ પંડ્યા, સ્વ. કપિલરાય મહેતા પછી આદર્શ અને પ્રતિભાવંત તંત્રીઓનો સ્રોત લુપ્ત થઈ ગયો છે. આ તંત્રીઓ પોતે ઉચ્ચ કોટિના પત્રકારો હતા અને નવા પત્રકારોના શિલ્પીઓ હતા. તેઓ પત્રકારોની જરૂરત અને ગૌરવ બરાબર સમજતા અને તેનું કાળજીપૂર્વક જતન કરતા. મોટા ભાગનાં અખબારોના આજના તંત્રીઓ માલિકો અને વહીવટકર્તાઓ છે. પણ મુશ્કેલી એ સર્જાઈ છે કે આ બે ભગીરથ કાર્યોની ખેંચતાણમાં તેઓ કોઈ એક વિભાગને શ્રેષ્ઠ બનાવવા તેમની શક્તિ અને લક્ષ કેન્દ્રિત કરી નથી શક્યા. પત્રકારો પ્રત્યેનો તેમનો અભિગમ કંઈક અંશે તેમનો ‘જુસ્સો’ તોડનાર બની રહ્યો હોવાની ફરિયાદો અવારનવાર સાંભળવા મળે છે. તંત્રીઓ પોતાના અખબારની નીતિ ઘડે તે તો યોગ્ય જ છે પણ રોજિંદા કામમાં આવો વહેવાર ક્યારેક પત્રકારો માટે સ્વમાનના પ્રશ્નો સર્જી જાય છે.
વ્યવસાયી પત્રકારોને અંકુશમાં રાખવા અખબારોએ હવે ‘મહેમાન કટારલેખકો’નો વર્ગ ઊભો કર્યો છે. અને આ વર્ગને સવિશેષ મહત્ત્વ આપીને તેને મજબૂત બનાવાતો જાય છે. આ કટારલેખકો નિઃશંકપણે બુદ્ધિજીવી વર્ગમાંથી આવે છે. તેમનું વાચનમનન અને લેખન નિઃશંકપણે ઉત્તમ પ્રકારનાં હોય છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ શું કરવું જોઈતું હતું અને શું નહોતું કરવું જોઈતું, શ્રી જયપ્રકાશ નારાયણ, શ્રી મોરારજીભાઈ દેસાઈ કે શ્રી જગજીવનરામે કેવો રાજકીય વ્યૂહ અપનાવવો જોઈતો હતો, ચીનના આક્રમણ ટાણે જન૨લ થિમૈયાએ લશ્કરી ચાલમાં ક્યાં ગફલત કરી કે ઝૂમાંથી છટકેલા વાંદરાને શ્રી ડેવિડ રૂબેને કેવી રીતે પકડવો જોઈએ વગેરે અનેકવિધ તમામ વિષયો ઉપર પોતાનો તત્ક્ષણ માર્ગદર્શન આપવાની અદ્ભુત કાબેલિયત ધરાવે છે. આમ છતાં આ મહેમાન કટારલેખકો વ્યવસાયી પત્રકારો માટે ગંભીર પડકારરૂપ છે. અખબારો આ કટારલેખકોની ઓથે વ્યવસાયી પત્રકારોને વધુ ને વધુ તેજહીન, શક્તિહીન અને લાચાર બનાવવાનો પ્રયોગ કરે છે. સંભવતઃ અખબારી સંચાલકોની નેમ નજીકના ભવિષ્યમાં વ્યવસાયી પત્રકારોની જ્ઞાતિ નેસ્તાનાબૂદ કરવાની પણ હોઈ શકે.
-
Page #158
--------------------------------------------------------------------------
________________
વ્યવસાયી પત્રકારોની સમસ્યા ૧૫૭ એકદોઢ દશકા પહેલાં પત્રકારોમાં તેમના અખબાર પ્રત્યે જે નિષ્ઠા હતી, જે કુટુંબભાવના હતી, ‘હું એવું કામ કરું કે સહુમાં હું અને મારું અખબાર ટોચે ઊભાં રહે એવી જે તમન્ના હતી અને બીજાં અખબારોને સવારના પહોરમાં સણસણતો ચાબખો પડે એવું કશુંક “એક્સક્લઝિવ' કરવાનું જે ઝનૂન હતું, તંદુરસ્ત સ્પર્ધા માટેનો જે થનગનાટ હતો તે આજે ક્યાંય દેખાતા નથી.
વ્યવસાયી પત્રકારની સૌથી મોટી સમસ્યા ખોવાયેલું સ્વત્વ, રોળાયેલી ખુમારી અને છિન્ન-ભિન્ન થયેલો આત્મવિશ્વાસ પાછાં પામવાની છે – અને એ પાછાં મેળવવાનો માર્ગ તો આજે તો તેમને જડતો નથી.
“આજનું આપણું રોજિદુ પત્રકારત્વ દેકારાની દશાને પામ્યું છે, તે તો એના સંચાલકો-માલિકોની ટૂંકી દૃષ્ટિને પ્રતાપે. તેઓ “આજ'માં રમે છે, “આવતીકાલની નવરચનામાં નહિ. તેઓ માનતા જણાય છે કે રાજદ્વારી છમકલાં છાપવાથી અને લીંબડી-પીપરડી ગામોની ખળાવાડોના હવાલદારની ખબર લઈ નાખવાથી જ લોકો વાંચવા લોભાય છે; સાહિત્યનું પાનું તો જાણે કે પચીસ-પચાસ વ્યક્તિઓના વિલાસની વસ્તુ છે. આવી માન્યતાઓ દૈનિક પત્રકારત્વને એક શુષ્ક, શૂન્ય, સળગતા વેરાનનું સ્વરૂપ આપનારી છે. આવી માન્યતાઓ પત્રકારત્વની ચેતના-વિદ્યુતને કેવળ સંહાર માટે, તમતમાટને માટે, ભજિયાં તળવાના તાવડા તપાવવા માટે સેવાય છે; એ એક વિકૃત અને વિઘાતક માન્યતા છે.
- રતિભાર સત્ય અને ખાંડી ખાંડી પ્રચારવેગ; પ્રજાના ચિરસ્થાયી વિચારભાવોને ઉવેખી કેવળ ક્ષણિક આવેશોનો જ ભડકો; સ્વતંત્ર તુલનાશક્તિનો હ્રાસ કરી જઈ ઉત્તેજનાની જ રમણલીલા; એ કંઈ રોજિંદા પત્રકારત્વના ન નિવારી શકાય તેવા અનર્થો નથી, સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ છાપાંનું કે ચોપડીનું જેટલું સાહિત્યરંગી બનશે, તેટલી એની ચોટ વધશે; એની માર્મિકતાને ભલી ધાર ચડશે. એ ધારને સાહિત્યનું પાણી પાનાર નવો લેખકવર્ગ આપણા પત્રકારત્વમાં જોશભેર દાખલ થઈ રહેલ છે એટલે થોડા જ વર્ષોમાં આજના પત્રકારત્વનો અનેક ત્રુટિઓમાંથી છુટકારો સંભવિત લાગે છે.”
– ઝવેરચંદ મેઘાણી
(‘વેરાનમાંથી)
Page #159
--------------------------------------------------------------------------
________________
૨૫
નિષ્ઠા અને ખુમારીનો રણકાર નીરુ દેસાઈ
છત્રીસ વર્ષ જૂના દીર્ઘકાલીન વ્યવસાય પછીનો પ્રતિભાવ વિયેટનામ યુદ્ધમાં હોમાવા ગયેલા એક અમેરિકી લશ્કરી જવાન જેવો છે. હેલિકૉપ્ટરમાંથી ભૂમિ પર કૂદતાં પહેલાં એણે ટોપા પર લખ્યું હતું : “unwilling at the bid of the unqualified doing the most unnecessary thing for the most ungrateful."
પત્રકારત્વ એક મિશન તરીકે સ્વીકાર્યું હતું પરંતુ છેલ્લા બે દાયકામાં જે કમિશન તેમાં પ્રવેશ્યું છે એને માત્ર કમાઈ ખાવાના એક સાધન બિઝનેસ તરીકે જ તેને માની અંગત મહત્ત્વાકાંક્ષા, સત્તા અને સ્ટેટસ તરીકે આ ક્ષેત્રનું જે રીતે સંચાલન થઈ રહ્યું છે તે સંદર્ભમાં અંગત નિરાશાની લાગણી કોઈક વાર સ્વાભાવિક છે. પરંતુ આ સ્થિતિ માટે એકલો દોષ માલિકી અને એમાંથી ઊભા થતાં સામંતશાહી સંબંધોનો નથી. સાહિત્ય અને પત્રકારત્વ બંનેમાં માધ્યમ શબ્દ છે તેની પ્રતીતિકારકતા, અસરકારકતા ક્ષીણ થયાં હોય તો તેની ખરી જવાબદારી શબ્દના સર્જકોની પણ છે. એ સ્વત્વ સાચવવાની અને તેની સામેનાં જોખમોની, અંતરાયો અને પડકારોની વાતો કરે છે. આ વ્યવસાયમાં પડેલાઓની મુશ્કેલીઓ ઓછી નથી. નીતિ એ નક્કી કરતો નથી. શું લેવું, શું ન લેવું એ માલિકની મુન્સફી, પૂર્વગ્રહો અને પક્ષપાતો પર આધાર રાખે છે. પત્રકારત્વમાંથી objectivity ચાલી ગઈ છે. પ્રજામતનો, તેની લાગણીનો, પ્રશ્નોનો એમાં ભાગ્યે જ પડઘો પડે છે. સમાજમાં જે અવિધેયાત્મક, નકારાત્મક અને મહદ્ અંશે ગુનાહીત પ્રસંગો બને છે, તે Interpretative Journalismને નામે ડોકાં દે છે. વ્યવસાયની ભૌતિક મુશ્કેલીઓ પણ ઓછી નથી. જુદા જુદા વક્તાઓના વિગતી બયાનોમાં તેનો ચિતાર અપાયો છે. તે સ્વીકારીએ તોપણ સ્વત્વ સાચવવાનો પ્રયાસ પત્રકારે પોતાને જ કરવાના રહે છે. એ જે માનતો હોય તે પ્રમાણે પ્રકાશિત ન કરાય, પરંતુ એ પ્રકારના લખાણથી એ શા માટે દૂર ન રહે ? સાચું ન કહી શકે – પરંતુ ખોટામાં શા માટે એ પક્ષકાર બને છે ? થોડાં નાણાં કમાવા અથવા તો સંચાલકોને રીઝવવા અથવા તો નોકરીની સલામતીના નામ હેઠળ એ પોતાની કલમ ગંદા પાણીમાં શું કરવા બોળે ? વ્યભિચારિણી કલમ દ્વારા જ જીવતર શક્ય હોય તો એ કેટલે અંશે વાજબી લેખાય ? એ પછી સ્વત્વનો વાત આપણને શોભે છે ખરી ?
Page #160
--------------------------------------------------------------------------
________________
નિષ્ઠા અને ખુમારીનો રણકાર | ૧૫૯
પત્રકારે પોતે જ કેટલીક લક્ષ્મણરેખાઓ દોરવી પડશે. એ ખુમારી કેળવાશે તો એને કદાચ થોડીક મુશ્કેલીમાં મુકાવું પડે પરન્તુ યુનિયન-સંઘોના જમાનામાં કોઈ માલિક પત્રકારને તેની માન્યતા વિરુદ્ધ લખવાની ફરજ ન પાડી શકે – પત્રકારે પોતે જ આવી સૂચનાઓને ઇનકાર કરવો જોઈએ. આવી ખુમારી હશે તો જ એના શબ્દોમાં બળ આવશે. સાહિત્યકાર અને પત્રકાર ન ઇચ્છે તોયે સામાજિક ચેતનાના અભિગમથી તે અલિપ્ત રહી શકતો નથી. પડકારોનો રાતદિવસ સામનો કરવાની શિખામણ આપતા રહે છે. આવી શિખામણનાં સામાજિક પાસાંઓને તેણે નજરઅંદાજ કરવાં જ પડે છે. એની કલમમાં અને શબ્દમાં જો ખુમારીનો, નિષ્ઠાન રણકાર નહીં હોય તો એ જાતને જ બિન-વફાદાર પુરવાર થશે.
( પત્રકાર પોતે જ એની જાત સામેના પડકારનું કવચ બની શકે અને એ માટે જ તેણે પ્રયત્નશીલ થવું ઘટે.
દુનિયાની સામે ઊભીને પણ આપણો અંતરાત્મા આપણને જે કહે છે તે જ કરવું, મારી જિંદગીમાંથી કે મારા બોલમાંથી જે કેટલીક વસ્તુઓ શીખવા જેવી હું માનું છું તેમાંની આ મહત્ત્વની છે. જેણે લોક વિરુદ્ધ અથવા મારા જેવા મહાત્મામાં ખપતા મનુષ્યોની સામે થઈને પણ પોતાનો અંતરનાદ બીજાને સંભળાવ્યો છે તેને વંદન હજો. એવી શુદ્ધ પણ શાંત સ્વતંત્રતા સૌરાષ્ટ્ર’ સહુને શીખવો એ હું ઇચ્છું છું.”
-- મોહનદાસ કરમચંદ ગાંધી
(શ્રી અમૃતલાલ શેઠ પર લખેલા પત્રમાંથી)
Page #161
--------------------------------------------------------------------------
________________
પરિસંવાદનો સમારોપ
યશવંત શુક્લ પરિસંવાદના અર્થને શોભે એવો આજે પરિસંવાદ થયો. ઉદ્ઘાટનની બેઠકને અલગ ગણીએ તો આજે એક જ દિવસની અવધમાં પાંચ બેઠકો થઈ. દિવસ આખો આજે અનુભવીઓની જ્ઞાનવાર્તા સાંભળી. અલબત્ત, ઝોક સાહિત્ય કરતાં પત્રકારત્વ ઉપર વધુ રહ્યો, પણ એક રીતે એ સારું થયું. યજમાન સંસ્થાઓમાંની એક તો પોતાની મલ્ટી કોર્સ યોજના અન્વયે પત્રકારત્વના વર્ગો પણ ચલાવે છે. આ વર્ગોને વર્ષભર પહોંચે એટલું ખાજ આટલા એક દિવસના પરિસંવાદમાંથી મળી રહેશે.
વક્તાઓ બધા જ અધિકારી અનુભવીઓ હતા. બધા જ પોતાનું લેસન બરાબર કરી લાવ્યા હતા. મોટા ભાગનાએ તો પોતે તૈયાર કરી લાવેલાં લેખિત વક્તવ્યો રજૂ કર્યા. હું આશા રાખું છું કે આ વિષયના અભ્યાસીઓને મુદ્રિત રીતે એ
ક્યારેક સુલભ કરી આપવામાં આવશે. એ જરૂરનું છે, કેમ કે વક્તાઓએ આજે પ્રામાણીક આત્મનિરીક્ષણનો સંવેદનશીલ અવાજ સંભળાવ્યો છે. વ્યવહારના પ્રશ્નોની પણ ઉત્તમ માંડણી થઈ. એમનાં વિધાનોમાં ક્યાંક અલ્પોક્તિ કે અતિશયોક્તિ હશે, કોઈ કોઈનાં વિધાનો પરસ્પરવિરોધી કે વિવાદાસ્પદ પણ હશે, પણ કોઈ આજે બોલવા ખાતર બોલ્યું નથી. આ પરિસંવાદનું આ મોટામાં મોટું શ્રેય છે. અનાયાસે જ સાહિત્યકારો અને પત્રકારોનો આ પરિસંવાદ એક મંચ બની ગયો. સ્વાદ એનો એવો રહી ગયો છે કે આવા પરિસંવાદ વારંવાર યોજાતા રહે એમાં સાહિત્ય અને પત્રકારત્વ ઉભયનું શ્રેય છે. હરિફાઈઓ પત્રો અને પત્રમાલિકો વચ્ચે ભલે રહેતી હોય; કદાચ વિકાસ માટે સ્પર્ધા જરૂરી પણ બની રહેતી હશે. પણ સ્પર્ધા ધંધામાં હોય, વ્યવસાયમાં હોય નહીં. વ્યવસાયીઓ તરીકે તો પત્રકારો અને સાહિત્યસેવીઓનું લક્ષ્ય એક જ હોય : એમના પોતાના વાચકોને વિકાસમાં સહાયભૂત થવાનું.
પરિષદ માટે તો આ એક atonementનો– પ્રાયશ્ચિત્તનો અવસર છે. ૭૫ વર્ષ પૂર્વે સ્થપાયેલી સાહિત્ય પરિષદ અનેક સંસ્કારપ્રવૃત્તિઓનો વર્ષો સુધી મંચ બની રહેલી. એટલે સાહિત્ય ઉપરાંત ધર્મ, કલા, શિક્ષણ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, પત્રકારત્વ આદિ વિષયવિભાગો પણ પરિષદના અધિવેશનો વખતે રખાતાં હતાં.
Page #162
--------------------------------------------------------------------------
________________
પરિસંવાદનો સમારોપ ૧૯૧
એથી એક આંતરવિદ્યાકીય મેળો રચાતો. પણ સાહિત્યેતર વિષયોએ છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન અભુત વિકાસ સાધીને પોતપોતાના અધિવેશનો ભરવા માંડ્યાં છે. તેથી નમ્રપણે પરિષદે પછી સાહિત્યિક પ્રશ્નો ઉપર ધ્યાન એકાગ્ર કરવાનું ઠરાવ્યું. સ્વાભાવિક રીતે જ પછી તો પત્રકારત્વ વિભાગ પણ નીકળી ગયો. પરિષદના દિલ્હી અધિવેશન પ્રસંગે પત્રકારત્વનો વિભાગ રખાયો હતો તે છેલવેલો હતો. આ બોલનાર એ વિભાગનો પ્રમુખ હતો, એટલે જ કદાચ, આ ઉપસંહારનું કર્તવ્ય એને ભાગે આવ્યું લાગે છે.
પણ પત્રકારત્વનો વિભાગ નાબૂદ થયો એ સારું કર્યું કે નહીં એ એક પ્રશ્ન રહી જવાનો. આજે સવારે ઉદ્ઘાટન-પ્રવચન કરતાં શ્રી વાડીભાઈ ડગલીએ યથાર્થ જ કહ્યું કે, ભાષા એ સાહિત્ય અને પત્રકારત્વનો કાચો માલ છે. બંનેનાં અનેક મિલનબિંદુઓ છે, ભલે લક્ષ્યો જુદાં હોય. એટલે પરિષદ પત્રકારત્વનો વિભાગ રાખે કે ન રાખે તો પણ આવાં મિલનો અને પરિસંવાદો યોજાતાં રહેવાં જોઈએ. એ દૃષ્ટિએ જ મેં કહ્યું કે, પરિષદ માટે આ એક ક્ષતિપૂર્તિનો–પ્રાયશ્ચિત્તનો અવસર બની ગયો.
અતિથિવિશેષ શ્રી ચીમનભાઈ પટેલે (તંત્રી – “સંદેશ') પત્રકારત્વ માટેની આચારસંહિતા ઉપર યથાર્થ ભાર મૂક્યો. પ્રત્યેક પત્રનું તંત્ર ટ્રસ્ટીશીપની રીતે ચાલે એમ પણ તેમણે કહ્યું એનો મર્મ કદાચ એ છે કે વ્યવસાય વ્યવસાય તરીકે માલિકનોકરના ભાવથી નહીં, પણ ભાગીદારીની ભાવનાથી ચાલે. જ્યારે વ્યવસાયમાંથી ધર્મ નીકળી જાય છે, ત્યારે એ ધંધો બની જાય છે. જો પત્રકારો સાચા અર્થમાં વ્યવસાયી હશે તો માલિકો પોતપોતાના સ્થાને રહેશે. શ્રી વાસુદેવ મહેતાને માલિકો રહે તેનો વાંધો નથી પણ તેઓ એમના ચોકઠામાં રહે એમ તેમનું કહેવું હતું. માલિકો પોતે પત્રકારો હોય તો તો ચોકઠામાં રહેવાનું એમને જરૂર પોસાય. પણ તે વિના તો પત્રના યોગક્ષેમના ચોકઠામાં જ તેમનું વાસ્તવિક સ્થાન હોઈ શકે ને !
એક વક્તા મિત્રે બર્નાર્ડ શૉને યાદ કરીને કહ્યું કે, “All Literatue is Journalism.” “ક્વિન્ટેસા ઑફ ઇન્સેનિઝમ'ના આમુખમાં બર્નાર્ડ શૉએ જ્યારે આ વાત કરી ત્યારે ઉચ્ચ સ્તરેથી સાહિત્યના પ્રચારધર્મની વાત તેમણે કરી હતી. હરીન્દ્રભાઈએ પણ કહ્યું કે પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચે પોતે ભેદ કરતા નથી. પણ આ ઉચ્ચ સ્તરેથી કહેવાયેલી વાત છે કેમ કે જીવનનું સત્ય, જીવનનું તથ્ય, ઉભયનો
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૬૨ O પત્રકારત્વ : એક પડકાર
વિષય છે. પત્રકારને ઉતાવળે ઉતાવળે નિયત સમયમાં પોતાનું કામ આટોપવાનું હોય છે એ ખરું, પણ એ ઉતાવળ તે તો જે તે દિવસનું કામ આટોપવાની ઉતાવળ છે, પોતપોતાની સજ્જતા કેળવવાની એ ઉતાવળ નથી. વર્ષો પહેલાં ‘માન્ચેસ્ટ૨ ગાર્ડિયન'ના અધિપતિ સી. પી. સ્કોટે એક એવું સૂત્ર વહેતું કર્યું હતું કે Fact is sacred, comment free. એમણે એ સૂત્ર પોતાના વ્યવસાયજીવનમાં ચરિતાર્થ પણ કર્યું હતું. તથ્યને પવિત્ર માનીને પ્રામાણિકપણે તેને રજૂ કરનાર અને પોતાની સમગ્ર સજ્જતાથી તેને વિમર્શ કરનાર પત્રકાર જ પત્રકારત્વને Fourth Estate (ચોથી જાગીર) બનાવી શકે છે. પત્રકારત્વ એ નિઃશંક એક પરિબળ છે. એ સમાચાર આપે છે, પ્રતિભાવ આપે છે. શાસનને જાગ્રત રાખનાર એ એક ચોકીદાર છે, કેમ કે તેની સીધી અપીલ રાજ્યના અંતિમ સાર્વભૌમત્વના અંશરૂપ લોકોને છે. પત્રકારત્વ પણ લોકચેતનાને સ્પર્શે છે, અને તેને ઝંકૃત કરે છે.
પણ એની આ પ્રભાવક શક્તિ જો ખરીદવેચાણની વસ્તુ બની જાય તો પછી એ પોતાની વિશ્વસનીયતા ગુમાવે છે. ઝડપથી વિકસતા યંત્રવિજ્ઞાને પત્રકારત્વનો બહોળો ફેલાવો કરનારાં સાધનો પૂરાં પાડ્યાં છે. જેમાંથી નાનાં પત્રો માટે કેવા મોટા પ્રશ્નો ઊભા થયા છે તેનો ખ્યાલ શ્રી પ્રતાપભાઈ શાહે આપ્યો છે. એ આખો પ્રશ્ન અલાયદી વિચારણા માગી લે એવો છે. પણ આ પરિસંવાદમાં કહેવાયું કે હજી તો ગુજરાતની વસ્તીનો એક ટકા ભાગ જ પત્રો ખરીદે છે. એનો અર્થ એ થયો કે પાંચથી દશ ટકા લોકો પત્રો વાંચે છે. શિક્ષણનો અને અક્ષરજ્ઞાનનો ફેલાવો કરવામાં જો પત્રો સહાયભૂત થાય તો હજી વાચકવર્ગ અને ગ્રાહકવર્ગને વિસ્તરવાનો બહોળો અવકાશ છે. પણ વાસુદેવભાઈએ બીજી એક વાત કરી : જેમ જેમ પત્રોનો ફેલાવો વધતો જાય છે તેમ તેમ એ તેમની વિશ્વસનીયતા ગુમાવતા જાય છે. જો આ વાત સાચી હોય તો ફોર્થ એસ્ટેટ બનવાની તો આ રીત નથી જ. લોકચેતના જાગ્રત કરવાની, પોતાની આસપાસ બનતા બનાવોની સમીક્ષા કરવાની, લોકોની એમની ગુંજાયશ વધા૨વાની પ્રેરણા આપવાની, અને તેમને પોતાનાં સ્વાતંત્ર્યોની રક્ષા કરનાર નાગરિક જીવનના ભાગીદારો બનાવવાની પત્રકારત્વની ફરજ અધિકાંશે નીડર, તટસ્થ, પ્રામાણિક પત્રકારો ઉપર આવી પડે છે.
આમ કેમ નથી થતું ? શ્રી નરભેરામ સદાવ્રતીએ કહ્યું કે સ્વતંત્ર અભ્યાસ અને અન્વેષણને નામે મીંડું છે. શ્રી ઈશ્વર પંચોલીએ કહ્યું કે જન્મભૂમિ–પ્રવાસી પત્રના એક
Page #164
--------------------------------------------------------------------------
________________
પરિસંવાદનો સમારોપ ૧૯૩
માત્ર અપવાદ સિવાય બહોળો ફેલાવો ધરાવનારા પત્રો પાસે પણ સમૃદ્ધ ગ્રંથાલયો નથી. રાજકારણ એ જ પત્રકારત્વનો પ્રધાન સૂર બની ગયો છે. શ્રી યાસીન દલાલે કહ્યું કે સંસ્કાર-પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ તો ઘેર ગયું, પણ એવી પ્રવૃત્તિ થવાની હોય તેની સમાચારનોંધ પણ પૂરી પાધરી છપાતી નથી. હમણાં દાદા ધર્માધિકારી અમદાવાદ આવી ગયા અને બે વિચારપૂર્ણ પ્રવચનો કરી ગયા. કશે ક્યાંય એની નોંધ સરખી લેવાઈ હતી ? પત્રકારત્વે પ્રજાઘડતર માટે હવે પોતાના અગ્રતાક્રમો બદલવા ઘટે છે, અને લોકજીવનને સમૃદ્ધ કરવાની નેમથી જ પોતાનો વ્યવસાય ચલાવવો ઘટે છે. આ બાબતમાં વ્યવસાયી પત્રકારો જો એકમત હશે તો માલિકોની સ્પર્ધાની એમને કનડગત રહેશે નહીં, સિવાય કે અજાણતાં એ સ્પર્ધાના અને અવળા અગ્રતાક્રમોના પોતે જ વાહકો બની રહે.
ભાઈ શશીકાન્ત નાણાવટીએ આક્રોશપૂર્વક કહ્યું કે પત્રકાર એ વ્યાધ્રમુખ પહેરીને ફરનારો નિર્જીવ ટાઇપરાઇટર બની ગયો છે. ઇન્ડિયન એક્સપ્રેસવાળા શ્રી કિરીટ ભટ્ટે કહ્યું કે પત્રકાર મરી ગયો છે. એમણે તો હસમુખ પાઠકના એક કાવ્યને પણ પત્રકારની સંવેદનારહિતતા દર્શાવવા ઉપયોગમાં લીધું પણ શ્રી નીરુભાઈ દેસાઈએ યથાર્થ જ કહ્યું કે પત્રકારના ઉદ્ધારની ચાવી એના પોતાના હાથમાં છે. પોતાની સ્થિતિ માટે જો એણે કોઈને પણ દોષ દેવાનો હોય તો તે પોતાને જ છે.
કેવો હોવો જોઈએ પત્રકાર ? ભાઈ ભગવતીકુમાર શર્માએ એનામાં સહૃદયતા કલ્પી, સાંસ્કૃતિક સજ્જતા કલ્પી અને સ્વાતંત્ર્યનો અભિનિવેશ પણ કહ્યો. ભાવનગરના શ્રી કિરીટ ભટ્ટે પણ શબ્દફેરે એ જ ગુણો ઉપર ભાર મૂક્યો. આ તે પત્રકારનું વર્ણન છે કે સાહિત્યકારનું? સાહિત્યકારમાં પણ આ જ ગુણો અપેક્ષિત છે. કેવળ ભાષા જ નહીં, આ લક્ષણો પણ પત્રકારત્વ અને સાહિત્યનાં મિલનબિંદુઓ છે. પત્રકાર ભલે વૃત્તાંતનિવેદન કે વૃત્તવિવેચન કરતો હોય પણ તેની સજ્જતા તો ભાષાકર્મ તેમજ અભિગમ ઉભય પરત્વે સાહિત્યકારના જેવી જ હો જોઈશે. અધ્યાપકત્વ અને પત્રકારત્વ એ સાહિત્યકારને માટે આજીવિકાનાં અધિકાંશ સાધનો છે એ કંઈ આકસ્મિક ઘટના નથી. પરિસ્થિતિનું દર્શન, તેનું આકલન, તેને વિશેનું ચિંતન સમગ્ર સજ્જતાથી અને સંવેદનાથી સાહિત્યકાર અને પત્રકારે કરવાનું છે. સાહિત્યકાર ભલે શબ્દ દ્વારા શબ્દાર્થની પાર જતો હોય, અને પત્રકાર ભલે શબ્દ દ્વારા અર્થબોધ કરાવવાનું મર્યાદિત કાર્ય કરતો હોય પરંતુ ઉત્તમ પત્રકાર એ ઉત્તમ સાહિત્યકાર પણ છે એ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬૪
| પત્રકારત્વ : એક પડકાર
શ્રી હરીન્દ્ર દવેનું કથન નિરર્થક નથી. સત્યની અને સહૃદયતાની, સજ્જતાની અને નિર્ભયતાની ભૂમિકાએ સાહિત્યકાર અને પત્રકાર હાથ મિલાવતા રહે એ જ ઇષ્ટ છે.
ભાઈ કુમારપાળે કહ્યું કે વિકસતા વિષયો માટે ભાષા વિકસેલી નથી. શ્રી વાસુદેવ મહેતાએ ફરિયાદ કરી કે ત્રણ મજલાની ગુજરાતી લિપિને કારણે જેટલા અવકાશમાં અંગ્રેજી પત્રો જેટલી સામગ્રી આપે છે તેટલા જ અવકાશમાં ગુજરાતી પત્રો તેથી અડધી સામગ્રી માંડ આપે છે. એમણે કહ્યું કે સાહિત્યકારોએ જોડણી અને લિપિ અને ભાષા પરત્વે પત્રકારત્વની વહારે ચડવું જોઈએ. ચડવું જ જોઈએ, પણ એકલા સાહિત્યકારો આમાં ખપ નહીં લાગે. પત્રકારોએ અને સાહિત્યકારોએ સાથે બેસીને આ પ્રશ્ન ઉકેલવો જોઈશે. આખરે લિપિ એ સંજ્ઞા છે. એને અનુકૂળ ઘાટ ન જ આપી શકાય એવું નથી. એ માટે મથામણો પણ ચાલે છે. પણ પત્રકારત્વ ભાષા બગાડી ન બેસે એટલા માટે એક મિત્રે અનુવાદશાળા સ્થાપવાની હિમાયત કરી. હું એને અનુમોદન આપું છું. પણ ગુજરાતી પત્રકારત્વ સદાય પરોપજીવી રહેવાને નિર્માયું નથી. વસ્તુના સ્વતંત્ર દર્શનની અને પરામર્શની અપેક્ષા પણ વાચકો પત્રકારત્વ પાસે રાખે છે. એ માટે ભાષાશક્તિ વિકસાવવી જોઈએ.
