Page #1
--------------------------------------------------------------------------
________________ અધધાપક ધર્મોન કેસ બી P.P. Ac. Gunratnasuri M.S., . . . Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ આપવીતી અધ્યાપક ધર્માનન્દ કોસંબી લિખિત આત્મચરિત્ર મરાઠી ઉપરથી અનુવાદક વેણીલાલ છગનલાલ બૂચ નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust હા રે ,
Page #3
--------------------------------------------------------------------------
________________ મુદ્રક અને પ્રકાશક : જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ serving jinshasan. 001091 gyanmandir@kobatirth.org આવૃત્તિ બીજી : પ્રત 1,000 સવા રૂપિયે નવેમ્બર, 1940 P.P. Ac. Gunratnasuri M.SE Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ પરિચય - બૌદ્ધધર્મ વિષે મારા મનમાં જ જિજ્ઞાસા અને આદર. ન હોત તો ધર્માનન્દજી સાથે મારો પરિચય ન જ થયે હેત. મારા મિત્ર નાગેશ વાસુદેવ ગુણાજીને એક દિવસ હું મળવા ગયેલું. ઈ. સ. ૧૯૦૮ની વાત હશે. તેમણે મને કહ્યું, મારા એક બાળસ્નેહી બૌદ્ધધર્મી થઈને આવ્યા છે. તેમણે બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવા ખાતર સિકિમ, બ્રહ્મદેશ અને સિલોન સુધી પ્રવાસ કર્યો છે અને અનેક કષ્ટ વેઠ્યાં છે.” બૌદ્ધધર્મી પ્રાણી કેવો હતો હશે એ જોવાની ઈચ્છા તીવ્ર થઈ અને મેં એમની મુલાકાત લીધી. તેમની થોડીક વાતો. સાંભળ્યા પછી મેં તેમને એક ધૃષ્ટતાભર્યો સવાલ પૂછળ્યો, ગૌતમ બુદ્ધના ઉપદેશને કે પંથને ધર્મનું નામ આપી શકાય ખરું? મને તો તે એક શુદ્ધ નીતિન પંથ જ લાગે છે.” આ સવાલને પરિણામે સુંદર ચર્ચા ચાલી અને તે જ બેઠકમાં તેમની પાસેથી પાલિ ભાષાની બે ત્રણ ગાથાઓ હું શીખી ગયો. મેં જોઈ લીધું કે અંગ્રેજ લોકોના પરિશ્રમ ઉપર ગુજારે ચલાવનાર આ કઈ વાંદો (Parasite) નથી; આ ભાઈએ મૂળ ઝરણા આગળ પહોંચીને જ પિતાની તરસ છિપાવી છે. એક જ મુલાકાતમાં મેં જોઈ લીધું કે, ધર્માનંદજીમાં શુદ્ધ ધાર્મિક્તા છે અને છતાં ધાર્મિકતાનો ડોળ . નથી; વિદ્વત્તા છે, પણ પાંડિત્યની બૂ નથી. - સાંજે, અમે બેલગામની ઘોડદેડ પર ફરવા ગયા. સૂર્યાસ્તને વખત હતો. ધર્માનંદજીએ કહ્યું, “મને જરાક માફ કરે, હું પેલા વાયુમાપક મિનારા પાસે જઈ આવું.” તેઓ * ગયા અને લાંબા વખત સુધી ધ્યાનમાં બેઠા. પાછા આવીને છે. તેમણે વાતો આગળ ચલાવી. મેં તે પહેલાં બે ચાર યોગીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ ધ્યાનમાં બેસતા જોયા હતા, પણ ધમાનન્દજીમાં જે સાદાઈ જણાઈ તે તેમનામાં ન હતી. - તે દિવસથી હું તેમને ઓળખતે થયે. તે વખતે તેઓ અમેરિકા પણ ગયા ન હતા. બંગભંગની હિલચાલ પછી કલકત્તામાં જે રાષ્ટ્રીય કોલેજ સ્થપાઈ હતી તેમાં તેમણે થોડા દિવસ કામ કર્યું હતું એટલું જ. * ત્યાર પછી “વૃદ્ધ, ધર્મ મળ સંઘ” અને “પુત્રીત્રાસરસંઘ એ બે તેમની ચોપડીઓ બહાર પડી અને " નાથાલંગ્રહ' ' એ ચોપડી તૈયાર થઈ. પ્રસિદ્ધ થયેલી ચોપડીઓ દ્વારા તેમને મહારાષ્ટ્ર ઓળખતું થયું, પણ તેમની વિદ્વત્તાનો ઉપયોગ તે પ્રથમ અમેરિકાએ જ કર્યો. ધર્મનંદજીનું આ આત્મનિવેદન અથવા પ્રવાસવર્ણન અનેક રીતે મનોરંજક અને બોધપ્રદ છે. અંગ્રેજી કેળવણી શરૂ થઈ ત્યાર પછી આપહિંમતથી અને સ્વાશ્રયી વૃત્તિથી વિદ્વાન થયેલાઓના દાખલાઓ આપણી નજરે બહુ નથી પડતા. આજકાલના જમાનામાં ગામડાંનો એક રખડેલ છોકરો હાઈસ્કૂલ કે કોલેજની ઘરેડમાં પસાર થયા વગર અસાધારણ વિદ્વાન થઈ શકે છે, એ આપણું માન્યામાં પણ આવતું નથી. ધર્માનંદજીની આપવીતી’ વાંચીને કેટલાયે દુદૈવી પણ ઉત્સાહી તરુણોને બેધ મળશે, નવું આશ્વાસન મળશે. ધર્માનંદજીએ પિતાની કહાણે અત્યંત સાદી ભાષામાં જેવી ને તેવી જ આપેલી છે. તેમની આપવીતી માં મીઠું મરચું કશું નથી. પોતાની વાત છટાદાર કરવા માટે તેમણે કશી કળા વાપરી નથી. પણ એમાં જ એમની “આપવીતી ’ની ખાસ કળા * અને મહત્તા આવી જાય છે. વાચકે ઉપર અસર પાડવા . P.P. Ac. Gynratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ કરતાં સત્ય જાળવવા તરફ જ તેમનું ધ્યાન વધારે છે. આત્મગૌરવ સાધવા કરતાં આત્મપરિચય કરાવવાને જ તેઓ વધારે ઈંતેજાર દેખાય છે. ' તેમનું મરાઠી પુસ્તક વાંચી એક ભાઈએ મારી આગળ ટીકા કરી, “આ આખા નિવેદનમાં પોતે કેટલું ભણ્યા, શું શું ભણ્યા, તેમની વિદ્વતા કેમ વધતી ગઈ છે. વિષે ક્યાંય પણ ઉલ્લેખ છે ખરો ?" કહ્યું, “તે તો નથી જ, પણ તે ઉપરાંત તેમને અમેરિકા જઈને કામ કરવા માટે હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી બીજી વાર આમંત્રણ આવ્યું હતું, ત્યાંના વિદ્વાનોએ તેમની ભારે કદર કરી, વગેરે વાતો પણ તેમના નિવેદનમાં નથી. અમેરિકામાં લાંબો કાળ રહી ધન અને કીર્તિની કમાણી કરવા કરતાં સ્વદેશમાં જ રહી કામ કરવાનું તેમણે પસંદ કર્યું અને ફર્ગ્યુસન કોલેજમાં પોણોસો રૂપિયા પર રહી રાજવાડે અને બાપટ જેવા પાલિનિષ્ણાત અધ્યાપકે તૈયાર કરવામાં જ પોતાની વિદ્વત્તાનું અધિક સાર્થકય માન્યું, એ વાત પણ તેમના નિવેદનમાં નથી.” - તેમણે પોતાના નાનપણના વિચારો અને સિદ્ધાંતો આ ચોપડીમાં ટાંક્યા છે, પણ આજના વિચાર અને અભિપ્રાયો બિલકુલ દર્શાવ્યા જ નથી. સમાજશાસ્ત્રના તેઓ અઠંગ અભ્યાસી છે. બૌદ્ધધર્મને તેઓ ઉત્સાહી મિશનરી છે. સનાતન ધર્મમાં ઊછરેલા હોઈ તેના દોષો પ્રત્યે તેઓ પ્રસંગવશાત ખૂબ આકરા થઈ શકે છે. રાજદ્વારી ક્ષેત્રમાં પડયા નથી; છતાં ચુસ્ત અસહકારી જેવું વર્તન રાખવાને તેઓ બહુ તત્પર છે. રાષ્ટ્રનું સ્વમાન જાળવવા ખાતર તેઓ ગમે કષ્ટ વેઠવા તૈયાર છે. એ બધી વસ્તુઓ તેમણે સમાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ આગળ મૂકી નથી. તેમના મનમાં ઊંડે ઊંડે એક ભારે અસંતોષ રહ્યાં કરે છે કે, દ્ધ ભિક્ષુનું જીવન છોડી દઈ તેમણે ફરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો તેથી તેમને બૌદ્ધધર્મને મિશનરીનું ધગશભર્યું કામ છોડી પાલિને અધ્યાપકનું ઠંડું કામ કરવામાં જ સંતોષ માનવો પડે છે. હિંદુધર્મમાં સાધુ પાછો ગૃહસ્થાશ્રમમાં આવે તો પતિત ગણાય છે, બૌદ્ધધર્મમાં તેવી માન્યતા નથી. બૌદ્ધ સાધુઓ તેમના ધર્મ પ્રમાણે પ્રવજ્યામાંથી ગૃહસ્થાશ્રમમાં પરિવર્તન કરી શકે છે. આ “આપવીતી” લખવામાં પોતાના પ્રવાસનું વર્ણન જ મુખ્યત્વે આપવાને તેમનો હેતુ હોવાથી તેમણે પોતાની કુલપરંપરાની ઝાઝી વિગત આપી નથી. પુરુષાર્થ પ્રગટ કરનાર દરેક વ્યક્તિની કુલપરંપરા કઈ જાતની હોય છે એ જાણવાથી બહુ લાભ હોય છે. ધર્માનંદજીએ તે લાભ આપણને આપ્યો નથી. પોતાના પૂર્વજોની કીર્તિ ગાવી એને સમર્થ રામદાસે માણસનું એક દૂષણ ગણેલું હોવાથી તેમણે મૌન ધારણ કર્યું હશે. આપબળે જેણે પિતાની ઉન્નતિ સાધી છે, નાનપણથી જ એકાકી અને અસહાય રહેવાની જેને ટેવ પડી છે, તેના સ્વભાવમાં એક જાતની ઉગ્રતા આવી જાય છે. તેની વાતોમાં નિઃસ્પૃહતા અને કંઈક આગ્રહ પણ દેખાઈ આવે છે. નાનપણથી જ પ્રતિકૂળ પરિસ્થિતિ અને વિરોધ સામે લડવાથી જરા જરા વાતમાં “પેંતરો કરી ઊભા રહેવાની વૃત્તિ જાગૃત થાય છે. એ બધું સૂક્ષ્મ રૂપે આ “આપવીતી'માં આપણે જોઈ શકીશું. અને છતાં કેણ કહી શકે કે એ વસ્તુ વગર પણ જીવન અલૂણું ન થઈ પડે? દત્તાત્રેય બાલકૃણુ કાલેલકર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ અનુવાદકનું નિવેદન શ્રી. ધર્મનન્દજીના મરાઠી આત્મચરિત્ર “નિવેદન ”નું ગુજરાતી ભાષાંતર કરવાનું જ્યારે મને સૂચવવામાં આવ્યું ત્યારે મને ખાતરી નહોતી કે એ કાર્ય મારાથી બની શકે. મુંબઈ છેડયા પછી મરાઠી ભાષાનો ચાલુ પરિચય ન રહ્યો હોવાથી આ કામ માથે લેવા મારા મનને આનાકાની હતી. પણ પુસ્તક વાંચ્યા પછી ભાષા ધાર્યા કરતાં સહેલી જણાઈ અને શ્રી. ધર્માનન્દજી જેવા એકનિષ્ઠ બુદ્ધાનુયાયીએ પોતાના ધ્યેયને ખાતર ઉઠાવેલ અસાધારણ પરિશ્રમ અને વીકેનું તેમણે સ્વહસ્તે લખેલું આ આત્મવૃત્ત જેમ જેમ હું વાંચતો ગયો તેમ તેમ હું તેમાં તલ્લીન થયા અને ભાષાંતરનું કાર્ય મારે માટે એક અપૂર્વ આનંદનો વ્યવસાય થઈ ગયું. વળી છાપવા આપતાં પહેલાં એક તજજ્ઞ મિત્રે તે આખું ધ્યાનપૂર્વક તપાસી આપ્યું છે. આ ભાષાંતર વાંચનારી આલમમાંથી શ્રી. ધર્માનંદજીના અપૂર્વ વિરાગ, બુદ્ધભક્તિ, પાલિનિષ્ઠા, દેશપ્રેમ તથા તેમની નિરભિમાન વૃત્તિનું અનુકરણ કરનાર એક પણ વ્યક્તિ નીકળશે તે હું મારો શ્રમ સફળ થયો માનીશ. બીજી આવૃત્તિ છાપવા આપતાં પહેલાં આખુંયે ભાષાંતર શ્રી. ધર્મનંદજી પાસે વાંચી જવામાં આવ્યું છે અને શરતચૂકથી રહી ગયેલી ભૂલો સુધારવામાં આવી છે. પંદર વર્ષ પછી પ્રસિદ્ધ થતી આ બીજી આવૃત્તિમાં ઉપસંહારનાં પાનાંઓમાં આ લાંબા ગાળા દરમ્યાનની તેમની પ્રવૃત્તિની ટૂંકી હકીકતનાં બે પાનાં ઉમેરવામાં આવ્યાં છે. ઉપરાંત શ્રી. ધર્માનંદજીએ સિલોનમાં રચેલું અને આજે પણ સિલેનમાં પ્રેમપૂર્વક ગવાતું “વૈશાખ મહિમા'નું કાવ્ય પરિશિષ્ટ તરીકે ઉમેરવામાં આવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ Y ? જ 9 19 28 37 49 59 અનુક્રમણિકા પરિચય કાકા કાલેલકર અનુવાદકનું નિવેદન . 1. બાળપણની વાત 2. જુવાની , 3. પરિસ્થિતિ : : 4. દેશ ત્યાગ 5. રજનીશી અને ટાંચણે . 6. પૂનાની રહેણાક . 7. પૂનાથી ગ્વાલિયર 8. કાશી યાત્રા : . 9, કાશી વાસ : 10. નેપાળને પ્રવાસ . 11. નેપાળથી સિલોન સુધી 12. વિદ્યોદય વિદ્યાલય . 13. મદ્રાસ અને બ્રહ્મદેશ * 14. બૌદ્ધક્ષેત્રની યાત્રા . 15. વળી બ્રહ્મદેશ * * 16. પરાવર્તન : 17. શ્રીમંત મહારાજા ગાયકવાડનો આશ્રય . 18. અમેરિકાની સફર . . ઉપસંહાર * * પરિશિષ્ટ . . 91 114 144 164 178 228 241 266 . * 27 302 . 307 307 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ આપવીતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ શ ષિ . t . . . , છેલા પાના, નિ–382ઉની છે. બાળપણની વાત મારો જન્મ ગાવાના સાસણ પ્રાંતમાં આવેલ સાખવળ ગામે તા. ૯મી ઓકટોબર ૧૮૭૬ને દિવસે મળસકે 4 વાગ્યાને . * સુમારે થયો. મારી માનું નામ આનંદીબાઈ અને બાપનું દામોદર. અમે સાત ભાંડુઓ, બે ભાઈઓ અને પાંચ બહેનો; તેમાં હું સૌથી નાનો હતો. મારા જન્મ પછી મારી માની માંદગીને લીધે માને બદલે દાઈના દૂધ ઉપર હું ઊછર્યો એમ કહેવાય છે. છ મહિનાનો થયો તેવામાં એકાએક ડાબે પગ સૂજી આવ્યા અને તેમાં પરુ ભરાવા માંડ્યું. કણસૂવના રેકી મિસ્કીન નામના વૈદે ઘૂંટણ ઉપરના ભાગમાં નસ્તર મૂકી તેમાંથી પરુ કાઢી નાંખી પગ સાજે ત કર્યો પણ તે કાયમને માટે નબળા થઈ ગયે. મારા પિતામહ રામચંદ્ર કે સંબે જ્યારે સાખવળ આવ્યા ત્યારે ગામ તદ્દન વેરાન જેવું હતું. પણ મારી બાલ્યાવસ્થામાં જ ગામમાં ખૂબ સુધારે થયું હતું. આમ છતાં બે ચાર દિવસે સાંજે છ વાગ્યા પછી વાઘની બરાડ અવારનવાર સંભળાય જ. અમારી પડોશમાં સુબ્રાય કામતની એક નાની શી દુકાન હતી; અને દક્ષિણ તરફ ભિકૂ શેણી સંઝગીરીનું ઘર હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ આપવીતી તેમને દીકરો નહોતો. તેમની બે વિધવા દીકરીઓ અને એક વિધવા પૌત્રી તેમના ઘરમાં રહેતાં. આ ઉપરાંત નારાયણ શેણી સંઝગીરી અમારા પડોશી હતા. (હાલ તેમના પુત્ર આ ઘરમાં રહે છે ને તેમણે ઘરની મરામત પણ ઠીક કરી છે.) આ ત્રણ બ્રાહ્મણનાં ઘર ઉપરાંત સાત આઠ હિંદુ શદ્રોનાં અને પાંચ છ ખ્રિસ્તી શકોનાં ખોરડાં અમારી આસપાસમાં હતાં. ખ્રિસ્તી છોકરાઓ પાસે હું બહુ નહોતો જતો. તેમની જોડે ભળવાની મેટેરાંઓએ જ મનાઈ કરી હશે એમ લાગે * છે. પણ હિંદુ શોનાં છોકરાંઓ સાથે રમવાની સખત મનાઈ નહિ કરી હોય, કારણ તેમની સોબતમાં હું ઘણી વાર ફરતો એવું મને યાદ છે. , ગામનાં બધાં છેકરાં કરતાં હું નબળો છું એમ મારા સોબતીઓ માનતા. આઠ નવ વર્ષને થયે ત્યાં સુધી મને બરાબર જમતાં પણ નહોતું આવડતું. મારા સોબતીઓમાંથી કોઈ મને મારે તોપણ હું ઘેર રાવ લાવ નહિ–બકે મને ઘેર રાવ લાવતાં આવડતું નહોતું એમ કહેવું વધુ વાજબી ગણાશે. પિતાને મેઢે તેમના કેટલાક મિત્રો મારે વિષે એમ કહેતા કે, આ છોકરો તમારા ઉપર ચે ભારરૂપ છે એમ લાગે છે. * પિતાને મત આ મિના જેવો જ નહોતો એમ માનું છું. કોઈ સાધારણ બાપને પૂરેપૂરી નિરાશા ઊપજે એવો મંદ તો હું હતો જ, છતાં પિતાને ભારે આશા હતી કે હું હોશિયાર નીવડીશ. એક ગામઠી જેશીએ તેમને ભવિષ્ય કહેલું કે હું વિદ્વાન તો થઈશ, ફક્ત ધનવાન નહિ થાઉં. અને આ ભવિષ્યકથન ઉપર તેમને સંપૂર્ણ આસ્થા હતી. ઓછામાં ઓછું હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ બાળપણની વાત 01701 ell* (escrivao da communidade ) al થઈશ જ થઈશ એમ એમને લાગતું. મારી કેળવણી વિષે તેમને ભારે હોંશ હતી. પણ કેળવણી કેમ આપવી એની તેમને ખબર નહોતી. પહેલાં તો હું ઘરમાં જ પાટી ઉપર ધૂળ નાખી તે ઉપર કક્કો ઘૂંટતાં શીખે. તે પછી મને થોડાક મહિના મડગાંવ મેકલ્યો. ત્યાં બીજી કે ત્રીજી ચોપડી ભણ્યો હોઈશ. પછી મને ચિખલી મારી બહેનને ઘેર મોકલ્યો. ત્યાં ભિકંભટજી કરીને એક માસ્તર હતા. તેમની નિશાળે હું પાંચ છ મહિના ભણ્યો હોઈશ. ત્યાં તેમની પાસેની ઘણીખરી વિદ્યા પૂરી કર્યા પછી મને મારા નવમા કે દશમા વર્ષમાં આરબામાં રાબા ગેપાળ પ્રભુની નિશાળે બેસાડવામાં આવ્યું. રાબા ગોપાળ બહુ કડક શિક્ષક હતા, પણ વિદ્વતામાં ખૂબ પંકાતા. મારા ઉપર તેમની પૂરી કૃપા હતી. તેમણે પોતાના વિદ્યાર્થીઓનાં જુદાં જુદાં નામ પાડ્યાં હતાં. તેમાં મને “ભીંડાનું શાક' કહેતા. ભીંડે હોય છે નરમ પણ સ્વાદમાં મીઠો લાગે છે એમ તેઓ કહેતા. આ નિશાળમાં આશરે બે ત્રણ મહિના હું ભણ્યા હઈશ. ચિખલી જવા સારુ નદી ઓળંગીને સામે પાર જવું પડતું હોવાથી નિશાળે જતાં મને ઘણેભાગે અસુર થતું. છેલ્લે છેલ્લે તો વળી હું માંદો પડ્યો, એટલે નિશાળે જવાનું બંધ થયું. પણ હું જે કંઈ શીખે તે આ જ નિશાળે શીખ્યો. ગણિતને તો મને ઠીક શોખ લાગે. નિશાળમાં ત્રિરાશી સુધી જ ગણિત ચાલ્યું હતું, પણ પછી ઘેર રહીને દશાંશ સુધી મારી મેળે ગણિત શીખે. . . તલાટી. . P.P. Ac. Gunrafnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ આપવીતી પણ ચિખલીમાં મારી તબિયત સારી ન રહી એટલે પાછો મને ઘેર બોલાવી લીધું. ઘેર વરસ છ મહિના રહ્યા પછી ૧૮૮૮ની સાલમાં શહાપુર-બેલગામ મારી બહેનને ઘેર ગયે. ત્યાં સરકારી નિશાળમાં ભરાઠી બીજા ધોરણમાં દાખલ કરવામાં આવ્યો. મારા વર્ગમાં હું પહેલો નંબર હતો એમાં જરાય નવાઈ નથી. કારણ આ વર્ગમાં રો રહ્યો હું પાંચમા ધોરણના સવાલોના પણ જવાબ આપી શકતો. કસરત સિવાય બાકીના બધા વિષયમાં મારો પહેલો નંબર રહેતો. વાર્ષિક પરીક્ષા થઈ ગયા પછી એકદમ મને પાંચમા ધોરણમાં ચડાવી દીધો. ત્યાં પણ ઘણુંખરું હું પહેલે નંબર રાખત. પણ આ વર્ગમાં હું બહુ દિવસ ન રહી શક્યો. બે મહિનામાં તે હું માંદે પડ્યો, અને વળી પાછે ગોવા આવ્યું. શહાપુરના મારા મિત્રામાંથી કોઈ મેટ્રિક સુધી પણ પહોંચ્યા નહિ. ફક્ત શ્રીયુત નાગેશ વાસુદેવ ગુણાજી એકલા બી. એ. એલએલ. બી. સુધી પહોંચ્યા. શહાપુર છોડ્યા પછી એક બે વખત મેં પોર્ટુગીઝ નિશાળમાં જવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં હું સાવ નિષ્ફળ નીવડ્યો. અનેક કારણોને લીધે મને પિોર્ટુગીઝ ભાષા ગમે જ નહિ. સંસ્કૃત શીખવાની ઈચ્છા હતી પણ તે ફળીભૂત થતી નહતી. છેવટે નિશાળનો કંટાળ્યો હું ઘેર બેઠે. પિતાએ પણ ઝાઝે આગ્રહ ધર્યો નહિ. મને ગામને કુળકણું થયેલો જોવાનું તેમનું જે અંતિમ ધ્યેય, તેની આશા છેવટે તેમણે છોડી દીધી ! હોવી જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ જુવાની किमस्ति कश्चिदसावियति लोके यस्य निर्विकारं यौवनमतिતમ્ | –વંવરી [ અર્થ - જેની જુવાની તદ્દન નિર્વિકાર ગઈ હોય એવું આ વિશાળ જગતમાં કોઈ હશે ખરું?] ચૌદ વર્ષના છોકરાને કે બાર વર્ષની છોકરીને જુવાન કહેવી એ પશ્ચિમના દેશમાં હાસ્યાસ્પદ ગણાય. આપણા દેશમાં ઋષિકાળમાં તે ગાંડ માણસ પણ આવાં બાળકોને તરુણ કે તરુણી ન કહી શકતો. પણ કાળનો મહિમા વિચિત્ર છે. આજે આ આર્યભૂમિમાં ચૌદ વર્ષની માતાઓ અને સોળ વર્ષના પિતાઓ કે જાણે કેટલાય નીકળે ! તો પછી હું ચૌદ વર્ષમાં. જુવાન થયો એમ હું મારા વાચકોને કહું તો તેમાં ચકિત થવા જેવું શું છે? હું જુવાન બન્યો અને અર્થ મારા શરીરને વિકાસ પૂરો થયે એવો કઈ ન કરે, તરુણાવસ્થામાં મનમાં જે મનોવિકાર ઊપજે. તેમણે મારા મનમાં થાણું નાખ્યું એટલે જ તેને અર્થ મારા કેટલાય સાથીઓનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. કેટલાક લગ્નનું સારસર્વસ્વ શું હશે એની શોધમાં મશગૂલ હતા. અને બીજા કેટલાકએ તે વળી દેવદાસીઓ ઇત્યાદિ દ્વારા તારુણ્યતત્ત્વને અનુભવ મેળવ્યો. આ સ્થિતિમાં હું જ એકલો અણસમજુ રહું એ અસંભવિત હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ આપવીતી પિતાએ અમારા ઘરથી દોઢ બે માઈલ છેટે નવું વર્ષને પદે એક નાળિયેરીઓની વાડી રાખી હતી, એટલે તેઓ દિવસમાં બે વખત ત્યાં જતા. તેમની સાથે હું પણ વાડીએ જવા લાગ્યો. ત્યાંનું મુખ્ય કામ વાંદરાં અને ચોથી નાળિયેરીઓનું રક્ષણ કરવાનું હતું. કુરસદને વખતે કેસનું પાણી વાળવું, કેળો પાવી, વાડીની ભીંત પડી ગઈ હોય ત્યાં દુરસ્ત કરવી, વગેરે કામ ચાલતાં. ધીરે ધીરે હું નાળિયેરી ઉપર ચડતાં શીખ્યો. અને પિતા ન હોય ત્યારે વાડીએ રહેતો. પણ રાત પડે કે મને બીક લાગવા માંડે. અને ઘેર આવતી વખતે તાડી કાઢનારા ભંડારીઓની સાથે મારે આવવું પડતું. આ સોબતના છાંટા મારા પર ઊડ્યા વગર રહ્યા નહિ. આનો અર્થ હું તાડી પીવા મંડયો અથવા તો બીજે કંઈ દુરાચાર કરવા મંડ્યો એમ નહિ, પણ તેમની એકબીજા સાથેની અતિશય બીભત્સ વાતચીતથી મારા મન ઉપર કુસંસ્કાર પડવા લાગ્યા અને તેથી મારા મનમાં ખરાબ વિચારે ઘેળાવા લાગ્યા. ઘરના લોકોના દાબને લીધે મારે હાથે શારીરિક દેષ ન થયા પણ માનસિક દેષો તે થયા જ; અને તેનાં ઝેરી પરિણામ મારે આજ સુધી ભોગવવાં પડે છે. ઈ. સ. ૧૮૯૧ની આખરે કે ૧૮૯૨ની શરૂઆતમાં ધીમે ધીમે મને વાંચવાનો શોખ લાગ્યો. આમાં કોઈની કશી ખાસ પ્રેરણું નહોતી. મારું મન એની મેળે જ વાચન તરફ વળ્યું. “આરબી ભાષેતલ સુરસ. 1 ચમત્કારિક ગષ્ટી” નામનું પુસ્તક મેં પહેલું વાંચવા માંડયું. આ પછી થોડેક જ વખતે રામચંદ્ર પાંડુરંગ વૈદ્યનું “પ ધ” માસિક મારા હાથમાં આવ્યું. તેમાં પ્રગટ થયેલી “ગુપ્તરંગ'ની કવિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ જુવાની ! મારા પર સચેટ અસર થઈ. જે બાબતમાં મને અગાઉ રસ પડતો તે હવે દુઃખદાયક લાગવા માંડી. મન રૂપી મહાસાગર ઉપર કંઈ જુદા જ પ્રકારના તરંગે ઊઠવા લાગ્યા. પણ નવા વિચારોને પાયો દઢ થયો ન થયો એટલામાં તો (1892 ના જૂનમાં) મારું લગ્ન થયું! મને જુવાનીની મહોર વાગી. વાચનના વધવા સાથે ભારે અસંતોષ પણ વધવા માંડયો. વિષ્ણુશાસ્ત્રી, આગરકર વગેરે મહાન પુરુષોએ પિતાનાથી - બનતી દેશસેવા કરી ને આવ્યું ધન્ય કરી ગયા, પણ મારે હાથે તેમને જેવાં કામ થવાની આશા ખરી? ક્યાં તેમની વિદ્વત્તા, જ્યાં તેમને ઉત્સાહ, કયાં તેમનું ધૈર્ય! હું તો આ બધી બાબતોથી વંચિત. મારા જેવા ઢેરે જીવતા રહેવામાં પણ શે સાર? ઝેર પીને આ દુનિયાની મુસાફરી પૂરી કરી નાંખવી એ જ શું બહેતર નહિ? આવા આવા વિચારો મારા મનમાં ઘોળાવા લાગ્યા. ઝેર પીવા જેટલી હિંમત મારામાં નહોતી, તેથી જ હું આ પ્રસંગે બચી ગયો. મારા જેવા કાચા તસણમાં ચિંતાગ્નિની લાય હેલવવા જેટલું સામર્થ્ય ન હોય, એ કહેવાની કશી જ જરૂર નથી. મધરાતે મોટેથી ચીસ પાડી જાગી ઊઠવું, છાતી ધડકવી, ઊંઘ બરોબર ન આવવી, એવું એવું કેટલાક દિવસ ચાલ્યું. આ જ અરસામાં મને હુકકાનો છંદ લાગ્યું. પણ હુક્કાથી છાતીને થડકે ઓછો થવાને બદલે ઊલટો વધતો જ. અમારા કુલદેવ રામનાથ. હાલમાં આ દેવનું સ્થાનક બાંદીવડા ગામે છે. ત્યાં દર દસેરાને દિવસે એક ભૂવાના શરીરમાં વૈતાળ આવતો અને તે ભૂવો ઝેડ કાઢતો. રામનાથ અને તેના આશ્રિત વૈતાળ દેવ ઉપર પિતાજીને ભારે આસ્થા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ આપવીતી હતી. એટલે દસેરાએ તેમણે મને ત્યાં લઈ જઈને વૈતાળના ભૂવાને પગે લગાડે. પોતે પણ પગે પડીને મારી છાતીના દરદનું દુઃખ તેની આગળ રજૂ કર્યું. અમારા ઘરની પૂર્વ દિશા તરફ થોડેક છેટે ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન છે એની આ ભૂવાને ખબર હશે. મારા ઘરની પૂર્વ દિશાએથી રાતને વખતે હું બન્યો છું અને ત્યાંથી જ મને ભૂત વળગ્યું છે, એવો મોઘમ ખુલાસો ભૂવાએ કર્યો. પણ આમ હું ક્યારે બીજો હતો એની મને તો કશી જ ભાળ નહોતી. પિતા કહે, “યાદ ન હોય તેથી શું થયું? ત્યાં કબ્રસ્તાન છે એટલે બીક લાગી ગઈ હોય એ સંભવિત છે.' આખરે ભૂવાએ રાખ મંતરી આપી અને તે દેવના ચરણામૃત સાથે ખાવા કહ્યું. મને તો આ બનાવ વિચિત્ર લાગ્યો. પિતાની ધાકને લીધે મેં રાખ ખાધી અને ઉપર ચરણામૃત પણ પીધું. પણ તેનાથી કશો ફાયદો થયેલો જણાયે નહિ. છાતીનું દરદ મટાડવા જેમ રાતે હું હુક્કો પીતો તેમ દિવસે વાચન ચલાવતા. જ્યાં સુધી હું વાંચતે ત્યાં સુધી મને આરામ રહે. આમ વાચનને મને ભારે શોખ લાગ્યો. પણ અમારા ગામડા ગામમાં પુસ્તકો કેટલાંક પૂરાં પડી શકે ? વૃદ્ધચાણક્ય” વગેરે તમામ પુસ્તકો વાંચી કાઢયાં. હવે આગળ શું કરવું એની ચિંતામાં પડયો. ઈન્દુપ્રકાશ છાપખાનાએ છાપેલ તુકારામ બુવાની ગાથાની એક નકલ અમારા ઘરમાં હતી. મારી બહેન આમાંના અભંગ કોઈ કોઈ વાર વાંચતી. તે મેં વાંચવા લીધી. અભંગ તે વખતે તે મને રુચ્યા નહિ. પણ પુસ્તકના આરંભમાં આપેલ તુકારામ બુવાના ચરિત્રે મારા મન ઉપર એવી તે છાપ પાડી, કે તે ચરિત્ર હું અનેક વાર P.P. Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ જુવાની વાંચી ગયો અને તેમાંથી કેટલાય અભંગ મો પણ કર્યા. આ ચરિત્રપારાયણે ભારે રોગ મટાડ્યો. હું નિધન હોવાથી મનમાં દુઃખી રહેત; પણ તુકારામ ભુવાએ પણ દેવાળાં જ કહ્યાં હતાં ! હું અભણ હોવાથી શેક કરતો; પણ તુકાબાને તો મારાથી દસમે હિસ્સે પણ ભણવાનાં સાધનો નહોતાં મળ્યાં! મારું લગ્ન થયું તેથી હું વિમાસતા; પણ તુકેબા તો બે વખત પરણ્યા હતા ! દુનિયાદારીમાં મારાથી અનેક ગણી મુશ્કેલીઓ તેમને હતી છતાં પરમાર્થમાં તેમની ડાંફ કેટલી અગાડી ! દુનિયાનાં દુઃખો તેમને નુકસાનકર્તા ન નીવડતાં ઊલટાં લાભકર્તા જ લાગ્યાં! તો પછી મારે જ શું કરવા શોક કરવો? વિદ્યા અને ધન મેળવતાં ન આવડવું તો ભલે, પણ તુકાબાના જેવા સગુણે પણ મહેનત કરતાં ન કેળવતાં આવડે શું? વૈરાગ્યરૂપી કવચ પહેરીને સત્યનિષ્ઠા આદિ સદગુણરૂપી હથિયાર વડે શરીરને પરિપુ સાથે લડાઈ કરીશ, તે આજે નહિ તો કાલે જરૂર હું વિજયી થઈશ એવી આશા બંધાવા લાગી. નામ કાઢવું, કીર્તિ મેળવવી એ બધું ભલે ધર્યું રહે, પણ તુકેબા જેવા સાવિક તે બનવું જ એમ મને થવા લાગ્યું. એકાંતમાં બેસી મારા વિચારોને હું દઢ કરતે ગયો અને પરિણામે મારે હોગ સમૂળ જતો રહ્યો. ભિક પુંડલિક નાયક અમારા સંબંધી થાય. તેમના બાપ મારા પિતાના મામા અને તેમની બહેન મારી કાકી થાય. પણ અમારા આ સંબંધના કરતાં પણ તેઓ મારા ઉપર અધિક પ્રેમ રાખવા લાગ્યા. તેમના વિચાર મને ખૂબ ગમતા. મહિનામાં દસ બાર દિવસ હું મડગાંવમાં તેમને ઘેર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ આપવીતી ગાળતો. કેટલાક ઠેકડીખાર લકે મને તેમનું પૂંછડું કહેતા ! મદ્યપાન, બાળવિવાહ, હોળી, વર્ણભેદ વગેરે બાબતો વ્યક્તિના અને દેશના હિતને નુકસાનકારક છે, એમ તેમને જ સહવાસથી મને સ્પષ્ટ જણાવા લાગ્યું. અને બીજો પણ એક ફાયદો મને થયો તે એ કે મડગાંવમાં મારી ઓળખાણ વધી. આ ઓળખીતા ગૃહ પાસેથી મને વાંચવાને ખૂબ પુસ્તકે મળતાં. જેટલાં પુસ્તકે મળે તે બધાં ભેગાં કરતો અને ઘેર લઈ જઈ વાંચી કાઢી પાછાં આપી આવતો. આમ કેટલાંક વર્ષ ચાલ્યું. ભિકુ નાયકના સહવાસથી હુકકાનું વ્યસન વધતું ગયું અને પૅસ પીને વામકુક્ષિ કરવાની ટેવ દૃઢ થવા લાગી. આટલું નુકસાન થયું છતાં સરવાળે મને ફાયદો થયો એમાં શંકા નથી. - સેનબા મંગેશ મુળગાંવકર મારી ફેઈની દીકરીના દીકરા થાય. સગપણ જરા દૂરનું, પણ તેમની અને મારી સ્તી ઠીક જામી. તે મારાથી ત્રણ વર્ષ નાના હતા. મડગાંવમાં તે ભણતા તે વખતથી જ તેમની હોશિયારી દેખાઈ આવી. તે સારી મરાઠી કવિતા લખતા. ૧૮૯૫ના જાન્યુઆરીમાં તેમણે અમારી બાજુમાં પરચૂરણ માલની એક દુકાન ઉઘાડી. આ ધંધે તેમને ગમતો એવું તો નહિ, પણ નિરુપાયે એ ધધે તેમને લેવો પડેલો. અમારા બંનેના વિચાર એકબીજાને ખૂબ મળતા આવતા. અમારે વખત વાચન અને ઉપયોગી વાર્તાલાપમાં વીતતો. મારા મોટા ભાઈ ૧૮૯૨ની સાલથી કાણકાણ તાલુકાના બાલગઢ ગામે મારી માશીને ઘેર રહેવા લાગ્યા. માશીનો જુવાન દીકરે ગુજરી જવાથી તેમની જમીનની દેખરેખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ જુવાની રાખનાર કોઈ નહોતું! આ જ કારણથી મારા ભાઈ ત્યાં રહીને ખેતર, વાડી વગેરેની દેખરેખ રાખતા. આ તરફ ઘેર પિતાજીની વૃદ્ધાવસ્થાને લીધે ઘરને બધે જે મારા ઉપર પડ્યો. સાળમા વર્ષથી બધો કારભાર હું જ ચલાવતો. અનેક સંકટો આવ્યાં, અનેક અડચણો આવી, છતાં વગર હાર્યો મેં ઘરને તમામ કારભાર યથાશક્તિ ભલીભાતે ચલાવ્યું એમ કહું તે ખોટું નથી. તુકારામ બુવાનું ચરિત્ર તથા બીજાં પુસ્તકોના વાચનથી મારામાં ખૂબ હિંમત આવતી ગઈ અને મારા જીવનક્રમમાં સ્થિરતા આવવા માંડી. જુવાનીમાં આવતી વિકારવશતાથી હવે હું મુક્ત થયે એમ મને લાગવા માંડયું. P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ પરિસ્થિતિ શ્રીયુત ભિક પુંડલિક નાયકે મને એક વાર કહ્યું. “તું જે યુરોપમાં જન્મ્યો હોત તો તારી બુદ્ધિના તેજથી ત્યાં તું ઝળકત, પણ અહીં તેને શો ઉપયોગ? અહીં તે વાંદરાં ભગાડવામાં જ તારી જિંદગી પૂરી થવાની !" તેમણે કરેલ આ ભવિષ્યકથનથી આગળ મારી પિતાની દષ્ટિ પણ કોઈ વાર પહોંચી નહોતી. મને થતું કે હવે મારે હાથે કોઈ પણ મોટું કામ નથી બનવાનું. કુટુંબની સેવા જેમ તેમ કરીને કરી શકું તેયે બસ છે. સામાજિક સુધારણું, ધાર્મિક સુધારણ વગેરે ઉપાયે વડે દેશહિત સાધવાના મનોરથ કદી ન જ આવતા એમ નહિ, પણ ક્ષુદ્ર નરના કોપની પેઠે તે મનના મનમાં જ શમી જતા. અમારા પિતાના પ્રાંત પૂરતી કંઈક સુધારણા કરવાનું મન થાય, પણ તેને સારુ પણ અનુકૂળ સ્થિતિ નહોતી. દાખલા તરીકે, જાંબાવલીમાં હોળી પાછળ મડગાંવના હિંદુભાઈઓના જે પૈસા ખરચાય છે તે એકાદ સાર્વજનિક નિશાળ પાછળ ખરચીએ એમ મારું કહેવું હતું, પણ મારા જેવાનું કહેવું સાંભળે કેણ? પરિણામે જાંબવલીની હોળી ન અટકી તે તો ન જ અટકી, પણ ઊલટો એમાં એવો સુધારો થયો કે આટલાં વરસ ત્યાં એક રામજણીને નાચ કરાવવામાં આવતો ત્યાં હવે બેન સાજ થયો! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ પરિસ્થિતિ ગાવા પ્રાંતની બહારના વાચને જાંબાવલીની હોળીનો ઘટતો ખ્યાલ આવે તેટલા સારુ એ વિષે અહીં થોડીક માહિતી આપવી અસ્થાને નહિ થાય: મડગાંવના ગ્રામદેવતા દામોદર. પહેલાં તો આ દેવતાનું મંદિર મડગાંવમાં જ હતું. પણ પોર્ટુગીઝ લોકોએ ગોવા કબજે કરીને લોકોને વટલાવવાને સપાટો ચલાવ્યો ત્યાર પછી ગામલોકેએ દેવને ત્યાંથી ઉપાડી તે વખતના સંવદેકર સંસ્થાનની હદમાં આવેલા જાંબાવલી ગામમાં તેની સ્થાપના કરી. આ દેવના ઓચ્છવમાં હોળી મુખ્ય છે. મડગાંવના સારસ્વત બ્રાહ્મણ અને વાણિયાઓ આપસમાં ઉઘરાણું કરી આ ઓચ્છવ કરે છે. આને સારુ મડગાંવને વેપારીઓએ આયાત માલ ઉપર સૌની સંમતિથી એક મરજિયાત ધર્માદા પટ્ટો (કર) બેસાડેલ છે. આ પટ્ટીની ઉપજ સને ૧૮૯૭ના અરસામાં લગભગ 700-800 રૂપિયા થતી. (હાલ કેટલી છે તેની મને ખબર નથી.) આ ઉપરાંત ઉઘરાણું કરવામાં આવતું. ખર્ચમાં મુખ્ય બાબત જાબાવલીમાં સાત દિવસ સુધી નાના મોટા સૌને મફત જમણવાર ચાલે છે. ઉપરાંત રામજણીને નાચ, મંડપમાં દીપમાળ અને બીજે પરચૂરણ ખરચ. આ બધાં કામો ઇજારાથી સંપાતાં. જુવાનિયાઓની ટોળી રાતે નાટક કરતી અને દિવસે બીભત્સ વેષ કાઢી જેનારાઓનું મનોરંજન કરતી. સાંજ પડી કે રામજણીનો નાચ શરૂ થાય તે રાતે આઠ નવ વાગ્યે પૂરે થાય. હોળીનો ઓચ્છવ એ દેવકાર્ય છે એમ માનનારા ભાવિક લોકે હજુ પણ અમારા પ્રાંતમાંથી મળે ખરા. પણ ઘણાખરા જુવાનો ઉપર આ ઉત્સવની બહુ બૂરી અસર થતી અને હજી થાય છે. દાદરના મંદિરની જે અગ્રશાળાઓ છે તેમાં પાંચસો સાતસો માણસની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ આપવીતી સગવડ થઈ શકે તેમ હતું નથી. તેમાં વળી એક અગ્રશાળા તો જમણવારને સારુ રાખી મૂકવામાં આવે છે. પરિણામે અનેક લોકોને અડખેપડખે રામજણીઓનાં ઘરોમાં ઉતારે કરવો પડે છે. આ પ્રસંગે સારા માણસની પણ નીતિ બગડવાનો સંભવ રહે ત્યાં પછી મોઢે રંગ ચોપડી પડ ઉપર નાચવામાં જ સાર્થક માનનારા સારાસારવિચાર બુદ્ધિ વગરના જુવાનિયાઓની વાત જ શી કરવી ? મારા પિતાને આ નાટક—ભવાઈને મુદ્દલ શેખ નહોતો. તથાપિ હોળી એ દેવતાને પ્રિય ઉત્સવ છે, માણસોએ તેમાં વિઘ ન નાંખવું જોઈએ એવું તે માનતા. આ કામને માટે તેઓ દર વરસે એક રૂપિયે ઉઘરાણામાં ભરતા અને જાંબાવલી જઈ દેવતાને પૂછ પૂજારીને યથાશક્તિ દક્ષિણ આપતા. - સને 1893 કે ૯૪ની સાલ હશે. પિતાજીની અવસ્થા થયાને કારણે મારે આ હોળીના ઓચ્છવ ઉપર જવાનો વારે આવ્યું. મારા એક સગા એક રામજણુને ત્યાં ઊતર્યા હતા. બીજે ક્યાંયે ઉતારાની સગવડ ન બની શક્યાથી મારે પણ એક રાત ત્યાં જ ઊતરવું પડ્યું. અહીં કેટલાક યુવાનનું વિચિત્ર.. વર્તન જોઈને હું સમસમી રહ્યો. ઘરધણી ડેશી પોતે જ રામજણ હતી, તેણે તે મને હું આ યુવાને ભેગા કેમ નથી સામેલ થતો એ સીધે પ્રશ્ન કર્યો ! તેની જોડેને આ સંવાદ અહીં આપવાથી શિષ્ટાચારભંગ થાય એમ માનું છું. છતાં તેણે તો યુવાનને શિખામણ આપવાને પિતાને અધિકાર છે એ માન્યતાથી જ મને એ બધું કહ્યું હશે. મળસકે ઊઠીને જાંબાવલીને નમસ્કાર કરી જે નીકળે તે આજની ઘડી સુધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ : 17 પરિસ્થિતિ હાળીને નામે ત્યાં પગ મૂલ્યો નથી. ઉઘરાણામાં એક રૂપિયાને * ફાળે આપતો તે પણ તે દિવસથી મેં બંધ કર્યો. * દસ પંદર વર્ષ અગાઉ ગાવામાં એક એવું મોજું આવ્યું હતું કે જ્યાં ને ત્યાં લોકે નાટક ભજવવા પાછળ જ ઘેલા થયા હતા. માપશેકરે એક નાટક કર્યું તો પણજીકર બે કરતો ! હોળી આવી તો કહે નાટક, રામનવમી તે કહે નાટેક, હનુમાન જયંતી તો કહે નાટક, મેળામાં પણ નાટક! આ નાટકોએ ગાવાની જુવાન પ્રજાને ભારે નુકસાન કર્યું છે. ઊભું વરસ મહેનત કરીને થોડા પૈસા બચાવવા અને તે નાટકભવાઈઓ માટે પોશાક તૈયાર કરવા પાછળ પાણી કરવા, એ જ કેટલાકનો આયુષ્યક્રમ થઈ પડ્યો હતો. કેટલાકે તો નાટકમાં પાઠ ભજવતી વેળાએ વગર શરમાયે બોલવાની હિંમત આવે એટલા ખાતર સુરાદેવીની પણ ઉપાસના શરૂ કરી દીધી ! મારા પિતા દારૂનો છોટે ઊડતો તે સ્નાન કરતા. એ જૂના કાળમાં દારૂનો આટલો વટાળ મનાતો. પણ આજે જુઓ તે ગોવામાં વસતા હિંદુઓમાં સુરાદેવીના ભક્તો એટલા પાક્યા છે, કે મદ્યપાનનિષેધક મંડળની આખી એક ટુકડી ત્યાં મોકલી હોય તો તેને પણ તેઓ દાદ આપે એમ લાગતું નથી ! આવી સ્થિતિ વચ્ચે ધર્મસુધારણા કે સમાજ સુધારણા શક્ય જ નહોતાં, છતાં પણ “બનતું કરવાને” મેં ક્રમ રાખ્યો. સ્વદેશીનો હું ભક્ત હતા. ગાવામાં સારાં સ્વદેશી કપડાં મળતાં નહિ એટલે મારે જાડાં ઢંગધડા વગરનાં વાપરવાં પડતાં. આ બધા વર્તનથી હું ઘણુંખરું ગાંડામાં ગણાતો. તે પણ આંગળીને વેઢે ગણી શકાય એટલા થડાક જુવાન મિત્રો મને ચહાતા, આ 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ આપવીતી એ જેવા તેવા દિલાસાની વાત નહોતી. આ મિત્રોમાંના શ્રી. વિષ્ણુ રંગાઈ શેલડેકર અને શ્રી. શ્રીધર પ્રભુ મહાં હજી હયાત છે. વિષ્ણુપંતને સહવાસ મને બહુ પ્રિય હતો. શ્રીધરપંતની સાથે ભારે બહુ દિવસને પરિચય નહોતો. તોપણ તેમને સમાગમથી વામન, મોરપંત ઈ. મરાઠી કવિઓને મને ખૂબ પ્રેમ લાગ્યો. સામાજિક અને ધાર્મિક બાબતમાં મારા ' અને મારા મિત્રોના વિચાર મળતા આવતા એમ નહિ, પણ એવા મતભેદમાંથી અમારી વચ્ચે અણબનાવ થવો અસંભવિત હતા. આ બધી સ્થિતિમાં આત્મોન્નતિ કરવાનો માર્ગ માત્ર ખુલ્લો હતો. પણ તે સુધ્ધાં ઘરને લગતી અડચણને લીધે વિકટ થઈ પડ્યો. કેરટદરબારનો મને ભારે કંટાળો છતાં તે કામ મારે કરવું પડતું. સંસ્કૃત શીખવાનો ભારે શોખ હતો. પણ તે શીખવાની સગવડ ન હોવાથી અને ઘર છોડીને લાંબો વખત દૂર દેશ રહેવું એ પણ અશક્ય હોવાથી તે બને એમ નહોતું. - ભાંડારકરના સંસ્કૃત પુસ્તકનું મરાઠી ભાષાંતર લાવીને તે ભણે ગયે અને રઘુવંશના બીજા સર્ગમાંથી પચીસ ત્રીસ એક પણ મેઢે કર્યા. પણ એટલાથી સંસ્કૃતિનું જ્ઞાન કેટલુંક મળે ? બાકી મરાઠી વાચન સતત ચાલુ હતું. નિબંધમાળા, આગરકરના નિબંધ, મેરેપંતનું ભારત, જ્ઞાનેશ્વરી, વર્તમાનપત્ર, માસિકે, વાર્તાઓ, મરે અને લાનમનની ખાંડ ચડાવેલ ગાળીઓની જાહેરખબરે, ટૂંકમાં, જે કંઈ મળી આવે તે વાંચવું એ મારે ક્રમ હતો. એ કાળે આ ન્નતિ માટે આ જ | સાધને સર્વ કંઈ હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ દેશત્યાગ ' આખરે આ સ્થિતિથી હું કંટાળ્યો અને સંસ્કૃત શીખવાના ઉદેશથી ૧૮૯૪માં એક વાર કહાપુર પહોંચ્યો. કોલ્હાપુરમાં હું મહાલક્ષ્મીના મંદિરમાં ઊતર્યો હતો. ત્યાં કાકણસ્થ જાંતિના બે ત્રણ વિદ્યાર્થીઓ રહેતા. તેમણે મને ખૂબ મદદ કરી. એક વીશીમાં તેમણે મારા જમવાની સગવડ કરી આપી. “તમે જમવાનું કેમ કરો છો?” એમ મેં તેમને પૂછયું. જવાબમાં તેમાંના એકે કહ્યું, “અમારું તો પૂછો જ મા. દેવમંદિરમાંથી પ્રસાદપાતળ મળી ગયું તો ભલા, નહિ તે અમારી " ભવતિ' તો છે જ.” ">> ભવતિ' એ શું હશે એ મને કંઈ સમજાય ' નહિ, ત્યારે તેણે ખુલાસો કર્યો કે, ““ઉઝ ભવતિ' એટલે ભિક્ષા. ભિક્ષા માગવા જતી વખતે “ઝ ભવતિ ભિક્ષાં દેહિ” એમ કહેવું પડે છે. એટલે આ વાકયના આરંભમાં જે " ભવતિ' છે તેને જ અમે ભિક્ષા કહીએ છીએ.” મારા અંતરમાં હવે સ્પષ્ટ અજવાળું પડયું. જનોઈ દીધું તે વખતે હાથમાં ભિક્ષાપાત્ર આપીને ગોરમહારાજે મને “ઝ ભવતિ ભિક્ષા દેહિ” બલવાનું કહેલું તેને ખરે અર્થ આજ સમજાયો. પણ આ 3% ભવતિ' ઉપર નિર્વાહ કરવા જેટલી હિમ્મત તે કાળે મારામાં ન હતી. વૃદ્ધ પિતાજી પણ ખૂબ યાદ આવવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ આપવીતી અંતે ગાંઠે હતા તે પૈસા ખૂટવ્યા પહેલાં જ હું કોલ્હાપુર છોડી મડગાંવ પાછો આવ્યો.. - - આઠ દસ દિવસ સુધી મારી કશી ભાળ ન લાગવાથી પિતાજી પણ મડગાંવ આવ્યા હતા. તેમના ચરણ પર માથું મૂકી મેં તેમની ક્ષમા માગી. તેમણે કહ્યું, “જે તું ફરી વેળા આમ ઘર છોડી જતો રહીશ તો તારી શોધ માટે મારે પણ આટલી વયે ઘર છોડી ભટકવું પડશે. આ વાતનો વિચાર કરીને તેને ઠીક લાગે તેમ કર.” મને બહુ દુઃખ થયું અને ' - ત્યારથી ઘર છોડી દૂર દેશ જવાનો વિચાર છોડી દીધું. ૧૮૯૬માં હિંદુસ્તાનમાં બરાબર વરસાદ થયો નહિ. ગોવામાં પણ આ વર્ષે વરસાદની બૂમ હતી. બંટી બાવટ કશું અનાજ ન પાક્યાથી ગરીબને ભારે વખો પડયો. અમને આ દુકાળથી ઝાઝું વેઠવું ન પડયું. પણ ૧૮૯૭માં જ્યારે વરસાદ પડ્યો ત્યારે ગોવામાં એક જાતનો મરડાનો રોગ ચાલ્યા. ઓગસ્ટ મહિનામાં બે કે ત્રણ જણ સિવાય અમારા ઘરમાં બધાં માંદાં પડ્યાં. હું માંદે તે ન પડ્યો પણ બીજાઓની સારવાર પાછળ ખૂબ હેરાન થવું પડ્યું. મારાં ભાભી પહેલેથી જ માંદાં હતાં. તેમને આ માંદગી ખૂબ નડી. અને છેવટે સાવ અશક્ત થઈને ૧૮૯૭ના ઑકટોબરની ચોથી તારીખે તેમનો દેહ પડ્યો. સગાંવહાલાંમાં કોઈનું મરણ થાય એટલે લેકેને શોક કરતા જોઈને મને આશ્ચર્ય થતું. મરણ જો સામાન્ય વસ્તુ છે તે તેને માટે શોક કરવો શા કામને એવું હું મારા મનમાં વિચારતો. પણ જયારે મારાં ભાભી ગયાં તે વખતે મારા હાંજા ગગડી ગયા. તેમનાં નાનાં બાળકોને રડતાં જોઈને ભારે શોક હું દબાવી ન શકો. ટૂંકમાં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ 21 દેશત્યાગ પરદુઃખે શીતલ' એવી જે કહેવત છે તેનો અર્થ આ પ્રસંગે હું સમજ્યો. અહીંથી જ મારા ઉપર પડનારાં ભાવિ દુઃખોને આરંભ થયો. સોનબા મંગેશ મૂળગાંવકરના કાકા, સદાશિવરાવ મૂળગાંવકર, મુંબઈમાં લુહાર ચાલમાં રહેતા હતા. તેમને 100-125 રૂપિયાની નોકરી હતી. પિતાના ભત્રીજાની તેઓ કોઈ દિવસ ભાળ લેતા નહિ, પણ ૧૮૯૬માં પોતાના કુલદેવ મંગેશનાં દર્શન કરવા તેઓ ગેવા. આવ્યા ત્યારે પોતાના ભત્રીજાને પોતાની સાથે મુંબઈ તેડી ગયા. સોનબાની માની મરજી છોકરાને મુંબઈ મોકલવાની નહોતી. પણ મેં જ તેને જવાની સલાહ આપી. મુંબઈ જઈને તેણે એક વર્ષમાં અંગ્રેજી ત્રણ ધોરણને અભ્યાસ કર્યો. પિતાના અત્યંત સાલસ સ્વભાવને લીધે તેણે કાકા અને કાકીની પુત્રથી પણ વિશેષ પ્રીતિ મેળવી. ૧૮૯૬માં જ્યારે મુંબઈમાં પહેલવહેલો પ્લેગ ચાલ્યો ત્યારે, સોનબા અને તેને પિત્રાઈ ગાવામાં અમારે ત્યાં રહેવા આવ્યા. પાંચ છ મહિના રહીને તેઓ પાછા ગયા. ૧૮૯૭માં ફરી પ્લેગ ચાલે. સોનબાના કાકાએ માટુંગામાં એક ઝૂંપડી બાંધી હતી. પણ પોતે માંદા હોવાથી ઘર છેડીને જઈ શકતા નહિ.' લુહાર ચાલમાં પ્લેગનું જોર વધવાથી બધાં ગિરગામ આવ્યાં, ત્યાં તેમને ચાકરને પ્લેગ થા. સોનબાને પણ પ્લેગે પટકો. તારીખ 15 માર્ચ 1898 ને દિવસે 24 કલાકની અંદર આ જીવલેણ રોગે સોનબાને નિર્દય કાળને સ્વાધીન કર્યો ! તારીખ 28 માર્ચ 1898 ને રેજ મારા સાળા દાક્તર સખારામ લાડ પણજીથી અમારે ઘેર આવ્યા. તેમણે સોનબાના મરણના ખબર આપ્યા., મને તો આ બધું સ્વમવત લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ આપવીતી પણ એટલામાં ટપાલવાળા કાગળ લાવ્યો. સરનામું સોનબાને હાથનું નહોતું. તેના પિત્રાઈ ભાઈને કાગળ હતો. કાગળ વાંચીને મને જે દુઃખ થયું તેનું વર્ણન થઈ શકે એમ નથી. કેટલાયે દિવસ સુધી મને ખાવુંપીવું અકારું થઈ પડયું. ભ્રાંતિએ મારું મન ઘેરી લીધું અને હું વિચારમૂઢ બની ગયેઃ " यस्सं मग्गं न जानासि आगतस्स गतस्स वा / उभो अन्ते असंपस्सं निरत्थं परिदेवसि // * * વિમાનો જે વિત્તિ અર્થે કહે છે समूळहो हिंसमत्तानं कयिरा चेनं विचक्खणो // किसो विवण्णो भवति हिंसमत्तानमत्तना / ને તેના પેતા પાન્તિ નિરહ્યા વિના " (જીપુર) (જેને આવવા અને જવાને માર્ગ તું જાણતો નથી, જેના આદિ અને અંતની તને ખબર નથી, તેને સારુ તારે શોક કરવો નકામો છે! શોક કર્યો જે કંઈ ફાયદો થાય એમ હોય તે શાણો પુરુષોએ સમૂઢ બનીને અને શરીરને ખૂબ કષ્ટ આપીને શેકને આશ્રય લે! પણ શોકથી માણસ પોતાના દેહને દુ:ખ દઈને દુબળ અને નિસ્તેજ બની જાય છે અને તેના આવા શોકથી મરનારનું તે લેશમાત્ર રક્ષણ થતું નથી. સારાંશ, શોક કરવો એ * ફેકટ છે.) * સરખાવો ગીતા અધ્યાય ૨-ક ર૮: . अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत / अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना // . . –ભા... કo હે ભારત ! ભૂતમાત્રની જન્મ પૂર્વની અને મરણ પછીની સ્થિતિ જોઈ શકાતી નથી; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ જ ચંત થાર્ય છે. આમાં ચિંતાનું શું કારણ હોય? . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ 23 દેશયાગ બુદ્ધ ભગવાનની આ અમૃત સમાન માત્રા ત્યારના મારાં રોંગ ઉપર અજમાવનાર કોઈ વૈદ મને તે વખતે મળ્યો હોત તો મારું કેટલું કલ્યાણ થયું હોત ! ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે હું દુર્બળ અને નિસ્તેજ થઈ ગયે એટલું જ નહિ, પણ અગ્નિમાંદ્યના રાગે ત્યારથી મારામાં કાયમનું ઘર કર્યું. - આ વખતે અમારા ઘરની પૈસા સંબંધી સ્થિતિ સારી નહોતી. પરચૂરણ કરજ વધી ગયું હતું, અને તેનો ભાર મારા ઉપર હતો. મિત્રના મરણથી પણ હું એટલે તે ઉદ્વિગ્ન બની ગયો હતો કે હવે ગોવામાં નથી રહેવું એમ જ મને થયાં કરતું હતું. ઘરના કરજનો બધો હિસાબ લખી મૂકી બે રૂપિયા ગાંઠે લઈ તારીખ ૩૦મી મે ૧૮૯૮ને દિવસે ફરી મેં ઘર છોડયું ને ગોકર્ણ સુધી ગયો. પણ આવા અજાણ્યા પ્રદેશમાં નિર્વાહનું કંઈ પણ સાધન ન જડવાથી તારીખ ૧૬મી જૂનને દિવસ મારે ફરી વેળા ઘેર પાછા આવવું પડયું ! ઘેર આવ્યો પણ મારા મનની વ્યથા ઓછી ન થઈ. એક દિવસે તે હું જંગલમાં જ બેસી રહ્યો. અને પછી કોઈની પણ સાથે વાતચીત ન કરતાં એક ઓરડીમાં પુરાઈ રહેવા લાગ્યો. ગામમાં હું ગાંડો થયે છું એવી વાત ફેલાઈ. પણ તેની મને કરીયે પરવા નહોતી. - અમારા સંબંધી શ્રી. વિષણું રામચંદ્ર નાયક મડગાંવથી મને મંળવા આવ્યાં: કરજેને લીધે મને ચિત્તભ્રમ થયું એમ તેમને લાગ્યું હોવું જોઈએ. પણ ખરું કારણ તો બીજું જ હતું. તેમણે મને શિખામણની બે વાત કહી અને કહ્યું કે, કરજ થયું છે તેમાં ગભરાવાની જરૂર નથી. તેનો કંઈક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ આપવીતી તોડ કાઢીશું. છેવટે તેમની સલાહથી એ ઠરાવ કર્યો કે, તેમણે અને ભિકુ નાયકે મળી પિતાજીની જમીન ગીરે રાખી અમને જોઈતી રકમ આપવી. અને તેમાંથી બધું પરચૂરણ કરજ પતાવી દેવું. આ ઠરાવ પ્રમાણે અમે મડગાંવ ગયા. પરંતુ શ્રી. ભિકુ નાયકે અરધી રકમ આપવા ના પાડી. અંતે શ્રી. વિષ્ણુ નાયકે પોતે જ આખી રકમ આપી મને કરજમુક્ત કર્યો અને દેશત્યાગ કરવામાં નડતી એક માટી, મુશ્કેલી આ રીતે દૂર કરી. (સને ૧૯૧૨ના માર્ચ મહિનામાં તેમની તમામ રકમ પાછી આપી તેમના કરજમાંથી હવે, હું છૂટો થયો છું. તથાપિ ખરે અણીને પ્રસંગે મને મદદ કરીને તેમણે મને કાયમને માટે તેમને શું કરી મૂક્યો છે.) હું મડગાંવ હતો એવામાં તારીખ ૨૮મી ઓગસ્ટ ૧૮૯૮ને રેજ લકવાના ઊથલામાં પિતાજીનું એકાએક દેહાવસાન થયું. આ પ્રસંગે પણ મને અત્યંત દુઃખ થયું. દુનિયાના વહેવારમાં કેમે કર્યું ચિત્ત ચોટે જ નહિ. આગલે વર્ષે ૧૮૯૭ની સાલમાં બાલબેધ” માસિકના એક અંકમાં. ભગવાન બુદ્ધનું ચરિત્ર વાંચ્યું હતું. ત્યારથી જ બુદ્ધ ઉપર મારી ખૂબ શ્રદ્ધા બેસતી ગઈ દુનિયાદારીને જેમ જેમ કંટાળો આવતો ગયો તેમ તેમ મારી આ શ્રદ્ધા દઢ થવા લાગી. બુદ્ધ જ મારું સર્વસ્વ છે એમ લાગવા માંડયું. પહેલાં હું મારા મિત્રમાં બુદ્ધ ભગવાન વિષે વાતો કરતો પણું હવે તો મારા મન જોડે જ બલવા લાગ્યું. બુદ્ધની, મૂર્તિ કલ્પી તેનું ધ્યાન કરવું અને “બાલબેધ' ' માસિકમાં છપાયેલું ચરિત્ર ફરી ફરી વાંચવું એ ક્રમ ચાલુ રાખ્યો, અને જીવતો રહ્યો તો બીજું બધું છોડી બુદ્ધના ધર્મનું જ્ઞાન Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #33
--------------------------------------------------------------------------
________________ દેશયાગ - સંપાદન કરીશ એવો દઢ સંકલ્પ કર્યો. ચાહે તેટલાં સંકટો આ, ચાહે તેટલાં દુઃખ ભોગવવાં પડે, પણ બુદ્ધોપદેશનું જ્ઞાન મને થયું એટલે મારે જન્મારે સાર્થક છે એમ મને લાગવા માંડ્યું. ' ૧૮૯૮ના નવેમ્બર કે ડિસેમ્બરમાં “કેરલકોકિલમાસિક જોયું. તેમાં કોચીનના સારસ્વત લોકોએ તેમને ત્યાં એક નવી નિશાળ ઉઘાડવાની ખબર વાંચી. એટલે ત્યાં જઈને અંગ્રેજી ભણવું અને તેની મારફત બુદ્ધપદેશનું સહેજસાજ જ્ઞાન મેળવવું એવો વિચાર કરીને હું તારીખ ૩૧મી જાન્યુઆરી ૧૮૯૯ને દિવસે મુરગાંવથી આગબોટ રસ્તે મંગલૂર ગયો. પણ મંગલુર (મેંગલોર)થી પંદર જ દિવસમાં પાછો ઘેર આવ્યો. મારા સાળા દાવ સખારામ લાડ પોર્ટુગલથી તારીખ ૧૨મી માર્ચ ૧૮૮૮ને રેજ પાછા આવ્યા. તે અમારે ઘેર ત્રણ મહિના રહ્યા. પછી તેમણે માપણામાં રહેણાક કરી અને પિતાનો ધંધો શરૂ કર્યો. તારીખ ૨૬મી એકિટોબર ૧૮૯ને રોજ મારી મોટી દીકરી ચીખલીમાં દાક્તર લાડને ઘેર અવતરી. તેની છઠ્ઠીને દિવસે હું અને બીજા ચાર ગૃહસ્થ દાક્તર લાડની સાથે એક પંગતે જમ્યા. આ ઉપરથી તેમના પડેશીઓએ જ્ઞાતિપંચ ભેગું કરી દેવટ માંડી અને પરિણામે સ્માર્તપંથના સ્વામી તરફથી અમને ન્યાત બહાર મૂકનારું આજ્ઞાપત્ર આપ્યું ! બે, ત્રણ ગૃહસ્થ પ્રાયશ્ચિત્ત લઈ છુટયા. મેં તથા દાક્તર કાશીનાથ લાડે પ્રાયશ્ચિત્ત ન લીધું. મારા આ કામથી સગાંસંબંધીઓ ખૂબ નારાજ થયાં. હવે મેં દક્ષિણ દિશાની મુસાફરીને ખ્યાલ છેડી ઉત્તર તરફ જવાને વિચાર કર્યો. પૂના એ મહારાષ્ટ્રનું કેન્દ્ર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ આપવીતી એટલે ત્યાં મારી કંઈ ને કંઈ સગવડ થશે એમ મને લાગ્યું. મારા મિત્ર શ્રી. વિષ્ણુ રંગાજી શેળડેકરે શ્રી. અનંત રામકૃષ્ણ રેડકર જેઓ પૂનામાં સધર્ન મરાઠા રેલવેની બ્રાન્ચ ઑફિસમાં હેડ કલાર્ક હતા તેમની ઉપર કાગળ લખી આપવાનું વચન આપ્યું. મારે વિષે અગાઉ પણ એક વાર તેમણે શ્રી. રેડકર ઉપર એક કાગળ લખ્યો હતો. પણ તેને જવાબ આવ્યો. નહોતો. આ બાજુ હું તે ઘર છોડવા અધીરો બન્યો હતો. તેથી શ્રી. રેડકરના જવાબની રાહ જોયા વગર એમ ને એમ પૂને પહોંચીને ત્યાં જ તેમને જાતે મળવાને મેં ઠરાવ કર્યો. અને 1899 ના નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં હું મડગાંવ આવ્યું. મારા સગા શ્રી. ભિક નાયકે મને વાટખરચીને સારુ દસ રૂપિયા આપ્યા, અને શ્રી. વિષ્ણુ નાયકે પંદર આપ્યા. મડગાંવમાં હું શ્રી. ભિક નાયકને ઘેર જ રહેતા. પણ આ વખતે તેમણે મને પોતાને ઘેર રાખે નહિ. પોતાને પણું ન્યાતબહાર થવું પડે એવી એમને બીક લાગી. મારે પાટલો જોઈએ તો દૂર માંડે અને મારે ભાણાઅબેટ પણ હું જાતે દઈ દઈશ એમ મેં તેમને કહ્યું. પણ મારા કમનસીબે તેમને મારી દયા ન આવી. . - વિષ્ણુપંત શેળડેકર મને મડગાંવમાં મળે એમ નક્કી થયું હતું, પણ તેમણે સુધ્ધાં જાતે મળવા આવવાને બદલે પોતાના ભાઈ જોડે શ્રી. રેડકર ઉપરનો કાગળ મને મોકલી આપે. તેમના આ કાગળને સારુ મારે મડગાંવમાં બે ત્રણ * દિવસ ખાટી થવું પડ્યું. પરંતુ મડગાંવમાં જમવાની સગવડ ન થવાથી બાંણાવેલીમાં મારી બહેનને ઘેર રહ્યો. ડિસેમ્બરની પહેલી તારીખે વિષ્ણુ પતને કાગળ મારા હાથમાં આવ્યા ને
Page #35
--------------------------------------------------------------------------
________________ 27 દેશયાગ વળતે જ દિવસે મેં નીકળવાનું નક્કી કર્યું. તે વખતે મડગાંવથી મળસ્કે મદ્રાસ, ટાઈમ છ કે સાડા છએ ટ્રેન ઊપડતી. તેથી બાણુવલીમાં રાત રહીને સવારે ગાડીએ પહોંચવું મુશ્કેલ હતું. રાતની રાત મને ઘરમાં રહેવા દે ને વીશીમાં જમવા ન મોકલે, એવી શ્રી. ભિકુ નાયક આગળ મેં ઘણી આજીજી કરી પણ તે તેમણે માન્ય કરી નહિ. છેવટે એક વીશીમાં ખાઈ રાત્રે મડગાંવમાં ક્યાંક પડી રહ્યો. અને બીજે દિવસ એટલે તારીખ બીજી ડિસેમ્બરે મડગાંવ છોડ્યું. શ્રી. વિષ્ણુ નાયકે આપેલ એક ત્રાંબાનો લોટ અને એક શેતરંજી એટલો જ સામાન મારી સાથે હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ રોજનીશી અને ટાંચણો “ફાલૂન વાંટા માથી કરાવા વઝટ मग त्याच्या आधारें। करणें तें अवधे बरें // " तुकाराम ખીલો હલાવતા જવું અને ધરબતા જવું; એમ પ્રથમ પાયે મજબૂત કરીને પછી તેને આધારે જે કંઈ કરવામાં આવે તે બધું જ સુંદર થાય. -તુકારામ તારીખ 23 જૂન ૧૮૯૫ના રોજથી એક જૂની નોંધપોથીમાં મેં રોજનીશી લખી છે. આ જ નોટમાં ૧૮૯૮૯૯નાં કેટલાંક ટાંચણ છે. સાત વર્ષે ઘેર આવ્યા ત્યારે જૂના કાગળમાંથી આ નોંધપોથી મને મળી આવી. અત્યારે પાછલી વાતો લખવામાં તેને મને ખૂબ ઉપયોગ થાય છે. ૧૮૯૬ની રોજનીશી કયાં ખોવાઈ તે માલૂમ નથી. ગોવા છડી પૂને આવ્યા પછી છૂટક ટાંચણે કરવાનો ભારે રિવાજ હતો. આ ટાંચણની ચેપડી ૧૯૦૪ની સાલમાં સીલબંધ કરીને કલકત્તાની મહાબોધી સભાને મંત્રીને મેં સેંપી હતી. પણ પાછળથી મહાબોધી સભાનાં તમામ પુસ્તકે કાશી નજીક સારનાથ ખાતે લઈ જવામાં આવ્યાં. ત્યાં કેટલાંક પુસ્તકે ઊધઈએ ખાધાં અને કેટલાંક ગુમ થયાં. આ ઊથલપાથલમાં મારી નોંધપોથી ગઈ તે હજ હાથ લાગી નથી. તપાસ તો પુષ્કળ કરી પણ
Page #37
--------------------------------------------------------------------------
________________ રજનીશી અને ટાંચણે પત્તો ન લાગ્યો. આ ચોપડી જે મારી પાસે હોત તો આજે આ આપવીતી લખવાનું ઘણું સહેલું થઈ પડત. અત્યારે તો મારી બચેલી જૂની નોંધમાંની આખી રોજનીશી અગર તો લાંબાં લાંબાં ટાંચણે આપીને વાચકોને કંટાળો આપવાની મારી ઇચ્છા નથી. માત્ર ગાવા છેડી પૂને આવ્યા પહેલાં મારા વિચારો કેવા હતા તેનો વાચકને કંઈક ખ્યાલ આપવા ઈચ્છું છું. હું દુનિયાના દુઃખથી કંટાળીને ઘર છોડી નીકળ્યો અને કેવળ નસીબને જેરે આગળ આવ્યા એવું કેટલાકનું માનવું છે. બીજા કેટલાકને એમ લાગે છે કે ગવા છોડ્યા પછી મારા ધાર્મિક અને સામાજિક વિચારે બદલાયેલા. આ અને આવી બીજી ગેરસમજ દૂર કરવા મારી નોંધમાંથી એક બે ઉતારા અહીં આપીશ.' [ કરાંઓને ઉપદેશ ] * “સાંકવાળ, તારીખ 22 , 1898 જેઠ સુદ 2 રવિ. છોકરાંઓ, મારી પાછળ તમારે માટે કંઈ રહે એમ હું ઇચ્છું છું. તમારે માટે પાછળ મૂકી જાઉં એ કશે પૈસે તો મારી પાસે નથી. એટલે આ દુનિયાને જે કંઈ થડે અનુભવ મળ્યો છે તે જ અહીં તમારે સારુ ટપકાવી મૂકું છું. તેને તમે સદુપયોગ કરજે. આ નોંધપોથી કાળના સપાટામાંથી બચશે તે માટી ઉમ્મરે તે તમારે હાથ આવશે. તે વખતે મેં કરેલાં આ ટાંચણો તથા બીજી બાબતો તમે વાંચી જજે. તેમાં તમને કેટલેક ઠેકાણે સંસારમાં ઉપગી બાબત જડશે. છોકરાંઓ, તમને ભલે સારા વાલી ન મળ્યા હોય, તોપણ તમે તમારાં છોકરાંઓના સારા વાલી બને એમ હું મારા અંતઃકરણપૂર્વક ઇચ્છું છું. તમને તમારા વાલીઓએ ઘટતે ઉદ્યમ ન Jun Gun Aaradhak Trust * આ ઉપદેશ મેં મારા ભત્રીજાઓને ઉદેશીને લખ્યો હતો. - PP AC. ................ ...
