________________
પ્રકાશકીય
દરેક પ્રવૃત્તિનાં બે પરિણામો હોઈ શકે : એક, તત્કાલવર્તમાનને પ્રભાવિત કરનારું પરિણામ અને બીજું થયેલા કામની દૂરગામી અસરો નીપજાવનારું પરિણામ. આ ભૂમિકાએ ગુજરાતી સાહિત્ય પરિષદે ‘સાહિત્ય અને પત્રકારત્વ' વિષય પર ૨૦મી એપ્રિલ, ૧૯૮૦ના દિવસે યોજેલા પરિસંવાદ ઉપર નિર્દેશ્યાં છે. એ બંને પરિણામોની દૃષ્ટિએ સફળ રહ્યો છે.
પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા શ્રોતાઓ તેમાં અપાયેલાં વક્તવ્યોથી સમૃદ્ધ થયા તો, એ વક્તવ્યો પૂર્વે પરબના વિશેષાંક રૂપે તથા પછીથી “સાહિત્ય અને પત્રકારત્વ' એ શીર્ષકથી ગ્રંથ રૂપે સુલભ બનતાં પત્રકારત્વ અને સાહિત્ય ઉભયક્ષેત્રનાં જિજ્ઞાસુ-અભ્યાસી વાચકો પણ લાભાન્વિત થયા.
૧૯૮૦માં પ્રકાશિત થયેલું એ પુસ્તક છેલ્લાં કેટલાક વર્ષોથી અલભ્ય થયું હતું. એ સ્થિતિમાં માત્ર તેનું પુનર્મુદ્રણ ન કરતાં સામગ્રીમાં થોડું સંવર્ધન પણ થયું છે જેનો યશ સંપાદક શ્રી કુમારપાળ દેસાઈને ફાળે જ જાય છે. અપેક્ષા છે સંવર્ધિત રૂપે પુનર્મુદ્રિત આ આવૃત્તિ પણ સૌનો આવકાર પામશે.
માધવ રામાનુજ
પ્રકાશનમંત્રી ગુજરાત સાહિત્ય પરિષદ