થોડાંક વર્ષો પહેલાં કેસ્લી મેન્યુઅલ ઑફ જર્નાલિઝમ' કરીને એક ગ્રંથ મારા વાંચવામાં આવ્યો હતો. તેમાં એક લેખકે ગદ્યશક્તિ વિકસાવવા માટે કવિતાના અભ્યાસનો અનુરોધ કર્યો હતો. આમાં તો કાવ્ય ગદ્ય અને પદ્ય ઉભયમાં સંભવે છે. પણ વ્યાવહારિક જરૂરિયાતો સાધવા માટે પત્રકારત્વ અધિકાંશે ગદ્યનો ઉપયોગ કરે છે. પણ ઊંડી નજર માંડીશું તો કોઈ પણ દેવતવાળી પ્રજા પોતાના વ્યવહારુ ગદ્ય પરત્વે પણ અનાયાસે કવિતાની સ્મૃતિની જ ઋણી હોય છે. આપણે ત્યાં પણ નરસિંહ મહેતાથી નલિન રાવળ સુધીની કવિતાનો ઉત્તમ અભ્યાસ થાય તો પત્રકારત્વને પોતાના ભાષાકર્મ માટે સજીવ શબ્દો અનાયાસે ફુરી રહેશે.
પત્રકાર મરી ગયો છે એ શ્રી કિરીટ ભટ્ટના ઉદ્ગારે અને પત્રકારની સજ્જતા વિશેની શ્રી ભગવતીકુમાર શર્માની અપેક્ષાએ મને અસમિયા કવિ નવકાન્ત બરૂના એક કાવ્યનું સ્મરણ કરાવ્યું. જ્યારે મારું શબ બુદ્ધને મળ્યું એ આ કવિતાનું શીર્ષક છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાનો પ્રબોધ માત્ર કરનારા નહીં પણ એ ભાવો જીવનારા સુધ્ધાં એવા કારુણ્યમૂર્તિનો સંસ્પર્શ થીજી ગયેલા જડ માનસને થાય તો એની પણ ચેતના સ્પંદિત થઈ ઊઠે અને વિવિધ પેરે અભિવ્યક્તિ સાધી શકે. એ કાવ્યના
Page #166
--------------------------------------------------------------------------
________________
પરિસંવાદનો સમારોપ
૧૩૫
કવિએ પોતે કરેલા અંગ્રેજી અનુવાદને આધારે મેં એનો આવડ્યો એવો ગુજરાતી અનુવાદ કર્યો છે તે આપને સંભળાવીને મારું વક્તવ્ય પૂરું કરું છું.
જ્યારે મારું શબ બુદ્ધને મળ્યું જ્યારે મારું શબ બુદ્ધને મળ્યું ત્યારે હું કંઈ બોલ્યો નહીં. એમણે પણ મને કંઈ પૂછ્યું નહી. થોડો વખત એ કંઈક એકલા વિચારી રહ્યા, અને પછી, ઉજાણીએ ગયેલા કંટાળેલા એકલા પડી ગયેલા નિશાળિયાની જેમ ઇતિહાસના લીસા પથ્થર ઉપર એમણે પોતાનું નામ ઘસડવાનું શરૂ કર્યું. એમણે મને કંઈ પૂછ્યું હોત તો.... પેલી જીરણ દીવાલની ફાટ વચ્ચે ઊગેલા પીપળાની અમળાયેલી ડાંખળીમાં મારો ઉત્તર હવે ઊગી રહ્યો છે; અનુભૂત આનંદસમાધિની મૂંઝવતી ક્ષણે કોઈ કુમારિકાની નીલી આંખોમાં તારાની માફક એ સળગી રહ્યો છે. મીણની માફક ઓગળી રહ્યો છે એ કોઈ પુત્રના પથ્થર હૃદયની ઉપર ટપકતાં માતાનાં આંસુની જેમ; પુષ્પની માફક ખીલી રહ્યો છે એ કોઈ બેવકૂફની વાળ ભરી છાતીને શણગારતા શિશુમુખની ગંધ પેરે.
-
--
Page #167
--------------------------------------------------------------------------
________________
ફલશ્રુતિ
|u રઘુવીર ચૌધરી આજનું છાપું આવતી કાલે પસ્તી બની જાય છે, જ્યારે સાહિત્યકૃતિ દાયકાઓ પછી પણ ક્યારેક ફરી માથું ઊંચકે છે, અને તાજા ગુલાબ જેવી લાગે છે. પણ અહીં કહેવું જોઈએ કે કેટલુંક પત્રકારત્વ કલાકૃતિની કોટિએ પહોંચે છે. સાહિત્યનું લક્ષ્ય સમાચાર નહીં પણ માનવનું ચિત્ત છે. સ્થૂળ બનાવ સાહિત્યનો કાચો માલ છે. પત્રકાર ભાષાશક્તિ કરવા જાય તો બાવાનાં બેય બગડે. એની ભાષા પ્રત્યેની સભાનતા બનાવની અસરકારક રજૂઆત માટે છે. જ્યારે સાહિત્યકાર માટે ભાષા સાધન અને સાધ્ય બને છે. તેથી સાહિત્યકારનું ચિત્ત તાજા શબ્દોની ટંકશાળ જેવું હોય છે.
સાહિત્યકારનો અવાજ અંગત છે, પણ પત્રકારની જેમ તેનો વિષય તો માનવસમાજ છે. એકપાત્રી નવલકથા લખો તો પણ તમારે પાત્રની આજુબાજુના સમાજ વિશે જ લખવું પડે. પાત્રના મનની જ વાત લખવી હોય અને તેના ચિત્તની બહારની દુનિયાને એક બાજુ રાખવી હોય તો મને દહેશત છે કે એ સાહિત્ય નહીં બને. પાત્રના મનમાં શું ચાલે છે, એટલું જ લખવું હોય તો તે અધ્યાત્મ કહેવાય, સાહિત્ય નહીં
પત્રકારત્વને સાહિત્ય પાસેથી કંઈ ખરું શીખવાનું હોય તો તે માનવમૂલ્યો માટેની ચીવટ. સાહિત્યકારની અનુકંપા પત્રકારત્વમાં પ્રવેશે તો પત્રકારત્વનું ફલક અત્યારે છે તે કરતાં મોટું થવાની શક્યતા છે...
ઉપર નોંધેલા વિચારોની વ્યવસ્થિત રજૂઆત કરીને શ્રી વાડીલાલ ડગલીએ પરિસંવાદના ઉદ્ઘાટકની હેસિયતથી અનુવાદ સંસ્થા–ટ્રાન્સલેશન ઇન્સ્ટિટ્યૂટ–ની માગણી કરી. અનુવાદ એક વિષય તરીકે શીખવવામાં આવે તો સાહિત્ય અને પત્રકારત્વ બેઉ ક્ષેત્રને લાભ થવાની શક્યતા છે.
શ્રી ડગલીનું વ્યાખ્યાન લાઘવપૂર્ણ અને સુંદર હતું. પરિષદે એના એક મંત્રી શ્રી કુમારપાળ દેસાઈને આયોજનની જવાબદારી સોંપી હતી. આચાર્ય શ્રી એમ. સી. શાહે સુવિધાઓ ઊભી કરી આપવામાં ઘણી મદદ કરી, પણ સ્વાગત પ્રવચનમાં તો ધન્યતા પ્રગટ કરી કે ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે એક વિદ્યાકીય કામમાં જોડાવાની એમને તક મળી. | નિવૃત્ત અને ચાલુ તંત્રીઓ, તંત્રીવિભાગના વિદ્વાન પત્રકારો અને પત્રસંચાલકો આ પરિસંવાદમાં હાજર રહે, પત્રકારત્વને એક ઉદ્યોગ તરીકે વિકસાવવાની સાથે કેવી
Page #168
--------------------------------------------------------------------------
________________
ફલશ્રુતિ ૧૬૭ રીતે વધુ ને વધુ હેતુલક્ષી અને સાંસ્કૃતિક દાયિત્વ સંભાળતો કરી શકાય એ ચર્ચા પણ અભિપ્રેત હતી. પ્રારંભિક બેઠકમાં પીઢ પત્રકાર શ્રી ચીમનભાઈ પટેલે (તંત્રી, “સંદેશ”) પત્રકારની સત્યનિષ્ઠા પર ભાર મૂકી એનો માલિક તંત્રી ટ્રસ્ટી તરીકે કામ કરી શકે એવી જોગવાઈ સૂચવી, પોતાના અનુભવોમાંથી દાખલા આપી તેનું સમર્થન કર્યું. યુવાન પત્રસંચાલક શ્રી શ્રેયાંસભાઈ શાહ (મેનેજિંગ તંત્રી, ગુજરાત સમાચાર') કહ્યું કે માત્ર ડિપ્લોમાની તાલીમથી નહીં ચાલે, પીઢ અને નીવડેલા પત્રકારો પાસેથી નવી પેઢીએ શીખવું પડશે. સાહિત્ય અને પત્રકારત્વે એકમેકના સીમાડા ઓળંગ્યાના દાખલા પણ એમણે આપ્યા.
પ્રથમ બેઠકના પ્રમુખ હતા વિખ્યાત અને વિદ્વાન પત્રકાર શ્રી વાસુદેવ મહેતા. વિષય હતો : “ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું” આ શીર્ષકનો વિકલ્પ સૂચવીને ભૂલો શોધવાની સહજ આવડતથી એમણે વાતાવરણની તંગદિલી નાબૂદ કરી એમાં હળવાશ ઉમેરી. ભાષા અને પરિભાષા અંગે સાહિત્યકારો કરવા જેવું શું નથી કરતા એ પણ એમણે કહ્યું. વળી, બેઠકના અધ્યક્ષ તરીકે એ ભાગ્યશાળી નીવડ્યા કે શ્રી બળવંતરાય શાહ અને શ્રી યાસીન દલાલના સ્વાતંત્ર્ય પૂર્વે અને પછીના પત્રકારત્વ વિશે અભ્યાસપૂર્ણ અને સુંદર રજૂઆત ધરાવતાં વ્યાખ્યાનો એમને સાંપડ્યાં. નિવૃત્ત પત્રકાર શ્રી યજ્ઞેશભાઈ શુક્લના તંત્રીલેખો' વિશેના વ્યાખ્યાનના મુદ્દા શ્રી પ્રિયકાન્ત પરીખે રજૂ કર્યા અને “વૃત્તાંતનિવેદન” વિશેનું શ્રી જયવદન પટેલનું વ્યાખ્યાન શ્રી મહેશભાઈ ઠાકરે વાંચ્યું.
પત્રકાર : એક વિધાયક પરિબળ' વિશેની બીજી બેઠકનું સંચાલન શ્રી ઈશ્વરભાઈ પંચોલીએ કર્યું. “પત્રકારની ક્રિયાશીલતા' વિશે શ્રી કિરીટભાઈ ભટ્ટ (વડોદરા) ભારપૂર્વક બોલ્યા. પોતાની વેદના એમણે હસમુખ પાઠકની કવિતામાં કહી. પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા વિશે શ્રી ભગવતીકુમાર શર્માએ અનેક ઉદાહરણ સાથે જમા-ઉધાર પાસા ઉપસાવી આપ્યા. પત્રકારનો લોકપ્રભાવ' પ્રો. ચંદ્રકાન્ત મહેતાએ પત્રકારના ભાષા-પ્રયોગના સંદર્ભમાં સમજાવ્યો અને શ્રી ચીમનભાઈ પટેલે અગાઉથી મોકલી આપેલું, પત્રકારને લોકશાહી સમાજની ચોથી શક્તિ ગણાવતું વ્યાખ્યાન શ્રીમતી વર્ષાબહેન અડાલજાએ સુંદર રીતે વાંચ્યું. તંત્રી તરીકે પોતે સારું એવું સ્વાતંત્ર્ય પામવા ભાગ્યશાળી થયા છે, એનો નિર્દેશ કરીને પણ ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે કેવાં મર્યાદિત સાધનો અને નિયંત્રણોમાં રહીને આપણા તંત્રીવિભાગો કામ કરે છે. “જન્મભૂમિ' પાસે છે એવું સમૃદ્ધ પુસ્તકાલય દરેક દૈનિક વસાવવું જોઈએ.
Page #169
--------------------------------------------------------------------------
________________
પત્રકારત્વ : એક પડકાર
ત્રીજી બેઠકનો વિષય હતો ‘સાહિત્યિક પત્રકારત્વ' અને એના પ્રમુખ હતા જાણીતા સાહિત્યકાર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર શ્રી હરીન્દ્રભાઈ દવે. એમણે શ્રી કૃષ્ણવીર દીક્ષિતનો દાખલો આપીને કહ્યું કે એક ઉત્તમ પત્રકારની નોંધોમાંથી તમને એ તબક્કાના સમગ્ર પ્રજાજીવનનો સાંસ્કૃતિક ઇતિહાસ જડી આવે. પોતે પત્રકાર તરીકે લખતા હોય છે ત્યારે લખાણને સાહિત્યિક બનાવી દેવામાંથી બચાવવાનો ખ્યાલ રાખે છે એ વાત એમને પ્રતીતિજનક રીતે કહી. આ બેઠકમાં શ્રી નરેન્દ્ર ત્રિવેદીએ ‘સામયિકો – જૂનાં અને નવાં’ એ વિષયમાં ‘જૂજવાં’ શબ્દ ઉમેરીને જ ઘણાં સામયિકો વિશે હળવી તેમજ ગંભીર રીતે વાત કરી, આપણા સાહિત્યિક પત્રકારત્વની લોપ પામતી ઉજ્જ્વળ પરંપરાઓ વિશે ચિંતા વ્યક્ત કરી. શ્રી નરભેરામ સદાવ્રતીએ ગુજરાતી સાપ્તાહિકોના સ્વરૂપને એની વાસ્તવિક સ્થિતિમાં વિસ્તારથી સમજાવ્યું અને કહ્યું કે એક સમૃદ્ધ અને વિશ્વસનીય ગુજરાતી સાપ્તાહિક આજે તો માત્ર સ્વપ્ન છે. સાહિત્ય અને પત્રકારત્વના સંબંધ વિશે શ્રી કુમારપાળ દેસાઈએ બેઉ વિષયના અભ્યાસીની યોગ્યતાની મુદ્દાસ૨ વાત કરી. તો શ્રી નિરંજન પરીખે પત્રકારત્વ અને સાહિત્યેતર વિષયોના પરસ્પરના આદાન-પ્રદાનની વિષમ પરિસ્થિતિ જાહેરાતના વર્ચસ દ્વારા સમજાવી, વિશ્વના દૂરના દેશોના વાચકોને એક વસ્તુની એકસરખી જાહેરાત કેવી રીતે સ્પર્શે છે, એના દાખલા આપી બેઠકમાં પત્રકારોના વેતન અંગે પ્રવર્તતી પરિસ્થિતિ અને માંગણી વિશે સ્પષ્ટતા કરી. આ બેઠકના આરંભે શ્રી નાથાલાલ દવેએ વિવિધ કવિઓનાં કટાક્ષકાવ્યો કહીને એક રમૂજી પૂર્તિ કરી હતી.
‘પત્રકારત્વ : એક પડકાર' એ ચોથી બેઠકનો વિષય હતો. તાજેતરમાં જ નિવૃત્ત થયેલા અને પોતાના વત્સલ વ્યક્તિત્વનો સહુને અનુભવ કરાવનાર શ્રી નીરુભાઈ દેસાઈએ આ બેઠકનું પ્રમુખપદ શોભાવ્યું. પત્ર-સંચાલકો તેમજ પત્રકારો સહુને બે કડવી વાત કહી. કોણ રોકે છે તમને સારું કામ કરતાં, નિર્ણયનો અમલ કરતાં ? તમે છૂટ આપતા રહેશો તો સહુ કોઈ તમને દબાવશે. શ્રી શશીકાન્તભાઈ નાણાવટીએ પણ આ મુદ્દો તો કહ્યો જ હતો કે પત્રકાર પોતાની પસંદગીથી આવ્યો હશે તો જ કશુંક કરી શકવાનો છે, માત્ર પગારો અને સગવડોથી બધા સવાલો નહીં ઊકલે. ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે વૃત્તાંત-નિવેદકોની શી પરિસ્થિતિ છે એ વિશે એમનાં કેટલાંક નિરીક્ષણો ચિંતા જગાવે એવાં હતાં. પોતાના રિપૉર્ટર પર પત્ર-સંચાલકની શંકા અને મળેલા સમાચા૨ને પછી અપાતું જુદું રૂપ સાચા સમાચાર આપવામાં કેવી રીતે મદદરૂપ નીવડે ? શ્રી ભૂપતભાઈ વડોદરિયાએ દૈનિકોની વ્યાવસાયિક સફળતા વિશે અસ્ખલિત વાણીમાં કહ્યું કે લોકપ્રિયતા અને ઉત્તમતા એ પરસ્પર વિરોધી વસ્તુઓ નથી. શ્રી
૧૬૮
D
Page #170
--------------------------------------------------------------------------
________________
ફલશ્રુતિ ] ૧૩૯ પ્રતાપભાઈ શાહે દૈનિક પત્રોના આર્થિક આયોજન વિશે અભ્યાસપૂર્ણ વક્તવ્યમાં વિવિધ કક્ષાનાં દૈનિકોની પરિસ્થિતિ જુદી હોવાનાં કારણોમાં ભૌગોલિક કારણને પણ યોગ્ય રીતે ઉમેર્યું હતું. ભાવનગરના કિરીટભાઈએ એક ડૂબતી સ્ટીમર વિશે માત્ર અડધા કલાકમાં પાંસઠ વર્ષ પૂર્વેના એક વિદેશી વર્તમાનપત્રે મોડી રાત્રે કેવી રીતે સંપૂર્ણ માહિતી આપી હતી, એના દાખલા સાથે પત્ર અને પત્રકારની સજ્જતા વિશે વાત કરી હતી. દેશવિદેશથી અમદાવાદ આવતા કોઈ મોટા પત્રકાર સાથે સ્થાનિક પત્રકાર-લેખકોને પોતાને ઘેર મેળવવામાં નિમિત્ત બનતા નીરુભાઈને આભાર સાથે આ લખનારે કહ્યું હતું કે સાહિત્ય પરિષદનું ભવન તૈયાર થતાં એ જગા લેખકોપત્રકારોની સહિયારી બેઠકનું નિમિત્ત બની શકે. સવારની પ્રારંભિક બેઠક અને પછીની ચાર બેઠકો એ સહુમાં રજૂ થયેલાં વિચારબિંદુઓનું સંકલન કરી પરિષદના ઉપપ્રમુખશ્રી યશવંતભાઈ શુક્લએ ઉપસંહારને અંતે અસમિયા કવિ નવકાન્ત બરૂની એક કવિતાનો અનુવાદ રજૂ કરી પત્રકાર અને સાહિત્યકારનો વ્યાવસાયિક ભેદ એક ક્ષણ માટે નાબૂદ કરી આપ્યો હતો. પરિસંવાદમાં મુંબઈ અને સૌરાષ્ટ્રમાંથી વક્તાઓ ઉપરાંત શ્રોતાઓ તરીકે પણ ઘણા સાહિત્યકારો અને પત્રકારો હાજર રહ્યા હતા અને કુલ આઠ કલાકના વક્તવ્ય-શ્રવણનો સ્વાધ્યાય કરવા ઉપરાંત યજમાન સંસ્થાના સૌજન્યની છાયામાં વિરામના સમયે પરસ્પર મળીને નાની નાની ગોષ્ઠીઓ કરી હતી.
*** અગાઉ સાહિત્ય પરિષદના સંમેલનોમાં વિજ્ઞાન સુધ્ધાં સાતઆઠ વિભાગો રાખવામાં આવતા ત્યારે પત્રકારત્વ વિભાગ અવશ્ય રહેતો અને એના પ્રમુખ તરીકે વરણી પામનાર પત્રકાર ગૌરવ અનુભવતા. પરિષદના કલ્યાણ અધિવેશનમાં સમૂહમાધ્યમો વિશે પરિસંવાદ યોજાયો હતો તે અનિવાર્યપણે પત્રકારત્વને સ્પર્શતો હતો. એ પછી સાહિત્યને લોકપ્રિય બનાવવાના પ્રયત્નો વિશે એક પરિસંવાદ ૧૯૭૯માં યોજીને એમાં પ્રકાશકો-વિક્રેતાઓનાં સૂચનોનો પણ લાભ લેવાયો હતો. એટલે કે સંમેલન પ્રસંગે વિભાગ ન રહેતાં પરિષદ માટે પત્રકારત્વનું મહત્ત્વ સહેજે ઘટ્યું નથી. તેમ છતાં કશુંક વિશેષ ભાવે અને સઘન રીતે કરવા માટે અમૃત-પર્વનું વર્ષ એક અનુકૂળ અવસર બની રહ્યું. કોઈ વસ્તુનાં ભાગ્યે જ વખાણ કરે એવા વાસુદેવભાઈ પણ બોલી ગયા : અમે પત્રકારો આપમેળે આ રીતે મળી શકતા નથી. પરિષદે સહુને મેળવ્યા અને છેલ્લી ક્ષણ સુધી બધા સાથે રહી શક્યા.
જેમ લેખક પ્રકાશન-સંસ્થાની મર્યાદાઓને સામાન્ય રીતે ઓળંગી જઈ શકતો
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૭૦
| પત્રકારત્વ : એક પડકાર
નથી તેમ પત્રકાર દૈનિક કે સાપ્તાહિકના સંચાલકની શરતી સૃષ્ટિમાં બંધાયેલો રહે છે. પરંતુ લોકશાહી દેશોમાં પ્રકાશક લેખકના સ્વાતંત્ર્યને રૂંધતો નથી તેવું જ પત્રસંચાલકો બાબતે બનવું જોઈએ. એને બદલે જોવા એવું મળે છે કે તેના ગમાઅણગમાને “પૉલિસીનું સ્વરૂપ આપીને કેટલાક પત્ર-સંચાલકો વૃત્તાંતને પણ વળાંક આપીને રજૂ કરવાની શિસ્ત પળાવે છે. કદાચ આ કારણે કેટલાક તેજસ્વી યુવકો પત્રકારત્વથી વિમુખ રહ્યા છે. એક દૈનિકના કાર્યાલયમાં જઈએ તો આવતી કાલની યુનિવર્સિટીનો આભાસ થવો જોઈએ. એકેએક વિદ્યાશાખાના નિષ્ણાતો ત્યાં બેઠેલા હોવા જોઈએ. અહીં તો પાયાના સંદર્ભગ્રંથોનાં નાનાં પુસ્તકાલયો વિના પણ કામ ચાલે છે. છેલ્લાં ત્રણેક વરસમાં જે સાપ્તાહિકો ચાલ્યાં છે એમણે તો વિદેશી સાપ્તાહિકોની સારી એવી જૂની પસ્તીમાંથી લેખો લઈ લઈને અપૂર્વ ફેલાવો કર્યો છે. એ એક વિક્રમ છે, લીલા દુકાળનો.
પરિસંવાદમાં આ પ્રકારના મુદ્દાઓ પર ભાર દઈને મોટા ભાગના વક્તાઓએ આજના પત્રકારત્વનું સરવૈયું કાઢવા સંનિષ્ઠ પ્રયત્ન કર્યો. સંગઠનો દ્વારા પત્રકાર નિર્ભય બની શકે, આવા પરિસંવાદો એની હેતુલક્ષી સક્રિયતા માટે ભૂમિકા ઊભી કરી શકે, પીઠબળ પૂરું પાડી શકે.
અંગ્રેજી ભાષાનાં ઉત્તમ દૈનિકો સાહિત્ય અને સંસ્કૃતિ-વિષયક કેટકેટલાં પુસ્તકોનાં અધિકારી વિદ્વાનોએ લખેલાં અવલોકનો છાપે છે ? એ પણ અલબત્ત, સાંસ્કૃતિક ઘટનાઓને યુરોપનાં દૈનિકો જેટલું મહત્ત્વ નથી આપતાં. આમ્બેર કામૂ અકસ્માતમાં માર્યા ગયા ત્યારે ફાનાનાં છાપાંએ સાંજની પૂર્તિ બહાર પાડી હતી. આપણાં દૈનિક સાંસ્કૃતિક ઘટનાઓ પ્રત્યે વાચકોને વધુ ને વધુ અભિમુખ કરવામાં મદદરૂપ થશે તો લોકશાહીને સુદઢ કરવાનો એ લાંબો રસ્તો છેવટે ટૂંકો સિદ્ધ થશે.
આ પરિસંવાદ સમગ્રપણે પત્રકારત્વનો આદર્શ સૂચવી શક્યો. પત્રકારત્વ દ્વારા સાહિત્યને લોકગમ્ય બનાવવાની શક્યતા નિર્દેશી શક્યો. ગુજરાતી ભાષાની વર્તમાન સ્થિતિ અને આવતી કાલની જરૂરિયાત વિશે સભાન કરી શક્યો. આ એક થોડીક સંતોષ લઈ શકાય એવું પરિણામ છે. એના યશના ભાગીદાર સહુ પત્રકારમિત્રો અને મુરબ્બીઓ છે. એમણે એમ આશા પણ જગાવી છે કે ઘણાં કામ લેખકો અને પત્રકારો સાથે મળીને કરી શકશે.
Page #172
--------------------------------------------------------------------------
________________
પત્રકારત્વ : લેખસૂચિ n નવલસિંહ કે. વાઘેલા
છેલ્લા કેટલાક દાયકાઓમાં પત્રકારત્વના ક્ષેત્રે ઘણું જ ખેડાણ થયેલું છે. ગુજરાતના વિવિધ વિશ્વવિદ્યાલયોમાં આ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પણ શક્ય બન્યું છે. વિદ્યાર્થીઓને તેમજ આ ક્ષેત્રમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓને પત્રકારત્વ અંગેના ગુજરાતી લેખો હાથવગા બને એ હેતુથી ગુજરાતી સામયિકોમાં વેરવિખેર પ્રસિદ્ધ થયેલા વિવિધ લેખોને સંકલિત કરવાનો પ્રયાસ આ સૂચિ દ્વારા કર્યો છે.
આ કાર્ય માટે “અખંડ આનંદ', “ઊર્મિનવરચના', “કુમાર', “ગ્રંથ', “નવચેતન', નિરીક્ષક', “પરબ', ‘ફાર્બસ ગુજરાતી સભા - ત્રિમાસિક', “બુદ્ધિપ્રકાશ', “મિલાપ', ‘વિદ્યાપીઠ', “વિશ્વમાનવ' અને “સંસ્કૃતિ' એમ કુલ ૧૩ ગુજરાતી સામયિકોમાં જૂન ૧૯૯૫ સુધી પ્રગટ થયેલા લેખોનો તેમજ ગુજરાતી સાહિત્યના વિવેચનગ્રંથોમાં ગ્રંથસ્થ થયેલા પત્રકારત્વ' સંબંધી લેખોનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત છેલ્લે ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનોના અહેવાલોમાં પ્રગટ થયેલા “પત્રકારત્વ' વિષય પરના લેખોનો પણ સમાવેશ કર્યો છે.
આ લેખોને “પત્રકારત્વ, પત્રકારો, ‘વર્તમાનપત્ર', ‘વર્તમાનપત્ર-તંત્રી', સામયિક' એમ મુખ્ય પાંચ વિભાગોમાં વિભક્ત કરી લેખકની અટકના અકારાદિ ક્રમમાં મૂક્યા છે, જેમાં લેખનું નામ, સામયિકનું નામ, ગ્રંથ (અંક), માસ, વર્ષ અને પૃષ્ઠનિર્દેશની વિગતો આપેલી છે. વિવેચનગ્રંથોના ગ્રંથસ્થ લેખની સાથે જે તે પુસ્તકના પ્રકાશન સંબંધી વિગતો લઘુકસમાં દર્શાવી છે.
આશા છે કે આ સૂચિ પત્રકારત્વ ક્ષેત્રમાં રસ ધરાવનારાઓને તેમજ અભ્યાસીઓને ઉપયોગી બનશે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧. અક્કડ, વલ્લભદાસ
પત્રકારત્વનો કીર્તિ-ધ્વજ. મિલાપ અંક ૧૧૭, સપ્ટે. ૧૯૫૯.
પૃ. ૨૦-૨૨
૨. ઉદ્દેશી, ચાંપશી વિ.
આપણું સિને-પત્રકારત્વ. નવચેતન ૩૩ (૫) ઑગસ્ટ ૧૯૫૪. પૃ. ૪૬૩-૪૬૬
- નવચેતન ૪૬ (૪) જુલાઈ ૧૯૬૭. પૃ. ૪૦૫-૪૦૮ પત્રકારત્વ વિશે પ્રશ્નોત્તરી. નવચેતન ૪૭ (૫) ઑગસ્ટ ૧૯૬૮. પૃ. ૪૧૫-૪૧૬
પત્રકારત્વ : સેવા કે ધંધો ? નવચેતન ૩૬ (૬) સપ્ટે. ૧૯૫૭. પૃ. ૫૮૦-૫૮૨
૫. એલેક્ઝાંડર, હોરેસ
ચોંકાવનારું પત્રકારત્વ. મિલાપ અંક ૭૩, જાન્યુ. ૧૯૫૬, પૃ. ૪૭-૪૯ ૬. ઓઝા, ડંકેશ
પત્રકારત્વની દુનિયામાં ડોકિયું. વિશ્વમાનવ અંક ૨૯૮, ઑક્ટો. ૧૯૮૫. પૃ. ૪૬૨-૪૬૫
પત્રકારત્વની પગદંડી. બુદ્ધિપ્રકાશ ૧૨૮ (૨) ફેબ્રુ. - ૧૯૮૧. પૃ. ૯૪-૯૫
[પત્રકારત્વની પગદંડી : લે. ઈશ્વરલાલ ઇચ્છારામ દેસાઈ - અવલોકન] લોકશાહી અને માનવહકોની રખેવાળી. વિશ્વમાનવ અંક ૨૫૩-૨૫૪, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૮૨. પૃ. ૬૫-૬૬
[નયનતારા સહગલ, અજિત ભટ્ટાચાર્ય, કુલદીપ નાયર તથા અરુણ શૌરીના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રગટ થયેલ લેખોના સારરૂપ મુદ્દાઓ] ૯. કામદાર, છોટાલાલ માનસિંગ
:
પત્રકારિત્વ : એક વિહંગવાલોકન. પુસ્તકાલય ૧૬ (૮) ઑગસ્ટ ૧૯૪૧. પૃ. ૪૫૭-૪૫૯
૧૦. યુગોસ્લાવિયાનું પત્રકારત્વ. પુસ્તકાલય ૩૦ (૭) જાન્યુ. ૧૯૫૬.
પૃ. ૩૫૩-૩૫૪
૧૧. સ્વતંત્ર ચર્ચાનું પ્રતીક : અમેરિકાનું આઝાદ પત્રકારિત્વ. પુસ્તકાલય ૨૦ (૪) એપ્રિલ ૧૯૪૫. પૃ. ૧૪૩-૧૪૬
૧૨. કાલેલક૨, કાકાસાહેબ
૩.
૪.
૭.
પત્રકારત્વ
૮.
પત્રકારોને દિશાસૂચનો. બુદ્ધિપ્રકાશ ૯૫ (૨) એપ્રિલ-જૂન ૧૯૪૮. પૃ. ૧૩૭-૧૪૧
Page #174
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૧૭૩
૧૩. કેબ્રાઇટીસ, પીએરી
ઇજિપ્તનું પત્રકારિત્વ; અનુ. પીયૂષ. નવચેતન ૧૩ (૪-૫) જુલાઈ-ઑગ.
૧૯૨૮. પૃ. ૩પ૨-૩૬૧ ૧૪. ખુશવંતસિંઘ
• પત્રકારત્વ : ગઈકાલનું અને આવતીકાલનું; અનુ. સુરેશ સામાણી. નિરીક્ષક - ૧૩ (૨૨) જાન્યુ. ૧૯૮૦. પૃ. ૫-૮ ૧૫. ચૌધરી, રઘુવીર
ફલશ્રુતિ. પરબ ૨૧ (ક) જૂન ૧૯૮૦, પૃ. ૪૫-૪૫૦
[‘સાહિત્ય અને પત્રકારત્વ” પરિષદની ફલશ્રુતિ ૧૪. જોશી, રમણલાલ | ગુજરાતી સાહિત્ય પત્રકારત્વ : પરંપરા અને પ્રશ્નો.
બુદ્ધિપ્રકાશ ૧૩૮ (૪) એપ્રિલ ૧૯૯૧. પૃ. ૧૨૪-૧૨૭ ૧૭. ડગલી, વાડીલાલ
સાહિત્ય અને પત્રકારત્વ. નિરીક્ષક ૧૩ (૩૭) મે ૧૯૮૦. પૃ. ૧૩-૧૪ - નિરીક્ષક ૧૩ (૩૮) મે ૧૯૮૦
- પરબ ૨૧ (ક) જૂન ૧૯૮૦. પૃ. ૩૦૧-૩૧૧ ૧૮. તંત્રી, નિરીક્ષક
પત્રકાર જગતનું સ્વાતંત્ર્ય. નિરીક્ષક ૧ (૧૯) ડિસે. ૧૯૬૮, પૃ. ૨૧. ૧૯. શું ? કેટલું વંચાય છે ? (લંગ લાયબ્રેરી, રાજકોટનું સર્વેક્ષણ) નિરીક્ષક
૧૬ (૨૨) જાન્યુ. ૧૯૮૩. પૃ. ૧૭-૧૮ ૨૦. તંત્રી, પુસ્તકાલય
દુનિયાની એક મહાન અને જૂનામાં જૂની સમાચાર સંસ્થા -- રોઇટર્સ.
પુસ્તકાલય ૨૭ (૧) જુલાઈ ૧૯૫૧. પૃ. ૩૦-૩૨ ૨૧. તંત્રી, પ્રસ્થાન
પ્રેસ એકટની જન્મકથા. પ્રસ્થાન ૧૮ (૬) આસો. સં. ૧૯૯૦.
પૃ. ૫૮૩-૫૮૪ ૨૨. તંત્રી, બુદ્ધિપ્રકાશ
ગુજરાતી પત્રકાર પરિષદ, બુદ્ધિપ્રકાશ ૭૧.(૧૧) નવે. ૧૯૨૪.
પૃ. ૩૪૬-૩૪૮ ૨૩. તંત્રી, મિલાપ
( પત્રકારનું જાહેરનામું. મિલાપ અંક પક, ઓગસ્ટ ૧૯૫૪. પૃ. પર ૨૪. પત્રકારત્વની ચાલણગાડી. મિલાપ અંક ૧૫૧, જુલાઈ ૧૯૬૨. પૃ. ૧૬ ૨૫. તંત્રી, સંસ્કૃતિ
પત્રકારિત્વ. સંસ્કૃતિ ૩ (૭) જુલાઈ ૧૯૪૯, પૃ. ૨૪૫
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ] સાહિત્ય અને પત્રકારત્વ ૨૬. ત્રિવેદી, શ્રદ્ધા
એક દિશાસૂચક પરિસંવાદ. બુદ્ધિપ્રકાશ ૧૩૮ (૪) એપ્રિલ ૧૯૯૧. પૃ. ૧૨૭-૧૩૨
[૨ થી ૫ માર્ચ ૧૯૯૧ દરમ્યાન ગૂજરાત વિદ્યાપીઠમાં યોજાયેલ પરિસંવાદ] ૨૭. દલાલ, યાસીન
કૃષિ રિપૉટિંગ અને કૃષિ પત્રકારત્વ. નિરીક્ષક ૧૧ (૨૨) જાન્યુ. ૧૯૮૩.
પૃ. ૧૫-૧૭ ૨૮. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦.
પૂ. ૩૨૯-૩૩૬ ૨૯. દવે, હરીન્દ્ર
પત્રકારત્વ. પરબ ૨૩ (૩-૭) જૂન-જુલાઈ ૧૯૮૨.
પૃ. ૭૭-૭૪ ૩૦. દેઢિયા, ગુલાબ
પત્રકારત્વ વિશે પરિસંવાદ. નિરીક્ષક ૧૭ (૧૩) નવે. ૧૯૮૩.
પૃ. ૪-૮ ૩૧. દેસાઈ, ઇચ્છારામ
પત્રકાર પરિષદના પ્રમુખનું ભાષણ. વસંત ૨૯ (૧૦) કાર્તિક સં. ૧૯૮૪.
પૃ. ૩૭૬-૩૯૬ ૩૨. દેસાઈ, કુમારપાળ
સંપાદકીય : “સાહિત્ય અને પત્રકારત્વ', પરિસંવાદ. પરબ ૨૧ (૯)
જૂન ૧૯૮૦. પૃ. ૧-૪ ૩૩. સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦.
પૃ. ૪૦૧-૪૧૦ ૩૪. સાહિત્યિક પત્રકારત્વ વિશે થોડુંક. બુદ્ધિપ્રકાશ ૧૩૭ (૩) માર્ચ ૧૯૯૦.
પૃ. ૯૧-૯૩ ૩૫. દેસાઈ, જિતેન્દ્ર ઠા.
ગુજરાતી પત્રકારત્વ. વિદ્યાપીઠ ૧ (૧) જાન્યુ.ફેબ્રુ. ૧૯૬૩. પૃ. ૩૪-૩૭
- પુસ્તકાલય ૩૭ (૧૨) જૂન ૧૯૬૩. પૃ. ૭૧૧-૭૧૫ ૩૩. દેસાઈ, નીરુ
નિષ્ઠા અને ખુમારીનો રણકાર. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦.
પૃ. ૪૩૭-૪૩૮. ૩૭. દેસાઈ, પ્રાણલાલ કિરપારામ
પત્રકારોનાં કર્તવ્યો અને જવાબદારીઓ.બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૧) નવે. ૧૯૨૪. પૃ. ૩૨૨-૩૨૮
Page #176
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૧૭૫ ૩૮. દેસાઈ, હેમન્ત
સાહિત્ય અને પત્રકારિત્વનો સંયોગ.બુદ્ધિપ્રકાશ ૧૩૧ (૮) ઑગસ્ટ ૧૯૮૪.
પૃ. ૩૨૬-૩૨૭ ૩૯. ધ્રુવ, આનંદશંકર
બીજી પત્રકાર પરિષદને સ્વાગત. વસંત ૨૯ (૧૦) કાર્તિક સં. ૧૯૮૪.
પૃ. ૩૭૦-૩૭પ ૪૦. નહેરુ, જવાહરલાલ
કોઈક છાને ખૂણેય. મિલાપ અંક ૩૪, ઑક્ટો. ૧૯૫૨.
પૂંઠા પાન ર અને પૃ. ૪૧- ૨ ૪૧. નાગ, ક્ષિતીન્દ્રકુમાર
જાહેરખબરોનો ખરચ. પુસ્તકાલય ૨૯ (૯) માર્ચ ૧૯૫૫.
પૃ. ૩૫૮-૩૫૯ ૪૨. નાણાવટી, શશીકાન્ત
વ્યવસાયી પત્રકારોની સમસ્યા. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦.
પૃ. ૪૩ર-૪૩૬ ૪૩. પટેલ, ચીમનભાઈ
પત્રકાર : એક વિધાયક પરિબળ. પરબ ૨૧ () જૂન ૧૯૮૦.
પૃ. ૩૭૬-૩૮૪ ૪૪. પટેલ, જયવદન
ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદન. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦.
પૃ. ૩૩૭-૩૪૧. ૪૫. પટેલ, રણજિત એમ.
પત્રકારત્વ. અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ
(અમદાવાદ : ગૂર્જર). પૃ. ૨૧૨-૨૧૫ ૪૬. પટેલ, વલ્લભભાઈ
જોઈએ છે, સ્વચ્છ પત્રો. પુસ્તકાલય ૧૩ (૧૧) નવે. ૧૯૩૮.
પૃ. ૬૭૪ ૪૭. પરાશર
હું કેવો પત્રકાર છું ? નવચેતન ૬૨ (૩) જૂન ૧૯૮૩. પૃ. ૩૭-૩૮ ૪૮. પંચોલી, ઈશ્વર
પ્રબળ શક્તિની રચનાત્મકતા. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦.
પૃ. ૩૮પ-૩૮૯ ૪૯. પંડ્યા, જયન્ત
પત્રકારત્વ : સમાજપરિવર્તનનું માધ્યમ.નિરીક્ષક ૧૮ (૨૭) ફેબ્રુ. ૧૯૮૫. પૃ. ૬-૧૧
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭૦ | સાહિત્ય અને પત્રકારત્વ
૫૦. પંડ્યા, રંજિતલાલ હરિલાલ
ગુજરાતના પત્રકારોની સભા. બુદ્ધિપ્રકાશ ૬પ (૧૦) ઑક્ટો. ૧૯૧૮.
પૃ. ૨૯૧-૨૯૬ ૫૧. પંડ્યા, વિષ્ણુ
પત્રકારત્વના પ્રવાહો. નવચેતન પ૩ (૧૨) માર્ચ ૧૯૭પ. પૃ. ૭૦ પર. મુક્ત પત્રકારત્વના નામે. નિરીક્ષક ૪ (૫૯) સપ્ટે. ૧૯૭૧.
પૃ. ૧૫-૧૬ ૫૩. પારેખ, મધુસૂદન
પત્રકારત્વ અને સાહિત્ય, સંદર્ભ, સંપા. ચિમનલાલ ત્રિવેદી અને જયંત કોઠારી
(અમદાવાદ : ગૂર્જર, ૧૯૭પ), પૃ. ૧૯-૨૫ ૫૪. પારેખ, હીરાલાલ ત્રિભોવનદાસ
ગુજરાત પત્રકાર મંડળ - અમદાવાદ. પુસ્તકાલય ૨ (૧૨) ડિસે. ૧૯૨૭.
પૃ. પર૧-૫૨૨ ૫૫. ગુજરાતી પત્રકારોનું સંગઠન. બુદ્ધિપ્રકાશ. ૭૪ (૧) જાન્યુ. ૧૯૨૭.
પૃ. ૧૯-૨૧ પક. પત્ર અને પત્રકાર. બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૨) ડિસે. ૧૯૨૪.
પૃ. ૩૭૩-૩૭૯ ૫૭. બીજી ગુજરાતી પત્રકાર પરિષદ - અમદાવાદ. બુદ્ધિપ્રકાશ ૭૪ (૧૨) ડિસે.
૧૯૨૭. પૃ. ૩૭૦-૩૭પ ૫૮. બીજી ગુજરાતી પત્રકાર પરિષદના મંત્રીનું નિવેદન, વસંત ૨૯ (૧૦)
કાર્તિક સં. ૧૯૮૪. પૃ. ૩૬૯ ૫૯. બ્રોકર, ગુલાબદાસ
સાહિત્યિક પત્રકારત્વ. સંસ્કૃતિ ૨૨ (૫) મે ૧૯૬૮.
પૃ. ૧૯૫-૧૯૮ ૬૦. ભટ્ટ, કિરીટ
પત્રકારની ક્રિયાશીલતા. પરબ ૨૧ (ક) જૂન ૧૯૮૦.
પૃ. ૩૩૦-૩૬૩ ૬૧. પત્રકારની સજ્જતા. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦.
પૃ. ૪૨૮-૪૩૧ ૬૨. મજમુદાર, દેવેન્દ્ર
રૂટર' (રાઇટર : સમાચાર સંસ્થા) કુમાર ૧૮ (૬) જૂન ૧૯૪૧.
પૃ. ૧૯૬-૧૯૯ ૧૩. મડિયા, ચુનીલાલ
માનવમૂલ્યોની માવજત. શાહમૃગ - સુવર્ણમૃગ (મુંબઈ : વોરા, ૧૯૬૯). પૃ. ૧૫૦-૧૫ર
Page #178
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૧૭૭ ૬૪. મશરૂવાળા, કિશોરલાલ
ખોટી અને ખરાબ જાહેરખબરો. પુસ્તકાલય ૨૩ (૩-૪) ઓક્ટો.-નવે.
૧૯૪૮, પૃ. ૧૪૧-૧૪૨ ૬૫. મહેતા, ચંદ્રકાન્ત
પત્રકારત્વનો લોકપ્રભાવ. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦.
પૃ. ૩૭૨-૩૭પ ૬૬. મહેતા, મોહનલાલ “સોપાન'
સ્વતંત્ર અને સત્યનિષ્ઠ પત્રકારત્વ. સંસ્કૃતિ ૧૮ (૨) ફેબ્રુ. ૧૯૬૪. પૃ. ૭૦-૭૪
- પુસ્તકાલય ૩૯ (૧) જુલાઈ ૧૯૬૪. પૃ. ૮-૧૪ ૬૭. મહેતા, રવિશંકર
ગુજરાતનું પલટાતું પત્રકારત્વ. ફાર્બસ ગુજરાતી સભા-ત્રમાસિક ૩૮ (૩-૪)
જુલાઈ-ડિસે. ૧૯૭૩. પૃ. ૨૯-૩૧ ૧૮. સર્વોદય યુગનું પત્રકારત્વ. બુદ્ધિપ્રકાશ ૧૦૬ (૧૧) નવે. ૧૯૫૯.
પૃ. ૪૦૨-૪૦૮ ૬૯. મહેતા, વાસુદેવ
નફા-તોટાનો હિસાબ. પરબ ૨૧ (ક) જૂન ૧૯૮૦. પૃ. ૩૫૬-૩પ૯ ૭૦. માવલંકર, દાદાસાહેબ
પત્રકારિત્વ : ધંધો નહીં પણ ધર્મ. પુસ્તકાલય ૨૩ (૧) ઑગસ્ટ ૧૯૪૮.
પૃ. ૧૯-૨૦ ૭૧. માસ્તર, કરીમ મહમ્મદ
ઇસ્લામી દેશોમાં પત્રકારત્વ. નવચેતન ૩૮ (૨) નવે. ૧૯૫૯.
પૃ. ૨૯૯-૨૭૨ ૭૨. પત્રકારના ધંધાની જવાબદારીઓ અને ફરજો. બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૨)
ડિસે. ૧૯૨૪. પૃ. ૩૫૮-૩૬૧ ૭૩. માસ્તર, ધર્મેન્દ્ર
ખબરપત્રીનો આદર્શ. નવચેતન ૪૦ (૧) એપ્રિલ ૧૯૬૧.
પૃ. ૧૩૩-૧૩૯ ૭૪. માળવી, નટવરલાલ
બ્રહ્મદેશનું પત્રકારત્વ. નવચેતન ૩૫ (૨) નવે. ૧૯૫૭. પૃ. ૨૨૯-૨૭૨ ૭પ. મિસ્ત્રી, ઇબ્રાહિમ હાજી મહમ્મદ
પત્રકારત્વમાં ઠઠ્ઠાચિત્રો. નવચેતન ૧૧ (૫) ઓગસ્ટ ૧૯૩૨. પૃ. ૩૪૭૩૪૮
Page #179
--------------------------------------------------------------------------
________________
] સાહિત્ય અને પત્રકારત્વ
૧૭૮
૭૬. મેઘાણી, ઝવેરચંદ
જોખમી વ્યવસાય. મિલાપ અંક ૧, જાન્યુ. ૧૯૫૦. પૃ. ૯-૧૦ ૭૭. રાવ, ડી. પી.
પત્રકારત્વ. પુસ્તકાલય ૩૦ (૯) માર્ચ ૧૯૫૬, પૃ. ૪૭૪-૪૭૯ ૭૮. રાવત, બચુભાઈ
ગુજરાતી પત્રકારત્વ : લોકશિક્ષણનું યજ્ઞકાર્ય. પ્રસ્થાન ૪૧ (૩) જાન્યુ.૧૯૬૬.
પૃ. ૧૩૯-૧૪૦
મિલાપ સળંગ અંક ૧૯૪, ફેબ્રુ. ૧૯૬૬. પૃ. ૩૩-૩૬
૭૯. વનરાવન
પત્રકારની નજરે નવી દુનિયાનું દર્શન. ઊર્મિ-નવરચના ૫૯ (૧૦) સળંગ અંક ૭૦૬ જાન્યુ. ૧૯૮૯. પૃ. ૩૭૬
૮૦ વુલ્લી, રોલેન્ડ
હું જો હિંદી પત્રોનો સંપાદક હોઉં તો; અનુ. શશિન ઓઝા. નવચેતન ૩૨ (૩) ડિસે. ૧૯૫૩. પૃ. ૨૯૭-૩૦૧
૮૧. શર્મા, ભગવતીકુમાર
પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦. પૃ. ૩૬૪-૩૭૧
૮૨. સૌરાષ્ટ્રના પત્રકારત્વનો ઇતિહાસ. ગ્રંથ ૨૦ (૩) માર્ચ ૧૯૮૩. પૃ. ૩૦-૩૩
[અખબારનું અવલોકન : યાસીન દલાલ - અવલોકન]
૮૩. શાહ, ચન્દ્રકાન્ત
અમેરિકાનું પત્રકારત્વ. નવચેતન ૩૯ (૧) એપ્રિલ ૧૯૬૦. પૃ. ૧૦૭-૧૧૦
૮૪. શાહ, ચંદુલાલ ના.
હિંદી પત્રકારિત્વ. બુદ્ધિપ્રકાશ ૭૨ (૪) એપ્રિલ ૧૯૨૫. પૃ. ૯૭-૧૦૫
૮૫. શાહ, ચુનીલાલ વ.
પાછલે બારણેથી પત્રકારત્વમાં. મિલાપ અંક ૧૦૮ ડિસે. ૧૯૫૮. પૃ. ૨૯-૩૨
૮૬. યુદ્ધ અને પત્રકારિત્વ. રેખા ૩ (૧૧) જૂન ૧૯૪૨.
પૃ. ૬૫-૬૮
૮૭. શાહ, બળવંતભાઈ
સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦. પૃ. ૩૨૧ ૩૨૮
Page #180
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ / ૧૭૯
૮૮. શાહ, મુકુન્દ
સાહિત્ય અને પત્રકારત્વ. નવચેતન ૫૯ (૨) મે ૧૯૮૦.
પૃ. ૧૪. ૮૯. શાહ, શ્રેયાંસ
પરસ્પર પૂરક પ્રવૃત્તિ. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦.
પૃ. ૩૧૨-૩૧૪ ૯૦. “શાંતિપ્રિય', અનુ
રૂટર : દુનિયાની એક મહાન અને અભુત સંસ્થા. નવચેતન ૧૯ (૩)
જૂન ૧૯૪૦, પૃ. ૨૦૦-૨૦૩ ૯૧. શુક્લ, યજ્ઞેશ હ.
છેલ્લા પાંચ દાયકાનું ગુજરાતી પત્રકારત્વ. નવચેતન ૫૦ (૧-૨)
ઓક્ટો.-નવે. ૧૯૭૧. પૃ. ૧૪૪-૧૫૯ ૯૨. પ્રફ વાંચનાર પણ પત્રકાર જ. નવચેતન ૫૪ (૭-૮) ઑક્ટો. નવે.
૧૯૭૫. પૃ. ૪૩-૪૮ ૯૩. વૃત્તાંતનિવેદન - રિપૉટિંગ. નવચેતન પ૩ (૮-૯) નવે-ડિસે. ૧૯૭૪.
પૃ. ૪૧-૪૭ ૯૪. શુક્લ, યશવંત
પરિસંવાદનો સમારો૫. પરબ ૨૧ (ક) જૂન ૧૯૮૦. પૃ. ૪૩૯-૪૪૪
[‘સાહિત્ય અને પત્રકારત્વ' પરિસંવાદનું સમાપન ૫. સાહિત્ય અને પત્રકારત્વ : મિલનબિંદુઓની શોધ. નિરીક્ષક ૧૩ (૩૭)
મે ૧૯૮૦. પૃ. ૨-૪ ૯૬. શેઠ, અમૃતલાલ
સંગ્રામનું પત્રકારત્વ. મિલાપ અંક પ૫, જુલાઈ ૧૯૫૪. | પૃ. ૨૮-૩૨ ૯૭. સરકાર, કમલ
ભારતીય પત્રકારત્વમાં વ્યંગચિત્રો. કુમાર ૩૯ (૫) મે ૧૯૬૨.
પૃ. ૨૦૦ ૯૮. સામાણી, સુરેશ
ગુજરાત પત્રકારત્વ અધિવેશન. વિશ્વમાનવ અંક ૨૮૪, ઑગસ્ટ ૧૯૮૪. પૃ. ૪૩૧-૪૩૩ [૨૧-૨૨ જુલાઈ ૧૯૮૪ દરમ્યાન વડોદરા ખાતે યોજાયેલ પત્રકારત્વ
અધિવેશન]. ૯૯. હેમાણી, ત્રિભુવન વીરજીભાઈ
પત્રકાર અને પત્રકારત્વ. નવચેતન ૩૩ (૯) સપ્ટે. ૧૯૫૪. પૃ. પપ૯-૫૬)
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૮૦ 'T સાહિત્ય અને પત્રકારત્વ ૧૦૦. લેખનની દુનિયામાં. નવચેતન ૩૯ (૪) જુલાઈ ૧૯૫૭. "
પૃ. પપ૯-૫૬૦ ૧૦૧. વૃત્તપત્રલેખન : ધંધાદારી નજરે. નવચેતન ૪૫ (૪) જાન્યુ. ૧૯૬૭.
પૃ. ૫૭૯-૫૧૩ ૧૦૨. હસ્તલેખ(પ્રેસકોપી)નું ઘડતર. નવચેતન ૩૯ (૩) ડિસે. ૧૯૫૭.
પૃ. ૩૧૯-૩૨૪.
*
*
*
પત્રકારો
૧૦૩. કામદાર, છોટાલાલ માનસિંગ
શહીદ પત્રકારો. પુસ્તકાલય ૨૧ (પ) મે ૧૯૪૬, પૃ. ૧૮૨-૧૮૩
અનંત ગોપાલ શેવડે ૧૦૪. વિદ્યાલંકાર, શંકરદેવ
અનંત ગોપાલ શેવડે. કુમાર પડ (૪) અંક ૧૬૪, એપ્રિલ, ૧૯૭૯ પૃ. ૧૦૩-૧૦પ
અમૃતલાલ શેઠ ૧૦૫. તંત્રી, સંસ્કૃતિ
સદ્ગત અમૃતલાલ શેઠ : વીર પત્રકાર. સંસ્કૃતિ ૮ (૮) ઑગસ્ટ ૧૯૫૪. પૃ. ૩૨૬
અરવિંદ મહર્ષિ ૧૦૬. વૈદ્ય વિજયરાય ક.
‘વંદેમાતરમ્'ના પત્રકાર શ્રી અરવિંદ. માનસી ૧૩ (૨) જૂન ૧૯૪૯. પૃ. ૨૦૧-૨૦૭
આગરકર મહર્ષિ ૧૦૭. તંત્રી, માનસી
મહર્ષિ આગરકર. માનસી ૧ (૪) અખાત્રીજ સં. ૧૯૯૨. પૃ. ૪૪૬-૪૪૯
Page #182
--------------------------------------------------------------------------
________________
ઈ. કૃષ્ણ આયર
૧૦૮. કોઠારી, સુનીલ
ઇ. કૃષ્ણ આયર. કુમાર ૩૬ (૧) જાન્યુ. ૧૯૫૯.
પૃ. ૩-૫, ૩૮
ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ
૧૦૯. તંત્રી, સમાલોચક
પ્રસિદ્ધ ‘ગુજરાતી’ પત્રના લોકમાન્ય શ્રીયુત ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનું અત્યંત શોકકારક અવસાન. સમાલોચક ૧૭ (૪) આંઑક્ટો.-ડિસે. ૧૯૧૨. પૃ. ૨૪૯-૨૫૦
૧૧૦. મણિલાલ છબારામ
‘ગુજરાતી’ના અધિપતિનો સ્વર્ગવાસ. બુદ્ધિપ્રકાશ ૫૯ (૧૨) ડિસે. ૧૯૧૨. પૃ. ૩૭૭-૩૮૨
ઇન્દુલાલ ગાંધી
૧૧૧. અદાણી, રતુભાઈ
‘ઊર્મિ’ના પ્રથમ તંત્રી કવિ શ્રી ઇન્દુલાલ ગાંધી; રતુભાઈ અદાણી અને જયમલ્લ પરમાર. ઊર્મિ-નવરચના ૫૬ (૧૧) અંક ૬૭૧, ફેબ્રુ. ૧૯૮૬. પૃ. ૪૯૬
૧૧૨. ઓઝા, ડંકેશ
લેખસૂચિ H ૧૮૧
ઇન્દુલાલનું પત્રકારત્વ. વિશ્વમાનવસળંગ અંક ૩૭૫-૩૭૬. મે-જૂન ૧૯૯૨. પૃ. ૭૯-૮૩
૧૧૩. જાની, બળવંત
સાહિત્યિક પત્રકાર અને કવિ શ્રી ઇન્દુલાલ ગાંધી, ઊર્મિ-નવરચના ૫૪ (૪) સળંગ અંક ૬૪૦, જુલાઈ ૧૯૮૩. પૃ. ૨૦૧-૨૦૨, ૨૦૭ ઇન્દુલાલ યાજ્ઞિક
૧૧૪. વડગામા, નીતિન
ઇન્દુલાલ યાજ્ઞિક. કુમાર (૬૪) સળંગ અંક ૭૬૨, જુલાઈ ૧૯૯૧, પૃ. ૨૮૬-૨૯૦
ઇન્દ્ર વિદ્યાવાચસ્પતિ
૧૧૫. વિદ્યાલંકાર, શંક૨દેવ
ઇન્દ્ર વિદ્યાવાચસ્પતિ. કુમાર ૪૩ (૨) ફેબ્રુ. ૧૯૬૬.
પૃ. ૪૪-૪૭, ૭૩
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૮૨
| સાહિત્ય અને પત્રકારત્વ
ઈશ્વર પેટલીકર ૧૧૬. શેઠ, પ્રવીણ
ઈશ્વર પેટલીકર : સાહિત્ય-પત્રકારત્વનું આગવું સમીકરણ. વિશ્વમાનવ ૨૬ (૨૭૬) ડિસે. ૧૯૮૩. પૂ. પ૨૯
ઉમાશંકર જોશી ૧૧૭. જોશી, રમણલાલ
ઉમાશંકર : તંત્રી-સંપાદક, બુદ્ધિપ્રકાશ ૧૩૭ (૧૨) ડિસે. ૧૯૯૦.
પૃ. ૩૭૩-૩૭પ ૧૧૮. શુક્લ, યશવંત
ચૈતન્યધર્મી માનવપ્રેમી સારસ્વતની ચિરવિદાય. બુદ્ધિપ્રકાશ ૧૩૫
(૧૧-૧૨) નવે.-ડિસે. ૧૯૮૮. પૂંઠા પાન ૩-૪.
એ. એસ. ઓક્સ ૧૧૯. કામદાર છોટાલાલ માનસિંગ
પ્રખ્યાત વર્તમાન પત્રકાર સ્વ. એ. એસ. ઓક્સ. પુસ્તકાલય ૧૦ (૯) સપ્ટે. ૧૯૩પ. પૂ. પ૦૪
એડવર્ડ બૉક ૧૨૦. રશ્મિન, ઉપ.
એડવર્ડ બોક. નવચેતન ૩૩ (૬) સપ્ટે. ૧૯૫૪.
પૃ. ૫૬પ-પ૬૭ ૧૨૧. રાવળ, ગજેન્દ્ર
એડવર્ડ બૉક. કુમાર ૧૦ (૧૧) કારતક સં. ૧૯૯૦. પૃ. ૪૦૫-૪૦૮, ૪૩૨
એડિસન ૧૨૨. પારેખ, મધુસૂદન
સ્ટીલ અને એડિસન : પત્રકારત્વનો ઉદય (અંગ્રેજી સાહિત્યનું આચમન) કુમાર ૬૪ સળંગ અંક ૭૬પ ઓક્ટો. ૧૯૯૧. પૃ. ૪૮૪-૪૮૫
એદલજી નવરોજી કાંગા ૧૨૩. ઉદ્દેશી, ચાંપશી વિ.
પૂર્વ ભારતના ગુજરાતી પત્રકારત્વનો પિતા. નવચેતન ૪૬ (૫) ફેબ્રુ. ૧૯૬૮. પૃ. ૫૬૧-૫૬૪, ૫૬૭
Page #184
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ ૧૮૩
એવરદ મહેરજીભાઈ ૧૨૪. શુક્લ, યજ્ઞેશ
બે મહાન પત્રકારો : એવરદ મહેરજીભાઈ અને પાલનજી માદન, કુમાર ૪૮ (૧૨) અંક પ૭૬, ડિસે. ૧૯૭૧. પૃ. ૫૧૯-૫૨૦
કનૈયાલાલ મુનશી ૧૨૫. જાની, રમેશ
પત્રકાર મુનશી.ગ્રંથ ૮ (૧૦-૧૧) અંક ૯૪-૯૫, ઑક્ટો-નવે. ૧૯૭૧.
પૃ. ૧૫૧-૧૫૮ ૧૨૬. શુક્લ યજ્ઞેશ હ.
મુનશીજી - જેવા જોયા ને જાણ્યા તેવા. નવચેતન ૫૦ (૨) મે ૧૯૭૧. પૃ. ૧૩પ-૧૪૦
કપિલરાય મહેતા ૧૨૭. તંત્રી, સંસ્કૃતિ
સન્નિષ્ઠ પત્રકાર સ્વ. કપિલરાય. સંસ્કૃતિ ૨૩ (૧૨) ડિસે. ૧૯૬૯.
પૃ. ૪૭૮ ૧૨૮. શાહ, બળવંતરાય
કર્મષ્ઠ પત્રકાર કપિલરાય મહેતા. કુમાર ૪૭ (૪) સળંગ અંક ૧૫૭ એપ્રિલ ૧૯૭૦. પૃ. ૧૩૪-૧૩૭
કરસનદાસ મૂળજી ૧૨૯. તંત્રી, કુમાર
કરસનદાસ મૂળજી. કુમાર ૧ (૧) પોષ સં. ૧૯૮૦. પૃ. ૪-૯
કસ્તુરી શ્રીનિવાસન ૧૩૦. અક્કડ, વલ્લભદાસ
કસ્તુરી શ્રીનિવાસન. કુમાર ૩૬ (૮) ઑગસ્ટ ૧૯પ૯. પૃ. 30૨ ૩૫, ૩૮૦
કાન્ત કવિ ૧૩૧, વ, વિજયરાય ક.
કાન્ત : પત્રકાર અને ગદ્યકાર. વિદ્યાપીઠ ૬ (1) જાન્યુ. ફ. ૧૯૯૮. પૃ. ૨૭-૩૧
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સાહિત્ય અને પત્રકારત્વ
કામાક્ષી નટરાજન
૧૩૨. ધ્રુ, ગટુભાઈ
કામાક્ષી નટ૨ાજન. કુમાર ૨૮ (૧૦) ઑક્ટો. ૧૯૫૧.
પૃ. ૩૨૯-૩૩૦, ૩૬૩
કાંતિ ભટ્ટ
૧૩૩. ગોર, અજિત
લોકપ્રિય પત્રકાર, કાંતિ ભટ્ટ. નવચેતન ૬૩ (૧૦) જાન્યુ. ૧૯૮૫.
પૃ. ૨૦-૨૩.
કિશોરલાલ ઘ. મશરૂવાળા
૧૩૪. મહેતા, ચંદ્રકાન્ત
પત્રકાર કિશોરલાલ ઘ. મશરૂવાળા. બુદ્ધિપ્રકાશ ૧૩૮ (૧૧) નવે. ૧૯૯૧. પૃ. ૩૩૭-૩૪૧
કે. રામરાવ
૧૩૫. શુક્લ, યજ્ઞેશ હ.
સ્વ. કે. રામારાવ. કુમાર ૪૩ (૧૧) નવે. ૧૯૬૬.
પૃ. ૩૮૭-૩૯૧, ૪૧૪-૪૧૫
કૃષ્ણલાલ પ્રભાકર ખાડિલકર
૧૩૬. તંત્રી, કુમાર
કૃષ્ણાજી પ્રભાકર ખાડિલક૨. કુમાર ૨૫ (૧૧) નવે. ૧૯૪૮. પૃ. ૩૨૫-૩૨૮
ગટુભાઈ ધ્રુવ
૧૩૭. શુક્લ, યશવન્ત
‘જ્યોતિર્ધર ’ના તંત્રી સ્વ. ગટુભાઈ ધ્રુવ. બુદ્ધિપ્રકાશ ૧૧૫ (૬) જૂન ૧૯૬૮. પૃ. ૧૬૮-૧૬૯
ગાંધીજી
૧૩૮. દલાલ, રમણીકલાલ જ.
ગાંધીજી - પત્રકાર તરીકે. નવચેતન ૫૦ (૨) મે. ૧૯૭૧. પૃ. ૧૪૯-૧૫૧
Page #186
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ [ ૧૮૫ ૧૩૯. પારેખ, નગીનદાસ
ગાંધીજીનું પત્રકારત્વ. વિદ્યાપીઠ ૧૬ (૬) નવે.-ડિસે. ૧૯૭૮.
પૃ. ૧-૧૦ ૧૪૦. પુરોહિત, સોમેશ
ગાંધીજી અને પત્રકારત્વ; અનુ. ડાહ્યાભાઈ જોશી. નવચેતન પ૩ (૭)
ઓક્ટો. ૧૯૭૪, પૃ. ૨૫-૨૮ ૧૪૧. શુક્લ, ડી. એન.
પત્રકાર ગાંધીજી. વિદ્યાપીઠ ૫ (૪) જુલાઈ-ઑગસ્ટ ૧૯૬૭.
પૃ. ૧૮૮-૧૮૯
ગોપબંધુ દાસ ૧૪૨. ટાંક, બિહારીલાલ
ગોપબંધુ દાસ. કુમાર ૫૪ (૩) સળંગ અંક ૭૩૯, માર્ચ ૧૯૭૭. પૃ. ૭૬-૭૮
ચાંપશીભાઈ વિ. ઉદ્દેશી ૧૪૩. અંતાણી જિતેન્દ્ર એન.
ચાંપશીભાઈનું અનુષ્ઠાન. નવચેતન ૭૧ (૨) મે ૧૯૯૨.
પૃ. ૩૧-૩૩ ૧૪૪. આચાર્ય લક્ષ્મીપ્રસાદ જ.
નિષ્ઠાવાન તંત્રી મુ. શ્રી ચાંપશીભાઈ. નવચેતન પ૩ (૧-૨)
એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૩૯-૪૦ ૧૪૫. ઉદ્દેશી, ચાંપશી વિ.
ષષ્ટિપ્રવેશ પ્રસંગે. નવચેતન ૬૧ (૧) એપ્રિલ ૧૯૫૨.
પૃ. ૧૩ ૧૪૬. કાંગા, જાલુ નવલ
મુરબ્બી ચાંપશીભાઈ. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪.
પૃ. ૩૯-૪૦ ૧૪૭. ગૌદાની, હરિલાલ
સહૃદયી સંપાદક. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૭૫. ૧૪૮. ચૌહાણ હરિભાઈ
નવોદિત લેખકોની પ્રેરણામૂર્તિ સ્વ. શ્રી ચાંપશીભાઈ. નવચેતનકર (૧૨) માર્ચ ૧૯૮૪. પૃ. ૩૫-૩૬
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૩ n સાહિત્ય અને પત્રકારત્વ
૧૪૯. જોશી, ઉમાશંકર
૧૫૦. જોશી, કનૈયાલાલ
૧૫૧. જોશી, દક્ષિણકુમાર
૧૫૨.
અચલ શ્રદ્ધાનો માનવદીપ મુ. ચાંપશીભાઈ. નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૬૫-૬૭
ત્રણ સમવયસ્ક મિત્રો : રવિભાઈ, ધૂમકેતુ અને ચાંપશીભાઈ. નવચેતન ૫૩ (૧૨) માર્ચ ૧૯૭૫. પૃ. ૧૪-૧૭.
૧૫૩. ધૂમકેતુ, રવિશંકર રાવળ અને ચાંપશી ઉદ્દેશી. નવચેતન ૭૧ (૫) ગસ્ટ ૧૯૯૨. પૃ. ૧૮-૨૦
સદ્ગત ચાંપશીભાઈ ઉદ્દેશી. સંસ્કૃતિ ૨૮ (૪) એપ્રિલ ૧૯૭૪. પૃ. ૧૦૮
૧૫૪. જોશી, શિવકુમાર
૧૫૭.
સ્મૃતિના ઝંકાર. નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૮૯-૯૦
૧૫૫. તંત્રી, કુમાર
૧૫૮.
૧૫૯.
૧૫૬. તંત્રી, નવચેતન
૧૬૦.
૧૬૧.
પુણ્યાત્મા મુ. ચાંપશીભાઈ. નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૮૬-૮૭
સ્વર્ગસ્થ ચાંપશીભાઈ ઉદ્દેશી. કુમાર ૫૧ (૩) સળંગ અંક ૬૦૩ માર્ચ ૧૯૭૪, પૃ. ૮૬-૮૭
અમદાવાદના ‘લોકસમાચાર' દૈનિકે આ પત્રના તંત્રીની લીધેલી મુલાકાત વેળાની પ્રશ્નોત્તરી. નવચેતન ૪૬ (૪) જુલાઈ ૧૯૬૭. પૃ. ૪૮૩-૪૮૪. અમદાવાદના ‘પ્રભાત’ દૈનિકે આ પત્રના તંત્રીની લીધેલી મુલાકાત વેળાની પ્રશ્નોત્તરી. નવચેતન ૪૬ (૪) જુલાઈ ૧૯૬૭. પૃ. ૪૮૫-૪૮૭ આકાશવાણી અમદાવાદે આ પત્રના તંત્રીની લીધેલી મુલાકાત વેળાની પ્રશ્નોત્તરી. નવચેતન ૪૬ (૪) જુલાઈ ૧૯૬૭ પૃ. ૪૮૧-૪૮૨ આકાશવાણી પરથી ‘નવચેતન’કારની મુલાકાત નવચેતન ૫૦ (૬) માર્ચ ૧૯૭૨. પૃ. ૭૬૪-૭૭૦
આ પત્રના તંત્રીનું કલકત્તામાં થયેલું બહુમાન. નવચેતન ૪૫ (૫) ફેબ્રુ. ૧૯૬૭. પૃ. ૫૭૯-૫૮૫, ૫૮૯
આ પત્રના તંત્રીનો સન્માન સમારંભ. નવચેતન ૪૧ (૩) જૂન ૧૯૬૨. પૃ. ૩૨૫-૩૩૦
• નવચેતન ૪૬ (૩) ૧૯૬૭. પૃ. ૩૬૧-૩૬૭
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૨.
૧૬૩.
૧૬૪.
૧૬૫.
૧૬૬.
૧૬૭.
૧૬૮.
૧૬૯.
લેખસૂચિ Ū ૧૮૭
કલકત્તામાં ઊજવાયેલો ‘નવચેતન’ સુવર્ણ મહોત્સવ. નવચેતન ૫૧(૪) જુલાઈ ૧૯૭૨. પૃ. ૪૨૫-૪૩૦
ચાંપશીભાઈ ઉદ્દેશી સ્મૃતિ અંક. નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે
૧૯૭૪. પૃ. ૧-૧૩૮
ચાંપશીભાઈની જીવન-તવારીખ. નવચેતન ૫૩ (૧૨) માર્ચ ૧૯૭૫. પૃ. ૭૪
ચાંપશીભાઈની ષષ્ટિપૂર્તિનો જાહેર સમારંભ, નવચેતન ૩૧ (૩) ડિસે. ૧૯૫૨. પૃ. ૨૦૯-૨૧૩
‘નવચેતન’કા૨ને અમદાવાદ અભિનંદે છે. નવચેતન ૫૦ (૬) માર્ચ
૧૯૭૨. પૃ. ૯૩-૯૬
‘નવચેતન’કારને એમની જ્ઞાતિ બિરદાવે છે. નવચેતન ૫૦ (૬) માર્ચ ૧૯૭૨. પૃ. ૮૪૧-૮૪૩, ૮૪૯
નારાયણનગર સન્માને છે ‘નવચેતન’કા૨ને. નવચેતન ૫૧ (૨) મે
૧૯૭૨. પૃ. ૨૩૬-૨૩૮
પ્રેમાનંદ સાહિત્ય સભા ‘નવચેતન’કારને સન્માને છે. નવચેતન
૫૦ (૬) માર્ચ ૧૯૭૨. પૃ. ૮૩૭-૮૪૦
૧૭૦. દલાલ, રમણીકલાલ જ.
ચાંપશીભાઈ એટલે ‘નવચેતન’.નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૬૧-૬૩
૧૭૧. દેસાઈ, કુમારપાળ
વાત્સલ્યમૂર્તિ ચાંપશીભાઈ. નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૭૧-૭૨
૧૭૨. નાયક, પ્રાણસુખ
નિષ્ઠાવાન વાત્સલ્યમૂર્તિ શ્રી ચાંપશીભાઈ. નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૭૭-૭૮.
૧૭૩. પટેલ, મહેન્દ્ર
ચાંપશીભાઈ. પુસ્તકાલય ૪૮ (૧૦) એપ્રિલ ૧૯૭૪.
પૃ. ૪૯૯-૫૦૦
૧૭૪. પટેલ, લાલભાઈ બી.
સાહિત્યઋષિ ચાંપશીકાકા. નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૮૬.
૧૭૫. પરમાર, જયન્ત
ચાંપશીભાઈ ગયા ! મન માનતું નથી. નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪, પૃ. ૮૩-૮૫
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૮ D સાહિત્ય અને પત્રકારત્વ ૧૭૬. પરમાર, તખ્તસિંહ
ચાંપશીભાઈ : ચિંતક અને સર્જક. નવચેતન ૪૬ (૨) નવે. ૧૯૬૭. પૃ. ૧૭૧-૧૮૦ - નવચેતન ૪૬ (૩) ડિસે. ૧૯૬૭. પૃ. ૩૭૩-૩૦૮, ૩૯૨ - નવચેતન ૪૬ (૪) જાન્યુ. ૧૯૬૮, પૃ. ૪૩૩-૪૩૯
- નવચેતન ૪૬ (૫) ફેબ્રુ. ૧૯૬૮. પૃ. ૫૩૭-૫૪૨. ૧૭૭. પંડ્યા, જમિયત
- સન્નિષ્ઠ સંપાદક મુ. શ્રી ચાંપશીભાઈ. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ
મે ૧૯૭૪. પૃ. ૬૯-૭૦ ૧૭૮. પંડ્યા, નવીનચંદ્ર
વાત્સલ્યનો ઝરો ચાંપશીભાઈ. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪.
પૃ. ૫૯-૬૦ ૧૭૯. બ્રોકર, ગુલાબદાસ
ચાંપશીભાઈ. નવચેતન ધ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪
પૃ. ૨૫ ૧૮૦. ભટ્ટ, વિનોદ
સ્વ. ચાંપશીભાઈ ઉદ્દેશી. કુમાર ૫૪ (૩) સળંગ અંક ૯૩૯, માર્ચ ૧૯૭૭.
પૃ. ૮૭૮૮ ૧૮૧. મજમુદાર, ચંદ્રકાન્ત જ.
“નવચેતનકાર શ્રી ચાંપશીભાઈ. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪.
પૃ. ૯૩-૯૪ ૧૮૨. મહેતા, ચંપકલાલ
સ્વ. ચાંપશીભાઈના જીવનઘડવૈયાઓ. નવચેતન પ૩ (૧૨) માર્ચ ૧૯૭૫.
પૃ. ૧૧ ૧૮૩. સામયિક સંચાલનના સફળ સાધક શ્રી ચાંપશીભાઈ. નવચેતન પ૩ (૧-૨)
એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૮૫ ૧૮૪. મહેતા, જશવંત
એક મુરબ્બી, જેમને મેં હજી તો ઓળખવાની શરૂઆત કરી હતી. નવચેતન
પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૫૩-૫૪ ૧૮૫. મહેતા, વાસુદેવ
ચાંપશીભાઈ કેમ અમર રહેશે ? નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૩૩-૩૪
Page #190
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ / ૧૮૯ ૧૮૬. માસ્તર, ધર્મેન્દ્ર “મધુરમ્'
સૌજન્યમૂર્તિ ચાંપશીભાઈનું સાહિત્યપ. નવચેતન પ૩ (૧-૨)
એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૮૨ ૧૮૭. સ્વ. ચાંપશીભાઈના જીવનની વાતો. નવચેતન પ૩ (૧૨) માર્ચ ૧૯૭૫. "
પૃ. ૧૯
૧૮૮. મૌર્ય, વિજયગુપ્ત
મને યાદ આવે છે એ પહેલો મેળાપ. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે
૧૯૭૪. પૃ. ૫૧. ૧૮૯. યાજ્ઞિક, ચંદ્રકાન્ત
નિષ્ઠાવાન તંત્રી શ્રી ચાંપશીભાઈ. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪.
પૃ. ૨૬. ૧૯૦. રાવત, બચુભાઈ
નવચેતન'કાર ચાંપશીભાઈ. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪.
પૃ. ૨૬ ૧૯૧. રાવળ, અનંતરાય
અસામાન્ય સામાન્યતા. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪.
પૃ. ૨૫, ૩૧ ૧૯૨. રાવળ, રવિશંકર
ચાંપશીભાઈ સપ્તતિ; રવિશંકર રાવળ અને બચુભાઈ રાવતકૃત.
કુમાર ૩૯ (૩) માર્ચ ૧૯૬૨. પૃ. 100 ૧૯૩. સહધર્મી સદ્ગત સુહૃદુ શ્રી ચાંપશીભાઈ. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે
૧૯૭૪. પૃ. ૩-૧પ ૧૯૪. વાળંદ, નરોત્તમ
સૌજન્યમૂર્તિ ચાંપશીભાઈ. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. “
પૃ. ૭૩-૭૪ ૧૯૫. વ્યાસ, રજની
વિવિધ પ્રકારના રસ ધરાવતા શ્રી ચાંપશીભાઈ. નવચેતન ઉક(૧૨) માર્ચ
૧૯૮૮, પૃ. ૧૩-૧૫ ૧૯૬. શર્મા, ભૈર્ગવતીકુમાર
લીલી સાહી, લીલુડો સંબંધ, લીલોછમ માનવી. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૫૭-૫૮,૬૦
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૯૦ | સાહિત્ય અને પત્રકારત્વ ૧૯૭. શાહ, જયંતીલાલ
મૂર્તિમંત કર્તવ્ય, નવચેતન પ૩ (૧૨) એપ્રિલ-મે ૧૯૭૪, પૃ.૧૦૫-૧૦૬ ૧૯૮. શાહ, પ્રકાશ ન.
સદ્ગત ચાંપશીકાકા. વિશ્વમાનવ સળંગ અંક ૧૫૮, ફેબ્રુ. ૧૯૪૭. પૃ. ૧ ૧૯૯. શાહ, મુકુન્દ પી.
મારા ‘સાહિત્યપિતા' નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪.
પૃ. ૩પ-૩૮ ૨૦૦. સાહિત્યના અખંડ ઉપાસક શ્રી ચાંપશીભાઈ. પુસ્તકાલય ૪૫ (૧૦) એપ્રિલ
૧૯૭૧, પૃ. ૬૪૩-૬૪૭ ૨૦૧. શાહ, મૂળજીભાઈ પી.
તપસ્વી પત્રકાર ચાંપશીભાઈ. નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪.
પૃ. ૪૩-૪૫ ૨૦૨. ‘નવચેતન'ની અને ‘નવચેતનકારની ઘડતરકથા. નવચેતન ૫૧ (૩) જૂન
૧૯૭૨. પૃ. ૨૫૬-૫૭૩ ૨૦૩. શિવમ્ સુંદરમ્, ઉપ.
અનોખો ફકીર. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪. પૃ. ૮૧ ૨૦૪. શુક્લ, બંસીધર
પ્રેરણામૂર્તિ ચાંપશીકાકા. નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪.
પૃ. ૧૭-૨૪ ૨૦૫. શુક્લ યજ્ઞેશ હ.
વત્સલ વડીલ ચાંપશીભાઈ. નવચેતન ૫૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪.
પૃ. ૧૭-૨૪ ૨૦૬. સાંડેસરા, ભોગીલાલ જ.
ચાંપશીભાઈના કેટલાંક સ્મરણો. નવચેતન પ૩ (૧-૨) એપ્રિલ-મે ૧૯૭૪.
પૃ. ૪૧-૪૨ ૨૦૭. સેલારકા, ચંદુલાલ
‘નવચેતન' માટે ભેખ લેનાર શ્રી ચાંપશીભાઈ. નવચેતન ૬૬ (૧૨) માર્ચ ૧૯૮૮. પૃ. ૧૭-૧૮
ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૦૮. શાહ, રમણલાલ સી.
ચીમનલાલ ચકુભાઈ શાહ. કુમાર ૫૬ ૧) સળંગ અંક ૬૬૧ જાન્યુ. ૧૮૭૯. પૃ. ૯-૧૦
Page #192
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૧૯૧ ચુનીલાલ વર્ધમાન શાહ ૨૦૯. તંત્રી, કુમાર
સ્વ. ચુનીલાલ વર્ધમાન શાહ. કુમાર ૪૩ (૫) મે ૧૯૬૯પૃ. ૧૫૭ ર૧૦. પારેખ, મધુસૂદન
પીઢ નવલકથાકાર અને પત્રકાર ચુનીલાલ વ. શાહનો દેહવિલય બુદ્ધિપ્રકાશ
૧૧૩ (પ) મે ૧૯૯૬, પૃ. ૧૩૧ ર૧૧. પેટલીકર, ઈશ્વર
ચુનીલાલ વ. શાહની ષષ્ટિપૂર્તિ. ઊર્મિનવરચના ૧૭ (૮) નવે. ૧૯૪૭.
પૃ. ૭૧-૭૩
ચુનીભાઈ વૈદ્ય ૨૧૨ શુક્લ, યશવંત
નિર્ભય પત્રકારનું સન્માન. બુદ્ધિપ્રકાશ ૧૩૧ (૭) જુલાઈ ૧૯૮૪.
પૃ. ૨૫૩-૨૫૪
ચેરાપુરી યજ્ઞેશ્વર ચિંતામણિરાવ ૨૧૩ તંત્રી, કુમાર
સી. વાય. ચિંતામણિ (ચોરાવુરી યજ્ઞેશ્વર ચિંતામણિરાવ). કુમાર ૨૪ (૭)
ચ્યવનરાય શુકલ ૨૧૪. તંત્રી. નિરીક્ષક
એક પત્રકારની જિંદગી. નિરીક્ષક ૧ (30) માર્ચ, ૧૯૬૯. પૃ. ૨૩-૨૪
છગન ખેરાજ વર્મા ૧૫. પંડ્યા, વિષ્ણુ
ક્રાન્તિના પત્રકારત્વનો ગુજરાતી મશાલચી છગન ખેરાજ વર્મા. ગુજરાત : દીપોત્સવી અંક વિ. સં. ૨૦૪૩. પૃ. ૮૯-૯૩
છબીલદાસ અંકલેશ્વરિયા ૨૧૬. શુક્લ, યજ્ઞશ હ.
સ્વ. છબીલદાસ અંકલેશ્વરિયા. નવચેતન ૩૦ (૨) નવે. ૧૯૫૮. પૃ. ૨૭૩-૨૮૦
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૯૨
- સાહિત્ય અને પત્રકારત્વ
જયમલ્લ પરમાર
૨૧૭. દોશી, યશવંત
વિરલ પત્રકાર બેલડી સ્મૃતિશેષ થઈ. અખંડઆનંદ સળંગ અંક ૫૧૮, સપ્ટે. ૧૯૯૧. પૃ. ૮૦-૮૨
જવાહરલાલ નહેરુ ૨૧૮. રાવ, ચલપતિ
પત્રકાર નહેરુ. નિરીક્ષક ૫ (૪૩) જૂન ૧૯૭૩. પૃ. ૯-૧૦
જાદવજી દાદાજી ચૌધરી
૨૧૯. વિદ્યાલંકાર, શંકરદેવ
જાદવજી દાદાજી ચૌધરી. કુમાર ૪૮ (૭) સળંગ અંક ૫૭૧, જુલાઈ ૧૯૭૧. પૃ. ૨૩૯-૨૪૨.
ઝવેરચંદ મેઘાણી
૨૨૦. પરમાર, જયમલ્લ
પત્રકાર મેઘાણીભાઈનાં સંભારણાં. ઊર્મિ-નવરચના ૪૩ (૧) એપ્રિલ ૧૯૭૨. પૃ. ૬૫-૭૦
૨૨૧. મડિયા, ચુનીલાલ
સહૃદય દાર્શનિક સમા પત્રકાર. ઊર્મિ-નવરચના ૧૭ (૧) એપ્રિલ ૧૯૪૭. પૃ. ૭૦-૭૪.
ઊર્મિ-નવરચના ૪૩ (૫) ઑગસ્ટ ૧૯૭૨. પૃ. ૩૫૩-૩૫૬ ૨૨૨. સતીકુમાર મગનલાલ
પત્રકારત્વનું શિયળ સાચવનાર. ઊર્મિ-નવરચના ૧૭ (૧) એપ્રિલ ૧૯૪૭. પૃ. ૬૯,૬૭
૨૨૩. સૂળે, ખંડેરાવ
ઝવેરચંદ મેઘાણી, અનુ. પ્રકાશમ્ રાવલ. પ્રસ્થાન ૩૦ (૩) આશ્વિન સં. ૧૯૯૬. પૃ. ૪૨૯-૪૩૨
ધનવંત ઓઝા
૨૨૪. શુક્લ, યશવંત
સ્વ. ધનવંત ઓઝા. બુદ્ધિપ્રકાશ ૧૪૧ (૯) સપ્ટે. ૧૯૯૪, પૃ. ૨૭૭
Page #194
--------------------------------------------------------------------------
________________
ધનશંકર હીરાશંકર ત્રિપાઠી
૨૨૫. તંત્રી, નવચેતન
વયોવૃદ્ધ સાહિત્યકાર શ્રીયુત ધનશંકર ત્રિપાઠીનું બહુમાન. નવચેતન ૩૪ (૩) જૂન ૧૯૫૫. પૃ. ૩૪૦-૩૪૧ ૨૨૬. શાહ, પી. કે.
પંડિત યુગના સર્જક અને પત્રકાર શ્રીયુત ધનશંકર હીરાલાલ ત્રિપાઠી. નવચેતન ૩૪ (૨) મે ૧૯૫૫. પૃ. ૨૧૫-૨૧૯
નટરાજન
૨૨૭. મહેતા, જયસુખલાલ કૃષ્ણલાલ
નટરાજન. માનસી ૩ (૧) માર્ચ ૧૯૩૮. પૃ. ૧૩૬-૧૪૦
નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે)
૨૨૮. દલાલ, યાસીન
લેખસૂચિ H ૧૯૩
સુધા૨ક પત્રકાર. પરબ ૨૪ (૮-૯) ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩, પૃ. ૧૪૬-૧૫૧.
૨૨૯. દવે, હરીન્દ્ર
પત્રકારત્વનું મોટું અર્પણ. પરબ ૨૪ (૮-૯) ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩.
પૃ. ૧૪૧-૧૪૫
૨૩૦. દેસાઈ, નીરુભાઈ
નિર્ભીક પત્રકારત્વ. પરબ ૨૪ (૮-૯) આંગસ્ટ- સપ્ટે. ૧૯૮૩. પૃ. ૧૩૭-૧૪૦
નવનીત સેવક
૨૩૧. શાહ, મુકુન્દ
લોકપ્રિય લેખક અને પત્રકાર શ્રી નવનીત સેવકનું દુઃખદ અવસાન. નવચેતન ૫૯ (૧) એપ્રિલ ૧૯૮૦. પૃ. ૬૫
નાગેશ્વર રાવ
૨૩૨. તંત્રી, માનસી
દેશોદ્ધારક નાગેશ્વ૨૨ાવ. માનસી ૩ (૩) સપ્ટે. ૧૯૩૮. પૃ. ૪૫૭-૪૫૯
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૯૪ | સાહિત્ય અને પત્રકારત્વ
નાનાસાહેબ પરૂળેકર ૨૩૩. તંત્રી, કુમાર
નાનાસાહેબ પરૂળકર. કુમાર ૩૪ (૩) માર્ચ ૧૯૫૭.
પૃ. ૮૮-૮૯, ૯૯ ૨૩૪. વિદ્યાલંકાર, શંકરદેવ
એક વિરલ અને સંનિષ્ઠ મહારાષ્ટ્રિયન પત્રકાર નાનાસાહેબ પરૂળકર. નવચેતન પર (૫) સપ્ટે. ૧૯૭૩. પૃ. ૪૯૮-૫૦૦
નિરંજન વર્મા ૨૩૫. દોશી, યશવંત
વિરલ પત્રકાર બેલડી સ્મૃતિશેષ થઈ. અખંડઆનંદ સળંગ અંક ૫૧૮
સપ્ટે. ૧૯૯૧. પૃ. ૮૦-૮૨
નોર્થક્લીફ, લૉર્ડ ૨૩૩. વસાણી, વ્રજલાલ
લૉર્ડ નોર્થકલીફ. નવચેતન ૩૯ (૫) ફેબ્રુ. ૧૯૬૧. પૃ. ૫૯૪-૫૯૬ ૨૩૭. વિભાકર, નૃસિંહદાસ
લૉર્ડ નોર્થકલીફ યાને પત્રકારોનો નેપોલિયન. નવચેતન ૨ (૧-૨) ઑક્ટો.-નવે. ૧૯૨૨. પૃ. ૭-૮
પરમાનંદભાઈ કાપડિયા ૨૩૮. ગાંધી, ભોગીલાલ
પરમાનંદભાઈ : ઓલિયા આદમી; અનુ. ભોગીલાલ ગાંધી અને સુભદ્રા
ગાંધી. વિશ્વમાનવ સળંગ અંક ૧૨૫, મે ૧૯૭૧. પૃ. ૨૦૦-૨૦૨ ૨૩૯. જોશી, ઉમાશંકર
સદ્ગત પરમાનંદભાઈ. નિરીક્ષક ૩ (૧૩) એપ્રિલ ૧૯૭૧. પૃ. ૮
- સંસ્કૃતિ ૨૫ (૫) મે ૧૯૭૧. પૃ. ૧૭૩-૧૬૭ ૨૪૦. સ્વ. પરમાનંદભાઈ. પુસ્તકાલય ૪૫ (૧૧) મે ૧૯૭૧. પૃ. ૯૯૮, ૭૦૪ ૨૪૧. પરમાર, જયમલ્લ
પ્રબુદ્ધ પરમાણંદભાઈ કાપડિયા. ઊર્મિનવરચના ૪૨ (૨) મે ૧૯૭૧.
પૃ. ૮૭. ૨૪૨. પરીખ, ધીરુભાઈ
પ્રબુદ્ધપુરૂષ પરમાનંદભાઈ. કુમાર ૪૮ (૯) સળંગ અંક ૫૭૩ સપ્ટે ૧૯૭૧. પૃ. ૩૩પ-૩૩૮
Page #196
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૧૯૫ ૨૪૩. રાવળ, રવિશંકર મ.
સદ્ગત શ્રી પરમાનંદ કાપડિયા. કુમાર ૪૮ (૫) સળંગ અંક પડ૯,
મે ૧૯૭૧. પૃ. ૧૭-૧૩૮
પાલનજી માદન ૨૪૪. શુક્લ, યજ્ઞેશ
બે મહાન પત્રકારો : એવરદ મહેરજીભાઈ અને પાલનજી માદન. કુમાર ૪૮ (૧૨) સળંગ અંક ૫૭૧, ડિસે. ૧૯૭૧. પૃ. ૫૧૯-૫૨૦
પીટર છંગર ૨૪૫. પરીખ, ધીરુભાઈ
પીટર છંગર. કુમાર ૫૦ (૧) સળંગ અંક ૫૮૯, જાન્યુ. ૧૯૭૩.
પૃ. ૪-૬
પીતાંબર પટેલ ર૪૬. જોશી, ઉમાશંકર
સદ્ગત પીતાંબર પટેલ. સંસ્કૃતિ ૩૧ (૫) મે ૧૯૭૭
પૃ. ૨૪૪.
બકુલેશ ૨૪૭. ગાંધી, ભોગીલાલ
સ્વ. બકુલેશ : કરમાઈ ગયેલી પ્રતિભાની યાદમાં. વિશ્વમાનવ સળંગ અંક ૧ જાન્યુ. ૧૯૫૮. પૃ. ૩૭-૩૮
બચુભાઈ રાવત ૨૪૮. ચૌધરી, માધવ મો. આ બચુભાઈની ચકોરતા. કુમાર ૫૯ (૭-૮) જુલાઈ-ઑગસ્ટ ૧૯૮૨.
પૃ. ૨૦૯. ૨૪૯. જોષી, રમણલાલ
સંસ્કારિતાની સૌમ્ય ફોરમ. કુમાર ૫૯ (૨) ફેબ્રુ. ૧૯૮૨.
