SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન બની રહ્યું હતું. શાસ્ત્રીય ગ્રંથોના અભ્યાસ અને પ્રકાશનના કાર્યમાં સતત પ્રવૃત્તિશીલ હોવા છતાં નાના બાળકથી માંડીને અનેક સાધુ-સાધ્વીઓ અને શ્રાવકોને પ્રસન્ન ચિત્તે મળતા. ધર્મના આચારનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા, પણ રૂઢિગ્રસ્ત આચારવિચારની મર્યાદા સમજતા. શ્રમણ સંઘના ભિન્ન ભિન્ન સમુદાયો વચ્ચે પ્રવર્તતી વાડાબંધીથી તેઓ સદા અલિપ્ત રહ્યા હતા. બાસઠ વર્ષનું એમનું દીક્ષા જીવન એટલે અવિરત કર્મયાત્રા અને અખંડ જ્ઞાનયજ્ઞ. સાચા અર્થમાં તેઓ આજીવન વિદ્યા-અર્થી રહ્યા. ૭૬ વર્ષની ઉમરે પહેલા હરસની અને પછી પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયા બાદ ૧૪મી જૂન ૧૯૭૧ના રોજ રાત્રે ૮-૩૦ વાગ્યે આ જ્ઞાની સંતપુરુષનો ક્ષર દેહ પંચતત્વમાં ભળી ગયો. તપ, ત્યાગ, સંયમ અને પ્રકાશ પ્રસરાવતો તેજસ્વી દીપ સદાને માટે બુઝાઈ ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005251
Book TitleHastprat Vidya ane Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorNiranjana Vora
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2001
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy