Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005251/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન સંપાદિકા નિરંજના વોરા ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦૦૧૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર પ્રકાશન શ્રેણી પુ ૫ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન મુનિશ્રી પુણ્યવિજયજી જન્મશતાબ્દી નિમિતે યોજાયેલા પરિસંવાદમાં રજૂ થયેલા સંશોધન-લેખો સંપાદિકા નિરંજના વોરા RAN આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦૦૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક પીયૂષ રમણલાલ શાહ કા. કુલસચિવ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૧૪ કિંમત : ૧૨૫-૦૦ રૂપિયા © ગૂજરાત વિદ્યાપીઠ ISBN : 81-86445-04-8 પહેલી આવૃત્તિ, પ્રત : ૫૫૦, માર્ચ, ૨૦૦૧ મુદ્રક જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન ઈ.સ. ૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાના રૂપમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાની સાથે જ વિદ્યાપીઠના પુરાતત્ત્વમંદિરમાં ભારતીય સંસ્કૃતિના ગહન અધ્યયનના ઉદ્દેશથી પ્રાકૃત-પાલિ વગેરે પ્રાચીન ભાષાઓ તથા જૈન-બૌદ્ધદર્શનોના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન, અનુવાદ વગેરેની પ્રવૃત્તિઓનો સવિશેષ આરંભ થયો, જેના વિકાસમાં મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, આચાર્ય ધર્માનંદ કોસંબી વગેરે જૈન-બૌદ્ધ-વિદ્યાના પ્રખર વિદ્વાનોએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. ઈ.સ. ૧૯૯૩ના એપ્રિલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયનકેન્દ્રની સ્થાપના થયા પછી જૈનદર્શનના ક્ષેત્રમાં અધ્યયન-અધ્યાપનના કાર્યનો પણ આરંભ થયો છે. આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયનકેન્દ્ર અને જૈનોલૉજીના સંયુક્ત ઉપક્રમે ૩૧ જુલાઈ, ૧૯૯૭ના રોજ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીની જન્મશતાબ્દી નિમિત્તે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનોપાસના મુનિ શ્રી પુણ્યવિજયજીનું જીવનલક્ષ્ય હતું. ધર્મમય જીવન જીવવાની સાથે જ્ઞાનભંડારોના ઉધ્ધારક, હસ્તપ્રતોના સંરક્ષક અને આગમવિદ્ તરીકે તેમણે કરેલી છુતોપાસનાનું અનેકગણું મહત્ત્વ છે. શ્રી પુણ્યવિજયજી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષાના છંદ અને વ્યાકરણના પ્રખર વિદ્વાન હતા. જૈન શાસ્ત્રો અને આગમોના અધિકૃત જ્ઞાતા હોવાની સાથે મહાન પુરાતત્ત્વવિદ્ હતા. ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, લિપિશાસ્ત્ર, પ્રાચીન ચિત્રકલા, સિક્કાઓ, મૂર્તિશાસ્ત્ર વગેરે વિશેનું તેમનું જ્ઞાન વ્યાપક અને તલસ્પર્શી હતું. સંશોધક તરીકે સાંપ્રદાયિક અને વ્યક્તિગત મતમતાન્તરો અને પૂર્વગ્રહોથી મુક્ત એવી ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિ પણ તેમણે વિકસાવી હતી. તેમની પુણ્યસ્મૃતિમાં આયોજિત પરિસંવાદમાં રજૂ થયેલા સંશોધનલેખો આ ક્ષેત્રના અભ્યાસીઓને ઉપયોગી બની રહે તે માટે ગ્રંથરૂપે પ્રગટ કરવાનું વિચાર્યું હતું. ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય અને તેના અવશેષો તથા જૂની પ્રાચીન હસ્તપ્રતોને આપણી સંસ્કૃતિના પુરાવાઓ માટેની મહત્ત્વની સામગ્રી ગણાવી શકાય. ३ Page #5 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતવિઘાનો આપણે ત્યાં યોગ્ય વિકાસ થયો નથી. એક વિષય તરીકેનો પ્રાથમિક પરિચય કે એમાંની લિપિનો પરિચય મળી રહે એ માટે બહુ અલ્પ પ્રમાણમાં સામગ્રી મળે છે. અને આગમ સાહિત્યનું તો એનું આગવું મહત્ત્વ છે જ. તે પરિસ્થિતિમાં ડૉ. નિરંજના વોરાએ 'હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય વિશેના અભ્યાસપૂર્ણ લેખોનું કરેલું આ સંપાદન સંશોધકોને માટે માર્ગદર્શક બની રહેશે તેવી શ્રદ્ધા છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ આમુખ આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીની જન્મશતાબ્દી નિમિત્તે આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલૉજીના સંયુકત ઉપક્રમે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જૈનદર્શનના પ્રસારનું કાર્ય કરે છે અને આ પરિસંવાદનું અનુસંધાન હોય એ રીતે અત્યારે આ સંસ્થા દ્વારા જર્મની અને ઇંગ્લેન્ડમાં રહેલી જૈન હસ્તપ્રતોની સૂચિ તૈયાર થઈ રહી છે. હસ્તપ્રત સંપાદનની મુનિ શ્રી પુણ્યવિજયજીની કેટલીક વિશેષતાઓ તત્પણ સ્મરણમાં આવે છે. તેઓ શાસ્ત્રીય વિષયોના અભ્યાસી હતા જ, પરંતુ ગ્રંથમાં આવતા ઈતર સાહિત્યથી પાગ એટલા જ પરિચિત હતા. જે બાબત તેઓને સ્પષ્ટ સમજાતી નહીં, તે અંગે ખૂબ પરિશ્રમ કરીને તેનો ઉકેલ મેળવ્યા પછી જ સંપાદનકાર્ય આગળ ધપાવતા. આમ સત્યની એકાદ હીરાકણી માટે રાતદિવસ મથામણ કરતા જોવા મળતા હતા. પ્રાચીન, જીર્ણશીર્ણ હસ્તપ્રત એમના હાથમાં આવતાં એની આપવીતી બોલવા માંડતી. ચોંટીને રોટલા જેવી થઈ ગયેલી હસ્તપ્રત, ટુકડેટુકડા થઈ ગયેલી તાડપત્રીઓ કે એકબીજામાં સેળભેળ થઈ ગયેલાં હસ્તપ્રતનાં પત્રો એમના દ્વારા પુનર્નિમાણ પામ્યાં. જ્ઞાનના આ તપસ્વીએ જેસલમેરના ભંડારમાં સોળ સોળ મહિના સુધી અખંડ વિઘાતપ કર્યું અને આ અને આવા બીજા જ્ઞાનભંડારોને પહેલાં સુરક્ષિત બનાવ્યા અને પછી વિદ્વાનો માટે સુલભ કર્યા. પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્યે જ્ઞાનમંદિરની સ્થાપના કરી. જ્ઞાનોદ્ધાર અને જ્ઞાન પ્રસારમાં જીવંત રસ હોવાથી કેટલાય જ્ઞાનભંડારોને તેઓએ નામશેષ થતાં બચાવ્યા. આવા આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી હસ્તપ્રત ભંડારમાં બેઠા હોય ત્યારે આરામ, આહાર અને ઊંધ પણ વીસરી જતા હતા. વિદ્વાનો અને વિદ્યાના ખપીઓને સહાય કરવાની એમની સદૈવ તત્પરતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ પ્રકાશન યોજના અંગે તેમણે એમ કહ્યું કે વિદ્વાનો આ ગ્રંથને તપાસે. એમાં કોઈ સ્કૂલના રહેલી હોય કે સંપાદનપદ્ધતિનો દોષ હોય તે અમને જણાવશે તો અમે રાજી થઈશું. તેઓ નોંધે છે કે, સ્તુતિ Page #7 -------------------------------------------------------------------------- ________________ કરનારા ઘણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડનારા વિદ્વાન ઓછા મળે છે. હું ઇચ્છું છું કે ત્રુટિઓ બતાવે તો એનો ભવિષ્યમાં અમારા સંપાદનમાં ઉપયોગ કરીશું.’ એમને જોતાં એવો પ્રશ્ન થતો કે એમની વિદ્વત્તા ચડે કે સાધુતા ? એનો ઉત્તર એ કે એમની સાધુતા વિદ્વત્તાથી વધુ શોભાયમાન બની હતી અને વિદ્વત્તા સાધુતાના પારસસ્પેશથી વધુ કલ્યાણકારી બની હતી. આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ કરેલાં સંપાદનોની સર્વાંગી પરિપૂર્ણતાથી માત્ર દેશના નહીં, બલકે વિદેશના વિદ્વાનો પણ પ્રસન્ન થયા હતા. કઠિનમાં કઠિન ગ્રંથો એમના સંપાદન દ્વારા અણીશુદ્ધ બનીને નવસર્જન પામતા હતા. જૈનસાહિત્ય ઉપરાંત બૌદ્ધસાહિત્ય અને વૈદિક સાહિત્યમાં એમની રુચિ હતી અને ઐતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિ તથા તટસ્થ વિચાર કરવાની પદ્ધતિને લીધે એમનું કાર્ય માત્ર જૈનસાહિત્ય કે ભારતીય સંસ્કૃતિની દૃષ્ટિએ જ નહીં, બલકે માનવ સંસ્કૃતિને માટે મહત્ત્વનું બની રહ્યું. આમ નરી આંખે ન દેખાય તેવું આંતરિક તપ સ્વાધ્યાય તપ - કર્યું અને જીવંત વિદ્યાલય સમા વિદ્યાર્થીઓ આપ્યા. અનેક સંસ્થાઓ અને ગ્રંથમાળાઓમાં પ્રાણ પૂર્યા. આવા મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના જીવનકાર્યને અનુલક્ષીને એમની જન્મશતાબ્દીએ વિન્ગોષ્ઠીનું બે સંસ્થાઓના સહયોગથી સુંદર આયોજન થયું, તેનો આનંદ આ ગ્રંથના પ્રકાશન સમયે વ્યક્ત કરું છું અને ડૉ. નિરંજનાબહેન વોરાએ આ ગ્રંથ તૈયાર કરવા માટે ઉઠાવેલા પરિશ્રમ બદલ તેમને ધન્યવાદ આપું છું. અમદાવાદ ૬-૪-૨૦૦૧ ६ - કુમારપાળ દેસાઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી પુણ્યવિજયજી જન્મશતાબ્દી નિમિત્તે આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયનકેન્દ્ર અને ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન” વિશે પરિસંવાદ યોજાયો હતો. તેનો મંગલ આરંભ શ્રી ભદ્રાબેન સવાઈની પ્રાર્થનાથી થયો હતો. ડૉ. નિરંજના વોરાએ સ્વાગત-પ્રવચન કર્યા પછી શ્રી આત્માનંદજી (શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્ર, કોબા)એ દીપ પ્રગટાવીને પરિસંવાદનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્દઘાટન-પ્રવચન કરતાં શ્રી પુણ્યવિજયજીનાં હસ્તપ્રત અને આગમ સાહિત્યનાં સંશોધન અને સંપાદનનાં ક્ષેત્રે થયેલાં વિશિષ્ટ પ્રદાનનો પરિચય આપ્યો હતો. જ્ઞાનોપાસના સાથે સ્વ-સ્વરૂપની ઓળખ મેળવવાનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. સમારંભનું અધ્યક્ષપદ ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી ગોવિંદભાઈ રાવલે સંભાળ્યું હતું. તેમણે જૈનદર્શનની વિશિષ્ટતાઓ સમજાવીને શ્રી પુણ્યવિજયજી પ્રેરિત જ્ઞાનોપાસનાનાં કાર્યને ગતિશીલ બનાવવાનો અનુરોધ કર્યો હતો. શ્રી કુમારપાળભાઈ દેસાઈ, શ્રી નગીનભાઈ શાહ અને ચિનુભાઈ નાયકે શ્રી પુણ્યવિજયજીનાં જીવન-કવન અને બહુશ્રુતતા વિશે મનનીય પ્રવચનો આપ્યાં હતાં. અંતમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ શ્રી શૈલેશભાઈ પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્થાપિત જૈનકેન્દ્રની પ્રવૃત્તિઓનો પરિચય આપીને આભારદર્શન કર્યું હતું. આ પરિસંવાદ નિમિત્તે “આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી-સ્મૃતિ-વિશેષ” વિષયક એક પ્રદર્શનનું આયોજન ‘ભારતીય-સંસ્કૃતિ સંગ્રહાલયમાં કરવામાં આવ્યું હતું. પ્રાકૃત ભાષા-સાહિત્ય અને જૈનદર્શનના વિશેષજ્ઞ શ્રી નગીનભાઈ શાહે આ પ્રદર્શનનું દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યું હતું. પ્રદર્શનમાં શ્રી પુણ્યવિજ્યજીના દીક્ષાકાળથી આરંભીને તેમના જીવનના વિવિધ પ્રસંગોની તસવીરો રજૂ કરવામાં આવી હતી. તેમનાં માતા, ગુરુ, દાદાગુરુ, કપડવંજના તેમના નિવાસસ્થાન વગેરેની તસવીરો સાથે શ્રી પુણ્યવિજ્યજીની પ્રેરક વાણીનાં કેટલાંક અવતરણો રજૂ કર્યા હતાં. તે સાથે અનેક મહાનુભાવોના અને વિવિધ Page #9 -------------------------------------------------------------------------- ________________ સમાચાર પત્રિકાઓ અને સામાયિકોમાં તેમના વિશે વ્યક્ત થયેલાં મંતવ્યો પણ મૂકવામાં આવ્યાં હતાં. મુનિશ્રીનું મહદ્ જીવનકાર્ય હસ્તપ્રતવિદ્યા વિશેનું હતું એને અનુલક્ષીને કેટલીક દસ્તાવેજી હસ્તપ્રતો પણ પ્રદર્શનમાં મૂકી હતી. મુનિશ્રી પુણ્યવિજ્યજીના વ્યકિતત્વનો સર્વાગી પરિચય આપતા આ પ્રદર્શનનું આયોજન અને ગોઠવણી અભિનંદનીય હતાં. જૈન હસ્તપ્રતો : પરિચય, વૈવિધ્ય, જાળવણી અને ગુજરાતના હસ્તપ્રત ભંડારોનો પરિચય” વિશેની પરિસંવાદની બીજી બેઠક તા.૩૦-૦૭-૯૭ના રોજ બપોરે ૨-૩૦ વાગ્યે પ્રો. શ્રી. બંસીધરભાઈ ભટ્ટના અધ્યક્ષપદે યોજાઈ હતી. મુનિશ્રી પુણ્યવિજ્યજીના સાંનિધ્યમાં હસ્તપ્રતો અને આગમ સાહિત્યનાં સંશોધન સંપાદન અંગેનું કાર્ય કરવાનો સુ-લાભ જેમને મળ્યો હતો, તેવા શ્રી લક્ષ્મણભાઈ ભોજકે બેઠકના આરંભમાં મુનિશ્રી પુણ્યવિજયજીના હસ્તપ્રત અંગેના પ્રદાનનો પરિચય આપીને હસ્તપ્રતોના સંપાદન વિશેની કેટલીક મૂળભૂત હકીકતોનો ખ્યાલ આપ્યો હતો. ડૉ. શ્રીધર અંધારેએ પ્રોજેક્ટરની મદદથી સચિત્ર હસ્તપ્રતોનો પ્રત્યક્ષ પરિચય આપ્યો હતો. ડૉ. ભારતીબહેન શેલતે હસ્તલિખિત પ્રતિઓની લિપિના વૈવિધ્ય, સામ્ય અને તેમાં થતાં પરિવર્તનો વિશે વિગતથી માહિતી આપી હતી. શ્રી ગોવિંદભાઈ મોદીએ ફારસી ભાષામાં લખાયેલી દસ્તાવેજી હસ્તપ્રતોનો પરિચય આપીને તેમાંની એક હસ્તપ્રતનું ભાષાંતર તથા તેની વિશેષતાઓની રજૂઆત કરી હતી. સાહિત્યિક હસ્તપ્રતોની અપેક્ષાએ આ સંશોધનલેખ દ્વારા હસ્તપ્રતોના એક વિશિષ્ટ ક્ષેત્ર વિશે માહિતી ઉપલબ્ધ થઈ એ એક નોધપાત્ર પ્રસંગ છે. શ્રી વી. એલ. પંડિતે જૈન હસ્તપ્રતોના સંશોધન અને શૈક્ષણિક મૂલ્ય વિશે રજૂઆત કરી તથા શ્રી વિભૂતિબહેન ભટ્ટ ભો. જે. વિદ્યાભવનના હસ્તપ્રતભંડારનો સર્વાગી પરિચય કરાવ્યો. અધ્યક્ષીય સમીક્ષા બાદ આ બેઠકનું સમાપન થયું હતું. પરિસંવાદની ત્રીજી બેઠકનો આરંભ તા. ૩૦-૦૭-૯૭ ને ગુરુવારે સવારે ૯૩૦ વાગ્યે થયો. 'હસ્તપ્રતોના અભ્યાસનું સાંસ્કૃતિક અને શૈક્ષણિક દષ્ટિએ મહત્ત્વ અને કૃતિસંપાદન’ - આ બેઠકનો મુખ્ય વિષય હતો. આ બેઠકનું અધ્યક્ષપદ સંસ્કૃત-સાહિત્યના પ્રખર વિદ્વાન ડૉ. તપસ્વી નાન્દીએ સંભાળ્યું હતું. બેઠકના આરંભમાં શ્રી કાંતિભાઈ શાહે હસ્તપ્રતોનું સાંસ્કૃતિક-શૈક્ષણિક મૂલ્ય અને કવિ સહજ સુંદર કૃત 'ગુણરત્નાકરછંદ' ના સંદર્ભમાં હસ્તપ્રતોના પાઠભેદ વિશે ચર્ચા કરી. શ્રી પૂર્ણિમાબહેન ઉપાધ્યાયે સંસ્કૃત ભાષાના આરંભકાળના Page #10 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથોની પાઠસમીક્ષા કરી. ડૉ. નારાયણ કંસારાએ બુદ્ધિસાગર કૃત વ્યાકરણની હસ્તપ્રત અને સંપાદન વિશે તથા ડૉ. તપસ્વી નાન્દીએ ‘ભરતનું નાટ્યશાસ્ત્ર : ‘પાલિપિ’ - ‘N’ - ‘એન’ ‘એક સમીક્ષા’ વિશે લેખો રજૂ કર્યા. શ્રી રા. ઠા. સાવલિયાએ વિડિઓ કૅસેટની સહાયથી હસ્તપ્રતોના ચિત્રાંકિત પૃષ્ઠોનો પ્રત્યક્ષ ખ્યાલ આપીને તેના વૈવિધ્ય વિશે વિગતથી ચર્ચા કરી. બેઠકનું સમાપન અધ્યક્ષ શ્રી નાન્દીસાહેબના વક્તવ્યથી થયું. પરિસંવાદની ચોથી બેઠકનો આરંભ બપોરે ૨-૩૦ વાગ્યે ડૉ. કે. આર. ચંદ્રાના અધ્યક્ષપદે થયો. આ બેઠકનો વિષય ‘આગમ-સાહિત્ય : સંશોધન અને સંપાદન' વિશેનો હતો. બેઠકના આરંભમાં ડૉ. ચંદ્રકાન્તાબહેન ભટ્ટે હસ્તપ્રતોના પ્રકાર અને જતન વિશે કેટલીક ચર્ચા કર્યા પછી ડૉ. કનુભાઈ શેઠે ગુજરાતના હસ્તપ્રતગ્રંથભંડારો અને એમાંથી પ્રાપ્ત થતી આગમ સાહિત્ય અંગેની પ્રાચીન હસ્તપ્રતો વિશે ઘણી વિગતપૂર્ણ માહિતી આપી. શ્રી વસંતભાઈ ભટ્ટે જૈનાગમોના પાઠસંપાદનમાં પ્રાચીન ભાષાકીય સ્વરૂપના પુન:સ્થાપન વિશે અભ્યાસપૂર્ણ ચર્ચા કરી. શ્રી ચંદ્રાસાહેબે અર્ધમાગધી આગમ ગ્રંથના સંપાદનમાં હસ્તપ્રતોમાંથી પાઠની પસંદગીના પ્રશ્ન વિશે રજૂઆત કરતાં પાઠ અને પાઠાન્તરોનો વિશદ પરિચય આપ્યો અને બેઠકના સમાપનમાં અધ્યક્ષીય સમીક્ષા કરી. આ દરેક બેઠકમાં વિષયને અનુલક્ષીને રસપ્રદ અને અભ્યાસપૂર્ણ ચર્ચાઓ અને પ્રશ્નોત્તરી થયા. જેને કારણે પરિસંવાદ રસપ્રદ, જીવંત અને સફળ બની શક્યો. વિદ્વાન વક્તાઓ ઉપરાંત વિષયના જાણકાર અભ્યાસીઓ, અધ્યાપકો અને વિશેષજ્ઞો પણ આ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા. જેમાં સર્વશ્રી જિતેન્દ્રભાઈ શાહ, સંસ્કૃત અકાદમીના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ પટેલ, પ્રો. સી. વી. રાવળ, પ્રો. મધુસૂદન ઢાંકી, સલોનીબહેન જોશી, પારૂલબહેન માંકડ, વર્ષાબહેન જાની, રૂપેન્દ્રભાઈ પગારિયા વગેરેની ઉપસ્થિતિથી પરિસંવાદ સફળ બની રહ્યો. પરિસંવાદના સમાપનના સમારંભમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી રામલાલભાઈ પરીખે ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિરની થયેલી સ્થાપના અને તેના આનુષંગે જૈનદર્શનનાં પ્રકાશિત થયેલાં પુસ્તકો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે વિશદ માહિતી આપી હતી. જૈનદર્શનમાં સ્વીકારાયેલું અહિંસાનું મહત્ત્વ અને મહાત્મા ગાંધીપ્રેરિત અહિંસાનો સમન્વય કરતા સમાજમાં તેની ઉપકારકતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય જૈનવિઘા અધ્યયનકેન્દ્રની Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિમાં ઉપસ્થિત સર્વ વિદ્વાનોના મળેલા સહકાર માટે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. સમાપન બેઠકમાં સર્વશ્રી બળવંતભાઈ જાની અને કાનજીભાઈ પટેલે પણ હસ્તપ્રતોના સંશોધન-સંપાદનનું મહત્ત્વ સમજાવીને એ કાર્યને વેગ મળે તે માટે અનુરોધ કર્યો હતો. શ્રી કુમારપાળભાઈ દેસાઈએ પરિસંવાદના આયોજનની ભૂમિકા સમજાવીને ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલોજીની પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. અંતમાં ડૉ. નિરંજના વોરાએ પરિસંવાદમાં ભાગ લેનાર સર્વ વક્તાઓ અને વિદ્વાનોનો અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો. આ પરિસંવાદમાં રજૂ થયેલા સંશોધન લેખોમાં રજૂ થયેલી માહિતી વિશાળ વાચકવર્ગને ઉપલબ્ધ થાય તે હેતુથી તેને પુસ્તકરૂપે પ્રગટ કરવાનો નિર્ણય કર્યો હતો. એ હેતુ આજે સફળ થતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. નિરંજના વોરા તા. ૭-૧૨-’૯૯ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ १० Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા કમ વિષય પ્રકાશકનું નિવેદન આમુખ કુમારપાળ દેસાઈ પ્રસ્તાવના ૧. આગમપ્રભાકર મુનિ ડૉ. નિરંજના વોરા શ્રી પુણ્યવિજ્યજી . ૨. આગમપ્રભાકર મુનિ ડૉ. ચીનુભાઈ જ. નાયક શ્રી પુણ્યવિજયજીની બહુશ્રુતતા ૩. પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો: ડૉ. બળવંત જાની જતન, સંરક્ષણની પદ્ધતિ અને તેનો ઇતિહાસ ૪. હસ્તપ્રતોના પ્રકારો અને સ્વરૂપ ચંદ્રકાંતાબહેન હ. ભટ્ટ ૫. હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ ભારતીબહેન શેલત ૬. હસ્તપ્રત પ્રકાશન : પ્રો. ડૉ. બંસીધર ભટ્ટ મર્યાદાઓ અને અપેક્ષાઓ ૭. મુઘલકાળમાં ગૃહવિક્રયનું ગોવિંદભાઈ મોદી - ફારસી ભાષામાં ખતપત્ર ૮. જેન હસ્તપ્રત-સંશોધન ડૉ. વી. એલ. પંડિત અને શિક્ષણ ૯. પુરાણી હસ્તપ્રતોનું પ્રિયબાળાબહેન શાહ એતિહાસિક મહત્વ ૧૦. ભો.જે. વિદ્યાભવનનો વિભૂતિબહેન વી. ભટ્ટ હસ્તપ્રત સંગ્રહ ૧૧. હસ્તપ્રતોનું ઐતિહાસિક તથા પ્રા. હરિપ્રસાદ શાસ્ત્રી સાંસ્કૃતિક મહત્વ १२. प्राकृत-अपभ्रंश पाण्डुलिपियों की प्रेमसुमन जैन सम्पादन-प्रक्रिया Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ૧૪૨ ૧૭. ૧૩. બુદ્ધિસાગર વ્યાકરણ : ડૉ. નારાયણ એમ. કંસારા ૧૨૦ હસ્તપ્રતો અને સંપાદન ૧૪. ભરતનું નાટ્યશાસ્ત્ર : તપસ્વી નાન્દી ૧૨૯ પાડુલિપિ 'N' : એક સમીક્ષા ૧૫. જૈનધર્મનો અમૂલ્ય વારસો - ડૉ. રા. ઠા. સાવલિયા સચિત્ર હસ્તપ્રતો ૧૬. હસ્તપ્રતોનું સાંસ્કૃતિક-શૈક્ષણિક ડૉ. કાંતિભાઈ શાહ મૂલ્ય અને કેટલીક હસ્તપ્રત - પાઠભેદ ચર્ચા - ગુણરત્નાકરછંદના સંદર્ભમાં अर्धमागधी आगमग्रंथ के संपादन में डॉ. के. आर. चंद्र ૧૪૯ हस्तप्रतो में से पाठों की पसंदगी का प्रश्न ૧૮. જૈનાગમોના પાઠસંપાદનમાં વસંતભાઈ ભટ્ટ પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપન સંસ્કૃત ગ્રંથોની પાઠસમીક્ષાની પૂર્ણિમાબહેન ઉપાધ્યાય ૧૬૯ આરંભકાળ 20. Typology of Jain Manu- Dr. Shridhar Andhare 994 scripts by Muni Shri Pujnyavijayaji 21. Art and Technique of Prof. S. G. Kantawala 96 Presentation of Manuscripts ૧૫૭. પરિશિષ્ટ : ૧૯૭ ૧. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી સંપાદિત ગ્રંથો ૨. પુણ્યવિજયજી વિશે ૩. જ્ઞાનોપાસનાનું બહુમાન ૧૮૯ ૨૦૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ શક જિક | - કાકી જીત છે, કે જે છે છે . જો કે જ . જ પરમપૂજ્ય આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ (છબી : વડોદરા : વિ. સં. ૨૦૨૫) Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી ડૉ. નિરંજના વોરા પ્રાચીન ગ્રંથો, હસ્તપ્રતો અને જ્ઞાનભંડારોના ઉદ્ધારક શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીનો જન્મ ઈ.સ. ૧૮૯૫ના ઑક્ટોબરની ૨૭મી તારીખે - તિથિ પ્રમાણે વિ. સં. ૧૯૫૨ના કારતક સુદ - પાંચમ - અર્થાત્ જ્ઞાનપંચમીના પર્વદિને ખેડા જિલ્લાના કપડવંજ ગામે થયો હતો. તેમનું જન્મ નામ મણિલાલ. ચાર માસની અતિ અલ્પ વયમાં જ ચોપાસ પ્રસરી ગયેલી આગની જ્વાળાઓની વચ્ચે ઘરમાં પારણે ઝૂલતા મણિલાલ એક વહોરા સજ્જનના સદ્ભાવથી ઊગરી ગયા હતા. જાણે દેવીકૃપાનો જ સંકેત ! ત્યાર બાદ પિતા ડાહ્યાભાઈ અને માતા માણેકબહેન સાથે તેમનું બાળપણ મુંબઈમાં વીત્યું. પ્રાથમિક શિક્ષણ પણ મુંબઈમાં જ લીધું. મણિલાલની ચૌદ વર્ષની વયે પિતાનું અચાનક અવસાન થયું. માતા માણેકબહેનની દૃઢ થયેલી ધર્મભાવના અસાંર સંસારનો ત્યાગ કરવા પ્રેરી રહી હતી. પણ કિશોરવયના પુત્રની ચિંતા ત્યાગમાર્ગમાં આગળ વધતાં અટકાવતી હતી. દીર્ઘ-દષ્ટિવાળી માતાએ વિચાર્યું, ‘હું સંસારનો ત્યાગ કરું તો, પુત્રને શા માટે સંસારમાં રાખું?’ છેવટે બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. વિ. સં. ૧૯૬૫ના મહા વદ પાંચમને દિવસે મણિલાલે, વડોદર્સ પાસે છાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું. માતા માણેકબહેને પણ બે દિવસ પછી શ્રી મોહનલાલજી મહારાજના સમુદાયમાં પાલિતાણામાં દીક્ષા લીધી. તેમનું નામ સાધ્વી શ્રી રત્નશ્રીજી. શ્રી પુણ્યવિજયજીના દાદાગુરુ શ્રી કાંતિવિજયજી મહારાજ અને ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ જ્ઞાનોપાસનાની સાથે જૈન ભંડારોમાં સંગ્રહાયેલા સાહિત્યનું અધ્યયન કરવાના, તેનો ઉદ્ધાર કરવાના એક વિશિષ્ટ ધ્યેયને વરેલા હતા. શ્રી પુણ્યવિજયજી માટે આ ધ્યેય જીવનકાર્ય બની ગયું. મહારાજશ્રી પોતાના વિદ્યાભ્યાસની વાત કરતા કહેતા કે કોઈ પણ વિષયનો એકધારો સળંગ ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન અભ્યાસ કરવાનું એમના જીવનમાં બહુ ઓછું બન્યું હતું. મોટે ભાગે વિદ્યાભ્યાસ અને શાસ્ત્રસંશોધનનું કાર્ય સાથે સાથે જ ચાલતાં રહ્યાં. શાસ્ત્રોનું વાંચન અને સંશોધન કરતાં કરતાં નવા વિક્યોનું જ્ઞાન મળતું રહ્યું. એના પાયામાં મહારાજશ્રીની નિર્મળ તેજસ્વી બુદ્ધિ, સત્યને પામવાની ઝંખના, કોઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને પણ સમજવાની ધીરજ અને તાલાવેલી રહેલાં હતાં. દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદાગુરુ અને ગુરુની નિશ્રામાં બધા પ્રકરણગ્રંથોના ઊંડાણથી અભ્યાસ કર્યો જાણે શાસ્ત્રીય જ્ઞાનનાં બીજ વવાયાં. ત્યારબાદ ક્રમશ: માગપદેશિકા, સિદ્ધહેમ લઘુવૃત્તિ, હેમલઘુપ્રક્રિયા, ચંદ્રપ્રભા વ્યાકરણ, હિતોપદેશ, દશકુમારચરિત્ર વગેરેનું પરિશીલન કર્યું. પાળિયાદવાળા પંડિત શ્રી વીરચંદભાઈ મેઘજી પાસે લઘુવૃત્તિનો અધૂરો અભ્યાસ પૂરો કર્યો - કાવ્યોનું વાંચન કર્યું. તે સાથે પૂ. દાદાગુરુ અને ગુરુશ્રીની જ્ઞાનોપાસના અને સંશોધનકાર્યના સંસ્કાર પણ દઢ થતા હતા. તે સમય દરમિયાન ભારતીય દર્શનોના ઊંડા અભ્યાસી અને જૈનદર્શનના પ્રકાંડ વિદ્વાન પંડિત સુખલાલજી પાસે કાવ્યાનુશાસન, તિલકમંજરી, તર્કસંગ્રહ અને છંદાનુશાસનનો અભ્યાસ કર્યો. પંડિતજીના બહોળા જ્ઞાનને લીધે શ્રી પુણ્યવિજ્યજીની જ્ઞાનની સીમાઓ અને આંતરદષ્ટિનો વિકાસ થતો ગયો. આ સમયે તેમણે પ્રાચીન પ્રતોના પાઠાંતરો મેળવવાનું અને શાસ્ત્રીય ગ્રંથોનાં પૂકો તપાસવાનાં કાર્યનો આરંભ કરી દીધો હતો. પંડિતજીના સન્મતિતર્કના સંશોધન અને તત્વાર્થસૂત્રના સંપાદનના કાર્યમાં તેઓ સાથે હતા. બૌદ્ધદર્શનના કેટલાક મુદ્દાઓથી પણ તેમને પરિચિત કર્યા. મહારાજશ્રીએ બૌદ્ધગ્રંથની હેતુબિંદુની નકલ પંડિતજી માટે કરી આપી. પાછળથી હેતુબિંદુ ગ્રંથ વડોદરાની ગાયકવાડ ઑરિએન્ટલ શ્રેણી તરફથી પ્રગટ થયો. તેમણે આ ગ્રંથની કરી આપેલી નકલ એક આદર્શ નકલ ગણાય છે. ત્યારબાદ આવશ્યક હારિભદ્રી ટીકા, ઓઘનિર્યુક્તિ, ગુરુતત્ત્વવિનિશ્ચય, ઓઘનિયુક્તિની દ્રોણાચાર્યની ટીકા, પન્નવણાસૂત્ર વિશેની મલયગિરિ ટીકા અને ભગવતીસૂત્રની અભયદેવસૂરિની ટીકા વગેરેનું પઠન - પાઠન - અધ્યયન કર્યું. આગમસૂત્રોના મહાન ઉદ્ધારક સાગરનંદજી સૂરિજીએ પાટણમાં શરૂ કરેલી આગમોની વાચનાના કાર્યો, એમને આગમોના સંપાદન માટે પ્રેરણા આપી. ભાવનગરના શેઠ શ્રી કુંવરજીભાઈ આણંદજી પાસે કર્મપ્રકૃતિ, પ્રકરણો વગેરેનું Page #18 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી વાચન કર્યું હતું. જૈનદર્શનની સાથે અન્ય દર્શનગ્રંથો અને લૌકિક વિદ્યાના ગ્રંથોનું પણ અધ્યયન કર્યું હતું. અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનોપાસના શ્રી પુણ્યવિજયજીનું જીવનલક્ષ્ય હતું. ધર્મમય જીવન જીવવાની સાથે જ્ઞાનભંડારોના ઉદ્ધારક, હસ્તપ્રતોના સંરક્ષક અને આગમવિદ્ તરીકે તેમણે કરેલી શ્વેતોપાસનાનું અનેકગણું મહત્ત્વ છે. શ્રી પુણ્યવિજયજી, એમના ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલિતાણા, અમદાવાદ, જેસલમેર, બિકાનેર, જોધપુર ઉપરાંત ગુજરાત-સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથભંડારોને તપાસી, એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીઓ તૈયાર કરી આપી હતી અને કેટલાકની સવિસ્તાર સૂચિઓને પણ મુદ્રિત કરાવી આપી હતી. કેટલેક સ્થળે તો રેપરો, બંધનો, ડાબડા કે પેટીઓ અને કબાટની પણ વ્યવસ્થા કરાવી, કેટલાય પ્રાચીન ગ્રંથભંડારોને નામશેષ થતા બચાવી લીધા હતા. આ માટે તેમણે અનેક કષ્ટસાધ્ય વિહારો કર્યા હતા અને અથાગ પરિશ્રમ લીધો હતો. લગભગ નષ્ટ થવા આવેલી હસ્તપ્રતો અને ગ્રંથોને જ્ઞાનોપાસકો માટે ઉપલબ્ધ કરવાનું શકવર્તી કાર્ય પણ કર્યું. શ્રી પુણ્યવિજયજીના દાદાગુરુ અને ગુરુશ્રીના પ્રયાસથી છાણી અને વડોદરામાં જ્ઞાનભંડારોની સ્થાપના થઈ હતી. તેમ જ શ્રી પુણ્યવિજયજી અને શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સંયુક્ત પ્રયાસથી પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના સં. ૧૯૯૫માં થઈ હતી. તેનું ઉદ્ઘાટન શ્રી ક. મા. મુનશીએ કર્યું હતું. શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ આગમ-આરાધના અને જ્ઞાન-સાધના તથા શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની ઉદારતાના પરિણામે અમદાવાદમાં વિ. સં. ૨૦૧૩ના વિયાદશમીના શુભ દિવસે શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની થયેલી સ્થાપના, મુનિશ્રીના જીવનલક્ષ્યની ઉચ્ચતમ સિદ્ધિની ઘોતક છે. 3 તેમણે પોતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારો મૂલ્યવાન ગ્રંથોનો ભંડાર, જૈનવિઘા અને ભારતીય સંસ્કૃતિના દેશ-પરદેશના સર્વે જિજ્ઞાસુ અભ્યાસીઓ લાભ લઈ શકે એ હેતુથી આ વિદ્યાતીર્થને સોંપી દીધા હતા. તેમની કલાસામગ્રીનો અમૂલ્ય સંગ્રહ પણ આ સંસ્થામાં સચવાયો છે. આ ઉપરાંત એક ભવ્ય આગમમંદિરની રચના કરવાનો મનોરથ પણ તેમણે સેવ્યો હતો. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન શ્રી પુણ્યવિજયજી પ્રતિના નિષ્ણાત પારખુ હતા. નાની કે મોટી, જૂની જીર્ણશીર્ણ થઈ ગયેલી કે સુરક્ષિત - દરેક પ્રકારની હસ્તપ્રતનું, ઝવેરી જેમ હીરાની પરખ કરે તેવી ચીવટથી તેઓ અવલોકન અને મૂલ્યાંકન કરતા. પ્રાચીન ગ્રંથોના એક સરખા માપનાં ભેળસેળ થઈ ગયેલાં પાનાંઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથોના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથોને તૈયાર કરી આપવાની મહારાજશ્રીની સૂઝ અને નિપુણતા ખરેખર અસાધારણ અને હેરત પમાડે તેવી હતી. પ્રતિઓના ઉદ્ધાર અને સંરક્ષણના તેઓને આ કાર્યમાં માઈક્રોફિલ્મ, ફોટોસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાનો પણ સમાવેશ થતો. દીર્ધદષ્ટિસંપન્ન શ્રી પુણ્યવિજયજી પ્રાચીન હસ્તપ્રતોને ઉકેલીને એની સ્વચ્છ શુદ્ધ નકલ બનાવે તેવા લહિયાઓ તૈયાર કરવા માટે પણ પ્રયત્નશીલ રહ્યા હતા. પૂ. દાદાગુરુ અને ગુરુશ્રીના પગલે પગલે મહારાજશ્રીએ પણ એક સમર્થ સંશોધક સંપાદક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી. એમનાં સંપાદનોની સર્વાગ પરિપૂર્ણતાએ પરદેશના વૈજ્ઞાનિક દષ્ટિએ સંશોધન કરનાર વિદ્વાનોને પણ અભિભૂત કર્યા હતા. અક્ષરોના વિવિધ મરોડો ધરાવતી જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવામાં તેઓ સિદ્ધહસ્ત હતા. વિદ્યાની ઉપાસના કરતાં તેઓ વ્યાધિને પણ વીસરી જતા. ઈ. સ. ૧૯પપના અરસામાં સંગ્રહણીનો રોગ થયો ત્યારે વ્યાધિગ્રસ્ત અવસ્થામાં જ કથાર–કોષ'નું સંપાદન અને 'નિશીથચૂર્ણિ'નું અધ્યયન કર્યું. ઈ. સ. ૧૯૧૭માં “કૌમુદી નિજાનંદ નાટકના સંપાદન-પ્રકાશનથી આરંભાયેલું એમનું લેખન અને સંપાદન-સંશોધનનું કાર્ય ૧૯૭૧માં પ્રગટ થયેલા પન્નવણાસુર ભાગ બીજા સુધી સતત ચાલુ રહે છે. તેમની લગભગ ૪૫ જેટલી કૃતિઓ પ્રકાશિત થઈ, અને કેટલીક હજુ અપ્રકાશિત છે. શ્રી પુણ્યવિજયજી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષા, છન્દ અને વ્યાકરણના પ્રખર વિદ્વાન હતા, જૈન શાસ્ત્રો અને આગમોના અધિકૃત જ્ઞાતા હોવાની સાથે મહાન પુરાતત્વવિદ હતા. ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, લિપિશાસ્ત્ર, પ્રાચીન ચિત્રકલા, સિક્કાઓ, મૂર્તિશાસ્ત્ર વગેરે વિશેનું તેમનું જ્ઞાન વ્યાપક અને તલસ્પર્શી હતું. સંશોધક તરીકે સાંપ્રદાયિક અને વ્યક્તિગત મતમતાન્તરો અને પૂર્વગ્રહોથી મુક્ત એવી ઐતિહાસિક અને તુલનાત્મક દષ્ટિ પણ તેમણે વિકસાવી હતી. પુણ્યવિજયજીની સત્ય અને જ્ઞાનની સાધના જીવનસ્પર્શી અને ઊર્ધ્વગામી Page #20 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી જીવનના ઉત્તમ આદર્શરૂપ હતી. વિશેષ અભ્યાસ કરવા ઇચ્છતા જિજ્ઞાસુઓ અને “ વિદ્વાનો માટે તેઓ પોતે જ જ્ઞાનકોષ કે જ્ઞાનતીર્થ સમાન હતા. તેમના પ્રત્યેનું મહારાજશ્રીનું વલણ ખૂબ ઉદાર હતું. તેમને પુસ્તકો, હસ્તલિખિત પ્રતો, એની માઇક્રોફિલ્મ કે ફોટોસ્ટેટ કોપી વગેરે જે કોઈ વસ્તુની જરૂર હોય તે સુલભ કરી આપવા મહારાજશ્રી સદા તત્પર રહેતા. એમ કરતાં પોતાની પાસેથી અલભ્ય કતિઓ પણ સહજભાવે ઉદારતાથી આપી દેતા. કોઈનું પણ કામ કરી આપવાની પરગજુ વૃત્તિ તેમના જીવન સાથે સહજપણે જોડાઈ ગઈ હતી. જ્ઞાનની સાધનામાં સદા લીન રહેનાર શ્રી પુણ્યવિજયજીએ ક્યારેય પદવી કે પ્રતિષ્ઠાની આકાંક્ષા રાખી ન હતી. અતિ આગ્રહ કરવા છતાં, તેમણે આચાર્ય બનવાનું પસંદ કર્યું નહીં. વિદ્વત્તાના પ્રતિકરૂપે અપાતી પંન્યાસ પદવી પણ તેમાગે સ્વીકારી નહીં. વિ. સં. ૨૦૧૦ (ઈ. સ. ૧૯૫૪)માં વડોદરાના શ્રીસંઘે તેમને “આગમપ્રભાકર'નું બિરૂદ આપ્યું હતું. પણ શ્રી પુણ્યવિજયજી આ બાબતમાં નિર્લેપ હતા. તેમ છતાં અનેક રીતે તેમના જ્ઞાનનું ગૌરવ થયું હતું. દેશપરદેશના અનેક વિદ્વાનોએ એમના માર્ગદર્શનમાં સંશોધનકાર્ય કર્યું હતું. યુનિવર્સિટી દ્વારા અપાતી ઉચ્ચતમ પદવી પીએચ.ડી.ના પરીક્ષક તરીકે તેમની નિમણૂક થઈ હતી. ઈ. સ. ૧૯૫૯માં અમદાવાદ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદ'ના વીસમા અધિવેશનના ઇતિહાસ - પુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકે તેમની વાણી થઈ હતી. ઈ. સ. ૧૯૬૧માં કાશ્મીરમાં ઓલ ઇન્ડિયા ઑરિએન્ટલ કોન્ફરન્સના એકવીસમા અધિવેશનમાં પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે મુનિ શ્રી પુણ્યવિજયજીની પસંદગી થઈ હતી. ઈ.સ. ૧૯૭૦માં અમેરિકાની ‘ઑરિએન્ટલ સોસાયટી'એ એમને માના સભ્ય તરીકેનું સ્થાન આપ્યું હતું. આમ અનેક રીતે સન્માનિત થયા હોવા છતાં, મહારાજશ્રીની પ્રતિભાને અહંકારનો સ્પર્શ થયો ન હતો. જૈન શાસ્ત્રના અને અન્ય ગ્રંથોમાં રહેલાં સંસ્કૃતિનાં ઉચ્ચ મૂલ્યોને તેમણે પારખ્યાં હતાં. જ્ઞાનની આ બહુમૂલ્ય સામગ્રીનું રક્ષણ - સંવર્ધન કરવા તેમણે સમગ્ર જીવન કઠિન તપશ્ચર્યા કરી હતી. માન-મોટાઈ તેમને આકર્ષી શકતા ન હતા. સૌ કોઈના વિકાસમાં નિ:સ્વાર્થભાવે સહાયરૂપ થવાની નિખાલસ, નિસ્વાર્થ ભાવના, હૃદયની વિશાળતા, સૌજન્ય, સહિષ્ણુતા, જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનના પ્રસારની અદમ્ય ઝંખના તેમના સહજ ગુણો હતા. તેમનું જીવન ઋજુતા, સરળતા, પ્રજ્ઞા અને શીલના સમન્વયથી સૌને માટે મંગલ અને પ્રેરક Page #21 -------------------------------------------------------------------------- ________________ ૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન બની રહ્યું હતું. શાસ્ત્રીય ગ્રંથોના અભ્યાસ અને પ્રકાશનના કાર્યમાં સતત પ્રવૃત્તિશીલ હોવા છતાં નાના બાળકથી માંડીને અનેક સાધુ-સાધ્વીઓ અને શ્રાવકોને પ્રસન્ન ચિત્તે મળતા. ધર્મના આચારનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા, પણ રૂઢિગ્રસ્ત આચારવિચારની મર્યાદા સમજતા. શ્રમણ સંઘના ભિન્ન ભિન્ન સમુદાયો વચ્ચે પ્રવર્તતી વાડાબંધીથી તેઓ સદા અલિપ્ત રહ્યા હતા. બાસઠ વર્ષનું એમનું દીક્ષા જીવન એટલે અવિરત કર્મયાત્રા અને અખંડ જ્ઞાનયજ્ઞ. સાચા અર્થમાં તેઓ આજીવન વિદ્યા-અર્થી રહ્યા. ૭૬ વર્ષની ઉમરે પહેલા હરસની અને પછી પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયા બાદ ૧૪મી જૂન ૧૯૭૧ના રોજ રાત્રે ૮-૩૦ વાગ્યે આ જ્ઞાની સંતપુરુષનો ક્ષર દેહ પંચતત્વમાં ભળી ગયો. તપ, ત્યાગ, સંયમ અને પ્રકાશ પ્રસરાવતો તેજસ્વી દીપ સદાને માટે બુઝાઈ ગયો. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીની બહુશ્રુતતા ડૉ. ચીનુભાઈ જ. નાયક ગુજરાત માથે એક આરોપ છે કે તે પોતાના ઘરદીવડાને ઓળખી શકતું નથી. મુનિ શ્રી પુણ્યવિજયજીની જન્મશતાબ્દીની ઉજવણી દ્વારા આપણે આ આરોપ દૂર કરી શકીએ. મારો અંગત મત એવો છે કે ગુજરાતમાં ઇતિહાસનું ખેડાણ જેટલું બિન ઇતિહાસકારો (Non Historians) દ્વારા થયું છે તેટલું ઇતિહાસકારો દ્વારા થયું નથી. આવી વ્યક્તિઓમાં મુનિ શ્રી જિનવિજયજી, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી, શ્રી કલ્યાણરાય જેશી, શ્રી શંભુપ્રસાદ હ. દેસાઈ, શ્રી મણિલાલ વોરા ઇત્યાદિનો સમાવેશ થાય છે. ઇતિહાસ અને પુરાતત્ત્વના અવશેષોની બાબતમાં ભારતનાં બીજાં રાજ્યો કરતા ગુજરાત ઘણું સમૃદ્ધ છે. પ્રો. એમ. એફ. લોખંડવાલા સંપાદિત મિરાત-એ-અહમદીની પ્રસ્તાવનામાં વિખ્યાત ઇતિહાસકાર સર જદુનાથ સરકાર કહે છે : The land of Gujarat is a heaven for archaeologists એટલે કે ગુજરાતની ભૂમિ પુરાવસ્તુવિદો માટે સ્વર્ગ સમાન છે. અહીંના જૈન ભંડારોમાં જે પોથીઓ અને હસ્તપ્રતો પડેલી છે તેનું સંશોધન કરવા માટે હજારો સંશોધકો ઓછા પડે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના નિમંત્રણથી ૨૦મી ગુજરાતી સાહિત્ય પરિષદ યોજાયેલી ત્યારે ઇતિહાસ પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ તરીકે પુણ્યવિજયજી મહારાજે જણાવેલું કે એકલા અમદાવાદના જૈન ભંડારો/જ્ઞાન ભંડારોની હસ્તપ્રતોનું સંપાદન કરી તેની પ્રસ્તાવના લખવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીને ૩૦,000 વિદ્યાર્થીઓને Ph.D. ની પદવી આપવી પડે ! આ સંશોધકો ક્યાં છે ? દીવો લઈને શોધવા જવું પડશે. હસ્તપ્રતોના ભંડારોને કબાટની તાળા-કૂંચીમાં પૂરી રાખવાથી જ્ઞાનની વૃદ્ધિ થવાની નથી. આપણે જે તે વિદ્વાનોને હસ્તપ્રતોનો ઉપયોગ ન કરવા દઈને જ્ઞાનને બંધિયાર બનાવી રહ્યા છીએ એનો આપણને ખ્યાલ છે ખરો ? જ્ઞાનને કોઈ સંપ્રદાય સાથે સંબંધ નથી એ તો વરસાદના શુદ્ધ પાણી જેવું વ્યાપક છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે ગુરુકૃપાથી એકલે હાથે હજારો હસ્તપ્રતો સમજાવટથી પ્રાપ્ત કરી છે. રાજસ્થાનનું જેસલમેર એ તો સરહદી વિસ્તાર, ક્યારેક આકાશમાંથી બોંબવર્ષા થાય અને સર્વનાશ થઈ જાય એ કહેવાય નહીં તેમણે એકલા હાથે ઝૂઝીને સમજાવટથી ત્યાંના જૈનભંડારોમાંથી હજારો હસ્તપ્રતો અમદાવાદમાં લઈ આવ્યા અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને ભેટ ધરી. હસ્તપ્રતો સાથે જૈન તીર્થકરો અને પરિકર, દેવતાઓની પથ્થરની, લાકડાની, ધાતુની અનેક કલાત્મક પ્રતિમાઓની પણ ભેટ ધરી. આજે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની જે આંતરિક સમૃદ્ધિ છે તે મુનિ શ્રી પુણ્યવિજયજીને આભારી છે. વિખ્યાત ચિંતક શ્રી દિલીપકુમાર રોયના પુસ્તક Among the great માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ વિશે લખતાં કહ્યું છે : વસંતઋતુને ભારતવર્ષમાં જન્મ લેવાનું મન થયું અને તે જવાહરલાલ નેહરુના સ્વરૂપે અવતરી. હું પણ મુનિ શ્રી પુણ્યવિજ્યજી મહારાજ અંગે કહી શકું કે ‘હસ્તપ્રતવિદ્યા - Manuscriptology ને ગુજરાતમાં જન્મ લેવાનું મન થયું અને તે કપડવંજમાં પુણ્યવિજ્યજી સ્વરૂપે અવતરી'. બાળપણમાં જ માતા સાથે દીક્ષા લીધી અને વિદ્યાગુરુઓ ચતુરવિજય મહારાજ અને કાંતિવિજ્યજી મહારાજની છાયામાં રહીને અગાધ જ્ઞાનરાશિ સંપાદન કરી. મુનિ શ્રી પુણ્યવિજયજી એટલે જ 'જ્ઞાનાર્ણવ'. પોતે જૈન સાધુ હોવા છતાં તેમની દષ્ટિ ઘણી વ્યાપક હતી. સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનમાં તેમણે કહેલું હું જૈન સાધુ હોઈ, જ્ઞાનભંડારોનું અવલોકન કરતાં મારું ધ્યાન મુખ્યત્વે જૈન કૃતિઓ તરફ જાય એ સ્વાભાવિક છે. આમ છતાં મારા અવલોકનમાં આવતી જૈનેતર નાની કે મોટી કોઈ કૃતિ તરફ મેં કદીયે ઉપેક્ષા કરી નથી.' તેમણે એમ પણ જણાવેલું કે 'પાટણ, ખંભાત, જેસલમેર આદિના અતિપ્રાચીન જ્ઞાનભંડારો તો જગપ્રસિદ્ધ છે જ, પરંતુ તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, દક્ષિણાદિ દેશોનાં અનેક નગર અને ગામોમાં જૈન શ્રીસંઘ અને જૈન મુનિઓના અધિકારોમાં જે જ્ઞાનભંડારો છે તેમાં આપ સૌની કલ્પનામાંય ન આવે તેવું અને તેટલું જૈન-જૈનેતર વિવિધ વિષ્યોને લગતું સાહિત્ય વિદ્યમાન છે, જેને આપણે સમગ્રપણે જાણતા પણ નથી. જેમ જેમ આ જ્ઞાનભંડારોનું અવગાહન કરવામાં આવે છે તેમ તેમ એમાંથી અનેક વિષયોને લગતી નવી નવી કૃતિઓ પ્રાપ્ત થતી જ જાય છે.” Page #24 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીની બહુશ્રુતતા ૯ મુનિ શ્રી પુણ્યવિજયજી જૈન આગમોના તો પ્રખર પંડિત હતા પણ ભારતીય દર્શનો - વિશેષ કરીને વેદાંત, સાંખ્ય ન્યાય અને યોગના પણ ઊંડા અભ્યાસી છે. તેઓ લિપિવિઘાના પણ સારા જાણકાર હતા. મૂર્તિવિદ્યા ખાસ કરીને Jain Iconography ના પણ તેઓ જાણકાર હતા. આ ઉપરાંત જ્યોતિષ, ગણિત, ખગોળ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, અંગવિઘા, નૃત્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર વગેરેની જાણકારી પણ તેઓ ધરાવતા હતા. તેમના શિષ્યમંડળમાં ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા, ડૉ. ઉમાકાન્ત છે. શાહ, પંડિત અમૃતલાલ મોહનલાલ જેવા વિદ્વાનો હતા. પોતે આટલા બધા બહુશ્રુત પંડિત હોવા છતાં પંડિતાઈનું લેશ માત્ર અભિમાન ન હતું. તેઓ સાચા અર્થમાં મૂઠી ઊંચેરા મહામાનવ હતા. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને તેનો ઇતિહાસ ડૉ. બળવંત જાની ચિત્ર, શિલ્પ, પુરાતન અવશેષો અને જૂની-પ્રાચીન હસ્તપ્રતોને આપણી પ્રાચીન અને ભવ્ય સંસ્કૃતિના પુરાવાઓ માટેની મહત્વની સામગ્રી ગણાવી શકાય. આમાંથી મારો સંપર્ક માત્ર પ્રાચીન હસ્તપ્રતો પૂરતો જ મર્યાદિત હોઈ, હું અહીં એ વિશેની જ જતન-સંરક્ષણ તથા આપણે ત્યાંની એની પદ્ધતિની ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વિગતો પ્રસ્તુત કરીશ. મારા આ વિશ્વના નિબંધમાં ખાસ કરીને ગુજરાત અને એમાંય મોટે ભાગે તો સૌરાષ્ટ્ર તથા કચ્છ સંદર્ભે જ મારી વિગતો રજૂ કરીશ. કેટલાક મહત્ત્વના હસ્તપ્રતભંડારોની મેં મારા સંશોધનકાર્ય માટે લીધેલી મુલાકાતો નિમિત્તે મને સૂઝેલી બાબતો પરત્વે ધ્યાન દોરવાનો મારો આશય છે. કોઈ હસ્તપ્રત-ભંડારની, એના તંત્રની કે વ્યક્તિની ટીકા કે પ્રશસ્તિ કરવાનો મારો હેતુ નથી, પણ આ ક્ષેત્રે કેવી કેવી કામગીરીની આવશ્યકતા છે અને એ સંદર્ભે કેવી પરિસ્થિતિઓનો સામનો કરવાનો રહે છે એ તરફ અંગુલિનિર્દેશ કરવાનો ઉપક્રમ છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છની સંસ્કૃતિ અત્યંત પ્રાચીન છે. આ ઐતિહાસિક સત્ય તો સર્વવિદિત છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો એક લાંબો સાહિત્યિક-સાંસ્કૃતિક ઈતિહાસ છે. આ વિષયક અનેક ગ્રંથો પણ રચાયા છે. ગુજરાતી ભાષા-સાહિત્ય ઈ. સ.૧૧૫૦ થી અસ્તિત્વમાં આવ્યું એમ ગણી શકાય. આમાં વજસેનસૂરિની રચના ઈસ્વીસન ૧૧૬૯ અને શાલિભદ્રસૂરિની રચના ઈસ્વીસન ૧૧૮૪ની સમયનિર્દેશવાળી હસ્તપ્રતો ઉપલબ્ધ છે. ત્યારથી માંડીને ઈ.સ.૧૮૫૦ સુધીના મધ્યકાલીન સમયગાળાની દાયકા-દાયકાના સમયનિર્દેશવાળી હસ્તપ્રતો ઉપલબ્ધ છે. ભારતીય આર્યભાષાઓમાં આટલો એટલે કે સાતસો વર્ષ લાંબો ઇતિહાસ અને એની શ્રદ્ધેય સામગ્રી હસ્તપ્રતોરૂપે ઉપલબ્ધ છે એ ગુજરાતી ભાષા-સાહિત્યની આગવી વિશિષ્ટતા છે.. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૧૧ આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળમાં સૌ પ્રથમ આપણા વિચારોની શાબ્દિકભાષિકલિખિત અભિવ્યક્તિ પત્થરની શિલા, ત્યાર બાદ ધાતુઓની તકતીઓમાં, ત્યાર પછી તાડપત્રો, ભોજપત્રો, અને પછી કાગળની હસ્તપ્રતોમાં થયેલી. સદ્ભાગ્યે ગુજરાતમાં ઉપર્યુક્ત પાંચેય પ્રકારની સામગ્રી ઉપલબ્ધ છે. પરંતુ આ મધ્યકાલીન સાહિત્યિક સામગ્રીને જાળવતી પ્રાચીન હસ્તપ્રતોની સુરક્ષા માટેની પાયાની અને પ્રાથમિક કહી શકાય એવી ખરી-પૂરી માહિતી ઉપરાંત ચોકસાઈ તથા ચીવટ, હસ્તપ્રત ધરાવનાર સંગ્રાહક, સંસ્થા કે વ્યક્તિ પાસે નથી હોતી. એમાં જળવાયેલ ઐતિહાસિક, સાંસ્કૃતિક, રાજકીય, સામાજિક, સાહિત્યિક અને ભાષા-વ્યાકરણ સંબંધિત વિગતો કેટલી બધી ખપની છે એનો અંદાજ પણ નથી હોતો. પરિણામે એ પ્રાચીન હસ્તપ્રતોને માત્ર રાખી મૂકવામાં આવે છે, યોગ્ય સમયની માવજત અને પદ્ધતિસરની જાળવણીની પ્રક્રિયાથી એ વંચિત રહે છે. પોટલામાં-પટારામાં બિલકુલ અવ્યવસ્થિત રીતે પડી રહેલી હજારો સંખ્યાની હસ્તપ્રતોને જાળવવા માટે કંઈક કકરૂપની કાયદાકીય જોગવાઈ કરવી જોઈએ, અને એનો વિનિયોગ થાય એ માટેના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ. હસ્તવિદ્યા આપણે ત્યાં ખરા અર્થમાં વિકસી નથી અને જરૂરી સ્થળોએ એની ખરી સમજ પણ પહોંચી નથી. એક વિષય તરીકેનો ઘમિક પરિચય કે એમાંની લિપિનો પરિચય મળી રહે એ માટે બહુ જ ઓછી શ્રદ્ધેય સામગ્રી પ્રકાશિત થઈ છે. મહાન ઐતિહાસિક ચરિત્ર વસ્તુપાળના સમયની અને તેમના હાથે લખાયેલી તાડપત્રની હસ્તપ્રતો ગુજરાતના પ્રાચીન નગર ખંભાતમાં સચવાયેલી છે. હેમચંદ્રાચાર્યના સમયની પ્રતો તથા અવશેષો પણ અહીં છે. અહીં ખંભાતના હસ્તપ્રત ભંડારોમાં આ હસ્તપ્રતોને સુતરાઉ લાલ કપડામાં વીંટીને લાકડાની પેટીઓમાં રાખીને એ પેટીઓને લોખંડના કબાટમાં રાખવામાં આવે છે. મોટા ભાગની હસ્તપ્રતો સારી હાલતમાં છે. થોડા સમય પૂર્વે અમદાવાદની લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિરે આ બધી જ તાડપત્રની હસ્તપ્રતોનું અને કેટલીક સચિત્ર હસ્તપ્રતોનું માઇક્રોફિભિંગ કાર્ય પૂર્ણ કર્યું. પાટણમાં આગથી પણ સુરક્ષિત રહે એ પ્રકારની કાયરપૂક ચેમ્બરમાં મહત્વની હસ્તપ્રતોને જાળવવામાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન આવે છે. સુરત, વડોદરા, અમદાવાદ અને અમારે ત્યાં રાજકોટમાં પણ જૂની પદ્ધતિએ જ પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી થાય છે. ક્યાંક માત્ર રેશમી કપડામાં અથવા સુતરાઉ લાલ કપડામાં કે પ્લાસ્ટિકની કોથળીમાં વીંટીને સ્ટીલના કબાટમાં જ જાળવવામાં આવે છે. તાજેતરમાં જ “નેશનલ આર્કાઇવ્સ ઑફ ઇન્ડિયા' - ન્યૂ દિલ્હીના અનુદાનથી અમે ખાસ પ્રકારની હવા કે ધૂળ પણ ન પ્રવેશે એવી રચનાવાળી હસ્તપ્રતોને અનુરૂપ - અનુકૂળ કદની શુદ્ધ સાગના લાકડાની પેટીઓ કરાવી છે. એમાં ડામરની અને પેરાડાઇક્લોરોબેન્જાઇનની ગોળીઓ રાખીને હસ્તપ્રતોને જાળવવામાં આવે છે. આ પેટીઓ ૨૧ ગેજના પતરાના ખાસ ઉષ્ણતામાનથી તાપમાન આપીને કલર કરાવેલા કબાટમાં રાખવામાં આવે છે. આ કારણે ગરમી કે ભેજની વિકૃત અસર પ્રાચીન હસ્તપ્રતો ઉપર પડતી નથી અને આપણો પ્રાચીન વારસો એના મૂળરૂપે જળવાઈ રહે છે. ૩:૧ તાડપત્રની, ભોજપત્રની અને કાગળની હસ્તપ્રતો એમ અલગ-અલગ પ્રકારની હસ્તપ્રતોની બનાવટ જ જુદા પ્રકારની હોઈ એની જાળવણીના ઉપચારો પણ અલગ- અલગ હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં આમાં પણ કેટલુંક તો સર્વસામાન્ય હોવાનું જ, તે કે કંઈ જ ખરાબ ન થાય એ માટેની અટકાવવાની ક્રિયા. જો ખરાબ થયું તો એ ખરાબીને દૂર કરવાની તથા વધુ ખરાબી ન થાય એ ક્રિયા ઉપરાંત ખરાબ થયેલ હસ્તપ્રતને પુન: એનું મૂળસ્વરૂપ પ્રાપ્ત થાય એ માટેની ક્રિયા. આમ ત્રણેક પ્રકારની ઉપચારક્રિયાઓની આવશ્યકતા તો કોઈ પણ પ્રકારની હસ્તપ્રતો માટે રહે છે. એટલે એમાંથી આ ક્ષેત્રમાં પડેલા સૌ કોઈ પરિચિત થાય એ માટેની જે તે પ્રાદેશિક ભાષામાં માહિતી આપતું સાહિત્ય અને સાધન-સામગ્રી ઉપલબ્ધ હોવાં જોઈએ. આ ઉપરાંત પણ તાડપત્ર, ભોજપત્ર કે કાગળની હસ્તપ્રતોને ગરમી, ભેજ, સૂર્યપ્રકાશ, થાયઝેન્યુરા (Thysanura), આઈસોપ્ટેરા (Isoptera), કોલીયોપ્ટેરા (Colloptera), uita (Orthoptera) 34d siell8241 (Corrodentiea) પ્રકારની જીવાતો તથા ફૂગથી રક્ષણ મળી રહે એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપચારોનું સાહિત્ય પણ અનિવાર્ય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૧૩ (૪) પ્રાચીન હસ્તપ્રતોમાં રહેલી સામગ્રી માનવસંસ્કૃતિના બહુમૂલ્ય વારસાનું સંગમતીર્થ છે. એની ખરી જાળવણી એ આપણી નૈતિક ફરજ છે. જૈન ધર્મમાં તો હસ્તપ્રતોનું લેખન અને એની જાળવણી એ ધર્મકાર્ય, પુણ્યકાર્યનો જ એક ભાગ ગણાતું. એ પરંપરાને પરિણામે તેઓ દ્વારા વધુ ને વધુ સુરક્ષિતરૂપે હસ્તપ્રતો જળવાઈ છે. આ કારણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જૈનસર્જકોનું પ્રમાણ પણ સારુ એવું છે, જ્યારે અન્ય જૈનેત્તર સર્જકો વિષયક બહુ જ ઓછો અને આછો અંદાજ મળે છે. ૪:૧ પ્રાચીન હસ્તપ્રતોને થયેલું નુકસાન કોઈ જ રીતે પૂરી શકાય એવું હોતું નથી. એટલે એનું જતન કરવાની પદ્ધતિ જાણવી એ એક અનિવાર્ય બાબત છે. નુકસાન પામતી હસ્તપ્રતોને સમુચિત રીતે સંરક્ષવાની (Conservation) ઉપરાંત યોગ્ય રીતે જાળવણી કરવાની (Preservation) તથા એના પુનરુદ્ધારની (Restoration) પણ આવશ્યકતા છે. મારી ષ્ટિએ ખરું અને પૂરું કન્ઝર્વેશન ઉપરાંત આ બે મુદ્દાથી થયું ગણાય. આમાં સૌ પ્રથમ પ્રિઝર્વેશન પછી કન્ઝર્વેશન અને ત્યાર બાદ રેસ્ટોરેશન એમ ક્રમ હોવો જોઇએ. આપણે આ ત્રણેય મુદ્દાઓને ટૂંકમાં સમજીએ. ૪:૧:૧ પ્રિઝર્વેશન : કોઈપણ વસ્તુ નાશવંત છે. પરંતુ એની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તો એ લાંબો સમય ટકી રહે. કુદરતી-પ્રાકૃતિક સડાથી જે જીવાતોથી બચે એ રીતે હસ્તપ્રતોની જાળવણીની ક્રિયા તે પ્રિઝર્વેશન. ૪:૧:૨ કન્ઝર્વેશન : યોગ્ય રીતે પ્રિઝર્વેશન હોય છતાં અકસ્માતે કરીને કે પ્રકૃતિગત રીતે હસ્તપ્રતનું મૂળરૂપ નષ્ટ પામતું હોય તો એને અટકાવવા જાળવવા સંરક્ષણ માટે સૂઝપૂર્વકના રાસાયણિક ઉપચારોથી મૂળરૂપ ટકી રહે અથવા એ પ્રક્રિયા અટકે એ માટેની ક્રિયા તે કન્ઝર્વેશન. ૪:૧:૩ રેસ્ટોરેશન : પૂરો વિવેક જાળવીને, હસ્તપ્રતોમાંથી નષ્ટ થયેલી ખૂટતી કડીઓ જોડી આપવાની, ઝાંખા પડી ગયેલા રંગોની મૂળ વિગતો મૂકવાની અથવા તો નાશ પામી રહેલી મૂળ ચિત્રોની પ્રતિકૃતિ-રેખાંકનો-દોરીને રાખવાની ક્રિયા તે - Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન પુનરુદ્ધારની કામગીરી. આ ક્રિયામાં એક બીજી બાબત પણ સમાવિષ્ટ છે. તે છે, પૂરા શાસ્ત્રીય અભિગમથી પ્રાપ્ત હસ્તપ્રતોમાંથી યોગ્ય પાઠપસંદગી કરીને એને સંપાદિત કરીને મૂલ્યાંકન અને અર્થો સાથે અર્વાચીન ગુજરાતી ભાષામાં અનુવાદિત કરીને પ્રકાશન કરવું. આ પણ રેસ્ટોરેશન ક્રિયાનો જ એક ભાગ છે. આવી વિવિધ રૂપની ક્રિયાથી જ આપણે આપણી બહુ મૂલ્યવાન પ્રાચીન સંસ્કૃતિના પુરાવારૂપ સામગ્રીનું જતન કરી શકીશું. (૫) આ અત્યંત મહત્ત્વના ક્ષેત્રમાં તજ્જ્ઞો ખૂબ જ ઓછા છે. આમાં રસ લેનારા અને અનુસરનારા પણ ઓછા મળી રહે. તોપણ કેટલીક મહત્ત્વની અને આ ક્ષેત્રને પ્રેરકપોષક પ્રવૃત્તિઓ આરંભવી જોઈએ કે જેથી આ ક્ષેત્રનું એક વાતાવરણ બંધાશે. ૫:૧ પ્રદેશ કક્ષાની, ઝોન કક્ષાની અને રાષ્ટ્ર કક્ષાની સમિતિઓની રચના કરવી જોઈએ. ૫:૨ સતત પ્રજા સમક્ષ જુદાજુદા સમાચાર માધ્યમો દ્વારા આ ક્ષેત્રની વિગતો પ્રસ્તુત કરતાં રહીને લોકરુચિને ઘડવાના-કેળવવાના કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ. ૫:૩ કળા, શિલ્પ, સાહિત્ય તથા અન્ય માનવવિદ્યાઓ વિષયક પાયાની અને મહત્ત્વની એવી અપ્રકાશિત રચનાઓ હસ્તપ્રતોમાંથી સંપાદિત થઈને પ્રસ્તુત થતી રહે એ માટે આયોજન ગોઠવવું જોઈએ અને જે તે ક્ષેત્રના તદ્વિદોની યાદી બનાવવી જોઈએ. ૫૪ હસ્તપ્રત સંશોધન-સંપાદન તરફ અભ્યાસીઓ વળે એ માટે ઉત્તેજનરૂપ સહાય-સુવિધા અને ગ્રાન્ટ ફાળવવી જોઈએ. ૫:૫ ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિઓલોજી પીએચ.ડી. અને એમ. ફિલ. માટે ફેલોશિપ આપે છે એવી યુનિવર્સિટી, કૉલેજ ટીચર્સ કે પોસ્ટડૉક્ટરલ રિસર્ચ-વર્ક માટે ફેલોશિપ આપવાની યોજના કરવી જોઈએ. ૫:૬ આ પ્રકારના સંપાદન-સંશોધનના પ્રકાશન માટે ગ્રાન્ટ્સ આપવાનું આયોજન કરવું જોઈએ. ૫:૭ ક્રમ ૩, ૪, ૫ અને ૬ માટે ભારત સરકારના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને નેશનલ આર્કાઇવ્ઝ ડિપાર્ટમેન્ટ્સ તરફથી મદદ માટેનું આયોજન છે. પણ એનું માળખું એવું છે કે એમાં ખરેખર રસ ધરાવતી કેટલીક વ્યક્તિ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો: જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૧૫ ગોઠવાઈ નથી શકતી. એટલે એમાં વ્યવહારુ દિશામાં આયોજન થવું જોઈએ. ૫:૮ જે-તે પ્રદેશની પ્રાચીન લિપિના અભ્યાસને કળા, શિલ્પ કે સાહિત્ય એમ કયાંય અભ્યાસક્રમમાં સ્થાન નથી, એ પરિસ્થિતિમાં પ્રાચીન લિપિની તાલીમ-જ્ઞાન-માટેના સર્ટિફિકેટ અથવા તો ડિપ્લોમા કોર્સનું આયોજન કરવું જોઈએ. એના ખર્ચ માટેની જોગવાઈ કરવી જોઈએ. આ બધી બાબતોનો આપણા પ્રાચીન સંસ્કારધનની સામગ્રીરૂપ હસ્તપ્રતોના જતનમાં સમાવેશ કરવો જોઈએ. અન્યથા માત્ર સ્થૂળરૂપનું જતન-જાળવણી ગણાશે. જતનની વૈચારિક ભૂમિકામાં તથા એના અભ્યાસ તરફ વાળવાના ઉપર્યુક્ત મુદ્દાઓને પણ જો સૂક્ષ્મ રીતની ઉપર્યુક્ત ત્રણેય બાબતોની સાથે ભેળવવામાં નહીં આવે તો માત્ર એક કર્મકાંડરૂપનું ધૂળ જતન ગણાશે. પ્રાચીન હસ્તપ્રતોના જતનની આ પ્રિઝર્વેશન, કન્ઝર્વેશન અને રેસ્ટોરેશન અને સ્ટડી એવી ચતુર્વિધરૂપની પ્રક્રિયા મારી દષ્ટિએ પૂર્ણરૂપની પ્રક્રિયા છે. હસ્તપ્રત જાળવણીનું એક શાસ્ત્ર છે. એક વિદ્યાશાખાની કોટિએ સ્થાન પામી શકે એવો આ વિષય છે. ખાસ કરીને હસ્તપ્રત જાળવણી સંદર્ભે જૈન સંપ્રદાયનું આગવું સ્થાન છે. પ્રાચીન હસ્તપ્રતોની જાળવણીની જૈનોની આગવી યોજના પદ્ધતિને કારણે આજે વિશેષ માત્રામાં ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય હસ્તપ્રતોરૂપે ઉપલબ્ધ છે. એના જતન અને સંરક્ષણની યોજનાને કારણે બહુમૂલ્ય જ્ઞાનવારસો અકબંધ રીતે જળવાઈ રહ્યો છે.ગુજરાતની સાંસ્કૃતિક મુદ્દાની દસ્તાવેજી સામગ્રીરૂપ આ હસ્તપ્રત ભંડારોથી બધા સુપરિચિત નથી. જૈનોએ પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી કરી એમાં પાર વગરની જૈનેતર કૃતિઓ પણ છે. જૈન ગુર્જર કવિઓની સંવર્ધિત આવૃત્તિના દશ ખંડો એનું ઉજ્જવળ ઉદાહરણ છે. આ હસ્તપ્રત ભંડારોમાં છેલ્લાં સાતસો આઠસો વર્ષની ભાષાકીય સામગ્રી સંગ્રહિત છે, એનું કથાની દૃષ્ટિએ, સાહિત્ય દષ્ટિએ મૂલ્ય હોય એ સ્વાભાવિક છે. પણ એમાં ગુજરાતી ભાષાનાં ઐતિહાસિક વ્યાકરણનાં ખરાં ઉદાહરણો પણ છે. માત્ર પદ્યકૃતિઓ જ નહીં બાલાવબોધ રચનાઓ અને અન્ય ગઘ કે ગદ્યપદ્ય ચિત્ર કૃતિઓને આધારે ગુજરાતી ભાષાના વિકાસની ભૂમિકાનું ખરું ચિત્ર પ્રાપ્ત થઈ શકે તેમ છે. ભારતના બહુ ઓછા પ્રાંતો પાસે આવી Page #31 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન સાંસ્કૃતિક સામગ્રીરૂપ વિપુલ હસ્તપ્રતોનો ખજાનો છે. આપણી પાસે છે એનું કારણ જૈનોની હસ્તપ્રતોને જાળવવાની સંસ્કાર પ્રણાલીની ભાવના છે. આ જૈન હસ્તપ્રત ભંડારોમાંથી પાટણ, ખંભાત અને અમદાવાદના લા.દ. પ્રાચ્ય વિદ્યામંદિર વિષયક પરિચયાત્મક વિગતો અત્રે પ્રસ્તુત કરવાનો ઉપક્રમ છે. ૧૬ ૬:૧ પાટણનું શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર જૈનધર્મના મહારાજસાહેબોની વિચક્ષણ બુદ્ધિપ્રતિભા અને સાહિત્યિક સૂઝબૂઝનું એક ઉજ્જવળ ઉદાહરણ એટલે આજનું પાટણનું શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર. પાટણ પાસે મધ્યકાલીન સાહિત્ય અને સંસ્કૃતિનો એક ભવ્ય ઇતિહાસ છે. આ ઇતિહાસની દસ્તાવેજી સામગ્રીરૂપ કંઈ કેટલીયે હસ્તપ્રતો, પાટણના જુદાજુદા પાડામાં (વિસ્તારમાં) ૨૮ જેટલા નાના-નાના હસ્તપ્રત ભંડારોમાં સંગ્રહીત હતી. આ ભંડારોનો વહીવટ જે-તે વિસ્તારના જૈન ભાઈઓ હસ્તક રહેતો. આ બધી સામગ્રીથી આકર્ષાઈને ઈ.સ. ૧૮૫૦માં ઍલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ, ૧૮૭૩માં ખુલ્લર સાહેબ, ૧૮૮૦માં પ્રોફે. એ.વી.કાથવટે, એ પછી પિટર્સન અને મણિલાલ નભુભાઈ દ્વિવેદી વગેરે જેવા અનેક સંશોધકો પાટણના આ જુદાજુદા ભંડારોની હસ્તપ્રતોના અભ્યાસાર્થે-અવલોકનાર્થે પધારેલા, પરંતુ એ સમયે જૈન સમાજના સંગઠન અને સંકલનના અભાવે પ્રાચ્યવિદ્યાનો ઊંડો અભ્યાસ કરવા તત્પર વિદ્વાનોને વ્યવસ્થાપકોની અનુપસ્થિતિને કારણે કે અન્ય રોકાણોને કારણે બહુ સહકાર સાંપડતો ન હતો. વિદ્વાનોને પડતી આ મુશ્કેલીનો કંઈક અંશે ખ્યાલ આવ્યો હોય કે પછી પોતાની આંતરિક સૂઝથી એ સમયે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી અને એમના શિષ્ય શ્રી ચતુરવિજયજી, શ્રી પુણ્યવિજયજી અને શ્રી વિજયવલ્લભસૂરિજીએ સંઘની જ માલિકીનું એક જ્ઞાનતીર્થ સ્થપાય અને ત્યાં જ આ તમામ પ્રાચીન હસ્તપ્રતો સુવ્યવસ્થિત રીતે સંગ્રહાય, એનાં વિગતપૂર્ણ સૂચિપત્રો પ્રકાશિત થાય તથા સંશોધન-સંપાદન માટેની એક યોજના ગતિશીલ બને, એવો સદ્વિચાર પ્રસ્તુત કર્યો અને એના પ્રતિઘોષરૂપે વ્યાપકરૂપે જૈનસમુદાયનો બહુ મોટો સહકાર પણ સાંપડ્યો. સારી એવી જમીન પણ ઉચિત સ્થળે પ્રાપ્ત થઈ તથા શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના ભત્રીજા શ્રેષ્ઠી શ્રી હેમચંદ્રભાઈ મોહનલાલે ખાસ અંગત રસ લઈને અનુદાન આપી - અપાવરાવીને એક ભવ્ય એવા જ્ઞાનતીર્થના ભવનના નિર્માણનો આરંભ કરેલો. Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૧૭ મહારાજસાહેબોનો વિચાર અને પાટણના જૈન સમાજના વ્યાપક રૂપના સહકારના સુફળરૂપ વિદ્યાધામ તે આજનું અનેક દેશી-પરદેશી સંશોધકોનું આકર્ષણ કેન્દ્ર શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર'. આધુનિક ઢબની તમામ સુવિધાઓથી સંપન્ન અને ફાયર-પૂફ એવા આ ભવનના ભવ્ય, આકર્ષક શૈલીના બાંધકામથી પાટણની પવિત્ર એવી શોભામાં અભિવૃદ્ધિ પણ એટલી જ થઈ છે. પાટણનું આ એક ઉત્તમ એવું દર્શનીય સ્થળ છે, જે આપણા મહાન વારસાની પ્રતીતિ કરાવતી ૨૦,000 જેટલી માતબર કહી શકાય એવી હસ્તપ્રતોને સુવ્યવસ્થિત રૂપે સાચવી રહ્યું છે - કહો કે, આપણી સંસ્કૃતિ-સાહિત્ય-સમૃદ્ધિનું આ એક સુરક્ષાધામ છે. તા. ૦૭-૦૪-૧૯૩૯ ને શુક્રવારના એ શુભ દિવસે ગુજરાતી સાહિત્યના સુખ્યાત સર્જક શ્રી કનૈયાલાલ મુનશીના વરદ્ હસ્તે આ જ્ઞાનોપાસનાના ભવનનો ઉદ્ધાટન વિધિ યોજાયેલો. મહારાજસાહેબોની દરમિયાનગીરીથી 'પાટણના જુદાજુદા વિસ્તારની તમામ હસ્તપ્રતો તથા કચ્છ અને પંજાબમાંથી પણ એકત્ર કરાયેલી હસ્તપ્રતો એક જ સ્થળે સુરક્ષિતરૂપે આ ભવનમાં રાખીને એની અર્પણવિધિ પાટણના જૈન શ્રીસંઘને થઈ. આપણું સદ્ભાગ્ય કે મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી મુનિ શ્રી પુણ્યવિજ્યજીએ આ સંસ્થામાં કિશોરવયથી જ સંશોધન-સંપાદનની કામગીરીનો આરંભ કરેલો. અત્યારે લા.દ. પ્રાપ્ય વિદ્યામંદિરમાં કાર્યરત અને હસ્તપ્રતવિદ્યાના નિષણાત શ્રી લક્ષ્મણભાઈ ભોજક એ સમયે દશ વર્ષની વયે અહીં જ સતત મદદરૂપ થઈને આ વિદ્યામાં પારંગત થયેલા. ૨૦,જેટલી બહુમૂલ્ય એવી હસ્તપ્રતોને સુરક્ષિતરૂપે જાળવતા આ ભંડારની ૧૪,૦% હસ્તપ્રતોની વિગતપૂર્ણ સૂચિનો પ્રથમ ભાગ મુનિ શ્રી પાગ્યવિજ્યજી દ્વારા તૈયાર કરાવેલ, તે લા.દ. પ્રાચ્ય વિદ્યામંદિર દ્વારા પ્રકાશિત થયેલ છે. હવે ૬૦૦ જેટલી પ્રતોની સૂચિ પ્રકાશિત થવાની બાકી છે. ઉપરાંત કેટલીક હસ્તપ્રતોની માઇક્રોફિલ્મ પણ લા.