પૃ. ૧૬-૧૭ ૨૫૦. ઝવેરી, સુકન્યા
બચુભાઈ – મારા ગોડફાધર. કુમાર ૫૯ (૧) જાન્યુ. ૧૯૮૨ પૃ. ૧૬-૧૭ ર૫૧. ડગલી, વાડીલાલ
બચુભાઈ રાવત : લોકરુચિના મહેતાજી. ગ્રંથ ૧૭ (૮) ઑગસ્ટ ૧૯૮૦. પૃ. ૩૯-૪૦
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૭ | સાહિત્ય અને પત્રકારત્વ
૨૫૨. તંત્રી, કુમાર
બચુભાઈનાં કાવ્યો. કુમાર ૨૫ (૨) ફેબ્રુ. ૧૯૮૨. પૃ. ૩૬-૩૯ ૨૫૩. સદ્ગત શ્રી બચુભાઈ રાવત. કુમાર પ૭ (૭) જુલાઈ ૧૯૮૦.
પૃ. ૨૩/૧ - ૨૩૩/૪ ૨૫૪. ત્રિવેદી, સરોજ
સ્વ. બચુભાઈ : જેવા મેં જોયા-જાણ્યા. કુમાર ૫૯ (૧) જાન્યુ. ૧૯૮૨.
પૃ. ૨૦-૨૧ ૨૫૫. દેસાઈ, અશ્વિન
સૂર્ય બચુભાઈનો તડકો. કુમાર ૫૯ (૧) જાન્યુ. ૧૯૮૨. પૃ. ૧૫-૧૬ ૨૫૯. દેસાઈ, કુમારપાળ
નેપથ્ય' થી નેપથ્ય'. પરબ ૨૧ (2) ઓગસ્ટ ૧૯૮૦. પૃ. ૫૪૭-૫૫૧ ૨૫૭. પટેલ, બહેચરભાઈ ક.
બચુકાકાનું વાત્સલ્ય. કુમાર પ૯ (૨) ફેબ્રુ. ૧૯૮૨. પૃ. ૪૯-૫૦ ૨૫૮. પટેલ, માણેકલાલ
બચુભાઈનાં થોડાં સંભારણાં. કુમાર ૫૯ (૨) ફેબ્રુ. ૧૯૮૨. પૃ. ૪૫-૪૮ ૨૫૯. પરીખ, ગીતા
કેમ શું લાવ્યા છો ? કુમાર ૫૯ (૨) ફેબ્રુ. ૧૯૮૨. પૃ. ૪૮-૪૯ ૨૩૦. પંડિત, બહાદુરશાહ
અમૂલ્ય રત્નોની ખાણ. કુમાર ૫૯ (૧) જાન્યુ. ૧૯૮૨. પૃ. ૧૮ ૨૬૧. ભગવતી, હીરાલાલ હરિલાલ
સદ્ગત બચુભાઈ રાવત, કુમાર પ૭ (૭) સળંગ અંક ૯૭૯ જુલાઈ
૧૯૮૦. પૃ. ૨૩૬/૧ - ૨૩૨/૪ ૨૩૨. ભટ્ટ, બલવંત
બચુભાઈ મારા વડીલ મિત્ર કુમાર ૫૯ (૭-૮) જુલાઈ-ઑગસ્ટ ૧૯૮૨.
પૃ. ૧૯૧-૧૯૨, ૨૧૨. ૨૬૩. ભટ્ટ, વિનોદ
એક બીજા બચુભાઈની વાત ! કુમાર ૫૯ (૧) જાન્યુ. ૧૯૮૨.
પૃ. ૧૯-૨૦ ૨૬૪. મહેતા, જયંતીલાલ
સ્વ. બચુભાઈ રાવત : એક સ્મરણાંજલિ. કુમાર ૫૯ (૨) ફેબ્રુ. ૧૯૮૨. પૃ. ૪૪-૪૫
Page #198
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૧૯૭ ૨૬૫. રાવત, બચુભાઈ
અમે યુવાન હતા ત્યારે. કુમાર ૫૯ (૭-૮) જુલાઈ-ઑગસ્ટ ૧૯૮૨.
પૃ. ૧૮૮-૧૯૦ ૨૩૬. શાહ, મુકુન્દ પી.
| નિષ્ઠાવાન તંત્રી શ્રી બચુભાઈ. કુમાર ૫૯ (૨) ફેબ્રુ. ૧૯૮૨. પૃ. ૫૧ ૨૬૭. શાહ, ૨. ચી.
મહાન સજ્જન બચુભાઈ રાવત. કુમાર ૫૯ (૨) ફેબ્રુ. ૧૯૮૨.
પૃ. ૪૩-૪૪ ૨૯૮. શુક્લ, યશવંત . સ્વ. બચુભાઈ રાવત, બુદ્ધિપ્રકાશ ૧૨૭ (૭) જુલાઈ ૧૯૮૦.
પૃ. ૨૧૪-૨૯પ ૨૭૯. શેઠ, ચંદ્રકાન્ત
મુ. શ્રી બચુભાઈ અને બુધસભા. કુમાર ૫૯ (૧) જાન્યુ. ૧૯૮૨. પૃ. ૧૩-૧૫
બટુકભાઈ દીક્ષિત ર૭૦. શર્મા, ભગવતીકુમાર
સ્વ. બટુકભાઈ દીક્ષિત. કુમાર પ૭ (૨) ફેબ્રુ. ૧૯૮૦. પૃ. ૪૫-૪૮, ૫૦.
બાદરાયણ ૨૭૧. શુક્લ, યજ્ઞેશ હ.
બાદરાયણ : પત્રકારનો જીવ. ફાર્બસ ગુજરાતી સભા - ત્રમાસિક ૪૨ (૩) જુલાઈ-સપ્ટે. ૧૯૭૭. પૃ. ૧૯૨-૧૯૭
બાલ ગંગાધર તિલક ૨૭૨. જમીનદાર, રસેશ
તિલક : લોકશાહી સ્વરાજના ઉદ્ગાતા. વિદ્યાપીઠ ૧૧ (૨) માર્ચ-એપ્રિલ ૧૯૭૩. પૃ. ૭૪-૭૮
ભગવતીકુમાર શર્મા ૨૭૪. પ્રજાપતિ, રમેશ
ભગવતીકુમાર શર્માની મુલાકાત. નવચેતન ૬૪ (૧૨) માર્ચ ૧૯૮૬. પૃ. ૧૭-૧૮
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૮ T સાહિત્ય અને પત્રકારત્વ
મણિલાલ ઇચ્છારામ દેસાઈ ૨૭૫. પીયૂષ, ઉપ.
‘ગુજરાતી’ના તંત્રી શ્રી મણિલાલ ઇચ્છારામ દેસાઈ. નવચેતન ૧૩ (૪) જાન્યુ. ૧૯૨૮. પૃ. ૩૪૬-૩૪૯
માનસંગભાઈ બારડ
૨૭૬. નાયક, ચીનુભાઈ
રાષ્ટ્રભક્ત અને સ્વમાની પત્રકાર સ્વ. માનસંગ બારડ. બુદ્ધિપ્રકાશ ૧૩૧ (૨) ફેબ્રુ. ૧૯૮૪. પૃ. ૩૬-૩૮
મોતીલાલ ઘોષ
૨૭૭. ચંદ્રાપીડ
સ્વ. બાબુ મોતીલાલ ઘોષ. નવચેતન ૨ (૧-૨) ઑક્ટો. નવે. ૧૯૨૨. પૃ. ૧૧૧-૧૧૨
૨૭૮. નીલકંઠ, હેમન્તકુમાર
મોતીલાલ ઘોષ. કુમાર ૬ (૩) ફાગણ સં. ૧૯૮૫. પૃ. ૮૫-૮૮
મોહનલાલ દલીચંદ દેસાઈ
૨૭૯. કોઠારી, જયંત
મોહનલાલ દલીચંદ દેસાઈનું પત્રકારત્વ. ફાર્બસ ગુજરાતી સભા – ત્રૈમાસિક ૫૬ (૩). જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૧, પૃ. ૨૧૧-૨૧૭
યજ્ઞેશ હ. શુક્લ
૨૮૦. તંત્રી, કુમાર
યજ્ઞેશ હ. શુક્લ : પત્રકારત્વ પારિતોષિકથી પુરસ્કૃત. કુમાર ૪૫ (૭) જુલાઈ ૧૯૯૮. પૃ. ૨૯૧-૨૯૨
૨૮૧. તંત્રી, સંસ્કૃતિ
પત્રકા૨ની ઘડતરકથા. સંસ્કૃતિ ૨૪ (૭) જૂન ૧૯૭૦. પૃ. ૨૨૭-૨૩૦. ૨૮૨. મહેતા, ચંપકલાલ
નિષ્ઠાવાન પત્રકાર શ્રી યજ્ઞેશ હ. શુક્લ. નવચેતન ૫૫ (૭-૮) ઑક્ટો.-નવે. ૧૯૭૬. પૃ. ૪૪-૪૮
૨૮૩. શુક્લ, યજ્ઞેશ હ.
ગુજરાતી પત્રકારત્વના ચાર દાયકા. નવચેતન ૪૫ (૨) નવે. ૧૯૬૬. પૃ. ૨૩૯-૨૪૬
- નવચેતન ૪૫ (૩) ડિસે. ૧૯૬૪. પૃ. ૪૦૯-૪૧૬
Page #200
--------------------------------------------------------------------------
________________
૨૮૪.
૨૮૫.
૨૮.
૮૭.
૨૮૮.
૨૮૯.
લેખસૂચિ
તંત્રીપદના અઠ્ઠાવીસ મહિના. નવચેતન ૪૨ (૩) ડિસે. ૧૯૬૩. પૃ. ૩૫૪-૩૫૯
નવચેતન ૪૨ (૪) જાન્યુ. ૧૯૬૪. પૃ. ૪૬૯-૪૭૪ દૈનિક પત્રકારત્વ જીવનનો પહેલો દસકો. નવચેતનં ૩૯ (૧) ઑક્ટો. ૧૯૬૦. પૃ. ૧૭૫-૧૮૬
પત્રકારજીવનની અર્ધશતાબ્દીના થોડાક સ્મરણીય પ્રસંગો. નવચેતન ૫૬ (૮-૯) નવે.-ડિસે. ૧૯૭૭. પૃ. ૪૯-૫૨. નવચેતન ૫૬ (૧૦) જાન્યુ. ૧૯૭૮. પૃ. ૪૯-૫૨
પાંચ દાયકા ઉપરના પત્રકારજીવનની લીલીસૂકી. નવચેતન ૫૮ (૭-૮/ ઑક્ટો.-નવે. ૧૯૭૯. પૃ. ૩૩-૩૮.
નવચેતન ૫૮ (૯) ડિસે. ૧૯૭૯. પૃ. ૩૩-૩૮
- નવચેતન ૫૮ (૧૦) જાન્યુ. ૧૯૮૦. પૃ. ૩૩-૩૭
યાતનાના ચૌદ માસ. નવચેતન ૪૪ (૨) નવે. ૧૯૬પ. પૃ. ૨૭૯-૨૭૬ નવચેતન ૪૪ (૩) ડિસે. ૧૯૬પ. પૃ. ૩૭૧-૩૭૬
‘વંદેમાતરમ્’માં પત્રકાર તરીકે મારું ઘડતર. નવચેતન ૪૦ (૨) નવે. ૧૯૬૧. પૃ. ૨૩૩-૨૪૨
રણછોડજી મિસ્ત્રી
૨૯૦. પાઠક, દેવવ્રત
સદ્ગત મિસ્ત્રીકાકા. પ્રસ્થાન ૪૫ (૨) ફેબ્રુ. ૧૯૭૦. પૃ. ૧૦૩-૧૦૪.
૨૯૧. મિસ્ત્રી, શાંતાબહેન ૨.
શિરછત્ર બાપુજી . પ્રસ્થાન ૪૫ (૨) ફેબ્રુ. ૧૯૭૦. પૃ. ૧૨૦-૧૨૨.
૨૯૨. શાહ, હિરલાલ
એક સગૃહસ્થ તંત્રી. પ્રસ્થાન ૪૫ (૨) ફેબ્રુ. ૧૯૭૦. પૃ. ૧૧૮-૧૧૯. રમણલાલ નીલકંઠ
૨૯૩. ઝવેરી, બિપીન
૧૯૯
પત્રકાર રમણલાલ. બુદ્ધિપ્રકાશ ૧૧૫ (૭) જુલાઈ ૧૯૬૮. પૃ. ૨૪૫-૨૪૯
રવિશંકર મહેતા
૨૯૪. અક્કડ, વલ્લભદાસ
રવિશંકર મહેતા. કુમાર ૩૬ (૧૧) નવે. ૧૯૫૯. પૃ. ૪૫૩-૪૫૪
Page #201
--------------------------------------------------------------------------
________________
૨૦૦ I સાહિત્ય અને પત્રકારત્વ
રવિશંકર મ. રાવળ ૨૯૫. ટાંક, બિહારીલાલ
“કુમાર”ના સંસ્થાપક અને તેના આદ્યતંત્રી સ્વ. રવિશંકર મ. રાવળ. કુમાર ૬૪, સળંગ અંક ૭૬૫, ઓક્ટો. ૧૯૯૧. પૃ. ૪૪૦-૪૪૭
રામનાથ ગોયન્કા ૨૯૬. તંત્રી, કુમાર
પત્રકારત્વના ભીખ રામનાથ ગોયન્કાનું નિધન. કુમાર ૧૪, સળંગ અંક
૭૬૯, નવે. ૧૯૯૧. પૃ. ૫૪૨-૫૪૩ ર૯૭. તંત્રી, વિશ્વમાનવ
અટંકી ટેક. વિશ્વમાનવ સળંગ અંક ૨૦૦, ઑગસ્ટ ૧૯૭૭. પૃ. ૪૦૫-૪૦૮
રામાનંદ ચેટરજી ૨૯૮. ઉદ્દેશી, ચાંપશીભાઈ વિઠ્ઠલદાસ
રામાનંદ ચેટરજી. નવચેતન ૧૦ (૧) ઑક્ટો. ૧૯૨૬.
પૃ. ૩૯-૪૪ ૨૯૯. વિરલ ભારતીય પત્રકાર સ્વ. રામાનંદ ચેટરજી. નવચેતન ૪૪ (૫)
ઑગસ્ટ ૧૯૬૫. પૃ. ૪૬૪-૪૬૫. ૩૦૦. કાપડિયા, રંગીલદાસ મ.
વર્તમાન પત્રકારિત્વ પર શ્રી રામાનંદ ચેટરજી. પ્રસ્થાન ૧૮ (૧)
વૈશાખ સં. ૧૯૯૦, પૃ. ૭૦-૭૮ ૩૦૧. સ્વ. રામાનંદ ચેટરજી : એક તેજસ્વી પત્રકાર.
નવચેતન ૨૨ (૨) નવે. ૧૯૪૩. પૃ. ૧૦૦-૧૦૫ ૩૦૨. ચતુર્વેદી, બનારસીદાસ
આદર્શ પત્રકાર સ્વ. રામાનંદ ચટ્ટોપાધ્યાય; અનુ. મુકુન્દ પી. શાહ
નવચેતન ૩૨ (૫) ઑગસ્ટ ૧૯૫૩. પૃ. ૪૬૧-૪૬૫ ૩૦૩. તંત્રી, ઊર્મિ-નવરચના
સ્વ. રામાનંદ બાબુ. ઊર્મિનવરચના ૧૩ (૭) ઑક્ટો. ૧૯૪૩.
પૃ. ૧૧૧-૧૧૭ ૩૦૪. તંત્રી, કુમાર
રામાનંદ ચટ્ટોપાધ્યાય. કુમાર ૮ (૭) અષાડ સં. ૧૯૮૭. પૃ. ૨૪૯-૨૫૩
Page #202
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૨૦૧ ૩૦૫. ધનભૂરા, ફરામરોજ
રામાનંદ ચેટરજી મુંબઈની મુલાકાતે. નવચેતન ૧૧ (૫) ઑગસ્ટ ૧૯૩૨.
પૃ. ૩૭૮-૩૮૦ ૩૦૬. મેઘાણી, રમણીક
નીડર પત્રકાર. ઊર્મિનવરચના ૧૩ (૯) ડિસે. ૧૯૪૩. પૃ. ૨૪૩-૨૪૭
રોય હર્બર્ટ ટૉમસન લૉર્ડ ૩૦૭. અશોક હર્ષ
લૉર્ડ રોય હર્બર્ટ ટોમસન. કુમાર ૫૪ (૧) સળંગ અંક ૯૩૭ જાન્યુ. ૧૯૭૭. પૃ. ૩-૬, ૨૭ - કુમાર ૫૪ (૨) સળંગ અંક ૧૩૮, ફેબ્રુ. ૧૯૭૭. પૃ. ૩૯-૪૨
લોવાટ ફ્રેઝર ૩૦૮. તંત્રી, પુસ્તકાલય
એક સાધારણ પ્રતિભાશાળી પત્રકાર : લોવાટ ફ્રેઝર. પુસ્તકાલય ૩૧
(૧૨) જૂન ૧૯૫૭. પૃ. ૪૬૧-૪૬૪
વરગીઝ ૩૦૯. શાહ, ચીમનલાલ ચકુભાઈ
વરગીઝ કેસનો ચુકાદો. વિશ્વમાનવ સળંગ અંક ૧૭૯, નવે. ૧૯૭૫. પૃ. ૪૬૧-૪૬૪
વાડીલાલ ડગલી ૩૧૦. જોશી, ઉમાશંકર
વાડીલાલ – મૈત્રીના, પ્રેમના માણસ. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન
૧૯૮૬. પૃ. ૩૪-૩૬ ૩૧૧. જોશી, ચંદ્રકાન્ત
એક ખુલ્લા ચહેરાનો માનવી. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૩૪-૩૬ ૩૧૨. જોશી, રમણલાલ
વાડીલાલ ડગલી : સંવેદનશીલ સર્જક અને વિરલ બૌદ્ધિક. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬. પૃ. ૨૭-૨૮
Page #203
--------------------------------------------------------------------------
________________
૨૦૨ | સાહિત્ય અને પત્રકારત્વ ૩૧૩. ડગલી, ઇન્દિરા વા.
તમારા વગર. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૪૭-૪૮ ૩૧૪. ડગલી, શાંતિલાલ
વાત્સલ્યમૂર્તિ વાડીભાઈ. ગ્રંથ ર૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. પર-પ૩ ૩૧૫. તંત્રી, ગ્રંથ
મુંબઈમાં ભરાયેલી જાહેર શોકસભાનો વૃત્તાંત. ગ્રંથ ૨૩ (૪-૭) એપ્રિલ
જૂન ૧૯૮૬. પૃ. ૩૦-૬૪ ૩૧૩. વાડીભાઈની મુલાકાત. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૧-૧૪ ૩૧૭. વાડીલાલ ડગલીના જીવનની સાલવારી. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન
૧૯૮૬. પૃ. ૯પ-૬૭ ૩૧૮. દવે, રોહિત
સભર જીવનકાર્ય. ગ્રંથ ૨૩ (૪-૭) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૨૧ ૩૧૯. દિવેટિયા, ક્ષિતીશ
વાડીભાઈનાં સંસ્મરણો. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૨૯ ૩૨૦. દેસાઈ, જિતેન્દ્ર
જાગ્રત અને જીવંત વ્યક્તિત્વ. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬. પૃ. ૫૯
૩૨૧. દેસાઈ, મહેન્દ્ર વાલજીભાઈ
તંત્રી સ્થાનેથી. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૨૪-૫૬ ૩૨૨. દેસાઈ, મોરારજી
પ્રતિદિન વધારે યાદ કરું છું. ગ્રંથ ૨૩ (૪-૭) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૯ ૩૨૩. દેસાઈ, વનમાળા
બીજા પાસે કામ કરાવવાની આવડત. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬. પૃ. ૫૮
Page #204
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૨૦૩ ૩૨૪. દોશી, યશવંત
વાડીભાઈ : એક જન્મજાત અમીરજીવ. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન
૧૯૮૬. પૃ. ૭-૮ ૩૨૫. પાઠક, જયન્ત
સાહિત્યોપાસક વાડીભાઈ. ગ્રંથ ર૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૩૦-૩૧ ૩૨૬. ભટ્ટ, યોગેન્દ્ર વિ.
વાડીભાઈ : નક્કર નાજુકાઈ. ગ્રંથ ૨૩ (૪-૯) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૩૭-૩૯ ૩૨૭. ભટ્ટ, રવિશંકર સં.
સ્વ. શ્રી વાડીલાલ ડગલી : એક સ્મરણાંજલિ.ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ
જૂન ૧૯૮૬. પૃ. ૧૯-૨૦ ૩૨૮. મહેતા, ઉષા
લોકશાહીના મંત્રી વાડીભાઈ. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૨૫ ૩૨૯. માવળંકર, પુરુષોત્તમ ગણેશ
વાડીલાલ ડગલી : મારા ભાઈ. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬.
પૃ. ૨૨-૨૩ ૩૩૦. વ્યાસ, કાંતિભાઈ
શિક્ષણ અને સાહિત્યરસિક વાડીભાઈ ડગલી. ગ્રંથ ૨૩ (૪-૯) એપ્રિલ
જૂન ૧૯૮૬. પૃ. ૪૦-૪૧ ૩૩૧. શુક્લ, યશવંત
કવિતા અને અર્થશાસ્ત્ર સાથે મહોબ્બત. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન
૧૯૮૬. પૃ. ૨૪ ૩૩૨. સંઘવી, જિતેન્દ્ર
વાડીભાઈ : મિત્રો બનાવવાના કીમિયાગર. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ- -
જૂન ૧૯૮૬. પૃ. ૩૨-૩૩ ૩૩૩. સંઘવી, હંસા
વાડીભાઈ સાથે કામ કરવાનો અનુભવ. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન
૧૯૮૬. પૃ. ૫૦-૫૧ ૩૩૪. સોલંકી, રમણીકલાલ
સ્વ. શ્રી વાડીલાલ ડગલી. ગ્રંથ ૨૩ (૪-૬) એપ્રિલ-જૂન ૧૯૮૬. પૃ. પફ-પ૭
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦૪ | સાહિત્ય અને પત્રકારત્વ ૩૩૫. સ્નેહરશ્મિ, ઉપ.
વાડીભાઈનું જીવન : એક ઊડતી નજરે. ગ્રંથ ૨૩ (૪-૯) એપ્રિલ-જૂન ૧૯૮૬. પૃ. ૧૭-૧૮
વાડીલાલ મોતીલાલ શાહ ૩૩૬. કવિ, દયાશંકર
વાડીલાલ મોતીલાલ શાહ. નવચેતન ૧૦ (૫) ફેબ્રુ. ૧૯૩૨.
પૃ. ૩૮૧-૩૮૭ વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર ૩૩૭. વિદ્યાલંકાર, શંકરદેવ
મરાઠી પત્ર-સૃષ્ટિના સપ્તર્ષિ. કુમાર ૪૨ (૫) મે ૧૯૬પ. પૃ. ૧૭૫-૧૭૬ - પુસ્તકાલય ૩૯ (૧૨) જૂન ૧૯૬૫. પૃ. ૮૦૫-૮૨૭
વેણીભાઈ પુરોહિત ૩૩૮. અભિલાષકુમાર
કવિ શ્રી વેણીભાઈ પુરોહિતની મુલાકાત. નવચેતન ૪૮ (૪) જાન્યુ.
૧૯૭૦. પૃ. ૩૧૭-૩૨૦ ૩૩૯. ભટ્ટ, વિનોદ
વેણીભાઈ પુરોહિત. કુમાર ૫૪ () સળંગ અંક ૩૪૨, જૂન ૧૯૭૭.
પૃ. ૧૮૫-૧૮૭
શંકરરાવ કિર્લોસ્કર ૩૪૦. કાળ, વા
એક મરાઠી તંત્રીના અનુભવો : અનુ. શશિન ઓઝા. નવચેતન ૩૯ (૯) માર્ચ ૧૯૬૧. પૃ. ૭૦૩-૭૦૪
શામળદાસ ગાંધી ૩૪૧. શુક્લ, યજ્ઞેશ હ.
શામળદાસ ગાંધીના સાન્નિધ્યમાં ઓગણીસ વર્ષ. નવચેતન ૩૨ (૨) નવે. ૧૯પ૩. પૃ. ૧૨૩-૧૩પ
શાંતિલાલ શાહ ૩૪૨. ભટ્ટ, વિનોદ
શાંતિલાલ શાહ. કુમાર ૫૪ (૪) સળંગ અંક ૬૪૦, એપ્રિલ ૧૯૭૭. પૃ. ૧૧૯-૧૨૧
Page #206
--------------------------------------------------------------------------
________________
" લેખસૂચિ | ૨૦૫ સચીન ચૌધરી ૩૪૩. શાસ્ત્રી, રામનાથ
પત્રકાર સચીન ચૌધરીનો દેહવિલય. બુદ્ધિપ્રકાશ ૧૧૪ (૧) જાન્યુ. ૧૯૬૭.
પૃ. ૩
સી. આર. મેન્ડી ૩૪૪. વિદ્યાલંકાર, શંકરદેવ
પત્રકાર સી. આર.મેન્ડી (૧૯૦૧-૧૯૮૦). કુમાર ૫૭ (૧૦) ઑક્ટો. ૧૯૮૦, પૃ. ૩૪૬
સીતારામ શર્મા ૩૪૫. તંત્રી, કુમાર
પ્રગતિશીલ પત્રકાર સ્વ. સીતારામ શર્મા. કુમાર ૪૩ (૩) માર્ચ ૧૯૬૭. પૃ. ૯૫
સી. પી. સ્કૉટ ૩૪૬. ચતુર્વેદી, બનારસીદાસ
જગતનો આદર્શ પત્રકાર સી. પી. સ્કૉટ, નવચેતન ૧૪ (૯) સપ્ટે. ૧૯૩૫. પૃ. ૪૪૧-૪૪૭
સુરેશ દલાલ ૩૪૭. પારેખ, મધુસૂદન
સુરેશ દલાલને રણજિતરામ ચંદ્રક. બુદ્ધિપ્રકાશ ૧૩૪ (૧) જાન્યુ. ૧૯૮૭.
પૃ. ૧-૨
સોમાલાલ શાહ ૩૪૮. શાહ, ચિમનલાલ મંગળદાસ
પરિશ્રમશીલ અને પ્રયોગશીલ પત્રકાર. નવચેતન ર૭ (૪) જાન્યુ. ૧૯૪૯. પૃ. ૩૧૩-૩૧૬
સોરાબજી પાલનજી કાપડિયા ૩૪૯. શુક્લ, યજ્ઞેશ
સોરાબજી પાલનજી કાપડિયા. કુમાર ૪૯ (૨) અંક પ૭૮ ફેબ્રુ. ૧૯૭૨. પૃ. ૩૧-૬૩ - નવચેતન ૩૫ (૨) નવે. ૧૯૫૭. પૃ. ૧૩૭-૧૪૭ - નવચેતન ૪૦ (૪) જુલાઈ ૧૯૬૧. પૃ. ૩૯૩-૩૯૮
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સાહિત્ય અને પત્રકારત્વ
સ્ટીલ ૩૫૦. પારેખ, મધુસૂદન
સ્ટીલ અને એડિસન : પત્રકારત્વનો ઉદય (અંગ્રેજી સાહિત્યનું આચમન). કુમાર ૬૪ સળંગ અંક ૭૬૫, ઑક્ટો. ૧૯૯૧. પૃ. ૪૮૪-૪૮૫
સ્વામી આનંદ ૩પ૧. કાલેલકર, કાકા
સ્વામી આનંદ. મિલાપ સળંગ અંક ૩૧૭, મે ૧૯૭૬. પૃ. ૨૧-૨૪ ૩પર. ડગલી, વાડીલાલ
સ્વામી આનંદ : બાંયો ચડાવેલી ચેતના. ગ્રંથ ૧૩ (૨) સળંગ અંક ૧૪૬
ફેબ્રુ. ૧૯૭૬. પૃ. ૩-૭ ૩૫૩. દેસાઈ, નારાયણ
સ્વામી આનંદ; નારાયણ દેસાઈ, વાડીલાલ ડગલી અને નવનીત નાયકકૃત.
મિલાપ સળંગ અંક ૩૧૫, માર્ચ ૧૯૭૬. પૃ. ૧૩-૧૪ ૩૫૪. પારેખ, મધુસૂદન
સ્વામી આનંદ. બુદ્ધિપ્રકાશ ૧૨૩ (૨) ફેબ્રુ. ૧૯૭૬. પૃ. ૪૩-૪૩ ૩૫૫. મોદી, મનહર
સદ્ગત સ્વામી આનંદ. નિરીક્ષક ૮ (૭) ફેબ્રુ. ૧૯૭૬. પૃ. ૭ ૩૫. રાવળ, રવિશંકર
સ્વામી આનંદ; રવિશંકર રાવળ, જુગતરામ દવે અને કાકાસાહેબ કાલેલકર
કૃત. કુમાર પ૩ (૨) સળંગ અંક ૧૨, ફેબ્રુ. ૧૯૭૬, પૃ. ૩૯-૪૫ ૩૫૭. વ્હોરા, હિમાંશુ
સ્વામી આનંદનાં જીવનચરિત્ર અને નિબંધ : એક અભ્યાસ. ફાર્બ, જરાતી સભા - વૈમાસિક ૩૯ (૪) ઑક્ટો.-ડિસે. ૧૯૭૪. પૃ. ૧૪-૧૪૮
હરિન મહેતા ૩૫૮. રાવલ, રમેશ ડી.
હરિન મહેતા. નવચેતન પ૭ (૩) જુલાઈ ૧૯૭૮. પૃ. ૭૧-૭૨
હરિરાય ભ. બૂચ ૩૫૯. બૂચ, હસિત હ.
પત્રકાર પિતાનાં સંભારણાં. નવચેતન ૪૧ (૩) ડિસે. ૧૯૬૨. પૃ. ૩૩૭-૩૪૦, ૩૪૯
Page #208
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૨૦૭
હરીન્દ્ર દવે ૩૬૦. પટેલ, ભોળાભાઈ
સદ્ગત કવિશ્રી હરીન્દ્ર દવે. પરબ ૩૬ (૫) મે ૧૯૯૫. પૃ. ૧-૪
હાજી મહમ્મદ અલારખિયા ૩૬૧. ઉદ્દેશી, ચાંપશીભાઈ વિઠ્ઠલદાસ
સ્વ. હાજી મહમ્મદ અલારખિયા. નવચેતન ૨૨ (૫) ફેબ્રુ. ૧૯૪૪.
પૃ. ૩૦૧-૩૦૯ ૩૬૨. તંત્રી, વસંત
હાજી મહમ્મદ અલારખિયાનું શોકજનક મરણ. વસંત ૨૦ (૪) વૈશાખ
સં. ૧૯૭૭. પૃ. ૧૪૩-૧૪૪ ૩૬૩. તંત્રી, સાહિત્ય
સ્વ. હાજી મહમદ અ. શિવજી. સાહિત્ય ૯ (૨) ફેબ્રુ. ૧૯૨૧. પૃ. ૧૧૧ ૩૧૪. દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ
હાજી મહમ્મદ. ગુજરાત ૮ (૩) માગશર સં. ૧૯૮૨ પૃ. ૨૯૫-૩૦૨. ૩૬૫. નૃસિંહ વિભાકર
સ્વર્ગસ્થ “હાજી”. સમાલોચક ૨૬ (૨) ફેબ્રુ. ૧૯૨૧. પૃ. ૫૭-૫૯
(વર્તમાનપત્ર
૩૬૬. ઓઝા, ડંકેશ
અખબાર માટે કોડ' જરૂરી ? નિરીક્ષક ૧૭ (૮) ઑક્ટો. ૧૯૮૩.