Page #38
--------------------------------------------------------------------------
________________ આપવીતી શીખો તો પણ તમે તમારી બુદ્ધિથી તે શીખે, ગ્ય માર્ગે ચાલીને તમે તમારાં છોકરાઓ અને મિત્રમંડળને પાઠરૂપ બને અને તમારા કરતાં અજ્ઞાન અને ગરીબ લોકોને તમારે હાથે સહાય . થાઓ એવી પણ મારી ખરા અંત:કરણની ઇચ્છા છે. આજે આપણું આ ગોવા પ્રાંતના હિંદુસમાજમાં એક પણ સારે વાલી દેખાતો નથી. પરિણામે તમને પણ સારા વાલી નહિ જ મળે. તમને ભણવા માટે જુદે જુદે ઠેકાણે રાખશે. તોપણ ઘેર ઘેર માટીના ચૂલા” એ કહેવત પ્રમાણે તમને સારે વાલી જડે એવું લાગતું નથી. આ હું તમને મારા અનુભવ ઉપરથી કહું છું. સારે વાલી ન મળવાથી કેટલીક બૂરી બાબતોના સંસ્કાર તમને પડશે અને તે જેડાની કાંકરી પ્રમાણે તમને આખે જન્મારે ખૂયા કરશે. આ બાબતે કઈ તેને વિચાર કરીએ. પહેલી વાત તો એ કે, તમારા વાલીઓના અજ્ઞાનને લીધે તમને સારે શિક્ષક ન.મન્યાથી તમે અજ્ઞાન રહેશે. અજ્ઞાન જેવી ભયંકર બીજી એકે વસ્તુ આ દુનિયામાં નથી એમ કહીએ તો ચાલે. બીજી વાત એ કે, તમારું વલણ જોઈને તમને વિષય નહિ શીખવવામાં આવે તો બધો ગોટાળે થશે. મેં મારા પિતાજીને મને સંસ્કૃત શીખવવા ખૂબ કહ્યું પણ તેમણે મન પર લીધું નહિ. આથી મને ભારે નુકસાન થયું છે. ત્રીજી વાત ખરાબ બત. તમારા વાલી તમે કેવી સેબતમાં ફરે છે તેની જે બરોબર ભાળ નહિ રાખે તો ખરાબ સોબતનું બૂરું પરિણામ તમારે ભોગવવું પડશે. ભળતે જ વખતે તમારા મનમાં કામવિકાર ઉદ્ભવશે. તમને હુક્કાનું વ્યસન ચોટશે. આવી કેટલીયે કુટેવ જે મેટી ઉંમરે ઘાતક નીવડે છે તે તમને વળગશે. ચોથી વાત બાળલગ્ન. તમારા વાલી અજ્ઞાન હોવાથી તેમની પાસે ડુંક પણ દ્રવ્ય હશે તે તે તમને નાની ઉમરમાં લગ્ન. પાશથી બાંધી દેશે. લગ્ન થયા પછી, તમે નાના હશે તો પણ, તમારાં સાસરિયાં તમને માન આપશે; આથી તમને મિથ્યાભિમાનનો વળગાડ લાગશે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ થામાંથી કેવી મારી ત્રી અને નાળ તમારા વા રેજનીશી અને ટાંચણે હે બાળકો, ઉપર કહી તેમાંની એક પણ બાબતની હડફેટમાં 'તમે આવશો તો તેટલા પૂરતી પણ તમારી હાનિ થયા વિના રહેશે નહિ. અને તમારી હાનિનાં ફળ તમારાં લગ્ન થયાં હશે તો ગરીબ બિચારી તમારી સ્ત્રી અને તમારા સંતાનને ભોગવવા પડશે. આમાંથી કેવી રીતે બચી શકાય તેને આપણે હવે વિચાર કરીએ. કરાંઓ, તમે મોટાં થયા પછી જે અજ્ઞાન રહ્યાં હશો તો તેનું તમને ઘણું જ દુઃખ લાગશે. પોતાનું અજ્ઞાન દૂર કરવાનું તમને બહુ મન થશે, પણ તમે જે નિશ્ચયી નહિ હો, તો તમારાથી તમારું અજ્ઞાન દૂર નહિ થાય. કેટલાંક માણસોએ મોટી ઉમ્મરે કેળવણી લેવા શરૂઆત કરી પણ ઘણાં જ થોડા તેમાં સફળતા મેળવતાં સુધી પહોંચ્યાં. આમ કેમ બનતું હશે વારુ? કોઈ કહે છે કે બાળપણ એ જ વિદ્યા શીખવાનો થગ્ય કાળ છે, અને ઘણેભાગે આ સાચું પણ છે. પણ એથી એમ ન સમજવું કે મોટપણે વિદ્યા ન આવે. ઇનતેજારી છતાં મોટપણે વિદ્યા ન આવવાનું મુખ્ય કારણ શરમ છે. “હું આવડે માટે થયે, હવે શું ભણવાને ?" આવી જાતના વિચારેથી આપણું મન પાછું હઠે છે...જ્ઞાન મેળવવાને સારુ તેં પહેલાં વિદ્યાદેવી પર ખૂબ ભક્તિ ચાંટવી જોઈએ. ભક્તિ સિવાય કોઈ પણ દેવતા પ્રસન્ન નથી થતા એ તે તમે જાણો જ છે. આ ઉપરાંત તમારે શરમને બાજુએ મૂકવી જોઈએ. શરમ એ વિદ્યાદેવીની ભક્તિમાં વિધ્ર નાંખનારી રાક્ષસી છે એમ સમજે. સત્ય અને હિતકારી બાબતોમાં શરમને આડે આવવા દેવી, એનો અર્થ દુ:ખ વેચાતું લેવું એટલો જ સમજો. બૂરાં કામ કરવામાં શરમને વચ્ચે આવવા દે; એટલે કે તેવાં કામ કરવામાં શરમાઓ. જ્ઞાન મેળવવાની મર્યાદા એક મરણ જ હોવી જોઈએ. મરણ સુધી જ્ઞાન મેળવવામાં ક્ષતિ આવવા દેશે નહિ. “હું મોટે થયો” એમ કહીને જેઓ વિદ્યા મેળવવાનો માર્ગ તજી દે છે તેના જેવા આત્મઘાતી બીજા કેઈ નથી. મનની સમાધાનવૃત્તિને ભંગ થવા દીધા વગર જેટલું જ્ઞાન મેળવી શકાય તેટલું મેળવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ આપવીતી તમારા મનનું વલણ જોયા વગર તમને કળા શીખવી હશે તો તમને કષ્ટ થશે. દાખલા તરીકે, તમારું વલણ દરજના ધંધા તરફ છે એમ ધારે અને તમારા પિતાને ધંધો ખેતીને છે; તે તે જરૂર તમને ખેતીમાં દાખલ કરશે. આમ થયું એટલે તમને એકે ધંધો પૂરે નહિ આવડે. આમાંથી મુક્ત થવાનો ઉપાય એ જ કે, જે વખતે તમારું વલણ અમુક દિશા તરફ છે એમ તમને જણાઈ આવે તે જ વખતે લોકલાજ છેડીને તે કળા તરફ તમારે તમારા પ્રયને વાળવા અને તે કળાને બની શકે તેટલો અભ્યાસ કરવો. આથી પછીના આયુષ્ય દરમ્યાન તમને સુખ થશે. પ્રિય બાળકો, નવરા બેઠા કજિયા-દલાલી કરીને અથવા લાંચ આપીને અમલદારે મારફત પોતાનું કાર્ય સાધીને તાવંત બનવા કરતાં જોડા સીવવાને ધંધે કરીને જે તમે તમારું પેટ ભરશે તો તેમાં વધારે આબરૂ છે એમ સમજે. પેટ ભરતાં આવડે એવો એકાદ સરસ હુન્નર તમને આવડે એ એક મોટું સદ્ભાગ્ય સમજે. નોકરી કરનારા કરતાં તથા મેટાઓ પાસે હાજી હા કરી પેટ ભરનારાઓના કરતાં કારીગર કે ખેડૂત પોતાના દેશનું ખરું હિત વધારે સાધે છે એ ભૂલતા નહિ. તમે ગમે તેટલા તાલેવાન છે છતાં તમને એકાદ સરસ હુન્નર આવડતું હોય એ ઘણું જ ઈચ્છવાજોગ છે. આથી જે તરફ તમારું મન વળતું હોય તે હુન્નર તમે મેળવી લેજે. ત્રીજું સંકટ ખરાબ સબત છે. તમારા મિત્રો તમને કુટેવો પાડી ખાડામાં ઉતારે એવા હોય તે તેમની સેબત તત્કાળ છોડી દે. તમારા કરતાં તે ધનમાં કે હકૂમતમાં મોટા હોય તો પણ તમે , તેમને પડછાયે પણ ઊભા રહેતા નહિ. ખરાબ વર્તનને તમે ખુલ્લો તિરસ્કાર કરજે એટલે તેઓ પોતે જ તમને પોતાના મંડળમાં બાલાવશે નહિ. ઊલટું તમારા સદાચરણની તેમના ઉપર સારી અસર થશે. કદાચ કોઈ વાર કમનસીબે તમે બૂરી બતમાં જઈ ચડ્યા છે ત્યાં તેમના આગ્રહથી કેફી ચીજોના સેવનથી કે દુરાચરણથી બચજે. નીતિબળ દેખાડવાનું કહેવાય છે તે આ જ P:P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ રેજનીશી અને ટાંચણે પ્રસંગે બતાવવાનું હોય છે. તેમનું મંડળ મોટું હોય તે પણ તમે આ કામ કરે છે તે બૂરું કરે છે” એવું હિંમતથી હરપ્રકારે તેમને બતાવી આપજે. આમ છતાં કદાચ તેઓ તમારી નિર્ભર્સના કરશે. ભલે કરતા. આ બધામાં સીધે અને રામબાણ ઉપાય એ. જ છે કે કુસંગતથી બચવું. - જો તમારું લગ્ન નાની ઉમ્મરમાં થયું હોય તો એ સ્થિતિમાં ' મોટી ઉમ્મરે સુખ મેળવવાનો ઉપાય એક જ છે. તે એ છે કે સ્ત્રીને કેળવણી આપવી. તમે તમારી સ્ત્રીમાં નીતિગ્રંશે વાંચવાની રુચિ ઉત્પન્ન કરે. તમારા આચરણનું તે અનુકરણ કરવાની, માટે તમારું સુવર્તન શુદ્ધ રાખે. જે ગરીબાઈને લીધે મોટી ઉમ્મર સુધી તમારું લગ્ન ન થયું હોય તે પહેલાં ત્રણ સંકટથી મુક્ત થાઓ ત્યારે જ લગ્ન કરજે. પચીસ વર્ષના પુરુષે આઠ વર્ષની બાળકી સાથે લગ્ન કરવા કરતાં આખે જન્મારો કુંવારા રહેવું એ વધારે સારું છે. છોકરાંઓ, તમારાં છોકરાંઓ માટે તમારે શું કરવું જોઈએ એ હવે જુદુ કહેવાની જરૂર નથી. સંસાર કેવો હે જોઈએ એવું જે કોઈ મને પૂછે, તો હું તેને કહ્યું કે પંખી જેવો હોવો જોઈએ. પક્ષીઓ આપણી માફક સમાજ બાંધીને રહે છે. પણ તેમનાં ઘરમાં ઘણું, સ્ત્રી અને તેનાં છોકરાં એટલાં જ રહે છે. આપણી માફક ભાઈઓ, પિત્રાઈએ, તેમની સ્ત્રીઓ અને છોકરાંઓ એ બધાં એકી સાથે નથી હોતાં. આપણા હિંદુસમાજમાં એક સાથે રહેવાને નુકસાનકારક રિવાજ કેટલાંક વર્ષથી ચાલુ છે. આ રિવાજ જેટલો જલદી બંધ થાય તેટલું સારું. . પક્ષીઓમાં પુરુષ તેમ જ સ્ત્રી નિર્વાહના ધંધા જાણે છે. તેઓ પિતાનાં બચ્ચાંને મમતાથી પાલન કરે છે. અને તેમને ઘર બાંધતાં અને ખોરાક મેળવતાં શીખવે છે. તેમના નિર્વાહની તેમને ચિંતા નથી હતી. બાળકો, પક્ષીઓને આ રિવાજ સંસારમાં કેટલો બધો સુખકારી છે? દુન્યવી સુધારો આપણું કરતાં પક્ષીઓમાં વધારે ' P.P. Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust I a
Page #42
--------------------------------------------------------------------------
________________ 34 આપવીતી થયો છે એમ શું ન કહી શકાય ? તે પછી આપણે મનુષ્ય છીએ એટલા જ ખાતર બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ છીએ એમ કહેવામાં શે સાર ? - બાળકે, તમને ઘણી વાતો કહું એમ મનમાં થયાં કરે છે પણ વખત નથી. આ બધું સુધારવાનો પણ મને વખત નથી. આ તમે જ સુધારીને વાંચજે. એક વસ્તુ કહેવી રહી ગઈ તે એ કે ઘડપણમાં માબાપને બનતી મદદ કરવાનું ભૂલશો નહિ.” . . મારા વિચારે] શકે 1821 શ્રાવણ સુદ 9, તા. ૧૪મી ઓગસ્ટ 1899. * ““મનુષ્યના વિચારોમાં તેના સંજોગેના બદલાવા સાથે ફેર પડતો જાય છે. આ સિદ્ધાંતને હું અપવાદરૂપ ન જ ગણાઉં. ઝીણું નજરે જોનારાઓને મારા વિચારમાં કઈ ઢબે ફેર પડતો ગયો એ જાણવું સહેલું પડે એટલા ખાતર આજના મારા વિચારો કેવા છે તે અહીં લખું છું. સૌ પહેલું તો - धर्म विषे મનુષ્યના જીવન સાથે ધર્મને જેટલો સંબંધ છે તેટલો સંબંધ રાજ્યપ્રકરણને પણ ન હોઈ શકે. પરદેશી રાજા રાજય છતી લઈ શકે પણ ધર્મ જીતી શકશે નહિ. કદાચ બળાત્કારે ધર્માતર કરવા વખત આવે તો પણ તેથી આપણા અંતરમાં મળી ગયેલાં ધર્મનાં બીજ સાફ બળી જતાં ખૂબ વાર લાગશે. આવા વ્યાપક વિષય ઉપર મત આપવો એ ભારે કપરું કામ; તેમાં વળી તમામ વિચારે કાગળ ઉપર ઉતારવાની શક્તિ મારી કલમમાં ન મળે. આટલી પ્રસ્તાવના બસ થશે. આજે હું અંત:કરણથી તો સાવ બૌદ્ધ થઈ ગયો છું. મહાન બુદ્ધના વિચારે મને ઘણું જ ગમે છે. આખા જગતનું, રાષ્ટ્રનું, * કુટુંબનું કે પોતાનું હિત સાધવાની જે કોઈની ઇચ્છા હોય તો તેણે સદ્ગુરુ બુદ્ધને શરણે જવું અને તેમણે કરેલા ઉપદેશ પ્રમાણે . Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ . રજનીશી અને ટાંચણે શ્રદ્ધાપૂર્વક વર્તવું જોઈએ, એવો મારે નિશ્ચિત મત છે. અને હું આજે અતિ નમ્રપણે બુદ્ધ ગુરુની પ્રાર્થના કરું છું કે, “હે સદ્દગુરુ તારા દાસના દાસ થવા જેટલી પણ મને લાયકાત આપ.” . . . सामाजिक - * જાતિભેદ સારું તૂટવા જોઈએ. બાળલગ્ન તુરત બંધ થવાં જોઈ એ. બાળલગ્ન તદ્દન બંધ થાય તો વિધવાવિવાહ ચાલુ કરવાની ઝાઝી જરૂર નહિ રહે. તથાપિ વિધવાવિવાહને સારુ હરત હોવી એ તો નીતિવિરુદ્ધ છે. કુટુંબની પદ્ધતિ પક્ષીઓના જેવી જોઈએ. માબાપે પિતાનાં છોકરાં મોટાં થયે તેમને જુદા રહેવામાં મદદ કરવી. આથી અત્યારે કુટુંબમાં જે નકામા વિખવાદ વધે છે તે બંધ થશે. राजकीय - પ્રજાસત્તાક પદ્ધતિ સારી, તેથી બીજે નંબરે રાજા પ્રજાસત્તાક, તેથી ઊતરતી સ્વદેશી રાજસત્તાક અને સહુથી હલકી પદ્ધતિ હાલ હિંદુસ્તાનમાં ચાલુ છે તે. આને બદલે બને તેટલી ઊંચા દરજજાની રાજ્યપદ્ધતિ ચાલુ થાય તે માટે દરેક વ્યક્તિએ ખરા દિલથી મથવું ઘટે. व्यक्तिए शु करवू ? - * આપણે અજ્ઞાન હોઈએ ત્યાં સુધી આપણાં માબાપની આજ્ઞામાં રહેવું, ને પછી છેવટ સુધી તેમને માન આપતા રહેવું,. તેમને દૂભવવાં નહિ. અંધ પરંપરાગત જુગજુગથી ચાલતા આવેલા જે કુરિવાજો હોય તે બેધડક તજવા. બીજાને દુ:ખ ન થાય એવી રીતે આપણે ધંધો કર. કદી નવરા ન રહેવું. નવરા બેસવાની બરોબરનું બીજું એક પાપ નથી. કરજદાર ન બનવું. કરજદાર માણસ પિતાની ઉન્નતિ કોઈ દિવસ કરી શકતું નથી. કેફી ચીજોના સેવનથી આપણું નાશનું બીજ રોપાય છે. તક જોઈને રાજકીય, ધાર્મિક કે - એવાં બીજા પરેપકારનાં કામ આપણું કૌવત હોય તે કરતાં સહેજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gum Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ આપવીતી. ઓછા પ્રમાણમાં માથે લેવાં, એટલે તેમાં અપજશ નહિ આવે. સદ્ગુરુ બુદ્ધને શરણે જવું અને તેના ઉપદેશોનું મનન કરવું. તેના વિચારે જે આપણને ન સમજાય તો જે કોઈ તેના સુજ્ઞ ભક્તો હોય, તેમની પાસેથી તે સમજી લેવા અને તે પ્રમાણે વર્તવું.” ઉપલા ફકરાઓ વાંચવાથી ગાવા છેડી પૂને આવ્યો તે પહેલાં મારા વિચાર કઈ દિશાએ ગતિ કરી રહ્યા હતા તેને વાચકને ખ્યાલ આવશે. મારું ધ્યેય મને સ્પષ્ટ દેખાતું હતું પણ તે તરફ જવાનો રસ્તો મને માલુમ નહોતો. તે બાળી કાઢતાં મારે શી શી જહેમત ઉઠાવવી પડી, તેનું વિવેચન હવે પછીનાં પ્રકરણમાં કરવાનું વચન આપી વાચકની અહીંથી જ રજા લઉં છું. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ પૂનાની રહેણાક સનન૪ વર ઘર સુર્બનયંતિ થી ' સજજન જોડે કલહ ભલો પણ દુર્જનની સોબત ન કરવી.” - મેરેપંત * * મડગાંવથી નીકળ્યો ત્યારે મારું મન કાળાં વાદળાથી છવાયેલું હતું. કેસલરેકનો ઘાટ ચડતાં નજરે પડતી વનશ્રીની શોભા અને દૂધસાગર જેવા સુંદર ઘધના દર્શનથી પણ મારી ઉદાસીનતા મટી નહિ. ટ્રેન ધીરે ધીરે ચાલતી હતી, ચોમેર લીલાછમ ડુંગર મારી નજરે પડતા હતા. પણ એ ડુંગરની તળેટીએ ખીણમાં નજરે પડતો પ્રદેશ ભારી તરફ ઉદાસીનતાથી જેતે હોય એવો જ મને ભાસ થયો. હું મનમાં બોલ્યોઃ “હે માતા જન્મભૂમિ! ઘણાંખરાં સગાંસંબંધીઓથી તરછોડાયેલ હું તારો બાળક છું. સગાંસંબંધીઓએ ભલે આશ્રય ન દીધો પણ તું તે ક્યાંક ને ક્યાંક ખૂણેખાંચરે પણ મને આશ્રય આપ્યા વગર રહેવાની નથી. પણ મા! મારા જેવા કમનસીબ બાળકે તારે આશ્રય કાં યાચો? એકથી વધુ વેળા મારી ઉન્નતિને ખાતર તને તજીને દૂર ગયો પણ, માડી, મારા મનોરથ પૂરા ન થતાં કાળું મોઢું લઈ તારો જ આશ્રય શોધતા પાછું આવવું પડયું. હવે આ વેળા જે સફળ નહિ થાઉં તે તને મોટું નહિ બતાવું એ મેં નિશ્ચય કર્યો છે. હે મા ! તારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ 38 આપવીતી ' ઉપર મારો અગાધ પ્રેમ છે. તું “સર્વસહા” કહેવાય છે. તારા નામ પ્રમાણે તું મારા બધા અપરાધ ગળી જઈશ એવી મારી ખાતરી છે. પણ આ વખતે જે હું સફળ ન થાઉં તે ફરી તારું દર્શન ન પામું એવું કરજે. અને, હે માતા! મારા આ નિશ્ચયને ચળવા દઈશ નહિ.” . . તા. ૩જી ડિસેમ્બર ૧૮૯૯ને રોજ મળસંકે ચાર વાગ્યાને સુમારે ટ્રેન પૂના સ્ટેશને આવી. એક ટાંગે ભાડે કરી હું રાતેની પેઠમાં ગયા. ત્યાં ખૂબ શોધ કર્યા પછી શ્રી. અનંત રામકૃષ્ણ રેડકરનું ઘર જડયું. તેમણે મારો સારી પેઠે આદરસત્કાર કર્યો. બીજે કે ત્રીજે દિવસે તેઓ મને તેમની પડોશમાં રહેતા શ્રી. નારાયણરાવ વર્દીને ઘેર લઈ ગયા. શ્રી. રેડકરે હું ગેવાથી આવ્ય વગેરે હકીકત નારાયણરાવને જણાવી. એટલે નારાયણરાવ કહેઃ “આ પેજપીઉ ગોવઈબાબુને અહીં શું કામ લાવ્યા? પૂનામાં આનો ઉપયોગ શ?' મારી તરફ વળીને કહે: “જે જે માઠું લગાડતા, હું તો મશ્કરીમાં કહું છું. મેં કહ્યું મને જરાય ખોટું લાગે એમ નથી. જીવબાદાદા બક્ષી, લખબાદાદા લાડ વગેરે પુરુષો પેજપીઉ જ હતા કે બીજા કાઈ? તમે આ પૂનાવાસીઓના સહવાસમાં રહીને એ બધાને ભૂલી ગયા છે અને એથી કદાચ પેજથી પણ કંટાળ્યા હે તો ભલે.' આ જવાબ મળતાંની સાથે જ નારાયણરાવ ચૂપ થઈ ગયા. એ પછી એકાદ બે વખત હું તેમને ઘેર ગયે હાઈશ ત્યારે તેમના છોકરાઓ મારું નામ પૂછતા અને હું જવાબ દેતો કે, “અંદર જઈને એમ કહે કે પિલા પેજ પીઉ ગાવઈબાબુ આવેલા છે. છોકરાંઓ આ જ * ચોખાની ઘંસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ પૂનાની રહેણાક શબ્દો નારાયણરાવને કહેતાં. છેવટે એક દિવસ નારાયણરાવે મને કહ્યું : “મહેરબાની કરીને હવે ફરી વાર એ બોલ ઉચ્ચારશો નહિ. દરેક વેળા ફરી ફરી એ બોલ કહીને તમે મારા પર વેર વાળે છે શું? તમને પેજપીઉ કહ્યા એથી ખોટું લાગ્યું. હોય તો હું તમારી ક્ષમા માગું છું.' . - પૂને આવવામાં મારે ખાસ હેતુ તો એ જ હતો કે, દિવસે કારકુનને કે એવું જ બીજું કંઈ કામ કરી નિર્વાહ કરવો અને કોઈ શાસ્ત્રી પાસે રહી સંસ્કૃત વિદ્યાભ્યાસ કરે. શ્રી. રેડકરને મેં મારો ઉદ્દેશ જણાવ્યું. તેમણે મારે સારું એવું કંઈ કામ શોધવા પિતે તેમ જ લાગતાવળગતાઓ મારફત પુષ્કળ પ્રયાસ કર્યો પણ ફેકટ. મેં પોતે પણ “સુધારક' પત્રની ઑફિસમાં તથા બીજી જગ્યાએ ખૂબ આંટા ખાધા, પણ ક્યાંયે ઘાટ બેઠે નહિ. “હવે શું કરવું” એ સવાલ ઊભો થયો. શ્રી. રેડકર કહેઃ “પોલીસ ખાતામાં મારી સારી ઓળખાણું છે; ત્યાં નોકરી જોઈતી હોય તો ભલામણ કરું.' પણ પોલીસ ખાતા તરફ તો મને ખૂબ તિરસ્કાર, તેથી મેં જવાબ આપ્યો કે, પોલીસમાં રહેવા કરતાં તો ભૂખે મરવું સારું.' વળી આ ખાતામાં રહીને સંસ્કૃત શીખવાને હેતુ પાર પડે એમ પણ નહોતું. - આઠ દસ દિવસમાં મને ખબર પડી કે ડે. ભાંડારકર પૂનામાં જ રહે છે. એક દિવસ બપોરે એક ચિઠ્ઠી લખી સાથે લઈ તેમને બંગલે ગયો. આ ચિઠ્ઠીમાં મેં શું શું લખેલું તે મને અત્યારે યાદ નથી. પણ “હું ગોવાથી વિદ્યાભ્યાસને માટે અહીં આવ્યો છું અને આપના દર્શનની અભિલાષા છે,' એવી મતલબની ચિઠ્ઠી હતી એમ માનું છું. ચિઠ્ઠીમાં છેવટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ આપવીતી प्रभू तुम्ही सुखामृताचे डोहो / म्हणोनि आम्ही आपुलिया स्वेच्छा वोलावो लाहों / येथही जरी सलगी करूं बिहों / तरी निवों के पां? હે પ્રભુ! તમે તો સુખામૃતના નિધિ છે તેથી હું તમારી પાસેથી ચાહું તેટલી ઠંડક પામું. તમારી આગળ હેત કરતાં પણ ડરું તો પછી ક્યાં જઈને કરું ?" આ જ્ઞાનેશ્વરીના નવમા અધ્યાયની પાંચમી એવી લખી હતી. ડો. ભાંડારકરે ચિઠ્ઠી વાંચીને તરત મને અંદર બેલાવ્યા અને કહ્યું કે, “તમે ગેવાનું હોવાનું જણાવે છે તો પછી મરાઠી આવું શુદ્ધ ક્યાંથી લખી શકે છે ?' મેં જવાબ આપ્યો, “ગાવામાં મારા જેટલું શુદ્ધ લખનારા ઘણું નીકળે.” મેં તેમને “પથ્થબોધ” વગેરે માસિક અને બીજાં વર્તમાનપત્રોની વાત કહી. આ ઉપરથી તેઓ બોલ્યા કે, “ગાવા એટલે સાવ પછાત પ્રાંત એમ અમે માનતા. જાણે કે ગાવા એ મહારાષ્ટ્રને ભાગ જ નહિ એમ અમને લાગતું. પણ તમારા કહેવા પ્રમાણે તે ગોવામાં પણ ઠીક ઉત્સાહી જુવાનિયાઓ વસતા જણાય છે.' તેમને મેં મારી બધી હકીકત જણાવી. તેમણે કહ્યું: “એકલું સંસ્કૃત શીખતાં તમને સાત વર્ષ લાગશે. સાત વર્ષે તમે પંડિત બનશો. તમારે કંઈ ઘેર મોકલવું પડે એમ ન હોય ? અને માત્ર વિદ્યાભ્યાસ એ જ હેતુ હોય તો અહીંયાં જ તમને મદદ મળી શકશે. તે સારુ નોકરી શોધવાની જરૂર નથી. વળી નોકરી કરીને ભણવામાં ત્રાસ પણ ખૂબ થશે. હું મહિને એક બે રૂપિયા આપીશ અને અહીં સારસ્વતાની સારી વસ્તી છે તેમની પાસેથી તમને મહિને પાંચ છ રૂપિયા સહેજે મળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ પૂનાની રહેણાક રહેશે. તે દિવસ તેમને લાંબી ફુરસદ નહોતી એટલે “ફરી પાછા મળજો” એટલું કહી પિતાને કામે વળગ્યા. મને તેમના આ ઉત્સાહ આપનારા ભાષણથી ખૂબ હિંમત આવી, અને પ્રસન્ન ચિતે હું શ્રી. રેડકરના ઘર તરફ વળ્યો. - ડૉ. ભાંડારકર સાથે જેમ જેમ પરિચય થતો ગયો તેમ તેમ મારે વિષે તેમને સારો મત બંધાવા લાગ્યો. થોડા જ વખતમાં પોતે મને એક ચિઠ્ઠી લખી આપી અને પિતાની કૌમુદી'ની એક પ્રત આપીને નગરકરના વાડામાં આવેલી એક સંસ્કૃત પાઠશાળામાં મને મોકલ્યો. ત્યાંના મુખ્ય અધ્યાપક વાસુદેવશાસ્ત્રી અત્યંકરે મને મહાદેવશાસ્ત્રી જેશીને સો. તેમના હાથ નીચે મેં “કૌમુદી'ને અભ્યાસ શરૂ કર્યો. બે મહિના વહી ગયા પણ “કૌમુદી'નો અર્થ મને સમજાય જ નહિ. પણ એથી હું કદી નિરાશ ન થયું. માત્ર રઘુવંશનો અર્થ મને ઠીક ઠીક સમજાવા લાગે. શરૂઆતમાં શ્રી. રેડકરે બુધવાર પેઠમાં આવેલી એક વીશીમાં મારા જમવાની ગોઠવણ કરી હતી. શરૂઆતમાં વીશીવાળો જરા આનાકાની કરવા લાગ્યો. “તમે સારસ્વત છો માટે તમારે જમીને તમારે અબોટ હાથે દેવો પડશે' ઈ. પણ ચાર આઠ આના વધુ દેવાનું વચન આપતાં જ તેણે બધું પોતે કરી લેવાનું કબૂલ કર્યું ! આ વીશીમાં જમવું અને શ્રી. રેડકરને ઘેર રાતે સૂવું એવો કમ એક બે અઠવાડિયાં ચાલ્યા. પણ પાઠશાળા બહુ આઘી પડવા લાગ્યાથી તે વધુ વખત ચાલુ રખાય એમ નહોતું. આથી ડો. ભાંડારકરે મને પ્રાર્થનાસમાજમાં રહેવાની જગ્યા અપાવી. ત્યાં રહીને હું પાઠશાળામાં અભ્યાસ કરવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ ' આપવીતી : - પ્રાર્થનાસમાજમાં રહેવાથી ઘણું ગૃહસ્થની મને ઓળખાણ થઈ તેમાં સ્વ. માધવરાવ લોટલીકરની સારી ઓળખાણ થઈ. તેમને ઘેર એક બે વખત જમવા પણ ગયે. ત્યાં માસિક મનોરંજન'વાળા સ્વ. કાશીનાથ રઘુનાથ મિત્રની મુલાકાત થઈ. તેઓ હવાફેર સારુ પૂને આવ્યા હતા. કેટલાક દિવસ સુધી અમે પરોઢિયે ઊઠીને ફરવા જતા. એક દિવસ બુદ્ધ વિષે વાત નીકળી તે પ્રસંગે તેમણે શ્રી. ગોવિંદ નારાયણ કાણે કૃત “જગદ્ગુરુ ગૌતમબુદ્ધાર્ચે ચરિત્ર' વાંચવાની મને ભલામણ કરી. તેમની પિતાની પાસે આ પુસ્તક નહોતું પણ તે તેમની મારફત મેં મેળવ્યું અને તે હું વાંચી ગયો. સર * એડવિન આર્નોલ્ડના “લાઈટ ઑફ એશિયા'નું આ ભાષાંતર હતું. મૂળ પુસ્તક કાવ્યમાં હોવાથી તે સંપૂર્ણ વિશ્વસનીય ન જ કહેવાય. તથાપિ તે એટલા તો પ્રેમભાવથી લખાયું છે કે વાંચતી વખતે વાચકનું ચિત્ત તેમાં લીન થયા વગર રહેતું નથી. ઇંગ્લેંડ અને અમેરિકામાં આ ગ્રંથની પચાસ ઉપર આવૃત્તિઓ નીકળી ચૂકી છે. કાણેનું ભાષાંતર મૂળ ગ્રંથને જેટલું ઉત્તમ નથી પણ તે વખતે એ મને એટલું તે ગમી ગયું કે તેમાંના કેટલાક ભાગ મેં ફરી ફરીને વાંચ્યા. આ ભાષાંતર તે કાળે મારું મુખ્ય ધર્મપુસ્તક થઈ પડયું. આમાંથી કેટલોક ભાગ વાંચતી વખતે ઘણી વાર મારો કંઠ' ભરાઈ આવતો અને આંખમાંથી અવિરત આંસુ વહેતાં તે હું ભૂલ્યો નથી. જ્યારે જયારે મારું મન ઉદાસ થાય ત્યારે ત્યારે આ પુસ્તકનું અધ્યયન કરવાનો મેં રિવાજ રાખ્યો. * કપડાંલત્તામાં અને વીશીના ખર્ચમાં મારી પાસેની તમામ પૂછ ખલાસ થઈ. ડો. લાડે દસ રૂપિયા મોકલ્યા, P.P. Ac. Gunratnasur; M.S. Jun Gu Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ પૂનાની રહેણાક એટલા ઉપર ફેબ્રુઆરી સુધી મેં માંડ માંડ ચલાવ્યું. હવે આગળ શું કરવું? ડૉ. ભાંડારકરે કંઈક સગવડ કરી આપવાનું કહ્યું હતું; પણ એમાં કશું ચેકસ નહોતું. અને આ વાતનો * નિકાલ કર્યા વગર તો હવે કોઈ વાતે રડે એમ નહોતું એમ મેં જોયું. છેવટે તેમને એક વાર સ્પષ્ટ શબ્દોમાં પૂછવું એવો મેં નિશ્ચય કર્યો. પણ એટલામાં (ફેબ્રુઆરીમાં) તેઓ માંદા પડા, અને એવી માંદગી દરમ્યાન આવા સવાલનું નિરાકરણ માગવાનું મને રુચ્યું નહિ. તે પણ એક વાર તો વાતવાતમાં આ બાબત મેં તેમને કાને નાંખી હોવી જોઈએ. તેઓ માંદગીમાંથી ઊડ્યા પછી તા. ૨૫મી ફેબ્રુઆરી 1900 ને - રોજ તેમને ઘેર હું તેમને મળવા ગયો. તેઓ કોઈ કાઈ વાર મને જમવા બોલાવતા. પણ તેમનો બંગલો શહેરથી ખૂબ દૂર હોવાથી હું કવચિત જ જતો. કોઈ વાર તે વળી રાતે જમી તેમને ત્યાં જ સૂઈ રહેતો. અને સવારે ઊઠી શહેરમાં પાછો આવતો. ઉપર કહેલે દિવસે હું તેમને ત્યાં જ રાત રહ્યો. બીજે દિવસે સવારે મેં તેમની પાસે વાત કાઢી અને મારે મારા નિર્વાહનું હવે કેમ કરવું?' એમ પૂછયું. તેમણે કહ્યું કે, “જો તમે પ્રાર્થનાસમાજના સભ્ય થાઓ તે સમાજ તરફથી અમે તમને મદદ કરીશું. એ સિવાય અમારી તરફથી કંઈ મદદ બની શકે એમ નથી.” ભારે બુદ્ધધર્મને અભ્યાસ કરવો છે, એ વાત હું તેમને શરૂઆતથી જ કહેતો આવ્યો હતો. એક દિવસ હું તેમની ગાડીમાં તેમની સાથે બેસીને જતો હતો ત્યારે મારી વાત કાઢીને તેમણે પિતાના વડીલ પુત્ર (સ્વ. પ્રો. શ્રીધરપંત ભાંડારકર)ને કહ્યું, ‘આમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ આપવીતી બુદ્ધ થવું છે.” મેં કહ્યું : “બુદ્ધ થવાની યોગ્યતા મારામાં ક્યાંથી? આપ સરખાના શિષ્યામાં મારી ગણના થવી પણ મુશ્કેલ છે. આ વાતચીત અમારા બંને વચ્ચે ભારે ગેરસમજનું કારણુ થઈ પડી. મને લાગ્યું કે બૌદ્ધધર્મને અભ્યાસમાં તેઓ મને ખૂબ મદદ કરશે. તેમને લાગ્યું કે હું તેમનો શિષ્ય એટલે પ્રાર્થનાસમાજને સભાસદ થવા તૈયાર હતો. પણ મારા કહેવાની મતલબ એવી નહોતી. મારું બોલવું તો સામાન્ય દૃષ્ટિનું હતું. બુદ્ધ અગર બુદ્ધના શિષ્ય થવું એ અત્યારની સ્થિતિમાં સંભવિત નથી, સંસ્કૃત ભાષાનું થોડુંઘણું જ્ઞાન મેળવી તેમના (ભાંડારકરના) શિષ્યમાં મારી ગણના થાય એવું બને તે પણ બસ છે, એવો મારા કહેવાને ઉદ્દેશ હતો. આમાં પ્રાર્થનાસમાજને કશો સંબંધ જ નહોતો. 'ગમે તેમ છે, પણ તેમની ગેરસમજ થઈ ખરી. તેમણે કહ્યું કેઃ “આટલા દિવસ તમે પ્રાર્થનાસમાજના સભાસદ થશે એમ મને લાગ્યાં જ કરતું. અત્યારે મદદ કરીને આગળ ઉપર પ્રાર્થનાસમાજના ધર્મોપદેશકનું તમને કામ આપવું એવી મારી ઈચ્છા હતી.” ' કહ્યું : “પ્રાર્થનાસમાજના ઘણાખરા સિદ્ધાંતો અને પસંદ છે. હું જાતિભેદમાં માનતા નથી. બાળલગ્ન બૂરાં છે એ વિષે મારી ક્યારની ખાતરી થઈ ચૂકી છે. તથાપિ બુદ્ધધર્મનું પૂરું જ્ઞાન મેળવ્યા સિવાય હું કોઈ પણ સંસ્થાને સભાસદ થવા ઈચ્છતો નથી. એકલો બૌદ્ધધર્મ જ મનુષ્યમાત્રની ઉન્નતિનું ખરું સાધન છે એમ હાલ તો હું માનું છું.' , “આ તમે ક્યા આધારે કહો છે? તમે બદ્ધધર્મ વિષે જાણે છે?' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ પૂનાની રહેણાક 45 “જગગુરુ બુદ્ધનું ચરિત્ર મેં વાંચ્યું છે અને તે ઉપરથી બુદ્ધના વિચારો અને તેને એકંદર ધર્મ એ જ મનુષ્યજાતિને ખરાં કલ્યાણકારી નીવડશે એમ મને લાગે છે.” અરે પેલું કાણેનું લખેલું પુસ્તક હું જાણું છું, એ તો એક અંગ્રેજી ગ્રંથનો તરજુમે છે. મૂળમાં છે તેને ચાર આની પણ અંગ્રેજીમાં ઊતર્યું નથી. અને અંગ્રેજીનું ચાર આની પણ મરાઠી ભાષાંતરમાં નથી આવ્યું ! આવા આ ગ્રંથને આધારે તમે બુદ્ધધર્મ વિષે હું આમ માનું છું અને તેમ માનું છું એમ કહો છો ?' “બુદ્ધધર્મ વિશે હું કશું જ જાણતો નથી એ હું કબૂલ કરું છું, પણ આપના કહેવા પ્રમાણે મરાઠીમાં ઊતરેલો મૂળનો સેળ ભાગ પણ જે આટલો ચિત્તવેધક છે તો પછી મૂળ ગ્રંથ કેટલે સુંદર હોવો જોઈએ, એ કલ્પનાથી જ સમજવું જોઈએ. આથી તે મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવાનો ભારે નિશ્ચય દઢતર થાય છે.' અરે, પણ બુદ્ધધર્મને આપણા દેશને શે ઉપગ ? વળી આ દેશમાં બુદ્ધધર્મનું જ્ઞાન મેળવવું પણ મુશ્કેલ છે, એને સારુ તો તમારે નેપાળ કે સિલોન જવું પડશે !' “આપણે દેશને તેને ઉપયોગ હે અગર ન હો, મારા જીવનને તેનો ઘણો ઉપયોગી છે એમ મારી ખાતરી થઈ છે. નેપાળ કે સિલોન જવાને હું તૈયાર છું.’ પણે ત્યાં તમારે ભિક્ષ બનવું પડશે !' ભલે ગમે તેટલાં કષ્ટ સોસવાં પડે, મને તેની ફિકર નથી. બુદ્ધધર્મનું જ્ઞાન મેળવવું એ મારું જીવનકર્તવ્ય છે એમ હું સમજું છું.' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ આપવીતી ઘણી વાર સુધી આ સંવાદ ચાલે પણ તેનું કશું ખાસ પરિણામ ન આવ્યું. અમે એકબીજાના મનનું સમાધાન કરી શક્યા નહિ. હવે પૂનામાં પડી રહેવામાં કંઈ જ સાર નથી એ વિષે મારા મનને શંકા ન રહી. પણ “જવું ક્યાં?' એ પ્રશ્ન હતું જ. સિલેન જવું કે નેપાળ? સિલોનની ભાષા, રીતરિવાજ સર્વ કઈ વિચિત્ર હશે. વળી દક્ષિણ તરફની કાનડી વગેરે ભાષાઓને મને બિલકુલ પરિચય નહિ. આ સ્થિતિમાં સિલેન જવાની કલ્પના સરખી અશક્ય લાગી. નેપાળ જવું પણ કાંઈ ઓછું કપરું નહોતું. ઉત્તર હિન્દુસ્તાનની ભાષાઓ પણ મને નહોતી આવડતી. પણ મહેનત કર્યો તે આવડે એમ હતી. ઉપરાંત કાશી સુધી તે દક્ષિણીઓની વસ્તી પણ હોય, એટલે ત્યાં સુધી તે ભાષા સંબંધી ઝાઝી મુશ્કેલી નડે નહિ. આ ચારે બાજુને વિચાર કરી મેં ઉત્તર દિશા તરફ જવા સંકલ્પ કર્યો. ડો. ભાંડારકરની “કૌમુદી' તેમને પાછી સોંપી. તદ્દન જરૂરગાં કપડાં પાસે રાખી બાકીનાં પ્રાર્થનાસમાજના પટાવાળા બળવંતરાવ પવારને દઈ દીધાં. શ્રી. રેડકર પાસેથી બાર રૂપિયા ઉછીના લીધા; બળવંતરાવ પવાર મારફત બે કપડાં પીળાં રંગાવી આપ્યાં હતાં તે પરિધાન કરી અને શિખાસૂત્રને ત્યાગ કરી ગુરુવાર તા. ૧લી માર્ચ 1900, મિતિ માહ વદ અમાવાસ્યા, શકે ૧૮૨૧ને રોજ રાત્રે બાર વાગ્યા પછી ઊપડતી નથી મેં પૂના છેડયું. આ પૂનામાં મારા શિક્ષણની સગવડ ભલે ન થઈ પણ ત્યાં રહેવાથી મને પુષ્કળ ફાયદો થશે. હવે પછીનું દેશાટન કરવાની મારામાં હિંમત આવી. વળી ઘણા લોકોનો સહવાસ થયાથી મરાઠી બોલવા ચાલવાની રીત વિશેષ સમજાઈ પ્રાર્થના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ પૂનાની રહેણાક સમાજમાં ઉપાસનાને વખતે કરવામાં આવતા કેટલાક ઉપદેશ મને ખૂબ પસંદ પડતા. શ્રી કેશવરાવ ગોડબોલે નામના એક ગૃહસ્થ પ્રાર્થનાસમાજના મંત્રી હતા. હું પૂને આવ્યો તે પહેલાં તેમનું મરણ થયું. જાન્યુઆરી કે ફેબ્રુઆરી (૧૯૦૦)માં તેમની વરસી હતી. આ પ્રસંગે તેમને ઘેર ડૉ. ભાંડારકરે ઉપાસના ચલાવેલી. આ ઉપાસના વખતે હું પણ હાજર હતો. આ પ્રસંગે ડો. ભાંડારકરે તુકારામ બવાના બે અભંગ લઈ તે - ઉપર વ્યાખ્યાન કર્યું હતું. આ બે અભંગ અત્યંત વિકટ સંજોગો વચ્ચે પણ મને વિસામારૂપ થઈ પડ્યા. આ ઉપદેશ જે હું પૂનામાં સાંભળવા પામ્યા એ મારો પૂનાની રહેણાક દરમ્યાન સૌથી મોટો લાભ થયે એમ હું માનું છું. વ્યાખ્યાન અત્યારે મને યાદ નથી; પણ ઉપર કહેલા અભંગ તે નીચેના : "क्षणक्षणां हाचि करावा विचार / तरावया पार भवसिंधु // 1 // नाशिवंत देह जाणार सकळ / आयुष्य खातो काळ सावधान // 2 // संतसमागमीं धरूनि आवडी / करावी तांतडी परमार्थी // 3 // तुका म्हणे इहलोकींच्या वेव्हारें। नये डोळे धुरै भरूनि राहों // 4 // आपुलें स्वहित करावें मैं आधी / विचारूनि बुद्धि समाधान // 1 // नये मागें पाहों वाट फिरोनियां / दुसरा संगिया साहकारी // 2 // आपुलिया बळे घालावी हे कास / न येणेंचि आस आणिकांची // 3 // तुको म्हणे द्यावी ब्रह्मरसी बुडी / वासना ते कुडी सांडूनियां // 4 // 1. હે જીવ! ભવર્સિધુ પાર ઊતરવા સારુ ક્ષણેક્ષણ આ જ વિચારનું ચિંતન કર કે આ દેહ નાશવંત છે; આ બધું જવાનું છે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak.Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ આપવીતી કાળ આયુષ્યને ખાઈ રહ્યો છે. સાવધાન થા. સંતસમાગમ વિષે રૂચિ કેળવ અને પરમાર્થને વિષે ઉતાવળ કર. તુકો કહે છે કે દુન્યવી વહેવારરૂપી ધૂમાડાથી આંખો ભરીને ન રહેવું. 2. બુદ્ધિથી આત્મસમાધાનને માર્ગ વિચારી લઈને આત્મહિત પહેલું કરવું અને પાછા વળી વળીને બીજા મદદગાર સાથીઓની વાટ જેવી નહિ. પોતાને જ બળે કમ્મર કસવી, પરાઈ આશ કામ નહિ આવે. તુકો કહે છે, હે જીવ! શરીરને મેહ છોડીને બ્રહ્મરસમાં ડૂબકી લગાવ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ પૂનાથી ગ્વાલિયર જે દિવસ મેં પૂના છોડયું તે રાત અમાવાયાની હતી એ હું આગલા પ્રકરણમાં કહી ગયો. ઘેડ મનમાડ તરફ જતી ગાડી પકડવા સારુ હું રાતે બાર વાગ્યે પ્રાર્થનાસમાજમાંથી સ્ટેશને જવા નીકળ્યો. મારા અંતરમાં ચોમેર નિરાશાનો ગાઢ અંધકાર છવાયો હતો. પણ તે રાત્રે આકાશમાં વાદળાં ન હોવાને લીધે ચમકતા તારાઓની માફક તેમાં ક્યાંક ક્યાંક એકાદ આશાજનક વિચાર નહોતો ચમકતો એમ નહિ. આ હું ભયંકર સાહસ ખેડી રહ્યો છું એનું મને ભાન હતું. અને તેમાં સફળતા મળવી બહુ કઠણ છે એની પણ મને ખબર હતી. તે પણ દઢ નિશ્ચયપૂર્વક ઉદ્યમ કરવાથી આ જ જન્મમાં બુદ્ધધર્મનું થોડું ઘણું પણ જ્ઞાન મેળવી જ શકીશ એમ પણ લાગતું. ગમે તેમ , પણ મારું સાહસ કેવળ સ્વાર્થનું - ચારધાડપાડુઓના સાહસ જેવું- તો નથી જ એ વિચારે મારા મનને ખૂબ શાંતિ આપી. આ પ્રયત્નમાં સફળતા મળતાં મરણ આવે તેપણુ વાંધો નહિ, કારણ બની શકે તેમ હતું તે બધું હું કરી છૂટયો –મારું કર્તવ્ય મેં બનાવ્યું - એટલું. તે હું કહી જ શકીશ, અને તેથી ભરણુંટાણે મને એક પ્રકારની શાંતિ જ મળશે, એમ પણ મને લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust આ જ
Page #58
--------------------------------------------------------------------------
________________ આપવીતી ઘેડ છોડ્યા પછી ઇન્દોર જનારા કેટલાક વિદ્યાર્થીઓને સાથે થયો. તેઓ મને ઇન્દર સુધી સાચવી લઈ ગયા. ઈન્દોરમાં તેઓ વીશીમાં ઊતર્યા હતા, ત્યાં જ હું પણ ઊતર્યો. મારી પાસેની બધી પૂછ એક બે દિવસમાં જ ખૂટી ગઈ હવે ભીખ માગવાને વખત પ્રત્યક્ષ આવી લાગે. પણ આવા પરાયા મુલકમાં ભીખ પણ કોણ આપે? એક બે ઠેકાણે ભીખ ભાગી પણ કંઈ વળ્યું નહિ. છેવટે વાગળે કરીને રાજના કોઈ મોટા અમલદાર અહીં રહેતા હતા તેમની પાસે ગયો. સવારનો વખત હતો. રૂ ભરેલી રજાઈની બંડી ચડાવીને સાહેબસવારી દીવાનખાનામાં હુક્કો ગગડાવતી બેઠી હતી. હાથના હુક્કાથી તે હું પરિચિત હતો, પણ આવો બાદશાહી હુક્કો જેવાની તક આજ સુધી મળી નહોતી. એની એ યાલી જેવડી ચલમ, જાજમ ઉપર પથરાયેલી સાપનાં ગૂંચળાં જેવી લાંબી નળી, એ રૂપે જડેલ ડો, વગેરે ઠાઠ જોઈને હું ચક્તિ થયો એમાં નવાઈ નહિ. પણ એની બનાવટની શોધમાં ઝાઝું ન રોકાતાં મેં રાવસાહેબ આગળ હાથ લંબાવ્યો. એક તો રાવસાહેબ હુકો પીવાના કામમાં રોકાયેલા હતા, તેમાં અધૂરામાં પૂરું એક કારકુન ઑફિસનું કંઈક કામ લઈને આવ્યા. ત્યાં પછી મારી સાથે વાત કરવાની તેમને કુરસદ જ ક્યાંથી હોય? તેમણે એક બીજા કારકુનને બૂમ મારી મનેં ચાર આનાના પૈસા આપવા ફરમાવ્યું. આ ચાર આના હોલ્કરશાહી હતા કે અંગ્રેજી તે મને અત્યારે યાદ નથી. રાવસાહેબે કશી પૂછપરછ ન કરતાં ચાર આના - ચૂકવી મને વિદાય કર્યો તેને મને એક રીતે આનંદ જ થ. કારણ ક્યાંથી આવે છે, ક્યાં જવું છે, પરણ્યા છે કે નહિ, વગેરે અણગમતા સવાલના જવાબ આપવામાંથી હું બચ્યો!' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ 51 હ. વાનગર, પિન-382009. . પૂનાથી ગ્વાલિયર . ઈન્દોરથી ઉજજને જતી ગાડીનું રેલભાડું છ કે સાત આના જેટલું બેસતું. વાગળે સાહેબના ચાર આના અને મારી પાસે જે કંઈ બાકી હતું તે બધું મળીને જેમ તેમ ટિકિટ જેટલો મેળ થઈ ગયો. સાંજની વેળાએ ઉજજન પહોંચ્યો. હવે ઊતરવું ક્યાં એ સવાલ હતો. હું જાત્રાળુ હોઈશ એમ માનીને ત્યાંના લોકોએ રામભટ નામના એક ગોરનું ઘર મને ચીંધ્યું. સાંકડી ગલીચીઓમાં આથડતાં ભટકતાં છેવટ રામભટના ઘરને પત્તો મેળવ્યો. ભટજી ઘેર નહોતા; પણ મારું પિટકું મૂકવાની કેઈએ ના ન પાડી. શહેરમાં નળની સગવડ નહોતી. તેમાં વળી આ વર્ષે મેઘરાજાની અવકૃપા હોવાથી નદી સુકાઈ ગઈ હતી. અહીં ત્યાં ખાડાખાબોચિયાંમાં પાણી હતું. પણ તે એટલું તો ગંદુ થઈ ગયું હતું કે તેમાં એક જાતનાં જંતુ સ્પષ્ટ તરતાં દેખાઈ આવતાં હતાં. નદી પર જઈ હાથપગ ધોયા પણ આ પાણી પીવું કઈ રીતે એ મૂંઝવણમાં પડયો. એક બે જણને પૂછ્યું કે, આ પાણી સિવાય પીવા માટે બીજું પાણી મળી શકે એમ હતું કે નહિ. પણ તેમની પાસેથી નકારમાં જ જવાબ મળવાથી નિરુપાયે પંચિયાને છેડેથી ગાળીને એ જ પાણી પીધું! આનું ફળ એ આવ્યું કે આખી રાત ઊંઘ ન આવી અને દસ બાર વખત જાજરૂ જવું પડયું. બીજે દિવસે રામભટજીના ઘરમાં રહેતા એક દ્રાવિડ વિદ્યાર્થીએ મને પૂછ્યું, ‘તમારે ભિક્ષાએ આવવું છે?' મેં જવાબ આપ્યો, “હું આવત પણ મારી તબિયત ઠીક નથી.'. આથી તેણે ચાર ઘર વધારે ફરી અમારે બંનેને થાય એટલી કે ભિક્ષા માગી આણી. પણ તે દિવસ તો મારાથી પૂરું ખવાયું જ નહિ. તેના આગ્રહને લીધે મેં ફક્ત એક બે રોટલી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ પર આપવીતી કાળિયો ભાત ખાધાં. બીજી બાજુએ જાજરૂનું માં જેવાને પ્રસંગ ઉપરાઉપરી આવવા લાગે. હવે કોલેરા થઈ અહીં જ અંત આવશે કે શું એમ પણ લાગ્યું. - રામભટના ઘર આગળ એક નાનું સરખું દવાખાનું હતું. ત્યાં જગળેકર કરીને કેાઈ દાક્તર રહેતા હતા તેમની પાસે ગયા. તેમણે દવા આપી તેથી ઠીક ફાયદો થયો; પણ ખું પાણી ક્યાંય ન મળે. જેગળેકરે શ્રી. કેળકર (માધવ સ્કૂલના એક શિક્ષકોને મારી વાત કરી. આ ગૃહસ્થ સાંજે મને રસ્તામાં મળ્યાં. “સવારે ગળેકરને મળેલા તે તમે જ કે?' * એમ તેમણે મને પૂછ્યું. મેં “હા” કહ્યું એટલે તે બોલ્યા, રામભટજીને ત્યાં તમને ખૂબ અગવડ પડશે, કાલે તમે મારે ઘેર આવજે.' તેમનું આ નેતરું મેં વધાવી લીધું. શ્રી. કેળકરને ઘેર બધી સગવડ હતી. પીવાનું પાણી એક ચોખા કૂવામાંનું આવતું. આથી મારી તબિયત એક બે દિવસમાં સુધરવા લાગી. શ્રી. કેળકરે માધવ કોલેજના કેટલાક પ્રોફેસર સાથે મારી ઓળખાણ પણ કરાવી. આ બધાએ ઉઘરાણું કરી મને વાલિયરની ટિકિટ અને વાટખરચી જેટલો ગ કરી દીધું. - ઉજજનથી નીકળે તે રીતે ઝાંસીમાં બે દિવસ ગાળ્યા. ઝાંસીને સ્ટેશને એક કરાડે બ્રાહ્મણ ગાડીવાળો મળ્યો. તે પિતાની ગાડીમાં બેસાડીને મને તેને ઘેર લઈ ગયો. તેના ઘરમાં એક વિધવા બાઈ રહેતી હતી. તેને કાંઈ પૈસા આપવાના ઠરાવી તેણે મારી જમવાની ગોઠવણ કરી આપી. ઉજનમાં મને લાગુ પડેલું હાથધેણું અહીં પાછું શરૂ થયું. આ રોગે મને તદ્દન બેજાર કરી મૂક્યો. ઝાંસી શહેર પણ આખું જોવા મળ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ પૂનાથી વાલિયર * 53. નહિ. ઝાંસીથી નીકળી ઘણુંખરું 12 મી માર્ચના અરસામાં હું ગ્વાલિયર પહોંચ્યો. ત્યાં દા. લેલેને ઘેર ઊતર્યો. બીજે દિવસે દા. દ્વારકાનાથ શંકર વાગળને મળવા ગયો. પહેલાં તે તેમણે મારો સત્કાર ન કર્યો. પરંતુ, હું મૂળ સારસ્વત બ્રાહ્મણ છું, એમ જ્યારે તેમણે જાણ્યું ત્યારે પિતાને જ ઘેર આવીને રહેવાનો તેમણે મને આગ્રહ કર્યો. પણ તેમના ઘરમાં જગ્યાની સંકડાશને લીધે અને તેમના ઘરનાં બૈરાં ઉત્તર હિંદુસ્તાનના રિવાજ મુજબ પડદનશીન હોવાને લીધે, મને ઇલાયદી જગ્યા મળે તે વધારે ઠીક એમ મેં તેમને જણાવ્યું. તેમણે પડેશમાં જ એક ઉમરાવના બંગલાની પાછલી બાજુની ઓરડી મને અપાવી. અહીં મેં છ મહિના ગાળ્યા. ગ્વાલિયર પહોંચ્યો ત્યારે મારી તબિયત બગડેલી જ હતી. દા. વાગળેએ દવા કરીને એક અઠવાડિયામાં મને સાજો કર્યો. હવે મેં મારા વિચાર કાશી જવાનો છે” એમ તેમને જણાવ્યું. તેમણે કહ્યું, “ઉનાળાના દિવસ છે, તમને ખૂબ ત્રાસ થશે. ઉનાળો પૂરો થાય પછી જજે.” મને તેમનું કહેવું યોગ્ય લાગ્યું. ગ્વાલિયરનો ઉનાળો પણ કંઈ જેવો તેવો નહોતો. બાર વાગ્યા કે ઘર બહાર નીકળવાની વાત ન કરવી ! વળી કઈ કઈ વાર તો એવો ગરમ પવન ફૂંકાય કે રાત આખી ડિલ બધું લાય લાય થાય અને પળવાર પણ ઊંધ ન આવે. એક વાર આવી ગરમીને લીધે મને સખત તાવ ભરાયો. બે ત્રણ દિવસ પથારીવશ રહેવું પડ્યું. દા. વાગળની જ દવાથી તાવ ગયે અને પાછી તબિયત પહેલ જેવી થઈ બીડી પીવાનું વ્યસન એવું તે ચોટયું હતું કે અનેક પ્રયત્નો કર્યા પણ છેડયું છૂટે નહિ. હુકકે તો ગોવામાં હતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ 54 * આપવીતી. - ત્યારે જ છોડ્યો હતો. પણ તેને બદલે બીડી પીવાનું રાખ્યું છે હતું. ગ્વાલિયરમાં બીડી મળતી તે ખરી પણ દા. વાગળે સિગારેટ પીતા. આસ્તે આસ્તે ધૂમ્રપાનનું વ્યસન ઓછું કરતાં કરતાં રોજની ત્રણ સિગારેટ પીવા સુધી હું આવ્યો. પણ જે આ ત્રણ સિગારેટ ન મળી તો જીવ આકુળવ્યાકુળ થઈ જતો. દા. વાગળે પણ વચ્ચે વચ્ચે આ વ્યસન છોડવા મને શિખામણ આપતા, પણ મારાથી તે કેમે કર્યું છૂટે નહિ. ગરમીના ત્રાસથી જ્યારે મને તાવ આવ્યો ત્યારે મારા મોઢાની રુચિ ઊડી ગઈ અને બીડી કે સિગારેટ કઈ જ ન જોઈએ એમ થઈ ગયું. વ્યસનમાંથી છૂટવાની આ જ તક સર્વોત્તમ છે, એમ જોઈ મેં નિશ્ચય કર્યો. બીજ અઠવાડિયામાં તો આ નિશ્ચય ડગશે કે શું એમ લાગ્યું. પણ સદ્ભાગ્યે હું ન જ ચળ્યો. છેલ્લાં બાર તેર વર્ષમાં હું બીડી કે સિગારેટને નથી જ અડક્યો એમ તે નહિ કહું; સિલોન અને બ્રહ્મદેશમાં હતો ત્યારે કોઈક પ્રસંગે એકાદ બે સિગારેટ કે ચિરૂટ પીધી હશે, પણ તંબાકુનું વ્યસન જે ગ્વાલિયરમાં છૂટી ગયું તે ફરી પાછું વળગ્યું નથી. * દા. વાગને ઘેર જઈ જમવું અને ઓરડીએ જઈને બેસવું એટલું જ જોખમદારીનું કામ ગ્વાલિયરમાં મારા ઉપર હતું ! પણ આમ નવરા બેસી રહેવાનો તે મને મૂળથી જ અણગમો. “કાવ્યસંગ્રહ'માં છાપેલ મેરો પંતનાં કેટલાંય કાવ્યો મેં વાંચ્યાં. દા. વાગળના ભાણેજને શીખવવા એક ગ્રેજ્યુએટ શિક્ષક આવતા તે પોતે સંસ્કૃતનો અભ્યાસ કરતા. તેમની પાસેથી “કિરાતાજુનીય'ના કેટલાક કે સમજી લઈ મેં મેઢે કર્યો. વાલિયરની કોલેજમાં જઈ ત્યાંના શાસ્ત્રીને મને સંસ્કૃત શિક્ષક તાલીમ ઈ ત્યાંના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ પૂનાથી વાલિયર શીખવવા મેં વિનંતી કરી પણ તે તેણે સ્વીકારી નહિ. તથાપિ આ બાબતમાં જાતઉદ્યમથી જે કંઈ બની શકે એમ હતું તે કરવામાં મેં બાકી રાખ્યું નહિ. . * હું કાશી જવા વિષે વાત કાઢું ને દા. વાગળે “જોઈશું” કરીને જવાબ આપે. આમ ઘણું દિવસ ચાલ્યું. છેવટે એક દિવસ તેમણે કહ્યું, “જુઓ, હું તમને મારા નાના ભાઈ જેવા સમજું છું. તમે આમ દેશવિદેશ ભટકતા ફરી નકામું આયુષ્ય ગુમાવો એ મને જરાય પસંદ નથી. તમને મરાઠી સરસ આવડે છે, અને અહીં મારા જેવો કોઈ તમારે માટે પ્રયત્ન કરે તે તમારા જેવાને સારુ પચીસ ત્રીસ રૂપિયાની નોકરી મળવી મુશ્કેલ નથી. વળી તમે હેશિયાર અને પ્રમાણિક જુવાન એટલે પાંચ છ વર્ષમાં બસો અઢીસો રૂપિયા સુધી પહોંચ્યા વિના નહિ રહે.” કેવળ મરાઠી જાણનારા કેટલાક ગૃહસ્થોની આવી ચડતી થયાના કેટલાક દાખલા પણ આપ્યા. પણ તેમની વાત સાંભળી એક પ્રકારના વિસ્મય અને કૌતુક લાગવા ઉપરાંત તેની મારા મન ઉપર બીજી કશી જ અસર ન થઈ - લગભગ છ મહિનાના અનુભવને અંતે દા. વાગળેએ . ' માસિક રૂ. 25 થી 200 સુધીની મારી કિંમત કરી એની મને ભારે નવાઈ લાગી ! મેં તેમને ચોખ્ખું કહ્યું કે, “મારી જહેમત પૈસા મેળવવા સારુ નહિ પણ આત્મતૃપ્તિને સારુ છે. પૈસો કમાવા ખાતર મેં ગૃહત્યાગ કે દેશત્યાગ કર્યો નથી.” પણ તેમને કઈ રીતે મારી વાત હૈયે બેસે નહિ. તે બોલ્યા, - “તમારું ખાનપાન જોતાં તો તમે કાયમના રોગી દેખાઓ છે. અહીં તે માંદેસાજે તમને સંભાળી લેનાર હું છું. પણ P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ * આપવીતી " કાશી જેવા ક્ષેત્રમાં તમારી ઊઠવેઠ કોણ કરશે? નોકરી મળે છે કે ન મળે એટલી જ જે તમારા મનને શંકા હોય તો હું તમને તે મળે ત્યાં સુધી મારા પગારમાંથી દર મહિને ત્રીસ રૂપિયા આપવા સ્ટેમ્પના કાગળ પર લખી દેવા તૈયાર છું!” તેમની આ ઉદારતાને સારુ મેં તેમનો આભાર માન્યો. મેં કહ્યું: “હું તમારે ઋણું છું. આ છ મહિના થયાં તમે ખરેખર જ મને સગા ભાઈની પેઠે રાખ્યો છે અને અત્યારે પણ એ જ પ્રેમ તમારી પાસે આ બધું કહેવડાવે છે. પણ તમારા નાના ભાઈની જિજ્ઞાસા તૃપ્ત કરવી એ પણ તમારી એક ફરજ નથી શું? સિંધિયા રાજ્યમાં એકાદી કારકુની કરતાં કરતાં જ હું જિંદગી પૂરી કરું ને મરું એ તમને ઠીક લાગે છે? તમે જ્યાં સુધી અહીં બેઠા છે ત્યાં મને કારકુની મળતાં તો કેટલી વાર? પણ આજે સંસ્કૃત શીખવાની મારી ઉત્કટ ઈચ્છા કચડી નાંખી અહીં કારકુની સ્વીકારવામાં મારું શું કલ્યાણ થવાનું? મને મદદ કરવાની જ જે તમારી ઈચ્છા છે તો તે મારા શિક્ષણની બાબતમાં કરે. બીજા કશાને સારુ મને મદદની અપેક્ષા નથી.” મારું બેલવું તેમને રુચ્યું નહિ. માલપ કરીને મરાઠા જાતિના એક ગૃહસ્થ તેમના મિત્ર હતા. તેમની મારફત મારું મન ફેરવવાનો પણ તેમણે પ્રયત્ન કરી જે. પણ મારે સંકલ્પ કઈ ફેરવી શકે એમ નહોતું. છેવટે ઘણી નાખુશીપૂર્વક તેમણે મને કાશી જવાની સંમતિ આપી. એટલું જ નહિ પણ હસ્તપરહસ્તે મારા શિક્ષણની બાબતમાં મદદ કરવા વચન પણ આપ્યું. વળી જે કાશીમાં બરાબર ગોઠવણ ન જ થાય ? તો મારે પાછા ગ્વાલિયર ચાલ્યા આવવું એમ પણ કહી રાખ્યું. ' , ' , ' . . ; ' - : , .. P.P. Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ પૂનાથી વાલિયર ' + 57 બી. નારાયણરાવ નામના તાંજોર તરફના એક વિદ્યાથી ગ્વાલિયરમાં બી. એલ. (વકીલાત)નો અભ્યાસ કરતા હતા, દા. વાગળને ઘેર તે વારંવાર આવતા તેથી તેમને અને મારો ઠીક પરિચય થયો હતો. તે જરા ઉતાવળિયા સ્વભાવના હતા; પણ ખૂબ નિખાલસ દિલના હાઈ ટૂંક મુદતમાં જ અમારી વચ્ચે માયા થઈ હતી. હું કાશી ગયા પછી મારા ખર્ચને માટે દર મહિને ત્રણ રૂપિયા મોકલવાનું વચન આપી પહેલા ત્રણ રૂપિયા તેમણે મને અગાઉથી જ આપ્યા. દા. વાગળેએ ખરચને સારુ વીસ રૂપિયા આપ્યા, અને તેમના મિત્ર શ્રી. માલપે એક રૂપિયો આપ્યો. આ ઉપરાંત દા. વાગળેએ ટાઢથી બચવા સારુ મને એક ખૂબ જાડે કટ આપે. બે શિયાળા સુધી તે મને ખૂબ કામ આવેલો. - કાશીમાં સંન્યાસીની માફક રહેવું શક્ય નહોતું. કારણ, ગ્વાલિયરના શાસ્ત્રીબુવાએ જેમ મને સંસ્કૃત શીખવવા ના . પાડી તેમ કાશીના શાસ્ત્રીઓ પણ કરે એ બીક હતી જ. તેથી બી. નારાયણરાવની સલાહથી મારે પાછું યજ્ઞોપવીત ધારીને બ્રાહ્મણ બનવું એવો ઠરાવ કર્યો. પણ શિખા ક્યાંથી લાવવી? પૂના અને રોટલી બન્ને એક સાથે જ છોડ્યાં હતાં! અંતે નારાયણરાવે જ આ સવાલનો પણ ઉકેલ કર્યો. મારે માથે ઇંચ દોઢ ઈંચ જેટલા વાળ વધ્યા હતા. જતાં જતાં પ્રયાગ ઊતરી માટે ક્ષૌર કરાવવું અને તે વખતે માથા ઉપર વચ્ચોવચ એટલી પૂરતા થડા વાળ રખાવી લેવા એમ નકકી થયું. નારાયણરાવે બે ત્રણ જનોઈઓ પણ હું સ્ટેશને જવા નીકળ્યો ત્યારે મને આણી આપી. પોતે મને સ્ટેશને વળાવવા આવેલા. દા. વાગળેએ પોતાનો ટાંગે મને સ્ટેશને મૂકવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ 58 : : : આપવીતી મોકલ્યા હતા. ઘેરથી નીકળ્યા કે ઘોડે ચમકો; બીજો કોઈ હોય તે અપશુકન ગણ પાછા : ફરે. પણ હું તે જરાય ગભરાયો નહિ. સારે નસીબે નારાયણરાવ પણ શુકન અપશુકન માનનારા નહતા. આગળ જતાં તો ઘેડે ખાસો ચાલ્યો અને અમે સુખેથી ગ્વાલિયર સ્ટેશને પહોંચ્યા. બી. નારાયણરાવ અને બીજા એક બે ગૃહસ્થની રજા લઈ હું ગાડીમાં બેઠે. આ દિવસ (1900) સપ્ટેમ્બર મહિનાની ૧૭મી તારીખ હતે એમ સ્મરણ છે. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ કાશીયાત્રા છે. ગ્વાલિયરથી નીકળ્યો તેને બીજે દિવસ પ્રયાગ આવી પહોંચ્યો. ત્યાં દક્ષિણીઓના ગોરને ત્યાં ઊતર્યો. આ ગરદેવતા સ્વભાવે સારા હતા. તેમણે બધી તીરથજાત્રા સવા રૂપિયામાં કરાવી દેવાનું કબૂલ કર્યું. મુખ્ય વિધિ ક્ષૌર કરાવવાની હતી. બીજે દિવસે હું ગરદેવની જોડે સંગમ ઉપર ગયે. ગરદેવે એક વાળંદ શેાધી મને હજામત કરાવવા કહ્યું. છ મહિના ગ્વાલિયરમાં ગાળ્યાથી મને સહેજસાજ હિંદુસ્તાની ભાષા બોલતાં આવડ્યું હતું. આવી ભાષામાં મેં પેલાને માથા વચ્ચે આશરે ચાર પાંચ ઈંચ ઘેરાવાની એટલી રાખવા વળીવળીને સમજાવ્યું; પણ ચોટલીનું હિંદી ભાષામાં જુદું જ નામ હોવાથી તેને મારા બોલવાનો મર્મ સમજાય નહિ. તેણે પોતાના સ્વદેશી અસ્ત્રાથી મારા માથાની વચ્ચોવચથી એક બે પટ્ટા પાડ્યા. સભાગે મને તરત જ શંકા આવી તેથી મેં તેને પૂછયું. પેલો તો કહે, “બસ ઠીક હૈ!” પણ તેના આ કૃત્યથી ચોટલી રાખવી લગભગ અશક્ય થઈ પડી. આખરે લગભગ અર્ધા ઈંચ જેટલા ઘેરાવાની અને તે પણ બરોબર મધ્યભાગમાં નહિ એવી ચોટલી રાખી આ કુશળ નાપિતરાજે પોતાનું કામ પૂરું કર્યું ! પિંડ દેવાં વગેરે. તીર્થકૃત્યની ભાંજગડમાં હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ આપવીતી બિલકુલ પડ્યો જ નહિ. ગરદેવતાને સવા રૂપિયે મળ્યો એટલે બધું તેમણે પરભાયું સંભાળી લીધું. તારીખ ૨૦મ્મી સપ્ટેમ્બર ૧૯૦૦ને રોજ બપોરની ગાડીમાં પ્રયાગ (અલ્લાહાબાદ)થી નીકળી રાત્રે સાડાદસે કાશી સ્ટેશને પહોંચ્યો. હજુ ઊતરું છું એટલામાં સખારામ ભટ નામના કોઈ એક કાંકણસ્થ બ્રાહ્મણે મને કહ્યું કે, “આપણે ઘેર ચાલો, હું તમારી બધી સગવડ કરી આપું છું.' એટલામાં એક સ્યામવર્ણ ઠીંગણું સરખા બીજા સખારામ ભટજી ત્યાં આવી લાગ્યા. તેમણે કહ્યું કે, “તમારા બાપદાદા કાશયાત્રાએ આવ્યા ત્યારે અમારે ઘેર ઊતર્યા હતા. હવે તમે આ ભામટાને પલ્લે કયાં પડે છે?' આ પ્રસ્તાવના બાદ આ બે કાળા ગોરા સખારામો વચ્ચે જે વાયુદ્ધ જામ્યું તે પૂછે જ ભા. બંનેને શાંત કરવા મેં પ્રયત્ન કર્યો. મેં કહ્યું : “લડે છે શું કરવા? અમારા બાપદાદાને દાખલો જેના ચોપડામાં હેય તેણે તે આણને દેખાડવો એટલે આવતી કાલે હું તેમને ત્યાં રહેવા જઈશ. હાલ તે આ (ગેર) સખારામ ભટજી મને પહેલા મળ્યા છે એટલે હું તેમને ત્યાં જ જવાનો.” આટલી વાત થયા પછી હું (ગોરા) સખારામ ભટજીની સાથે સ્ટેશનની બહાર નીકળ્યો. પેલા શ્યામસુંદર ગોરદેવતા હવે મોટેથી બરાડા પાડી તાડૂક્યા, “જા, જા, એની જોડે જ જા. એ ભામટો તારી પાસે જે કંઈ હશે તે તમામ ખૂંચવી લઈ તારું ખૂન કરશે એ ધ્યાનમાં રાખજે!” મેં કહ્યું, “મારી પાસે ખૂંચવી લે એવું કશું છે નહિ, અને મારું ખૂન થાય એને તો મને જરાયે ડર નથી.' - તે રાત્રે સ્ટેશન આગળ જ એક નાની શી ઓરડીમાં હું તથા સખારામ ગાર સૂતા. બીજા પણ બે ત્રણ જણ ત્યાં હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust, .
Page #69
--------------------------------------------------------------------------
________________ કાશીયાત્રા પણ મારા મનમાં ખૂનની લગીરે આશંકા આવી નહિ. મને ગાઢ નિદ્રા આવી ગઈ બીજે દિવસે પરોઢિયે સખારામ ગેરે મને ઉઠાડ્યો; અને અમે બંને એક એકા (ઘેડાના ટાંગા)માં બેસી તેને ઘેર ગયા. ગરદેવતાએ ઘરમાં એક “અંગવસ્ત્ર” રાખ્યું હતું ! બાઈ ઘણેભાગે શક જાતિની હતી. આ બાઈ અને તેનાં બે ત્રણ છોકરાં એ બધાંની સંભાળ ગરદેવતાને જ કરવી પડતી. એટલે કે તેમને રસેઈ સિકેકે કરી જમાડવાં પણ ગોરને જ પડતાં. બાઈએ બારણું ઉઘાડયું એટલે ગોરે મેડી ઉપરની એક ઓરડી મને ઊતરવા આપી. હાથપગ ધોઈ પરવાર્યો એટલામાં ગોરમહારાજની સવારી યાદી કરીને લાવી. તેમણે પંચકોશીની જાત્રાથી માંડીને છેક ચાર પાંચ રૂપિયામાં આપી લેવાય એવા શ્રાદ્ધ સુધીની બધી જાત્રાઓની ફેહરિસ્ત મને સંભળાવી. મેં કહ્યું: “આ બધાની ઉતાવળ નથી. હું તો અહીં ખાસાં વરસ બે વરસ રહેવાને ઇરાદે આવેલ છું. એટલે સગવડ મુજબ ગમે ત્યારે આ બધું થઈ શકશે. અત્યારે તો મારે એક ગુરુ શેધી તેમની પાસે વિદ્યાભ્યાસની શરૂઆત કરવી છે, અને જમવાની શી સગવડ થઈ શકે તેમ છે એ જોવાનું છે. મારી પાસેથી કશું ખાટવાની આશા નથી એમ ગોરદેવતાને ખાતરી થતાં જ તેમણે કહ્યું, “તમે શેણવી છે એટલે અહીંના શેણવીમઠમાં તમને આશ્રય મળવો જોઈએ. કાશીમાં સારસ્વતના ત્રણ મઠ છે. પણ દુર્ગાઘાટ ઉપરના મઠની જ ગોરમહારાજને માહિતી હોવાથી તેમણે મને તે જ મઠમાં જવા કહ્યું. Raa સગવડ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ આપવીતી જમ્યા પછી હું ત્યાં જવા નીકળ્યો. વરસાદ ઝી ઝીણે વરસતો હતો. દુર્ગાઘાટ પૂછતો પૂછતો જતો હતો ત્યાં એક અન્નછત્રમાં જમનાર બ્રાહ્મણ મળ્યો. તેણે કહ્યું “હું ત્યાં જ જાઉં છું, તમે મારી સાથે ચાલો.' તે મને સાંકડી ગલીમાં થઈને (કાશીમાં આવી ગલીઓ બહુ છે) લઈ જવા લાગ્યો. મારા મનમાં ઘડી વાર શંકા થઈ આવી કે આ માણસ મને લૂંટી લેવા ક્યાંક અગોચર જગ્યાએ તે નહિ લઈ જતો હેય! ક્યાંક ક્યાંક તો તદ્દન અંધારું આવતું, કેમ જાણે અમે એકાંદ ખાણમાં થઈને ચાલતા હોઈએ ! મારી પાસે આના બે આનાથી વધુ મતા નહતી. બાકી બધું સખારામ ગોરને ઘેર પાકીટમાં હતું. આ વાત યાદ આવતાં “ડર તો પીછે રહ' એ કહેવત મુજબ મારો ભય જતો રહ્યો. આ અન્નછત્રવાસી બ્રાહ્મણ મને ગમે ત્યાં લઈ જાય તો પણ મારી પાસેથી તેને કશુંયે મળે એમ નથી, એમ ધારી મૂંગે મૂંગે હું તેની પાછળ ચાલ્યા. છેવટે દુર્ગાઘાટ નજીક આવતાં મને શેણવીઓનો મઠ ચીધી પેલે બીજી તરફ ગયો. - શેણવીને મઠમાં આ વખતે શ્રી. ગોવિંદરાવ પાલેકર . નામના એક વયેવૃદ્ધ ગૃહસ્થ રહેતા હતા. તેમના દીકરા શ્રી. વામન ગેવિંદ પાલેકર (બેલગામના એક પ્રખ્યાત વકીલ)નું નામ મેં સાંભળ્યું હતું. શ્રી. વામનરાવ ગુજરી જવાથી કંઈ ઘરકામ સારુ ગોવિંદરાવને કાશીની કેરટમાં જવું પડયું. ' ચાલતા જવું અશક્ય હતું તેથી ડેળીમાં બેસી કેરટમાં ગયા. પણ પાછી આવતી વખતે તે વરસાદ પડ્યો અને પરિણામે ઘેર આવી: માંદા પડયા. તેમને અતિસારનો રોગ લાગુ પડયોઃ હું જ્યારે મઠમાં ગયા ત્યારે તે ખૂબ માંદા હતા. છતાં મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ કાશીયાત્રા સાથે તેમણે ઘણા પ્રેમથી વાત કરી. પિતાની જ ઓરડીમાં રહેવા તેમણે મને આગ્રહ કર્યો. અત્યંત સાંકડી ગલીઓમાંથી બહાર આવ્યાથી મને એક રીતે નિરાંત વળી. શેણવીઓનો મંઠ છેક ગંગાકાંઠે હોવાથી શ્રી. ગોવિંદરાવની ઓરડીમાંથી ગંગાનો પટ તથા આસપાસનો રમણીય પ્રદેશ સાફ દેખાતો: આ દેખાવથી તેમ જ ગાવિંદરાવના ઉત્તેજનકારક શબ્દોથી મારું ચિત્ત પ્રફુલ્લિત થયું એમાં નવાઈ નથી. . . . તે જ દિવસે સાંજે સખારામ ગોરને ઘેરથી હું મારો સામાન આ મઠમાં લઈ આવ્યો. કાશીબાઈ નામની કાચીન તરફની એક વિધવા ડોશી આ જ મઠમાં રહેતી. તે શ્રી. ગોવિંદરાવને રસોઈ કરી આપતી. બીજે દિવસે ગોવિંદરાવે પિતાની પાસેનું સીધું સામાન આપી મારી જમવાની ગોઠવણ કરાવી. પોતે માંદા હોવાથી લાંઘણ કરી. મારી અડધા ઈચ ઘેરાવાની અને એક ઇંચ લંબાઈની ચોટલી જોઈને કાશીબાઈને ભારે નવાઈ લાગી ! મને લાગે છે કે આ બાબત ગોવિંદરાવ પાસે તેણે ફરિયાદ પણ કરી હોવી જોઈએ. પણ ગોવિંદરાવને આજકાલના સુધારકોના ઢગ માલૂમ હોવાથી તેમણે બાઈનું સમાધાન કર્યું હશે. “જુવાન છે, દેખાદેખીથી ચોટલી કપાવી નાંખી રાખ્યા હશે વાળ! એમાં શું થઈ ગયું? એટલાથી તે કાંઈ અબ્રાહ્મણ નથી થઈ જતો. આજકાલ કયાં થેડા લોકો . વાળ રાખે છે? તે બેલગામ તરફના કેટલાક સારસ્વતનાં નામ ઠામ કહે છે, એટલે સારસ્વત જ હશે, આવી રીતે બાઈને શાંત કરવા તેમણે પ્રયત્ન કર્યો હશે. પણ તેથી કાંઈ બાઈનું સમાધાન થયું નહિ. તે મારી પત્રાવળી દૂર જ માંડે અને મને પોતાનાં વાસણને અડકવા પણ ન દે. સદ્દભાગ્યે મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ - આપવીતી જનોઈ વિષે તેના મનમાં શંકા ન આવી, કારણ, તે તદ્દન નવી હતી.' શેણવીમઠ નજીક જ પાણીને નળ હતો. પણ નળનું પાણી પીવું એ બધે બોળાવાડે ગણાતો હોવાથી ગાવિંદરાવને ઘેર ગંગાનું જ પાણી પિવાતું. આ ગંગાજળે પહેલે જ દિવસ મને પરચો દેખાડ્યો. આખી રાત ઊંઘ ન આવી અને પાંચ દસ વખત શૌચ જવું પડયું. બીજે દિવસથી ગંગા ઉપરથી નાહીને આવતાં લેટ ખાલી લઈ આવું, અને નળની નજીક આવતાં આસપાસ નજર ફેરવી, કોઈ બ્રાહ્મણ જોવામાં ન આવે કે ઝટ લેટો ભરી લઉં એવો ક્રમ મેં રાખે. હું નળનું પાણી પીઉં છું, એવી બાઈને ખબર પડી તે મારું જમવાનું ટળી જવાનું એવી પાકી દહેશત મને હતી. આથી આ વાતની તેને ખબર ન પડે એની માટે ખાસ સંભાળ રાખવી પડતી. ગાવિંદરાવની સલાહથી કાશીમાં સ્થિર થવાનું કેવી રીતે ગોઠવવું એ મેં ઠરાવ્યું. અન્નછત્રમાંથી ભેજન તો મળે એમ હતું પણ તે સારું ગ્વાલિયરના કેઈ મેટા અમલદારની ચિઠ્ઠી મેળવવી જોઈએ એમ તેમણે કહ્યું. વેદશાસ્ત્રસંપન્ન ગંગાધરશાસ્ત્રી તેલંગની પાસે સંસ્કૃતનું અધ્યયન કરવું એમ પણ તેમણે સૂચવ્યું. તેમની આ સલાહ મુજબ હું કાશીમાં કેવી રીતે રહ્યો એ આ પ્રકરણમાં કહેવા બેસતાં બહુ લંબાણ થાય, તેથી આ પ્રકરણ અહીંયાં જ પૂરું કરું છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ કાશીમાં નાનાંમોટાં અનેક અન્ન છત્રો છે, પણ તેમાં મુક્તકાર એવાં તો બે જ છે. એક મદ્રાસ તરફના કાઈ વેપારીએ સ્થાપેલું અને બીજું શ્રીમંત મહારાજ જયાજીરાવ સિંધિયાનું સ્થાપેલું. શ્રી. જયાજીરાવ કાશયાત્રાએ આવ્યા તે વખતે કાશીમાં વસતા દરેક બરવાળ બ્રાહ્મણને સો સો રૂપિયા દક્ષિણ આપવી એ વિચાર કર્યો. પણ કાશીના પંડિતને આ રુચ્યું નહિ. એકાદ દસગ્રંથી વૈદિકને કે સંપન્ન પંડિતને તેમ જ એક સાવ અભણ બ્રાહ્મણને સરખી જ દક્ષિણ મળે, એ કાશીવાસી પંડિતગણને પસંદ નહોતું. પરિણામે સિંધિયા સરકાર ત્રાસીને બોલ્યા, “જો આ વાત સહુને પસંદ ન હોય તો દક્ષિણ માટે જુદા કાઢેલા આ છે લાખ રૂપિયા ગંગાજીમાં પધરાવું છું ! " અંતે કેટલાક પીઢ. ગૃહસ્થો વચમાં પડ્યા અને સિંધિયાં સરકારને એવી સલાહ આપી કે એ રૂપિયા ગંગાજીમાં પધરાવવા કરતાં એ જ રકમમાંથી કાશીમાં એક અન્ન છત્ર સ્થાપવું. આ વાત કબૂલ કરવામાં આવી અને સિંધિયા સરકારે પેશ્વાઓનું બાંધેલું બાલાજીનું મંદિર અંગ્રેજ સરકારના તાબામાંથી છોડવી લીધું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ 66 ' આપવીતી અને ત્યાં એક અન્નછત્ર શરૂ કર્યું. હાલ એ “બાલાજીનું અન્ન છત્ર' કહેવાય છે.* બાલાજીના અન્ન છત્રમાં સારસ્વતાને દાખલ કરે છે ખરા, પણ તે માટે ઉપરી અમલદારની મંજૂરી મેળવવી પડે છે. અને મંજૂરી મળ્યા પછી પણ સારસ્વતને બીજી પંગતમાં જમવા બેસવું પડે છે. બીજો કોઈ રસ્તો ન હોવાથી આ જ અન્ન છત્રને મારે આશ્રય શોધવો રહ્યો હતો. આથી શ્રી. ગોવિંદરાવ પાલેકરે મને ગ્વાલિયરથી અહીંના અમલદાર ઉપર ચિઠ્ઠી મેળવી આ છત્રમાં જ જમવાની ગોઠવણ કરી લેવા કહ્યું. મેં દા. વાગલેને આ બાબત લખ્યું. પણ તેમણે પોતે કશું લખવાને બદલે શ્રી. માલપ પાસે કાગળ લખાવ્યો. માલપનું કહેવું એમ * હતું કે બાલાજીના અન્નછત્રમાં જવાની જરૂર નથી. દા. વાગળ, રાવરાજા રઘુનાથરાવ રાજવાડેને વાત કરીને, તેમના અન્નછત્રમાં મારી સગવડ કરવાના છે. રાવરાજા રઘુનાથરાવના પિતા દિનકરરાવે બ્રહ્મઘાટ ઉપર કોઈ એક જગ્યાએ પંદર બ્રાહ્મણનું એક અન્ન છત્ર રાખેલું છે. ત્યાં મારી ગોઠવણ થઈ હોત તો અનેક કષ્ટોમાંથી હું બચી જાત. પણ દા. વાગળને સ્વભાવ ભારે શરમાળ. તેમણે રાવરાંજાને કહ્યું તો નહિ જ, પણ એક ચિઠ્ઠીથી બાલાજીના અન્નછત્રમાં મારી જે સહેજે ગોઠવણ થઈ શકી હોત તેટલું પણ તેમણે કર્યું નહિ. આ તરફ હું નાહક તેમના કાગળની રાહ જોતો રહ્યો. * આજે આ અત્રછત્રમાં પહેલાંની જેમ તમામ બ્રાહ્મણને ભોજન મળતું નથી. પરંતુ ફક્ત મર્યાદિત પ્રમાણમાં ભિક્ષા અપાય છે. - ભા. ક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ વિદ્યાભ્યાસની સગવડ તે તાબડતોબ થાય એમ હતું. કાશીમાં હરકેાઈ પંડિત પાસે જાઓ, તે કશું લીધા વગર તમને શીખવશે. પણ “થડને જ વળગવું’ એ વચન પ્રમાણે સુપ્રસિદ્ધ પંડિત વેદશાસ્ત્રસંપન્ન ગંગાધર શાસ્ત્રી કને જ અધ્યયન કરવાનો મેં નિશ્ચય કર્યો. ગોવિંદરાવને પણ આ વાત ગમી. એક દિવસ બપોરે હું ગંગાધર શાસ્ત્રીનું ઘર શોધવા નીકળે. ફરતાં ફરતાં તેમના ઘર આગળ પહોંચ્યા. જમખેડીના કોઈ ઉમરાવ કુટુંબના બાબાસાહેબ નામે જાણીતા એક ગૃહસ્થ કાશીમાં લગભગ એક તપ (દ્વાદશ વર્ષ) થયાં રહેતા હતા. તેઓ ગંગાધર શાસ્ત્રી પાસે શાસ્ત્રાધ્યયન કરતા. તે દિવસ મીમાંસાશાસ્ત્રનો પાઠ સાંભળીને શાસ્ત્રીજીને ઘેરથી પાધરા જ તેઓ પોતાને ઘેર જવા નીકળ્યા હતા. વાટમાં મારે એમની જોડે ભેટ થયો. “ગંગાધર શાસ્ત્રીનું ઘર આ તરફ આવ્યું?' એવો મેં તેમને પ્રશ્ન કર્યો. તેમણે જવાબ વાળ્ય. “તમારે તેમના ઘરનું શું પ્રયોજન?' મારે સંસ્કૃત ભાષાનું અધ્યયન કરવું છે.' તમારો કેટલે અભ્યાસ થયો છે?” મને “રઘુ'ના એક બે સગે આવડે છે, એથી વિશેષ કશું નથી આવડતું. હવે “કૌમુદી' શરૂ કરવી છે.' ' . આ સાંભળીને બાબાસાહેબ વિસ્મિત થઈ બોલ્યા, “આ ઉંમરે તમે શાસ્ત્ર ભણીને શું કરશો? મને લાગે છે કે તમારી ઉંમર લગભગ પચીસ વર્ષની હશે. આજ તમે “કૌમુદી' શરૂ કરશો! તે તમને કેદહાડે ખપ આવશે? એના કરતાં તમે રેલવેમાં કે બીજે કઈ ઠેકાણે નોકરી કરશે તો તમને વધારે P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ 8 \ આપવીતી ઉપયોગી થશે. આ અભ્યાસના છેદમાં નાહકના ન પડો. મને એને અનુભવ છે, તેથી જ હું તમને સલાહ આપું છું. સાધારણ રીતે એકાદ શાસ્ત્રનું જ્ઞાન મેળવતાં કેટલાં વર્ષ લાગે એની પણ તમને ખબર છે કે ?" કેટલાંક લાગશે વારું?” ભલા ભાઈ! કેવળ એક શાસ્ત્રનો અભ્યાસ કરવાને પણ બાર વર્ષ જોઈએ, બાર વર્ષ! બાર વર્ષ તમે અહીં ગાળવા તૈયાર છે?” ભાઈસાહેબ! બાર વર્ષ એ તો કાંઈ બહુ ન કહેવાય. વીસ પચીસ વર્ષ ગાળવાં પડે તે પણ હરકત નહિ, પણ સંસ્કૃત ભાષાનું જ્ઞાન તો મેળવવું જ મેળવવું એવો મારે સંકલ્પ છે.” બાબાસાહેબનું આશ્ચર્ય બમણું વધ્યું. તેમણે કહ્યું, “શી વાત કરો છો ! વીસ વર્ષ ? અરે, વીસ વર્ષ વીત્યા પછી તમને તમારે અભ્યાસ શો ખપ આવશે?' ' હસતાં હસતાં કહ્યું, “જુઓ, તમે હિંદુ છે એટલે તમે પુનર્જન્મને તો માનતા જ હશે. કેમ? તમે પુનર્જન્મ માને છે કે નહિ?” વાહ, પુનર્જન્મ કેમ ન માનું? એમાં તે વળી શંકા હેાય? પણ અહીં તેને શું સંબંધ?” * “જે આટલી મહેનત કરવા માગું છું તે આ જન્મમાં , તેનું ફળ મળે એટલા સારુ નથી. આ મહેનતનું ફળ મને બીજા જન્મમાં મળશે. બીજા જન્મમાં શાસ્ત્રાભ્યાસ સરસ થઈ શકશે. કેમ તમને આમ નથી લાગતું?' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ ' બાબાસાહેબ છેક દંગ થઈ ગયા! તેમણે કહ્યું, “આવડી તમારી શ્રદ્ધા છે તો જાઓ, પ્રયત્ન કરે. આ સામે દેખાય છે તે જ ગંગાધર શાસ્ત્રીનું ઘર.’ આમ કહી તે ચાલ્યા ગયા. ' કેટલાંક ઘર મૂકી આગળ જતાં એક બારી આગળ (કાશીમાં ઘરની બારીઓ પૂનાનાં અસલી ઘરોની જેમ જમીન બરાબર હોય છે.) તકિયાને અઢેલીને બેઠેલા એક ગૃહસ્થને મેં જોયા. તેમની જનોઈ જોતાં તે બ્રાહ્મણ હતા એવું અનુમાન સહેજે થઈ શકયું. પણ તેમને ઠીંગણે બાંધો અને કાળા ચહેરે જોઈને તે તેલંગણ તરફના હોય એમ લાગ્યું. વળી એક બાજુ તેમનું મેલું શાહપુરી પંચિયું અને બીજી બાજુએ તેમનું તક્ષિાને અઢેલીને બેસવું, એ બે વાતનો પણ મારા મનમાં મેળ મળે નહિ. આ ભટજી ગરીબ ભિક્ષક હોય તો આમ તકિયાને અઢેલીને કેમ બેસે ? કઈ શ્રીમંત હોય તો આવું મેલું પંચિયું કેમ પહેરે ? ગમે તે હો, પણ એમને ગંગાધર શાસ્ત્રીનું ઘર પૂછવામાં શો વાંધો ? મરાઠી આવડતું હશે તે જવાબ આપશે, નહિ આવડતું હોય તે બીજે ઘેર પૂછીશ. આ વિચાર કરી મેં કહ્યુંઃ “આટલામાં ક્યાંક ગંગાધર શાસ્ત્રી તેલંગ રહે છે ને?” “તમારે તેમનું શું કામ છે ?" “મારે તેમને મળવું છે.' ત્યારે અંદર આવો', એમ તે બોલ્યા. અંદર જઈને જોઉં છું તો સફેદ પળિયાં આવેલા કેટલાક શિષ્ય તિપિતાની પોથીઓ છોડીને તેમની સામે બેઠા હતા! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ 70 આપવીતી આ પિતે જ ગંગાધર શાસ્ત્રી, એમ લગભગ મારી ખાતરી થઈ. તેમને પ્રણામ કરી હું એક કેરે જઈ બેઠે. તેમણે કહ્યું, “તમારે શું કામ છે?' મારે શાસ્ત્રાભ્યાસ કરે છે તેથી આપની પાસે . આવ્યો છું.” પણ તમારે કયું શાસ્ત્ર શીખવું છે? ન્યાય વ્યાકરણ?' ખાસ તે ભારે ન્યાયશાસ્ત્ર શીખવું છે. પણ પહેલાં - વ્યાકરણ પણ હું શીખવા ઈચ્છું છું.” તમારે ન્યાય શીખવો હોય તે હું એક સરસ પંડિત જોડે તમને મેળવી આપું. હું પોતે વૈયાકરણી હોવાથી મને ન્યાયશાસ્ત્રનું જોઈએ તેવું જ્ઞાન નથી.” આપને જેટલું આવડતું હશે તેટલું મારે માટે બહુ છે. કારણ હું તો સંસ્કૃત રૂપાવલી શીખનારે વિદ્યાર્થી છું.” “તમે ફરી એક વાર મને મળજે એટલે તમારા અભ્યાસને વિચાર કરીશું. હાલ તો તમારા ખાવાપીવાની ગોઠવણ પાછળ લાગે. . આટલું કહી તેમણે મને રજા આપી. આ જ વખતે તેમના મેટા પુત્ર ઇંડિરાજ શાસ્ત્રીની ઓળખાણ થઈ હવે જમવાની ગોઠવણ શી શેાધવી એની ફિકરમાં હું પડ્યો. દા. વાગળને ફરી એક વાર કાગળ લખ્યો અને જવાબની રાહ જોતો બેઠે. એટલામાં ગોવિંદરાવ પાલેકરનો મંદવાડ વધી ગયો. તેમની ઈચ્છાથી તેમના પૌત્રને તાર કર્યો. ત્રણ ચાર દિવસમાં તેમના પૌત્ર, પરાડકર કરીને એક મિત્ર વિદ્યાર્થીને સાથે લઈ કાશી આવ્યા. તેમને આવ્યા પછી બીજે કે ત્રીજે દિવસે ગોવિંદરાવે દેહ છોડવો ! તે પ્રસંગે ભારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ સ્મશાન જવું પડયું. વળી કવખતનું ખાવું, નદીએ નાહવું વગેરે કારણથી મને સખત તાવ ભરાયો. છેવટે શ્રી. પરાડકર મારફત એક ડોળી ભાડે કરાવીને હું કાશીની ઇસ્પિતાલમાં જઈને પડયો. આ પ્રાંતની ઇસ્પિતાલો પણ જોવા જેવી હોય છે. મારી પથારીમાં કેટલાય ખાડાટેકરા હતા. પડખેના ખાટલામાં એક પરમિયાથી પીડાતા યુવાન અર્ધનગ્ન સ્થિતિમાં વલવલતો હતો. આ બધે દેખાવ જોઈને મને ઇસ્પિતાલનો ઊબકા આવ્યા. પણ કરું કેમ? ચાર દિવસ અહીં જ પડ્યા રહ્યા વિના છૂટકે નહોતો. દુઃખમાં સુખ એટલું જ હતું કે હુંડિરાજ શાસ્ત્રી અને પરાડકર દિવસમાં એકાદ વખત આવી મારી ખબર લઈ જતા. રોગીઓની ખાવાની વ્યવસ્થાનું તો પૂછો જ મા. સાબુદાણાની કાંજી અને તેમાં સાકરને બદલે ગોળ. અને તે પણ એક વાટકીથી વધુ કોઈને ભાગ ન આવે. દાળભાત મળતાં. પણ ચેખા ભૂંડાભૂખ હોવાને લીધે ભાત સારે ન થતા. પૂનાની સાસૂન ઇસ્પિતાલમાં રોગીઓની વ્યવસ્થા એક વાર મેં જોઈ હતી. તેમાં અને કાશીની ઈસ્પિતાલની વ્યવસ્થામાં આસમાન જમીન જેટલો ફેર હતો. અંતે ચાર દિવસ આ ઇસ્પિતાલનો અનુભવ લઈ ત્યાંના દાક્તરની રજા મેળવી હું પાછો દુર્ગાઘાટ ઉપરના શેણવીમઠમાં આવ્યો. ગોવિંદરાવ પાલેકરના પૌત્ર, પરાડકર વગેરેને મારા આવવાથી આનંદ થયો. આ વખતે આ મઠની વ્યવસ્થા કોઈ ચિદંબર ગોડબોલે નામના કાકણસ્થ બ્રાહ્મણના હાથમાં હતી. ગોવિંદરાવના જીવતાં તો આ ચિદંબર ગોવિંદરાવને પડછાયે પણ ઊભું ન રહે. ગોવિંદરાવ મને કહેતા કે P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ આપવીતી સંભાળજે હો, ચિદંબર પાક ગઠિયો છે, તે તારે સરસામાન સિકકે ચોરી જશે.” પણ ગોવિંદરાવના મરણ પછી ચિદંબરે એક લાંબી યાદી તૈયાર કરીને તેમની પાસે સે બસે રૂપિયા લેણા કાઢયા! અને બીજા એક પશુપતિશાસ્ત્રી કરીને ત્યાં હતા તેમની મારફત તેમના પૌત્ર ઉપર આ નાણાંને તગાદ માંડ્યો. હું ઇસ્પિતાલમાંથી પાછો આવ્યો તેને બીજે જ દિવસે ચિદંબર તરફથી પશુપતિશાસ્ત્રી ફરી વેળા આ સંબંધી વાત કરી રહ્યા હતા. ગોવિંદરાવના પૌત્રે મને બધી હકીકત સમજાવી. આ ઉપરથી મેં ચિદંબરને કહ્યું : “કેમ ભાઈ ગોવિંદરાવ પાસે તમારી આવડી રકમ લેણી કાઢે છે પણ તેમના જીવતાં તો કોઈ દિવસ તેમને મેઢે તમને આ વાત કરતાં મેં સાંભળ્યા નથી. એટલું જ નહિ, પણ તમે તેમને કોઈ વાર કાઈ દિવસ મળવાનો પણ પ્રયત્ન કર્યો નથી.' ચિદંબર મનમાં ને મનમાં ચમક્યો, અને “ત્યારે અમે ખેટી યાદી બનાવી આણ એમ? હું એમ? હે ?' એમ બડબડતો બડબડતો પોતાનું દફતર વીંટી ચાલતો થયો. ફરી કોઈ વાર તેણે ગોવિન્દરાવના પૌત્ર પાસે આ વાત કાઢી નહિ. માત્ર મારા ઉપર તે બળી ઊઠ્યો. ગોવિંદરાવની બધી ઉત્તરક્રિયા પૂરી કરી તેમના પૌત્ર (શ્રીયુત મેરેશ્વર વામન પાલેકર) અને પરાડકર પાછા પિતાને ગામ રવાના થયા. આ તરફ મારી જમવાની સગવડ હજુ ક્યાંયે થઈ નહિ. દા. વાગળના કાગળની વાટ જોયાં કરવામાં હવે કાંઈ સાર નથી એમ મારા મનની ખાતરી થઈ અંતે એક દિવસ હું બાલાજીના છત્રના અધિકારીને જઈ મળ્યો. સારસ્વત એટલે શેણવી છું. તે પણ વિદ્યાર્થી હેવાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ તમારા અન્ન છત્રમાં મને જમવાનું મળે તો મારે અભ્યાસ સરખી રીતે ચાલી શકે,' એમ મેં તેમને કહ્યું. તે બોલ્યાં તમારું નામ શું ?" મેં મારું નામ જણાવ્યું. એટલે તે ફરી બેલા, “અરે, આજ દસ બાર દિવસ થયાં તમારી જ વાટ જોઉં છું. ગ્વાલિયરથી તમારા વિષે મારા ઉપર લખાઈને આવ્યું છે. પણ તમારા ઠેકાણાની મને ખબર ન હોવાથી હું તમને કયાં શેધું? સારું થયું જે આવ્યા. હવે તમે કાલે બપોરે છત્રમાં આવજે, ત્યાંના વ્યવસ્થાપકને તમારે માટે કહી મૂકીશ. માત્ર તમે શેણવી છો એટલે તમારે પાછલી પંગતમાં બેસવું પડશે. આ બાબતમાં હું લાચાર છું. શેણવી વગેરે જાતના લોકોને પાછલી પંગતે બેસાડવાનો અમારે ત્યાં શિરસ્તો છે.” બીજે દિવસે આ અધિકારીએ મારી બધી વ્યવસ્થા કરી દીધી. ત્યારથી બાલાજીના છત્રમાં બીજી વારની પંગતમાં મને જમવાનું મળવા લાગ્યું. પણ ગ્વાલિયરથી કાગળ મોકલનાર કોણ હશે તેની અટકળ હું કરી શક્યો નહિ. છેવટે શ્રીયુત માલપના એક કાગળ ઉપરથી બધી ખબર પડી. શ્રી. માલપ હાલ ગ્વાલિયરના મહારાજાના સાળા સરદાર શિતળેને ત્યાં રહેતા હતા. તેમણે મારી મુશ્કેલી જાણીને સરદાર શિતળેના કારભારી મારફત એક ચિઠ્ઠી ઉપર કહેલા છત્રના અધિકારી ઉપર મોકલી હતી અને તેને જ પરિણમે છત્રાધિકારીએ મારું આવડું સન્માન કર્યું. સરદાર શિતળેને કારભારી એટલે કાંઈ બહુ મોટું માણસ તો નહિ જ. તેનો પગાર મહિને માત્ર * ત્રીસ કે ચાળીસ રૂપિયા હતા. પણ છત્રાધિકારીની દૃષ્ટિએ એમની પદવી બહુ ભારે હતી. અસ્તુ. આમ અંતે જમવાની વ્યવસ્થા થઈ ગઈ તેથી મને એક રીતે નિરાંત વળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ આપવીતી આ છત્રમાં પાછલી પંગતે જમનાર પાંચ સાતેક જણ હતા. અને છત્રાધિકારી પહેલી પંગતમાં આટલાને જમાડવાની સેઈ સહેજે કરી શકત. પણ તેમ કરે તે દક્ષિણ બ્રાહ્મણનું અપમાન થાય એ બીકે દક્ષિણી બ્રાહ્મણ સિવાય બીજા કેઈ ને પહેલી પંગતમાં બેસવા દેવામાં આવતા નહિ. જે દિવસે બ્રાહ્મણોની સંખ્યા વધી ગઈ હોય તે દિવસે અમારી દાળ ગંગાજળરૂપ થઈ જતી. જાણે તેના ઉપર થઈને ગંગાજીનો પ્રવાહ વહી ગયો હોય! શાક તો ઘણુંખરું પાછલી ઘાલમાં હાય જ શાનું? પણ શાકને બદલે કોઈ કોઈ વાર પીઠલું* મળતું. કાશીમાં જે ચોખાનું કોઈ ઘરાક ન થાય તે અમારા અન્નછત્રમાં આવતા હશે! ફક્ત રોટલી અમારે ત્યાં સારી બનતી. અને તે જોઈએ તેટલી માગો. પીરસનાર કદી ના કહેતે નહિ. ઘી ફક્ત એક જ પાવળ મળતું. વચમાં વચમાં કોઈ વાર છાશની કઢી મળતી. અમારી પાછલી પંગત કઈ વાર બાર વાગ્યે તો કોઈ વાર ચાર વાગ્યે એમ બેસતી ! પહેલી પંગતના બ્રાહ્મણે ધાર્યા પ્રમાણે જ થયા હોય અને રસોઈ વધી હોય તો બાર એક વાગ્યે જમવા મળતું. પણ જે કદી બ્રાહ્મણ મોટી સંખ્યામાં આવી ચડ્યા તો પછી ફરી પાછાં ભાત અને દેટલી થાય ત્યાં સુધી એટલે ખાસા ત્રણ કલાક અમારે તપ કરવું પડતું. હું કૌમુદી, ભગવદ્ગીતા કે એવું જ એકાદ પુસ્તક સાથે લઈને જતો અને પત્રાવળીમાં ભાત પડે ત્યાં સુધી વાંચ્યા કરતો. * દક્ષિણમાં ચણાના લોટને પાણીમાં સીઝવી મીઠું, મરચું, વધાર કરીને કરવામાં આવતી એક જાતની જાડી કઢી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ 5 - કાશીવાસ મને કાશી આવ્યે બે ત્રણ મહિના નહિ થયા હોય તેટલામાં નીલકંઠ ભટ ગાયતડે નામના એક વિદ્યાર્થી કાશીમાં આવ્યા. કવળે મઠના આશ્રય હેઠળ તેમનું વેદાધ્યયન થયું હતું. પણ શાસ્ત્રાભ્યાસ કરવાની ઉત્કટ ઇચ્છા હોવાથી તે કાશી આવ્યા. પહેલાં તો તે અહલ્યાબાઈના અછત્રમાં જમતા, પણ બ્રહ્મઘાટથી આ છત્ર ખૂબ આઘું પડતું હોવાથી તે પણ મારી સાથે બાલાજીના છત્રમાં આવવા લાગ્યા. અમને પાછલી પંગતે જમાડી છત્રના વ્યવસ્થાપક અમારું જાણી જોઈને અપમાન કરે છે, એ વાતની તેમને ખૂબ ચીડ ચડતી. ગ્વાલિયરના મહારાજાને અરજી કરી આ વ્યવસ્થાપકની ખો ભુલાવી દેવી જોઈએ, એમ તે વખતોવખત મને કહેતા. મને તે કહેતા કે, “તમારા જેટલું જે મને મરાઠી આવડતું હેત તો ક્યારની મેં આ લોકોની ખોડ ભુલાવી હોત. પણ તમને તે આનું કાંઈ જ લાગતું નથી! તમે મૂંગા મૂંગા આ બધું અપમાન વેઠી લો છો.” મેં કહ્યું : “ભાઈ, તમારી વાત બધી સાચી છે. તમારે તે બાલાજીનું છત્ર બંધ થાય તે અહલ્યાબાઈનું તૈયાર છે. પણ મારું શું થાય? ધારો કે મેં અરજી મોકલી અને ત્યાંથી અધિકારી ઉપર તપાસ સારુ અહીં પાછી આવી, તો સૌ પહેલાં તે આ અધિકારી આપણને જ પાણીચું આપે અને પાછળથી સારો રિપોર્ટ લખી મોકલે. બીજી બાજુએ સારસ્વતોની વતી હું લડ્યો એની કદર કરી સારસ્વતોમાંના શ્રીમંત લોકે મને મદદ કરવાને બદલે ઊલટા મૂર્ખમાં ગણે. અને આ બધાનું પરિણામ એ આવે કે મારે અભ્યાસ પડતો મૂકી કાશી છોડી ચાલતા થવું પડે! આટલા સારુ જ હું આ ભાંજગડમાં પડવા નથી માગતો. જ્યાં સુધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ આપવીતી મારે અહીં રહેવું છે ત્યાં સુધી જે કંઈ વેઠવું પડે તે બધું ખમી લેવું, અપમાન સહેવું પડે તો પણ સહી લેવું, પણ દિવસમાં એક વાર જે જમવાનું મળે છે તે ખોટું નથી. એના ઉપર આપણું અધ્યયન ટકી રહ્યું છે.' ' - છત્રમાં વેઠવાં પડતાં કષ્ટો અને અપમાન બસ ન હોય તેમ તે પૂરાં કરવા સારુ જ કેમ જાણે અમારા આગલા ભવનાં કર્મે મૃત્યુંજયને કાશી મોકલ્યો ! મૃત્યુંજય કે ચીન * તરફનો રહીશ કઈ એક સારસ્વત બ્રાહ્મણ હતો. નાની ઉમરમાં તે કાશી આવ્યા. કેટલાક લેકેએ તેને ભણાવવાની તજવીજ કરી, પણ મૃત્યુંજયે તેમને જરાય દાદ ન દીધી. મારા કાશવાસને હજુ આરંભ થયો ન હતો ત્યાર પહેલાં તે મૃત્યુંજયે કાશીમાં પંદર વર્ષ પૂરાં કર્યા હતાં. આજ. લગભગ એક તપ થયાં તે આ અન્નછત્રના માલ ઉડાવતો હતો. પણ જીભડીને લગામ નહિ તેથી એક બે વખત બાલાજીનું અન્ન છત્ર છોડવા વારે પણ આવેલો. પછી ભાઈ ભૂખે મરવા લાગ્યા એટલે અહીંની રાંધનારી વિધવા બાઈએ વચમાં પડી અને ભાઈસાહેબને ફરી જમવાનું મળવા લાગ્યું. . આમ પોતાનાં વાવ્યાણ અધિકારીઓ ઉપર છોડવાથી - કેવું પરિણામ આવે છે તેને મૃત્યુંજયને પૂરેપૂરો અનુભવ મળી , ચૂક્યો હતો. પાછલી પંગતમાં જમનારામાં બ્રાહ્મણ ઝાઝા નહોતા, અને જે હતા તેમને છેડવા જેટલી હિંમત મૃત્યુંજયમાં નહોતી. કારણ પેલા અધિકારી પાસે ફરિયાદ લઈ જાય તો સાહેબસવારીને વળી પાછી રુખસદ મળે એની તેને ખાતરી હતી. આ બધાં કારણોને લઈને મૃત્યુંજયની વાણીને સમગ્ર એઘ અમારા જેવા નિરુપદ્રવી માણસો તરફ વળ્યો એમાં P.P. Ac. Gunratnasuri M.S. jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ 77. નવાઈ નથી. તેમાંયે નીલકંઠ ભટ કરતાં પણ મારા ઉપર તેમની બહુ જ કૃપા હતી. પહેલાં તો તે અમારી સાથે બેલતા પણ તેની વાતમાં જેની તેની કૂથલી સિવાય બીજું કશું જ ન હોય એટલે તેની વાતો અમને ગમે નહિ. આથી, ભાઈસાહેબ અમારા ઉપર જ રૂથા. અમારી સામે તેનો સૌથી મેટો આક્ષેપ એ હતો કે અમે છત્રનું અન્ન ખાઈને શાસ્ત્રાધ્યયન કરીએ છીએ, ભવિષ્યમાં આ શાસ્ત્રાધ્યયનને પેટ ભરવાના કામમાં વટાવવાના, અર્થાત અમે શાસ્ત્રવિક્રય કરવાના; અને તેથી સદાને માટે રૌરવ નરકમાં પડવાના ! આસપાસ બેઠેલ છત્રના એકાદ બ્રાહ્મણ તરફ વળીને તે ઉમેરતો, “આ હું પોતે આજ પંદર પંદર વરસનાં વહાણું વાયાં કાશીમાં છું પણ મેં કદી શાસ્ત્રની સામું પણ જોયું છે? અરે, મને શાસ્ત્ર ભણાવવાને અહીંના કેટલાક ડાહ્યાઓનો ઇરાદો હતો, પણ મેં તે ચાખું સંભળાવી દીધું કે, ને રે ભાઈ એ શાસ્ત્ર આપણને ન જોઈએ ! શાસ્ત્ર ભણવાં ને પછી વેચવાં ને નરકમાં જવું એ બધું કોણે કહ્યું? અને આ બધાં અન્ન છત્રો કંઈ શાસ્ત્ર શીખનારાઓને માટે ડાં જ છે? આ તો લોકો ગંગાસ્નાન કરે, જમે, અને કાશવાસ કરે એટલા ખાતર જ સ્થપાયાં છે !" બીજો એક બ્રાહ્મણ પાછલી પંગતમાં જમનારો હતો. તેને પહેલી પંગતમાં જમવું અનુકૂળ નહોતું, કારણ પિતાના અંગવસ્ત્ર'ના નિર્વાહને સારુ તેને ભિક્ષા માગવી પડતી ! સવારે ભિક્ષા માગતાં જે અન્ન મળે તે પોતે રાખેલી બાઈને પહોંચાડે અને પછી છત્રમાં જમવા આવે. આમ તેને પાછલી ઘાલમાં બેસવું પડતું. તેને અને મૃત્યુંજયને ઠીક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ 78. આપવીતી બનતું. છતાં કઈ કઈ વાર બેઉ વઢી પણ પડતા. મૃત્યુંજય અમારી વિરુદ્ધ રૂપક, ઉપ્રેક્ષા વગેરેને પ્રયોગ કરીને જાતજાતની વાત આ અને બીજા બ્રાહ્મણોને સંભળાવતા. અમે આ બધું મૂંગા મૂંગા સહન કરતા. નીલકંઠ ભટને મૃત્યુંજય તરફ ભારે તિરસ્કાર હતો છતાં તે કઈ દિવસ તેની જોડે વાદમાં ઊતરતા નહિ. અછત્રમાં મારા ઉપર થનારા આ અનેકવિધ સંસ્કાર'નું નિવારણ જ્ઞાન છત્રમાં ભરપાઈ થતું. ગંગાધર શાસ્ત્રીને ગુરુપૂજા તરીકે મેં એક રૂપિયો ને નાળિયેર એટલું જ આપ્યું હતું. તેમણે મારા શિક્ષણની બરોબર વ્યવસ્થા થાય એટલા સારુ મને તેમના મુખ્ય શિષ્ય નાગેશ્વર પંત ધર્માધિકારીને સેં. નાગેશ્વર પંતને ઘેર હું સવારે સાત વાગ્યે જતો. મને તેઓ એક કલાક શીખવતા. પણ ત્યાં હું બીજા વિદ્યાર્થીઓના પાઠ સાંભળતો દસ વાગ્યા સુધી બેસતો. સાંજે ગંગાધર શાસ્ત્રીના ઓરમાન ભાઈ લક્ષ્મણ શાસ્ત્રી અને અને બીજા બે ત્રણ વિદ્યાર્થીને સાહિત્ય શીખવતા. મારા આ બંને ગુરુઓની મારી ઉપર પૂર્ણ કૃપા હતી. મને જોઈતાં પુસ્તકે તે પોતાની પાસેથી આપતા, અને મારા અભ્યાસની ખૂબ કાળજી રાખતા. - ગોવિંદરાવ પાલેકરના મરણ પછી મારી અને ચિદંબર ગોડબેલે વચ્ચે જરા બોલાચાલી થયેલી એ પાછળ કહી ગયા છું. દુર્ગાઘાટ ઉપર રહેત એ તેને ખૂંચતું. તેણે કંઈ ને કંઈ બહાનું કાઢીને મારી જોડે વઢવેડ કરવાનો લાગ શોધવા માંડ્યો. એક દિવસ મને કહે, “બસ, ભાડું આપતા હો તો જ અહીં રહે, નહિ તો ચાલતા થાઓ. હું તમારે સરસામાન - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ ઉપાડીને રસ્તા પર ફેંકી દઈશ.' આ ભટ્ટા જોડે વાદમાં ઊતરવામાં કંઈ જ સાર નહતો એ હું જાણતો. પણ જવું ક્યાં ? બ્રહ્મઘાટ ઉપર કાચીનના સારસ્વંત સ્વામીનો બીજો એક ખૂબ મોટો મઠ છે. ત્યાંના વ્યવસ્થાપક માધવાચાર્યને હું મળે પણ તેમણે મને આશ્રય આપવા ના પાડી. હવે તે ગંગાકાંઠે પડી રહેવા વારો આવ્યો. શ્રીયુત કૃષ્ણજી સાઠે (જેઓ હાલ આપાશાસ્ત્રી સાઠે વૈદ્યના નામથી મુંબઈમાં સુપ્રસિદ્ધ છે) તેમની અને મારી વચ્ચે સારી ઓળખાણ હતી. મારી જ ઓળખાણને લઈને તે ગંગાધર શાસ્ત્રીને તેમ જ નાગેશ્વર પંતને ઘેર આવતા. હાલ તેઓ બ્રહ્મઘાટ ઉપર સાંગલીકરના વાડામાં રહેતા. તેમણે મારી મૂંઝવણ જાણી કે તરત જ મને પોતાની ઓરડીમાં આવીને રહેવા કહ્યું. એમણે શેણીને આશ્રય આપ્યો છે એવી જે સાંગલીકરના કારભારીને ખબર પડી તો તે જ વખતે સાઠેને પિતાની ઓરડી છોડી જવું પડશે એવી મને તો બીક હતી. પણ સાઠેએ ત્યાંના કારભારીને વાત કરીને મહામુશ્કેલી એ મને થોડા દિવસને સારુ પિતાની ઓરડીમાં રહેવા દેવાની રજા મેળવી. મહિનો દોઢ મહિનો સાઠેની ઓરડીમાં કાઢયો એટલામાં એક દિવસ ગંગા પર સ્નાન કરવા ગયો હતો ત્યાં માધવાચાર્ય મળ્યા અને મને કહેવા લાગ્યા કે, “તમે સાંગલીકરના વાડામાં શા સારું રહો છો? અમારા મઠમાં કેટલીયે જગ્યા ખાલી પડી છે. મને તેના આ શબ્દોથી ભારે નવાઈ લાગી. દેઢ મહિના પહેલાં આ ગૃહસ્થ ચેખ્ખી ના પાડેલી અને હવે સગવડ થઈ ગઈ એ કેવું? મેં કહ્યું કે, “હમણાં તો છું ત્યાં જ ઠીક છું.' ફરી એક બે વેળા તેમણે આગ્રહ કર્યો એટલે શા સાર 2 જ કહેવા લાલા ગયો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ આપવીતી હું તેમના મઠમાં રહેવા ગયે. મારે વિષે માધવાચાર્યને મત આમ એકાએક કેમ પલટાયો હશે એ સમસ્યાનો ઉકેલ હું આજની ઘડી સુધી કરી શક્યો નથી. પણ મને લાગે છે કે, કાં તો નીલકંઠ ભટે મારે વિષે તેમને અનુકૂળ મત બંધાય એવું કંઈ કહ્યું હોય કે પછી મારી અભ્યાસી વૃત્તિ જોઈને મારે માટે તેના મનમાં આદરબુદ્ધિ પેદા થઈ હોય! ગમે તેમ હો, પણ મને તેમના મઠમાં આશ્રય મળ્યો અને જગ્યાની અડચણ રહી નહિ. નીલકંઠ ભટ દુર્ગાઘાટ પર શેણીના મઠમાં રહેતા હતા ત્યાંથી હું બ્રહ્મઘાટ પરના મઠમાં રહેવા ગયો એટલે ત્યાં આવ્યા, અને અમારે બંનેને માટે માધવાચાર્યું પિતાને ખરચે એક ઓરડી પણ દુરસ્ત કરાવી આપી! . ૧૯૦૧ના માર્ચ આખરે કાશીમાં મરકી આવી. અમારા મઠની આસપાસ કેટલાક મરકીના કેસ થયા. અમારી પાડોશમાં રહેતે એક ઓળખીતે ગોવાળ તે મરકીમાં મરણ પામ્યા. અમે ગભરાઈ ગયા. પણ કરવું કેમ? બહારગામ જઈએ તો ભૂખે મરવા વખત આવે. નાગેશ્વર પંત ધર્માધિકારી અમને ધીરજ દેતા કે, “અરે બહારગામ જઈને મરવા કરતાં અહીં ભરવું સારું. અહીં મૂઆ તે કેાઈ પગે વતી પણ ગંગામાં હડસેલી મૂકશે. અને આપણું શબ ગંગામાં પડે એના કરતાં ઊંચી બીજી કઈ ગતિ આપણને જોઈએ? કાશીમાં મરણ થાય એટલા સારુ તે લોકે દૂરદેશથી અહીં આવીને વસે છે અને વરસનાં વરસ મરણની વાટ જુએ છે. માટે મરકીના ભયથી અહીંથી ભાગવું તદ્દન અનુચિત છે.' અમારું શબ ગંગામાં પડયું એટલે પાવન થયા, એવું માનનારા અમે નહોતા પણ નિરુપાયે કાશીમાં જ રહ્યા. બહારગામ જમવાખાવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ સગવડ બને એમ હોત તો કાશીમાં એક ક્ષણ પણ ઊભા ન રહેત. એક દિવસ મને જેસભેર તાવ ભરાયો. આ મરકીને જ તાવ એવી મને શંકા થઈ મેં નીલકંઠ ભટજીને મારી એરડીમાંથી તાબડતોબ નીકળી જવા કહ્યું. નીલકંઠ ભટજી બહુ બીકણ માણસ, પણ આ પ્રસંગે તેમણે ભારે હિમ્મત દેખાડી. તેમણે કહ્યું, “તમે મને ગમે તેટલે આગ્રહ કરશે તો પણ અત્યારે હું તમને છોડી જવાનો નથી. મરવું લખ્યું હશે તે આ જગ્યાએ બંને સાથે મરીશું.” પિતાનું બિછાનું સરખું તેમણે આર્થે ખસેડયું નહિ. વૈદ્યને ઘેર જઈ મારે માટે તેમણે દવા આણી અને તે દવાથી એક અઠવાડિયામાં મારી તબિયત સુધરવા લાગી. પણ પંદર વીસ દિવસ સુધી મારા શરીરમાં શક્તિ આવી નહિ. આ વખતે માધવાચાર્યનાં પત્નીએ મારી -ખૂબ સંભાળ લીધી. આ સાધ્વી સ્ત્રી સવારે વહેલી ઊઠી મારો પરહેજીનો ખોરાક તૈયાર કરી દેતી. દીકરાની કે ભાઈની જેટલી સંભાળ લે તેટલી મારી સંભાળ તેણે લીધી, એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. બે અઠવાડિયામાં હું સાજો થઈ ગયો અને પહેલાંની માફક બાલાજીના છત્રમાં જમવા જવા લાગ્યો. આ બાજુ મરકીને સપાટ પૂરજોશમાં ચાલુ હતો. મડદાં ઊંચકવા માણસો ન મળવાથી ગાડામાં નાંખી લાવવાં પડતાં એમ મેં સાંભળ્યું છે. ઉનાળાના દિવસેમાં રાત્રે ઓરડીમાં સુવાય નહિ તેથી હું અગાશીમાં સૂતો. ત્યાંથી મણિકણિકાના ઘાટ પર હારબંધ સળગતી ચિતાઓ સામે જ દેખાતી. આંખ મળે ન મળે એટલામાં અમારા મઠની નીચેનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust આ 6
Page #90