દ. પ્રાચ્ય વિદ્યામંદિર અને જંબુવિજયજી દ્વારા તૈયાર થઈ છે. બૌદ્ધોના પ્રમાણવાર્તિક' ગ્રંથ પરની અનેક કોમેન્ટ્રીઓ મળતી હતી. તિબેટી ભાષામાં પણ એના પરની વિસ્તૃત ટીકાઓ પ્રાપ્ત થતી હતી. પરંતુ એ સંસ્કૃત ગ્રંથની મૂળ પ્રત આ ભંડારમાં છે, જે ક્યાંય લભ્ય નથી. એવા આ અલભ્ય ગ્રંથની મૂળ પ્રત ઉપરાંત ધર્મવિધિ પ્રકરણ’, ‘કુમારપાળચરિત્ર', 'કુવલયમાલા' Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન અને ૧૧મી, ૧રમી તથા ૧૩મી સદી દરમિયાન લખાયેલ પ્રાકૃત-અપભ્રંશ ભાષાનાં કાવ્યો, નાટકો, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, કામશાસ્ત્ર, જ્યોતિષ, વેદાન્ત, ન્યાય અને શિલ્પવિદ્યા વગેરે વિષયની અનેક હસ્તપ્રતો ભંડારની એક આગવી રિદ્ધિ છે. ઉપરાંત સંસ્કૃત, મરાઠી અને ગુજરાતી ભાષાની પણ અનેક કૃતિઓ અત્રે હોઈ, એના અભ્યાસ માટે દેશપરદેશના અનેક વિદ્વાનો આ સંસ્થાનો સંતોષપૂર્વક લાભ લઈ શકે છે. પ્રારંભમાં શ્રી કેશવલાલભાઈની સેવાઓ પ્રાપ્ત થતી. હવે અત્યંત નિષ્ઠાવાન યુવાન અધ્યાપક શ્રી અશોક સેવંતીલાલ શાહની માનદ સેવાઓ, કોઈ પણ અભ્યાસીને પ્રાપ્ત થાય છે, એ કારણે આજની પેઢીમાં આપણને ઊંડી શ્રદ્ધા પણ બેસે છે. આ ઉપરાંત તાડપત્રીય હસ્તપ્રતોના મોટા જથ્થામાં જે ત્રાગ ભંડારો સમગ્ર ભારતમાં છે, એમાંનો એક હસ્તપ્રત ભંડાર પાટણમાં છે, બીજો ખંભાતમાં છે અને ત્રીજો જેસલમેરમાં. પાટણના આ પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રત ભંડારની ૪૧૩ જેટલી હસ્તપ્રતોની ખૂબ જ વિગતપૂર્ણ વિશદ સૂચિ જૈન સાહિત્યના એકનિક અભ્યાસી શ્રી લાલચંદ ભગવાનજી ગાંધીએ તૈયાર કરેલી છે. આ ઉપરાંત ભોગીલાલ લહેરચંદ ગાંધી ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલોજીની પણ પાટણ ખાતે સ્થાપના થયેલી. આ સંસ્થામાં પ્રાચ્ય વિદ્યાના સંશોધન અને સંપાદનના ઘનિષ્ઠ અભ્યાસને પૂરો અવકાશ હતો, પણ હાલમાં એ સંસ્થા સમેટી લેવાઈ છે. અને હાલ દિલહી નજીક એ કાર્યરત છે. આ ઉપરાંત કેસરબાઈ જૈન જ્ઞાનમંદિર તથા સ્થાનકવાસી જૈન ઉપાશ્રય પણ પ્રાચ્ય વિદ્યાના સ્વાધ્યાય-સંશોધન-કેન્દ્રો છે. ભાભાના પાડામાં પણ કાગળની અને તાડપત્રની હસ્તપ્રતો સચવાઈ છે. પ્રાચીન હસ્તપ્રત ભંડારને ઉચિત પરિપ્રેક્ષ્યમાં રાખવાનું મહારાજસાહેબનું ભવ્ય સ્વપ્ન સાકાર થયું અને પાટણ એક પ્રાચ્યવિદ્યા-ઉપાસનાનું કેન્દ્ર બન્યું. આ પ્રકારની સુરક્ષા એ એક આદર્શ સ્થિતિ છે. ૬:૨ જૈન કલા, સંસ્કૃતિ અને સાહિત્યનો સુંદર સમન્વય : ખંભાતના ભંડારો : જૈન કલા, સંસ્કૃતિ અને સાહિત્ય એમ ત્રિવિધ ક્ષેત્રે ખંભાતનું એક આગવું કહી શકાય એવું પ્રદાન છે. આ એક ઐતિહાસિક અને પવિત્ર એવું સંસ્કૃતિધામ - જૈનોએ જૈન ધર્મના આવાં જુદાં જુદાં સ્થાનોમાં ૮૪ મૂર્તિઓની સ્થાપના Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો: જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૧૯ કરેલી, એમાં ખંભાતના સ્તંભતીર્થમાંની ભગવાન નેમિનાથની સ્થાપનાનું પણ સ્થાન છે. આ એક બહુ જ મહત્ત્વની બાબત છે. ખંભાતનાં જૂનાં નામો ‘સ્તંભતીર્થ', 'થંભનતીરથ' કે 'થંભનપુર મળે છે તેની પાછળ આ એક પ્રાચીન એવું ઐતિહાસિક તથ્ય હોવાનો પૂરો સંભવ છે. આજે ખંભાતમાં ૬૮ જેટલાં ભવ્ય કલાપૂર્ણ જિનાલયોમાં ૧,૧૭૦ જેટલી આરસ પ્રતિમાઓ, ૧,૩૭૦ જેટલી ધાતુની પ્રતિમાઓ છે. એક સાચી નીલમની પ્રતિમા છે. ૨૦ જેટલી સ્ફટિકની પ્રતિમાઓ, ૧૪૬ જેટલાં ચાંદીનાં સિદ્ધચક્રો અને ૯૮ જેટલાં ધાતુનાં સિદ્ધચકોથી આ પ્રાચીન નગર સાંપ્રતકાળે પણ પવિત્ર-ઉજ્જવળ તેજથી ઝળહળે છે. કલો ઉપરાંત સાંસ્કૃતિક બાબતે પણ આ નગરનું બહુ મોટું મહત્ત્વ છે. મહાન જૈન સર્જક શ્રી ઋષભદાસનું આ વતન છે. એ સ્મારક સ્થળના દર્શનથી એના ભવ્ય સર્જનનો પણ પરિચય થાય છે. ઉપરાંત કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ સંવત ૧૧૫૪માં દીક્ષા પણ આ શહેરના પાર્શ્વનાથ મંદિરમાં લીધેલી. ગુરુ શ્રી દેવેન્દ્રસૂરિજી પાસે જ્યાં હેમચંદ્રાચાર્યજીએ વિદ્યાભ્યાસ કરેલો એ સંસ્કૃતિના પ્રતીકરૂપ સ્થળને પણ ખંભાતે સુંદર અને સુવ્યવસ્થિત રીતે સાચવી રાખ્યું છે. આ એ જ સ્થળ છે જ્યાં કુમારપાળને હેમચંદ્રાચાર્યશ્રીએ આશ્રય આપેલો. આ સ્મૃતિધામ એ એક રીતે ખંભાતનું આભરણ છે. આપણા મહાન સાધક અને સર્જક એવા શ્રી હેમચંદ્રાચાર્યજીનું ખંભાતનું આ સ્મૃતિધામ એ એક રીતે ખંભાતનું આભરણ છે. આપણા મહાન સાધક અને સર્જક એવા શ્રી હેમચંદ્રાચાર્યજીનું ખંભાતનું આ સ્મૃતિધામ આપણી ભવ્ય એવી પ્રાચીન સંસ્કૃતિનું ઘોતક છે. કલા, સંસ્કૃતિ ઉપરાંત સાહિત્યજ્ઞાન ભંડાર એ પણ ખંભાતની અત્યંત મહત્ત્વની અને મોહક એવી ઘટના છે. આપણી અમૂલ્ય-અલભ્ય પ્રાચીન સાહિત્યપ્રતોને પોતાના ત્રણ જ્ઞાનભંડારોમાં વ્યવસ્થિત રીતે જાળવનાર ખંભાતના માત્ર જૈન નહીં પણ સમગ્ર દેશવાસીઓ ઋણી છે. ૬:૨:૧ : શાંતિનાથ પ્રાચીન તાડપત્રીય જ્ઞાનભંડાર : એ માણેકચોકમાં આવેલ હસ્તપ્રત ભંડાર છે. શ્રી વિશા ઓસવાળ જૈનસંઘ દ્વારા સુવ્યવસ્થિત રીતે એનું સંચાલન થાય છે. શ્રી દિનેશભાઈ ઝવેરી જેવા સૂઝવાળા કાર્યકરોનો નગરના ઇતિહાસ - સંસ્કૃતિ પ્રેમી અને પ્રાચ્યવિદ્યાના ઊંડા અભ્યાસી શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીનો પણ ઉમદા સહકાર સાંપડેલો છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦. હસ્તપ્રતવિઘા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન પરિણામે આપણા દેશની અલભ્ય એવી તાડપત્ર પર લખાયેલી અને કલાત્મક રંગીન સચિત્ર એવી ૨૭૫ જેટલી હસ્તપ્રતો સુવ્યવસ્થિત રીતે અહીં સંગ્રહાયેલી છે. ખાસ કરીને વસ્તુપાળના હસ્તે ૧૩૯૮માં લખાયેલી “ધર્માલ્યુદય મહાકાવ્યની પ્રત આપણી એક બહુ મોટી અસ્કામત છે, જે અહીંના આ જ્ઞાનભંડારમાં જ મળે છે. ઉપરાંત કાલિદાસનું “રઘુવંશ', જયમંગલકૃત “કવિશિક્ષા' વગેરે કૃતિઓ અત્રે હસ્તપ્રતરૂપે મળે છે. વસ્તુપાળના હસ્તાક્ષરો એ એક ઐતિહાસિક સામગ્રી છે. જૈન સમાજ જેનો બહુ સાચી રીતે ગૌરવ લઈ શકે એવો આ એક જ્ઞાનભંડાર છે. ૬:૨:૨ : “વિજયનેમિસૂરિજી જ્ઞાનભંડાર'માં પણ વિશેક હજાર જેટલી હસ્તપ્રતો છે. અહીં પણ વિનયવિજયજી રચિત લોકપ્રકાશ' નામની એનસાઇક્લોપિડિયા કક્ષાની માહિતીપૂર્ણ હસ્તપ્રત સંગ્રહાયેલી છે. ૬:૨:૩: “નીતિવિજયજી જ્ઞાનભંડાર'માં પણ પાંચેક હજાર જેટલી હસ્તપ્રતો છે. સુવર્ણાક્ષરી અને સચિત્ર એવી પ્રાચીન હસ્તપ્રતો આ જ્ઞાનભંડારની આગવી રિદ્ધિ છે. ચાંદીની શાહીથી લખાયેલ કલ્પસૂત્ર પણ અત્રે છે. આ હસ્તપ્રત ભંડારમાં ખંભાતના નિવાસી અને ભંડારના સંરક્ષક શેઠ શાંતિલાલ મણિલાલનો સંગ્રહ પણ સમાવિષ્ટ થયેલ છે. આમ, કલા અને સંસ્કૃતિના ભવ્ય પ્રતીકરૂપ જિનાલયો તથા હેમચંદ્રાચાર્ય સ્મૃતિધામ ઉપરાંત આપણા પ્રાચીન સાહિત્યનાં ઉજ્જવળ પ્રકરણોને પૂરી કાળજીથી સાચવતા અમૂલ્ય સાહિત્ય ભંડારોનો તેજસ્વી ધામ જેવાં ખંભાતનો કોઈ પણ જૈન ગૃહસ્થ પ્રવાસ કરવા જેવો છે. એ માત્ર યાત્રા પ્રવાસ નહીં પણ એક પ્રકારનો સાંસ્કૃતિક પ્રવાસ ગણાશે, જે આપણા ભવ્ય અને તેજસ્વી વારસાનું સ્મરણ કરાવીને આપણને પણ એક પ્રકારનું ભવ્ય સ્વપ્ન સેવવા તરફ લાવશે. દ:૩ જૈન સાહિત્ય, તત્વજ્ઞાન અને સંસ્કૃતિનું સંગમતીર્થ : ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર પ્રાચ્ય વિદ્યાઓ માટેનાં સમગ્ર ભારતમાં સુવ્યવસ્થિત રીતે કાર્યરત હોય એવાં વિદ્યાધામોની સંખ્યા બહુ જ અલ્પ છે. એવી સ્થિતિમાં અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર(એલ.ડી.ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી) સમગ્ર ભારત અને ભારત બહાર સુખ્યાત એવું એક વિદ્યાધામ છે, એ આનંદની બાબત છે. જૈન સાહિત્ય અને પ્રાચીન વિદ્યાઓ પરત્વે વિપુલ પ્રમાણમાં Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૨૧ ઊંડાણથી અનેક પ્રકારનાં સંશોધનો અત્રે થઈ રહ્યાં છે. આપાગી બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસાનો બહુધા શિલાલેખો, તામ્રપત્રો અને હસ્તપ્રતોને આધારે જ આપણને પરિચય થાય છે. દુર્ભાગ્યે એ બધી ચીજોનું વિજ્ઞાનિક પદ્ધતિથી યોગ્ય રીતે ક્યાંય પણ જતન થતું નથી, ત્યારે ઊંડા અભ્યાસ કે તુલનાત્મક અધ્યયનનો તો વિચાર જ કેવી રીતે આવે ? પરદેશમાં આજે આ વિષયમાં ઘણું પાયાનું કામ અનેક વિદ્વાનો કરી રહ્યા છે. આવા સમયમાં ગુજરાતનું લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર આપણું એક બહુ મોટું આશ્વાસન છે, કારણ કે ત્યાં શિસ્તબદ્ધ રીતે આ પ્રકારનો સ્વાધ્યાય-યજ્ઞ અવિરત ચાલતો જોવા મળે છે. . આજની દષ્ટિએ જોઈએ તો, એક કરોડથી પણ વધુ કિંમતનું સુંદર વિદ્યાભવન, વિશાળ અને આધુનિક સુવિધાપૂર્ણ હસ્તપ્રત-ભંડાર, ગ્રંથાલય, સંશોધકો માટે ગેસ્ટ હાઉસ, સંશોધન-કાર્યરત એવા જૈન મુનિઓના નિવાસ માટે ઉપાશ્રય, કર્મચારી- આવાસ અને વિશાળ વનરાજીયુક્ત કમ્પાઉન્ડવાળું આ વિદ્યાધામ અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલું છે. ૩૦ લાખના ખર્ચે એક વ્યવસ્થિત મ્યુઝિયમ પણ તૈયાર થયું છે. ઇન્ડોલોજીમાં શિલ્પ, સ્થાપત્ય, મૂર્તિવિધાનકળાના અનેક નમૂનાઓ, ફોટોગ્રાફ, તામ્રપત્રો અને શિલાલેખો વગેરેના દશ હજારથી પણ વધુ પ્રાચીન વસ્તુના નમૂનાઓ છે. ફિલ્મ નેગેટિવ માઇક્રોફિલ્મ, રેકર્ડઝ, કૅસેટ્સ, ફોટોગ્રાફ્સ - એ બધું પાગ ઇન્ડોલોજીનો એક સમૃદ્ધ ભાગ છે. પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી કસ્તૂરભાઈ લાલભાઈએ આ ભારતીય સંસ્કૃતિના વિરલ ગણાય એવા અવશેષોને સંગ્રહવાની અને એના અભ્યાસ માટેની યોજનાને ૧૯૫૭માં એક નકકર રૂપ આપેલું. ૧૧-૦૫-૬૩ના રોજ એ વખતના વડા પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ એ વિશાળ સુવિધાપૂર્ણ વિદ્યાધામનું ઉદ્દઘાટન કરેલું. ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતું આ એક કેન્દ્ર બની રહેશે, એવી તેમની અપેક્ષા ખરી પડે, એવી એક સંશોધક-માર્ગદર્શકનિયામક શ્રેણી આ વિદ્યામંદિરને સાંપડી છે એ આપણું સદ્ભાગ્ય છે. પ્રારંભમાં કે. કા. શાસ્ત્રી, હરિપ્રસાદ શાસ્ત્રી, રસિકલાલ પરીખ અને જિતેન્દ્ર જેટલીએ બહુમૂલ્ય સેવાઓ આપી. શ્રી દલસુખભાઈ માલવણિયા અને ડૉ. હરિવલ્લભ ભાયાણીની સેવાઓ ઉપરાંત, એમાં ડૉ. નગીનભાઈ શાહ, તપસ્વી નાન્દીની સેવાઓ પણ ભળી છે. હાલમાં આ બધા વિદ્વાનો ઉપરાંત અનેક Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય: સંશોધન અને સંપાદન સંશોધન-અધિકારીઓ, સંશોધક-મદદનીશો, સંશોધકો આ સંશોધન વિદ્યાભવૅનમાં સક્રિયપણે ભારતીય પ્રાપ્ય વિદ્યાઓમાં સંશોધનકાર્ય કરી રહ્યા છે. વસુદેવ હિંડી', હરિવંશપુરાણ', વાભદાલંકારવૃત્તિ” ઉપર કામ ચાલી રહ્યું છે. “સંબોધી” એ વાર્ષિક મુખપત્ર છે. જેમાં સંશોધકોના સંશોધનલેખો પ્રકાશિત થાય છે. અત્યાર સુધીમાં આ એકસોથી પણ વધુ સંખ્યામાં પ્રકાશનો પ્રકાશિત થયાં છે, જેમાંથી જૈન સાહિત્યની સમૃદ્ધિનો ખ્યાલ મળી રહે છે. અલભ્ય અને અપ્રાપ્ય એવી કંઈ કેટલીય હસ્તપ્રતો, ચિત્રાવલિયુક્ત હસ્તપ્રતો, સુવર્ણાક્ષરાંતિ પ્રતો અને સિક્કાઓ, મૂર્તિઓ, તામ્રપત્રો અહીં સુવ્યવસ્થિત રીતે સચવાઈ રહેલાં છે. દેશના-વિદેશના અનેક સંશોધકો આ માટે ભારતના ગુજરાતમાં આવેલા આ વિદ્યાધામનું દ્વાર ખખડાવે છે. ૭૫ હજારથી પણ વધુ હસ્તપ્રતો જે રીતે અદ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિથી અહીં સચવાય છે, તે આદર્શ પદ્ધતિ સમગ્ર ભારતમાં અનુકરણીય બની છે. કોઈ પણ હસ્તપ્રતમાં કઈ વિગત લખાયેલી છે, એનો સમય, કર્તા એની બધી જ વિગતોવાળું એક કેટલોગ પણ પ્રકાશિત થયું છે. આમ આપણા બહુમૂલ્ય વારસાનું અત્યંત કાળજીથી અહીં જતન થઈ રહ્યું છે. પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને રાજસ્થાની ભાષાની આ હસ્તપ્રતોમાં જૈન અને જૈનેતર સર્જકોએ જે સર્જન કર્યું છે, તેનો અભ્યાસ સતત ચાલી રહ્યો છે. ઉપરાંત પ્રાચીન લિપિનાં હસ્તપ્રત-વાચન-સંપાદનની તાલીમના અભ્યાસ-વર્ગો પણ 'પ્રાકૃત વિદ્યા મંડળ'ના ઉપક્રમે અહીં યોજાતા રહે છે. તત્પરિણામે, અભ્યાસીઓ એક આગવી શિસ્ત અને પદ્ધતિથી પૂરા પરિચિત થઈને, આ ક્ષેત્રમાં વધુ પ્રમાણમાં રસ લેતા થયા છે, કાર્ય કરતા થયા છે. પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી, મુનિ શ્રી દેવસૂરિજી, મુનિ શ્રી કીર્તિસૂરિજી, મુનિ શ્રી માલવ્યવિજયજી, શેઠ આણંદજી કલ્યાણજી વગેરેના સમૃદ્ધ હસ્તપ્રતભંડારો આ સંસ્થાને પ્રાપ્ત થયા છે. ચેરમેન શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું એક સ્વપ્ન હતું કે જૈનવિઘાસાહિત્યનો, સંસ્કૃતિનો, સ્થાપત્યનો ઊંડો અભ્યાસ થાય, એમાં સંશોધનો થાય. ચુનીભાઈ ચિમનભાઈ ટ્રસ્ટી મંડળમાં છે અને શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ આ સંસ્થાના મંત્રીશ્રી છે. કરોડો રૂપિયાની કિંમતની આ અસ્કામત ઊભી કરવાનું જાળવવાનું અને એને અભ્યાસમૂલક દિશામાં ગતિમાન કરવા માટેનું કસ્તૂરભાઈનું વલણ-સ્વપ્ન અભિનંદનાઈ છે. સંપત્તિનો આવો સુંદર વિનિયોગ Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૨૩ કરીને તેમાગે ઊભી કરેલી આ સંસ્થાની જૈનધર્મનાં સાહિત્ય, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ અને સ્થાપત્યના જિજ્ઞાસુએ મુલાકાત લેવા જેવી છે. ' અત્યંત મહત્ત્વના અને જાણીતા સ્થાનને વિષયે આ તો સામાન્ય પરિચય છે. પણ પ્રત્યેક જૂના સ્થાને દેરાસર-ઉપાશ્રયમાં પ્રાચીન હસ્તપ્રતના ભંડારો છે. પાલિતાણામાં, ભાવનગરમાં અને કચ્છમાં બહુમૂલ્ય હસ્તપ્રતો છૂટીછવાઈ સચવાઈ રહી છે. આ તમામ ભંડારોની એક યાદી થવી જોઈએ. એમાંની હસ્તપ્રતોની સંખ્યા અને સૂચિ પણ જોઈએ. આવી એક વ્યવસ્થિત સંકલિત સૂચિની આવશ્યકતા છે. ૭:૧ : ગુજરાતનો રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસ રચવા, લખવા માટે ખૂબ જ મહત્વની સામગ્રી પ્રાચીન-જૂની હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થઈ છે. ભારતના અન્ય પ્રાંત કરતાં આપણે ત્યાં જૂની હસ્તપ્રતો પ્રમાણમાં ખૂબ સારી એવી સંખ્યામાં સચવાયેલી છે, જેને કારણે ઈસવીસનની અગિયારમીથી ઓગણીસમી સદીના અંત ભાગ સુધીની કંઈ કેટલીય વિગતો, પુરાવા, દસ્તાવેજો પ્રાચીન હસ્તપ્રતો દ્વારા સુલભ થયાં અને આપણા પ્રાંતના રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસ માટેની ઘણી વિગતો અભ્યાસીઓ સમક્ષ પ્રસ્તુત કરી શક્યા. ૭:૨ : બીજી મહત્વની બાબત હતી આપણી ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરાણ તૈયાર કરવાની. આવું વ્યાકરણ આપણે આ પ્રાચીન જૂની હસ્તપ્રતને કારાગે તૈયાર કરી શક્યા છીએ. ભારતની કોઈ ભાષામાં અગિયારમીથી પંદરમી સદી સુધીની જે તે પ્રાંતની ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ નથી. જ્યારે આપણે ત્યાં માત્ર સૈકા સૈકાની નહીં પરંતુ દાયકા દાયકાની રચના સમયના નિર્દેશવાળી હસ્તપ્રતો વિપુલ માત્રામાં સુલભ હોઈને ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ તૈયાર કરી શકાયું. આમ, પ્રાચીન હસ્તપ્રતો અત્યંત મહત્ત્વની અને પ્રમાણભૂત એવી સામગ્રી સંશોધકોને પૂરી પાડે છે. એમાંથી આપણા સંસ્કારવારસાનાં અનેક ઉદાહરણો પ્રાપ્ત થતાં હોઈને એનું મૂલ્ય જેટલું આંકીએ એટલું ઓછું છે. ૭:૩ : વસ્તુપાલ-યશોવિજય જેવા અનેક મહત્વના મહાપુરુષોના હસ્તાક્ષરોવાળી પ્રાચીન હસ્તપ્રતો આજે પણ સચવાયેલી છે. બીજી પણ કેટલીય સચિત્ર હસ્તપ્રતો સચવાયેલી છે. એમાંથી ભારતીય ચિત્રકળાના Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન વિકાસના અનેક તબકકાઓનો ખ્યાલ મળી રહે એમ છે. જમીનમાં પાણી ક્યાં છે?' થી માંડીને માનવજીવનના ઊઠતા અનેક પ્રશ્નોના સમાધાનરૂપ ઉત્તરો આ હસ્તપ્રતોમાંથી મળે છે. (૮). ૮:૧ : આ નવ સૈકા દરમિયાનની પ્રાચીન હસ્તપ્રતો છેલ્લાં પાંચ સૈકાના રાજકીય દસ્તાવેજો એટલે કે વહીવટી દફતર તરીકે ઓળખાવાતી સામગ્રી કરતાંય વધુ મહત્ત્વની છે. આપણે ત્યાં છેલ્લાં પાંચ સૈકાનાં દફતરોના ઐતિહાસિક રાજકીય દસ્તાવેજોની જાળવણી માટે પણ વ્યવસ્થિત એવું તંત્ર છે. એના સંરક્ષણ અને જતન માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવાઈ છે, એ આપણી સરકારની એક અત્યંત મહત્ત્વની અને ધ્યાનાર્હ બાબત છે. એમાંથી ઉદાહરણ લઈને ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ, રાજસ્થાન આદિ રાજ્યો પણ આ દિશામાં પ્રવૃત્ત થયાં છે. ૮:૨ : આમ, દફતર સંરક્ષણની કામગીરી એ આપણી સરકારનું મહત્વનું કાર્ય છે. પરંતુ આપણે ત્યાં કંઈ કેટલાય સૈકાથી સચવાતી આવેલી પ્રાચીન જૂની હસ્તપ્રતોની જાળવણી માટે - સંરક્ષણ માટે કોઈ વ્યવસ્થિત તંત્ર નથી. આ બાબત તરફ એમનું ધ્યાન આપણે પાગ આજસુધી ખેચ્યું નથી. પરિણામે સાચવી રાખેલી હસ્તપ્રતોનું જતન કરી ન શકવાને કારણે, જીર્ણશીર્ણ થઈ ગઈ છે, નષ્ટપ્રાય થઈ રહી છે. જો વહેલી તકે સરકાર શ્રી તરફથી એના જતનસંરક્ષણ માટે વ્યવસ્થા નહીં થાય અને તેને માટે નિયમિત રૂપે અનુદાન નહીં મળે, તો આપણે બહુ ગુમાવવાનું રહેશે અને ભાવિ પેઢીના સંશોધકોનો આપણે બહુ મોટો દ્રોહ કયો ગણાશે. ૯:૧ : ગુજરાતમાં હસ્તપ્રતોની જાળવણી બે પ્રકારનાં હસ્તપ્રત સંરક્ષણ કેન્દ્રો દ્વારા થાય છે : એક તો, સરકારશ્રી સાથે સંકળાયેલ સંસ્થાઓના હસ્તપ્રત ભંડારો અને બીજા ધાર્મિક-સામાજિક સંસ્થાઓ હસ્તકના હસ્તપ્રત ભંડારો. પ્રથમ પ્રકારના હસ્તપ્રત ભંડારો ગુજરાતમાં માત્ર છ છે. અમદાવાદમાં ત્રણ, વડોદરામાં એક, દ્વારકામાં એક અને રાજકોટમાં એક બીજા પ્રકારના હસ્તપ્રત ભંડારોની સાચી માહિતી પણ આપણી પાસે નથી, એટલી વિપુલ સંખ્યામાં હસ્તપ્રતો આ ભંડારોમાં છે, અને માત્ર સૌરાષ્ટ્રનાં સંત ધર્મસ્થાનોના ચોપડાવાળી હસ્તપ્રતોની સર્વેક્ષણની યોજના કરીએ તો પ્રાથમિક માહિતીરૂપે સહસ્ત્રાધિક સ્થાનોની યાદી Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૨૫ અમે બનાવી. દરેકમાંથી ઓછામાં ઓછી સોએક હસ્તપ્રતો મળે, તોપણ એકાદ લાખ જેટલી હસ્તપ્રતો થાય. આ ઉપરાંત અમદાવાદ, પાટણ, ખંભાત, છાણી, અગાસ, વડોદરા અને રાજકોટ જેવાં સ્થાનોના જૈન ભંડારોની સમૃદ્ધિથી તો આપણે વાકેફ છીએ. કચ્છમાં પણ વિપુલ માત્રામાં જૈન-જૈનેતર લેખકોની હસ્તપ્રતો છે. સામાજિક સંસ્થાઓની પાસે પણ વિપુલ પ્રમાણમાં પ્રાચીન હસ્તપ્રતો સચવાયેલી છે. આ બધી સંસ્થાઓ તો સમાજમાંથી અનુદાન મેળવીને પોતાની પાસેના જ્ઞાનવારસાનું જતન કરી રહી છે. પણ તેઓ પણ કેટલો સમય સુધી તેમ કરી શકશે, એ મોટો પ્રશ્ન છે. તાજેતરમાં ફાર્બસ ગુજરાતી સભા તરફથી હસ્તપ્રતોની જાળવણીના ખર્ચને પહોચી વળવા માટે ભાયાણી સાહેબ જેવા વિશ્વવિખ્યાત સંશોધકો સામે ટહેલ નાખી છે. પ્રબોધ પરીખ જેવા ભારતખ્યાત તત્ત્વજ્ઞાની સંશોધકે પણ આ ટહેલમાં પોતાનો સમય આપ્યો છે. આખરે, આવા કાર્ય માટે પ્રતિસાદ પણ ક્યાં સુધી મળશે ? ૯:૨ : ચિત્ર બહુ ધૂંધળું છે અને ઘણું બાકી પણ છે. ગુજરાતના ગામેગામના હસ્તપ્રત ભંડારોની યાદી હોય અને એ બધા ભંડારોમાં સચવાયેલી પ્રતોની યાદી પગ હોય, એ ખૂબ જ જરૂરી છે. સામાજિક સંસ્થાનો અને ધર્મ સંસ્થાનો નિર્ધારિત રીતે હસ્તપ્રતોની જાળવણી માટે હસ્તપ્રતોની સંખ્યાને આધારે અનુદાનની રકમ નક્કી કરાય અને સરકારશ્રી સાથે સંલગ્ન હસ્તપ્રત ભંડારો કે જેમને સમાજનો પણ પ્રતિસાદ નથી તેમને નિયમિત રીતે અનુદાન મળે એમાં સંશોધન અધિકારીઓ, હસ્તપ્રત નિરીક્ષકો, હસ્તપ્રત સંરક્ષકોની જગ્યાઓ મંજૂર કરવામાં આવે અને પ્રાંતમાં પથરાયેલ હસ્તપ્રત ભંડારોની યાદી બનાવવાનું કામ કોઈને સોપવામાં આવે એ પાયાની અને પ્રાથમિક આવશ્યકતાઓ છે. (૧૦) હસ્તપ્રતોની જાળવણીનો આજસુધીનો પણ એક મોટો ઇતિહાસ છે. એની કેટલીક માહિતીથી કેવા મહાન સંશોધકો-વિદ્વાનોએ તે માટે કેવું નોંધપાત્ર માર્ગદર્શન આપ્યું છે એનો ખ્યાલ આવે છે. રાજવીઓ, વિદેશી વહીવટદારો, સંશોધકો અને સંસ્થાઓએ આ કાર્યમાં કેવું યોગદાન આપ્યું છે એ ટૂંકમાં જોઈએ. Page #41 -------------------------------------------------------------------------- ________________ કુ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંાદન ૧૦:૧ : સિદ્ધરાજ જયસિંહના અને કુમારપાળના સમયથી હસ્તપ્રતલેખન અને એના ભંડારની જતનની પ્રવૃત્તિની વિગતો પુરાવાઓ સાથે મળે છે. એ પૂર્વે પણ આ પ્રવૃત્તિ તો અસ્તિત્વમાં હશે જ. એની દીર્ધ પૂર્વપરંપરા પણ હોવી જોઈએ. પરંતુ એના શ્રદ્ધેય પુરાવાઓ નથી. એટલે વિક્રમના બારમા સૈકાથી વીસમા સૈકાના પૂર્વાર્ધ સુધીનો પ્રાચીન હસ્તપ્રતોની જાળવણીનો અને સમુદ્ધારનો એક ઉજ્જવળ ઇતિહાસ આપણી પાસે મોજૂદ છે. સિદ્ધરાજની સાહિત્યપ્રીતિ, ગ્રંથસમાન, હેમચંદ્રાચાર્યના વ્યાકરણની સેંકડો પ્રતો લખાવીને એને ભિન્ન ભિન્ન પ્રાંતના હસ્તપ્રત ભંડારોને મોકલી આપેલી, વગેરે હકીકતોના અનેક ઉલ્લેખો તત્કાલીન તથા અનુકાલીન કૃતિઓની હસ્તપ્રતોમાં મળે છે. સિદ્ધરાજ પછી કુમારપાળે પણ ગ્રંથભંડારોની સ્થાપના કર્યાના અને તેમની જાળવણી માટે પુષ્કળ પ્રયત્નો કર્યાના ઉલ્લેખ મળે છે. એ પછી રાજા વીરધવલના સમયમાં મહામાત્ય વસ્તુપાલે કરોડો રૂપિયાના ખર્ચે ગ્રંથભંડારોની સ્થાપના કરાવેલી અને એમાં રાખવા માટે મહત્ત્વની હસ્તપ્રતોની નકલો પણ કરાવેલી. એ સમયની, એ ગ્રંથભંડારોની તાડપત્રની પ્રતોમાંની ‘ધર્માભ્યુદય’ રચના આજે પણ ઉપલબ્ધ છે. પૂર્વકાલીન આ બધા પ્રયત્નોને કારણે તો આજે આપણી પાસે ચિત્ર, શિલ્પ જેવી અન્ય વિદ્યાઓ વિશે પણ જાણકારી છે. અપભ્રંશમાંથી ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, હિન્દી અને બંગાળી કેવી રીતે જન્મી એનો શ્રદ્ધેય ઇતિહાસ મળે છે. તેરમા સૈકાનું કુમારપાળ અને હેમચંદ્રાચાર્યનું સુપ્રસિદ્ધ ચિત્ર પણ હસ્તપ્રત ભંડારોની જાળવણીને કારણે આજે આપણી પાસે છે. ૧૦:૨ : હસ્તપ્રતોની જાળવણીના કાર્યમાં રાજવીઓ ઉપરાંત અંગ્રેજ અમલદારોએ પણ ભારે યોગદાન આપ્યું છે. તેઓ શાસન વહીવટ ઉપરાંત આવા સંસ્કાર વારસાની જાળવણીના કાર્યમાં પણ રસ લેતા હતા, એ એમની સંસ્કારપ્રીતિનું અને સાહિત્યપ્રીતિનું ઉદાહરણ છે. ઈ.સ. ૧૮૩૨માં કર્નલ ટોડે પાટણની હસ્તપ્રતોનો ખજાનો જોઈને તેના જતન માટે મદદરૂપ થવા ઉદ્ગારો કાઢેલા કે અણહિલવાડમાં બે વસ્તુઓ મહત્ત્વની છે. એક વનરાજની મૂર્તિ અને બીજાં જૈન પુસ્તકાલયો. A ૧૮૭૩માં ઍલેકઝાન્ડર ફિન્લોક ફાર્બસે તથા ૧૮૭૫માં ડૉ. જ્યોર્જ બુલ્હરે પાટણની મુલાકાત લીધેલી અને ત્યાંના હસ્તપ્રત ભંડારોમાંની કેટલીય Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષાણની પદ્ધતિ અને ઇતિહાસ ૨૭ હસ્તપ્રતોની નકલ કરાવેલી. પછી મુંબઈ સરકારને નિવેદન કરીને ૧૮૮૬માં પ્રો. કથપટે તથા પ્રો. ભાંડારકર પાસે હસ્તપ્રતોની સૂચિ કરાવીને જાળવણી માટે વ્યવસ્થા સૂચવેલી. વડોદરા રાજ્ય તરફથી ૧૮૯૨માં મણિલાલ નભુબાઈ ત્રિવેદી સયાજીરાવ ગાયકવાડની આજ્ઞાથી અનેક મહત્ત્વની હસ્તપ્રતોની નકલો કરાવીને એના અનુવાદો અને પ્રકાશન પણ કર્યા હતાં. ૧૮૮૩માં ડૉ. પિટર્સને પણ પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી માટે મુંબઈ સરકારની આજ્ઞાથી પ્રયત્નો કરેલા, નકલો કરેલી અને સૂચિ તૈયાર કરાવેલી. ૧૦:૩ : સરકારી અમલદારો અને સરકારને આશ્રયે, એમના પ્રોત્સાહનથી, થયેલા પ્રયત્નોની વિગતો નોધી, પણ એ ઉપરાંત અને સંશોધકો દ્વારા સમાજસંઘની મદદથી અને સ્વરૂચિથી પણ હસ્તપ્રત જાળવણીનાં અને એના સમુદ્ધારનાં કાર્યો થયેલાં. શ્રી સી. ડી. દલાલે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના શિષ્ય મંડળની સહાયથી અનેક દુર્લભ હસ્તપ્રતો મેળવી અને એમના સંરક્ષણ માટે વડોદરામાં પ્રાચ્ય વિદ્યામંદિરની સ્થાપના કરવામાં આવી. ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ' નામની ગ્રંથમાળા હેઠળ હસ્તપ્રતની સૂચિઓ તથા મહત્ત્વની કૃતિઓ પ્રકાશિત કરવાનું નોંધપાત્ર કાર્ય કરેલું, એ કાર્ય તૂર્ત જ યાદ આવે છે. મુનિ શ્રી પુણ્યવિજયજીએ આ હસ્તપ્રતોના સંરક્ષણની. સૂચિકરણની આ પ્રવૃત્તિમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. અમદાવાદની એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલોજી એમની પ્રેરણાનું પરિણામ છે. હસ્તપ્રતોની જાળવણીની એક એકત્રીકરણની તથા નકલોની કામગીરીમાં પણ તેમનું મહત્ત્વનું પ્રદાન છે. એલ. ડી. સિરીઝ હેઠળ મહત્વની કૃતિઓનું પ્રકાશન પણ થતું રહે છે. આવું જ બીજું મહત્વનું પ્રદાન મુનિ શ્રી જિનવિજયજીનું છે. ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાત પુરાતત્વ મંદિર’ હેઠળ તેમણે જે પ્રવૃત્તિ કરી અને મધ્યકાલીન ગદ્યકૃતિઓ, પદ્યકૃતિઓના ઉદ્ધાર માટે તેમણે જે પ્રયત્નો કર્યા એની ભારત અને ભારત બહાર પણ નોધ લેવાઈ છે, હસ્તપ્રતોના સંરક્ષણ ઉપરાંત તેમના પ્રકાશનની કામગીરી એમની ઊંડી સૂઝ અને પ્રાચીન હસ્તપ્રતો પરત્વેની પ્રીતિની ઘાતક છે. 'સિંધી જૈન ગ્રંથમાળા’ દ્વારા ભારતીય વિદ્યાભવન, મુંબઈ અને શાંતિનિકેતનના માધ્યમથી પણ તેમણે હસ્તપ્રતોના સમુદ્ધાર માટેની પ્રવૃત્તિઓ કરેલી. એમની આ સેવાઓને કારણે આપણે એમના ઋણી રહીશું. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન ૧૦:૪ : ફાર્બસ ગુજરાતી સભા' એ પણ મધ્યકાલીન હસ્તપ્રતોના સંરક્ષણ અને સંપાદનમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. હવે એની શાખા અમદાવાદમાં પણ શરૂ થઈ છે. એવું જ પ્રદાન ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ'નું છે. હસ્તપ્રતોની જાળવણીનું તેનું કાર્ય પ્રશસ્ય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આરંભથી જ આઘ કુલપતિ ડોલરરાય માંકડે પ્રાચીન હસ્તપ્રતોના એકત્રીકરણની, સંરક્ષણની અને પ્રકાશનની પ્રવૃત્તિ હાથ ધરેલી. વિશિષ્ટ રૂપની એટલે ખાસ કરીને સાહિત્ય અને રાજકીય વિષયની ચારાણી હસ્તપ્રતોનો અને વહીવંચા બારોટની વહીઓનો વિપુલ ભંડાર અત્રે છે. સૂચિપત્રો તથા અનેક કૃતિઓનાં પ્રકાશનો થયેલાં છે, તથા ‘ઝવેરચંદ મેઘાણી ગ્રંથમાળા” હેઠળ બીજાં પણ મહત્ત્વનાં પ્રકાશનો થયાં છે. આ તો સંસ્થાઓના પ્રદાનનો આછો ઉલ્લેખ કર્યો. અને અભ્યાસનિષ્ઠ સંપાદકોએ પણ હસ્તપ્રતોના ઉદ્ધાર માટેના સંપાદન કાર્યમાં તથા પ્રકાશનમાં પોતાની સેવાઓ આપી છે. એ બધા સંશોધક-સંપાદકોની સેવાઓની પણ નોધ લેવી જોઈએ. હસ્તપ્રત સંરક્ષણ જતનનું સ્વરૂપ અને પદ્ધતિનો પરિચય મહત્ત્વની હસ્તપ્રતો જાળવતા કેટલાક જૈન હસ્તપ્રત ભંડારોનો ટૂંકો પરિચય અને હસ્તપ્રત સંરક્ષણની સંપાદનની કામગીરીની સૈકાઓ જૂની આપણી સમૃદ્ધ પરંપરાનો ઐતિહાસિક અભિગમથી અત્રે પરિચય પ્રસ્તુત કર્યો. એને આધારે ખ્યાલ આવે છે કે સંસ્કૃતિના મહત્ત્વના દસ્તાવેજ તરીકે આ ક્ષેત્ર કેટલું મહત્વનું છે. આપણાં સાહિત્ય, ઇતિહાસ અને અન્ય વિષયોના અભ્યાસમાં એ એક મહત્વની શ્રદ્ધેય સામગ્રી તરીકે ખપમાં લાગે તેમ છે. એના વ્યવસ્થિત રૂપમાં અભ્યાસની ખરી આવશ્યકતા છે. આખા ગુજરાતમાં એક સાંકળરૂપ બને તેવા પ્રયત્નો - કાર્યક્રમો યોજવા જોઈએ. આ માટે પ્રાથમિક આવશ્યકતા તો તમામ હસ્તપ્રતોના ભંડારોની એક સૂચિની છે. પછી સર્વગ્રાહી સૂચિની પણ એવી જ આવશ્યકતા છે. પરંતુ આ માટે તાલીમની જોગવાઈ નથી. તાલીમ કેન્દ્ર દ્વારા સંશોધન અને સ્વાધ્યાયને સમર્પિત અભ્યાસીઓની પણ બહુ મોટી આવશ્યકતા છે. ટેકનૉલોજીના વિકાસમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થઈ પણ એની સાથે કામ પાડી શકે એવા સંનિષ્ઠ અભ્યાસીઓની તો અનિવાર્ય આવશ્યકતા છે. પુણ્યવિજયજી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી વર્ષમાં આપણે ટહેલ નાખીએ. મળી રહેશે એવી પૂર્ણ શ્રદ્ધા છે. પણ “યોજકો સર્વત્ર દુર્લભ અનુસાર મૂળ હકીકત તો આયોજન- સંયોજકની છે. મળશે? Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪. હસ્તપ્રતોના પ્રકારો અને સ્વ - ચંદ્રકાંતાબહેન હ. ભટ્ટ ગ્રંથલેખનનાં સાધનોમાં લિપિને દશ્યરૂપ આપતાં તેમ જ તેને વ્યક્ત કરતાં વિવિધ સાધનોમાં લિપિના આસનરૂપે ગણી શકાય તેવા ભૂપત્ર, તાડપત્ર મુખ્યત્વે છે. પ્રાચીન હસ્તગ્રંથો આ જ લખવાના પદાર્થો પરનાં મળે છે. ભૂપત્ર એ ભૂર્જ નામના વૃક્ષની અંદરની છાલ છે. ભૂપત્ર લાંબા, પહોળા નીકળી આવે છે. લેખક પોતાની ઇચ્છા અનુસાર લંબાઈ પહોળાઈનાં પાનાં બનાવે છે. તે રીતે તાડપત્રોને પણ જરૂરી કદનાં પત્રોમાં કાપી લેવામાં આવતાં. સામાન્ય રીતે તાડપત્રો એકથી ત્રણ ફૂટ લાંબા અને એકથી ચાર ઈંચ પહોળા હોય છે. ઉત્તર ભારતના કેટલાક ભૂર્જપત્રો અને તામ્રપત્રો આ કદનાં હોય છે. જે ચોખ્ખી તાડપત્રની અસર દર્શાવે છે. ભૂપત્ર અને તાડપત્ર એ નૈસર્ગિક પદાર્થોને ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી તેની અછત ભૌગોલિક દૃષ્ટિએ રહેતી. લેખક પોતાની જરૂરિયાત મુજબ ભૂર્જપત્ર તેમ જ તાડપત્રનો ઉપયોગ કરતા અને કાપકૂપ કરીને પત્રોને કદ પ્રમાણે ઉપયોગમાં લઈ લેતા. આથી પત્રોના કદને લઈને હસ્તલિખિત ગ્રંથોમાં વિવિધતા રહેતી. હસ્તલિખિત ગ્રંથોને પ્રકારની દૃષ્ટિએ બે વિભાગમાં વહેંચી શકાય છે : (૧)આંતરિક પ્રકારો (૨)બાહ્યપ્રકારો આંતરિક પ્રકારો : હસ્તલિખિત પ્રતોના આંતરિક પ્રકારો તેના રૂપવિધાનની દૃષ્ટિએ પાડવામાં આવે છે. આંતરિક પ્રકારોમાં પુસ્તકનું બાહ્ય સ્વરૂપ સાદું છતાં સામાન્ય લાગે તો પણ પ્રતો તપાસતાં તેમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતા લાગવાના કારણ પાછળ લેખકની ચીવટ, ખૂબી તથા રુચિ રહેલી હોય છે. તેનો કોઈ વિશેષ અર્થ ૨૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન હોતો નથી. ઉપરાંત લેખકે લખવામાં કરેલ શાહીના માધ્યમના કારણે તેમ જ તેનો ઉપયોગ કરનાર સાધુ હોય કે ગૃહસ્થ હોય તેની સુગમતાને કારણે વિવિધ આંતરિક નવીનતા દેખાય છે.' હસ્તપ્રત લેખનમાં પુસ્તકોના આંતરિક પ્રકારો લખાણની પદ્ધતિ પરથી પાડવામાં આવે છે. તેમાં ત્રિપાટ કે ત્રિપાઠ, પંચપાટ કે પંચપાઠ, ફૂડ કે શૂઢ, ચિત્રપુસ્તક, સુવર્ણાક્ષરી, રૌખાક્ષરી, સૂક્ષ્માક્ષરી અને સ્કૂલાક્ષરીનો સમાવેશ થાય છે. આ પુસ્તકોના પ્રકારો કે ભેદો કે નામો કાગળ પર પુસ્તક-લેખનની શરૂઆત થયા પછી પાડવામાં આવ્યાં છે. ત્રિપાટ કે ત્રિપાઠ: આ પ્રકારના પાટ કે પાઠમાં પૃષ્ઠને ત્રણ ભાગમાં વહેચી નાખવામાં આવે છે. જેમાં પુસ્તકના મધ્ય ભાગમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર અને નીચે તેની ટીકા, ટાબો કે વ્યાખ્યા લખવામાં આવે છે. આવી રીતે એક પૃષ્ઠને ત્રણ ભાગમાં કે પાઠમાં વહેંચી નાખવામાં આવતું હોવાથી તેને ત્રિપાટ કે ત્રિપાઠ કહેવામાં આવે છે. પંચપાટ કે પંચપાઠ: જે કોઈ પૃષ્ઠને પાંચ ભાગમાં વહેંચીને લખવામાં આવે તેને પંચપાટ કે પંચપાઠ કહે છે. આ જાતના પુસ્તકની મધ્યમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ, તેની ઉપર અને નીચે અને બન્ને બાજુના હાંસિયામાં ટીકા કે ટબાર્થ લખવામાં આવે છે. આ રીતે પાંચ વિભાગે પુસ્તક લખાતું હોવાથી રૂપવિધાનની દષ્ટિએ તેને પંચપાટ કે પંચપાઠ કહે છે. જે પુસ્તકો હાથીની સૂંઢની પેઠે મૂળ સૂત્ર, ટીકા આદિનો કોઈ પણ જાતનો વિભાગ પડ્યા વિના સળંગ લખવામાં આવે તેને ફૂડ કે શૂઢ પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. મુનિશ્રી પુણ્યવિજયજીના મતે ત્રિપાટ અને પંચપાટ તરીકે એવા ગ્રંથો લખી શકાય કે જેના ઉપર ટીકા ટિપ્પણી હોય. જે ગ્રંથો ઉપર ટીકા ટિપ્પણી નથી હોતી તે “ફૂડ' રૂપે જ લખાય છે, પણ તેને માટે “ફૂડ' શબ્દનો પ્રયોગ થતો નથી. “શૂડ' શબ્દનો પ્રયોગ સળંગ લખાયેલા ટીકાત્મક Page #46 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતોના પ્રકારો અને સ્વરૂપ ૩૧ ગ્રંથો માટે જ થાય છે. જ્યારે ડૉ. સત્યેન્દ્ર બતાવે છે કે જે પુસ્તકનું લખાણ હાથીની સૂંઢ' ની માફક લાગે તેને સૂડ-પાઠ કહેવાય છે. આમ ઉપરની પંક્તિ બધાથી મોટી હોય છે. તેની પછીની પંક્તિઓ અનુક્રમે નાની ને નાની બન્ને તરફથી થતી જાય છે. સૌથી છેલ્લી પંક્તિ સૌથી નાની હોય છે. અને આથી લખાણનું સ્વરૂપ હાથીની સૂંઢનો આકાર ધારણ કરે છે. આ ફકત લેખકની કે લિપિકારની પોતાની રુચિ પ્રકટ કરે છે. પરંતુ આ પ્રકારના ગ્રંથ જોવા મળતા નથી. જોકે કાલિદાસે કુમારસંભવમાં સર્ગ નં.૧ શ્લોક નં.૩માં કુંજબિંદુશોણથી આવા જ પુસ્તકની તરફનો નિર્દેશ પ્રગટ કર્યો છે." અહીં અત્રે નોંધવું જરૂરી છે કે ઈ.સ.ની ચૌદમી સદીના પ્રારંભથી ત્રિપાટ, પંચપાટ લખવાની પ્રથા દાખલ થઈ છે. તે પહેલાં સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા વગેરે પુસ્તકો જુદાં લખાતાં હતાં અને ત્યારે એક ગ્રંથના અભ્યાસાર્થીને પોતાના અભ્યાસ માટે જુદી જુદી પ્રતોમાં નજર નાંખવી પડતી. ત્રિકોણપાઠ: લેખકની પોતાની રુચિ અનુસારની લેખનકાર્યની પૃષ્ટ રચના ત્રિકોણ પાઠમાં પણ મળી શકે છે. ઉપરની સૌથી પહેલી પંકિત આખી અને એક બાજુ હાંસિયા રેખાની સાથે પ્રત્યેક બીજી પંકિતઓ અડીને લખાયેલી હોય પણ બીજી બાજુથી થોડી નાની થતી જઈને છેલ્લી પંક્તિ એકદમ નાની બની જાય છે. આ પ્રકારના પૃષ્ઠમાં ત્રિકોણ- પાઠ પ્રસ્તુત થાય છે. જોકે આનો કોઈ વિશેષ અર્થ નથી પણ લેખકની રુચિની પ્રતિક છે. રૂપ વિધાનની દષ્ટિએ તો ત્રિપાટ અને પંચપાઠ બન્નેનું જ મહત્ત્વ છે. કારણે કે બીજા અન્ય પાઠથી વિશેષ અભિપ્રાયથી તે જુદું પડે છે.' ચિત્રપુસ્તક : તાડપત્રીય હસ્તપ્રતોના ગ્રંથોના પાનાંઓની વચ્ચે દોરી કે સૂત્ર નાંખવાને માટે ગોળ છિદ્ર કરવામાં આવે છે. અને લખાણ લખતી વખતે વચ્ચેની જગ્યામાં આ નિમિત્તે ગોળાકાર કે ચોરસ સ્થાન છોડીને લખવામાં આવતું. આને આધારે કેટલાક લેખકો ગ્રંથ લખતાં અક્ષરોની વચમાં એવી ચીવટથી અને ખૂબીથી ખાલી જગ્યા છોડે છે કે જેથી અનેક જાતની ચિત્ર ચોકડીઓ, વજ, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ હસ્તપ્રત વિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન છત્ર, સ્વસ્તિક વગેરેની આકૃતિઓ તેમ જ લેખકે ધારેલી વ્યકિતનું નામ, શ્લોક, ગાથા વગેરે દષ્ટિગોચર થાય છે. આ જ પ્રમાણે કેટલાક લેખકો ઉપર જણાવ્યું તેમ લખાણની વચમાં ખાલી જગ્યા ન મૂકતા, કાળી શાહીથી લખતા લખાણની વચમાં અમુક અમુક અક્ષરોને એવી ચીવટથી અને ખૂબીથી લાલ શાહી વડે લખે છે કે જેથી તેને જોનાર એ લખાણમાં અનેક પ્રકારની ચિત્રાકૃતિઓ તેમ જ નામ, શ્લોક વગેરે જોઈ શકે. કારણકે લાલ શાહીના ઉપયોગને લીધે તે આકૃતિઓ જુદી તરી આવે છે. કેટલીક વાર કલ્પસૂત્ર જેવાં પુસ્તકોમાં વચમાં કાણું પાડવાની જગ્યા રાખવામાં આવે છે, ત્યાં કલ્પસૂત્રને લગતાં સુંદર નાના ચિત્રો પણ દોરવામાં આવે છે. તેવી રીતે ગ્રંથ કે ગ્રંથના ખંડની સમાપ્તિ ધ્યાનમાં લાવવા માટે વિવિધ ચિત્રાકૃતિઓ કરવામાં આવે છે. સુવર્ણાક્ષરી અને રોખાક્ષરી પુસ્તકો : આ પ્રકાર શાહીના માધ્યમને લીધે અલગ પડે છે. આ બે જાતની શાહીથી લખતાં પહેલાં ગ્રંથોના પાનાંને પહેલાં લાલ, કાળાં, વાદળી કે જાંબલી વગેરે ઘેરા રંગથી રંગી લેવામાં આવે છે. કારણકે તેથી કાગળની પશ્ચાદભૂમિકામાંથી અક્ષરો ચળકતા અલગ બહાર ઊપસી આવે. ખાસ પ્રકારે તૈયાર કરેલ સોનેરી રૂપેરી શાહીથી લખતાં પહેલાં કાગળને અકીક, કોડા કે કસોટી વગેરેના ઘૂંટાથી ઘૂંટતા એ લખાણ બરોબર ઓપદાર બની જતું. આ જાતનાં પુસ્તકોનાં પાનાંમાં લખાણની આસપાસ ચિત્રાકૃતિઓ કરવામાં આવતી અને લખવામાં પાગ અનેક જાતની ભાતો અને ખૂબીઓ દર્શાવવામાં આવતી. સોનેરી-રૂપેરી શાહીથી લખેલું તાડપત્રીય પુસ્તક આજે વિદ્યમાન છે. ગુજરાતમાં કુમારપાળદેવે જૈન આગમોની અને આચાર્ય હેમચંદ્રની રચનાઓને સોનેરી શાહીથી પોતાના જ્ઞાનકોષ માટે લખાવી હતી. આ પ્રતિઓ તાડપત્રીય હશે કે કાગળ પરની તે નિશ્ચિત નથી. પણ એટલું તો ચોક્કસ છે કે આને લખાવતો એક વર્ગ હતો જે સુવર્ણાક્ષરે કે રોપ્યાક્ષરે લખાયેલાં પુસ્તકોનું મહત્વ અને મૂલ્ય વધારી દેતો હતો. આવાં પુસ્તકો તેને લખાવનારની રુચી સમૃદ્ધિનાં સૂચક ગણાય છે. આ પ્રકારનાં પુસ્તકોને સામાન્ય પરિપાટીના ગ્રંથો માનવામાં નથી આવતાં. આ જાતના ગ્રંથો ખૂબ જ વિરલ છે. જે હાલ મળી આવે છે તે બધાં જ કાગળ પરનાં છે. અને તે બધા વિ.સં. ૧૪૦ પછીના છે. આ બન્ને પ્રકારની શાહીથી લખાયેલાં Page #48 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતોના પ્રકારો અને સ્વરૂપ ૩૩ પુસ્તકોમાં મુખ્યત્વે કરીને કલ્પસૂત્ર' અને કાલિકાચાર્ય-કથા' હોય છે. શ્રી હંસવિજ્યજીના વડોદરાના સંગ્રહમાં આવેલી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત ઈ.સ. ૧૪૬૪-૬૫માં લખાયેલી છે. સોનરી શાહી કરતાં ચાંદીની શાહીનો ઉપયોગ ગ્રંથો લખવામાં ઓછો થયો છે. ચાંદીની શાહીથી લખાયેલી પ્રતિઓ કવચિત્ જ મળે છે. સૂમાક્ષરી અને સ્કૂલાક્ષરી પુસ્તકો : અક્ષર ખૂબ જ નાના પણ હોઈ શકે છે ને મોટા પણ હોઈ શકે છે. આના આધાર પર સૂક્ષ્માક્ષરી પુસ્તકો અને સ્થૂલાક્ષર પુસ્તકોના ભેદ પાડવામાં આવ્યા છે. સૂર્માક્ષર પુસ્તકોનો ઘણો જ ઉપયોગ છે. જેમ કે પંચપાઠમાં વચ્ચેનો વિભાગ છોડીને આજુબાજુના વિભાગમાં સૂક્ષ્માક્ષર લખાય છે. જેથી પંચપાઠ એક જ પાના ઉપર આવી શકે છે. આ જ પ્રમાણે પાકના મૂળ અંશની સાથે એક જ પાના ઉપર એનાં ટીકા-ટિપ્પણ આવી શકે છે.' ઉપરાંત સૂક્ષ્માક્ષરમાં લખેલું પુસ્તક કદમાં નાનું હોય છે. આથી વિહારી જૈન સાધુને તે લઈ જવામાં ઘણી જ સરળતા રહે છે. કારણકે પુસ્તકોનો ભાર પણ ના થાય અને પદપાઠનમાં સુગમતા રહે. આ કારણથી તેઓ રસ્તામાં ઉપયોગી ગ્રંથોની પોથીઓ નાની બનાવતા અને ઝીણા અક્ષરે લખતા અને લખાવતા. કાગળના પુસ્તકના જમાનામાં આ જાતના લખાણનો ઘાણો જ વિકાસ થયો છે. જ્યાં ફક્ત ચાર લીટી લખી શકાય ત્યાં ૧૦ થી પણ વધારે લીટીઓ લખવામાં આવી હોય છે. તાડપત્રીય પ્રતોમાં ટીકા, ટિપ્પણો, પાઠભેદો અને પછી ગયેલા પાઠો ઘણીવાર અત્યંત જીણા અક્ષરે લખવામાં આવતા પણ સૂક્ષ્માક્ષરી પુસ્તકોની બાબતમાં આખું પુસ્તક ઝીણા અક્ષરે લખાયું હોય તેને લક્ષ્યમાં લેવામાં આવે છે. અક્ષરોનો આકાર એટલો તો નાનામાં નાનો કરવામાં આવતો કે તે અક્ષરોને વાંચવા સૂક્ષ્મદર્શક કાચની જરૂર પડે. આવા અક્ષરો લખવાની કળા પછી વધુ વિકસી છે.* Qલાક્ષરી પુસ્તકો મોટા મોટા અક્ષરે લખાય છે. આથી ટૂંકી દૃષ્ટિવાળા વાચકોને સુવિધા રહે છે. સામાન્ય રીતે પુસ્તકો મધ્યસરના અક્ષરોમાં જ લખાય છે, અને લખાવવામાં આવે છે. પરંતુ કલ્પસૂત્ર અને કાલિકાચાર્ય કથા જેવાં પુસ્તકો જે પર્યુષણ પર્વમાં એકી શ્વાસે વેગબદ્ધ વાંચવાના હોય તેને સ્થૂલ મોટા અક્ષરે લખવામાં આવે છે. જેથી વાંચવામાં અટક ન થાય અને અક્ષર પર આંખ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન બરાબર ટકે. સ્થૂલાક્ષરી પુસ્તકો લખવાનો વિકાસ કાગળના યુગમાં જ થયો છે." કોતરેલા અક્ષરવાળાં પુસ્તકો : આ જાતનાં પુસ્તકો તૈયાર કરવામાં શાહીનો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નથી. જેમ સાદા કોરા કાગળને કાપીને જેમ વૃક્ષ, વેલબુટ્ટા વગેરે આકૃતિઓ બનાવવામાં આવે છે. તેમ કાગળ પર અક્ષરો કોતરીને પુસ્તકો તૈયાર કરવામાં આવે છે. આમાં લખવાના પદાર્થ ઉપર એટલે કે કાગળ પર અક્ષર કોરી કાઢેલા હોય છે. આ પ્રમાણે કોતરીને તૈયાર કરેલી કવિ જયદેવ કૃત 'ગીતગોવિંદ' કાવ્યની પ્રત ગાયકવાડ ઑરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સુરક્ષિત છે." ચિત્રાત્મક પુસ્તકો : ચિત્રપુસ્તકોની બાબતમાં તેને સજાવટ કરવામાં દોરાયેલા ચિત્રોના માધ્યમ દ્વારા બે વિભાગ પાડવામાં આવે છે. (૧) ફકત પૃષ્ઠને સુશોભન કરવાની વૃત્તિને લીધે (૨) સંદર્ભગત ઉપયોગને લીધે દોરેલા ચિત્રોને લીધે એટલે કે “સચિત્ર હસ્તપ્રતો” (૧) સુશોભનાત્મક પુસ્તકો : સુશોભનાત્મક પુસ્તકોને અનેક રીતે સજાવવામાં આવે છે. એક પ્રકારમાં ગ્રંથના પ્રત્યેક પૃષ્ઠની ચારે બાજુના હાંસિયાને ફૂલપાન અથવા ભૌમિતિક આકૃતિઓથી તથા પશુપક્ષીઓની આકૃતિઓથી સજાવવામાં આવતું. બીજા પ્રકારમાં આરંભમાં જ્યાં પુપિકા આપવામાં આવેલી હોય છે, અથવા અધ્યાયના અંતે ફૂલ, વેલ, પત્તિઓવાળી અશોકચક જેવી આકૃતિઓ, ભૌમિતિક આકૃતિઓ અને પશુપક્ષીઓની આકૃતિઓથી પૃષ્ઠ અથવા પુસ્તકને સુશોભનાત્મક બનાવવામાં આવતું. પૃષ્ઠના મધ્યભાગની જગ્યા છોડીને પણ ચિત્રો બનાવવામાં આવતાં. આમાં અનેક જાતનાં સુશોભનાત્મક ચકો ઉપરાંત મનુષ્યની અથવા પશુની આકૃતિઓનાં ચિત્રો દોરવામાં આવતાં. આ બધી જાતનાં ચિત્રો લિપિકાર કે લેખકની લેખન કલાનું કૌશલ્ય પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત તાડપત્રવાળી જ હસ્તપ્રતોને વચમાં દોરી નાંખવા માટે જે છિદ્ર રાખવામાં આવતું તે ગોળાકાર જગ્યાને વિવિધ રીતે Page #50 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતોના પ્રકારો અને સ્વરૂપ સજાવવામાં આવતી. જૂનામાં જૂની શ્વેતાંબર સંપ્રદાયની નિશીથચૂર્ણિ' પ્રતા (ઈ. સ. ૧૧0) પાટણના સંઘવીના પાડાના ભંડારમાં મળી આવેલી છે. આ હસ્તપ્રતમાં સુશોભનાત્મક વેલબુટ્ટાની સાથે પશુઓની આકૃતિ પણ ચિતરેલી છે. ઈ. સ. ૧૧૦૦થી ૧૪૦૦ સુધીની ચિત્રિત સુશોભનાત્મક હસ્તપ્રતો મળે છે. તેમાં અંગસૂત્ર (ઈ. સ. ૧૧૨૭), કથારત્નસાગર (ઈ. સ. ૧૨૫૦), ત્રિષષ્ટિશલાકા - પુરુષચરિત્ર (ઈ. સ. ૧૨૩૮), શ્રી નેમિનાથચરિત (ઈ. સ. ૧૨૪૨), શ્રાવક પ્રતિક્રમણમૂર્ણિ (ઈ. સ. ૧૨૭૧) મુખ્ય છે. જે અમેરિકાના બોસ્ટન મ્યુઝિયમમાં સંગૃહિત છે. (૨) સંદર્ભગત ચિત્રોથી સજાવેલાં પુસ્તકો : આ જાતનાં પુસ્તકોમાં ચિત્રો એક જ શાહીથી અથવા વિવિધ શાહીના રંગોથી પાણ કરેલાં હોય છે. આવી સચિત્ર હસ્તપ્રતોવાળાં પુસ્તકોમાં સંદર્ભગત ચિત્રો દોરવામાં આવે છે. જેમ કે નૃત્યનાટ્યશાસ્ત્રનાં પુસ્તકમાં શરીરનાં અંગોપાંગનાં હલન ચલનનાં ચિત્રો આપવામાં આવે છે, અને એ જ રીતે હાથની મુદ્રાઓ અપાય છે, ‘રાગમાલા” ને લગતા સંગીતનાં પુસ્તકમાં અમૂર્ત રાગરાગીણીનાં ચિત્રો જોવા મળે છે. આવાં ચિત્રો પુસ્તકોના વિષયના પ્રતિપાદનને માટે તેને દક્ષાત્મક બનાવવામાં ઉપયોગી થાય છે. એટલે જ ‘રાગમાલા” ને ક્લોસ એબલિગે (Klaus Ebeling) ભારતીય દ્રશ્યાત્મક કે ચાક્ષુષ સંગીત કહ્યું છે. આવાં ચિત્રોથી ગ્રંથમાં આવેલી ઘટનાનું દશ્યચિત્ર બની શકે છે. આવાં પુસ્તકોમાં પૂરાં પૃષ્ઠોને પણ ચિત્રિત કરેલાં હોય છે. એ સિવાય આખા પૃષ્ઠના ઉપરના અડધા ભાગમાં, નીચેના અડધા ભાગમાં, પૃષ્ઠના ડાબી બાજુના ઉપરના ચોથા ભાગમાં કે ડાબી બાજુના નીચેના ચોથા ભાગમાં ચિત્ર બની શકે છે અથવા પૃષ્ઠની વચ્ચે પણ તેને બનાવવામાં આવે છે. આમાં ઉપર નીચે લખાણ અને વચ્ચે ચિત્ર હોય છે અથવા ડાબી જમણી બાજુ લખાણ અને વચ્ચે ચિત્ર હોય છે. કોઈ કોઈ વાર કાવ્યના ભાવને પ્રન્ટ કરવા માટે ચિત્રો આપવામાં આવે છે અથવા કાવ્યનો કોઈ અંશ ચિત્રની ઉપર અથવા નીચે લખવામાં આવે છે. જેમ કે “રાગમાલા પુસ્તકોનાં ચિત્રોની ઉપર રાગોની ઓળખ અંગેનું લખાણ આપવામાં આવે છે. આ દશ્યાત્મક સંગીતની અસર ઊભી કરે છે. આ જાતના ચિત્રમાં તે તે કાળની ચિત્રકલાનું સ્વરૂપે પ્રગટ થાય છે. આ કારણને લીધે આ પુસ્તકો બહુમૂલ્ય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન બાહ્ય પ્રકારો : પ્રાચીન હસ્તલિખિત પ્રતો ઘણું કરીને લાંબી તથા પાતળી પટ્ટીઓના રૂપમાં મળે છે. એને એકની ઉપર એક એમ રાખીને ગડી બનાવવામાં આવતી. એક એક પટ્ટીને એક એક પત્ર ગણવામાં આવે છે. આથી ભૂર્જ પત્ર અને તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રતોના પાના ‘પત્ર’ કહેવાતાં. સમય જતાં કાગળની શોધ થઈ પણ ગ્રંથ લેખન માટે કાગળનાં પુસ્તકો તાડપત્રીય પુસ્તકની લંબાઈ પહોળાઈ પ્રમાણે લખાવવાં લાગ્યાં. પ્રાચીન હસ્તપ્રતોના પાનાં છૂટાં અથવા ખુલ્લાં પત્રાકાર પાનાનાં રૂપમાં જ રાખવામાં આવતાં. આવા ખુલ્લાં પત્રો કે નાના કે મોટા હોવાને લીધે તેના આકાર પરથી હસ્તપ્રતોના મુખ્ય પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે. જૈન ભાષ્યકાર, ચૂર્ણિકાર અને ટીકાકારો જે માહિતી પૂરી પાડે છે, તેમાં પણ મુખ્ય પ્રકારો પાંચ ગણાવ્યા છે. તેમાં પુસ્તકોની આકૃતિ અને માપને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે:૦ (૧) ગંડી, (૨) કચ્છપી, (૩) મુષ્ટિ, (૪) સંપૂટફલક, (૫) છેદપાટી. ગંડી : જે પુસ્તક જાડાઈ અને પહોળાઈમાં સરખું એટલે કે ચોખંડુ હોઈ લાંબું (લંબચોરસ) હોય તે ‘ગંડીપુસ્તક’ કહેવાય છે. ‘ગંડી' શબ્દનો અર્થ ગંડીકા - કાતળી થાય છે. એટલે કે પુસ્તક ગંડીકા - ઊંડી જેવું હોય તેને ગંડી પુસ્તક કહેવાય છે. હસ્તલિખિત નાનાં મોટાં તાડપત્રીય પુસ્તકો અને તાડપત્રીય આકારના કાગળ ઉપર લખાયેલાં પુસ્તકોનો ‘ગંડી' પ્રકારમાં સમાવેશ થઈ શકે. કચ્છપી : જે પુસ્તક બે બાજુને છેડે સાંકડું અને વચમાં પહોળું હોય તેને ‘કચ્છપી પુસ્તક’ કહેવાય છે. આવા પુસ્તકના બે બાજુના છેડા શંકુના આકારને મળતા અણીદાર હોવા જોઈએ. હાલ આવાં પુસ્તકો ક્યાંય જોવા મળતા નથી. મુષ્ટિ : કદમાં નાનું અને મૂઠ્ઠીમાં રહી શકે તે પુસ્તકને ‘મુષ્ટિ-પુસ્તક’ કહેવાય છે. જેની લંબાઈ ચાર આંગળની હોય અને વૃત્તાકાર હોય અથવા જે ચાર આગળનું Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૭ હસ્તપ્રતોના પ્રકારો અને સ્વરૂપ ચોખંડુ હોય તે બંનેને “પુષ્ટિ પુસ્તક' કહે છે. આના પહેલા પ્રકારના દાખલામાં ગાયકવાડ ઑરિએન્ટલ ઇન્સ્ટિટયૂટ વડોદરાના સંગ્રહમાં વિદ્યમાન ૩૫૭૭ નંબરનું 'ભગવદ્ગીતા” નામનું પુસ્તક છે. આ પુસ્તક મુઠ્ઠીમાં રાખી શકાય તેવું હોવાથી અથવા મુકીની જેમ ગોળ વાળી શકાતું હોવાથી તે ‘મુષ્ટિ પુસ્તક’ કહી શકાય. જોકે અહીં લંબાઈનું માપ માત્ર ચાર આંગળનું જ જણાવ્યું છે. તેમ છતાં નાના કદમાં લખાતા પુસ્તકોનો આમાં સમાવેશ કરી શકાય. જેમ કે હૈદરાબાદના સાલારજંગ સંગ્રહાલયમાં એક ઈચના કદવાળું (૨.૫ સે.મી.) પુસ્તક છે. જેનો સમાવેશ ‘મુષ્ટિ-પુસ્તક માં કરવામાં આવેલો છે." બીજા પ્રકારમાં અત્યારની નાની નાની ડાયરીઓ કે હાથપોથી જેવા લિખિત ગુટકાઓને ગણી શકાય. આમાં નાના ચોરસ કે લંબચોરસ ગુટકાઓને મુઠ્ઠીની બેવડમાં રાખી શકાય. તેવાનો ‘મુષ્ટિ-પુસ્તકના પ્રકારમાં સમાવેશ કરી શકાય. ૨૨ સંપુટફલક : - લાકડાની પાટીઓ ઉપર લખેલા પુસ્તકનું નામ “સંપુટફલક' છે. સામાન્ય રીતે યંત્ર, ભાંગા, સમવસરણ વિગેરે ચિત્રોવાળી કાષ્ટપટ્ટિકાઓને સંપુટફલક પુસ્તક તરીકે કહી શકાય અથવા લાકડાની પાટી ઉપર લખેલા અને લખાતા 'પુસ્તકને સંપુટફલક’ કહી શકાય. છિવાડી : (છેદપાટી) 'છિવાડી પ્રાકૃત શબ્દનું સંસ્કૃતરૂપ ' છેદપાટી' છે એવું મુનિ પુણ્યવિજ્યજીએ કહ્યું છે. જ્યારે કેટલાક વિદ્વાનો ગાથામાં આવતા 'છિવાડી" શબ્દનું સંસ્કૃતરૂપ પાટિકા' કરે છે. જે પુસ્તકના પાનાં થોડાં હોઈ ઊંચાઈમાં થોડું હોય છે અર્થાત્ જે પુસ્તક લંબાઈમાં ગમે તેટલું લાંબું કે ટૂંકું હોય પણ પહોળાઈ હોવા છતાં તેની સરખામણીમાં જાડાઈ ઓછી હોય એટલે કે પુસ્તકની ઊંચાઈ ઓછી હોય તેની છિવાડી- છેદપાટી-સુપાટિકા પુસ્તક કહેવાય છે. આમાં લખાયેલા પત્રોની સંખ્યા ઓછી હોવાને લીધે તેની ઊંચાઈ ઓછી હોય છે. કાગળ પર લખાયેલા આ પ્રકારનાં પુસ્તકોનો છેદપાટી' માં સમાવેશ થઈ શકે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન ઉપર્યુક્ત પાંચ પ્રકારો ઉપરાંત બાહ્ય પ્રકારનાં ‘કુંડળીની-પ્રકાર'નો પણ સમાવેશ થઈ શકે છે. કુંડળીની પ્રકાર : ઉપરનાં પુસ્તકોના જે પ્રકાર જયા તેમાં આ એક મહત્ત્વનો પ્રકાર છે. આને અંગ્રેજીમાં Scroll કહે છે. આજે જ્યોતિષ-ફળ બતાવતી જન્મ- પત્રિકાઓ કુંડળી સ્વરૂપમાં જોવા મળે છે. તે એક વીંટાના સ્વરૂપમાં હોય છે. ભારતમાં આવા કુંડળીગ્રંથ લખાતા હતા. ‘ભાગવતપુરાણ” નો કુંડળી- ગ્રંથ જે પાંચ ઈંચ (૧૩ સે.મી.) પહોળો અને ૬૫ ફૂટ (૨૦ મીટર) લાંબો છે તે બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરમાં હસ્તલિખિત સચિત્ર સંપૂર્ણ મહાભારતની પ્રત છે. આ કુંડળીગ્રંથમાં એક લાખ શ્લોકો છે અને તે ૬૯.૫ મીટર લાંબું અને ૧.૨૭ મીટર પહોળું છે. આવા કુંડળી ગ્રંથોને ગોળ ગોળ વીંટાની માફક વાળીને તેને પિટક (પેટી) માં રાખવામાં આવતાં. જૈનોના વિજ્ઞમિ પત્રો પણ કુંડળી સ્વરૂપમાં હોય છે. ઉપર્યુક્ત છ પ્રકારના પુસ્તકોના આકાર તેમના પાનાના આકાર પર આધારિત છે. કારણકે કુદરતી પ્રાપ્ય સાધનોમાંથી જે વૃક્ષની છાલ કે પાંદડાં હોય છે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી લેવામાં આવતો હોવાથી તેમાં કરકસર કરી તેના કદ અને આકાર નકકી કરી લેવામાં આવે છે ત્યાર બાદ તેના પર લખવામાં આવે છે. પાદટીપ ૧. ભા. પ્રા. લિ, પૃ. ૧૦૮ ૨. ભા. જે. શ્ર. લે, પૃ. ૭૨ ૩. એજન, પૃ. ૭૨-૭૩ ‘પાડુલિપિવિજ્ઞાન” પૃ. ૧૫૯ ૪. એજન, પૃ. ૭૨ ‘પાડુલિપિ વિજ્ઞાન” પૃ. ૧૫૯ ૫. પાડુલિપિ વિજ્ઞાન, પૃ. ૧૫૯ ૬. એજન, પૃ. ૧૫૯ ૭. એજન, પૃ. ૧૫૯ ૮.ભા. જૈ. 2. લે, પૃ. ૭૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતોના પ્રકારો અને સ્વરૂપ ૯. એજન, પૃ. ૭૪ ૧૦. એજન, પૃ. ૭૪ ૧૧. પાણ્ડુલિપિ વિજ્ઞાન, પૃ. ૧૬૨ ૧૨. ભા. હૈ. શ્ર. લે. પૃ. ૭૬ ૧૩. ભા. હૈ. શ્ર. લે. પૃ. ૭૬ ૧૪. ભા. જ. શ્ર. લે. પ્ર. ૧૬ ૧૫. ભા. હૈ. શ્ર. લે. પ્ર. ૧૬ ૧૬. આજે એક ચોખાના દાણા પર ગીતાના અધ્યાયો અંકિત કરેલા અને ચિત્રાકૃતિઓ જોવા મળે છે. ૧૬.ભા. જ. . લે. પૃ. ૧૬૪ ૧૭. જુઓ એજન ચિત્ર નં. ૧૨ ૧૮. હૈ. ચિ. કલ્પદ્રુમ, પૃ. ૪૦ ૧૯. ‘સ્થાન’ ડિસેમ્બર ૧૯૭૩, પૃ. ૨૦ ૨૦. ભા. હૈ. શ્ર. લે. પૃ. ૨૨ ૨૧. ‘પાડુલિપિ વિજ્ઞાન’, પૃ. ૧૫૭ ૨૨. ભા. હૈ. શ્ર. લે., પૃ. ૨૩ ૨૩. ભા. હૈ. શ્ર. લે. પૃ. ૨૨ ૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫. હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ ડૉ. ભારતીબહેન શેલત લેખનકળા એ પ્રાચીન ભારતમાં શિક્ષણના પાયાના વિષયોમાંના એક વિષય તરીકે ખૂબ અગત્યનું સ્થાન ધરાવતી હતી. લેખનકળા માટે ‘લિપિ’ શબ્દ અને પ્રાથમિક શાળા માટે ‘લિપિશાળા’ શબ્દ પ્રયોજાતો. વિદ્યાનાં પ્રાચીન દેવદેવીઓમાં બ્રહ્મા અને સરસ્વતીના હસ્તમાં હસ્તલિખિત ગ્રંથ ધારણ કરેલો હોય છે. જૈન અનુશ્રુતિમાં બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ પ્રથમ તીર્થંકર ઋષભદેવે કરી મનાય છે, ત્યારે વૈદિક અનુશ્રુતિમાં એનું સર્જન જગતના • સર્જક બ્રહ્માએ કર્યું મનાય છે. પરંતુ અનુશ્રુતિઓની પ્રાચીનતા નકકી કરવી મુશ્કેલ છે. બૌદ્ધ સાહિત્યના લલિતવિસ્તર (ઈ. સ. ૩૦૦ પૂર્વે) નામે સંસ્કૃત ગ્રંથમાં ૬૪ લિપિઓની યાદી આપવામાં આવી છે, તેમાં મહત્ત્વની લિપિ બ્રાહ્મી અને ખરોષ્ઠી દર્શાવી છે. અન્ય લિપિઓમાં પ્રદેશોનાં નામ પરથી પુષ્કરસારી, અંગ લિપિ, વંગ લિપિ, મગધ લિપિ, દ્રવિડ લિપિ જેવી લિપિઓનાં નામ અને જાતિ કે દેશવિદેશની લિપિઓ - દરદ લિપિ, ખાસ્ય લિપિ, ચીન લિપિ, હૂણ લિપિ વગેરેનાં નામ છે. સમવાયાંગ સૂત્ર અને પણવણા સૂત્રમાં ૧૮ લિપિઓની યાદી આપેલી છે. બંનેમાં ઘણાં નામ સમાન છે. આ યાદીમાં બંભી (બ્રાહ્મી), ખરોટ્ટી (ખરોષ્ઠી), પુક્ષ્મરસારિયા (પુષ્કરસારિકા), દ્વામિ લિપિ (દ્રાવિડી) લિપિઓનો સમાવેશ થાય છે. જૈન આગમોની યાદીમાં ‘જવાલિયા’ લિપિનો ઉલ્લેખ છે તે સ્પષ્ટત: યવનાની લિપિ છે. યવનોની લિપિના અર્થમાં યવનાની શબ્દ પ્રચલિત હતો. તેનો ઉલ્લેખ પાણિનીના‘અષ્ટાધ્યાયી (ઈ. પૂ. ૫ મી સદી) માં થયેલો છે. આમ ભારતમાં લિપિઓના ઉલ્લેખ છેક ઈ. પૂ. ૫મી સદીથી મળે છે. હડપ્પા અને મોહેંજો-દડોનાં ખંડેરોમાંથી મુદ્રાઓ, મુદ્રાંકો અને તામ્રપટ્ટિકાઓ પર લખાણ કોતરેલાં મળે છે. તેની લિપિ ઉકેલવા પાશ્ચાત્ય અને ભારતીય ૪૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ વિદ્વાનોએ ઘણા પ્રયત્નો કર્યા છે. આ લખાણોમાં આવતાં જુદાં જુદાં ચિહ્નોનું વર્ગીકરણ કરી એના મૂળાક્ષરોની અને એમાં ઉમેરાયેલાં માત્રાચિહ્નોની ગણતરી કરવાના પ્રયત્નો થયા છે. ડૉ. હન્ટરે કરેલા પૃથક્કરણ તથા વર્ગીકરણમાં જોડાક્ષર ન હોય તેવા અક્ષરોની કુલ સંખ્યા ૨૩૪ અને એમાં મૂળાક્ષરોની સંખ્યા ૧૦૨ છે. આ મૂળાક્ષરોમાં સ્વરચિહ્નો કે સ્વરભારચિહ્નો જેવાં ચિહ્નો ઉમેરેલાં જણાય છે. અક્ષરોમાંનાં કેટલાંક ચિત્રાત્મક છે. આ અક્ષરોના આકાર પરથી એને તે તે પદાર્થના ઘોતક માનવામાં આવ્યા છે. જેમ કે મનુષ્ય, નગર, ઘર, કેદી, ધનુર્ધારી, પક્ષી, મત્સ્ય વગેરે. આ લિપિનું સ્વરૂપ પૂર્ણત: ત્રિાત્મક નથી. કેટલાક વિદ્વાનો એમાં ભાવાત્મક તથા ધ્વન્યાત્મક ચિહ્નો હોવાનું ધારે છે. તો કોઈ એને મુખ્યત: મ્રુત્યાત્મક માને છે. ચિહ્નોની સંખ્યા પરથી આ લિપિ પૂર્ણત: વર્ગાત્મક નહીં હોવાનું પ્રતીત થાય છે. કેટલાક વિદ્વાનોએ આ લખાણોની ભાષા વૈદિક સંસ્કૃત જેવા હોવાનું ધાર્યું અને આ લિપિનાં ચિહ્નોને બ્રાહ્મી લિપિના પ્રાચીનતમ ચિહ્નો અનુસાર ઉકેલવા કોશિશ કરી છે. આ લિપિનાં કેટલાંક ચિહ્ન બ્રાહ્મી લિપિના અમુક અક્ષરો સાથે આકાર સામ્ય ધરાવે છે. તેમ જ બ્રાહ્મી લિપિની જેમ આ લિપિમાં પણ મૂળાક્ષરોમાં અંતર્ગત ચિહ્નો ઉમેરવાની પદ્ધતિ જણાય છે. આદ્ય-ઐતિહાસિક કાલની આ અણઊકલી લિપિમાંથી બ્રાહ્મી લિપિ ઊતરી આવી હોય એ ઘણું સંભવિત છે. છતાં આ બે લિપિઓનાં ઉપલબ્ધ લખાણો વચ્ચે હજારેક વર્ષનો લાંબો ગાળો રહેલો છે. પ્રાચીન ભારતમાં મુખ્યત્વે બે લિપિઓ સહુથી વિશેષ પ્રચલિત હતી. બ્રાહ્મી અને ખરોષ્ઠી. ચીની વિશ્વકોષ ફા-યુઆન-સુ-લીન (ઈ. સ. ૬૬૮) માં` ત્રણ દૈવી તત્ત્વોએ લેખનકળાની શોધ કરી. પહેલા દેવ ફાન (બ્રહ્મા) જેમણે ડાબેથી જમણે લખાતી બ્રાહ્મી લિપિની શોધ કરી. બીજા દેવ કીય-લુ (ખરોષ્ઠ) જેમણે જમણેથી ડાબે લખાતી ખરોષ્ઠી લિપિની શોધ કરી. ત્રીજી લિપિની શોધ ફુંકીએ ઉપરથી નીચે લખાતી ચીની લિપિરૂપે કરી. એમાં પહેલી બે લિપિઓના કર્તા ભારતમાં જન્મ્યા. ખરોષ્ઠી લિપિ : આ લિપિ મુખ્યત્વે ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં જ પ્રચલિત હતી જે ધીમે ધીમે પ્રાચીન કાલમાં જ લુપ્ત થઈ ગઈ. હસ્તપ્રતોમાં આ લિપિનો પ્રયોગ ઈ. સ. ની રજી સદીથી જોવા મળે છે. અફઘાનિસ્તાનના એક સ્તૂપમાંથી મળેલા ૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ ર હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન ભૂર્જપત્રો ઉપર આ લિપિ પ્રયોજાઈ છે. ખોતાન (ચીની તુર્કસ્તાન) માંથી આ લિપિમાં લખાયેલી બૌદ્ધ ધમ્મપદની હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. આ પ્રત પ્રાય: ગંધારમાં કુષાણકાળ દરમિયાન લખાઈ હતી. ચીની તુર્કસ્તાન (મધ્ય એશિયા) માં લાકડાંનાં પાટિયાં અને ચામડા પર લખેલાં ખરોષ્ઠી લખાણ Lou-lan, Tun huang અને Miran માંથી મળ્યાં છે. રેશમ પર લખેલાં ત્રણ ધાર્મિક અને બિનધાર્મિક લખાણ પ્રાકૃત અને ખરોષ્ઠીમાં છે. વેપારીઓ, કારકુનો અને ગુમાસ્તાઓ માટેની આ લિપિનાં પ્રાકૃત લખાણ સરળતાથી લખાતાં. આ લિપિ સેમેટિક વર્ગની છે. પશ્ચિમ એશિયામાં પ્રયોજાયેલી ઉત્તરી સેમેટિક કુલની અરમાઇક લિપિના કેટલાક અક્ષરો સાથે ખરોષ્ઠી લિપિના સરખા ઉચ્ચારણવાળા અક્ષરો સામ્ય ધરાવે છે. ભારતીય વર્ણો લખવા માટે અરમાઇક વર્ણમાળામાં સુધારા- વધારા કરવામાં આવ્યા. અરમાઇક લિપિનું આ સુધારેલું ભારતીય રૂપાંતર તે ખરોષ્ઠી લિપિ. મૌર્યો, ભારતીય-યવનો, શક-પલવો અને કુષાણોના શાસનકાળમાં આ લિપિનો સ્થાનિક લિપિ તરીકે ઉપયોગ ચાલુ રહ્યો. ઈ.સ. ની પમી સદી પછી આ લિપિ સદંતર લુપ્ત થઈ બ્રાહ્મી લિપિ : બ્રાહ્મી લિપિ સમસ્ત ભારત વર્ષમાં પ્રયોજાતી અને સમય જતાં જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ક્રમિક પરિવર્તન પામીને વર્તમાન ભારતીય લિપિઓ રૂપે હજુ પણ વિદ્યમાન છે. આમ વર્તમાન ભારતીય લિપિઓની જનની બ્રાહ્મી લિપિ છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ બ્રાહ્મીની ઉત્પત્તિ સેમેટિક કુળની લિપિઓમાંથી થઈ હોવાની કલ્પના કરી. તેમાંયે વિલ્સન, કસ્ટ, જોન્સ, વેબર, બ્યૂલર જેવા વિદ્વાનોએ બ્રાહ્મી લિપિનો ઉદ્ભવ ઉત્તરી સેમેટિક કુળની ફિનિશિયન લિપિમાંથી થયો હોવાનું સૂચવ્યું. ડીકેના મતે પ્રાચીન દક્ષિણી સેમેટિક લિપિ દ્વારા કમ્યૂનિફોર્મ (કીલાક્ષરી) લિપિમાંથી ઉત્પન્ન થઈ હોવાનું અને ટાયલરે બ્રાહ્મીની ઉત્પત્તિ લુપ્ત દક્ષિણી સેમેટિક લિપિમાંથી થઈ હોવાનું સૂચવ્યું. રાજલિ પાંડેય અને ગૌરીશંકર ઓઝા જેવા વિદ્વાનોએ બ્રાહ્મી લિપિ આ દેશમાં જ ઉદ્ભવી હોવાનો મત રજૂ કર્યો. જનરલ કનીંઘમ, ડાઉસન, લારસન જેવા વિદ્વાનોએ જણાવ્યું કે આર્ય બ્રાહ્મણોએ બ્રાહ્મી લિપિ દેશજ ભારતીય ચિત્રાક્ષરોમાંથી વિકસાવી.