પૃ. ૧૩-૧૪ ૩૦૭, અખબારી સ્વાતંત્ર્ય : એક અભ્યાસ. વિશ્વમાનવ અંક ૨૪૮, ઑગસ્ટ
૧૯૮૧, પૃ. ૩૪૮-૩૪૯ ૩૬૮. કામદાર, છોટાલાલ માનસિંગ
આઝાદ અમેરિકાનાં અખબારો, પુસ્તકાલય ૨૦ (૩) માર્ચ ૧૯૪૫
પૃ. ૯૮-૧૦૪ ૩૬૯. ચીનની જાહેરખબરોના હાલના પ્રકાર પુસ્તકાલય ૨૧ (૧૧) નવે. ૧૯૪૬.
પૃ. ૪પર-૪૫૪
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૮
| સાહિત્ય અને પત્રકારત્વ
૩૭૪.
૩૭. છાપખાનાની સ્વતંત્રતાનો ઇતિહાસ, પુસ્તકાલય ૨૧ (૪૪) ફેબ્રુ. ૧૯૪૭.
પૃ. ૫૯૦-પ૯૨ ૩૭૧. જર્મનીનાં વર્તમાનપત્રો, પુસ્તકાલય ૧૧ (2) ઓગસ્ટ ૧૯૩૬.
પૃ. ૫૮૦ ૩૭ર. નેપોલિયનનો વર્તમાન વિશે અભિપ્રાય પુસ્તકાલય ૩૦ (૩) સપ્ટે. ૧૯૫૫.
પૃ. ૧૨૯-૧૩૦ - -- ૩૭૩. | ન્યૂસ પેપરનું સંગ્રહસ્થાન. પુસ્તકાલય ૧૧ (૭) જુલાઈ ૧૯૩૯.
પૃ. ૧૧૬ પરદેશનાં પ્રારંભિક વર્તમાનપત્રો. પુસ્તકાલય ૩૦ (૧૧) મે ૧૯૫૬.
પૃ. ૫૮૧ ૩૭પ. પહેલું વર્તમાનપત્ર ક્યારે શરૂ થયું ? પુસ્તકાલય ૩૫ (૧૦) એપ્રિલ
૧૯૬૧, પૃ. ૯૩૨ ૩૭૬.
પહેલો યુદ્ધ ખબરપત્રી. પુસ્તકાલય ૨૦ (૮) ઓગસ્ટ ૧૯૪૫. પૃ. ૩૪૧ ૩૭૭, ભારતમાં વર્તમાનપત્રનો ઉદ્દભવ. પુસ્તકાલય ૨૭ (૭) જાન્યુ. ૧૯૫૩.
પૃ. ૩૧૪-૩૧૫ ૩૭૮. ભારતીય વર્તમાનપત્રોનો ઇતિહાસ. નવચેતન ૩૮ (૪) જાન્યુ. ૧૯૬૦.
પૃ. ૪૫૮-૪૬૪
- નવચેતન ૩૮ (પ) ફેબ્રુ. ૧૯૬૦ પૃ. ૫૬પ-પ૭ર ૩૭૯, યુદ્ધનું અદ્ભુત વર્તમાનપત્ર. પુસ્તકાલય ૨૦ (૧૦) ક્ટો. ૧૯૪૫.
પૃ. ૪૩૭ ૩૮૦. રશિયામાં વર્તમાનપત્ર-દિન. પુસ્તકાલય ૧૧ (૧૦) ઑક્ટો. ૧૯૩૬.
પૃ. ૬૯૮ વર્તમાનપત્રની વિશેષતા. પુસ્તકાલય ૩૧ (૫) નવે. ૧૯૫ક.
પૃ. ૨૩૫-૨૩૬ ૩૮૨. વર્તમાનપત્રનું કર્તવ્ય, પુસ્તકાલય ૧૧ (૩) માર્ચ ૧૯૩૯.
પૃ. ૨૮૫-૨૮૬ ૩૮૩. વર્તમાનપત્રનો ઇતિહાસ. પુસ્તકાલય. ૧૧ (૧૧) નવે. ૧૯૩૬.
પૃ. ૭૪૯-૭પ૧ ૩૮૪. વર્તમાનપત્રનો ફેલાવો. પુસ્તકાલય ૧૦ (૮) ઑગસ્ટ ૧૯૩૫
પૃ. ૫૦૩-૫૦૪ ૩૮૫. વર્તમાનપત્રો વિશેની અવનવી વાતો. પુસ્તકાલય ૧૫ (૮) ઑગસ્ટ ૧૯૪૦.
પૃ. ૩૬૪-૩૬પ
Page #210
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ રૂ ૨૦૯ ૩૮૬, વિચિત્ર વર્તમાનપત્રો. પુસ્તકાલય ૨૮ (૮) ફેબ્રુ. ૧૯૫૪.
પૃ. ૨૭૭- ૨૭૮ ૩૮૭. હિંદના છાપખાનાનો ઇતિહાસ. પુસ્તકાલય ૮ (2) ઓગસ્ટ ૧૯૩૩.
પૃ. ૪૭૬ ૩૮૮. હિંદમાં વર્તમાનપત્રોની પ્રગતિ. પુસ્તકાલય ૧૦ (૫) મે ૧૯૩૫
પૃ. ૩૦૭ ૩૮૯. કાલેલકર, કાકાસાહેબ
ઝેરીલું વૃત્તવિવેચન. પ્રસ્થાન ર૯ (૪) માહ સં. ૧૯૯૬.
પૃ. ૩૧-૩૧૯ ૩૯૦. કોઠારી, વિઠ્ઠલદાસ મ.
ભારતમાં છાપાં-સામયિકો. પુસ્તકાલય ૩૯ (૫) નવે. ૧૯૬૪.
પૃ. ૩૦૮-૩૦૯ ૩૯૧. ગાંધીજી
વર્તમાનપત્ર અને અંકુશ, બુદ્ધિપ્રકાશ ૧૩પ (૬) જૂન ૧૯૮૮.
પૂંઠા પાન ૩ ૩૯૨. ગાંધી, ભોગીલાલ
વર્તમાનપત્રોની ગુજરાતી સાહિત્ય પર અસર. વિશ્વમાનવ અંક ૭૧
સપ્ટે.-ઑક્ટો. ૧૯૬૬, પૃ. ૩૮-૪૦ ૩૯૩, સમૂહ માધ્યમ પરબ પત્રિકા-૧ ૧૯૬૫ પૃ. ૮૦-૯૦
- મિતાક્ષર (વડોદરા : વિશ્વમાનવ શિક્ષણ સંસ્કાર ટ્રસ્ટ, ૧૯૭૦)
પૃ. ૩૬-૪૯ ૩૯૪. ગાંધી, વસંતરાય
ટેલિ પ્રિન્ટર. પુસ્તકાલય ૪૫ (૧) જુલાઈ ૧૯૭૦. પૃ. ૩૬-૩૮ ૩૯૫. ગાંધી હિંમતલાલ ગરબડદાસ
વર્તમાનપત્રો અને જાહેરખબર. બુદ્ધિપ્રકાશ ૭૨ (૭) જુલાઈ ૧૯૨૫
પૃ. ૨૧૧-૨૧૪ ૩૯૬. ગૌતમ, એશનાથ રંગનાથ
વડોદરાનાં પત્રો અને પત્રકારો. પુસ્તકાલય ૨૧ (૧૬) એપ્રિલ ૧૯૪૭.
પૃ. ૭૦૪-૭૦૮ ૩૯૭. ચેમ્બરલેન, વિલિયમ હેનરી
સોવિયેટ વર્તમાનપત્રો; અનુ. ચાંપશી વિ. ઉદ્દેશી. - નવચેતન (૧૨) ૧ ઓક્ટો. ૧૯૨૭, પૃ. ૪૪-૪૭* - પુસ્તકાલય ૨ (૧૧) નવે. ૧૯૨૭. પૃ. ૪૮૦-૪૮૩
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૧૦ E સાહિત્ય અને પત્રકારત્વ
૩૯૮. જયન્ત
બૂકર ટી. વૉશિંગ્ટન અને વર્તમાનપત્રો અને બાતમીદારો. સમાલોચક ૨૫ (૭) જુલાઈ ૧૯૨૦. પૃ. ૩૬૨-૩૬૯ ૩૯૯. ‘જ્ઞાનભક્તિ’, ઉપ.
વસંત ૧૧ (૧૨) આશ્વિન સં. ૧૯૬૮. પૃ. ૫૦૪-૫૧૨ ૪૦૦. ડગલી, વાડીલાલ
૪૦૧. તંત્રી, કુમાર
આપણાં વર્તમાનપત્રો અને માસિકો. વસંત ૧૧ (૯) ભાદ્રપદ સં. ૧૯૬૮. પૃ. ૪૩૩-૪૩૯
૪૦૨. તંત્રી, નિરીક્ષક
૪૦૫.
વર્તમાનપત્રનું જિલ્લાલક્ષી વિકેન્દ્રીકરણ. નિરીક્ષક ૭ (૩૧) માર્ચ ૧૯૭૫. પૃ. ૧૭-૧૮
- સંસ્કૃતિ ૩૯ (૩) માર્ચ ૧૯૭૫. પૃ. ૯૨-૯૪
અખબારી આલમમાં ટ્રસ્ટીશીપ. નિરીક્ષક ૧ (૫) ડિસે. ૧૯૬૮. પૃ. ૫ ૪૦૩. છાપાનું વાંચન : એક સર્વેક્ષણ. નિરીક્ષક ૧૬ (૧૪) નવે. ૧૯૮૨. પૃ. ૧૮-૧૯
૪૦૪. તંત્રી, પુસ્તકાલય
અમેરિકન લશ્કરી સૈનિકોનું અખબાર. પુસ્તકાલય ૨૬ (૯) માર્ચ ૧૯૫૨. પૃ. ૩૪૨
અમેરિકામાં વર્તમાનપત્રોનો ફેલાવો. પુસ્તકાલય ૧ (૧) ઑક્ટો. ૧૯૨૫ પૃ. ૫૯
૪૦૬ અશ્લીલ અને નુકસાનકારક જાહેરખબરો. પુસ્તકાલય ૧૬(૨) ફેબ્રુ. ૧૯૪૧.
૪૦૭.
વર્તમાનપત્ર પહેલું ક્યારે નીકળ્યું. કુમાર ૧૩ (૫) વૈશાખ સં. ૧૯૯૩. પૃ. ૨૭૬
૪૦૮.
પૃ. ૭૫-૭૬
આજનાં સોવિયેત વર્તમાનપત્રો. પુસ્તકાલય ૩૩ (૧૨) જૂન ૧૯૫૯. પૃ. ૬૬૭-૬૬૯
ભારતનાં વર્તમાનપત્રો. પુસ્તકાલય ૪૬ (૧૦) એપ્રિલ ૧૯૭૨. પૃ.'૬૦૯-૬૧૦
૪૦૯. ભારતનું સૌથી જુનું છાપખાનું અને અખબાર. પુસ્તકાલય ૪૦(૧૦) એપ્રિલ
૧૯૬૭. પૃ. ૬૧૯-૬૨૦
માત્ર એક જ વર્તમાનપત્ર. પુસ્તકાલય. ૧૩ (૧૦) ઑક્ટો. ૧૯૩૮. પૃ. ૬૨૪
૪૧૦.
Page #212
--------------------------------------------------------------------------
________________
૪૧૪.
લેખસૂચિ | ૨૧૧ ૪૧૧. વર્તમાનપત્ર ચલાવતી એક સાહસિક ગૃહિણી. પુસ્તકાલય ૨૯ (૮) ફેબ્રુ.
૧૯૫૫. પૃ. ૨૯૭-૨૯૮ ૪૧૨. વર્તમાનપત્રો અને ટેલિવિઝન. પુસ્તકાલય ૩૦ (૧૨) જૂન ૧૯૫૬.
પૃ. ૬૧૯ ૪૧૩. વર્તમાનપત્રોની જાહેરખબરો પર કરવેરાનું ભારણ. પુસ્તકાલય ૨૪ (૧)
જુલાઈ ૧૯૪૯, પૃ. ૧-૨ વૃત્તપત્રોનું લેખન. પુસ્તકાલય ૨૭ (૧૨) જૂન ૧૯૫૩
પૃ. ૫૩૫-૫૩૬ ૪૧૫. સોવિયેટ રશિયાનાં અખબારો. પુસ્તકાલય ૧૭ (૯) સપ્ટે. ૧૯૪૧
પૃ. ૪૬૭-૪૭૦ ૪૧૩. સ્વાર્થસાધુ વર્તમાનપત્રો. પુસ્તકાલય ૨૮ (૬) ડિસે. ૧૯૫૩.
પૃ. ૨૦૭-૨૦૮ ૪૧૭. તંત્રી, બુદ્ધિપ્રકાશ
વર્તમાનપત્રોની તથા પુસ્તકોની ભાષા વિશે. બુદ્ધિપ્રકાશ ૨૪ () જૂન
૧૮૭૭, પૃ. ૧૪૦-૧૪૧ ૪૧૮. વર્તમાનપત્રો વાંચવાની ભલામણ. બુદ્ધિપ્રકાશ ૬ (૮) ઑગસ્ટ ૧૮૫૯
પૃ. ૧૩૩-૧૩૪ ૪૧૯. તંત્રી, મિલાપ
સહુથી લોકપ્રિય છાપાં. મિલાપ સળંગ અંક ૨૫૫ માર્ચ ૧૯૭૧.
પૃ. ૪૨-૪૩ ૪૨૦. સાડત્રીસ કરોડનું અખબારી વાંચન. મિલાપ અંક ૯૩ સપ્ટે. ૧૯૫૭.
પૃ. ૪૦-૪૧ ૪૨૧. તંત્રી, વસંત
ઇંગ્લેન્ડનાં વર્તમાનપત્રો. વસંત ૧ (૮) ભાદ્રપદ સં. ૧૯૫૮.
પૃ. ૩૧૨-૩૧૪ ૪૨૨. તંત્રી, વિશ્વમાનવ
અખબારો પણ ટી. વી. રેડિયો જેવાં જ? વિશ્વમાનવ સળંગ અંક ૩૦૮.
ઑગસ્ટ ૧૯૮૬. પૃ. ૩૦૭ ૪૨૩. જેહાદ : વિદેશી અખબારોમાં. વિશ્વમાનવ સળંગ અંક ૨૦૦, ઑગસ્ટ
પૃ. પર-પ૩૨ ૪૨૪. સેન્સર સામે સેન્સર. વિશ્વમાનવ સળંગ અંક ૨૦૦, ઑગસ્ટ ૧૯૭૭
પૃ. ૪૧૧-૪૧૨
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૧૨ સાહિત્ય અને પત્રકારત્વ ૪૨૫. તંત્રી, સમાલોચક
યુવાન હિન્દીવાનો માટે વર્તમાનપત્રનો ધંધો. સમાલોચક ૧૯ (૨) ફેબ્રુ. ૧૯૧૪. પૃ. ૭૪-૮૦
- સમાલોચક ૧૯ (૩) માર્ચ ૧૯૧૪. પૃ. ૯૨-૯૫ ૪૨૬. સાહિત્ય અને ક્રમિક પત્રોની પ્રવૃત્તિ, સમાલોચક ૧૯ (૩) માર્ચ ૧૯૧૪.
પૃ. ૧૧૦-૧૧૧ ૪૨૭. તંત્રી, સંસ્કૃતિ
સાપ્તાહિક વિચારપત્રોની જરૂર. સંસ્કૃતિ ૧૦ (૩) માર્ચ ૧૯૫૬.
પૃ. ૮૨-૮૩ ૪૨૮. તંત્રી, સાહિત્ય
આપણાં વર્તમાનપત્રો. સાહિત્ય ૧ (૯) સપ્ટે. ૧૯૧૩.
પૃ. ૪૧૯-૪૨૦ ૪૨૯. ત્રિવેદી, નિરંજન
છાપાંઓ માટે નવો વિભાગ. નવચેતન ૬૮ (૫) ઑગસ્ટ ૧૯૮૯.
પૃ. ૪૧-૪૨ ૪૩૦. દવે, અરવિંદ પી.
આપણાં વર્તમાનપત્રોનું સામર્થ્ય. નિરીક્ષક ૧૮ (૧૭) જૂન ૧૯૮૦.
પૃ. ૧૫-૧૬ ૪૩૧. દવે, નાથાલાલ
ગુજરાતી અખબારોમાં કટાક્ષ કવિતા. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦.
પૃ. ૩૪૨-૩૪૪ ૪૩૨. દવે, મોહનલાલ પાર્વતીશંકર
ઇંગ્લેન્ડનાં વર્તમાનપત્રો. વસંત ૧૧ (૧-૩) માહ-ચૈત્ર સં. ૧૯૬૮.
પૃ. ૭૩-૮૫ ૪૩૩. દુકાળ, મન્વન્તરાય મણિરાય
ગુજરાતી છાપા. વસંત ૮ (૪) વૈશાખ સં. ૧૯૬૫ પૃ. ૧૫૦-૧૫૪
- વસંત ૮ (૫) જેઠ સં. ૧૯૬૫. પૃ. ૨૨૪-૨૨૫ ૪૩૪. દેસાઈ, કુમારપાળ
અખબારની લેખસૃષ્ટિ : આઝાદી પૂર્વે અને આઝાદી પછી. નવચેતન
કર (૭-૮) ઑક્ટો.-નવે. ૧૯૮૩. પૃ. ૫૭-૬૧ ૪૩પ. અખબારી સ્વાતંત્ર્ય. નવચેતન ૬પ (૮-૯) નવે.-ડિસે. ૧૯૮૬.
પૃ. ૩૧-૩૨
Page #214
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૨૧૩ ૪૩૬. યાસીન દલાલનાં બે વિશિષ્ટ પ્રકાશનો. નવચેતન ૬૪ (૧૨) માર્ચ ૧૯૮૬.
પૃ. ૨૯-૩૦
[અખબારનું અવલોકન : યાસીન દલાલ - અવલોકન] ૪૩૭. દેસાઈ, કેશવપ્રસાદ
કોમી પત્રો. બુદ્ધિપ્રકાશ. ૭૧ (૧૨) ડિસે. ૧૯૨૪.
પૃ. ૩પ૪-૩૫૮ ૪૩૮. ધૂમકેતુ, ઉપ.
લોકતંત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય. ઊર્મિનવરચના ૧૦ (૧૧) ફેબ્રુ.
૧૯૪૧. પૃ. ૭૧૭-૭૧૮ ૪૩૯. નહેરુ, જવાહરલાલ
અખબારી સ્વાતંત્ર્ય. બુદ્ધિપ્રકાશ ૧૩૫ (૯) સપ્ટે. ૧૯૮૮.
પૂંઠા પાન ૨ ૪૪૦. નાણાવટી, શંકરપ્રસાદ સમર્થપ્રસાદ
આધુનિક સમયમાં જાહેરપત્રોનું સ્થાન બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૨) ડિસે. ૧૯૨૪.
પૃ. ૩૬૧-૩૬૪ ૪૪૧. પટેલ, ચીમનભાઈ
આજનો યક્ષપ્રશ્ન : અખબારી સ્વાતંત્ર્ય. પરબ ૨૧ () જૂન ૧૯૮૦.
પૃ. ૩૧૫-૩૨૦ ૪૪૨. પટેલ, જયંત
ભારતનું પહેલવહેલું અખબાર. નવચેતન ૩૭ (૪) જુલાઈ ૧૯૫૮.
પૃ. ૩૮૭-૩૮૮ ૪૪૩. પટેલ, ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ
સાપ્તાહિક પત્રો. બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૨) ડિસે. ૧૯૨૪.
પૃ. ૩૮૦-૩૮૩ ૪૪૪. પટેલ, મણિલાલ કેશવલાલ
અમેરિકાનાં વર્તમાનપત્રો. બુદ્ધિપ્રકાશ ૭૨ () ઑગસ્ટ ૧૯૨૫.
પૃ. ૨૨૯-૨૪૧ ૪૪૫. જાપાનનાં વર્તમાનપત્રો. બુદ્ધિપ્રકાશ ૭૨ (૧૦) ઓક્ટો. ૧૯૨૫.
પૃ. ૨૯૩-૩૦૧ ૪૪૬. પટેલ, મણિલાલ હ.
ગુજરાતી દૈનિકોમાં ચર્ચાપત્રો : એક સંશોધન. નિરીક્ષક ૧૩ (૧૮)
મે ૧૯૮૦. પૃ. ૧૧-૧૩ ૪૪૭. પ્રેસ : આચારસંહિતા અને સ્વતંત્રતા.નિરીક્ષક ૧૯ (૨) ઑગસ્ટ ૧૯૮૫.
પૃ. ૧૭-૧૯
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૧૪ | સાહિત્ય અને પત્રકારત્વ ૪૪૮. પટેલ, રણછોડભાઈ પી.
છાપું. પુસ્તકાલય ૧૩ () મે ૧૯૩૮, પૃ. ૨૭૨-૨૭૪ ૪૪૯. પરીખ, નિરંજન
સાહિત્યેતર વિષયો. પરબ ૨૧ (ક) જૂન ૧૯૮૦. પૃ. ૪૧૧-૪૧૫ ૪૫૦. પંડિત, ચંદ્રમણિશંકર જેઠાલાલ
યુરોપના ગ્રંથકારો અને વર્તમાનપત્રો. નવચેતન ૧૫ (૩) જૂન ૧૯૩૯.
પૃ. ૨૫૪-૨પપ ૪૫૧. પંડ્યા, જયન્ત
પત્રકારત્વમાં વિચારપત્રો. નિરીક્ષક ૨ (૨૫) જાન્યુ. ૧૯૮૮, પૃ. ૩-૬ ૪૫૨. વર્તમાનપત્રો અને પત્રકારત્વ. નિરીક્ષક ૧૪ (૩૭) મે ૧૯૮૧.
પૃ. ૧-૨ ૪૫૩. પંડ્યા, વિષ્ણુ
નાનાં અખબારો : મર્યાદાઓ અને અપેક્ષાઓ. નિરીક્ષક ૨ (૨) ઓગસ્ટ
૧૯૬૯, પૃ. ૧૬-૧૭ ૪૫૪. પાઠક, દેવવ્રત
અખબારી સ્વાતંત્ર્ય. બુદ્ધિપ્રકાશ ૧૦૯ (૩) માર્ચ ૧૯૬૨. પૃ. ૫૦ ૪૫૫. પાઠક, પ્રભાશંકર જયશંકર
માસિકો અને વર્તમાનપત્રોની પરિષદ. સાહિત્ય ૫ (૭) જુલાઈ ૧૯૧૭. પૃ. ૪૭૦
- સાપ્તાહિક ૫ (2) ઓગસ્ટ ૧૯૧૭. પૃ. ૫૨૨-૫૨૭ ૪૫૬. પિનાકિન, ઉપ.
ટેલિપ્રિન્ટર. નવચેતન ૩૯ (૩) ડિસે. ૧૯૫૭.
પૃ. ૩૩૯-૩૪૦ ૪૫૭. પીયૂષ, ઉપ.
વિદેશમાં દૈનિકપત્રો કેમ તૈયાર થાય છે ? નવચેતન ૧૧ (૨)નવે. ૧૯૩૨.
પૃ. ૨૦૫-૨૧૫ ૪૫૮. પેટલીકર, ઈશ્વર
આજનાં છાપાંથી તો ભગવાન તોબા. મિલાપ અંક ૧૧૦ ફેબ્રુ. ૧૯૫૯.
પૃ. ૪૨-૪૪ ૪પ૯. તોફાનોમાં છાપાંએ લૂંટ કરી છે ! નિરીક્ષક ર (૧૩) નવે. ૧૯૯૯.
પૃ. ૧૭-૧૮
Page #216
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૨૧૫ ૪૬૦. બીલીપત્ર, ઉપ. - બ્રિટનનાં વર્તમાનપત્રો. નવચેતન ૨૦ (૨) નવે. ૧૯૪૧.
પૃ. ૧૯૨-૧૯પ ૪૬૧. ભટ્ટ, ચુનીલાલ બેચરલાલ
બોલતું-ચાલતું વર્તમાનપત્ર. નવચેતન ૧૦ (૩) જૂન ૧૯૩૧.
પૃ. ૨૩૬-૨૩૯ ૪૬૨. ભટ્ટ, વિનોદ
તમારે અઠવાડિક કાઢવું છે? નવચેતન કર (૭-૮) ઑક્ટો.-નવે.
૧૯૮૩. પૃ. ૩૯-૪૦ ૪૬૩. ભટ્ટાચારજી, અજિત
અખબારો પર અંકુશ. વિશ્વમાનવ સળંગ અંક ૧૮૦ ડિસે. ૧૯૭૫.
પૃ. ૪૯૬-૪૯૮ ૪૬૪. મહેતા, કપિલરાય મ.
આઝાદી પછીની ગુજરાતી પત્રોની પ્રગતિ. પુસ્તકાલય. ૪૧ (૩) સપ્ટે.
૧૯૬૬. પૃ. ૧૩૩-૧૩૫, ૧૩૮ ૪૬૫. મહેતા, કેતન
સમૂહ માધ્યમ અને સાહિત્ય. પરબ ૨૬ (૪-૫) એપ્રિલ-મે, ૧૯૮૫
પૃ. ૬૮-૬૯ ૪૩૬. મહેતા, મોહનલાલ ‘સોપાન'
અમેરિકાનાં અખબારો કુમાર ૩૭ (૪) એપ્રિલ ૧૯૬૦.
પૃ. ૧૭૪ ૪૬૭. મહેતા, વાસુદેવ
સમયની સાથે સાથે. નવચેતન પ૩ (૧૨) માર્ચ ૧૯૭પ. પૃ. ૭૭-૭૮
- નવચેતન ૬૩ (૫) ઑગસ્ટ ૧૯૮૪. પૃ. ૫૩-પકા ૪૬૮. સમૂહમાધ્યમો અને સાહિત્ય. નવચેતન ૬૮ (૪) જુલાઈ ૧૯૮૯.
પૃ. ૩૩-૩૫, ૩૮
[સમૂહમાધ્યમો અને સાહિત્ય : પ્રીતિ શાહ - અવલોકન] ૪૬૯. માસ્તર, ધર્મેન્દ્ર “મધુરમ્'
અખબારી જાહેરાતો. નવચેતન ૪૩ (૨) નવે. ૧૯૬૪.
પૃ. ૩૪૬-૩૪૮ ૪૭૦. અખબારી મથાળાં. નવચેતન ૪૦ (૨) નવે. ૧૯૯૧.
પૃ. ૩પ૧-૩પર
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૧૭ સાહિત્ય અને પત્રકારત્વ ૪૭૧. આપણાં વર્તમાનપત્રો અને ભાષાશુદ્ધિ. નવચેતન ૪૪ (૨) નવે. ૧૯૬૫.
પૃ. ૩૧૫-૩૧૮ ૪૭૨. છાપાના છબરડા. નવચેતન ૩૮ () માર્ચ ૧૯૬૦.
પૃ. ૩૬૭-૬૯૮ ૪૭૩. તંત્રીલેખો અને જાહેરાતો. નવચેતન ૪૭ (૧-૨) ઑક્ટો.-નવે. ૧૯૯૮.
પૃ. ૨૩૧-૨૩૨ - ૪૭૪. વર્તમાનપત્રો. નવચેતન ૪૫ (૨) નવે. ૧૯૯૯.
પૃ. ૩૦-૩૬૪ ૪૭૫. માંડેકર, ડી. આર.
વર્તમાનપત્રો પર અંકુશ રહેવો જોઈએ. અખંડઆનંદ ૨૩ (૧૧) સપ્ટે.
૧૯૭૦. પૃ. ૮૮-૮૯ ૪૭૬. મેઘાણી, મહેન્દ્ર
બાળકોની અવહેલના કરતાં અખબારો.નિરીક્ષક ૧૪ (૮) ઑક્ટો. ૧૯૮૦.
પૃ. ૧૯ ૪૭૭. મેરિલ, જહોન સી.
અગ્રગણ્ય અખબારો. કુમાર ૪૬ (૩) માર્ચ ૧૯૯૯.
પૃ. ૧૦પ ૪૭૮. મોદી, નગીન
છાપું વાંચવાની કળા. નવચેતન ૬૫ સપ્ટે. ૧૯૮૬.
પૃ. ૧૯-૨૦, ૨૪ ૪૭૯. યાજ્ઞિક, અમૃતલાલ
અખબારી લેખન. બુદ્ધિપ્રકાશ ૧૨૮ (૫) મે ૧૯૮૧. પૃ. ૨૩૧-૨૩૨ પૂંઠા પાન ૩
[અખબારી લેખન : કુમારપાળ દેસાઈ – અવલોકન ૪૮૦, રાજુ, એસ. કે.
છાપાંનો પક્ષઘાત, મિલાપ અંક ૯૦, જૂન ૧૯૫૭.
પૃ.૪૧-૪૨ ૪૮૧. રાવલ, અભય
સ્થાનિક અખબારોના તંત્રીલેખો. નિરીક્ષક ૧૩ (૪૨) જૂન ૧૯૮૦.
પૃ. ૮-૯ ૪૮૨. વડોદરિયા, ભૂપત
દૈનિકોની વ્યાવસાયિક સફળતાનું સહસ્ય. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦. પૃ. ૪૨૩-૪૨૭
Page #218
--------------------------------------------------------------------------
________________
૪૮૩. વાઈવાલા, દાસબહાદુર
વિશ્વવિખ્યાત અખબારો. પુસ્તકાલય ૪૩ (૧૨) જૂન ૧૯૬૯.
પૃ. ૭૭૪-૭૭૬
૪૮૪. વ્યાસ, મૂળશંકર પ્રેમજી
પૃ. ૬૭૩-૬૭૪
૪૮૫. શાહ, ચીમનલાલ ચકુભાઈ
વર્તમાનપત્રો અને ઇનામી હરીફાઈ. પુસ્તકાલય ૧૩ (૧૧) નવે. ૧૯૩૮.
૪૮૬. શાહ, ચુનીલાલ વર્ધમાન
વર્તમાનપત્રો ૫૨ અંકુશો. વિશ્વમાનવ અંક ૧૮૦, ડિસે. ૧૯૭૫. પૃ. ૪૯૫-૪૯૬
૪૮૭. શાહ, પ્રતાપ
૪૯૦.
ગુજરાતી ભાષાના વિકાસમાં વર્તમાનપત્રોનો હિસ્સો. વસંત ૨૩ (૯) આસો સં. ૧૯૮૦. પૃ. ૩૨૧-૩૨૮
૪૮૮. શાહ, પ્રીતિ
લેખસૂચિ D
દૈનિક પત્રોનું આર્થિક આયોજન. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦. પૃ. ૪૧૭-૪૨૨
૪૮૯. શાહ, બળવંતરાય
સમૂહમાધ્યમોનો પ્રભાવ અને સાહિત્યનું ભાવિ. નવચેતન ૬૮ (૭-૮) ઑક્ટો.-નવે. ૧૯૮૯. પૃ. ૮૧-૮૫
૪૯૧. શાહ, મુકુન્દ
અખબારી નિયંત્રણો. નિરીક્ષક ૧૬ (૧) ઑગસ્ટ ૧૯૮૨. પૃ. ૧૯-૨૦ સમાચારોને મચડવાનો સામૂહિક માધ્યમોનો પ્રયાસ. નિરીક્ષક ૧૬ (૨૩) જાન્યુ. ૧૯૮૩, પૃ. ૧૯-૨૦
૨૧૭
અખબારી લેખન : પત્રકારત્વ ૫૨નું એક મહત્ત્વનું પુસ્તક. નવચેતન ૫૮ (૧૦) જાન્યુ. ૧૯૮૦. પૃ. ૬૭
[અખબારી લેખન : કુમારપાળ દેસાઈ - અવલોકન]
૪૯૨. શાહ, રમેશ બી.