--------------------------------------------------------------------------
________________ આપવીતી પગથિયાં આગળ એકાદ મડદું આવે અને મોટેથી રડારોળ શરૂ થાય. આમ કેટલાક દિવસ ચાલ્યું. છેવટે એ બધાથી પણ ટેવાઈ જવાયું અને તેથી ઊંઘમાં ખાસ ખલેલ પડતી બંધ થઈ! આ દિવસમાં ગંગાધરશાસ્ત્રી સહકુટુંબ બહારગામ ગયા હતા. પણ ધર્માધિકારી ઘેર જ હતા તેથી અભ્યાસમાં પણ ઝાઝી ખલેલ પહોંચી નહિ. ચોમાસું શરૂ થયા પહેલાં જ મરકી બંધ પડી. અમારો બધે વ્યવહાર સરળપણે ચાલુ થયો. પણ મારાં ધોતિયાં તદ્દન ફાટી ગયાં હતાં. હવે એકાદ મહિને પણ આ ધેતિયાં પર કાઢવો મુશ્કેલ થઈ પડ્યો. પણ નવો ધોતી લાવો ક્યાંથી ? દા. વાગળને એક કાગળ લખ્યો. ધોતિયાં લેવા માટે પાંચેક રૂપિયા તો મોકો જ એવી તેમાં વિનંતી કરી હતી. પણ દા. વાગળેએ પિતાના હમેશના રિવાજ મુજબ કાગળને જવાબ લખે નહિ. શ્રીયુત વિષ્ણુ નાયકને મારી ગરીબાઈ જણાવી ઓછામાં ઓછા પાંચ રૂપિયા મોકલવા વિનંતી કરી, પણ ફેગટ ! કાગળને જવાબ વાળવામાં તે ઘણેભાગે આળસ ન કરતા, પરંતુ મારા આ કાગળને જવાબ સરખે તેમણે ન મેકલ્યો. શ્રી. ભિકુ નાયકને કાગળ લખેલો કે નહિ તેનું આજે બરાબર સ્મરણ નથી, પણ લખ્યો હશે એમ લાગે છે. હવે કઈ તરફની મદદની આશા રહી નહિ. તેથી હવે પછી કોઈ પણ બાબતમાં જૂના મિત્ર ઉપર મદાર બાંધવી નહિ, ગમે તેટલાં સંકટ આવે, ચાહે તેવડી વિપત્તિઓ પડે, પણ જૂના મિત્રને તેની ખબર કહી મદદની યાચના કરવી નહિ અને અહીં ને અહીં જ પિતાની અક્કલ-હોશિયારીથી અને પ્રમાણિકપણુથી બધાં સંકટોમાંથી પાર ઊતરવું, એવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ મેં નિરધાર કર્યો. પણ કાશી જેવા ક્ષેત્રમાં મજૂરી કરીને. પણ એક રૂપિયા કમાતાં આંખો ઓડે જાય એવું હતું. છતાં નિરાશ ન થતાં કંઈક ને કંઈક તોડ કાઢવાનો મેં વિચાર કર્યો. કાશીમાં ગેસાઈ કરીને ગુજરાતીઓના એક જુવાન ગુરુ રહેતા. ભારે શ્રીમંત હતા. ગંગાધરશાસ્ત્રી પાસે તે શાસ્ત્રાધ્યયન કરતા. તેમને વચમાં ઠેક અને બાજુ ઉપર મરાઠી અર્થ છાપેલ એવી અમરકેષની એક નકલ જોઈતી હતી. નિર્ણયસાગર છાપખાનાની આવી એક નકલ મારી પાસે હતી. મેં તેમને તે વાંચવા માટે આપી. પણ તેમને તે વેચાતી જ જોઈતી હતી. તેની મૂળ કિંમત સવા રૂપિયા હતી. મેં તેમને કહ્યું, " “હું તમને આ નકલ મફત જ આપત, પરંતુ હમણાં હું પૈસાની ભારે તંગીમાં છું, એટલે તમે મને આનો એક રૂપિયો આપ.” ના ના કહ્યા છતાં ગેસાંઈજીએ મને સવા રૂપિયો આપ્યો. એક રૂપિયે બે આના આપી મેં એક પંચિયાને જેટો લીધો. આ જે બહુ બહુ તો બે ત્રણ મહિના નીકળે એમ હતું, કારણ કે તે બહુ મજબૂત નહોતો. આથી મેં એવો નિશ્ચય કર્યો કે, છત્રમાંથી રોજ તેલને સારુ મળતો એક પૈસો તેલમાં ન ખરચતાં બચાવ અને એમ બે અઢી મહિને એકાદ રૂપિયા થાય એટલે તેનું નવું પંચિયું લેવું. છત્રની પંગત વેળા રોજ પૈસો દક્ષિણ મળતી, પણ તેનું રોજ રાત્રે તેલ લાવવું પડતું. ઉપરાંત એકાદશીને દિવસે છત્ર બંધ રહેતું એટલે તે દિવસે અમારે ચોખા વગેરે વેચાતા લાવવા પડતા. કોઈ કઈ વાર એકાદશીને રોજ અમને માધવાચાર્યને ઘેર જમવા મળતું. ધર્માધિકારી અઠવાડિયામાં એક વાર નીલકંઠ ભટજીને ચિઠ્ઠી આપી કેઈ શાહુકાર પાસેથી સીધું અપાવતા. પડતું 3 વ્યાખ અમને વાર ના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ આપવીતી અમે આ સીધું માધવાચાર્યને ઘેર આપી તેમાંથી એકાદશીને દિવસે અમારા જમવાનો જોગ કરી લેતા. પણ દીવો શેમાંથી બાળવો? અંતે અમે એ વિચાર કર્યો કે, દીવો બાળવાને બદલે રાત્રે જેટલું અમને મોઢે આવડતું હોય તેટલાની જે પુનરાવૃત્તિ કરવાનો રિવાજ રાખો. નીલકંઠ ભટજી ઘણે ભાગે અષ્ટાધ્યાયી બલી જતા અને તેમની પાછળ પાછળ હું પણ બેલો. આ પ્રમાણે અંધારામાં દિવસે વિતાવી છત્રમાંથી મળતા પૈસાના સંઘરા ઉપર અમે બન્નેએ ચાર ચાર આના એકઠા કર્યા. - પંઢરીનાથ વાળંદની મેં હજુ વાચકોને ઓળખાણ નથી કરાવી. મડગાંવના લોક આને પંઢરીનાથના નામથી ન ઓળખતાં “ગુણો હજામ” એ નામથી જ ઓળખે છે. ગુણાને જન્મ માડદોળમાં માળસાદેવીના મંદિર નજીક થયો હતો. આજ તેની ઉંમર લગભગ મારા જેટલી જ છે. ગુણાનો જન્મ માડોળ જેવા ગામમાં થયો છે ખરો પણ ત્યાંનાં વ્યસને તેને વળગ્યાં નથી. બીજાં તો શું પણ ગોવામાં નાનામોટા સહુ કોઈને વળગેલ તમાકુનું વ્યસન પણ તેને નથી. જાતે શ્રમ કરીને તેણે જુદી જુદી કળાઓનું જ્ઞાન સંપાદન કર્યું છે. તેને ચિત્ર દોરતાં આવડે છે, માટીનાં પૂતળાં બનાવતાં આવડે છે, ચોપડીઓ બાંધવાનું કામ આવડે છે. આ બધાં કામ તે કુરસદને વખતે કરતો. હાલ પોતે મડગાંવમાં બિસ્કિટ બનાવવાનો ધંધો કરે છે. મુંબઈમાં તેણે બિસ્કિટ સંચે છે, અને ઘેર આવી કંઈ કંઈ જૂનાપુરાણ સામાન ભેગું કરી, કોઈ વાર લુહારકામ પણ જાતે જ કરી લઈ પેલા નમૂના પ્રમાણેનો એક સંચે તૈયાર કર્યો ! હાલ તે આ P.B. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ સંચાનો ઉપયોગ કરે છે. તેના અનેક ગુણોનું વર્ણન કરવાનું આ સ્થળ નથી. તેને સારુ તો એક જુદે જ લેખ લખવો જોઈશે. કે - પંઢરીનાથ ૧૮૯૨માં પહેલવહેલો અમારે ઘેર આવ્યા. કેટલાક વખત સુધી તો તે માડદોળથી આવીને અમારી હજામત કરી જતો. પણ પાછળથી તે સહકુટુંબ અમારા ઘર નજીકમાં જ આવી વસ્યા. પ્રમાણિકપણું, સાત્વિકતા, ઉદ્યમ, નિર્વ્યસનીપણું અને વિદ્યાની અભિરુચિ વગેરે ગુણોને લઈને તેની જોડે સોનબા મુળગાંવકરને તેમ જ ભારે અત્યંત માયા થઈ. મંદિરની આસપાસ રામજણીઓનાં ઘરમાં જુગાર રમવામાં જીવન વિતાડનારા એકાદ ગાવઈબાબુ તરફ અમને જેટલે તિરસ્કાર ક્ટ, તેટલાં જ મંદિરની પડોશમાં (અને તે પણ ભાડદોળમાં) જન્મેલા ઉદ્યોગી ગુણ વાળંદ પ્રત્યે અમને આદરમાન થતાં. બાપને પૈસે મોજ માણનારા અને જુગારમાં તેમ જ દુર્વ્યસનોમાં વખત વિતાડનારા શ્રીમંતોને ગોવામાં તોટો નથી. આવા લોકો સાથે નાતો રાખવામાં ભૂષણ સમજનારા લોકે હજુયે ગાવામાં હશે એમ માનું છું. પણ આવા શ્રીમતાની ઓળખાણ સરખી કરવાનો હું કદી પ્રયત્ન ન કરતો. અને કોઈ પ્રસંગે જે કદી આવા લોકોની સાથે બેલવા ચાલવાનો વખત આવતા તો ગુણ વાળંદના સહવાસથી જે સુખ થતું તે તો આવા લોકના સહવાસમાં ક્યાંથી જ મળે ! પણ ઊલટું વડિલોપાર્જિત મિલકત ઉપર તાગડધિન્ના કરનારા આ બળદિયાને જોઈને મારું મન બહુ ખિન્ન થતું. ગુણા જેવા મહેનતુ માણસ જે દેશને મળે અને નાની ઉંમરમાં જ તેમની કેળવણીનો ઘટતો બંદોબસ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ આપવીતી થાય તો આપણું આ દેશનું દળદર ફીટવામાં વાર લાગે નહિ. અસ્તુ. અહીં આ ભલા ગુણાને યાદ કરવાનું કારણ એટલું જ કે, પાંચ રૂપિયા મેકલવા સારૂ જુદા જુદા સધન મિત્રને કાગળ લખી થાક્યા પછી નિરુપાયે એક કાગળ મેં ગુણાને પણ લખ્યો. તેની પાસેથી કશીયે મદદ મળે એવી મને આશા . નહોતી. કારણ કે બાપડે વતાં કરીને દિવસ આથમે ચાર આઠ આના પેદા કરે તેમાંથી કુટુંબનું પૂરું કરતાં શું બચી શકે? છતાં કોઈ પાસેથી એકાદ બે રૂપિયા ઉછીના લઈને કેઈન કરજે કાઢીને જ મોકલવા ઘણેભાગે મેં એને લખ્યું હતું. ગોસાંઈજીએ આપેલ સવા રૂપિયામાંથી એક રૂપિયો બે આનાનાં પંચિયાં લીધા પછી અને અંધારે બેસી અષ્ટાધ્યાયીનો પાઠ ચલાવી ભાવિ નગ્નતા ઢાંકવા સારુ ચાર આનાની બચત ' પાડ્યા પછી એક દિવસ ગુણ તરફથી એક રજિસ્ટર કરેલ કાગળ આવ્યું. તેમાં દશ રૂપિયાની અંગ્રેજ સરકારની નોટ હતી ! ગુણાનું કહેવું છે કે આ રૂપિયા તેના પિતાના નહિ પણ મારી બહેને આપ્યા હતા. ગમે તેમ હા, આ વેળાએ બીજા મિત્રોની પેઠે તે મને ભૂલ્યો નહિ. તેણે મારી બહેન આગળ ભારી ભીડની વાત કરી, જોકે મને તે પસંદ નહોતું, મારે સારુ હજાર ગડમથલ કરી અને મને દસ રૂપિયા મોકલ્યા. * ૧૯૦૧ના શિયાળામાં આ પૈસા મને બહુ ઉપયેગી થયા. - શ્રી. મેરેશ્વર પાલેકરે કાશી છોડી જતી વેળા પિતાના દાદાની એક સરસ રજાઈ મને આપવા માંડેલી. પણ ઉત્તર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ હિંદુસ્તાનના શિયાળાને મને કશે જ ખ્યાલ ન હોવાથી તે મેં લીધેલી નહિ. આગળ ઉપર જ્યારે (1900) શિયાળ આવ્યો ત્યારે કાશીબાઈએ મને એક જૂની ગોદડી દીધી. એ શિયાળે તો મેં આ ગોદડી ઉપર જેમ તેમ કરી કાઢો અને ઉનાળામાં કાશીબાઈને તે પાછી આપી. ઓશીકું તો મારી પાસે મૂળથી જ નહોતું. બ્રહ્મઘાટ ઉપર શેણીના મઠમાં રહેવા આવ્યા પછી ત્યાં માધવાચાર્યની શેતરંજીના કેટલાક ફાટેલા ટુકડા અને ચીંથરાં એક ખૂણામાં પડ્યાં હતાં, તે ઈ શેતરંજીના ટુકડાની પોળમાં ભરી તેનાં મેં બે ઓશીકાં બનાવ્યાં, તેમાંનું એક હું વાપરત અને બીજું નીલકંઠ ભટજી વાપરતા. આ ઓશીકાં પથરા કરતાં નરમ હતાં અને છત્રનું અન્ન કુશકી કરતાં સારું હતું; પણ “ભૂખ ન જુએ ભાખરે અને ઊંઘ ન જુએ સાથ” એ કહેવતને સંપૂર્ણ જાતિ-અનુભવ કાશીમાં અમે લઈ રહ્યા હતા એમ કહેવામાં હરકત નથી. ઓશીકું જેવું હોય તેવું ચાલે પણ ગોદડું ક્યાંથી કાઢવું? ઓણસાલ કાશીબાઈની ગોદડી મળવી મુશ્કેલ હતી અને તે મળી હોત તોયે તેનાથી ટાઢ ખાળી શકાય એમ નહોતું. કારણ, તોપના મારાથી ભંગાણ પાડેલ કિલાના જેવી તેની જર્જરિત દશા થઈ ગઈ હતી ! અનેક જગ્યાએ મેટાં મોટાં બાકાં પડ્યાં હતાં. અંદરનું રૂ કેમ જાણે ઉપલા પડથી સ્વતંત્રતા મેળવવા મહેનત કરી રહ્યું હતું. ક્યાંક ક્યાંક તો ઉપલું પડ બાજુએ ખસેડી તેમણે સ્વેચ્છાચાર શરૂ કરી દીધો હતો ! આ સ્થિતિમાં ફરી વેળા કાશીબાઈ પાસે આવી ગોદડીની યાચના કરવામાં કઈ જ સાર નહોતો. પંઢરીનાથ વાળંદનું રજિસ્ટર અણીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ આપવીતી વેળાએ આવી પહોંચવાથી મને શિયાળાની ચિંતા ન રહી. લગભગ બે રૂપિયા ખરચીને મેં એક સફેદ ધાબળી લીધી. પૂનથી આણેલી એક ધાબળી તો મારી પાસે હતી જ. આ બે ધાબળીઓ અને દાટ વાગળેએ આપેલા પેલા ધીંગા કટ ઉપર મેં ૧૯૦૧ને શિયાળે કાઢયો. ગુણાનું રજિસ્ટર આવ્યા પછી અંધારે બેસવાનું પણ અમે બંધ કર્યું અને અન્ન છત્રનો પૈસે પાછો તેલ લેવામાં ખરચવા લાગ્યા. - દુર્ગાનાથ નામનો એક નેપાળી યુવક અમારા જ મઠમાં રહેતો અને અમારા ગુરુ નાગેશ્વરપંત ધર્માધિકારીની પાસે શાસ્ત્રાભ્યાસ કરતો. બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવા માટે નેપાળ જવું જોઈએ એ દા. ભંડારકરનું વાક્ય હું ભૂલ્યો નહોતો. દુર્ગાનાથની મદદ આ કામમાં મળે એમ હોવાથી મેં તેની સાથે દસ્તી બાંધી. ૧૯૦૨ના જાન્યુઆરીમાં દુર્ગાનાથે પોતાને ઘેર (નેપાળ) જવા નકકી કર્યું. તેણે પિતાને આ વિચાર મને જણાવ્યું ત્યારે મને પણ સાથે નેપાળ લઈ જવાનો મેં એને આગ્રહ કર્યો. પણ નેપાળ જવું એ કંઈ સહેલું કામ નહોતું. સૌ પહેલું તે, નેપાળની સરકારના પરવાના વિના કોઈ પણ ભાણસથી નેપાળની હદમાં દાખલ થવાતું નથી. બીજું, રસ્તો ખૂબ મુશ્કેલીઓવાળે: મોટા મોટા પર્વત ઓળંગીને ગયા વગર કાઠમંડુ (નેપાળની રાજધાની) શહેરનાં દર્શન ન થાય. ત્રીજું, મારી પાસે માત્ર ત્રણ ચાર રૂપિયા સિલક હતા. આટલી પૂંજી ઉપર આવડી મુસાફરી કઈ રીતે કરવી, વગેરે. છતાં કોઈ પણ રસ્તે જે એક વાર નેપાળ સરકારનો પરવાને મળી જાય તો બીજા કોઈ પણ સંકટોને ન ગણકારતાં દુર્ગાનાથની સાથે નેપાળ જવું જ એવો મેં નિશ્ચય કર્યો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ કાશીવાસ દુર્ગાનાથના પિતામહ નેપાળના મુખ્ય પ્રધાનની કચેરીમાં એક મોટા અમલદાર હતા. મારા આગ્રહથી દુર્ગાનાથે પોતાના દાદા મારફત મારે માટે એક પરવાનો મેળવ્યું. અને તા. ૨જી ફેબ્રુઆરીને રોજ કાશીથી નીકળવાને અમે સંકલ્પ કર્યો. કોલ્હાપુરના રહીશ વેદશાસ્ત્રસંપન્ન કલ્યાણશાસ્ત્રી મારા આવ્યા પછી યાત્રા નિમિત્તે કાશી આવ્યાં. સ્માર્તસ્વામીના મઠમાં ભારે અને એમનો ભેટો થયો. પોતે વૃદ્ધ અને એક પગે જરા અપંગ હોવાથી હું તેમને ઠીક મદદરૂપ થયા. જતી વખતે તેમણે મને સિદ્ધાંતકૌમુદી અપાવી. આ પુસ્તક મને ખૂબ કામ આવ્યું, એમ કહેવાની જરૂર નથી; કારણ કાશીમાં રહીને મેં ખાસ કરીને આ જ ગ્રંથનો અભ્યાસ કર્યો. હું નેપાળ ગમે તે પહેલાં ફરી એક વાર કલ્યાણશાસ્ત્રી કાશી આવ્યા. આ વખતે તે માધવશાસ્ત્રીને ત્યાં ઊતર્યા હતા. તેમણે મારો અભ્યાસ કેટલે સુધી પહોંચ્યો છે વગેરે બાબતની તપાસ કરીને મને કેટલાક પ્રશ્નો પૂછળ્યા. તેના તેમને સંતોષકારક જવાબ મળ્યા અને તેમને ખૂબ આનંદ થયો. વરસ સવા વરસમાં હું આટલું બધું ભણી ગયો એ વાતની તેમણે પ્રશંસા કરી. તેમણે કહ્યું : “બીજા એક બે વરસ ભણ્યા પછી કોલ્હાપુર આવજો. હું તમને પચાસ સાઠ રૂપિયાની નોકરી અપાવવા તજવીજ કરીશ.' મેં કહ્યું, હાલ તો નેપાળ તરફ જવાનો વિચાર કર્યો છે. આ મુસાફરીમાં પાર પડીશ તો આગળ ઉપર જોઈ લઈશું.' તેમણે વિશેષ ચર્ચામાં ન ઊતરતાં મુસાફરીના ખર્ચને સારુ મને ચાર રૂપિયા આયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ આપવીતી મારા ગુરુને મારે નેપાળ જવાનો વિચાર જણાવ્યું, ત્યારે તેમને જરા ખોટું લાગ્યું. પણ થોડા વખત પછી ધર્માધિકારીને તેમ જ લક્ષ્મણશાસ્ત્રી તેલંગને લાગ્યું હોવું જોઈએ કે હું થોડા દિવસમાં પાછા ફરવાનો; તેથી તેમણે મને ઝાઝે પ્રતિબંધ ન કર્યો. ફક્ત ગેવિંદશાસ્ત્રી મારા જવાની સાવ વિરુદ્ધ હતા. તેમને સહેજસાજ તિષ આવડતું તે ઉપરથી તેમણે એવો વર્તારે કાઢયો કે આ એક બે મહિનામાં મારા ઉપર ભયંકર આફત આવનાર છે! આથી તેટલા દિવસો વીતે નહિ ત્યાં સુધી મારે કાશી છોડી બીજે ક્યાંયે જવું નહિ એવી એમણે હઠ પકડી. તેમને સમજાવતાં મને ખૂબ મહેનત પડી. મેં કહ્યું: “જ્યોતિષશાસ્ત્રના નિયમ મુજબ જે મારા ઉપર ભયંકર પ્રસંગે આવવાના હશે તો કાશીમાં રહેવાથી પણ તે કઈ રીતે ટળવાના? અને નેપાળને રસ્તે જે મૃત્યુ આવવાનું હોય તો તેને પણ કોણ ટાળી શકે એમ છે?” ઘણે વાદવિવાદ થયા બાદ તેમણે નાખુશીપૂર્વક જ મને જવાની રજા આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ - 10 નેપાળને પ્રવાસ તા. રજી ફેબ્રુઆરી ૧૯૦૨ને દિવસે દુર્ગાનાથ, તેનો એક સબતી અને હું કાશીથી નીકળ્યા. બીજે દિવસે રકસૌલ સ્ટેશને પહોંચ્યા. આ સ્ટેશન નેપાળની છેક સરહદ પર આવેલું છે. અહીંથી બે જ માઈલ પર બીરગંજ નામનું નેપાળનું થાણું છે. સ્ટેશનની પાસે જ અમે એક જગ્યાએ રાત રહ્યા. આ બે દિવસ મેં કાચું કરું ખાઈને જ કાઢયા. બીજે દિવસે પરોઢિયે ઊઠીને અમે નેપાળની સરહદમાં દાખલ થયા. મારા પગમાં માધવાચાર્યે આપેલા જૂના દક્ષિણી જેઠા હતા. તે તદ્દન ફાટી ગયા હોવાથી રસ્તામાં ફેંકી દેવા ખાતર પગમાંથી કાવ્યા. જોઉં છું તે જમણો પગ આખો લોહીલુહાણ! સવારના અંધારામાં જેડા પગમાં વાગી વાગીને લોહી નીકળેલું અને તે ત્યાંનું ત્યાં જામી ગયેલું, પણ ટાઢ એટલી કે મને તેની ભાળ સરખી ન લાગી. ગામના લોકો ઊઠે તે પહેલાં જ અમે બીરગંજ પહોંચ્યા. ' હવે પછીની મુસાફરીની નોંધ મેં જે ચેપડીમાં લખી રાખી હતી તે ખોવાઈ ગયાનું હું પાછળ લખી ગયો છું, તેથી અહીં તો હવે મારે મારી યાદદાસ્ત ઉપર જ આધાર રાખવો પડશે. બધી જગ્યાઓનાં નામ પણ હવે મને યાદ નથી. બપોરે જમ્યા પછી બીરગંજથી નીકળ્યા. હું મારાં બેલ્સ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ આપવીતી મારી સાથે લાવ્યો હતો. તે અહીંના એક દુકાનદાર પાસે મૂક્યાં. આ સિવાય માધવાચાર્યે આપેલી જૂની ધાબળી, બે મારી ધાબળીઓ, અને બીજા ઘેડાંક પુસ્તક એટલો સામાન મારી સાથે હતા. કઈ મજૂર ન મળવાથી આ બધે સામાન મારે ઉપાડવો પડ્યો. પણ બે ત્રણ માઈલ ચાલતાં જ હું તદ્દન થાકી ગયે. ત્રણ દિવસથી પેટ ભરીને ખાવા તે નહોતું જ મળ્યું. અને તે ઉપર આટલો ભાર લઈને ત્રણ માઈલ ચાલતા જવું એ મારા જેવા અશક્ત માણસને માટે અશક્ય હતું. અહીંથી જ પાછા ફરવાનો વિચાર કેટલીયે વાર મનમાં આવ્યો. પણ નેપાળ ન જાઉં તો પછી બૌદ્ધધર્મનું જ્ઞાન કેમ મેળવી શકાશે, એ વિચારે પાછા ફરવાનો વિચાર ઉપર જય મેળવ્યો. આખરે રસ્તામાં એક મુસલમાન મજૂર મળ્યો. તે ભીમફેદી સુધી દેઢ રૂપિયામાં આવવા કબૂલ થયો અને તેણે મારી પાસે સામાન પોતાને માથે લીધું. બીરગંજથી પાંચ માઈલ ઉપર એક ગામ (આ ગામનું નામ આજે યાદ નથી.) છે ત્યાં અમે પહેલે મુકામ કર્યો. તે રાત અમે પિૌંવા અને ગોળ ખાઈને વિતાવી. બીજે દિવસ એટલે બુધવારે અમે લગભગ દસ માઈલ ચાલ્યા. અહીંથી નેપાળની તરાઈ પૂરી થઈ હિમાલયની તળેટીમાં આવેલાં જંગલની શરૂઆત થઈ નેપાળના પહાડી મુલક અને તરાઈને મુલક એવા બે ભાગ છે. તરાઈ ભાગ નેપાળને અંગ્રેજ સરકાર પાસેથી મળે છે. તરાઈમાંની વસ્તી હિંદી લોકોની છે. ફક્ત સરકારી અમલદારે નેપાળી છે. બીરગંજમાં એક મોટો નેપાળી અમલદાર રહે છે. નેપાળી સરકારને આ તરાઈ મુલકની આવક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ નેપાળને પ્રવાસ પહાડી મુલકના કરતાં વધારે હશે. અહીં ડાંગર ખૂબ પાકે છે. કાનપુરી ચોખા કહેવાય છે તે ઘણુંખરું આ જ પ્રાંતમાંથી આવે છે. પાક ખૂબ થાય છે પણ મલેરિયાની બીકે નેપાળી લોકે આ પ્રદેશમાં વસતાં ખૂબ ડરે છે. દુર્ગાનાથને તો આ તરાઈ પૂરી કરી નેપાળના ઊંચા ડુંગરો ક્યારે જોઈશ એમ થઈ ગયું હતું. તે તીરની માફક જતો હતો. હું ધીમે ધીમે પાછળ ચાલતો. દુર્ગાનાથના દાદાએ સામા મોકલેલા બે માણસ તેને બીરગંજમાં મળ્યા. મારું દુઃખ જોઈ તેઓને ભારે રમૂજ પડતી અને તેઓ ખડખડ હસતા. તેમની આ ક્રૂરતા જોઈ મને બહુ નવાઈ લાગી. મારો મુસલમાન નોકર મારી દયા ખાતે ખરો. ગુસ્વારે બપોરે અમે એક વહેળાને કાંઠે રસોઈ કરી. દુર્ગાનાથે મને એક નાનીશી લોઢાની કડાઈ આપી. પવન સુસવાટ કરતો ફૂંકાતો હોવાથી કડાઈમાં કરેલો ભાત એક બાજુ નરમ થઈ ગયો અને બીજી તરફ તદ્દન ચેખા રહ્યા! તે દિવસથી દુર્ગાનાથ મને પિતાની સાથે જ એક વખત ખવડાવવા લાગ્યો. નેપાળની તરાઈ મૂકીને જેમ જેમ અમે હિમાલયની તળેટીનાં મહારનો રસ્તો કાપવા લાગ્યા તેમ તેમ મારું શારીરિક દુઃખ વધવા માંડયું. સવારે અતિશય ટાઢને લીધે મારા ઉઘાડા પગમાંથી લોહી નીકળતું, અને તેના ઉપર રસ્તાની ધૂળ ચોટે એટલે પીડાનો પાર રહે નહિ. રાત્રે અમે રસ્તાની બાજુએ આવેલી દુકાનદારોની એકાદ ઝૂંપડીમાં રાત ગાળી પરોઢિયે ઊઠીને વળી આગળ જતા. બપોરે સગવડ પ્રમાણે રસ્તામાં રાંધી જમતા. રસોઈમાં બીજું કાંઈ નહિ, ફક્ત ભાત અને નેપાળમાં થતાં એક જાતનાં કેકમ ઉકાળીને રસ્તાની ધૂળ ન વેલી દુકાનદારની બપોરે સગવડ - પરાઢિયે ઊઠીન તા. રાઈમાં આમ ઉકાળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ આપવીતી કરેલું પાણી. પણ ભૂખની વેળાએ એવું એવું પણ અમને ખૂબ મીઠું લાગતું. રાત્રે રસ્તામાં પાંચ છ માઈલને અંતરે આવતી ઝૂંપડીઓવાળાની દુકાને મળતા ગોળ અને પૌવા ખાઈ લેતા. પણ આ નેપાળને ગોળ એટલો ખરાબ અને છે કે મેં તે ખાવાનું છોડી દીધું. અને એકલા પૌવા ઉપર જ સંતોષ માનવા લાગ્યો. અમે એક નદીને કાંઠે કાંઠે ચાલતા હતા. હજી તો હું પથારીમાં હોઉં ત્યાં દુર્ગાનાથ મને આવીને કહેતો, “મેં નાહી લીધું.” આ માણસ ક્યારે ઊડ્યો, ક્યારે નદીએ ગયે અને આવી કડકડતી ટાઢમાં તે કઈ રીતે નાહ્યો એની મને જ નવાઈ લાગતી. હું કહેતો કે, “તમે નેપાળી લેકે જબરા, ટાઢની કે પવનની તમને કશી પરવા જ * ન મળે! મને તે આવા પરોઢિયામાં નદીએ નાહવું એ તદ્દન અસંભવિત લાગે છે.” બીરગંજથી નીકળ્યાને ત્રીજે દિવસે * અમે નદીને કાંઠે જ એક દુકાનદારની ઝૂંપડીમાં રાત રહ્યા હતા. ઝૂંપડીમાંથી નદી દેખાતી હતી. પણ પાણી સુધી જવાનો રસ્તો એવો વિકટ હતો કે પહોંચતાં ખૂબ વખત લાગે. નજીકનો એક રસ્તો હતો પણ તે ઊભી કરાડ ઊતરીને નીચે જતા હોવાથી ઘણો જ જોખમભરેલો હતો. હું સવારે વહેલે જાગે પણ ટાઢ કહે મારું કામ, તેથી હજુ પથારીમાં જ પડી રહ્યો હતો. એટલામાં દુર્ગાનાથ ઊડ્યો અને પિતાની નાહવાની તૈયારી કરવા લાગ્યો. એક નાના પંચપાત્રમાં પાણું લઈ પિતાની વેંત જેટલીને અડકાયું; પછી બે કાન તથા આંખે અને કપાળે પાણી અડકાડી સ્નાનવિધિ પૂરો કર્યો ! પછી મને કહે છે, “અરે ! તમે હજી સૂતા જ છો? મેં તો સ્નાન પણ કરી લીધું.' મેં કહ્યું : “અરે ભાઈ! હું તો ટાઢને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ નેપાળને પ્રવાસ લીધે તમે ઊડ્યા તે પહેલાંનો જાગતો પડ્યો છું. પણ મેં તમને નદી ઉપર જતાં તો કંઈ ભાળ્યા નહિ. ત્યારે તમે સ્નાન શી રીતે કર્યું?” તેણે કહ્યું, “તમે જાગતા હતા તો પછી હું પંચપાત્ર લઈ સ્નાન કરતો હતો તે શું ન જોયું?' મારા ભેજામાં એકાએક કાર અજવાળું પડયું અને નેપાળી લોકોનું સ્નાન હું હવે સમજ્યો. મારવાડમાં એક ઘડા પાણીમાં બે ત્રણ માણસો નહાય છે એમ સાંભળ્યું હતું. પણ નેપાળી લોકોની સ્માનપદ્ધતિની એમને ખબર હોય તો તે એક ઘડામાં ઓછામાં ઓછા એ મારવાડીઓ સ્નાન કરી શકે! તે દિવસથી નેપાળમાં દુર્ગાનાથની સાથે હતો ત્યાં સુધી સવારે ઊઠતાંવેંત મેં “નેપાળી” સ્નાન કરવા માંડ્યું! શુક્રવારે રાતે અમે ભીમફેદી આવી પહોંચ્યા. અહીંથી નેપાળનો પહેલો મટે ઘાટ શરૂ થાય છે. એક દુકાનદારની ઝૂંપડીમાં અમે રાત રહ્યા. મારી પાસે કેટલીક નેપાળી મહાર (અંગ્રેજી રૂપિયામાંથી લગભગ અઢી આવે.) હતી. બીરગંજમાં અંગ્રેજી નાણું આપી આ મહોરે મેં લીધી હતી. મારા મુસલમાન નોકરને ઠેઠ કાઠમંડુ સુધી આવવા મેં ખૂબ સમજાવ્યો. પણ ગુરખાઓના સ્વભાવની તેને ખબર હોવાથી તે એકનો બે થયે નહિ અને ત્યાંથી જ પાછા ફરવાની હઠ પકડી. ભીમફેદી સુધી જ મારો સામાન પહોંચાડવાની તેની સાથે બોલી હતી તેથી મારે નિરુપાયે તેને છોડી દેવો પડ્યો. દુર્ગાનાથે મારા સામાન માટે બે ભાટિયા મજૂરો શોધ્યા, તેમણે પોતાની મજૂરી અગાઉથી માગી. પેલા મુસલમાન મજૂરની અને આ નવા મજૂરની મજૂરી ચૂકવતાં મારી પાસે એક જ નેપાળી મહાર બાકી રહી. તે પૌંવા લેવા માટે દુકાનદારની સ્ત્રીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ આપવીતી આપતાં મારા હાથમાંથી સરી પડી દુકાનની અંદરના ભાગમાં રડી ગઈ દુકાનદારે અને તેની સ્ત્રીએ થોડી વાર શોધવાનો ફારસ કર્યો, અને નથી જડતી એવું બહાનું કાઢી ન આપી. છેવટે દુર્ગાનાથ પાસેથી થોડાક પૈસા ઉછીના લઈ મેં કામ પતાવ્યું. બીજે દિવસે સવારે વહેલા ઊઠી નેપાળનો પહેલે ઘાટ ચઢવાની શરૂઆત કરી. આને નેપાળી લોક ગઢી કહે છે. આ ગઢીનું નામ ઘણું કરીને ખરીગઢી હતું. એની ટોચ ઉપર નેપાળ સરકારનું નાકું છે અને કડક બંદોબસ્ત રહે છે. દરેક માણસની અહીં ઝડતી લેવાય છે અને અપરિચિત માણસને પરવાના વગર આગળ જવા દેતા નથી. દુર્ગાનાથ પાસે બધા મળી પાંચ પરવાના હતા. એટલે તેમાં મારા બે ભેટિયા મજૂરને સમાવેશ થાય એમ ન હતું. આથી અમે એમ ઠરાવ્યું કે, એકી વટાવીને પેલી તરફ થોડેક સુધી મારે મારો સામાન ઉચકી જવો અને પેલા ભોટિયાઓને ખાલી આગળ જવા દેવા. તેઓ આ પ્રાંતના હોવાથી તેમને પરવાનાની જરૂર નથી હોતી. પણ તેઓ જે કઈ પરદેશી માણસની સાથે હોય તો તેમને પરવાનાની જરૂર પડે છે. ગઢી ચઢતાં ચઢતાં હું થાકીને લોથ થઈ ગયો. તેમાં વળી નાકા આગળ આવી પહોંચતાં બધે બે પંડે ઊંચકવા વખત આવ્યા. તે પણ માંડ માંડ મેં તે નાકા સુધી પહોંચાડ્યો. ત્યાં અમારાં કપડાંલત્તાંની ઝડતી લેવાઈ ઝડતી દરમ્યાન નાકાના સિપાઈ એ મારાં માજા ચેર્યો. વળી પાછો સામાન ઊંચકી આગળ ચા. પણ પેલા ભોટિયા મજૂર ક્યાં નજરે ન પડે. એ લોકે તે ખાસા આગલે મુકામે પહોંચી નિરાતે આરામ લેતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ નેપાળને પ્રવાસ હતા. પણ આ મુકામની જગ્યા હું હતો ત્યાંથી હજુ લગભગ એક માઈલ હોવાથી ભારે સામાન ઊંચકી ત્યાં સુધી જવું મારે માટે કેવળ અશક્ય હતું. નાકું મૂકી થોડે છેટે ગયે હઈશ ત્યાં તો એટલો થાક્યો કે સામાનનું પિોટલું એક કાર ફેંકી એક ઝાડ નીચે લોથપોથ થઈને પડ્યો. દુર્ગાનાથ પોતાના મજૂરો સાથે આગલે મુકામે પહોંચ્યા ત્યારે ત્યાં તેણે પેલા ભોટિયા મજૂરને જોયા. તેણે મારી તપાસ કરી, પણ મારો પત્તો લાગે નહિ. આથી તેણે પેલાઓને ધમકાવ્યા, અને છેક નાકા સુધી પાછા જઈ મારી શોધ કરી લાવવા ફરમાવ્યું. તેમણે આવીને મારો સામાન ઉપાડ્યો. પિતાના કામની ઉપેક્ષા કર્યા માટે હું તેમના ઉપર ગુસ્સે થયા. પણ . મારી ભાષા તેમને જરા પણ સમજાતી ન હોવાથી તેની તેમના ઉપર શી અસર થઈ એ કંઈ સમજાયું નહિ. ઝાડ નીચે અર્થે પોણો કલાક પડી રહ્યાથી મારા શરીરમાં કાંઈક શક્તિ આવી હતી તેથી પેલા ભોટિયા મજૂરોની સાથે ધીમે ધીમે ચાલતો હું મુકામે પહોંચે. મુકામ ઉપર દુર્ગાનાથે જમવાનું તૈયાર કરી રાખ્યું હતું. જમવામાં બીજું કંઈ નહિ, ફક્ત ભાત અને કોકમનું પાણી. જે જગ્યાએ અમે ઊતર્યા હતા તે જગ્યા એક ઝરણને કોઠે આવેલી હતી. અહીંથી આસપાસની શોભા સરસ દેખાતી હતી. . પણ નેપાળી લોકેએ ચૂલા આગળ જ શૌચ કરી એટલી તો ગંદકી કરી મૂકી હતી કે, સાધારણ દિવસે તે ભાતને એક કેળિયો પણ ગળે ઉતારતાં ઊલટી થાય. પણ તે દિવસે એવી જગ્યામાં બેસીને પણ દુર્ગાનાથનો અસ્વેદકયુક્ત ભાત મેં ખૂબ રુચિપૂર્વક ખાધો ! દુર્ગાનાથ ઘેર પહોંચવા આ 9 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ 98 આપવીતી અધીરો થયો હતો. અહીંથી છૂટયો તે જ દિવસે મધરાતે * તે પિતાને ઘેર પહોંચે. પણ તેને નોકર, મારે મજૂર અને હું એટલા પાછળ રહ્યા. રાતે એક ખુલ્લી ધર્મશાળામાં અમે મુકામ કર્યો. પિવા ખાઈ અમે સૂઈ રહ્યા, પણ ટાઢ તે એવી કે મારા બન્ને પગ કેમ જાણે તૂટી પડતા હોય એમ જ મને લાગવા માંડ્યું. મહાકછે તે રાત મેં કાઢી. બીજે દિવસે એટલે તારીખ હ્મી ફેબ્રુઆરીને રોજ અમે પરોઢિયે ઊઠી - આગળ ચાલવા માંડયું. આખો રસ્તો ઠરી ગયેલી ઝાકળથી છવાયેલું હતું. તેના ઉપર ઉઘાડે પગે ચાલવું એટલે પછી પૂછવું જ શું? મારા ઉપર વીતવામાં કશું બાકી રહ્યું નહિ. લાલ તપાવેલી લોઢી ઉપર થઈને ચાલવા જેવી મારી સ્થિતિ થઈ અંતે કેમ જાણે મારી દયા ખાઈને જ સૂર્યનારાયણે. પિતાનાં કેમળ કિરણો ક્ષિતિજ ઉપર ફેલાવ્યાં અને પા અર્ધા કલાકમાં બધી ઝાકળ પિગળાવી નાખી. આથી મારું દુઃખ તદ્દન મટી ગયું એમ તો નહિ, તોપણ ખૂબ ઓછું થઈ ગયું. સાત આઠ વાગ્યાના સુમારે અમે નેપાળનો બીજો ઘાટ (ચંદ્રગઢી) ચઢઢ્યા. આ ઘાટની ટોચ ઉપરથી સામે જ હિમાલયની સદાકાળ બરફથી ઢંકાયેલી રહેનારી હારે એટલી તો સ્પષ્ટ દેખાતી હતી કે ક્ષણભર હું મારા પગની વેદના ભૂલી ગયે. " अस्त्युत्तरस्यां दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः / / पूर्वापरो तोयनिधीवगाह्य સ્થિતઃ પૃથિવ્યો રૂવ માનવું છે”. આવું જેનું કવિકુલગુરુ કાલિદાસે પોતાની રસિક વાણીથી વર્ણન કર્યું છે, જે ઋષિમુનિઓનું નિવાસસ્થાન, જે પોતાના થઈ. અંતે નદી ઉપર થઈને ચાલવા બાકી રહ્યું નહિ. * P.P AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #107
--------------------------------------------------------------------------
________________ નેપાળને પ્રવાસ સાન્નિધ્ય વડે જેનારના મનમાં ઉન્નત ધર્મવિચાર જાગૃત કરે છે તે હિમાલયનાં શુભ્ર સ્ફટિકવત ચમકતાં શિખરે જઈને ભારતમાતાના ક્યા પુત્રને આનંદ થયા વગર રહે ? આ પ્રસંગે મારા મનમાં જે વિચારતરંગો ઊડ્યા તે સર્વનું વર્ણન કરવું અશક્ય છે. ગાવા જેવા પછાત પ્રાંતમાં મારો જન્મ. અમારા પ્રાંતના લોકોને કાશી સુધી પ્રવાસ કરવામાં પણ ભારે સાહસ દેખાય. અરે! સહ્યાદિ ઓળંગ એ પણ અમારે મન કેવડી વાત ! પણ તે જ પ્રાંતમાં ઉછરેલો હું આજે ક્યાં ક્યાં ? પહોંચ્યો ? નેપાળના આ ચંદ્રગઢી ઉપર ઊભો રહીને નગાધિરાજ 'હિમાલયનાં સુંદર શિખરો હું નીરખી રહ્યો છું. વળી આ બધું મેં ભારે સાહસ ખેડીને કે કોઈ અલૌકિક શરીરસામર્થ્યને લઈને સાધ્ય કર્યું એમ પણ નથી. મારા જેવો મુસાફરીને ડર બીજે કઈ ભાગ્યે જ મળી આવત. અને શરીરસામર્થ્યમાં તો આટલા થોડા પ્રવાસથી પણ મારા કેવા કેવા હાલ થયા તે મેં અનુભવ્યા. સારાંશ, આજે હું જે આ નગાધિરાજ હિમાલયનાં દર્શન કરી પાવન થયે તે માત્ર મારા બુદ્ધ પ્રેમને જ પ્રતાપે. આવા આવા અનેક વિચારથી મારું મન પ્રફુલ્લિત થયું. અને બુદ્ધ ઉપરની મારી શ્રદ્ધા વધુ દૃઢ થઈ ચંદ્રગઢી ઊતરી બપોરે તળેટીમાં જમી સાંજે ચાર પાંચ વાગ્યે અમે દુર્ગાનાથને ઘેર પહોંચ્યા. દુર્ગાનાથના પિતાએ તેમ જ દાદાએ મારો સારો સત્કાર કર્યો. નેપાળના પ્રવાસ દરમ્યાન સારું ભેજન મળ્યું હોય તો તે આજે જ પહેલવહેલું મળ્યું. હું ભોંયતળિયે ઉઘાડી જગ્યા હતી ત્યાં સૂતા. ટાઢ સખત હતી પણ દુર્ગાનાથના બાપે એક જમ્બર નેપાળી ધાબળો આપ્યો અને જમીન ઉપર ન મળ્યું | હતી ત્યાં તે નવલું મળ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ 100 આપવીતી ઘાસ પાથરી પથારી તૈયાર કરી આપી. મારી પાસે એક નાની ધાબળી હતી જ. છત્રમાં અબોટિયે જમવામાં હું તે વાપરતો. તેના બે કકડા કરી મોજાને બદલે તે પગે વીંટાળ્યા. આથી ટાઢનું કષ્ટ કંઈક ઓછું થયું. બીજે દિવસે સવારે વહેલા ઊઠી મેં “નેપાળી' સ્નાન કર્યું અને નવ વાગ્યાને સુમારે જ. નેપાળના બ્રાહ્મણે માંસાહારી હોય છે. દુર્ગાનાથને, પોતે માંસાહારી છે, એમ મને જણાવા નહોતું દેવું. તેથી તેણે પોતાની માને કહીને મારે સારુ જમવાની ગોઠવણ જુદી કરાવી. જમ્યા પછી દુર્ગાનાથ મને કાઠમંડુના મુખ્ય દેવમંદિરનાં દર્શન કરવા તેડી ગયે. કાઠમંડુમાં નાનાં મોટાં અનેક મંદિર છે, પણ તેમાં મુખ્ય બે છે. એક પશુપતિનું અને બીજું ગુઘેશ્વરીનું. પહેલાં તો અમે ગુઘેશ્વરીના દર્શને ગયા. ગુઘેશ્વરીમાં કે બીજા કોઈ મંદિરમાં શિલ્પકળાની દિશામાં કશું ખાસ મેં જોયું નહિ. ગુણેશ્વરીના મંદિર ઉપર સેનાના કળશ અને રૂપાનાં પતરાં છે. અંદરની બાજુએ નાનકડે ચોક છે. આ ચોકમાં એક બાજુએ એક હાથ પહોળી અને દોઢ હાથ લાંબી સ્ત્રીનિની આકૃતિ છે. તે અંદરથી પથ્થરની હશે, પણ ઉપરથી તેને સોનાની ખળ ચડાવી છે. આસપાસ આપણે ત્યાંની મેલડીશિકાતરીના જેવી કેટલીક મૂર્તિઓ છે. આ આખે ચોક અને ત્યાંની પથ્થરની - આકૃતિઓ લોહીથી એવી તો તરબળ હોય છે કે, તેને ખાટકી ખાનાની ઉપમા આપી હોય તો કંઈ ખોટું નહિ. અમે આ મંદિરમાં ગયા ત્યારે એક કૂતરું ગુઘેશ્વરી આગળ જ લોહી ચાટી રહ્યું હતું. ત્યાંને પૂજારી કાંઈક મંત્ર ગણગણતો ગુઘેશ્વરીની પૂજા કરતો હતો. એક બાજુએ એક બ્રાહ્મણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ A. જ છે, , જેવા નેપાળને પ્રવા. કાલાનગર, નિ–3209, શતચંડીનો પાઠ કરતો બેઠે હતો. આ બધો દેખાવ જોઈને મને કમકમાં આવ્યાં. એટલામાં એક પૂજારીએ એક જાતની ' નેપાળી તાડી ચરણામૃત તરીકે આણી અમારી આગળ ધરી ! પહેલાં તો મને આ શી વસ્તુ હશે એની ખબર ન પડી. પણ બીજી જ પળે તેની બદબો આવવાથી મેં દુર્ગાનાથને “આ તે તાડી છે કે શું? એવો સવાલ પૂછયો. તેણે કહ્યું, “તાડી જ છે.” મેં કહ્યું, “આ તાડી પવિત્ર ચરણામૃત તરીકે કેમ પિવાય ?' તેણે જવાબ વાળ્યો, “તમારે જે ન પીવી હોય તે જરા માથે ચોળીને બે આંખે વાંદી લે એટલે થયું.” આમ કહી તેણે પિતે આ વિધિ કર્યો. પણ તાડી આંખે વાંદતી વખતે જેવી તેણે આંખો બંધ કરી તેવું જ મારા હાથમાંનું તાડીરૂપી ચરણામૃત મેં ફેંકી દીધું. ' અમે ગુહેશ્વરીના મંદિરમાંથી બહાર નીકળ્યા તેવું જ થોડેક છેટે કોઈ મોટો જંગી ઘંટ ઊંધો પાડયો હોય એવી આકૃતિવાળું બૌદ્ધ સ્તૂપ મારી નજરે પડયું. ત્યાર અગાઉ મેં કદી બૌદ્ધ મંદિર કે સ્તૂપ જોયાં નહોતાં. મેં દુર્ગાનાથને પૂછ્યું, “પેલું દેખાય છે તે કાનું મંદિર હશે?” તેણે જવાબ આપ્યો, એ તો બૌદ્ધોને કંઈક છે, પણ તમે તે તરફ રખે નજર કરતા. શાસ્ત્રમાં એનો મોટો દોષ ગણ્યો છે. શાસ્ત્રમાં લખ્યું છે કે, બ્રાહ્મણ એના સામું જુએ તોપણ તેણે સ્નાન કરવું.” દુર્ગાનાથના આ શબ્દો સાંભળી હું ચકિત થઈ ગયો ! ગુઘેશ્વરીના મંદિરમાંની પવિત્ર તાડીનું સેવન કરવામાં વાંધો નહિ, પણ બૌદ્ધ મંદિરનું તો દૂરથી દર્શન પણ અપવિત્ર! બૌદ્ધધર્મ સંબંધી નેપાળી લોકોમાં આવડે તિરસ્કાર હશે એવું મને સ્વપ્ન પણ નહોતું. પણ દુર્ગાનાથ સાથે આ બાબતમાં અત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ 102 આપવીતી વાદ થાય એમ ન હતું. હું બૌદ્ધધર્માભિમાની છું એવી તેને ખબર પડે, તે તત્કાળ તેને હાથે જ મારા પર દુઃખની પરંપરા શરૂ થાય. આવો વિચાર કરી તેને કશો જવાબ ન દેતાં, બૌદ્ધ સ્તૂપની તરફ પીઠ ફેરવી હું તેની સાથે પશુપતિનાથના મંદિર તરફ વળ્યો. - પશુપતિનું મંદિર ઊંચાણ જગા પર આવેલું છે. મંદિર - તદ્દન નાનું છે અને અંદર એક મોટું શિવલિંગ છે. લિંગને ચારે બાજુ ચાર મેઢાં છે. આ મંદિરના પૂજારી દક્ષિણ બ્રાહ્મણો છે. આથી આ મંદિરના આંગણામાં પશુઓને ભોગ અપાતો નથી. પણ પાસે જ જે ગોરખનાથ વગેરેનાં નાનાં નાનાં મંદિર છે ત્યાં પશુવધ થાય છે. નવાઈની વાત તો એ છે કે, ગોરખનાથ જેવા પુરુષની મૂર્તિ પણ લોહીથી તરબોળ હતી. પશુપતિનાથના પૂજારી કૃણશાસ્ત્રી પ્રવિડ તે અમારા ગુરુ ગંગાધરશાસ્ત્રી તેલંગના ગુરુબંધુ. મારા સહાધ્યાયી નાગેશ્વરપંત ધર્માધિકારી આમની જ પાસે કેટલોક વખત શાસ્ત્રાભ્યાસ કરતા. હું કાશીથી નીકળે ત્યારે નાગેશ્વરપતે આમને મળી પિતાના નમસ્કાર પહોંચાડવા અને ખુશખબર પૂછવા મને કહ્યું હતું. પણ અમે પશુપતિના મંદિરમાં ગયા તે વખતે તેઓ પૂજામાં હતા. તેમની પૂજા બપોરે ત્રણ વાગ્યે પૂરી થતી. આથી તે દિવસે તેમને મળવાનું બને એમ નહતું. પણ હું કાશીથી આવ્યો છું એવા ખબર તેમને પડતાં, બીજે દિવસે સાંજે આવીને જરૂર મળી જવા તેમણે મને કહેવરાવ્યું. પશુપતિના મંદિરમાંથી નીકળી અમે સીધા ઘેર આવ્યા. બીજે દિવસે સવારે શૌચ, મુખમાર્જન, નેપાળી' સ્નાન વગેરે આટોપી છ સાત વાગ્યે દુર્ગાનાથના પિતા અને નેપાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ 103 દેખાઈ આ ર મેગેલિયન છે ન કાઢયું ? નેપાળને પ્રવાસ કેટમાં અપીલની રીત જેવા ભીમસમશેર (તે વખતના સેનાધિપતિ)ને બંગલે લઈ ગયા. રસ્તે ઝાકળ ખૂબ પડ્યું હોવાથી મને પગે પીડા થઈસેનાપતિ સાહેબને બંગલો એક ત્રણ માળનું ઘર હતું. માત્ર તેના ફરતું ચગાન વિશાળ હતું. અમે ત્યાં પહોંચ્યા તે વખતે વીસ પચીસ સિપાઈઓ કવાયત કરતા હતા. એટલામાં ત્રીજા માળ પરની એક બારીમાંથી બહાર ભેગા થયેલા લોકોને સેનાપતિ સાહેબે દર્શન દીધાં. તેમની જોડે તેમનો કારભારી હતો. માથાના વાળ સુધી તાણેલું કપાળ ઉપરનું ટીલું જોઈ સેનાપતિ સાહેબે (નેપાળી) સ્નાન કર્યાનું દેખાઈ આવતું હતું. તેઓ જેકે પિતાને ક્ષત્રિય કહેવરાવતા, છતાં તેમને બાંધે મેગેલિયન ઢબને વધુ મળતો હતો. બારી ઉઘાડી નામદારે પિતાનું મોટું બહાર કાઢયું ન કાઢયું તેવી જ નીચે અરજદારોના ટોળામાં મુજરો કરવાની ધમાલ મચી ગઈ. દરેક જણે પોતપોતાનું દુઃખ સેનાપતિ સાહેબ આગળ રડવા માંડયું. પણ પાંચ દશ મિનિટ સુધી તો એમને કોણ શું કહે છે તેની ખબર જ ન પડે. છેવટે કઈ સિપાઈએ કે અમલદારે ઘોંઘાટ અટકાવી એક પછી એક સાહેબ આગળ આવવા હુકમ કર્યો. છતાં દરેક વાદી પિતાનું કહેવું ત્રીજે . માળે સેનાપતિ સાહેબને કાને બરાબર પહોંચે એટલા સારુ મેટેથી ઘાંટા પાડી, વળીવળીને મુજરા કરતા, પિતાની ફરિયાદ સેનાપતિ સાહેબ આગળ રજૂ કરતા હતા. કોઈ પિતાને નાહકનો નાતબહાર કર્યા સામે ફરિયાદ કરતો હતો, સેનાપતિ સાહેબે તેને રાજગુરુ આગળ ફરિયાદ લઈ જવા ફરમાવ્યું. બીજા પણ કેટલાય ફરિયાદી હતા. પણ તેમના ખટલાઓને તરત નિકાલ કરવાને બદલે કારભારીને તેની નોંધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ 104 આપવીતી કરવા સેનાપતિ સાહેબે હુકમ કર્યો. બીજા કેટલાક ફરિયાદીએના દાવા ત્યાં ને ત્યાં જ કાઢી નાંખી નિકાલ કર્યો ! ન્યાય કરવાની આ અજબ રીત જોઈ હું ચકિત થયે એમાં નવાઈ નથી. વકીલ, જજ, હાઈ કોર્ટે કશાની જરૂર ન મળે! આમ છતાં આવી સીધીસટ ઈન્સાફ પદ્ધતિથી નેપાળના લોકોને સંતોષ હોય એમ લાગ્યું. ઓછામાં ઓછું હાઈકોર્ટને નિકાલ આવે ત્યાં સુધીમાં કેરટની ફી, વકીલોની ફી, સ્ટેમ્પ ઈત્યાદિ પાછળ છેલ્લામાં છેલ્લી પાઈ ખરચી નાંખી મુફલિસ થવા વાર તો આ લોકોને નહિ આવતો હોય એમ મને લાગ્યું. પેલા ગુજરાએ મને કઈ રીતે ગમ્યા નહિ. . કૃણશાસ્ત્રી દ્રવિડે જે વખતે મને મળવા બોલાવ્યો હતો તેનાથી પંદર મિનિટ વહેલે હું તેમને ઘેર પહોંચ્યા. શાસ્ત્રીબુવા પૂજા પૂરી કરી ઘેર આવી જમવા બેઠા હતા. તેમાંથી પરવારતાં સાડાત્રણ વાગ્યા. પોતાના સહાધ્યાયી ગંગાધરશાસ્ત્રીની તેમ જ નાગેશ્વરપત ધર્માધિકારી વગેરે પિતાના શિષ્યોની તેમણે બધી ખબરઅંતર મને પૂછી, અને જ્યારે હું તેમની આજ્ઞા માગી ઊઠડ્યો ત્યારે પશુપતિનો પ્રસાદ, ધૂપ તથા રસ્તાના ખર્ચને માટે ચાર નેપાળી મહોર તેમણે મને આપ્યાં. મારી પાસેની પૂછે તે ક્યારની ખલાસ થઈ ગઈ હતી. તેથી આ અણધાર્યા દ્રવ્યલાભથી મને વિશેષ આનંદ થયો. નેપાળ છોડી જતાં પહેલાં વખત મળે ફરી એક વાર મળવાનું કહી મને તેમણે રજા આપી. અને તેઓ વામકુક્ષિ અર્થે ગયા. તેમણે આપેલ મહેરેમાંથી બે મહોર ખરચી મેં એક નેપાળી જોડાની જેડ લીધી અને તરત જ તે વાપરવા માંડી. પણ લાગેલાં જ બંને પગમાં બે ત્રણ ઠેકાણે આંટણ Jun Gun Aaradnak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #113
--------------------------------------------------------------------------
________________ s નેપાળને પ્રવાસ 105 પડ્યાં અને ટાઢને લીધે થતી વેદનામાં આ નવી વેદનાએ વધારો કર્યો. તે પણ મને તે પેલા બૌદ્ધ સ્તૂપનાં દર્શન કરવાની ચટપટી લાગી હતી. તથાપિ દુર્ગાનાથને મારા વિચારની જાણ થવા દેવી એ કઈ રીતે ઈચ્છવાજોગ નહોતું, એમ હું પાછળ કડી ગયે. આથી એક દિવસે બપોરે કોઈને પણ જાણ થવા ન દેતાં હું આ સ્તૂપ જોવા નીકળી ગયો. અહીંયાં કેઈ ને કઈ વિદ્વાન બૌદ્ધ સાધુનો અગર તો શખસનો ભેટો થશે એવી મને ભારે આશા હતી, પણ તે નિષ્ફળ નીવડી. સ્તૂપની આસપાસ કેટલાક ટિબેટી સાધુ પાસા નાંખી શુકન કહેતા બેઠા હતા. બીજી બાજુ એક મારેલું બકરું આખું ને આખું વેચવા સારુ મૂકેલું હતું. આ બધું જોઈને મારું મન આશ્ચર્ય તેમ જ ખેદમાં ડૂબી ગયું. રે! નેપાળમાં બૌદ્ધધર્મની આ સ્થિતિ! નેપાળની રાજધાનીના શહેર કાઠમંડુમાં પણ આ પવિત્ર સ્તૂપની શી દશા ! અંતે જેમ તેમ કરી મનને શાંત * કર્યું અને એટલામાં કોઈ વિદ્વાન સાધુસંત રહેતા હતા કે કેમ એની તપાસ કરી. પણ પાસા નાંખીને શુકન કહેનારા સાધુઓ કરતાં વિશેષ યોગ્યતાવાળો કોઈ પુરુષ ત્યાં નહોતો એમ માલૂમ પડ્યું, નેપાળમાં બૌદ્ધધર્મની આ અત્યંત ખેદજનક સ્થિતિ જોઈને મારું મન ઉદ્વિગ્ન થઈ ગયું. હવે નેપાળમાં રહેવામાં કશે લાભ રહ્યો નહિ. પણ જવું ક્યાં? બૌદ્ધધર્મની શોધ થઈ શકતી નથી, તો પછી દુનિયામાં જીવીને પણ શું કરવું? કેટલોક વખત સુધી તો હું સાવ વિચારશન્ય બની ગયો. આ તરફ નેપાળનું રાજદ્વારી વાતાવરણ સાફ ન હોવાથી દુર્ગાનાથના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ આપવીતી દાદાની ઈચ્છા હું નેપાળ છોડી જલદી મારે દેશ પાછો જાઉં છે એવી દેખાતી હતી. પણ મને એક મેકલ એ પણ એમને ઠીક લાગતું નહોતું. એટલામાં બદરીકેદારથી ગંગાજળ લાવનારા કેટલાક કાવડવાળા જાત્રાળુ કાઠમંડુમાં આવ્યા. તેમની અને દુર્ગાનાથના દાદાની જૂની ઓળખાણ હોવાથી તેમની મારફત બધી ગોઠવણ થઈ ગઈ દીવાન સાહેબને ઘેર દુર્ગાનાથના દાદાએ તેમનો ઠીક સાકાર કરાવ્યો અને પેલાઓને બધા મળીને એક રૂપિયા મળ્યા. આ કાવડવાળા નેપાળથી રકલ આવી ત્યાંથી હરદ્વાર સુધી રેલ રસ્તે જવાના હતા, કારણ બરફને લીધે નેપાળથી પહાડોને રસ્તે જવું આ દિવસોમાં અશક્ય હતું. આથી મારે તેમની સાથે રકસૌલ સુધી જવું, અને ત્યાં સુધી મને તે લોકે સાચવીને લઈ જશે, એમ દુર્ગાનાથના દાદાનું કહેવું હતું. પણ રકસૌલ પહોંચ્યા પછી કઈ બાજુ જવું એ કંઈ મને સૂઝે નહિ. એટલામાં ઓચિંતો એક વિચાર આવ્યું અને તેથી મનની ચંચળતા ત્યાં ને ત્યાં ભટી ગઈ. ગ્વાલિયરમાં હતા તે વખતે “કાશયાત્રા' નામનું એક પુસ્તક મારા વાંચવામાં આવ્યું હતું. તેમાં ગયાની દક્ષિણે પંદર માઈલ ઉપર એક બૌદ્ધ મંદિર છે અને એ બાબત કંઈક કજિયે ચાલુ છે, એવી મતલબનું લખાણ વાંચેલું તે મને યાદ આવ્યું. નેપાળથી બીજે ક્યાંય ન જતાં સીધા આ સ્થળે જ જઈને રહેવું એવો મેં નિશ્ચય કર્યો. મને લાગતું કે આ સ્થાન વેરાન પ્રદેશમાં હશે તેથી ત્યાં જમવાખાવાની કશી સગવડ નહિ હોય. પણ ઉપવાસ કરી મરણ આવે તોપણ બહેતર એમ ગણું છે, મારું બાકીનું આયુષ્ય આ જગ્યાએ પૂરું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ 107 - નેપાળને પ્રવાસ કરવાનો મેં નિશ્ચય કર્યો. વળી મને એવી પણ આશા હતી કે, બુદ્ધગયામાં દેવવશાત કઈ બૌદ્ધ સાધુ જાત્રાબાત્રાએ આવી ચડ્યો તો તેની પાસેથી બૌદ્ધધર્મનું જ્ઞાન કઈ રીતે સંપાદન કરવું એ જાણી શકાશે. વળી જે એવું કઈ ન જ મળ્યું અને આ નિર્જન પ્રદેશમાં ભારે દેહ પડ્યો તોયે ? વૈરાગ્યયુક્ત મનથી મારું મરણ થશે. આ કાઠમંડુમાં બૌદ્ધધર્મની દશા જોઈને થયેલી મારા મનની ઉદિતા તે શાંત થશે. આવી રીતે મનનો નિશ્ચય થવાથી મારો ઉગ શમે. તરત જ દુર્ગાનાથના દાદાની પાસે જઈને હું કાવડવાળાઓની સાથે જવા તૈયાર છું એમ મેં જણાવ્યું. કાવડવાળાઓને ઊપડવાને બે ચાર દિવસની વાર હતી. આથી હું નિરાંતે નેપાળી લોકૅ વિષે ઇતર માહિતી મેળવવામાં તથા બને તો વાટ ખરચીને સારુ થોડું દ્રવ્ય એકઠું કરવામાં ગૂંથાયો. અઘરીનાથશાસ્ત્રી નામના ગંગાધરશાસ્ત્રી પાસે ભણેલા. એક નેપાળી પંડિત કાઠમંડુની પાઠશાળામાં સંસ્કૃતના અધ્યાપક હતા. ગંગાધરશાસ્ત્રીના શિષ્ય તરીકે જેમ કૃષ્ણશાસ્ત્રી પ્રવિડે મને મદદ કરી તેમાં તેઓ પણ કરશે, એવી આશાએ હું તેમને મળવા પાઠશાળામાં ગયો. આ પાઠશાળા કાશીની પાઠશાળાએની પાટી ઉપર ચાલે છે, પણ કાશીની પાઠશાળાના કરતાં નાની છે. અહીં બધા મળી દસ કે અગિયાર શિક્ષક હતા. પણ તેઓ કાશીના પંડિતો જેટલા નામાંકિત નહોતા. તેઓ કાશીના પંડિતોની બરોબરી કરે એવા હોય તો દુર્ગાનાથ જેવા નેપાળી વિદ્યાર્થી કાશી સુધી ભણવા સારુ શું કરવા આવે? હું પાઠશાળામાં ગયો તે વખતે અઘોરીનાથ મને મળ્યા નહિ, પણ બીજા એક પંડિત મળ્યા. તેમણે મારી સાથે ખૂબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ 108. આપવીતી આદરમાનથી વાત કરી. પરંતુ તેમની વાતચીત ઉપરથી નેપાળી પંડિત નિષ્કાંચન હોવા જોઈએ એમ મને લાગ્યું. હું ગરીબ વિદ્યાર્થી હોઈ મને કંઈ મદદ જોઈએ છે, એ મેં આ બુટ્ટા પંડિતને બિલકુલ જવા ન દીધું. અધેરીનાથને મળવામાં હવે ઝાઝા લાભની આશા રહી નહિ, તથાપિ બને તો મળી લેવું એવો વિચાર કરી હું તેમને ઘેર ગયે. કાઠમંડુ શહેરની એક ગલીમાં અારીનાથનું ઘર હતું. બે માળનું મકાન. પૂનાની હવેલીઓની માફક આ ઘરને મેટ ચેક હતો. ચારે બાજુ સાવ સાંકડી ઓરડીઓ હતી. અને તેમાં વસ્તી હતી. હું આ એકમાં આવ્યો ત્યારે ગંદકી કાઢવાનું કામ ચાલુ હતું. કેટલાક નેપાળી મજૂરે બધું મેલું કાવડમાં ભરી ભરીને લઈ જતા હતા. નેપાળી લોકે કચરાપૂજે બહાર ન ફેંકતાં વચલા ચોકમાં જ નાંખે છે. મળમૂત્ર પણ અહીં જ કરે છે અને ઘેટાં બકરાંનું માંસ ખાઈને તેનાં હાડકાં પણ ત્યાં જ નાંખે છે. આ બધી ગંદકી ભેગી થાય એટલે વર્ષે છ મહિને કાવડમાં ભરી ભરી નજીકનાં ખેતરમાં લઈ જઈ ખાતર બનાવવામાં તેને ઉપયોગ કરે છે. દુર્ગાનાથનું ઘર શહેરની બહાર હતું. છતાં નજીકન બધે કચરે, છાણ વગેરે ભેગા કરી મૂક્યો હતો. પણ ત્યાં ખુલ્લી હવા હેવાથી મને બહુ ત્રાસ ન થયું. પણ અઘોરીનાથના ઘરની આ બધી શોભા જોઈને મને અત્યંત સૂગ ઊપજી. એક તરફના એકઢાળિયામાં બે ત્રણ છોકરાં દિશાએ બેઠાં હતાં, અધૂરામાં પૂરું તે જ વખતે ઉપલે માળેથી કેઈએ બકરા કે મેંઢાનાં હાડકાં ફેંક્યાં. એકઢાળિયામાં 'પણ પગ મૂક મુશ્કેલ થઈ પડ્યો. અંતે દૂરથી જ અઘેરીનાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ * 109 વન નેપાળને પ્રવાસ ઘેર છે કે નહિ તેની તપાસ કરી, અને નથી એવા ખબર મળતાં જ તે ગંદા ચોકમાંથી જે દેટ મૂકી તે ફરી વાર એ અઘોરીનાથને ઘેર જવાનું મેં સાહસ ખેડ્યું નહિ. . નેપાળી લોક સાધારણ રીતે ભારે સંશયખોર હોય છે. પરદેશીને આશ્રય આપતાં એ લોકે ભારે ગભરાય. રખેને અંગ્રેજ સરકારનો કોઈ જાસૂસ આવી પિતાની મારફત દેશની ખબર મેળવી જાય અને પરિણામે પોતાને શિક્ષા થાય એમ તેમને લાગતું હોવું જોઈએ. વળી આ જ અરસામાં નેપાળમાં રાજ્યક્રાંતિ થઈ ગઈ હતી. આથી નેપાળી લોકોમાં હું છૂટથી ભળી શક્યો નહિ. દુર્ગાનાથ પણ રાજકીય વિષયમાં કશી પણ વાતચીત કરવાની ઈચ્છા દર્શાવતો ન હતો. છતાં કાઠમંડુમાં તે કાળે રહેતા એક બે દક્ષિણ ગૃહસ્થો પાસેથી તેમ જ કૃષ્ણશાસ્ત્રી પ્રવિડ ભારફત નેપાળી રાજ્યવ્યવસ્થાને લગતી જે થોડીઘણી માહિતી મને મળી તે અહીં સંક્ષેપમાં આપવી અપ્રાસંગિક નહિ ગણાય. જંગબહાદુર નામનો એક નામાંકિત પુરુષ નેપાળમાં થઈ ગયે. તે એક સિપાઈના દરજ્જાથી માંડીને મુખ્ય પ્રધાનની પદવી સુધી પહોંચ્યા. તે કાળે હાલ જેને પાંચસરકાર કહે છે તેના વંશજોના હાથમાં બધી સત્તા હતી. પણ જંગબહાદુરે તે વખતના ઉમરાવમંડળની અચાનક કતલ કરી બધી સત્તા પિતાને કબજે કરી. રાજા ફક્ત નામને જ રહ્યો. મરાઠા ઇતિહાસમાં શાહુ છત્રપતિની પછી સતારાની ગાદીની જે સ્થિતિ થઈ તેવી જ સ્થિતિ જંગબહાદુરની કારકિર્દીમાં નેપાળની ગાદીની થઈ ત્યારથી જંગબહાદુરના કુટુંબના તાબામાં નેપાળની રાજ્યલગામ આવી. પોતે મુખ્ય પ્રધાનની (નેપાળમાં આને .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ 110 આપવીતી ત્રણસરકાર કહે છે, અને નામધારી રાજા પાંચસરકાર કહેવાય છે.) પદવી ધારણ કરી, જંગબહાદુરે પોતાના ભાઈઓને સેનાધિપતિ વગેરે હોદ્દાઓ ઉપર ચડાવ્યા. સને ૧૮૫૭ના બળવામાં જંગબહાદુરે અંગ્રેજ સરકારને મદદ કરી મેટી નામના મેળવી, અને તરાઈનજીકનો ઘણે મુલક પણ મેળવ્યો. જંગબહાદુરને મરણ પછી તેને દીકરે મુખ્ય પ્રધાનની ગાદીએ આવ્યો. પણ તે વિશેષ બાહોશ ન હોવાથી, તેના કાકાના દીકરા વીરસમશેરે તેને તથા સાથે સાથે તેના એક બે સાથીઓને ઠાર કરી ગાદી ખૂંચવી લીધી. વરસમશેરને નાન ભાઈ ખડગસમશેર વડે સેનાપતિ થયે. તેથી નાનો દેવસમશેર કાઠમંડુનો સૂબે થયો અને એથી નાના ચંદ્રસમશેરને તેના હાથ નીચેની જગ્યા મળી. વીરસમશેરે નેપાળના રાજ્યતંત્રમાં ખૂબ સુધારા કર્યા. પણ તેના ભાઈ ખડગસમશેરે તેને મારી નાખી પિતે વડા પ્રધાનની જગ્યા ખૂંચવી પાડવા કાવતરું રચ્યું. પણ આ કાવતરું જલદી જ ફૂટી જવાથી વીરસમશેરે ખડગસમશેરને એકદમ દેશપાર કર્યો, અને તેનાથી નાના દેવસમશેરને તેની જગ્યાએ વડે સેનાપતિ બનાવ્યો. ૧૯૦૧ના માર્ચ મહિનામાં વીરસમશેર મરી ગયો; તેથી કાયદા પ્રમાણે દેવસમશેર ત્રણસરકારના પદ ઉપર આવ્યો. દેવસમશેર વિલાસી હતો; તથાપિ પિતાના રાજ્યમાં કેળવણીને પ્રચાર કરવાની તેને ખૂબ ઈચ્છા હતી. ઉપરાંત નેપાળમાં ગુલામીની પ્રથા બંધ કરવાનો પણ તેણે વિચાર કરેલો. હિન્દુસ્તાનમાંથી જાણીતાં ગાયનવાદનવિશારદ સ્ત્રીપુરુષોને કાઠમંડુમાં બોલાવી તેણે એક મોટો જલસે કરાવ્યું. આ કામમાં તેણે હજારો રૂપિયા ખરચ્યા. તેના કુટુંબીઓને તેનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ , નેપાળને પ્રવાસ 111 આ તથા બીજા કામો સચ્યાં નહિ. અને વીરસમશેરના છોકરાએ પોતાના કાકા ચંદ્રસમશેરની સાથે મળીને દેવસમશેરને * પદભ્રષ્ટ કરવાનું કાવતરું રચ્યું. વીરસમશેરની બે દીકરીઓ નેપાળના રાજાને આપી હતી, તેથી વરસમશેરના દીકરાઓનું આ રાજા આગળ ખૂબ ચલણ હતું. એક દિવસ તેમણે દેવસમશેરને કહ્યું કે, “અમે અમારા પિતાની મિલકતની વહેંચણી કરવા માગીએ છીએ, તેથી તમે પિતે આવીને અમને વાજબી સલાહ આપી વહેંચણી કરાવી આપો.” દેવસમશેર પોતાના મોટા ભાઈને ઘેર મોટા લાવલશ્કર સાથે ગયા. વડા સેનાપતિ ચંદ્રશેખર પણ સાથે હતો. નેપાળના નામધારી રાજા પાંચસરકાર પણ પિતાના સાળાનો ક િપતાવવા આવ્યા હતા. આ વખતે દેવસમશેરની સાથે 500 સિપાઈ હતા. આ ઉપરાંત રાજાસાહેબનું લશ્કર, સેનાપતિનું લશ્કર વગેરે તમામ લશ્કર બહાર ચોગાનમાં ઊભું હતું. દેવસમશેરને તેના ભત્રીજાઓ સાથે થોડી વાતચીત થઈ તેટલામાં તેમાંનો એક બોલ્યો, “આપની સાથે ખાનગીમાં વાત કરવી છે, જરા અંદર પધારશે?” દેવસમશેર પોતાના અંગરક્ષકોને બહાર રાખી અંદર ગયો. અંદર જતાં જ તેના ભત્રીજાઓ તથા તેમના સાથીઓએ તેના સામી પિસ્તોલ ધરીને તેને કેદ કરી લીધો. આ બાજુ તેના અંગરક્ષકોએ જરાતરા ગરબડ કરી, પણ તેમને ઠંડા પાડતાં ઝાઝી વાર ન લાગી. પછી દેવસમશેર પાસેથી બળાત્કારે દીવાનગીરીનું રાજીનામું લખાવી લેવામાં આવ્યું, અને પાંચસરકારે તે માળની બારીએથી નીચે ઊભેલ લશ્કરને વાંચી સંભળાવી જાહેર કર્યું કે, પિતે આ રાજીનામું મંજૂર કરે છે, અને આજથી વડા પ્રધાનની જગ્યાએ ચંદ્રસમશેરની નિમણૂક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ 1. 112 આપવીતી કરે છે. માટે બધા કારભાર તેમણે સંભાળવો. નીચે ઊભેલા સૈનિકાએ પાંચસરકારના હુકમને માથે ચડાવી, ચંદ્રશેખર - અત્યાર સુધીના તેમના સેનાપતિ - દીવાન થયા તે ખાતર આનંદ બતાવવા બંદૂકે ફેડી સલામી આપી ! બસ થયું. બાપડા દેવસમશેરની કારકિર્દી પૂરી થઈ અને તે જ રીતે તેને નેપાળની તરાઈમાં મેકલી દેવામાં આવ્યો. આ વાત ૧૯૦૧ના જૂનમાં બની. હાલના મુખ્ય દીવાન ચંદ્રસમશેર કલકત્તા યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પાસ થયેલ છે. તેણે યુદ્ધકલા ઉપર અનેક પુસ્તકનાં નેપાળી ભાષામાં ભાષાંતર કર્યા છે. આથીયે વિશેષ કહેવા જેવી વાત તો એ કે તેને એક જ સ્ત્રી હતી. ૧૯૦૫માં તેની આ પહેલી સ્ત્રીના મરણ પછી તેણે ફરી લગ્ન કર્યું એમ સંભળાય છે. પણ એક જ વખતે પાંચ છ સ્ત્રીઓ કરવાની જે તેમની વંશપરંપરાની રૂઢિ તેને તે અપવાદરૂપ હતો. દેવસમશેરે યોજેલા કેટલાક સુધારા તેણે અમલમાં મૂકયા હોત, પણ તેનું પરિણામ શું આવશે એ પોતે જાણતા હોવાથી તેણે પિતાનું કારભારું ખૂબ નરમાશથી ચલાવ્યું. દેવસમશેરને જે રીતે એકદમ પદય્યત કરવામાં આવ્યો એ બહુ વિલક્ષણ કહેવાય, એવી મતલબની ટીકા કલકત્તાના, “અમૃતબઝાર પત્રિકા' વગેરે અંગ્રેજી છાપાંઓમાં આવી. પણ નેપાળ દરબાર ઉપર તેની સારી અસર ન થતાં, ઊલટું આ છાપાંઓને નેપાળની હદમાં મના કરવામાં આવી. મતલબ કે, ચંદ્રસમશેરની કારકિદી દરમ્યાન નેપાળના વહીવટમાં સુધારો ન થતાં વીરસમશેરના વખતમાં જે સ્થિતિ હતી તે ને તે આ સ્થિતિ રહી. , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ નેપાળને પ્રવાસ 113 કાઠમંડુમાં હું લગભગ આઠ દિવસ રહ્યો. મેં કર્યો દિવસ નેપાળ (કાઠમંડુ) છોડ્યું તે આજે સ્મરણમાં નથી. પણ ત્યાં દસ દિવસથી વધુ નહત રહ્યો એમ લાગે છે. બાબુ શારદાપ્રસાદ નામના એક બંગાળી ગૃહસ્થ ત્યાં હેડમાસ્તર હતા. તેમણે મને અંગ્રેજી એક રૂપિયા આપ્યો અને એક બે બીજા ગૃહસ્થોએ થોડીઘણી મદદ કરી. કૃષ્ણશાસ્ત્રી પ્રવિડે મને બીજી બે ત્રણ મહોર (નેપાળી) આપી. બધા મળી કુલ પાંચ કે છે અંગ્રેજી રૂપિયા મારી પાસે ભેગા થયા. આટલી વાટખરચી સાથે દુર્ગાનાથના દાદાના ઓળખીતા પેલા કાવડવાળાઓની સાથે હું કાઠમંડુથી નીકળ્યો. Jun Gun Aaradhak Trust આ P.P. Ac. Gunratnasuri M.S. " 8
Page #122
--------------------------------------------------------------------------
________________ 11 નેપાળથી સિલોન સુધી કાઠમંડુથી રકસૌલ સુધી કાવડવાળાઓએ મને ખૂબ સંભાળ્યો. દુર્ગાનાથની માફક તેઓ લાંબા લાંબા અંતરના મુકામ કરતા નહિ. હું થાક્યો છું એમ જુએ કે તરત મુકામ કરે. મારે માટે જમવાની સગવડ પહેલી કરે, અને ટાઢથી હું બચું એટલા સારુ મારે માટે બનતા સુધી બંધ જગ્યા શોધે. નેપાળ જતી વખતે બીરગંજમાં મારાં પાંચ રતલ વજનનાં જે ડબેલ્સ મેં એક નેપાળી દુકાનદારને સોંપ્યાં હતાં, તે પાછાં લીધાં. કાવડવાળાઓ સાથે હું હતો એટલે સામાન તો મારે ઊંચકો જ ન પડો. રકસૌલ પહોંચતાં મારી બે ધાબળીઓ એક લેટ વગેરે એ ભલા કાવડવાળાઓને દઈ હું છૂટો પડયો. હવે ફક્ત એક ધાબળે, એક કેટ, થેડાં પુસ્તક, બે બેતિયાં, ફેટ, એક કળશિયો, બે ખાદીની બંડી અને એક બેલ્સની જેડ એટલો સામાન મારી પાસે બાકી રહ્યો. * રકસૌલથી બે કે સવા બે રૂપિયા ખર્ચ મેં બાંકીપુરની * ટિકિટ લીધી અને બીજે દિવસે સાંજે બાંકીપુર પહોંચ્યો. મારી પાસે આઠ કે બાર આના રહ્યા હતા. પણ તે દિવસે રાત્રે મેં ખાધું કે નહિ તેનું મને અત્યારે સ્મરણ નથી. ઘણે ભાગે હું રાતે ભૂખ્યો જ રહે. બાંકીપુરમાં એક મઠમાં ઊતર્યો. એક ઓસરીમાં સંન્યાસી, વૈરાગી, બ્રાહ્મણ વગેરે જાત્રાળુઓનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #123
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલેન સુધી 115 બિછાનાં હતાં. ત્યાં બેડી જગ્યા કરાવી ત્યાંના મુખ્ય સંન્યાસીએ મારે માટે સગવડ કરી આપી. મારી બાજુમાં એક દાઢીવાળો બાવો હતો. તે મારા આવવાથી ચિડાયો હોવો જોઈએ. તેણે મારા ઉપર પોતાનાં કટુ વાબાણોની ઝડી વરસાવવા માંડી. તેના સંતાપનું કારણ મને કેમે કર્યું સમજાય નહિ. છેવટે મેં તેને કહ્યું કે, “હું અહીં રાતનીરાત પડી રહેવા માગું છું. એટલા વખતમાં પણ જો આપને મારે લીધે કશી અગવડ થઈ પડે તો હું આપની ક્ષમા માગું છું.” આટલું થયા બાદ વૈરાગીને કંઈક શાંતી થઈ. આજની રાત પૂરતી જ આ બલા છે એમ લાગવાથી કદાચ તેમને શાતા વળી હશે. બાંકીપુરથી ગયા તરફ જનારી ગાડી સવારે સાતઆઠ વાગ્યે નીકળતી હતી. ગાડીભાડું બાર આના બેસતું; પણ તેટલા પૈસા મારી પાસે નહોતા. હું ઊતર્યો હતો તે મઠની પાસે જ મંગળપ્રસાદ નામના એક સુશિક્ષિત કાયસ્થ રહેતા હતા. મારાં ડિબેલ્સ લઈ તેમની પાસે ગયો અને તે વેચાતાં રાખવા મેં તેમને વિનંતી કરી. તેમને તે નહાતાં જોઈતાં. પણ મારી આજીજીથી તેમણે તે બાર આને લીધાં. (આ બેટસ મેં કાશીમાં એક રૂપિયે બે આને લીધાં હતાં.) બાર આના મળ્યા એટલે હું તરત સ્ટેશન ઉપર ગયો, અને ગયા તરફ જનારી સવારની ગાડી પકડી. ગાડીમાં એક ત્રિપુંડધારી પંડિત મળ્યા. હું ગયા જનાર છું એમ તેમને ખબર પડતાં જ તેમણે કહ્યું, અરે, ગયા એટલે બકાલી શહેર ! ત્યાં તમારા જેવા વિદ્યાર્થીને કઈ દાદ નહિ આપે. તમને કેઈ બારણે પણ ઊભા નહિ રહેવા દે. છતાં હું તમને મારા એક મિત્રનું ઠેકાણું આપું છું. તે વૈદું કરે છે. તે ગયાવાસીઓના જેવો નથી. મારું નામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ 114 આપવીતી દેશો એટલે તરત તે પિતાના ઘરમાં તમને સકારશે.' પંડિતજીએ કહેલ બ્રાહ્મણ વૈદનું સરનામું તથા પંડિતજીનું નામ મેં લખી લીધું. પણ પંડિતજીની ગયા વિષેની ટીકા મને બરોબર ગમી નહિ. મારા જેવા વિદ્યાર્થીને ઊતરવા જેટલી જગ્યા ગયા જેવા ક્ષેત્રમાં ન મળે એ કેમ સંભવે? પંડિતજીના નામને કે તેના મિત્રના સરનામાનો ઉપયોગ કરવો પડશે એમ મને લાગ્યું નહિ; ફક્ત વિવેકને ખાતર તેમનું નામ તથા તેમના મિત્રનું ઠેકાણું મેં લખી લીધાં. પંડિતજી રસ્તામાં એક સ્ટેશને ઊતરી ગયા. હું બપોરે અગિયાર વાગ્યે ગયા પહોંચ્યો. સ્ટેશન પહોંચ્યો કે તરત ગયાના ગરદેવતાઓના આડતિયાએ મને વળગી પડ્યા. “તમારે પિંડદાન કરાવવું છે?' એમ દરેક જણ પૂછે. હું કહેતોઃ “હું ગરીબ વિદ્યાર્થી છું. પિંડદાન કરવાની મારી ગુંજાશ નથી. મારે ફક્ત એક રાત અહીં રહેવું છે. એટલી સગવડ આપો તે આભારી થઈશ.' પણ, મારે પિંડદાન નથી કરાવવું, એ વાક્ય કાને પડતાં બીજી વાત સાંભળવા કોઈ ઊભું રહેતું નહિ. જે કદી કઈ મારી બધી વાત સાંભળતું તો ગોરેના એ આડતિયા મને કહેતા કે, “તમે ગરીબ વિદ્યાર્થી છે તેમાં અમે શું કરીએ? તમારે પિંડદાન કરાવવું હોય તો કહે. એટલે તમારી બધી સગવડ થશે. તમને અમારા શેઠ પાસેથી કરજે રૂપિયા અપાવીશું, તેમાંથી તમે પિંડ આપે. પણ પિંડદાન કરવું ન હોય તે ઉતારાની આશા રાખવી નહિ.” આખું શહેર ફરી વળ્યો. પણ ક્યાંયે સામાન મૂકવા જેટલી જગ્યા ન મળી. હું દક્ષિણ તરફને એવું જોઈ એક દુકાનદારે મને કહ્યું કે, વિષ્ણુપદના મંદિર આગળ કેટલાંક દક્ષિણ બ્રાહ્મણોનાં ઘર છે, ત્યાં તમને આશ્રય મળશે.” ત્યાં જઈ તપાસ કરી તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલેન સુધી 117 દક્ષિણી બ્રાહ્મણોનાં ઘર જળ્યાં. તેલંગી બ્રાહ્મણ હશે. પોતે ઘેર નહોતો. બીજા કેટલાક લોકે જમતા હતા. એક બાઈએ બહાર આવી “શું જોઈએ છે ?' એમ મને પૂછયું. મેં જવાબ આપ્યઃ “રાતનીરાત ઊતરવા દેશે તો તમારો પાડ માનીશ. મારા જમવાના હું પૈસા આપીશ.” બાઈએ કહ્યું, “તમારે પિંડ દેવા છે?' મેં મનમાં કહ્યું: “હવે તો કોઈએ મને પિંડ આપવાનો વખત આવી લાગ્યો છે ખરો!' મેં જવાબ આપ્યો, મને ફક્ત એક ટંક ખવડાવો; તેના હું પૈસા આપીશ. બે ત્રણ દિવસથી હું કાચાકરા પર છું.’ બાઈએ કહ્યું, “પૈસા લઈને અમે કાઈને જમાડતાં નથી. પિંડ આપવા હોય તો બોલો એટલે બધી સગવડ થઈ શકશે. નહિ તે અહીં કશું મળે તેમ નથી.” આ દક્ષિણી બાઈને પણ પિંડદાનનો આટલો વળગાડ જોઈ ગયાનગરીમાં હવે દહાડે કેળિયો અન્ન કે રાતે પડી રહેવા જેટલી જગ્યા મળવાની આશા રહી નહિ. મારે પિંડદાન કરવું છે એમ જૂઠું કહીને તો હરકેાઈગરની પાસેથી હું સહેજે ખાસી મહેમાનગીરી લઈ શકત. બલકે વાટ ખરચીને સારુ થોડા પૈસા સુધ્ધાં મેળવી શકત. હું એ જાણતો પણ હતો. પણ એ વિચાર સરખો મારા મનમાં આવ્યો નહિ. ભૂખે મરી જવું પડે તે બહેતર પણ જૂઠું ન જ બોલવું, એ મારો નિશ્ચય બિલકુલ ડગ્યો નહિ. - દક્ષિણી બ્રાહ્મણને ઘેરથી નીકળી, ગયાની વચ્ચે આવેલા તળાવની પાળ ઉપરની એક દુકાને બેસી મેં ખાવાનું લઈ ખાધું. જરા વાર વિશ્રાંતિ લીધી; એટલામાં એકાએક પેલા પંડિતજીના વૈદમિત્રનું મને સ્મરણ થયું. તેમને ઘેર જગ્યા મળવાની બહુ આશા રહી નહોતી. તે પણ પ્રયત્ન કરી જેવો : દીન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ 118 આપવીતી એમ વિચારી, બધે સામાન પીઠ પર લઈ, વૈદરાજના ઘર તરફ વળે. વૈદરાજ દૂર એક ગલીમાં રહેતા હતા. રખડતાં રખડતાં સાંજે ચાર વાગ્યે તેમના ઘરનો પત્તો લાગ્યો. પણ “નસીબ બે ડગલાં આગળનું આગળ !" વૈદરાજ ઘેર નહોતા. કંઈ કામ નિમિત્તે બહારગામ ગયા હતા. તેમને સોળ વર્ષને દીકરે ઘેર હતો. તેણે મારે ઠીક આદરસત્કાર કર્યો. પણ તેના પિતા ઘેર ન હોવાથી, તેમની રજા વગર મને ઘરમાં રાખવાનું જોખમ લેવા તે તૈયાર નહોતો. હવે તો હું એટલો થાકેર્યો હતો કે, હવે શું કરવું એને વિચાર કરવો પણ મને અકારે થઈ પડ્યો. અંતે હું વૈદની ડેલીમાં જ એક કાર સામાન નાંખી થોડી વાર નિરાંત કરી બેઠે. થેડી વાર ઇધરતિધર વાતો થયા પછી વૈદના દીકરાને મેં બુદ્ધગયા વિષે પૂછયું. તેણે કહ્યું, “બુદ્ધગયા અહીંથી સાત માઈલ છે.” મેં પૂછયું: “રાત પહેલાં ત્યાં પહોંચાય ખરું?' તેણે કહ્યું, “સહેજે પહોંચાશે.” બુદ્ધગયા ગયાથી સાત માઈલ છે એ મને ખરું ન લાગ્યું. પણ ગયામાં જે રહેવાની જગ્યા જ નથી મળતી તે પછી વાટમાં જ ગમે ત્યાં રાત રહેવું, એવો વિચાર કરી મેં વૈદના દીકરાને પૂછયું, “હું અત્યારે જ બુદ્ધગયા જાઉં છું. માત્ર મને એક મજૂર કરી આપો. આ સામાન ઉપાડીને મારાથી એટલે દૂર જઈ શકાય એમ નથી.” તે એક મુસલમાન મજૂર કરી લાવ્યો. પણ તેણે આઠ આના મજૂરી માગી. મારી પાસે તો એક પાવલી અને એક પૈસો એટલું જ બાકી હતું. અંતે તે ચાર આનામાં આવવા કબૂલ થયે. “બુદ્ધગયા ગયાથી પંદર માઈલ છે” એમ જે કાશયાત્રા ' નામના પુસ્તકમાં લખ્યું છે તે ખોટું છે એમ મેં જોયું. વૈદના P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ . નેપાળથી સિલોન સુધી દીકરા તથા મુસલમાન મજૂરના કહેવા મુજબ બુદ્ધગયા ગયાથી સાત જ માઈલ છે. ભારે મજૂર ભલો માણસ હતા. પણ તેને બૌદ્ધ, હિંદુ વગેરે ભેદની ખબર નહોતી. તે મને બુદ્ધગયાના મહંતના મઠમાં લઈ ગયો. હું ધારતો હતો કે બુદ્ધગયા બૌદ્ધોના તાબામાં છે, પણ અહીં તો જુદું જ જોયું. મઠમાં દાખલ થતાં જ બહારની બાજુએ બળદ, ઊંટ, ઘોડા વગેરે બાંધ્યાં હતાં. અંદર જઈને જોઉં છું તો એક બાજુ દેવીની મૂર્તિ હતી અને તે વખતે શંખનાદ સાથે તેની પૂજા ચાલી રહી હતી. મહંતને મુખ્ય શિષ્ય દેવી નજીકની ઓસરીમાં હુક્કો પીતા બેઠા હતા. સંન્યાસીઓમાં હુક્કો પીવાને રિવાજ મેં આજે પહેલી વાર જોયો. (આ મઠને લગતી વધુ હકીકત ચૌદમા પ્રકરણમાં છે તેથી અહીં જરૂર જેટલી હકીકત જ આપી છે.) મહંતના આ અગ્રશિષ્ય મને બે ત્રણ સંસ્કૃત વિદ્યાથીઓ રહેતા હતા તે ઓરડીમાં ઉતારો આપવા હુકમ કર્યો. રસોઈ કરી જમવાનો પણ તેણે મને ખૂબ આગ્રહ કર્યો. પણ હું રાતે નથી જમતો એમ તેને કહેતાં, તેણે બજારમાંથી પેંડા, બરફી વગેરે ખાવાની વસ્તુઓ મંગાવી ભારી ઓરડીમાં મોકલી આપી. આ પૅડા એટલે નામે જ પેંડા હતા. તેમાં ખાંડને બદલે ગોળ નાંખ્યો હતો. બરફી તે મોઢામાં પણ નંખાય એમ નહોતી. મેં તે ચીજોમાંથી બહુ થોડું ખાઈ બાકી બધું તે ઓરડીમાં રહેનારા વિદ્યાર્થીઓને વહેંચી આપ્યું. અધરતિધરની વાત નીકળતાં પેલા વિદ્યાર્થીઓએ મને કહ્યું કે, અહીં ધર્મપાલ નામને મગ જાતિને એક ભિક્ષુ છે તેણે મહંતની સામે દાવો માંગ્યો છે.” “હાલ તે ક્યાં છે?” એમ મેં પૂછતાં એક વિદ્યાર્થીએ કહ્યું, “અહીં જ છે.” * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ 120. આપવીતી તે રાતે મને મુદ્દલ ઊંઘ ન આવી. ક્યારે સવાર પડે ને હું ધર્મપાલનાં દર્શન કરું એમ મને થઈ ગયું. સવાર પડતાં જ કોઈને ખબર કર્યા વગર હું બુદ્ધમંદિરમાં ગયા. ત્યાં એક સિપાઈ હતી. તેણે મને અંદર લઈ જઈ બુદ્ધની મૂર્તિ બતાવી. મૂર્તિને કપાળમાં એક મોટું ત્રિપુંડ કર્યું હતું. આને કશો અર્થ હું સમજ્યો નહિ. (ચૌદમા પ્રકરણમાં બુદ્ધગયા સંબંધી વિશેષ હકીકત છે ત્યાં આ બાબતનું સ્પષ્ટીકરણ કર્યું છે.) પણ હું તે ધર્મપાલનાં દર્શન માટે ઉત્સુક હોવાથી, ત્યાંની વસ્તુઓનું નિરીક્ષણ કરવામાં અને તેના ઈતિહાસની ખબર મેળવવામાં વખત ને ગુમાવતાં, મંદિરના સિપાઈને એક પૈસેઆ જ છે પૈસો મારી પાસે બાકી હતો - આપી ધર્મપાલના રહેઠાણ તરફ વળે. * મંદિરથી પશ્ચિમે ઢેરા ઉપર બ્રહ્મદેશના ભિમીન રાજાએ ત્રણ ઓરડીઓ અને તેની લગોલગ એક એકઢાળિયું બંધાવ્યું હતું. થી રાજાને કેદ કરી રત્નાગિરિ લઈ ગયા પછી ત્યાં રહેતા બારમી ભિક્ષુઓ પોતાને દેશ ગયા. અને તે સ્થાન અંગ્રેજ સરકારના તાબામાં આવ્યું. પછી અંગ્રેજ સરકાર તરફથી ફક્ત રહેવા માટે તે ધર્મપાલને મળ્યું. આ વખતે ત્યાં એક ભિક્ષુ હતો. તેને જોઈને આ જ ધર્મપાલ હશે એમ મને લાગ્યું. મેં તેને હિન્દીમાં પૂછયું, “આપ ધર્મપાલ છે?' ' તેણે કહ્યું: “હું એક ભિક્ષુ છું. આ છબીમાં છે તે ધર્મપાલ. હાલ તેઓ અહીં નથી, સિલોન છે.' - આ પ્રમાણે તેણે હિંદીમાં જ જવાબ આપ્યો. પછી તેણે મને ત્યાં જાપાનથી આવેલી બુદ્ધની મૂર્તિ અને બીજા ચિત્રો બતાવ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલેન સુધી 121 પાલિ ભાષા એ મૂળ સિયામની ભાષા હશે એમ હું માનતો, કારણુ પાલિ ભાષાનો ત્રિપિટક નામનો ગ્રંથ સિયામના રાજાએ છપાવ્યો છે એમ મેં સાંભળ્યું હતું. આ ભિક્ષુને તેની કંઈક ખબર હશે એમ માની મેં પૂછયું: “તમને પાલિ ભાષા - આવડે છે?' - ' તેણે કહ્યું : “અમારા ધર્મગ્રંથે પાલિ ભાષામાં છે. અને તે વિહારમાં રહીને અમારે શીખવા પડે છે.” તેણે સિંહલી લિપિમાં લખાયેલા કેટલાક પાલિ ગ્રંથ મને બતાવ્યા. અને તેમાંથી કેટલાંક વાકયો વાંચી બતાવ્યાં. તે, સાંભળીને હું અતિ આનંદથી બોલ્યો, “પાલિ ભાષા તે લગભગ સંસ્કૃત જ છે. તે શીખતાં મને વાર નહિ લાગે.” ભિક્ષુએ કહ્યું, “તમને સંસ્કૃત આવડે છે ?" કૌમુદી, તર્કસંગ્રહ વગેરે ગ્રંથ મેં વાંચ્યા છે. કાવ્યોનો પણ અભ્યાસ થયો છે.” એમ છે, ત્યારે તો તમને પાલિ ભાષા જલદી આવડશે.” - “તમે મને શીખવશો ?' મને બરાબર શીખવતાં નહિ આવડે. તમે સિલોન જાઓ તો ત્યાં મોટમોટા પંડિતો છે. તે તમારી બધી શંકાઓનું સમાધાન કરી તમને ધર્મગ્રંથ શીખવશે.” બહુ સારુ, હું સિલેન જવા તૈયાર છું. પણ મારી પાસે એક પૈસો પણ રહ્યો નથી તે સિલોન કઈ રીતે પહોંચું?” “તમે કલકત્તે જાઓ તો ત્યાં “મહાબોધી સભા” નામની સંસ્થા તરફથી તમને સિન જવા મદદ મળી શકશે. હમણાં જ એક સિલોનનો ભિક્ષુ આવી ગયા. તે બીજા બૌદ્ધ ક્ષેત્રોનાં દર્શન કરી માર્ચની દસમી તારીખે કલકત્તાથી સિલોન જવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ 122 આપવીતી નીકળશે. તેની સાથે તમે જશો તો તમને જરાયે અડચણ પડશે નહિ.” - આજ ફેબ્રુઆરીની અઠ્ઠાવીસમી તારીખ હતી. દસ દિવસમાં કલકત્તા પહોંચું તો બધા મનોરથ પાર પડે એમ મને લાગ્યું. ને મારું મન તો તે જ ક્ષણે કલકત્તાને રસ્તે સિલેન સુધી દોડી ગયું. પણ શરીર જડ તેનું શું થાય? કલકત્તા સુધીનું રેલભાડું - ચાર રૂપિયા ઉપર થતું હતું. એટલા પૈસા મળ્યા હોત તો ઝાઝી અડચણ ન રહેત. તેથી મેં પેલા ભિક્ષને જ વિનંતી કરી કે, “હાલ આટલી રકમ આપી મને કલકત્તે પહોંચતા કરે.” પછી અને મહાબંધી સભા મારફત મને સિલોન જવા મદદ ન મળી તે પછી ત્યાં મારાં પુસ્તકો વગેરે વેચીને પણ આપની રકમ હું પાછી મોકલી આપીશ. તેણે કહ્યું, “મારી પાસે કંઈ નથી. તમે મહંતને ત્યાં ઊતર્યા છો એટલે મહંત તમને ચાર પાંચ રૂપિયા સહેજે આપશે. એની પાસે ખૂબ પૈસો છે.” તે દિવસે હું બુદ્ધગયામાં રોકાયો. મારી પાસે અમરકોશની કાશીમાં ખરીદેલી એક નાની નવી નકલ હતી. તે પેલી ઓરડીમાં રહેનારા ત્રણ વિદ્યાર્થીઓમાંના એકે આઠ આને રાખી. પરંતુ કૌમદી વગેરે પુસ્તકોની તેમને જરૂર નહોતી. બપોરે જમીને હું મહંત પાસે ગયો. મારે કલકત્તા જવું છે અને ટિકિટ પૂરતા પૈસા આપે તો તમારે મેટો ઉપકાર થશે એમ મેં તેને વિનંતી કરી. તેણે જવાબ આપ્યો, " અહીંના માલિક મુખ્ય મહંત અહીં નથી. તે હેત તે તમને મદદ કરત. છતાં તમને ખાલી હાથે પાછા ન વાળવા એટલા ખાતર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલોન સુધી 123 આટલી મદદ લો.” એમ કહી બટવામાં હાથ નાંખી તેણે એક રૂપિયે મારા હાથમાં મૂક્યો. મેં તે કમને લીધે. આ મહંત તરફથી બીજી કશી મદદ મળવાની હવે આશા ન રહી. તેથી વળી પાછો પેલા ભિક્ષુ પાસે ગયા અને અનેક રીતે તેને વીનવ્યો પણ તેને મારી દયા ન આવી. તેણે ચિડાઈને કહ્યું: તમે હિંદુસ્તાનના લોક મોટા લબાડ. તેમાંય બ્રાહ્મણે તે અતિશય જ લબાડ. હજુ થોડા જ દિવસ પર બે બ્રાહ્મણે મારી પાસે આવ્યા અને તમારી પેઠે જ કલકત્તે થઈને સિલોન જવું છે એમ કહી આઠ રૂપિયા લઈ ગયા. પણ તેઓ મહાબોધી સભામાં ન જતાં ક્યાં ગયા તેનો પત્તો સરખો નથી! હવે તમારે તે હું કઈ રીતે વિશ્વાસ કરું?” મેં કહ્યું: “તમને મારો વિશ્વાસ ન આવતો હોય તો મારાં પુસ્તકો, એક ધાબળો અને કોટ એટલું હું તમને સોંપું છું. આની કિંમત ઓછામાં ઓછી દસ રૂપિયા થશે. મને ફક્ત કલકત્તે પહોંચવા જેટલી મદદ કરે, અને હું કલકત્તા પહોંચ્યા પછી જ્યારે તમારા પૈસા મોકલું ત્યારે જ મારાં પુસ્તકે મને મોકલજે.” બહુ બહુ વાનાં કર્યા પણ તેને મારી છાંટાભાર દયા ન આવી. - બીજે દિવસે મેં બુદ્ધગયા છેડ્યું અને રાત્રે ગયા સ્ટેશને આવ્યો. ત્યાં એક દક્ષિણી જાત્રાળુનો ભેટો થયો. તેને મારી મુશ્કેલી જણાવી મેં કહ્યું, “મારી પાસે દોઢ રૂપિયા છે. મારો તમામ સામાન લઈને મને જો તમે ત્રણ રૂપિયા આપો તે તમારે પાડ.” પણ આ ગૃહસ્થ સુધ્ધાં પેલા ગોરોના સહવાસથી કઠણ કાળજાનો થઈ ગયો હોવો જોઈએ. તેણે કહ્યું, “પૈસા હતા તે જાત્રામાં ખચી નાંખ્યા. છતાં બે રૂપિયામાં આપતા - હે તો લઉં.' મેં કહ્યું, " આ સામાન તમને મફત જ આપ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gu Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ 124 : આપવીતી : હોત, પણ પ્રસંગ એ બારીક છે કે અત્યારે હું કઈ રીતે તેમ કરી શકું એમ નથી. છતાં મને તમે ત્રણ રૂપિયા આ સામાનની કિંમત તરીકે નહિ પણ દાન ગણીને આપો.' પણ એ ગૃહસ્થનેય કંઈ મારી દયા આવી નહિ. મારો સામાન વેચવાની વાત મેં બીજા જાત્રાળુઓ પાસે કરી નહિ. કારણ અજાણ્યા પ્રદેશમાં જૂજ કિંમતમાં હું આટલો સામાન વેચું છું એ જોઈને કદાચ પોલીસ મને પકડે કરે, તો વળી એ લફરામાંથી છૂટતાં દિવસો નીકળી જાય. ઉપરાંત નાહકનો ત્રાસ વેઠવો પડે તે જુદો. તે રાત મેં ગયાના સ્ટેશન ઉપર જ ગાળી. બીજે દિવસે સવારે મેં વિચાર્યું કે ગાર લોકો અગર તેમના સંબંધમાં આવનારા જાત્રાળુઓની દયા ભાગવામાં કશું વળવાનું નથી. પણ સુધરેલી ઢબે કેળવણી પામેલા લેકમાં ફરવાથી કંઈ મદદ મળ્યા વગર નહિ રહે. મને ઉજનના પ્રેફેસરોએ કરેલી મદદ યાદ આવી. પણ અહીં કોલેજ નહોતી. તેથી ગયા હાઈસ્કૂલના હેડમાસ્તરને મળી તેની મારફત કંઈ મહેનત કરી જેવી એ વિચાર કર્યો. પૂછતાં પૂછતાં તેમના ઘરનો પત્તો લાગ્યો. ગાંગુલી બાબુ (હેડમાસ્તર) ઘરમાં જ હતા. મારી તમામ હકીકત સાંભળી લઈને તેમણે મને “ભીખ ન માગવી જોઈએ” એ વિષય ઉપર એક લાંબું ભાષણ આપ્યું ! બંગાળી લોક બહુલા હોય છે એમ મેં સાંભળ્યું હતું, તેને પ્રત્યક્ષ અનુભવ આજે પહેલવહેલો થયો. ભાષણ પૂરું કર્યા પછી બાબુએ મને અંદર લઈ જઈ એક હાથસાળ બતાવી અને કહ્યું કે, “આ સાળ ઘરની સ્ત્રીઓ માટે ખાસ લાવ્યો છું. તેમણે પણ નવરાં ન રહેવું જોઈએ એમ હું માનું છું.” વળી પાછી બાબુની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #133
--------------------------------------------------------------------------
________________ 15 . નેપાળથી સિલોન સુધી વાગ્ધારા ચાલી. મેં નમનતાઈથી કહ્યું, “બાબુ સાહેબ, હું અંગ્રેજી નથી ભર્યો પણ તમે જે વિચારે દર્શાવે છે તે બધાથી હું વાકેફ છું. પણ મારા ઉપર અત્યારે પ્રસંગ એવો બારીક આવ્યો છે કે મારે કંઈ કામને માટે આ મહિનાની દસમી તારીખ પહેલાં કલકત્તે પહોંચવું જ જોઈએ. અને તેથી જ મારે આ યાચનાનો પ્રસંગ આવ્યો છે. જે તમારાથી કશી મદદ બને એમ ન હોય તો તમારા વિદ્યાર્થીઓ અગર બીજા મિત્રો પાસેથી થેડીઘણી મદદ અપાવશો તો હું તમારો સદાને માટે ઓશિંગણ રહીશ.” હેડમાસ્તર. બોલ્યા, “હું તમને બીજા લોકો મારફત કશી મદદ નહિ કરાવી શકું. કંઈ આપવું જ હોય તો હું જ મારી મેળે આપી છૂટું. પણ મારી વૃદ્ધ મા હાલમાં જ ગુજરી ગયેલ હોવાથી હમણાં હું દાન કરી શકું એમ નથી. હજી પાંચ છ દિવસ પછી સૂતક ઊતર્યા કેડે તમારે વિષે કશું કરવા જેવું હોય તો થઈ શકે. પણ મારા તરફથી બે આનાથી વધુ નહિ મળી શકે એ બરાબર ધ્યાનમાં રાખજે. નહિ તે વળી ભારે ભરોસે. રહી નકામા વાટ જોતા બેસશો !" ગાંગુલી બાબુને ઘેરથી તેમનો આભાર માની હું ચાલતો થયે. ગયામાં એકલા ગોરે જ નહિ પણ બીજા લોકો પણ પૂરા રીઢા છે એવી મારી ખાતરી થઈ હવે આ શહેરમાં એક ક્ષણ પણ ઊભા રહેવામાં સાર નથી, એમ વિચારી મેં સ્ટેશનને રસ્તો પકડ્યો. તે દિવસે કાચુ કેરું લઈ ખાવામાં ચાર આના ખરચ્યા. બાકી સવા રૂપિયો રહ્યો.. સ્ટેશન ઉપર ભાડાના દર લખેલ પાટિયા ઉપરથી ગયાથી કલકત્તા તરફ કયા સ્ટેશન સુધી સવા રૂપિયામાં જઈ શકાય એમ છે એ P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ 126 આપવીતી મેં શોધી કાઢયું, અને એક રૂપિયા અને ઉપર થોડા પૈસા આપી લખીસરાઈની ટિકિટ લઈ તે જ રાત્રે લખીસરાઈ પહોંચ્યા. લખીસરાઈ એક નવું શહેર છે. આગગાડી થયા પહેલાં અહીં કશું નહોતું. હું અહીં પહોંચ્યો તે વખતે ત્યાં થોડાંક ઝૂંપડાં થયાં હતાં, જેમાં દુકાને હતી. તે રાત મેં સ્ટેશને જ કાઢી. બીજે દિવસે સવારે અહીં ધર્મશાળા છે એમ ખબર પડી અને થેડી મહેનત લીધા પછી તે જડી. આ ધર્મશાળા એટલે એક જાતનું એકઢાળિયું જ હતું. ત્યાં મારે સામાન મૂકી નિરાંતે બેઠે. એટલામાં એક મારવાડી નેકર ત્યાં આવ્યો, તેણે મારી પૂછપરછ કરી. હું એક વિદ્યાર્થી છું અને કલકત્તે જાઉં છું એમ જાણું થોડી વાર પછી ક્યાંકથી એ મારે માટે સીધું લઈ આવ્યો. પણ તે રાંધું શેમાં? મારી પાસે કશું વાસણ તો હતું નહિ. અંતે તેણે એક માટીની હાંલ્લી આણી આપી અને ખીચડી કેમ બનાવવી તે બતાવ્યું. તે મુજબ હાંલ્લીમાં દાળ, ચોખા, મીઠું વગેરે વસ્તુઓ નાંખી મેં ખીચડી બનાવી. તે કેવીક સરસ થઈ હશે તેની કલ્પના વાચકે જ કરી લેવી! ગમે તેમ હો, પણ ગયામાં એકલું કાચું કપરું ખાઈને જ રહે તેથી એ ખીચડી મને મીઠી જ લાગી. નવ વાગે જમી કરી પરવાર્યો, ને તે જ દિવસે મેં આગળ જવા વિચાર કર્યો. પેલા મારવાડી નોકરના કહેવાથી ચાર પાંચ દુકાને જઈ મેં યાચના કરી જોઈ પણ કશું મળ્યું નહિ. એક મોટી ફાંદવાળા વેપારીએ તે દુકાનમાંથી મારા દિલ પર એક પૈસો ફેંકયો અને કહ્યું : “કલકત્તે જાઓ કે જોઈએ તો તેથીયે આગળ જાઓ. મારી પાસે તમને આપવા આથી વિશેષ કંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak:Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલોન સુધી - 127 નથી.' આ ઉપરથી આખી બજાર કરતાં ચાર પૈસા મળવાની પણ આશા ન રહી. અંતે પાસે જ બુલાખીલાલ કરીને કોઈ એક કાયસ્થ વકીલ રહેતા હતા તેમની પાસે ગયો. એ માણસ કંઈક ઠીક લાગ્યા. તેમણે પિતાની આયાત મુજબ ચાર આના કાઢીને આપ્યા અને કહ્યું: “મારું આ વેપારીઓ આગળ કશું ચાલે એમ નથી. તેમને વિદ્યાની કંઈ જ કિંમત નથી. બીજાની મૂંઝવણ તેઓ સમજી શકે એમ નથી.' તેમણે મને સલાહ આપી કે મારે અહીંથી નજીકમાં જ ગિબ્બોર ગામે મારી મુશ્કેલી જણાવવી. રાવણેશ્વરપ્રસાદ મેટા દાતા છે. તેઓ મને જરૂર મદદ કરશે એમ તેમનું ધારવું હતું. તેથી વધુ વિચાર કરવા ન બેસતાં બીજે દિવસે સવારની ગાડીએ હું ગિધેર જવા નીકળ્યો. વાટમાં બિરા કરીને બીજું એક નાનું સરખું રજવાડું આવતું હતું. હું ઠેઠ ગિબ્બોર ન જતાં જમુઈ સ્ટેશને ઊતરી પડ્યો અને ત્યાંથી લગભગ છ સાત માઈલ ચાલતો ત્યાંના મહારાજાના મહેલ સુધી ગયે. પણ ત્યાં તો એવી ખબર પડી કે રાજાસાહેબ યાચકને બિલકુલ મળતા જ નથી ! પરંભાય જ પતાવે છે. વળી એમ પણ વધુ ખબર મળી કે, આખો દિવસ તપશ્ચર્યા કર્યા પછી પણ એક આનાથી વધુ દક્ષિણાની આશા ન રાખવી. આથી નિરાશ થઈ મહેલથી હું પાછો વળ્યો. અને ત્યાંની બજારમાં જઈ એક દુકાનેથી થોડા પૌવા અને બે ત્રણ પૈસાના પેંડા લઈ ખાધા. પછી પગરસ્તે ગિધેર જવા ચાલી નીકળ્યો. અહીંથી ગિબ્બોર પાંચ માઈલ થતું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ 128 આપવીતી સાંજે સાતને સુમારે ગિધેર પહોંચ્યો. મહારાજા રાવણેશ્વરપ્રસાદે શિવમંદિર આગળ એક નાની ધર્મશાળા બંધાવી વટેમાર્ગુઓ માટે ઊતરવાની સગવડ કરી છે. ત્યાં બાવા, વૈરાગી વગેરે તથા બીજા વટેમાર્ગુઓની સગવડ સાચવવા એક માણસ રાખે છે. હું ત્યાં આવ્યા એટલે તેણે મારે રાતે જમવું છે કે કેમ એમ પૂછયું. પણ હું એટલો થાકી ગયો હતો કે રસોઈ કરીને જમવા જેટલી મારામાં સાં રહી નહોતી. મેં પેલા “જમાદાર ને કહ્યું, “અત્યારે રસાઈ કરવાની મારામાં તાકાત નથી પણ કંઈ કાચુંકારું લાવી આપે તો મેટો ઉપકાર.” તેણે તરત જ બજારમાંથી પેંડા, બરફી વગેરે મીઠાઈ આણ આપી. આ મીઠાઈ બુદ્ધગયાના મહંતે આપેલી મીઠાઈને જેટલી જ નિઃસ્વાદ હતી છતાં ખૂબ ભૂખ લાગી હતી તેથી જેમ તેમ - ખાઈ ઉપર પાણી પી સૂઈ રહ્યો. બીજે દિવસે સવારે રાવણેશ્વરપ્રસાદ રાજાના આશ્રિત એક પંડિતને મળવા ગયો. પંડિતજીનું ઝૂંપડી જેવું ઘર જોતાં જ લાગ્યું કે રાજાને આશ્રય લીધા છતાંયે પંડિતજી ઉપર લક્ષ્મીજી પ્રસન્ન જણાતાં નથી. પંડિતજી બેલવાચાલવામાં તો ઠીક જણાયા. તેમણે મારી બધી હકીકત ખૂબ માનપૂર્વક સાંભળી લીધી. પછી તેમણે કહ્યું: “તમે આ વિચિત્ર દેશમાં આવી ચડ્યા છે. અહીં તમને મદદ કરનાર કોઈ વિરલો જ નીકળશે! છતાં અમારા રાજાસાહેબ તમને કંઈક મદદ કરશે ખરા. બાકી તેમની પાસેથી પણ આઠ આના કરતાં વધુ રકમની આશા તો રાખતા જ નહિ! બે ત્રણ દિવસ જમાડી જતી વખતે બે ચાર આના વાટખરચી આપવા, એવો એમને રિવાજ છે. પણ તમે કાશીથી આટલે નીકળી આવ્યા છે તેથી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલેશન સુધી તમને કદાચ બાર આના મળશે એમ ધારું છું. પણ હાલ તો રાજાસાહેબને સૂતક છે તેથી હજુ ચાર દિવસ સુધી તેમની મુલાકાત નહિ થઈ શકે. ત્યાં સુધી તમારા જમવા કરવાને બંદોબસ્ત કરવા હું જમાદારને કહું છું.” હવે આ રાજાસાહેબ ઉપર કલકત્તાની વાટે ખરચી સારુ આધાર રાખી બેસવું એ મને ચાખી બાઘાઈ લાગી. મેં મારા મિત્ર નીલકંઠ ભટજીને કાશી કાગળ લખ્યો. ને તેમાં મારી તમામ હકીકત સમજાવી અને લખ્યું કે, “મારે તુરત કલકત્તા જવું છે તેટલા સારુ ત્રણ રૂપિયા કેઈ પાસેથી ઉછીના લઈને પણ મોકલો.' તેમણે કાગળ પહોંચતાં વાર મનીઓર્ડરથી પૈસા મોકલ્યા. તેમણે મોકલેલ મનીઑર્ડર મારા ગિદ્દોર આવ્યા પછી ત્રીજે કે ચોથે દિવસ મળ્યો. પૈસા મેં ત્યાંના ટપાલમાસ્તરને જ સોંપ્યા. માસ્તર નાતે કાયસ્થ અને ઘણે જ મળતાવડા સ્વભાવને માણસ હતો. આ બે ત્રણ દિવસમાં જ મારે એમની જોડે ખૂબ ઓળખાણ થઈ ગઈ હતી. હવે રાજાસાહેબ ઉપર આધાર રાખી. બેસી રહેવાની મને જરૂર નહોતી. છતાં તેમને મળીને જવું મને યોગ્ય લાગ્યું. બીજે દિવસે સૂતક ઉતાર્યા પછી પોતે મહાદેવનાં દર્શને આવ્યા. ત્યાં મારે તેમની મુલાકાત થઈ. તેમને ઉદ્દેશીને એક કાગળ સંસ્કૃતમાં લખવા પંડિતજીએ મને કહી રાખ્યું હતું. તે લખીને મેં તૈયાર રાખ્યો હતો અને રાજાસાહેબની મુલાકાત વખતે તે મેં તેમના હાથમાં મૂક્યો. સાંજે રાજાસાહેબ તરફથી જમાદાર મારફત એક રૂપિયો મને વિદાયગીરી દાખલ મળ્યો. 2 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ 130 આપવીતી પછી રાતની ગાડીએ કલકત્તા જવાનો વિચાર કરી હું ટપાલમાસ્તરને મળવા ગયા. ટપાલઓફિસ સ્ટેશનને રસતે હતી. ટપાલમાસ્તર સાથે ઇધરતિધરની વાત કરતો હું બેઠો. તેમણે મને કહ્યું, “ઉતાવળ શું કામ કરે છે? રસ્તો તદ્દન સીધો છે. જરા બેસે તો ખરા, જવાય છે.” મેં જવાબ આપ્યો, “રતો સીધો છે પણ મારે માટે તો અજાણ્યો છે. એટલે અહીંથી દિવસ છતાં નીકળવું એ જ સારું.’ આમ છતાં ટપાલમાસ્તરની વાતમાં ને વાતમાં દિવસ આથમ્યો. હવે મને ઉતાવળ થવા લાગી. માસ્તરે મને મારા ત્રણ રૂપિયા આપ્યા. મારે એક રૂપિયાનું પરચૂરણ જોઈતું હતું તે પણ તેમણે આપ્યું. પણ બદલામાં મારી પાસેથી એક રૂપિયો લેવો ભૂલી ગયા; અને ઉતાવળમાં હું તેમને તે આપવો ચૂકી ગયા! ટપાલમાસ્તર મને વળાવવા આવતા હતા, પણ મેં તેમને ન આવવા દીધા. પછી ઑફિસના પટાવાળાને મારી જોડે મોકલવા વિચાર કર્યો પણ તે ક્યાંક ગયો હતો. મને પણ બીજા માણસની જરૂર ન લાગી. રસ્તો મોટો હતો અને સ્ટેશને જનાર કોઈ ને કઈ રસ્તામાં મળી રહેશે એમ હું માનતો હતો. પિસ્ટ માસ્તરે કહ્યું: “સીધા ચાલ્યા જજે, ડાબા કે જમણું વળતા જ નહિ, એટલે થયું. તેમના કહેવા પ્રમાણે મેં સામો. જ રસ્તો પકડ્યો. પણ પંદર વીસ મિનિટ ચાલ્યો હોઈશ એટલામાં મેં બે ફાંટા પડતા જોયા. ટપાલ માસ્તરના કહેવાનો પૂરો અર્થ નહિ સમજાયાથી, તેમ ત્યાં કોઈ માણસ પણ ન મળ્યાથી મેં ડાબો ફોટો મૂકી જમણો લીધો. પણ આઠ વાગ્યા, - નવ વાગ્યા છતાં સ્ટેશન આવે નહિ. બે ત્રણ માઈલ પર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલોન સુધી 131 આવેલ સ્ટેશન બે ત્રણ કલાક ચાલવા છતાં ન આવ્યું એ જોઈ મને બહુ નવાઈ લાગી. રસ્તામાં બંને બાજુએ માથાપૂર ઘાસ ઊગ્યું હતું. તેમાંથી ક્યાંક વાઘ બાઘ નીકળી આવશે તો? એમ પણ ઘડી વાર લાગ્યું ! પણ તેથીયે વધુ બીક તો મને આ ભૂખડીબારશ દેશમાં કોઈ લૂંટારુ સામે મળી મારું બધું લૂંટી જવાની લાગી ! ઘોર અંધારામાં હું ઝપાટાબંધ ચાલતો હતો. રસ્તે ઊંચોનીચે હોવાથી મને અનેક દેશો વાગી, છતાં પાછું પગલું ન ભરતાં મેં ચાલ્યાં કીધું. - અતિ આઘે આઘે આગગાડીના સિગ્નલના દીવા જેવું કંઈક દેખાયું. સિગ્નલના દીવાની માફક તે ઊંચા થાંભલા પર હતો. પણ તે લીલે કે લાલ નહોતો, સફેદ હતો. જે સ્ટેશન નહિ હોય તો પણ આ દીવાની આસપાસ કંઈ ને કંઈ વસ્તી તો હશે જ એ વિચારે મને હિમ્મત આવી. પણ એટલામાં તે બાજુના આડમારગેથી એક માણસ મારી સામે આવી ઊભો. ઘોર અંધારામાં તે છેક મારી લગોલગ આવી ઊભે ત્યાં સુધી મને ખબર ન પડી. તેથી તેને જોતાં જ ચેરના હાથમાં હું સપડાય એવી મને શંકા થઈ. તેણે કહ્યું, “મહારાજ, આટલી. મેડી રાતે આ રસ્તે ક્યાં જાઓ છે?’ મેં જવાબ આપ્યો, તમારે તેનું શું કામ?' મારા બોલવાની ઢબ તે સમજી ગયો અને બેલ્યો, “મહારાજ, હું તે ગરીબ માણસ છું. હું કોઈ ચોર નથી. આ તરફ આટલી મોડી રાતે માણસને પગરવ ભાઠે એટલે પૂછ્યું.' મેં મારા ભૂલા પડ્યાની વાત કહી સંભળાવી. વાતો કરતા કરતા અમે બન્ને પેલા દીવા આગળ આવી પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી પેલાએ મને કહ્યું કે, “ઝાઝા અને ગિદ્ધાર ' વચ્ચે આ એક નવું સ્ટેશન ઊભું થાય છે. પણ તે હજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ આપવીતી તૈયાર નથી થયું. આજે જ સ્ટેશનમાસ્તર અને એક બે સાંધાવાળા આવ્યા છે. અહીં ગાડી ઊભી રહેવાને હજુ ચાર આઠ દિવસ લાગશે એમ કહે છે. તમને રાતની રાત રહેવા જેટલી જગ્યા મળી રહેશે. હું તમને ગામમાં લઈ જાત પણ ગામ આવું છે. અને મારા જેવાની સાથે આવતાં કદાચ તમારા મનને શંકા થાય.' સ્ટેશને પહોંચ્યા પછી મેં તે માણસને એક પિસે આપવા માંડ્યો. પણ તે ન લેતાં તેણે કહ્યું: “મહારાજ, તમારે આશીર્વાદ આપો તો બસ. હું ગરીબ છું પણ આપની પાસેથી દ્રવ્ય લેવાની મારી ઇચ્છા નથી.” આમ કહી બે હાથ જોડી તેણે મને નમ્રપણે નમસ્કાર કર્યા અને અંધારામાં રેલના પાટાની બાજુના તાર ઓળંગી જોતજોતામાં તેની પેલી મેરના અંધારામાં અદશ્ય થઈ ગયે. સ્ટેશન પરના સિપાઈએ મને સૂવા માટે જગ્યા આપી. બીજે દિવસે પરોઢિયે ઊઠીને મેં ઝાઝા સ્ટેશન તરફનો રસ્તો લીધે. રેલને પાટે પાટે જ હું ઝાઝા સુધી ગયે. ગિદ્દોરના ટપાલમાસ્તરનો એક રૂપિયે ભૂલથી મારી પાસે રહી ગયો હતો તેની મને ખાતરી થઈ. પણ તે વખતે કશું બની શકે એમ ન હતું. ઝાઝાથી કલકત્તા તરફ જનારી ગાડી સવારે આઠ નવ વાગ્યે જતી હતી. હું કલાક દોઢ કલાક વહેલો પહોંચ્યો હતો. હાથ મેટું જોઈ થોડું ખાવાનું લઈ ખાધું એટલામાં ગાડી આવી તેમાં બેઠો તે સાંજે સાત કે આઠ વાગ્યે હાવડા સ્ટેશને ઊતર્યો ને દૂગલી નદી ઉપરનો પુલ ઓળંગી કલકત્તા શહેરમાં પહોંચ્યો. પણ મહાબોધી સભાના ઠેકાણાને પત્તે કેમે કર્યો ન લાગે. એક જણે ટ્રામમાં બેસી અમુક અમુક જગ્યાએ જવું એમ કહ્યું. પણ હું તો જુદે જ ઠેકાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલેન સુધી જઈ પહોંચ્યા અને ત્યાંથી પાછી ટ્રામમાં બેસી ધરમતલ્લા સ્ટ્રીટ ઉપર આવ્યો. અંતે ખૂબ તપાસ પછી મહાબોધિ સભાનું મકાન (ક્રીક રે નં. 2) જડયું. તે દિવસે મિસ આલ્બર્સ નામની એક અમેરિકન બાઈને મહાબોધિ સભા તરફથી મિજબાની હતી. બધા જમી ઊઠડ્યા ને હું સભાગૃહમાં પહોંચ્યો. તે વખતે મહાબોધિ સભાના મકાનમાં અરીચંદ્ર ચતરજી નામના એક ગૃહસ્થ રહેતા હતા. તેઓ કલકત્તાની હાઈકોર્ટમાં કલાર્ક હતા. પણ ધર્મપાલની સાથે તેમને ઓળખાણ હોવાથી ધર્મપાલે તેમને સભાના મકાનમાં રહેવાની પરવાનગી આપેલી. તેમણે મને સારે આવકાર આપ્યો. મારે માટે પોતાની બાજુની એક ઓરડીમાં જગ્યા કરી આપી. મિજબાનીમાંથી વધી પડેલાં રસગુલ્લાં 4 અને થડી પૂરીઓ મને ખાવા આપી. રસગુલ્લાંને આકાર ઈંડાના જેવો અને રંગ પણ સફેદ હોય છે, તેથી મને શંકા થઈ પણ અઘોરીબાબુએ તે એકલા દૂધમાંથી બને છે એવી ખાતરી આપી. “પેલી અમેરિકન બાઈની પંક્તિમાં બેસીને અમે ખાધું તેથી તમને કદાચ શંકા થઈ હોય, તો તે બાઈ પિત શાકાહારી છે અને આ મિજબાનીમાં અમે બધા હિન્દુ ઢબે કેળનાં પાન ઉપર પાટલે બેસીને જમ્યા છીએ; એ તો આ પાતળો પડી છે તે ઉપરથી જ તમે જોઈ શકશે.” આટલું થયા બાદ બાબુના આગ્રહને વશ થઈ મેં તેમણે આપેલ -વસ્તુઓ ખાધી. પછી તેમણે “ઇન્ડિયન મિરર'ના માજી સંપાદક બાબુ નરેન્દ્રનાથ સેનની જોડે મને ઓળખાણ કરાવી. * ગુલાબજાંબુને મળતી બંગાળની એક સુપ્રસિદ્ધ મીઠાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ 134 ન આપવીતી ' નરેન્દ્રબાબુએ મને કહ્યું: “તમારે સિલોન જવું હોય તો તે બાબતનું સર્ટિફિકેટ તમારે બતાવવું પડશે. એ સિવાય અમે તમને કંઈ મદદ નહિ કરીએ.” બીજે દિવસ સા પહેલાં તે એક રૂપિયાની ટપાલની ટિકિટો લાવી તે સાદા કવરમાં બીડી મેં ગિદ્દોરના ટપાલ માસ્તરને મોકલી અને પછી સિલોનની મુસાફરીના વિચારમાં પડ્યો. અઘોરીબાબુના કહેવા પ્રમાણે તુતિકરીન સુધી રેલરસ્તે જઈ ત્યાંથી આગબોટમાં સિલેન જવું એમ નકકી થયું. પણ ભાડાના પૈસાની જોગવાઈ શી કરવી ? તે વખતે મહાબોધિ સભાનો કારભાર શ્રી. ચારુચંદ્ર બસુ નામના બંગાળી ગૃહસ્થના હાથમાં હતા. તેમના હાથ નીચે બીજા એક કિષ્ટબાબુ (ગેવામાં જેમ કૃષ્ણને અપભ્રંશ કુર્ણ થયેલ છે તેમ બંગાળમાં કિષ્ટ થયો છે.) નામના ગૃહસ્થ હતા. ચારુબાબુએ મારા કહેવા પરથી ગયાવાળા ભિક્ષુને કાગળ લખ્યો કે, “તમે મોકલેલ માણસ અહીં આવી પહોંચે છે, પણ તેને આગળ સિલેન મેકલવાની ગોઠવણ કઈ રીતે કરવી?' ભિક્ષુને જવાબ આવતાં સુધી ચારુબાબુએ મારા જમવાની સગવડ મહાબોધિ સભા તરફથી કરી. સભાના મકાનમાં પદ્દો (પનો અપભ્રંશ) નામે એક નોકર હતા. તે જ્યારે ધર્મપાલ કલકત્તામાં હોય ત્યારે તેમની રસેઈ અને એવું. બીજું કામ કરતો, ને ધર્મપાલ ન હોય ત્યારે સભાનું મકાન વાળવા ઝાડવાનું, કાગળે ટપાલમાં નાંખવાનું અને એવું બીજું પરચૂરણ કામ કરતો. ચારુબાબુએ તેની જ મારફત મારા જમવાની સગવડ કરાવી. તે દિવસે અધેરીબાબુ આઠ દિવસની રજા લઈ કાંઈ કામસર પિતાને ગામ ગયા. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલેન સુધી 135 પાંચ છ દિવસે ગયાના ભિક્ષુને જવાબ આવ્યો. તેમાં તેણે ચારુબાબુ પર ખૂબ જ ઠલવ્યો હતો. તેણે લખ્યું હતું કે ધર્મપાલ તરફથી પિતાની જ ખરચી તેને વખતસર નથી મળતી ને જેનું તેનું કરજ કાઢી ચલાવવું પડે છે. ત્યાં વળી આવા વિદ્યાર્થીને સિલોન મેકલવામાં પોતે શી મદદ કરી શકે ? ચારુબાબુએ મને કહ્યું: “ગયાવાળા ભિક્ષુ તમને મદદ કરવા ભાગતા નથી. અહીં અમારી પાસે પણ કંઈ ઝાઝું ફંડ નથી. અમે તમને ત્રણ રૂપિયા આપીશું; એટલામાંથી જે કંઈ બની શકે તે કરો.” ત્રણ રૂપિયામાં જગન્નાથપુરી સુધી જઈ શકાય એમ હતું. ત્યાંથી ભિક્ષા માગતાં માગતાં મદ્રાસ સુધી જવું, * અને ત્યાંની મહાબોધિ સભા મદદ કરે તે રેલમાં અને નહિ તો પગરસ્ત તુતિ કરીને પહોંચવું, અને આગબોટના ભાડા પૂરતા પૈસા કાઈ ને કઈ રીતે મેળવી સિલોન જવું એવો વિચાર કર્યો. ચારુબાબુને આ વાત ગમી અને તેમણે મદ્રાસની મહાબધિ સભાના મંત્રી એમ. સિંગારવેલૂ ઉપર અને ધર્મપાલ ઉપર એમ બે કાગળ મને લખી આપ્યા. મારે કોટ વગેરે સામાન મેં પૉને દઈ દીધો. ફક્ત એક લોટ, બે ધોતિયાં, બે બંડી, એક ધાબળો અને ફેટ એટલે સામાન સાથે રાખે. પુસ્તકે ચારુબાબુને સોંપ્યાં અને કહ્યું કે, “હું ખેમકુશળ સિલોન પહોંચે તે પુસ્તક ટપાલમાં મોકલી દેજે; નહિ તો પછી મહાબોધિ સભાને વાચનાલયમાં દાખલ કરી દેજો.” ચારુબાબુ સભાના મકાનમાં સાંજના છથી આઠ વાગ્યા સુધી રહેતા. પછી પિતાને ઘેર જતા. જગન્નાથપુરીની ગાડી સવારે સાત કે આઠ વાગ્યે ઊપડતી તેથી આગલી સાંજે જ મેં ચારુબાબુની વિદાય લીધી. તેમણે મને હાવડા સ્ટેશન સુધી પહોંચાડી આવવા પાને હુકમ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #144
--------------------------------------------------------------------------
________________ આપવીતી - આ બધું નક્કી કરી ચારબાબુ ઘેર ગયા પછી અઘોરીબાબુ ગામથી પાછા આવ્યા. મારું સિલોન જવાનું શું થયું એમ પૂછતાં મેં તેમને અત્યાર સુધીની બધી હકીકત કહી સંભળાવી. એ સાંભળ્યા પછી તેમણે કહ્યું, ‘આવા ઉનાળાના દિવસમાં મદ્રાસ સુધી પગરસ્તે જવા નીકળવું એ નરી બાઘાઈ છે. ચારુબાબુ જેવાએ આવા વિચારમાં તમને કઈ રીતે અનુમતિ આપી એ જ નવાઈની વાત છે. કલકત્તા જેવા આવડા ધનવાન શહેરમાં તમારા જેવા વિદ્યાર્થીને મદ્રાસ પહોંચવા જેટલા પૈસા ન મળે એ તો ભારે શરમની વાત કહેવાય !" તે વખતે નરેન્દ્રનાથ સેન સભાગૃહમાં મિસ આબર્સ સાથે વાતો કરતા બેઠા હતા. અરીબાબુએ તેમને મારી બધી હકીકત સમજાવી. કલકત્તાથી મદ્રાસ જવાના લગભગ દસ રૂપિયા થાય એમ અઘારીબાબુનું માનવું હતું. નરેન્દ્રબાબુએ જ્યારે મદ્રાસ જવાનું કેટલું ખર્ચ થાય એમ તેમને પૂછયું ત્યારે તેમણે કહ્યું, “લગભગ દશેક રૂપિયા થાય; એમાંથી ત્રણ રૂપિયા તે મહાબોધિ સભા તરફથી તેને મળ્યા છે. બાકી ફક્ત સાત રૂપિયા ખૂટે છે.' નરેન્દ્રબાબુ કહે, “એમ જ હોય તો સાત રૂપિયા હું આપું છું. માત્ર સ્ટેશને જઈ તમારે જાતે ટિકિટ કઢાવી તેને ગાડીમાં બેસાડવાનું માથે લેવું જોઈએ.” અઘરીબાબુએ જવાબ આપ્યો, “કાલે હું સ્ટેશને જઈ મદ્રાસનું કેટલું ભાડું પડે છે તેની ચોક્કસ તપાસ કરી આવીશ ને પછી નકકી , રકમ હું તમને જણાવીશ.” - બીજે દિવસે ઑફિસથી વળતાં અઘોરીબાબુ બધી ખબર કાઢી આવ્યા. મદ્રાસનું ભાડું તેર રૂપિયા અને અમુક આના હતું; અને ઠેઠ કેલ સુધીનું બાવીસ રૂપિયામાં અમુક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ આના ઓછું થતું હતું. આથી અઘરી બાબુએ મને કહ્યું, નરેન્દ્રબાબુ સાત રૂપિયા આપે તો પણ મદ્રાસ જવા માટે બીજા ત્રણ ચાર રૂપિયા તો જોઈએ જ. તે કરતાં અહીં જ પચીસ રૂપિયા ભેગા કર્યા હોય તો તમે સીધા કોલંબો જઈ શકે. અહીંના બીજા કેટલાક પૈસાદાર ગૃહસ્થ મહાબોધિ સભાના સભાસદ છે તેમને મળી જોઈએ. તેમના તરફથી જે , મદદ ન મળી તો છેવટ હું તમને મારા ઓળખીતા કેટલાક ગૃહ પાસે લઈ જઈશ. તેઓ તમને જરૂર મદદ કરશે. પણ ફરી પાછો મદ્રાસમાં યાચના કરવાનો વખત ન આવે અને તમે કોલંબે પહોંચે એ જ ઉત્તમ રસ્તો છે. આ પછી અઘોરીબાબુએ પિતાની સહીથી અંગ્રેજીમાં એક વિનંતી પત્ર ઘડી કાઢયું. તેમાં તેમણે મારે કોલંબો જવા સારુ કુલ 25 રૂપિયાની જરૂર છે એવી મતલબનું લખ્યું હતું. નીચે મહાબોધિ સભા તરફથી ત્રણ રૂપિયા મળ્યા છે એમ જણાવ્યું હતું, અને નરેન્દ્રનાથ સેનના નામ આગળ સાત રૂપિયાને આંકડે ભર્યો હતો. આ વિનંતિપત્ર લઈ હું દા. અમૃતલાલ સરકાર પાસે ગયા. તેમણે બે રૂપિયા ભરી તે જ વખતે તે રોકડા આપ્યા. બીજા બે સિલોનના વેપારી જે મહાબોધિ સભાના મકાનમાં રહેતા હતા તેમણે એક રૂપિયો આપ્યો. નીલકમલ મુકરજી કરીને એક ગૃહસ્થ મહાબોધિ સભાના ખજાનચી હતા, તેમને ઘેર પદની સાથે ગયો. તેમણે તરત જ બાર રૂપિયાને આંકડે ભર્યો, પણ રૂપિયા મને ન આપતાં બીજે . દિવસે સાંજે પિતાના કારકુનની સાથે મહાબોધિ સભામાં મેકલ્યા. આથી કલકત્તા છોડવામાં મને એક દિવસ મોડું થયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ 138 આપવીતી - પચીસ રૂપિયા એકઠા થયા પછી અઘોરીબાબુએ મારે સારુ રસ્તામાં ભાતા માટે એક બિસ્કિટનો ડબો આણ્યો. મહાબોધિ સભાના પુસ્તકાલયમાં રાખેલ મારાં પુસ્તક તથા આ ડબ સાથે બાંધી એક પિટકું તૈયાર કર્યું. ઉપરાંત, ચારુબાબુ પાસેથી એક ધર્મપાલ ઉપર અને બીજે મદ્રાસના એમ. સિંગારવેલૂ ઉપર એમ બે કાગળો લખાવી લીધા. મદ્રાસ ઊતરવાનું કંઈ નકકી નહોતું, છતાં કાગળ સાથે હોય તો સારું એટલા ખાતર ચારુબાબુએ અગાઉ લખી આપેલ કાગળ તેમને પાછો આપી ન કાગળ લખાવી લીધો. આ કાગળમાં પૈસાની વાત ન લખી. જરૂર પડે તો રસ્તાની અડચણ વગેરેની માહિતી આપીને મદદ કરવી એમ લખ્યું હતું. આ ઉપરાંત અઘોરીબાબુએ પણ ધર્મપાલ ઉપર એક જુદો કાગળ આપ્યો. બીજે દિવસે એટલે તારીખ ૧૫મી માર્ચ ૧૯૦૨ને રોજ અધોરીબાબુની સાથે હું હાવડા સ્ટેશને આવ્યો. અંધેરીબાબુએ ઠેઠ કોલંબોની ટિકિટ કઢાવી આપી અને મને ગાડીમાં બેસાડી પોતે પાછા ગયા. રવિવાર તા. ૧૬મી માર્ચ ૧૯૦રને રેજ અગિયાર બારને સુમારે હું મદ્રાસ પહોંચ્યા. અહીં પહોંચ્યા પહેલાં જ, તુતિ કેરીનમાં કલકત્તેથી આવનાર ઉતારુઓને કૉરેન્ટીનમાં રાખે છે, એવી ખબર ગાડીમાંને એક ઉતારએ મને કહી હતી. મારી પાસે ફક્ત દેઢ રૂપિયે જ બાકી હતો તેમાં જે દસ દિવસ કૉરેન્ટીનમાં રહેવું પડ્યું તે ભૂખે મરવા વખત આવવાનો એમ મને લાગ્યું. આથી મેં એવો વિચાર કર્યો કે, સીધા મદ્રાસ વટાવી જવાને બદલે મદ્રાસમાં એક દિવસ ઊતરી પડવું અને એમ સિંગારેલૂને મળી કવરેન્ટીનમાંથી બચવાનો કંઈ રસ્તો P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલોન સુધી 139 થાય તો જોવું. આ કારણથી હું મદ્રાસ ઊતર્યો, અને મહામહેનતે સિંગારવેલનું ઘર શોધી કાઢયું. તેમણે મારી જોડેને કાગળ વાંચી ભારો ઠીક સત્કાર કર્યો. સ્નાન વગેરે આટોપી તેમને ઘેર જમે; પણ અમારું બધું કામ હાથના ઈશારાઓથી ચાલતું હતું. કારણ મને અંગ્રેજી ન આવડે અને સિંગારલૂને હિન્દી નહોતું આવડતું. મારા જમી લીધા પછી થોડી વારે તેમના . ભાઈ કંઈ કામે ગયો હતો તે ઘેર આવ્યો. તેને હિંદી બોલતાં આવડતું હતું. તેણે સિંગારેલૂને મારું કહેવું સમજાવ્યું. એક તો મારે કવૉરેન્ટીનમાં પડયા સિવાય રિલોને પહોંચવું હતું. અને જે કૉરેન્ટીનમાં રોકાણ થવા વખત આવે જ તો મારે તેટલા દિવસની ખરચીની જોગવાઈ કરવી જોઈએ. તુતિકારીનમાં મુદલિયાર કરીને સિંગારવેલૂના એક મિત્ર તે વખતે હેલ્થ ઓફિસર હતા. તેમની ઉપર વૉરેન્ટીનમાંથી મને જલદી છૂટ કરવા બાબત તેમણે કાગળ લખી આપ્યો. અને પિતાના ભાઈ દ્વારા મને સમજાવ્યું કે, તેમ છતાં જે કદાચ કૉરેન્ટીનમાં રહેવાનો પ્રસંગ આવ્યો જ તે તુતિકારીનથી મારે તાર કરવો, એટલે મારા ખાધાખરચ જેટલા પૈસા પોતે મોકલી આપશે. સાંજે પાંચ છ વાગ્યે તુતિકારીનો મેલ ઊપડતી. પણ મારી ટિકિટ તો ઉતાર-ગાડીની હતી. છતાં લાંબી મુસાફરીવાળા મેલમાં મુસાફરી કરી શકે એવો એક કાયદે હોય છે, એમ સિંગારવેલૂના ભાઈને ખબર હતી. તેથી તેણે મને કહ્યું: “તમને મેલમાં જવું વધુ અનુકૂળ થશે. હું હાલને હાલ સ્ટેશને જઈ તપાસ કરું છું અને તમારાથી મેલમાં જઈ શકાય તો આજની જ ગાડીમાં જાઓ.” અમે બંને એક ટાંગો ભાડે કરી ચાર વાગ્યાને સુમારે સ્ટેશને ગયા. મેલને ઘણી વાર હતી. સિંગારવેલૂનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ 140 ' આપવીતી એક ભાઈએ ખૂબ મહેનત કરી શોધી કાઢયું કે, કલકત્તાથી સીધી . કોલંબેની ટિકિટ કઢાવી હોય તો ગમે તે ટ્રેનમાં મુસાફરી કરી શકાય છે. એ પ્રમાણે મને મેલમાં બેસાડી પોતાના એક ઓળખીતા ગૃહસ્થને મારી સંભાળ લેવાનું કહી ભારી રજા લીધી, અને મેં તેમને ખૂબ ઉપકાર માન્યો. ગાડી સો સવાસો માઈલ.નહિ ગઈ હોય એટલામાં મારી પાછળ ટિકિટકલેકટરનો તગાદ થવા લાગ્યો. એકાદે ટિકિટકલેકટર આવે, મારી ટિકિટ જુએ, અને મને નીચે ઊતરવા કહ્યું. પછી મને તામિલ કે અંગ્રેજીમાં થોડા સવાલો પૂછે, અને મને આ બેઉ ભાષાનો એક શબ્દ પણ સમજાતો નથી એમ જુએ એટલે ગાડી ઊપડવા વખતે “પ, પ, પિ.' (“પ”ને અર્થ તામિલ ભાષામાં “જા.”. પણ આ અર્થ મને તે વખતે નહોતો આવડતો.) એમ કહે ને છોડી દે. પરંતુ આ “પ“પને અર્થ શું હશે તે ન સમજાવાથી પહેલાં પહેલાં તો હું આશ્ચર્યચકિત ચહેરે ઊભો થઈ રહેતો ! એક જગ્યાએ તો સ્ટેશનમાસ્તરે કે એવા કોઈ અમલદારે મને “પ” “પ” કરતાં ગાડીને ડબા સુધી ખેંચી આણ ડબાનું બારણું ઉઘાડી અંદર પણ ધકેલ્યો અને બારણું બંધ કર્યું; એટલામાં ગાડી ઊપડી. બીજે દિવસે સવારે મારા હાથમાંથી ટિકિટ ' લઈ લેવામાં આવી તે ઠેઠ તુતિકરીન ઊતર્યો ત્યારે મળી. ત્યાંના ટિકિટકલેકટરે મારી પાસે બે અઢી રૂપિયા વધારે માગવા માંડ્યા. પણ મને તેની ભાષા ન સમજાય અને તેને મારી ભાષા ન સમજાય. છેવટે ત્યાં એક તાંર તરફને કોઈ દેશસ્થ બ્રાહ્મણ મળ્યો. તેને ભાગ્યેતૂટયું મરાઠી બેલતાં આવડતું હતું. મેં તેને બનેલી હકીકત કહી. મદ્રાસમાં ખુદ સ્ટેશનમાસ્તરે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલેન સુધી 11 ગાડીમાં બેસવા રજા આપેલી છતાં આ માણસ મારી પાસેથી શેના વધુ પૈસા માગે છે, એમ મેં તેને પૂછયું. તેણે રેલવેનો નિયમ બતાવી ટિકિટ કલેકટરને સમજાવ્યો. અને મને કહ્યું કે, “આ લોકોને રેલવેના નિયમોની પણ પૂરી ખબર નથી હોતી. સારું થયું કે હું આવી ચડ્યો, નહિ તે તમને નાહક ત્રાસ થાત !" આમ અંતે સ્ટેશનવાળાઓના હાથથી તો છૂટયો પણ હજુ બહાર નીકળું છું ત્યાં જ હેલ્થ ઓફિસર દ. મુદલિયારે મને રોક્યો. કુતિકારીનમાં હું ક્યાં રહેવાનો છું વગેરે પૂછતપાસ તેમણે કરી. પણ હું ક્યાં રહીશ એની મને પોતાને જ ખબર નહોતી ત્યાં એને હું શું જવાબ દઉં? મેં તો તેમને સિંગારલૂનો કાગળ આપ્યો. તે ઉપરથી તેમને મારી બધી હકીકત સમજાઈ હોય એમ લાગ્યું. તેમણે પોતાના કારકુન સાથે મને એક વીશીમાં મોકલ્યો; અને “બનતા લગી કાલે જ તમને અહીંથી છૂટા કરીશ,' એમ પિતાના કાર્ટુન (એને હિન્દી આવડતું હતું.) મારફત કહ્યું. " દા. મુદલિયારની નિમણૂક મદ્રાસ સરકાર તરફથી થઈ હતી. પણ સિલોન જવા સારુ પરવાના આપવાનું તેમના હાથમાં નહોતું. સિલોન સરકાર તરફથી એક યુરેઝિયન દાક્તર તુતિકરીનમાં મૂકવામાં આવ્યો હતો. અને તે દ. મુદલિયાર જેમને રજા આપે તેમને તપાસીને પરવાના આપતો. બીજે દિવસે હું દ. મુદલિયારના કારકુનને મળ્યો અને પરવાનાની વાત પૂછી. પણ તે મારી પાસે આઠ આના “બક્ષિસ " માગવા લાગ્યા. હું તો એક આનો પણ આવી લાંચ આપવા રાજી નહે; તેથી તે દિવસ મારે તુતિકરીનમાં જ કાઢવો પડ્યો. બીજે દિવસે હું ફરીથી દ. મુદલિયારને મળ્યા. મને જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aarathak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ ' આપવીતી તેમને બહુ નવાઈ લાગી. અંગ્રેજીમાં તેઓ શું બોલ્યા તે મને સમજાયું નહિ. તેમનો કારકુન મારી પાસે આઠ આના માગે છે અને તે લીધા સિવાય મને જવા દેતો નથી એમ મેં તેમને હિન્દીમાં કહ્યું. જેમ તેમ કરીને “એટ આનાઝ' એટલા અંગ્રેજી શબ્દો પણ મેં ઉચ્ચાર્યા. તેમને મારા કહેવાની મતલબ સમજાઈ અને બીજા એક કારકુનને ભારે બંદોબસ્ત કરવા કહ્યું. પણ તે દિવસ પરવાનો મેળવો અશક્ય હતો. છેવટે તારીખ ૨૦મી માર્ચ ૧૯૦રને રોજ મને પરવાનો મળ્યો. અને તે જ દિવસે સાંજે હું કલબો જવા નીકળ્યો. આગબોટમાં તામિલ મજૂરોની ભારે ભીડ હતી. પણ દરિયે શાંત હોવાથી અને હું રાતનો ભૂખ્યો હોવાથી મને ઝાઝો ત્રાસ થયે નહિ. બીજે દિવસે સવારે દસ વાગ્યાને સુમારે મછવામાં થઈને અમને ઉતારુઓને કોલંબો બંદરે ઉતારવામાં આવ્યા. કલબમાં ઊતરી ધર્મપાલના કાગળ ઉપરનું સરનામું બતાવતો બતાવતો ખૂબ ગલીએ ફર્યો. એક બે વખત ટ્રામમાં બેઠા. અંતે ધર્મપાલના ઘરનો પત્તો લાગ્યો. તે વખતે ધર્મપાલ પોતાના પિતાને ઘેર રહેતા નહોતા. પિતાની દુકાન નજીક એક ઓરડીમાં રહેતા હતા. શિવેદનાથી તે બેજાર હતા. તેમને મળી મેં ચારુબાબુ તેમ જ અઘોરીબાબુના બંને કાગળો આપ્યા અને હિન્દીમાં મારું સિલોન આવવાનું પ્રયોજન ટૂંકમાં જણાવ્યું. પણ મેઢે કહેવા કરતાં કાગળનાં લખાણ ઉપરથી જ મારા આવવાના પ્રયજનની તેમને વધુ ખબર પડી હશે. તેમણે ઇશારાથી મને સ્નાન વગેરે આપવા કહ્યું. તેમના નેકરની સાથે પણ મારે બધું ઈશારેથી જ કામ ચાલતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ નેપાળથી સિલોન સુધી . 143 - ધર્મપાલના નોકરે મારે સારુ પાંઉરટી અને એક તાજે જે ઉઘાડેલ વિલાયતી માખણને ડબો ટેબલ ઉપર મૂક્યો. બપોરના બે વાગી ગયા હોવાથી તે વખતે બીજું કશું મળી શકે એમ નહોતું. પાંઉ તો જાણતો હતો પણ માખણને ડો અને અંદરનું પીળા રંગનું માખણ મેં અગાઉ કદી જોયું નહોતું. મને લાગ્યું કે આ કોઈ જાતની વિલાયતી મીઠાઈ હશે. મેં લગભગ અ ડબો ખલાસ કર્યો. ધર્મપાલના નોકરને મારા અનાડીપણાનું ભારે આશ્ચર્ય લાગ્યું હોવું જોઈએ. પણ તેણે કઈ રીતે મારું અપમાન ન કર્યું. માત્ર સાંજે ફરી પાંઉ મૂકતી વેળાએ તેણે એક કાચના સુંદર વાસણમાં થોડું માખણ જુદું મૂકી મને પીરસ્યું. ત્યારે મને મારા અજ્ઞાનની ખબર પડી. આઈ મીઠાઈ જેવી ખાવાની ચીજ નથી પણ તેનો ઉપયોગ ઘીની જગાએ થતો હશે એમ મેં અનુમાન કર્યું. અને પેલા નોકરને આ પદાર્થને પાંઉ ઉપર કઈ રીતે ઉપયોગ કરવો એ ઈશારે પૂછયું. તેણે બે ચમચા માખણ લઈ છરીથી પાંઉના બધા કકડાઓ ઉપર ચોપડી બતાવ્યું. તે દિવસથી પાંઉ અને માખણ એ બેનું પ્રમાણ કેટલું જોઈએ તેની મને ખબર પડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ 12 વિદ્યોદય વિદ્યાલય ઈ. સ. ૧૫૦પમાં જ્યારે પિોર્ટુગીઝ સરદાર ક્રાન્સિસ્ક , ધી આમેડ સિલોનને કિનારે ઊતર્યો, ત્યારે તે બેટની રાજસત્તા સાત જુદાં જુદાં રાજ્યોમાં વહેચાયેલી હતી. સને ૧૫૧૭માં ગેવાના ગવર્નર જનરલે કોટ્ટાના રાજાની પરવાનગીથી કલબમાં એક કિલ્લો બાં. ત્યારથી પોર્ટુગીઝ લેએ ધીરે ધીરે પગપેસારો કરી પચીસ ત્રીસ વર્ષમાં સમુદ્રકિનારાના પ્રદેશ પિતાના તાબામાં કરી લીધું. પોર્ટુગીઝે મુસલમાનોની પેઠે ધર્મઘેલા હતા એ તો સહુ કોઈ જાણે છે. તેમણે પોતાની રાજ્યસત્તા કાયમ કરવાની પેરવીમાં ન પડતાં નરમાશથી તેમ જ જોરજુલમથી બન્ને માર્ગે પિતાના તાબાના મુલકમાં રોમન કેથલિક ધર્મનો પ્રચાર કરવાનો સપાટો ચલાવ્યો. સિલોનમાં તેમની હકુમત નીચેના પ્રદેશમાં તેમણે એવો કાયદો કર્યો હતો ક, જેનાં લગ્ન કેથલિક ધર્મવિધિ પ્રમાણે ન થયાં હોય તેની સંતતિને કાયદેસર વારસ તરીકે સ્વીકારવામાં નહિ આવે. સિલોનના બૌદ્ધ કેમાં જાતિભેદની માન્યતા હિન્દુઓના જેટલી દઢ ન હોવાથી આ કાયદાનું પરિણામ એવું આવ્યું કે, પિતાની કરાં વારસાના હકમાંથી બાતલ ન થાય એટલા સારુ લાકે રોમન કેથલિક પાદરી મારફત પિતાની લગ્નવિધિ કરાવતા અને પિતાનાં લગ્ન ખ્રિસ્તી દેવળના રજિસ્ટરમાં નોંધાવતા. આમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ વિવોદય વિદ્યાલય 145 આસપાસના મુલકમાં રોમન કેથલિક પંથનાં મૂળ જો કે ઊંડાં તો ન ગયાં, છતાં કોલંબો જેવા પોર્ટુગીઝ વસ્તીના શહેરમાં બૌદ્ધ ભિક્ષુનાં દર્શન પણ થવાં દુર્લભ થઈ પડ્યાં.. પોર્ટુગીઝ કારકિર્દી દરમ્યાન સિલોનમાં રોમન કેથલિક ધર્મનો પ્રચાર કરવાની સેટ ક્રાન્સિસ્ક ઝેવિયરની પછી જેણે તનતોડ મહેનત કરી હતી તે ફાધર જુજે વાઝ, હું જે ગામમાં જ હતો, તે જ ગામમાં જન્મ્યા હતા. ગોવામાં રોમન કેથલિક ધર્મને સરસ અભ્યાસ કરી ધર્મપ્રચાર માટે તે સિલોન ગયા. પણ જે ધર્મને નાશ કરવા તેમણે આટલી મહેનત કરી મહાન સંકટો વેડ્યાં, તે જ ધર્મનો અભ્યાસ કરવા માટે વીસમી સદીના આરંભમાં તેના જ ગામનો એક તરુણ યુવક અત્યંત દુઃખ સહન કરી સિલોન આવશે, એવો તે વખતે તેમને સ્વનેય ખ્યાલ હશે ખરો? પણ કાળચક્રની ગતિ બહુ ગહન છે. સેંટ ઝેવિયર અને ફાધર જુજે વાઝ જેવા મહાન પુરુષોએ જે ધર્મનો ઉચ્છેદ કરવા આવડા પ્રયાસ કર્યા તે જ ધર્મને અનુસરનારા શ્રદ્ધાળુ લોકે ખુદ યુરોપમાં પાકવા લાગ્યા છે; અને જે ધર્મના પ્રચાર માટે ઉપર જણાવેલા સાધુપુરુષોએ જીવતર સાંઘાં કર્યા તે ધર્મ ઈટાલી જેવા તેના માવતરમાં પણ આજે લોપ પામતો જાય છે ! આજે કાન્સ અને પોર્ટુગલમાં રોમન કેથલિક પંથનો કેટલો ભાવ પુછાય છે, એ કહેવાની પણ અહીં જરૂર છે શું? ઈ. સ. ૧૬૫૮માં સિલોનમાં પોર્ટુગીઝ લોકોના તાબાનો તમામ દેશ વલંદા લોકોના હાથમાં આવ્યા. વલંદાઓ પોર્ટુગીઝ જેવા ધર્મઘેલા નહોતા. તેઓ તો કાંદીના સિંહલ રાજા સાથે તેમ જ બીજા સરદાર સાથે સુલેહ કરી વેપાર HI9OP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ આપવીતી વધારવાની પેરવીમાં જ ગૂંથાયા. તેમના તરફથી કોઈ પણ ખ્રિસ્તી પંથને ઉત્તેજન ન મળ્યું; તથાપિ કોલંબે જેવા સ્થળમાં રેમન કેથલિકનું થાણું કાયમ રહ્યું. ઈ.સ. ૧૭૯૫ના વર્ષમાં વલંદા અને અંગ્રેજો વચ્ચે યુરોપમાં અણબનાવ થયા. એને પરિણામે અંગ્રેજોએ સિલોનમાંના વલંદાઓના મુલક ઉપર ચઢાઈ કરી. તે બધો મુલક ઈ. સ. ૧૭૯૬માં કબજે કર્યો. પાછળથી કાંડીના શ્રીવિક્રમરાજસિંહ અને અંગ્રેજો વચ્ચે કડવાશ થઈ ૧૮૦૩ની સાલમાં અંગ્રેજોએ કાંડી ઉપર ચઢાઈ કરી. પણ ડુંગરાળ મુલકમાંથી પસાર થવું પડયાથી તેમના લશ્કરની ભારે ખુવારી થઈ અને ચઢાઈમાં જીત ન થઈ. સને ૧૮૧૫માં વિક્રમરાજસિંહને તેના એક પ્રધાન જોડે કજિયો થયો. વિક્રમરાજે તેને કાંઈ કામસર બીજે મેકલી તેનાં બાયડી છોકરાંને મારી નાખ્યાં. વિક્રમરાજસિંહ છેલ્લા બાજીરાવ જેવો જ મૂખ અને નિર્દય હતો. તોપણ ગાદી ઉપર બેસાડેલ તેથી પ્રજાએ તેનાં અનેક દુષ્કર્મો સહન કર્યા. પણ તેના આ છેલ્લા કૃત્યથી તેના બધા સામંતે ખૂબ ગુસ્સે થયા. તેમણે એકત્ર થઈને પેલા પ્રધાન મારફત અંગ્રેજોની જેડે છૂપી સંધિ કરી. સને ૧૮૧૫ની સાલમાં અંગ્રેજોને કાંડીમાં નોતરી પોતાના નિદર્ય રાજાને પકડીને તેમને હવાલે કર્યો. અંગ્રેજોએ વિક્રમરાજસિંહને મદ્રાસ ઇલાકામાં કયાંક મેકલી દીધો અને તેને તમામ મુલક ખાલસા કર્યો. આમ વગર મહેનતે આખા સિલેન બેટની રાજ્યસત્તા અંગ્રેજોને મળી ગઈ અને બે હજાર વર્ષથી ચાલી આવતી સિલોનની સિંહલ રાજ્યપરંપરા નાશ પામી. દુઃખમાં સુખ એટલું જ કે, ઈ. સ. ૧૮૧૫ની સાલના માર્ચ મહિનાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ વિદ્યોદય વિદ્યાલય બીજી તારીખે વિક્રમરાજસિંહના સરદાર સાથે અંગ્રેજ સરકારે જે સંધિ કરી તેમાં એક કલમ એવી હતી કે, બૌદ્ધધર્મને અંગ્રેજો તરફથી કશો ધક્કો ન પહોંચવો જોઈએ. આ કલમ વેપારી સ્વભાવના અંગ્રેજોને નડી નહિ. તેમણે બૌદ્ધ વિહારને અગાઉના રાજાએ આપેલાં ઈનામે કાયમ કર્યા અને તેના ઓચ્છ વગેરેમાં કશો અંતરાય નાંખે નહિ. પણ બૌદ્ધધર્મ નાસ્તિક હોવાથી તે નકામે છે, એવો જ ખ્યાલ ઘણાખરા બ્રિટિશ અમલદારોના મગજમાં રહી જવાથી બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવાની ઈચ્છા કેાઈને થઈ નહિ. પણ જે ટરનર જેવા અંગ્રેજ પંડિતોએ પોતાના દેશવાસીઓનું બૌદ્ધધર્મ વિષેનું અજ્ઞાન લાંબો વખત સુધી ટકવા દીધું નહિ. સિલોનની તમામ રાજ્યસત્તા અંગ્રેજ સરકારના હાથમાં આવી ત્યારથી પચાસ વર્ષની અંદર તો પાલિભાષાના કેટલાય ગ્રંથનાં અંગ્રેજીમાં ભાષાંતર થયાં. અને તે સાથે જ બૌદ્ધધર્મ નકામો છે એ ખ્યાલ પણ નાબૂદ થતો ગ. ગૌતમબુદ્ધના ઉપદેશમાં અનેક વસ્તુઓ ગ્રહણ કરવા યોગ્ય છે એમ તે વખતના કેટલાક ઉદાર બ્રિટિશ અમલદારે માનવા લાગ્યા અને તેમણે બૌદ્ધ ગ્રંથોના અભ્યાસને યથાશક્તિ ઉત્તેજન આપ્યું. સર મથુકુમાર સ્વામી, જેમ્સ દે આદિવસ, રેવરંડ ગેજર્સે વગેરે પંડિતોએ ઓગણીસમી સદીના પાછલા ભાગમાં અંગ્રેજી ભાષાંતર દ્વારા બૌદ્ધધર્મની જે બધી માહિતી પ્રસિદ્ધ કરી, તે સિલોનના બ્રિટિશ મુત્સદ્દીઓની ઉદાર નીતિનું જ ફળ માનવું જોઈએ. ' આ બધી બાબતનું બૌદ્ધ લોકે ઉપર સારું પરિણામ આવ્યું. કોલંબ જેવા સ્થળમાં, પોતે બૌદ્ધ છે, એમ કહેવાની P.P.AC. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ 148 . આપવીતી કેઈનામાં હિમ્મત નહોતી ત્યાં હવે બૌદ્ધ વિહાર સ્થપાવા લાગ્યા. વળી જો કે ફર્નાદ, સિલ્વા વગેરે પોર્ટુગીઝ નામો કાયમ રહ્યાં, છતાં અનેક કેળવાયેલા આબરૂદાર માણસો પિતે બૌદ્ધ છે એમ છડેચોક કહેવામાં ખંચાતા અટક્યા. કોલંબોમાં જે નવા વિહાર સ્થપાયા તે બધામાં માલિગાકંદમાં શ્રી. સુમંગલાચાર્યો સ્થાપન કરેલ વિહાર શ્રેષ્ઠ છે. આને જ લોકે આજે વિદ્યોદય વિદ્યાલય કહે છે. બીજા વિહારની પેઠે કેવળ બુદ્ધમૂર્તિની તેમ જ જે ઝાડ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા તેની ડાળીનાં બીમાંથી * પીપળાની પૂજા કરવા સારુ અને ગૃહસ્થાશ્રમીઓને આશીર્વાદ દેવા સારુ આ વિદ્યોદય વિદ્યાલયની સ્થાપના નહોતી. અહીં ભિક્ષુઓને અને ગૃહસ્થોને પાલિ તેમ જ સંસ્કૃત ભાષાનું શિક્ષણ અપાય છે. આથી સિલોનમાં આળસુ થઈ પડેલા ભિક્ષુઓમાં જોતજોતામાં જ ધર્મજ્ઞાનને સારે પ્રચાર થયો છે. વિદ્યોદય વિદ્યાલયને સંસ્થાપક શ્રી. સુમંગલાચાર્ય ગાલ્લે શહેર આગળના હિકડુ ગામમાં જન્મ્યા હતા. બધાં ભાંડુઓમાં તે શરીરે નિર્બળ હોવાથી તેમના વાલીઓએ તેમને સંસાર-વહેવારની જિંદગીને સારુ અગ્ય માની નાની ઉમરમાં જ બૌદ્ધ વિહારમાં મોકલી શ્રામરની દીક્ષા અપાવી. તે કાળે જે છોકરાના ભવિષ્ય વિષે બહુ આશા ન લાગે તેવાને તેનાં માબાપ વિહારમાં એકાદ ભિક્ષુને સોંપતાં; ત્યાં તે ભિક્ષ તરીકે વિહારની ઊપજ ઉપર સુખે જિંદગી ગાળે એવી પ્રથા પડી . * બુદ્ધગયામાંથી પીપળાના ઝાડની ડાળી અશોકપુત્ર મહેન્દ્ર સિલોનમાં અનુરાધપુરમાં રોપી. અને ત્યાં ઊગેલા ઝાડમાંથી નીચે ખરતાં બી લાવીને બૌદ્ધ વિહારમાં રેપવામાં આવે છે. - ભા. ક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ વિદ્યોદય વિદ્યાલય ( 149 ગઈ હતી ! શ્રી. સુમંગલ આ નિયમને અપવાદરૂપ નીવડ્યા. પિતાની શરીર-સ્થિતિ અત્યંત નાજુક અને વિહારમાં પણ કોઈ વિદ્વાન ભિક્ષુ મળે નહિ, એવી સ્થિતિ છતાં તેમણે નરી આપહિમ્મતથી પાલિ તેમ જ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. હિન્દુસ્તાનમાંથી કઈ વિદ્વાન બ્રાહ્મણ આવ્યાની ખબર સાંભળે કે તરત જ તેની પાસે દોડી જાય અને અનેક વિનય-અનુનયથી તેને રીઝવી તેની પાસેની વિદ્યા ગ્રહણ કરવાનો ક્રમ તેમણે રાખ્યો હતો. વિનયપિટક વગેરે પાલિ ગ્રંથોનો તેમણે પોતાની મેળે અભ્યાસ કર્યો. આ ગ્રંથ તેમને એવો તો સરસ આવડતો કે ગમે તે સવાલ તેમને પૂછો, તેનો જવાબ તેમની પાસે તૈયાર જ હોય. હું ત્યાં હતો તે દિવસમાં એક વખત તેમના એક આગેવાન શિષ્ય અને વિદ્યોદય મહાવિદ્યાલયના આચાર્ય ત્યાં આવ્યા અને તેમણે તેમને વિનયમાં એક વિકટ પ્રશ્ન કર્યો. સુમંગલાચાર્યે તત્કાળ તેનો ઉત્તર આપ્યો, અને બાજુના ટેબલ ઉપર પડેલા તાડપત્ર પર લખાયેલ એક મોટા ભારે ગ્રંથ તરફ આંગળી કરી કહ્યું: “આ પુસ્તકના ફલાણા અક્ષર સુધી (તાડપત્ર-પુસ્તક ઉપર પાનાને કમ એક બે એમ આંકડાથી ન લખતાં ક, કા, કિ, કી, એમ બારાખડીના બધા અક્ષરો દ્વારા પાનાંની ગણતરી રાખવાનો તેમનો રિવાજ હતો.)- નાં પાનાં ઉથલાવો.' પેલા શિષ્ય તેટલાં પાનાં ફેરવ્યાં. પછી સુમંગલાચાર્ય બોલ્યા. “હવે આશરે આટલામી લીટી વાંચો. તેમાં હું કહું છું તે ખુલાસો આપ્યો છે. વિનયગ્રંથ સાથે તેમને આવડે પરિચય જોઈને હું તો દંગ થઈ ગયો! વિદ્યોદય વિદ્યાલયની સ્થાપના પછી થોડેક વર્ષે કર્નલ આકોટ અને મૅડમ બ્લેસ્કી પિતાને થિયેસોફી પંથનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ 150 આપવીતી પ્રચાર કરવા સિલોન આવ્યાં. ત્યાં કર્નલ આëટે શ્રી. સુમંગલાચાર્ય પાસેથી જાહેરપણે બૌદ્ધધર્મની દીક્ષા લીધી. એટલું જ નહિ, પણ સિંહલી બૌદ્ધોની ઉન્નતિ માટે તેમણે અથાગ મહેનત લેવા માંડી. આજે સિલોનમાં જે સેંકડો પ્રાથમિક કેળવણીની નિશાળે બૌદ્ધ લોકે ચલાવી રહ્યા છે તે કર્નલ આર્જેટની મહેનતનું ફળ છે. કર્નલ આલ્કોટે સિલોનથી મદ્રાસ આવી ત્યાં જ પોતાનું મુખ્ય મથક કર્યું. સને ૧૮૯૧માં તેમની જ સૂચનાથી ડોન કેરેલીસ નામે સિલોનના એક પ્રસિદ્ધ વેપારીના દીકરા શ્રી. ધર્મપાલ હિંદુસ્તાનમાં આવ્યા. અને બુદ્ધગયાના બૌદ્ધ મંદિરની દુર્દશા જોઈને તે સુધારવા માટે તેમણે એક સભા સ્થાપી. કલકત્તામાં જે સભાએ મને આશ્રય આપ્યો હતો તે જ આ મહાબધિ સભા. આ સભાના પ્રમુખ શ્રી. સુમંગલાચાર્ય હતા અને શ્રી. ધર્મપાલ તેના મંત્રી હતા. મહાબોધિ સભાએ શું કામ કર્યું અને સભાના કામની લોક ઉપર શી અસર થઈ તે વર્ણવવાનું આ સ્થળ નથી. વિવોદય વિદ્યાલય અને તેના સંસ્થાપકની ઉપર આપેલી હકીકત જ અત્યારે તે વાચકને સારુ પૂરતી છે. હવે હું મુખ્ય વિષય ઉપર આવીશ. - ધર્મપાલ શિરોવ્યાધિથી પીડાતા હતા, એમ આગલા પ્રકરણમાં હું કહી ગયે છું. તેથી મારી સાથે વિદ્યોદય વિદ્યાલયમાં તેમનાથી આવી શકાય તેમ નહોતું. તેમણે અનવરત્ન નામના એક જુવાન સાથે મને તે દિવસે સાંજે શ્રી. સુમંગલાચાર્યને મળવા મોકલ્યો. કલકત્તાથી ધર્મપાલ ઉપર મેં આણેલા બે ભલામણપત્રો અનવરને આચાર્યને વાંચી સંભળાવ્યા. પછી આચાર્ય સંસ્કૃત ભાષામાં મને કેટલાક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ વિદ્યોદય વિદ્યાલશે. રાંધીનગર, વિરાજ સવાલ પૂછળ્યા. મારા જવાથી તેમને સંતોષ થયો હોય એમ લાગ્યું. તેમણે તેમના વિહારમાં આવી રહેવા કહ્યું તથા ત્યાં જમવાખાવાની સગવડ પોતે કરી આપશે એવું આશ્વાસન આપ્યું. બીજે દિવસે હું વિદ્યોદય વિદ્યાલયમાં રહેવા ગયે. ત્યાં બૌદ્ધ મંદિરના પાછલા ભાગમાં એક ઓરડી હતી તે દુરસ્ત કરાવી મને રહેવા માટે આપવામાં આવી. તે દિવસે અમારા આચાર્યના પરિવેણુ (રહેવાની જગ્યાની પાછળની ઓશરીમાં મને એક ચિનાઈ રામપાત્રમાં જમવાનું આપવામાં આવ્યું. ઠીકરાના વાસણમાં જમવાનો આ પહેલે જ પ્રસંગ હોવાથી તે ભજન તરફ જોતાં જ મને કમકમાટી છૂટી. બુદ્દે રાજગૃહ નગરીમાંથી પહેલે જ દિવસે માગી આણેલું જુદી જુદી જાતનું ભિક્ષાનું અન્ન ખાતી વેળા તેણે પિતાના મનને જે બોધ આપ્યો હતો તે આ વખતે મને યાદ આવ્યો. હું મારા મનને કહેવા લાગ્યો, “રાજકુળમાં જન્મેલા સિદ્ધાર્થકુમારથી ઢેડભંગીના ઘરનું અન્ન ખાતી વખતે મનનું દમન કરવું બની શક્યું, અને તેના જ ધર્મને અભ્યાસ કરવા સારુ હું આટલે આવ્યો છું ત્યાં મને આશરો આપનારે પીરસેલા આ અન્નની મને સૂગ આવે એ સારું ન કહેવાય.” આમ ખૂબ આત્મસંયમ કરી મેં તે અન્ન ખાધું. ધીમે ધીમે આવું અન્ન ખાવાને મને મહાવરે થયો અને બીજી તરફ મારે માટે દિવસ જાતે કંઈક વિશેષ કાળજી પણ રખાવા લાગી. સિંહલી લકે પણ ગોવાના વતનીઓની માફક જ સવારે ખાની ઘેંસ પીએ છે, અને શાકભાજીમાં નાળિયેર ખૂબ વાપરે છે. પણ તેમનામાં એક ખાસ પ્રથા છે તે એ કે, ભાત, P.P. Ac. Gunratnasuri lo.