૪ એડવર્ડ ટોમસે સાંસ્કૃતિક રીતે આગળ વધેલી દ્રવિડ ૧૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ પ્રજાએ બ્રાહ્મી લિપિની શોધ કરી હોવાનું મંતવ્ય રજૂ કર્યું. આ ધારણા ભૂલભરેલી છે. દ્રવિડો મૂળ દક્ષિણ ભારતના હતા. જ્યારે આર્યોનું મૂળ વતન ઉત્તર ભારતમાં હતું અને લેખનકળાનો સહુથી જૂનો નમૂનો ઉત્તર ભારતમાંથી મળ્યો છે. બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતરે અને વર્તમાન પ્રાદેશિક લિપિઓ : પ્રાચીન બ્રાહ્મી લિપિનો સમય બૂલર અને ઓઝા ઈ. પૂ. ૩૫૦ થી ઈ. સ. ૩૫૦ સુધીનો મૂકે છે. આ સમયના મોટા ભાગના લેખો પ્રાકૃત ભાષાના મળે છે. મૌર્યકાલીન બ્રાહ્મી લિપિ સમગ્ર દેશની એક સરખી લિપિ તરીકે રહી છે. ભારતના જુદા જુદા પ્રદેશોમાં મૌર્ય સમ્રાટ અશોકના શૈલલેખ મળ્યા છે. આ બધામાં બ્રાહ્મી લિપિનો એક સરખો મરોડ પ્રચલિત હતો. અશોકના સમયમાં કેટલાક અક્ષરોનાં સ્પષ્ટ પરિવર્તનો થયાં હતાં. “અ” અને “આ” નાં ઓછામાં ઓછાં દસ રૂપ મળે છે. અશોકના અભિલેખોમાં ત્રણ બોલીભેદ જોવા મળે છે. પ્રાદેશિક ધોરણે કોઈ લિપિભેદ જોવા મળતો નથી. ડૉ. દાનીના મતે ઈ. પૂ. ૨૦ થી ઈ. સ. ૫૦ ના ગાળા દરમિયાન બ્રાહ્મી લિપિમાં નોંધપાત્ર રૂપાંતરો થયેલાં માલુમ પડે છે, અને તેમાંથી પ્રાદેશિક ભેદ વિકસવા લાગે છે. ડૉ. દાની તેને પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ કહે છે અને એને ૧ પૂર્વ ભારતીય, ૨. ઉત્તર-પશ્ચિમ ભારતીય ૩. ઉત્તર પશ્ચિમ દખ્ખણી અને. ૪. દક્ષિણ ભારતીય એમ ચાર વિભાગોમાં વર્ગીકૃત કરે છે." આ સમય દરમ્યાન પૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના પ્રદેશોની લિપિઓના સ્વરૂપમાં ઘણો ઓછો ભેદ જણાય છે. ભઢિપ્રોળ (તમિળનાડુ) સ્તૂપના મંજૂષા લેખમાંના અક્ષરોના આકાર બ્રાહ્મીના પ્રચલિત અક્ષરોના આકારમાંથી જ ઉદ્ભવેલા છે. દ્રવિડ અક્ષરો પણ સદશ બ્રાહ્મી અક્ષરોમાંથી સાધિત કરવામાં આવ્યા છે. ઈ. સ. ૫૦ થી ઈ. સ. ૪૦ સુધીના ગાળામાં બ્રાહ્મી લિપિના સ્વરૂપમાં વિશિષ્ટ પરિવર્તનો થયાં. વર્ગોના મથાળે નાની આડી રેખારૂપે શિરોરેખા સ્પષ્ટ જોવા મળે છે. બે ટોચવાળા વર્ગો જેવા કે ધ, પ, અને ૪ માં ડાબી બાજુની ટોચ પર રેખા કરાતી જ્યારે ય જેવા ત્રણ ટોચવાળા વર્ણમાં એ વચલી ટોચ ઉપર ઉમેરાતી. મ માં એની બેય ત્રાંસી ટોચ પર કરાતી. ૫, ૩ અને જેવા અક્ષરો ઊંચા અને પાતળા થયા. ૫, ૫ અને ૬ જેવા અક્ષરોની ઊંચાઈ ઘટી, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન અને પહોળાઈ વધી. સીધા મરોડના સ્થાને વળાંકદાર મરોડનું પ્રમાણ વધ્યું. ઘણા વર્ષોની ઊભી રેખાઓને નીચલે છેડેથી ડાબી બાજુએ વાળવામાં આવતી. સ્વરમાત્રાઓને ત્રાંસો વળાંકદાર મરોડ આપવામાં આવ્યો. હલનનું ચિહ્ન વર્તમાન હલત ચિહ્ન જેવું જ છે, જે પંકિતના નીચલા ભાગમાં નાના કદમાં લખવામાં આવતું. હલત્તનો પ્રયોગ ભારતમાં ઈ. સ. ની બીજી સદીથી મળે છે. , ૪ અને ૩ ના અક્ષરોનો પ્રયોગ થયો. જિલ્લામૂલીય અને ઉપષ્માનીય ધ્વનિઓ માટે ચિહ્નો પ્રયોજાયાં. લેખનની પ્રાદેશિક લઢણોના ઉપયોગ સાથે લિપિભેદ વિકસ્યા. ઈ. સ. ૪૦૦ થી ૮૦૦ ના સમયમાં પ્રાદેશિક લિપિઓનાં આદ્ય સ્વરૂપ ઘડાયાં, જેને આઘ પ્રાદેશિક લિપિઓ કહી શકાય. ડૉ. દાનીએ એને ૧. ઉત્તર ભારત, ૨. ગુજરાત, રાજસ્થાન અને મધ્ય ભારત, ૩. દખ્ખણ અને ૪. દક્ષિણ ભારત એમ મુખ્ય ચાર વિભાગોમાં વહેચે છે. આ સમયની ઘણી હસ્તપ્રતો મળી આવી છે. એમાં કલમ અને શાહીના ઉપયોગને લીધે બ્રાહ્મી અક્ષરોનાં ઘણાં નવાં રૂપો મળે છે. એમાં ત્રિકોણાકાર શિરચિહ્ન અને અક્ષરોની ઊભી રેખા નીચે એક પ્રકારનું પાદચિહ્ન જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તાડપત્ર ઉપર તીણ શલાકાથી અક્ષરો કોતરવાની પ્રથા હતી, ત્યાં અક્ષર ગોળ અને પાંખા તરંગાકાર બન્યા. મૂળાક્ષરો અને સ્વરમાત્રાઓને સુશોભનાત્મક મરોડ આપવાની પ્રથાને લીધે અક્ષરોની જમાગી બાજુની ઊભી રેખાના નીચલા છેડા ડાબી બાજુ વળાંક લેવા લાગ્યા, જેને કુટિલ લિપિ કહે છે. આ સમય દરમિયાન હલન્ત અક્ષરને ચાલુ પંક્તિમાં સરખા કદમાં લખવામાં આવતો અને નીચે જમણી બાજુ જતી ત્રાસી રેખા ઉમેરવામાં આવી. આ સમયગાળા દરમ્યાન મધ્ય એશિયામાંથી 'qyzyની ગુફામાંથી કુમારલાતની ‘કલ્પનામડિતિકા' ની તાડપત્રીય હસ્તપ્રત (ઈ. સ.ની ૫ મી સદી) ગુમકાલીન બ્રાહ્મી લિપિની મળી છે. એમાં પહોળી કલમના ઉપયોગને લઈને શિરોરેખા સળંગ ઘાટી છે. નીચે જતાં પહોળી થતી ઊભી રેખાને છેડે નાની કે મોટી આડી કે ત્રાંસી રેખા કરી તેમાં નીચલા છેડા બાંધી દીધા છે. આને પાદચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. આ મરોડ મથુરા શૈલીનો છે. કર્નલ બોઅર ને મળેલી ભૂર્જપત્ર ઉપરની ઔષધશાસ્ત્રની હસ્તપ્રત (પ્રાય: . સ.ની છઠ્ઠી સદી)માં ઘાટી શિરોરેખા, ઊભી રેખા નીચે પાદચિહ્ન જોવા મળે છે. અક્ષરોના મરોડ રાજસ્થાની શૈલીના છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ ૮ ઉદાનવર્ગની સંસ્કૃત હસ્તપ્રત ઈ. સ. ની ૭ મી સદીમાં કુચામાં પ્રચલિત બ્રાહ્મી લિપિમાં લખાયેલી છે. હોર્યુજી (જાપાન) ના મઠમાં સચવાયેલી ‘ઉષ્ણીષવિયધારિણી’ની તાડપત્રીય હસ્તપ્રત ઈ. સ. ની ૮ મી સદીની છે. એના અંતે આ સમયની પૂરી વર્ણમાળા આપવામાં આવી છે. ૧૬ સ્વરો, ૩૩ વ્યંજનો અને ક્ષ તથા ૭ જેવું મંગલચિહ્ન એમ ૫૧ ચિહ્નો પ્રયોજાયાં છે. હલન્ત અક્ષરોની નીચે જમણી બાજુ ત્રાંસી રેખા કરેલી છે.૧૯ ગુજરાતમાં મૈત્રકકાલ દરમિયાન અગાઉ જે અક્ષરોને મથાળે શિરોરેખા નહોતી થતી તેના મથાળે હવે શિરોરેખા ઉમેરાવા લાગી. ઉ. ત. ઋ, ન, જૂ. ગૂર્જર રાજાઓના હસ્તાક્ષરો ઉત્તરી શૈલીની લિપિમાં લખાયા. અંતર્ગત સ્વરચિહ્નો નાગરીની સમકક્ષનાં બન્યાં. અંતર્ગત ‘એ’ ના સ્વરચિહ્નને પડિમાત્રા સ્વરૂપે લખવાનું વલણ વધ્યું છે. સંયુક્તાક્ષરોમાં બંને વ્યંજનોની ઊંચાઈ સરખી જોવા મળે છે. અક્ષરોનો મરોડ ગોળ છે. ડૉ. બ્યૂ‚ર અને ઓઝા આ સમયની ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકની લિપિને પશ્ચિમી લિપિ તરીકે ઓળખાવે છે. જો કે ગુજરાતની લિપિમાં દખ્ખણની શૈલીની સાથે રાજસ્થાની શૈલીની અસર પગ જોવા મળે છે. પ્રાકૃત વિશેષાવશ્યક ભાષ્ય (લગ. ઈ. સ. ૬૧૦) માં તત્કાલીન લિપિઓની યાદીમાં ‘લાટ લિપિ’ (પ્રા. સાહતિવી) જણાવવામાં આવી છે. તે પરથી ગુજરાતની આ લિપિને લાટ લિપિ તરીકે ઓળખાવી શકાય.. ઈ. સ. ૪૦૦ થી ૮૦૦ ના લિપિ વિકાસના ગાળામાં ગોદાવરી કૃષ્ણા પ્રદેશમાં આદ્ય કાનડી લિપિ વિકસી. કૃષ્ણા પ્રદેશની દક્ષિણના ભાગમાં સાતમી સદીમાં ગ્રંથલિપિ વિકસી. આ લિપિ આરંભમાં તેલુગુ અને કન્નડ લિપિ જોડે ઠીક ઠીક સામ્ય ધરાવતી, પણ સમય જતાં ચાલુ કલમે લખવાથી ઊભી અને આડી રેખાઓને વળાંકદાર મરોડ આપવાથી તેમ જ ક્યાંક ક્યાંક અક્ષરો વચ્ચે ગાંઠ બનાવવાની પ્રક્રિયાને લીધે આ લિપિએ વિશિષ્ટ રૂપ ધારણ કર્યું. ૪૫ વર્તમાન પ્રાદેશિક લિપિઓ ભારતની બધીયે વર્તમાન પ્રાદેશિક લિપિઓ સમય જતાં બ્રાહ્મી લિપિમાંથી જ વિકસેલી છે. એમાં દ્રવિડ ભાષાઓ માટે વપરાતી લિપિઓનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ ભારતની લિપિઓ પણ બ્રાહ્મી કુળનો જ પરિવાર છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન નાગરી લિપિ ભારતમાં નાગરી લિપિ બધા જ પ્રદેશોમાં સહુથી વધુ પ્રચલિત છે. ઉત્તર ભારત તથા દખ્ખણમાં દેવનાગરી તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં તેને નંદિનાગરી કહે છે. વર્તમાન નાગરીનો પ્રયોગ દખ્ખણમાં ૮ મી સદીથી જોવા મળે છે, જ્યારે ઉત્તર ભારતમાં મેવાડમાં ૧૦ મી સદીથી જોવા મળે છે. આ સમયની હસ્તપ્રતોમાં બે પંક્તિઓ વચ્ચે ઘણી ઓછી જગ્યા રાખવામાં આવતી અને એ ઓછી જગ્યામાં શિરોરેખા ઉપર અંતર્ગત “એ” નું ચિહ્ન ઉમેરવું હોય ત્યારે શિરોરેખાની ઉપર નહીં પણ અક્ષરની જમણી બાજુએ ઊભી પડિમાત્રાનો ઉપયોગ કરવામાં આવતો. ઈ. સ.ની ૧૨મી - ૧૩મી સદી દરમિયાન નાગરી લિપિનો વર્તમાન મરોડ ઘડાયો. આ સમયમાં કાગળ પરની પ્રતો વિશેષ મળે છે. જૈન હસ્તપ્રત જૈન નાગરી લિપિમાં અને જૈનેતર હસ્તપ્રત નાગરી લિપિમાં લખાઈ છે. જૈન હસ્તપ્રતોમાં સમયનિર્દેશ પણ મળે છે. જૈન નાગરી લિપિ : મગધમાં વસતી જૈન પ્રજાએ દુષ્કાળ અને સાંપ્રદાયિક સાઠમારીને લીધે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થળાંતર કર્યું ત્યારે બ્રાહ્મી-બંગલા લિપિની છાયા જૈન લિપિમાં ઊતરી. અક્ષરોના મરોડ, પડિમાત્રા વગેરેમાં તેની અસર દેખાય છે. શ્રમણ સંસ્કૃતિએ લેખનકલામાં પોતાને અનુકૂળ લિપિના ફેરફાર, સુધારાવધારા અને સંકેતોનું નિર્માણ કર્યું. આથી એ આગવી જૈન લિપિ તરીકે ઓળખાઈ. લિખિત પુસ્તકોની સંશોધન પદ્ધતિ, સાધનો, સંકેત ચિહ્નો, સંયુક્તાક્ષરો, મરડો વગેરે જુદા પડતા હોઈ આ લિપિ નવીન છે. જુદી જુદી ટેવો, પસંદગી વગેરેને લઈને જૈન લિપિ અનેક ભાગોમાં વહેંચાઈ, જેમાં યતિઓની લિપિ, ખરતરગચ્છીય લિપિ, મારવાડી લેખકોની લિપિ, ગુજરાતી લેખકોની લિપિ વગેરેયતિઓની લિપિ અક્ષરોના ટુકડા કરી લખેલી હોય છે. મારવાડી લેખકો અક્ષરોનાં નીચેનાં પાંખડાં ઓછાં ખેચે છે. બીજા લેખકો વધુ ખેચે છે. પશ્ચિમ ભારતમાં પાંચમી સદીથી જૈન લેખનકલાનો આરંભ થયો. પરંતુ હાલ જૈન લિપિમાં લખાયેલ એક પણ ગ્રંથ ઉપલબ્ધ નથી. પશ્ચિમ ભારતમાં આ લિપિનો પ્રયોગ થયો હોવાથી જૈન લિપિની હસ્તપ્રતો Page #62 -------------------------------------------------------------------------- ________________ હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ તાડપત્ર અને કાગળ પર જ મળે છે. આ લિપિમાં લખાયેલ પ્રાચીન હસ્તપ્રત પંચમી કથા” (વિ. સં. ૧૧ - ઈ. સ. ૧૦૫૨-૫૩) ની પ્રાપ્ત થઈ છે. ગુજરાતી લિપિ : ગુજરાતમાં પ્રાદેશિક લિપિનું વિશિષ્ટ સ્વરૂપ ઘડાયું જે ગુજરાતી લિપિ તરીકે ઓળખાય છે. એના મરોડનો આરંભ ઈ. સ. ની ૧૫ મી સદીથી જોવા મળે છે. સળંગ શિરોરેખા તરીકે પહેલાં એક આખી લીટી દોરી એની નીચે અક્ષરો લખવાની પરિપાટી પ્રચલિત થઈ. શીઘલેખન માટે અક્ષરોને વધુ વળાંકદાર મરોડ આપવામાં આવ્યો. આથી ઘણા અક્ષરોના ઉપલા ડાબા છેડાને અને નીચલા જમાના છેડાને ગોળ મરોડવાળો બનાવાયો. મનો ઉત્તરી મરોડ શિરોરેખા વિના સળંગ કલમે “અ” ઘડાયો. ઈનું સ્વતંત્ર સ્વરૂપ લુપ્ત થયું. ‘એ', “એ”, “ઓ' અને “ઔ” એ ચારે અક્ષરોને ‘’માં તે તે સ્વરમાત્રા ઉમેરી સાધિત કરવામાં આવ્યા. સંયુક્તાક્ષરોમાં ઘણા પૂર્વગ અક્ષરોની જમણી ઊભી રેખાનો લોપ કરી એની સાથે અનુગ અક્ષર જોડાયો છે, જેમ કે ખ, મ, ધ્ય, ૭, શ્ય, ત્ય, બ, ન્ય, સ, ખ્ય, મ, ય, ત્વ, વ્ય, રમ અને રૂ. બાકીના અક્ષરોમાં કેટલાકમાં પૂર્વગ અક્ષરનું સંકુચિત સ્વરૂપ પ્રયોજાયું; જેમ કે “કવ', 'જવ” વગેરે. અનુગ મેં માં ડાબા પાંખાને છેડે ચાંચ કાઢી એને પૂર્વગ અક્ષર સાથે જોડવામાં આવ્યો, જેમ કે ‘ટય”. કેટલાકમાં સંયુક્તાક્ષરો નાગરી ઢબે લખાય છે. જેમકે ઇ, ઇ, ઘ, , , શ્ર, ભૈ, હ્ય વગેરે. કેટલાકમાં પૂર્વગ અક્ષરને હલન્ત દર્શાવવો પડે છે; જેમ કે, ધ્રુવ ટુવ, બ, કત,હવ વગેરે. આરંભમાં ગુજરાતી લિપિને (વાણિયાશાઈ’ કે ‘મહાજન” લિપિ કહેતા. ગુજરાતી ગ્રંથલેખનનો આરંભ ઈ. સ.ની ૧૫મી સદીથી થયો. નાગરી લિપિના અક્ષર ઝડપથી લખવા માટે મહારાષ્ટ્રમાં કેટલાક સુધારા કરવામાં આવેલા. એમાં નાની નાની શિરોરેખાને બદલે લાંબી લીટી દોરી એક કે વધુ શબ્દ સળંગ કલમે લખાતા. આ લિપિને મોડી” લિપિ કહે છે. બ્રાહ્મીનાં પ્રાદેશિક રૂપાંતરો બે શૈલીમાં થયાં : ૧. ઉત્તરી અને ૨. દક્ષિણી. ઉત્તર ભારતમાં ૪ થી સદીમાં ગુમ લિપિ પ્રયોજાતી. સમય જતાં એમાંથી ભિન્ન સ્વરૂપ ઘડાયું જેને કુટિલ લિપિ કહે છે. આ લિપિ ઉત્તર ભારતમાં ઈ. સ.ની દહીથી ૯મી સદી સુધી પ્રચિલત હતી. આ સમય દરમિયાન ગુજરાત અને દખ્ખણમાં ઉત્તરી શૈલી પ્રચલિત થઈ. ૧૮મી સદીથી કાશમીરમાં કુટિલ લિપિનું Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન જે જુદું સ્વરૂપ વિકસ્યું તે ‘શારદા' લિપિ કહેવાઈ. જમ્મુ અને ઉત્તર પંજાબમાં ટાકરી લિપિ પ્રયોજાય છે. એ શારદા લિપિનું વળાંકદાર ઠાકુરી રૂપાંતર છે. જમ્મુ પ્રદેશમાં એનું ડોગરી સ્વરૂપ અને ચંબા પ્રદેશમાં ચમિયાલી સ્વરૂપ પ્રચલિત છે. પંજાબમાં શીખ ધર્મના ગ્રંથોના શુદ્ધ લેખન માટે ત્યાંની પ્રાચીન લંડા” નામે મહાજની લિપિમાં પરિવર્તન કરી ગુરુ ગોવિંદસિંહે (૧૬મી સદી) ગુરુમુખી' લિપિ ઘડી. બિહારમાં કાયસ્થ લોકોએ નાગરી લિપિનું ઝડપથી લખાય તેવું સ્વરૂપ પ્રયોજ્યું જે કૈથી લિપિ કહેવાય છે. એનાં સામાન્ય લક્ષણ ગુજરાતી લિપિનાં લક્ષણોને મળતાં આવે છે. સમય જતાં આદ્ય નાગરી લિપિનું ભિન્ન રૂપાંતર થતાં બંગાળી, મૈથિલી, નેપાળી વગેરે લિપિઓ ઘડાઈ. મૈથિલી એ બંગાળીનું રૂપાંતર છે. ઉડિયા પ્રદેશમાં ઉડિયા લિપિ પ્રયોજાય છે. બંગાળી લિપિ બંગાળ, આસામ, બિહાર, નેપાળ અને ઓરિસ્સાના હસ્તલિખિત ગ્રંથોમાં પ્રયોજાઈ છે. હાલ આ લિપિ બંગાળ અને આસામમાં પ્રચલિત છે. મિથિલા પ્રદેશના બ્રાહ્મણો સંસ્કૃત ગ્રંથ લખવા મૈથિલી લિપિ પ્રયોજતા. ઉડિયા લિપિ પ્રાચીન બંગાળીમાંથી ઉદ્દભવી છે. સળંગ કલમે લખાય તેવા મરોડ તથા ગોળાઈદાર શિરોરેખાને લઈને આ લિપિના અક્ષર ઘણા વિલક્ષણ લાગે છે. પ્રાચીન તેલુગુ-કન્નડ લિપિમાં સમય જતાં અક્ષરોની ગોળાઈ વધવા લાગી અને ઝડપથી લખવાને લીધે અક્ષરોના મરોડ બદલાતા ગયા અને એમાંથી વર્તમાન તેલુગુ- કન્નડ લિપિઓ વિકસી. તેલુગુ લિપિ : તેલુગુ લિપિ આંધ્ર પ્રદેશમાં અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. એમાં મ થી ગૌ સુધીના સ્વરો માટે સ્વતંત્ર ચિત્ર છે. મેં અને મ નાં હ્રસ્વ-દીધ એમ બે ચિહ્ન પ્રચલિત છે. ૩ અને ૪ ની માત્રા અક્ષરની જમણી બાજુએ જોડાય છે. એમાં નાગરી લિપિની જેમ આડી શિરોરેખા હોતી નથી. કનડ લિપિ : કન્નડ લિપિ કર્ણાટકની લિપિ છે. હાલ માયસોર રાજ્ય અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. એના ઘણા અક્ષર તેલુગુ લિપિના અક્ષરો Page #64 -------------------------------------------------------------------------- ________________ હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ ૪૯ જેવા છે. સ્વરમાત્રાઓમાં 9 અને ગો ના હસ્વ-દીર્ઘ એવા બે કરોડ મળે છે. ગ્રંથ લિપિ : જે પ્રદેશમાં તમિળ લિપિ પ્રચલિત છે ત્યાં સંસ્કૃત ગ્રંથો લખવા માટે તેલુગુકાનડી લિપિને મળતી એક ખાસ લિપિ વિકસી, એને ગ્રંથ લિપિ કહે છે. સમય જતાં ચાલુ કલમે લખવાથી, ઊભી તથા આડી રેખાઓને વળાંકદાર બનાવવાથી ને ઘણા અક્ષરોમાં શરૂઆતમાં, વચ્ચે કે અંતે ગાંઠ જેવો આકાર આપવાથી આ લિપિ વર્તમાન તેલુગુ અને કાનડી લિપિઓથી ઘાણી વિલક્ષણ બની ગઈ. એમાં ૌ નું સ્વતંત્ર ચિહ્ન છે. અને મોમાં હસ્વ-દીર્ઘના ભેદ નથી રૂ ની માત્રા જમારી બાજુએ જોડાય છે. [ ની માત્રા ડાબી બાજુએ જોડાય છે. એ માટે એવી બે માત્રાઓ ડાબી બાજુએ ઉમેરાય છે. તમિળ લિપિ : તમિળનાડુ પ્રદેશમાં તમિળ લિપિ પ્રચલિત થઈ. તેના લેખ ઈ.સ.ની ૭મી સદીથી મળે છે. આ લિપિનું ત્વરિત રૂપ વળતુ લિપિ છે. તમિળ લિપિના ઘાણા અક્ષર ગ્રંથલિપિના અક્ષરો સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે. દ્રવિડ ભાષાઓની લિપિઓમાં હ્રસ્વ-દીર્ઘ ર તથા નો ભેદ તમિળ લિપિમાં શરૂ થયેલો જણાય છે. 3 અને રૂની માત્રા અક્ષરની જમણી બાજુએ, ર્ડ ની માત્રા અક્ષરની ઉપર અને ર તથા ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. મો માં મા ની માત્રા જમણી બાજુએ અને ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. મલયાલમ લિપિ : કેરલ રાજ્યમાં મલયાલમ લિપિ પ્રચલિત છે. આ લિપિ ગ્રંથ લિપિનું વળાંકદાર રૂપાંતર છે. આ લિપિમાં સંસ્કૃત ગ્રંથો પણ લખાય છે. આ લિપિમાં ઇ તથા લા માં હસ્વ-દીર્ઘનો ભેદ રહેલો છે. , હું અને ની માત્રા અક્ષરની જમણી બાજુએ અને ઇ ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. તુળુ લિપિ : દક્ષિણ કન્નડ પ્રદેશમાં સંસ્કૃત ગ્રંથો લખવા માટે વપરાતી તુળુ લિપિ મલયાલમ લિપિનું થોડા ફેરફારવાળું રૂપ છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન આમ મૌર્યકાલીન બ્રાહ્મી લિપિનું જુદા જુદા પ્રદેશોમાં રૂપાંતર થતાં ભારતની વર્તમાન લિપિઓ ઘડાઈ. દ્રવિડ ભાષાઓનું કુળ ભારતીય આર્ય ભાષાઓના કુળથી તદ્ન ભિન્ન હોવા છતાં એ બંને કુળોની ભાષાઓ માટે પ્રયોજાતી બધી લિપિઓ એક જ બ્રાહ્મી લિપિ કુળની છે. પાદટીપ ૧. નિતવિસ્તર, મધ્યાય ૧૦ થી. હું સોફા, “મારતીય પ્રાચીન નિમિાના', પૃ. ૭, ૫. ટી. ૨, R. B. Pandey, “Indian Palaeography”, pp. 23rf. ૨. લૌ. હી. મોક્ષા, ૩૨૪, પૃ. ૭, ૫. ટી. 8; R. B. PandeyOp. cit., pp. 221. ૩. ૪.૧.૪૯ ૪. હ. ગં. શાસ્ત્રી, હડપ્પા ને મોહેંજો-દડો', પૃ. ૫૯-૬૦, ૬૬-૬૮. 4. Buhler, “Indian Palaeography", p. 94 ૬. Ibid., p. ૪૦ ૭. Dani, “Indian Palaeography", p. ૨૫૩, હ. ગં. શાસ્ત્રી, ભારતીય અભિલેખવિદ્યા', પૃ.૩૨. ૮. હ. ગ. શાસ્ત્રી, એજન, પૃ. ૩૩-૩૪. ૯-૧૧. ગૌ. હી. મોક્ષા, ૩૧, પૃ. ૧૮-૧૯; હ. . શાસ્ત્રી, એજન, પૃ. ૪૧ ૧૨. R. B. Pandey,op. cit. ૧૩. ચંદ્રકાન્તા ભટ્ટ, પ્રાચીન ભારતમાં ગ્રંથલેખન, લેખાપન, સંગ્રહણ અને સંરક્ષણ', પૃ. ૨૫. 98. R. B. Pandey,op. cit., p. 34 ૧૫. Ibid., p. ૩૫ ૧૬. Dani,op.cit., p. ૧૦૯ ૧૭. Ibid., p. ૫૫ ૧૮. Ibid., p. ૧૪૭, ચંદ્રકાન્તા ભટ્ટ, ઉપર્યુકત, પૃ. ૩૬ ૧૯. હ. . શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૭૧ ૨૦. એજન, પૃ.૭૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬. હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ પ્રો. ડૉ. બંસીધર ભટ્ટ પશ્ચિમમાં આગમ હસ્તપ્રત-પ્રકાશન : પ્રાચીન સંસ્કૃત, પ્રાકૃત કે પાલિ ગ્રંથના વિશ્લેષણાત્મક અધ્યયન દ્વારા તેની મૌલિકતા કે ઐતિહાસિકતા નક્કી કરવામાં અનેક મળી શકતી હસ્તપ્રતોના આધારે થયેલા તે ગ્રંથનાં પ્રકાશનોની ખૂબ આવશ્યકતા થઈ પડે છે. લગભગ વીસમી સદીની શરૂઆત સુધી કોઈ જૈન-આગમ ગ્રંથનું પ્રકાશન થયું ન હતું, તેથી કેટલીક પશ્ચિમની સંસ્થાઓએ સંશોધનના મુખ્ય ઉદ્દેશ્યથી આવી ઘણી બધી હસ્તપ્રતો ભારતમાંથી ખરીદી એકઠી કરી હતી અને ત્યાંના અનેક સંશોધન-કર્તાઓને જરૂર પડતાં તેમને જે તે હસ્તપ્રતો પૂરી પાડી હતી. આ પ્રકારના ગ્રંથ-ઐતિહાસિક સંશોધન માટે આલ્બરેખ વેબરે ૧૮૬૬માં, ભગવતીસૂત્રનાં કેટલાંક શતકોનું પ્રકાશન એક હસ્તપ્રતના આધારે કર્યું. (Ueber ein Fragment der Bhagavati..., Akad. D. Wissensch. Berlin.....), હેરમાન યાકોબીએ ૧૮૮રમાં આચારસૂત્રનું પ્રકાશન લગભગ ૮ હસ્તપ્રતોના BALA? HUL? usej (The Ayaramga Sutta...., Pali. Text Society. London), એસ્ટે લોયમાને ૧૮૮૩માં ઔપપાતિકસૂત્ર પ્રકાશિત કર્યું. (Das Aupapātika Sūtra...... Abhand. Kund. Morgenl. 8.2. Leipzing. à 42 244241: H. Jacobi in : Lit Blatt.... Philologic 2, pp. 46-49 - Reprint : Nendeln, Liechtenstein : Kraus Reprint 1966) Beat ૧૮૯રમાં લગભગ ૮-૯ હસ્તપ્રતોના આધારે તૈયાર કરેલા દશવૈકાલિકસૂત્ર અને તેની નિકિતઓના પ્રકાશન અને સંશોધનનો (Dashavaikalika-sutra and - niryukti... ZDMG. ૪૬, pp. ૫૮૧-૬૬૨..... Wiesbaden) આધાર લઈ વાલ્મફેર શ્બ્રીગે ૧૯૩૨માં તે દશવૈકાલિકસૂત્રનું પ્રકાશન નાગરી લિપિમાં અંગ્રેજી અનુવાદ સાથે બહાર પાડ્યું (દસયાલિયસુત્ત,...... Sheth Anandji Kalianji, Ahmedabad, Reprint : Klein. Schrift. Schubring... Page #67 -------------------------------------------------------------------------- ________________ પર હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન Wiesbaden ૧૯૭૭ pp-૧૦૮-૨૪૮) યાકોબીના ૧૮૮રના આચારસૂત્રના પ્રકાશનના આધારે શુબ્રીગે ૧૯૧૦માં એક સંશોધિત પ્રકાશન બહાર પાડ્યું (જુઓ : સંક્ષિપ્ત ગ્રંથસંદર્ભસૂચિ : “શૂબ્રીંગ”). વળી તેણે ૧૯૦૫/૧૯૧૦માં fe4a17 (Das Kalpa Sutra.... Leipzig 1604. Eng. Trans. by M. S. Burgess in : Ind. Antia. 36, 9690, pp. 249-259. Reprint : Bombay ૧૯૧૦), ૧૯૧૮/૧૯૨૩ માં વ્યવહારસૂત્ર અને નિશીથસૂત્ર (Vavahara - and Nisha- suta. Leipzig ૧૯૧૮. વળી જુઓ : કલ્પ-વ્યવહાર-નિશીથ- સૂત્રાણિ ... Jaina sahitya Samsodhaka Samiti, Poona ૧૯૨૩) પણ અનેક હસ્તપ્રતોના આધારે પ્રકાશિત કર્યા. તે ઉપરાંત, શુબ્રીગે ૧૯૧૮માં મહાનિશીથસૂત્રના અધ્યયન-પ્રકાશન માટે લગભગ copaludal 341412 elul (Das Mahānisiha- Sutta..... Berlin) adj સંશોધિત પુન:સંસ્કરણ ૧૯૫૧ તથા ૧૯૬૩માં બહાર પડ્યું (Studien zum Mahanisiha.... Kapitel -6.... F R. Hamm + W. Schubring.... ANIS E, Hamburg 9649 Kapitel 9-4 ... J. Deleu + W. Schubring ANIS 90, Hamburg 9683. Reprint : with Eng. Trans. by C. Tripathi in nagari script. Prakrt Text Society, Ahmedabad. ૧૯૯૨) જેમાં મુનિ પુણ્યવિજયજીએ પણ અંગત રીતે હસ્તપ્રતો મેળવી આપવામાં બ્રીંગને તથા દલ્યુને મદદ કરી હતી. (આ પ્રકાશન પરની સમીક્ષાઓ - Reviews - માટે જુઓ : JRAS ૧૯૫૧, p. ૧૫૪ by A. Master : ZDMG ૧૧૪, ૧૯૬૪, pp.૪૫૭-૫૮ by A. N. Upadhye : BSOAS 20 1687, pp. 639-32 : JAOS by K. R: Norman; ૮૮-૩, ૧૯૬૮ pp. ૫૬૩-૬૫ by L. Rocher) લોયમાને ૧૧૧૨ વર્ષ લગી શ્વેતાંબર-દિગંબરના આવશ્યક-સાહિત્ય પર મળી આવતા લગભગ બધા (૨૦ ઉપરાંત) ગ્રંથોની મળી શકી એટલી (લગભગ ૫) ઉપરાંત) હસ્તપ્રતોના આધારે એક '...આવશ્યક-સાહિત્ય..' નામનો સંશોધન-ગ્રંથ તૈયાર કર્યો, પણ તેનું દેહાંત થતાં તે ગ્રંથ શૂબ્રિગે ૧૯૩૪માં usifett ser. (Uebersicht Veber die Āvasyaka-Literatur....ANIS ૪ Hamburg) આ ઉપરાંત પણ ઘણાં સંશોધો-પ્રકાશનો અસ્તિત્વમાં આવ્યાં, તેમાંના કેટલાંક મુખ્ય આ પ્રમાણે છે, જેમ કે ૧૮૭૯માં યાકોબી એ 4e44x (The Kalpasūtra Of Bhadrabāhu... AKM 9.9, Leipzig Page #68 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ ૫૩ Reprint : Nendeln. Liechtenstein = Kraus Reprint ૧૯૬૬), તથા એસ.વારને નિરયાવલિયસુત્ત (Amsterdam સમીક્ષા : H, Jacobi in : ZDMG ૩૪, pp. ૧૭૮ fol.), ૧૮૮૧માં પાઉલ સ્ટાઈનથાલે તથા ૧૯૦૭માં હ્યુર્ટમાને જ્ઞાતાધર્મકથા (અનુક્રમે Berlin strassburg), ૧૮૯૦માં રુડોલ્ફ El ca GU125ELL (Bibliotheca indica. ohleul : E. Leumann, in WZKM ૩, pp. ૩૨૯-૩૫૦; Grierson in : Ind. Anti.. ૧૬, pp. ૭૮૮૦), ૧૯૦૭ માં એલ.ડી.બાનેટે અંતગડદશા અને અનુત્તરોવવાઈયદશા (London. 24H : E.Leumann in : JRAS 909, pp. 9092 fol) (Reprint: Prithivi Prakashan, Varanasi 1973) ૧૯૨૨માં જાર્લ શારપેન્ટિયરે ઉત્તરાધ્યયનસૂત્ર (Uppsala. સમીક્ષા : W. Schubring in: OLZ ૧૯૨૪, p.૪૮૪) (Reprint : Ajay Book Series, Delhi ૧૯૮૦), ૧૯૩૭માં જે. એફ. કોહલે સૂર્યપ્રજ્ઞપ્તિ (Stuttgart. સમીક્ષા : w. Schubring, in : OLZ ૧૯૩૮ col ૫૬૨ foll.), ૧૯૬૯માં જોસેફ દિલ્યુએ [12414 RAM (Orientalia Ganden.. 8, Eng. Transl. by J. W. de Jong. R. Wiles, Tokyo ૧૯૯૬), વગેરે વગેરે પ્રસિદ્ધ કર્યા. તેમાંય ઋષિભાષિતાનિના પ્રકાશનનું (૧૯૪૨ થી ૧૯૬૯; વળી જુઓ L. D. Series ૪૫, Ahmedabad ૧૯૭૪) અને કેટલાંયે પ્રકીર્ણ ગ્રંથોના પ્રકાશનનું શ્રેય શુદ્ધીંગને ફાળે જાય છે. (ઘણા પાશ્ચાત્ય વિદ્વાનોનાં બીજાં અનેક નાના-મોટા ગ્રંથ- પ્રકાશનો અહીં વિસ્તારભયના લીધે દર્શાવી શકાયાં નથી.) આ સર્વે વિદ્વાનોએ તેમનાં આગમ-ગ્રંથ પ્રકાશનોની સાથે સાથે તેમનાં સંશોધનો પણ રજૂ કર્યા. (આ લેખમાં હસ્તપ્રતના સંદર્ભમાં પ્રકાશન', 'પ્રકાશક' જેવા શબ્દો અંગ્રેજી editing/edition, editorના અર્થમાં તથા પ્રકાશિત” શબ્દ અંગ્રેજી edited/published ના અર્થમાં યોજ્યા છે.) આગમ પોથી-પ્રકાશન : વિસમી સદીની શરૂઆતમાં આની અસર ભારતમાં થઈ ચૂકી હતી, અને હસ્તપ્રત-પ્રકાશનનું કાર્ય જૈન સાધુઓ તથા પંડિતો દ્વારા કેટલીક ખાનગી જૈનસંસ્થાઓએ ઉપાડી લીધું હતું. શરૂ શરૂમાં કેટલાક જૈન આગમો, ચૂર્ણિઓ અને નિયુક્તિઓ હસ્તપ્રતોના આધારે પોથી-રૂપે પ્રકાશિત થયાં. પરંતુ સંશોધનો વિષે કે સંશોધનોની આવશ્યકતાઓ અથવા અપેક્ષાઓ વિષે પૂરતા જ્ઞાનના અભાવે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન આવાં પોથી-પ્રકાશનોમાં ઘાણા દોષો રહી જવા પામતા, અને સંશોધનોમાં તે પ્રકાશનોનો ઉપયોગ કરવા જતાં તેમાં અનેક પ્રશ્નો અણઉકલ્યા રહી જતા. છપાઈની અશુદ્ધિઓ ઉપરાંત તેમાં કેટલી, કઈ કઈ, ક્યાંથી પ્રાપ્ત હસ્તપ્રતોનો આધાર લીધો છે, અને તે બધી હસ્તપ્રતોમાં કયા કયા પાઠાંતરો મળી આવે છે, વગેરે વિશે આવાં પ્રકાશનોમાંથી ભાગ્યે જ કાંઈ જાણવા મળે છે. વળી, આગમગ્રંથના શ્રુતસ્કંધ, શતક, અધ્યયન જેવા વિભાગો, ઉદ્દેશ કે વર્ગ જેવા પેટાવિભાગો તથા તે સર્વેનાં નામો, કે તેમના તથા સુત્રોના સંખ્યા-ક્રમાંક કઈ હસ્તપ્રતોમાં મળે છે અને કઈમાં નથી મળતા તેવી સંશોધનો માટેની અત્યંત આવશ્યક બાબતો પોથી-પ્રકાશનમાંથી પ્રકાશમાં આવી શકતી નથી. તે ઉપરાંત, હસ્તપ્રતોમાંથી પોથીમાં થતા તે તે ગ્રંથના ઊતારામાં/નકલમાં પણ આ પોથીપ્રકાશકો કેટલીક વાર પોતાના આગવા સુધારા-વધારા કે ફેરફાર કરતા હોય છે, જેમાં એવો ભાસ થાય છે કે તેવા બધા ફેરફારો જાણે કે મૂળે હસ્તપ્રતોમાંથી જ ઊતરી આવતા હોય! આવા પ્રકારના ફેરફારો તેમના પોતાના છે એવી મતલબનું કાંઈ સૂચન આ પોથી-પ્રકાશકો અવશ્ય કરતા રહેતા નથી. આવાં પોથીપ્રકાશનો ખાસ તો જૈન સાધુઓ કે અન્ય ધર્મપરાયણ વ્યક્તિઓને લક્ષ્યમાં લઈને જ બહાર આવતાં લાગે છે. આદર્શ આગમ પ્રકાશન : પરંતુ ભાવિ સંશોધનોને લક્ષ્યમાં રાખી તથા તેમનું યોગ્ય અને બહુમૂલ્ય સમજીને થતાં જૈન આગમોનાં આદર્શ હસ્તપ્રત-પ્રકાશનો કરવાનું શ્રેય તો આખા ભારતમાં સૌ પ્રથમ મુનિ પુણ્યવિજયજીના જ ફાળે જાય છે. તેઓએ અને ત્યારબાદ મુનિ જંબૂવિજયજીએ જૈન આગમ ગ્રંથમાલા’ના હસ્તપ્રત-પ્રકાશનના કાર્યને વેગ આપ્યો, જેમાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ), ‘મહાવીર જૈન વિદ્યાલય” (મુંબઈ) અને પ્રાકૃત ગ્રંથમાલા” વગેરે સંકળાયેલાં રહ્યાં છે. આ રીતે 'જૈન વિશ્વ ભારતી’ (લાડનું, રાજસ્થાન) પણ હસ્તપ્રતોના આધારે થતા આગમ ગ્રંથ-પ્રકાશન માટે ભારતમાં એક જાણીતી સંસ્થા છે (તેની વિવેચના માટે જુઓ આચાર - પ્રસ્તાવના પૃ. ૩૮, ૪૨-૪૩). સંશોધનલક્ષી હસ્તપ્રત-પ્રકાશનોમાં પ્રતોની મૌલિકતાનું પુન: સ્થાપન થાય તે (normalization) અત્યંત આવશ્યક છે. તેમાં લહિયાઓની ભૂલ સુધારવી, પ્રાચીન પાઠો શોધવા, સુધારવા વગેરે મુખ્ય બાબતો છે. આના લીધે Page #70 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ ૫૫ સંશોધનોમાં આગમ- ગ્રંથના મૂલ-સ્તર શોધવાનો માર્ગ મોકળો બને છે. આ જ માર્ગે મૂળ-ગ્રંથ' (ur-text) જેવા કોઈ ગ્રંથની (Proto-type/proto-text) ઝાંખી થાય છે, અને તે માર્ગે યોગ્ય દિશા-સૂઝ મળતાં "મૂળ-ગ્રંથ' નો આવિર્ભાવ પાગ શક્ય બને છે. અપેક્ષિત આગમ પ્રકાશન : કે આમ એકંદરે જોતાં જરૂરી જૈન આગમોનું પ્રકાશન લગભગ થઈ ગયું ગણાય. પરંતુ તે પ્રકાશિત આગમ-ગ્રંથો સંશોધનો માટે હજી કાંઈક અપૂરતાં છે, તેમની હસ્તપ્રતો વિશે હજી ઘણા પ્રશ્નો ઊઠે છે. વળી, પ્રકાશિત આગમો પરની ટીકાઓનાં સંશોધનાત્મક સંસ્કરણો હજી અસ્તિત્વમાં નથી આવ્યાં (જેમકે : શીલાંક, હરિભદ્ર, શાંતિસૂરિ, મલયગિરિ વગેરેની કેટલાક આગમો પરની ટીકાઓ). ઉપરાંત, આચાર પરની ગંધહસ્તિની ટીકા, ભગવતી પરની ચૂર્ણિ હજી પ્રાપ્ત થયાં નથી. તેમાં હસ્તપ્રતોના આધારે ભગવતીચૂર્ણિનું પ્રકાશન હાલ ‘લાલ. દલ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં (અમદાવાદ) તથા જૈન વિશ્વભારતી'માં (લાડનું) થઈ રહ્યું છે તે આનંદની વાત છે. લોયમાને તેને આવશ્યક સાહિત્ય.....' માં વિશેષાવશ્યકભાણ પરની કોટ્યાચાર્યની ટીકાની હસ્તપ્રતોનો આધાર લીધો છે (જુઓ ઉપર : Ubersicht. ૧૯૩૩ પૃ. ૪૯/૫૧/b કોસ્યાચાર્યના બદલે ભૂલથી “શીલાંક” નામ જણાવ્યું છે). આવાં પ્રકાશનોથી આચાર, ભગવતી અને વિશેષાવશ્યકભાષ્ય આવશ્યક નિર્યુક્તિ પર કાંઈક વિશેષ પ્રકાશ પડશે. વળી, આગમ-ગ્રંથો ઉપરની ચૂર્ણિઓ અને નિર્યુક્તિઓનું સાહિત્ય પણ હસ્તપ્રતોમાંથી હજી પૂરતું બહાર આવી શક્યું નથી. તેમાં ફક્ત દશવૈકાલિકનિર્યુક્તિ (જુઓ ઉપર : લોયમાન - ૧૮૯૨) અને તે ઉપરની અગત્યસિંહની ચૂર્ણિ તે બંને મૂળ સૂત્રગ્રંથ સાથે ૧૯૭૩માં (Prakrit Text Society 99, Ahmedabad) usileidus 44 9. ચૂર્ગિઓ ઉપરની હસ્તપ્રતો મોટે ભાગે સ્વતંત્ર મળે છે, તેની સાથે કોઈ અન્ય ગ્રંથ કે ટીકા ભાગ્યે જ હોય છે, જ્યારે આગમ-ગ્રંથોની હસ્તપ્રતો કોઈક વાર જ સ્વતંત્ર રીતે, પણ વિશેષ તો નિર્યુક્તિઓ અને/અથવા ટીકાઓ સાથે મળે છે. ચૂર્ણિ સાહિત્ય ટીકાકારોને બહુ આકર્ષી શક્યું નથી, ટીકાકારોમાં ચૂર્ણિઓ સૌથી વધુ ઉપેક્ષિત રહી છે. ચૂર્ણિ પર કોઈએ સ્વતંત્ર કે સૂત્રગ્રંથ સાથે ટીકા રચી નથી, પણ નિર્યુક્તિઓ અને ટીકા હંમેશાં સાથે રહ્યાં છે, અને ટીકાકારોએ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૬ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન આગમ-ગ્રંથોની સાથે સાથે ઘણી વાર તે ગ્રંથોની નિર્યુક્તિઓ પર પણ ટીકા રચી છે, તથા આગમગ્રંથ સાથે સાથે તેમને વાણી પણ લીધી છે. ' વિવેચન ૧. આજે આદર્શ રૂપે પ્રકાશિત થયેલા જૈન આગમગ્રંથોની પાટિપ્પણીઓમાં તે તે ગ્રંથોની ચૂર્ણિઓની અને ટીકાઓની જુદી જુદી વાચનાઓમાંથી લક્ષ્ય આગમ- ગ્રંથના અનેક પાઠાંતરો ઠેર ઠેર આપ્યા હોય છે, પરંતુ આ માટે નિયુક્તિઓનો પણ શક્ય ત્યાં ઉપયોગ થઈ શકે. જો કે નિર્યુક્તિઓના પાઠો છંદ-બદ્ધ થવાના કારણે (metri causa) મૂળ કરતાં કાંઈક જુદા થઈ જાય છે, તેથી નિયુકિતઓના જવલ્લે જ મળી રહેતા પાકોમાં પૂરો વિવેક કરવાની જરૂર રહે છે. છતાં પણ અકસ્માત જવલ્લે મળી આવતા પાઠ નોધી શકાય; જેમ કે આચારસૂત્ર ૧૦૬માં સ્વીકૃત-પાઠ : સુત્તા મુળ, મુનિને યા, પણ તે પરના ટિપ્પણ ૧ માં : પાઠાંતર : ... સી મુ . સાથે સરખાવી આચાર- નિર્યુક્તિ ૨૧૨ (પૃ. ૧૦૧) : સુન્ની મુળિો , સવા મુorળો...... શ્બ્રીંગનો પાઠ (પૃ.૧૩, પંક્તિ ૮) : સુત્તા મુળ મુળિો સાથે ....... અહીં શૂબ્રીંગનો સથવું પાઠ શીલાંકની ટીકામાંથી (પૃ. ૧૦૧, પૃ. ૩૨૧ માં તે લીધો નથી, પણ સ્પષ્ટ થાય છે! હસ્તપ્રતોના આધારે ચૂર્ણિઓ (અને નિર્યુક્તિઓ) પ્રકાશિત થતાં તેમાંથી પણ અનેક જરૂરી પાઠાંતરો મળી આવવાની ઘણી સંભાવના છે. અહીં અને હવે પછી આચાર - જૈન આગમ ગ્રંથમાલા’ના (૨.૧), ૧૯૭૭ના પ્રકાશનનું કાંઈ વિવેચન કરવામાં આવશે. ૨. આજે કઈ આદર્શ હસ્તપ્રતના આધારે ગ્રંથપ્રકાશન થયું છે તે ઘણાં આધુનિક પ્રકાશનોમાં સ્પષ્ટ હોતું નથી. વળી, ગ્રંથના શ્રુતસ્કંધ, અધ્યયન, શતક, વગેરે જેવા વિભાગો તો કોઈવાર તેમના ઉદેશ, વર્ગ વગેરે જેવા પેટા વિભાગો, તથા તે સર્વેનાં નામાભિધાન, તેમના અંતે આવતી ઇતિ-શ્રી (Colophons), વગેરે - ઉપરાંત સૂત્રોના કે પેટાવિભાગોના ક્રમાંક ઇત્યાદિ કઈ હસ્તપ્રતમાં છે અને ક્યાં નથી તે બધું દર્શાવવું અગત્યનું છે. (જેમકે, લગભગ બધી હસ્તપ્રતો આચારના ઉદ્દેશોના ક્રમાંક દર્શાવતી નથી, તેમ જ લગભગ કેટલીય હસ્તપ્રતો તે ઉદ્દેશોના અંતે આવતી ઇતિશ્રી દર્શાવતી નથી !) પોથી પ્રકાશની ઘણી બાબતે જેમ અસ્પષ્ટ રહે છે તેમ આધુનિક ગ્રંથ પ્રકાશનોમાં અસ્પષ્ટતા ન રહેવી ઘટે. દા.ત. આચારની કેટલીક હસ્તપ્રતોમાં (ાં, , નૈ, તા - ૧; જુઓ આચાર Page #72 -------------------------------------------------------------------------- ________________ : હસ્તપ્રત પ્રકાશન મર્યાદાઓ, અને અપેક્ષાઓ ૫૭ પ્રસ્તાવના પૃ. ૫૦-૫૩) ફકત આચાર - ગ્રંથ જ છે કે તે સાથે નિયુક્તિ પાણ છે તે સ્પષ્ટ નથી. શીલાંક-ટીકાની કઈ હસ્તપ્રત અહીં આદર્શ સ્વીકાર્ય છે તે પણ સ્પષ્ટ નથી (આચાર પૃ. ૩૯, ૪૦). ૩. જૈન પરંપરામાં ચૂર્ણિ પ્રાચીનતમ ટીકા-પ્રકારનું એક સાહિત્ય ગણાય છે અને તે સૂત્રગ્રંથ તથા નિયુકિત; એમ બંનેનું ટૂંકમાં વિવેચન કરે છે. તેથી મૂલગ્રંથ'ના નિર્ણય માટે પાઠાંતરોમાં ચૂર્ણિની ઉપેક્ષા યોગ્ય નથી. કોઈક વાર તેના પાઠાંતરો વધારે વ્યાજબી લાગે છે. જેમ કે : આચારસૂત્ર ૧૫૫ : સ્વીકૃત પાઠ : જે સુપડિવુધ્ધ સૂવળી, તે પરના ટિપ્પણ ૧૩માં શીલાંકનો પાઠ : ....તિનુદ્ધ, શીલાંકનો (પૃ. ૧૩૯) પાઠ : પ્રતિવદ્ધ છે જે ચૂર્ણિના શે સુવિદ્ધ રમે સુવતીયં પાઠ સાથે સંવાદ સાધે છે, જેથી તે એક અપેક્ષિત પદપંતિ બની રહે છે. શ્બ્રીંગને (પૃ.૨૨ પંક્તિ ૧૬) કોઈ બીજા પાઠાંતરો કે આ ચૂર્ણિપાઠ નહોતા મળ્યા. તે સિવાય આચારચૂર્ણિમાં (પૃ. ૧૭0) સુપડિવુદ્ધ ૨ મે જેવો પાઠ પણ મળે છે. (ચૂર્ણિથી પણ પ્રાચીન પાઠો કોઈ વાર ચૂર્ણિમાં ન મળતાં બીજા કોઈ ગ્રંથમાંથી પણ મળી આવે, આ બાબતનો વિવેક જરૂરી છે.) ૪. આચાર સૂત્ર ૯૯, સ્વીકૃત પાઠ : દે છે ધરમા.... બ્રીંગનો પાઠ (પૃ. ૧૨ પંક્તિ ૧૩) : સ ચ મધવાસમાળ (વિવેચન માટે જુઓ આચાર- પ્રસ્તાવના પૃ. ૫૩-૫૪). વળી શુન્નીંગ (પૃ.૧૨, ટિપ્પા ૧૩) જણાવે છે કે, ચૂર્ણિપ્રતમાં ૧ પાઠ સુધારીને (કોઈએ) સ કર્યો છે. આ બાબત સૂચવે છે કે ચૂર્ણિપ્રતના કોઈ લહિયાએ એ જ જાણે..... એવો યોગ્ય પાઠ ઊતાય હોય, અને બીજા કોઈ લહિયાએ કે કોઈએ ય સુધારીને સ કર્યો હોય. આવા જ પાઠથી એક પઘપંક્તિ બની રહે છે. આવા ૧/૨ થી દરેક શબ્દ જોડવાની વિશિષ્ટતા પ્રાચીન ગમોમાં અજાણી નથી, જેમ કે આચાર સૂત્ર ૧૦૭ સ્વીકૃત પાઠ : સ૬ વા ય થા ય... આના આધારે અહીં આચારસૂત્ર ૯૯માં સદે જ જે હયાસમાને જેવો કોઈ પાઠ પૂર્વે હોવો જોઈએ. અહીં દિવાસમાને માં દિયામાળ નો આદિસ લુમ (elision) થયો છે. વળી તે પછી જ આવતો હોય એવો ચૂર્ણિપાઠ પણ આચારના ટિપ્પણમાં નોંધ્યો છે. (જેમ કે સદે છે જ ૫. આચાર સૂત્ર ૨૨૯ (ગાથા ૧૬), બીજી પંક્તિ, સ્વીકૃત પાઠ: વસુમંતો મતિમતો ના બદલે ગુણિમતો મતિમંત પાઠ વધારે યોગ્ય લાગે છે, જે ત્યાં ટિપ્પણ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૪ હરાવવા અને આગળસાહિત્ય: સંશોધન અને સંપાદન / / ૧૪માં નોધ્યો છે. વળી આ પાઠ આચાચૂર્ણિમાં (પૃ.૨૮૭) પણ છે. અહીં પ્રાકૃત વસી શબ્દ Page #74 -------------------------------------------------------------------------- ________________ સશાહપ્રત પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ ૫૯ ધુવયં તત્ ધુનત્યમિત્તે વI) તથા શીલાંકની ટીકા (પૃ. ૧૪૨ : સમીતીય પૃહાત્વા નવાછરાવુિં - શરીર વેતિ ) જોતાં સી પાઠ વધુ યોગ્ય ઠરે છે. આના લીધે તે શ્લોકપંક્તિની અખંડિતતા જળવાઈ રહે છે. શુબ્રીગે પણ બે હસ્તપ્રતોના આધારે આ પાઠ માન્ય ગાયો છે (પૃ. ૨૩ પંક્તિ ૨૭). ઉપરાંત આ પાઠ આચાર સૂત્ર ૯૯માં આવતા એક શ્લોકની પ્રથમ પંક્તિ છે તે સ્પષ્ટ છે. અહીં પણ ટિપ્પણ ૧૪: આવો પાઠ ચૂર્ણિ-સંમત છે, તેમ નોધ છે. સરીર પાઠ શીલાંકની ટીકાના પરિશિષ્ટમાં (પૃ. ૩૨૧) સમાવ્યો નથી. આચાર સૂત્ર ૧૪૧ના ગધ, ( શ્બ્રીગ પૃ. ૧૯ પંક્તિ ૧૮), ચૂર્ણિ તથા શીલાંક, બધે ધૂળ સદી જેવો પાઠ ઉપર્યુક્ત શ્લોકમાંથી અંશરૂપે લીધો છે. આ શ્લોકમાં આવતા #મ શબ્દનો સંબંધ ધૂ ક્રિયાપદ સાથે રહે છે તે હકીકત પણ પ્રાચીન સાહિત્યના પાઠ જોતાં સ્પષ્ટ થાય છે, ત્યાં ફર્મ/મ ના બદલે કોઈવાર રસ/, મન, જેવા પર્યાય શબ્દો યોજ્યા છે, જેમ કે : દશવૈકાલિક ૪.૨૦ = (પુરૂ શ્મ), દશવૈકાલિક ૯.૩.૧૫. = ધુળિયા મને સૂત્રકૃત ૧.૨.૧.૧૫ = વિધુ. . . શિ. . . . . સરખાવો :છાંદોગ્ય ઉપનિષદ ૮.૧૩.૧ - વિધૂ . . . ધૂત્વા શારીરમ્ | મૈત્રાથમિ ઉપનિષદ ૪:૪૧.૯: નિધૂત-મત્ત જેતસ: કૌશીતકિ ઉપનિષદ ૧.૪:- સુકૃત-કુતિ ધુનતે . મુંડક ઉપનિષદ ૩.૧.૩ :- પુષ્યારે વિધૂ.... ઉપર્યુક્ત ખાસ (૩) થી (૭)ના બધા પાઠાંતરોને પ્રતોની મૌલિકતાના પુન:સ્થાપનના ઉદાહરણ તરીકે ગણી શકાય. આવા પુન: સ્થાપન માટે આવશ્યક પાઠ જો કોઈ એક હસ્તપ્રતમાં પણ પ્રાપ્ત થઈ જાય તો સંશોધક માટે તે એક પુત્રોત્સવ” નો પ્રસંગ થઈ પડે છે ! પણ તેવો કોઈ પાઠ હસ્તપ્રતમાં ન મળે તો? તો, તેવી બાબત પ્રકાશક સંશોધન પર છોડી દેવી ? ઉપર જણાવેલી બધી હકીકતો પરથી એટલું તો તારવી શકાય છે કે હસ્તપ્રતપ્રકાશનનું કાર્ય ક્લિષ્ટ અને વિકટ બની રહે છે. વિવિધ વાચનાઓની કે શાખાની અનેકવિધ હસ્તપ્રતોનો વિવેક કરીને ઠેર ઠેર વેરવિખેર, વિકૃત કે સંકીર્ણ પાઠાંતરોથી પૂર્ણ તે બધી વાચનાઓમાંથી પ્રકાશનનો સરળ માર્ગ પ્રકાશકે જાતે જ શોધવો રહ્યો. (Constitutio textus). દરેક પ્રકાશકે તેમાં અનુકૂળ નીતિ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન નિયમો (intrinsic criteria) રચી તેને ઠીક અનુસરવું જોઈએ. અસંખ્ય હસ્તપ્રતોના અને વાચનાઓના આધારે મહાભારતની સમીક્ષિત આવૃત્તિના પ્રકાશન માટે વી.એસ. સુકથંકરને પણ પોતાનો આગવો માર્ગ નક્કી કરવો પડ્યો હતો. તે તેણે પ્રકાશિત મહાભારતની મહા-પ્રસ્તાવનામાંથી (Prolegomenon) જાણી શકાય છે. સામાન્ય રીતે હસ્તપ્રત-પ્રકાશન કાર્ય બે પ્રકારમાં વહેંચી શકાય: (i) સંશોધનાર્થ : કોઈ વિદ્વાને તૈયાર કરેલું સંશોધન-લક્ષી હસ્તપ્રત-પ્રકાશન, અને (ii) નિતાંત ગ્રંથ-પ્રકાશનાર્થ: હસ્તપ્રતને આદર્શ માની તેને અનુસરીને ગ્રંથ-પ્રકાશન થાય, પણ બાકીની હસ્તપ્રતોમાંથી કે ઇતર ગ્રંથોમાંથી પાઠાંતરો અપાવા જોઈએ કે નહીં તે બાબત ગૌણ રહે, આવાં પ્રકાશનોમાં પોથી-પ્રકાશનો સમાઈ જાય છે.. ભગવતી-ચૂર્ણિ – “અવચૂરિ', હસ્તપ્રતો : ઉપર નિર્દેશેલા પોથી-પ્રકાશનો વિષે કાંઈ સંક્ષેપમાં જણાવવાનું અહીં આવશ્યક થઈ પડે છે. હસ્તપ્રતોના પાઠોમાં કે ક્યાંય ફેરફાર કરવો એ ઠીક નથી. આવા હસ્તક્ષેપો” પોથી-પ્રકાશનોમાં વધુ જોવા મળે છે; અને ફેરફારો કે વધારો કરવાની આવી પ્રવૃત્તિનાં મૂળ ઠેઠ હસ્તપ્રતના લહિયાઓ સુધી ફેલાયેલાં હોય છે તે અહીં ઉદાહરણરૂપે ભગવતી ઉપરની ચૂર્ણિ,અવચૂરિની હસ્તપ્રતોના અવલોકનથી જાણી શકાશે. (૧) ભગવતીસૂત્ર પર આગળ સંશોધન કરવા માટે જિનરત્નકોશ (હ. દા. વલંકર, - BORI, Poona 1944; p. 290) અને મુખ્યત્વે વડોદરાના પ્રાપ્ય વિઘા” વિભાગના સંશોધન સામયિક (૨૫; ૨ જી ડિસેમ્બર ૧૯૭૫) મુજબ ભગવતીચૂર્ણિની હસ્તપ્રતો ક્રમાંક ૯૦, ૯૧, ૮૫૪, ૬૫૩૧, ૬૫૩૨, ૬૫૪૯, ૬૭૩૧ અને ૯૯૯૯ માંથી કોઈ યોગ્ય પ્રત પ્રાપ્ત કરવા ૧૯૭૮માં હું પાટણ ગયો, અને પૂરા ગ્રંથની માલૂમ પડતાં તે પ્રતોમાંથી ૮૫૪ સિવાયની બે હસ્તપ્રતો (૬૫૩૧ અને ૬૫૪૯) લાવીને મેં તેમની ફોટોસ્ટેટ કરાવી દૈવયોગે ૧૯૭૪માં સુરતથી પોથી-પ્રકારે બહાર પડેલું : “ભગવતી-અવચૂરિ” શીર્ષકવાળું એક પ્રકાશન જોવા મળતાં, મેં તે મેળવી લીધું અને હસ્તપ્રતોની સાથે સાથે તેનો પણ અભ્યાસ કરતાં જણાયું કે, આ ‘ભગવતી-અવચૂરિ’ તે હસ્તપ્રતોના જ ગ્રંથનો ઉતારો છે! પણ કોઈ પંડિત-પ્રકાશકે તેના આ પોથી- પ્રકાશનમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ ૬૧ પ્રસ્તાવના-રૂપે કાંઈપણ માહિતી આપી નથી કે તેણે ક્યાંથી, કેવી રીતે, કેટલી સંખ્યામાં હસ્તપ્રતો મેળવી. પણ તે પ્રકાશનમાં કોઈ કોઈ વાર તેણે સંસ્કૃતમાં પાદદિપો મૂકી છે, તેમાંથી કાંઈ તારવી શકાય કે તમે કોઈ ૬-૭ હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો હશે. આ ટિપમાં તે આ “અવચૂરિ’ને ‘ટીકા' તરીકે જણાવે છે. તેના એક પાના પર નાગરી લિપિમાં પરંતુ ગુજરાતી ભાષામાં બે ટિપ આવે છે, જેમાં આ ‘અવસૂરિ' નો ચૂર્ણિ' તરીકે નિર્દેશ કર્યો છે ! (કદાચ, આ બે ટિપ પંડિત-પ્રકાશકની ન હોય, પરંતુ કોઈ અન્ય અવિદ્વાનનો હસ્તક્ષેપ” હોય એમ લાગે છે !) વળી, આ પ્રકાશકે શરૂઆતમાં સૂત્રગ્રંથોના ક્રમમાં પણ ઘણો ફેરફાર કર્યો છે, તથા ઠેર ઠેર શતક, ઉદ્દેશ વગેરેના પ્રારંભ માટે તથા અંતે મળતી ઇતિશ્રી માટે હસ્તપ્રતને અક્ષરશ: અનુસર્યો નથી. તે ઘણી વાર સૂત્રગ્રંથ (= સૂત્રપ્રતીક) આગળ સૂત્ર જેવો શબ્દ તથા ટીકાગ્રંથ આગળ “વપૂરિ’ જેવો શબ્દ નોધે છે. . (૨) મૂળે બંને હસ્તપ્રતોમાં થયેલા ફેરફાર પણ ધ્યાન ખેંચે એવા છે. પ્રત ૬૫૩રના અંતે ઇતિશ્રીમાં ‘તિ મત્યવળિ: રસમાંતા” એમ લહિયાએ નોંધ્યું છે, જ્યારે તે પ્રતના દરેક પાત્રની ડાબી બાજુના હાંસિયા ઉપર મા-૧ ની નોંધ આવે છે, પણ તે પ્રતના છેલ્લા પત્રમાં તેવી નોધ સુધારીને ત્યાં ‘વિપૂરિ’ લખ્યું છે. આ રીતે પ્રત ૬૫૪૯ ના અંતે ઇતિશ્રીમાં લહિયાએ ‘તિ માવતી ન્યૂ : પરિસમાંતા' એમ લખ્યું છે, અને તે પ્રતનાં પાત્રોના ડાબી બાજુના હાંસિયે ઉપરના ભાગમાં પત્ર ૬૧૧-૬૧૬ પર ‘મ-૩વચૂરિ', પત્ર, ૬૩૮દ૬૯ પર “મા. 7.” અને વળી પત્ર ૬૩૬, ૬૩૭, ૬૭૦, ૬૭૮ પર ફરીથી મ.ચૂળ જેવી નોધો કરી છે, પરંતુ પત્ર ૬૦૧-૬૧૦ પર આવતી “માગૂર્જ” જેવી નોધ ઉપર “વ ઉપસર્ગ મૂકી તે “મા.વિભૂ’િ જેવું વંચાય તેવી કોશિશ કરી છે. (આવા સુધારા-વધારા કદાચ મૂળ લહિયાએ જ કર્યા હોય એવું લાગે છે. લહિયાઓને આવા ફેરફારો કરવા પડ્યા તે પાછળનું કારણ આગળ સ્પષ્ટ કરવામાં આવશે. VI. ૮). (૩) ઉપર્યુકત હસ્તપ્રતોનો તથા પોથીનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે તે સળંગ સંસ્કૃતમાં રચાયેલી ભગવતીસૂત્ર પરની આજ લગી અજાણી રહેલી એક પ્રાચીન ટીકા છે. અભયદેવે પોતાની ભગવતી વૃત્તિ માટે આ ટીકાનો આધાર લઈ તેનો વૃત્તિ', 'ટીકા' કે મૂલટીકા' તરીકે ઉલ્લેખ કર્યો છે. જોકે મળી આવતી આ પ્રાચીન ટીકાને મેં વ્યાખ્યાન' નામ આપ્યું છે. અભયદેવની Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન ભગવતી વૃત્તિ, આ હસ્તપ્રતો, પ્રાચીન ટીકા અને ચૂર્ણિ વગેરેનું વિસ્તૃત વિવેચન મારા એક સંશોધનલેખમાં પ્રસિદ્ધ થશે (Berliner indologische Studien; Inst. for Indian Philology, Free Uni. Berlin). (૪) સુગમતા ખાતર વ્યાખ્યાન-ટીકાવાળી પ્રતોનો સર્વે હસ્તપ્રતોના પ્રવાહગત વર્ણનના સંદર્ભમાં કોઈ વાર અવચૂર્ણિ,અવચૂરિ તરીકે અને ચૂર્ણિગ્રંથવાળી પ્રતોનો ચૂર્ણિ તરીકે નિર્દેશ કરીશું. ‘ભગવતી-ચૂર્ણિ' જેવા શીર્ષક હેઠળ નોધાયેલી, કાગળ પર લખાયેલી આ બધી હસ્તપ્રતો ૧૫મી સદી પછીની છે. તેમાં મળી આવતો (મંગળગ્રંથ સિવાયનો) મૂળ ગ્રંથ-પ્રારંભ, અંતે મળી આવતો “અંત-ગ્રંથ' અને ત્યાર પછી મળી આવતી ઇતિશ્રી (ગ્રંથ-નામ, ગ્રંથા, વગેરે) નીચે દર્શાવવામાં આવે છે. (અ) ગ્રંથ-પ્રારંભ : ૧. પુવી રિઈ /જિતિવોદય રે.. ઇત્યાદિ. (પ્રત = ૯૦, ૯૧, ૬૫૩૧, ૬૭૩૧, ૯૯૯૯) = ભગવતી. ૧.૫.૪૪ (જુઓ આગળ...) ૨. તેનું રાત્રે તેમાં સમi ....... ઇત્યાદિ (પ્રત = ૮૫૪, ૬૫૩૨, ૬૫૪૯). = ભગવતી ૧.૧.૪ (જુઓ આગળ.....) (આ) “અંતગ્રંથ' : ડનુ . રમ/કરમ.... સંડ્યા ....... ઇત્યાદિ (પ્રત : ૯૦, ૯૧, ૮૫૪, ૬૫૩૧, ૬૫૩૨, ૬૭૩૧, ૬૫૪૯, ૯૯૯૯); બધી પ્રતોમાં! (જુઓ આગળ......) (ઈ) ઇતિશ્રી : ૧.પ્રત : ૯૦ (પત્ર ૧-૫૬) : માવતી ગૂf... ઉત્તમ... ગ્રંથા ૬ ૯ (?) .... મજૂર ૩૫૦૦... મજાવતમૂર્ષિ સમાપતા...... ૨. પ્રત : ૯૧ (પત્ર ૧-૫૭) : મળવત પૂ... ઉત્તમ... ગ્રંથા ૬ ૯ મજૂર ૩૬૦ (ગ્રંથાગ્ર?) ..... માવતી પૂર્ષિ સમાનં (!).. ૩. પ્રત : ૮૫૪ (પત્ર. ૧-૩૫)...તિ માવત્યજૂ િરિસમાતા.. Page #78 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ ૬૩ ૪. પ્રત : ૬૫૩૧ (પત્ર ૫૦-૧૦૬, ૧૧૪૮-૧૨૦૪) ..તિ માવતી-જૂ િરિસમ તા. . . ગ્રંથાઇ ૬૦0૯ (?)... ૫. પ્રત: ૬૫૩૨ (પત્ર ૧૦૭-૧૫૫/૧૨૦૫-૧૨૫૩) .....તિ મવિભૂ િરિસમતા.. ૬. પ્રત: ૬૭૩૧ (પત્ર ૧૦૮૦).....માવતી-જૂર્વ-સસંપૂર્ણ » થાય ૩પ૯૦... ૭. પ્રત: ૬૫૪૯ (પત્ર ૧-૭૮ ૬૦૧-૬૭૮)...તિ શ્રી મમવતીપૂર્ણ પરિસમાખેતિ.... ૮. પ્રત: ૯૯૯૯ (પત્ર ૧-૪૨)..... મવતી-a[f... ઉમામી પ્રથા ૬૫૦૪ (?)... વગૂર ૩૫૦૦..... માવતીનૂ સમાનં (?) (‘અંતગ્રંથ' અને ઇતિશ્રી માટે કરેલી મૂળ વિસ્તૃત નોધો આ પ્રસંગે નહીં મળી આવતાં તેની ઉપરથી કરેલી ટૂંકી તારવણીનો જ અહીં આધાર લેવો પડ્યો છે, તેથી વાચકવર્ગ ક્ષમ્ય ગણશે. પરંતુ અહીં સત્યની તારવણીમાં કોઈ વિરોધ ન આવે તે પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે.) જૈિન વિશ્વ ભારતી'ની (લાડનૂ) તથા “લાલદલપત ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર’ની (અમદાવાદ) વારંવાર મુલાકાતે જતાં અને ત્યાં ચાલી રહેલાં હસ્તપ્રતોમાંથી ભગવતી-ચૂર્ણિનાં પ્રકાશન-કાર્ય તપાસતાં માલૂમ પડ્યું કે ભગવતી ૧.૫ ની ગાથા : ‘દવી.... ગોહિ.....'થી જ આ ચૂર્ણિ શરૂ થાય છે (જુઓ ઉપર ગ = પ્રારંભ-૧; સરખાવો : ભગવતીસૂત્ર ૧.૫.૪૫ ઉપર અભયદેવવૃત્તિ પૃ. ૬૮| b ગાથા = "ઢવી ઢિતિ મોગા..... વગેરે). પરંતુ અવચૂરિની પ્રતો જોતાં તે ભગવતીસૂત્ર ૧૫.૪૪ માં આવતી કુલ ૧-૬ ગાથાઓથી (તસાપ વીસા... રવિમા II) શરૂ થાય છે અને ચૂર્ણિપ્રતોમાં આવતી ભગવતી ૧.૫ ની ગુઢવી ફિ મોડા..... જેવી ગાથાનો અવચૂરિની પ્રતોમાં ઉલ્લેખ નથી. અવચૂરિની પ્રતો તો મૂળે ભગવતી ૧.૧.૪ ના પ્રતીકથી (તે જો તેમાં સમg...) શરૂ થાય છે. (જુઓ ઉપર . પ્રારંભ. ૨). આથી સ્પષ્ટ થાય છે કે ચૂર્ણિની પ્રતો અને અવચૂરિની પ્રતો તથા ગ્રંથો ભિન્ન ભિન્ન છે, ચૂર્ણિગ્રંથ ભગવતી ૧.૫. થી તથા અવચૂરિગ્રંથ ભગવતી ૧.૧. થી શરૂ થાય છે. આ પરિસ્થિતિ અંતગ્રંથમાં બદલાઈ જાય છે. ચૂર્ણિની અને અવચૂરિની = બધી જ પ્રતોમાં ‘અંતગ્રંથ – ડયુમ.. રમ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૪ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન પરિમ... ઇત્યાદિ લગભગ સમાન જાય છે તે થોડુંક વિવેચન માગી લે છે. ૫. ભગવતી ર૫. સૂત્રો ૭૫-૭૫૦ માં નુમ ઇત્યાદિ તથા ભગવતી ૨૬. સૂત્ર ૮૧૬, ભગવતી ૩૦. સૂત્ર ૮૨૭ અને ભગવતી ૩૩. સૂત્રો ૮૪૬૮૪૮; અને વળી ભગવતી ૩૪. સૂત્રો ૮૪૯-૮૫૩ માં કોઈ કોઈ વાર ચરમ/ મામ... ઇત્યાદિ; અને વળી પાછું ભગવતી ૩૧. સૂત્રો ૮૨૮-૮૪૦, ભગવતી ૩૨. સૂત્રો ૮૪૧- ૮૪ર માં ગુમ્મ/ડનુમ.. ઇત્યાદિ વિષયોને વાણી લેતાં વિવરણ આવે છે. અને તે ઉપરનાં વિવરણોમાં પણ ઘણા શતકોમાં અને તેના ઉદ્દેશોમાં અન્ય શતકોના અને ઉદ્દેશોના પરસ્પર ઉલ્લેખો આવ્યા કરે છે; તેમાં ખાસ કરીને શતક ૩૩ માં શતક ૩૧નો આધાર, તથા શતક ૩૪ માટે શતક ૩૩ નો આધાર લેવાનાં સૂચનો છે. વળી શતક રૂપમાં કુમ/ડy... અને વરમ/ ગરમ ઓતપ્રોત થઈ શતક ૩૩નો આધાર લે છે. (જુઓ. અભયદેવવૃત્તિ પૃ. ૮૭૩/a, ૮૬૨ a, ૮૯૦/b, ૯૩૧/૩, ૯પ૨/b, ૯૫૯/b વગેરે વગેરે). મુમુને .. અને ગરમ /શરમ... વગેરે વિષયો અને તેમનાં વિવરણ શતક ૩૩૩૪ લગી એવાં કિલટ, એકધાર્યા અને લગભગ એકસરખાં લાગે એમ જતાં હોવાથી તે કયા શતકનું કે કયા ઉદ્દેશનું છે તે અથવા તો તે કયા પૂર્વ શતક કે પૂર્વ ઉદ્દેશને આધારે ચાલી આવે છે તે નક્કી કરવાનું જ જ્યાં મુશ્કેલ હોય ત્યાં તે કયા " સૂત્રનું – કે ક્યાંથી લીધું છે તે તો કેવી રીતે નક્કી થાય? અભયદેવને પાગ અહીં વૃત્તિમાં મુશ્કેલી પડી હતી તેમ તે જણાવે છે (પૃ. ૯૭૦/b = જુઓ નીચે) ! ૬. પરંતુ વ્યાખ્યાન આમાં આપણને કાંઈક સ્પષ્ટતા કરે છે. વ્યાખ્યાન શતક ૩૧-૪૧નું વિવરણ ફકત ૩૪ લીટીમાં જ (હસ્તપ્રતમાં લગભગ ૭-૮ લીટીમાં જ) પૂરું કરે છે. તેમાંય શતક ૩૨-૩૩ પર તેનું વિવરણ નથી, શતક ૩૧ માટે હસ્તપ્રતની ફક્ત ૧ લીટી, શતક ૩૪ માટે ફક્ત ૪ પરંપરાગત ગાથા, શતક ૩૫ માટે ફક્ત ૪ લીટીઓ (= રરછાપેલી લીટીઓ) અને શતક ૩૬-૪૧ માટે ફકત ૩ ગાથાઓનો જ ઉલ્લેખ કરે છે. વ્યાખ્યાનના શતક ૩૫ પરના સંક્ષિપ્ત (હસ્તપ્રતની ફકત ૪ લીટીઓ) વિવરણના સંદર્ભમાં તે શતકના અંતે અભયદેવે કરેલો નિર્દેશ આપણને આ પ્રશ્ન ઉકેલવા મદદરૂપ નીવડે છે. અભયદેવે પોતાની વૃત્તિની શરૂઆતમાં ઉપોદ્ઘાતરૂપે પાગ પૃ.૧/a પર એક શ્લોકમાં સ્પષ્ટ કર્યું છે કે તેણે આ ટીકા (=વ્યાખ્યાન) અને ચૂર્ણિ = બંનેનાં સંયોજન કરીને ભગવતીનું વિવરણ કર્યું છે. તાજૂf... સંયો પંચમાં વિકૃમિ...) પણ ભગવતી શતક ૩૫ પર ચૂર્ણિ નહીં હોતાં. અભયદેવને આ શતકના વિવરણ માટે ફક્ત Page #80 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ - ૬૫ વ્યાખ્યાનની જ ટીકા - જો કે તે સંક્ષિપ્ત હતી તોપણ-તે ટીકાનો જ આધાર " લેવો પડ્યો. આવું અભયદેવ આ શતકના અંતે એક પદ્યરચના કરીને સ્પષ્ટ કરે છે કે “ચાડ્યા રાતાચ તા સંકષ્ટ, રીન્થિા ન ન રાતિ મૂ*િ ભગવતી ૪૧ના અંતે અભયદેવની એક બીજી પદ્યપંક્તિ પણ આ બાબતની પુષ્ટિ કરે છે (જુઓ પૃ. ૯૭૯/a - “ તેવુ. વિવૃતિનિષિ વિરા...' “અહીં - શતકો ૩૬-૪૧ સુધીમાં વિવૃતિ - = વ્યાખ્યાન-ટીકા- અને ચૂર્ણિનાં વિવરણ વગર....”. શતક ૩૯-૪૧ માટે વ્યાખ્યાનની પોતાની ટીકા નથી, પણ તે ફકત ૩ ગાથાઓ જ ટાંકે છે !). આ ઉપરથી પાણ નિશ્ચિત થાય છે કે પૂર્ણિ ૩૪માં શતક પર તો છે જ, પણ ૩૫ મા શતક પર નથી, અને અવસૂરિ વ્યાખ્યાન કે ટીકા ૩પમા શતક પર છે જ અને તે શતક ૩૬-૪૧ ને પણ ૩ ગાથાઓમાં આવરી લે છે. આમ ઉપર્યુકત અંતગ્રંથ' (જુઓ ૪ : આ ઉપર) શિતક ૩૪ સુધીની મૂર્ણિ માટે પણ હોઈ શકે, અને અચૂરિ' માટે (શતક ૩૫૪૧) પાગ લાગુ પડી શકે. આથી એમ કહી શકાય કે ભગવતી ૧.૫ થી શરૂ થતી બધી પ્રતો (૯૦, ૯૧, ૬૫૩૧, ૬૭૩૧, ૯૯૯૯) ચૂર્ણિની છે તથા ભગવતી ૧૧. થી શરૂ થતી પ્રતો (૮૫૪, ૬૫૩૨, ૬૫૪) અવચૂરિની છે. ૭. ઉપર ૪: $ ઇતિશ્રી ઉપરથી પણ જણાય છે કે પ્રત ૬૫૩૧-૬૫૩રની પત્ર સંખ્યા સળંગ જાય છે. ૫૦-૧૦૬ = (પ્રત ૬૫૩૧) + ૧૦૭-૧૫૫ ( =પ્રત ૬૫૩૨) અથવા : ૧૧૪૮-૧૨૦૪ (=પ્રત ૬૫૩૧) + ૧૨૦૪ - ૧૨૫૩ (=પ્રત ૬૫૩૨) એટલે પ્રત ૬૫૩૧-૬૫૩૨ નાં કુલ પત્ર ૫૦ - ૧૫૫ - અથવા ૧૧૪૮ - ૧૨૫૩ થાય; અને તે બંને પ્રતો એક જ ડાબડા ૧૬૫માં મુકાઈ છે. કદાચ તેમના પત્રમાંક (પ્રથમ ૫૦ થી અથવા ૧૧૪૮ થી શરૂ) અને પ્રતિક્રમાંક (૬૫૩૧/૬૫૩૨) પાછળથી બદલવામાં આવ્યા હોય ; એટલે કે ૬૫૩૧ (=ચૂર્ણિની હસ્તપ્રત), ૬૫૩૨ (અવચૂરિની હસ્તપ્રત); ચૂર્ણિ-પ્રત પહેલાં, અવચૂરિ-પ્રત પછી. આથી આ બંને પ્રતો પૂરી થતાં તે બંનેના ગ્રંથાગ્ર *અભયદેવના આવા ઉલ્લેખોનો એવો અર્થ પણ થાય કે (૧) ચૂર્ણિએ અને/કે વ્યાખ્યાને તે તે ભગવતીના શતક પર પોતાની વ્યાખ્યા નથી લખી, પણ ફકત પરંપરાગત કેટલીક ગાથાઓ જ નોંધીને સંતોષ માન્યો છે; અથવા તો (૨) તેઓએ તેવી ગાથાઓ પણ નથી નોધી અને પોતાની વ્યાખ્યા પણ નથી લખી ! ...સાચી હકીકત તો ચૂર્ણિ પ્રકાશિત થઈ ગયા પછી બહાર આવી શકે. – બંસીધર ભટ્ટ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન કેટલીકવાર ભેગા આપવામાં આવ્યા છે, તેમાં અવચૂરિના ગ્રંથાગ્ર ૩૫૯૦ લાગે છે (જુઓ પ્રત ૯૦ અને ૯૯૭૯), અવચૂરિના પોથી-પ્રકાશન મુજબ તેના ગ્રંથાગ્ર ૩૧૧૮ છે, તેથી કદાચ પ્રતમાં કે પોથી-પ્રકાશનમાં ભૂલ હોય ! બંને પ્રતોના સમગ્રતયા ગ્રંથાગ્ર લગભગ ૬૦ (જુઓ પ્રત ૯૧, ૬૫૩૧, ૯૯૯૯) ગણીએ અને અવચૂરિના ગ્રંથા લગભગ ૩૬00 ગણીએ તો ચૂર્ણિના ગ્રંથાગ્ર લગભગ +/-૨૪૦૦ થાય. પોથી-પ્રકાશનના ગ્રંથાગ્ર ૩૧૧૮ ગણતાં ચૂર્ણિના ગ્રંથાગ લગભગ +/-૨૯૦૦ થાય. આમ કોઈક કારણથી ચૂર્ણિના ગ્રંથાગ્રમાં +-પ0 નો તફાવત રહે છે. એટલે કે સરેરાશ : જો દરેક પત્રની બાજુ ૨૨ સે.મી. X ૮ સે.મી. હોય, તેમાં ૧૬ લીટીઓ સમાતી હોય, અને દરેક લીટીમાં જો ૬૫ અક્ષરો આવે તો લગભગ ૫૦૦ ગ્રંથાગ = +-૧૫ પત્ર ચૂર્ણિપ્રતમાં વધી જાય! આમાં પ્રતના અક્ષરોની ઝીણવટ, લીટીઓ, પત્રની લંબાઈપહોળાઈ, લખાણ તથા પૃષ્ઠસંખ્યા પત્રની એક જ બાજુએ છે કે બંને બાજુએ તે, તથા લહિયાઓની ભૂલો, વગેરે વગેરે - બધી બાબતોનો વિવેક કરવો રહ્યો. વળી, પત્રસંખ્યા જતાં, તેમાં વધઘટ દેખાઈ આવે છે, જેમકે પ્રત ૮૩૪ અવચૂરિ = ફક્ત ૩૫ પત્રમાં જ્યારે પ્રત ૬૫૪૯ અવચૂરિ = ૭૮ પત્રમાં પૂરી થાય છે ! આ રીતે પત્ર ૯૯૯૯ ચૂર્ણિ : ફક્ત ૪૨ પત્રમાં, જ્યારે પ્રત ૩૭૩૧ ચૂર્ણિ ૮૦ પત્રમાં પૂરી થાય છે ! આથી ચૂર્ણિપ્રત માટે +-૧૫ પત્રની ઉપેક્ષા કરતાં એમ લાગે છે કે ચૂર્ણિપ્રતની અને અવચૂરિપ્રતની પત્રસંખ્યા, દરેકની લગભગ ૫૦ = સમાન જાય છે, અને બંને પ્રતો ભેગા મળીને પત્રસંખ્યા લગભગ ૧૦૦ થાય છે. ૮. એક બાબત હજી કાંઈક અસ્પષ્ટ રહે છે. અવચૂરિની અંતિમ ઈતિશ્રી જેવી જ ઇતિશ્રી ચૂર્ણિના અંતે પણ કેમ? જુઓ ચૂર્ણિપ્રત ૯૦, ૯૧, ૬૫૩૧, ૬૭૩૧, ૯૯૯૯ તેમાં ચૂર્ણિ ઉપરાંત અવચૂરિનો પણ ઉલ્લેખ (પ્રતો ૯૦, ૯૧, ૯૯૯૯) તથા અવસૂરિના ગ્રંથાગ્ર (પ્રતો, ૯૦, ૬૭૩૧, ૯૯૯૯) ઉપરાંત બંને પ્રતોના સમગ્ર ગ્રંથાગ્ર (પ્રતો ૯૧, ૬૫૩૧, ૯૯૯૯) આવે છે ! ચૂર્ણિઓની બીજી હસ્તપ્રતોનાં અવલોકન કરતાં આ બાબત ઉપર કાંઈ પ્રકાશ પડી શકે. પણ અહીં એમ માનવું રહ્યું કે ચૂર્ણિ-અવચૂરિની પ્રતો ભેગી રહેતી; તેમાં ચૂર્ણિની ઇતિશ્રી અને અવચૂરિની ઇતિશ્રી પણ પરસ્પરનો ઉલ્લેખ કરતી હશે, તથા પરસ્પરના ગ્રંથાગ દર્શાવતી હશે. આના લીધે પ્રત ૬૫૪૯ અવચૂરિની ઇતિશ્રીમાં ચૂર્ણિનો ઉલ્લેખ થયો છે અને પ્રત ૬૫૩૨ અવસૂરિની ઇતિશ્રીમાં અવસૂરિનો Page #82 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ ઉલ્લેખ થયો છે; જ્યારે લહિયાઓએ તેઓનાં કેટલાંક પત્રોમાં ચૂર્ણિ/અવચૂર્ણિ જેવા સુધારા કર્યા છે તે ઉપર (VI. ૨) જણાવ્યું છે ! લહિયાઓની આવી પ્રવૃત્તિ પાછળ પણ આ બધી પ્રતો એકમેક થઈ ગઈ છે, તે જ કારણ તરીકે ગણાવી શકાય ! એક એવું પણ તારવી શકાય કે જેટલી ચૂર્ણિની પ્રતો છે તે બધી સાથે અવચૂરિ વ્યાખ્યાનની પ્રતો પણ ભેગી હોવી જોઈએ, પ્રત ૬૫૩૧ સાથે પ્રત ૬૫૩૨ સળંગ હતી તેવું ઉપર (VI. ૧) જણાવ્યું છે. પ્રત ૮૫૪ સ્વતંત્ર જાય છે, પણ પ્રત ૬૫૪૯ (જુઓ પત્ર ૬૦૧-૬૭૮) પણ કોઈ ચૂર્ણિપ્રત સાથે હશે, જેને પાછળથી છૂટી પાડવામાં આવી લાગે છે. વળી, આમ “અવચૂરિ" ના ખોટા શીર્ષક નીચે તથા ચૂર્ણિની હસ્તપ્રતોની અંદર ‘વ્યાખ્યાન' ટીકા લુપ્ત થયેલી હાલતમાં રહી ગઈ, અને તે જ્યારે પ્રકાશમાં આવી - આજે પ્રાપ્ત થઈ - ત્યારે પણ હજી “અવચૂરિ’ ના અંધારપછેડામાં જ પડી રહી છે. આ રીતે ગંધહસ્તિની આચાર ટીકા પણ ક્યાંય લુમ રહી ગઈ હોય તો નવાઈ નહીં! અનેક હસ્તપ્રતોનાં પત્રો જોતાં, અધ્યયન કરતાં કદાચ આ ટીકા પણ આપણા નસીબમાં પ્રાપ્ત થઈ જાય ! આવું ક્યારે સંભવે ? ઉદારતા અને સહકાર : જો સાધુસમાજ અને ખાનગી જૈન સંસ્થાઓના સંચાલકો આ માટે જરાક ઉદારતા દાખવે અને સહકાર બક્ષે તો આવી હસ્તપ્રતો પ્રાપ્ત પણ થઈ જાય ! અમુક જૈનેતર છે કે શ્વેતાંબર/દિગંબરનો છે તેથી અમુક જૈન આગમની હસ્તપ્રત તેને ન અપાય; અથવા અમુક વિષયના જૈન આગમો અમુક પ્રકાશિત ન કરે, - એવું બધું ક્યાં સુધી ? દિલ્હીમાં એક જૈનેતર વ્યકિતને સંશોધનાર્થે એક જૈન આગમની હસ્તપ્રત (ની ફોટોસ્ટેટ પણ) આપવાની અમુક સંસ્થાએ ના પાડી; અને તે રીતે એક આગમ ગ્રંથ સંબંધિત હસ્તપ્રત માટે પણ એક સાધુએ અહીં આનાકાની કર્યાની હકીકત પણ જાણવા મળી છે. સાચા ભિક્ષુને સાધુને તો પરિગ્રહમાં મમત્વ હોતું જ નથી (જે વિહૂ.... હું ગમમામાને આચાર ૮૮); એવો ભગવાન મહાવીરનો ઉપદેશ ક્યારે સમજાશે ? એકલી એક જ હસ્તપ્રતનું પ્રકાશન કરવું શક્ય નથી, અને તે પ્રકાશન થાય તો પણ પાઠાંતરો વગર તેની કિંમત કેટલી ? તેની ફોટોસ્ટેટ જ આપવાની રહેતી હતી, અને તે હસ્તપ્રત તો જે તે માલિકની પાસે જ રહેવાની હતી ! Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન સાધુસમાજ અને જૈન સંસ્થાઓને મારી નમ્ર વિનંતી છે કે આવી બાબતોમાં પણ તેઓ કૃપા કરીને અમને સૌને યોગ્ય સહકાર અર્પે, થોડીક ઉદારતા બક્ષે, અમને મદદરૂપ નીવડે ! હસ્તપ્રત પ્રકાશન પણ એક સંપ્રદાયનું જ કાર્ય છે, પહેલાંનાં પોથી- પ્રકાશનોની જેમ આ કાર્ય પણ ધર્મમાં વણી લેવાય; ધર્મ તરીકે ગણી લેવાય. મુનિ પુણ્યવિજ્યજી એમના તપશ્ચર્યામય જીવનમાં પણ આવો ધર્મ જીવી જાણ્યા. અંધારા ભંડારોમાં પુરાઈ રહેલી અનેક આગમ હસ્તપ્રતો એમણે બંધનમુક્ત કરી પ્રકાશમાં આણી, અને એ આગમપ્રભાકર/આગમોદ્વારક' - તરીકે પ્રશંસા પામ્યા. આચારાંગસૂત્રના શબ્દોમાં જણાવું તો ‘એ વીર પ્રશંસા પામ્યો છે જે બંધનમાં રહેલાંને મુક્ત કરે છે' ( વીરે પતિ ને ડિમોવર ૯૧, ૧૦૩), અને “એ જ અપરિગ્રહી નિર્મમ મુનિએ સાચો માર્ગ નીહાળ્યો છે (જે હુ દિપટ્ટે મુળી નસ નધેિ મમત '૯૭). એઓનો આવો આદર્શ અપનાવીને જ આ જન્મશતાબ્દીનો ઉત્સવ મનાવીએ ! સંક્ષિપ્ત સંકેત અને મુખ્ય સંદર્ભ-ગ્રંથ સૂચિ: AKM ANIS BSOAS JAOS JRAS OLZ WZKM Abhandl. Kunde. Morgen. Germany. Alt. and Neu-indische Studien. Uni Hamburg, Germany. Bulletin of the School Of Oriental & African Studies. UK. Journal of the American Oriental Society. USA. Journal of the Royal Asiatic Society. UK. Orientalistische Literatur-Zeitung. Germany. Wiener Zeitschrift fuer die Kunde D. Morgenl. Austria. Zeitschrift der Dentschen Morgenl. Gesellsch. Germany.. ZDMG Page #84 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ ૬૯ અભયદેવ (વૃત્તિ). આચાર ચૂર્ણિ આચાર નિર્યુકિત આચાર સૂત્ર ભગવતી સૂત્ર) (પૃ) : જુઓ ભગવતી (સૂત્ર) (પૃ.)'' આચાર-ચૂર્ણિ, શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા, રતલામ ૧૯૪૧. જુઓ શીલાંક (પૃ....)' માયામુત્ત સંપાદક મુનિ જંબૂવિ. જૈન આગમ ગ્રંથમાલા” ૨.