Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः । सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥ १६ ॥
यो न हृष्यति न द्वेष्टि, न शोचति न काङ्क्षति । शुभाऽशुभपरित्यागी, भक्तिमान् यः स मे प्रियः ॥ १७ ॥
समः शत्रौ च मित्रे च, तथा मानाऽपमानयोः । શીતોષ્ણ-સુરવું-ફુટવેષ સમ: સાવિગત: // ૧૮ ||
तुल्यनिन्दास्तुतिौनी सन्तुष्टो येन केनचित् । अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः ॥ १९ ॥
ये तु धामृतमिदं यथोक्तं पर्युपासते । श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥ २० ॥
- નીતા, સંધ્યાય - ૬૨ ભક્તના પ્રાયઃ આ બધા જ લક્ષણો પૂજયશ્રીમાં આપણને ઘટતા દેખાશે.
છે. આવા પ્રભુ-ભક્તના શ્રીમુખે નીકળેલા ઉંગારો કેટલા મહત્ત્વપૂર્ણ હશે ! તે અગાઉ પ્રકાશિત થયેલ ત્રણ પુસ્તકોના અભિપ્રાયોથી ખ્યાલ આવે છે.
આ પુસ્તક અંગે આમુખ લખી આપનાર પ્રવચન-પ્રભાવક, યોગમાર્ગના રસિક પૂજય આચાર્યશ્રી યશોવિજયસૂરિજી મહારાજ, પ્રવચનપ્રભાવક બંધુબેલડી પૂજય આચાર્યશ્રી જિનચન્દ્રસાગરસૂરિજી મહારાજ, પૂજ્ય આચાર્યશ્રી હેમચન્દ્રસાગરસૂરિજી મહારાજ દ્વારા અમે અનુગૃહીત થયા છીએ.
કે આ ત્રણેય પ્રકાશનો અંગે સ્વારસ્યપૂર્વક મૂલ્યવાન માર્ગદર્શન આપનાર વિદ્વદ્વર્ય પૂજય પંન્યાસ પ્રવરશ્રી કલ્પતરુવિજયજી ગણિવરના અમે ઋણી છીએ.
આ અવતરણ-સંપાદનના કાર્યમાં ક્યાંય પૂજ્યશ્રીના આશય-વિરુદ્ધ આલેખન થયું હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડું યાચીએ છીએ.
અન્ય ત્રણ પુસ્તકોની જેમ આ પુસ્તકને પણ જિજ્ઞાસુ વાચકો ઉમળકાભેર વધાવી લેશે તેવી શ્રદ્ધા રાખીએ છીએ.
- પંન્યાસ મુક્તિચન્દ્રવિજય ગણિ
- ગણિ મુનિચન્દ્રવિજય