લોકસભાની ચૂંટણી અને ગુજરાતનાં અખબારો. નિરીક્ષક ૧૩ (૩૬) ૨૭ એપ્રિલ ૧૯૮૦. પૃ. ૫-૭
- નિરીક્ષક ૧૩ (૩૭) ૪ મે ૧૯૮૦. પૃ. ૭-૮
- નિરીક્ષક ૧૩ (૩૮) ૧૧મે ૧૯૮૦. પૃ. ૬-૮
૪૯૩. શાહ, વાડીલાલ મો.
પેપરો માટે જનતા કે જનતા માટે પેપરો ?; સંપા. ત્રિભુવન વી. હેમાણી. નવચેતન ૩૬ (૪) જાન્યુ. ૧૯૫૮. પૃ. ૪૨૩-૪૩૧.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સાહિત્ય અને પત્રકારત્વ
૪૯૪. શુક્લ, ચ્યવનરાય
ખબરપત્રીને સૂચના. સાહિત્ય ૭ (૩) માર્ચ ૧૯૧૯.
પૃ. ૧૭૯-૧૮૧
૪૯૫. શુકલ, જયદેવ
ગુજરાતી અખબારોને થયું છે શું ?; જયદેવ શુક્લ અને પુરુરાજ જોશીકૃત. નિરીક્ષક ૧૬ (૧૭) ફેબ્રુ. ૧૯૮૩. પૃ. ૫-૬
૪૯૬. શુક્લ, યજ્ઞેશ હ.
અખબારનું તારામંડળ. નવચેતન ૪૮ (૨-૩) નવે.-ડિસે. ૧૯૬૯. પૃ. ૨૩૩-૨૩૬
૪૯૭. અખબારનું સંપાદન. નવચેતન ૪૬ (૨) નવે. ૧૯૬૭ પૃ. ૨૧૭-૨૨૨
- તંત્રીલેખો. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦. પૃ. ૩૪૫-૩૫૫ ૪૯૮. શુક્લ, યશવંત
ગુજરાતી અખબારો. પુસ્તકાલય ૪૨ (૭) જાન્યુ. ૧૯૬૮. પૃ. ૪૧૦-૪૧૨
૪૯૯. શેઠ, કેશવ હ.
કોમી પત્રો. બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૨) ડિસે. ૧૯૨૪. પૃ. ૩૬૪-૩૬૮
૫૦૦. શેઠી, વિશ્વનાથ
ઘરઘરમાં છપાતું વર્તમાનપત્ર; અનુ. ચંદ્રાપીડ. નવચેતન ૧૮ (૪) જાન્યુ. ૧૯૩૯. પૃ. ૩૫૭-૩૬૦
૫૦૧. શો, ઇરવિન
અખબારી ભવિષ્યકથન; અનુ. અશોક હર્ષ. નવચેતન ૧૮ (૪) જાન્યુ. ૧૯૩૯. પૃ. ૧૩-૧૫
૫૦૨. શૌરી, અરુણ
અખબારી સ્વાતંત્ર્ય વિ. વિધાનસભાના વિશેષાધિકારો; સંક્ષેપ બિપિન શુક્લ. વિશ્વમાનવ અંક ૩૩૩ સપ્ટે. ૧૯૮૮. પૃ. ૩૦૩-૩૦૯
૫૦૩. શ્રીવાસ્તવ, ભગવતીપ્રસાદ
સ્ટોપ પ્રેસ; અનુ. ચન્દ્રાપીડ. નવચેતન ૨૦ (૨-૩) મે-જૂન ૧૯૪૧. પૃ. ૧૯૫-૨૦૦
૫૦૪. સદાવ્રતી નરભેરામ
ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ. પરબ ૨૧ (૬) જૂન ૧૯૮૦, પૃ. ૩૯૫-૪૦૦
Page #220
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૨૧૯
૫૦૫. સુપરસ્ટોન, માઇકલ
બ્રિટનનો અખબારો સંબંધી કાયદો, સંક્ષેપ બિપિન શુક્લ. વિશ્વમાનવ અંક
૩૨૬. ફેબ્રુ. ૧૯૮૮, પૃ. ૪૧-૫૧ ૫૦૬. સવાણી, રમેશ
માનસપ્રદૂષણ માટે અખબારનો ફાળો કેટલો ? નિરીક્ષક ૧૯ (૩)
સપ્ટે. ૧૯૮૫. પૃ. ૧૭-૧૮ ૫૦૭. સાંડેસરા, ભોગીલાલ જ.
ગુજરાતી વૃત્તપત્રોના અગ્રલેખો. બુદ્ધિપ્રકાશ ૧૧૪ (૧૧) નવે. ૧૯૬૭.
પૃ. ૩૪પ-૩૪૭ ૫૦૮. સુતરિયા, ચંદ્રકાન્ત
છાપાળવી દુનિયા. પુસ્તકાલય ૨૦ (૧) જાન્યુ. ૧૯૪પ.
પૃ. ૩૭-૩૮ ૫૦૯. સ્ટોપફોર્ડ, ફ્રાન્સિસ
વર્તમાનપત્ર કેમ તૈયાર થાય છે ? નવચેતન ૯ (૧) એપ્રિલ ૧૯૩૦
પૃ. ૪૫-૫૫ ૫૧૦. હેમાણી, ત્રિભુવન વીરજીભાઈ
વૃત્તપત્રલેખનનું મહત્ત્વનું અંગ : મથાળું ઉર્ફે શીર્ષક; ત્રિભુવન વી. હેમાણી અને રતિલાલ ઉકાભાઈ પટેલકૃત. નવચેતન ૧૮ (૪) જાન્યુ. ૧૯૪૦. પૃ. ૩૨૩-૩૨૯
અમૃતબજાર પત્રિકા ૫૧૧. નાગ, કાલિદાસ
અમૃતબજાર પત્રિકા'નો જન્મ. કુમાર ૨૧ (૨-૩) ફેબ્રુ.-માર્ચ ૧૯૪૪.
પૃ. ૬૨-૧૩ ૫૧૨. શાહ, ગુણવંત છો.
અમૃતબજાર પત્રિકા. કુમાર ૪૫ (૨) ફેબ્રુ. ૧૯૬૮. પૃ. ૫૩-૫૪ - કુમાર ૪પ (૩) માર્ચ ૧૯૬૮. પૃ. ૯૮-૧૦૦
- પુસ્તકાલય ૪૨ (૯) માર્ચ ૧૯૯૮, પૃ. પ૨૭-૫૩૦ ૫૧૩. હેમાણી, ત્રિભુવન વી.
અમૃતબજાર પુસ્તિકા ગુજરાતીમાં કુમાર ૪૪ (૩) માર્ચ ૧૯૬૭. પૃ. ૧૨૪
આનંદબજાર પત્રિકા ૫૧૪. ચતુર્વેદી, બનારસીદાસ
આનંદબજાર પત્રિકા. નવચેતન ૧૫ (ક) સપ્ટે. ૧૯૩૯પૃ. ૫૩૯-૫૪૬
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૨૦ | સાહિત્ય અને પત્રકારત્વ
ઇક્વેસ્તિયા ૫૧૫. તંત્રી, પુસ્તકાલય
સોવિયેત સરકારનું અધિકૃત મુખપત્ર : ઇઝવેતિયા પુસ્તકાલય ૪૧ (૧૧) મે ૧૯૬૭. પૃ. ૯૬૩-૬૬૬
કેસરી ૫૧. આઠવલે, રામચંદ્ર બળવંત
કેસરી' પત્રનો અર્ધશતાબ્દીનો સુવર્ણમહોત્સવ. પ્રસ્થાન ૧૧ (૩) પોષ સં. ૧૯૮૭. પૃ. ૧૭૬-૧૮૦
કોંગ્રેશનલ રેકોર્ડ ૫૧૭. તંત્રી, પુસ્તકાલય
અમેરિકન સંસદનું દૈનિકપત્ર કોંગ્રેશનલ રેકોર્ડ' પુસ્તકાલય ૨૯ (૧૨) જૂન ૧૯૫૫. પૃ. ૫૧૪
ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર ૫૧૮. તંત્રી, કુમાર
એક અખબારની અર્ધશતાબ્દી. કુમાર ૩૫ (૧૦) કટો. ૧૯૫૮. પૃ. ૪૧૩-૧૪
ગુજરાત ૫૧૯. તંત્રી, સમાલોચક
ગુજરાત' માસિકની સંસ્કૃતિ. સમાલોચક ૨૯ (૭) જુલાઈ ૧૯૨૪. પૃ. ૪૪૧-૪૪૨
ગુજરાતી પ૨૦. શુક્લ, યજ્ઞેશ હ.
ગુજરાતી ગુજરાતનું પહેલું પ્રાણવાન સાપ્તાહિક. કુમાર ૪૨ (૮) ઑગસ્ટ ૧૯૬પ. પૃ. ૪૨૪-૪૩૦
જામે જમસેદ પર૧. શુક્લ, યજ્ઞેશ હ.
જામે જમસેદ. નવચેતન ૩૯ (૨) મે ૧૯૫૭. પૃ. ૧૮૯-૧૯૮
ટકું ગ્યાઓ પર૨. કામદાર, છોટાલાલ માનસિંગ
ચીનના વર્તમાનપત્રની વાત. પુસ્તકાલય ૨૦ (૧૨) ડિસે. ૧૯૪૫. પૃ. ૨૨૯-૨૩૦
Page #222
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૨૨૧
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પ૨૩. તંત્રી, સંસ્કૃતિ
ટાઇમ્સ'ને જાહેરખબરો ન આપવાનો મુંબઈ સરકારનો નિર્ણય. સંસ્કૃતિ ૭ (૪) એપ્રિલ ૧૯૫૩, પૃ. ૧૨૫
દલાલ, યાસીન પ૨૪. કિસ્સો એક રાષ્ટ્રીય દૈનિકની વિશ્વસનીયતાનો. નિરીક્ષક ૧૪ (૧૨-૧૩)
નવે. ૧૯૮૦, પૃ. ૨૧-૨૨
ડાંડિયો પ૨૫. માર્શલ, રતન રુસ્તમજી
ઉદ્દામ વિચારપત્ર “ડાંડિયો'. પરબ ૨૪ (૮-૯) ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩. પૃ. ૧૫૨-૧૫૪
દેઈ તાગ પરક. શાહ, હેમન્તકુમાર
પશ્ચિમ જર્મનીનું એક અનોખું અખબાર. વિશ્વમાનવ અંક ૩૩૦ જૂન ૧૯૮૮, પૃ. ૨૧૦-૨૧૧
નવજીવન પર૭. ત્રિપાઠી, રમણીયરામ ગોવર્ધનરામ
સાપ્તાહિક “નવજીવન'. સમાલોચક ૨૪ (૯) સપ્ટે. ૧૯૧૯. પૃ. ૪૭૮-૪૭૯
નૂતન ગુજરાત પ૨૮. ગાંધી, ભોગીલાલ
નૂતન ગુજરાત' : આવકાર અને અપેક્ષા. વિશ્વમાનવ સળંગ અંક ૨૦૬. ફેબ્રુ. ૧૯૭૮, પૃ. ૯૯
ન્યૂયોર્ક ટાઇમ્સ પર૯. કૂક, એલિસ્ટર
આનું નામ તે છાપું. મિલાપ અંક ૭૩ જાન્યુ. ૧૯૫ક.
પૃ. ૪૯ પ૩૦. તંત્રી, પુસ્તકાલય
‘ન્યૂયોર્ક ટાઇમ્સ'. પુસ્તકાલય ૪૧ (૮) ફેબ્રુ. ૧૯૬૭. પૃ. ૪૮૧-૪૮૬
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૨૨ સાહિત્ય અને પત્રકારત્વ પ૩૧. વાઘરિયા, ઇબ્રાહિમ
ન્યૂયોર્ક ટાઇમ્સ'. નવચેતન ૩૯ (૯) સપ્ટે. ૧૯૬૦.
પૃ. ૯પ૭ પ૩૨. શાહ, ગુણવંત છો.
ન્યૂયૉર્ક ટાઇમ્સ. કુમાર ૪૩ (૧૨) ડિસે. ૧૯૯૯. પૃ. ૪૫૪-૪૫૭
બ્રેઈલ મૈનિચી , પ૩૩. તંત્રી, પુસ્તકાલય
અંધજનો માટે અખબાર. પુસ્તકાલય ૪૫ (૧) જુલાઈ ૧૯૭૦. પૃ. ૪૯-૫૦
ભૂમિપુત્ર પ૩૪. તંત્રી, મિલાપ
ભૂમિપુત્ર'ના કેસનો ચુકાદો. મિલાપ અંક ૩૧૬, એપ્રિલ ૧૯૭૬.
પૃ. ૯-૧૧ પ૩૫. દેસાઈ, મગનભાઈ
ભૂમિપુત્ર'. વિવેકાંજલિ (અમદાવાદ – ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૬૦). પૃ. ૨૧૩-૧૪
મુંબઈ સમાચાર ૫૩૬. શુક્લ, યજ્ઞેશ
મુંબઈ સમાચાર. કુમાર ૪૮ (૧૦) અંક પ૭૪ ઑક્ટો. ૧૯૭૧.
પૃ. ૩૮૩-૩૮૬ પ૩૭. મુંબઈ સમાચારના આજના વહીવટકર્તાઓ. કુમાર ૪૯ (૩) સળંગ અંક
પ૭૯ માર્ચ ૧૯૭૨. પૃ. ૯૩-૯૪,૧૦૬ ૫૩૮. મુંબઈ સમાચારની વિકાસકથા. કુમાર ૪૮ (૧૧) સળંગ અંક પ૭૫ નવે.
૧૯૭૧. પૃ. ૪૩૮-૪૪૦
લંડન ટાઇમ્સ પ૩૯. કામદાર, છોટાલાલ માનસિંગ
લંડન ટાઇમ્સ' વિશે કંઈક પુસ્તકાલય ૧૦ (૨) ફેબ્રુ. ૧૯૩૫. પૃ. ૭૪
શાહ, હર્ષવર્ધન ૫૪૦. “ટાઇમ્સ' લંડનનું નિરીક્ષક ૧૮ (૨૪) ફેબ્રુ. ૧૯૮૫. પૃ. ૧૪
Page #224
--------------------------------------------------------------------------
________________
લા-પ્રેનૂસા
૫૪૧. પારસ, ઉપ.
લા-પ્રેર્નેસા : એક અજોડ વર્તમાનપત્ર. નવચેતન ૩૫ (૪) જાન્યુ. ૧૯૫૭.
પૃ. ૪૭૯-૪૮૦ વંદેમાતરમ્
૫૪૨. શુક્લ, યજ્ઞેશ હ.
‘વંદેમાતરમ્’નું સમર્પણ. નવચેતન ૪૩ (૨) નવે. ૧૯૬૪.
પૃ. ૨૪૧-૨૪૮
· નવચેતન ૪૩ (૩) ડિસે. ૧૯૬૪. પૃ. ૩૯૩-૩૯૮
વિકલી ન્યૂસ
૫૪૩. કામદાર, છોટાલાલ માનસિંગ
૫૪૭.
સંદેશ
૫૪૪. તંત્રી, નવચેતન
આંધળાઓ માટેનું વર્તમાનપત્ર. પુસ્તકાલય ૨૪ (૧૨) જૂન ૧૯૫૦.
પૃ. ૫૮૪
૫૪૫. દેસાઈ, પુષ્ક૨૨ાવ સાકરલાલ
લેખસૂચિ ] ૨૨૩
‘સંદેશ’ પત્રે પૂરી કરેલી પચીસી. નવચેતન ૨૭ (૨) નવે. ૧૯૪૮. પૃ. ૯૮
સાધના
૫૪૬. તંત્રી, વિશ્વમાનવ
દૈનિક પત્ર ‘સંદેશ’ની રોમાંચક કથા. નવચેતન ૨૭ (૩) ડિસે. ૧૯૪૮. પૃ. ૨૧૫-૨૨૫
અખબારી સ્વાતંત્ર્યની લડાઈ. વિશ્વમાનવ અંક ૧૭૬, ઑગસ્ટ. ૧૯૭૫.
પૃ. ૩૦૬-૩૦૭
ઐતિહાસિક કિસ્સો. વિશ્વમાનવ અંક ૧૭૬, ઑગસ્ટ ૧૯૭૫.
પૃ. ૩૦૧-૩૦૫
૫૪૮. પંડ્યા, વિષ્ણુ
કટોકટી વિશે પુનઃ વિચારણા કરો; વિષ્ણુ પંડ્યા અને વસંત ગજેન્દ્રગડકર કૃત. વિશ્વમાનવ સળંગ અંક ૧૭૬, ઑગસ્ટ ૧૯૭૫. પૃ. ૩૦૭-૩૧૨
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૨૪
તે સાહિત્ય અને પત્રકારત્વ
હરિજન ૫૪૯. તંત્રી, સંસ્કૃતિ
‘હરિજન' પત્રો બંધ થાય છે. સંસ્કૃતિ ૧૦ (3) માર્ચ-૧૯૫૬, પૃ. ૮૨
હોબો ન્યૂઝ પ૫૦. કામદાર, છોટાલાલ માનસિંગ
રખડુ લોકોનું વર્તમાનપત્ર. પુસ્તકાલય ૨૨ (૫) ડિસે. ૧૯૪૭. પૃ. ૨૨૯-૨૧૧
વર્તમાનપત્ર - તંત્રી
પપ૧. આલગિયા, શામજી લવજી.
તંત્રીઓ. પ્રસ્થાન ૧૫ (૪) માહ સં. ૧૯૮૯. પૃ. ૩૦૮-૩૦૯ પપર. ઉદ્દેશી, ચાંપશી વી.
તંત્રી : તેની કલા અને તેનો ધર્મ. નવચેતન ૪૪ (૩) જૂન ૧૯૬૫. પૃ. ૨૫૭-૧૫૮
- નવચેતન ૪૬ (૪) જુલાઈ ૧૯૬૭, પૃ. ૪૭૮-૪૮૦. પપ૩. તંત્રીનાં ભયસ્થાનો. નવચેતન ૬૧ (૧) એપ્રિલ ૧૯૫૨.
પૃ. ૨૯-૩૧. પપ૪. કામદાર, છોટાલાલ માનસિંગ
તંત્રી લેખો પાછા શા માટે મોકલે છે ? પુસ્તકાલય ૩૧ (૫) નવે.
૧૯૫૬, પૃ. ૨૨૯-૨૩૦ પપપ. કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ
છાપાનો તંત્રી. પ્રસ્થાન ૧૯ (૯) ચૈત્ર સં. ૧૯૯૧.
પૃ. ૫૪૨-પપ૧ પપ૬. તંત્રી, વિશ્વમાનવ
માથું ઊંચું રાખનારાઓ. વિશ્વમાનવ અંક ૨૦૦, ઑગસ્ટ ૧૯૭૭.
પૃ. ૪૦૨-૪૦૩ પપ૭. તંત્રી, સમાલોચક
બિનજવાબદાર તંત્રીસ્થાન ? સમાલોચક ૩૧ (૧) જાન્યુ. ૧૯૨૬. પૃ. ૮, ૨૬
Page #226
--------------------------------------------------------------------------
________________
લેખસૂચિ | ૨૨૫
પપ૮, દલાલ, યાસીન - તંત્રી પરિષદની આસપાસ. નિરીક્ષક ૧૪ (૧૦) ઓક્ટો. ૧૯૮૦
પૃ. ૧૧-૧૩. નિવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરિષદ) પપ૯. દેસાઈ, હરિભાઈ
તંત્રીને મોકલો એ પહેલાં. નવચેતન ૪૬ (૬) માર્ચ ૧૯૬૭.
પૃ. ૬૪૯-૬૫૧ પ૬૦. પરીખ, ધીરુ,
તંત્રી અંગ . બુદ્ધિપ્રકાશ ૧૨૭ (૧૦) ઑક્ટો. ૧૯૮૦ પૃ. ૩૮૩
પ૬૧. ભટ્ટ, કાંતિ
બેધારી તલવાર ઉપર ચાલનાર. મિલાપ અંક ૩૧૪, ફેબ્રુ. ૧૯૭૬.
પૃ. ૨૫-૨૬ પ૬૨. યુગબાલ, ઉપ.
એક તંત્રીનો અનુભવ. નવચેતન ૪૩ (૫) ઓગસ્ટ ૧૯૬૪.
પૃ. ૪૮પ-૪૮૬ પ૩૩. વાળંદ, નરોત્તમ
ગુજરાતનાં પહેલાં મહિલા-તંત્રી. મિલાપ અંક ૧૪૪, ડિસે. ૧૯૬૧.
પૃ. ૪૭-૪૯ પ૬૪. શુક્લ, યજ્ઞેશ હ.
અખબારનો તંત્રી. નવચેતન ૪૭ (૧-૨) ઓક્ટો. - નવે. ૧૯૬૮.
પૃ. ૧૪૭-૧૫૦ પ૬૫. તંત્રીલેખો. પરબ ૨૧ (ક) જૂન ૧૯૮૦.
પૃ. ૩૪પ-૩પપ ૫૬૬. સમાચાર તંત્રી. નવચેતન ૪૯ (૨) નવે. ૧૯૭૦.
પૃ. ૨૬૫-૨૬૮ પ૬૭. હેમાણી, ત્રિભુવન વીરજીભાઈ
લેખક વિરુદ્ધ તંત્રી : એક કોયડો. નવચેતન ૩૫ (૪) જુલાઈ ૧૯૫૯.
પૃ. ૪૦૩-૪૦૪ ૫૮. લેખક વિરુદ્ધ તંત્રી : નવી નજરે. નવચેતન ૪ર (૪) જાન્યુ. ૧૯૬૪.
પૃ. ૪૭૯-૪૮૬
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૨૩ સાહિત્ય અને પત્રકારત્વ
(સામયિક)
પડ૯. આવસત્થી, વિ. ય.
હાલનાં માસિકો અને પત્રોની ભાષા સાહિત્ય ૧૪ (૯) જૂન ૧૯૨૫.
પૃ. ૩૯૭-૪૦૩ ૫૭૦. જાની, કૃપાશંકર
સાહિત્ય-સામયિકો પ્રત્યે સમાજનું વલણ નિરીક્ષક ૧૯ (૪) સપ્ટે. ૧૯૮૫.
પૃ. ૧૯-૨૦ ૫૭૧. તંત્રી, કુમાર
હસ્તલિખિત માસિકનો અંક કેમ તૈયાર થાય ? કુમાર ૩ (૭) અષાઢ સં.
, ૧૯૮૨. પૃ. ૨૮૩-૨૮૮ ૫૭૨. તંત્રી, સંસ્કૃતિ
સંસ્કૃતિ' વિદાય માગે છે. સંસ્કૃતિ ૩૮ (૪૧૬) ઑક્ટો.-ડિસે. ૧૯૮૪. પૃ. ૪૮૦-૪૮૭
- પરબ ૨૩ (૩) માર્ચ ૧૯૮૫. પૃ. ૭-૧૪ પ૭૩. ત્રિવેદી, નરેન્દ્ર
સાહિત્યિક સામયિકો : જૂના અને નવાં. પરબ ૨૧ () જૂન ૧૯૮૦.
પૃ. ૩૯૦-૩૯૪ ૫૭૪. દવે, અરવિંદ પી.
આપણાં સામયિકો. નિરીક્ષક ૧૪ (૩૭) મે ૧૯૮૧.
પૃ. ૧૩-૧૩ પ૭પ. દળવી, જયવન્ત
સત્યકથા” બંધ થયું. ગ્રંથ ૧૯ (૧૧) નવે. ૧૯૮૨.
પૃ. ૪૬-૪૭ પ૭૬. દેસાઈ, અશ્વિન
નિરીક્ષક'નું ધ્યેય વિચારવૃદ્ધિ ને લાગણી બુદ્ધિ નિરીક્ષક ૧૮ (૪૮-૪૯)
જુલાઈ ૧૯૮૫. પૃ. ૧૨-૧૪ પ૭૭. દેસાઈ, કુમારપાળ
આપણાં બાળસામયિકો. પરબ ૨૭ (૮-૯) ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૫.
પૃ. ૧૮૮-૨૦૨ ૫૭૮. ગુજરાતમાં બાળસામયિકો. નવચેતન ૬૧ (૮-૯) નવે.-ડિસે. ૧૯૮૨.
પૃ. ૫૭-૯૪
Page #228
--------------------------------------------------------------------------
________________
૫૭૯. દેસાઈ, મગનભાઈ
૫૮૦.
૫૮૧.
૫૮૨. દોશી, યશવંત
૫૮૩.
લેખસૂચિ 7 ૨૨૭
ગુરુપ્રસાદ (પત્રિકા).વિવેકાંજલિ (અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠ, ૧૯૬૦). પૃ. ૨૧૦
બે કૉલેજ માસિકો.વિવેકાંજલિ (અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૬૦).
પૃ. ૨૨૨
માસિક પત્રોનો આવકાર. વિવેકાંજલિ (અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૬૦). પૃ. ૨૦૧-૨૦૨
પૃ. ૧૩
બંધ થતાં સામયિકો. ગ્રંથ ૨૨ (૪) એપ્રિલ ૧૯૮૫. પૃ. ૪૦-૪૧
૫૮૪. મરાઠીનું સર્વોત્તમ સાહિત્યિક માસિક ‘સત્યકથા’ બંધ પડ્યું. ગ્રંથ ૧૯ (૧૦) ઑક્ટો. ૧૯૮૨. પૃ. ૧૫
૫૮૫. પટેલ, ચી. ના.
૫૮૮.
નવું ત્રૈમાસિક ‘વિવેચન’. ગ્રંથ ૧૯ (૮) ઑગસ્ટ ૧૯૮૨.
‘બુદ્ધિપ્રકાશ’, દલપતરામ અને અર્વાચીન ગુજરાતનો જન્મ. વિશ્વમાનવ અંક ૩૪૬-૩૪૭ ઑક્ટો. - નવે. ૧૯૮૯. પૃ. ૨૭૪-૨૮૨ ૫૮૬. પટેલ, બહેચરભાઈ મણિલાલ
ગુજરાતી ભાષામાં સામયિકોનો થતો લોપ.નિરીક્ષક ૧ (૪) ફેબ્રુ. ૧૯૮૭. પૃ. ૧૦-૧૩
નવચેતન ૪૫ (૧૨) માર્ચ ૧૯૮૭. પૃ. ૩૩-૩૫ ૫૮૭. પટેલ, ભોળાભાઈ
‘ગ્રંથ’ હવે બંધ. પરબ ૨૭ (૧૧) નવે. ૧૯૮૬. પૃ. ૧-૪
‘પરબ’નાં પચીસ વરસ. પરબ ૨૬ (૧૨) ડિસે. ૧૯૮૪. પૃ. ૧-૨
૫૮૯. ‘સંસ્કૃતિ’ પૂર્ણાહુતિ વિશેષાંક. પરબ ૨૬ (૩) માર્ચ ૧૯૮૫. પૃ. ૧-૨
૫૯૦. પટેલ, સાં. જે.
આજનાં લઘુ સામયિકો. નવચેતન ૬૨ (૪) જુલાઈ ૧૯૮૩.પૃ. ૪૧-૪૨ ૫૯૧. પલાણ, નરોત્તમ
‘લોકગુર્જરી’(અંક ૧૨ : ૧૯૮૮). પરબ ૨૯ (૭) જુલાઈ ૧૯૮૮.
પૃ. ૩૯-૪૦
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૮
| સાહિત્ય અને પત્રકારત્વ
પ૯૨. પારેખ, હીરાલાલ ત્રિભોવનદાસ
ગુજરાતી માસિકો. બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૧) નવે. ૧૯૨૪.
પૃ. ૩૨૮-૩૩૮ ૫૯૩. ભટ્ટ, કિરીટ ૨.
સામયિકો - આપણી પારાશીશી. નવચેતન ૬૦ (૯) ડિસે. ૧૯૮૧.
પૃ. ૨૫-૨૬ પ૯૪. ભટ્ટ, વિશ્વનાથ મગનલાલ
ગુજરાતી ભાષાનાં ચાલુ માસિકો. વસંત ૨૧ (૧૦) કાર્તિક સં. ૧૯૭૯, પૃ. ૩૮૮-૩૯૯
- વસંત ૨૧ (૧૨) પોષ સં. ૧૯૭૯. પૃ. ૪૬૦-૪૭૭ પ૯૫. શાહ, મુકુન્દ પી.
બંધ પડતાં સાહિત્યિક સામયિકો. નવચેતન ૬૪ (૧૦) જાન્યુ. ૧૯૮૬.
પૃ. ૭-૮ પ૯૬. શુક્લ, ચ્યવનરાય
સામયિક પત્રના પંથે. સાહિત્ય ૭ (૩) માર્ચ ૧૯૧૯.
પૃ. ૮૩૩-૮૪૬ પ૯૭, સામયિક પત્રના સાહિત્યની આવશ્યક્ત. સાહિત્ય ૮ (૧૦) ઑક્ટો. ૧૯૨૦.
પૃ. ૭૭૭-૭૭૮ પ૯૮. શેઠ, કેશવ હ.
સાહિત્યપ્રચારમાં માસિકોનું સ્થાન, બુદ્ધિપ્રકાશ ૬૭ (૫) મે ૧૯૨૦.
પૃ. ૧૫૦-૧૫૮ પ૯૯, સદાવ્રતી, નરભેરામ | ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦.
પૃ. ૩૯૫-૪૦૦ ૬૦૦. સિદ્દિકી, હસિનુદ્દીન
સમૂહમાધ્યમો (Mass Media) અને ઉર્દૂ સાહિત્ય. પરબ ૨૨ (૫-૬)
મે-જૂન ૧૯૮૧. પૃ. ૪૭-૫૦ ૬૦૧. હાજીતૈયબ, ઉસ્માનગની
કૌમુદી : તેનાં મનન અને અવલોકન. સાહિત્ય ૧૪ (૬) જૂન ૧૯૨૫. પૃ. ૪૧૦-૪૧
Page #230
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન
૬૦૨. અક્કડ, વલ્લભદાસ
અખબારી પરિભાષા. ૨૨મું સમ્મેલન. વિલેપારલે (મુંબઈ) ૧૯૬૩. પૃ. ૫૬૯-૫૮૯
૬૦૩. ગાંધી, સામળદાસ (પ્રમુખ)
ગાંધીયુગની ગુર્જગિરાનું પાંગરતું પત્રકારિત્વ. ૧૩મું સંમેલન, કરાંચી. ૧૯૩૭-૩૮. પૃ. ૨૭૩-૩૦૪
૬૦૪. ત્રિવેદી, નલિનકાન્ત અ.