૧ મુંબઈ ૧૯૭૭. અહીં સળંગ સૂત્રક્રમાંક હોવાથી પ્રસ્તુત લેખમાં ફક્ત સૂત્રસંખ્યાનો જ ઉપયોગ કર્યો છે, પણ આચારના વિભાગો, પેટાવિભાગો દર્શાવ્યાં નથી. : ભગવતીસૂત્ર, અભયદેવની વૃત્તિ સાથે. આગમોદય સમિતિ ૧૨-૧૪. મુંબઈ ૧૯૧૮-૨૧. આચાર, (સૂત્રકૃતાંગ), આચારનિર્યુક્તિ, (સૂત્રકૃતાંગનિયુક્તિ), શીલાંકની ટીકા સાથે. સંપાદક મુનિ જંબૂવિજ્યજી. મોતીલાલ બનારસીદાસ, દિલ્હી ૧૯૭૮. Walther Schubring : Acara I.... AKM 12.4 Leipzig 1910. Kraus Reprint, Nendeln 1966 (p. સમીક્ષા : E. Leumann ... Z 1-7-1929 . “વોર્ટ મહાવીરઝ') શીલાંક (પૃ....) શૂબીંગ (પૃ... પંક્તિ.) Page #85 -------------------------------------------------------------------------- ________________ - ૭. મુઘલકાળમાં ગૃહવિક્રયનું ફારસી ભાષામાં ખતપત્ર ગોવિંદભાઈ મોદી અમદાવાદ શહેરની અંદર કાળુપુર વિસ્તારમાં કોટની અંદર એક પોળ આવેલી છે. તેનું નામ છે ભંડેરીપોળ. સલ્તનતના સમયમાં તે સ્થળે એક વિશાળ નગર હતું. તેનું નામ હતું ભંડેરીપુરા. ફારસી ઇતિહાસકારોએ તેની નોંધ હવેલી ભંડેરીપુરા અથવા ચકલા ભંડેરીપુરા તરીકે લીધી છે. આ વિસ્તારમાંથી વિવિધ સ્થળોએથી લગભગ ત્રણસો વર્ષની આસપાસમાં લખાયેલા ફારસી ખતપત્રો ઉપરથી આ નગરની વિશાળતા, સમૃદ્ધિ અને સમાજવ્યવસ્થાનો અંદાજ આવે છે. પ્રમાણભૂત સાધનો જેવા કે સુતરાઉ કાપડ ઉપર તત્કાલીન શહેરકાઝીની મહોરવાળા ખતપત્રોમાં મકાન, જમીન અને અન્ય મિલકતોના ખરીદવેચાણના ઉલ્લેખો જાણવા મળે છે. તે સમયે ભારત ઉપર મુઘલ શહેનશાહી દિલ્હીની રાજગાદી ઉપરથી શાસન સંભાળતા. ગુજરાત ઉપર રાજ્યવહીવટ સંભાળવા માટે દીલ્હીથી સુબાઓ મોકલવામાં આવતા. શહેનશાહ અકબરના, સમયમાં રાજાટોડરમલની ગુજરાત ખાતે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ જમીન માપણી, જમીનમહેસૂલ અને મોજણી અને જમાબંધી કાર્યમાં કુશળ, નિષગાત હતા. તેમના સમયમાં ફારસી ભાષાને રાજ્યભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, અને સમગ્ર રાજ્યવહીવટ કારસી ભાષામાં થવા માંડ્યો હતો. પ્રજામાંથી બુદ્ધિશાળી, પ્રબુદ્ધ અને આગળ પડતી જ્ઞાતિઓમાંથી ફારસીભાષાનો જાણકાર એક વર્ગ ઊભો થયો અને આ રીતે ખતપત્રો ફારસી ભાષામાં લખાવાની શરૂઆત થઈ. અમદાવાદમાં શહેરકાઝીની કચેરીમાં ફારસી ભાષામાં લખાયેલા ખતપત્રો લખવાનું અને નોંધણી કરવાનું કામકાજ શરૂ થયું હતું. ભંડેરીપુરાનું એક ખતપત્ર તે સમયના શહેરકાઝી સિરાજુદ્દીન હક્ક હીજરી સન ૧૧૯૩ એટલે ઈ. સ. ૧૭૭૮ના વર્ષે તેમની હાજરીમાં લખવામાં આવ્યું હતું. તે ખતપત્રનું ગુજરાતીમાં ભાષાન્તર નીચે પ્રમાણે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૧ મુઘલકાળમાં ગૃહવિક્રયનું ફારસી ભાષામાં ખતપત્ર મહીર અથવા સિકકો મહંમદ સિરાજુદ્દીન હકક હીજરી સન - ૧૧૯૭ પક્ષકારોનું કબૂલાતનામું : દુનિયાનાં સુંદર શહેરોમાં નવોઢા સમાન સુરક્ષિત શહેર અહમદાબાદના કોટ વિસ્તારમાં ભંડેરીપુરા હવેલી – ચકલામાં પાડાપોળમાં આ મકાન આવેલું છે. કાઝીની કચેરીમાં ખાતરી અમીચંદ અભેચંદ હાજર થઈને કબૂલ કરે છે કે તેને વારસામાં મળેલું અસલ હકક હિસ્સાવાળુ આ મકાન તેની માલિકીનું છે. મકાનનું વર્ણન: મકાનના આગળના ભાગમાં એક મોટો વિશાળ ઓટલો આવેલો છે. તેની એક બાજુએ ડેલી આવી છે. ડેલી ઉપર મેડો છે. એક પરશાળ અને મોટો ખુલ્લો ચોક છે. ચોકની ત્રણે બાજુ ઓરડા આવેલા છે. અને છીંડીમાં એક કૂવો આવેલો છે. આ મકાનની બીજી બાજુએ મીઠીબહેનનું મકાન છે. આ બન્ને મકાન વચ્ચે સહિયારું એક પાણી ભરવાનું ટાંકુ આવેલું છે. તેમાં વરસાદનું પાણી ભરવામાં આવે છે અને બન્ને ભાઈબહેન બારેમાસ તે ટાંકાનું પાણી વાપરે છે. આ મકાન પાકી ઈટો વડે ચણેલું છે. તેના ઉપર એક મેડી આવેલી છે. છાપરાને લાકડાની પાટડીઓ, પીઢીઆ, વળીઓ, વાંસના ખપાટીઆ અને નળિયાં વડે છાયેલું છે. મેડી ઉપર ઉત્તર બાજુએ બારીઓ આવેલી છે. અને ચોક, ચાલ, પાણીનો નિકાલ આગળ આંગણામાં થઈને અને પાછળ બંધ ગલીમાંથી થાય છે. વરસાદના પાણીના નવ બે ઢાળિયું-છાપરુ હોવાથી બન્ને બાજુ વહે છે. આ મકાન સુથારી ગજ ૩૮૭ માપની જમીન ઉપર બાંધવામાં આવ્યું છે. હવે ખાતરી અભેચંદની દીકરી અને ખાતરી અમીચંદની બહેન મીઠીબહેન તેના ભાઈ અમીચંદની તરફેણમાં પોતાના વારસાહકક, હિસ્સો જતો કર્યો છે અને તેનું લખાણ કરવામાં આવ્યું છે. હવેથી આ મકાન ખાતરી અમીચંદ અભેચંદના સંપૂર્ણ કબજ, ભોગવટા સાથે અને અસલ હકક હિસ્સા સાથે માલિકી હકકવાળું બને છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન વેચાણ લેનાર : ખાતરી બેચર મૂળચંદ છે. આ મકાનની કિંમત મહંમદશાહી રૂપીઆ ર0 બસો એટલે કે ગુજરાતી ટંકશાળના ચલણ મુજબ રૂપીઆ ૧૦૦/ એકસો થાય છે. આ રૂપીઆ અમીચંદ ખાતરીને મળ્યા છે અને તે કબૂલ કરે છે, કે હવે આ મકાનનો કબજે, ભોગવટો, હકક, હિસ્સો ખાતરી બેચર મૂળચંદને આપી દીધો છે. તેમાં કાંઈ ભૂલચૂક થાય તો તેને માટે ખાતરી અમીચંદ જવાબદાર છે. આ ખરીદ-વેચાણ બન્ને પક્ષકારોને કબૂલ મંજૂર છે. લખાણ સમયે કચેરીમાં પક્ષકારોના સાક્ષીઓ હાજર છે. (૧) ખાતરી મૂળચંદ બીન કિશોર બીન માણેક છે. તે રંગે ઘઉં વર્ણના છે. આંખો ઉપર કાળી ભમરો જડી છે. આંખોનો રંગ કાળો છે. (૨) ખાતરી માણેકચંદ લક્ષ્મીચંદ છે, તેઓ ઘઉં વર્ણના છે, ચહેરા ઉપર શીળીનાં ચાઠાં છે. ભ્રમરો, કાળી, જાડી અને બન્ને બાજુથી જોડાયેલી અને ઊંચી છે. નાકની જમણી બાજુએ કાળું ચાઠું છે, અને ડાબી બાજુએ કાળો તલ છે. આ બન્ને સાક્ષીઓની હાજરીમાં શહેરકાઝીની કચેરીમાં હીજરી સન ૧૧૯૩માં એટલે ઈ. સ. ૧૭૭૮માં આ દસ્તાવેજ કરવામાં આવ્યો. કાઝી મહંમદ સિરાજુદ્દીન હકની હાજરીમાં બન્ને પક્ષકારોને કબૂલ મંજૂર છે. સાક્ષીઓની સહી : (૧) ખાતરી ખેમચંદ (૩) ખાતરી વિરજરામ (૫) જનોઈધારી બ્રાહ્મણ (૨) ખાતરી જગજીવણ (૪) કાયસ્થ વિની (વિજ્યરામ) (૬) ખાતરી ભુખણદાસ મુઘલકાલીન ફારસી ભાષામાં લખાયેલા ખતપત્રોની લાક્ષણિકતાઓ : મુઘલકાલીન ફારસી ભાષામાં લખાયેલા દસ્તાવેજો મોટાભાગે હવેલી ભંડેરીપુરા, હવેલી તીનલીમડી અને હવેલી ઢીંકુવા આદિ સ્થળોના ઉપલબ્ધ બન્યા છે. તે ત્રણે સ્થળોના ખતપત્રોની વિશિષ્ટતાઓ નોંધપાત્ર છે. (૧) કારસી ખતપત્ર લખવા માટે વપરાતું કાપડ સફેદ, જાડું ખાદી જેવું, છતાં વણાટમાં ઘટ્ટ રહેતું. તે સમયના હરિજન વાગકરો એવું ટકાઉ કાપડ વણતા કે જે લાંબા સમયના અંતરે કહોવાઈ કે સડી ના જાય. (૨) કાપડ ઉપર કાંમિશ્રિત દ્રાવણ ચડાવવામાં આવતું તેમાં એવાં દ્રવ્યો મેળવવામાં આવતાં કે ઊધઈ અથવા કીટકો કાપડનો નાશ ન કરે. Page #88 -------------------------------------------------------------------------- ________________ મુઘલકાળમાં ગૃહવિક્રયનું ફારસીભાષામાં ખતપત્ર (૩) ખતપત્ર લખવામાં વાત-કલમ અથવા બરૂનો કિત્તો વાપરવામાં આવતો. (૪) કાળા રંગની શાહી એવી ઘટ્ટ બનાવાતી કે અક્ષરો કાળા, જાડા અને સુવાચ્ય બની રહેતા. આ શાહીમાં દીવેલના દીવાની મેશ અને કોઈકવાર લાખના દ્વાવણનું મિશ્રણ પણ વપરાતું. (૫) ખતપત્ર ઉપર તત્કાલીન શહેરકાઝીના નામની હીજરીસન સાથેની સુંદર અને સુડોળ મહોર મારવામાં આવતી. તેની ભાષા સુવાચ્ય અને સુરેખ રહેતી. (૬) એક કરતા વધારે નકલો તૈયાર કરાતી ત્યારે ફારસીમાં ‘અસલ ઉપરથી નકલ’ તેવો વાક્યપ્રયોગ યોજવામાં આવતો. (૭) શહેરના નામને અલંકારિક ભાષામાં લખાતું જેમ કે ‘દુનિયાના ખૂબસુરત (સુંદર) શહેરોમાં દુલ્હન (નવોઢા) સમાન અને મજબૂત કોટવડે રક્ષાયેલું શહેર અહમદાબાદ.’ ૭: (૮) ખરીદવેચાણના મકાનનું ચોક્કસ સ્થાન દર્શાવવા નજદીકના જાહેર સ્થળ કે ઇમારતનો ઉલ્લેખ કરાતો જેમ કે ભંડેરીપુરા ચકલામાં રાજમાર્ગ ઉપર ‘દરવેશ જોટીંગશા પીરની મજાર સામે' તીનલીમડી વિસ્તારમાં સૈયદ બુખારી (પીરણાના ધાર્મિક સ્થળના સેવક) ના વિશાળ મકાનની બાજુમાં અથવા હવેલી ઢીકુવા વિસ્તારમાં વલંદાની કોઠી સામે. (૯) શહેરમાં તે સમયે પણ પાણીની તંગી વર્તાતી હશે. તેને ધ્યાનમાં લઈને પીવા, રસોઈ કરવાના પાણી માટે મકાનના બાંધકામ અગાઉ ઓસરી કે છીંડીમાં કૂવો બનાવવાનું આયોજન કરાતું. (૧૦) વિશાળ મકાનોના તળીએ વરસાદી પાણી સંગ્રહી રાખવા માટે જમીનમાં પાણીના ટાંકાનું આયોજન કરાતું. ઘણી વખત બે મકાન વચ્ચે સહિયારુ ટાંકુ પ્રયોજવામાં આવતું. ઘણા મોટા ટાંકામાં ઊતરવા માટે ચણેલી નીસરણી અને ગરમીમાં બેસવા માટે બેઠકો બનાવવામાં આવતી. આવા ટાંકાઓને વિવિધ પ્રકારની કમાનોના ટેકા વડે મજબૂત બનાવવામાં આવતા. કોઈક ટાંકુ બે કે વધારે ઓરડાવાળું બનાવાતું. આ પાણી બારેમાસ ચોખ્ખું અને તાજું રહેતું, અને સામાન્ય વપરાશમાં કે ધંધા કામમાં લેવાતું. ટાંકાના પાણીના સહિયારા ઉપયોગ માટે પણ સ્પષ્ટ લખાણ કરાતું. (૧૧) મકાનના બાંધકામનું ક્ષેત્રફળ સુથારી ગજ (બે ફૂટનો ગજ) ના માપમાં લખાતું. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ હસ્તપનવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન (૧૨) મકાનના બાંધકામમાં વપરાતી વસ્તુઓનું વર્ણન લખાતું જેમ કે પાકી ઈટો વડે ચણાએલું, પાટડીઓ, પીઢીઆ, સાગની વળીઓ, વાંસના ખપાટીઆ અને નળિયા વડે છાંયેલું. વરસાદના પાણીના નિકાલની ખાસ ચોખવટ કરવામાં આવતી. (૧૩) વડીલોપાર્જિત મિલકતમાં દીકરીનો પણ ભાગ રાખવામાં આવતો કદાચ મુસ્લિમ શાસન અને ધારાધોરણ (શરીઅત)ની સાંપ્રત સમાજ ઉપર અસર હશે. (૧૪) જ્યારે જ્ઞાતિનો ઉલ્લેખ કરવામાં આવતો ત્યારે તેઓના ચોક્કસ વ્યાપારની પણ નોંધ લેવાતી. જેમ કે કુંભાર કોદર ઈટો બનાવનાર કે નળીયાં બનાવનાર, સુથાર ઘોટીલા ઘડનાર અથવા ફાળકા કે વજન તોલવાની દાંડી બનાવનાર. ખત્રી ઉસ્સાર એટલે તૈયાર થયેલા કાપડને ઉસ વડે ધોઈને (આ ઉસ પ્રાંતીજ બાજુથી ક્ષારની પોપડીઓ સ્વરૂપે લવાતો) સ્વચ્છ બનાવનાર. (૧૫) અમદાવાદમાં દાઉદી વ્હોરા અલ્પ સંખ્યક છે તેમને માટે “નાની કોમના મુસ્લિમ અને પ્રમાણમાં બહુસંખ્યક એવી સુન્ની જમાત માટે મોટી કોમના મુસ્લિમ' એવો કોઈક ખતપત્રમાં ઉલ્લેખ થયો છે. (૧૬) પક્ષકારો કે સાક્ષીમાં કોઈ બહેન વતી અન્ય વ્યક્તિ સહી કરે ત્યારે નામ આગળનું ક (સાથિયાનું) ચિહ્ન દોરવામાં આવતું. (૧૭) મકાન વેચનાર - લેનારના અટક અથવા જ્ઞાતિના ઉલ્લેખ સાથે ચાર પેઢીનાં નામો લખાતાં જેમ કે કહાર (ભોઈ) -માધવ બીન કુબેર બીન મનસુખ બીન જગજીવણ વગેરે. (૧૮) નાણાંકીય આપ-લેમાં અકબરશાહી કે મહેમૂદશાહી ટંકા બે પ્રમાણે ગુજરાતી ટંકશાળનો ચલણમાં વપરાતો રૂપિયે એક ગણાતો. તેથી બન્ને પ્રકારના ચલણનો ઉલ્લેખ કરીને ચોખવટ કરાતી. (૧૯) પક્ષકારો અને સાક્ષીઓ ફારસી ભાષામાં સહી ન કરી શકે તેવે વખતે દેવનાગરી અથવા કાનામાત્રા વિનાની અપભ્રંશ બોડીઆ ભાષામાં સહી કરતા. તેમાં સ્થાનિક અસરને કારણે લખાણમાં અશુદ્ધિ રહેતી. દા.ત. ખત્રી કોમ માટે ખતરી, ખાતરી, ષટરી, ષટ્ટડી, ખાતડી, કતરી અથવા ખટ્ટડી લખાતું. (૨૦) કચેરીમાં શાસક અધિકારી સમક્ષ સહી કરીને સાથે શિરસ્તા મુજબ અથવા અધિકારી સામે માન રાખીને કુબેરના ઘણા બા હજુર” વાક્ય લખાતું. (૨૧) એકસો પચાસ વર્ષ જૂના દસ્તાવેજમાં મકાનના ચોકકસ સ્થળ માટે Page #90 -------------------------------------------------------------------------- ________________ મુકાળમાં ગૃહવિયનું ફારસી ભાષામાં ખતપત્ર ૭૫ વાળંદની શેરી પોપટીઆ વડ સામે' તેવો ઉલ્લેખ છે. એનો અર્થ એવો થઈ શકે કે તે વડ ઉપર રાત્રે પોપટ વિશ્રામ લેતા હશે. હજી પણ તે વડ હયાત છે. તે વિસ્તાર પોપટીવાડ' તરીકે ઓળખાય છે. આ હકીકત પરથી સિદ્ધ થાય છે કે વટવૃક્ષનું આયુષ્ય ઘણું લાંબુ કહેવાય. (૨૨) એક મકાનના વેચાણ વખતે તેના ચોકમાં પીપળાનું વૃક્ષ છે તેવો પણ ઉલ્લેખ જાણવામાં આવ્યો છે. તે સમયના સમાજના રૂઢિ-રિવાજે, ધંધા, વ્યવસ્થા, આર્થિક પરિસ્થિતિ અને એવાં અનેક પાસાંઓનો તલસ્પર્શી અભ્યાસ કરવા માટે આ ખતપત્રો પૂરતો અવકાશ આપે છે. અભ્યાસીને માટે સારી માહિતી મળી શકે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮. જૈન હસ્તપ્રતસંશોધન અને સંરક્ષણ ડૉ. વિજયકુમાર લા. પંડિત વેદોને પરમાત્માની વાણી માનવામાં આવે છે. વેદો અને શાસ્ત્રો ગુરુમુખમાં જ રહેલાં છે. તેમનો અભ્યાસ કેવળ ગુરુ પાસેથી જ થઈ શકે. હસ્તપ્રતો કે ગ્રંથોમાંથી નહિ. હિન્દુઓ આજે પણ “મુહસ્થા વિદ્યા' અર્થાત્ જે પંડિતની સ્મૃતિમાં જડાયેલી હોય તે વિદ્યાનો જ આદર કરે છે. લેખનકલા પ્રચલિત બની તે પૂર્વે મૌખિક અધ્યાપનની પદ્ધતિ પૂર્ણ રીતે વિકસિત થઈ ચૂકી હતી. ભારતમાં લેખનકલા કયારથી અસ્તિત્વમાં આવી એ કહેવું મુશ્કેલ છે, છતાં ભારતમાં પ્રાચીન કાળથી લેખનકલા અસ્તિત્વમાં હતી એ અંગેનાં પ્રમાણો મળે છે. વિદ્યાના અધિષ્ઠાતા બ્રહ્મા અને સરસ્વતીના હાથમાં હસ્તલિખિત ગ્રંથ ધારણ કરેલો હોય એવાં ચિત્રો અને શિલ્પો જોવા મળે છે. વૈદિક અનુશ્રુતિ મુજબ બ્રાહ્મી લિપિનું સર્જન પણ જગતના ચણા બ્રહ્માજીએ જ કર્યું છે. જૈન પરંપરામાં બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ પ્રથમ તીર્થકર ઋષભદેવે કરી મનાય છે. જોકે આ અનુશ્રુતિઓની પ્રાચીનતા નક્કી કરવી મુશ્કેલ છે. જૈન આગમો પૈકીનાં ’ સમવાયાંગ સૂત્ર અને પણણવણાસૂત્ર જેનો સમય જૈન પરંપરા મુજબ અનુક્રમે ઈ.સ. પૂર્વે 300 અને ઈ. સ. પૂર્વે ૧૬૮ મનાય છે, તેમાં કુલ ૧૮ લિપિઓની યાદી આપી છે. ભારતની ગરમ આબોહવામાં ઈ. સ. પૂર્વ જેટલાં પ્રાચીન કાળનાં હસ્તલિખિત લખાણો અત્યારે તો નષ્ટ થઈ ગયાં છે. શિલાલેખોમાં સૌથી જૂના લેખો મૌર્ય રાજા અશોક (ઈ. સ. પૂર્વે ૩૦) ના મળી આવ્યા છે. સિકંદરે (ઈ. સ. પૂર્વે ૩૨૭-૩૨૫) ભારત ઉપર ચઢાઈ કરી હતી. તેને લગતી નોધમાં તે સમયના સેનાપતિ નિઆર્કોસે લખ્યું છે કે અહીંના ભારતના લોકો રૂ અને ચીંથરામાંથી કાગળ બનાવતા હતા. એ જ રીતે કર્ટિસે અમુક વૃક્ષની (ભૂર્જ વૃક્ષની) ત્વચાનો લેખનસામગ્રી તરીકે ઉપયોગ થતો હોવાનું જણાવ્યું છે. બૌદ્ધસાહિત્યમાં સુરંત (સૂત્રાત)માં ઉલ્લેખિત અખરિકા (અક્ષરિકા) નામે રમતમાં વિનયપિટકમાં ઉલિખિત લેખ (લેખનકલા)માં; ક Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈન હસ્તપ્રત સંશોધન અને સંરક્ષણ - વાલ છે. સૂત્રપિટકમાંની જાતકકથાઓમાં ઉલ્લિખિત પણ (પર્ણપત્ર), અખર (અક્ષર), પોત્થક (પુસ્તક); ફલક; વણણક (વર્ણક); કલમ ઇત્યાદિ લેખનસામગ્રીનાં નામો દ્વારા પ્રાચીન ભારતમાં લેખનકલા પ્રચલિત હતી એમ ભૂચિત થાય છે. વેદાંગ સાહિત્ય, રામાયણમાં, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અને વાત્સ્યાયનના કામસૂત્રમાં પણ લિપિ, લિપિકાર, યવનાની, ગ્રંથ, સ્વરિત ચિહ્ન, પત્ર, પુસ્તક આદિના ઉલ્લેખો મળે છે. હડપ્પા, મોહેં-જો-દડો વગેરે સ્થળોએ મળેલી મુદ્રાઓ, મુદ્રાંકનો, મૂર્તિઓ ઉપરનાં લખાણો તે નગરોના સૌથી નીચેના અર્થાત્ સૌથી પ્રાચીન સ્તરમાંથી નીકળ્યા છે. આ સ્તરોમાં દટાયેલી સભ્યતાનો સમય લગભગ ઈ.સ. પૂર્વે ૨૪૦ થી ઈ. સ. પૂર્વે ૧૬૦ સુધીનો હોવાનું મનાય છે. ટૂંકમાં ભારતમાં લેખનકલા ઈ. સ. પૂર્વે ૨૪૦૦થી પ્રચલિત હતી જ એ સ્પષ્ટ થાય છે. લેખનકળાનાં સંસાધનોને આપણે ત્રણ વિભાગમાં વહેચીશું.(૧) તાડપત્ર, કાગળ આદિ (૨) કલમ આદિ, (૩) શાહી આદિ. આ દરેક વિષે વિગતવાર જોઈશું. ૧. તાડપત્ર, કાગળ આદિ : આમાં નીચેનાં સાધનોનો લેખનકાર્ય માટે ઉપયોગ થતો હતો. (ક) તાડપત્ર : તાડનાં ઝાડ બે પ્રકારનાં થાય છે. ખરતાડ અને શ્રીતાડ. ગુજરાતની ભૂમિમાં ખરતાડનાં વૃક્ષો થાય છે. આ વૃક્ષનાં પત્રો સ્થળ, લંબાઈ, પહોળાઈમાં ટૂંકા તેમ જ બરડ હોવાથી તેનો લેખનકાર્યમાં ઉપયોગ થતો નથી. શ્રીતાડનાં વૃક્ષો મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં થાય છે. તેનાં પાંદડાં (પત્રો) ક્ષણ, લાંબાં, પહોળાં સુકુમાર અને ટકાઉ હોવાથી તેનો લેખનકાર્યમાં ઉપયોગ થાય (ખ) કપડું : કપડાનો ઉપયોગ લેખનકાર્ય માટે થતો. ઘઉના આટાની ખેપ બનાવી તેને કપડા ઉપર લગાડવામાં આવે છે. તે સૂકાઈ ગયા પછી તે કપડાને અકીકના અગર તેવા કોઈ પણ પ્રકારના ઘંટા વડે ઘૂંટવાથી તે કપડું લખવાને લાયક બને છે. પાટણ સંઘના વખતજીની શેરીમાં આવેલા ભંડારમાં “સં. ૨૩૬૨ મઢવી સુરિ વ ૩રા જીવ . મહિન્દ્રા સિવિતા પુ.” એવા અંતિમ ઉલ્લેખવાળું કપડાં ઉપર લખેલું એક પુસ્તક છે. કપડાનો ઉપયોગ પુસ્તક Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન લખવા કરતાં મંત્ર-વિદ્યા આદિના પટો લખવા, ચીતરવા માટે વધારે કરાતો અને હજુ પણ કરાય છે. (ગ) ભોજપત્ર : આનો ઉપયોગ મુખ્યતયા મંત્રો લખવા માટે કરાતો અને હજુ પણ કરાય છે. હિમાલયની પર્વતમાળા અને તળેટીમાં ભૂર્જ (ભોજ) નામનાં વૃક્ષો થાય છે. તેના થડિયા ઉપર ઊભો ચીરો મૂકીને કાપડના તાકાની જેમ તેને ગોળ ગોળ ઉકેલી કાઢવામાં આવે છે. એને એકસરખા માપથી કાપીને, સૂકવીને તેનો લખવાના લકરૂપે ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. આવાં ભૂfપત્રો સાઠથી સો વર્ષ સુધી ટકી શકે છે. (ઘ) પથ્થર : પથ્થરનો ફલક તરીકે ઉપયોગ થતો. ઈ. સ. પૂ. 300માં સમ્રાટ અશોકે ગિરનારના ખડકો ઉપર આદેશો કોતરાવ્યા હતા. ઈ. સ. પૂર્વે ૧૫૦ની સાલમાં મહાક્ષત્રપ રુદ્રમાએ પણ ગિરનાર પર એક શિલાલેખ કોતરાવ્યો હતો. (ચ) ધાતુઓ :વિવિધ ધાતુઓનો પણ ફલક તરીકે ઉપયોગ થતો હતો. સુવર્ણ, રજત અને મહઅંશે તામ્ર (તાંબુ) ઉપર થયેલાં લખાણો મળે છે. આવા તામ્રપટ . કે તામ્રશાસનનો ઉપયોગ ભૂમિદાનો અંગેના દસ્તાવેજો લખવામાં થતો હતો. (છ) કાષ્ઠ : લાકડાંના પાટિયાનો પણ ફલક તરીકે ઉપયોગ થતો. બ્રહ્મદેશમાં રંગીન લાકડાંથી હસ્તલિખિત પ્રતો ઘણી મળે છે. બૌદ્ધધર્મના વિનયપિટક અને જાતકકથામાં આ ફલકનો ઉપયોગ થયાના ઉલ્લેખો મળે છે. (જ) કાગળ : પુરાતનકાળમાં ભંગળિયા, સાહેબખાની આદિ અનેક પ્રકારના કાગળો બનતા, અને તેમાંથી સારા અને ટકાઉ કાગળનો ઉપયોગ પુસ્તક લખવા માટે થતો. ગુજરાતમાં પુસ્તકો લખવા માટે અમદાવાદી તેમ જ કાશ્મીરી કાગળનો જ ઉપયોગ થાય છે. પુસ્તકો લખવા માટેના કાગળો ત્યાંથી ઘૂંટાઈને જ આવે છે. છતાં તેને શરદીની હવા લાગવાથી તેનો ઘંટો ઊતરી જાય છે, તેના ઉપર લખાતા અક્ષરો ફૂટી જાય છે અથવા શાહી ટકી શકતી નથી, આથી તે કાગળને ધોળી ફટકડીના પાણીમાં બોળી સૂકવવા પડે છે અને કાંઈક લીલા-સૂકા જેવા થાય એટલે અકીકના, કસોટીના અગર તેવા કોઈ પણ Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન હસ્તપ્રતસંશોધન અને સંરક્ષણ પ્રકારના ઘૂંટાથી ઘૂંટી લેવાથી તે દોષો દૂર થઈ જાય છે. વિલાયતી તથા આપણા દેશમાં બનતા કેટલાક કાગળો કે જેનો માવો તેજાબ અથવા સ્પિરીટ દ્વારા સાફ કરાય છે, તે કાગળોનું સત્વ પહેલેથી જ નષ્ટ થઈ જતું હોવાથી તે ચિરસ્થાયી નથી હોતા. પુસ્તક લખવા માટે તેનો ઉપયોગ કરાતો નથી. કાગળનો પ્રચાર થતાં તાડપત્રનો જમાનો આથમી ગયો. ભારતીય પ્રજા કાગળ બનાવવાની કળા ઈ. સ. પૂર્વે ૩ સૈકા પહેલાં પ્રાપ્ત કરી ચૂકી હતી, છતાં લેખન માટે ભારતવર્ષમાં એનો સાર્વત્રિક પ્રચાર થઈ શક્યો નહોતો. જૈનોએ પુસ્તકલેખન માટે કાગળનો ક્યારથી ઉપયોગ કર્યો તે કહેવું સહેલું નથી. છતાં શ્રીમાનજીનમંડનગણિકૃત ‘કુમારપાલપ્રબંધ' (સં. ૧૪૯૨) અને શ્રીરત્નમંદિરગણિકૃત ‘ઉપદેશતરંગિણી’ (૧૬મો સૈકો)ના ઉલ્લેખો મુજબ આચાર્ય શ્રી હેમચંદ્ર અને મહામાત્ય શ્રી વસ્તુપાલે પુસ્તકો લખવા માટે કાગળનો ઉપયોગ કર્યો હતો, આથી ગુજરાતની જૈન પ્રજા વિક્રમની ૧૨મી સદી પહેલાં ગ્રંથલેખન માટે કાગળોને વાપરતી થઈ હતી એમ કહી શકાય. જોકે જૈન જ્ઞાનભંડારમાં બારમી તેરમી સદીમાં અગર તે પહેલાં કાગળ ઉપર લખાયેલું એક પણ પુસ્તક ઉપલબ્ધ થયું નથી. ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં લખાયેલું કોઈ કોઈ પુસ્તક મળી આવે છે. ૭૮ ૨. કલમ આદિ : ફલકને અનુરૂપ લખવાનાં અનેક સાધનો વિકસ્યાં છે. આમાં નીચેનાં સાધનોનો સમાવેશ થાય છે. (ક) કલમ : કલમ માટે અનેક પ્રકારનાં બરુ વપરાતા હતાં. જેમ કે તજિયાં બરુ, કાળાં બરુ, વાંસનાં બરુ આદિ. આમાં તજિયાં બરુ તજની માફક બહુ પોલાં હોવાથી ‘જિયાં’ એ નામથી ઓળખાય છે. એ સ્વભાવે બરડ હોવા છતાં તેમાં એક ગુણ એ છે કે તેનાથી ગમે તેટલું લખવામાં આવે તોપણ તેની અણીમાં કૂચો પડતો નથી. આ અપેક્ષાએ કાળાં બરુ બીજે નંબરે ગણાય. વાંસનાં બરુ પણ ઠીક ગણી શકાય. અણીદાર સાધન, સીસાપેન, લાકડાની કલમ વગેરેનો પણ ‘લેખની’ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. બ્રહ્મદેશ, મદ્રાસ આદિ જે જે પ્રદેશમાં તાડપત્રને ખોતરીને લખવાનો રિવાજ છે ત્યાં કલમને બદલે લોઢાનાં અણીદાર સોયાના સળિયાનો ઉપયોગ કરાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ८० હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન (ખ) પીંછી : આનો ઉપયોગ પુસ્તક શોધવા માટે કરાય છે, જેમ કે ષ નોપ, બ નો વ, મ નો ન કરવો હોય, કોઈ અક્ષર કે પંક્તિ કાઢી નાંખવી હોય અથવા એક અક્ષરને બદલે બીજો અક્ષર કરવો હોય, ત્યારે હરિતાલ કે સફેદાને પીંછીથી તે નકામા ભાગ ઉપર લગાડતાં જોઈતો અક્ષર બની જાય છે, આજે ઝીણી, જાડી, નાની, મોટી જેવી જોઈએ તેવી અનેક પ્રકારની પીંછીઓ મળી શકે છે. છતાં આપણા પુસ્તક-શોધનમાં ખિસકોલીના પૂંછડાના વાળ અને કબૂતરના પીંછાના આગલા ભાગમાં પરોવીને બનાવેલી પીંછી વધારે સહાયક બને છે. કારણ કે આ વાળ કુદરતે જ એ રીતે ગોઠવેલા હોય છે કે, તેને આપણે ગોઠવવાની જરૂર રહેતી નથી. વળી તે એકાએક સડી કે તૂટી પણ જતા નથી. (ગ) જૂજબળ : કલમથી લીટીઓ દોરતાં થોડીવારમાં જ કલમ બૂઠી થઈ જાય છે. માટે લીટીઓ દોરવા માટે આનો ઉપયોગ કરાતો હતો. આજે પણ મારવાડમાં કેટલેક ઠેકાણે તેનો ઉપયોગ લીટીઓ દોરવામાં કરાય છે. આ સાધન લોઢાનું હોય છે, અને તેનો આકાર આગળથી ચીપિયા જેવો હોય છે. ૩. શાહી આદિ : આમાં નીચેનાનો સમાવેશ થાય છે. (૪) શાહી : પ્રાચીન સમયથી ભારતમાં લખવા માટે શાહીનો ઉપયોગ થતો આવ્યો છે. શાહીનું નીચે મુજબ વિભાગીકરણ કરી શકાય. (ક) તાડપત્રની કાળી શાહી : આજકાલ તાડપત્ર ઉપર લખવાનો રિવાજ રહ્યો નથી. જુદા જુદા પ્રકારની આ કાળી શાહી બનાવવામાં આવતી. પ્રથમ પ્રકાર : सहवर भृङ्ग- त्रिफलाः, कासीसं लोहमेव नीली च । समकज्जलबोलयुता, भवति मषी ताडपत्राणाम् ।। ધમાસો, ભાંગુરઓ, ત્રિફળા, કસીસ (જેનાથી કામ વગેરે રંગાય છે) લોહચૂર્ણ, ગળીને મેશ સાથે ભેળવવાથી તાડપત્રની શાહી તૈયાર થાય છે. આમાં Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈન હસ્તપ્રત સંશોધન અને સંરક્ષણ દરેકનું પ્રમાણ કેટલું એ સ્પષ્ટ થતું નથી. છતાં બધી વસ્તુઓને મેળવ્યા પછી તાંબાની કઢાઈમાં નાખી તેને ખૂબ ઘૂંટવાથી દરેક વસ્તુ એકરસ થઈ જાય છે. બીજો પ્રકાર : લીંબડાના ગુંદરથી બમણો બીજાબોળ લેવો. તેનાથી બમણું તલના તેલનું પાડેલું કાજળ લેવું. આ સર્વને તાંબાના પાત્રમાં નાખી તેને સખત અગ્નિ ઉપર ચડાવી ધીરે ધીરે લાક્ષારસ નાંખતા જવું અને તાંબાની ખોલી ચઢાવેલ ઘૂંટા વડે ઘૂંટતા જવું. પછી ગોમૂત્રમાં ભીંજાવી રાખેલ ભીલામાના ગર્ભને ઘંટાની નીચે લગાડી શાહીને ઘૂંટવી. તેમાં ભાંગરાનો રસ પણ મળે તો નાંખવો. એટલે તાડપત્રની મીશાહી તૈયાર થશે. એ ધ્યાનમાં રાખવું કે આમાં લાક્ષારસ પડતો હોવાથી કાજળને ગોમૂત્રમાં ભીંજાવવું નહીં. નહીં તો લાક્ષારસ ફાટતાં શાહી નકામી થઈ જશે. બ્રહ્મદેશ, મદ્રાસ આદિ દેશમાં શાહીના સ્થાને નાળિયેરની કાછલી કે બદામના છોતરાને બાળી તેની મેશને તેલમાં મેળવીને વાપરવામાં આવે છે. તેઓ કોતરીને લખેલા તાડપત્ર ઉપર તે મેશને ચોપડી તેને કપડાથી સાફ કરી નાંખે છે. ત્યારે કોતરેલો ભાગ કાળો થઈ આખું પાનું જેવું હોય તેવું થઈ જાય છે. ત્રીજો પ્રકાર : કાજળ જેટલો બોળ-હીરાબોળ અને ભૂમિલતા તથા પારાનો કાંઈક અંશ - આ બધાને ગરમ પાણીમાં મેળવી સાત દિવસ અથવા તેથી પણ વધારે દિવસો સુધી ઘૂંટવી. પછી વડીઓ કરી સૂકવવી. સૂકાયા પછી ભૂકો કરવો. જરૂર પડે ત્યારે ભૂકાને ગરમ પાણીથી ખૂબ ઘૂંટવાથી તે શાહી બને છે, તે શાહીથી લખેલ પાનાંઓ રાત્રિમાં પણ દિવસની જેમ વાંચી શકાય છે. ' કોરા કાજળને કોરા માટીના શરાવમાં નાંખી જ્યાં સુધી તેની ચીકાશ દૂર થાય ત્યાં સુધી આંગળીઓ વડે ઘૂંટવું. આથી કાજળની ચીકાશ શરાવ ચૂસી લેશે. કાજળ અને લીંબડા કે ખેરના ગુંદરને બિયાજલ-બિયારસના પાણીમાં મિશ્ર કરી, ભીંજાવી, ખૂબ ઘૂંટવા. તેમાં નાંખેલ પાણી લગભગ સૂકાઈ જાય ત્યાં સુધી ઘૂંટવા. પછી તેની વિડીઓ કરી સૂકવવી. તેનો ભૂકો કરી ગરમ પાણીથી ખૂબ ઘૂંટવાથી તે લખવા લાયક શાહી બને છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૨ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન (7) કાગળ પર લખવાની શાહી : કાગળની શાહીના છ પ્રકારો છે, તેમાં જિનતા, કાજળ, બોળ, ગુંદર અને ભાંગરાના રસથી બનેલી શાહી સર્વોત્તમ છે. (૪) ટિપ્પણાની શાહી ; बोलस्य द्विगुणो गुन्दो, गुन्दस्य द्विगुणा मषी । मर्दयेत् यामयुग्मं तु, मषी वज्रसमा भवेत् ॥ બોળ કરતાં બે ગણો ગુંદર, ગુંદર કરતાં બે ગણી મેષ- તેના મિશ્રણને ઘૂંટવાથી શાહી વજ્ર જેવી બને છે, આ શાહીનો ટિપ્પણા લખવામાં ઉપયોગ થતો હશે. આ શાહીના પ્રયોગમાં જ્યાં જ્યાં ગુંદરનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ત્યાં તે ખેરના ગુંદરનું જાણવું, બાવળ કે લીંબડાના ગુંદરમાં ચીકાશ વધારે હોવાથી તે પોણા ભાગે નાંખવો. વળી લાખ, કાથો કે હીરાકસી જેમાં પડી હોય તેવી કોઈ પણ શાહીનો ઉપયોગ પુસ્તક લખવા માટે કરવો નહીં. (૪) સોનેરી-રૂપેરી શાહી : પ્રથમ કોઈ પણ જાતના કચરા વિનાના ધવના ગુંદરનું પાણી કરવું. પછી તેને કાચની અથવા બીજી કોઈ સારી રકાબીમાં ચોપડતા જવું અને સોનાની કે ચાંદીની જે શાહી બનાવવી હોય તેનો વરક લઈ તેના ઉપર વળે નહીં તેવી રીતે લગાડવો, અને આંગળીથી ઘૂંટવો. આમ કરવાથી તરત જ તે સોનાના કે ચાંદીના વરકનો ભૂકો થઈ જશે. પછી પુન: પણ ગુંદર લગાડી વરક લગાડતા જવું અને ઘૂંટતા જવું. આ રીતે તૈયાર થયેલા ભૂકામાં સાકરનું પાણી નાખી તેને હલાવી દેવો. જ્યારે ભૂકો ઠરી નીચે બેસી જાય ત્યારે તેમાંનું પાણી ધીરે ધીરે બહાર કાઢી નાખવું. આમ ત્રણ-ચાર વાર કરવાથી સોના ચાંદીનો ભૂકો રહે એ જ પાણી તૈયાર શાહી સમજવી. સાકરનું પાણી નાંખવાથી ગુંદરની ચીકાશનો નાશ થાય છે, અને સોનાચાંદીના તેજનો હ્રાસ થતો નથી. ખરલ પોતે ઘસાય તેવો હોય તો ઘૂંટતી વખતે તેમાંની કાંકરી શાહીમાં ભળતાં શાહી દૂષિત બને છે, તેથી ખરલ સારો હોવો જોઈએ. સોનેરી કે રૂપેરી શાહીથી લખવાનાં પાનાંઓ કાળા, ભૂરા, લાલ, જાંબલી આદિ રંગથી રંગી ઘૂંટવાં. પછી સોનેરી શાહીથી લખવું હોય તો હરિતાલ' અને રૂપેરી શાહીથી લખવું હોય તો સફેદાથી અક્ષરો લખી તેના ઉપર સોના- ચાંદીની શાહીને પીંછી વડે પૂરવી. હરિતાલ-સફેદાના અક્ષરો લીલા હોય ત્યારે જ તેના ઉપર સોનેરી-રૂપેરી શાહી ફેરવવી. સૂકાયા બાદ તે પાનાંને અકીક Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન સામતસંશોધન અને સંરક્ષણ કે કસોટીના ઘંટા વડે ઘૂંટવાથી તે અક્ષરો ઓપ ચઢાવેલ સોના-રૂપાના ઘરેણાંની માફક તેજવાળા દેખાશે. (ખ) હિંગળોક : કાચા હિંગળકને ખરલમાં નાંખી તેમાં સાકરનું પાણી નાંખી ખૂબ ઘૂંટવો. પછી તેને ઠરવા દઈ પીળાશ પડતું પાણી બહાર કાઢી નાંખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશનો ભાગ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. વીસ-પચ્ચીસ વખત આ પ્રમાણે હિંગળોકને ધોવાથી લાલ સુરખ જેવી હિંગળોક થશે. તે શુદ્ધ હિંગળોકમાં સાકરનું પાણી અને ગુંદરનું પાણી નાંખતા જવું અને લૂંટતા જવું. આ રીતે તૈયાર થયેલા હિંગળોકનો ઉપયોગ લાલ શાહીરૂપે લખવામાં કરાય છે. (ગ) હરિતાલ : તે બે પ્રકારની છે : દગડી અને વરગી. આપણા પુસ્તક-સંશોધનમાં વરગી હરિતાલ ઉપયોગી છે. આ હરિતાલને ખરલમાં નાખી તેને ખૂબ ઝીણી વાટવી. તેને જાડા કપડામાં અથવા જેમાંથી ઘણી જ મહેનતે છણી શકાય તેવાં કપડામાં ચાળવી. પછી ખરલમાં નાખી ખૂબ લસોટવી. પછી તેમાં ગુંદરનું પાણી નાંખતા જવું અને ઘૂંટતા જવું, ગુંદરનો ભાગ વધારે પડતો ન થાય તેની ખાતરી કરવી. (૧) સફેદો : રંગવાને માટે જે સૂકો સફેદો આવે છે, તેમાં ગુંદરનું પાણી નાખી ખૂબ લૂંટવાથી તે તૈયાર થાય છે. તેનો પુસ્તક-સંશોધન માટે ઉપયોગ કરાય છે. (ચ) અટગંધ : આનો ઉપયોગ મંત્રાલરો લખવા માટે કરવામાં આવે છે. આમાં - ૧. અગર, ૨. તગર, ૩. ગોરોચન, ૪. કસ્તૂરી, ૫. રક્તચંદન, ૬. ચંદન, ૭. સિંદૂર અને ૮. કેસર - આ આઠ દ્રવ્યોનું મિશ્રણ થવાથી તેનું નામ અષ્ટગંધ પડ્યું છે. (છ) થકમ : આનો ઉપયોગ પણ મંત્રો લખવા માટે કરાય છે. ૧. ચંદન, ૨. કેસર, Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ હસ્તપ્રતવિઘા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન ૩. અગર, ૪. બરાસ, ૫, કસ્તૂરી, ૬. મરચકંકોલ, ૭. ગોરોચન, ૮. હિંગળોક, ૯. રોંજણી, ૧૦. સોનાના વરક, અને ૧૧. અંબર - આ અગિયાર દ્રવ્યના મિશ્રણથી વણકર્દમ બને છે. ઉપર બતાવ્યા પ્રમાણે વિધિથી તૈયાર થયેલી શાહી, હિંગળોક, હરિતાલ, સફેદા વગેરેને એક થાળીમાં તેલ ચોપડી તેમાં તેની વડીઓ પાડી દેવી. સૂકાયા પછી જ્યારે જરૂર પડે ત્યારે તેમાં માત્ર પાણી નાંખવાથી જ તે લખવાના કામમાં આવી શકશે. જૈન સાહિત્યનું સંરક્ષણ જ્ઞાનોપાસના માટે ગ્રંથરાશિના સંગ્રહની સાથે સાથે તેનું સંરક્ષણ પણ એટલું જ આવશ્યક છે. જૈનો તેની સુરક્ષા માટે લાભપાંચમ' (કારતક સુદ પાંચમ) ને “જ્ઞાનપંચમી' તરીકે ઊજવે છે, આ દિવસે બધી હસ્તલિખિત પ્રતોને સંગ્રહમાંથી બહાર કાઢી, તેના વસ્ત્ર ઉપર જામેલી ધૂળને ખંખેરી, સફાઈ કરીને નવા વસ્ત્રમાં વીંટાળીને તેની પૂજા કરીને તેને પાછી મૂકવામાં આવે છે. ઊધઈ વગેરેના ઉપદ્રવથી તેને બચાવીને, જરૂર પડે નવી પ્રતિલિપિ તૈયાર કરાવીને તેનું રક્ષણ કરવામાં આવે છે. હસ્તલિખિત પુસ્તકોને ચોમાસાની ભેજવાળી હવા અસર કરી નુકસાન પહોંચાડે છે. પુસ્તકસંગ્રહમાં પેસી ગયેલી હવાને દૂર કરવા તેને તાપ લેવડાવવો જોઈએ. આ માટે સૌથી સરસ, અનુકૂળ અને વહેલામાં વહેલો સમય કાર્તિક માસ જ છે. આ કામ માટે કુશળ શ્વેતાંબર જૈનાચાર્યોએ કાર્તિક શુક્લ પંચમીના દિવસને નિયત કર્યો. આ દિવસ “જ્ઞાનપંચમી' તરીકે ઓળખાય છે. આ દિવસે પુસ્તક ભંડારો તપાસી તેની આસપાસ વળેલ ધૂળકચરો સાફ કરવો જોઈએ, જેથી ઊધઈ આદિ લાગવાનો પ્રસંગ ન આવે. પુસ્તકોને તડકો દેખાડવો, અને તેમાં જીવડાં ન પડે તે માટે મુકેલ ઘોડાવજના ભૂકાની નિર્માલ્ય પોટલીઓ બદલીને નવી પોટલીઓ મૂકવી જોઈએ. આ રીતે પુસ્તકોની સાચવણી કરી સાચા અર્થમાં જ્ઞાનપંચમીની ઉજવણી કરવી જોઈએ. જ્ઞાનનો પ્રચાર, તેના સાહિત્યનું સર્જન અને તેના સંરક્ષણના ક્ષેત્રે જૈન સમાજનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. પૂર્વપુરુષોની અમૂલ્ય વાણી સાચવવામાં જૈન સમાજે વાપરેલી દીર્ધદર્શિતાની પૂર્વ અને પશ્ચિમના સાક્ષરોએ મુક્તકંઠે પ્રસંશા કરી છે. સાહિત્ય-લેખન અને સંગ્રહ માટે તેઓએ સમર્થ આચાર્યાદિ મુનિવર્ગના ઉપદેશથી કે પોતાના આંતરિક ઉલ્લાસથી પોતાના અથવા પોતાના પરલોકવાસી Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન હસ્તપ્રત સંશોધન અને સંરક્ષણ ૮૫ સ્વજનના કલ્યાણ અર્થે નવીન પુસ્તકાદશ લખાવીને, પુરાતન જ્ઞાનભંડારો મેળવીને કે મોટા મોટા જ્ઞાનભંડારોની સ્થાપના કરીને જ્ઞાનનો પ્રચાર કર્યો છે. પૂજ્યપાદ શ્રીમાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે ગ્રંથલેખનનો આરંભ કરાવ્યા પછી અનેક સમર્થ તેમ જ સાધારણ વ્યક્તિઓએ જ્ઞાનભંડારોની સ્થાપના કરી છે. મહારાજા સિદ્ધરાજ જયસિંહે ત્રણસો લહિયા એકઠા કરી સર્વ દર્શનના ગ્રંથો લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કરી હતી. આચાર્ય હેમચંદ્રના સવાલાખ શ્લોકપ્રમાણ વ્યાકરણ ગ્રંથની સેંકડો પ્રતિઓ લખાવી તેના અભ્યાસીઓને દેશપરદેશ ભેટ મોકલાવી હતી. મહારાજા કુમારપાલે પણ એકવીસ જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. બીજા અનેક સજ્જનોએ જ્ઞાનભંડારોની સ્થાપના કરી હતી. જ્ઞાનભંડારોની રક્ષા માટે ગુમ ભોંયરાઓની રચના થતી. જેસલમેરનો કિલ્લો જોતાં ત્યાંના ભંડારને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવતા હતા તે સમજાશે. આચાર્ય સિદ્ધસેન માટે કહેવાય છે કે તેમણે ગુપ્ત સ્તંભને ઔષધિ વડે ઉઘાડી તેમાંથી મંત્રાસ્નાયનાં કેટલાક ઉપયોગી પુસ્તકો બહાર કાઢયાં અને સ્તંભ અચાનક જમીનમાં ઉતરી ગયો. પ્રાચીન સાહિત્યને તેના રક્ષણ માટે પુસ્તક મૂકવાની પેટી, મંજૂસ કે કબાટ, આદિને જમીનથી અધ્ધર રાખવાનો રિવાજ છે. આમ કરવાથી ધૂળ, ઊધઈ કે ઉદર ઉપદ્રવ કરી શકે નહીં. હસ્તલિખિત પુસ્તકની શાહીમાં ગુંદર પડતો હોવાથી શરદી લાગતાં તે ચોંટી ન જાય તે માટે ગ્રંથભંડારનું સ્થાન ભેજરહિત તથા ચોમાસાનું પાણી ન ઊતરે તેવું પસંદ કરવામાં આવતું. તથા દરેક ગ્રંથને મજબૂત બાંધીને રાખવામાં આવતો. મજબૂત બંધાયેલ પુસ્તકમાં શરદી પ્રવેશતી નથી. જેનો ચોમાસામાં ભંડારને ઉઘાડતા નથી, તેનું કારણ પુસ્તકને હવા ન લાગે તે છે. કેટલાંક પુસ્તકોની શાહીમાં ગુંદર વધારે પ્રમાણમાં પડી જવાથી સહજ માત્ર શરદી લાગતાં તેનાં પાનાં ચોટી જવાનો ભય રહે છે, તેવાં પુસ્તકોનાં દરેક પાનાં ઉપર ગુલાલ છાંટી દેવો, ભભરાવવો એટલે તેના ચોંટવાનો ભય ઓછો થઈ જશે. વધારે પ્રમાણમાં શરદી લાગવાથી ચોટી ગયેલા પુસ્તકને ઉખેડવા માટે પણિયારામાંની સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ ભીનાશ વિનાની પણ પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવું. હવા લાગ્યા પછી ચોંટી ગયેલ પાનાંને ધીરે ધીરે ઉખાડવાં. જે વધારે Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૬ હજાપવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન ચોંટી ગયેલ હોય તો તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખાડવાં. ઉખાડવા માટે ઉતાવળ કરવી નહીં. આ સિવાય પણ એક ઉપાય છે, જ્યારે ચોમાસામાં પુષ્કળ વરસાદ વરસતો હોય ત્યારે ચોટી ગયેલ પુસ્તકને મકાનમાં ખુલ્લું મૂકી દેવું. હવા લાગ્યા પછી તેને ઉપરની જેમ ઉખાડવું. ફરીથી ચોંટી ન જાય માટે તેના દરેક પાનાં ઉપર ગુલાલ છાંટી દેવો. આ ઉપાય કાગળના પુસ્તક માટે છે. જો તાડપત્રીય પુસ્તક ચોંટી ગયું હોય તો એક કપડાને નીતરે તેમ પાણીમાં ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું અને જેમ જેમ પાનાં હવામાં જાય તેમ તેમ ઉખાડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હોવાથી તેની આસપાસ નીતરતું કપડું લપેટતાં તેના અક્ષરો ભૂંસાવાની કે ખરાબ થવાનો ભય રાખવો નહીં. પરંતુ ઇરાદાપૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું નહીં. પાનાં ઉખાડતી વખતે પાનાની ગ્લણ ત્વચા એકબીજા પાના સાથે ચોંટીને તૂટી ન જાય તેની કાળજી રાખવી. ' - પુસ્તકોને સાંધવાની પદ્ધતિ પણ હતી. લીંબડીના જ્ઞાનભંડારમાં આવાં સાંધેલાં પુસ્તકો જોવા મળે છે. પુસ્તકોનું રક્ષણ શાથી કરવું એ માટે કેટલાંક લિખિત પુસ્તકોના અંતમાં જુદી . જુદી જાતનાં સંસ્કૃત પદ્યો લખેલાં હોય છે. જેવા કે - .. जले रक्षेत् स्थले रक्षेत् रक्षेत् शिथिलबन्धनात् । मूर्ख हस्ते न दातव्या एवं वदति पुस्तिका ।। अग्ने रक्षेत्जलाद् रक्षेत् मूषकेभ्यो विशेषतः । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ।। उदकानिलचौरेभ्यो मूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ।। भग्नपृष्ठकटिग्रीवं वक्रदृष्टिरधोमुखम् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ।। ટૂંકમાં પુસ્તકોનું જળ, સ્થળ, શિથિલબંધન, મૂર્ખ, અગ્નિ, ઉદર, પવન અને ચોરથી રક્ષણ કરવું જોઈએ. કટપૂર્વક લખેલા શાસ્ત્રનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ. Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન હસ્તપ્રતસંશોધન અને સંરક્ષણ જૈન હસ્તપ્રતસંશોધન અને સંરક્ષણની પદ્ધતિથી ભારતીય સંસ્કૃતિને ઘણું ઘણું શીખવાનું મળ્યું છે. જૈન ભંડારોમાં બૌદ્ધ, જ્યોતિષ, વ્યાકરણ વગેરેને લગતા પણ અનેક ગ્રંથો સંગ્રહાયેલા પડ્યા છે. જૈનોએ ભારતીય સંસ્કૃતિને અમૂલ્ય વારસો ભેટમાં આપ્યો છે. પાદટિપ ૧. ‘જૈન ચિત્રકલ્પદ્રુમ’માં પ્રકાશિત થયેલા મુનિ શ્રી પુણ્યવિજયજીના ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા’ નામના લેખમાં આ વિશે (પૃ.૪ ઉપર) લખ્યું છે કે - ભગવાન ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મીને સૌ પહેલાં લિપિ લખવાનું જ્ઞાન આપ્યું હતું. તેથી એને ‘બ્રાહ્મી લિપિ’ કહેવામાં આવે છે.તેદું નિવીવિહાળ, નિોળાંમર્દ્રાદ્દિન-રે ।। आवश्यकनिर्युक्ति - गाथा- २३ ૨. જુઓ - ભારતીય પ્રાચીન લિપિમાળા, પૃ. ૩ ૮૭ ૩. આ તાડપત્રો સાફ કર્યા પછી પણ ૨/૪ (પોણા ત્રણ) ફૂટથી વધારે લાંબા અને ૩૧/૨ (સાડા ત્રણ) ઈંચ જેટલાં પહોળાં રહે છે. આ પ્રકારનાં તાડપત્ર પર લખાયેલ કેટલાંક પુસ્તકો પાટણના સંઘવીના પાડાના ભંડારમાં વિદ્યમાન છે. ૪. સોનેરી-રૂપેરી શાહીથી લખવા માટે હરિતાલ-સફેદો સહેજ વધારે પ્રમાણમાં ગુંદર નાખી તૈયાર કરવો. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯. પુરાણી હસ્તપ્રતોનું ઐતિહાસિક મહત્ત્વ પ્રિયબાળાબહેન શાહ હસ્તલિખિત ગ્રંથોના અંતમાં રહેલી પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓનું મૂલ્ય અનેક રીતે ઘણું છે. તેમાં મોટા મોટા રાજાઓ, અમાત્ય આદિની તેમ જ કેટલાંક મોટાં મોટાં ગામ, નગર, દેશ આદિ વિશેની માહિતી અમુક પ્રબંધ ગ્રંથ આદિમાંથી મળી રહે છે. પરંતુ આપણા ઇતિહાસના ઘડતરમાં અતિ ઉપયોગી વિશાળ સામગ્રી તો આપણી આ પ્રશસ્તિઓ અને પુપિકાઓમાં જ ભરેલી પડી છે. નાનાં મોટાં ગામ-નગર-દેશો તથા ત્યાનાં રાજાઓ, અમાત્યો, તેમની ટંકશાળો, લશ્કરી સામગ્રી, શાહુકારો, કુળ, જ્ઞાતિ, કુટુંબ સાથે સંબંધ રાખતી ઘણી હકીકતો આપણને આ પ્રશસ્તિ આદિમાંથી પ્રાપ્ત થાય એમ છે. જેમ પ્રશસ્તિ લેખો લખવાનું એક પુણ્યકાર્ય છે તેમ પુસ્તક લખાવવાનું પણ એક પુણ્યકાર્ય છે. તે પણ મંદિરની જેમ ચિરકાલ સ્થાયી છે તેથી તે કીર્તન સ્વરૂપ મનાય છે. જે ભાવુક ગૃહસ્થ પુસ્તકો લખાવવામાં પોતાનું દ્રવ્ય વ્યય કરે છે, તે . પોતાના સુકૃત્ય અને યશને અક્ષરબદ્ધ કરીને ચિરકાલ સ્થાથી રાખી શકે છે. આ પ્રશસ્તિ લેખોથી બે કાર્ય સિદ્ધ થાય છે. એક તો જે ગૃહસ્થ આ પુસ્તકો લખાવે છે તેઓ પુસ્તક સંરક્ષિત રહે ત્યાં સુધી પોતાનું નામ વિદ્યમાન રખાવી શકે તેથી તેને આત્મસંતોષ થાય છે. બીજું, આ રીતે કોઈ ગૃહસ્થનું નામ પુસ્તકને કારણ ચિરસ્મૃત દેખીને બીજા ગૃહસ્થોનો પણ પુસ્તક લખાવવાના કાર્યમાં ઉત્સાહ વધે છે. તેનું અનુકરણ કરીને આવી પુસ્તક લખાવવાની પ્રવૃત્તિમાં પોતાના દ્રવ્યનો વ્યય કરે છે. પોતાની પુણ્યપ્રાપ્તિ, યશ ઉપરાંત પુસ્તક લખાવનાર વ્યકિત પોતાના પૂજ્ય, આમજન, બંધુ, આત્મીયજન અને કુટુંબીજનોના પુણ્યાર્થ માટે પુસ્તકો લખાવે છે. પુસ્તકની પ્રશસ્તિમાં જણાવેલું છે કે આ પુસ્તક અમુક વ્યક્તિએ, પોતાના સ્વર્ગગત પિતા કે બંધુની કે પુત્રની પુણ્યસ્મૃતિ માટે લખાવ્યું છે, તો કોઈમાં જણાવેલું છે કે પોતાની માતા કે ભગિની કે પત્નીની પુણ્યસ્મૃતિ નિમિત્તે લખાવ્યું છે. આ રીતે જ્ઞાનનો ફેલાવો ચાલુ રહે છે. આપણા દેશ, ૮૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ પુરાણી હસ્તપ્રતોનું ઐતિહાસિક મહત્વ સમાજ અને ધર્મના પ્રાચીન ઇતિહાસની સામગ્રીની દષ્ટિએ આ પ્રશસ્તિઓ મહત્વની અને પ્રમાણભૂત છે. જેમ મંદિરો, શિલાલેખો અને રાજાઓના દાનપત્ર મહત્ત્વના અને પ્રામાણિક મનાય છે. પ્રશસ્તિ લેખો શિલાલેખોમાં જોવા મળે છે. ઉપરાંત તાડપત્ર કે કાગળમાં પણ નોધેલા મળે છે. કોઈ ધર્મશીલ વ્યક્તિ પોતાના દ્રવ્યનો સદુપયોગ કરવાની દષ્ટિથી દેવમંદિર આદિ કોઈ ધર્મસ્થાન કે કીર્તન કરાવે છે તો તેનો ઉપદેશ અથવા પ્રશંસક વિર્જન તેના કાર્યની સ્તુતિરૂપે નાના મોટા પ્રશસ્તિલેખ શિલામાં ખોદાવે છે અને કોઈ એક જગામાં ચોડાવે છે. તે જ પ્રમાણે જ્ઞાનપ્રિય વ્યક્તિ પોતાના દ્રવ્યનો વિનિમય પુસ્તકાદિ લેખનમાં કરે છે અને તેમાં તેના કાર્યની પ્રસંશા માટે ઉપદેશક વિદ્વાન નાના મોટા પ્રશસ્તિલેખ રચીને પુસ્તકના અંતમાં લખે છે. આ પ્રશસ્તિ લેખો અને શિલાલેખોમાં તથ્યની દષ્ટિએ કોઈ અંતર નથી. પરિણામે બંને પ્રકારના લેખ ઈતિહાસના અંગભૂત રૂપ સમાન કોટીના સાધન છે. પ્રશસ્તિઓ નાની મોટી બંને રીતે લખાયેલી હોય છે. એક ગ્રંથમાં લખાયેલી નાની (બે ત્રણ બ્લોકની) પ્રશસ્તિમાં જણાવેલું છે કે કોઈ આશાધર અને અમૃતદેવીના પુત્ર કુલચંદ્ર નામે હતા. તે સર્વજનપ્રિય હોઈને સારા જગતમાં વિખ્યાત થયા. તેને અંબિકા નામે પુત્રી હતી. તે ઘણી વિનયસંપન્ન થઈ. ગુરુના ઉપદેશને કારણે તેણે આ પુસ્તક લખાવ્યું. આ પ્રકારની પ્રશસ્તિના પ્રારંભમાં પુસ્તક લખાવનારનું સંક્ષિપ્તમાં નામ આપેલું છે. ત્યાર પછી પુસ્તિકાની ચિરસ્થિતિ માટેની કામનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન રહેશે ત્યાં સુધી પૃથ્વીમાં આ પુસ્તિકા વિદ્યમાન રહેશે'' આ સંક્ષિપ્ત પ્રશસ્તિમાં જે ઉલ્લેખ આપેલો છે તેમાં સર્વજન પ્રિય અને સારા જગતમાં વિખ્યાત કુલચંદ્ર કયા વંશના હતા, કયા ગામના અને કયા સમયમાં થઈ ગયા તેની નોધ નથી. ઉપરાંત આ પુસ્તકનું નામ પણ નિર્દિષ્ટ કર્યું નથી. હવે બીજી એક પ્રશસ્તિ જોઈએ. આ પ્રશસ્તિમાં નોધેલું છે કે પત્રિવાલ વિશમાં પુના નામને ગૃહસ્થ થઈ ગયો તેનો પુત્ર બોહિત્ય અને બોહિત્યનો પુત્ર ગણદેવ ખૂબ ધાર્મિક હતો. તે ગણદેવ તેણે ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર નામના ગ્રંથનો ત્રીજો ખંડ પુસ્તકમાં લખાવીને સ્તંભતીર્થ (ખંભાત)ની પોષધશાળાના (જ્ઞાનભંડાર)માં સહર્ષ સમર્પણ કર્યો. વળી સકલ પ્રાણીઓનું હિત કરવાવાળી (જૈનધર્મ) વિદ્યમાન છે ત્યાં સુધી ડાહ્યા પુરુષો દ્વારા શિખવાડાતું આ પુસ્તક Page #105 -------------------------------------------------------------------------- ________________ રાતવિધા અને બાગમાહિજ: સંશોધક અને સંપાદન : પણ વિદ્યમાન રહેશે. આ પુસ્તકનું નામ, લખાવનારનું નામ, તેના પિતા, પ્રપિતા, વંશ વગેરે મળે છે. ઉપરાંત ખંભાતની પોષધશાળામાં પુસ્તક ભેટ કર્યું છે, માટે પુસ્તક લખાવનાર ખંભાતના રહેવાસી હોય એમ અનુમાન કરી શકાય છે. પરંતુ આ ગ્રંથમાં લખ્યા બાબત સંવતનો કોઈ ઉલ્લેખ નથી તેથી તેનો સ્પષ્ટ સમય મળી શકે નહીં. આ પ્રશસ્તિઓ બે ત્રણ બ્લોકની છે જેને કારણે ખૂબ સંક્ષિપ્ત વર્ણન મળે છે. પરંતુ દસવીસ શ્લોકોવાળી મોટી પ્રશસ્તિમાં વિશેષ વિગત પ્રાપ્ત થાય છે. જ્યારે આથી મોટી પ્રશસ્તિ હોય છે ત્યારે તેમાં બહુ વિસ્તૃત વર્ણન ઉપરાંત ઐતિહાસિક વિગતો પણ પ્રાપ્ત થાય છે. આવી એક પ્રશસ્તિ આચાર્ય હેમચંદ્રના મહાન ગુરુ દેવચન્દ્રસૂરિએ શાંતિનાથ ચરિત્રના અંતભાગમાં લખેલી ઉપલબ્ધ થઈ છે. આ પુસ્તક પાટણના સંઘવીપાડાના પ્રસિદ્ધ પ્રાચીન તાડપત્રીના ભંડારમાં સુરક્ષિત છે. તેમાં સંવત ૧૨૨૭માં પાટણમાં રહેવાવાળા પ્રાગ્વાટવંશના શ્રેષ્ઠી રાહડેએ લખાવ્યું છે તેની નોધ છે. જ્યારે આ પુસ્તક લખ્યું તે વખતે ત્યાં સુશ્રાવક' એવા રાજા કુમારપાલ રાજ્ય કરતા હતા અને ત્યાંના પરમાનન્દાચાર્ય નામના જૈનસૂરિને આ પુસ્તક સમર્પિત કર્યું હતું. આ પ્રશસ્તિમાં પુસ્તક લખાવવામાં રાહડના પૂર્વજો વગેરેનો પરિચય આપેલો છે કે પૃથ્વીતલમાં જેટલાં મૂળ અને શાખાઓ ફેલાઈ છે અને ધર્મના હેતુને માટે અનેક પર્વોની પરંપરાથી સમૃદ્ધ બનીને અનેક ગુણીથી પૂર્ણ એવા પ્રાગ્વાટ નામનો વિશાળ વંશ પૃથ્વીમાં જાણીતો છે. આ વંશમાં જન્મ લેવાવાળા અને તીર્થભૂત જેવા સત્યપુર (મારવાડનું હાલનું સાચોર)થી આવેલા સિદ્ધનાગ નામના એક વિશિષ્ટ એવા શ્રેષ્ઠી થયા. તેમને અંબિની નામની પત્ની હતી. તેને પોઢક, વોરડ, વર્ધન અને દ્રોણક નામના ચાર પુત્ર હતા. તેઓને મહાન પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેઓએ સોનાના જેવી ક્રાંતિવાળી પિત્તળની એક સુંદર અને ઉત્તમ એવી શાંતિનાથ તીર્થંકરની પ્રતિમા તૈયાર કરાવી. જે આજે પણ અર્થાત્ પ્રશસ્તિ લખાયેલા સમયે દધિપદ્રના શાંતિનાથના મંદિરમાં પૂજાય છે. આ પ્રશસ્તિના વર્ણનમાંથી માહિતી પ્રાપ્ત થાય છે કે આ ગ્રંથમાં રાહડના વંશ અને કુટુંબનો વિસ્તૃત પરિચય આપેલો છે તથા તેણે કરેલા અનેક ધર્મકૃત્યોનો નિર્દેશ કરેલો છે. તેમાં સમય અર્થાત્ સંવત, માસ તથા તેના સ્થાનનો પણ ઉલ્લેખ છે. વળી તેની સાથોસાથ જે રાજાના રાજ્યકાળ દરમ્યાન આ પુસ્તકનું આલેખન થયું તેનો પણ મહત્ત્વનો ઉલ્લેખ ઐતિહાસિક દષ્ટિએ પ્રાપ્ત થાય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ મથુરાણી હસ્તપ્રતોનું ઐતિહાસિક મહત્વ ૯૧ આ ઉપરાંત ગીતગોવિંદના અનુકરણરૂપ અષ્ટાધ્યાયીમાં લખાયેલી કૃષ્ણગીતિ જે ગુજરાતના કવિ સોમનાથ રચી છે તેવી જ રીતે કવિ શ્રી હર્ષની રચેલી શૃંગારહારાવલી અને શબ્દકોશ જેવો અજ્ઞાતકર્ણક લેખનો વસ્તરત્નકોશ પણ હસ્તપ્રતોમાં નોધનીય છે. આ ઉપરાંત કુંભકર્ણ કે જે કુંભારાણા અને માત્ર કુંભા કે કુંભ તરીકે જાણીતો એવો રાજા કુંભાનો ગ્રંથ સંગીતરાજ સંગીતમીમાંસા છે તેમાં પાઠ્યરત્નકોશ, ગીતરત્નકોશ, વાઘરત્નકોશ, નૃત્યરત્નકોશ અને રસરત્નકોશ એમ પાંચ વિભાગ આપેલા છે. તેની પુપિકામાં રાજાધિરાજ મહારાણાથી મોકલેન્દ્રનન્દનેન રાજાધિરાજ શ્રીકુંભકર્ણ મહીમહેન્દ્રણ વિરચિતે સંગીતરાજે ષોડશસાહસ્યાં સંગીતમીમાંસાયાં...... વગેરે વિષયોનું તેમાં નિરૂપણ કરેલું છે. આ રીતે સંગીતને અંતર્ગત નૃત્ય અને વાઘ વિષયક ખૂબ ઊંડાણથી ચર્ચા કરી છે. આ વિદ્વાન ચિતોડના રાજા શ્રી કુંભકર્ણની મૃત્યરત્નકોશની પ્રશસ્તિમાં અને રસિકપ્રિયામાં તેને “શ્રી સરસ્વતીરસસમુદ્રસમુદ્ભૂતકેરવોઘાનનાયક' તેમ - વાર્ગવેલો છે. અર્થાત્ ઉદ્યાનમાં કમળના સરસ્વતીના જળમાંથી ઉત્પન્ન થતા નાયક કહેલો છે. તેને એકલિંગ મહાત્મમાં પણ તેનું જ્ઞાન - વેદ, સ્મૃતિ, મીમાંસા, ભરતનું નાટ્યશાસ્ત્ર ઉપરાંત સંગીત, નૃત્ય, અર્થશાસ્ત્ર, વ્યાકરણ, ઉપનિષદો, દર્શન અને સાહિત્યનો જાણકાર કહેલો છે. તેને સર્વશ તેમ જ પ્રજ્ઞાસફુરત્કસરી બુદ્ધિથી ઝળકતો સિંહ કહેલો છે. ગીતગોવિંદની રસિકપ્રિય ટીકા કુંભાએ લખેલી કહેવાય છે. કુંભારાણાને નામે ઘણા ગ્રંથો લખાયા છે તે ઉપરાંત તે લલિતકલાઓ જેવી કે સંગીત, નૃત્ય, અભિનય, કાવ્ય, નાટક ઉપરાંત સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર વગેરેનો જાણકાર હોઈને તેમાં પ્રોત્સાહન આપતો હતો. તેનો રચાવેલો જયસ્તંભ અને રાણકપુરના જૈન મંદિરનો પણ આશ્રયદાતા હતો. વળી રાણકપુરનું મંદિર પાક નામના સ્થપતિએ બાંધ્યું હતું અને તે “વૈલોક્ય દીપક થી જાણીતું હતું. આ મંદિર કુંભકર્ણના સમયમાં તૈયાર થયું હતું. ચિતોડના સ્તંભનો બંધાવનાર કુંભકર્ણ હતો અને તેમાં તેનો શિલાલેખ જડેલો છે. આ ઉપરાંત પણ તેણે જૈન અને શૈવ મંદિરો બાંધવાની પ્રેરણા આપી હતી અને પોતે લલિતકલામાં નિપુણ હતો તે સાર્થક કરે છે. પુરાતન ઇતિહાસની દૃષ્ટિથી તાડપત્રીય પુસ્તકો અને અન્ય હસ્તપ્રતોનું મહત્વ છે તે આપણે સંક્ષેપમાં જોયું. તે સિવાય સાંસ્કૃતિક ઉપાદાનની દષ્ટિથી પણ તેનું અધિક આકર્ષણ છે અને તે ચિત્રકલાની દષ્ટિ. તાડપત્રીય પુસ્તકોમાં ધાર્મિક, ધર્મોપદેશક અવસ્થામાં આચાર્યો આલેખાયેલાં છે. આલેખનમાં આચાર્ય Page #107 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન σε સભાપીઠ પર બેઠા હોય અને ધર્મોપદેશ કરતા હોય અને સન્મુખ ભાવભક્તિપૂર્વક ઉપદેશ શ્રવણ કરતો ભક્ત સમુદાય હોય છે. તેવી જ રીતે અન્ય પ્રસંગોચિત દૃશ્યો આલેખાયેલાં હોય છે.-ગુફાઓમાં ભિત્તિચિત્રોની જેમ પરંતુ પ્રમાણમાં નાના લઘુચિત્રો વિવિધ રંગોથી શોભતા પ્રાચીન હસ્તપ્રતોમાં આપણા દેશમાં જળવાયેલા છે તેટલાં બીજા કોઈ દેશમાં મળતા નથી. આ રીતે ચિત્રકલાના ઇતિહાસ અને અધ્યયનની દૃષ્ટિથી તાડપત્રીય તેમ જ પ્રાચીન કાગળની હસ્તપ્રતોમાં સચવાયેલાં ચિત્રો ખૂબ મૂલ્યવાન અને આકર્ષક છે. આ રીતે આપણી સાહિત્યિક સંપત્તિ ખૂબ મૂલ્યવાન બને છે. હસ્તપ્રતોને અંતે લહિયા પણ પોતાનું લખેલું પુસ્તક ચિરકાળ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરતાં જણાવે છે કે - ''तैलाद्रक्ष जलाद्रक्ष रक्षशिथिल बंधनात् । ૯૨ परहस्तगतां रक्ष एवं वदति पुस्तिका " ॥ તેનું કારણ એટલું જ કે "भग्नपृष्ठि कटिग्रीवा एकदृष्टिरधोमुखम् । ', कष्टेन लिखितं शारयं यत्नेन परिपालयेत् " ॥ લહિયા સર્વનું માંગલ્ય ઇચ્છે છે કે मंगलं भवतु सर्वसज्जने मंगलं भवतु धर्मकर्मणि । मंगलं भवतु पाठकेजने मंगलं भवतु लेखके सदा || પુસ્તકમાં કદાચ અશુદ્ધિ હોય તોપણ દોષ લહિયાને ન દેવા માટે પણ જણાવેલું છે કારણ - यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयते ॥ ઉપરના શ્લોકો લહિયાની મહેનત એળે ન જાય માટે પુસ્તકનું રક્ષણ શેમાંથી કરવું તેની સલાહ ખાસ ઉપયોગી છે. मूर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका । अग्ने रक्षेज्जलाद् रक्षेत्, मूषकाश्च विशेषतः । उदकानिल चौरेभ्यो मूषकेभ्यो हुताशनात् । Page #108 -------------------------------------------------------------------------- ________________ પુરાણી હસ્તપ્રતોનું ઐતિહાસિક મહત્વ સંદર્ભગ્રંથ : ૧. વિષગુધર્મોત્તર ભા. ૩ ૨. નૃત્યરત્નકોશ ભા. ૧ અને ૨ ૩. નૃત્ત સંગ્રહ ૪. નૃત્યાધ્યાય - અશોકમલ્લ ૫. શૃંગારહારાવલી - શ્રી હર્ષ ૬. કૃષગગીતિ - કવિ શ્રી સોમનાથ ૭. વસ્તરત્નકોશ ૮. પ્રમાણમંજરી ૯. મુદ્રાવિચાર વિધિપ્રકરણમ્ 10. Descriptive Catalogue of Sanskrit Manuscripts deposited in the Library of Gujarat Vidyasabha, Ahmedabad. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ વિભૂતિ ભટ્ટ શ્રી ફાર્બસ સાહેબની પ્રેરણા, સક્રિય ઉત્સાહ અને મદદને લીધે મુંબઈમાં ફાર્બસ ગુજરાતી સભા હસ્તપ્રતસંગ્રહ અને ગુજરાત વિદ્યાસભાનો હસ્તપ્રતસંગ્રહ સ્થપાયા અને વિકસિત થયા એ જાણીતું છે. એના પરિણામે ફાર્બસસંગ્રહની હસ્તપ્રતોની નામાવલી અર્થાત્ કેટલોગ પ્રકાશિત થયા, તેવી રીતે વિદ્યાસભા તરફથી કવિ દલપતરામે જ્ઞાનપ્રચાર અને જ્ઞાનસમૃદ્ધિની વૃદ્ધિ માટે હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવાની શરૂઆત કરેલી. ઈ. સ. ૧૮૫૫માં અંગ્રેજ સરકારના અમલદાર કટિંસની પ્રેરણા અને આગ્રહથી કવિ દલપતરામે કાયમી અને ઉજવલ ભાવિની ચોકકસ શક્યતાવાળી સરકારી નોકરી છોડી દઈને ગુ. વર્નાક્યુલર (વિદ્યાસભા) સોસાયટીની ખાનગી નોકરીમાં જોડાઈને જ્ઞાનસમૃદ્ધિ એકઠી કરવાનું, તેનું સંપાદન-સંશોધન અને પ્રકાશન કાર્ય વગેરે પ્રવૃત્તિનું કાર્ય સ્વીકાર્યું. તે વખતે શ્રી. કે. હ. ધ્રુવની પ્રેરણા અને કાર્ય કરવાની અનુકૂળતા મળતાં વીશ્વરની કામગીરીને વધુ વેગ મળ્યો. તેમણે ગુજરાતી- સંસ્કૃત પ્રતો ઉતારનાર લહિયાઓ પાસેથી પ્રતોના ઉતારા અને તેમનું સંપાદન કાર્ય શરૂ કરેલું. વળી કવિ હોપ વાચનમાળા)ની અંગ્રેજી કવિતાઓનું પણ સંપાદન - પ્રકાશનકાર્ય કવિ દલપતરામે કર્યું (૧૮૬૦-૧૮૬૪). ૧૯૧૦ સુધીમાં ૧૬૪ જેટલી હસ્તપ્રતો હતી. તે પછીના ૨૦ વર્ષમાં ૬૦થી વધુ પ્રતોનો ઉમેરો નોધાયો છે તે કવીશ્વર દલપતરામ સંગ્રહના નામે પ્રકાશિત થયો. તેમાં વડોદરા, નડિયાદ, સુરત ઇત્યાદિમાંની હસ્તપ્રતોના સંગ્રહો સૂચવાયા છે ખરા, પરંતુ તે પછી શ્રી કે. કા. શાસ્ત્રીએ સંકલિત યાદીમાં ગુજરાતના મુખ્ય ૯ ગ્રંથભંડારોની પ્રતોનો પરિચય આપીને પ્રતોના સંપાદનકાર્ય ઇત્યાદિ અંગે પણ વિશેષ પ્રકાશ પાડ્યો છે. વડોદરાના મ. સ. સયાજીરાવની ઉદાર સખાવતથી પ્રો. કાંટાવાળાએ પ્રાચીન કાવ્યમાળાના ૩૫ કિમતી ગ્રંથો પ્રગટ કર્યા તેના પરિણામે પ્રાચીન અપ્રાપ્ય અને Page #110 -------------------------------------------------------------------------- ________________ ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ અંધારામાં રહેલું સાહિત્ય લોકોમાં સુલભ થઈ શક્યું. ગુજરાતી કાવ્ય સાહિત્યના એક સામટા આઠ ગ્રંથોમાં સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ પ્રસિદ્ધ કરીને પ્રાચીન દુર્લભ સાહિત્ય સુરક્ષિત અને સુલભ કરી આપ્યું. શ્રી. છ. વિ. રાવલે પેન્શન પર ઊતર્યા પછી વિવિધ સ્થળે ફરીને પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય એકઠું કર્યું અને ‘પ્રાચીન કાવ્ય સુધા'માં પ્રગટ કર્યું, જે અત્યારે તો દુર્લભ બનવા પામ્યું છે ! આ રીતે ભો. જે. વિદ્યાભવનનો હ. લિ. સંગ્રહ સૌથી પ્રાચીન છે એમ ગણવું પડે. ‘બાબી વિલાસ' નામનું જાણીતું હિન્દી પુસ્તક ગુજરાતના ઇતિહાસને લગતી વિગતો મેળવવામાં ઉપયોગી છે. એ પ્રાપ્ત કરવાનું કાર્ય વિદ્યાસભાએ શ્રી ડાહ્યાભાઈ પી. દેરાસરીને સોંપ્યું. પ્રસ્તુત ગ્રંથના કર્તાની વારસ બાઈએ એ પુસ્તક પસ્તીમાં કાઢી નાખેલું, તે શ્રી દેરાસરીને ગુજરીમાંથી ઈ. સ. ૧૯૩૦ના જુલાઈમાં એકાએક હાથ આવ્યું. પ્રખર જૈન પંડિતવર્ય શ્રી રસિકભાઈ છો. પરીખની પ્રેરણા અને સક્રિય દોરવણીથી ગૂજરાત વિદ્યાપીઠનો અને ગુજરાત વિદ્યાસભાનો પુરાતત્ત્વ વિભાગ ફૂલ્યોફાલ્યો છે એ જાણીતું છે. સન ૧૯૬૦માં જૈન દાનવીર શ્રી ભોળાભાઈ જેશીંગભાઈના નામે ઓળખાતા આ મકાનમાં પ્રેમાભાઈ હોલમાંથી ગ્રંથાલય તેમ જ પુરાવશેષ સંગ્રહ ખસેડાઈને ફરીથી ગોઠવાયા. તે સાથે સાથે અનુસ્નાતક, પીએચ.ડી. ઉપરાંત સંશોધન-પ્રકાશનના અભ્યાસની પ્રવૃત્તિઓ માટે અનુકૂળતા મળતી રહી અને તેમાં વધુ વેગ મળતો રહ્યો. અહીં જૈન, સંસ્કૃત-પ્રાકૃત, અર્ધમાગધી, જૂની ગુજરાતી, હિન્દી, મારુગુર્જર, શુદ્ધ ગુજરાતી, મિત્ર તેમ જ કીંગળ વગેરે ભાષાઓમાં લખાયેલી વિવિધ આકાર અને પ્રકારની હસ્તપ્રતો છે. સંસ્કૃત-પ્રાકૃત, અરબી-ફારસી અને ગુજરાતી હસ્તપ્રતોના કેટલોગ પ્રગટ થયેલા છે. તેમાં જૈન હસ્તપ્રતોનો થોડો સમાવેશ થયો છે. તેનું સ્વતંત્ર કેટલોગ કરી શકાય. તેની વિગતવાર વર્ગીકૃત યાદી, ભાષા, પત્ર, વિષય વગેરેની દૃષ્ટિએ એ બધી નાની-મોટી પ્રતો જે અલગ ભેગી કરી રાખી છે તે પરથી તૈયાર કરી શકાય. તેની યાદી વગેરેનું કાર્ય ચાલુ છે. ૯૫ એકંદરે એ બધી જૈન હસ્તપ્રતો તથા તેના છૂટા-છવાયા પત્રોને જોતાં આપણને ખરેખર આશ્ચર્ય સાથે ગૌરવ થયા વિના ન રહે. કેટલી બધી ચીવટમહેનતથી તે સાહિત્ય લખીને તૈયાર થતું હોય છે કે તે બાબત કે વસ્તુ પ્રત્યેના ઉત્કટ પ્રેમ કે જેને લીધે એકાગ્રતા, વૈવિધ્ય, કલાસૂઝ વગેરે ગુણો સ્વત: Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯દ હસ્તપ્રતવિદ્યા અને આગમાહિત્ય: સંશોધન અને સંપાદન અભિવ્યક્ત થાય. આ બધા છૂટાછવાયા પત્રોમાંથી કર્તાનો મુખ્યત્વે આર્થિક ઉપરાંત પોતાનો ધાર્મિક પ્રેમનો આશય રહેલો હોય છે. તેને અનુલક્ષીને કર્તાની ઉદાહરણરૂપે કંઈક સમજાવતી વખતે શૃંગારની પરિસીમા જેમ કૃતિમાં જોવા મળે છે તેમ લખાવટ કે પત્રોની સજાવટમાં પણ લેખક કે લહિયાની ઝીણવટ, ચીવટ, અને કલામાં વિવિધતા જોવા મળે છે. જે પ્રિય વસ્તુ હોય તેને શણગારવાની લહિયા કે કર્તાને ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. તેથી જ આપણી ભગવદ્દગીતા, સપ્તશતી જેવા ગ્રંથોની જેમ કલ્પસૂત્ર, વિચારસરણીમહાવીર કે કોઈ તીર્થંકરનાં ચરિત જેવી કૃતિઓ સુંદર અને સુસજ્જ થયેલી આપણને જોવા મળે છે. તે પ્રતો પ્રાસંગિક ચિત્રો, ફૂલ-વેલ-બુટ્ટા વગેરેવાળા હાંસિયા કે ફેઈમ'થી શણગારાયેલી હોય છે. આ રીતે આ સંગ્રહમાં હસ્તપ્રતોનો ઉત્તરોત્તર વધારો થતો રહ્યો, તેની સાથે સાથે ચિત્રો, શિલ્પો, ચાટ, સિક્કા વગેરેનો પણ. એ બધી સંગૃહીત વસ્તુઓ કેટલીકવાર ચોક્કસ સમયની એક સાથે મળતી હોય છે. જે સંશોધનમાં વધુ અનુકૂળતા કરી આપે છે. (જેમ કે લા. દ. વિદ્યામંદિરમાં આબુની તેજપાલ પ્રશસ્તિ પર્વત પર અભિલેખ શિલાલેખરૂપે છે એ હસ્તપ્રતરૂપે મળે છે. ભો. જે. ના સંગ્રહમાં મહેમૂદશાહ પાતશાહના નામવાળું ખતપત્ર, શિલાલેખ અને સિકકા પણ ઉપલબ્ધ થાય એમ છે.) આ સંગ્રહમાંની હસ્તપ્રતો ઘણુંખરું જૂની પસ્તી કે ગુર્જરીમાંથી નજીવી કિંમતે ખરીદેલી અને ભેટરૂપે આવેલી છે. કયા વર્ષમાં કેટલી કિંમતે કઈ પ્રતો કે વસ્તુઓનો ઉમેરો થયો તેનો અહેવાલ પ્રત્યેક વર્ષે પ્રગટ થતો રહે છે તે એક સાચું અને સારું પાડ્યું છે. તેમ છતાંય અમારા સંગ્રહમાં સંશોધન થયા વિનાની હસ્તપ્રતોનાં પોટલાં કબાટો ભરીને સચવાયેલાં પડ્યાં હતાં. તેમાં જીર્ણ, સારી, નરસી અને ભેળસેળ થઈ ગયેલી પોથીઓનાં છૂટાં પાનાંઓ હતા. તેમનું સંશોધન કરવું કેટલું મુશ્કેલ હોય છે તેનો અનુભવ થતાં જ મને મુનિ શ્રી પુણ્યવિજયજીની જ્ઞાનપિપાસા અને તેમનું વાંચન-તપશ્ચર્યા તથા અગાધ જ્ઞાન - અનુભવનો ખ્યાલ આવે છે. તેમના જૈનચિત્રકલ્પદ્રુમના બે ભાગ જોતાં, તેમનાં બધાં જ નિરીક્ષણ, વાચન, સાચવણી અને જ્ઞાનપ્રચાર અંગેના ઊંડા અધ્યયનનો પરિચય થાય છે. તેમનું આ વિશિષ્ટ-પ્રાચીન વિજ્ઞાન અંગેનું અગાધ શાન હાલમાં દીવાદાંડી સમાન પ્રેરક અને માર્ગદર્શક બનેલું છે. ચિત્રો, સચિત્ર પ્રતો કે વિવિધ પ્રકારની હસ્તપ્રતોના જ્ઞાનભંડારો તથા પુરાવસ્તુ સંગ્રહોના મુખ્ય Page #112 -------------------------------------------------------------------------- ________________ - ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ મૂળ પાયાના જ્ઞાનસંપાદન તેમ જ તેમની સ્થાપના માટે આ બંને પુસ્તકો અમર રહેશે એમાં શંકા નથી. પુરાવસ્તુસંગ્રહો કે જ્ઞાનભંડારમાંની પ્રતો કે ચિત્રોની સાચવણી, તેનું વાચન, સંપાદન અને પ્રકાશન માટે તેમ જ તેનું વાચન કરીને ગ્રંથો એકઠા કરવાની પ્રવૃત્તિ, સાચવણી, વિકાસ અને વ્યવસ્થિત પરિગ્રહણ તથા કેટલોગિંગ માટે પણ માર્ગદર્શક થઈ પડે તેમ છે. હસ્તપ્રત અંગેની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતી વખતે તેમાં ગ્રંથાલયની પ્રવૃત્તિ પગ તેને આનુસંગિક રીતે આપોઆપ આવી જતી હોય છે. એટલું જ નહીં, તેમાં વિભાગીકરણ, વર્ગીકરણની સાથે કેટલોગ પ્રકાશન અને ગ્રંથપ્રકાશન પ્રવૃત્તિ પણ સંકળાઈ જતી હોય છે. ગુજરાતના વિવિધ ગ્રંથભંડારોના અભ્યાસીઓ અને તેમનો પરિચય આપનારા અનેક વિદ્વાનો છે. શ્રી પુણ્યવિજયજી, ડૉ. ભો. જ. સાંડેસરા, શ્રી કનુભાઈ શેઠ, ડૉ. ભારતીબેન શેલત, ડૉ. સાવલિયા વગેરેએ ગુજરાતના વિવિધ ભંડારોના પરિચય આપીને તેમની અગત્યતા દર્શાવી છે. હસ્તપ્રતો ઉપરાંત સચિત્ર હસ્તપ્રતો, ચિત્રો, સિક્કા, શિલ્પ ઈત્યાદિ વિભાગોની અને તેમના નંબરોની તથા પરિગ્રહણ, ડોક્યુમેન્ટેશન કરવાથી બધો વ્યવસ્થિત અભ્યાસ થઈ શકે છે. - હસ્તપ્રતો વ્યકિતગત ભેટરૂપે વ્યવસ્થિત મળેલી હોય છે તેમાં તેની વર્ગીકત યાદી કે કેટલોગ વગેરે કાર્યમાં બહુ મુશ્કેલી આવતી નથી, પરંતુ જીર્ણ કે સારી કોઈપણ રૂપે છૂટાં પાનાઓવાળી પોથીઓમાંથી કાર્ય કરવું અતિ ધીરજ અને પરિશ્રમ માગી લે તેવું હોય છે. જૈનચિત્રકલ્પદ્રુમના પ્રથમ ભાગમાં હસ્તપ્રતોની પ્રાપ્તિ, અધ્યયન, વર્ગીકરણ વગેરે તેમ જ જ્ઞાનભંડારો અંગેના ઊંડા અધ્યયનની રજૂઆત કરવા છતાં શ્રી પુણ્યવિજયજીએ પોતાના કાર્યની પરિસમાતિરૂપે આનંદ વ્યક્ત નથી કર્યો, પરંતુ આ ઉપલબ્ધ શ્વેતાંબરીય હસ્તપ્રતોની દષ્ટિએ થયેલો અભ્યાસ રજૂ કરી શક્યા છે, તે દિગંબરીય જૈન હસ્તપ્રતો અંગેના અભ્યાસની પરિપૂર્તિ પછીથી ઉમેરી આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે (જૈચિ.