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ વિનિર્મિ નવાવેલિંગ અને મારે કામ કરવા ૧૫ર * આપવીતી ઘેંસ અને ગળ્યા પદાર્થો સિવાય બાકીની બધી ચીજોમાં તેઓ સુકવણી કરેલ ભીના કટકા નાંખે છે. આને “અંબલાડા' કહે છે. ભિક્ષુઓને આપવા સારુ લોકે જે બધું લાવ્યા હોય તેમાંથી દાલ વગેરે માંસમચ્છી વગરની ચીજે મારે માટે જુદી કાઢી રાખવામાં આવતી. પણ આ બધામાં “અંબાલકાંડા’ તો હોય જ; તેથી તેનું પૃથક્કરણ મારે જાતે પ્રથમ કરવું પડતું અને ત્યાર પછી જ મારાથી ખવાતું. આમ છતાં કોઈ વાર ભૂલમાં અંબલાડાને એકાદ કટકે મેઢામાં ચાલ્યો જાય અને साई कथंचिदुचितैः पिचुमंदपत्रैरास्यान्तरालगतमाम्रदलं म्रदीयः / दासेरकः सपदि संवलितं निषादैवियं पुरा पतगराडिव निर्जगार ||* આ માઘ કવિનો લોક યાદ આવે અને મારે મોઢામાં કેળિયો ઘૂંકી નાખવો પડે! અંતે એમાં પણ ધીરે ધીરે હું ટેવાયો અને આખો કાળિયો બહાર ન કાઢી નાંખતાં ફક્ત અંબલકાડાનો કટકો જ કાઢી નાંખવાની મને ટેવ પડી ! બીજે દિવસે એટલે તા. ૨૩મી માર્ચ ૧૯૦૨ને દિવસે ફાગણ સુદ પૂનમને ઉપસથ હતો. ખ્રિસ્તી લોકોમાં જેમ રવિવારનો દિવસ પવિત્ર મનાય છે, અથવા તો હિંદુ લોકમાં જેમ અગિયારશ પવિત્ર ગણાય છે, તેવી જ રીતે બૌદ્ધ લોકે ઉપાસના દિવસને પવિત્ર માને છે. બંને પક્ષની આઠમ, વદ ચૌદશ અને પૂનમ, એમ મહિનામાં ચાર ઉપસથના દિવસો * પૂર્વના કાળમાં ગરુડે નિષાદ લોકનું ભક્ષણ કરવા માંડયું, તેમાં દેવગે એક બ્રાહ્મણ આવી ગયો અને તેથી ગરુડને ખાધેલું ઓકી નાંખવું પડ્યું છે તે જ પ્રમાણે ઊંટ પોતાને પ્રિય એવો લીમડાને પાલ ખાતે હતું તેમાં ભેગોગે એક આંબાનું કુમળું પાન આવી ગયું, તેથી તેણે પણ ખાધેલું બધું કી કાઢયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ વિદ્યોદય વિદ્યાલય 13 ' હોય છે. પણ એ બધામાં પૂનમનું માહામ્ય સૌથી વિશેષ ગણાય છે. આનું કારણ એ જ હશે કે બુદ્ધભગવાન એ જ દિવસે બુદ્ધ થયા, એ જ દિવસે તેમણે કાશીમાં નવા ધર્મને પહેલવહેલો ઉપદેશ કર્યો અને કુશિનારામાં તેમનું મહાપરિનિર્વાણ (દેહાવસાન) પણ તે જ દિવસે થયું હતું. ગમે તે હે, પણ પૂનમને દિવસે વિહારમાં અનેક બૌદ્ધ ઉપાસકો ભેગા થઈ ધર્મચિંતનમાં વખત ગાળે છે. અને આ બાબતની ખબર નહોતી. મને ઉપર કહેલ દિવસે સવારે એક અરધું પરધું સંસ્કૃત બેલનાર વિદ્યાર્થી ભારફત એવી ખબર મળી કે સિયામના રાજાનો કોઈ ભાઈ ભિક્ષુ હોઈ નજીકના જ એક વિહારમાં રહે છે. તેમને મળવાનું બની શકે કે કેમ એમ પૂછતાં જવાબમાં ‘હા’ કહી તેણે મને સાંજે ત્યાં લઈ જવા વચન આપ્યું.' સિયામના રાજકુમાર રહેતા હતા તે વિહાર વિદ્યોદય : વિદ્યાલયથી બહુ દૂર નહોતો. લગભગ ત્રણ ચાર મિનિટમાં અમે ત્યાં પહોંચી ગયા. પહેલાં તો અમે તે વિહારના મુખ્ય સ્થવિર વાસ્કવે સુભૂતિને મળ્યા. પાલિ ભાષાના સમર્થ પંડિત તરીકે તેમની ખ્યાતિ હતી. પણ તેમને સંસ્કૃત બોલતાં નહોતું આવડતું. છતાં હું જે કાંઈ બોલ્યો તે તેમને સમજાયું હશે. છેવટે તેમણે મને સુધારીને છાપેલી “અભિધાનપ્રદીપિકા'ની એક નકલ આપી અને જ્યાં સિયામના રાજકુમાર રહેતા હતા તે પરિવેણુ તરફ અમને મોકલ્યા. રાજકુમાર ભિક્ષુને પાલિ કે સંસ્કૃત બેમાંથી એકે ભાષામાં બોલતાં નહોતું આવડતું તેમ સમજતા પણ નહિ. તેમને અંગ્રેજી તેમ જ ફેંચ એ બે ભાષાઓ - સરસ આવડતી. સિલોનમાં તેમનો બધો વ્યવહાર અંગ્રેજીમાં ચાલતો. મારી સાથે આવેલા વિદ્યાર્થીને થોડું અંગ્રેજી બોલતાં આવડતું * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ 154 આપવીતી હતું. હું જે કાંઈ સંસ્કૃતમાં બોલું તે એ યથાશક્તિ અંગ્રેજીમાં ભાષાંતર કરી રાજકુમારને સમજાવે અને રાજકુમારના કહેવાનો સાર મને ભાંગ્યાતૂટશ્યા સંસ્કૃતમાં કહે. તેણે મને સમજાવ્યું કે રાજકુમાર મને મળીને ખૂબ રાજી થયા છે. પણ સંસ્કૃત ન સમજતા હોવાને લીધે તેમને બહુ દુઃખ થાય છે. આવતા જન્મમાં હિંદુસ્તાનમાં કાશી જેવા સ્થળમાં જન્મ લઈ સંસ્કૃતમાં પ્રવીણતા મેળવી મારી સાથે વાત કરવા પોતે શક્તિવાન થશે એવી તેમને આશા છે. - રાજકુમારની અને મારી વાત પૂરી થઈ તે વખતે સૂર્યાસ્તનો વખત થયો હતો. વિદ્યોદય વિદ્યાલયમાં આવીને જોઉં છું તો ચોમેર લોકોની ભારે ભીડ. મેં પેલા વિદ્યાર્થીને પૂછ્યું, “આ બધા અહીં કેમ ભેગા થયા છે? તેણે જવાબ આપે, “આજે પૂનમને ઉપસથ છે. શ્રી. ધર્મપાલનું વ્યાખ્યાન થનાર છે એમ મેં સાંભળ્યું હતું. પણ હવે તો તે પૂરું થઈ ગયું હશે.” વિવોદય વિદ્યાલયની ધર્મશાળા (ધર્મોપદેશ કરવાની જગ્યા)માં હું પેલા વિદ્યાર્થીની સાથે હજુ દાખલ થાઉં છું તેટલામાં તો પેલા લેકોની મારા ઉપર નજર પડી. “હિન્દુ પંડિત “હિન્દુસ્તાનમાંથી આવેલ બ્રાહ્મણ,' એમ સૌ કોઈ ગણગણવા લાગ્યા. ધર્મપાલે મારી પાસે આવી કહ્યું, “આ અમારી સભામાં તમે સંસ્કૃતમાં બે બેલ કહે.” તેમનું કહેવું હું બરાબર સમજી ન શક્યો. પણ વિદ્યદય વિદ્યાલયના બીજા આચાર્ય શ્રી. દેવમિત્ર સ્થવિરે મને બરાબર સમજાવ્યું. મેં કહ્યું કે, વ્યાખ્યાન આપવા જેવી મારી તૈયારી નથી.” પણ બધાને ખૂબ આગ્રહ થવાથી અંતે નિરુપાયે હું તૈયાર થયે. દેવમિત્ર સ્થવિરની સાથે વ્યાસપીઠ ઉપર ઊભા રહી મેં સંસ્કૃતમાં એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ વિધેય વિધાલય 155 . નાનું સરખું ભાષણ કર્યું. સ્થવિરે સભાને તેનો અર્થ સિંહલી ભાષામાં કહી સંભળાવ્યો. મારા કહેવાનો સારાંશ આ પ્રમાણે હતે. “જે ઝાડ નીચે બુદ્ધભગવાન બેઠા હતા તે ઝાડનો બુદ્ધધર્મનો ઠેષ કરનાર ત્યાંના રાજા તરફથી નાશ કરવામાં આવ્યો, પણ મહેન્દ્ર (અશોક રાજાના દીકરાએ) તે ઝાડની એક ડાળી આ બેટમાં આણી રેપી તે આજે બે હજાર વરસ થયા છતાં અહીં નિર્વિને ફાલી રહી છે! બુદ્ધધર્મરૂપી વૃક્ષની સ્થિતિ પણ આજે તેવી જ છે. મૂળ ઝાડ હિંદુસ્તાનમાં ફાલ્યું. પણ વિષમ બુદ્ધિના રાજા અને મુત્સદ્દોએ તેને નાશ કર્યો. પણ આ ધર્મવૃક્ષની જે શાખા મહેન્દ્ર સ્થવિરે અહીં આણી તે આજ બે હજારથી પણ વધુ વર્ષો થયાં ટકી રહેલ છે. બૌદ્ધધર્મ વિષે વધુ બેલવાની મારામાં લાયકાત નથી. અત્યારે તો હું એક જિજ્ઞાસુ છું. પણ શ્રી. સુમંગલાચાર્ય સરખાને ચરણે બેસીને જલદી જ હું બૌદ્ધધર્મનું જ્ઞાન સંપાદન કરીશ એવી મને સબળ આશા છે,” વગેરે. મારા આ ભાષણની સભા ઉપર શી અસર થઈ તે હું સમજી શકું એમ નહોતું. એ લોકે સિંહલી ભાષામાં શું બોલ્યા તે હું સમજી શક્યો નહિ. પણ મારું ભાષણ પૂરું થયા પછી થોડી વારે શ્રી. ધર્મપાલ કંઈક બોલ્યા અને અનવરત્ન પિતાની વિલાયતી ટોપી હાથમાં લઈ આગળ આવ્યા. જે તે અનવરત્નની ટોપીમાં પૈસા નાંખવા લાગ્યા ! આ બધું શું ચાલી રહ્યું છે એ ઘડીક તો હું કશું ન સમજે. છેવટે તેણે બધા પૈસા ભેગા કરી એક કાગળમાં બાંધી ધર્મપાલને હવાલે કર્યા, અને તેમણે તે મને આપવા મારી આગળ ધર્યા. હું મૂંઝવણમાં પડયો. એટલામાં દેવમિત્ર સ્થવિર આગળ આવી મને કહેવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ આપવીતી આ પૈસા તમારે માટે ભેગા થયા છે. અહીં ભેગા થયેલા લોકેએ તમારે માટે આ ઉઘરાણું કર્યું છે તેથી જો તમે તે નહિ સ્વીકારે તો તેમને ખોટું લાગશે.' હું તે પૈસા લઈને શ્રી. સુમંગલાચાર્ય પાસે ગયો. તેમની આગળ પૈસાનું પડીકું મૂકી મેં કહ્યું: “મને બ્રાહ્મણ જાણીને આપના લોકોએ આ દક્ષિણ આપી છે, પણ મેં કોઈ દિવસ ભિક્ષાવૃત્તિ કરી નથી. . તેથી આને સ્વીકાર કરવો કે નહિ એ મૂંઝવણમાં પડ્યો છું.” તેમણે જવાબ આપ્યો, “તું ગરીબ વિદ્યાર્થી છે તેથી આ પૈસા લેતાં અચકાવાનું કારણ નથી. તેને તે પુસ્તક લેવામાં ખપ લાગશે.' ઘેર જઈ મેં ખુરદો ગણી જે તે લગભગ અઢીથી ત્રણ રૂપિયા જેટલો થયો. તે વિદ્યોદય વિદ્યાલયમાં રહેવા ગયા પછી બીજે જ દિવસથી મેં સિંહલી ભાષા શીખવાની શરૂઆત કરી. અહીંના બધા પાલિ ગ્રંથો સિંહલી ભાષામાં લખેલા કે છાપેલા હોવાથી તે ભાષા મને આવડવી જરૂરી હતી. એક અઠવાડિયામાં તો બધા અક્ષરે મને વાંચતાં આવડી ગયા, અને ધીરે ધીરે એ ભાષામાં લખાયેલાં પાલિ પુસ્તક પણ હું વાંચવા લાગ્યો. માર્ચ આખરે કે એપ્રિલની શરૂઆતમાં શ્રી. સુમંગલાચાર્ય ગાલે શહેરમાં કંઈ કામસર જતા હતા. તેમણે મારી જોડે જવાની મરજી છે કે કેમ એમ મને પૂછયું. સિલેનની સૃષ્ટિશભા જોવાની મને ખૂબ ઇચ્છા હોવાથી મેં તત્કાળ આચાર્યની સાથે જવા હા કહી. કોલંબૅથી ગાલ્લે સુધી સમુદ્રને કિનારે કિનારે જ આગ- , ગાડીને રસ્તો છે. અમે આ મુસાફરી દિવસે જ કરી. આગગાડીમાં બેઠાં બેઠાં, ગાવાથી મુરગાંવ અને રામની ભૂશિર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ વિદ્યોદય વિદ્યાલય 157 વચ્ચે સાસણ પ્રાંતના સમુદ્રકિનારો મને યાદ આવ્યો. ગાલેમાં અમે બે કે ત્રણ દિવસ રહ્યા. અહીં મેં એક ચમત્કાર જોયો. ગોવામાં જેમ કાજુનાં ઝાડ ડુંગર ઉપર ઊગે છે તેમ અહીં સોપારીનાં ઝાડ વગર પાણી પાયે ઊગતાં મેં જોયાં. તપાસ કરતાં માલૂમ પડયું કે, આ દેશમાં બારે માસ વરસાદ પડતો હોવાથી કેળ, સોપારી અને એવાં જ બીજાં ઝાડોને પાણી પાવાની કશી જ જરૂર નથી રહેતી. ગાલ્લેથી અમે આચાર્યના હિક્કડુ ગામે ગયા અને ત્યાં એક દિવસ રહી પાછા કોલો આવ્યા. આ મુસાફરીમાં મને અનેક વિદ્વાન ભિક્ષનો સમાગમ થયો. અને કેટલાકે તો પોતે સુધારીને છપાવેલ પાલિગ્રંથ મને આદરપૂર્વક ભેટ આપ્યા. * તા. રરમી મે ૧૯૦૨ને રોજ વૈશાખી પૂનમ હતી.' આ દિવસને બૌદ્ધ લોકે બહુ પવિત્ર માને છે. કેમકે આ જ દિવસે રાજકુમાર સિદ્ધાર્થને ગયા આગળ નૈરંજરા નદીને કાંઠે એક પીપળાના ઝાડ નીચે ખરા ધર્મમાર્ગનું જ્ઞાન થયું અને . તેઓ બુદ્ધ થયા. પૂનમ પહેલાં બે ચાર દિવસ અગાઉથી વિદ્યોદય વિહારને શણગારવા માટે બૌદ્ધ ઉપાસકો મારફત ભારે તૈયારીઓ ચાલી. સભામંડપ, ગ્રંથસંગ્રહાલય વગેરે સ્થાનો ધજાપતાકાઓથી શણગારવામાં આવ્યાં. આ દિવસે બોલવા સારુ મેં એક સંસ્કૃત કાવ્ય લખીને શ્રી. સુમંગલાચાર્યને . * આ કાવ્ય ફરીથી મે, ૧૯૨૬ના વિદ્યોદય” માસિકના અંકમાં વૈશાખી પૂનમ નિમિત્તે પ્રસિદ્ધ થયું છે. એ કાવ્ય તેમાંથી ઉદ્ભૂત કરી પાછળ પરિશિષ્ટરૂપે આપ્યું છે. આજે પણ આ કાવ્ય ખૂબ પ્રેમપૂર્વક સિલોનમાં ગવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ 158 આપવીતે બતાવ્યું. તેમને તે ઘણું જ ગમ્યું. “સિંહલ સમય'ના તંત્રીએ તે સિંહલી ભાષામાં ઉતારી લઈ પોતાના પત્રમાં પ્રગટ કર્યું. આથી અનેક લોકોને મારી જાણ થઈ અને સંસ્કૃત ભાષા થોડીઘણું જાણનારા ગૃહસ્થો અને ભિક્ષુઓએ મારી ખૂબ તારીફ કરી. આમ સિંહલી લોકેએ મારું જે ગૌરવ કર્યું તેની તેમ . જ મારી એકંદર પરિસ્થિતિની મારા મન ઉપર સારી અસર ન થઈ. મારું મન દુનિયાદારી તરફ ખેંચાવા લાગ્યું. સંસ્કૃત ભાષા શીખવવાનો બંધ કર્યો હોય તે સહેજે મને દર મહિને સાઠ સિત્તેર રૂપિયા મળે એમ હતું. અને તેટલા પર સિલેનના એકાદ ગામમાં રહીને મારા કુટુંબન નિર્વાહ મારાથી ભલીભાતે થઈ શકત; પણ તેમ કરવામાં પાલિ ભાષાને અભ્યાસ મેલી દેવો પડત અને ફરી સ્વદેશ પાછા જઈ વસવાને વિચાર પણ હંમેશને માટે છેડી દેવો પડત. પૂવાથી નીકળતી વખતે મેં બે સંકલ્પ કર્યા હતા. એક તો, દેહમાં પ્રાણુ હોય ત્યાં સુધી બૌદ્ધધર્મનું જ્ઞાન સંપાદન કરવાના પ્રયત્નમાં પાછા હઠવું નહિ, અને બીજો, જે એ ધર્મનું જ્ઞાન સંપાદન કરી શકાય તો મારા મહારાષ્ટ્રબંધુઓને તેની લહાણ કરવી. પણ સિલેનમાં જ ઘરસંસાર માંડી રહેવાના વિચારે મારા આ બેઉ સંકલ્પો ઉપર એકાએક છાપો માર્યો. અને મારી અંતઃકરણરૂપી રણભૂમિ ઉપર ભીષણ યુદ્ધ ચાલ્યું. આ લડાઈની વિગત દશ્ય લડાઈઓના જેવી રમ્ય ન હોવાથી તે બધી અહીં વર્ણવીને હું વાચકોને કંટાળે નહિ આપું. એટલું જ કહેવું બસ થશે કે, અંતે પૂનામાં કરેલા નિશ્ચયનો જય થયો અને દુનિયાદારીના વિચારે માત થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ વિદ્યોદય વિદ્યાલય 159 પોતાના માવળાઓ સાથે સિંહગઢ ઉપર ચઢી ગયા પછી સૂર્યાએ કિલ્લાની રાંગમાં ભેરવેલી દેરનિસરણીઓ કાપી નાંખી, અને લડાઈમાંથી પાછા ભાગવા માગનાર કઈ રડ્યાખડ્યાને સારુ પણ ઔરંગઝેબના માણસો સાથે લડીને માર્યા કે મર્યા સિવાય બીજો કશો રસ્તો રહેવા દીધો નહોતો, એ વાત મરાઠા ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. કરેલા નિશ્ચયથી ચળવા માગનારી મનોવૃત્તિઓને પણ આવી જ કંઈ ને કંઈ યુકિતથી ઠેકાણે આણ્યા વગર ઉપાય નહતા. દીક્ષા લઈ ભિક્ષ થઈ જાઉં તો આ પ્રશ્નને નિકાલ થઈ જાય એમ હતું. દુનિયાદારી તરફ વળતી મનોવૃત્તિઓની નિસરણી કાપી નાંખવાને આ સિવાય બીજો એક ઉપાય નહતો. ભિક્ષુ થવાથી વિહારમાં પણ છૂટથી રહેવું બની શકે એમ હતું. અને વિનયાદિ ગ્રંથો શીખવાનું પણ સહેલું થઈ પડત. પણ આ કામમાં અનેક મુશ્કેલીઓ હતી. બૌદ્ધ પ્રથા મુજબ દીક્ષા લેનારે પ્રથમ માની રજા મેળવવી જોઈએ. તે મળે એમ નહોતું. જેણે મને સિલોન મેકલ્યો તેની પણ મંજૂરી જોઈએ. છેવટે શ્રી. સુમંગલાચાર્યે બાબુ નરેન્દ્રનાથ સેનને કાગળ લખી આ બાબત તેમની મંજૂરી માગી. નરેન્દ્રબાબુએ પોતાના કાગળમાં મોરી ખૂબ સિફારસ કરી પિતાની સંમતિ આપી. માની રજા બાબતમાં પણ બીજા એક શાસ્ત્રનો આધાર ખોળી કાઢવામાં આવ્યો અને શ્રી. સુમંગલાચાર્યે મને શ્રામણેરની દીક્ષા આપી. - બૌદ્ધધર્મમાં એક વાર દીક્ષા લીધેલા ભિક્ષુએ આખી જિંદગી સંન્યાસી રહેવું જ જોઈએ એવો નિયમ નથી. માત્ર જ્યાં સુધી ભિક્ષુ તરીકે રહે ત્યાં સુધી તેણે સંઘના તમામ નિયમ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ 160 આપવીતી : - - પાળવા જોઈએ. તેમાં ખલન ચાલે નહિ. કામરને માત્ર દસ નિયમ પાળવા પડે છે. અને જેકે સંધને લગતાં કામમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર તેને નથી હોતો, તથાપિ વિહારમાં બીજી અનેક સગવડ મળી શકે છે. અધ્યયનની ખાસ સગવડ મળે છે. શ્રામણેર થયા પછી બીજી કશી ભાંજગડમાં ન પડતાં હું બધો વખત પાલિગ્રંથ વાંચવામાં ગાળવા લાગ્યો. થોડા જ દિવસમાં કેટલાયે ભિક્ષુઓ સંસ્કૃત શીખવા માટે મારી પાછળ લાગ્યા. તેમને રાત્રે એક કે બે કલાક હું “કૌમુદી” અને “તર્કસંગ્રહ’ શીખવત ને બાકીનો બધે વખત પાલિ ભાષાના અભ્યાસમાં ગાળતો. * જમવાખાવાની વ્યવસ્થા આશ્રમમાં થતી હતી એટલું જ નહિ, પણ મારે જરૂરનાં પુસ્તકો પણ ગૃહસ્થ અને ભિક્ષુઓ . પાસેથી મળી રહેતાં. પણ આમાં અચાનક વિઘ આવ્યું. તે આ પ્રમાણે. ભદ્રાસની મહાબોધિ સભાના મંત્રી શ્રી. સિંગારેલૂ કંઈ કામસર વિલાયત ગયા હતા. તે જતી વખતે કે આવતી વખતે એક દિવસ કોલંબો રેકાયા અને અમારા આચાર્યને મળવા વિદ્યોદય આશ્રમમાં આવ્યા. શ્રી. સુમંગલાચાર્યને તો તેઓ ન મળી શકયા પણ બીજા આચાર્ય દેવમિત્ર સ્થવિરની તેમણે મુલાકાત લીધી. તેમની સાથે કોઈ અંગ્રેજી જાણનાર * 1. અહિંસા, 2. અસ્તેય; 3. બ્રહ્મચર્ય, 4. સત્ય; 5. માદક ચીજોનું સેવન ન કરવું, 6. મધ્યાહ્ન પછી ન જમવું; 7. મનોવિકાર જગાડનાર નૃત્ય, ગીત, તેમ જ વાદ્યથી દૂર રહેવું; 8. માલા, ગંધ, અલંકાર ઇનો ઉપગ ન કરો; 9. ઊંચાં અને કીમતી બિછાનાંઓ પર ન સૂવું; અને 10. સેનું, રૂપું ગ્રહણ ન કરવું. ભા૦ ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ . વિદ્યોદય વિદ્યાલય સિલોની ગૃહસ્થ આવ્યા હોવા જોઈએ. કારણ તે વગર તેમની એકબીજા વચ્ચે વાતચીત થઈ શકી ન હત' ઇધરતિધરની વાતો થયા પછી દેવમિત્ર સ્થવિરે તેમની આગળ મારાં વખાણ કર્યા હશે. આ સાંભળી સિંગાલૂએ એવી મતલબની સલાહ આપી કે, “હિંદુસ્તાનના બ્રાહ્મણે મહાજૂઠા અને લબાડ હોય છે. તેમની કંઈ વિશ્વાસ નહિ. આ માણસ સાવ બાળભેળો દેખાતો હોય તો પણ તેનો વિશ્વાસ નહિ કરતા. એ બ્રાહ્મણ છે એટલું હમેશાં યાદ રાખજે.” તે જ દિવસે દેવમિત્ર વિરે સિંગારલૂના–મહાબોધિ સભાના મંત્રીના - આ મતથી સૌ કોઈને વાકેફ કરી દીધા. શ્રી. સુમંગલાચાર્ય ઉપર તો તેની કશી અસર ન થઈ. પણ કેટલાક લોકોને વિશ્વાસ મારા ઉપરથી ઊઠી ગયો ખરો. | મારે કાને જ્યારે આ વાત આવી ત્યારે મને તરત જ લાગ્યું કે હવે મને અહીં નિતનવી મુશ્કેલીઓ આવવાની. મુશ્કેલીઓની તે મને જરાય ફિકર ન લાગી, પણ સિંગારવેલૂ જેવો કેળવાયેલો હિંદી આવું આત્મઘાતી વર્તન ચલાવે એ વાતનું મને અતિ દુઃખ થયું. જે ગૃહસ્થ મને આદરપૂર્વક પિતાને ઘેર સત્કારેલો, જમાડેલો, જેણે તુતિકારીનના દા. મુદલિયાર ઉપર કાગળ આપી મને કૉરેન્ટીનમાંથી બચાવેલો, તે જ માણસ, કેવળ હું બ્રાહ્મણ છું, એટલા જ સારુ મારે વિષે સિલોની લોકોમાં બેટી છાપ પાડે એનું મને સખેદાશ્ચર્ય થયું. આ જ અરસામાં બીજો એક બનાવ બન્યા. જનરલ પોકુશિમા કરીને એક પ્રખ્યાત જાપાની દ્ધા જર્મનીથી સ્વદેશ જતાં કોલંબો ઊતર્યા. અમારા આશ્રમમાં કેટલાક ગરીબ જાપાની વિદ્યાર્થી પાલિ ભાષાનો અભ્યાસ કરે છે એવી તેને ખબર 24192. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ 162 આપવીતી મળતાં તે ખાસ શ્રી. સુમંગલાચાર્યને મળવા આવ્યા. આ વખતે વિદ્યોદય વિદ્યાલયમાં કૌન્ડિન્ય નામનો એક જ જાપાની વિદ્યાર્થી હતો. બીજા ચાર પશ્ચિમ કિનારે જુદાં જુદાં ગામોમાં રહેતા હતા. પોકુશિમાએ આચાર્યને મળી ગરીબ જાપાની વિદ્યાથીઓની આવડી સહાય કર્યા માટે શ્રી. સુમંગલાચાર્યને ભારે ઉપકાર માન્યો. અને પોતે ખાસ એટલા જ ખાતર - આશ્રમમાં આવ્યા છે એમ કહ્યું. આમ એક બાજુ એક સુશિક્ષિત હિંદી ગૃહસ્થ મારા જેવા વિદ્યાર્થીને વિષે વગર લેવેદે ખાસ ગેરસમજ ઉત્પન્ન કરાવે, અને બીજી બાજુ એક મેટ જાપાની લશ્કરી, પોતે જેનું કોઈ કાળે મેં પણ જોયું નથી એવા ગરીબ જાપાની વિદ્યાથી ઉત્તેજન પામે એટલા ખાતર, વિદ્યાલયની ખાસ મુલાકાત લઈ આચાર્યને અનેક રીતે આભાર માની પિતાના દેશના વિદ્યાર્થીઓ માટે ભલામણ કરે, આ બે વસ્તુઓની તુલના કરીએ ત્યારે જ આપણને સમજાય છે કે આપણું કેળવાયેલા વર્ગમાં પણ જાતિભેદ કે સ્વદેશપ્રેમની આડે આવે છે. ' શ્રી. સિંગારવેલૂની મુલાકાત પછી થેડા જ દિવસમાં વિહારના ભેજન ઉપર આધાર ન રાખતાં મેં ભિક્ષા ઉપર ભારે નિર્વાહ ચલાવવા માંડયો. ભિક્ષનો એ ધર્મ હોવાથી આચાર્યો કશો વાંધો ન લીધો. ભિક્ષામાં રાંધેલું અન્ન - ખાસ કરીને– ભાત જ મળતો. શાકભાજી વગેરે વિહારમાંથી અપાતું. ઉપરાંત સવારે દૂધ, ચેખાની રોટલી (આને “આમ્પ' કહે છે, ગોવામાં પિળા કરીને જે વસ્તુ બનાવે છે તેના જેવી આ હેાય છે.) અને એક બે કેળાં વિહારમાંથી જ આપવામાં આવતાં. પણ સિલોની લેકોનો મુખ્ય ખોરાક જે બેવડા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #171
--------------------------------------------------------------------------
________________ વિદ્યોદય વિદ્યાલય 163 રાંધેલો ભાત, * તે મને બિલકુલ પચતે નહિ. આ ખોરાકથી મારે સંધિવા ખૂબ વધી પડ્યો અને ફરી વેળા અન્ન ઉપરથી રુચિ ઊઠી ગઈ. હું તદ્દન કંટાળી ગયો. આ દિવસોમાં વાચન એ જ મારે એકમાત્ર આરામ હતો. વિહારમાં વ્યાયામની કશીયે સગવડ નહતી તેને લીધે પણ મારી તબિયતને ધકકો લાગ્યો. આવી સ્થિતિમાં જ મેં અંગ્રેજી શીખવાની શરૂઆત કરી. મુંબઈથી “સેલ્ફ ટીચર' નામનું પુસ્તક મંગાવી તેમાંથી કેટલાક અંગ્રેજી શબદો મેઢે કર્યા. પછી આગળ અભ્યાસ વધારવાના ઉદ્દેશથી સૂર્યગોડ સુમંગલ નામના ભિક્ષુના શ્રીવર્ધનારામમાં રહેવા ગયો. સૂર્યગડ ભિક્ષુ મને અંગ્રેજી શીખવતા અને પોતે મારી પાસેથી સંસ્કૃત શીખતા. પણ આ ક્રમ એક અઠવાડિયાથી વધુ ન ચાલ્યો. તેમને વ્યવસાય બહુ, તેથી મને શીખવવાની ફુરસદ તેમને નહોતી. બીજા એક અંગ્રેજી જાણનાર વિદ્યાર્થીની મદદથી ઘેડા દિવસ અભ્યાસ ચલાવ્યો. પણ તે સુધ્ધાં બીજા એક અઠવાડિયાથી વધુ આગળ ન ચાલ્યો. હું બે કે ત્રણ મહિના શ્રીવર્ધનારામમાં રહ્યો. ત્યાંથી દરિયો નજીક જ છે. એટલે થોડા દિવસ દરિયામાં નાહવાનું કરી જોયું. પણ તેથી તો તબિયત ઊલટી વધુ બગડી. પાસે જ એક દેશી વૈદું જાણનાર ભિક્ષુ રહેતા. તેમણે અરિષ્ટ કે આસવ જેવું કંઈક તૈયાર કરી આપ્યું. પણ તેથીયે ભારે રોગ વધ્યો છે. છેવટે સિલોન છોડી કલકત્તે ચાલ્યા જવું એવો મેં નિશ્ચય કર્યો. * સિલેનમાં લેકે ડાંગર રાંધીને સૂકવી નાંખે છે અને તેનાં છોડાં કાઢી નાંખી જે ચેખા ની કળે તે રાંધીને ખાય છે. . . ભાટ કટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #172
--------------------------------------------------------------------------
________________ 13 મદ્રાસ અને બ્રહ્મદેશ ઉત્તર હિંદુસ્તાનમાં ભેજપુરને રહીશ કોઈ મહાવીર નામને ક્ષત્રિય ગૃહસ્થ મલ્હારરાવ ગાયકવાડની પાસે હતો. તેને કુસ્તી વગેરે મર્દીની ખેલો સરસ આવડતા; અને તેથી જ મલ્હારરાવની મહેરબાની તેના ઉપર થયેલી. આગળ જતાં મલ્હારરાવને મદ્રાસ લઈ ગયા બાદ મહાવીરે વડોદરા છોડયું અને બીજા એક સોબતી સાથે તે ફરતો ફરતો સિલોન આવ્યો. મહાવીર સિલોનમાં સાત આઠ વર્ષથી રહેતો હતો. ત્યાં તેને કેટલાક ભિક્ષુઓનો સમાગમ થયો. પરિણામે મહાવીરે ભિક્ષુની દીક્ષા લીધી અને પોતે સ્વદેશ પાછો ફર્યો. કલકત્તામાં તેની એક મઢી હતી. કલકત્તામાં રહેતા એક સિંહલી સદ્ગુહસ્થ, આ કુટીમાં રહેનારા ભિક્ષુના ખરચ માટે દર મહિને વીસ રૂપિયા આપવા, એવું પિતાના મૃત્યુપત્રમાં લખ્યું હતું. આ રકમ કેટલાંય વર્ષ સુધી સરકારી તિજોરીમાં ભેગી થતી રહી; અને મૃત્યુપત્રનો ફેંસલો થયે ત્યારે સામટી મહાવીર ભિક્ષુના હાથમાં આવી. ભિક્ષુ વિમાસણમાં પડ્યો કે હવે આ પૈસાનું શું કરવું? અંતે તેણે બૌદ્ધોના ઉપયોગ સારુ તેનો વિનિયોગ કરવાનું ઠરાવી બુદ્ધગયા અથવા કાશી જેવા ધામમાં બૌદ્ધ જાત્રાળુઓને ઊતરવા સારુ એકાદ ધર્મશાળા બાંધવાનો વિચાર કર્યો. પણ આ બંને સ્થાનમાં બૌદ્ધોનાં સ્થાનની આસપાસ ક્યાંયે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #173
--------------------------------------------------------------------------
________________ | ગામ મદ્રાસ અને બ્રહ્મદેશ જમીન ન મળી. છેવટે જ્યાં બુદ્ધભગવાન પરિનિર્વાણ પામ્યા (આ સ્થાન ગોરખપુર જિલ્લામાં કયા નામે તાલુકાના ગામ નજીક છે.) તે સ્થાને એક ખેતર ખરીદી ત્યાં ધર્મશાળા બાંધવાની શરૂઆત કરી. પણ મહાવીરને મળેલા પૈસા ધર્મશાળા માટે પૂરતા નહોતા. એટલામાં સદ્ભાગ્યે કલકત્તાના બેજારી નામના એક બરમાં વેપારીએ આ પરમાર્થના કામમાં મન પરેવ્યું અને પોતાના પદરના બાર તેર હજાર રૂપિયા ખરચી આ ધર્મશાળા પૂરી કરાવી આપી. ત્યારથી મહાવીર ભિક્ષુએ ત્યાં જ રહેવા માંડ્યું. યોગસૂત્રો હું કાશીમાં હતા ત્યારે જ ભર્યો હતો. બૌદ્ધ વાલ્મયમાં એવું યોગશાસ્ત્રને લગતું કેઈ પુસ્તક છે કે નહિ એ જાણવા મને તીવ્ર ઈચ્છા હતી. વિદ્યોદય વિદ્યાલયના પ્રિયત્ન ભિક્ષુએ વિશુદિમાગની એક પ્રત આપી અને કહ્યું હતું કે આમાંગશાસ્ત્રનું સરસ વિવેચન છે. પણ તે વખતે પાલિ ભાષા સાથે મારો ઝાઝો પરિચય ન હોવાથી એ ગ્રંથ હું મુદ્દલ સમજી શક્યો નહિ. આ પછી ચાર મહિને આ ગ્રંથની બારમી ભાષામાં છાપેલી એક પ્રત મારા હાથમાં આવી. મેં આ ગ્રંથ માત્ર બરમી લિપિ શીખવાના ઉદ્દેશથી વાંચ્યું. પણ તે મને એટલે તો ગમી ગયો કે તેના શરૂઆતના કેટલાક ભાગ હું બે વાર વાંચી ગયો. અને તેમાંના ધ્યાનભાવનાદિ પ્રકાર જાતે કરી જોવા એવી મને તીવ્ર ઈચ્છા થઈ. પણ તેમાં લખ્યા મુજબનું અનુકૂળ નિવાસસ્થાન સિલોનમાં મળવું મુશ્કેલ હતું. સિલેનમાં અનેક રમણીય વિહારો છે. સૃષ્ટિસૌંદર્યની અનુપમ શેભા જોવી હોય તો તે સિલોનમાં જ; પણ આવા રમ્ય વિહારોમાં હું રહેવા ગયો હોત તો ત્યાં હિંદીઓને અનુકૂળ ખોરાક મળત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #174
--------------------------------------------------------------------------
________________ આપવીતી નહિ, તેમ પાલિ ભાષામાં બોલનાર ભિક્ષઓ સુધ્ધાં જડવા મુશ્કેલ, તેથી બોલવાચાલવાની જ મોટી મુશ્કેલી થઈ પડત. ઉપર કહેલા મહાવીર ભિક્ષને ધર્મદાસ નામે એક પંજાબી શિષ્ય બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા સિલોનમાં આવ્યો. આવતાં વેંત તે સિંહલી લોકોના ખાણાથી કંટાળી ગયો. તેણે મને મહાવીર ભિક્ષની અને કુશિનારાની ધર્મશાળાની માહિતી આપી. હું ત્યાં જાઉં તો મારી બધી સગવડ થશે એટલું જ નહિ, પણ ધ્યાનભાવનાદિને માટે મને પૂરતો વખત પણ મળશે - એમ તેનું કહેવું હતું. તેથી પહેલાં કલકત્તે જઈ ત્યાંથી કુશિનારા જવાને મેં મનસૂબો કર્યો. પણ મારા દેવની મહેરનજર હજુ મારા પર ફરી નહોતી તેથી ભારે નવે જ ઠેકાણે કેમ જવું પડ્યું, તે આ પ્રકરણમાં. કહેવાનું છે. શ્રી. સુમંગલાચાર્યને મેં મારા વિચાર જણાવ્યા. મારી વાત સાંભળી તેમને બહુ દુઃખ થયું અને નાખુશીપૂર્વક જ તેમણે મને રજા આપી. પાસે પૈસા ન રાખવા એવો મારો નિશ્ચય હતો. તે મુજબ સાથે કંઈ પણ ન લેતાં ફક્ત ત્રણ ચિવ (ભિક્ષનાં વસ્ત્રો) અને ભિક્ષાપાત્ર લઈ તા. ૨૬મી માર્ચ ૧૯૦૩ને રોજ હું નીકળ્યો. ધર્મપાલના પિતાએ મને મદ્રાસ સુધીની બીજા વર્ગની ટિકિટ કઢાવી આપી. બીજા એક મિત્રે રસ્તામાં માતા માટે બિસ્કૂટ વગેરે ચીજ આપી. મદ્રાસના એમૅર સ્ટેશનથી શ્રી. સિંગાવેલૂના ઘર સુધી હું ચાલતો ગયો. થોડું થોડું અંગ્રેજી સમજતો થયો હોવાથી સિંગારવેલૂનું કહેવું સમજવામાં મને બહુ અડચણ ન પડી. તેમણે મને જમાડો તો ખરો, પણ કલકત્તાની ટિકિટ આપવાની ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ 167 મદ્રાસ અને બ્રહ્મદેશ સાફ ના કહી. તેમણે કહ્યું: “અહીંની સભા તદ્દન મુફલિસ છે તે તમને મદદ કરી શકશે નહિ.” માત્ર સિલોનથી પૈસા આવે ત્યાં સુધી મને પિતાને ત્યાં રહેવા દેવાની તેમણે હા કહી. પણ બીજે કે ત્રીજે દિવસે તેમને આ વિચાર પણ બદલાયા અને મદ્રાસમાં એક નવી સંસ્થા ઉઘાડી મને ત્યાં જ રાખવાની નવી જ કલ્પના તેમણે કાઢી. મેં તે સિલોનના અનેક મિત્રોને કલકત્તે જવાની ખરચી સારુ કાગળ લખ્યા, પણ કોઈન તરફથી કાગળને જવાબ સરખો ન મળે. અગર તે જવાબ આવ્યો તેમના તરફથી પણ પિસા સંબંધી કશી જ મદદ ન મળી. હવે સિંગારવેલૂની વાત કબૂલ કર્યા સિવાય છૂટકે રહ્યો નહિ. તે વખતે તેના ઘરની પડખે જ એક કાનડી બ્રાહ્મણનું ઘર ખાલી હતું. ત્યાં તેણે મારા રહેવાની વ્યવસ્થા કરી. જમવાનું તો તેમને જ ઘેર થતું. પણ આ મદ્રાસી ખોરાકથી મારી તબિયત સિલોનના કરતાં પણ વધુ બગડી. મારા શરીરમાંથી શક્તિ દિવસે દિવસે * ઘટવા માંડી. છતાં મેં અહીં મહેનત કરીને અંગ્રેજીનો અભ્યાસ ચલાવ્યો. કોઈ શીખવનાર નહોતું, મેં જાતે જ શબ્દકોશની મદદથી પ્રયત્ન ચાલુ રાખે. મદ્રાસમાં તે વખતે “મદ્રાસ મહાબોધિ સભા” નામની એક બૌદ્ધ સંસ્થા હતી. પ્રો. લક્ષ્મીનારસુ નાયડુ તેના પ્રમુખ અને સિંગારવેલૂ મંત્રી હતા. વૈશાખી પૂનમને દિવસે બુદ્ધને બુદ્ધપદ પ્રાપ્ત થયું, તેથી તે દિવસે ઊજવવા ઉપરાંત બીજું કંઈ પણ કામ આ સભા કરતી નહિ. આ ઉત્સવને ખરચ બ્રહ્મદેશના પ્રસિદ્ધ વેપારી માંગ આપતા. મદ્રાસમાં પારિયા (અસ્પૃશ્ય) જાતના અનેક લોકોએ બૌદ્ધધર્મ સ્વીકાર્યો હતો. તેમના આગેવાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ આપવીતી 168 પંડિત અધિદાસ હતા. પણ મહાબોધિ સભાના સભાસદોને અને પંડિત અાધિદાસને બનતું નહિ. હું મદ્રાસ આવ્યા પછી દેઢ બે મહિને આ બધા બૌદ્ધો વચ્ચે સમાધાની થઈ અને તેમણે રાયપેઠમાં એક નાનકડું ઘર ભાડે લઈ તેને બૌદ્ધાશ્રમ” નામ આપ્યું અને મને ત્યાં ગોઠવ્યો. ત્યારથી દર રવિવારે સાંજે બુદ્ધધર્મ ઉપર પ્રવચન કે ભાષણે થતાં. ખાસ કરીને પાલિ ભાષાનું એકાદ સૂત્ર વાંચી તેનો અર્થ હું મારા ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં સમજાવતો, અને સિંગારજૂ તેના ઉપર તામિલમાં પ્રવચન કરતા. પ્રો. લક્ષ્મીનરસુ પણ કોઈ વાર ભાષણ આપતા અને વચ્ચે વચ્ચે બહારના કેઈ વક્તાને નોતરવામાં આવતા. આ કાઈ પણ બુદ્ધ ધર્મોપદેશકને આનંદ થાય એવી રીતે આ સંસ્થાનું કામ ચાલવા લાગ્યું. દર રવિવારે અનેક હિન્દુ તેમ જ ખ્રિસ્તી લો અમારાં પ્રવચન અને વ્યાખ્યાને સાંભળવા * આવતા. એટલું જ નહિ પણ કર્મઠ મદ્રાસી બ્રાહ્મણોની પણ અમારી સંસ્થાને સહાનુભૂતિ મળવા લાગી. છતાં મારું મન આ બધામાં બિલકુલ રમતું નહિ. તે તે અરણ્યવાસ તરફ જ દેવ્યાં કરતું. અધૂરામાં પૂરું મદ્રાસી ખોરાકથી ભારી તબિયત હવે છેક જ લથડી, અને બૌદ્ધાશ્રમમાં જમીન ઉપર સૂવાથી મારે સંધિવા પણ વધી ગયો. એક વાર સભાસદેએ મારે સારુ એક ખાટલે લઈ આપવાને વિચાર કરે પણ તે અમલમાં ન આવ્યો. ભેજ હોય તે પણ બેઠકમાંની શેતરંજી પાથરીને હું સૂતો. આ સ્થિતિમાં અંતે હું મદ્રાસથી કંટાળે. સિંગારલૂનો સ્વભાવ પણ મૂળથી જ વિચિત્ર. સાહેબસવારી ચિડાય ત્યારે પછી પોતે શું બોલે છે એનું પણ પૂરું ભાન ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ મદ્રાસ અને બ્રહાદેશ 119 રહે. એક વખત કંઈ વાત ઉપરથી વાત નીકળતાં ભાઈસાહેબ ભિક્ષુઓ ઉપર ઊતરી પડ્યા.. ભિક્ષુ માત્ર નકામા, નર્યા ઈજિપ્તનાં મમી, (ઈજિપ્તમાં મસાલો ભરીને રાખી મૂકેલ મડાંઓને “મમી' કહે છે.) એવું કંઈ કંઈ બોલ્યા. હું પણ તેણે મને કેદીની માફક રાખ્યાને સારુ તેની સાથે વઢી પડ્યો. આ બેલાચાલીને લીધે અમારી મૈત્રી તો ન તૂટી, પણ મેં મદ્રાસ છોડવાનો નિશ્ચય કરી નાખે. . - મદ્રાસી લોકો તરફથી બીજે જવા સારુ મદદ મળવી મુશ્કેલ હતી. કારણ સિંગારલૂ આડા આવે. તેથી બીજે કંઈ ને કંઈ ઉપાય શોધવો જરૂરનો હતો. મદ્રાસમાં કેટલાક બરમાં વિદ્યાર્થીઓ રહેતા હતા. તેઓ એક બે વખત મને મળવા આવેલા. તેમનું કહેવું એમ હતું કે, “બીજા કોઈ ભિક્ષુઓ નહિ એવી સ્થિતિમાં હું એકલો મદ્રાસમાં રહું એ બરાબર નથી. બ્રહ્મદેશમાં અસંખ્ય વિહારો છે. ત્યાં જવાથી મારા અભ્યાસને પણ મદદ થશે.” આ વિદ્યાર્થીઓ અને કલકત્તા જવામાં મદદ નહિ કરે એવી મને ખાતરી હતી. પણ બ્રહ્મદેશ જવા સારુ મદદ કરે ખરા એમ લાગ્યું; આથી પંડિત અધિદાસના છોકરાને મોકલી આ બાબત તપાસ કરાવી. તેમણે ફાળે કરી આગબોટનું ભાડું કરી આપવા વચન આપ્યું. એટલે તરત જ મેં બ્રહ્મદેશ જવાની તૈયારી કરી. . મદ્રાસમાં એકાદ દેશનિકાલ થયેલા કેદીની માફક મારા દિવસો ગયા. દુઃખમાં સુખ એટલું જ કે પ્રો. લક્ષ્મીનરસુના સહવાસથી મને કંઈક લાભ થયો છે. નરસુ દર શુક્રવારે સાંજે પાંચ વાગ્યે બૌદ્ધાશ્રમમાં આવતા અને મને વાંચવા આપવા સારુ ડાં પુસ્તકો સાથે લાવતા. તુલનાત્મક અભ્યાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ 170 આપવીતી કેમ કરે તે હું પહેલી જ વાર તેમની પાસેથી શીખ્યો. દ વગેરે પુસ્તકે તેમણે મને પોતાની કોલેજના પુસ્તકાલયમાંથી વાંચવા લાવી આપ્યાં. અને વાતચીત દ્વારા પિતાના વાંચનને મને સારો લાભ આપે. આ ઉપરાંત તેમનું વર્તન બહુ સરસ, પોતાને કોઈ પણ જાતનું વ્યસન નહિ અને તદ્દન નિખાલસ દિલને માણસ. ચાવવાના એક દેખાડવાના જુદા, એવા વર્તન પ્રત્યે તેમને ભારે તિરસ્કાર હતો. અગ્રેસર મદ્રાસી સુધારકામાં તેઓ ગણાતા. આવા ગૃહસ્થ પ્રત્યે હરકોઈને માન ઉપજે. મારા સિલોનના મિત્રોએ મને પૈસાની મદદ મુદ્દલ ન કરી એ અગાઉ કહ્યું છે. પણ પ્રેમાનંદ સ્થવિરે મારાં તમામ પુસ્તક પાર્સલ કરી મને મદ્રાસ મોકલી આપ્યાં. ફક્ત આ પુસ્તક જ મદ્રાસમાં ભારાં ખાસ મિત્ર હતાં તેથી મદ્રાસમાં અને તેને ઠીક ઉપયોગ થયો. પણ બ્રહ્મદેશ જતી વખતે તે ક્યાં સાચવવાં એ સવાલ થઈ પડ્યો. સાથે લઈ જવાં મુશ્કેલ હતાં, તથાપિ મેં તે સાથે લઈ જવાનું ઠરાવ્યું. * કબર (1903) મહિનાની અધવચમાં (૧૨મી તારીખ હશે) હું બ્રહ્મદેશ જવા ઊપડ્યો. પંડિત અધિદાસ વગેરે મને બંદરે વળાવવા આવ્યા. તેમના ઓળખીતા કઈ મદ્રાસી ગૃહસ્થ એ જ આગબેટમાં જતા હતા. પંડિત અધિદાસે તેમની જોડે મારી ઓળખાણ કરાવી દીધી, અને તે મને સંભાળીને લઈ જશે એમ કહ્યું. અમારી આગબોટ બપોરે બે વાગ્યાને સુમારે ઊપડી. બેટમાં બ્રહ્મદેશ જનારા મજૂરોની એટલી તો ભીડ હતી કે ત્રીજા વર્ગમાં એક તસુ પણ જગ્યા ખાલી નહતી. હવા મળવી પણ મુશ્કેલ હતી. મદ્રાસી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ મદ્રાસ અને બ્રહ્મદેશ 17 મજૂરો તો ખાસ આનંદથી ગાતા હતા અને એકબીજાની ઠઠ્ઠામશ્કરી કરતા હતા. પણ આગબોટ ઊપડવાને એકાદ કલાક થયો હશે એટલામાં તે મારી સાથે આવેલા મદ્રાસી ગૃહસ્થને ઊલટી થવા માંડી ને બિચારાની મહાદશા થઈ પડી. તેમનું દુઃખ મારાથી જોયું જાય તેમ ન હતું. મેં આગબોટના મેનેજરને મળી અમારે બંનેને માટે ઉપરની ડેક પર બેસવાની પરવાનગી મેળવી. ત્યાં ગયા પછી પેલા ગૃહસ્થને કાંઈક આરામ જણાયો. પછીની સફરમાં અમને ઝાઝું વેઠવું ન પંડયું. ચોથે કે પાંચમે દિવસે અમે રંગૂન પહોંચ્યા. ઇરાવતીના મુખ આગળ આવતાં અમને દાગૂન (સ્વર્ણચૈત્ય) સૂપનો ચળકતે કળશ દેખાવા લાગ્યા. આ સૂપનાં વર્ણન મેં ખૂબ સાંભળ્યાં હતાં. અને તે જોવા માટે હું ઉત્સુક બન્યો હતો. પણ સૌ પહેલાં તો ઉતારાને જોગ કરવાનો હતો, તેથી બારેબાર આ ચિત્ય જોવા જવાય એમ નહોતું. બંદરે ઊતરીને પ્રથમ હું કયા વિહારમાં ગયા તે અત્યારે યાદ નથી, પણ ગેઈ વિનરેડ ઉપર આવેલ વિચિત્ર સ્થવિરના “અમ્બરુકખારામ” નામના વિહારમાં ગયેલો એમ લાગે છે. - જે દિવસે હું રંગૂન પહોંચ્યું તે જ દિવસે કે તેને બીજે દિવસે હું શ્રીમતી લાગ નામની બારમી વિદુષીને . મળવા ગયા. આ બાઈ મરહૂમ લાએંગ એકાઉન્ટન્ટ જનરલનાં પત્ની હતાં. બરમી પુરુષોમાં સૌથી પહેલા અંગ્રેજી ભણું આગળ આવનારા શ્રી. લાગ હતા. તેમાં તેમનાં પત્ની પણ અંગ્રેજી સરસ જાણવાવાળાં પહેલાં જ બારમી બાનુ હતાં. * . આ બાઈને બૌદ્ધધર્મ ઉપર ખૂબ શ્રદ્ધા હતી. અંગ્રેજી: મળી હતાં. બામ લાગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ 172 આપવીતી ભણવાથી તેની શ્રદ્ધા કલુષિત થવાને બદલે ઊલટી ઉજજવળ થઈ હતી. શ્રી. લાએંગને ધર્મજિજ્ઞાસા વિશેષ નહોતી. છતાં તેઓ પિતાની પત્નીને ધર્મના કામમાં છૂટે હાથે પૈસે વાપરતાં વારતા નહિ. શ્રીમતી લાગે એક છોકરીઓની નિશાળ કાઢી, અને તેમાં બદ્ધ છોકરીઓને સારુ ધાર્મિક શિક્ષણની પણ વ્યવસ્થા કરી હતી. ભિક્ષુઓને તે પુષ્કળ દાન આપતી. તેમાંયે પરદેશી ભિક્ષુ હોય તેને વિશેષ મદદ કરતી. આનંદમય નામને સ્કોટલેન્ડનો એક વિદ્વાને ભિક્ષુ રંગૂનમાં રહેતો હતો. તેને શ્રીમતી લાગ તરફની ઘણી મદદ હતી. બીજા ઍન્ટની ચુટે નામના એક જર્મન ગૃહસ્થ ખાસ બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા આવ્યા હતા. તેને પણ આ બાઈએ ખૂબ મદદ આપી. પાછળથી એ ગૃહસ્થ શ્રામણેર થઈ રંગૂન પાસે ચિમિડાઈને ગામ છે ત્યાં ચુડોચાઉન નામના વિહારમાં રહેતા હતા. શ્રીમતી લાગે મને પણ તે જ વિહારમાં વિદાય કર્યો. કારણ કે જર્મને શ્રામણેર જ્ઞાનત્રિલોક (પાલિ માણતિલક) તે વખતે શાકાહારી હતા તેથી મને તેમની સાથે ઠીક ફાવશે એમ તેને લાગ્યું, . ચેમાસું લગભગ પૂરું થવા આવ્યું હતું. તોય વચ્ચે વચ્ચે એકાદ ઝાપટું પડતું. આ ઋતુમાં બ્રહ્મદેશના સૃષ્ટિસૌંદર્યની શોભા અલૌકિક હોય છે. જ્યાં જુઓ ત્યાં લીલાછમ ડાંગરના ક્યારડાઓ દેખાય. એકાદ ટેકરી ઉપર ચડી આસપાસનો રમ્ય પ્રદેશ જઈને ક્યા પરદેશી માણસનું મન આનંદમાં લીન ન થાય? ઉપરાંત બરમી લોકોની બૌદ્ધધર્મ ઉપરની શ્રદ્ધા જેવી હોય તો તે આ જ દિવસોમાં. શરદ . પૂનમથી દેવદિવાળીની પૂનમ સુધી જુદે જુદે ઠેકાણે ભિક્ષુઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #181
--------------------------------------------------------------------------
________________ મદ્રાસ અને બ્રહાદેશ 173 ખંતપૂર્વક દાન દેવાય છે. જે રસ્તે થઈને ભિક્ષુઓ ભિક્ષા કરવા નીકળનાર હોય છે તે રસ્તાને ધજાપતાકાથી શણગારવામાં આવે છે અને ઠેકઠેકાણે બરમી સંગીત, વાદ્ય ઈત્યાદિના સૂર કાને પડે છે. સ્તૂપ, ચૈત્ય, બૌદ્ધ મંદિર, વિહાર વગેરે આ દિવસોમાં ઘોળાય છે, મરામત થાય છે, અને દરેક ધાર્મિક બાબતમાં એક જાતની નવીનતા નજરે પડે છે. કહેવાની જરૂર નથી કે આ બધું જોઈને મારામાં ભારે પ્રસન્નતા આવી. પરંતુ મારા આનંદને સીમા હતી. કુશિનારા જવા ન મળતાં બ્રહ્મદેશ આવવું પડયું તેની મને મુદ્દલ ખેદ નહોતો. પણ રંગૂનમાં પગ મૂક્યો ત્યારથી અનુકૂળ રાક મળવાની પંચાત પડવા લાગી. ગૃહસ્થ શું, ભિક્ષુ શું, તમામ બારમી લેકે ખાસા માંસાહારી હોય છે. અગાઉ તો બરમી રાજ્યમાં ગમાંસની મનાઈ હતી. પણ અંગ્રેજી અમલ દરમ્યાન આ પ્રતિબંધ ન રહ્યાથી ઘણાખરા લોકો ગોમાંસ પણ ખાય છે. જ્યાં જાઉં ત્યાં માંસ સિવાય બીજી કંઈ પણ વસ્તુ એટલે ભાત જ મળે. આથી ડબ્બાનું જમાવેલું દૂધ (કન્ડેસ્ડ મિલ્ક) અને ભાત ઉપર જ ભજન ચલાવવું પડતું. ચુડેચાઉન વિહારમાં મારી અને જ્ઞાનત્રિલોકની બંનેની એકસામટા બે મહિના સુધી સરખી જ દશા હતી. અમારા વિહારમાં ભિક્ષુઓને ગામમાંથી ઉપાસકજન જે અન્ન મોકલતા તેમાંથી ભાત સિવાય અમને બીજી એક પણ વસ્તુ ખાવાલાયક ન મળતી. આથી અમારે વિહારનાં ઝાડનો પાલો કાઢી, તેને ડુંગળી સાથે સીઝવી, તેને ઉકાળો અને ભાત ખાવાનો ક્રમ રાખ પડ્યો.. ની પાલે કાઢી, તે રાખી 1 સીઝવી, તેનો વાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ 174 આપવીતી ચુડેચાઉનના આચાર્ય કુમારસ્થવિરની મારા ઉપર ઠીક મહેરબાની હતી. બરમામાં શ્રામણેરની કંઈ ગણતરી નથી. નાનાં છોકરાંઓ ગ્રામર થાય અને બે ચાર દિવસમાં પાછાં ઘેર આવી રહે. વળી પાછા મનમાં આવે તો આઠ દસ દિવસમાં શ્રામણેર થાય. મારું પાલિનું જ્ઞાન જોઈ કુમારસ્થવિરને મને શ્રામણેર રહેવા દે એ ઠીક ન લાગ્યું. માંગધે નામના બરમી ગૃહસ્થને કહી તેણે મારી ઉપસંપદાની તૈયારી કરી અને મને ભિક્ષુ બનાવ્યો. ભિક્ષુ થયા પછી બે જ મહિના હું બરમામાં રહ્યો. - હવે મારા મિત્ર જ્ઞાનત્રિલોક (જર્મન શ્રામિણેર) વિષે બે શબ્દ કહી આ પ્રકરણ પૂરું કર્યું. આ ગૃહસ્થ એક ઊંચા કુળમાં જમ્યા હતા. નાની ઉંમરમાં તેનું વલણ ધર્મ તરફ વળ્યાથી એક વખત પિતે કેથલિક પાદરીના મઠમાં ભાગી ગયા હતા. પછી જુવાનીમાં ભૌતિકશાસ્ત્રના અભ્યાસથી તે તદ્દન નાસ્તિક બની ગયા. તેને સંગીતશાસ્ત્રનો ભારે શોખ હતો, અને નિશાળનું ભણતર પૂરું થયા પછી તેણે આ શાસ્ત્રમાં પ્રવીણતા મેળવી. ખાસ કરીને સારંગી (વાયોલિન) તેને બહુ જ સરસ વગાડતાં આવડતી. બરમાના પ્રવાસ દરમ્યાન તેને આ કળા ખૂબ ઉપયોગી થઈ પડી. કન્ટેટિનેપલ, પોર્ટસૈયદ, મુંબઈ વગેરે જગ્યાએ વાયોલિન બજાવી તે પર પૈસા મેળવી લે અને આગળ જાય. એક વખત મુંબઈમાં બેન્ડસ્ટેન્ડ ઉપર તેણે અરધે કલાક વાયોલિન બજાવી ત્યારે ત્યાં સાંભળવા ભેગા થયેલ ગેરાઓએ તેના ઉપર નોટો વરસાવી. અરધા કલાકમાં તેણે 40 રૂપિયા મેળવી લીધા. ઉત્તર હિન્દુસ્તાનમાં તેને કઈ સ્થળે આઠસોએક રૂપિયાના દરમાયાની નોકરી મળતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ 175 મદ્રાસ અને પ્રદેશ હતી; પણ તેનું બધું લક્ષ બૌદ્ધધર્મ તરફ લાગેલું હોવાથી તેણે તેની દરકાર ન કરી. જ્ઞાનત્રિલોકનું ચિત્ત બૌદ્ધધર્મ તરફ કેવી રીતે વળ્યું તેને ઇતિહાસ તેણે મને ન કહ્યા, પણ પેનહાર વગેરે જર્મન તત્વવેત્તાઓનાં પુસ્તક વાંચી બૌદ્ધધર્મ વિષે તેના મનમાં પ્રેમ ઉત્પન્ન થયો હોવો જોઈએ એમ લાગે છે. રંગૂન પહોંચતાં વેંત એન્ટની યુટને (જ્ઞાનત્રિલોકે) પિતાની વાયોલિન અને એક પેટી ભરીને ગીત ફેકી દીધાં, અને ચુડેચાઉનમાં શામણેર થઈને રહ્યો. તેની બુદ્ધિ સતેજ હોવાથી ફક્ત શબ્દકોશ અને વ્યાકરણની મદદથી તેણે ધીમે ધીમે પાલિ ભાષાનું જ્ઞાન મેળવી લીધું. આ કામમાં તેને મારી પણ થોડી મદદ મળી. પણ તેના પિતાના પ્રયત્ન આગળ મારી મદદ કંઈ વિસાતની નહોતી. ઘણી વાર તે મારે પક્ષ લેત. બરમી લોકે હિન્દીઓને કલા * (પરદેશી) કહે છે. મને કોઈ એમ કહેતું તો તે તપી ઊઠતો. જે બુદ્ધના તમે ઉપાસક છે તે પણ કલા હતો એમ તે કહેતા. એક દિવસ અમે બેઉ દાગૂન ચિત્યનાં દર્શને ગયા હતા ત્યાં એક બરમી ગૃહસ્થ અમને અંગ્રેજીમાં પૂછયું, “તમે અમારે ધર્મ ક્યારે સ્વીકાર્યો?' જ્ઞાનત્રિલોકે તેને પૂછ્યું, “તમારો ધર્મ એટલે? તેણે કહ્યું, “અમારે બારમી ધર્મ.” . પરદેશીઓને બરમી લોકો “કલા' કહે છે, પણ પાછળથી આ શબ્દ હિન્દીઓ માટે જ વપરાવા લાગ્યા. અંગ્રેજોને તેઓ “શેરા” કહે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #184
--------------------------------------------------------------------------
________________ 179 . આપવીતી આ ઉપરથી જ્ઞાનત્રિલેકે કહ્યું, “બૌદ્ધધર્મ બરમ નથી પણ હિન્દી છે. બુદ્ધ હિન્દુસ્તાનમાં જમ્યા એટલું જ નહિ, પણ તેના ધર્મને પ્રચાર હિન્દુસ્તાનમાં હિન્દી લોકેએ જ કર્યો છે. બધું પ્રાચીન પાલિ સાહિત્ય હિન્દીઓએ જ તૈયાર કર્યું છે. આમ હોવાથી તમે બૌદ્ધધર્મને બરમી ધર્મ કહો છો તે તમારી ભારે ભૂલ છે.' સાધારણ રીતે બરમી લોકોમાં ઈતિહાસનું એટલું તે અજ્ઞાન છે કે બૌદ્ધધર્મની ઉત્પત્તિનું પણ તેમને ભાન નથી હેતું. આવા લોકોની સાથે વાદમાં ન ઊતરવા હું જ્ઞાનત્રિલોકને વારંવાર કહેતો, પણ તેનો સ્વભાવ જાય નહિ. બરમી લેકેના પાલિ ઉચ્ચારોની પણ તે ખૂબ મશ્કરી કરતો. મારી ઉપસંપદાની પહેલાં (જ્યારે હું થામણેર હતો ત્યારે) એક દિવસ અમારે વિહારના એક ભિક્ષુ પાસેથી દશ શિક્ષાપદ ગ્રહણ કરવાનાં હતાં. તેના પાલિ ઉચ્ચારની જ્ઞાનત્રિલોકને ખબર હતી, તેથી તે અગાઉથી જ હસવા લાગ્યો. આથી મેં કહ્યું, “જુઓ, તમે તે ભિક્ષના ઉચ્ચાર સાંભળી તેની સામે હસશો તો તેને બહુ જ માઠું લાગશે અને તેથી આપણા વિહારના મુખ્ય સ્થવિર પણ કદાચ ગુસ્સે થાય.” જ્ઞાનત્રિલોકે ના હસવાની કબૂલાત આપી અને અમે બને પેલા ભિક્ષુ આગળ ગયા. રિવાજ પ્રમાણે નમસ્કાર વગેરે વિધિ થયા બાદ તેણે શરણગમન કહેવાની શરૂઆત કરી. યુદ્ધ સરળ છામિ” ધર્મ સરળ નિ” “સંધ પર છામિ - આને શરણગમન કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ મદ્રાસ અને બ્રહમદેશ ' 177 ભિક્ષએ વાંકુંચૂકું મોં કરી ખૂબ મેરેથી પહેલું વાક્ય “બુઢયમ ધ્યેયણમ ગિસામિ” એમ ઉચાર્યું. પછી તે ક્યાં જઈશ ! જ્ઞાનત્રિલોકે તે પોતે આ શબ્દોની અનુવૃત્તિ કરવાને બદલે હસી હસીને પેટ દુઃખવા આપ્યું. બિચારે ભિક્ષ ખૂબ શરમિંદ થઈ ગયે. થોડી વાર પછી જેમ તેમ ભિક્ષુના મુખમાંથી નીકળેલ દશ શિક્ષાપ લઈ અમે અમારી એારડીએ આવ્યા અને ફરી શિક્ષાપદો લેવાની ભાંજગડમાં પડ્યા જ નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust આ 12
Page #186
--------------------------------------------------------------------------
