________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨
गोपो बब्बूलशूल्यग्रे प्रोतयूकोत्थपातकात् । अष्टोत्तरशतवारान् शूलिकारोपणान्मृतः ॥२॥
આ પૃથ્વીતલ ઉપ૨ જીવદયા જેવો ઉત્તમધર્મ ક્યાંય નથી. માટે માણસે સંપૂર્ણ-સર્વ પ્રયત્નપૂર્વક પ્રાણીની દયા પાળવી જોઈએ. કોઈ ગોવાળીયાએ માથામાંથી નિકળેલી જુને બાવળની શૂળમાં પરોવી દીધી તેના પાપથી તે ગોવાળીઓ એકસો ને આઠ ભવ સુધી શૂળીએ ચડીને અકાળ મૃત્યુ પામતો રહ્યો.
ઇત્યાદિ શ્રી હેમચંદ્રાચાર્યજીનો ઉપદેશ સાંભળી રાજા કુમારપાળે પહેલું પ્રાણાતિપાતવિરમણવ્રત લઈ પોતાના અઢારે દેશમાં અમારી (અહિંસા)ની ઘોષણા કરાવી તથા બીજા દેશોમાં પ્રેમથી કે બળ વાપરીને પણ અમારી પળાવી પોતાના અઢાર લાખ ઘોડાં, અગ્યારસો હાથી, એંશી હજાર ગાયો તથા પચાસ હજાર ઊંટોને ગાળીને જ પાણી પીવરાવવાની પાકી વ્યવસ્થા કરી.
રાજા કુમારપાળ એકવાર કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા હતા ત્યાં તેમના પગે મકોડો કરડીને ચોંટી ગયો. પાસે રહેલાં સેવકોએ તેને પગથી ઉખેડવા યત્ન કર્યો પણ મકોડો તો બરાબર ચામડી બટકાવી ચીટકી બેઠો હતો. રાજાએ જાણ્યું કે મકોડાને દૂર કરતાં તેને કિલામના થશે માટે કાતર મંગાવી મકોડાએ મોઢામાં પકડેલી ચામડીનો ભાગ કાપી બાજુમાં મૂકી. રાજાનું ધૈર્ય અને જીવો પરની દયા લોકો જોતા જ રહી ગયા.
ચોમાસામાં જીવવિરાધનાથી બચવા માટે પોતે જ નગર બહાર ન જવાનો નિયમ લીધો
હતો.
એકવાર શ્રી હેમચંદ્રસૂરિજીએ પુરાણાદિ લૌકિકગ્રંથોમાં પણ પાણી ગળીને વાપરવાનું કહ્યું છે અને તેનું શું મહાત્મ્ય છે તે બતાવતાં કહ્યું
त्रैलोक्यमखिलं दत्वा, यत्पुण्यं वेदपारगे ।
તત: જોટિમુળ પુછ્યું, વસ્ત્રપૂર્તન વાળા ॥ ॥ ग्रामाणां सप्तके दग्धे, यत्पापं जायते किल । तत् पापं जायते राजन्, नीरस्यागलिते घटे ॥ २ ॥ संवत्सरेण यत्पापं, कैवर्तस्येद जायते । જાદેન તરાપ્નોતિ, અપૂતનાસંગ્રહી ॥ રૂ ॥ यः कुर्यात् सर्वकार्याणि, वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः स योगी स महाव्रती ॥ ४ ॥ म्रियते मिष्टोतोयेन पूतराः क्षारसंभवाः । क्षारतोयेन मिष्टानां न कुर्यात् संकुलं ततः ॥ ५ ॥