ક.પૃ. ૧૧૮). એ જ પ્રમાણે અમારા હસ્તલિખિત ગ્રંથોના અવલોકનથી થયેલા સંશોધન અનુભવો કોઈકને કામ લાગે તે દષ્ટિએ રજૂ કરવાનો આ પ્રયાસ છે. આ સંપૂર્ણ અધ્યયનનો પરિપાક ન કહી શકાય- કામ ચાલુ છે તેથી). આ પ્રતોનાં પાનાં જોતાં નવું જાણવાના લાભની સાથે સાથે એ અંગેની કાર્યપદ્ધતિની ધીમે ધીમે સૂઝ પડવા લાગી. જુદી જુદી લિપિવાળાં છૂટાં પાના Page #113 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન હતાં તેમાં એકસરખાં અને એક જ લિપિનાં પાનાં એકઠાં કરવાનું, તે પછી ઊભા અને આડા લખાણવાળી પ્રતોનાં પાનાં જુદાં પાડવાનું કાર્ય, પત્રો તેમ જ અક્ષરોના કદ-સાઇઝ, રંગ, મરોડ પ્રમાણે જુદા પાડીને ગોઠવવાનું કાર્ય શરૂ કર્યું ત્યારે લાગ્યું કે આ પાનાં ભાષાની દૃષ્ટિએ પહેલાં છૂટાં પાડવાં જોઈએ. તેમાં સંસ્કૃત, પ્રાકૃત-ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે પાનાં જુદાં પાડવાનું શરૂ કર્યું. તેમાં પણ આડા-ઊભા લખાણની જુદા પાડવાની તો ખરી જ. તેમાં તમિળ, તેલુગુ, ઉર્દૂ, ડિંગળ, મોડી, બંગાળી, પંજાબી વગેરે જુદી પાડીને એક બાજુએ મૂકી રાખવાનું રાખ્યું. અને જ્ઞાન ભાષાઓની પ્રતો જુદી પાડીને તેનું વર્ગીકરણવાચન કરવાનું કાર્ય શરૂ કર્યું, તેમાં શ્રી. ના. કા. બાંભણિયા, શ્રી ર. ચિ. ત્રિપાઠી, શ્રી ચતુર્વેદી સાહેબોની વખતોવખત મદદ લેવા છતાં અમુક તબક્કે કાર્ય આવ્યું ત્યારે ધીરજ ન રહેતાં, મનમાં પ્રશ્નો થવા લાગ્યા કે આવું સેળભેળ કેમ થઈ જતું હશે ? આટલા બધા કાર્યકર્તાઓની મદદ શ્રી પુણ્યવિજયજી મહારાજને મળતી હશે કે એકલા હાથે કાર્ય કરતા હશે? કદાચ આમાં આગલા કાર્યકર્તાઓની બેદરકારી કે ભેટ આપનારની નિષ્કાળજી ? કદાચ આ બન્ને કારણો આ કાર્યની મુશ્કેલીમાં વધારો કરતાં હશે. અર્થાત્ હસ્તપ્રતનાં પાનાં પ્રત્યે અજ્ઞાન કે ઉતાવળ કે બીજી કોઈ પણ જાણ્યે-અજાણ્યે થયેલી બેદરકારીને લીધે, પરંતુ આ એક પાપ થયું હોવાનું જૈનો માને છે તે સાવ યથાર્થ છે. તેને ‘આશાતનાની ભાવના' તરીકે ઓળખાવાય છે. તે બાબત જગતનાં બધાં જ્ઞાનનાં મંદિરોમાં ચૂસ્તપણે પળાવી જોઈએ એમ લાગે છે. (જૈ. ચિ. ક. પૃ. ૧૧૦-૧૧૧) ५८ હસ્તપ્રતોનાં પોટલાં બાંધેલાં પડ્યાં હોય તેમાંથી પ્રતોને નંબર પર ચડાવી, જાડા પૂંઠાની બેવડ-સંપુટ વચ્ચે બાંધી લાલ કાપડમાં બાંધી, પટ્ટીથી મજબૂત બાંધીને વ્યવસ્થિત રાખવામાં આવે છે. તેથી લહિયો પોથીના અંતે લખતો હોય છે. तैलाद्रक्षेत् जलाद्रक्षेत् रक्षेत् शिथिलबन्धनात् । मूर्ख हस्ते न दातव्यं एवं वदति पुस्तिका । भग्न पुष्टि (दृष्टि) कटि ग्रीवा बद्ध मुष्टिरधो मुखम् । રેન મિલિત (ચાન્ન) મવા, યત્નેન પરિપાનયેત્ (પાનનં) ૫ - નં. ૬૬૭૩ કોઈક વાર, ચૌદશ્ નન્નાદ્રક્ષેત્ રક્ષેત્ શિષિત મન્ધનાત્... કોઈક વાર ગુજરાતીમાં - ‘રાતું ફૂલ ગુલાબનું પીળો ચંદન હાર, જે ચોરે આ ચોપડી તેને Page #114 -------------------------------------------------------------------------- ________________ ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ ૯૯ લાજ ગયાનું પાપ’ - ઇત્યાદિ લખેલું જોવા મળતું. કેટલીકવાર લહિયાની કાર્યપદ્ધતિ માટે હાસ્યાસ્પદ કહેવત પડી ગઈ છે - 'કોપી ટુ કોપી અને માખી ટુ માખી” - અર્થાત્ પ્રાચીન પુસ્તક કે પુપિકામાં એવું જ બરાબર ઉતારે અને તેમાં પોતાની જાણે અજાણે કંઈ ભૂલો રહી કે થઈ ગઈ હોય તો તે પોતાને શિરે રાખતો નથી - તે લખે છે કે यादृशं पुस्तकं द्रष्टवा तादृशं लिखितं मया । રિ રામરૂદ્ધ વા મન તો ન રીતે (વિવર્ત) | - નં. ૬૬૭ કોઈક અક્ષર ભ્રમને લીધે જુદો લખાયો હોય, રેફ કે અનુસ્વાર વગેરેમાં કંઈ આછુંપાછું, લખાઈ ગયું હોય તો સુજ્ઞ વાચકે દુ:ખી ન થવું - અક્ષર માત્ર ૫૬ - स्वरहीन व्यंजनसंधि विवर्जित रेफं । साधुभिरेवमक्षुभितव्यं को न विमुह्यति शब्दसमुद्रो _Hશા ને ૬૦૩૦. રાતપથબ્રાહ્મણ. ગુજરાત વિદ્યાસભાએ લહિયાઓ બેસાડીને કેટલીક હસ્તપ્રતો તૈયાર કરાવેલી, તેનું દષ્ટાંત એક પુષ્પિકા પરથી સમજાય તેવું છે. સંગીત રત્નાકરનો આરંભ અને તેની પુપિકા બરાબર વ્યવસ્થિત લખેલી પ્રાપ્ત થાય છે. (નં. ૫૯૩): इति श्री मदनवद्य विद्या विनोद श्री करणाधिपति सोढलदेवनंदन निशंक श्री शांङ्गिदेव विरचिते संगीतरत्नाकरे रागविवेकाध्यायो द्वितीयः । श्री रस्तु शुभं भवतु ।। श्री श्री श्री ।। सम्वत् १९३८ ना वर्षे माघ मासे कृष्णपक्षे १ प्रतिपदा स्थिर वासरे अयं ग्रन्थः लिखितः સંપૂર્ણમ્ I તા. મારે ખુમારી અને ૨૮૮૨. આ પુસ્તક ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની લાઇબ્રેરીનું છે સંચ.. કુંડસિદ્ધિની એક હસ્તપ્રત (નં. ૬૬૧૭) સંસ્કૃત હોવા છતાં તેની પુપિકામાં ग्रंथ पूरो थयपछी नांदद नाग्रमध्ये (नगरमध्ये) उदिच्य ज्ञाति भट नथूशुतजगजीवनेण નિરવીત સ્નાક્ષ I એ પછી ગુજરાતી - સ્વભાષામાં લખે છે - જેવિ પ્રત્યે હુતિ તે પ્રમાણે લખ્યું છે. ખોટું ખરું નારાયાણ જાણે જેવી શાંમી પ્રત્યે હુતી તે માફક લખ્યું છે. શલાટ લજ્યારામનું પુસ્તક છે' આમ ગુજરાતી અને સંસ્કૃત મિશ્ર પુષિકાઓ પણ હોય છે. આ રીતે પુપિકાઓ કે આરંભનાં પાનાં મળવાથી પ્રતનું શીર્ષક, માપ, કર્તા, લહિયાના નામ, ગામ ઉપરાંત સંવત, વાર, મિતિ, ઋતુ, નક્ષત્ર વગેરે પણ મળવાથી તેનું વર્ગીકરણ કરીને પ્રતનું સંશોધનકાર્ય સરળ થવા માંડ્યું અને તે પ્રમાણેના પત્ર એકઠો કરીને બાંધવાનું શરૂ કર્યું તથા તેને નંબર પર કાચા રજિસ્ટરમાં Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન નોંધ સાથે ચડાવવાનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું, હજી તે કાર્ય ચાલુ છે. શરૂઆતમાં તો સરકારી કે ખાનગી ટ્રસ્ટની રાહે ઝડપી કાર્ય કરીને જ્યાં ત્યાંથી પોથીઓ નંબર પર ચડાવીને કાર્ય પૂરું કરવાનો જ મુખ્ય હેતુ હોય છે. કેમ કે અમુક જ સમયમાં કામ પૂરું કરવાનો હેતુ અને આવા નીરસ પીંજણકાર્યને ધૂળધોયાનો ધંધો માની લેવામાં આવતો હોય, તેવા કાર્યમાં સૂઝ કે રસનો કે પૂરા માર્ગદર્શનનો અભાવ હોય, તેમાં પહેલેથી થયેલો પ્રમાદ પછીથી કાર્યને મુશ્કેલ બનાવી દેતો હોય છે. બધાને આવા કાર્યમાં રસ પડે જ એવું જરાય નથી હોતું. પરંતુ આવા પ્રકારના કાર્યમાં ધીરજની સાથે વિવિધ જ્ઞાનની પૂર્વભૂમિકા તથા જ્ઞાનેપ્સા, કુતુહલ વૃત્તિ કાર્ય કરતી હોય છે. પહેલાં વધુમાં વધુ પાનાવાળી હસ્તપ્રતે નંબર પર ચડેલી હોય. તેનો બાકીના પાનાનો ભાગ છૂટો પડી ગયો હોય તે છૂટાં પડેલાં પત્રરાશિમાંથી મળી જાય કે ન પણ મળે, પરંતુ તેના અનુરૂપ ખૂટતાં પાનાં મળી જાય તો તેની પૂરી થયેલી પ્રતની કિંમત અને અગત્ય કેટલી બધી વધી જાય ! આવી રીતે કેટલીક પ્રતોમાં ખૂટતાં પાન ઉમેરી શકાયાં છે. આ પાનાંઓનું ભાષા પ્રમાણે વર્ગીકરણ કર્યા પછી પ્રત્યેક ભાષાનાં પાનાં તત્વજ્ઞાન, વેદ, જ્યોતિષ, વ્યાકરણ, પુરાણ, કર્મકાંડ, સાહિત્ય, છંદ ઈત્યાદિ ઉપરાંત જૈન સંસ્કૃત, ગુજરાતી, હિન્દી - એ પ્રમાણે વિભાગો પાડવાની શરૂઆત કરવામાં આવે છે આનું સૂક્ષ્મ વર્ગીકરણ કરતી વખતે કેટલીક મુશ્કેલી આવતી હોય છે. જેમ કે 'પુરાણનાં પાનાંનું વિભાજન ભાગવત, માર્કંડેય, બ્રહ્મ, વિષ્ણુ વગેરે, અને તેનાં પાનાં જુદાં પાડીને બાંધવા માંડ્યાં. તેમાં વિવિધ વ્રતો, માહાત્મો, સ્તોત્રો, તિથિમાહાત્મો વગેરે મળ્યાં. અને કર્મકાંડમાં પણ સ્તોત્રો, વ્રત-માહાત્મ, પૂજા વગેરે ઉપરાંત શોડષસંસ્કારો, ઉત્તરક્રિયા, શ્રાદ્ધ વગેરે. વેદમાં ઋગ્વદીય-સામવેદી વગેરે સંધ્યા, પુરુષસૂક્ત રૂઢી આવે અને કર્મકાંડના ભાગમાં પણ. આ રીતે વર્ગીકરણમાં દ્વિધા થાય. આ બધાં પાનાં પર સળંગ નજર કરતાં લાગે કે પ્રત્યેક પ્રતના અક્ષરો જુદા કેમ કે લહિયા જુદા! આપણો કર્તા ઈશ્વર જ એવો કલાકાર સર્જક કર્તા છે કે પ્રત્યેક વ્યકિત જુદી જુદી સ્પષ્ટ ઓળખાય એવી બનાવી છે. ભલે શરીરનો બાહ્ય અને આંતરિક-મૂળભૂત-Biological - એક સરખું હોય તો પણ! તેથી અમારા સંગ્રહમાંની હસ્તપ્રતોમાં મળતી ‘વિવિધતા” ઉપર થોડા વર્ષ પર બધાનું ધ્યાન દોર્યું હતું (‘રાજદફતર', ગાંધીનગર, ૫.૧, અં. ૧). Page #116 -------------------------------------------------------------------------- ________________ ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ ૧૦૧ આમ કાગળ પરની આ પ્રતોનાં પાનાં પર નજર કરતાં પત્રોની સંખ્યા, આકાર, રંગ, વિવિધ માપો ઉપરાંત વિવિધ અક્ષરોના મરોડ, લખવાની જુદી જુદી પદ્ધતિ વગેરે પર ધ્યાન જાય છે. તેનું વિભાજન કરતી વખતે ઘણી રીતે વર્ગીકરણ થઈ શક્યું. પત્રની ચારે બાજુએ અમુક ચોક્કસ હાંસિયા જેટલી જગ્યા છોડીને બરાબર વચ્ચોવચ અમુક નિયત પંકિતની સંખ્યા અને માપમાં લખાણ લખેલા હોય, પત્રની બે બાજુએ, કોઈક વાર ચારેય બાજુએ હાંસિયો પાડવા માટે એક કે બે લાલ, કાળી કે અન્ય રંગની લીટી દોરી, તે બે લીટી વચ્ચે લાલ કે પીળી હળદરના રંગ પૂરીને તૈયાર કરેલા હોય છે. બે કાળી કે બે લાલ લીટી પાનાંની બંને બાજુએ દોરેલા હાંસિયાવાળા પત્રો વધુ સંખ્યામાં મળે છે. આમ નાના-મોટા વિવિધ પ્રકારના હાંસિયાવાળી અને હાંસિયાવિનાની હસ્તપ્રતોના પત્રો હોય છે. કેટલીકવાર પત્રના બે કે ત્રણ ભાગ પાડીને લખવા માટે ડબલ-બે સાંકડી ઊભી લીટીઓ - હાંસિયા પાડીને લખાણ લખાતું હોય છે. * સૌથી વધુ આકર્ષક લખાણવાળા પત્રોના હાંસિયામાં પ્રતનું શીર્ષક ટૂંકા અક્ષરમાં ડાબી કે જમણી બાજુએ લખીને તેની નીચે પત્ર-સંખ્યા લખવામાં આવે છે. તે ઉપર એક બાજુએ સ્વસ્તિક કે પગથિયાં કે ફૂલ કે મંદિરની બારસાખ કે દ્વાર કે કોડિયા જેવા કે ધ્વજના આકાર દોરીને તેમાં પત્ર સંખ્યા લખવામાં આવતી હોય છે. જૂનામાં જૂની હસ્તપ્રતો તાડપત્ર પર લખેલી સુરક્ષિત છે તે સર્વત્ર જ્ઞાત અને નિર્વિવાદ હકીકત છે. તેને લાકડાની જાડી પટ્ટીના સંપુટમાં બાંધીને પ્રતના પાનાના કદ પ્રમાણે દોરો પરોવીને બાંધવાની જગ્યા વચ્ચે અથવા બે કે ત્રણ કાણાં પાડવા માટેનો ભાગ કોરો રાખીને લખાણ લખવામાં આવતું. આવા પ્રકારની લખાણની પદ્ધતિ તે પછીના સમયે પણ ચાલુ જ રહી. રૂઢિ-પરંપરાને માન આપીને ! તેથી કરીને આ રીતે પ્રતોના પાનાનાં વચ્ચેનો અથવા વચ્ચેના ઉપરાંત બે બાજુએ અમુક ચોક્કસ અંતરે અમુક ભાગ કોરો રાખીને અથવા તેટલા ભાગમાં લાલ કે કાળાં મોટાં ટપકાં પાડીને કે કમળ કે સ્વસ્તિક કે પગથિયાં જેવા આકારમાં કોરો ભાગ રાખીને લખાણ લખેલું જોવા મળે છે. તેવી પ્રતોને કુંડવાળી' હસ્તપ્રત કહે છે. જૈન સાહિત્યની આવી પ્રતો વધુ પ્રમાણમાં હોય છે. એવી પ્રતોના વચ્ચેના સ્વસ્તિક કે કમળ, મંદિર જેવા કોરા ભાગમાં પંકિતના અમુક અક્ષર એવી રીતે લખાતા હોય છે કે જેથી એવો આકાર ઊપસી આવે. આ બધી પ્રતોનાં પાનાં તૈયાર કરવામાં મુખ્યત્વે ધાર્મિક Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન ભક્તિભાવનાનો અને પોતાની કલાકૌશલ્ય દર્શાવવાનો આશય હોય છે. તેને અનુલક્ષીને પત્રોની સજાવટ ચિત્રો, ફૂલ-વેલ-બુટ્ટાથી હાંસિયા કે ચારેબાજુએ ફ્રેઈમની જેમ શણગારેલા હોય છે. સંસ્કૃત, પ્રાકૃત કે હિન્દી-ગુજરાતી ભાષાનો દેવનાગરી લિપિમાં મૂળ ગ્રંથ લખેલા હોય તે સીધી કે આડી પંક્તિઓમાં હોય છે, પરંતુ ટીકા સાથેનો, ટીકાની ટીકાવાળો ગ્રંથ હોય છે તેવા ગ્રંથ ત્રિપાઠ કે પંચપાઠથી લખેલા હોય છે. ટીકાને જૈન સાહિત્યમાં ‘ટબા’, ‘વૃત્તિ’, ‘અવચૂરિ’, ‘મંજરી’, ‘વ્યાખ્યા’, ‘ચૂર્ણિકા', ‘સ્વોપન્ન’ ઇત્યાદિ વિવિધ રીતે ઓળખાતી હોય છે. મૂળ ગ્રંથકર્તાની મૂળકૃતિ મૂળ દેવનાગરી અક્ષરોમાં - લિપિમાં લખાયેલી હોય તેની પરની એ જ કૃતિની એ જ કર્તાની સ્વોપજ્ઞ ટીકા એક અથવા બે જે હોય તે બીજા અક્ષરે લખાય. વળી એ જ ગ્રંથની અન્ય કર્તાની ટીકા જુદા અક્ષરે (મૂળથી અક્ષરો નાના કે મોટા કઢાય તેથી ‘બીજા અક્ષરે’) એ જ પાનાના હાંસિયામાં કે તે પંક્તિની આસપાસ ક્યાંક લખવામાં આવે છે. આમ જુદી જુદી ટીકાઓની ટીકાવાળા ગ્રંથોનું વૈવિધ્ય જોવા મળે છે. આવી પ્રતોના પાન પર, બે, ત્રણ કે ચાર લીટી જેટલા ભાગનું અંતર કોરું છોડીને સૂત્ર, કારિકા કે શ્લોકની પંક્તિ લખાય છે. પછી પાછળથી જે તે પંક્તિની નીચે જે તે ટીકા કે તેના અર્થની નોંધ બીજા અક્ષરે લખેલી હોય છે. કેટલીક વાર ગીતા, યોગસૂત્ર કે આગમ જેવી પ્રતના એકથી વધુ ટીકાકારો હોય, તે ઉપરાંત લહિયો પોતાનો અને પોતાના નજીકના સમકાલીનોના કેટલાક સૂચિત અર્થોની પણ નોંધ કરેલી હોય. તેવી પ્રતોનાં પત્રોમાં સૂત્ર, શ્લોક કે કારિકા મોટા-છૂટા અક્ષરે પંક્તિમાં લખ્યા પછી જે તે અક્ષર કે શબ્દની નીચે કે ઉપરના ભાગ પર તેની નોધ એ જ પાન પર લખવામાં આવે છે અને તે શબ્દ કે અક્ષરને લાલ કે કાળી લીટીના કુંડાળામાં બાંધી દઈને જુદો ધ્યાન ખેંચાય તેવો ભાગ બનાવવામાં આવે છે. આવી ટબા કે અવચૂર્ણિઓવાળી પ્રતોનાં સંખ્યાબંધ પત્રો જીર્ણ હાલતમાં સંગૃહીત થયેલાં છે. પત્રની મધ્યમાં, અને બે બાજુએ અમુક અંતર છોડીને મોટાં ટપકાં કે સ્વસ્તિક કે મંદિરનાં પગથિયાં જેવો કોરો ભાગ છોડાતો, તે ઉપરાંત ઉપર-નીચે પણ એવો કોરો ભાગ છોડીને પંક્તિનું લખાણ લખાતું, જેથી પત્રને પલટાવવામાં કે તે સાચવવા બાંધવામાં સારું પડતું હોય છે. કેટલીકવાર એ કુંડવાળા કોરા ભાગમાં પગથિયાં કે ગોખલા જેવી આકૃતિનો ભાગ એવી રીતે Page #118 -------------------------------------------------------------------------- ________________ ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ ૧૦૩ કોરો રખાતો હોય કે અમુક અક્ષરથી લખાણ લખેલું હોય છે. તેવા પ્રકારના ઊભા સળંગ પાને લખાયેલા ખતપત્રો ઉપરાંત અરબી-ફારસી કાવ્યો કે પ્રેમપત્રો વગેરે તથા ગુજરાતી-સંસ્કૃત કાવ્યો કે વિજ્ઞપ્તિપત્રો જેવી કૃતિઓનું લખાણ લખાયેલું હોય છે. પરંતુ આવી પ્રતો સાચવવી અને વાચન માટે મુશ્કેલ હોય છે. કેમ કે કાગળની પટ્ટીઓ સાંધીને, વીંટીને રાખેલી હોય છે તેથી વખત જતાં બરડ થઈ જાય છે. કાગળને કેનવાસ જેવા કડક કાપડ પર ચોંટાડીને તેના પર લખેલું લખાણ થોડો વધુ સમય ટકી રહે છે. આવા ઊભે પાને નાની પંક્તિઓનું દીર્ઘ કે ટૂંકું, કોકનાં ખાનાવાળું કે વચ્ચે વચ્ચે રેખાચિત્રોવાળું, સચિત્ર કે અચિત્ર, ફેઈમની જેમ વેલબુટ્ટાવાળા હાંસિયાવાળું કે બે બાજુએ નાના કોરા ભાગવાળું લખાણ હોય છે. તેમાં નાની કાપલીઓ, ચિઠ્ઠીઓ, પોસ્ટકાર્ડ, પરબિડીયાં, આણ-પાણના આંકડાવાળા હિસાબો, ખાતાવહીઓ, સંઘની પાદટીપો, નોધપોથીઓ, ડાયરીઓ, ગુટકાઓ, સચિત્ર પંચાંગો, જન્માક્ષરો, વિજ્ઞપ્તિપત્રો, જૈન શિલ્પ-સ્થાપત્યનાં ઓળિયાઓ, ખતપત્રો, સ્ટેમ્પપેપર્સ અને તેવા લખાણવાળા કાગળો વગેરે પ્રકારના પત્રોનો સમાવેશ થાય છે, જેમનું બહોળું તેમ જ વિશિષ્ટ વર્ગીકરણ અને પછી તેની નોધ વગેરે કાર્ય થાય. ઉપર જોયું તે પ્રમાણે પત્રની મધ્યમાં અને અથવા પત્રની મધ્યમાં તથા બે બાજુએ ગોળ મોટાં ટપકાં કે વિશિષ્ટ આકારમાં કોરી જગ્યા છોડાતી, હાંસિયામાં કલાત્મક રીતે પત્રસંખ્યા અને શીર્ષકના સંક્ષેપાક્ષરો તો લખાતા, પરંતુ પ્રકરણના આરંભે કે ગ્રંથના અંતમાં અથવા અમુક પ્રસંગે પત્રોના હાંસિયા વિશેષ પ્રકારે ચિત્રોથી - મંદિર કે પડદાવાળી બારી કે પ્રવેશદ્વાર કે સુંદર ફેઈમવાળા ફોટાની જેમ આડું - ઊભું - ત્રાંસું લખાણ લખાતું. આવી પ્રતો જૈનો કરતાં અરબી-ફારસીમાં વધુ પ્રમાણમાં મળે છે, જેને નાસ્તાવિક વગેરે લખાણપદ્ધતિથી ઓળખાય છે. કેટલીક વાર જાડા કાગળ પર ચિત્રો દોરીને જાડા પૂઠા કે લાખ પર ચોંટાડીને ગોળાકાર, લંબચોરસ કે ચોરસ આકારમાં કાપીને ચિત્રો તૈયાર કરાતાં. તેવાં ચિત્રોને રમવાનાં સચિત્ર પત્તાં, અન્ય અવતારો કે પ્રસિદ્ધ પ્રાસંગિક ચિત્રો તરીકે ઓળખાતાં હોય છે. આવા સચિત્ર કાગળો ભારતના અનેક પુરાવશેષ સંગ્રહોમાંથી ઉપલબ્ધ થાય છે. તેવા નમૂના પણ અત્રે છે. ઉપસાવેલી લીટીવાળા જાડા કાગળો જૈન લેખનપદ્ધતિમાં વધુ પ્રમાણમાં વપરાય છે. આવા Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન જાડા કાગળ પર લીટી ઉપસાવેલા પત્રનો નમૂનો, હસ્તપ્રતોના ઉપર નીચેના બંધન માટેના સચિત્ર લાકડાની પાટી ભરેલા એ બે બાજુની પંક્તિને જોડવામાં આવતી હોય છે. તેમાં એકથી ચાર-પાંચ અક્ષરો જ લખાતી હોય છે. કોષ્ટક કે ચંદ્રોદય-સૂર્યોદય જેવી સૂચનાવાળા જ્યોતિષ, કાવ્ય, છંદ કે ચિત્રાલંકાર કે તાંત્રિક હસ્તપ્રતોમાં બાજુમાં અથવા સળંગ પાનામાં લાલ કે કાળી લીટી દોરીને કોષ્ટક તૈયાર કરાતાં હોય છે. બાજુએ રેખાચિત્ર દોરીને તેની સામે સમજૂતી લખાતી હોય છે. કેટલીક વાર અક્ષરો કોતરીને સળંગ પંક્તિ કે બ્લોક કે ચિત્ર ઉપસાવવામાં આવતાં હોય છે, તેવા કોતરણીવાળા પત્રો રંગીન કે શ્વેત પત્ર મૂકીને વાંચવાથી કે જોવાથી તે આકૃતિઓ કે અક્ષરોનો સુંદર અને કલાત્મક ઉઠાવ આવતો હોય છે. આવા પ્રકારની પ્રતો આ સંગ્રહ ઉપરાંત વડોદરામાં પણ છે, અન્યત્ર પણ એવા નમૂના સંભવે છે. (આનો વિશેષ અભ્યાસ ‘લેખનકલાની પ્રાચીનતા, વિકાસ અને કર્તનલેખન કલાપદ્ધતિ' - ‘સામીપ્ય”, એપ્રિલ, ૯૦-માર્ચ, ૯૧, પૃ. ૪૧-૫૦). કર્મકાંડ, વેદાંત, ભક્તિ, ન્યાય, વેદ, પુરાણ, વ્યાકરણ, જ્યોતિષ વગેરે વિશાળ વર્ગીકરણ (Broad Classification) કર્યા પછી તેમાંથી એક એક વિભાગ લઈને તેમાંનું વિભાગીકરણ કરવું પડે છે. જેમ કે વ્યાકરણના વિભાગના એક સામટા પત્રો લઈને તેમાંથી મૂળ ગ્રંથ - સારસ્વત ટીકા, પાણિનિય વ્યાકરણ, સારસ્વત વ્યાકરણ, કારિકા, ટીકા, સિદ્ધાંતકૌમુદી પ્રકરણના વિભાગો, લઘુ સિદ્ધાંતકૌમુદી, પ્રૌઢ મનોરમા, બાલમનોરમા ઇત્યાદિ પ્રગટ - અપ્રગટ ગ્રંથોના પત્રો માત્ર અક્ષર, પાનાં અને લેખનશૈલીના આધારે જુદી તારવવામાં આવે, પછી કાચા રજિસ્ટર પર ચડાવવામાં આવે, પાછળથી કોઈક પત્ર મળે તો તેને તેમાં ઉમેરવામાં આવે - તેમની ગોઠવણી, પાનાં બાંધીને પૂઠા પર કાચા નંબરો ચડાવીને ગોઠવવામાં આવે - વગેરે પ્રક્રિયાઓ પ્રત્યેક વિભાગની હસ્તપ્રતોનાં પત્રો માટે કરવામાં આવે. ત્યારે વધુમાં વધુ પાનાં એક પ્રતનાં એકઠા કરેલા આપણને પ્રાપ્ત થાય. એ રીતે સ્તોત્રો કે કર્મકાંડની પ્રતો દેવી- દેવતાઓની પ્રતોનાં પત્રો જુદા પાડીને, ગોઠવીને પછીથી બાંધવામાં આવે. આવું કાર્ય વર્ષોથી થોડું ઘણું ચાલુ રાખેલું છે, જેના પરિણામે ઘણી સારી સંખ્યામાં હસ્તપ્રતોનો વધારો થવા પામ્યો છે. માત્ર કાગળની પ્રતો અનેક વિભાગોમાં વહેંચાયેલી છે. નાની-મોટી, Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ - ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ છે લંબચોરસ પત્રોવાળી, આડા કે ઊભે પાને લખાયેલી હોય છે. ઊભે પાને લખેલી પ્રતોમાં પોથીઓ- કીર્તન, હિન્દી પદો, ગુટકારૂપે બાંધેલી પ્રતો હોય છે. કેટલીક વાર ઊભા સાંકડા અને લાંબા કાગળો સાંધીને સળંગ રેખાચિત્રો કે ભૌમિતિક આકૃતિઓવાળા જાડા પોથીબંધનનાં પૂંઠા (જે કાપડ ચોંટાડીને શણગારેલા હોય છે) સંગૃહીત છે. આ હસ્તપ્રતો જાતે અથવા લહિયા કે કોઈક પાસે લખાવીને ગ્રંથભંડારમાં સાચવતાં, પરંતુ તેને વાંચવા માટે વિદ્વાનોને ઘેર આપતા કે કેમ તે અંગેની કોઈ પ્રક્રિયા પ્રચલિત થઈ હોય તેમ લાગતું નથી. પરંતુ અમુક માણસો લોકભોગ, વધુ પ્રચલિત અને ઉપયોગી પુસ્તકોનો ખાનગી સંગ્રહ રાખતા અને જોઈતી પ્રત અમુક ચોક્કસ સમયનું નિયત ભાડું કે દર લઈને ભાડે આપતા હતા. વિ. સં. ૧૮૯૫ અને ૧૯૧૦ના આવા દસ્તાવેજી હસ્તલિખિત પુરાવા અહીં ઉપલબ્ધ છે. તેમાં પ્રતનું શીર્ષક, પત્ર સંખ્યા, લઈ ગયાની મિતિ, પાછા આપવાની મિતિ, લેનારના હસ્તાક્ષર, તેની સાક્ષી આપનારના હસ્તાક્ષર વગેરે માહિતી નોધાયેલી મળી આવે છે. આ પરથી છાપેલાં પુસ્તકોની લાયબ્રેરીના પ્રચાર, પહેલાં પાઠશાળાઓ અને મદરેસાઓમાં તથા ખાનગી સંગ્રહોમાં આવા પ્રકારની કંઈક વ્યવસ્થા હશે એમ લાગે છે, તે પરથી ગ્રંથાલય પ્રવૃત્તિનો વેગ તથા વિકાસ વધ્યા. તૈયાર થઈ ગયેલી હસ્તપ્રતોના વાચન, સંપાદન, સંશોધન વગેરેમાં અત્યંત ઉપયોગી થાય તેવી સમજૂતી સાથેની સૂચનાઓ શ્રી પુણ્યવિજયજીએ આપી છે, જે આવા કાર્યમાં સહુને અત્યંત ઉપયોગી થઈ પડે તેવી છે. (જે. વિ. પૃ. ૮૪)છાપેલાં પુસ્તકો કરતાં હસ્તલિખિત પોથીઓ અને ચિત્રો આટલાં બધાં વર્ષો જળવાઈ રહે છે તેવો આપણો સહુ કોઈનો પ્રત્યક્ષ અનુભવ છે તે પરથી આપણે એટલું શીખવું જોઈએ કે પ્રાચીન પદ્ધતિ પ્રમાણે પત્રો શાહી, રંગો વગેરે તૈયાર કરાવીને એની પર લખાણ અને ચિત્રો તૈયાર કરાવવાની, તેને સુરક્ષિત રાખવાની પ્રથાને હાલના તબકકે પણ નવું સર્જન કરવામાં ઉત્તેજન આપવું જોઈએ, ચાલુ રાખવું જોઈએ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧. હસ્તપ્રતોનું ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્ત્વ પ્રા. હરિપ્રસાદ શાસ્ત્રી . અભિલેખો અને સાહિત્યકૃતિઓની જેમ હસ્તપ્રતો રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસના સ્રોત તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હસ્તપ્રતોમાં ગ્રંથના તે તે ખંડના અંતે તેમજ સમગ્ર ગ્રંથના અંતે આપવામાં આવેલી પુષ્પિકા પરથી પ્રસ્તુત ગ્રંથનું તથા એના કર્તાનું નામ જાણવા મળે છે. કેટલીક હસ્તપ્રતોમાં ગ્રંથના અંતે ગ્રંથકાર-પ્રશસ્તિ આપી હોય છે, તેના પરથી ગ્રંથકારનાં કુળ, સમય, સમકાલીન રાજા, પૂર્વજો, સ્થાન ઇત્યાદિની વિગતો પ્રાપ્ત થાય છે. વળી હસ્તપ્રતના અંતે લહિયાએ આપેલી પોતાની માહિતી પરથી તેનું નામ, કુળ, સ્થાન, જ્ઞાતિ, લેખન-સમય ઇત્યાદિ ઉપરાંત ઘણીવાર સમકાલીન રાજાનાં નામ-બિરૂદ, અધિકારીઓ વગેરેની વિગત પણ ઉપલબ્ધ થાય છે. આ વિગતો પરથી કેટલીક વાર ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઉપયોગિતા ધરાવતી માહિતી પણ પ્રકાશમાં આવે છે. દા.ત. સિદ્ધરાજ જયસિંહનો ઐતિહાસિક વૃત્તાંત નિરૂપવા માટે એ સોલંકી રાજવી (વિ. સં. ૧૧૫૦-૧૧૯૯) ના સમકાલીન હેમચન્દ્રાચાર્યો દ્વયાશ્રય મહાકાવ્યમાં એ રાજવીનાં કેટલાંક પરાક્રમ નિરૂપ્યાં છે. તેમાં પહેલાં બર્બરકપરાભવ અને પછી માલવ-વિજયને મહત્વ આપ્યું છે, જ્યારે સોરઠ-વિજયની ઘટના નિરૂપી નથી. જયસિંહદેવનાં પરાક્રમો અને એના કાલાનુકમની બાબતમાં હસ્તપ્રતોમાંથી પ્રશસ્તિઓ મહત્ત્વની પ્રમાણિત માહિતી પૂરી પાડે છે. દા. ત. નિશીથચૂણિ” ની વિ. સં. ૧૧૫૭ની પ્રશસ્તિ તથા ‘આદિનાથચરિત્ર' ની વિ. સં. ૧૧૬૦ની પ્રશસ્તિમાં જયસિંહદેવના નામ સાથે કોઈ વિશિષ્ટ બિરુદ આપ્યાં નથી. આ પરથી જયસિંહદેવના રાજ્યકાલનાં આ આરંભિક વર્ષોમાં એનાં કોઈ વિશિષ્ટ પરાક્રમ કરાયાં ન હોય, પરંતુ ભરૂચ અને અર્ધભરત અને એની સત્તા ૧૦૬ Page #122 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતોનું ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્વ ૧૦૭ પ્રવર્તતી હતી એ સ્પષ્ટ થાય છે. જીવસમાજવૃતિ'ની વિ.સં. ૧૧૬૬ની હસ્તપ્રતની પુપિકામાં મહારાજાધિરાજ જયસિંહદેવ માટે તૈલોક્યમંડ' બિરુદ અપાયું છે ને ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ની વિ.સં. ૧૧૭૯ના હસ્તપ્રતની પુપિકામાં એ ઉપરાંત “સિદ્ધચકવત' બિરુદ આપેલું છે. આ પરથી જયસિહદેવે વિ.સં. ૧૧૬૬ સુધીમાં વિજય-પ્રસ્થાન કરી વિ.સં. ૧૧૭૮માં સોરઠ પર વિજય કર્યાની સંભાવનાને સમર્થન મળે છે. વિ.સં. ૧૧૯૧ના ભાદ્રપદમાં ધોળકામાં લખાયેલી પુષ્પવતીકથા'ની હસ્તપ્રતની પુષ્પિકામાં પણ આ બે બિરુદ જ આપેલાં છે, જ્યારે વિ. . ૧૧૯૨ને જયેષ્ઠમાં લખાયેલા “નવપદપ્રકરણવૃત્તિની હસ્તપ્રતની પ્રશસ્તિમાં પહેલવહેલું “અવંતીનાથ' બિરુદ પ્રયોજાયું છે. એ પરથી જયસિંહદેવે કરેલો માલવ-વિજય વિ.સં.૧૧૯૧ના ભાદ્રપદ અને ૧૧૯૨ના જયેષના સમયગાળા દરમિયાન થયો હોવાનું નિશ્ચિત થાય છે. એવી રીતે મહારાજાધિરાજ કુમારપાલના સમયમાં અણહિલવાડ પાટણમાં વિ.સં. ૧૨૦૮માં લખાયેલ ‘પૂજાવિધાન' ની હસ્તપ્રતની પ્રશસ્તિ પરથી કુમારપાલે શાકંભરી- વિજય એ મિતિ પહેલાં થોડા સમય પર કર્યો હોવાનું માલૂમ પડે છે, કેમકે કુમારપાલ (વિ. સં. ૧૧૯૯-૧૨૨૯) ના સમયનાં લખાણોમાં ‘શાકંભરી-ભૂપાલ” એવું બિરુદ એને માટે પહેલવહેલું આ પ્રશસ્તિમાં પ્રાપ્ત થયું છે. એવી રીતે મહારાજાધિરાજ જયસિંહદેવ, કુમારપાલ, ભીમદેવ રજો અને વીસલદેવના સમયની હસ્તપ્રત પ્રશસ્તિઓમાં તેઓના મહામાત્ય આદિ અધિકારીઓનો નિર્દેશ આવે છે એ પરથી એ અધિકારીઓના શાસનકાલ પર પ્રકાશ પડે છે. હસ્તપ્રતોની પ્રશસ્તિઓમાંની અનેક વિગતો સાંસ્કૃતિક ઇતિહાસના નિરૂપણમાં પણ ઉપયોગી નીવડે છે. દા.ત. 'પદ્માનંદકાવ્ય'ના પ્રશસ્તિ ૧ માં વીસલદેવની સભામાં વિરાજતા કવિ સોમેશ્વર, અરિસિંહ અને અમરચન્દ્રસૂરિ જેવા વિદ્વાનોનો નિર્દેશ કરાયો છે. હસ્તપ્રતોની પ્રશસ્તિઓમાં અણહિલવાડ પાટણ, સ્તંભતીર્થ અને બિજાપુર જેવાં અનેક નગરો તથા વિદ્યાકેન્દ્રોનો ઉલ્લેખ ઉપલબ્ધ છે. વળી આ પ્રશસ્તિઓમાં ઊકેશુ, પ્રાગ્વાટ, શ્રીપાલ, ધર્કટ અને પલ્લિવાલ જેવા વંશો, ઉદીચ્ય, ઉસવાલ અને મોઢ જેવી જ્ઞાતિઓ તેમ જ ઉપકેશ, સંડેર, ચંદ્ર, તપ, બૃહદ્, ખરતર અને ચન્દ્ર જેવા ગચ્છોના નિર્દેશ આવે છે તે સાંસ્કૃતિક દષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. વળી પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓમાં અનેક જિનાલયો તથા ઉપાશ્રયોના નિર્દેશ આવે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ, તો પ્રાચીન મૂર્તિઓની અંદર ક્યારેક તે તે મૂર્તિની રચનાનું વર્ષ આપેલું હોય છે. આ વિગતના અભાવે આપણે પ્રાચીન સાહિત્યની અનેકાનેક સુપ્રસિદ્ધ મૂર્તિઓની રચનાનો ચોક્કસ સમય ભાગ્યે જ નકકી કરી શકીએ છીએ કે આપણે એથી એના કર્તાઓના અંદાજી સમય આંકી સંતોષ માનવો પડે છે. પરંતુ ઘણીખરી હસ્તપ્રતોમાં તે તે પ્રત ક્યારે લખાઈ તેનો સમય વિગતવાર આપેલો હોય છે. એ પરથી તે તે મૂર્તિના રચના સમયની ઉત્તરમર્યાદા આંકવામાં ઠીકઠીક મદદ મળી રહે છે. સમયનિર્દેશની આ વિગતો તે તે સમયના પ્રચલિત સંવતના વર્ષમાં બહુધા, માસ, પક્ષ, તિથિ અને વારના નિર્દેશ સાથે આપી હોય છે. આ વિગતો યથાતથ સમજવા માટે તો સમયના પ્રતિષ્ઠિત સંવતનાં વર્ષ તથા માસ ગણવાની પદ્ધતિ, વર્ષની સંખ્યા દર્શાવવા પ્રયોજાતા વિવિધ શબ્દ સંકેતો, માસ તથા વારનાં નામો માટે વપરાતા વિવિધ પર્યાયો ઇત્યાદિની જાણકારી જરૂરી બની રહે છે. તિથિની સાથે વાર આપેલો હોય તો તે દિવસે આવતાં ઈસ્વીસનનું વર્ષ, માસ અને તારીખનો ચોકકસ ખ્યાલ પણ મેળવી શકાય છે. કયા પ્રદેશમાં કયા સમયે કાલગણનામાં કયો સંવત પ્રચલિત હતો, એમાં વર્ષ કયા વારથી શરૂ થતાં ને એના માસ કયા દિવસે પૂરા થતા ઇત્યાદિ નિશ્ચિત કરવામાં આ વિગતો ઘણી ઉપકારક નીવડે છે. હસ્તપ્રતોમાંથી પુષ્પિકાઓ પરથી તે તે સમયે સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં કઈ મૂર્તિઓ વધુ પ્રચલિત હતી, કયાં વિદ્યાકેન્દ્રોમાં કયા વિષયોનું અધ્યયનપઠન વધારે થતું, તે તે વિષયના ગ્રંથોની હસ્તપ્રતો લખાવવામાં કયા વર્ગના મનુષ્યો વધુ સક્રિય ભાગ લેતા અને ગ્રંથલેખાપનનો ધાર્મિક મહિમા કેવો મનાતો તેનો પણ ખ્યાલ આવે છે. વળી તે તે સમયે કઈ ભાષાઓ પ્રચલિત હતી, તે તે સમયની લિપિમાં વર્ગોનાં કેવાં સ્વરૂપ પ્રયોજાતાં, ગ્રંથો તાડપત્ર, કાગળ વગેરે જેવા પદાર્થો પર લખાતા, ગ્રંથલેખન માટે કેવાં વિવિધ સાધન પ્રયોજાતાં, હસ્તપ્રતોના પત્ર કેવા કદ અને આકારનાં રખાતા, હસ્તપ્રતોમાં ક્યારેક કેવાં સુંદર ચિત્ર આલેખાતાં, લહિયાઓ કયા વર્ગના હતા ને તેઓ સીધી પંક્તિઓમાં સુરેખ અક્ષર કેવી રીતે લખતા તેમ જ હસ્તપ્રત-લેખનમાં ક્યારેક સુધારા, વધારા ને ઘટાડા કરવાની જરૂર પડતી તો તે તેઓ કેવી રીતે કરતા ઈત્યાદિ અનેકવિધ માહિતી હસ્તપ્રતોના આંતરિક અધ્યયન પરથી ઉપલબ્ધ થાય છે, જે હસ્તપ્રતવિજ્ઞાનની દષ્ટિએ ઘણી ઉપયોગી નીવડે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતોનું ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્ત્વ છેલ્લે, પ્રાચીન ગ્રંથોના સંપાદનમાં જૂની હસ્તપ્રતોનું જે મહત્ત્વ છે તેની સમીક્ષા કરીએ. હિંદુ ધર્મના પ્રાચીનતમ ધર્મગ્રંથોમાં વેદસંહિતાઓ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમાં સૂક્તોની રચના ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીમાં થઈ લાગે છે. એટલા પ્રાચીન સમયની હસ્તપ્રતો ઉપલબ્ધ નથી, પરંતુ ધાર્મિક મહત્ત્વની દૃષ્ટિએ એ સૂક્તોનો પાઠ મૌખિક પરંપરા દ્વારા પણ અક્ષરશ: યથાતથ જળવાઈ રહ્યો છે. આથી એ સૂક્તોના મૂળ પાઠમાં પ્રક્ષેપ ભાગ્યે જ થયા છે. ઉપનિષદો તથા વેદાંગ-ગ્રંથોના પાઠમાં પણ પ્રક્ષિપ્ત પાઠાંતર જવલ્લે જોવા મળે છે. ઇતિહાસ-પુરાણ સાહિત્યમાં મહાભારત, હરિવંશ, રામાયણ અને પુરાણોનો સમાવેશ થાય છે. આ ગ્રંથોનું પઠન, શ્રવણ, પારાયણ એટલું લોકપ્રિય હતું કે એમાં સમયે સમયે અનેક પ્રક્ષેપ થતા રહ્યા. મહાભારત આ સર્વમાં સહુથી દળદાર ગ્રંથ છે. એની સમીક્ષિત (Critical) આવૃત્તિ તૈયાર કરવાનું ભગીરથ કાર્ય પુણેના ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ૧૯૧૯માં આરંભી ૪૦ વર્ષના લાંબા પુરુષાર્થ દ્વારા ૧૯૫૯માં પૂર્ણ કર્યું. આ માટે એણે દેવનાગરી, શારદા, નેવારી, મૈથિલી, બંગાળી, નંદિનાગરી, તેલુગુ, કન્નડગ્રંથ અને મલયાલમ જેવી પ્રાદેશિક લિપિઓમાં લખાયેલી અનેક પ્રાચીન હસ્તપ્રતોમાં આપેલા પાઠોનો આધાર લઈ, લગભગ સર્વ પ્રતોમાં આપેલા અધ્યાયો તથા શ્લોકોના સહુથી સમુચિત પાઠને સ્વીકૃત પાઠ તરીકે આપી, એમાં સર્વ પાઠાંતરો તથા નાનામોટા પ્રક્ષિપ્ત અંશોને પાદટીપો અને પરિશિષ્ટોમાં નોંધ્યા. કેટલીક વાર લાંબા પ્રક્ષેપો અનેક અધ્યાયોને આવરી લેતા. કેટલીક પ્રતોમાં એક અધ્યાયને બે કે ત્રણ અધ્યાયોમાં વિભક્ત કરેલો નીકળ્યો, તો કેટલીક પ્રતોમાં એથી ઊલટું બે કે ત્રણ અધ્યાયોને એક અધ્યાયમાં સંયોજિત કરેલા હોવાનું જણાયું. મહાભારતની ઉત્તરી વાચનામાં ૧૮ પર્વ છે, જ્યારે દક્ષિણ વાચનામાં ૨૪ પર્વ છે. પ્રક્ષિપ્ત અંશોને અલગ તારવવાથી મૂળ ગ્રંથમાં ઘૂસેલા કેટલાક સંશય દૂર થયા. દા.ત. દ્રૌપદી-સ્વયંવર પ્રસંગે કર્ણને સૂતપુત્ર તરીકે સ્પર્ધામાં ઊતરવા દેવાની મનાઈ કરવામાં આવી એવું પ્રક્ષિપ્ત અંશોમાં જણાવેલું છે, જ્યારે મૂળ વાચનામાં કર્ણને એવો કોઈ અન્યાય કરાયો હોવાનું જણાવ્યું નથી. ઊલટું અમુક પ્રતોમાં તો કર્ણે પણ બીજા અનેકની જેમ સ્વયંવરની સ્પર્ધામાં મત્સ્ય-વેધ માટે પ્રયત્ન કર્યો ને એ પણ એમાં નિષ્ફળ નીવડ્યો એવું જણાવ્યું છે. મહાભારતનું ખિલ (પરિશિષ્ટ) ગણાતા ‘હરિવંશ' ની સમીક્ષિત આવૃત્તિ ૧૦૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન પણ પુણેની એ સંસ્થાએ તૈયાર કરી છે. એનાં ત્રણ પર્વ છે. તેમાંના હરિવંશપર્વની અગાઉ મુદ્રિત આવૃત્તિઓમાં ૫૫-૫૬ અધ્યાય હતા, જ્યારે સમીક્ષિત આવૃત્તિમાં ૪૫ અધ્યાય નીકળ્યા; વિષ્ણુપર્વમાં ૧૨૮-૧૩૮ને બદલે ૬૮ નીકળ્યા ને ભવિષ્યપર્વમાં તો ૧૩૫- ૧૩૬ અધ્યાયોને બદલે માત્ર પાંચ અધ્યાય સ્વીકૃત નીવડ્યા ! આમ સમીક્ષિત આવૃત્તિમાં ત્રણેય પર્વના એકંદરે ૩૧૮-૩૨૬ ને બદલે ૧૧૮ અધ્યાય છે. એમાંય મૂળ હરિવંશ વસ્તુત: અધ્યાય ૯૮ના અંતે સમાપ્ત થતો એવું એમાં સ્પષ્ટ વિધાન છે. છતાં સર્વ વર્તમાન હસ્તપ્રતોમાં એ પછીના ૨૦ અધ્યાય આપેલા હોઈ, ગ્રંથસંપાદનના શાસ્ત્રીય નિયમ અનુસાર સમીક્ષિત આવૃત્તિમાં એને સમાવવા પડ્યા છે. મહાભારતની વિદ્યમાન આવૃત્તિ કરતાં રામાયણની વિદ્યમાન આવૃત્તિ ભાષાકીય દૃષ્ટિએ ઉત્તરકાલીન છે. આથી એમાં પ્રક્ષિપ્ત અંશોનું પ્રમાણ સરખામણીએ ઓછું છે. રામાયણની સંશોધન આવૃત્તિ વડોદરાના ઑરિએન્ટલ ઇન્સ્ટિટયૂટે ૧૯૬૧-૭૫માં તૈયાર કરી પ્રકાશિત કરી છે. એને માટે વપરાયેલી હસ્તપ્રતોમાં સહુથી જૂની પ્રત વિ.સં. ૧૦૭૬(ઈ.સ. ૧૦૨૦)ની છે. અર્થાત્ મહાભારત માટે પ્રયોજાયેલી સહુથી જૂની હસ્તપ્રત (ઈ.સ. ૧૫૧૧) કરતાં લગભગ પાંચ શતક જેટલી પૂર્વકાલીન છે. વડોદરાની એ સંસ્થા તરફથી વિષ્ણુપુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર થઈ છે, પરંતુ હજી પ્રકાશિત થઈ નથી. અમદાવાદનું ભો. જે. વિદ્યાભવન ભાગવત પુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી રહ્યું છે, તેનો ગ્રંથ ૧ (સ્કંધ ૧-૩) અને ગ્રંથ ૪, ખંડ ૧ (સ્કંધ ૧૦) પ્રકાશિત થયા છે, જ્યારે બાકીના ગ્રંથ સંપાદિત થઈ રહ્યા છે. ભાગવતપુરાણની એક દેવનાગરી પ્રત વિ. સં. ૧૧૮૧ (ઈ. સ. ૧૧૨૪-૨૫) જેટલી પ્રાચીન છે. મહાભારત અને રામાયણમાં ઉત્તરી અને દક્ષિણી વાચનાઓ મળી છે, જ્યારે ભાગવતમાં એવો વાચનાભેદ રહેલો નથી. એના દશમ સ્કંધના ત્રણ અધ્યાય (નં ૧૨ થી ૧૪) પ્રક્ષિપ્ત હોવાનું કેટલીક હસ્તપ્રતો તથા વિજયધ્વજની ટીકા પરથી સિદ્ધ થયું છે. શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અધ્યાયો પર વૃત્તિ લખી છે, પરંતુ તેઓને વિગીત (પ્રક્ષિપ્ત) ગણ્યા છે. વારાણસીના કાશીરાજ ટ્રસ્ટ તથા વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિર દ્વારા બીજાં કેટલાંક પુરાણોની સમીક્ષિત આવૃત્તિઓ તૈયાર કરાય છે, પદ્મપુરાણ અને સ્કન્દપુરાણ જેવાં જ્ઞાનકોશાત્મક પુરાણોના વિભિન્ન ખંડોના સમયાંકન માટે તેઓની હસ્તપ્રતો ઉપયોગી નીવડશે. Page #126 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતોનું ઐતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્ત્વ ૧૧૧ જૈન સાહિત્યમાં મુનિ જિનવિજ્યજી, પંડિત સુખલાલજી, મુનિ પુણ્યવિજ્યજી તથા મુનિ જંબુવિજ્યજી જેવા વિદ્વાનોએ અનેક ગ્રંથોની સમીક્ષિત આવૃત્તિઓ તૈયાર કરી છે. ઇતિહાસોપયોગી પ્રબન્ધ ગ્રંથોમાં મુનિ જિનવિજયજીએ પ્રબંધચિન્તામણિ, વિવિધતીર્થકલ્પ, પ્રબંધકોશ, પ્રભાવક ચરિત અને પુરાતન પ્રબન્ધ સંગ્રહ જેવા અનેક ગ્રંથ સંપાદિત કર્યા છે. પં. સુખલાલ સંઘવીએ ‘સન્મતિતર્ક પ્રકરણ” અને “તો પપ્લવસિંહ' જેવા તત્ત્વજ્ઞાનાત્મક ગ્રંથ સંપાદિત કરેલ છે. મુનિ શ્રી પુણ્યવિજયજીએ બૃહત્કલ્પસૂત્ર' અને અંગવિજા' જેવા આગમગ્રંથ તેમ જ ‘કીર્તિકૌમુદી’ અને ‘સુકૃતસંકીર્તન’ જેવાં પ્રશસ્તિકાવ્ય તથા બીજા અનેક ગ્રંથ સંપાદિત કર્યા છે. મુનિ શ્રી જંબુવિજયજી આગમગ્રન્થોના સમીક્ષિત સંપાદનમાં વષોંથી પ્રવૃત્ત છે. મુનિ જિનવિજયજી જેવા વિદ્વાનોએ તૈયાર કરેલ ગ્રન્થપ્રશસ્તિસંગ્રહ તેમ જ મુનિ પુણ્યવિજય જેવા વિદ્વાનોએ તૈયાર કરેલ અનેક ગ્રંથભંડારોમાંની હસ્તપ્રતોની સૂચિઓ હસ્તપ્રતોને અધ્યયન તથા સંશોધન માટે મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે. આ સંદર્ભમાં જૈન આગમ ગ્રંથો તથા બૌદ્ધ ત્રિપિટક ગ્રંથોના મૂળ પાઠ અને તેઓની અસલ ભાષાની સમસ્યા પણ આપણું ધ્યાન ખેંચે છે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ સમકાલીન હતા ને એ બંનેનાં વિહારક્ષેત્ર પણ લગભગ એક જ હતાં. છતાં એ બે ધર્મપ્રવર્તકોનાં જે પ્રવચન તેઓના શિષ્યો તથા શ્રોતાઓ દ્વારા ગ્રંથરૂપે સંકલિત થયાં છે તે આગમોની અને ત્રિપિટકોની ભાષા હાલ આટલી ભિન્ન કેમ લાગે છે ? આ સમસ્યાના નિવારણ માટે આ બંને પ્રકારના ધર્મગ્રંથોના મૂળ પાઠ શોધી એને આધારે એનાં પ્રાચીનતમ ભાષાસ્વરૂપ શોધી કાઢવાની તાતી જરૂર રહેલી છે. આ માટે હસ્તપ્રતોના વિભિન્ન પાઠ તેમ જ તે સમયમાં પ્રયોજાયેલી પ્રાદેશિક ભાષાઓના પ્રચલિત સ્વરૂપનું સૂક્ષ્મ અધ્યયન તથા સંશોધન કરવું આવશ્યક બની રહે છે. તાજેતરમાં આ દિશામાં કેટલાક પુરુષાર્થ આરંભાયો છે એ આવકારપાત્ર છે. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજની જન્મશતાબ્દી નિમિત્તે આ બાબતમાં કોઈ સંગીન યોજના ઘડાય ને એને સક્રિય રીતે કાર્યાન્વિત કરવાનાં ચક ગતિમાન થાય એવી આશા રાખીએ. Page #127 -------------------------------------------------------------------------- ________________ १२. प्राकृत-अपभ्रंश पांडुलिपियों की सम्पादन-प्रक्रिया प्रो. प्रेमसुमन जैन प्राकृत-अपभ्रंश पांडुलिपियों की सम्पादन-प्रक्रिया श्रमण संस्कृति में हस्तलिखित ग्रन्थों की सुदीर्घ परम्परा से जानी जा सकती है । लेखनकला के विकास में जैन आचार्यो, मुनियों व श्रावकों का महत्त्वपूर्ण योगदान है । ऐतिहासिक दृष्टि से जैन परम्परा में यह कहा जाता है कि भगवान ऋषभदेव ने अपनी पुत्रियों को लिपिकला का ज्ञान दिया था। भगवान महावीर के उपदेश बहुत समय तक मौखिक परम्परा द्वारा ही सुरक्षित रहे हैं। लगभग १-२ शताब्दी तक संभवत: जैन ग्रन्थों को लिपिबद्ध करने की बात सोची जाने लगी थी । सम्राट खारवेल के अभिलेख में आगम लिखवाने का उल्लेख है । अनुयोगद्वारसूत्र में भी पत्रारुढ श्रुत (ग्रन्थ) को द्रव्यश्रुत माना गया है। किन्तु जैन आगमों को लिखित स्वरूप आचार्य देवर्द्धिगणि की अध्यक्षता में संवत् ९८० में वल्लभी में आयोजित सम्मेलन में ही प्राप्त हुआ है । यद्यपि इसके पूर्व पहली-दुसरी शताब्दी में आचार्य उमास्वाति तथा कुन्दकुन्दाचार्य जैसे विद्वान् ग्रन्थलेखन का प्रारम्भ कर चुके थे। ___ पांडुलिपि-सम्पादन में आज जो पाठान्तरों, सम्प्रदायों तथा अर्थान्तरों की समस्याएं हैं, वे प्राचीन समय में भी थीं । जैन आगम-साहित्य एवं उसके व्याख्या-साहित्य के अध्ययन से यह स्पष्ट होता है कि आचार्य देवर्द्धिगणि के समक्ष भी आगमों के कई मौखिक पाठान्तर प्रचलित थे । उस समय आगमों का सर्व प्रथम लिपिबद्ध सम्पादन हुआ उसमें उन सभी पाठान्तरों को सम्मिलित कर लिया गया था । आगे चल कर व्याख्या साहित्य में भी कई पाठान्तर सुरक्षित होते रहे हैं । अत: पाठान्तर की एक लम्बी परम्परा है । पाठान्तर होने के कई कारण हैं, जैसे (१) आचार्यों की परम्परा भेद से पाठान्तर होते हैं। (२) जैन ग्रन्थों के लेखक प्रायः मुनि रहे हैं । वे जब किसी ग्रन्थ की पांडुलिपि का वाचन करते हुए उपदेश देते थे तो व्याख्या करते हुए कई अन्य गाथाएँ आदि उसी पांडुलिपि के हाशिये पर लिख देते थे। कालान्तर में जब उस पाण्डुलिपि की प्रति लिखी जाती थी तो हाशिये पर लिखी सामग्री भी मूलग्रन्थ में सम्मिलित हो जाती थी। - ११२ Page #128 -------------------------------------------------------------------------- ________________ प्राकृत- अपभ्रंश पांडुलिपियों की सम्पादन प्रक्रिया (३) इसी प्रकार मूल ग्रन्थों की व्याख्या और टीका आदि में आये हुए कई पद कालान्तर में मूलपाठ के साथ मिला दिये जाते थे । (४) लिपि की अस्पष्टता एवं (५) लिपिकार का कवित्व भी कई बार अनेक पाठान्तरों को जन्म देता रहा I (६) प्रदेशगत भिन्नता से भी कई पाठान्तर पांडुलिपियों में हुए हैं । ' अतः सम्पादन कार्य में प्रवृत्त व्यक्ति के लिए इन बातों को ध्यान में रखते हुए ही पाठ-निर्धारण करना चाहिए | जैन ग्रन्थों के प्रसिद्ध टीकाकार अभयदेवसूरि के समक्ष भी प्रायः ये ही कठिनाइयाँ थीं । उन्होंने लिखा है कि अर्थबोध की सम्यक् गुरू परम्परा (सत् सम्प्रदाय) तथा अर्थ की आलोचनात्मक स्थिति (सत् ऊह ) प्राप्त नहीं है। अनेक वाचनाएं हैं । पुस्तके अशुद्ध हैं। कृतियां सूत्रात्मक होने के कारण बहुत गंभीर हैं । अर्थविषयक मतभेद भी हैं। फिर भी सम्पादन कार्य करना है । इस प्रकार के अथवा परिश्रमी जैनाचार्यों द्वारा ही प्राचीन ग्रन्थ सम्पदा की सुरक्षा हुई है, जो आज हमारी एक थाती के रूप में है । प्राकृत साहित्य के अध्ययन से यह बात स्पष्ट होती है कि जैन संघ की जीवन-पद्धति में ज्ञान-मीमांसा सर्वोपरि रही है। मुनि एवं गृहस्थ धर्म का महत्त्वपूर्ण पक्ष स्वाध्याय रहा है | आत्म-चिन्तन में स्वाध्याय जितना उपयोगी है, उतना ही शास्त्र लेखन ग्रन्थ संरक्षण में उसका महत्त्व है। जैन समाज में प्राचीन समय से ही यह धारणा हो गयी थी कि शास्त्र - सम्बन्धी कोई भी कार्य करने से पुण्यलाभ होता है। अपभ्रंश कवि नरसेन ने कहा है: - एहु सत्थु जो लिहइ लिहावइ पढइ पढावइ कहइ कहावइ । जो रु - णारि एहु मणु भावइ पुणह अहिउ पुण्णफलु पाव‍ ।। · - (वडमाणकहा) स्वाध्याय की इसी प्रवृत्ति के परिणामस्वरूप सारे देश में ग्रन्थ भण्डारों की स्थापना हुई है जैन, अजैन सभी महत्त्वपूर्ण ग्रन्थों की सुरक्षा इन ग्रन्थ भण्डारों के प्रबन्ध द्वारा हुई हैं । सम्पादन कला से सम्बन्धित महत्वपूर्ण सामग्री इन जैन भण्डारों में सुरक्षित है । अतः ये ग्रन्थ भण्डार किसी भी भाषा व साहित्य के ग्रन्थ-सम्पादन के कार्य के लिए आज अपरिहार्य हो गये हैं । राजस्थान के जैन ग्रन्थ भण्डारों में इस दृष्टि से विपुल और महत्त्वपूर्ण सामग्री उपलब्ध हैं । जैन साहित्य की पांडुलिपियों के अवलोकन से सम्पादन कला के लिए उपयोगी कई तथ्य प्राप्त होते हैं । जैन पांडुलिपियों के मर्मज्ञ विद्वान स्व. मुनि श्री पुण्य - विजयजी ने ૧૧૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન भारतीय जैन श्रमण संस्कृति अने लेखनकला नामक अपने विस्तृत लेख में सम्पादनकला - सम्बन्धी महत्त्वपूर्ण जानकारियां प्रस्तुत की हैं ।" उसमें उन्होंने बताया है कि प्राचीन पांडुलिपियां कैसे लिखी जाती थीं, उनके लेखक कौन होते थे, लेखन सामग्री क्या होती थी, लिपि का स्वरूप कैसा होता था तथा जैन पांडुलिपियों की लिपि की खास विशेषताएं क्या थीं, इत्यादि। इन जैन ग्रन्थ-भण्डारों की पांडुलिपियों से पता चलता है कि ग्रन्थ लिखने के लिए अधिकतर ताडपत्र, वस्त्र एवं कागज का प्रयोग किया जाता था । भोजपत्र में लिखा हुआ कोइ भी जैन ग्रन्थ अभी तक प्राप्त नहीं हुआ है। सबसे पहले ताडपत्र में ग्रन्थ लिखे गये हैं । पाटन, जैसलमेर, मूडविद्रि आदि के ग्रन्थ-भण्डारों में ताड-पत्रीय पांडुलिपियां प्रचुर मात्रा में सुरक्षित हैं। विद्वानों का मत है सबसे पुरानी ताडपत्रीय पांडुलिपि जैसलमेर ग्रन्थ- भण्डार से प्राप्त हुई है। वह है, १०६० में लिखी गयी ओपनियुक्ति की प्रति । पाटन भण्डार से सबसे अधिक लम्बी ताड-पत्रीय प्रति मिली है 'प्रमेयकमलमार्तण्ड' की, जो ३७ इंच लम्बी है । वस्त्र पर यद्यपि अधिक ग्रन्थ नहीं लिखे गये, किन्तु फिर भी जैन लेखकों ने वस्त्रों पर कई सुन्दर ग्रन्थ लिखे हैं । पाटन के शास्त्र-भण्डार में सबसे प्राचीन १३७१ ई. का ६२ पन्नों का वस्त्र पर लिखा एक ग्रन्थ मिला हैं । कलात्मक चित्रों के लिए वस्त्रों का पर्याप्त उपयोग हुआ है। कई प्रकार की स्याही लेखन में प्रयुक्त होती थी। स्याही की निर्माण-प्रक्रिया का वर्णन भी जैन पांडुलिपियों में उपलब्ध है ।' देशकाल की भिन्नता के कारण जैन पांडुलिपियों की लिपि में भी कइ भेद हो गये हैं। यतियों की लिपि, खरतरगच्छीय लिपि, मारवाडी, लहियों (लेखकों) की लिपि, गुजराती लहियों की लिपि आदि में पर्याप्त अन्तर है । ग्रन्थ-सम्पादन में इन लिपियों की भेदरेखा की जानकारी आवश्यक है तभी शुद्ध पाठ-निर्धारण किया जा सकता है । यपि जैन लिपि की कई विशेषताएं हैं, किन्तु निम्न प्रमुख विशेषताओं का यहाँ उल्लेख करना उपयोगी होगा : १. पडीमात्रा: प्राचीन समय में अक्षरों के साथ मात्राओं को लिखने का प्रचलन था। जैन ग्रन्थभण्डारों में संस्कृत, प्राकृत, अपभ्रंश आदि भाषाओंकी जो पांडुलिपियां मिलि है, उनमें प्राचीन पांडुलिपियों में पडीमात्रा का प्रायः प्रयोग हुआ है । पहले लिखने की सामग्री बहुत सूक्ष्म होती थी। ताडपत्र अथवा कागज का आकार छोटा होता था । अतः अक्षरों के उपर मात्राएं कर कम लगायी जाती थीं । पृष्ठमात्रा में काम चलाया जाता था । Page #130 -------------------------------------------------------------------------- ________________ प्राकृत-अपभ्रंश पांडुलिपियों की सम्पादन-प्रक्रिया ११५ यथा:- के = |क, कै = |के =, को = |का, कौ - को आदि । पांडुलिपि - अन्वेषकों का कहना है कि जैन पांडुलिपियों में इसी पडी मात्रा का प्रचलन प्रायः सत्रहवीं शताब्दी तक रहा है। पाठ सम्पादन में इस पद्धति का ज्ञान बहुत आवश्यक है । अन्यथा कई शब्द अशुद्ध उतार लिए जाते हैं । यथा :-- तामानिकर = (तमोनिकर) - तामा - निकर, तरोनिकर आदि । किसलयाकामल = (किसलय कोमल) - किसलया - कामल, आदि । आजकल बंगला लिपि में पृष्ठमात्रा का प्रचलन है, जो संभवत: मगध की प्राकृत भाषा में लिखित प्रतियों का प्रभाव है। २. अक्षरात्मक अंक: प्राचीन जैन पांडुलिपियों की यह एक प्रमुख विशेषता है कि उनमें अंकों के स्थान पर या उनके साथ-साथ अक्षरात्मक अंक भी प्रयुक्त हुए हैं । यथा : १. = नुं अथवा श्री १ =र्ग २. = न, स्त्रि २ ८=ी ३. = म., श्री ३ ४. = वो अथवा के आदि। १०ल, २० = घा ४०= प्त ५. = क अथवा न ५०छ ६. = फ, र्फ जिनभद्रगणि के 'जिनकल्पसूत्र' के भाष्य में मूल गाथाओं के अंक अक्षरात्मक अंको में दिए गये हैं। अन्य पांडुलिपियों के पृष्ठ संख्या में भी अथवा छनद संख्या आदि में भी इस प्रकार के अंकों का प्रयोग देखा जाता है। श्री भंवरलालजी नाहटा ने अपने लेख में इस प्रकार के अंकों के कुछ उदाहरण दिये हैं। . इस प्रकार के अक्षरात्मक अंकों का परिचय त्रिशती नामक प्राचीन गणित ग्रन्थ में दिया गया है । उसमें एक से दस हजार तक अक्षरात्मक अंक लिखे हैं । इन अंकों की सामान्य जानकारी होने से सम्पादन - कार्य में कुछ सुगमता हो सकती है । ये अक्षरात्मक अंक संभवतः मांगलिक कारणों से प्रयुक्त हए होंगे हो सकता है कि इनके प्रयोग में गोपनीयता भी आधार रही हो। Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન ३. शब्दात्मक अंक : प्राचीन पांडुलिपियों एवं पुरातात्विक साक्ष्यों में शब्दात्मक अंकों का प्रयोग भी देखा जाता है । सम्पादक के लिए इनका ज्ञान बहुत आवश्यक है। शब्दात्मक अंकों का यद्यपि कोई निश्चित कोष नहीं है । किन्तु प्रयोग के आधार पर उनके संकेत ग्रहण किये जा सकते हैं । एक अंक के लिए कई शब्द प्रयुक्त हुए हैं । किन्तु उदाहरण के लिए कुछ प्रयोग देखे जा सकते हैं । यथा : पितामह, चन्द्र, वसुधा = १ नेत्र, कर्ण, बाहु = २ लोक, काल, वचन = ३ वेद, सागर, आश्रम = ४ बाण, इंद्रिय, पांडव = ५ रस, ऋतु, |लेश्या =६ देव = ३३, कला = ७२ आदि । शब्दात्मक अंको के प्रयोग वाली पांडुलिपियों के सम्पादन में बहुत सावधानी की आवश्यकता है, अन्यथा पंक्ति के आगे लिखा हुआ अंक ( शब्दात्मक) भी पाठ में सम्मिलित हो सकता है । इन शब्दों के ज्ञान के द्वारा तिथि आदि के निश्चय करने में भी सहायता मिलती है। 1 पर्वत, मुनि, अश्व= ७ सर्प, कुंजर, मंगल = ८ निधि, तत्व, हरि = ९ दिशा, कर्ण, प्राण = १० नख = २०, जिन = २४ ४. पांडुलिपि संशोधन के संकेत : I प्राचीन पांडुलिपियों को लेखक लिखकर अथवा लिखवाकर उसे फिर संशोधन की दृष्टि से पढ़ते थे । उस समय मूल पाठ में जिस प्रकार के संशोधन की आवश्यकता होती थी उसे विशेष चिह्न द्वारा अंकित कर पत्र के हाशिये में लिख दिया जाता था । पांडुलिपि- सम्पादन में इस प्रकार के संशोधनों का बड़ा महत्त्व है । जैन परम्परा में गुरु-शिष्य की अनवरत परम्परा होने के कारण ऐसे संशोधन प्रायः होते रहते थे । कुछ पांडुलिपियां स्वयं लेखक द्वारा भी संशोधित पायी जाती हैं। संशोधन के इन संकेत चिह्नों के कुछ उदाहरण यहाँ द्रष्टव्य हैं : १. २. ३. ४. - छूटे हुए पाठ को दिखाने वाले चिह्न - आदि । आकारांत मात्रादर्शक चिह्न अन्य अक्षरसूचक चिन्ह (जैसे पओहर = पओधर ) अक्षर बदल जाने पर २-१ ( यथा चरण = चण २१ र) - Page #132 -------------------------------------------------------------------------- ________________ प्राकृत अपभ्रंश पांडुलिपियों की सम्पादन- प्रक्रिया छूटे हुए पाठ की पंक्ति का नम्बर- पं. ओ. । ५. ६. शब्द और अक्षर का भेद । यथा - ७. विभाग दर्शक संकेत ।। यथा - ८. विभक्ति, वचन दर्शकचिह्न - १-१, २- २,३-३ = ( अर्थात् प्रथमा एकवचन, द्वितीया द्विवचन, तृतीया बहुवचन) ९. शब्द का पयार्य सूचक चिह्न = यथा - शशि = चन्द्र आदि । १०. विशेषण, विशेष्यसूचक चिह्न यथा क्षीणे शरीर आदि । णूम = माया, जडु = हाथी, क्रमणी= जूते, भहणह = महणह श्लोक का एक चरण आदि - I ये कुछ सामान्य संशोधन दर्शकचिन्ह हैं । इनके स्वरूप में भी विभिन्न पांडुलिपियों के प्रयोग में अन्तर आ गया है । किन्तु अभ्यास से उन्हें समझा जा सकता है । तान्त्रिक ग्रन्थों में कुछ विशेष प्रकार के चिह्न प्रयुक्त पाये जाते हैं । ५. भाषागत विशेषताएं : देश की प्राय: सभी भाषाओं में जैन साहित्य लिखा गया है। प्राकृत और अपभ्रंश इस साहित्य की प्राचीन भाषाएं रही हैं। इन भाषाओं की हजारों पांडुलिपियां ग्रन्थभण्डारों में उपलब्ध हुई हैं, जिनमें से अद्यावधि बहुत कम प्रकाशित हो पायी हैं । इन पांडुलिपियों में विभिन्न कालों की देश में प्रचलित लोकभाषाओं के शब्दों का प्रयोग हुआ है। प्राकृत एवं अपभ्रंश व्याकरण से सम्मत शब्दों के अतिरिक्त कुछ विशिष्ट शब्दों का प्रयोग भी इन ग्रन्थों में हुआ है, जिन्हें देशज शब्द कहा जाता है। हेमचन्द्र ने देशी नाममालामें ऐसे अनेक शब्दों का संग्रह किया है । किन्तु उसके बाहर के भी हजारों देशी शब्द जैन साहित्य की पांडुलिपियों में प्रयुक्त हुए हैं । सम्पादकों की सूक्ष्म दृष्टि एवं भाषागत बहुज्ञता ऐसे शब्दों के अर्थ खोजने में सहायक होती है । अत: जैन साहित्य का इस प्रकार से अध्ययन करने से अन्य ग्रन्थों के सम्पादन कार्य में सहायता मिल सकती है । प्राकृत साहित्य में प्रयुक्त कुछ देशज शब्द दृष्टव्य हैं : अन्दु =जंजीर, घडा = गोष्ठी, फेल्ल = दरिद्र, ૧૧૭ बोंदि=शरीर ओम = दुर्भिक्ष सिग्ग = परिश्रम पांडुलिपि- सम्पादन में हर शब्द का अर्थ कोश अथवा व्याकरण की सहायता से नहीं खोजा जा सकता । प्रसंग और लोक प्रचलन को भी आधार बनाया जा सकता है । Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન अतः अपरिचित शब्द को पाठान्तर में डालने का ही विकल्प नहीं है । उसके सही अर्थ को खोजने का प्रयत्न भी किया जा सकता है। ___ आधुनिक भाषाओं की पांडुलिपियों में बहुत से ऐसे शब्द प्रयुक्त मिल सकते हैं, जिनका मूल रूप संस्कृत में प्राप्त न हो । वे शब्द प्राकृत और अपभ्रंश की परम्परा से भी सीधे आ सकते हैं । क्योंकि आज भी बहुत से प्राकृत के शब्द हमारी बोलचाल की भाषा अथवा साहित्य में प्रयुक्त हो रहे हैं । इस दृष्टि से भी हिन्दी पांडुलिपियों के सम्पादन में प्राकृत-अपभ्रंश भाषाओं का ज्ञान उपयोगी होगा। प्राकृत-अपभ्रंश की पांडुलिपियों की समस्त विशेषताओं को प्रदर्शित करना श्रमसाध्य और अनुभव का कार्य है । उनका सम्पादन कैसे करना चाहिए, इस सम्बन्ध में भी कोई दिग्दर्शक पुस्तक लिखे जाने का प्रयत्न अभी तक नहीं हुआ है। किन्तु विगत सौ वर्षों में प्राकृत-अपभ्रंश के अनेक ग्रन्थ सम्पादित होकर प्रकाश में आये हैं । विदेशी एवं भारतीय विद्वान सम्पादकों ने इन ग्रन्थों के सम्पादन में जो पद्धतियां अपनायी हैं, वे आज सम्पादन कला की दस्तावेज के रूप में मानी जा सकती हैं । इन सम्पादित ग्रन्थों के प्राक्कथनों के अध्ययन से सम्पादन कला की कई बारीकियां सीखी जा सकती हैं । इस दृष्टि से डॉ. पी. एल. वैद्य, डॉ. ए. एन. उपाध्ये, डॉ. हीरालाल जैन, मुनि श्री पुण्यविजयजी, मुनि श्री जिनविजयजी, पं. दलसुखभाई मालवणिया, डॉ. एच. सी. भायाणी आदि ख्यातिप्राप्त सम्पादकों के ग्रन्थ' सम्पादन-कार्य में प्रवृत्त होने वाले विद्वान को अवश्य देखने चाहिए। और उसे बनारस, कलकत्ता, जयपुर, जोधपुर, लाडनूं अहमदाबाद, बडौदा, पूना आदि स्थानों में स्थित शोध संस्थानों में जाकर सम्पादनकला का व्यावहारिक ज्ञान भी प्राप्त करना चाहिए । तभी अभीष्ट ग्रन्थ-विशेष का सर्वांगीण सम्पादन-कार्य संभव है । प्राकृत-अपभ्रंश भाषा के ज्ञान के लिए अपभ्रंश अकादमी, जयपुर के पाठ्यक्रम एवं पुस्तकें भी उपयोगी हैं। पादटीप १. अंगसुत्ताणि, भूमिका, मुनि नथमल २. स्थानांगवृत्ति, प्रशस्ति १.२ सत्सम्पद्रदायहीनत्वात् सदूहस्य वियोगतः । सर्वस्वपरशास्त्राणामदृष्टेरस्मृतेश्च मे ।। १ ।। वाचनाननामकेकत्वात् पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगाम्भीर्याद् मतभेदाच्च कुत्रचित् ।। २ ।। Page #134 -------------------------------------------------------------------------- ________________ प्राकृत अपभ्रंश पांडुलिपियों की सम्पादन प्रक्रिया ३. डॉ. कासलीवाल, जैन ग्रन्थ भण्डाराज इन राजस्थान, पृष्ठ ३-७ ४. डॉ. कासलीवाल : राजस्थान के जैन शास्त्र - भण्डारों की सूची (१-५ भाग ) ५. लालभाई दलपतभाई संस्कृति विद्यामंदिर, अहमदाबाद के पुस्तकालय में उपलब्ध सामग्री | ६. डॉ. कासलीवाल, जैन ग्रंथ भंडाराज इन राजस्थान, पृष्ठ १३ ७. श्री भंवरलाल नाहटा, जैन लेखनकला, राजस्थान का जैन साहित्य, पृष्ठ ४०० ४०१ ८. भंवरलाल नाहटा, वही, पृष्ठ ४०२ ९. द्रष्टव्य, प्राकृत साहित्य का इतिहास, डॉ. जे. सी. जैन, पृष्ठ ६९३ १०. द्रष्टव्य, ज्ञानपीठ पत्रिका, वर्ष ७, अंक ३ (१९६८) ११. महापुराण - पी.ओल. वैद्या, कुवलयमाला कहा- ए. एन. उपाध्ये, णायकुमारचरि हीरालाल जैन, पउमचरिउ - भायाणी, जंबुसामीचरिउ - विमल प्रकाश जैन, आदि । - ૧૧૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩. બુદ્ધિસાગર વ્યાકરણ : હસ્તપ્રતો અને સંપાદન ડિૉ. નારાયણ એમ. કંસારા 'પ્રભાવક ચરિત'માંના અભયદેવસૂરિપ્રબંધ'માં જીનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ વિષે ઘણી માહિતી મળી આવે છે. જીનેશ્વરસૂરિએ ન્યાયવિષયક પ્રમાણમ્ય” નામે ગ્રંથની અને બુદ્ધિસાગરસૂરિએ “શબ્દલક્ષ્ય' અર્થાત વ્યાકરણવિષયક પંચગ્રંથી વ્યાકરણ” અથવા “બુદ્ધિસાગરવ્યાકરણ'ની રચના કરીને એમના જમાનામાં શ્વેતામ્બર જૈનોના સાહિત્યમાંની તે તે ક્ષેત્રમાંની ઊણપ પૂરી કરી હતી. આ બન્ને ગ્રંથકારો ખરતર ગચ્છના શ્વેતામ્બર જૈન આચાર્યા હતા અને તેમનો સમય આશરે ઈ.સ. ૯૮૦થી ૧૦૨૫ના અરસામાં જણાય છે. એમાંથી બુદ્ધિસાગરસૂરિકૃત ‘પંચગ્રંથી બુદ્ધિસાગર વ્યાકરણ' જેને ગ્રંથકારે પ્રારંભના મંગલશ્લોકમાં “શબ્દલક્ષ્ય” તરીકે ઓળખાવ્યું છે, તેની ચાર હસ્તપ્રતો મળી આવે છે : (૧) જેસલમેરનું તાડપત્ર (૨) પાટણની પ્રત ક્રમાંક ૬૬૦૮ (૩) પાટણની પ્રત ક્રમાંક ૬૮૩૩, અને (૪) વડોદરાની પ્રત. આ ચાર હસ્તપ્રતોનું વિગતવાર વિવરણ નીચે મુજબ છે : ૧. જેસલમેરનું તાડપત્ર: મૂળ તાડપત્રપ્રત જેસલમેરના બડભંડારમાં નં. ૬૦૮ તરીકે સચવાયેલી છે. આ હસ્તપ્રતની માઇક્રોફિલ્મ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજસાહેબે તૈયાર કરાવી હતી, જે આજે પણ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલોજી) માં માઈક્રોફિલ્મ રોલ નં. ૬. માંના નં. ૯૫ રૂપે સચવાઈ રહી છે. આ માઇક્રોફિલ્મની ફોટોકોપીની પ્લેટ નં. ૧૩૧ થી ૧૮૭ અર્થાત્ ૫૭ પ્લેટો પર હસ્તપ્રતના કુલ ૩૯૪ પત્રોના ફોટોગ્રાફ કાઢવામાં આવ્યા છે. આમાં પત્રોની લંબાઈ આશરે ૪૫ થી ૩૦ સે. મિ. છે. અર્થાતુ કેટલાક પત્રો લાંબા છે તો કેટલાંક ટૂંકા પણ છે. પત્રોની પહોળાઈ આશરે પાંચ ૧૨૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિસાગર વ્યાકરણ હસ્તારો અને સંપાદન ૧૨૧ સં. મિ. છે. એમાં પત્ર નં ૨૦૧ ખોવાઈ ગયું છે. સૂચિમાં આ હસ્તપ્રતમાં સચવાયેલી કૃતિનું નામ “બુદ્ધિસાગર વ્યાકરણ” દર્શાવવામાં આવ્યું છે. આ પત્ર આશરે વિક્રમ સંવતની ૧૩મી સદીમાં લખાઈ હતી. પ્રથમ પત્રની ડાબી બાજુમાં આશરે આઠમા ભાગનો ટુકડો પડી ખોવાઈ ગયો છે. પ્રત્યેક પત્રના બન્ને બાજુનાં પૃષ્ઠો પર ૩ થી ૬ પંકિતઓમાં લખાણ છે. પત્રમાં જમણા અને ડાબા હાંસિયા છે, પણ સાથે સાથે વચ્ચે પણ સરખા ભાગવાળી લંબાઈના બીજા બે હાંસિયા પાડ્યા છે અને એ બે હાંસિયાઓમાં દોરી પરોવવા માટે છિદ્ર રાખવામાં આવ્યું છે. આ હસ્તપ્રતમાંનું લખાણ જૈન દેવનાગરી લિપિમાં પડિમાત્રાની પદ્ધતિએ લખવામાં આવ્યું છે. પ્રથમ પત્રનું એક પૃષ્ઠ કોરું છે. જ્યારે બીજા પૃષ્ઠ ઉપર “ નિનને સાયમસિં સ્મતાનાં ગુર | નવા” એમ લખાણ શરૂ થાય છે. આ હસ્તપ્રતના અંતે ૩૭૪માં પત્રના પ્રથમ પ્રકમાં જમણી બાજુના છેલ્લા એકતૃતીયાંશ ભાગની છઠ્ઠી પંકિતના આરંભથી આ - પ્રમાણે લખાણ છે. શ્રી નારાતિપુર તાદ્ય મા સતસ ૨૨ // .” ફોટોકોપીમાં તાડપત્રનાં પાનાં એવી રીતે ગોઠવવામાં આવ્યાં છે કે દરેક પ્લેટમાં ૧૪ પૃષ્ઠો આવે અને તે દરેક કાં તો પત્રોનાં એક સરખા જ પૂછો હોય - બધાં જ મ પૃષ્ઠો અથવા બધાં પત્રકમાંકવાળાં ૨ પૃષ્ઠો. છેલ્લી ૧૮૭ ક્રમાંકવાળી પ્લેટમાં પૃષ્ટવાળાં પાંચ પત્રો (ક્રમાંક ૩૬૯ થી ૩૭૩)ના ફોટા છે, જ્યારે તેની પૂર્વેની ૧૮૬મી પ્લેટમાં છ પત્રો (કમાંક ૩૬૯ થી ૩૭૪)ના ૩ પ્રમના ફોટા છે. આ ફોટા પછી આશરે ૬ સે.