આંગ્લ પત્રકારિત્વ. ૧૮મું સંમેલન. નવસારી ૧૯૫૨. પૃ. ૧૦૪-૧૦૫ ૬૦૫. દેસાઈ, મગનભાઈ પ્રભુદાસ (પ્રમુખ)
લોકશિક્ષણ, સાહિત્ય અને પત્રકારી. ૧૯મું સંમેલન, નડિયાદ. ૧૯૫૫. પૃ. ૧૬૭-૧૭૬
૬૦૬. દેસાઈ, મહાદેવ હરિભાઈ (પ્રમુખ)
વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો. ૧૨મું સંમેલન, અમદાવાદ. ૧૯૩૬. પૃ. ૧-૨૭
૬૦૭. દેસાઈ, વામનરાવ કૃષ્ણલાલ
ગ્રંથ સ્વામિત્વનો કાયદો. ૧૨મું સંમેલન, અમદાવાદ. ૧૯૩૬. પૃ. ૧૪૩-૧૭૦
૬૦૮. પટેલ, ધીરજલાલ પુ.
લેખસૂચિ ૨૨૯
ગુજરાતી પત્રકારિત્વના કાર્યક્ષેત્રની આછી રૂપરેખા. ૧૮મું સંમેલન, નવસારી. ૧૯૫૨. પૃ. ૧૧૨-૧૧૬
૬૦૯. પંડ્યા, મહેન્દ્ર ન.
પત્રકારિત્વ : તેનાં આદર્શો અને કર્તવ્યો. ૧૮મું સંમેલન, નવસારી. ૧૯૫૨. પૃ. ૧૦૬-૧૧૧
૬૧૦. મહેતા, કપિલરાય મ.
અખબારી સ્વાતંત્ર્ય. ૨૦મું સંમેલન, અમદાવાદ. ૧૯૫૯. પૃ. ૩૨૮-૩૨૯
૬૧૧. મહેતા, મોહનલાલ ‘સોપાન' (પ્રમુખ)
પત્રકારત્વ. ૨૨મું સંમેલન, વિલેપારલે (મુંબઈ). ૧૯૬૩. પૃ. ૨૫૮-૨૭૮
૬૧૨. મહેતા, રવિશંકર (પ્રમુખ)
સર્વોદય યુગનું પત્રકારત્વ. ૨૦મું સંમેલન, અમદાવાદ. ૧૯૫૯. પૃ. ૧૨૭૬-૧૪૧
૬૧૩. માસ્તર, ધર્મેન્દ્ર ‘મધુરમ્’
આપણાં વર્તમાનપત્રો અને ભાષાશુદ્ધિ. ૨૨મું સંમેલન, વિલેપારલે (મુંબઈ).
૧૯૬૩. પૃ. ૫૯૦-૫૯૫
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૩૦ સાહિત્ય અને પત્રકારત્વ ૬૧૪. આપણું પત્રકારિત્વ -- કંઈક વિચાર. ૧૮મું સંમેલન, નવસારી. ૧૯૫૨. પૃ.૧ ૬૧૫. ગાંધીજી - પત્રકાર તરીકે. ૨પમું સંમેલન. જૂનાગઢ. ૧૯૬૯.
પૃ. ૨૭૩-૨૮૧ ૧૬. તંત્રીલેખો અને જાહેરાતો. ૨૪મું સંમેલન, દિલ્હી. ૧૯૬૭.
પૃ. ૨૭૧-૨૭૪ ઉ૧૭. રાવત, બચુભાઈ (પ્રમુખ) • પત્રકારત્વ. ૨૩મું સંમેલન, સૂરત. ૧૯૬૫. પૃ. ૮૫-૧૦૨ ૯૧૮. પત્રકારત્વ વિભાગની કાર્યવાહી. ૨૩મું સંમેલન, સૂરત. ૧૯૬૫.
પૃ. ૨૦૭-૨૧૦. ઉ૧૯. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ
ગુજરાતી અક્ષરોનાં બીબાં. ૧૨મું સંમેલન, અમદાવાદ. ૧૯૩૬.
પૃ. ૧૧-૧૬૮ ૬૨૦. શાહ, ચુનીલાલ વર્ધમાન
ગ્રંથસ્વામિત્વનો કાયદો. ૧૨મું સંમેલન, અમદાવાદ. ૧૯૩૭. પૃ. ૧૩પ-૧૪૨ પત્રકારત્વ : એક પવિત્ર વ્યવસાય. ૧૪મું સંમેલન, અંધેરી (મુંબઈ). ૧૯૪૧.
પૃ. ૧૬૧-૧૭૭ (પ્રમુખસ્થાનેથી). ક૨૨. વર્તમાનપત્રો અને ઉદ્યોગદષ્ટિ. ૨૦મું સંમેલન, અમદાવાદ. ૧૯૫૯,
પૃ. ૩૨૨-૩૨૭ ક૨૩. શુક્લ, યશવંત (પ્રમુખ)
પત્રકારત્વ. ૨૪મું સંમેલન, દિલ્હી. ૧૯૬૭. પૃ. ૮૫-૧૦૪ ક૨૪. શેલત, કાલિદાસ કૃપાશંકર (પ્રમુખ)
પત્રકારત્વ. ૧૮મું સંમેલન, નવસારી, ૧૯૫ર. પૃ. ૧-૧૦ ક૨૫. સાંડેસરા, ભોગીલાલ જ.
ગુજરાતી વૃત્તપત્રોના અગ્રલેખા. ૨૪મું સંમેલન, ૧૯૬૭. પૃ. ૨૧૭-૨૭૦
૬ ૨૧.
Page #232
--------------------------------------------------------------------------
________________
કર્તસૂચિ
૨૯
[ ‘પત્રકારત્વ : લેખસૂચિ'માં સમાવિષ્ટ લેખોના કર્તાની વર્ણાનુક્રમ સૂચિ, જેમાં જે તે કર્તાના નામની સામે સૂચિમાંની નોંધોના ક્રમાંક દર્શાવેલ છે. ]
કર્તાનાં નામ
સૂચિમાંની નોંધોના ક્રમાંક
અક્કડ, વલ્લભદાસ
૧, ૧૩૦, ૨૯૪, ૬૦૨
૧૧૧
અદાણી, રતુભાઈ અભિલાષકુમાર
૩૩૮
અશોક હર્ષ
૩૦૭, ૫૦૧
૧૪૩
૧૪૪
૫૧૩
૫૫૧
૫૬૯
૨-૪, ૧૨૩, ૧૪૫, ૨૯૮, ૨૯૯,
૩૬૧, ૩૯૭, ૫૫૨, ૫૫૩
૫
અંતાણી, જિતેન્દ્ર એન.
આચાર્ય, લક્ષ્મીપ્રસાદ જ.
આઠવલે, રામચંદ્ર બળવંત
આગિયા, શામજી લવજી
આવસત્થી, વિ. ય. ઉદ્દેશી, ચાંપશીભાઈ વિ.
એલેકઝાંડર, હોરેસ ઓઝા, ડંકેશ
ઓઝા, શશિન
કવિ, દયાશંકર ભ. કાપડિયા, રંગીલદાસ મ. કામદાર, છોટાલાલ માનસિંગ
કાલેલકર, કાકાસાહેબ
કાળે, વા.
કાંગા, જાલુ નવલ કૂક, ઍલિસ્ટેર
કોઠારી, જયંત
કોઠારી, વિઠ્ઠલદાસ મ. કોઠા૨ી, સુનીલ
૬-૮, ૧૧૨, ૩૬૬, ૩૬૭ ૮૦, ૩૪૦
૩૩૬
૩૦૦, ૩૦૧
૯-૧૧, ૧૦૩, ૧૧૯, ૩૬૮-૩૮૮,
૫૨૨, ૧૩૯, ૫૪૩, ૫૫૦, ૫૫૪
૧૨, ૩૫૧, ૩૫૬, ૩૮૯
૩૪૦
૧૪૩
૫૨૯
૨૭૯
૩૯૦
૧૦૮
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સાહિત્ય અને પત્રકારત્વ
કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ *બાઇટીસ, પીએરી
ખુશવંતસિંઘ ગાંધીજી
ગાંધી, ભોગીભાઈ ગાંધી, ભોગીલાલ
ગાંધી, વસંતરાય
ગાંધી, સામળદાસ લક્ષ્મીદાસ
ગાંધી, સુભદ્રા
ગાંધી, હિંમતલાલ ગરબડદાસ
ગોર, અજિત
ગૌતમ, ૨મેશનાથ રંગનાથ
ગૌદાની, હરિલાલ
ચતુર્વેદી, બનારસીદાસ
ચંદ્રાપીડ
ચેમ્બરલેન, વિલિયમ હેનરી
ચૌધરી માધવ મો.
ચૌધરી, રઘુવીર ચૌહાણ, હરિભાઈ જમીનદાર, રસેશ
જયન્ત
જાની, કૃપાશંકર જાની, બળવંત
જાની, રમેશ
જોશી, ઉમાશંકર
જોશી, કનૈયાલાલ
જોશી, ચંદ્રકાન્ત
જોશી, ડાહ્યાભાઈ
જોશી, દક્ષિણકુમાર
જોશી, પુરુરાજ
જોશી, રમણલાલ
જોશી, શિવકુમાર જ્ઞાનભક્તિ, ઉપ. ઝવેરી, બિપિન
૫૫૫
૧૩
૧૪
૩૯૧
૫૨૮
૨૩૮, ૨૪૭, ૩૯૨, ૩૯૩
૩૯૪
૬૦૩
૨૩૮
૩૯૫
૧૩૩
૩૯૬
૧૪૭
૩૦૨, ૩૪૬, ૫૧૪
૨૭૭, ૫૦૦, ૫૦૩
૩૯૭
૨૪૮
૧૫
૧૪૮
૨૭૨, ૨૭૩
૩૯૮
૫૭૦
૧૧૩
૧૨૫
૧૪૯, ૨૩૯, ૨૪૦, ૨૪૬, ૩૧૦
૧૫૦
૩૧૧
૧૪૦
૧૫૧-૧૫૩
૧૬, ૧૧૭, ૨૪૯, ૩૧૨
૧૫૪
૩૯૯
૨૯૩
Page #234
--------------------------------------------------------------------------
________________
ઝવેરી, સુકન્યા ટાંક, બિહારીલાલ ડગલી, ઇન્દિરા વા. ડગલી, વાડીલાલ ડગલી, શાંતિલાલ તંત્રી, ઊર્મિનવરચના તંત્રી, કુમાર
.
તંત્રી, ગ્રંથ તંત્રી, નવચેતન તંત્રી, નિરીક્ષક તંત્રી, પુસ્તકાલય
તંત્રી, પ્રસ્થાન તંત્રી, બુદ્ધિપ્રકાશ તંત્રી, માનસી તંત્રી, મિલાપ તંત્રી, વસંત તંત્રી, વિશ્વમાનવ
કર્તાસૂચિ ૨૩૩ ૨૫૦ ૧૪૨, ૨૯૫ ૩૧૩ ૧૭, ૨૫૧, ૩પ૨, ૪૦૦ ૩૧૪ ૩૦૩ ૧૨૯, ૧૩૬, ૧૫૫, ૨૦૯, ૨૧૩, ૨૩૩, રપર, ૨૫૩, ૨૮૦, ૨૯૬, ૩૦૪, ૩૪૫, ૪૦૧, ૫૧૮, ૫૭૧ ૩૧પ-૩૧૭ ૧૫-૧૬૯, ૨૨૫, ૫૪૪ ૧૮, ૧૯, ૨૧૪, ૪૦૨, ૪૦૩ ૨૦, ૩૦૮, ૪૦૪-૪૧૬, ૫૧૫, ૫૧૭, ૫૩૦, ૫૩૩ ૨૧ ૨૨, ૪૧૭, ૪૧૮ ૧૦૭, ૨૩૨ ૨૩, ૨૪, ૪૧૯, ૪૨૦, ૨૩૪ ૩૬૨, ૪૨૧ ૨૯૭, ૪૨૨-૪૨૪, ૫૪૬, ૫૪૭, પપ ૧૦૯, ૪૬૫, ૪૨૦, ૫૧૯, પપ૭ ૨૫, ૧૦૫, ૧૨૭, ૨૮૧, ૪૨૭, પ૨૩, ૧૪૯, ૫૭૨ * ૩૬૩, ૪૨૮ પ૨૭ ૩૦૪ ૪૨૯ ૨૯ ૨૫૪ ૨૭, ૨૮, ૮૨, ૨૨૮, ૫૨૪, ૫૫૮ ૧૩૮, ૧૭૦ ૪૩૦, ૫૭૪ ૩૫૦
તંત્રી, સમાલોચક તંત્રી, સંસ્કૃતિ
તંત્રી, સાહિત્ય ત્રિપાઠી, રમણીયરામ ગોવર્ધનરામ ત્રિવેદી, નલિનકાન્ત અ. ત્રિવેદી, નિરંજન ત્રિવેદી, શ્રદ્ધા ત્રિવેદી, સરોજ દલાલ, યાસીન દલાલ, રમણીકલાલ જ. દવે, અરવિંદ પી. દવે, જુગતરામ
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૩૪ ] સાહિત્ય અને પત્રકારત્વ
દવે, નાથાલાલ
દવે, મોહનલાલ પાર્વતીશંકર દવે, રોહિત
દવે, હરીન્દ્ર
દળવી, જયવન્ત
દિવેટિયા, ક્ષિતીશ
દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ દુરકાળ, મન્વંતરાય મણિરાય
દેઢિયા, ગુલાબ
દેસાઈ, અશ્વિન
દેસાઈ, ઇચ્છારામ
દેસાઈ, ઈશ્વરલાલ ઇચ્છારામ
દેસાઈ, કુમારપાળ
દેસાઈ, કેશવપ્રસાદ
દેસાઈ, જિતેન્દ્ર ઠા.
નારાયણ
દેસાઈ, દેસાઈ, નીરુભાઈ
દેસાઈ, પુષ્ક૨૨ાવ સાકરલાલ
દેસાઈ, પ્રાણલાલ કીરપારામ
દેસાઈ, મગનલાલ પ્રભુદાસ દેસાઈ, મહાદેવ હરિભાઈ દેસાઈ, મહેન્દ્ર વાલજીભાઈ દેસાઈ, મોરારજી
દેસાઈ, વનમાળા
દેસાઈ, વામનરાવ કૃષ્ણલાલ દેસાઈ, હરિભાઈ
દેસાઈ, હેમન્ત
દોશી, યશવંત
ધનભૂરા, ફરામરોજ
ધૂમકેતુ
ધુ, ગટુભાઈ
ધ્રુવ, આનંદશંકર
નહેરુ, જવાહરલાલ
૪૩૧
૪૩૨
૩૧૮
૨૯, ૨૨૯
૫૭૫
૩૧૯
૩૬૪
૪૩૩
૩૦
૨૫૫, ૫૭૬
૩૧
૭
૩૨-૩૪, ૧૭૧, ૨૫૬, ૪૩૪
૪૩૬, ૪૭૯, ૫૭૭, ૫૭૮
૪૩૭
૩૫, ૩૨૦
૩૫૩
૩૬, ૨૩૦
૫૪૫
૩૭
૫૩૫, ૫૭૯-૫૮૧, ૬૦૫
૦૬
૩૨૧
૩૨૨
૩૨૩
605
૫૫૯
૩૮
૨૧૭, ૨૩૫, ૩૨૪,૫૮૨-૫૮૪
૩૦૫
૪૩૮
૧૩૨
૩૯
૪૦, ૪૩૯
Page #236
--------------------------------------------------------------------------
________________
કર્તાસૂચિ | ૨૩૫
૫૧૧ ૪૧ ૪૨ ४४० ૨૭૬
૧૭૨
ર૭૮
૫૮૫
નાગ, કાલિદાસ નાગ, ક્ષિતીન્દ્રકુમાર નાણાવટી, શશીકાન્ત નાણાવટી, શંકરપ્રસાદ સમર્થપ્રસાદ નાયક, ચીનુભાઈ નાયક, પ્રાણસુખ નીલકંઠ, હેમન્તકુમાર પટેલ, ચી. ના. પટેલ, ચીમનભાઈ પટેલ, જયવદન પટેલ, જયંત પટેલ, ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ, ધીરજલાલ પુ. પટેલ, બહેચરભાઈ ક. પટેલ, બહેચરભાઈ મણિલાલ પટેલ ભોળાભાઈ પટેલ, મણિલાલ હ. પટેલ, મહેન્દ્ર પટેલ, માણેકલાલ પટેલ, રણછોડભાઈ પી. પટેલ, રણજિત પટેલ, રતિલાલ ઉકાભાઈ પટેલ, લાલભાઈ બી. પટેલ, વલ્લભભાઈ પટેલ, સાં. જે. પરમાર, જયન્ત પરમાર, જયમલ્લ પરમાર, તખ્તસિંહ પરાશર પરીખ, ગીતા પરીખ, ધીરુભાઈ પરીખ, નિરંજન પરિખ, મણિલાલ કેશવલાલ પલાણ, નરોત્તમ
૪૩, ૪૪૧ ४४ ૪૪૨ ૪૪૩ ૯૦૮ ૨૫૭ પ૮૬ ૩૬૦, ૫૮૭-૫૮૯ ૪૪૬, ૪૪૭ ૧૭૩ ૨૫૮ ४४८ ૪૫ ૫૧૦ ૧૭૪
૪૩
પ૯૦ ૧૭૫ ૧૧૧, ૨૨૦, ૨૪૧ ૧૭૬ ४७ ૨૫૯ ૨૪૨, ૨૪૫, ૫૬૦ ४४८ ૪૪૪, ૪૪૫ પ૯૧
Page #237
--------------------------------------------------------------------------
________________
૪૮
૨૩૬ ] સાહિત્ય અને પત્રકારત્વ
પંચોલી, ઈશ્વર જે. પંડિત, ચંદ્રમણિશંકર જેઠાલાલ પંડિત, બહાદુરશાહ પંડ્યા, જમિયત પંડ્યા, જયન્ત પંડ્યા, નવીનચંદ્ર પંડ્યા, મહેન્દ્ર ન. પંડ્યા, રંજિતલાલ હરિલાલ પંડ્યા, વિષ્ણુ પાઠક, જયન્ત પાઠક, દેવવ્રત પાઠક, પ્રભાશંકર જયશંકર પારસ, ઉપ. પારેખ, નગીનદાસ પારેખ, મધુસૂદન પારેખ, હિરાલાલ ત્રિભોવનદાસ પિનાકિન, ઉપ. પીયૂષ, ઉપ. પુરોહિત, સોમેશ પેટલીકર, ઈશ્વર પ્રજાપતિ, રમેશ બીલીપત્ર, ઉપ. બૂચ, હસિત હ. બ્રોકર, ગુલાબદાસ ભગવતી, હિરાલાલ હરિલાલ ભટ્ટ, કાંતિ ભટ્ટ, કિરીટ ર. ભટ્ટ, ચુનીલાલ બેચરલાલ ભટ્ટ, બલવંત ભટ્ટ, યોગેન્દ્ર વિ. ભટ્ટ, રવિશંકર સં. ભટ્ટ, વિનોદ ભટ્ટ, વિશ્વનાથ મગનલાલ ભટ્ટાચારજી , અજિત
૪૫૦ ૨૬૦ ૧૭૭ ૪૯, ૪૫૧, ૪પર ૧૭૮ GOL ૫૦ પ૧, પર, ૨૧૫, ૪૫૩, ૫૪૮ ૩૨૫ ૨૯૦, ૪૫૪ ૪પપ ૫૪૧ ૧૩૯ પ૩, ૧૨૨, ૨૧૦, ૩૫૦, ૩૫૪ ૫૪-૫૮, ૧૯૨ ૪૫૬ ૧૩, ૪પ૭ ૧૪૦ ૨૧૧, ૪૫૮, ૪૫૯
૨૭૪
४७० ૩પ૯ પ૯, ૧૭૯ ૨૬૧ ૫૬૧ ૧૦, ૧૧, ૧૯૩ ૪૬૧ ૨૬૨ ૩૨૬ ૩૨૭ ૧૮૦, ૨૬૩, ૩૩૯, ૩૪૨, ૪૬૨ પ૯૪ ૪૬૩
Page #238
--------------------------------------------------------------------------
________________
મજમુદાર, ચંદ્રકાન્ત જ. મજમુદાર, દેવેન્દ્ર
મડિયા, ચુનીલાલ
મણિલાલ છબારામ
કિશોરલાલ
મશરૂવાળા, મહેતા, ઉષા
મહેતા, કપિલરાય મ.
મહેતા, કેતન
મહેતા, ચંદ્રકાન્ત
મહેતા, ચંપકલાલ
મહેતા, જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા, જયંતીલાલ મહેતા, જસવંત
મહેતા, મોહનલાલ ‘સોપાન’
મહેતા, રવિશંકર
મહેતા, વાસુદેવ
માવળંકર, દાદાસાહેબ માવળંકર, પુરુષોત્તમ ગણેશ
માર્શલ, રતન રુસ્તમજી
માસ્તર, કરીમ મહમ્મદ માસ્તર, ધર્મેન્દ્ર ‘મધુરમ્’
માળવી, નટવરલાલ
માંકેકર, ડી. આર.
મિસ્ત્રી, ઇબ્રાહિમ હાજીમહમ્મદ
મિસ્ત્રી, શાંતાબહેન ૨. મેઘાણી, ઝવેરચંદ
મેઘાણી, મહેન્દ્ર
મેઘાણી, ૨મણીક મેરિલ, જ્હોન સી.
મોદી, નગીન
મોદી, મનહર
મૌર્ય, વિજયગુપ્ત
યાજ્ઞિક, અમૃતલાલ
૧૮૧
૬૨
૬૩, ૨૨૧
૧૧૦
૬૪
૩૨૮
૪૬૪, ૬૧૦
૪૬૫
૭૪
૪૭૫
૭૫
૨૯૧
કર્તાસૂચિ
૬૫, ૧૩૪
૧૮૨, ૧૮૩, ૨૮૨
૨૨૭
૨૬૪
૧૮૪
૬૬, ૪૬૬, ૬૧૧
૬૭, ૬૮, ૬૧૨
૬૯, ૧૮૫, ૪૬૭, ૪૬૮
૭૦
૩૨૯
૫૨૫
૭૧, ૭૨
૭૩, ૧૮૬, ૧૮૭, ૪૬૯-૪૭૪,
૬૧૩-૬૧૬
૭૬
૪૭૬
૩૦૬
૪૭૭
૪૭૮
૩૫૫
૧૮૮
૪૭૯
૨૩૭
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૮ - D સાહિત્ય અને પત્રકારત્વ
યાજ્ઞિક, ચંદ્રકાન્ત યુગબાલ, ઉપ. રશ્મિન, ઉપ. રાજુ. એસ. કે. રાવ, ચલપતિ રાવ, ડી. પી. રાવત, બચુભાઈ
૧૮૯ પકર ૧૨૦ ४८० ૨૧૮
૭૮, ૧૯૦, ૧૯૨, ૨૬૫, ૬૧૭, ૧૧૮ ૪૮૧ ૨૨૩ ૩૫૮ ૧૯૧ ૧૨૧ ૧૯૨, ૧૯૩, ૨૪૩, ૩પ૬ ૧૧૪
રાવલ, અભય રાવલ, પ્રકાશમ્ રાવલ, રમેશ ડી. રાવલ, અનંતરાય રાવલ, ગજેન્દ્ર રાવળ, રવિશંકર મ. વડગામા, નીતિન વડોદરિયા, ભૂપત વનરાવન વસાણી, વ્રજલાલ વાઈવાલા, દાસબહાદૂર વાઘરિયા, ઇબ્રાહિમ વાળંદ, નરોત્તમ વિદ્યાલંકાર, શંકરદેવ
૪૮૨
७८
વિભાકર, નૃસિંહદાસ વલ્લી, રોલેન્ડ વૈદ્ય, વિજયરાય ક. વ્યાસ, કાંતિભાઈ વ્યાસ, મૂળશંકર પ્રેમજી વ્યાસ, રજની વ્હોરા, હિમાંશુ શર્મા, ભગવતીકુમાર શાસ્ત્રી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, રમાનાથ શાહ, ગુણવંત છો.
૨૩૬ ૪૮૩ પ૩૧ ૧૯૪, ૫૬૩ ૧૦૪, ૧૧૫, ૨૧૯, ૨૩૪, ૩૩૭, उ४४ ૨૩૭, ૩૬૫ ૮૦ ૧૦૬, ૧૩૧ ૩૩૦ ૪૮૪ ૧૯૫ ૩૫૭ ૮૧, ૮૨, ૧૯૬, ૨૭૦ ૬૧૯ ૩૪૩ '૧૨, ૫૩૨
Page #240
--------------------------------------------------------------------------
________________
કર્તાસૂચિ ] ૨૩૯
શાહ, ચંદ્રકાન્ત શાહ, ચંદુલાલ ના. શાહ, ચીમનલાલ મંગળદાસ શાહ, ચીમનલાલ ચકુભાઈ શાહ, ચુનીલાલ વર્ધમાન શાહ, જયંતીલાલ શાહ, પી. કે. શાહ, પ્રકાશ ન. શાહ, પ્રતાપ શાહ, પ્રીતિ શાહ, બળવંતભાઈ શાહ, બળવંતરાય શાહ, મુકુન્દ પી.
૮૩ ८४ 3४८ ૩૦૯, ૪૮૫ ૮૫, ૮૬, ૪૮૬, ૬૨૦-૬૨૨ ૧૯૭ ૨૨૬
૧૯૮
४८७ ૪૬૮, ૪૮૮
૧૨૮, ૪૮૯, ૪૯૦ ૮૮, ૧૯૯, ૨૦૦, ૨૩૧, ૨૩૬, ૩૦૨, ૪૯૧, ૫૫ ૨૦૧, ૨૦૨ ૨૦૮, ૨૬૭ ૪૯૨ ૪૯૩ ૮૯ ૨૯૨
૫૪૦
૫૨૬
શાહ, મૂળજીભાઈ પી. શાહ, રમણલાલ ચી. શાહ, રમેશ બી. શાહ, વાડીલાલ મો. શાહ, શ્રેયાંસ શાહ, હરિલાલ શાહ, હર્ષવદન “ઉત્સુક શાહ, હેમન્તકુમાર શાંતિપ્રિય શિવમ્ સુંદરમ્, ઉપ. શુક્લ, ચ્યવનરાય શુક્લ, જયદેવ શુક્લ, ડી. એન. શુક્લ, બંસીધર શુક્લ, બિપિન શુક્લ, યજ્ઞેશ હ.
૨૦૩ ૪૯૪, પ૯૬, ૫૯૭
૧૪૧ ૨૦૪ ૫૦૨, ૫૦પ ૯૧- ૯૩, ૧૨૪, ૧૨૬, ૧૩પ, ૨૦૫, ૨૧૬, ૨૪૪, ૨૭૧, ૨૮૩૨૮૯, ૩૪૧, ૩૪૯, ૪૯૫-૪૯૭, પ૨૦, પર૧, ૫૩-૫૩૮, ૫૪૨, ૫૬૪-૫૬૬
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૪૦
C સાહિત્ય અને પત્રકારત્વ
શુક્લ, યશવન્ત
શેઠ, અમૃતલાલ શેઠ, કેશવ હ.
શેઠ, ચંદ્રકાન્ત
શેઠ, પ્રવીણ
શેઠી, વિશ્વનાથ
શેલત, કાલિદાસ કૃપાશંકર
શાં, ઇરવિન
શૌરી, અરુણ
શ્રીવાસ્તવ, ભગવતીપ્રસાદ
સતીકુમાર મગનલાલ
સદાવ્રતી, નરભેરામ
સપ૨સ્ટોન, માઇકલ
સરકાર, કમલ
સવાણી, રમેશ
સંઘવી, જિતેન્દ્ર
સંઘવી, હંસા
સામાણી, સુરેશ
સાંડેસરા, ભોગીલાલ જ .
સિદ્દિકી, હસિનુદ્દીન
સુતરિયા, ચંદ્રકાન્ત સૂળે, ખંડેરાવ
સેલારકા, ચંદુલાલ
સોલંકી, ૨મણીકલાલ
સ્ટોપર્ફોર્ડ, ફ્રાન્સિસ
સ્નેહરશ્મિ, ઉપ.
હાજીતૈયબ, ઉસ્માનગની હેમાણી, ત્રિભુવન વીરજીભાઈ
૯૪, ૯૫, ૧૧૮, ૧૩૭, ૨૧૨,
૨૨૪, ૨૬૮, ૩૩૧, ૪૯૮, ૬૨૩ ૯૬
૪૯૯, ૧૯૮
૨૬૯
૧૧૬
૫૦૦
૬૨૪
૧૦૧
૫૦૨
૫૦૩
૨૨૨
૧૯૯
૧૦૫
૯૭
૫૦૬
૩૩૨
૩૩૩
૧૪, ૯૮
૨૦૬, ૫૦૦, ૭૨૫
૬૦૦
૫૦૮
૨૨૩
૨૦૭
૩૩૪
૫૦૯
૩૩૫
૬૦૧
૯૯-૧૦૨, ૫૧૦, ૫૧૩, ૫૬૭, ૫૬૮
Page #242
--------------------------------------------------------------------------
________________ આ સંવર્ધિત આવૃત્તિ દરેક પ્રવૃત્તિનાં બે પરિણામો હોઈ શકે : એક, તત્કાલવર્તમાનને પ્રભાવિત કરનારું પરિણામ અને બીજું થયેલા કામની દૂરગામી અસરો નીપજાવનારું પરિણામ. આ ભૂમિકાએ ગુજરાતી સાહિત્ય પરિષદે ‘સાહિત્ય અને પત્રકારત્વ' વિષય પર ૨૦મી એપ્રિલ, ૧૯૮૦ના દિવસે યોજેલો પરિસંવાદ ઉપર નિર્દેશ્યાં છે એ બંને પરિણામોની દૃષ્ટિએ સફળ રહ્યો છે. પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા શ્રોતાઓ તેમાં અપાયેલાં વક્તવ્યોથી સમૃદ્ધ થયા તો એ વક્તવ્યો પૂર્વે પરબ'ના વિશેષાંક રૂપે તથા પછીથી ‘સાહિત્ય અને પત્રકારત્વ' એ શીર્ષકથી ગ્રંથ રૂપે સુલભ બનતાં પત્રકારત્વ અને સાહિત્ય ઉભયક્ષેત્રનાં જિજ્ઞાસુઅભ્યાસી વાચકો પણ લાભાન્વિત થયા. - ૧૯૮૦માં પ્રકાશિત થયેલું એ પુસ્તક છેલ્લાં કેટલાંક વર્ષોથી અલભ્ય થયું હતું. એ સ્થિતિમાં માત્ર તેનું પુનર્મુદ્રણ ન કરતાં સામગ્રીમાં થોડું સંવર્ધન પણ થયું છે જેનો યશ સંપાદક શ્રી કુમારપાળ દેસાઈને ફાળે જ જાય છે. અપેક્ષા છે સંવર્ધિત રૂપે પુનર્મુદ્રિત આ આવૃત્તિ પણ સૌનો આવકાર પામશે. માધવ રામાનુજ પ્રકાશનમંત્રી ગુજરાતી સાહિત્ય પરિષદ