મિ. ની જગા વચ્ચે છોડી દઈને નીચે અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં નીચેનું લખાણ મૂકવામાં આવ્યું છે : This Oldest Jaina collection of Palm and Paper manuscripts (Shri Jinabhadra Jaina Gnana Bhandar) after eight hundred years has been completely been revised, recognized, descriptively catalogues and microfilming arrangements made in V. S. 2006 • 7, by Muni Punyavijayaji Maharaja. Financial contribution through Jain Swetamber Conference, Bombay”. અર્થાત્ તાડપત્ર અને કાગળની હસ્તપ્રતોના આ પ્રાચીનતમ સંગ્રહ (શ્રી જીનભદ્ર જૈન જ્ઞાનભંડાર)ને, આઠસો વર્ષો પછી સંપૂર્ણ રીતે પુનરાવર્તિત, પુનવ્યવસ્થિત, વર્ગનપૂર્વક સૂચિબદ્ધ કરીને (હસ્તપ્રતોની) માઇક્રોફિલ્મો કરી લેવાની વ્યવસ્થા મુનિ પુણ્યવિજ્યજી મહારાજે વિ. સં. ૨૦૦૬ -૭માં કરી છે. આ માટેનું Page #137 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૨ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન : ૧ આર્થિક દાન જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ મારફત (મળ્યું છે). આ હસ્તપ્રત ખૂબ મહત્ત્વની છે કેમ કે તેને લીધે જ સંશોધકને ગ્રંથના સાચા પાઠ પ્રાપ્ત કરવામાં સહાય મળે છે, જોકે તેમાં ઉષ્મણનું તાલવ્યીકરણ (જેમ કે ? ને બદલે જ ઘ.ત. “') પ્રથમ પત્રની પ્રથમ પંકિતમાં તથા અનુસ્વારનો અભાવ (જેમ કે તે જ પત્રમાં તે જ સ્થાને પ્રથમ શ્લોકમાં ગુરુ પાઠમાં) તેમ જડ અને ડ વચ્ચેના ભેદનો અભાવ જોવા મળે છે જ. ૨. પાટણની પ્રત કમાંક ૬૬૦૮: આ હસ્તપ્રત જૂના અમદાવાદી કાગળ પર લખાયેલી છે, અને પાટણમાંના વાડીપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારમાં ડાબડા નં. ૧૬૮માં “બુદ્ધિસાગર વ્યાકરણ પંચગ્રંથી'એ નામે હસ્તપ્રત સૂચિમાં ૬૬૦૮ કમાંકે નોંધાયેલી છે. આ પ્રત વિ. સં. ૧૯૪૮માં લખાયેલી છે. એના કુલ ૧૦૪ પત્રો છે. દરેક પત્રની લંબાઈ પહોળાઈ ૩૦.૫ x ૧૧.૧ સે.મિ. છે. લખાણવાળા ભાગની લંબાઈ પહોળાઈ ૨૫૪ x ૮.૭ સે.મિ. છે. અક્ષરોનું માપ આશરે ૦.૩ સે.મિ. છે. લખાણ દેવનાગરીમાં પડિમાત્રા શૈલીમાં છે. ગ્રંથનું નામ ડાબા હાંસિયામાં બીજી અને ત્રીજી પંકિતની હરોળમાં બલુદ્ધિસાગર ત ચારા' એમ લખવામાં આવ્યું છે. પત્ર ૫૬૬ના માટે પ્રત્યેક પૃષ્ઠની વચ્ચોવચ્ચ અંગૂઠા તથા આંગળાનું ટેરવું મૂકવા માટે આશરે બે સે.મિ.ની ચોરસ કોરી જગ્યા રાખી છે અને ડાબા તથા જમણા હાંસિયામાં વચ્ચોવચ્ચ એક વર્તુળ તથા ઉપર નીચે કલાત્મક વેલીની કે ભાલાની રેખાત્મક આકૃતિ દોરેલી છે. ડાબા હાંસિયામાંના વર્તુળમાં નાગરી ૬૩, ૬ અને # એવા અક્ષર એકબીજાની ઉપર નીચે લખવામાં આવ્યા છે. જમણા હાંસિયામાંના વર્તુળમાં સળંગ પત્રકમાંકો ૯૬થી શરૂ કરીને લખવામાં આવ્યા છે. સાથે સાથે ૧ થી શરૂ કરીને અલગ પત્રકમાંકો પાછળના પૃષ્ઠ પર છેલ્લી પંક્તિની હરોળની નીચેના ભાગે જમણી બાજુના હાંસિયામાં લખેલા છે. લખાણમાં શ્લોક કે સૂત્રના અંતનું સૂચન લાલ શાહીની પાર્થભૂમિ પર કાળી શાહીના લખાણ દ્વારા કરવામાં આવ્યું છે. હાસિયામાંનાં વર્તુળો નીચે પણ લાલ પાર્શ્વભૂમિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાબો જમણો હાંસિયો પણ લાલ બેવડી રેખાઓ વડે લખાણભાગથી અલગ પાડવામાં આવ્યો છે. રિવાજ મુજબ પ્રથમ પત્રનું પ્રથમ પૃષ્ઠ કોરું રાખ્યું છે અને ગ્રંથનું લખાણ બીજા પૃષ્ઠથી શરૂ થાય છે. દરેક પૃષ્ઠ પર ૧૭ પંક્તિઓ છે અને દરેક પંક્તિમાં આશરે ૭૯ અક્ષરો છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિસાગર વ્યાકરણ : હસ્તપ્રતો અને સંપાદન ૧૨૩ પ્રથમ પત્રના બીજા પૃષ્ઠના લખાણનો આરંભ ભલે સંજ્ઞા સાથે આ રીતે થાય છે एद ।। नमः सर्वज्ञाय ।। सिद्धं जिनं सर्वविदं निरंजनं सज़दमीशं कमलालयं गुरुं । नत्वा પ્રો યુપૂર્ણ થવા પામ્યા વુધવવૃિદ્ધ | આ હસ્તપ્રતના કેટલાક પત્રોમાં ઊધઈને લીધે કાણાં પડવાથી થોડુંક લખાણ નષ્ટ થયું છે અને કેટલાક પાનાં ચોરી જવાથી કે કાગળ જૂનો થવાથી પીળાં પડી ગયાં છે અને બરડ થઈ ગયાં છે. પ્રથમપત્ર પર ઊડતી નજર કરતાં જ પાઠમાં ભૂલોની સુધારણા સાથે સાથે ભ્રષ્ટતાં પ્રવેશ્યાની સાબિતી મળવા લાગે છે. જેમ કે પ્રથમ મંગલાચરણ શ્લોકમાં જ મૂળમાંના ગુરુ ને બદલે પુરું એ સુધારો અને “ રાચાર્લ્સ' પાઠને બદલે ૫ નીકળી જઈને રાક્ષMા એવો ભ્રષ્ટ પાઠ થઈ ગયો છે. આ હસ્તપ્રતનું લખાણ પત્ર ૧૦૪ (સળંગ કમાંક ૧૦૭૦)ના બીજા પૃષ્ઠ પરની ૧૫મી પંકિતમાં પૂર્ણ થાય છે. આ પંક્તિમાં લખ્યું છે કે વિનોદિત્ય નાનાત્ साशीतिके याति समासहस्रे सश्रीकजाबालिपुरे तदाद्यं दृब्धं मया सप्तसहस्रकल्पं ॥११॥ શ્રી | સુમં માતુ II ઈ | શ્રી / છ II શ્રીઃ આરંભ અને અંતને લક્ષમાં લેતાં જ જણાઈ આવે છે કે આ પ્રતમાં જેસલમેરની પ્રત ઉપરથી નકલ ઉતારવામાં આવી છે. ૩. પાટણની પ્રત ક્રમાંક ૬૮૩૩: આ હસ્તપ્રત પાટણના હેમચંદ્ર જ્ઞાનમંદિરમાં ડાબડા નં. ૧૮૮માં ૬૮૩૩ ક્રમે સચવાઈ છે. એમાં કુલ ૧૬૮ પત્રો છે. દરેક પાનાની લંબાઈ પહોળાઈ આશરે ર૯.૮ x ૧૩.૨ સે. મિ. છે, અને લખાણવાળો ભાગ આશરે ૨૪.૪ ૪ ૧૦.૫ સે. મિ. લાંબો પહોળો છે. દરેક પાનાના દરેક પૃષ્ઠ પર ૧૩ પંકિતઓ છે, અને દરેક પંક્તિમાં આશરે ૫૩ અક્ષરો છે. અક્ષરની ઊંચાઈ આશરે ૦૪ સે. મિ. છે. આ હસ્તપ્રત કાગળ પર લખવામાં આવી છે. એનું લેખન વિ. સં. ૧૯૫૫, અર્થાત્ ઈ. સ. ૧૮૯૯માં થયેલું છે. પ્રથમ પત્રનું પ્રથમ પૃષ્ઠ કોરું છે, બીજા પૃમની પ્રથમ પંક્તિમાં આ પ્રમાણે લખાણ છે. તે પર્વ ૨ | નમ: સર્વજ્ઞાપ સિદ્ધ जिनं सर्वविदं निरंजनं सर्वीदमीशं कमलालयं गुरुं नत्वा प्रबद्धो लघुपूर्ण पद्यवाक् शब्दस्य નાગુવૃિદ્ધ ? જમણા હાંસિયામાં અહીં વચમાં શરતચૂકથી છૂટી ગયેલો બુદ્ધિ શબ્દ પૂર્તિ કરવા લખાયો છે. હસ્તપ્રતના લખાણનો અંત પત્ર ૧૬૮ના બીજા પૃષ્ઠની પંક્તિની મધ્યમાં આવે છે. છેલ્લી બે પંક્તિઓમાંનું લખાણ આ પ્રમાણે છે : વેન ૨૦ શ્રી વિક્રમાદિત્ય નોંઢાસાત્ | સાતિજે વાતિ સમીક્ષા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન सश्रीकजाबालिपुरे तदाद्यं दृब्धं मया सप्तसहस्रकल्पं ११ छ । सं. १९५५ कार्तिककृष्णे પોવરમાં હિ । નં । હ્રીમતવિનવન / નીનોઁધાર પ્રતિકૃતિ ॥ આ પ્રતમાં પૂર્વપ્રતોમાં છૂટી ગયેલા લગભગ બધા જ અનુસ્વારો ઉમેરી દીધા છે અને ઉષ્માક્ષરનાં દંત્યકરણો સુધારીને તાલવ્યીકરણ કરી દીધાં છે. ઉપરાંત હસ્તપ્રત એની પૂર્વેની પ્રતની નકલરૂપે તેના જીર્ણોદ્ધાર અર્થે તૈયાર કરવામાં આવી હતી અને તેનું લેખન વિ. સં. ૧૯૫૫ (અર્થાત્ ઈ. સ. ૧૮૯૮) માં કારતક વદ તેરશના દિવસે હિંમતવિજયગણિ દ્વારા કરવામાં આવ્યું હતું એમ પણ નિર્દેશવામાં આવ્યું છે. પાટણની ઉપર વર્ણવેલ પત્ર નં. ૬૬૦૮ ઊધઈને લીધે ખવાવાથી નુકસાનવાળી થઈ હોવાથી તેના જીર્ણોદ્ધાર માટે આ નકલ તૈયાર કરવામાં આવી હશે એવું જણાઈ આવે છે. ૪. વડોદરાની હસ્તપ્રત : આ પ્રત વડોદરાના શ્રી જૈનજ્ઞાનમંદિરમાંના મુનિરાજ શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહમાં ૪૬ ક્રમાંકે સચવાયેલી છે. એમાં કુલ ૧૪૩ પત્રો છે. એની નોંધણી સૂચિમાં ‘‘વ્રુદ્ધિસાગરકૃત જ્વાળ પંચગ્રંથી'' નામે થઈ છે. એનું લેખનકાર્ય વિ. સં. ૧૯૪૯ (અર્થાત્ ઈ. સ. ૧૮૯૨) માં પોષ સુદ ૧૦ને બુધવારે પૂર્ણ થયું હતું. આ હસ્તપ્રતનું લખાણ ખડી માત્રાવાળી જૈન નાગરી લિપિમાં છે. દરેક પત્રની લંબાઈ પહોળાઈ આશરે ૩૦.૩ x ૧૨.૬ સે.મિ. છે. દરેક પત્રના દરેક પૃષ્ઠમાં જમણે ડાબે બંને બાજુએ ૨.૮ સે.મિ.નો હાંસિયો છે. હાંસિયાને લખાણથી અલગ પાડવા લાલ ત્રિગુણી ઊભી રેખાઓ દોરવામાં આવી છે. દરેક પૃષ્ઠની ઉપર નીચેની બાજુએ આશરે ૨.૩ સે.મિ.નો કોરો ભાગ રાખવામાં આવ્યો છે અને બન્ને હાંસિયાઓની બહારની ધારે એક ઊભી લાલ રેખા દોરવામાં આવી છે. પાનાઓના ક્રમાંકો બીજા પૃષ્ઠ પર જમણા હાંસિયામાં ચૌદમી પંક્તિની હરોળમાં લખ્યા છે, જ્યારે ગ્રંથનું નામ ડાબા હાંસિયામાં પ્રથમ બે પંક્તિઓની હરોળમાં તથા પત્ર ક્રમાંક પણ પ્રથમ પત્રમાંની ચોથી પંક્તિની હરોળમાં નિર્દેશવામાં આવ્યો છે. આ હસ્તપ્રત પણ પાટણની ઉપર નિર્દેશેલી પ્રત નં. ૬૬૦૮ની નકલ રૂપે તૈયાર કરવામાં આવી જણાય છે. હસ્તપ્રતના પ્રથમ પત્રમાંનું આરંભનું લખાણ આ પ્રમાણે છે ॥ ૐ । ૐ નમઃ સર્વજ્ઞાવ: || સિદ્ધ जिनं सर्व्वविदं निरंजनं सर्व्वीयमीशं कमलालयं गुरु । नत्वा प्रबद्धो लघुपूर्ण पद्यवाक् જૈનમ્યાનુષ યુદ્ધિવૃદ્ધયે ॥ ૧. હસ્તપ્રતનો અંત ૧૪૩માં પત્રના પ્રથમ પૃષ્ઠમાં ॰ Page #140 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિસાગર વ્યાકરણ : હસ્તપ્રતો અને સંપાદન ૧૨૫ ૧૪મી પંક્તિના અંતે આવે છે. એમાં નીચેનું લખાણ છે : શ્રી વિમાહિત્ય नरेंद्रकालात् । साशोतिके याति समासहस्रे । सश्रीकजाबालिपुरे तदाद्यं दृब्धं मया सप्तसहस्रकल्पं ।। ११ ॥ छ ॥ श्री ।। शुभं भवतु ॥ संवत् १९४९ पोस शुक्ला १० કુત્રેિ નિતિ નીમી સેવMI: સવારું નપુર માધવરાશે. અર્થાત્ પુરમાં સવાઈ માધવરાય સિંધિયા રાજાના રાજ્યમાં જોશી દેવકૃષ્ણ આ હસ્તપ્રતનું લેખન કાર્ય કર્યું હતું. ઉપરની ચારે હસ્તપ્રતોની તુલના કરતાં એવું તારણ નીકળે છે કે પાટણની બંને હસ્તપ્રતો તથા વડોદરાની હસ્તપ્રત એ મૂળે જેસલમેરની જ હસ્તપ્રતની જુદા જુદા સમયે થયેલી નકલો છે, તેથી જેસલમેરની પ્રત જ સૌથી ઓછી ભૂલોવાળી જણાય છે અને નકલમાં ઉત્તરોત્તર વધુ ને વધુ પાઠો ભ્રષ્ટ થતા ગયા છે. દા. ત. ગ્રંથના આરંભના શ્લોકમાંનો જરા અસ્પષ્ટ લખાણવાળો યુદ્ધ એ પાઠ પડીમાત્રામાં હોવાથી પ્રવો જેવો વંચાઈ જાય તેવો છે અને ત્રણે નકલોમાં આ ભ્રષ્ટ પાઠ જ જોવા મળે છે એ ઉપરથી એમ પણ જણાય છે કે મૂળ તાડપત્રપ્રત તથા આ નકલ કરનાર લહિયા આ વિષય - વ્યાકરણના જાણકાર ન હતા. વળી તેમણે ૩ અને ૪ વચ્ચે કોઈ ભેદ પાડ્યો નથી, એ પણ આ બાબતનું સમર્થન કરે છે. કાળક્રમની દષ્ટિએ જોતાં જેસલમેરની પ્રત વિક્રમસંવતની ૧૩મી સદીમાં લખાઈ હતી, જ્યારે પાટણની પ્રથમ પ્રત વિ. સં. ૧૯૪રમાં ઘણું કરીને પાટાગમાં લખાઈ હતી. વડોદરાની પ્રત અને જેસલમેરની પ્રત ઉપરથી જણાય છે કે તે જયપુરમાં વિ. સં. ૧૯૪૯માં લખાઈ હતી. જ્યારે પાટણની બીજી પ્રત વિ. સં. ૧૯૫૫માં લખાઈ હતી, કારણ કે પ્રથમ પત્રના કાગળમાં ઊધઈ લાગવાથી છેદ પડ્યા હતા અને તેનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર પડી હતી. આ રીતે વધુ સંભવ એવો છે કે પાટણની પ્રથમ પ્રત અને વડોદરાની પ્રત એ બે જેસલમેરની પ્રત પાટણની પ્રથમ પ્રત તથા કદાચ જેસલમેરની પ્રતની પણ સહાય લઈને લખાઈ હતી. સંપાદન અને મુશ્કેલીઓ વિશે હવે વિચાર કરવો જરૂરી છે. આ ગ્રંથ વિષે અસ્માત જ જાણકારી મળી હતી. ઈ. સ. ૧૯૭૪ના અરસામાં એક વખત પંડિત માલવણીયાજીએ આ ગ્રંથ વિશે કામ કરવા જેવું છે એમ જણાવ્યું અને પછી ઉમેર્યું કે પંડિત બેચરદાસજી દોશીએ આ ગ્રંથની થોડાંક પત્રોની નકલ તેમને બતાવી ત્યારે તેમાં મોં માથું જડતું નથી' એમ કહીને પાછી આપી હતી અને મ. મ. પં. કાશીનાથ શાસ્ત્રી અભંકરે પણ એવા જ કારણે એ નકલ પાછી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન આપીને કામ કરવાનો ઉત્સાહ દર્શાવ્યો ન હતો. આ વાત જાણીને મનમાં એવો વિચાર આવ્યો કે આ બુદ્ધિસાગર વ્યાકરણ બાબતમાં નવેસરથી પ્રયત્ન કરવાનું સાહસ કરવામાં નુકસાન નથી. કેમ કે જો નિષ્ફળ જણાશે તો તે બાબતમાં ખૂબ વિકૃત મહાપંડિતોનું પીઠબળ રહેશે અને તેઓ નિષ્ફળ ગયા ત્યાં મારા જેવાની નિષ્ફળતા ખાસ કોઈ નિન્દાપાત્ર નહીં ગણાય. પણ ભાગ્યmગે એ થોડી પણ સફળતા પામશે તો તેમાં યશોલાભ જ થવાનો ! તેથી સાહસ અને આંધળુકિયું કરીને આ કામ હાથ ધર્યું અને દેવદૂતો જ્યાં વિચરતાં બીએ ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે' એવા તાત્પર્યની અંગ્રેજી કહેવતને જાણી જોઈને અનુસરીને, પૂર્વ કોઈએ આ હસ્તપ્રતની તાજેતરમાં નકલ કરી હોવાની જાણકારી ન હોવાથી, જાતે જ નવેસરથી તેની આધુનિક રીતે નકલ ઉતારવાનો આરંભ કર્યો અને સમજણ પડે કે ન પડે પણ ઉતારો કર્યા કરવો એવો નિશ્ચય ધર્યપૂર્વક જાળવી રાખ્યો. આશરે પચીસ પત્રોનો ઉતારો પૂરો થવા આવ્યો તેવામાં પાઠમાં આવ્યું કે “સમાd ૨ સિંાનુI” આ સાથે જ મગજમાં અજવાળું થઈ ગયું ! કેમ કે, “સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રના ઇતિહાસ (ભાગ ૧, પૃ. ૩૮) માં પં. યુધિષ્ઠિર મીમાંસકે જણાવેલું કે બુદ્ધિસાગરનું લિંગાનુશાસન તેમની નજરે પડ્યું નથી. હવે પ્રતીતિ થઈ કે મેં એક આણચિંતવ્યો ગ્રંથ ખોળી કાઢવાની મહાન શોધ કરી છે ! પછી વામનના અને દુર્ગના લિંગાનુશાસનોના અભ્યાસની મદદથી બુદ્ધિસાગરના લિંગાનશાસનનો અંત પકડીને પૂછવું હાથમાં આવતાં દરમાંથી આખો સાપ બહાર ખેંચી કાઢી શકાય એ ન્યાયે તેનો આરંભ પણ શોધી કાઢ્યો. અંતે આશ્ચર્ય સાથે જાણવા મળ્યું કે બુદ્ધિસાગરનું લિંગાનુશાસન એ સ્વતંત્ર ગ્રંથ નથી પણ એમના વ્યાકરણના પ્રથમ અધ્યાયના બીજા પાદના આરંભના પદ્યમાં ગૂંથી લીધેલા પ્રથમ સૂત્ર પરની સ્વપજ્ઞવૃત્તિનો એક ભાગ જ છે !! આ લિંગાનુશાસનનું સંપાદન કરી પંડિત બેચરદાસજીના સ્મારકગ્રંથમાં લેખરૂપે તૈયાર કરી પ્રસિદ્ધ કરવા આપીને અન્ય કાર્યવશાત્ આ કામ પર વીસેક વર્ષ માટે પડદો પાડી દીધો !!! પછી દિલ્હીમાંની ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલોજી દ્વારા આ આખા વ્યાકરણનું સંપાદન કરવાની કામગીરી સોંપવામાં આવી ત્યારે ૧૯૯૪ ૯૫ના અરસામાં ફરીથી કાર્ય આગળ ધપાવ્યું અને જાતે જ આખા ગ્રંથનો ઉતારો કરી લીધો અને બધી જ હસ્તપ્રતોની ઝેરોક્ષ કે ફોટોકોપી મેળવી લીધી. પછી શુદ્ધ પાઠ નિશ્ચિત કરવાની કામગીરી આરંભી ત્યારે વળી એક નવી Page #142 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિસાગર વ્યાકરણ : હસ્તપ્રતો અને સંપાદન ૧૨૭ મુશ્કેલી વિકરાળ મોં ફાડીને સામે ખડી થઈ ગઈ. આરંભના બીજા શ્લોક પછી १७५ मावतुं तुं प्रत्याहारात् मुक्त्वा पद्यप्रतिज्ञेति सहेतुकमाह । अचालितेत्यादि શ્નો: ! તે પછી હસ્તપ્રતમાં ક્યાંય પણ માનિત થી શરૂ થતો શ્લોક જ ના હતો. તેને બદલે મૂળ ગ્રંથકારે કે જેસલમેર પ્રતના લહિયાએ, એ શ્લોકનો મૂળપાઠ આપવાને બદલે તેના ઉપરની લેખકની સ્વોપલ્લવૃત્તિ જ લખવા માંડી હતી! આ મુશ્કેલી છેક પંદરમા પદ્ય સુધી ચાલતી રહી !! અહીં હવે તાળો મળ્યો કે પંડિત બેચરદાસજીને મોં માથું નહોતું જડતું તેનું કારણ આ મૂળ શ્લોકોનો પાઠ હસ્તપ્રતમાં આપ્યો ન હતો તે હતું !!! હવે સંપાદનની ખરી કામગીરી કરવાની આવી. મૂળ શ્લોકો લેખકે કે લહિયાએ ભલે ન આપ્યા હોય, પણ તેમની સ્વપજ્ઞવૃત્તિ તો આપી જ હતી. તેથી સંપાદકનું એ કર્તવ્ય થઈ પડ્યું કે એ શ્લોકોની સ્વપજ્ઞવૃત્તિને આધારે શ્લોકોની પુન: રચના (Reconstruction) કરવું, અને એ પુનનિર્મિત પાઠ લંબચોરસ કૌસોમાં મૂકીને સંપાદિત પાક તરીકે આપવો. આ રીતે લગભગ પ્રથમ અધ્યાયના બીજા પાકના અંત સુધીના ગ્રંથપાઠનું સંપાદન, વચ્ચે વચ્ચે પાણિનિની અષ્ટાધ્યાયી, તે ઉપરની કાશિકાવૃત્તિ, જૈનેન્દ્ર વ્યાકરણ અને શાકટાયનવ્યાકરણ તથા વામનનું અને દુર્ગનું લિંગાનું શાસન એ બધા ગ્રંથોની સહાય લઈને ચાલતું રહ્યું. ત્યારબાદ એક બીજી મુશ્કેલીનો ખ્યાલ આવ્યો. પ્રશ્ન એ થયો કે પ્રથમ અધ્યાયના બીજા પાદના પ્રથમ સૂત્રની સ્વપજ્ઞવૃત્તિના ભાગ તરીકે ૩૮ પઘોમાં જે લિંગાનુશાસન છે તેના શ્લોકોનો સ્થાનનિર્દેશ કરવો પડે તો કેવી રીતે કરવી? આના ઉકેલરૂપે વિચાર કર્યો કે આખા ગ્રંથમાં અધ્યાય અને પાદવાર વિભાજન છે. પણ સાથે સાથે આખો મૂળ ગ્રંથ પદ્યમય છે અને એ પદ્યોની સ્વપજ્ઞવૃત્તિમાં પણ પદ્યો છે અને એ પઘો ઉપર પાછી સ્વોપજ્ઞવૃત્તિ છે તેથી સ્થાનનિર્દેશ માટે અધ્યાય, પાદ, પદ્ય, સૂત્ર અને વૃત્તિસ્થ પદ્ય એમ કમાંકપરક ગાગતરી રાખવામાં આવે તે જરૂરી છે. આ ભાન થતાં જ મૂળગ્રંથના પદ્યોમાં પદ્યબદ્ધ થયેલાં સૂત્રોને સળંગ તથા પઘવાર તથા સૂત્રવાર કમાંકો આપવા. આ માટે દરેક સૂત્રથી નવો પેરા પાડવો જરૂરી જણાયો અને પ્રથમ અધ્યાયના બીજા પાદ સુધીના સંપાદનમાં આમ કર્યું ન હોવાથી આ વિશેના સુધારા ગ્રંથની સંપાદિત પ્રેસકોપીમાં કરી નાખવા. ત્યાર બાદ ત્રીજી મુશ્કેલી એ આવી કે કવિ પૂર્વસૂરિઓમાંથી કયા ગ્રંથકારના Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ હપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન ગ્રંથને અનુસરે છે ? છેક પ્રથમ અધ્યાયના ચોથા પાકના બીજા પાદનો અંત પછી નજરમાં આવ્યું કે બુદ્ધિસાગરસૂરિ વાસ્તવમાં શાકટયન વ્યાકરણને લક્ષમાં રાખતા જણાય છે ! એ પહેલાં તો પાણિનિ, ચાન્દ્ર અને જૈનેન્દ્રના વ્યાકરણોમાં બુદ્ધિસાગરસૂરિનાં વ્યાકરણસૂત્રોનું સ્થાન ખોળે રાખ્યું કેમ કે ખુદ બુદ્ધિસાગરસૂરિના જયેષ્ઠ બંધુ તથા જગુરુભાઈ શ્રી જીનેશ્વરસૂરિએ ‘પ્રમાલક્ષ્ય' (સ્લોક ૪૦૫) ની સ્વપજ્ઞવૃત્તિમાં આને લગતો સ્પષ્ટ નિર્દેશ કરતાં કહ્યું હતું કે “શ્રી ગુણાકારરા: પાનિવ મૈનેન્દ્ર વિઝાન્ત ટુરામવાય, वृतबन्धैः धातुसूत्रगणोणादि वृत्तबन्धैः कृतं व्याकरणं संस्कृतशब्दप्राकृतशब्द सिद्धयेः..." પણ શાકટાયન વ્યાકરણમાં નજર કરવા લાગતાં જ કેટલુંક સામ્ય નજરે ચઢવા લાગ્યું. તેમાંના કોઈક સૂત્રો કવચિત મોટે ભાગે થોડાક શબ્દોના ફરક સાથે બુદ્ધિસાગર વ્યાકરણમાં લઈ લીધાં છે. વળી જેમ શાકટાયને પ્રથમ અધ્યાયના બીજા પાકની પ્રથમ સૂત્રની સ્વોપલ્લવૃત્તિમાં આખા લિંગાનુશાસનને સમાવી લીધું છે, એમ બુદ્ધિસાગરસૂરિએ પણ એમ જ કર્યું છે. આ સામ્ય નજરે ચડતાં જ શાકટાયન વ્યાકરણ ઉપર નજર રાખવા માંડતાં ઘણીવાર ભ્રષ્ટ પાઠ સરખો કરવાની દિશા પણ હાથ લાગી. આમ આ બધી મુશ્કેલીઓ ધીમે ધીમે માર્ગમાંથી હટવા લાગી અને ગ્રંથપાઠનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવા લાગ્યું. સાર : બુદ્ધિસાગર વ્યાકરણને આચાર્ય બુદ્ધિસાગરસૂરિના પંચગ્રંથી' વ્યાકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની રચના ઈ. સ. ની દસમી સદીના અંતમાં અને અગિયારમી સદીની પહેલી પચીસી દરમિયાન થઈ હતી. આ ગ્રંથની ચાર હસ્તપ્રતો મળી આવે છે : જેસલમેરની તાડપત્રીય પ્રત, વડોદરાની કાગળની પ્રત અને પાટણની કાગળની બે પ્રતો. આ પ્રતોનું વિગતવાર વર્ણન તથા તેના સંપાદનમાં નડેલી મુશ્કેલીઓ તથા તેના નિવારણની ઉપાયયોજના અંગે આ લેખમાં માહિતી આપવામાં આવી છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ભારતનું નાટ્યશાસ્ત્ર :પાડુલિપિ, “N” . એક સમીક્ષા તપસ્વી નાન્દી વડોદરાની ઑરિએન્ટલ ઇન્સ્ટિટયૂટે ભરતના નાટ્યશાસ્ત્રની એક આજ સુધી ઉપયોગમાં ન લેવાઈ હોય તેવી પાડુલિપિ નેપાળમાંથી પ્રાપ્ત કરી અને તેનું લિમંતર - ટ્રાન્સસ્ક્રિપ્ટ - તૈયાર કરાવ્યું છે. તેના અનુસંધાનમાં g... સિરીઝમાં એ સંસ્થાએ પ્રકાશિત કરેલા નાટ્યશાસ્ત્રનાં ચાર ભાગોનું પુન:સમીક્ષા સાથેનું પ્રકાશન હાથ ધર્યું છે. તેમાંનો પહેલો ભાગ ડે. ક્રિષ્ણમૂર્તિએ તૈયાર કર્યું. જ્યારે ભાગ ૨, ૩ અને ૪નું કાર્ય ડૉ. કુલકર્ણી અને ડૉ. તપસ્વી નાન્દીના સહસંપાદનથી ચાલે છે. કાર્ય પૂર્ણ થયું છે અને ભાગ-૨ નજીકમાં જ પ્રેસમાં જાય તેમ છે. આ લેખમાં આપણે આ લિવ્યંતર કરેલી નેપાળની (N) પાડુલિપિ ખાસ કરીને ભાગ-૨ ના સંદર્ભમાં વિચારીશું. ભરતના નાટ્યશાસ્ત્રની આ (N) પાડુલિપિ વિશે પહેલાં કેટલીક સામાન્ય નોંધ ધ્યાન ઉપર લઈશું જેમ કે, સહુ પ્રથમ એ વિગતનો નિર્દેશ કરીશું કે (N) પાડુલિપિમાં જે પાઠાન્તરો વાંચવા મળે છે તે અઘાવધિ ઉપયોગમાં લેવાયેલ તમામ જુદી જુદી પાડુલિપિઓમાં અત્રતત્ર જોવા મળે છે. તાત્પર્ય એ કે આ પાડુલિપિ કોઈ એક કુળની હોય તેવું જણાતું નથી. ઘણીવાર તો કેવળ એક જ શ્લોકના પાઠ જુદી જુદી પાડુલિપિમાંથી હોય તેવું પણ જોવા મળે છે. વળી એમ પણ જણાય છે કે ના. શા. ના જુદા જુદા અધ્યાયોમાં પાડુલિપિ N. આ કે તે પાડુલિપિની વધુ નજીક રહેલી છે. આ વિગતનું તારણ પ્રસ્તુત સંપાદનમાં જે તે અધ્યાયના સંદર્ભમાં લેવામાં આવ્યું છે. વળી, N. માં જુદા જુદા અધ્યાયોમાં ઘણે સ્થળે તદ્દન નવા જ પાઠો પણ વાંચવા મળે છે. જે તે અધ્યાયોમાં શ્લોકોની સંખ્યા, શ્લોકોની આનુપૂર્વી, શ્લોકાધના ફેરફારો વગેરેની પણ નોધ નવા સંપાદનમાં તુલનાત્મક દૃષ્ટિએ લેવાઈ છે. અધ્યાયોના ક્રમમાં પણ ભેદ જણાયો છે. ૧૨૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન એ વાત જાણી લઈએ કે g. O. s. ની આવૃત્તિમાં ૩૭ અધ્યાયો છે, જ્યારે N. પાડુલિપિમાં માત્ર ૩૩ અધ્યાયો દર્શાવાયા છે. જોકે, g. ૭. s. ના તમામ ૩૭ અધ્યાયોનું નિરૂપ્ય વસ્તુ કે, માં ૩૩ અધ્યાયોમાં આવરી લેવાયું છે. આ વિગત જે તે સંદર્ભમાં સંપાદકોએ દર્શાવી છે. નવા સંપાદનમાં જ્યાં તદ્દન નવા પાઠ જોવા મળ્યા છે ત્યાં જે તે પૃષ્ટ ઉપર 14, 15, 28, 26, 2c વગેરે ચિહ્નો યોજાયાં છે. જ્યાં N' જે તે પાડુલિપિનો પાઠ જ વાંચે ત્યાં જે તે પાડુલિપિના નિર્દેશ - જેમ કે, ૨, ૩, ૫, વગેરેની સાથે 'N' એવું ચિહ્ન સંપાદકોએ પ્રયોજ્યું છે. અહીં ફક્ત ભાગ-૨ ની વાત કરીએ તો તેમાં લગભગ ૩પ૭થી અધિક તદ્દન સ્વતંત્ર પાઠ વાંચવા મળે છે. 'N' અને “ર” ની એકરૂપતા ૧૩૫ સ્થળોએ છે. 'N' અને 'ન” નો મેળ ૨૫ સ્થળે છે, ૫ અને ૨ ના પાઠ ૧૫ જગ્યાએ એકના એક છે; N અને ઢ ૧૨ સ્થળે, N અને ન બે જગ્યાએ, N અને ટ પાંચ જગ્યાએ એકસમાન છે. N/8 એક સ્થળે, N/પ ૧૮ સ્થળે, N/ ત એક સ્થળે, N/ ૧૨ સ્થળે એક સમાન પાઠ વાંચે છે. N/મ ૧૪ સ્થળે, N/ ગ એક સ્થળે, N/ન, તથા N/ એક એક સ્થળે એક જ પાઠ વાંચે છે. N/ર છે સ્થળે, N/ય ૧૩ સ્થળે સમાન પાઠ વાંચે છે. N/s વચ્ચે ૧૦૪ સ્થળે એક જ પાઠ છે. આનો અર્થ એ નથી કે બીજાં વોલ્યુમોમાં આ સામ આ રીતનું જ છે. તે જે તે અધ્યાયો અને જે તે વોલ્યુમમાં પોતાની રીતે ગોઠવાયેલું છે. હવે ભાગ-૨g.o.. અધ્યાય ૮ થી ૧૮ના સંદર્ભને થોડા વિસ્તારથી જોઈશું. શ્લોક/શ્લોકાર્ધના સંખ્યાક્રમમાં તો ભેદ છે જ, પાઠભેદો અને અધ્યાયભેદો પણ જોવા મળે છે. મૂળ નેપાળી 'N' પાડુલિપિનું પૃષ્ઠ ૬૩ અનુપલબ્ધ છે તેવી લિમંતરકારે નોંધ આપી છે. પણ તેણે તે પછીના પૃષ્ઠની શ્લોક સંખ્યા યથાવત્ જ આગળ ચલાવી છે તેથી શ્લોક ૧૦૮ (g. O. s. હાલની આવૃત્તિ) તે શ્લોક ૧૦૬ N. છે, પણ વચ્ચેનું પાનું ન હોવા છતાં શ્લોક ૧૩૪ g. O. s. ને લહિયાએ શ્લોક ૧૦૭ N. તરીકે આપ્યો છે. તે રીતે શ્લોક ૩૬ (cd) g. O. s. તે : શ્લોક ૦૨ cd (N) છે પણ શ્લોક (=V) ૧૩૮ ab. (g 0.s) તે 'N' માં વિંચાતો જ નથી અને y ૨૮ cd (g 0.s) : V. ૧૧૧ ab (N.) બની જાય છે. આવી તારવણી દરેક અધ્યાયમાં સંપાદકોએ કરી છે. ઉ. વ. ૩. અધ્યાય VIII માં ૧૭૭ શ્લોકો છે, જ્યારે છે. માં 140 શ્લોકો જ વાંચવા મળે છે. વળી N' લિપ્પતરમાં અભિનવભારતી વાંચવા મળતી નથી. એ વાત નોધી શકાય કે સમગ્ર 'N'ના ના. શા. અધ્યાયોના સંપાદનનું કામ ડૉ. નાન્દીએ પાર ઉતાર્યું છે તથા Page #146 -------------------------------------------------------------------------- ________________ ભારતનું નાટયશાસ્ત્ર: પાડુલિપિ, “N" - એક સમીક્ષા ૧૩૧ તેના ઉપરની સમગ્ર અભિનવભારતીનો ભાર ડૉ. કુલકર્ણીએ વહ્યો છે. અલબત્ત ડૉ. નાન્દીના કાર્યની સમીક્ષા પણ પૂ. ડૉ. કુલકર્ણીએ કરી જ છે. અધ્યાય ૮ની પુષ્પિકા N.માં આ પ્રમાણે વાંચવા મળે છે : તિ મારતીયે નાટ્યરાયે ઉપાર્જન નામાષ્ટમોધ્યાયઃ I g. O. s. આવૃત્તિમાં નીચે પ્રમાણે વંચાય છે :- તિ મારતી नाट्यशास्त्रे उत्तमाङ्गाभिनयो नामाष्टमोऽध्यायः । નવમાં અધ્યાયમાં પણ 'N' માં અભિનવભારતી (અ.ભા.) નથી. 'N'. માં ફક્ત ૧૮૩ શ્લોકો છે જ્યારે પ્રકાશિત g. O. s. આવૃત્તિમાં ૨૮૩ શ્લોકો છે. 'N'. માં નવમા અધ્યાયની પુષ્પિકા આ પ્રમાણે છે : રૂતિ મારતો નાયર સ્વાધ્યાય નમઃ | જ્યારે g. O. s. માં - તિ શ્રી મારી નદિયરા કામનો નામ નવમોધ્યાયઃ એવું વંચાય છે. . . ૭. ના અધ્યાય ૯ ના શ્લોક ૨૨૩ થી ૨૮૩ને 'N'. “રામોધ્યાઃ ” રૂપે વાંચે છે, પણ તેમાં કુલ ૪૬ શ્લોકો જ છે. 'N'. દસમા અધ્યાયની પુપિકા આ રીતે છે :- તિ મારતી નાટ્યરા અપ્રત્યક્ષ 7 નામોધ્યાયો રામ: I g. ૦. ૩.ના જૂના સંપાદકો (પૃ. ૮૨, એજન) એવી નોધ કરે છે કે - “” સંવે રામોધ્યાઃ અર્થાત “ર” નામની પાડુલિપિમાં અહીં ૧૦મો અધ્યાય કહેવાયો છે. "N'. માં પણ તેવું જ છે. આ રીતે મૂળ g. O. s. અધ્યાય ૯, પૃ. ૨૨૩ - ૨૮૩ = N. અધ્યાય ૧૦, ૫.૧ - ૪૬. g. O. s. અધ્યાય ૧૦ તે N. અધ્યાય ૧૧ છે - તેમાં પણ અ. ભા. વંચાતી નથી. g. O. s. અધ્યાય ૧૦માં ૧૦૪ (ab) શ્લોકો છે જ્યારે N. અધ્યાય ૧૧ માં ૮૪ (ab) શ્લોકો છે. N. અધ્યાય ૧૧ ની પુષ્પિકા - “વાર વિધાન નામે sધ્યાય:” એવું વાંચે છે જ્યારે g. O. s. અધ્યાય ૧૦ ની પુષ્પિકા - ર મરતી નાયરા વાર વિધાનો નામ રામોધ્યાયઃ”! એવું વાંચે છે. g. O. s. અધ્યાય ૧૧ તે N. અધ્યાય ૧૨ છે. 'N' પાડુલિપિના લિવ્યંતરના પૃ. ૪૧ ઉપર એવી નોધ છે કે, (N. પાડુલિપિમાં) “૮૨ પૃષ્ઠ નહીં ?' આ રીતે N. નો અધ્યાય ૧૨ એકદમ અચાનક જ પૂરો થઈ જાય છે તે શ્લોક ૬૧ ab. આગળ જે g. O. s. નો શ્લોક ૬૭ab છે. તેમાં પુષ્પિકા વાંચવાનો પ્રશ્ન પણ રહેતો નથી. g. ૦. s. અધ્યાય ૧૨ તે જ. અધ્યાય ૧૩ છે. શ્લોક સંખ્યા કમ બહુ જુદાં છે. લિખંતરના પૃ. ૪૮ ઉપર નોધ છે કે, “૮૭ ] પૃષ્ઠ પાન ના સવાતા' મૂળ નેપાલી પાડુલિપિનું એ પાનું ખૂબ નુકસાનવાળું હશે અથવા અ-વાગ્ય હશે. લિમંતરકાર મૂળ N. પ્રમાણે નહીં પણ પોતાની રીતે જ કમમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન - શ્લોકસંખ્યા આપે છે. આપણે તુલનામાં લિવ્યંતરકાર પ્રમાણે જ નિર્દેશ કર્યો છે. g. o. s.ના અધ્યાય ૧૨ના શ્લોક ૨૨૯ થી ૨૩૪ ‘N' માં જણાતા નથી. પૃ. ૧૭૪ ઉપર g. o. s. ના જે તે સંપાદકોએ પા. ટી. નં ૩ માં નોધ્યું છે કે, “श्लोकाः षट् आकुञ्चितादिलक्षणविनियोगनिरूपकाः क વ-૧-૫- ૨- ટ્ માતૃાસુ ન વર્તત્તે । આપણી '' પાણ્ડલપિમાં પણ તે નથી. શ્લોક ૨૩૫ અને ૨૩૬ (g.૦.s.), N. માં ચાર લીટીના એક જ શ્લોક - નં. ૧૬૬ રૂપે વંચાય છે. g. o. s. ના અધ્યાયની પુષ્પિકા જણાવે છે કે ' इति भारतीये नाटयशास्त्रे ગતિપ્રજ્ઞાો નામઢાવશોધ્યાયઃ । તે રીતે N. અધ્યાય ૧૩ની પુષ્પિકામાં “તિપ્રચારોનામાધ્ધાવસ્ત્રયો :'' વંચાય છે. વળી રૃ. ૧૭૫ (g. o. s.) પા. ટી. ૪ની નોંધ છે કે, जा दि बान्तेष्वादर्शेषु त्रयोदशोऽध्यायः । આપણી ‘N’. પાલિપિમાં પણ આ ૧૩મો અધ્યાય છે અને તે આ અધ્યાયમાં ‘ટ્’ માતૃકાની વધુ નજીક જણાય છે. વળી g. o. s. આવૃત્તિના પૃ. ૧૭૬માં મથાળે નોધ છે કે “મ म માતૃા મિન્ન પામો દાણોઽધ્યાયઃ ગતિપ્રચાર:'' તેને ૨૪૮ શ્લોકો છે. આવી નોંધ ‘N’માં નથી. N. ની પુષ્પિકા તો ઉપર નોંધ્યું તેમ ફક્ત અતિપ્રકારો નામાધ્ધાવસ્ત્રપોરા:’' એટલું જ વાંચે છે. " 6. - - g. o. s. અધ્યાય ૧૩ તે N. નો અધ્યાય ૧૪ છે. g. ૦. s. ના જે તે સંપાદકોએ પૃ. ૧૯૬ની પા. ટી. માં નોંધ્યું છે કે, ‘-લ-૬-મ-મ' સંશેષુ વિના સર્વેષ્વાનરોનુ ચતુર્વશોધ્યાયઃ રૂતિ વર્તતે 1 N. માં પણ તેમ જ છે. g. o. s અધ્યાય ૧૩માં ૮૭ શ્લોકો છે. જ્યારે અધ્યાય ૧૪ માં ૭૩ શ્લોકો છે. N. ની આ અધ્યાયની પુષ્પિકા આ પ્રમાણે છે : કૃતિ મારીખે નાટવાઘેશ્યાધિમાં અંજ્ઞો નામાધ્યાયતુર્વશઃ । g. o. s. ની પુષ્પિકા પ્રમાણે રૂતિ મારતીયે નાટવશાસ્ત્ર શ્યાપ્રવૃત્તિધર્માંત્ર્યનો નામ વોશોધ્યાયઃ । છે. આપણે હવે એ નોંધતા નથી કે "N" ના લિવ્યંતરના એકેય અધ્યાયમાં ૬.મા. વંચાતી નથી. g. ૦. s. પૃ. ૨૧૯ની પા. ટી. માં નોંધે છે કે, -લ-ગ-ધ-ચ-મ મેષુ વિના સર્વેજી તુવંશો અધ્યાય:। ‘ટ્’માતૃામાં જોસરા ૭૩. આવિત: ૨૨૧૩. આપણી ‘N’ પાડુલિપિ અહીં પણ શ્લોક સંખ્યાની દૃષ્ટિએ ‘ટ્’ ની નજીક છે. g: ૦. s. અધ્યાય ૧૪ તે N. અધ્યાય ૧૫ છે. g. o. s. માં ૧૩૪ (ab) શ્લોકો છે, જ્યારે N. માં ૧૧૩ શ્લોકો છે. N. અધ્યાય ૧૫ની પુષ્પિકા આ પ્રમાણે છે : વાચિામિનયે ઇન્ટ્રોવિધાન નામાધ્યાય; પશ્ર્ચા: ।'' g. o. s. અધ્યાય ૧૪ ની પુષ્પિકા છે इति भारतीये नाटयशास्त्रे वाचिकाभिनये छन्दोविधानं - Page #148 -------------------------------------------------------------------------- ________________ ભારતનું નાટયશાસ : પાડુલિપિ, “N” - એક સમીક્ષા ૧૩૩ नाम चतुर्दशोऽध्यायः । g. O. s. અધ્યાય ૧૫ તે N. અધ્યાય ૧૬ છે. N. અધ્યાય ૧૬ના લિવ્યંતરકારે તેના ૮૦મે પાને નોધ્યું છે કે, ૨૦૭ વ પૃષ્ઠ પઢા નહીં ના સ” શકય છે કે તે ખૂબ જર્જરિત હોય. g. O. s. ના શ્લોક ૧૫૧ થી ૧૭૫ “N'. માં વાંચવા મળતા નથી, પણ લિખંતરકારે તો સળંગ સંખ્યાક્રમ જ આપ્યો છે. આ અધ્યાયમાં g. O. s. આવૃત્તિમાં ૨૨૭ શ્લોકો છે. જ્યારે N' પાડુલિપિમાં ૧૩૫ શ્લોકો જ છે. N. ની પુપિકા આ પ્રમાણે છે : તિ મારતી નારી કવિધિનમ ડરાઃ | g. O. s. અધ્યાય ૧૫ની પુપિકા પ્રમાણે - તિ મારતી नाटयशास्त्रे छन्दोविधिति माध्यायः पञ्चदशः । g. O. s. અધ્યાય ૧૬ તે “N' અધ્યાય ૧૭ છે. આ અધ્યાય અલંકારશાસ્ત્રની દષ્ટિએ મહત્ત્વનો છે, કેમ કે તેમાં ગુણ, દોષ, લક્ષણ તથા અલંકારની ચર્ચા છે. 'N' માં લક્ષણો મૂળ g. O. s. ના અનુવ” (Supplement) પ્રમાણે વાંચવા મળે છે, જે 9 O. s. પૃ. ૩૪૮-૩૬૪ ઉપર છે. આ બન્ને વચ્ચેના શ્લોકોનું સામ્ય લગભગ એકરૂપ જ છે. જે ફેરફાર ક્યારેક પણ જોવા મળે છે તેમાં 'N' નો પાઠ ‘’ માતૃકા જેવો બહુધા વંચાય છે. વળી ઘણે સ્થળે g. O. s. માં [ ] કૌસમાં સૂચવાયેલા તથા હેમચન્દ્ર જેને ટેકો આપે છે, એવા પાઠો 'N' વાંચે છે એવું પણ જોવા મળે છે. "N' માં કોઈ અનુબન્ધ નથી. તેની પુષ્પિકામાં - તિ મારી નવા વામન બૈત્ર: સતવણા: એમ વંચાય છે, જ્યારે g. O. s. માં - “તિ મારતી નાટકરાશે વામન ફાવ્યનાળો નામ થોડોધ્યાપક એવું વંચાય છે. g. O. s. અધ્યાય ૧૭ તે N. નો અધ્યાય ૧૮ છે. 9. O. s/૧૭ માં ૧૫૦ શ્લોકો છે. જ્યારે N./૧૮ માં ૧૩૫ શ્લોકો છે. 9. O. s./૧૭ ની પુષ્પિકા - इति भारतीये नाटयशास्त्रे वागभिनये काकुस्वरव्यञ्जनो नाम सप्तदशोऽध्यायः | N. અધ્યાય ૧૮ની પુપિકા છે તિ વામન સ્વપ્નો નામ Sધ્યાયોડા g. O. s. અધ્યાય ૧૮ તે N. અધ્યાય ૧૯ છે. g. O. s. માં ૧૨૭ (ab) શ્લોકો છે. N. ૧૯ માં ૧૨૪ શ્લોકો છે. પણ N. ની પુષ્પિકા - “તિ તરીક્ષાનામધ્યાયઃ નિર્વિર:' વાંચે છે જ્યારે તુ, ૦. s. ૧૮માં “તિ મારતી નાયરાધે રાનિri નામાવડર: સમતદ” એમ વંચાય છે. g. O. s. શ્લોક ૧૨૫ (cd), V. 126 (ab) = N. ૧૧૦ શ્લોક છે. V. ૧૧૦ (N) ના વ. ચરણમાં “મિતિ વક્તિ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન તત્ત્વજ્ઞા:' એમ વંચાય છે. આ પછી g. o. s. માં V. ૧૨૬ cd. ૧૨૭ ab આ રીતે વંચાય છે : " इति दशरूपविधानं सर्वं प्रोक्तं मया हि लक्षणतः । पुनरस्य शरीरगतं सन्धिविधौ लक्षणं वक्ष्ये ||" આને N./૧૯ શ્લોક ૧૨૪માં વાંચવા મળે છે પણ N. ૧૨૪ cd - પ્રમાણે, “પુનરમ્ય રરીરસંધિવિધિનશળ વક્ષે’’‘ એવું વંચાય છે. વળી N. માં ‘ગણ્ડ’ ની વાત કરતા શ્લોક ૧૧૦ માં નોંધ આ પ્રમાણે છે : "अन्योऽन्येऽपि लास्यविधानगानानि तु नाटकोपयोगीनि अस्माद्विनि: सृतानि तु भाण વાત્ર પ્રયોગ્ગાનિ '' આ પછી N. ૧૧૧ - ૧૨૩ શ્લોકો વાંચે છે. જેમાં લાસ્યાંગોની વાત છે. - g. o. s. ના જે તે સંપાદકો (આ. ૩૪) પૃ. ૪૫૯ ઉપર પા. ટી. ૧ માં નોધે છે કે - ત: પૂર્વ નામ્વાકાંક્ષળ તુ ચ ड - म मातृकासु विना सर्वास्वस्मिन्नध्याये વર્તે । વૃત્તિ-ારેખ નાવાજ્ઞાનિક સધ્યાયે (૨૨) પવિતાનિ, મ मातृकायां वर्जितान्येव । g. o. s. ભાગ ૩ પૃ. ૬૬-૭૯ શ્લોક ૧૧૯ થી ૧૩૮ માં આ લાસ્યાંગો અપાયાં છે. ત્યાં સંપાદકો (૫૪ આ.) નોંધે છે (પૃ. ૬૬) હ્રાસ્યા લક્ષન્ મ - मातृकायां न दृश्यते, च- प- म मातृकासु विना सर्वास्वन्यास्वष्टादशाध्याय एव पठितम्, लक्षणपाठोऽपि भिन्न- मातृकासु बहुभेदतया विद्यते । भोजराज - शारदा तनयादिभिरपि तल्लक्षणे मात्र या भिन्नं मतमुपन्यस्तम् । N. શ્લોક ૧૨૪ તે g. o. s. અધ્યાય ૧૮ શ્લોક ૧૨૬ ૦d, ૧૨૭ ab રૂપે વંચાય છે. તે આ પ્રમાણે - ‘પુનઃસ્થ શરીર સન્ધિવિધિ અક્ષળ વધ્યે’' 1 આ રીતે ના. શા. ની નવી પ્રાપ્ત થયેલી N' પાડુલિપિની વિશેષતાઓનો આપણે આછો પરિચય કેળવ્યો. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૫. જૈનધર્મનો અમૂલ્ય વારસો : સચિત્ર હસ્તપ્રતો ડૉ. રા. ઠા. સાવલિયા ગુજરાતનો કલા અને સંસ્કૃતિનો વારસો ભવ્ય છે. એની વિદ્યા-પ્રવૃત્તિના ઘડતરમાં પ્રાચીન હસ્તલિખિત સચિત્ર હસ્તપ્રતોનું પ્રદાન બહુમૂલ્ય છે. તાડપત્ર, કાપડ અને કાગળ પર લખાયેલા વિવિધ વિષયોને લગતા હસ્તલિખિત અને સચિત્ર ગ્રંથોને ગ્રંથ ભંડારોમાં જાળવવામાં આવે છે. સૌરાષ્ટ્રનું વલભી ઈ.સ. પમી સદીમાં વિદ્યાધામ તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતું. આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની દેખરેખ હેઠળ તમામ જૈન આગમ ગ્રંથો પુસ્તકરૂપે વલભીમાં લખવામાં આવ્યા. આ બાબત ભારતીય વિદ્યા-પ્રવૃત્તિના ઇતિહાસમાં નોંધપાત્ર છે. ચૌલુક્ય વંશના બે ગુર્જર રાજાઓ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં ગુજરાતની સાહિત્ય પ્રવૃત્તિનો મધ્યાહ્નકાળ શરૂ થયો. સિદ્ધરાજે અનેક ગ્રંથાલયો સ્થાપી ‘સિદ્ધહેમવ્યાકરણ’ની સેંકડો પ્રતો લખાવી. કુમારપાળે પણ એકવીસ જેટલા જ્ઞાન ભંડારો સ્થાપ્યા હતા. મંત્રી વસ્તુપાલે પાટણ, ભરૂચ અને ખંભાત એમ ત્રણ ગ્રંથ ભંડારો સ્થાપ્યાની વિગતો મળે છે. ઉપરોક્ત જ્ઞાન ભંડારોમાંની એક માત્ર તાડપત્ર પર લખાયેલ ઉદયપ્રભસૂરિએ રચેલી ‘ધર્માભ્યુદય’ કાવ્યની હસ્તપ્રત હાલ ઉપલબ્ધ છે. આવા હસ્તલિખિત ગ્રંથ ભંડારો રાખવાની પ્રથા જૈન સમાજમાં વિશેષ જોવા મળે છે. આ ગ્રંથ ભંડારોમાં જૈનધર્મને લગતા ગ્રંથો ઉપરાંત કાવ્ય, કોશ, છંદ, અલંકાર, જ્યોતિષ, નાટક, શિલ્પ, દર્શનશાસ્ત્ર વગેરે વિષયક સમગ્ર સાહિત્યના ગ્રંથોનો સમાવેશ થતો. ગુજરાતના હસ્તલિખિત ગ્રંથ ભંડારોમાં પાટણ, ખંભાત અને અમદાવાદના ભંડારો વધુ ખ્યાતિ પામેલા છે. ઉપરાંત વડોદરા, છાણી, પાલનપુર, ખેડા, પાદરા, ભરૂચ, સુરત, ભાવનગર, ઘોઘા, પાલિતાણા, લીંબડી, જામનગર, વઢવાણ કેમ્પ, માંગરોળ વગેરે સ્થળોએ અનેક નાના મોટા ગ્રંથ ભંડારો આવેલા છે. ૧૩૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન ગુજરાતના હસ્તપ્રત ભંડારોમાં પ્રાચીન સમયથી પાટણ વિદ્વાનો અને સંશોધકો માટે એક તીર્થસ્થાનરૂપ બન્યું છે. અહીં ભંડારોની સંખ્યા ૨૦ જેટલી હતી, પરંતુ આ ભંડારો કાયમ માટે જળવાઈ રહે એ હેતુથી ૧૯૩૯માં “શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર' બનાવાયું. જ્યાં આશરે ૨૦ હજાર જેટલી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. આ સંગ્રહમાં તાડપત્ર પર ગુજરાતી ભાષામાં લખાયેલ શ્વેતાંબર જૈન સંપ્રદાયના ગ્રંથ 'નિશીથચૂણિ' ની ઈ.સ. ૧૨મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. એમાં એક પત્ર ઉપર વર્તુળાકારમાં હાથી સવારનું દશ્ય તથા માલધારી સ્ત્રીઓના ચિત્રો છે જે અપ્સરાઓ જણાય છે. અહીં કલ્પસૂત્ર' ની સુવર્ણ અક્ષરોમાં લખાયેલ સચિત્ર પ્રત છે. જેના દરેક પત્ર પર અલગ અલગ ચિત્રો છે. એક પત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કુમારપાળને ઉપદેશ આપી રહેલા નજરે પડે છે. એમાં લક્ષ્મીદેવીનું ચિત્ર પણ છે. પ્રથમ તીર્થકર આદીશ્વર ભગવાનનું સુંદર ચિત્રણ છે. આ પ્રતમાં જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓનાં ચિત્રો આલેખાયેલાં છે. આ પ્રત વિ.સ. ૧૫૦૪ (ઈ. સ. ૧૪૪૭-૪૮)માં લખાયેલી છે. આ જ સમયની બીજી કલ્પસૂત્રની હસ્તપ્રતમાં જૈન પરંપરામાં વત્તે ઓછે અંશે પૂજાતા બ્રહ્મશાંતિ યક્ષ અને લક્ષ્મીદેવીનાં આકર્ષક ચિત્રો છે. - “ઋષભદેવચરિત' ૧૩મી સદીની હસ્તપ્રતમાં ઋષભદેવ અને જૈન યક્ષિણી ચકેશ્વરીનાં ચિત્રો અનેરું આકર્ષણ ઊભું કરે છે. 'ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'ની પ્રતના છેલ્લા ત્રણ પત્રો ઉપર હેમચંદ્રસૂરિ, રાજા કુમારપાળ અને શ્રાવિકા શ્રીદેવીનાં મનોરમ ચિત્રો આલેખાયાં છે. 'કથારત્નસાગર' ની હસ્તપ્રત ૧૩મી સદીની છે. જેમાં પાર્શ્વનાથ અને શ્રાવક-શ્રાવિકાઓનાં સુંદર ચિત્રો દોરેલાં છે. કેન્વાસ પર ચીતરેલ "મહેન્દ્રસૂરિ સ્વાગત પટ્ટ’ માં પ્રથમ ત્રિશલા માતાને આવેલાં ચૌદ સ્વપ્નોનું આલેખન છે. ત્યારપછી ગામનું દશ્ય, રાજાનો દરબાર, બજાર, તોપખાનું, હાથીખાનું વગેરેનું આબેહૂબ ચિત્રાણ કરેલું છે. અહીં જળવાયેલ એક હસ્તપ્રતમાંના ચાર ચિત્રોમાં હેમચંદ્રાચાર્યને વ્યાકરણનો ગ્રંથ લખવા માટે વિનંતી કરતો રાજા સિદ્ધરાજ, વ્યાકરણગ્રંથને અંબાડી પર મૂકીને ફરતી યાત્રા, પાર્શ્વનાથનું મંદિર અને વ્યાકરણ ગ્રંથની નકલ મેળવવા આનંદપ્રભ ઉપાધ્યાયને વિનંતી કરતાં કર્મણ મૈત્રી વગેરે પ્રસંગોનાં આબેહૂબ ચિત્રો દોરેલાં છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મનો અમૂલ્ય વારસો : સચિત્ર હસ્તપ્રતો ૧૩૭ કાપડના પટ્ટ' પર ૧૪મી સદીમાં લખાયેલ ધર્મવિધિપ્રકરણમાં સરસ્વતીનું સુંદર ચિત્ર છે. ૧૫મી સદીમાં રચાયેલ પંચતીથી પટ્ટ' ચાંપાનેરમાં તૈયાર થયો છે. જેમાં સાત ચિત્રો છે. મંદિરના ગર્ભગૃહમાં સર્પછત્ર ધારણ કરેલ પાર્શ્વનાથજી, ગિરનાર પર્વતનું દશ્ય, સમેત શિખર અને પાવાગઢ ઉપરના મહાવીરસ્વામી મંદિરનાં ચિત્રોનું મનોહર આલેખન છે. આ પટ્ટ સંઘવી પાડાના ભંડારમાં આવેલી છે. ખંભાતમાં હાલ મુખ્ય ચાર હસ્તપ્રત ભંડારો છે. પાયચંદગચ્છનો ભંડાર, જ્ઞાનવિમલસૂરિનો ભંડાર, નેમિસૂરિનો ભંડાર અને શાંતિનાથનો ભંડાર. આમાં શાંતિનાથ ભંડાર સમગ્ર ગુજરાતમાં સહુથી સમૃદ્ધ અને મૂલ્યવાન ભંડારોમાંનો એક છે. અહીં ઈ. સ. ૧૨મી થી ૧૪મી સદી દરમ્યાન સંસ્કૃતમાં લખાયેલ પ્રાચીન અને દુર્લભ તાડપત્રીય હસ્તપ્રતો છે. ગુજરાતની ગ્રંથસ્થ લઘુચિત્રકલાના સહુથી પ્રાચીન નમૂના આ ભંડારની તાડપત્રીય સચિત્ર હસ્તપ્રતોમાંથી મળે છે. દશવૈકાલિકસૂત્રની લઘુવૃત્તિ' હસ્તપ્રતના છેલ્લા પત્ર પરના ચિત્રમાં આસન પર બિરાજમાન આચાર્ય હેમચંદ્રાચાર્ય જમણા હાથમાં તાડપત્ર ધારણ કરી પોતાના શિષ્ય મહેન્દ્રસૂરિને પાઠ આપતા જણાય છે. મહેન્દ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઊભેલ દાઢીવાળા ગૃહસ્થની આકૃતિ રાજા કુમારપાળની છે. આ ચિત્ર આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાળના જીવનકાળ દરમ્યાન દોરાયેલું છે. આ પ્રત ૧૨મા સૈકાની છે. શાંતિનાથ ભંડારમાં સંગૃહીત નેમિનાથ ચરિત'ની ૧૩મી સદીની પ્રતમાં જૈન તીર્થંકર નેમિનાથ, અંબિકાદેવી અને અંજલિમુદ્રામાં શ્રાવક-શ્રાવિકાનાં ચિત્રો દોરાયેલાં છે. ૧૨મી સદીની એક અન્ય સચિત્ર પ્રતમાં બે ચિત્રો છે, જેમાંના એક ચિત્રમાં પદ્માસન પર બેઠેલા મહાવીર સ્વામી અને બીજા ચિત્રમાં ત્રિભંગ અવસ્થામાં ઊભેલ ચતુર્ભુજ સરસ્વતીનું સુંદર ચિત્રણ થયેલું છે. અમદાવાદમાં વિશાના પાડાના ભંડારમાં ‘શ્રીપાલરાસ” ની ઈ.સ. ૧૮૨૯માં તૈયાર થયેલ એક ચિત્રિત હસ્તપ્રત છે. એમાં વેપાર માટે સુરત આવતાં વહાણોનાં ચિત્રાંકનો આબેહૂબ છે. કેટલાંક ચિત્રોમાં વૃક્ષો વનરાજિઓનાં દશ્યો અંકિત કરેલાં છે. કેટલાંક ચિત્રોમાં ગીત-સંગીત અને નૃત્યોનું આલેખન કરેલું છે. પુરુષોના હાથમાં વીણાનું ચિત્રણ નોંધપાત્ર છે. દેવશાના પાડાનાં દયાવિમલજી ભંડારમાં 'કલ્પસૂત્ર' ની ૧૫મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. સુવર્ણ અક્ષરોમાં લખાયેલી આ પ્રતમાં રાગ-રાગિણીઓ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩. હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધર્મ અને સંપાદન જેવાં સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી અને ભૌમચારી જેવાં ભારતનાટ્યશાસ્ત્રનાં રૂપોનું ચિત્રણ કરેલું છે. અમદાવાદના ડહેલાનાં ઉપાશ્રયમાં ‘શ્રીપાલરાસ” ની હસ્તપ્રત (ઈ. સ. ૧૮૨૧-૨૨)નાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ ગ્રામીણ શૈલીમાં આલેખાયાં છે. પુરુષ પાત્રોનાં પાઘડી, લાંબી બાયનાં અંગરખા, પટાદાર ધોતિયાં અને ખેસનું આલેખન આકર્ષક છે. સ્ત્રીપાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણી અને લાલ રંગનો ચણિયો ધારણ કરેલ દર્શાવાયાં છે. ચિત્રોમાં પશુ-પક્ષી અને વનરાજીનું આલેખન મનોહર છે. આ ભંડારમાં ૧૯મી સદીની એક ચિત્રિત જૈન જ્ઞાનચોપાટ’ જળવાયેલી છે. હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનચોપાટ તૈયાર કરાતી, જેમાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું, એમાં દેવલોકનું, સર્પોની સીડીઓનું, નવગ્રહોનું તેમ જ જીવયોનિઓનું આલેખન કરાતું. જુદી જુદી જીવયોનિઓ, વિવિધ પ્રકારના દેવલોક, સ્વર્ગ અને નરક તેમ જ મોક્ષનો ખ્યાલ આપતી જ્ઞાનચોપાટ હિંદુ પરંપરામાં પણ તૈયાર કરાવવામાં આવતી, જેમાં ૮૪ કોઠાઓનું આલેખન કરાતું. આ ૮૪ કોઠાઓ ૮૪ લાખ યોનિઓનું પ્રતીક મનાતા. ઉજમફઈની ધર્મશાળાના ગ્રંથ ભંડારમાં ૧૪મી સદીની એક હસ્તપ્રતમાં મહાવીરસ્વામીનું અવન, જન્મનિર્માણ, સમવસરણ વગેરે પ્રસંગોનાં ચિત્રો છે. હાજા પટેલની પોળમાં “સંગ્રહણીસૂત્ર' (ઈ. સ. ૧૮૫૪-૫૫) ની એક ચિત્રિત હસ્તપ્રતની નકલ જળવાયેલી છે. એમાં ચક્રવર્તીનાં ૧૪ રત્નો, મેરુપર્વત અને દ્વીપોનું આલેખન કરેલું છે. અમદાવાદનાં ભો. જે. વિદ્યાભવનનાં મ્યુઝિયમમાં વેદ-વેદાંગ, ઇતિહાસ, પુરાણ, બૌદ્ધ અને જૈન સાહિત્ય, ભક્તિ વગેરે વિવિધ વિષયોને લગતી હસ્તપ્રતો સચવાયેલી છે. જેમાં કલ્પસૂત્ર, મધુમાલતી કથા જેવી મનોહર ચિત્રોવાળી પ્રતો છે. જેનસૂરિઓ અને સાધુઓને તેમ જ સંઘને યાત્રા દરમ્યાન આમંત્રણ આપતું એક વિકિપત્ર (૧૮મી સદી) સંગ્રહાયેલું છે. એમાંની કેટલીક હસ્તપ્રતો સુંદર વેલબુટ્ટાની આકૃતિઓથી શણગારાયેલી, કોઈક સોનેરી શાહીથી લખેલી, લાલ, કાળી શાહીના લખાણવાળી છે. લા. દ. વિદ્યામંદિરમાં મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ તરફથી ભેટ મળેલ હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ છે. અહીં ૫૦૦થી વધુ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે. જેમાં ૧૮મી સદીની “કલ્પસૂત્ર' ની એક હસ્તપ્રતમાં ગજસવારીનું દશ્ય Page #154 -------------------------------------------------------------------------- ________________ * જૈનધર્મનો અમૂલ્ય વારસો : સચિત્ર હસ્તપ્રતો ૧૩૯ નજરે પડે છે. કાગળની કેટલીક હસ્તપ્રતોમાં ભગવાન તીર્થકરોના જીવનપ્રસંગો આલેખાયેલાં છે. આ જ સંસ્થામાં આવેલ મ્યુઝિયમમાં થોડીક સચિત્ર હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. જેમાં કલ્પસૂત્ર' ની ઈ.સ. ૧૪૩૦ની પ્રતમાં કાલકાચાર્યની કથાનાં દશ્યમાં કાલક અને સાહને વાર્તાલાપ કરતા દર્શાવ્યા છે. બીજા પત્રમાં રાજાને દાન આપતો બતાવ્યો છે. જેનું લખાણ સુવર્ણાક્ષરમાં અને પાર્શ્વભૂમિમાં વાદળી રંગનું આલેખન છે. વ્રતાચાર્યકથા' ની હસ્તપ્રત (ઈ. સ. ૧૪૬૮)માં શત્રુજ્ય માહાભ્યનું દશ્ય આકર્ષક છે. ઉત્તરાધ્યાયનસૂત્ર'માંના એક દશ્યમાં મુનિ શ્રી શ્રાવકને ઘરે વહોરવા માટે ગયેલા એનું ચિત્રણ સુંદર રીતે કરેલું છે. “માધવાનલ કામકન્દલા’ની પ્રતમાં વિક્રમાદિત્ય- કામસેનના યુદ્ધનું દશ્ય કંડારેલું છે. “ચંદ્રપ્રભચરિત'માં ચંદ્રપ્રભસ્વામીના સમવસરણનું દશ્ય દોરેલું છે. ઈ. સ. ૧૫૮૩માં લખાયેલી સંગ્રહણીસૂત્ર' ની હસ્તપ્રતમાં ઇન્દ્રસભામાં નાચ-ગાનનું દશ્ય ચિત્રકાર ગોવિંદ દ્વારા ચીતરવામાં આવેલ છે. અહીં સિદ્ધચક્રપટ્ટના કેટલાક નમૂનાઓ જળવાયા છે. જેમાં નવપદને એક યંત્ર સ્વરૂપે ગોઠવેલ છે. ચાર પગથિયાં જ્ઞાન, દર્શન (શ્રદ્ધા), ચારિત્ર અને તપમાંથી ચાર સિદ્ધિઓ ઉપાધ્યાય, સાધુ, આચાર્ય અને સિદ્ધ, આમ આઠ વસ્તુ પ્રાપ્ત થતાં અરિહંત' એટલે કે મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. અહીં સંગ્રહાયેલ વિજ્ઞપ્તિપત્રમાં પ્રથમ મંગલ ચિહ્નો તથા અટબંગલનું ચિત્ર હોય છે. ત્યારબાદ ચૌદ સ્વપ્નનાં ચિત્ર, રાજ્યસભાનું ચિત્ર, નગરનું આલેખન, સાધુ મહારાજના વ્યાખ્યાનનું ચિત્રાંકન છે. આ પ્રકારનાં નિમંત્રાણો કાગળ અને કાપડ પર ચિત્રાંકિત કરી, વિગતો લખીને એના ઉપર સંઘના સભ્યોના હસ્તાક્ષર લેવાતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં વડોદરા રાજ્યમાં હસ્તલિખિત ગ્રંથોની જાળવણી પ્રત્યે ઊંડો રસ લીધેલો અને આવા ગ્રંથોના સંશોધન માટે વિભાગ શરૂ કરેલ, જે આજે પ્રાચ્ય વિદ્યામંદિર તરીકે ઓળખાય છે. જેમાં દરેક પ્રકારનાં હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ખજાનો જળવાયો છે. ઈ. સ. ૧૬૯૪માં રચાયેલી “માનતુંગ માનવતી જૈન રાસ' નામની સચિત્ર હસ્તપ્રતનાં પ્રથમ ચિત્રમાં રાજાની સવારીનું દશ્ય છે. હાથી પર બિરાજમાન રાજા, પાછળ મંત્રીઓ ઘોડા પર બેઠેલ છે અને આગળના ભાગે ઢાલ-ભાલાં લઈને ચાલતા સૈનિકો જોઈ શકાય છે. અન્ય બે ચિત્રોમાં રાજા-મંત્રીઓ સાથે મંત્રણા કરતા જણાય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન વડોદરાના હંસવિજયજી સંગ્રહમાં કલ્પસૂત્રની ૧૫મી સદીની હસ્તપ્રત સુરક્ષિત છે. જેનું લખાણ સોનેરી શાહીથી લખેલું છે. આ હસ્તપ્રતમાં આઠ ચિત્રો અને ૭૪ અપ્રતિમ કારીગરીવાળી સુંદર કિનારો છે. વડોદરા પાસેના છાણી ગામમાં ત્રણ જેટલા હસ્તપ્રત-સંગ્રહો છે. અહીંના વીરવિજયજી સંગ્રહમાં “ઓઘનિર્યુક્તિ' ગ્રંથની ઈ.સ. ૧૧૬૧ની પ્રત છે. જેમાં ૧૬ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા અને બ્રહ્મશાંતિયા મળી કુલ ૨૧ ચિત્રો જૈન મૂર્તિવિધાનની દષ્ટિએ મહત્ત્વના છે. ઈડરના શેઠ આણંદજી મંગળજીની પેઢીના હસ્તપ્રતસંગ્રહમાં કલ્પસૂત્ર અને કાલકકથાની ૧૪મી-૧૫મી સદીની સચિત્ર પ્રત છે. તાડપત્રની પ્રત ઉપર સોનાની શાહીથી ચિત્રો દોરેલાં છે. કલ્પસૂત્ર'ના વધુમાં વધુ પ્રસંગો આ પ્રતમાં સ્થાન પામ્યા છે. જેમાં અષ્ટમાંગલિક, મહાવીરનો જન્મ, પાર્શ્વનાથનો જન્મ, નિર્વાણ, એમના યક્ષ પક્ષી, ઋષભદેવનું નિર્વાણ વગેરે ચિત્રો ખૂબ આકર્ષક અને મનોહર રીતે આલેખાયાં છે. લીંબડીને જૈન જ્ઞાનભંડારમાં ઈ.સ. ૧૪૧૫-૧૬માં રચાયેલી કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત છે. જામનગરમાં કલ્પસૂત્ર-કાલકકથા (ઈ.સ. ૧૫૦૧)ની સચિત્ર હસ્તપ્રત છે. કોબા (ગાંધીનગર)માં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં મુનિ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં હજારો હસ્તપ્રત જળવાયેલી છે. ‘પ્રશ્નવ્યાકરણસૂત્ર પાઠ’ નામની હસ્તપ્રત સંસ્કૃત, પ્રાકૃત અને હિન્દી ભાષામાં સં ૧૭૫૫માં લખાયેલી, જેમાં ૨૨ ચિત્રો છે. “આનંદઘન ચોવીસી'ની હસ્તપ્રતમાં ચોવીસ તીર્થકરોનાં સ્તવનોની રચના કરેલી છે, જેમાં કુલ ૧૪ ચિત્રો છે. આ પ્રત ૧૭મા સૈકામાં લખાયેલી છે. અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં ‘સૂરિમંત્રપટ'નું ૧૪મી સદી જેટલું પ્રાચીન ચિત્ર જળવાયું છે. એમાં પૂર્ણ વિકસિત પદ્મ પર બેઠેલ મહાવીરસ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીનું ચિત્ર નજરે પડે છે. અહીંના સંગ્રહમાં ઋષભદેવના સમવસરણનો ૧૫મી સદીના મધ્યનો એક પટ્ટ અને જંબુ દ્વિીપનો ૧૬મી સદીનો પટ્ટ સંગ્રહાયેલો છે. હસ્તપ્રતોની જાળવણી માટે વપરાતી પાટલીઓ ઉપર લઘુચિત્રો દષ્ટિગોચર થાય છે. મુનિ પુણ્યવિજ્યજી સંગ્રહમાંની એક પાટલી પર મહાવીરસ્વામીના ૨૭ ભવો પૈકી કેટલાક ભવોનું ચિત્રાંકન કરેલું નજરે પડે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મનો અમૂલ્ય વારસો : સચિત્ર હસ્તપ્રતો જૈન ધર્મની સચિત્ર હસ્તપ્રતોમાંથી સામાજિક, ધાર્મિક ઇતિહાસ, પ્રાચીન ગામોના સ્થાનિક ઇતિહાસ તેમ જ પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતની સંસ્કાર અને સાહિત્ય પ્રવૃત્તિઓ વિશે ઉપયોગી માહિતી મળે છે. આ જૈન સચિત્ર હસ્તપ્રતમાંના ચિત્રો મધ્યકાલીન પશ્ચિમભારતની ચિત્રશૈલીના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ શૈલીનાં ચિત્રો લઘુચિત્રો સ્વરૂપે મળે છે. આ લઘુચિત્રોની શૈલીના નમૂના ખાસ કરીને જૈન કે જૈનાશ્રિત લખાયેલા ગ્રંથોના લઘુચિત્રોના રૂપમાં દોરાયેલાં છે. ચિત્રોની આ શૈલીને ગુજરાતની શૈલી કે મારુ-ગુર્જરશૈલી પણ કહે છે. આમ ગુજરાતના આ હસ્તપ્રત-સંગ્રહો ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા સમાન છે. એ વર્તમાનયુગના અને ભાવિ પેઢીના વિદ્યાના ઉપાસકોને માટે મહામૂલી મૂડી છે. આ અમૂલ્ય હસ્તપ્રતોની જાળવણી ખૂબ જ કાળજી માગી લે છે. આવા પ્રાચીન ગ્રંથોને યથાવત્ રાખવા માટે ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જંતુરહિત અને સાફ રાખવાની પ્રક્રિયા નિયમિત રીતે થવી જોઈએ. ગુજરાતના તમામ હસ્તપ્રત સંગ્રહોમાં રખાયેલ પ્રાચીન હસ્તપ્રતોની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી અને સાચવણી થાય તો જ આવનારાં વર્ષોમાં નવી પેઢી આપણા કલા અને સાંસ્કૃતિક વારસાને સાચવી શકશે, સમજી શકશે. આવા હસ્તલિખિત ગ્રંથો અને ચિત્રો વર્ષો પહેલાં નાજૂક પદાર્થો પર લખાયેલાં હોવાથી, તેનો વારંવાર ઉપયોગ કરવાથી એને નુકસાન થવા સંભવ છે. આ નુકસાન નિવારવા વૈજ્ઞાનિક દષ્ટિએ સહેલી એવી કોમ્પ્યૂટરની મદદ લેવી જોઈએ. આ સાધનની મદદથી તૈયાર થતી એની પ્રતિકૃતિઓ અભ્યાસીઓ અને સંશોધકોને સહેલાઈથી ઉપલબ્ધ કરાવી શકાય છે. જેમને આ ભંડારોમાં સચવાયેલી જ્ઞાનસંપત્તિની પરિભાષા, લિપિ તથા અન્ય સંકેતોનું જ્ઞાન છે તેને માટે આ જ્ઞાન ભંડારો દિવ્ય ખજાનારૂપ છે. સંદર્ભગ્રંથો ૧. '. ૩. ૪. સાંડેસરા ભોગીલાલ, ‘ઇતિહાસની કેડી’, ૧૯૪૫, વડોદરા. -‘ઇતિહાસ અને સાહિત્ય', ૧૯૬૬, અમદાવાદ. ૧૪૧ નવાબ સારાભાઈ (સંપા.પ્રકા.), ‘જૈન ચિત્રકલ્પદ્રુમ', ૧૯૩૫, અમદાવાદ. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૭, ૧૯૮૧ અને ગ્રંથ ૮, ૧૮૮૪, અમદાવાદ. Shah U. P, Treasures of Jaina Bhandaras', 1978, Ahmedabad. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૬. હસ્તપ્રતનું સાંસ્કૃતિક - શૈક્ષણિક મૂલ્ય અને કેટલીક હસ્તપ્રત-પાઠભેદ ચર્ચા : ‘ગુણરત્નાકરછંદ’ના સંદર્ભમાં ડૉ. કાન્તિભાઈ બી. શાહ આજથી લગભગ ૫૦૦ વર્ષ અગાઉ રચાયેલી, પણ હજી સુધી અપ્રગટ રહી ગયેલી, જૈન સાધુકવ સહજસુંદરની સ્થૂલિભદ્ર-કોશાના વિષયવસ્તુવાળી ૪૧૯ કડીની એક દીર્ઘ છંદસ્વરૂપી પઘરચના ‘ગુણરત્નાકરછંદ’ ના સંશોધન-સંપાદનનું કામ હાથ લીધું ત્યારે એ સમજ આવતી ગઈ કે હસ્તપ્રત સાથેની નિસબત સંશોધનની સ્વાધ્યાયની કેવી નવીનવી કેડીઓ ખોલી આપે છે, આપણી અજ્ઞતાના અંધકાર ઉપર નવો પ્રકાશ પાથરી આપે છે ને એ રીતે હસ્તપ્રત સ્વયં એનું સાંસ્કૃતિક-શૈક્ષણિક મૂલ્ય વધારી દે છે. આ સંદર્ભે કેટલીક વાત કરીને તે પછી કૃતિની મુખ્ય પ્રત-પસંદગી અને કૃતિની વિવિધ હસ્તપ્રતોના કેટલાક પાઠભેદો અંગે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. ૧. કવિ સહજસુંદરે નાનીમોટી થઈને ૨૫ જેટલી કૃતિઓનું સર્જન કર્યું છે. કવિનું આ સાહિત્યસર્જન થયું ૧૬મી સદીમાં, પણ એમની ત્રણ નાની સઝાયો જેવી લઘુકૃતિઓને બાદ કરતાં છેક ૧૯૮૪ સુધી આ કવિનું કાંઈ જ સાહિત્ય પ્રગટ થયું નહોતું. છેક ૧૯૮૪-૮૫માં ડૉ. નિરંજના વોરાએ આ કવિની બે રાસકૃતિઓ ‘પ્રદેશી રાજાનો રાસ' અને ‘સૂડા સાહેલી રાસ' અનુક્રમે ‘ભાષાવિમર્શ’ના જુલાઈ-સપ્ટે.'૮૪ના અંકમાં અને ઓકટો-ડિસે.’૮૫ના અંકમાં સંપાદિત કરી પ્રગટ કર્યા. તે પછી ૧૯૮૯માં એ બે તથા અન્ય કેટલીક આ જ કવિની રાસકૃતિઓ, સ્તવન, સઝાય, ગીત આદિ કૃતિઓ ‘કવિ સહજસુંદરની રાસકૃતિઓ' એ નામે ગ્રંથસ્થ કરી, પણ આ કવિની સર્વોત્તમ કૃતિ ‘ગુણરત્નાકરછંદ’ તે અદ્યાપિપર્યંત અપ્રગટ જ રહી. આ ગ્રંથમાં પ્રકાશિત થયેલી કૃતિઓમાં આ કવિની ૧૪ કડીની એક કૃતિ ‘સરસ્વતીમાતાનો છંદ’ પણ પ્રગટ થઈ છે. ૧૪૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતનું સાંસ્કૃતિક - શૈક્ષણિક મૂલ્ય અને કેટલીક હસ્તપ્રત ૧૪૩ પણ જ્યારે મેં “ગુણરત્નાકરછંદ'નું સંશોધન હાથ ધર્યું ત્યારે એની બધી જ હસ્તપ્રતોમાં (મેં ઉપયોગમાં લીધેલી દસેય હસ્તપ્રતોમાં) આરંભની ૧ થી ૧૪ કડી સરસ્વતી માતાની સ્તુતિરૂપે મળે છે. આમ “સરસ્વતીમાતાનો છંદ' એ ‘ગુણરત્નાકરછંદ' અંતર્ગત આરંભિક પઘાંશ જ છે. પણ એમ બન્યું હોવાનું જણાય છે કે આ સ્તુતિએકમ અલગ રીતે પાછળથી લિપિબદ્ધ થયું હોઈ એ આ કવિની જુદી રચના ગણાઈ ગઈ છે. આમ એ જાણી શકાયું કે સરસ્વતી માતાનો છંદ’ અને ‘ગુણરત્નાકરછંદ' અંતર્ગત આરંભનો પઘાંશ એ અભિન્ન રચના છે. વળી “સરસ્વતી માતાનો છંદ'નું રચનાવર્ષ જે અપ્રાપ્ય હતું. તે પણ હવે નિશ્ચિત થઈ શક્યું. કેમ કે ‘ગુણ' નું સં. ૧૫૭૨ (ઈ.સ. ૧૫૧૬)નું રચનાવર્ષ એની હસ્તપ્રતોમાં પ્રાપ્ત થાય છે. ૨.'ગુણરત્નાકરછંદ' ના સંપાદન માટે જે ૧૦ હસ્તપ્રતોને ઉપયોગમાં લીધી એમાંથી લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદની હસ્તપ્રત (ભૂ.ક. ૫૦૬૮) માં છેલ્લા પાના ઉપર ત્રણ લીટીએ જ્યાં “ગુણરત્નાકરછંદ' કૃતિ પૂરી થાય છે તે પછીની ખાલી જગામાં ખૂબ જ ઝીણા અક્ષરોમાં લખાયેલી જગડૂસાહછંદ' નામની બે નાની કૃતિઓ પ્રાપ્ત થઈ. એક છે કડીની અને બીજી બે કડીનું કવિત્રયુગલ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આપણે ત્યાં “છંદ' સ્વરૂપી રચનાઓનો પણ એક પ્રવાહ વહ્યો છે. એમાં દીર્ઘ-લઘુ એમ બન્ને પ્રકારની, છંદોવિધ્યવાળી તેમ જ એક જ સળંગ છંદમાં રચાયેલી છંદરચનાઓ પ્રાપ્ય છે. સૌથી વધુ સ્તુતિ-પ્રશસ્તિના છંદો રચાયા છે. એની તુલનામાં ઐતિહાસિક વિષયવસ્તુવાળા છંદો જૂજ છે. જેમાં સૌથી મહત્વની છંદરચના યાદ આવે જૈનેતર કવિ શ્રીધર વ્યાસની ‘રણમલ્લ છંદ'. તો આવા ઐતિહાસિક વિષયવસ્તુવાળી છંદરચનાઓમાં આ પ્રાપ્ત જગડૂસાહ છંદ' કૃતિ એક મહત્ત્વનો ઉમેરો કરે છે. કેમ કે એ કૃતિમાં કેટલીક મહત્વની ઐતિહાસિક દસ્તાવેજી ઘટનાઓ ઉપલબ્ધ છે. સં. ૧૩૧૫ના વર્ષમાં ગુજરાત સમેત ઘણાં રાજ્યોમાં ભીષાગ દુષ્કાળ પડ્યો ત્યારે કચ્છ- ભદ્રેશ્વરના જગડૂશા શેઠે ગુજરાતના રાજા વીણલદેવને, સિંધના હમીરને, દિલ્હીના સુલતાનને, માળવાના-કાશીના રાજાઓને કોને કેટલું અનાજ ગરીબોને વહેંચવા આપેલું એની આંકડાવાર વિગતો એમાં પ્રાપ્ત થાય છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન આમ ગુણરત્નાકરછંદ'નું સંપાદન હાથ ધરતાં એની હસ્તપ્રતમાંથી આ એક આનુષંગિક લાભ પ્રાપ્ત થયો. ૩. ‘ગુણરત્નાકરછંદ' માં કવિએ ચારણી વપરાશવાળા અક્ષરમેળ-માત્રામેળ છંદોનો ઉપયોગ કર્યો છે. એની હસ્તપ્રતોમાં કડીની આગળ આ છંદનામ નોંધાયેલાં છે. એમાં રેડકી છંદની પણ ૯ કડીઓ છે. આ રેડકી છંદની કોઈ માહિતી ઉપલબ્ધ થતી નહોતી. બૃહસ્પિંગળ' માં પણ નહીં. ચારણી પરંપરાના છંદોમાં “રણકી' છંદ છે. પણ એ રણકી છંદ કરતાં આ રેડકી છંદનું બંધારણ અલગ પડે છે. પાગ ‘ગુણરત્નાકરછંદ' ની એક હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ (સૂ. કે - ૯૯૮૪) ની હસ્તપ્રતમાં રેડકી છંદનું વૈકલ્પિક નામ રૂડિલા છંદ નોંધાયેલું છે. તો આ રેડકી અને રૂડિલા એક જ છંદ હશે? એ એકબીજાનાં વૈકલ્પિક નામો હશે એવો પ્રશ્ન મનમાં ઘોળાતો હતો. પણ હમણાં જ “અનુસંધાન’ના ૮ મા અંકમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીએ ‘લલિતાંગચરિત્ર' અપરનામ “રાસકચૂડામણિ' નામની છંદોવિધ્યવાળી લાંબી કથનાત્મક અપ્રગટ કૃતિ સંપાદિત કરીને પ્રગટ કરી તેમાં ‘એડિલ્લા' છંદનિર્દેશવાળી ચાર કડીઓ (૩૭૬ થી ૩૭૯) હતી. ‘ગુણરત્નાકરછંદ' ના રેડકી છંદના નિર્દેશવાળી અને આ કૃતિના ‘રોડિલ્લા” છંદનિર્દેશવાળી કડીઓનું છંદબંધારણ પણ એકસરખું જ . જણાયું. એ પરથી નિશ્ચિત થઈ શકયું કે રેડકી અને રોડિલ્લા કે રૂડિલા છંદ એક જ છે. આમ એકથી વધુ હસ્તપ્રતો સાથે કામ લેવાનું થાય છે ત્યારે કૃતિના સમય અંગે, કર્તા અંગે, કેટલીક ઐતિહાસિક વિગતો અંગે, કૃતિના છંદ અંગે વધુ માહિતી કે ચોક્કસ પ્રમાણો સાંપડે છે - નવી દિશાઓ ખૂલતી આવે છે. એ રીતે હસ્તપ્રતોનું સાંસ્કૃતિક-શૈક્ષણિક મહત્ત્વ કેટલું છે એ હું ‘ગુણરત્નાકરછંદ'નું મારું સંપાદનકાર્ય કરતાં જાણી શક્યો છું. જો કોઈ કૃતિની એકથી વધુ પ્રતો પ્રાપ્ય હોય તો સામાન્યત: કૃતિની મુખ્ય વાચના માટે કૃતિના રચનાવર્ષથી સૌથી નજીકનું લેખનવર્ષ ધરાવતી હસ્તપ્રતને વધારે પ્રમાણભૂત ગણવાની રહે અને એનો મુખ્ય આધાર લેવાનું વલણ રહે. પણ દરેક વખતે આ ધોરણ લાગુ પાડી શકાય નહીં. જો કૃતિના રચનાવર્ષથી સૌથી નજીકના લેખનવર્ષવાળી હસ્તપ્રતના પાઠો ભ્રષ્ટ હોય - લહિયા દ્વારા કૃતિ ભ્રષ્ટ પાઠ સાથે ઉતારવામાં આવી હોય એ પ્રત સ્વીકાર્ય બની શકે નહીં. જો એને મુખ્ય આધાર તરીકે સ્વીકારવામાં આવે તો ભ્રષ્ટ પાઠ છોડતા જઈને અન્ય પ્રતોના પાઠો સ્વીકારવાનો મોટો આયામ એમાં અનિવાર્ય બની જાય. Page #160 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતનું સાંસ્કૃતિક - શૈક્ષણિક મૂલ્ય અને કેટલીક હસ્તપ્રત ૧૪૫ વળી કૃતિઅંતર્ગત, કૃતિનિર્માણમાં કવિનાં જે વલણો, કવિનો જે તરફનો ઝુકાવ એને કઈ હસ્તપ્રત વધારે ચુસ્તીથી વળગી રહે છે એ પણ મુખ્ય પ્રતની પસંદગીનું એક મહત્ત્વનું પરિબળ બની રહે. મેં “ગુણરત્નાકરછંદ ની જે ૧૦ પ્રતોને ઉપયોગમાં લીધી એમાં સૌથી જૂની પ્રત સં. ૧૬૧૮ના લેખનવર્ષવાળી હતી. (કૃતિનું રચના વર્ષ સં. ૧૫૭૨) પણ એને પાઠો ભ્રષ્ટ હતા. એને સ્થાને કૃતિની વાચના તૈયાર કરવા માટે જે પ્રતનો મુખ્ય આધાર લીધો તે સં. ૧૭૧૬ના લેખનવર્ષવાળી હતી. પણ એ એટલા માટે સ્વીકારી. કે વિવિધ છંદોમાં રચાયેલી આ કૃતિના ચારણી છટાના છંદોલયને આ પ્રત, કેટલાક જૂજ અપવાદે, બહુ જ ચુસ્તતાથી જાળવતી હતી. કડીઓના અંત્યાનુપ્રાસઆંતરપ્રાસ, યમક-ચમત્કૃતિને પણ ચુસ્ત રીતે વળગી રહેવાનું વલણ આ પ્રત ધરાવતી હતી. કૃતિના બહિરંગની સુંદર માવજત કરવા તરફ કવિનું જે વલણ રહ્યું છે તેને આ પ્રત ચોકસાઈથી અનુસરતી હતી. અન્ય પ્રતોના પાઠોની તુલનામાં આ પ્રતના પાઠો કૃતિના આંતર-બાહ્ય સૌંદર્યને કાવ્યાત્મક ઓપ આપવામાં વધુ સહાયક બનતા હતા. (જોકે અનેક જગાએ આ પ્રતના પાઠ છોડવાનું પણ બન્યું જ છે એ સ્પષ્ટતા પણ કરી લઉં) અન્ય પ્રતનો પાઠ સ્વીકારવામાં કે મુખ્ય પ્રતનો પાઠ છોડવામાં છંદ, પ્રાસ, અન્વયાર્થ, અર્થબોધ સૌંદર્ય એમ અનેક બાબતો ધ્યાનમાં રાખવાની રહે છે. કેવળ કેટલી વધુ પ્રતો અમુક પાઠ આપે છે કે નથી આપતી એટલું સીધું ગણિત પણ એમાં ચાલી શકે નહીં. હસ્તપ્રત-પાઠભેદ-ચર્ચા ૧. મારા સંપાદનમાં મુખ્ય પ્રતને ક પ્રત તરીકે અને બાકીની નવને ખ થી 8 પ્રત તરીકે ઓળખાવી છે. કવિ સરસ્વતીની સ્તુતિ આ શબ્દોમાં કરે છે : મુખ્ય પ્રત ક માં - રવિશશિમંડલ કુંડલ કિધા, તારા મસિ મુગતાફલ વિદ્ધા' (સૂર્યચંદ્રનાં તે કુંડળ કર્યા છે ને તારારૂપી મોતી એમાં પરોવ્યાં છે.) હવે મોટા ભાગની પ્રતો કે પ્રતના વિદ્ધા' પાઠને સ્થાને કિમ્બા' કે “લીબ્રા' પાઠ આપે છે. પણ મુખ્ય પ્રતનો ‘વિદ્ધા પાઠ જ વધુ કાવ્યોચિત કરે એમ છે. કેમ કે ‘ક્રિા” પાઠ લઈએ તો “કિદ્ધા' ક્રિયારૂપ બેવડાય છે. કુંડલ કિધા - મુગતાફલ કદ્ધા.” “વિદ્ધા' પાઠ સ્વીકારવાથી સૂર્યચંદ્રરૂપી કુંડળમાં તારારૂપી મોતીઓ પરોવવાનું જે સૌદર્યસભર ચિત્રનિર્માણ થાય છે તે કીદ્ધા કે “લીદ્ધાથી થતું નથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન ૨. એક જગાએ તો છંદદષ્ટિએ મુખ્ય પ્રતને પાઠ છોડવો પડ્યો તેનું ઉદાહરણ લઈએ. કે પ્રત પાઠ આપે છે : “હસ્ત કમંડલ પુસ્તક વીણા સુહમણઝાણનાણગુણલીણા” અન્ય પ્રતો ‘મણ’ પાઠ બાદ કરીને પંક્તિ આપે છે : ‘હસ્ત કમંડલ પુસ્તક વીણા સુહ ઝાણનાણગુણલીણા'. (હાથમાં કમંડલ, પુસ્તક અને વીણા ધારણ કરેલી તેમ જ શુભ ધ્યાન, જ્ઞાન અને ગુણમાં લીન બનેલી (દેવી સરસ્વતી.) ) હવે અહીં બાકીની બધી પ્રતો મણ પાઠ નથી આપતી માટે કે પ્રતને પાઠ છોડ્યો છે. એમ નહીં, પણ છંદદષ્ટિએ પણ એ વધારાનો કરે છે માટે. અહીં પ્રથમ આર્યા કે આર્યા છંદ છે. કુલ ૫૭ માત્રાનો. પહેલા ચરણમાં ૩૦+ બીજા ચરણમાં ૨૭. આ પંકિત આર્યા છંદનું પહેલું ચરણ હોઈ મણ” પાઠ રદ કરવાથી જ એની ૩૦ માત્રા જળવાય છે. ૩. કોશા આંગણે આવેલા યુવાન સ્થૂલિભદ્રને (દીક્ષા પહેલાં) રીઝવવા જે ચેષ્ટાઓ કરે છે તેનું વર્ણન : ક પ્રત : ‘ભમુહ-કમણિ કરી તિહાં તાકઈ તીર-કડકખ અન્ય પ્રતો કડકખ” ને સ્થાને તડકખ” પાઠ આપે છે. અહીં અર્થબોધ સૌંદર્યની દષ્ટિએ ‘તીર-કડકખ” ઉચિત લાગે. અર્થ ભ્રમરની કમાન કરીને કટાક્ષ-તીર (તીર-કડકખ) તાકે છે.' હવે જો ‘તડકખ” પાઠ લો તો તડાક દઈને તીર તાકે છે” એમ અર્થ થાય. જોકે 'તડકખ પાઠથી અહીં રવાનુકારિતા પ્રવેશે છે ને વર્ણસગાઈને વધુ ધાર મળે છે. ‘તિહાં તાકઈ તીર તડકખ પણ 'તીર-કડકખ નું કાવ્યસૌંદર્ય છોડવાનું પણ કોઈ કારણ ન જણાતાં પાઠ યથાવત્ રાખ્યો. અહીં કેટલીક હસ્તપ્રતને લહિયાઓએ તો સ્ત્રીની ચેષ્ટાઓની વાત આવી એટલે વગર સમજ્ય કમાણિ” નો કામિણી-કામિની' પાઠ કરી નાખ્યો. એ તો સ્પષ્ટત: ખોટો અર્થભેદ જ થઈ ગયો છે. “ભમુહ-કમાણિ' એટલે તો આંખની ભ્રમરરૂપી કમાન અને એ કમાન ઉપર ચડાવીને તીર તાકે છે. ૪. સ્થૂલિભદ્ર કોશાને ત્યાં પ્રથમ વાર આવે છે ત્યારે આરંભમાં તો કોશાને આ પુરુષ દ્રવ્ય કઢાવવાનું એક સાધન જ જણાય છે. પણ પછી એને નજીકથી નજરે નિહાળતાં એ એમાં અનુરક્ત-પ્રેમવિહ્વળ બને છે ત્યારે પંક્તિ આ પ્રમાણે છે : ક પ્રત : ગણિકા-ભાવ સ્યા માંહિ, જિસ્યઉંજલ ઉપરિ લેખે હવે કેટલીક પ્રતો ‘ગણિકા-ભવ” પાઠ આપે છે. આ બીજા પાઠનો અન્વયાર્થ તો બહુ સીધો Page #162 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતનું સાંસ્કૃતિક - શૈક્ષણિક મૂલ્ય અને કેટલીક હસ્તપ્રત ૧૪૭ છે કે આ ગણિકા-ભવ શી વિસાતમાં ? પણ ગણિકા-ભાવ પાઠ કોશાની ભાવસૃષ્ટિ અને ભાવસંક્રાન્તિના નિરૂપણના સંદર્ભમાં વધુ કાવ્યાત્મક બને છે. સ્થૂલિભદ્રને જોયા પછી એનો ગણિકા-ભાવ ગયો ને પ્રતિભાવ જાગ્યો. ગણિકા-ભાવ હવે એને જળ ઉપરના લખાણ સમો નિરર્થક લાગે છે. એટલે તો એ પછીની પંક્તિઓમાં કહે છે. પ્રેમિ કાદવિ કલી કાઢિ કાઢિ કરિ કરિ સુખી” (પ્રેમથી કાદવમાં ખૂંપેલીને બહાર કાઢીને સુખી કર) પ્રેમ એની આકાંક્ષા બને છે. ૫. કોશાના શૃંગારનિરૂપણમાં આવી પંકિતઓ છે : ‘પીઉ જમલિ ઝીલણ લાગી, રમાઈ રમતિ રાગી, માલા-ભમર જાગી, દેખી ઈસ્યઉં નવિ બોલાઈ ન સૂઈ નારી'. છેલ્લી પંક્તિનો અર્થ બરાબર બેસતો નહોતો. અન્ય કેટલીક પ્રતોમાં તવ બોલ ને સોહઈ નારી’ મળ્યો. શૃંગારચિત્રમાં આ બીજો પાઠ બરાબર બેસી ગયો ને વધુ સ્વીકાર્ય લાગ્યો. (પ્રિયના સાથમાં સ્નાન કરવા લાગી. રાગથી રમત-ક્રિીડા કરે છે. આવું દેખી ભ્રમર-માળ જાગી. ત્યારે નારીનો બોલ શોભતો નથી - નારી બોલતી નથી.) નારી કેમ બોલતી નથી ? કવિ વાચકોને પૂછે છે “કહુ જાણ વિચારી - જ્ઞાની, તમે વિચારીને કહો કે નારી કેમ બોલતી નથી? આનો જવાબ પછીની કડીમાં છે. જાણી અલિ પરિમલગુણ-વાહ્યા, કમલ વરસઈ ઊડી આયા, ' ' ! મુઝ બોલતાં અહર જિ ડસઈએ, પાસઈ પણિ પ્રાઉડી હસઈએ (ભમરાઓ કમલની બ્રાંતિથી (કોસાના મુખને કમળ માનીને) ઊડી આવ્યા છે. જો હું બોલું તો ભમરા અધર પર હસે અને પાસે રહેલો પ્રિયતમ હસે). આમ મઝાનું એક શૃંગારરસિક કલ્પનાચિત્ર ઊભું થાય છે. આ આખા સંદર્ભમાં પાઠની સ્વીકૃતિ નક્કી કરવાની થાય છે. ૬. ક્યારેક એવું બને કે બે જુદા પાઠો બન્ને એકસરખા સ્વીકાર્ય લાગે. પતિ-પત્નીને વશ કેમ થાય ? તો સ્ત્રીના ગુણિયલપણાથી. આનું નિરૂપણ કવિ આમ કરે છે : ક પ્રત : ‘પ્રીતિ વહઈ નખમંસ તણી પરિ, અધિક ભમઈ નહી વલિ ઘરિવરિ, કાજ કહી જઉ પીહરિ જાવઈ તુ પ્રાઉડનારી વસઈ આવઈ”. (નખ-માંસની પેઠે અતૂટ પ્રીતિ દર્શાવે, ઘેરઘેર અધિકું ભમે નહીં, અને પિયરમાં Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન શું કામ છે તે કહી - જણાવી પિયર જાય તો પિયુડો નારીને વશ આવે.) કેટલીક પ્રતો ‘કાજ કહી’ ને સ્થાને ‘કાજ કરી' પાઠ આપે છે. (સઘળું કામકાજ કરીને-પતાવીને જો પિયર જાય......) આ પાઠ પણ એટલો જ સ્વીકાર્ય બને એમ છે. ૭. સ્થૂલિભદ્રના વિરહમાં ઝૂરતી કોશાનું ચિત્ર : ‘ભૂષણ મયલ ધરઈ અપરીઠાં, આખે કંકણ વલી દીઠાં’ અહીં બધી પ્રતો એકસરખો ‘આખે’ પાઠ આપે છે. એની દ્વિધા છે. પંક્તિનો પૂર્વાર્ધ સ્પષ્ટ છે (બદલાવ્યા વિનાનાં આભૂષણો મેલ ધારણ કરે છે). પણ પંક્તિના ઉત્તરાર્ધનો અર્થ શો કરવો ? જો ‘આખે' પાઠમાં અનુસ્વાર રહી ગયેલો માનીએ ને એ પાઠ ‘આંખે' કરીએ તો અર્થ બહુ સ્પષ્ટ છે કે (આંખે કુંડાળાં વળી ગયેલાં દીઠાં) અહીં અધિકરણાર્થે ‘આંખે’ રૂપ સ્વીકાર્ય બને. પણ મુશ્કેલી એ છે કે બધી જ પ્રતો ‘આખે’ પાઠ આપે છે ને એકપણ પ્રત સાનુસ્વરિત ‘આંખે’ આપતી નથી. ૮. કોશાના વિરહનું બીજું ચિત્ર : ક પ્રત : ‘પહિર્યા પણિ ન ગમઈ સિંગારા, લાગઈ અંગિ જિસ્યા અંગારા’ (પહેર્યા છે પણ તે શૃંગાર ગમતા નથી. જાણે શરીરે તે અંગારા જેવા લાગે છે) કેટલીક પ્રતોનો પાઠ ‘લાગઈ આગિ તણા અંગારા’. (તે શૃંગાર-આભૂષણો અગ્નિના અંગારા જેવા લાગે છે). અર્થ તો અહીં પણ બેસે છે પણ ‘અગ્નિના અંગારા'માં પુનરાવર્તન આવે છે. એટલે મુખ્ય પ્રતનો પાઠ જ વધુ સ્વીકાર્ય લાગે છે. ૯. શરીરની નશ્વરતાની વાત કરતાં કવિ કહે છે : ક પ્રત : ‘ તે યૌવન ગાલઈ જરા, ખાર કનક પરિ જોઈ’ (જેમ ક્ષાર સોનાને તેમ વૃદ્ધત્વ યૌવનને ગાળી નાખે છે.) કેટલીક પ્રતો ‘તે યૌવન લાગઈ રા' પાઠ આપે છે. લહિયાને ‘ગાલઈ’ નો અર્થ નહીં સમજાયો હોય ? શરતચૂક થઈ હશે ? જે હોય તે, પણ ‘લાગઈ’ પાઠથી આખું ચિત્ર જ મરી જાય છે. ‘વૃદ્ધત્વ યૌવનને ગાળી નાખે છે' એમાં જ, ‘ગાલઈ’ પાઠથી જ ચિત્રનિર્માણ થાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ १७. अर्धमागधी आगम-ग्रंथों के संपादन में हस्तप्रतो में से पाठों की पसंदगी का प्रश्न . के. आर. चन्द्र जेनों का प्राचीनतम धर्मशास्त्र आगम साहित्य है और वह भगवान् महावीर के उपदेशों का संग्रह है । इसकी भाषा एक प्राकृत भाषा है, जिसका नाम अर्धमागधी है जिसमें भगवान् महावीर ने उपदेश दिये थे । यह आगम साहित्य गुरु-शिष्य की मौखिक परंपरा से शताब्दियों तक चलता रहा और पाँचवीं शताब्दी के अंत में या छठी शताब्दी के प्रारंभ में वलभी में इसे लिपिबद्ध किया गया। परंतु उसकी जो मूल भाषा थी वह वैसी की वैसी नहीं रही । भगवान् बुद्ध भी महावीर के समकालीन ही थे, लेकिन उनके पालि त्रिपिटक की भाषा और अर्धमागधी में समानता नहीं है । संस्कृत भाषा तो पाणिनी के समय से आज तक उसी रूप में प्राप्त है । लेकिन प्राकृत भाषा अपना स्वरूप स्थल और कालान्तर के साथ साथ बदलती गयी अर्थात् लोकभाषा, जनभाषा बदलती गई और उसका प्रभाव अर्धमागधी प्राकृत पर भी पड़ा । जैनधर्म मगध से (पूर्व भारत से) मथुरा और वहाँ से वलभी(गुजरात) पश्चिममें पहुँचा और इसी कारण मौखिक रूप में चले आ रहे आगम साहित्य पर शौरसेनी (मथुरा) और महाराष्ट्री (वलभी) का प्रभाव पड़ता रहा । आज जो आगम साहित्य उपलब्ध है वह मूल अर्धमागधी के परिशुद्ध रूप में नहीं मिल रहा है, उस पर महाराष्ट्री प्राकृत का गहरा प्रभाव पाया जाता है । उच्चारण-भेद और श्रुति-भेद से तो भाषा बदलती ही गई ओर साथ ही साथ अर्धमागधी का कोई भी व्याकरण ग्रंथ न होने के कारण परवर्ती काल में प्राकृत भाषा के जो व्याकरण लिखे गये उनका प्रभाव भी संपादकों पर पड़ा और यह भी कहा जा सकता है कि अर्धमागधी के विषय में वे अब तक भी गुमराह (misguide) होते रहे हैं । उदाहरण के रूप में शुब्रिग महोदय का आचारांग के प्रथम श्रुत-स्कंध का जो संस्करण उपलब्ध है उसमें उन्होंने महाराष्ट्री प्राकृत व्याकरण का आधार लेकर उसे संपादित किया है और अन्य जो संस्करण उपलब्ध हैं उनमें भी मौलिक अर्धमागधी के स्वरूप का ध्यान कम रखा गया है। -... जैन परंपरा में संस्कृत शास्त्रों की तरह भाषा पर भार नहीं था वहाँ तो सिर्फ उपदेशों Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન पर ही विशेष ध्यान था। इस कारण से आगमों की मूल अर्धमागधी भाषा इतनी बदल गई की उसे मूल रूप में खोज निकालना एक बहुत बड़ी समस्या बन गई है। यह समस्या कितनी जटिल बन गई है इसके विषय में आगम साहित्य के प्रकांड विद्वान् आगमप्रभाकर मुनि श्री पुण्यविजयजी के ही शब्दों में उनका अभिप्राय यहाँ पर उद्धृत करता हूँ जो' उन्होंने कल्पसूत्र की भूमिका में विस्तार के साथ प्रस्तुत किया है । “प्रतिओमां भाषादृष्टिले अने पाठोनी दृष्टिो घणुं समविषमपणुं छे. आ कारणसर मौलिक भाषाने तेना मौलिक पाठोना स्वरूपनो निर्णय करवो आपणा माटे अति दुष्कर वस्तु छे. __ जैन आगमोनी भाषा विषे जे केटलाक निर्णयो बांधेला छे ते मान्य करी शकाय तेवा नथी. अर्वाचीन प्राकृतमा मध्यवर्ती व्यंजनोनो लोप भेटला प्रमाणमां न हतो जे प्राकृत व्याकरणकारो दर्शावे छे. पाठभेदो स्वाभाविक रूपे ज थई गया नथी. पाछळना आचार्योओ पाठकोनी सुगमता माटे शब्द-प्रयोगोने बदली तारव्या छे. जैन आगमोनी मौलिक भाषामो घणुं ज परिवर्तन थई गयुं छे तेने लीधे आजे जैन आगमोनी मौलिक भाषा केवी हती ते शोधवानुं कार्य दुष्कर ज थई गयुं. विविध कारणोने आधीन थईने जैन आगमोनी मौलिक भाषा खीचडं ज बनी गई छे. एटले जैन आगमोनी मौलिक भाषामुं अन्वेषण करनारे घणी ज. धीरज राखवी जरूरी छे. प्राकृत भाषाना अगाध स्वरूपने जोतां श्री हेमचंद्रनुं प्राकृत व्याकरण से तो प्राकृत भाषानी बाळपोथी ज बनी जाय छे. उत्तरोत्तर लेखकदोषादिने कारणे अने तेमाथी लेखकोओ उपजावी काढेला पाठो के विविध प्रकारना लिपिदोषोना ज्ञाननी पण ग्रंथसंशोधनमां जरुरियात बनी रहे छे." __इस पर से स्पष्ट होता है कि आगम-ग्रंथों के संपादन में मौलिक भाषा तक पहुँचना कितना कठिन कार्य है। फिर भी उन्होंने यह भी कहा है कि बहुत ही धीरज से कार्य करने पर और प्राकृत भाषा का विशिष्ट ज्ञान प्राप्त करने पर मौलिक भाषा के नज़दीक तो पहुँचा जा सकता है। इस कार्य के लिए यह जानना बहुत जरुरी है कि भगवान् महावीर के समय में उनके विहार के स्थल की भाषा का क्या स्वरूप रहा होगा। इसके लिए हमारे पास जो भी Page #166 -------------------------------------------------------------------------- ________________ हस्तप्रतों में से पाठों की पसंदगी का प्रश्न साधन उपलब्ध हैं उनका उपयोग हमें सावधानीपूर्वक करना पड़ेगा । उस समय की पालि भाषा का स्वरूप हमारे सामने है और अशोक के अभिलेखों की भाषा भी हमारे सामने है । आगमों की हस्तप्रत १२वीं शताब्दी से पहले की हमारे सामने नहीं है और तब तक उनकी भाषा में कितना परिवर्तन आ गया होगा यह भी एक समस्या होते हुए भी इसका भी समाधान संभव है । मध्यकालीन भारतीय आर्य भाषाओं के क्रमिक विकास के संबंध में पर्याप्त संशोधन कार्य हुआ है, और उसके आधार से भी मूल अर्धमागधी के स्वरूप को निर्धारित किया जा सकता है। अर्धमागधी आगम ग्रंथों की हस्तप्रतों में भाषा प्राचीन और परवर्ती रूपों का सम्मिश्रण मिलता है, परंतु सभी प्रतों में सूत्रों के सभी पाठों में भाषा की एकरूपता नहीं है । कहीं पर प्राचीन रूप मिलता है तो कहीं पर परवर्ती रूप मिलता है। एक ही शब्द के अनेक रूप स्थल - स्थल पर पाये जाते हैं और ऐसी हालत में हम प्राचीन रूपों को अलग कर सकते हैं जिनको कुछ अंश में व्याकरण के आधार पर और कुछ अंश में अशोक की और पालि भाषा के सहारे प्रमाणित माना जा सकता है । इस कार्य के लिए सभी उपलब्ध हस्तप्रतों के बिभिन्न पाठों का संग्रह करके उन्हें अकारादि क्रम से जमाना बहुत आवश्यक है और इसके बिना सभी प्राचीन पाठों को ढूंढ निकालना अशक्य है । कार्य कठिन अवश्य है परंतु असंभव नहीं है । T इस सिद्धांत के आधार पर किस तरह से हस्तप्रतों में से पाठों की पसंदगी (चुनाव) कि जा सकती है उसके कुछ उदाहरण यहाँ पर प्रस्तुत करता हूँ जिस पर विद्वान लोग ध्यान दें तो पुनः संपादन का कार्य अतिदुष्कर' नहीं होगा ऐसा मैं मानता हूँ। अभी तक अर्धमागधी आगमग्रंथों के संपादन की साधारणतः यह पद्धति रही है कि प्राचीनतम प्रत में जो पाठ मिलता हो या अधिक से अधिक प्रतों में जो पाठ मिलता हो उसे स्वीकारा जाय । इस पद्धति में यह दोष पाया गया है कि कभी कभी प्राचीनतम पाठ रह गया है। और कालानुक्रम से अधिक प्रचलित परवर्ती पाठ अपनाया गया है। एक ही अध्ययन या एक ही सूत्र में कभी कभी विविधकाल के एक ही शब्द-रूप के विभिन्न पाठ अपनाये गये हैं। कभी कभी विभिन्न प्रतों में अलग अलग पाठ मिलते हैं। एक ही काल की रचना में किसी एक ही स्थल पर विभिन्न पाठों का मिलना यह स्पष्ट बतलाता है कि लेहियों और संपादकों के ऊपर परवर्ती व्याकरण का प्रभाव अधिक रहा है और उन्होंने भाषा की प्राचीनता और रचनास्थल का ध्यान रखे बिना उनके अपने ही सिद्धातों के अनुसार * परवर्ती पाठ अपनाये हैं' । इस संबंध में कुछ उदाहरण इस प्रकार हैं १. 'यथा' के लिए ताड़पत्र की प्रतों में अधिकतर 'जहा' पाठ मिलता है, परंतु ૧૫૧ - Page #167 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન 'अधा' जैसा प्राचीन पाठ कागज़ की एक दो प्रतों में भी मिलता है। ऐसे स्थलों पर 'अधा' पाठ (अथवा 'जधा' भी) नहीं अपनाकर 'जहा' (परवर्ती रूप ) पाठ अपनाया ( आचारांग में) गया है । यही बात 'एकदा ' पाठ के लिए भी लागू होती है (इसके पाठान्तर हैं 'एगदा, एगता, एगया' ) । २. एक ही पद्य, वाक्य, सूत्र या परिच्छेद में विभिन्न स्तरके पाठ आचारांग भगिणी, भइणी, २. ३६०, सदा, सता, १.३३, पादाणि, पायाणि, ૧૫૨ - - पायाई २.५९२, ५९३ सूत्रकृतांग निग्गंथे, णिग्गंथे ; नवनीतं, णवणीयं २.१.६५०, उत्तराध्यायन खेत्ताणि, खेलाई १२.१३, अन्नमन, अण्णमण्ण १३.५ अर्धमागधी आगम ग्रंथों की हस्तप्रतों में मिल रहे विभिन्न पाठान्तरों में से शब्दों एवं शब्द-रूपों का चुनाव प्राचीनता के आधार पर निम्न प्रकार से किया जा सकता है। - ५. विविध रूप १. अत्ता, आता, आदा, आया, अप्पा २. नरक, नरग, णरक, णरग, णरय, ३. नगर, नयर, णगर, णयर, णकर ४. लोकावादी, लोगावादी, लोकावाई, लोगावाई, लोयावादी, लोयावाई मेधावी, महावी ६. अबोधीए, अबोह ७. अहिताए, अहियाए, अहिआए ८. पडिसंवेदयति, पडिसवेदेति, पडिसंवेएइ, पडसंवेतइ ९. भवति, भवइ, हवति, हवइ, होति, होइ १०. दक्खिणातो, दक्खिणाओ, दाहिणाओ ११. ओववादिए, ओववातिए, उववादिते, उववादिए ओवत्राइए, उववाइते, उववाइए ( दो पृथक् पृथक् शब्द) १२. एकदा, एगदा, एगता, एगया १३. सदा, सता, सया णिरय प्राचीनतम रूप अत्ता या आता नरक नगर लोकावादी मेधावी अबोधीए अहिताए पडसंवेदयति भवति दक्खिणातो ओववादिए ओववातिए एकदा सदा Page #168 -------------------------------------------------------------------------- ________________ १५3 हमखातों में से पाठों की पसंक्मी का प्रश्न । १४. पवेदितं, पवेतितं, पवेतियं, पवेदियं, पवेइयं पवेदितं १५. लोगस्सिं, लोकंसि, लोगंसि, लोयंसि, लोकम्मि, लोकंसि या लोगंमि, लोयंमि लोकस्सिं (लोकंसि से लोकस्सिं प्राचीन रूप है) १६. अधा, अहा, जधा, जहा अधा १७. खेत्तन्न, खेतन्न, खेदन, खेयन्न, खेअन्न, खेत्तण्ण, खित्तण्ण, खेतण्ण, खेदण्ण, खेयन्न, खेयण्ण, खेअण्ण १८. चुते, चुतो, चुए, चुए चुते १९. विदित्तु, विइत्तु विदित्तु २०. सहसम्मुतिया, सहसम्मुतियाए, सहसम्मुदियाए, सहसम्मुइए, सहसम्मइयाए सहसम्मुतिया खेत्तन्न निम्न दो-दो रूपो में से प्रथम रूप ही प्राचीन है और उसे ही नये सम्पादन में चुना जाना चाहिए। क ख ग ज ध्वनि परिवर्तन = अंधकार, अंधयार; अधिकरणं, अहिगरणं; लोकंसि, लोगंसि; कम्मकराणं, कम्मगराणं; = दुकखेण, दुहेण = भोगे, भोए = परिजणं, परियणं; अविजाणए, अवियाणए; अविजाणतो, अवियाणओ; एजस्स, एयस्स . = आतुर, आउरे; रोगसमुप्पाता, रोगसमुप्पाया; आगतो, आगओ; धुतमोहा, धुयमोहा; कप्पति, कप्पइ; सोतं, सोयं; भूताणि, भूयाइं; जातिपधं, जाइपहं चुते, चुओ; अविजाणतो, अवियाणओ; दिसातो, दिसाओ; कुवति, कुन्वइ = पव्वथिए, पवहिए; जातिपधं, जाइपह; आवकधा, आवकहा = धम्मपदाणि, धम्मपयाई; पदे पदे, पए पए; जवोदणं, जवोयणं; समुच्छेदंति, समुच्छेयंति; परिवंदण, परियंदण; परिवंदति, परिवयंति त थ द Page #169 -------------------------------------------------------------------------- ________________ ध भ य न જ હાઉરિકા અને રાણાવાહિના માં જમાદા ૧૫૪ = तिविधेण, तिविहेण; तधा-तधा, तहा-तहा; अधियास-, अहियास-; इध, इह मेधावी, मेहावी = थीभि, थीहि; लोभो, लोहो; पभू, पहू; सोभणे, सोहणे; = आवकधा, आक्कहा = निधाय, णिधाव (णकार के बदले में शब्द का मूल नकार ही भाषा की प्राचीनता का द्योत संयुक्त व्यंजन -ज्ञ- = अन्नात, अण्णात; अपडिन्ने, अपडिण्णे -- = समुष्पन्न, समुप्पण्ण -न्य- = अन्न, अण्ण; अन्नेसिं, अण्णेसिं नाम-विभक्ति-प्रत्यय -ए = पुत्ते, पुत्तो; बुद्धे, बुद्धो; चुत्ते, चुओ -आणि = कम्माणि, कम्माई; वासणि, वासाई; परमंगाणि, परमंगाई; धम्मपदार धम्मपयाई; भूताणि, भूयाई; कूराणि, कूराई -एण = तिविधेण, तिविहेणं -सा = चक्खुसा, चक्खुणा -भि = थीभि, थीहि -तो(=त:) = दिसातो, दिसाओ; अविजाणतो, अवियाणओ -य . = जाईय, जाईइ महीय, महीइ -अंसि = सरीरंसि, सरीरम्मि; लोकंसि, लोकम्मि क्रिया-रूप -ए. = पुच्छे, पुच्छेज्जा; समारंभे, समारंभेज्जा -या = अणुपालिका, अणुपालिज्जा; पमज्जिया, पमज्जिज्जा; (कुज्जा, करेजा) -तर = पूरहन्नर, पूरेउं . -त्ता = चइता, जइऊण; अभिवंदिता, अभिवंदिऊण -मीण = घातमीणे, घातमाणे Page #170 -------------------------------------------------------------------------- ________________ 'हस्तानों में से पाठों की पसंदगी का प्रश्न . १५५ अन्त में एक शब्द की अद्भूत यात्रा की कहानी सुनकर प्राकृत के विद्वानों को मूल अर्धमागधी भाषा में आगत ध्वनि-विकार का यथेष्ट अनुभव हो जायेगा और इससे यह प्रेरणा भी मिलेगी कि आगमों का पुनः सम्पादन क्यों करना चाहिए । 'क्षेत्रज्ञ' शब्द के विविध प्राकृत रूप जो मुद्रित संस्करणों और हस्तप्रतों में मिलते हैं वे इस प्रकार है - १. आचारांग के मुद्रित संस्करणों में उपलब्ध रूप - खेयन्न, खेयण्ण, खेतण्ण, खेत्तण्ण __२. हस्तप्रतों में उपलब्ध पाठ (उपरोक्त पाठों के अतिरिक्त) --- खेत्तन्न, खित्तण्ण, खेदन, खेदण्ण, खेअन्न, इस प्रकार कुल नौ रूप मिलते हैं । इनमें से कौनसा रूप पूर्वभारत की प्राचीन अर्धमागधी का मौलिक रूप होना चाहिए ? ___ इस शब्द में आगत ध्वनिगत परिवर्तन इस प्रकार है - ज्ञ = न, एण, त्र = त, त, द, य, अ और ए = इ शब्द में आगत ध्वनि-परिवर्तन की यात्रा इस प्रकार होगी - क्षेत्रज्ञ = खेत्तञ (पालि, मागधी, पैशाची और अशोक के अभिलेखों में उपलब्ध पश्चिम, उत्तर-पश्चिम और दक्षिण का रूप); खेत्तन (अशोक के लेखों के अनुसार पूर्वी भारत की लाक्षणिकता और पाटलिपुत्र की जैन आगमों की प्रथम वाचना का रूप); खेतन्न (दीर्घमात्रा के बाद आनेवाले संयुक्तव्यंजन में से एक का लोप); खेदन (मगधश से मथुरा (शूरसेन प्रदेश) की ओर प्रयाण); खेयण्ण (मथुरा से बलभी (पश्चिम भारत) की ओर प्रयाण), यहाँ पर आकर मध्यवर्ती व्यंजनका लोप; 'य' श्रुति और 'न' का 'ण' में परिवर्तन (गुजरात में) हो गया। आश्चर्य यह है कि सबसे प्राचीन आगम ग्रंथ आचारांग में परवर्ती पाठ मिलते हैं जबकि सूत्रकृतांग के परवर्ती यानी द्वितीय श्रुत-स्कंध में प्राचीनतम रूप 'खेत्तन्न' सूत्र नं. ६४१ और ६८० में प्राप्त हो रहा है, वह भी कागज की प्रत में भी। Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન पादटिप १. कल्पसूत्र (गुजराती भाषांतर साथे), संपा. पुण्यविजयजी, साराभाई मणिलाल नवाब, अहमदाबाद, ई. स. १९५२ । २. अन्तिम पृष्ठ पर 'क्षेत्रज्ञ' शब्द के विविध प्राकृत रूपों की जो चर्चा की गयी है उसके लिए देखिए लेखक का पुस्तक 'प्राचीन अर्धमागधी की खोजमें' का अध्याय नं. ६, (१९९१-९२)। विस्तार के लिए देखिए मेरी पुस्तकें - Restoration of the Original Language of Ardhamagadhi Texts, 1994. ४. परंपरागत प्राकृत व्याकरण की समीक्षा और अर्धमागधी, अध्ययन १४ (१९९५)। मध्यवर्ती णकार के स्थान पर मूल नकार ही भाषा की प्राचीनता का द्योतक माना जाना चाहिए। Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૮. જૈનાગમોના પાઠસંપાદનમાં પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપન વસંતકુમાર મ. ભટ્ટ ભૂમિકા : પાઠસમીક્ષા (Textual Criticism) અથવા ‘સમીક્ષિત પાઠસંપાદન’ (Critical Text-Editing) નો ખ્યાલ કંઈક આ પ્રકારનો છે : કોઈ પણ ગ્રંથનો આજે જે પ્રતિલિપિઓની પ્રતિલિપિઓમાં પાઠ સંક્રમિત થયો હોય તે લહિયાઓના અનેક પ્રકારના પ્રમાદને કારણે કે અકસ્માતને કારણે વિકૃત, ખંડિત અને અશુદ્ધ થયેલો હોય છે. આથી હસ્તલિખિત પ્રતોમાં જળવાઈ રહેલા એ એક જ કૃતિના વિવિધ પ્રકારના પાઠો (text) માંથી' મૂળ ગ્રંથકારે (જ) લખ્યો હોય એવા મૂળ પાઠને (Original text) ને શોધી કાઢવો, અનુમાનવો અને કાલાન્તરે પ્રવેશેલાં હોય એવા પાઠાન્તરોને પાદટીપમાં ચોક્કસ પદ્ધતિએ સંગૃહીત કરવાં એને ‘સમીક્ષિત પાઠસંપાદન' કહે છે. ૧. પાઠસમ્પાદનમાં ત્રિવિધ આયામો મૂળ ગ્રંથકારનો સ્વહસ્તલેખ અને આજે આપણને ઉપલબ્ધ થતી કોઈકની હસ્તલિખિત પ્રત (manuscript) વચ્ચેનો પાઠસંક્રમણ (texttransmitation)નો ઇતિહાસ આપણે માટે તદ્દન અંધારામાં હોય છે - અજ્ઞેય હોય છે. એ સ્થિતિમાં એકાદ હસ્તપ્રતમાં મળતો જે તે કૃતિનો પાઠ તે મૂળ ગ્રંથકારે જ લખેલો પાઠ છે એમ માની શકાય એવું હોતું નથી. કારણ એ જ કૃતિની બીજા કોઈ પ્રાંતમાંથી મેળવેલી હસ્તપ્રત સાથે તેને સરખાવીએ તો, તે બેમાં ઘણો તફાવત જણાઈ આવે છે. કારણ પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં પ્રતિલિપીકરણનું કાર્ય યાંત્રિક ન હતું. આથી માનવ દ્વારા થતાં એ પ્રતિલિપીકરણમાં જે તે કૃતિનો મૂળ પાઠ અનેક રીતે વિચલિત થતો નોંધાયો છે. આ સંજોગોમાં ગમે તે એક હસ્તલિખિત પ્રતને લઈને કોઈ કૃતિનું પાઠસંપાદન કે ૧૫૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન. પાઠપ્રકાશન કરવું અનર્થકારી પૂરવાર થાય છે. આપણા પ્રાચીન ભાષ્યકારો અને ટીકાકારો પણ એ વાતની સાક્ષી પૂરે છે કે તેમને વારસામાં મળેલા જે તે કૃતિના પાઠમાં અપપાઠ, પાઠાન્તર, લુમાંશ અને પ્રક્ષિપ્ત અંશ વગેરે જોવા મળે છે. આ પછી યુરોપીય વિદ્વાનો જ્યારે પહેલવહેલા સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત ભાષામાં લખાયેલા ગ્રંથોના પરિચયમાં આવ્યા, અને તેમણે તેનું પ્રકાશન કાર્ય હાથ ધર્યું ત્યારે તેમણે પાઠસંપાદન કેવી રીતે કરવું ? એના કેટલાક સિદ્ધાંતો વિકસાવ્યા છે. જેનો પ્રાથમિક પરિચય આપતું પુસ્તક ડૉ. સુમિત્ર મંગેશ કસાહેબે લખ્યું 9: Katre S. M. Introduction to Indian Textual Criticism; Deccan College, Pune, 1954. આ ઉપરાંત, પ્રસ્તુત લેખના લેખકે પણ ‘સંસ્કૃત પાડુલિપિઓ અને સમીક્ષિત પાઠસંપાદન-વિજ્ઞાન” (પ્રકા. સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, ૧૯૯૪) પુસ્તક દ્વારા આ દિશામાં એક પ્રયાસ કર્યો છે. શ્રી કન્ટેસાહેબના ઉપર્યુક્ત પુસ્તકમાં નિરૂપિત પદ્ધતિએ લિખિત દસ્તાવેજોમાંથી (એટલે કે હસ્તલિખિત પ્રતોમાંથી) પાસંપાદન (textediting)નું કાર્ય કરવા ઉપરાંત, પાઠસમીક્ષાના ક્ષેત્રમાં કયારેક કોઈ કૃતિનો અમુક અંશ હસ્તપ્રતોમાંથી લુમ થયો હોય ત્યારે તે લુમાંશ માટે અન્ય સહાયક સામગ્રીમાંથી લુમપાઠાંશનું પુનર્ગઠન (reconstruction) પણ કરવું પડે છે. [El. d. gaul : The Panchatantra Reconstructed; ed. by Franklin Edgerton; vol. I & II, American Oriental Society, New Haven, Connecticut, O. s. A. 1924. (ભાગ-રની પ્રસ્તાવના)], અથવા કયારેક પ્રાચીનતમ પાઠનું નવું સ્થિત્યંતર પેદા થયું હોય ત્યારે તેવા પાઠના પુનર્વસન (restoration અથવા rehabilitation)નું કાર્ય પણ હાથ ધરવું પડે છે. આમ પાઠસમીક્ષા” ના કાર્યક્ષેત્રમાં ત્રિવિધ આયામો જોવા મળ્યા છે. પ્રસ્તુત લેખમાં જેનાગમોની પાઠસમીક્ષાના સંદર્ભમાં જે પ્રકારની સમસ્યા ચર્ચવામાં આવી છે, તે કેવળ હસ્તપ્રતોમાંથી પાકસંપાદનની સમસ્યા નથી, પણ જૈનાગમોના પાઠમાં કાલાન્તરે જે નવું સ્થિત્યંતર પેદા થયું છે, તેના પુનર્વસન (પુન:સ્થાપન)ની સમસ્યા મુખ્ય છે. જેની, હવે ચર્ચા હાથ ધરીશું. ૨. જેનાગમોની વિવિધ વાચનાઓ અને ભાષાકીય રૂપાંતરો બ્રાહ્મણ સંસ્કૃતિના વેદોનો; તથા શ્રમણ સંસ્કૃતિના જૈનાગમો અને બૌદ્ધત્રિપિટકોનો પાઠ એ એવા પ્રકારનો પાઠ છે કે જેમાં મૂળ ગ્રંથકારનો Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપન ૧૫૯ સ્વહસ્તલેખ (Autograph) કદાપિ હતો જ નહીં. બન્ને સંસ્કૃતિના અનુયાયીઓએ પોતપોતાના જ્ઞાનરાશિને કેવળ શ્રુતિ પરંપરાથી સદીઓ સુધી સાચવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. શ્રમણ સંસ્કૃતિના સાધુઓ સમયે સમયે મળતા રહ્યા છે અને પરસ્પરના શ્રુતજ્ઞાનને ચકાસીને તેને વ્યવસ્થિત કરતા રહ્યા છે. જેમ કે, બૌદ્ધત્રિપિટકોના પાઠનું સંપાદન કરવા માટે ત્રણ સંગીતિઓ બોલાવવામાં આવી હતી એવા ઉલ્લેખો બૌદ્ધ ગ્રંથોમાંથી મળી આવે છે. આવી પહેલી સંગીતિ રાજગૃહમાં, બીજી વૈશાલીમાં અને ત્રીજી સમ્રાટ અશોક (ઈ. સ. પૂર્વે ૫૦)ના સમયમાં, એટલે કે બુદ્ધનિર્વાણનાં ૨૩૬ વર્ષ પછી પાટલિપુત્રમાં ભરાઈ હતી. આ ત્રીજી સંગીતિમાં બૌદ્ધ આગમોને લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા. આવી જ રીતે, મહાવીરની વાણીને પ્રથમ તબક્કે ગૌતમાદિ શિષ્યોએ મૌખિક પરંપરાથી જ સાચવી હતી. પણ પછી બીજો તબક્કે, એટલે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૧૬૦ વર્ષે (એટલે કે ઈ.સ. પૂર્વે ૩૬૭ માં) ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે દુકાળ પડ્યો હતો તે પછી સ્થૂલભદ્ર પાટલિપુત્રમાં દેશભરના જેનશ્રમણોનું સંમેલન બોલાવ્યું હતું, અને ત્યાં સૌએ એકઠા મળીને કુતજ્ઞાનને વ્યવસ્થિત કર્યું હતું. એવું બીજું સંમેલન ઈ.સ. ૩૦-૩૧૩ માં આઈસ્કંદિલના નેતૃત્વ હેઠળ મથુરા (સૂરસેન)માં બોલાવવામાં આવ્યું હતું. બરાબર તે જ સમયે ગુજરાતના વલભી શહેરમાં નાગાર્જુન સૂરિએ પણ એક પરિષદ ભરીને આગમની વાચના વિશે ચર્ચા હાથ ધરી હતી. એ પછી ઈ. સ. ૪૫૩-૪૬૬ માં, અને વલભીમાં જ, દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના નેતૃત્વ નીચે ચોથું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. તેમાં મથુરામાંથી મંગાવેલી “માધુરી વાચના’ને આધારે જૈન આગમને સંકલિત કરીને લિપિબદ્ધ કરવામાં આવ્યા હતા. તથા આ સમયે જે પાઠોનો સમન્વય ન થઈ શક્યો તેમને વધારે પુળ = (વનાન્તરે પુન:) [બીજી કોઈક વાચનામાં વળી આમ વાંચવા મળે છે. એમ કહીને નોધવામાં આવ્યા અથવા તો, કેટલાક પાઠાંતરો માટે ના નવા વં તત્તિ | ઇત્યાદિ રૂપે ઉલ્લેખવામાં આવ્યા છે. વળી, આ સમયે, “દષ્ટિવાદ' નામનો ગ્રંથ ક્યાંયથી પણ પ્રાપ્ત નહીં થતાં ઉચ્છિન્ન થયેલો જાહેર કરવામાં આવ્યો હતો. વેદસાહિત્યમાં શબ્દનું પ્રાધાન્ય ગણાયું હોઈને, કાલાન્તરે વેદમંત્રોના અર્થ બાબતે ઘણી વિપ્રતિપત્તિઓ ઊભી થઈ છે. પણ તેના શબ્દો તો સસ્વર યથાવત અદ્યાવધિ સચવાયા છે. જ્યારે જૈનાગમોમાં મહાવીરની વાણીના શબ્દનું નહીં, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન પણ અર્થનું પ્રાધાન્ય સ્વીકારાયું છે. તેથી ભાષાકીય દષ્ટિએ તેના શબ્દાત્મક સ્વરૂપમાં પરિવર્તનો થતાં રહ્યાં છે. જેમ કે, ભગવાન મહાવીરે મગધ અને તેની આસપાસના પ્રદેશોમાં જે ધમપદેશ કર્યો હોય તો તે તત્કાલીન અર્ધમાગધી ભાષામાં હશે. આમ અનુમાનથી સિદ્ધ થતું જૈનાગમોનું ભાષાકીય સ્વરૂપ અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ હતું. પછી તે આગમોનું માથુરી વાચનામાં સંક્રમણ થતાં, તે શૌરસેની ભાષામાં ઉપનિબદ્ધ થયું હશે અને કાલાન્તરે ત્રીજો તબક્કે તે મહારાષ્ટ્ર પ્રાકૃતમાં પરિવર્તિત થયું છે. આજે શ્વેતામ્બરોના આગમો (જૈન મહારાષ્ટ્ર પ્રાકૃત'માં છે; તો દિગમ્બરોના મતે જૈનાગમો શૌરસેની પ્રાકૃતમાં ઉપનિબદ્ધ છે. આમ જૈનાગમોની બે પ્રમુખ વાચનાઓ પ્રવર્તમાન છે.) હવે, જૈનાગમોની ભાષાના સંદર્ભમાં મુનિ શ્રી પુણ્યવિજયજી મ. સા. ના શબ્દો જોઈશું: ... બન્ને અરિહંતોએ (બુદ્ધ અને મહાવીરે) તેમનો ઉપદેશ લોકભાષામાં ગ્રથિત થાય એવો આગ્રહ રાખ્યો હતો. આથી ભગવાન મહાવીરનો ઉપદેશ ગણધરોએ તે કાળની પ્રાકૃત ભાષામાં ગ્રથિત કર્યો. એ ભાષાનું નામ શાસ્ત્રોમાં અર્ધમાગધી આપવામાં આવ્યું છે. પાછળના વૈયાકરણોએ માગધી અને અર્ધમાગધી ભાષાનાં જે લક્ષણો ગણાવ્યાં છે તે લક્ષણો આપણી સામે વિદ્યમાન આગમોમાં કવચિત્ જ મળે છે. એટલે પ્રાકૃત ભાષાની સામાન્ય પ્રકૃતિ પ્રમાણે એ ભાષા સદા પરિવર્તિત થતી રહી હશે એમ માનવાને કારણ છે. અને જે કારણે શાસોની ભાષા સંસ્કૃત નહિ પણ પ્રાકૃત રાખવામાં આવી હતી એટલે કે લોકભાષા સ્વીકારવામાં આવી હતી તે કારણે પણ લોકભાષા જેમ જેમ બદલાય તેમ તેમ એ શાસ્ત્રોની ભાષા બદલાવી જોઈએ એ અનિવાર્ય હતું.....” “શ્વેતાંબરોના આગમોની ભાષા પ્રાચીન કાળે અર્ધમાગધી હતી એમ સ્વયં આગમોનાં જ ઉલ્લેખ ઉપરથી નિશ્ચિત થાય છે. પણ આજે તો જેને વૈયાકરણો મહારાષ્ટ્ર પ્રાકૃતને નામે ઓળખે છે તે ભાષાની નજીકની એ પ્રાકૃત છે. આથી આધુનિક વિદ્વાનો એને જૈન મહારાષ્ટ્ર એવું નામ આપે છે. એ ભાષાની સમગ્રભાવે એકરૂપતા, પૂર્વોક્ત શૌરસેનીની જેમ, આગમ ગ્રંથોમાં મળતી નથી અને ભાષાભેદના સ્તરો સ્પષ્ટ રૂપે તજજ્ઞને જણાઈ આવે છે.'' આમ જૈનાગમોના પાઠમાં જે ભાષાકીય રૂપાંતર થતા ગયા છે અને હાલ ઉપલબ્ધ થતા પાઠમાં એકરૂપતાનો જે અભાવ પ્રવર્તે છે, તેના સ્થાને મૂળ પ્રાચીનતમ અર્ધમાગધી ભાષાસ્વરૂપના પ્રતિકાપનનો પ્રશ્ન આજે ધ્યાનાકર્ષક બનીને ઊભો છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપન ૧૬૧ ૩. મુનિ શ્રી પુણ્યવિજયજી અને શ્રી જખ્ખવિજયજી મ. સા. દ્વારા આગમોનું પાઠસંપાદન પ્રશિષ્ટ કૃતિઓના પાસંપાદનની જે ચતુર્વિધ તબક્કાઓ ૧. અનુસંધાન (Hueristics), ૨. સંશોધન (Recensio), ૩. સંસ્કરણ (Emendation) અને ૪. ઉચ્ચતર સમીક્ષા(Higher Criticism)વાળી પદ્ધતિ પ્રોફે. કત્રે સાહેબે (૧૯૫૪) પૂર્વોક્ત ગ્રંથમાં સમજાવી છે. તથા ભાડારકર ઑરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટયુટ, પૂનાએ ઈ. સ. ૧૯૩૩ માં પ્રકાશિત કરેલી “મહાભારત'ની સમીક્ષિત આવૃત્તિમાં જે પદ્ધતિ અપનાવાઈ છે તે આદર્શને સંમુખ રાખીને મુનિ શ્રી પુણ્યવિજ્યજી મ. સાહેબે (૧૯૬૮ માં) દ્રિસૂત્ર અનુવાદ્વાર નું; તથા મુનિ શ્રી જખ્ખવિજ્યજી મ. સાહેબે (૧૯૭૭માં) ગાજરત્ર ઇત્યાદિનું સમીક્ષિત પાઠસંપાદન કાર્ય કર્યું છે. આ બે ગ્રંથોની પ્રસ્તાવના જોતાં આ બન્ને મહાનુભાવોની પાઠસમીક્ષાની સામગ્રી અને પદ્ધતિ નીચે મુજબ જોવા મળે છે : આચારાંગની પાઠપરંપરા જેમાં જળવાઈ રહી છે તે ૧. વર્તમાનમાં મળતી તાડપત્રીય અને કાગળની હસ્તપ્રતો, ૨. આચારાંગ ઉપરની સૌથી પ્રાચીન વ્યાખ્યા “ચૂર્ણિ” અને ૩. આચારાંગ ઉપરની સૌથી પહેલી શીલાચાર્યની સંસ્કૃત વૃત્તિ છે. આ ઉપરાંત ૪. પૂર્વેના પ્રકાશિત વિવિધ સંસ્કરણો પણ આ બધીય સામગ્રીમાંથી શ્રી જખ્ખવિજ્યજી મ. સાહેબે (અને શ્રી પુણ્યવિજ્યજી મ. સા.) હસ્તલિખિત પ્રતિઓનો જ મુખ્યતયા આધાર લીધો છે. ઉપર્યુકત ત્રિવિધ સામગ્રીમાંથી કાલાનુક્રમની દષ્ટિએ જોઈએ તો ચૂર્ણિ' સૌથી વધુ પ્રાચીન છે તથા શીલાચાર્યની સંસ્કૃત વૃત્તિ' ૧૧૦ વર્ષો પૂર્વે રચાયેલી છે. તેથી ઉપલબ્ધ હસ્તલિખિત પ્રતો કરતાં તો તે પ્રાચીન છે જ, પણ ‘ચૂર્ણિ” તો ‘વૃત્તિ' કરતાંય વધુ પ્રાચીન છે. હવે, હસ્તલિખિત પ્રત ઉપરાંતની જે ચૂર્ણિ કે શીલાચાર્યની વૃત્તિ છે જેને પાઠસમીક્ષાશાસ્ત્રમાં સહાયક સામગ્રી” (Testimonium) કહે છે તેમાંથી વૃત્તિમાં મળતા પાઠને સંપાદકોએ વધારે મહત્ત્વ આપ્યું છે. કેમ કે – ૧. વર્તમાન હસ્તપ્રતોનો પાઠ વૃત્તિની પાઠપરંપરાને પ્રાય: મળતો આવે છે, તથા ૨. અત્યારે મોટા ભાગે તેનો પઠન-પાઠનમાં અધિક પ્રચાર હોવાને લીધે, વૃત્તિના અભ્યાસીઓને અનુકૂળતા રહે તે માટે’ ૭ “વૃત્તિ” માં મળતા પાઠને પ્રાધાન્ય આપ્યું છે. મુનિ શ્રી જખ્ખવિજયજીએ આચારાંગ'ના સંપાદનમાં પાઇપસંદગીના નિયમો નીચે મુજબ સ્વીકાર્યા છે : Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ હસ્તપ્રતવિધા અને આગમસાહિત્ય: સંશોધન અને સંપાદન (ક) હસ્તલિખિત પ્રતિઓમાં વિવિધ પાઠો મળતા હોય ત્યાં કોઈ પાઠ ચૂર્ણિસંમત હોય અને કોઈ પાઠ વૃત્તિસંમત હોય તો વૃત્તિસંમત પાઠ મોટે ભાગે મૂળમાં સ્વીકાર્યો છે, અને બીજો પાઠ પાદટિપ્પણમાં આપ્યો છે.) (ખ) તેમ છતાં, ચૂર્ણિસંમત પાઠને પણ અનેક સ્થળે મૂળમાં સ્વીકાર્યો છે. (ગ) હસ્તલિખિત પ્રતિઓમાં જે પાઠ મળ્યો નથી, છતાં ચૂર્ણિ-ટીકાના આધારે જે પાઠ અત્યંત જરૂરી લાગ્યો છે, તે પાઠ [] આવાં ચોરસ કોકમાં તેમણે મૂક્યો છે.” મુનિ શ્રી પુણ્યવિજયજીએ નંતિસુત્ત અને મજુર ના સંપાદન બાબતે લખ્યું છે કે - ‘જ્યારે ચૂર્ણિકાર કે વૃત્તિકારો જુદા જુદા પાઠભેદોને સ્વીકારીને વ્યાખ્યા કરતા હોય ત્યારે બ્રહવૃત્તિકારે સ્વીકારેલા પાઠભેદને જ મૂળસૂત્રપાઠ તરીકે મોટે ભાગે અમે અમારા સંપાદનમાં સ્થાન આપ્યું છે.' શ્વેતાંબર આગમોના પાકસંપાદનમાં આ બે બહુશ્રુત મુનિશ્રીઓએ પાઠપસંદગી બાબતે જે ઉપર્યુક્ત નિયમો સ્વીકાર્યા છે, તેમાંથી બે મુદ્દાઓ ઊપસી આવે છે : ૧. હસ્તલિખિત પ્રતિઓ, ચૂર્ણિ અને વૃત્તિ - એ ત્રણમાંથી જે પ્રાચીનતમ ગણાય છે તે ચૂર્ણિનો પાઠ પસંદગી બાબતે દ્વિતીય ક્રમાંકે ઉપયોગ કરાયો છે એટલે કે પ્રાચીનપાઠીની સ્થાપનાનું લક્ષ્ય પ્રધાન નથી. પણ વૃત્તિ સંમત પાઠને પ્રથમ કમાંકે પસંદગી આપી છે. કેમ કે તે પઠન-પાઠનમાં ઉપયોગી છે. ૨. પ્રકરણ, વાક્ય કે વાક્યર્થને સુસંગત કરવા કે પરિપૂર્ણ કરવા માટે જે અત્યંત જરૂરી’ લાગે તો ત્યાં ચૂર્ણિનો પાઠ ] માં ઉમેર્યો છે. આમ હસ્તલિખિત પ્રતિઓને આધારે આ પાઠસંપાદનો થયાં હોવા છતાંય, તેમાં અમુક અમુક સ્થળોએ પ્રથમ ક્રમાંકે “વૃત્તિ'નો તથા દ્વિતીય ક્રમાંકે ચૂણિ” નો ઉપયોગ કરાયો છે. આમાં ચૂર્ણિસંમત પ્રાચીનતમ પાઠ’ મળતો હોવા છતાંય, તે મોટે ભાગે પાદટિપ્પણમાં જ નિર્દેશાયો છે. એવી જ રીતે, જેનાગમોની ભાષામાં એકરૂપતા નથી' એનાથી આ બન્ને સંપાદકો સભાન હોવા છતાંય તેમાં એકરૂપતા અને પ્રાચીનતાના પુન:સ્થાપનના મુદ્દા તરફ તેમનું ઉદાસીનતાપૂર્ણ વલણ છે. ૪. પાઠપરંપરાના વંશવૃક્ષમાંથી સૂચવાતા લક્ષ્યાંકો સામાન્ય રીતે, આધુનિક પાઠસમીક્ષાશાસ્ત્રનો એ આગ્રહ હોય છે કે Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપના . ૧૬૩ હસ્તલિખિત પ્રતો અને સહાયક સામગ્રીરૂપ (ટીકા, વૃત્તિ ઇત્યાદિ) ગ્રંથોમાંથી મળતા હોય તેવા પ્રાચીનતમ અને/અથવા મૂળ ગ્રંથકારને અભિમત હોય તેવા પાઠની પ્રતિષ્ઠા કરવી, તથા અન્ય પાઠપરંપરામાં જળવાયેલા પાઠાન્તર, પ્રક્ષેપાદિને સમીક્ષાગીય સામગ્રી' તરીકે વૈજ્ઞાનિક પદ્ધતિએ પાટીપમાં નોધવા, કે જેથી ભવિષ્યના અધ્યેતાને એ તમામ પાઠાન્તરાદિની વિગતો એક જ પૃષ્ઠ ઉપર ઉપલબ્ધ થઈ જાય. નાગમોના સંદર્ભમાં તો “મૂળ ગ્રંથકારનો” (એટલે કે ભગવાન મહાવીરનો) સ્વહસ્તલેખ તો ક્યારેય હતો જ નહીં, તેથી આધુનિક પાઠસંપાદકોનું એ લક્ષ્ય રહેવું જોઈએ કે તે ઉપલબ્ધ સામગ્રીમાંથી પ્રાચીનતમ પાઠને (જ) પ્રતિષ્ઠિત કરે. આ સંદર્ભમાં જૈનાગમોની પાઠપરંપરાનું વંશવૃક્ષ વિચારીએ તો – *ભગવાન મહાવીરને અભિમત એવો આગમોનો પાઠ(=મહાવીરની વાણી) ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૧૬૦ વર્ષે એટલે કે ઈ. સ. પૂર્વે ૩૬૭માં, પાટલિપુત્રમાં સ્થૂલભદ્રની બેઠકમાં નક્કી થયેલો અર્ધમાગધી ભાષામાં ઉપનિબદ્ધ એવો પાઠ. એક જ સમયે (ઈ. સ. ૩૧૩માં) મળેલી બે બેઠકો મથુરામાં વલભીમાં આર્ય સ્કંદિલના નેતૃત્વવાળી બેઠકમાં નાગાર્જુનના નેતૃત્વવાળી નકકી થયેલો બેઠકમાં નકકી થયેલો પાઠ (સંભવત: શૌરસેનીમાં) પાઠ (જેમાંના કેટલાક અંશ એમના નામે પાઠાંતર રૂપે નોધાયા છે) (માથરીવાચનાને આધારે) વલભીમાં ઈ. સ. ૪૫૩ કે ૪૬૬માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે લિપિબદ્ધ કરેલો પાઠ ચૂિર્ણિ, માલધારી હેમચન્દ્રસૂરિ, શીલાંકાચાર્યની વૃત્તિઓ • વ્યાખ્યા ગ્રંથોની રચનાનો ગાળો – શ્વેતાંબર જૈનોને માન્ય એવો જૈન મહારાષ્ટ્રીમાં લખાયેલો પાઠ, જે આજે તાડપત્રીય અને કાગળની હસ્તલિખિત પ્રતિઓમાં મળે છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ હwતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન ઉપર્યુક્ત વંશવૃક્ષના અનુસંધાનમાં કોઈ પણ આધુનિક પાઠસંપાદકે પોતાની પાઠસમીક્ષાનાં લક્ષ્ય નીચે મુજબ બનાવવા જોઈએ : ૧. દેવર્ધિગણિ ક્ષમાશમણે સંગૃહીત કરેલો પાઠ, કે જે “જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત’માં ઉપનિબદ્ધ હતો, તે તો પ્રોફે. કે. આર. ચંદ્રાસાહેબ જણાવે છે તેમ ભાષાકીય દષ્ટિએ પ્રમાણમાં ઘણો અર્વાચીન કહેવો પડે એવો પાઠ છે. તેની પણ પૂર્વે નજર કરીએ તો સ્થૂલભદ્ર પાટલિપુત્રમાં વ્યવસ્થિત' કરેલો પાઠ, કે જે પ્રાચીન અર્ધમાગધીમાં હશે, તેના સ્વરૂપની ગવેષણા કરીને, પ્રોફે. કે. આર. ચંદ્રાના મતે તે અર્ધમાગધી ભાષામાં જૈનાગમોને પાઠ પુન: સ્થાપિત કરવો જોઈએ." કેમ કે, પાઠસમીક્ષાશાસ્ત્ર પ્રાચીનતમ પાઠની શોધનું લક્ષ્ય લઈને પ્રવર્તાવવામાં આવે છે, (અને તેમ કરવામાં આગમોમાં અર્થની દષ્ટિએ કશી હાનિ થવાની નથી). નિદર્શ રૂપે કહીએ તો, ડૉ. કે. આર. ચંદ્રાસાહેબે ધ્યાન દોર્યું છે તે મુજબ આધુનિક સંપાદકોમાંના એક બ્રિગે આગમોના પાઠમાં મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનોનો લોપ અને મહાપ્રાણોનો હૃકાર કરી નાખ્યો છે. (જે અર્વાચીન પ્રાકૃતનું લક્ષણ છે.) તથા બીજા મુનિ શ્રી જબ્બવિજયજીએ પ્રારંભિક અને મધ્યવર્તી નકારના સ્થાનમાં સર્વત્ર નકાર કરી દીધો છે, જે વાસ્તવમાં પરવર્તીકાળની પ્રાકૃત ભાષાનું લક્ષણ છે. કેવળ ઐતિહાસિક તથ્ય ઉપર આધારિત, ડૉ. કે. આર. ચંદ્રાસાહેબની રજૂઆતને જે ધ્યાન ઉપર નહીં લેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ જૈનાગમોને ભાષાકીય દષ્ટિએ ઈસુ ખ્રિસ્તના સમય પછીની આધુનિક રચના માનવા પ્રેરાશે. આ સ્થિતિ સ્વાભાવિક રીતે જ ભયાવહ છે! અને પ્રસ્તુત લેખ લખનાર અત્યલ્પજ્ઞ વિચારકને એમ જણાય છે કે - ૨. “સહાયક સામગ્રી' તરીકે ચૂર્ણિમાં મળતો પાઠ જ ઉપલબ્ધ હસ્તલિખિત પ્રતો અને શીલાચાર્યાદિની “સંસ્કૃત વૃત્તિ કરતાંય પ્રાચીન હોય તો તેની મૂળ પાઠ તરીકે પ્રતિષ્ઠા કરવી જોઈએ અને તે પાઠ દુબોધ હોય તો તેના અર્થઘટન માટે યત્ન કરવો જોઈએ. કેમ કે પાઠસમીક્ષાનો એક અધિનિયમ છે કે “કઠિન પાઠને પહેલી પસંદગી આપો”. (Prefer the harder reading). Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપન ૧૬૫ ૩. પાઠપરંપરાના ઉપર નિર્દિષ્ટ વંશવૃક્ષને સૂક્ષ્મ તર્કથી તપાસીએ તો ૧. “મારી વાચના', કે જેનો પાઠ દેવર્ધિગણિની વાચનામાં પ્રતિબિંબિત થયો છે, તે અને ૨. નાગાર્જુનીય વાચના, કે જેના અમુક પાઠાંતરોની (જ) નોધ લેવાઈ છે, તે બેનો તુલનાત્મક અભ્યાસ કરીને, પાટલિપુત્રની પ્રથમ બેઠકના પ્રાચીનતમ પાઠનું “અનુ-સન્ધાન” લગાવવું જોઈએ. કેમ કે ઉક્ત વંશવૃક્ષની દષ્ટિએ નાગાર્જુનીય પાઠપરંપરા એ સીધી જ પાટલિપુત્રની પાઠપરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે, (અને વળી તે પણ વલભીમાં જ મળી હતી !). તેથી તે આંશિકરૂપે જળવાયેલા પાઠનું પ્રાચીનતા અને મૌલિકતા બાબતે મૂલ્ય અસાધારણ છે. અદ્યાવધિ આ દિશાનો પ્રયાસ કોઈ સંશોધકે ના કર્યો હોય તો તે પાર કરવા જેવો છે ! તિ કિ . ૫. પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપન પ્રોફે. કે. આર. ચંદ્રાસાહેબે “આચારાંગસૂત્ર'ના પાઠસંપાદનમાં મુનિ શ્રી જબૂવિજયજી દ્વારા ઉપર્યુક્ત હસ્તપ્રતોમાં સચવાયેલા વિવિધ પાઠાંતરો, અને સૂત્રકૃતાંગ, ઇસિભાસિયાઈ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિકાદિ પ્રાચીનતમ ગ્રંથોમાંથી પ્રાચીન અર્ધમાગધી ભાષાની લાક્ષણિકતાઓ તારવી આપવાનો સફળ અને પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. તેમણે તેમનાં નિષ્કર્ષો પૂર્વભારતના અશોકકાલીન શિલાલેખોમાં મળતી ભાષાના સ્વરૂપથી સમર્થિત પણ થાય છે, એમ પણ દર્શાવ્યું છે. એમના મતે ૧. શબ્દના મધ્યવર્તી વ્યંજનો વા, તે, ટુ નો લોપ નહીં થતાં તે વ્યંજનો યથાવત ચાલુ રહેતાં હોય, ૨. અઘોષ વ્યંજનો, જેવાકે - , , થ નું ઘોષીકરણ થઈને અનુક્રમે ૧, ૨ અને ધ માં પરિવર્તન થતું હોય ૩. સંયુક્તાક્ષર જ્ઞ' નું ‘ન' માં પરિવર્તન થતું હોય તેવા ક્ષેત્રજ્ઞ વગેરે) શબ્દો, અને ૪. સપ્તમી વિભક્તિ - એકવચનનો –સિં/ પ્રત્યય જેમાં જોવા મળતો હોય તેવા શબ્દો (પાઠાન્તરો) જો એક તરફથી આચારાંગાદિની કોઈકને કોઈક હસ્તપ્રતમાંથી મળી શકતા હોય, અને બીજી તરફથી તે ઈ. સ. પૂર્વે ૩૦ ના પૂર્વભારતીય અશોકકાલીન શિલાલેખોની ભાષાનાં રૂપોથી સમર્થિત પણ થતાં હોય તો, તેવા પાઠાન્તરોને જ પ્રાચીનતમ અર્ધમાગધીનો પાઠ ગણીને સમીક્ષિત આવૃત્તિમાં સ્થાન આપવું જોઈએ. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન આ રીતે, જૈનાગમોની વાચનામાં પ્રાચીન અર્ધમાગધીના ભાષા સ્વરૂપની પુન:સ્થાપનાનો પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થયો છે, ત્યારે એ વિચારતંતુને તાર્કિક દષ્ટિએ વિસ્તારવાનું મન થાય એ પણ સ્વાભાવિક છે. આથી એક સૂચન એવું પણ કરું છું કે જે સંસ્કૃત શબ્દોના તદ્ભવ શબ્દો પ્રાકૃતમાં જુદા જુદા કાળે જુદા જુદા સ્વરૂપે વપરાતાં ગયા છે, તેમાંથી ધ્વનિશાસ્ત્રની દષ્ટિએ જે પ્રાચીન અને પહેલું તભાવ રૂપ હોય તેનો વિશેષ આદર કરવો, અને જે રૂપ નિશ્ચિતપણે ઉત્તરવર્તી કાળનું તદ્ભવ રૂપે હોય તેનો અસ્વીકાર કરવો જોઈએ. ઉદાહરણ તરીકે – સંસ્કૃત રક્ષિા શબ્દ લઈએ. તેના નિવા, વિ અને ટ્રાફિળો એવાં વિભિન્ન પ્રાકૃત રૂપો ઉપલબ્ધ થાય છે. તો આ ત્રણેય વૈકલ્પિક રૂપોમાંથી કાલાનુક્રમની દષ્ટિએ જે પહેલું ધ્વનિશાસ્ત્રીય રૂપાંતર હોય, (એટલે કે બિ ) તેનો જ પાઠપસંદગીમાં આદર કરવો જોઈએ. જૈનાગમોના અત્યારે મળતાં પાઠાંતરો બહુધા ધ્વનિશાસ્ત્રીય દષ્ટિએ, પ્રાકૃતભાષાનાં આવાં વૈકલ્પિક રૂપો છે. તેથી તેમની પસંદગીમાં પણ કાલાનુક્રમની દષ્ટિએ જે પહેલું પરિવર્તન હોય તેનો વિશેષ આદર કરવો એ જ તાર્કિક વાત છે ! આ સંદર્ભમાં બીજી પણ એક સ્પષ્ટતા કરવી જરૂરી છે. ઉપલબ્ધ જૈનાગમોમાં આવાં વૈકલ્પિક રૂપોમાંથી જે ઉત્તરવર્તીકાળમાં વિકસેલું રૂપ (દા.ત. રળિ) હોય તે સાંખ્યિક દષ્ટિએ વધારે વાર વપરાયું હોય અને પૂર્વકાલિક રૂપાંતર (દા.ત. વિરાળ) એકાદવાર જ વપરાયું હોય, તો પણ તે પૂર્વકાલિક રૂપની જ સ્વીકાર કરવો જોઈએ. કારણ કે પાઠસમીક્ષાનો એ સિદ્ધાંત છે કે – ‘હસ્તપ્રતોની સંખ્યાને નહીં, પણ આંતરિક અને અનુલેખનીય સંભાવનાને ધ્યાનમાં લો.' Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુનઃસ્થાપન १६७ પાદટીપ १. Texts may be either autographs or they may be transmit ted texts, these, again, being immediate copies of autographs or copies of copies to any degree. [-See : Encyclopeadia of Britannica, Vol. 22, pp. 6-11] Textual Criticism, a general term given to the skilled and methodical application of human judgment to the settlement of texts. By a "text" is to be understood a document written in a language known, more or less, to the inquirer, and assumed to have a meaning which has been or can be ascertained. The aim of the "textual critic" may then be defined as the restoration of the text, as far as possible, to its original form, if by 'original form we understand the form intended by its author - Encyclopedia of Britannica, Vol. 22, pp. 6-11. 3. मो: न दारा सिमित भन्युअल आई इन्डियन मुद्रिसम', (पृ. 101.) ४. १५ विगतो माटे मो : प्राकृत साहित्य का इतिहास; डॉ. जगदीशचन्द्र जैन, चौखम्बा विद्याभवन, वाराणसी, 1961 ५. मो:भगवं च णं अद्धमागहीए भासाए धम्ममाइक्खइ । समवायांग सूत्र (नं. ३४) नंदिसुत्तं अणुओगद्दाराइं च । - सम्पादकाः मुनि श्री पुण्यविजयजी, पं. दलसुख मालवणिया एवं पं. अमृतलाल भोजक; प्रका. महावीर जैन विद्यालय, मुंबई, ई. स. 1968 (प्रस्तावना, पृ. १3 - १४) ७. मो : आयारंगसुत्तं, सं. मुनि जम्बूविजयः । प्रका. श्री महावीर जैन विद्यालयः मुंबई, 1977, (प्रस्तावना : पृ. ३८). ८. सुमो : पाटी५ - ७ ८. मो : नंदिसुत्तं अणुओगद्दाराई च । सं. पुण्यविजयो मुनिः, मालवणिया, भोजकश्च । प्रका. श्री महावीर जैन विद्यालय, मुंबई, 1968.(प्रस्तावना, पृ. ११) Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન ૧૦. “પણ એટલું નકકી કે ટીકાના કાળ સુધીમાં જૈન આગમોની ભાષા પરિવર્તિત થતી રહી છે. અને તેણે પ્રાકૃત ભાષાની પ્રકૃતિ - એટલે કે પરિવર્તિત થતાં રહેવું - જાળવી રાખી છે એમાં તો શક નથી” - પુણ્યવિજયજી મુનિશ્રી દ્વારા સંપાદિત નત્સિત્તની પ્રસ્તાવના, પૃ. ૧૪. તથા મુનિ શ્રી જખ્ખવિજયજી સંપાદિત કરવાની પ્રસ્તાવના, પૃ. ૩૪ ની પાટિપ્પણ-૧. ૧૧. ડૉ. કે. આર. ચંદ્રા લિખિત ત્રણ ગ્રંથરત્નમાં આ વિષયનું નિરૂપણ છે : (૧) “વીન વર્ધમાગધી જ લોન મેં'' પ્રા. પ્રતિ જૈન વિદ્યાવિત પંડ, अहमदाबाद, 1991 (२) परंपरागत प्राकृत व्याकरण की समीक्षा और અર્ધમાગધી, 1995 અને (૩) Restoration of the original Language of Ardhamagadhi, Texts, પ્રા. પ્રાકૃત જૈન વિદ્યાવિIt is, મિલાવા, 1994 ૧૨. જુઓ : પ્રન અર્ધમાગધી વન મેં | જે. ડૉ. કે. આર. ચન્દ્ર, અમલવા, 1991, (પૃ. ૭ ૮) ૧૩. પ્રાચીન અર્ધમાગધી રોગ મેં . જે. કે. આર. ચન્દ્ર, ગદ્દી, 1991 (3. વરૂ - ૬૭) ૧૪. જુઓ : Restoration of the Original Language of Ardhamagachi Texts, by K. R. Chandra, Ahmedabad, 1994. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૯. સંસ્કૃતગ્રંથોની પાઠસમીક્ષાનો આરંભકાળ પૂર્ણિમા ઉપાધ્યાય ૧. ભૂમિકા મહાભારતની ‘સમીક્ષિત આવૃત્તિ'ની જરૂરિયાત વિષે સૌ પ્રથમ ઉચ્ચારણ ઈ. સ. ૧૮૯૭માં ‘ઇન્ટરનેશનલ કૉંગ્રેસ ઑફ ઑરિએન્ટાલીસ્ટસ'ની પેરિસમાં મળેલી અગિયારમી પરિષદમાં પ્રોફે. એમ. વિન્ટરનિટ્સે કર્યું. ત્યાર પછી, તેમણે ઈ. સ. ૧૮૯૯માં બારમી પરિષદ મળી ત્યારે ‘સંસ્કૃત એપિક ટેક્સ્ટ સોસાયટી'ની સ્થાપનાનો પ્રસ્તાવ રજૂ કર્યો. બર્લિન અને વિયેનાની એકેડેમીઓએ ફંડ ઊભું કર્યું અને કાર્યના પ્રાથમિક તબક્કાનો આરંભ થયો. ઈ. સ. ૧૯૦૮માં પ્રોફે. હેનરીચ લ્યૂડર્સે અઢાર પાનાની આદિપર્વના સડસઠ શ્લોકોની એક નમૂનારૂપ સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી. આમાં તેમણે જુદા જુદા પાઠાંતરોને પાછીપમાં નોંધ્યા; અને પરિશિષ્ટમાં બ્રહ્માગણેશનો પ્રક્ષેપ મૂક્યો. આ કાર્ય થયા પછી ૨૦ વર્ષે, એટલે કે ઈ. સ. ૧૯૨૮માં ફરીથી પ્રોફે. વિન્ટરનિટ્યું એ પરિષદમાં ટકોર કરી કે ‘ઇન્ટરનેશનલ એસોસિએશન ઑફ એકેડમીઝ’એ નમૂનાની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવા સિવાય બીજું કશું છાપ્યું નથી. પરંતુ બીજા વિશ્વયુદ્ધને કારણે આ મહત્ત્વાકાંક્ષી કાર્યને થંભાવી દેવું પડ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી ‘ભાડારકર ઓરિએન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટયૂટ' (પુના)એ નવા ઉત્સાહ અને ખંતપૂર્વક આ કાર્યને નવેસરથી ઉપાડ્યું. ઈ. સ. ૧૯૧૯માં શ્રી રામકૃષ્ણ ગોપાલ ભાણ્ડારકરે ‘મહાભારત’ ની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવાના મહાકાર્યનો શુભારંભ કર્યો. આ કાર્ય ક્રમશ: આગળ વધતાં, પ્રોફે. વી. એસ. સુકર્થંકર સાહેબે ઈ. સ. ૧૯૩૩માં સૌથી પહેલાં ‘આદિપર્વ'ની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરીને પ્રકાશિત કરી. તેની પ્રસ્તાવનામાં (Prolegomena to Mahabharata) આ સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવા ૧૬૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન માટેની ભૂમિકા, સામગ્રી, તેનું પૃથક્કરણ, પાઠસમીક્ષાના સિદ્ધાંતો, મહાભારત કાર્યમાં રહેલી વ્યવહારુ મર્યાદાઓ વગેરેની ચર્ચા કરી છે. આમ ભારતીય વિદ્વાનો દ્વારા પાઠસમીક્ષાના સિદ્ધાંતો પ્રસ્થાપિત કરવાનું પહેલવહેલું કાર્ય ઈ. સ. ૧૯૩૩માં સંપન્ન થયું એમ કહી શકાય. પણ તે પૂર્વે લગભગ એક સદી પહેલાં આવો જ એક સંનિષ્ઠ પ્રયાસ ડૉ. મેક્સમ્યૂલર દ્વારા ઈ. સ. ૧૮૪૯માં થયો છે. ડૉ. મેક્સમ્યૂલરે જગતમાં સૌ પ્રથમ ઋગ્વેદ ઉપરના સાયણભાષ્યની હસ્તપ્રતોને એકત્ર કરી અને તેનું સમીક્ષિત પાઠસંપાદન કરતી વખતે પાઠસમીક્ષાના કેટલાક સિદ્ધાંતો તારવ્યા છે. આજે જ્યારે ગુજરાતના કદાચ પ્રથમ પાઠસંપાદક કહી શકાય એવા મુનિ શ્રી પુણ્યવિજયજી મ. સા.ની જન્મશતાબ્દી નિમિત્તે હસ્તપ્રતવિદ્યા વિશે પરિસંવાદ યોજાઈ રહ્યો છે, ત્યારે ભારતીય સંસ્કૃત સાહિત્યના પ્રથમ પાઠસંપાદક કહેવા પડે એવા મેક્સમ્યૂલરના એક પ્રયાસની સમીક્ષા કરવી અસ્થાને નહીં ગણાય. મેક્સમૂલરનો આ પ્રયાસ એટલા માટે નોંધપાત્ર છે કે પૂર્વોક્ત મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવી જોઈએ એવો પ્રસ્તાવ પ્રોફે. એમ. વિન્ટરનિટ્સે ૧૮૯૭માં કર્યો, તેની પણ પૂર્વે ૪૮ વર્ષો પહેલાં મેક્સમ્યૂલરે આ દિશાના ઉષ:કાળ સમો સાયણભાષ્યના પાઠસંપાદનનો પ્રયાસ કર્યો છે. પ્રસ્તુત લેખમાં પ્રોફે. મેક્સમ્યૂલરના વિચારો સમીક્ષણીય છે. આ વિચારોમાં ઉત્તરવર્તી કાળની જે સૈદ્ધાંતિક ઈમારત ચણાઈ છે, તેનો પાયો જોવા મળે છે. ૨. સાયણભાષ્યની હસ્તલિખિતપ્રતો પ્રોફે. મેક્સમ્યૂલરે ઋગ્વેદસાયણભાષ્યની બારેક જેટલી હસ્તલિખિત પ્રતો ભારતના વિવિધ પ્રાંતોમાંથી એકત્ર કરી હતી અને તેમાં વાંચવા મળતા પાઠને પહેલાં તો સંતુલન પત્રિકા ઉપર ઉતાર્યા હતા. પછી વંશાનુક્રમ પદ્ધતિએ જતાં તેમને સાયણભાષ્યનો પાઠ ત્રણ સ્વતંત્ર પ્રવાહોમાં પ્રવાહમાન થયેલો જોવા મળ્યો હતો. તેમણે વધુમાં કહ્યું છે કે ભારતીય પરંપરાની માન્યતાને સ્વીકારીએ તો પણ વિદ્યાનગરની આસપાસ દાટી દેવામાં આવેલી સાયણના લખાણોની હસ્તપ્રતો મળવી આજે સંભવિત નથી. આથી, ઉપર્યુક્ત હસ્તપ્રતોને બાદ કરતાં બીજી કોઈ હસ્તપ્રત કોઈપણ ભંડારમાં સચવાઈ હોય અને જે વધુ ઉપયોગી પણ પુરવાર થાય તેમ હોય, તેવી કોઈ હસ્તપ્રત આજે કયાંયથી મળે તેમ નથી. Page #186 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ગ્રંથોની પાઠસમીક્ષાનો આરંભકાળ ૧૭૧ ૩. પાઠાંતર બાબતે વિચારણા સાયાણભાષ્યનો અભ્યાસ કરીને મેક્સમૂલરે નોંધ્યું છે કે ક્યારેક ભાષ્યકારો એક જ ઉદ્ધરાણને જુદા જુદા સંદર્ભમાં જુદી જુદી રીતે ઉદ્ભૂત કરે છે. આનું કારણ એ છે કે ભારતીય ગ્રંથકર્તાઓ ઘણેભાગે તેમની સ્મૃતિ પર આધાર રાખતા હોય છે. એટલે કે આવાં ઉદ્ધરણને નોંધપાત્ર પાઠાંતર તરીકે વિશેષ ધ્યાનમાં લેવાની જરૂર રહેતી નથી. આથી મેક્સમૂલરે એવું વલણ રાખ્યું છે કે આવા જુદી જુદી રીતે ઉદ્ભૂત થયેલા સંદભ પરિવર્તિત કર્યા વિના અર્થાત્ એકરૂપ બનાવ્યા વિના યથાવત્ રાખવા જોઈએ. અલબત્ત, આવા વિવિધ સ્વરૂપે ઉદ્ભૂત થયેલા સંદર્ભો, એકત્રિત કરેલી અનેક હસ્તપ્રતોમાંની ઉત્તમ હસ્તપ્રતો દ્વારા સમર્થિત થતા હોવા જોઈએ. ૪. શુદ્ધીકરણ સાયણે ઉદ્ધત કરેલા વિવિધ સંદર્ભો ઘણેભાગે અધૂરા પણ હોય છે. આથી તેને પૂર્ણ કરવા માટે તે તે સંદર્ભગ્રંથો જોવાની આવશ્યકતા રહે છે. પરંતુ આ સંદર્ભગ્રંથોમાંના કેટલાક પ્રકાશિત છે તો બીજા કેટલાક હસ્તપ્રતોમાં જ અપ્રકાશિત સ્વરૂપે સચવાઈ રહ્યા છે. આથી સાયણે અધૂરા રાખેલા તે સંદર્ભોને પૂરા કરવા માટે જ્યારે અન્ય ગ્રંથોની હસ્તપ્રતો વગેરેને ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે સાયણભાષ્યની પ્રતિલિપિમાં લહિયાના હાથે જે પણ અશુદ્ધિઓ ઊભી થઈ હોય, તે અંશનું શુદ્ધીકરણ પણ થઈ જાય છે. ઉપરાંત એકનું એક ઉદ્ધરણ વારંવાર વપરાતું હોય ત્યારે પણ તેનું એક જગ્યાએ શુદ્ધીકરણ થઈ ગયા પછી ફરી ફરીને જ્યારે લહિયાના હાથે એટલા અંશમાં અશુદ્ધિઓ પ્રવેશી હોય તો તેનો સંસ્કાર કરવો પણ સરળ બની જાય છે. આ જ પ્રમાણે માધવાચાર્યું છે જે અર્થઘટનો કરેલાં છે અને સાયણે એને જ્યાં જ્યાં ઉદ્ભૂત કર્યા છે ત્યાં તેટલા અંશના પાઠનું પુન:સંપાદન કરવું પણ સહેલું બન્યું છે. કેમ કે માધવાચાર્યે કરેલાં અર્થઘટનો જુદા જુદા સૂતોના સંદર્ભમાં સાયાણે વારંવાર ઉવૃત કર્યા છે. આથી લહિયાઓને હાથે આટલા અંશમાં જે અશુદ્ધિઓ પ્રવેશી છે તેને તો અન્યત્ર ઉદ્ભૂત થયેલા અંશના આધારે શુદ્ધ કરી શકાય છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન ૫. સિદ્ધાંત ચર્ચા સર્વેદના પ્રથમ અષ્ટકની મેકસમૂલર પાસે બાર હસ્તપ્રતો હતી. પરંતુ ગ્રીક અને લેટિન Philology (ભાષાશાસ્ત્ર)નો તેમનો અભ્યાસ એવું કહેતો હતો કે સમીમિત પાઠ સંપાદન તૈયાર કરવા માટે વધુમાં વધુ હસ્તપ્રતો એકત્રિત કરવી તે અનિવાર્ય નથી. કારણ કે ઘણા બધા દાખલાઓમાં એવું જોવા મળે છે કે જ્યારે ઘણી બધી હસ્તપ્રતોના પાઠને સંતુલન પત્રિકામાં ઉતાર્યા હોય ત્યારે તે મહદઅંશે કૃતિના પાઠને હાનિ પહોંચાડે છે તથા શંકાસ્પદ પાહ્યાંશને વધુ શંકાસ્પદ બનાવવામાં કારણભૂત બને છે અથવા તો એકાદ હસ્તપ્રત (જ) લહિયાની સાક્ષીના આધારે કે એકાદ ચાલાક પાઠસમીક્ષકની રમતના આધારે જે પાઠવૈવિધ્ય ઊભું થયું હોય ત્યાં, પાઠસંપાદકને ધારણામૂલક અનેક પાઠાંતરોની કલ્પના કરવાનું સૂઝે છે. આવાં કારણોથી જ્યારે વધારેમાં વધારે હસ્તપ્રતો એકત્રિત કરીને પાઠસમીક્ષા કરવા બેઠા હોઈએ ત્યારે, પ્રશિષ્ટ કૃતિઓની પાઠસમીક્ષામાં ઘણી બધી શક્તિ અને ઘણો બધો સમય વેડફાય છે. આથી હસ્તપ્રતોનો વિનિયોગ કરવા બાબતે સમીક્ષિત પાઠ સંપાદકોની નવી Presiduripildi (azules al ŝ Bakker, Dindorf, Lachmann qul? એક નિયમ તરીકે કહે છે કે પ્રશિષ્ટ ગ્રંથકર્તાઓની પ્રાચીન આવૃત્તિઓ (આપણા સંસ્કૃત વિદ્યાના સંદર્ભમાં એક જ કૃતિની ઘણી બધી હસ્તપ્રતો) મોટે ભાગે સમીક્ષિત પાકસંપાદનમાં બિનઉપયોગી પુરવાર થઈ છે. અલબત્ત, આમાં મુખ્ય મુખ્ય સંસ્કરણોનો અપવાદ કરવાનો રહેશે. જે આવૃત્તિમાં (સંસ્કરણ) કોઈ એક (જ) હસ્તપ્રતને પ્રકાશિત કરવામાં આવી હોય, અને તે (હસ્તપ્રતો ગમે તેટલી અશુદ્ધ હોય, તો પણ અમુક હદ સુધીની તેની શ્રદ્ધયતા રહે જ છે. ૬. પાકસંપાદનમાં “શૈલીની સમીક્ષા પ્રથમ અટક ઉપરના સાયણભાષ્યની હસ્તપ્રતો સંખ્યામાં સૌથી વધારે પ્રાપ્ત થઈ છે. તેથી પણ પાઠશુદ્ધિ કરવા બાબત સરળતા ઊભી થઈ છે. સ્વયં સાયણે પ્રથમ અધ્યાયને વિષે જાહેર કર્યું છે કે ચુતનસ્તાવતા સર્વોપ્યું રાનીતિ ગુદ્ધિમાન | અર્થાત્ જે બુદ્ધિમાન આ પ્રથમ અષ્ટકના ભાષ્યને સમજવા સમર્થ છે તે બીજા અષ્ટકોના અર્થને સમજવા પણ સમર્થ થશે.” સાયણની આ વાત જેટલી અર્થઘટનને વિષે લાગુ પડે છે તેટલી જ તેમના ભાષ્યની હસ્તપ્રતોને પણ લાગુ પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમ અષ્ટકની હસ્તપ્રતોને આધારે Page #188 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ગ્રંથોની પાઠસમીત્રાનો આરંભકાળ ૧૭૩ પાઠસંપાદનની પ્રક્રિયા હાથ ધર્યા પછી અન્ય અષ્ટકોના પાઠસંપાદનમાં જે સંખ્યામાં ઓછી હસ્તપ્રતો પ્રાપ્ત થાય તોપાણ પાઠસંપાક પોતાનું કાર્ય કોઈ વિશેષ મુશ્કેલી વિના આગળ ધપાવી શકે છે. જ્યાં સુધી સાયણભાષ્યને લાગેવળગે છે ત્યાં સુધી પ્રથમ અષ્ટક ઉપરના ભાષ્યમાં તેમણે પોતાની પૂરેપૂરી વિદ્વત્તાનું પ્રદર્શન કર્યું છે અને બહુશ્રુતતાનો પૂરો પરિચય આપી દીધો છે. તેથી આગળના અષ્ટકોમાં, કે જેમાં તેમણે વિસ્તૃત ભાષ્ય નથી લખ્યું તે અંશમાં પણ ભાષ્યકારની શૈલી કેવી રહી હશે તેનો ઝડપથી અંદાજ લગાવી શકાય છે. એટલે કે કોઈ ગ્રંથકર્તાની રજૂઆતની શૈલી જે તેની પૂરી વિશેષતાઓ સાથે સમાજમાં આવી જાય તો તે પણ પાઠસંપાદનમાં ઉપકારક બનતી હોય છે." ૭. વંશવૃક્ષની ગોઠવણી બાબતે વિચારો સમીક્ષિત પાઠસંપાદન માટે હસ્તપ્રતોને ઉપયોગમાં લઈએ તે પૂર્વે તે પ્રત્યેકને ધ્યાનથી તપાસવી જોઈએ. જેમ કે જે તે હસ્તપ્રતમાંનો પાઠ ઊતરી આવવાનો સ્રોત કયો છે, એટલે કે પ્રત્યેક હસ્તપ્રતના પાઠનું વંશવૃક્ષ કયું છે) તેમનો સમય કયો છે, આ મુદ્દાઓનો અભ્યાસ કરવાથી તે પ્રાપ્ત કરેલી હસ્તપ્રતોનું સાપેક્ષ મૂલ્ય નક્કી થઈ શકતું હોય છે. જો મૂળ ગ્રંથકર્તાનો સ્વહસ્તલેખ જ આજે ઉપલબ્ધ થઈ આવે તો આ પાઠસમીક્ષાશાસ્ત્રની કોઈ જરૂર જ ન રહે અને આપણે ઉપલબ્ધ તમામ હસ્તલિખિત પ્રતોને બાજુએ મૂકી શકીએ. આવા પ્રસંગે મૂળ ગ્રંથકારના સ્વહસ્તલેખને જ પ્રકાશન માટે હાથ પર લઈ શકાય અને તે સમયે જો મૂળ ગ્રંથકારે જ કોઈ અશુદ્ધિ સર્જી હોય, તો માત્ર તેને જ આપણે શુદ્ધ કરવાની રહે. પરંતુ સંસ્કૃત સાહિત્યને લાગેવળગે છે ત્યાં સુધી તેની કૃતિઓના મૂળ ગ્રંથકર્તાઓનો સ્વહસ્તલેખ આજે ક્યાંયથી મળતો નથી. અને તે તે કૃતિઓની જે હસ્તલિખિત પ્રતો મળે છે તે ઘણા ઉત્તરવર્તી કાળની છે. આવી પ્રતિલિપિઓનું જો સંતુલન કરવામાં આવે તો તે પરસ્પરથી ઘણી જુદી પડે છે, જેમાં અશુદ્ધિઓ અને લુમાંશો, કે સુધારાઓ અને ઉમેરાઓ સદીઓના સમયગાળા દરમ્યાન અજ્ઞાની લહિયાઓ અને વિદ્વાન લહિયાઓના હાથે થયા હોય છે. કેટલાક અશુદ્ધિમૂલક પાઠાંતરો એવા પણ જોવા મળે છે કે જે કોઈ એકાદ હસ્તપ્રતમાં જ હોય એવું નહીં, પણ એકી સમયે ઘણી હસ્તપ્રતોમાં આવા અશુદ્ધિમૂલક પાઠાંતરોની પુનરાવૃત્તિ હોય. ક્યારેક એવું પણ જોવા મળે છે કે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય: સંશોધન અને સંપાદન પ્રાપ્ત કરેલી ઘણી બધી હસ્તપ્રતોમાંની કેટલીક હસ્તપ્રતોમાં અમુક પાક્યાંશ એકસરખી રીતે વણનોંધાયેલો જ રહ્યો હોય અને તેટલો લુમાંશ બીજી કોઈ હસ્તપ્રતમાં જળવાઈ રહ્યો હોય. આવા દાખલાઓમાં આપણે એવું અનુમાન ચોક્કસ કરી શકીએ કે જે જે હસ્તપ્રતોમાંથી અમુક નિશ્ચિત પાક્યાંશ લુપ્ત થયો છે તે બધી જ હસ્તપ્રતોનો આદિ સ્રોત કોઈ એક સમાન હસ્તપ્રત હશે. સમાન લુમાંશો ધરાવતી હસ્તપ્રતોમાંની કેટલીક હસ્તપ્રતો જો બીજી કોઈ વિશેષતાને કારણે જુદી પડતી લાગે તો તેટલી હસ્તપ્રતોને પેટા ભેદી રૂપે જુદી પણ પાડી શકાય. આ પ્રકારના પાઠોના સામ્ય અને વૈષમ્યની તુલના અંતતોગત્વા તે કૃતિના પાઠસંક્રમણનું વંશવૃક્ષ કેવી રીતે ગોઠવાયું છે તેનો ચિતાર રજૂ કરી શકે છે. આ વંશવૃક્ષના આધારે ભેગી કરેલી હસ્તપ્રતો વચ્ચેના આનુવંશિક સંબંધો પણ સ્પષ્ટ થાય છે. આ આનુવંશિક સંબંધોને હસ્તપ્રત કયા સમયમાં લખાઈ છે એની સાથે સંબંધ હોતો નથી કારણ કે એવું બનવા પૂરી સંભવ છે કે ઘણા ઉત્તરવર્તી કાળમાં લખાયેલી હસ્તપ્રતની આદર્શ પ્રત કદાચ ઘણી પ્રાચીન પણ હોય, માટે આવી લેખનસમયની દષ્ટિએ અર્વાચીન જણાતી હસ્તપ્રતના પાઠનું મૂલ્ય સંખ્યાની દષ્ટિએ વધુ એવી બીજી હસ્તપ્રતો કરતાં વધી જાય છે. અલબત્ત, આવા પ્રસંગોએ “શુદ્ધ પાઠ’ અને પ્રામાણિક પાઠ' વચ્ચેનો તફાવત પણ છે સમજી લેવો જોઈએ. ઉપલબ્ધ થયેલી કોઈ એક પ્રાચીન હસ્તપ્રત પાણ ભાગ્યે જ મૂળ ગ્રંથકારના સમયની હોય છે. (અભિજ્ઞાન શકુન્તલ”ની પ્રાચીનતમ હસ્તપ્રત બારમા સૈકાની મળે છે. પણ મૂળ ગ્રંથકારનો એટલે કે કાલિદાસનો સમય ઈ. સ. ની પહેલી કે પાંચમી સદી ગણાઈ છે.) આથી, પ્રાચીનતમ પાઠની શોધ એ પાઠસમીક્ષાનું લક્ષ્ય નથી, પણ પ્રામાણિક પાઠની ગવેષણા એ પાસમીક્ષાનું લક્ષ્ય છે. આથી હસ્તપ્રતોને વંશાનુક્રમે ગોઠવવી એ પ્રામાણિક પાઠને શોધવા માટે આવશ્યક અને અત્યંત ઉપકારક એવી પ્રક્રિયા છે. અલબત્ત, વંશાનુકમ પદ્ધતિથી મેળવેલો પાઠ, સંભવ છે કે મૂળ ગ્રંથકારનો જ લખેલો કે શુદ્ધતમપાઠ ન પણ હોય. (ક) કયારેક એવું પણ બને છે કે ઉપલબ્ધ ઘણી બધી હસ્તપ્રતોનો પાઠ કોઈ એક જ હસ્તપ્રતમાંથી ઊતરી આવ્યો હોય અને તે મૂળગામી હસ્તપ્રત પાછી આજે પણ અસ્તિત્વ ધરાવતી હોય. (જેવું કે સોફોકલીસના લખાણો વિશે જોવા મળે છે) (ખ) પરંતુ બહુધા આવું બનતું નથી. ઉપલબ્ધ હસ્તપ્રતોને વંશાનુક્રમે ગોઠવતા જઈએ ત્યારે છેલ્લે બે કે તેથી વધારે જૂથમાં તે હસ્તપ્રતો Page #190 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતગ્રંથોની પાઠસમીક્ષાનો આરંભકાળ વહેંચાઈ જતી હોય છે. આવાં જૂથોમાં જે પાઠાંતરો હોય છે તે પરસ્પરથી તદ્દન સ્વતંત્ર જોવા મળતાં હોય છે. પરંતુ પૂર્વોક્ત (ક) અને (ખ) પ્રકારના દાખલામાંથી પહેલા દાખલામાં સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરતી વખતે જૂનામાં જૂનો અને ઉત્તમ પાઠ પ્રતિષ્ઠિત કરવાનું લક્ષ્ય રાખી શકાય છે. પરંતુ ઘણે ભાગે જેમ બનતું હોય છે તેમ પ્રાચીનતમ ગણાતી કોઈ એક હસ્તપ્રત કે જેના આધારે અન્ય હસ્તપ્રતો બનાવાઈ હોય છે, તેમાં ઘણી અશુદ્ધિઓ પ્રવેશેલી હોય છે. આવી અશુદ્ધિઓને કેવળ ધારણાથી કે અન્ય ગ્રન્થોના ઉદ્ધરણને આધારે આધુનિક જણાતી હસ્તપ્રતોમાં સુધારવામાં આવી હોય છે. આવા શુદ્ધ કરવામાં આવેલા અંશોને સમીક્ષિત આવૃત્તિઓની પાટીપમાં નોધવામાં અને ચર્ચવામાં આવે છે. પૂર્વોક્ત (ખ) પ્રકારના દાખલામાં જ્યારે વંશવૃક્ષમાં છેલ્લે જતાં અનેક જૂથો સ્વતંત્રપણે જોવા મળતા હોય ત્યાં પાઠસમીક્ષકનું કાર્ય થોડું મુશ્કેલ બને છે. કેમ કે આવા સંજોગોમાં પ્રત્યેક જૂથની હસ્તપ્રતો પ્રામાણિકપાઠ હોવા બાબતનો એક સરખો દાવો કરી શકે છે, આવા સંજોગોમાં પાઠસમીક્ષક જે તે પાઠના અંશને કોઈ પણ જૂથમાંથી પસંદ કરી શકે છે. પણ આવો પસંદ કરેલો પાઠ્યાંશ પાઠસમીક્ષકની દૃષ્ટિએ વધુ શુદ્ધ અને મૂળ ગ્રંથકર્તાની શૈલીની સાથે અનુરૂપ હોવો જોઈએ. ક્યારેક હસ્તપ્રતોનો એવો સમુદાય પણ મળી આવે કે જેમાંનો શુદ્ધ (પરિશુદ્ધ) પાઠ અન્ય હસ્તપ્રતોના શંકાસ્પદ સ્થાનોને તદ્દન નિર્મૂળ કરી આપે. આ હસ્તપ્રતોના વત્તાઓછા મૂલ્યની ચકાસણી કોઈ પણ ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરતાં પૂર્વે થઈ જવી જોઈએ. આથી, કોઈ પણ પાઠસંપાદકને માટે એ આવશ્યક છે કે ઉપલબ્ધ તમામ હસ્તપ્રતોને સંતુલનપત્રિકા ઉપર ખૂબ કાળજીપૂર્વક નોંધી લે. આવી સંતુલન પત્રિકામાં એવા પાઠાંતરો પણ ઉતારી લેવા જરૂરી છે કે જેમાં સ્પષ્ટપણે લહિયાના હાથે થયેલી અશુદ્ધિઓ જ જણાતી હોય. ગંભીર પ્રકારની ભૂલો અને લાંબા લુમાંશો બે હસ્તપ્રતો વચ્ચેના સંબંધને બાંધી આપવામાં એટલા ઉપયોગી નથી થતા કે જેટલા એક-બે અક્ષરના લુમાંશો કે સમજપૂર્વકની ભૂલો ઉપયોગી થાય છે. કારણ કે આવા નાના અંશોમાં થયેલી ભૂલોને સુધારવાની લાલચ સ્વાભાવિક રીતે જ લહિયાઓને થઈ આવતી હોય છે, અને તેઓ પોતાની વૈયક્તિક વિદ્વત્તાને આધારે આવા સુધારાઓ કરવાનું સાહસ કરે છે. ઇરાદા વિનાની અશુદ્ધિઓ લહિયાઓનું ધ્યાન ખેંચતી નથી અને તેઓ તેને યથાવત્ રહેવા દે છે. ૧૭૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન ઉપસંહાર સંસ્કૃત ગ્રંથોની પાઠસમીક્ષાનો પ્રારંભ ભારતમાં તો ભાણ્ડારકર ઑરએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટે ઈ. સ. ૧૯૩૩માં કર્યો અને તેને અનુસરીને અનુગામી વર્ષોમાં મ. સ. યુનિવર્સિટી, વડોદરાએ નાટ્યશાસ્ત્ર તથા વાલ્મીકિ કૃત ‘રામાયણ' જેવા વિશાળકાય ગ્રંથોની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી છે. એ જ પ્રમાણે એ સમૃદ્ધ પરંપરાઓથી પ્રેરણાપીયૂષ પીને મુનિ શ્રી પુણ્યવિજયજી 'મ. સા. અને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી જેવા વિદ્વષઁએ જૈન દર્શન અને જૈન આગમોના પાઠસંપાદનનું કાર્ય પણ નવેસરથી ઉપાડ્યું હતું. પરંતુ આ ઈ. સ. ૧૯૩૩માં ભારતમાં શરૂ થયેલી સંસ્કૃત ગ્રંથોની પાઠસમીક્ષાનો દૂર ક્ષિતિજ ઉપર આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં જે એક નાનો છતાંય અત્યંત ધ્યાનાસ્પદ કહી શકાય એવો તેજ ચમકારો થયો હતો તે મેક્સમ્યૂલરે સંપાદિત કરેલા સાયણભાષ્ય સાથેના ઋગ્વેદની પ્રસ્તાવના, કે જે ઈ. સ. ૧૮૪૯માં લખાયેલ છે. તેમાં સંસ્કૃત ગ્રંથોની પાઠસમીક્ષા કરવા બાબતના જે કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવાયા છે તેના દર્શન થાય છે. જેમ કે, ઉપરની ચર્ચામાં આપણે જોયું તેમ ૧. મેક્સમ્યૂલરે જણાવ્યું છે કે પાઠસંપાદનમાં હસ્તપ્રતોની સંખ્યા મહત્ત્વની નથી પણ તેમાં સંક્રમિત થયેલા અને જળવાયેલા પાઠની શ્રદ્ધેયતાનું મહત્ત્વ છે. ૨. મેક્સમ્યૂલરે નોધપાત્ર રીતે હસ્તપ્રતોનું વંશવૃક્ષ શોધવાની વાત પણ ઉચ્ચારી છે. અલબત્ત, તેમાં વાચનાઓ (Recension) જુદી પાડવાનો કોઈ વિચાર પ્રતિબિંબિત થયો નથી. ૩. વિવિધ હસ્તપ્રતોમાં મળતા જુદા જુદા પાક્યાંશોમાંથી કોને પાઠાન્તર ગણવા અને કોને લહિયાના હાથે થયેલી અશુદ્ધિ ગણવી એનો વિવેક કરવાનું મેક્સમ્યૂલરે કહ્યું છે; તથા આવા સૂચક પાઠાંતરોની વંશવૃક્ષ ઉપર શી અસર પડી શકે તે પણ તેમણે ચર્યું છે. ૪. તથા હસ્તપ્રતોમાંથી પ્રાચીનતમ શ્રદ્ધેય પાઠને તારવ્યા પછી આવશ્યકતા અનુસાર અશુદ્ધ અંશોમાં શુદ્ધીકરણ કરવા માટે (ખાસ કરીને સાયણભાષ્યની અંદર) સહાયક સામગ્રીનો કેવી રીતે વિનિયોગ કરવો તે વિશે પણ મેક્સમ્યૂલરે કેટલીક વાતો કરી છે. ઉપર્યુક્ત ચાર જ મુદ્દાઓમાં પાઠસમીક્ષા બાબતે મેક્સમ્યૂલરે જે વિચારો મૂક્યા છે તે અનુગામી વર્ષોમાં પ્રો. વી. એસ. સુકથંકર સાહેબ કે ડૉ. એસ. એમ. કન્ને સાહેબના લખાણોમાં વટવૃક્ષરૂપે પુષ્પિત, પલ્લવિત થયેલા આપણને જોવા મળે છે, જે મૈક્સક્યૂલરના લખાણનું મૂલ્ય નક્કી કરવા પર્યાપ્ત છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ .. પાદટીપ ૧. "This may be accounted for by the fact that Indian authors trust so much to their memory as to quote generally by heart. Such slight differences, therefore, I have left unaltered whenever they were supported by the testimony of the best MSS." see Rig-Veda-Sanhita, Ed. Max Muller, vol. I, W. H. Allen & Co., London; Preface, p. xiv. IBID p. xiv "In most cases a comparison with the work from which passages were quoted served to correct the mistakes of the comentary; while in other cases a frequent recurrence of the same quotation in the Commentary furnished aslo the means of correcting false readings in the original works, or supplied, at all events, a wellauthenticated varietas lectionis". ૩. %. ૫. સંસ્કૃતગ્રંથોની પાઠસમીક્ષાનો આરંભકાળ · IBID p. xiv " A similar advantage for a critical restoration of corrupt passages was derived from the frequent repetition of the same explanations in different hymns, which also made it easier to become familiar with the style of the commentator, and his whole way of thinking and interpreting the Veda." IBID p. xiv "In most cases those numerous MSS. which have been collated for classical authors have only served to spoil the text; to make the reading of doubtful passages still more doubtful; and to give rise to a mass of conjectural readings, based either upon the authority of the transcriber of a MS., or upon that of an ingenious editor." દા.ત. કાલિદાસના ‘રઘુવંશ' માં - स्निग्धगम्भीरनिर्घोषमेकं स्यन्दनमास्थितौ । ૧૭૭ प्रावृषेण्यं पयोवाहं विद्युदैरावताविव ॥ ( १ - ३६ ) આવો જે શ્લોક છે, તેના ૪થા ચરણમાં એક પાઠાંતર આવું પણ વાંચવા મળે છે. - વિષુવૈરાવત વ । અર્થાત્ ‘વાદળ ઉપર જેમ વિદ્યુત અને ઐરાવત = ઇંદ્રધનુષ્ય બેસે તેમ સ્પન્દનમાં સુદક્ષિણા અને દિલીપ બેઠા’ - Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન પણ આ બીજું પાઠાંતર સ્વીકારીએ તો દિલીપને માટે પ્રયોજાયેલ erant (= 1947:) G4H14 Co mulegual Eliezd zylud del or, કેમ કે એ શૈલીની દષ્ટિએ ઉપમ નિદ્રાક્ષસ્ય એવી ઉક્તિથી કાલિદાસની ઉપમા લિંગ સાદૃશ્યના મુદ્દા ઉપર જ વખણાઈ છે. આથી વિપુરાવતી 591 Boi uisidor sllaeladi quei sau ay einta 88 24H શૈલીના પ્રમાણથી નકકી થાય છે. 'Before MSS. can be used for critical purposes, it is necessary that they should themselves be examined critically, in order to determine their origin, their age, and their genealogical ramifications, and thus to fix their relative value." - see : Rig-Veda-Sanhita, Ed. Max Muller, vol. ļ W. H. Allen & Co; London; Preface, p. XV. IBID p. XV "Now, if there are for instance, certain MSS. which omit a certain number of passages that have been preserved in others, we may safely conclude that the MSS. which coincide in omitting these passages flow from the same original source. But out of the number of Mss. which thus coincide in omitting certain sentences, some may again differ in other characteristic passages, and thus form new classes and subdivisions". 6. A catalogue of Sanskrit Manuscripts, at the Asiatic Soci ety, Calcutta, Vol. v. MS. No. 5289 / 5653. C. "In the latter case, if there remain several independent branches of MSS. the task becomes more difficult; and as each class of MSS. may claim for itself the same degree of authenticity, it becomes the duty of an editor to choose in each particular case the reading of that class of MSS. which may seem to him most correct, and best in accordance with the general style of the author." see : Rig Veda-Sanhita, Ed. Max Muller, Vol. I, W. H. Allen & Co; London, Preface, p. xvi 10. Introduction to Indian Textual Criticism, Poona, 1954. Page #194 -------------------------------------------------------------------------- ________________ 20. TYPOLOGY OF JAIN MANUSCRIPTS BY MUNI SRI PUNYAVIJAYAJI DR. SHRIDHAR ANDHARE It seems that the oral tradition continued till about the fourth century B. C. But, references to writing begin to appear in the early year of the Pali-Buddhist texts of Ca, fifth century B.C.' mentioning materials used for writing such as, leaves, wood and metal sheets. Towards the beginning of the Christian Era, the desire and need to religate holy teachings to writing began to manifest itself, and therefore, it became a matter of prime importance to record their spoken word into writing. Finally, after a long spell of conflicting agreements between the two sects, the Svetambaras summoned a council of Monks at Mathura in Ca. fourth cent. A.D. and two more thereafter in quick succession at Vallabhi in Saurashtra around the same period. It is here, under the guidance of Acharya Devardhagani, the groups agreed to commission readations of the sacred texts. Thereafter there is a paucity of textual evidence of writing till about the 11th century A.D. Subsequently, it is apparent that Jainism received substantial patronage from the kings, queens and ministers of state. Even earlier such generous endowments enabled the community to build temples and monastic 904 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન establishments under the leadership of the Bhattārakas who encouraged the laity to enrich the temples with donations of icons for worship and manuscripts for spiritual enlightenment. It is at this point of time that the tradition of sástra-dán gained momentum and it was regarded as an act of religious merit to gain wisdom. The idea of the reverence for learning acted as a main inspiration in creation of śāstrabhandaras equipped with illustrated and unillustrated manuscripts. Both, the monks and the shravakas contributed to this activity equally. Right from the times of Acharya Bhaduabahu to Ca. 16th century, Acharya Kundakunda, Umaswati, Siddhasena, Devanandi, Devardhagani, Akalanka, Haribhadra Suri, Jinasena, Gunabhadra and Hemachandra, etc. not only filled the śästra-bhandaras with their own works but preached the importance of writing down the manuscripts to the masses. It is mentioned in the Upadesátarangini that Kumarapala* (A.D. 1143-1174) of Gujarat established twenty-one sastra-bhandaras and presented each one with a copy of Kalpasutra written in gold letters. As , a result of this, large number of manuscripts of religious text were prepared and presented to temple libraries all over in Western India, including Delwada, Agatpur, Jaisalmer, Cambay, Broach, Sirohi, Rajnagar, Patan, etc. The growth of Jain Mss. in Western India on plamleaf and their painted book-covers is simultaneous to that of the Buddhist Mss. in Eastern India. The script used in Western India is an early form of Nagri with Page #196 -------------------------------------------------------------------------- ________________ Typology of Jain Manuscripts characteristics that make it out as Jaina Nagri." It has special forms of certain letters and diphthongal signs before the letters e or o. This early scripts is identified as Padi-matras in local Jain terminology. This elegant and monumental script remained characteristic of the Svetambara Jains until the 18th century. ૧૮૧ In the early phase of the palm-leaf Mss. text dominated the space, which ran across into five or six lines. Sometimes a long palm-leaf was divided by two verticle spaces marked by a red dot known as chandraka in the centre used also for string holes. In case of painted folios, the illustrations appeared two or three times in rectangles in between the text and the string holes. On the basis of the text pattern written or drawn on the folios of Mss. a detailed classification has been done by late Muni Sri Punyavijayji and the samples have been presented to the L.D. Institute of Indology at Ahmedabad which are being illustrated here in the form of slides in chronological sequence. When paper came to be used for manuscripts the smaller narrow format of the palm-leaf was discontinued, the size of the letters also became big and the paintings and other marginal decoration gained importance. In the history of miniature paintings of the world, the early Jain manuscript illustrations claim a unique position. After the 14th cent. a number of rich and opulant manuscripts illustrating the sacred books like the Kalpasutra and the Kalakacharya Katha were commissioned by wealthy merchant community. Pro Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન fuse use of gold and silver ink against deep crimson, violet or light blue ground became a matter of dignity and pride. The known specimens of these, such as, the Mandu Kalpasutra of A.D. 1439, the Jaunpur Kalpasutra of A.D. 1465, and the most opulant of the MSS. in India, the Deva Sano pado Kalpasutra of Ca. 14758 from Ahmedabad, exhibit an extraordinary skill not only of painting but of the calligraphy as well. The entire folio is treated graphically as one, in which both text the pictorial illustration and in certain cases, the marginal decorations play a significant role. The style and quality of writing and painting however goes on changing in the subsequent periods. The folios grow shorter and broader with lines of text, increasing on each folio. The Jain calligraphers are popularly known as Lahiyās, Bhojaks, Nāyakas or Brahmans. This institution of Lahiyās or the writers may have come into existence as an occupational caste living on writing of MSS. for the donors. It also appears from several inscriptions that they belonged to the Kayastha caste and their jurisdiction extended from Western India right upto Delhi-Jampur area in U.P. In the later period we come across various other agencies who wrote the Mss., among them the Jain Sadhus and Sadhvis or monks who, apart from being well read, were skilled calligraphers. Some of the monks of lesser religious integrity later came to be recognised as Gorjis who performed socio-religious functions of Astrologers, Vaids, Joshis, and Yatis dealing in mantra and tantra. Page #198 -------------------------------------------------------------------------- ________________ Typology of Jain Manuscripts ૧૮૩ In Mewar, the Mahātmās were the scribes and their names appear in the colophons of Jain as well as nonjain manuscripts. Mahatma Hiranada was the scribe of a dated Ms. of Supāsanahāchariyam'o painted as Devakulavõiaka in A.D. 1422-23. In the 18th and 19th century a community of scribes known as Matheran was active in the Jodhpur-Bikaner area which was writing as well as illustrating the quikā MSS. on all subjects. A number of such manuscripts apear in almost all repositories of Jain Bhandaras. Page #199 -------------------------------------------------------------------------- ________________ The types of MMS Classified by Muni Shri Punyavijayaji are as Under : No. Gujarati Names IMustration Description in English CE 1. 33 4C, FLC HTC 37 सचित्र मूळ पाट On palm-leaf as well as on paper represents text in one, two or three columns without the criticism. 2. Les gra, amics BH Main text accompanied by one columns of text. ૧૮૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન 3. #4, HTC Main text accompanied by one columns of text. Main text with three columns of commentary around. 5. & 4T Main text with five columns of commentary around. 6. Afa 160977 Main text with an illustration. Page #200 -------------------------------------------------------------------------- ________________ No. Gujarati Names Illustration Description in English 7. 424 Enfant et ofta añSE Rosette in the centre with coloured margins. 8. AMA 3 TA Decorative numerical. 9. TFG TEM TETT Red and White letters. 10. gaunfer anita Interwoven with golden letters. Typology of Jain Manuscripts SWAR 11. THE White spaces on black paper. . 12. a taifa Decorated with golden lines. 13. Farat feina Writing with empty spaces forming a design. 14. operating that Interwoven with the name of the scribe Jaichand in the centre square. 17. ES Page #201 -------------------------------------------------------------------------- ________________ Illustration No. Gujarati Names 15. T-TOM HET Description in English Red and Black ink. 16. Rafael 1444 Empty spaces left in calligraphic writing. 17. 2001 ALFA Black ink. 18. #19 # PUTET Ink made out of catachu. ૧૮૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન 19. MIE PIET Ink made with lak. रक्त-कृष्ण-मसी Red, Blue and Black writing. 21. Perera mmmm Mwamwe Bold letters. 22. HEATRE Micro letters. 15D 23. ETTERT Elongated stylised letters. 24. JETER Inverted letters to be read with the help of a mirror. 7 Page #202 -------------------------------------------------------------------------- ________________ Typology of Jain Manuscripts ૧૮૭ . Foot-notes : 1. J. P. Losty - The Art of the Book in India - The British Library, London, 1982 p. 5 2. Moti Chandra and Umakant Shah – New Documents of Jaina Painting, Shri Mahavira Jaina Vidyalaya, Bombay, 1975 p. 1 3. Chandramani Singh and Mukund Lath, Kalpasutra, Prakrit Bharati, Jaipur, Vol. I, 1977 p. XI. 4. See also Kumarapala Pratibodha, Gackwad Oriental Series, Baroda Vol. 14. Jayasimha Siddharaj (1093-1143 A.D.) is said to have employed about three hundred scribes to copy-out books on religions and secular matters for the Imperial Library. 5. Ob-cit 6. Karl Khandalavala and Moti Chandra, New Documents of Indian Painting (a reappraisal) Bombay 1969, Col. pl. 2 7. Ibid Col. pl. 4 8. Ibid Col Pl. S 9. Karl Khandalavala and Moti Chandra, An Illustrated Aranyaka Parvan in the Asiatic Society of Bombay, Bombay 1974 see colophon Fig. 5 10. Muni Punyavijayji, Jaisalmer ni Chitrasamriddhi (Gujarati) Ahmedabad 1951 and Supasanahachariyamni Hasta-likhit Pothi ma na rangin chitro (Gujarati) Acharya Shri Vijayvallabh Suri Smaraka Grantha, Bombay, 1956 pp. 176-180 ll. I am obliged to Shri Laxmanbhai Bhojak of the L. D. Institute of Indology, Ahmedabad and acknowledge the courtesy of the L.D. Institute of Indology. Page #203 -------------------------------------------------------------------------- ________________ 21. ART AND TECHNIQUE OF PRESENTATION OF MANUSCRIPTS PROF. S. G. KANTAWALA Since the beginning of Indological Studies in India and abroad there has been a growing awareness about the importance of mass, their collection, survey, presentation, editing, etc. The importance of mass for the recovery of India's past is immense in addition to archaeological finds. It is well-known that the critical edition of Sanskrit, Prakrit, etc. texts is a rare one non of any previous and reliable study and research related to the works concerned. In a sense art of writing and manuscript go together, because the verable manuscript literature means "handwritten", it is an objective and is desirable from L. manus hand and L. Scribe to write. The existence of writing material is as old as the Indus valley civilisation with reference to India. With this therefore is connected the account of writingmaterial used by scribes through the ages. Various materials have been used for writing purpose since older times and a brief mention of the same will not be out of place here: Stones of various kinds, shells metals, e.g. copper, gold, silver, iron, brinks, earthen material lay-tablets, ૧૮૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ Art and Technique of Presentation of Manuscripts 966 wooden boards or wooden tablets (Phalva) – semetines wooden boards tablets made of sandal wood, -- skims : it is hazardous to think skim or hids as a Haidu writers material because of its being considered : impure, it was used for official documents, cottoncloth (pata, patika, karpasikapara) silk-cloth. Kadatam is a kind of cloth used by canarese traders; birch-bark (bhavya-patra) or the inner birch-bark of the Bhurjatree, palm leaves which are of two types (a) corypha umbravali fare and (b) Borassus flabellifere. The former is hidigneous to India and the latter is probably introduced from Africa; aguru-patra (alve-bank); and paper; the quality of the paper is an indicator to the age of the ms. Link seems to have been used for writing purpose from very early times. It may be from the himself Indus valley civilisation, as a threiomorphic jar from Mohenjo-Daro is interpreted as an ink-well. The ink used may be black or coloured. Ink and its contents are important, when used as a writing material on leaf-mss and paper-mss. In addition to chalk, which was used for writing on wooden-boards, red lead and minimum hingula are amongst the Rubshitates for ink, the lekhant is an instrument of writing and this includes stitus, pencils, brushes, reed, wooden pens, etc. The aforegoing brief survey of writing materials can be classified into two broad categories : (i) material which is not easily perishable like stone, etc. and (b) easily perishable material like paper mss, leaf-mss, etc. They contain mostly the literary works etc. We are Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય : સંશોધન અને સંપાદન concerned here with the record category of the writing material. The problem of the presentation of the above said recened category of material touches also on the location of the building housing such mss i.e. msslibrary and archives. In ancient times it was generally located in a place which was free from the adverse effects of the monsoon climate and the extreme heat of summer. The walls of such building are desired to be not sent. In modern times mass-libraries and archives in industrialised towns and either are to be situated, where they are generally mostly free from various effects, e.g. of sulphur dioxide, sulphmetal hydrogen and other acidic gases, or are to be equipped with facilities which annul the damaging effects. There should be a good free movement of pure air beneficial in the presentation and protection of mass. The religious literature of ancient India viz. Vedic and allied texts are preserved in a great degree of purity through oral transmission which has several stiff techniques of preserving the purity of the text. The transition from and transmission to written or even mental transmission came about gradually. The nature of the writing material used in ancient and medieval India is not everlasting. It is well-known that the majority of Indian mass are not earlier than the 10th century A.d. and most of them are later than the 13th century A.D. Paper mass are not earlier then the 13th century A.D., where as the palm-leaf or birdsbank mass include mass which are a little earlier. The texts that have came down to mass were copied for the most Page #206 -------------------------------------------------------------------------- ________________ Art and Technique of Presentation of Manuscripts 969 part on birdsbank, palm-leaf and paper. Their early perishability in camparison with the material like stone is well-known. Hence, there is a need for protection against wear and tear of the mass concerned. The simple but a delicate means of preservation of a ms/ mss against wear and tear once also as a remedy to satisfy the desire and/or demand of other persons to how these texts was to have these ms/mss copied manually. It is well-known that some years back there was a practice of supporting a transcript when the mass could not be lent outside the premises of the mass-library. Now the matters have changed. Puranas refer is the donation of transcripts of various Punayas. The Matsya-Punya (ch. 53) recommends the copynis of various Puranas and their gift to the deserving ones and this act was calculated to earn religious merit. Rajasekhara, the author of the Kavyamimamsa, is quite alive to the problem of preservation and multiplication of an antograph or a mass i.e. to have more transcript and he says categorically, “Prabandham aneka darsa gatani kunyat” (Kavya Mimamsa. Gos. No. 1, p. 53) i.e.” The poet should prepare several transcripts or get them prepared of his compsitan as soon as the final touches have been given, under these circumstances more antrographs or transcripts are available and chances of computer are extremely far. Some ancient unknown writers have suggested the following measures for the protection and preservation of mass and they deserve to be applied mutatis mutandis even in modern times: Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન i.e. to say, a mass is to be preserved from water, watery area, humid and damp atmosphere paud area, a fool, whose careving or binding, fire, rats, wind and thieves. It is to be protected with great care, caution and effort. For protections from fire, mass, if not all, at least precious and rare mass should be kept in a fire proof Mass or safes. It is a matter of gratification to note here that the Oriental Institute, Baroda is fortunate to have a fire proof rare donated by the ragacious and foresighted ruler the late Sir Sayajirav III Gaekwad, the founder of the Oriental Institute, which the royal family used to the protection and safety of their valuables. Passively a reference may be made a Jain made by which the original or old ownership as well as the new ownership of a mass was maintained and recenled, when it changed hands, i.e. when a manuscript later came into possession of another monk, mostly of a different lineage (gaccha, etc.) care was taken to record the ownership. With reference to Jains it may be noted that pims Jains, whether male or female, devotees acquired and protected an older ms/mass and then either gave it/them as gift to a Jain monk/monks or deposited it/them in a manuscript library. It is happy to note that this practice is still prevalent. For the protection and preservation of angular peinis/corner points and border-sides of palm-leaf or birde-bank or aloe-bank mass a special care was taken wooden covers were cut according to the size of the folios of the leaf-mass concerned and they lower; and Page #208 -------------------------------------------------------------------------- ________________ Art and Technique of Presentation of Manuscripts 123 it string was passed through the two holes pierced through to keep them in proper order. These wooden covers known as Pattikas or Patatis are sometimes painted and decorated with different designs or seemes in different colours. Such covers have a cultural and religious significance. The mass with wooden book-covers were tightly tied up in a strong thick piece of cloth mostly the khadi-cloth with a string tightly tied round about and this is made dear in the light of a gain peverb which says that the mass are to be bound as tightly as an enemy would be bound tightly to gain no scope for freedom or wishful movement. This was done so as an antidote against the possible impact of damp or moist climate. To protect from the harmful effect of climatic warerings such bundles were locked in a from with stone-walls and bundles were placed on the shneshelves. In this connection in Jesalmer and Nagpur, sometimes the bundles were kept in wooden boxes for protection from climatic variations. The wooden even are mostly made of teakared (Guj. Saga) or sisom (Guj Sisama) wood. Incidentally it may be mentioned that for protecting the mass from the wearing effect of a thumb or other fingers as well as an avil to memory of the reader where he/she stopped in reading page-protectors and page-markers were also used. In brief the above going points refer to the protection and presentation of mass from heat, cold and Page #209 -------------------------------------------------------------------------- ________________ 188 હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય સંશોધન અને સંપાદન ૧૯૬ moisture, hence, now in modern times the mass are to be kept in an aircourtoned, from when these faithties are available. There are possibilities of the folios be they of the birch-bank or the palm-leaf mass or the paper-mass getting stuck with one another due to humidity, moisture, etc. Under these circumstances getting them separated straight involves the possibility of the damage to the mass concerned. For separat them, a wet piece of cloth is to be put award it for the required time, and then with great care the folios under reference are to be separated the gutala powder is also used, in the sticking in due to gum-effect in ink. In this context the festival of the Jnanapancham also known as the Labhapanchama, which falls on the fifth day of the bright half of the month of Karttika, may be mentioned. It has a special significance in the Jain community. The Jains celebrate this day as a religious festival day to offer worship to the mass-wealth. It is significant to note that this day falls, when the climate has become dry after the rainy season. To protect the mass from the damage that may be careful by insects like silver-fish, white ants, fangia etc. Powder of shell pieces of a acrons known as ugagnadha in Sanskrit and ghodavaja in Gujarati is recommend. As it is oily in nature, the powder or the pieces are to be put in a small piece of cloth to avoid dote etc. occurring on the folios of the ms. Moreover, camphor-tablets, naphthaline balls, D.D.T. powder (dichlor - diphenyl- trichlorethane powder), gamexine Page #210 -------------------------------------------------------------------------- ________________ Art and Technique of Presentation of Manuscripts 964 - powder etc. are good insecticides. Citronella oil is applied to birch-bank or palm leaf mas to maintain their life. In the absence of the modern facility of famigative the mss, they were treated with the gaseous effect of thiamol xeroxing - process is an easy help towards the preservation of mss by taking out their xerox-copies; but in this process the tolive get heated and heat is likely to reduce the life-span of the mots. It is, therefore, that this method is to reserved carefully. More transcripts should be taken out from the first xerox-manuscripts and not from the original. Photo stret-copies, photo-filming, and microfisch are also relevant means in the preservation and protection of mss. Lamination is also a presentation and protective measure, but it has its own limitations. Computerisation is another process in the programme of preservation and protection of mss; but it is to be noted that it involves limitation of a reading/readings being recorded from the mss as interpreted by the computerising scholar. In present the contribution of descriptive catalogues of mss towards the presentation and protection of mss in their way is to be recognised. The National Archives (Delhi) is an important institution who trains persons in the art of techniques. There were in brief some of the old and modern techniques of preserving and protecting the mss. wealth. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન Foot-notes 1. Katre, S. M. Introduction to Textual Criticism, Poone, 1954 2. Nawab Sarabhai Manilal (Editor & Publisher) : Jaina Citra Kalpadruma, Vol. I (Gujarati), Ahmedabad, 1936. 3. Rajasekhar, Karya Mimamsa, Gos, Vol. I, Third Edition, Edited by Pt. K. S. Ramaswamisastri, Baroda, 1934. 4. Sarma, S. Rajsekhara, Writing Material in Ancient India, Aligarh Governal of Oriented Studies, Vol. II, No. 1-2, 1985, edited by U.C. Sharma & Others (Prof. Ram Suresh Tripathi commemora tion Volume). Aligarh. 5. Shah U. P., A Painted Wooden Book-cover in the Collection of the Oriented Institute, JOJB - 25-3-4, 1976. 6. Srimannayan Murti M., Methodology in Indological Research, Delhi, 1991. Page #212 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી સંપાદિત ગ્રંથો ૧. મુનિ રામચન્દ્રકૃત કૌમુદીમિત્રાનંદ નાટક, ૧૯૧૭ ૨. મુનિ રામભદ્રકૃત પ્રબુદ્ધરૌહિણેય નાટક, ૧૯૧૮ ૩. શ્રીમન્મેઘપ્રભાચાર્યવિરચિત ધર્મભ્યય (છાયાનાટક), ૧૯૧૮ ૪. ગુરુતત્ત્વવિનિશ્ચય, ૧૯૨૫ ૫. ઉપાધ્યાય શ્રી યશોવિજયકૃત ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા, ૧૯૨૮ ૬. વાચક સંઘદાસગણિવિરચિત વસુદેવ-હિષ્ઠિ, ૧૯૩૦-૩૧ ૭. કર્મગ્રંથ (ભાગ ૧-૨), ૧૯૩૪-૪૦ ૮. બૃહત્કલ્પસૂત્ર - નિર્યુક્તિભાષ્યવૃત્તિયુક્ત (ભાગ ૧-૬), ૧૯૩૩-૩૮ તથા - ૧૯૪૨ ૯. ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા, ૧૯૩૫ ૧૦. પૂજ્ય શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણવિરચિત જીતકલ્પસૂત્ર સ્વોપલ્લભાષ્ય સહિત, ૧૯૩૮ ૧૧. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યપ્રણીત સકલાર્તસ્તોત્ર શ્રી કનકકુશલગણિવિરચિત વૃત્તિ યુક્ત, ૧૯૪૨ ૧૨. શ્રી દેવભદ્રસૂરિકૃત કથારત્નકોશ, ૧૯૪૪ ૧૩. શ્રી ઉદયપ્રભસૂરિકૃત ધર્માલ્યુદયમહાકાવ્ય, ૧૯૪૯ ૧૪. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યપ્રણીત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મહાકાવ્ય (પર્વ ૨, ૩, ૪), ૧૯૫૦ ૧૫. જેસલમેરની ચિત્રસમૃદ્ધિ, ૧૯૫૧ ૧૬. કલ્પસૂત્ર - નિર્યુક્તિ, ચૂર્ણિ, ટિપ્પણ, ગુર્જર અનુવાદ સહિત, ૧૯૫૨ ૧૭. અંગવિજા, ૧૯૫૭ ૧૮. સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી તથા અરિસિંહકૃત સુકૃતસંકીર્તન, ૧૯૬૧ ૧૯. સુકૃતકીર્તિકલ્લોલિન્યાદિ વસ્તુપાલ-પ્રશસ્તિસંગ્રહ, ૧૯૬૧ ૨૦. સોમેશ્વરકૃત ઉલ્લાઘરાઘવનાટક, ૧૯૬૧ ૧૯૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન ૨૧. Descriptive Catalogue of palm-leaf Mss. in the Shantinath Bhandar Cambay, Vol. 1-ll, 1961-1966 ૨૨. Catalogue of Sanskrit and Parkrit Mss. of L. D. Institute of Indology, Parts I-IV, (૧૯૬૩,૧૯૬૫,૧૯૬૮,૧૯૭૨) ૨૩. શ્રી નેમિચન્દ્રાચાર્યકૃત આખ્યાનકમણિકોશ, આમ્રદેવસૂરિષ્કૃત વૃત્તિ સહિત, ૧૯૬૨ ૨૪. શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યોગશતક સ્વોપજ્ઞવૃત્તિયુક્ત; તથા બ્રહ્મસિદ્ધાંતસમુચ્ચય, ૧૯૬૫ ૨૫. સોમેશ્વરકૃત રામશતક, ૧૯૬૬ ૨૬. નન્દીસૂત્ર - ચૂર્ણિ સહિત, ૧૯૬૬ ૨૭. નન્દીસૂત્ર - વિવિધ વૃત્તિ યુક્ત, ૧૯૬૬ ૨૮. આચાર્ય હેમચન્દ્રકૃત નિઘશેષ, શ્રી શ્રીવલ્લભગણિકૃત ટીકા સહિત, ૧૯૬૮ ૨૯. નંદિસુત્ત અણુઓગદ્દારાઈ ચ, ૧૯૬૮ ૩૦. જ્ઞાનાંજલિ (મહારાજશ્રીના દીક્ષાપર્યાયષષ્ટિપૂર્તિ સમારોહ પ્રસંગે પ્રગટ થયેલ મહારાજશ્રીના લેખોનો તથા મહારાજશ્રીને અંજલિ આપતા લેખોનો સંગ્રહ), ૧૯૬૯ ૩૧. પન્નવણાસુત્ત (પ્રથમ ભાગ), ૧૯૬૯ ૩૨. પન્નવણાસુત્ત (દ્વિતીય ભાગ), ૧૯૭૧ ૩૩. જેસલમેરજ્ઞાનભાડારસૂચિપત્ર, ૧૯૭૨ ૩૪. પત્તનજ્ઞાનભાડારસૂચિપત્ર, ભાગ-૧, ૧૯૭૩ ૩૫. દસકાલીયસુત્ત અગસ્ત્યસિંહ ચૂર્ણિ સહિત, ૧૯૭૩ ૩૬. સૂત્રકૃતાંગ ચૂર્ણિ ભાગ-૧, ૧૯૭૩ ૩૭. કવિ રામચન્દ્રકૃતનાટકસંગ્રહ (છપાય છે) Page #214 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ પુણ્યવિજયજી વિશે જ્ઞાનોપાસક શ્રમણોની પ્રાચીન પરંપરાને મુનિ શ્રી પુણ્યવિજયજીએ સુપેરે સાચવી હતી. હેમચન્દ્રસૂરિજી, શાલિભદ્રસૂરિજી અને યશોવિજયજીની ઉજ્જવલ પરંપરાને પોતાની જ્ઞાનોપાસના દ્વારા એમણે ઓપ આપ્યો હતો. સ્વાધ્યાય, સંશોધન અને પ્રકાશન દ્વારા એ આખીય પરંપરાને અર્વાચીન સંદર્ભમાં સમૃદ્ધ અને શોભાપૂર્ણ બનાવી હતી. શ્રી સુરેન્દ્રભાઈ કાપડિયા મુનિશ્રી એક ઊંચી કોટિના વક્તા, પ્રભાવક વ્યાખ્યાતા હતા તેમ જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિષયોનાં પાસાંઓને દીપ્ત કરનાર હતા. એમની વાણી ઋતંભરા, અર્થપ્રબોધી અને અહંભાવ વગરની હતી. આવા નિ:સ્પૃહી જ્ઞાનીને આચાર્ય પદવી આપવાની વારંવાર વિનંતિ થવા છતાં, તેમણે વિનય અને નમ્રતાથી તેનાં અસ્વીકાર કરી ત્યાગની ભાવના મૂર્તિમંત કરી હતી. એમના મુનિજીવનના યમ-નિયમ-સંયમથી વીર્યવાન બનેલી બુદ્ધિશક્તિ અને ધનના અપરિગ્રહને લઈને મળેવી ઉદારતાનો લાભ વિદ્યાક્ષેત્રને જે મળ્યો છે, તે અનોખો છે. ‘જૈનશક્તિ’ દૈનિક, મુંબઈ : ૧૯-૦૬-૭૧ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મથી જૈન સંસ્કૃતિએ એક અમૂલ્ય રત્ન ગુમાવી દીધું છે. જેસલમેર, પાટણ, ખંભાત, અમદાવાદ વગેરે સ્થાનોના જૈન પુસ્તક ભંડારોને સુવ્યવસ્થિત કરવાની તાકાત તેમના સિવાય બીજા કોઈની ન હતી. નામનાથી સદા દૂર રહીને તેઓ સતત કાર્યમાં જ ગૂંથાયેલા રહેતા હતા. આચાર્ય પદવી લેવા માટે તેઓને અનેક વાર વિનંતી કરવામાં આવી હતી, પણ તેઓએ એનો સ્વીકાર કર્યો ન હતો. તેઓના કામને લીધે પરદેશમાં પણ તેઓની નામના થઈ હતી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજે ૧૯૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન આગમોનું સંશોધન કરવાનું સ્વીકાર્યું અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એ યોજનાને પૂરી કરવાની તૈયારી બતાવી એ બહુ સારું થયું. શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પરમપૂજ્ય, આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રુતપરાગમી વિદ્વાન મુનિવર હતા. અને તેઓશ્રીની જ્ઞાનોદ્ધારને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓની આદર્શ વ્યુતભક્તિની કીર્તિગાથા બની રહે એવી હતી. તેઓએ પોતાના ૬૨ વરસ જેટલા દીર્ઘ દીક્ષા પર્યાય દરમ્યાન જીવનભર જ્ઞાનોપાસના, શાસ્ત્રસંશોધન, જ્ઞાનપ્રચાર અને જ્ઞાનની બહુમૂલ્ય સામગ્રીના રક્ષણનું સંઘોપકારક કાર્ય પૂરી નિષ્ઠા અને એકાગ્રતાથી કરતાં રહીને, પોતાના દાદાગુરુશ્રીના તથા ગુરુશ્રીના જ્ઞાનોદ્ધારના સંસ્કારવારસાને વિશેષ ગૌરવશાળી બનાવ્યો હતો. શ્રી જૈન પ્રાપ્ય વિદ્યા ભવન, અમદાવાદ તેઓ માત્ર એક વ્યક્તિ નહીં પણ જીવંત સંસ્થારૂપ હતા. - પૂજ્ય મુનિ શ્રી કીર્તિચંદ્રવિજયજી મુનિ શ્રી પુણ્યવિજ્યજી મ. નું નામ સ્મૃતિમાં આવવાની સાથે જ જાણે કે પુરાતત્ત્વ, આગમપ્રકાશન, પ્રાચીન હસ્તપ્રતોના ભંડારો કલ્પનામાં ઊભરાવા લાગે, એમનું જીવન જ્ઞાનની સતત ઉપાસનામાં ઓતપ્રોત થયેલું દેખાય, એમની અદ્ભુત કાર્યશક્તિ, સરળતા અને સૌમ્યતા અંતરને ભક્તિભાવથી સ્પર્શી જાય. - જૈન પ્રકાશ' સાપ્તાહિક મુંબઈ : ૧૫-૧૯૬૨ તેઓએ સંપાદિત કરેલ બૃહત્કલ્પભાષ્યની કીર્તિમંદિર સમી આવૃત્તિનો નિર્દેશ હું અહીં કરવા ઇચ્છું છું. ભારતમાં જેઓ અત્યાર સુધી સંશોધિત નહીં થયેલ ગ્રંથોને પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા છે તે સર્વને માટે આ આવૃત્તિ એક નમૂનાની ગરજ સારે એવી છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૩ જ્ઞાનોપાસનાનું બહુમાન : મહારાજશ્રીએ પોતાની નિરાભિમાન, સરળ અને ઉદાર જ્ઞાનસાધનાને કારણે, દેશ-વિદેશના વિદ્વાનોમાં જે ચાહના અને આદર મેળવ્યાં હતાં, તે ખરેખર વિરલ હતાં. નીચેની વિગતને મહારાજશ્રીની જ્ઞાનોપાસના તરફના બહુમાનના પ્રતીકરૂપ લેખી શકાય - ૧. કોઈ જાતની ડિગ્રી નહીં હોવા છતાં મહારાજશ્રીને પીએચ. ડી. માટેના મહાનિબંધના પરીક્ષક નીમવામાં આવ્યા હતા. છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦મું અધિવેશન સને ૧૯૫૯માં અમદાવાદમાં મળ્યું ત્યારે ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. ૩. ભાવનગરની શ્રી યશોવિજ્યજી જૈન ગ્રંથમાળાએ યોજેલ વિ. સં. ૨00૯ની સાલનો શ્રી વિજ્યધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક મહારાજશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને આગમપ્રભાકર'ની સાર્થક પદવી અર્પણ કરી હતી. ૫. ઑલ ઇન્ડિયા ઑરિએન્ટલ કૉન્ફરન્સના સને ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલ એકવીસમા અધિવેશનના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. સને ૧૯૭૦માં અમેરિકાની ધી અમેરિકન ઑરિએન્ટલ સોસાયટીના માનદ સભ્ય બનવાનું વિરલ બહુમાન મહારાજશ્રીને મળ્યું હતું. ૭. વિ.સં. ૨૦૦૭માં, મુંબઈમાં, વરલીમાં થયેલી પ્રતિષ્ઠા વખતે ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે તેઓશ્રીને “શ્રતશીલવારિધિ' ની યથાર્થ પદવી આપી હતી. મહારાજશ્રીની જીવનવ્યાપી નિર્ભેળ વિદ્યાપ્રવૃત્તિ, પરગજુ અને પારગામી વિદ્વત્તા, જ્ઞાનોદ્ધારની અનેકવિધ સત્યવૃત્તિ, આદર્શ સહૃદયતા અને ઊર્ધ્વગામી સાધુતાને જ આ હાર્દિક અંજલિ લેખવી જોઈએ. ધન્ય એ સાધુતા અને ધન્ય એ વિદ્વત્તા ! ૨૦૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના ૬૨ ચાતુર્માસની યાદી (કૌસ બહારનો અંક ચાતુર્માસનું અને કૌસમાંનો અંક વિ.સં. નું સૂચન કરે છે.) ૨૦૨ અમદાવાદ-૩૭,૩૮ (૨૦૦૧, ૨૦૦૨), ૪૧ (૨૦૦૫), ૪૪ થી ૫૩ (૨૦૦૮ થી ૨૦૧૭), ૫૫ થી ૫૯ (૨૦૧૯ થી ૨૦૨૩) કપડવંજ-૫૪ (૨૦૧૮) ખેડા-૪ (૧૯૬૮) જામનગર-૧૬, ૧૭ (૧૯૮૦, ૧૯૮૧) જેસલમેર-૪૨ (૨૦૦૬) ડભોઈ-૧ (૧૯૬૫) -પહેલું ચોમાસું પાટણ-૫, ૬, ૭, (૧૯૬૯, ૧૯૭૦, ૧૯૭૧), ૨૦ થી ૩૬ (૧૯૮૪ થી ૨૦૦૦) પાલિતાણા-૧૧, ૧૨ (૧૯૭૫, ૧૯૭૬) બીકાનેર-૪૩ (૨૦૦૭) ભાવનગર-૧૩, ૧૪ (૧૯૭૭, ૧૯૭૮) મુંબઈ-૯ (૧૯૭૩)-,૬૧, ૬૨ (૨૦૨૫, ૨૦૨૬) - છેલ્લું ચોમાસું લીંબડી-૧૫ (૧૯૭૯), ૧૯ (૧૯૮૩) વડોદરા-૮ (૧૯૭૨), ૧૦ (૧૯૭૪), ૩૯, ૪૦ (૨૦૦૩, ૨૦૦૪), ૬૦ (૨૦૨૪) વઢવાણકૅમ્પ (સુરેન્દ્રનગર)-૧૮ (૧૯૮૨) સુરત-૨, ૩ (૧૯૬૬, ૧૯૬૭) Page #218 -------------------------------------------------------------------------- ________________ ગૂજરાત વિદ્યાપીઠનું જૈન-બૌદ્ધ સાહિત્ય 110-00 10-00 1. ઇતિવૃત્તક બુદ્ધવચનો નિરંજનભાઈ ત્રિવેદી 2. જૈન શબ્દાવલી સં. ડૉ. શેખરચંદ્ર જૈન ડૉ. નિરંજના વોરા શોભના શાહ 3. તત્ત્વાર્થસૂત્ર સં. 5. સુખલાલજી 4. દ્રવ્યસંગ્રહ નિરંજના વોરા 5. ધમ્મપદ ધર્માનંદ કોસંબી 6. ધમ્મપદ-નવનીત 7. શ્રી પંચાસ્તિકાયસંગ્રહ નિરંજના વોરા 8. પાલિભાષા પરિચય 9. બુદ્ધચરિત ધર્માનંદ કોસંબી 10. બૌદ્ધસંઘનો પરિચય ધર્માનંદ કોસંબી 11. ભગવાન મહાવીરના 10 ઉપાસકો ગોપાળદાસ પટેલ 12. ભગવાન મહાવીરની ધર્મકથાઓ ગોપાળદાસ પટેલ 13. મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ ગોપાળદાસ પટેલ 14. મહાવીર સ્વામીનો આચારધર્મ ગોપાળદાસ પટેલ 15. મહાવીર સ્વામીનો સંયમધર્મ ગોપાળદાસ પટેલ 16. સમાધિમાર્ગ ધર્માનંદ કોસંબી 17. સમીસાંજનો ઉપદેશ ગોપાળદાસ પટેલ 18. સંક્ષિપ્ત બુદ્ધકથા 19. સુત્તનિધિ 20. સુત્તનિપાત 21. સ્થાનાંગ-સમવાયાંગ સં. દલસુખ માલવણિયા 22. શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો ગોપાળદાસ પટેલ | 23. શ્રી મહાવીર કથા ગોપાળદાસ પટેલ 24. શ્રી રાજચંદ્ર ગોપાળદાસ પટેલ 25. શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી મુકુલભાઈ કલાર્થી 26. Jaina Theory of Knowledge Mohanlal Mehta 27. મજિઝમનિકાય : સમીક્ષાત્મક અધ્યયન નિરંજના વોરા 125-00 20-00 50-00 20-00 30-00 75-00 65-00 60-00 45-00 90-00 45-00 27-00 30-00 25-00 30-00 20-00 20-00 100-00 10-00 12-00 100-00 125-00 50-00 50-00 (પ્રેસમાં) પ્રાપ્તિસ્થાન : નવજીવન પ્રકાશન મંદિર , પો. નવજીવન, અમદાવાદ - 380014 Price Rs. 125-00 For Private & Personal Use O ISBN : 81-86445-61