________________ 14 ક્ષેત્રોની યાત્રા રાકની હાડમારીને કારણે મારી તબિયતને ભારે ધકકો પહોંચ્યા. અતિસારનો રોગ વારંવાર લાગુ પડવા લાગે; તેથી બ્રહ્મદેશ છોડી વળી કુશિના જવાનો પ્રયત્ન કરી જેવો એ વિચાર આવવા લાગ્યા. જ્ઞાનત્રિલોકને મારો વિચાર પસંદ હતો. પણ કુમારસ્થવિરને તે મુદ્દલ રૂએ નહિ. પાંચ વર્ષ સુધી ગુરુ પાસે રહ્યા સિવાય ભિક્ષુને બીજી જગ્યાએ જવાને નિષેધ છે, એવી માન્યતા પ્રચલિત થઈ પડી છે. મૂળ ત્રિપિટક ગ્રંથમાં આને આધાર નથી. શિષ્ય પાંચ વર્ષ ગુરુના વિહારમાં રહી અધ્યયન પૂરું કરે તે પછી બીજે જતા, એવા ઉલ્લેખ ટીકાકારે અનેક સ્થળે કર્યા છે. છતાં એને પણ ઘણા અપવાદો છે. મુદ્દાને વિષય અધ્યયન છે. અને મારે વિનય વગેરે ગ્રંથને અભ્યાસ ઠીક થઈ ગયો હોવાથી, ચિત્તને સ્વાસ્થ રહે એ સ્થળે જઈ રહેવામાં આચાર્યની અડચણ ન જ હોય, એમ - મારું કહેવું હતું. પણ બ્રહ્મદેશમાંના ઘણાખરા સ્થવિરે રાત્રીઢિલ્ટીયરી એ ન્યાયના પૂજારી હોવાથી અને અમારા ગુરુ તેમાં અપવાદરૂ૫ ન હોવાથી, તેમણે મને ખુલ્લા દિલથી કુશિનારા જવાની રજા ન આપી. “તારે જવું હોય તો જા.' એમ તેમણે કહ્યું. પણ તેમની મદદ વગર બરમી ગૃહસ્થો પાસેથી મને આગબોટનું ભાડું મળવું તદ્દન અશક્ય હતું. મને સંઘમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેની યાત્રા દાખલ કરવાની વિધિ થયે તે વખતે માલમીનના પ્રસિદ્ધ બરમી વેપારી માંગ હોએ ખૂબ પૈસે ખરચ્યો હતો, પણ આ વખતે કુમારસ્થવિરની મંજૂરી વગર એક રાતી પાઈ પણ તે નહિ ખરચે એવી મને ખાતરી હતી. આથી ટિકિટના પૈસાને સારુ હું તેમની પાસે ન ગયો. ચિત્તગાંવના કેટલાક બૌદ્ધ વેપારી રંગૂનમાં રહેતા હતા. આ લોકોના બધા આચારવિચાર બંગાળી લોકોના જેવા હતા. માત્ર ધર્મો જ તેઓ બૌદ્ધ હતા. તેમની જોડે મારે સાધારણ ઓળખાણ હતી. એક દિવસ તેમની પાસે જઈ મેં તેમને મારો કુશિનારા જવાનો વિચાર જણાવ્યા અને તેમણે ખુશીપૂર્વક આગબોટનું ત્રીજા વર્ગનું ભાડું આપવા કબૂલ કર્યું. - ત્યાર પછી થોડે જ દિવસે મારાં પુસ્તકો વગેરે સામાન સાથે લઈ હું રંગૂનથી કલકત્તે આવ્યા. કયે દિવસે કલકત્ત પહોંચ્યો તે અત્યારે યાદ નથી. પણ ૧૯૦૪ના જાન્યુઆરીની . શરૂઆત હશે. તે વખતે ધર્મપાલ જાપાન, અમેરિકા વગેરે દેશોના પ્રવાસે નીકળ્યા હતા. અને તેમની ગેરહાજરીમાં મહાબોધિ સભાનું કામ અનવરત્ન નામના એક સિંહલી યુવકને હિસ્તક હતું. આ ગૃહસ્થ બહુ અવ્યવસ્થિત હતા એવા ખબર મને પાછળથી મળ્યા. પણ આ વખતે તેના સ્વભાવનું પારખું થવાનું સાધન નહોતું. સભાગૃહમાં ઊતર્યો. પણ જમવાખાવાની અગવડ તે જ દિવસથી જણાવા લાગી. અનવરને મારી કશીયે સગવડ કરી નહિ. મને પણ આ વખતે અગાઉની પેઠે “મારું શું થશે એવી મુદ્દલ પરવા નહોતી. હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીનું જરૂરનું જ્ઞાન થઈ ગયું હેવાથી, ઉત્તર હિન્દુસ્તાનમાં કોઈ પણ જગ્યાએ મુસાફરી કરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ 180 આપવીતી મારી તૈયારી હતી. એને ભિક્ષા ઉપર નિર્વાહ કરવાની પણ મારી તેટલી જ તૈયારી હોવાથી રસ્તે ઉદરપૂતિ કરવામાં પણ કશી જ અડચણ નહિ આવે, એવી મને ખાતરી હતી. કદાચ એવો વખત આવ્યો જ તો તે પણ સહન કરી લેવા હું તૈયાર હતો. આથી કલકત્તાના શ્રીમંત કે પાસે યાચના કરવાની તરખડમાં ન પડતાં, બીજે કે ત્રીજે જ દિવસે કલકત્તા છોડી પગરસ્તે જ મુંબઈ સુધી મુસાફરી કરવાનું મેં ઠરાવ્યું. રસ્તે કોઈ ટિકિટ કઢાવી આપે તો આગગાડીમાં જવું, નહિ તે પગે ચાલવું એવો વિચાર હતો. અમુક જ દિવસે અમુક ઠેકાણે પહોંચી જવું એવો તો કંઈ નિશ્ચય હતે જ નહિ. દેશાટન કરતાં દેશદેશના લોકોના રીતરિવાજ વગેરે જાણવા મળે અને હિન્દુસ્તાનના જુદા જુદા પ્રાંતનું જ્ઞાન મળે એ જ ઉદ્દેશ હતો. - કલકત્તે આવ્યાને બીજે જ દિવસે એક ઝોળી તથા એક . સખલાદ (૫)નું મેટું ચીવર (વસ્ત્ર) મેં હાથે સીવી તૈયાર કર્યું. મારાં બધાં પુસ્તક અનવરત્નને સેંયાં. આમાં મારી મેં ગાવા છેડ્યું ત્યારથી લખેલી નોંધપોથી પણ હતી. મારે હાથે કાગળમાં બરાબર બાંધી સીલ કરીને મેં તે અનવરત્નને સંપી અને બરાબર સાચવી મૂકવા વળી વળીને ભલામણ કરી. પણ હું આ પુસ્તકના આરંભમાં કહી ગયા તેમ તેની બેદરકારીથી આ નોંધપોથી ખવાઈ ગઈ! બાકીનાં પુસ્તકમાંથી ઘણાંખરાં ૧૯૦૭માં ધર્મપાલ તરફથી મને પાછાં મળેલાં. આ બધી તૈયારી પછી એક બે દિવસમાં જ એક દિવસે સવારે સૂર્યોદય પહેલાં મેં કલકત્તા છોડયું અને રસ્તો પૂછતો પૂછતો હાવરા સ્ટેશન પહોંચ્યો. ત્યાંથી બંગાળ નાગપુર રેલવેને રસ્તે મેં ધીમે ધીમે ચાલવા માંડયું. તે દિવસ મેં મારી ઝોળીમાં ભરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ બદ્ધક્ષેત્રની યાત્રા 181 લીધેલાં કેળાં અને પાંઉ ઉપર કાઢો; રાત ક્યાં ગાળી એ અત્યારે યાદ નથી. બીજે દિવસે સવારે દુલ સ્ટેશન આગળ પહોંચ્યો. કેળીમાં કાંઈ બાકી ન હોવાથી પ્રથમ જમવાની કંઈક સગવડ શોધવાનો વિચાર કરી હું ગામમાં ગયો. ગામમાં શીતલપ્રસાદ નામના એક ઉદાર વકીલ રહે છે એમ કાઈને મેઢે મેં સાંભળ્યું હતું. ઘણું કરીને આંદુલના સ્ટેશનમાસ્તરે જ મને કહેલું. સવારે આઠને સુમારે હું ગામમાં ગયો. શીતલપ્રસાદ પિતાની ઓશરીમાં અસીલો સાથે વાતો કરી રહ્યા હતા. “કેમ આવ્યા છો?” એમ તેમણે મને હિન્દીમાં પૂછયું. મેં જવાબ આપ્યો, “જમવા સારુ.' તેમને આ મશ્કરી લાગી હશે. કંઈ પૈસાની મદદ જોઈએ છે કે કેમ, વગેરે સવાલો તેમણે પૂછળ્યા, પણ “મને બીજું કંઈ જ નહિ, ફક્ત એક ટંકનું ભોજન જ જોઈએ છે, અને તે મારો નિયમ પ્રમાણે બાર વાગ્યા પહેલાં મળે તો જ,' એમ ચેખું કહ્યું. તેમણે ઘણું જ ખુશીથી મને ભેજન કરાવવા હા પાડી અને કહ્યું, “એટલું જ જોઈતું હોય તો અહીંથી હવે બીજે ક્યાંય જવાની બિલકુલ જરૂર નથી. અહીં નિરાંતે " બેસે. બાર વાગ્યાની અંદર તમને મારા ગરીબ ઘરમાં મળશે તે ભોજન હું આપને કરાવીશ.' તેના કહેવા પ્રમાણે ગામમાં બીજે ઘેર ન જતાં હું ત્યાં જ બેઠે. અગિયારેક વાગ્યે જજમાને મને નોકરની સાથે નવા બાંધેલા તળાવ ઉપર નાહવા મોકલ્યો. અને તેમાંથી પરવારતાં તેમણે મારા જમવાની ગોઠવણ પડે કરી. બંગાળી રીત પ્રમાણે અનેક શાકભાજી વગેરે વસ્તુઓ હતી. જમી લીધા પછી તેમણે કંઈ દ્રવ્ય લેશે ?' એમ મને ફરી વાર પૂછયું. પણ દ્રવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ આપવીતી પાસે ન રાખવું એવો મારો સંકલ્પ હતો તે જણાવી અને મને જમાડ્યા માટે તેમને ઉપકાર માની મેં આંદુલ સ્ટેશનને રસ્તો પકડયો. આંદુલના સ્ટેશનમાસ્તર તેમ જ તેમના મદદનીશ બંને ખ્રિસ્તી હતા. પણ તેઓ મારી સાથે ખૂબ ઉદારતાથી વર્યા. તે દિવસે સવારે આસિસ્ટેટ સ્ટેશનમાસ્તર સાથે મારે વાત . થઈ હતી, ત્યારે મેં તેને પૂછેલું કે, “કઈ ગાડીના ગાર્ડન ડબામાં બેસી મારાથી મિદનાપુર જઈ શકાય ખરું?” તેણે કહ્યું, “તમે પેસેન્જર ટ્રેનમાં જશે તો મિદનાપૂરને સ્ટેશને તમને કઈ નહિ પૂછે. સાધુસંન્યાસી છે એમ જાણી જવા દેશે. ઉપરાંત મારા કોઈ ઓળખીતા ગાર્ડને તમારે માટે કહી મૂકીશ.' પણ આમ ટિકિટ વગર મુસાફરી કરવી એ મને યોગ્ય ન લાગ્યું. મેં તેને કહ્યું, “ગાર્ડ મને જે તેના ડબ્બામાં બેસાડીને લઈ જાય તે જ હું જાઉં, વગર ટિકિટ પેસેન્જર ટ્રેનમાં તે હું ન જાઉં.' અંતે તેણે સ્ટેશનમાસ્તરને વાત કરી. તેણે પણ મારી તરફ સારી પેઠે સહાનુભૂતિ બતાવી. પણ પેસેન્જર ટ્રેનના ગાર્ડ પોતાના ખાનામાં નહિ લઈ જાય એમ કહ્યું. તે જ દિવસે બપોરે એક માલગાડી આંદુલ સ્ટેશનથી મિદનાપુર જનાર હતી. તેના ગાર્ડની સાથે સ્ટેશનમાસ્તરને સારી ઓળખાણ હતી. માલગાડીમાં જવા હું તૈયાર છું એમ જોઈ ગાર્ડ મને મિદનાપુર સુધી ખુશીથી લઈ જશે એમ તેણે મને કહ્યું. મને પણ આ વાત ગમી. અને હું તે ગાડીમાં મિદનાપુર આવ્યો. તે ગાડીને ગાર્ડ પણ ખ્રિસ્તી જ જણાય. તે મારી સાથે અત્યંત સ્નેહભાવથી વર્યો. પિતાની બેઠક તેણે મને આપી અને પંડે બધે રસ્તો ઊભો રહ્યો. છેતેણે મને કહ્યું છે તે ગાડીને ગઈ . પોતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેત્રની યાત્રા 183 મિદનાપુર પહોંચ્યા પછી સ્ટેશન ઉપર રહેતા બે ત્રણ દક્ષિણી રેલવે કારકુનેને હું મળ્યો. પણ તેમની પાસેથી આગળ મુસાફરી કરવામાં કશી મદદ મળે એમ ન લાગવાથી સ્ટેશન છોડી મિદનાપુર શહેર તરફ મેં ધીમે ધીમે ચાલવા માંડયું. શહેર નજીક પહોંચે ત્યાં મેં રસ્તાની ડાબી બાજુએ એક ગાડી ઊભેલી જોઈ ત્યાં બે ત્રણ બંગાળી ગૃહસ્થ ઊભા હતા. તેમને “શહેરમાં જવાનો રસ્તો આ જ કે ?' એમ મેં હિન્દીમાં પૂછયું. તેમણે હા કહી એટલે હું આગળ ચાલવા લાગ્યા. તેવામાં તેમનામાંને એક ગૃહસ્થ ઉતાવળ ઉતાવળો મારી પાછળ આવ્યું અને મને પૂછવા લાગ્યા, “તમને સંસ્કૃતમાં વાત કરતાં આવડે છે?” મેં કહ્યું, “હા, સંસ્કૃતમાં હું સારી રીતે બોલી શકું છું. અંગ્રેજી પણ જાણું છું. તે કહે, “પેલી ગાડી ઊભી છે તે અમારા રાજાસાહેબની છે. તેમણે સંસ્કૃતમાં એક ગ્રંથ પણ લખ્યો છે.” મેં કહ્યું, “તમારા રાજાસાહેબ જેડે મારે કશું પ્રયોજન નથી, તો પણ તેમની મરજી હોય તે સંસ્કૃતમાં બોલવા મને હરકત નથી.” એટલામાં રાજાસાહેબ ત્યાં આવ્યા. તેઓ બ્રાહ્મણ હતા અને તેમનું નામ કૃષ્ણપ્રસાદ કે એવું જ કંઈ હતું. મિદનાપુર જિલ્લામાં તેમની મોટી જમીનદારી હતી અને તળ મિદનાપુર શહેરમાં એક મોટું ઘર (જેને બંગાળીઓ કચેરી કહે છે) હતું. થોડી વાર સંસ્કૃતમાં વાત થયા પછી રાજાએ મને પિતાની ગાડીમાં કચેરીએ આવવા કહ્યું. પણ “મને પગે ચાલતો જ જવા દો” એમ મેં કહ્યું. તેણે વધુ આગ્રહ ન કર્યો. પોતાની સાથેના એક ગૃહસ્થને મારી સાથે રાખી તેઓ ગયા. રાત પડયા પછી હું રાજાસાહેબની કચેરીમાં જઈ પહોંચે. બીજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ 184 આપવીતી દિવસે તેઓ ગામ જવાના હોવાથી તેમને તે જ રાત્રે ઘણાં કામ આટોપવાનાં હતાં. હું તેમને ન મળતાં નજીકના એકઢાળિયામાં મારું ચીવર પાથરી તેનો બીજે છેડે એઢી નિરાંતે ઊંઘી ગયે. મુસાફરીના થાકને લીધે હું ઘસઘસાટ ઊંધવા લાગ્યા. અગિયાર વાગ્યા સુમારે ઘેષ નામના એક વકીલે મારી પાસે આવી મને જગાડ્યો. રાત્રે ભોજન કરવા સારુ રાજાસાહેબે મને ખૂબ આગ્રહ કર્યો. પણ બપોરે બાર વાગ્યા પછી હું જમતો નથી” એમ કહી તેમના મનનું સમાધાન કર્યું. બીજે દિવસે પિતાની જે ગામ આવવાનો તેમણે મને ખૂબ આગ્રહ કર્યો. પણ મારા પ્રવાસનો ક્રમ મેં અગાઉથી નકકી કર્યો હોવાથી તેમની વિનંતીને હું માન આપી શક્યો નહિ. પિતાનાં માણસોને કહી મને નાગપુરની ટિકિટ કઢાવી આપવાની વ્યવસ્થા કરી તેઓ પિતાને ગામ ગયા. બીજે દિવસે હું ' શેષ વકીલને ઘેર જા અને રાજાસાહેબના ઓળખીતા ગૃહસ્થ સાથે સ્ટેશને આવ્યો. રાજાસાહેબ અને તેમના મિત્રાએ કરેલ રકમમાંથી મારી ટિકિટ લેવામાં આવી, અને વધ્યા ' તે પૈસામાંથી પેલા ગૃહસ્થ મને રસ્તામાં ખાવા સારુ ભાતું બંધાવ્યું. બીજે દિવસે બપોરે નાગપુર પહોંચ્યો. વાટમાં ભાતું ખાઈ લીધું હતું તેથી જમવાની ફિકર નહોતી. પરંતુ રહેવું કક્યાં અને આવતી કાલનું શું, એ સવાલ હતો જ. એમ ને એમ સ્ટેશનથી શહેરમાં આવ્યો. શહેરમાં પ્લેગનો કેર વર્તી રહ્યો હતો. લેકે ઘરબાર છોડી બહાર રહેવા ચાલ્યા ગયા હતા અને ઊતરવાનું સ્થાન મળવું મુશ્કેલ હતું. બે ચાર વાણિયા કે એવા જ કેઈ મળ્યા તે અંદર અંદર કહેવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ બોદ્ધક્ષેત્રેની યાત્રા કાઈ આર્યસમાજી લાગે છે! અહીં એને ભળતા ગૃહસ્થનું ઘર કેવું? આપે તે કદાચ માધવરાવ પાથે આમને આશરો આપે.” અંતે તેમાંનો એક જણ મારી તરફ વળીને કહે, તમે માધવરાવ વકીલ શહેર બહાર રહે છે તેમને ત્યાં જાઓ. તે તમારી બધી વ્યવસ્થા કરશે.” પાળે વકીલની તપાસ કરતો કરતો લગભગ સાંજે છ વાગ્યે તેમના તંબૂ પર પહોંચ્યા. તેઓ કોઈ કેસ ચલાવવા સારુ બહારગામ ગયા ? હતા અને રાતની ગાડીએ પાછા આવનાર હતા. મને તેમના નાના ભાઈએ, “તેમનું તમારે શું કામ છે?” વગેરે અનેક સવાલો પૂછયા. પણ તેના સવિસ્તર જવાબ આપવાની ભાંજગડમાં ન પડતાં મેં ટૂંકમાં જ જણાવ્યું, “મારે કશું ખાસ કામ નથી. માત્ર એક દિવસ અહીં રહેવાનું મળે અને માધવરાવને મળાય એથી વિશેષ મારે કશો હેતુ નથી.” રાત્રે તેમણે મને જમવા વિષે પૂછ્યું. પણ “હું રાત્રે જમતો નથી, એમ કહી તેમના તંબૂમાં ચીવરની પથારી ઉપર હું નિરાંતે સૂઈ ગયો. શ્રી. પાણે વકીલ રાતની ગાડીએ જ આવ્યા. આવ્યા કે તરત તેમને મારા ખબર મળ્યા હશે. પણ તેમણે મને જગાડ્યો નહિ. બીજે દિવસે તે જરા મેડા ઊડ્યા એટલે તે પછી મારી અને તેમની મુલાકાત થઈ. મેં કશે પડદે ન રાખતાં “હું બૌદ્ધ છું” વગેરે હકીકત તેમને જણાવી. તેઓ સુધારાના હિમાયતી હોવાથી મારાં ધમાંતરનું તેમને કશું ખાસ ખોટું ન લાગ્યું. તેમણે કહ્યું, “બુદ્ધ પણું આખરે હતા તો અમારા પ્રાચીન મહર્ષિઓમાંના જ એક, તેના મતને અનુસરવાથી માણસ વટલાઈ જાય છે એમ હું બિલકુલ માનતો નથી. શ્રી.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ 18. આપવીતી એકાકુરા નામના એક જાપાની બૌદ્ધ અહીં આવ્યા હતા. તે . ભારે જ ઘેર રહ્યા હતા. હવે તમે નકામાં ઇધરતિધર ન ભટકતાં. અહીં જ નિરાંતે રહે અને જે કંઈ ધર્મચિંતન કરવું હોય તે અહીં રહ્યાં કરો.' - થોડા દિવસ નાગપુરમાં રહેવું મને ઠીક લાગ્યું. શ્રી. પાળેએ મારે માટે એક નાનો તંબૂ ઇલાયદો તણાવી આપ્યો. નીચે ઘાસની પથારી કરી તે ઉપર હું સૂતો. શ્રી. પાયેના તંબૂ આગળ બીજા પણ બે ચાર ડેરા હતા. તે બધાંને ત્યાંથી મને થોડી થોડી ભિક્ષા મળતી. શ્રી. પાળેએ એક માટીનું છીછરું રામપાત્ર મને આણી આપ્યું હતું તેમાં હું જમતા. અને નાહવા સારુ તેમ જ પાણું ભરી રાખવા સારુ એક બીજો માટીને ઘડે હતો અને હાથ ધોવા માટે એક કીબ હતી. ટૂંકમાં : मृत्पात्रमात्रविभवश्चोरासंभोगचीवरः / निर्भयो विहरिष्यामि कदा कायमगोपयन् // * આ શાંતિદેવાચાર્યની અભળખાનો એ થોડા દિવસ મેં ઠીક અનુભવ લીધે. . શ્રી. પાબેના તેમ જ બીજાના તંબૂઓથી ભારે તંબુ સારી પેઠે દૂર હતો. ત્યાં એરુઝાંઝરુની તેમ જ ચોરની બહુ બીક રહેતી. પણ હું તે બેધડક રાતવરત બધે ફરતે, અને ભેયે ઘાસ ઉપર સૂઈ રહેતો. લગભગ અઠવાડિયું કે દોઢ અઠવાડિયું કાવ્યું. પણ કાયમને માટે અહીં રહેવું અશક્ય હતું. વળી ' માટીનું શરું એ જ મારો વૈભવ અને ચોરને પણ કામ ન આવે એવું ચીવર (પાસે રાખીને) હું દેહની પરવા ન કરતાં - નિર્ભય થઈને કચારે વિચરીશ ? . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ બદ્ધક્ષેત્રની યાત્રા 187 શ્રી. પાળે ગામમાં રહેવા જાય તે પછી આ વગડામાં મારાથી ન જ રહેવાત. કારણ રોજ ભિક્ષાને સારુ ચાર પાંચ માઈલ ચાલતા જવું અને ચાર પાંચ માઈલ આવવું પડત. તેથી નાગપુર છોડી મુંબઈ થઈ બનારસ અને ત્યાંથી કુશિનારા જવું એવો મેં વિચાર કર્યો. શ્રી. પાચેને મેં મારો વિચાર જણાવ્યો. તેમનું કહેવું એમ હતું કે, મારે નાગપુરથી સીધા બનારસ જવું. પણ મેં કહ્યું, “આ વખત મારે મુંબઈની બાજુ એક વાર જેવી છે. હું પૂનામાં હતો પણ મુંબઈ જોયું નથી. અહીંથી ઉમરાવતી પાસે જ છે તે પણ જેવા ઈચ્છા છે.” પાણેએ વિશેષ હા ના ન કરતાં ઉમરાવતીના વકીલ શ્રી. ગોવિંદ નારાયણ કાણે ઉપર મને ભલામણપત્ર લખી આપ્યો અને બીજે દિવસે સ્ટેશન પર આવી ઉમરાવતીની ટિકિટ કઢાવી આપી. - ઉમરાવતી હું મધરાતે પહોંચ્યો. એવે વખતે શ્રી. કાણેને ઘેર જઈ બારણાં ઉઘડાવવાં ઠીક નહિ, એમ ધારી સ્ટેશને જ ત્રીજા વર્ગની વેઈટિંગ રૂમમાં ફરશ પર સૂઈ રહ્યો. આથી - બીજે દિવસે મને મરડે થઈ તબિયત એકાએક બગડી. સવારે કાણે વકીલના ઘરને પત્તો મેળવ્યો. તેમણે મારે ઘણે સારે સત્કાર કર્યો. એટલું જ નહિ, પણ શ્રી. દાદાસાહેબ ખાપડે વગેરે ગૃહસ્થો જોડે તેમણે મારી ઓળખાણ કરાવી. ત્યાં બૌદ્ધધર્મ વિષે એક વ્યાખ્યાન મારે આપવું, એમ સૌને આગ્રહ થવાથી મેં બુદ્ધના મધ્યમ માર્ગ વિષે ત્યાંના : થિયેસેફિકલ લોજમાં વ્યાખ્યાન આપ્યું. શ્રી. ખાપ પ્રમુખ હતા. તેમણે બૌદ્ધધર્મ ઉપર અનુકૂળ વિવેચન કર્યું અને એકંદરે મારું વ્યાખ્યાન બધાને ગમ્યું હોય એમ જણાયું. પણ મરાઠીમાં બોલવાને મને આ પહેલો જ પ્રસંગ હતો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ આપવીતી તેથી વ્યાખ્યાન કેવુંક નીવડશે એની ચિંતા મને છેવટ સુધી રહી. શ્રી. કાણએ મારો બધો ભાર ઉપાડી લીધે. ટિકિટના પૈસા બધા તેમણે આપ્યા કે ફાળો કરી ભેગા કર્યા એની મને ખબર ન પડી. તેમણે મુંબઈમાં શ્રી. હરિ રસીતારામ દીક્ષિત સોલિસિટરને કાગળ લખી મારા આવવાની ખબર આપી, અને ઉમરાવતીથી નીકળતાં પહેલાં તાર પણ કર્યો. આટલેથી પણ તેમને સંતોષ ન થયું. મને કહે, “જો તમે ન કચવાઓ તે તમારી સ્ત્રી તેમ જ પુત્રી માટે હું યથાશક્તિ થોડી રકમ મોકલતે રહે.” તેમની આ ઉદારતા માટે મેં તેમનો અત્યંત ઉપકાર માને. પણ તેવી દેણગી રકમ લેવા મેં ના પાડી. મેં વિનયપૂર્વક કહ્યું, “મારા સાળા દાક્તર છે અને પિતાની બહેનનો ભાર સહન કરવા જેવી તેમની આયાત છે. એટલે તમે નાહક ચિંતા ન કરો.' આમ કહી તેમના મનનું સમાધાન કર્યું. માત્ર ત્રણ કે ચાર દિવસ હું ઉમરાવતીમાં રહ્યા હોઈશ. ત્યાંથી મુંબઈ આવ્યો. દાદર ગાડી બદલી સીધો વાંદરા ગયે. શ્રી. દીક્ષિતે ગાડી તથા એક માણસને સ્ટેશન ઉપર મોકલ્યો હતો તે મને તેમને ઘેર લઈ ગયો. તે દિવસે દીક્ષિતને ઘેર કંઈક પ્રસંગ હતો કે પછી રવિવાર હોવાથી ઇચ્છમિત્રને જમવા તેડ્યા હતા, પણ ત્યાં શ્રી. દામોદર ગણેશ પાથે વગેરે લોકે આવ્યા હતા. વેદાંત ઉપર મારે તેમની સાથે લાંબે વખત સુધી ચર્ચા થઈ. શ્રી. દાળકર કરીને એક ગૃહસ્થ પણ ત્યાં આવ્યા હતા. તેમણે મેં ધમતર કર્યું તેને વિષે ભારે ખેદ પ્રદર્શિત કર્યો. ખાસ કરીને સારસ્વતની નાતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ બોદ્ધક્ષેત્રની યાત્રા 189 ભારે જેવા એક હોશિયાર માણસને બેયો અને મેં સારસ્વત જેવી જાતિ બેઈ, એ વાત એમના દિલને અત્યંત અકારી થઈ પડી ! દીક્ષિત અને બીજે દિવસે પિતાની સાથે મુંબઈ લઈ ગયા. અને એક ભાડૂતી ગાડી કરી આપી તેના કોઈ નાતાવાળાને સાથે મોકલ્ય; તેણે મને મુંબઈનાં કેટલાંક જેવાલાયક સ્થળો બતાવ્યાં. હવે મારે મુંબઈમાં વધુ વખત રહેવાની જરૂર ન રહી. તેથી તે જ રાત્રે નીકળી વડોદરા ગયા. શ્રી. દીક્ષિતે વડોદરાના તેમના એક મિત્ર શ્રી રામચંદ્ર હરિ ગોખલેને આગળથી મારે વિષે લખ્યું. રાત્રે અગિયાર વાગ્યે સ્ટેશને આવી મને ટિકિટ કઢાવી આપી અને ગાડીએ બેસાડયો. બીજે દિવસે સવારે શ્રી. ગેખલે વડોદરાને સ્ટેશને હાજર હતા. મારા વેશ ઉપરથી તેમણે મને ઓળખે, અને પિતાની ગાડીમાં મને ઘેર લઈ ગયા. તેમને ઘેર જમવાખાવાની સગવડ સારી હતી. પણ ત્યાં મારે એક દિવસથી વધારે રહેવું નહોતું. તેથી મેં તે જ દિવસે રાતની ગાડીએ બેસી, ઉજજન જવાનું ઠરાવ્યું. ગોખલેએ સ્ટેશને આવી ઉજજનની ટિકિટ કઢાવી આપી. બીજા પણ થોડા રૂપિયા તેમણે આપવા માંડયા પણ તે મેં લીધા નહિ. ઉજજનમાં પ્લેગ ચાલતો હતો. મારા જૂના મિત્ર કેળકર માસ્તર વગેરે ગામ બહાર રહેતા હતા. મેં તેમના ઘરને માંડ માંડ પત્તો મેળવ્યો. માધવકોલેજના તે વખતના પ્રિન્સિપાલ શ્રી. ઢંકણેના તંબૂમાં કે પછી શ્રી. કેળકરની ઝૂંપડીમાં ક્યાંક રહ્યો. અત્યારે ચોકકસ યાદ નથી. શીલનાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #198
--------------------------------------------------------------------------
________________ 190 આપવીતી નામના કોઈ એક વેરાગી તે વખતે દેવાસમાં રહેતા હતા તેમને આ બધા મંડળે ગુરુ કર્યા હતા. તેમને માટે જરૂર મળવું એવો સહુને ભારે આગ્રહ થયો. આથી ઉજનથી દેવાસ સુધી ચોવીસ માઈલ હું ચાલતો ગયો. પણ આ ગ્રેજ્યુએટ મંડળે મને કહ્યો હતો તેવો ભારે ધર્મસાક્ષાત્કાર આ બાવામાં મને દેખાય નહિ! - એક નાની શી ટેકરી ઉપર બાવાજીની ગુફા હતી. અને ગુફાના મોં આગળ એક ધૂણી ધખતી હતી. બાવાજીને નમસ્કાર બમસ્કાર કર્યા વગર જ હું તેમની પાસે જઈને બેઠો ! બાવાજીને તેમ જ તેના શિષ્યમંડળને આ ગમ્યું ને હોવું જોઈએ ! મેં બાવાજીને થોડા પ્રશ્નો પૂછળ્યા પણ બાવાજીએ તેના આડાઅવળા જવાબ આપી ઉડાડી દીધા. બાવાજી તે વખતે ભાંગના નિશામાં ચકચૂર હોય એમ લાગ્યું ! તે દિવસે તે મારી સાથે હું ભાતું બાંધી લાવ્યો હતો અને બાર વાગ્યા પહેલાં રસ્તામાં જ ખાઈ લીધું હતું તેથી રાત્રે જમવું નહોતું. લગભગ સાત વાગ્યે શીલનાથના શિષ્યવૃંદ ધૂણુની પૂજા કરી શંખ ફૂક્યા. આ પૂજા વખતે આરતી વગેરે બધું શીલનાથ બાવાજીના નામનું થતું ! શીલનાથ જ જાણે પૂરણપુરુષોત્તમ, એવી જ તેમના શિષ્યમંડળની દૃઢ માન્યતા હોય એમ લાગ્યું! ગમે તેમ હોય પણ મને આ બધું કઈ રુચ્યું નહિ. બીજે દિવસે શ્રી. ગંગાધર શાસ્ત્રી જોડે મારી ભેટ થઈ એ દેવાસની અંગ્રેજી નિશાળના હેડમાસ્તર હતા, અને વિદ્યાવ્યાસંગી હતા. તેમની મારી ઓળખાણ કયાં અને કેવી રીતે થઈ એ ચેકસ યાદ નથી આવતું; પણ તેમણે મને P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ બોદ્ધક્ષેત્રોની યાત્રા 191 પિતાને ઘેર જમવા આવવા આગ્રહ કર્યો અને ખાતરી આપી કે મારા નિયમ મુજબ બાર વાગ્યાની અંદર બધું તૈયાર થઈ જશે. તે દિવસે અગિયાર સાડા અગિયાર વાગ્યે હું તેમને ત્યાં જ, અને બપોરે તેમની નિશાળમાં મારું એક વ્યાખ્યાન થયું. એકંદરે દેવાસ આવવામાં શીલનાથની મુલાકાત કરતાં ગંગાધર શાસ્ત્રીની મુલાકાતનો લાભ જ મને તો વિશેષ લાગે ! દેવાસથી હું ઇન્દોર ગયો. જવાનું તો ઉજનમાં જ નકકી કર્યું હતું. શ્રી. કેળકરે ઇન્દોરમાં શ્રી. કેતકર હેડમાસ્તરને ભારે વિષે લખ્યું હતું. તે પ્રમાણે તેમણે મને એક દિવસ પિતાને ત્યાં રાખી ઉજજનની ટિકિટ કઢાવી આપી રવાના કર્યો. ત્યાં પ્રિ. ઢેકણે, શ્રી. કેળકર, વગેરે ગૃહસ્થાએ ફાળો કરી મને ગ્વાલિયર રવાના કર્યો. ગ્વાલિયરમાં હું દા. વાળને ત્યાં જ ઊતર્યો. ચાર વર્ષે અમે મળ્યા તેથી દા. વાગળે અત્યંત રાજી થયા. મારે સંન્યાસીને વેશ તેમને ગમ્યો નહિ. છતાં મારા આદરસત્કારમાં તેમણે કોઈ જાતની ઊણપ આવવા દીધી નહિ. એક કે બે દિવસ તેમને ત્યાં રહીને કાશી જવા નીકળ્યો. દા. વાગલેને તે દિવસ દરબારમાં જરૂરી કામ હોવાથી મને સ્ટેશને મૂકવા આવી શક્યા નહિ. પણ મને ટિકિટ કઢાવી આપવા અને ગાડીએ બેસાડવા તેમણે પિતાના ભાણેજને મોકલ્યો. તેણે ટિકિટ કઢાવી આપી અને મૂડી ભરીને રૂપિયા મારી આગળ ધર્યા. રૂપિયા કેટલા હતા તે વગેરે કશું ન પૂછતાં મેં તેને એટલું જ કહ્યું કે, “એ રૂપિયા હું કઈ રીતે લઈ શકું એમ નથી. હું એને સ્પર્શ નહિ કરું. તમે તે લઈ જાઓ અને તમારા મામાને પાછા સપજે.' થી ભરીને રૂપિયા તેને એટલે કે અર્શ નહિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ આપવીતી કાશીમાં સારનાથ આગળ બૌદ્ધ લોકો માટે એક નાનું વસતિગ્રહ બંધાયાનું મારા સાંભળવામાં આવ્યું હતું. તે મુજબ કેન્ટોન્મેન્ટને સ્ટેશને ઊતરી મેં તે તરફનો રસ્તો પકડયો. ત્યાં સુમેધંકર નામનો એક શ્રામણેર રહેતો હતો. તેણે મને ખવરાવ્યું. પણ આ વસતિગૃહ નાનું હોવાથી મારા રહેવાની સગવડ ત્યાં થાય એમ નહતું એમ તેણે જણાવ્યું. મેં તેને પૂછ્યું, “અહીંથી કુશિનારા જવાનું કેટલું ભાડું પડે છે? તેટલું ગાડીભાડું મને અહીં કોઈ રીતે મળી શકે?' કુશિનારા નજીકના “તહસીલ દૌરિયા’ સ્ટેશનનું ભાડું અહીંથી એક રૂપિયા ને ઉપર કંઈ આના થતું હતું. તેટલા પૈસા સુમેધંકરે પિતાની પાસેથી આપ્યા અને મને ત્યાં રવાના કર્યો. તહસીલ દૌરિયા હું સવારે પહોંચ્યા. ત્યાંથી કુશિનારા વીશ માઈલ થાય. રસ્તો સીધો છે, પણ વાટમાં જમવાનું શું તેની ફિકર હતી જ. છતાં સ્ટેશને બેસી રહેવામાં તો કંઈ સાર નથી એમ વિચારી મેં તરત જ ચાલવા માંડયું. પાંચ છ માઈલ ચાલે ત્યાં બધેર થવા આવ્યા. તેથી નજીકના એક ગામમાં ત્યાંના કેઈ ક્ષત્રિય જમીનદારને ઘેર હું ગયો. તેણે મારું સારી રીતે આતિથ્ય કર્યું. જમ્યા પછી મેં આગળ ચાલવા માંડયું. રાત્રે વાટમાં જ એક લુહારને ઘેર સૂતો અને બીજે દિવસે સવારે કુશિનારા જઈ પહોંચ્યો. આ સ્થાન ગોરખપુર જિલ્લાના કયા તાલુકાના ગામથી બે માઈલ છે. હાલ એને “માયા કુંવર કા કટ' કહે છે. આસપાસના અનાડી લોકોને અહીંની બુદ્ધની મૂર્તિ જોઈ ને ભારે આશ્ચર્ય થાય છે! તે વિષેના ઈતિહાસની તેમને બિલકુલ ખબર નથી ! પાછળ કહી ગયો છું કે મહાવીર ભિક્ષુએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા શ્રી. બેજારી નામના બરમી વેપારીની મદદથી અહીં એક ધર્મ શાળા બાંધી છે. મહાવીર ભિક્ષુ એ જ ધર્મશાળામાં રહેતા હતા. તેની સાથે ઉત્તર તરફનો કોઈ વૃદ્ધ બ્રાહ્મણ ભિક્ષુ રહેતા હતા. શ્રી. બેજારીએ એક બરમી ગૃહસ્થને ભિક્ષુઓની સંભાળ લેવા અને ધર્મશાળા સાચવવા ત્યાં રાખ્યો હતો. મહાવીર ભિક્ષુએ મારું સ્વાગત સારું કર્યું અને મને રહેવાને એક ઓરડી આપી. આઠ પંદર દિવસ હું તે ઓરડીમાં રહ્યો, પણ મારાં ધ્યાનસમાધિમાં ત્યાં બહુ ખલેલ પહોંચવા લાગી. - | મારી ઓરડીની બહાર વિશ્વામિત્રમેનકાનું (રવિવર્માનું દોરેલું) એક ચિત્ર ટાંગેલું હતું. અડખેપડખેનાં ગામડાંઓમાંથી લોક ધર્મશાળા જેવા આવતા અને આ ચિત્ર તરફ જોઈને ખડખડાટ હસતા. તેમ ન કરવા મેં તેમને અનેક વાર કહ્યું. પણ રોજ નવા નવા માણસો આવે તેથી તેની કાંઈ અસર : ન થઈ. આથી મેં મહાવીર ભિક્ષુને કહ્યું, “તમે આ ચિત્ર અહીંથી કાઢી નાંખો અથવા તે છેવટ અહીંથી તે તેને ખસેડે જ અને બીજે ક્યાંક લટકાવો, એટલે મને તેને ત્રાસ થતો અટકે.” પણ ચિત્ર બેજારીના માણસે મૂકેલું હોવાથી મહાવીર ભિક્ષુને તે કાઢી નાંખવું ઠીક ન લાગ્યું ! અંતે મેં તેને અવળું કરી મૂક્યું. પણ પેલા બરમીએ તે પાછું ચતું કરીને મૂક્યું ! કુશિનારે આવવાને મુખ્ય હેતુ મનને શાંતિ મળે એ જ હતો. પણ આ એક નાનકડા ચિત્રે તેમાં બેહદ ખલેલ કરી. હવે ધર્મશાળા છોડી જવા સિવાય બીજો ઉપાય રહ્યો નહિ! એક દિવસ મહાવીર ભિક્ષની સાથે મારે આ વિષે સારી પેઠે બોલાચાલી થઈ અને એ બહાનાનો લાભ લઈ મેં P.P. Ac. Gunratnasuri M.S., Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ 194 આપવીતી ધર્મશાળા છોડી. બુદ્ધના મંદિરની પાછળના ખંડેરમાં ઊગેલું એક જંગલી ઝાડ હતું તેની નીચે ડીએક જગ્યા સાફ કરી હું ત્યાં રહેવા લાગ્યો. એક દિવસ તો કયા ગામમાં જઈ એક વકીલને ઘેરથી ભિક્ષા લાવ્યા. પણ બીજા દિવસથી મહાવીર ભિક્ષુએ મારું ભેજન હું જ્યાં બેઠો હતો ત્યાં મેકલવા માંડ્યું. આમ ભિક્ષા મેળવવાની ફિકર રહી નહિ. ૧૯૦૪ના જાન્યુઆરીની ૨૫મી તારીખે હું કુશિનારા પહોંચ્યા હતા. એક બે અઠવાડિયાં ધર્મશાળાની ઓરડીમાં ગાળ્યાં. અને બીજા બે અઢી મહિના પેલા ઝાડ નીચે ગયા. મારી જિંદગીને એકાંતવાસમાં ગાળેલા પહેલા દિવસે તે આ જ. ભગવાન બુદ્ધ ભયભૈરવ સૂત્રમાં કહેલા ભયભૈરવને મેં આ ઠેકાણે પહેલી જ વાર અનુભવ કર્યો. આ સૂત્રમાં ભગવાન બુદ્ધ કહે છે, “હે ભિક્ષુઓ! હું ચૌદશ, અમાસ, પૂનમ અને આઠમને દિવસે, જ્યાં ભૂતપિશાચાદિને બહુ ભય હોય છે એમ કહેવાય છે, ત્યાં જઈને રહે. રાતે એકાદ મોર ઝાડ ઉપરથી સૂકી ડાંખળી નીચે પાડતો હોય, એકાદુ જાનવર નજીક આવતું હોય અથવા તો પવનથી ઝાડનાં પાંદડાં ખડખડે તેવા જ મારા શરીરમાં ભયનો સંચાર થતો. તે વખતે જો હું અહીંથી તહીં ફરતો હોઉં તે ફરતાં ફરતાં જ તે ભયની નાશ કરતો. ઊભો હોઉં ને મને બીક લાગે તો ઊભાં ઊભાં જ હું બીકનો નાશ કરતે; બેઠે હોઉં ને બીક મારી પાસે આવે તો હું બેઠાં બેઠાં તે બીકનો નાશ કરતો, અને બિછાનામાં પડ્યો હોઉં ને જે મને ભય લાગે તો તે જ સ્થિતિમાં હું તેનું દમન કરતો.” આ અને એવાં જ બીજાં સૂત્રોમાં કહેલી બાબતોનો અનુભવ લેવાની મને અહીં તક મળી. રાતે નેળિયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ - બૌદ્ધક્ષેત્રોની યાત્રા 15 વરુ, વગેરે જનાવર સૂકાં પાંદડાં ઉપર થઈને ક્યાં જાય અને તે વખતે મારું શરીર ભીતિથી કંપી ઊઠે. પણ તે ક્ષણે જે સ્થિતિમાં હું હોઉં તે જ સ્થિતિમાં રહીને તે બીકનું હું દમન કરતો. મહાવીર ભિક્ષુએ મને પાથરવા સારુ એક પાથરણું આપ્યું હતું. એક દિવસ મારા રહેઠાણના ઝાડ પાસે ખેતરમાં તે પાથરણું પાથરીને હું સૂતો હતો. મધરાતને સુમારે ઊઠીને હું શૌચ કરવા ગયો. પાછો આવીને જોઉં છું તો પાથરણાની કોર ઉપર કંઈ લાકડું પડયું હોય એવી વસ્તુ જોઈ મને શંકા આવી અને મેં ચપટી વગાડી. એટલે ત્યાં પડેલો સાપ ધીરે ધીરે ચાલ્યો ગયો. તે દિવસથી બુદ્ધમંદિરની બહારના ઓટા ઉપર હું સૂવા લાગ્યો. આ એ જમીનથી ઊંચાં હોવાથી એરુઝાંઝરું પથારીમાં આવવાનો સંભવ થેડે હતો. પરંતુ ઓટા ઉપર ઝાડની કે એવી કશી ઓથ ન હોવાથી રાતે ઝાકળ પડે અને મારી પથારી ભીંજાઈ જાય. ઉપરાંત ઓટાની જમીન ની હોવાથી ટાઢ પણ ખૂબ વાય. મૂર્તિ નામનો એક કબીરપંથી સાધુ પાસેના જ એક ગામમાં રહેતો હતો. તે વખતોવખત મારી પાસે આવતો અને ધર્મચર્ચા કરતો. હું પણ તેને બુદ્ધની ભાવના વગેરેના પ્રકાર કહેતા. એક દિવસ મારા રહેઠાણથી બે માઈલ દૂર આવેલા એક મસાણમાં જવાનું અમે ઠરાવ્યું, અને તે પ્રમાણે અમે આખી રાત ત્યાં ગાળી. શિયાળ, વરુ, વગેરે જનાવરે તો આ મસાણમાં હતાં જ, પણ તે કરતાંયે મૃતશરીરના અવયવો, હાડકાં વગેરે ચોમેર પડેલાં હોવાથી આ જગ્યા અધિક બિહામણી લાગતી હતી. ત્યાંથી માણસની ખોપરી વગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ 196 2 : આ૫વીતી : અનેક હાડકાં ભેગાં કરી આણી તે ઉપર મેં કેટલાક દિવસ સુધી ધ્યાન કર્યું! .. આ પહેલાં મને વેરાન જંગલમાં ફરવાની ટેવ નહતી એમ નહિ. અમારું સાંખવળ ગામ હજી વેરાન જંગલ જ છે. હજુ આજે પણ ત્યાં સૂર્યાસ્ત પછી વાઘની બરાડ વર્ષમાં ઘણી વાર સાંભળવા મળે છે. અને ત્યાં રાતમધરાત અનેક વેળા હું ફર્યો છું. મસાણ આગળ થઈને એકલા જવા આવવામાં મને મુદ્દલ બીક ન લાગતી. પણ તે વખતે મનની વૃત્તિ જુદી હતી. સાપ, વાઘ, ભૂત, પિશાચ કે ચોર આવે તે પણ તેની સામે થવા હાથમાં દડૂકો અને ધારિયું રહેતાં. વાઘ ઉપર હુમલો કરવાની પણ મારામાં હરહમેશ ધમક રહેતી. અહીંની વાત જુદી જ હતી. અહીં શિયાળ વગેરે બાહ્ય શત્રુઓને પ્રતિકાર માત્ર વૈરાગ્ય અને શાંતિથી કરવાનો હતો. આથી રાતે વરુ આવ્યું લાગે કે તેને ભગાડવા હું દોડતો નહિ. મારા શરીરથી જે આ પ્રાણી તૃપ્ત થતું હોય તો ભલે તે તૃપ્ત થાઓ, એ સંકલ્પ કરી હું ચૂપ રહે. મતલબ કે કુશિનારાની આસપાસ મને જે એક જાતને ધાર્મિક અનુભવ લેવા મળે તે અપૂર્વ હતો એમ કહેવું જોઈએ. ૧૯૦૦ના એપ્રિલમાં ધર્મપાલ જાપાન, અમેરિકા વગેરે દેશ ફરી કલકત્તા આવ્યા, અને ત્યાંથી કાશી આવ્યા. ત્યાં તેમણે એક ઔદ્યોગિક શાળા સ્થાપવા પ્રયત્ન કર્યો. મને તેમના એક બે કાગળ આવ્યા એટલે કાશી જઈ તેમને મળવું એમ મેં નક્કી કર્યું. એપ્રિલની આખરે હું કાશી ગયે, અને ત્યાં બૌદ્ધ ધર્મશાળાની નજીકના એક વડ નીચે મેં એક બે અઠવાડિયાં ગાળ્યાં. ધર્મપાલ મને મળવા શહેરમાંથી આવ્યા હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા 197 તે જ દિવસે ત્યાં સારનાથનો મેળો ભરાયો હતો. જ્યાં બેસી બુદ્ધગુરુએ ઉપદેશ કર્યો તે જ ઠેકાણે અશોક રાજાએ બંધાવેલ એક મોટો સ્તૂપ છે. મેળામાં આવેલા અનેક લોકો આ જગ્યા જોવા આવ્યા. આથી ધર્મપાલે મને કહ્યું: “આ લેકીને આ જગ્યાની પ્રાચીન માહિતી નહિ હોય તેથી તમે તે તેમને કહો.” મેં કહ્યું, “એમાં હું સફળ નહિ થાઉં. નાહકને ત્રાસ થશે.” પણ તેમણે ખૂબ આગ્રહ કર્યો તેથી છેવટે સ્તૂપ આગળની ઊંચી જગ્યા ઉપર ચડી લોકોને ઉદ્દેશીને હું આ પ્રમાણે બેલ્યો : આ સ્તૂપનો ઇતિહાસ આપનામાંના ઘણાખરાને માલુમ નહિ હોય. સાર્વભૌમ અશોક રાજાએ આ સૂપ પહેલવહેલો બાં -' આ વાત કહેવાની મેં શરૂઆત કરી પણ વચમાં જ એક જણ હિન્દીમાં બોલી ઊઠ્યો, “અરે આ બધાં નાહકનાં ગપ્પાં શેનાં માર્યું જાઓ છો? આ તો “ઘાંચીને ટોપ” છે. એમ અમે જિંદગી આખી સાંભળતા આવ્યા છીએ!' ઘાંચીનો ટોપ આવડે મોટે હોઈ જ ન શકે, અને એમ હવા વિષે ઇતિહાસમાં કશોયે પુરાવો નથી મળતો વગેરે વિચારો જણાવી મેં એ માણસને સમજાવવા મહેનત કરી. એટલામાં વળી બીજો તેનો કોઈ સેબતી તપી ઊઠડ્યો ને બોલ્યો, “તમે બકો છો! અમારા બાપદાદા આટલા કાળ કહેતા આવ્યા તે બધું ખોટું અને તમારો ઈતિહાસ એક સાચો ખરું ને? ઘાંચીએ આ ટોપ ચણાવેલા અને એક ઠેકડે તે તેની ઉપર ચડતો ! (“કુદ પડતા થા') ખબર છે?” ખલાસ થયું! મારું વ્યાખ્યાન ત્યાં જ સમાપ્ત થયું! શ્રોતવૃંદમાં હસાહસ મચી રહી અને મારી સંપૂર્ણ હાર થઈ એમ સૌ કોઈને ખાતરી થઈ ચૂકી ! P.P. Ac. Sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ 198 કે આપવીતી : અંતે તેમનામાં ઈજનેરનું કામ કરી પેન્શને પહોંચેલ એક ગૃહસ્થ હતા તેમણે ધર્મપાલને કહ્યું, “અમારા લોકોને જૂના ઈતિહાસની વાત કરવામાં કશો સાર નથી. તમે અમેરિકા, જાપાન, વગેરે દેશ ફરી આવ્યા છે, ત્યાંના લોકો વિષે તેમ જ ઉદ્યોગધંધાઓ વિષે કંઈ માહિતી આ લોકે આગળ કહેશે તો તેનો કંઈકે ઉપયોગ થશે.” ધર્મપાલે તેમ કરવાની હા કહી, એટલે તે ગૃહસ્થ માટીના ટેકરા ઉપર ચડી ગયા અને પ્રાસ્તાવિક ભાષણ કરી છાતૃસમુદાયને ધર્મપાલની ઓળખાણ કરાવી. પછી ધર્મપાલે આપેલું ભાષણ તેણે હિન્દીમાં સમજાવ્યું. પણ તેનું પરિણામ જેવું જોઈએ તેવું ન થયું એમ મારું માનવું છે. છતાં ઘોંઘાટ કર્યા વગર લોકોએ સાંભળ્યું એ જ .. અહોભાગ્ય ! - જે દેશમાં બૌદ્ધધર્મને પ્રચાર થયો, જ્યાંના લેકેએ ચીન વગેરે હિન્દ બહારના દેશમાં પણ તે ધર્મની ધજા ફરકાવી, તે જ દેશના લોકોનું આવું શોચનીય અજ્ઞાન જઈને મારું મન ઉદાસ થઈ ગયું. બૌદ્ધધર્મના તેમના અજ્ઞાનનું તો કંઈ નહિ, પણ બીજી બાબતોમાં પણ મહારાષ્ટ્ર કે બંગાળ કરતાં કાશી, કુશિનારી વગેરે પ્રદેશના લેકે અત્યંત પછાત છે. તળ કાશીમાં જે થોડાઘણા શાસ્ત્રી પંડિત છે તેટલા જ. પણ કાશી છોડી બે ચાર માઈલ પણ બહાર નીકળે કે ગામડાંઓમાં નવું અજ્ઞાન જ અજ્ઞાન વ્યાપી રહ્યું છે. આ દશ બાર વર્ષમાં કંઈ સુધારો થયો હોય તે પ્રભુ જાણે, પણ હું જ્યારની વાત કરી રહ્યો છું તે વખતે તો આપણું બાજુના કરતાં ઉત્તર હિન્દુસ્તાનના લોકે અતિ પછાત હતા. અને મેટાં મોટાં ગામમાં પણ પ્રાથમિક કેળવણીની સુધ્ધાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #207
--------------------------------------------------------------------------
________________ બદ્ધક્ષેત્રોની યાત્રા 199 સગવડ નહોતી. આ ગામડાંના બ્રાહ્મણોને સુધ્ધાં લખતાં વાંચતાં ન આવડે ! સહી કરતાં આવડવું એ તો જાણે ભારે વિદ્યા મનાય ! પ્રાચીન કાળમાં બધા સુધારાઓમાં અગ્રેસર - તરીકે પંકાયેલા આ મધ્યદેશની આવી ખેદજનક સ્થિતિ જોઈને કયા દેશહિતિષ્ણુને લાગી નહિ આવે ! જે વડના ઝાડ નીચે રહેતો હતો, તેની પાસે જ એક જૈન દેરાસર હતું. તેની બહારની બાજુએ લાંબા લાંબા ટા હતાં. રાતે હું એ ઓટા ઉપર સૂતો. જૈન મંદિરને પૂજારી ત્યાંથી થોડે દૂર એક ધર્મશાળામાં રહેતો. અને પુરાણવસ્તુસંશોધક ખાતાએ નજીકના ગામના એક માણસને, ત્યાંથી કોઈ પાણીપથરો ઉપાડી ન જાય તેટલા ખાતર, ચાર સાડા ચાર રૂપિયાને દરમાયે રોકીદાર રાખે હતો. આ માણસ કઈ વાર મને કહેતો કે, દેરાસરની આસપાસ ભયંકર ભૂતપિશાચેને વાસ છે અને સૂરજ આથમ્યા પછી ત્યાં થઈને જતાં આવતાં લોકો બહુ બીએ છે. ત્યાં સૂવાનું છોડી ધર્મશાળામાં સૂવાનો અને તેણે ઘણી વાર ઉપદેશ કર્યો, પણ મેં તે જગ્યા છોડી નહિ. ઉત્તર હિન્દુસ્તાનમાં ઉનાળો બહુ સખત હોય છે. એક દિવસ બપોરે હું પેલા વડ નીચે બેઠે હતો ત્યાં દેરાસરની પાછળની બાજુએ ખોદકામ કરનારે એક મજૂર જૈન ધર્મશાળામાંથી માટીના ઘડામાં પાણી ભરીને આવતો હતો. તેને મેં મારા કમંડળમાં થોડું પાણી નાંખવા કહ્યું. પણ તેણે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, “મહારાજ, તમે કહે છે તેમ હું કેમ કરું?” મને લાગ્યું કે આસપાસ પાણીની અતિ તંગીને લીધે, ઓ પ્રમાણે થોડું પાણું મને આપે તો, બીજા મજૂરો કર્યું. પણ તેણે 'આપ્યા, મહારાજ કિમ કરું ?' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #208
--------------------------------------------------------------------------
________________ 200 * આપવીતી તેના ઉપર ગુસ્સે થાય એ બીકે તે મને પાણી નહિ આપતો હેય. તેથી મેં તેને કહ્યું, “મને પાછું આપવાથી જે તને કઈ રીતે હરકત આવે એમ હેાય તે ન આપતો.' તેણે ઘડે નીચે મેલી ભારે પગે પડીને કહ્યું: “મહારાજ, પાવળું પાણી આપવામાં મારું શું લૂંટાઈ જવાનું હતું? પણ હવે તમને સાચી વાત કરી દઉં છું. હું જાતે મોચી છું અને તેથી જ આપના જેવા ઊંચ વરણને મારા હાથનું પાણી આપી પાપને ભાગી કેમ થાઉં?” મેં કહ્યું, “હીદાસ સંત પણ ચમાર હતા છતાં તેને બધા લોકો માન આપતા. તે જ પ્રમાણે હું પણ જાતિભેદમાં માનનારો માણસ નથી. તું કઈ જાત છે એ જોડે ભારે નિસબત નથી. મારે તો ફક્ત પાણું જોઈએ છે અને તે તું આપ એટલે બસ.' આ પ્રમાણે મેં તેને ખૂબ ઉપદેશ આપ્યો. તે કઈ જવાબ ન આપી શક્યો. માત્ર ફરી ભારે પગે પડીને બોલ્યો, “આપ ગમે તેટલો ઉપદેશ કરે, અથવા તો હું જે આપને ગુનેગાર દેખાતે હેઉં તો મારું અહીં ને અહીં ગળું વાઢી નાંખે, પણ આવા પાપમાં પડવા મને કહેશે નહિ!' છેવટે એ ખરા તડકામાં જૈન ધર્મશાળાના બાગને કુવે જઈ ત્યાંના પૂજારી પાસેથી મારે પાણી લેવું પડયું ! - આ એક જ બાબત ઉપરથી યુરોપ, અમેરિકા, વગેરે દેશના હલકા વર્ગોની અને અહીંના ઢેડ, ચમાર વગેરે લોકોની સ્થિતિમાં કેટલો ફેર છે, અને ત્યાંના જેટલો સુધારો આ દેશમાં કરતાં કેટલી તકલીફ પડે એમ છે, એ સહેજે દેખાઈ આવે છે. ઈશ્વરના સૃષ્ટિનિયમને આધારે જ પિતે નીચ સરજાયેલ છે, એવી ભાવના પશ્ચિમના ગરીબ વર્ગોમાં બિલકુલ નથી. સમાજની ખાટી રચનાને લીધે પોતે નીચા દરજ્જાના બન્યા છે અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #209
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેત્રોની યાધિ. 12, પિન-3200 રચનામાં ફેરફાર કરાવવાની સાથે જ પોતાની ઉન્નતિ થવાની, એવી તેમની દૃઢ માન્યતા છે. પણ આપણે ત્યાં તેં અંત્યજે વગેરેમાં પોતે જે સ્થિતિમાં જન્મ્યા તે તેમને યોગ્ય લાગે છે, એટલું જ નહિ પણ કોઈ સુધારાનો હિમાયતી તેમની વચ્ચે જઈ ચડે તો તે અધર્માચરણ કરે છે એવી ગાંડી સમજણ ઘર કરી બેઠી છે ! કેળવણીને પ્રચાર કર્યા વગર હજારો વર્ષથી મૂળ ઘાલી બેઠેલા આ સંસ્કાર પર હુમલો કરવા મથવું નિરર્થક છે. ફરજિયાત કેળવણી જેવું કંઈ ને કંઈ હિન્દુ સ્તાનમાં શરૂ થયા વગર આ પછાત વર્ગોની ઉન્નતિની આશા રાખવી ફોગટ છે. - પેલા ઝાડ નીચે એક બે અઠવાડિયાં ગાળી હું કૅન્ટામેન્ટમાં જે બંગલામાં ધર્મપાલ રહેતા હતા ત્યાં રહેવા ગયો. ત્યાં પણ હું બે અઠવાડિયાં રહ્યો. અને જૂન મહિનાની શરૂઆતમાં ધર્મપાલના કહેવાથી બુદ્ધગયા ગયો. ત્યાંવાળા સુમંગલ ભિક્ષ બીજે ક્યાંક ગયા હતા. ધર્મપાલને તેની ખાનગી વર્તન વિષે શંકા પેદા થવાથી તેને ત્યાંથી ખસેડી એક સિંહલી ઉપાસકને ત્યાંની વ્યવસ્થા સોંપી હતી. તેણે મારી ઠીક બરદાસ રાખી. ધર્મપાલ દર મહિને ખર્ચને પૈસા તે ઉપાસકને જ મોકલતા અને તે જ બધો હિસાબ રાખતો. મારે કંશી ફિકર કરવી ન પડતી. જમીને ત્રણેક વાગ્યે હું નિરંજરા નદીની રેતમાં એકાદ ઝાડ નીચે બેસતો અને બૌદ્ધ ગ્રંથમાં કહેલ ધ્યાનભાવનાદિક પ્રકાર કરતો. અહીં આ સ્થાન વિષે કેટલીક માહિતી આપવી અયોગ્ય નહિ ગણાય. બુદ્ધ ભગવાને બોધિસત્વ અવસ્થામાં બુદ્ધગયાની પડેશમાં છ વરસ સુધી ઘેર તપ કર્યું. માત્ર મગનો કે કળથીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ 202 આપવીતી - ઉકાળો પીને તે ઘણું દિવસ રહ્યા, ઉપવાસ કર્યા, બધું કર્યું પણ નિર્વાણુંપ્રાપ્તિ ન થઈ. અંતે દેહદમનનો માર્ગ મેલી તેમણે ધીમે ધીમે ખેરાક લેવો શરૂ કર્યો. પણ આથી તેમની સાથે જે પાંચ ભિક્ષુ રહેતા હતા તેમને ખૂબ ખોટું લાગ્યું, અને જેને પતે ગુરુ સમાન ગણતા હતા તે આ ગૌતમબુદ્ધ ઢેગી નીકળે એમ કહી બુગુરુનો ત્યાગ કરી તેઓ વારાણસી ચાલ્યા આવ્યા. પછી તો બોધિસત્ત્વ ત્યાં જ રહ્યા અને દેહને જરૂરી તેટલું અન્ન ગ્રહણ કરી તેમણે પોતાનું ધર્મચિંતન ચલાવ્યું. વૈશાખી પૂનમને દિવસે સુજાતા નામની ક્ષત્રિય કન્યાએ આપેલી ખીર ખાઈને, રાતની વેળાયે બુદ્ધગયાના મંદિરની લગોલગ. ઊગેલા પીપળાના ઝાડ * નીચે આવીને બેઠા હતા, તે રાતે બધિસત્વને તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ થયો. અને મારની તમામ સેનાને પરાજ્ય કરી પિ ફાટયા પહેલાં પિતે સંબુદ્ધ થયા. પુસ્તકમાં પણ બોધિસત્ત્વની મારી જોડેની લડાઈનાં રસિક વર્ણન છે. ગમે તેમ છે, પણ બુદ્ધગુરુના પરિનિર્વાણ પછી આ સ્થળને ખૂબ મહત્વ મળ્યું. અનેક રાજાઓ અને શ્રીમંત લોકેએ અહીં અનેક મંદિર, સૂપ, અને વિહાર બંધાવ્યાં. આમાંથી ફક્ત મુખ્ય મંદિર સિવાય બાકીનાં બધાં મકાને આજે માટીમાં મળી ગયાં છે. ઈસ્વીસનના પાંચમા સૈકામાં સિલોનના સુવિખ્યાત મહાનામ રાજાએ અહીં એક મેટે વિહાર બાંધી તેમાં સેનાનું નકશીકામ કરાવ્યું હતું અને * * જે ઝાડ નીચે બુદ્ધ બેઠા હતા તે ઝાડ એક દુષ્ટ રાજાએ કાપી નાંખ્યું એવી લોકવાયકા છે. પણ તે જ ઠેકાણે ઊગેલ તે ઝાડની એક શાખા અત્યારે ત્યાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #211
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા : 207 તેમાં મોતી અને માણેકનાં જડતર હતાં એમ કહેવાય છે. આ વિહારવાળી જગ્યા આજે પણ બતાવવામાં આવે છે. પણ ત્યાં આજે માટીના ઢગલા સિવાય કંઈ જ નજરે પડતું નથી. મૂળ મંદિરની આવી જ દુર્દશા હતી. મંદિર ઉપર વડ વગેરે ઝાડ ઊગીઊગીને શિખરને એક ભાગ ધસી પડ્યો હતો, અને આસપાસનું મેદાન પુરાતાં પુરાતાં મંદિર ધરતીમાં ઢંકાઈ જવાની તૈયારીમાં હતું. પરંતુ ૧૮૭૬ના શિયાળામાં બરમાના મિમિન રાજાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર સારુ ત્રણ બરમી અમલદારોની એક સમિતિ બુદ્ધગયા મોકલી. એ સમિતિએ અહીંના મહંતની અનુમતિથી આ મંદિરની મરામત શરૂ કરી. પણ બ્રિટિશ સરકારને આ વાત પસંદ ન પડી! બરમાને રાજા પુષ્કળ પૈસો વાપરી કંઈ અવનવા ફેરફાર કરી મૂકે, એવી બ્રિટિશ સરકારને બીક લાગી. આથી સરકારે મિંદામિન રાજાએ મોકલેલ પ્રતિનિધિઓના કામમાં દખલ કરી. પછી બંને સરકાર વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યો અને અંતે એવો ઠરાવ થયો કે, બ્રિટિશ સરકારે જ જૂની કળાને નાશ થવા ન દેતાં મંદિરની મરામત કરાવવી, અને તેમાં ખર્ચ થાય તે બરમી રાજાએ ઉપાડવો! આ મુજબ એક અંગ્રેજ ઈજનેરની દેખરેખ હેઠળ આ મંદિરની મરામત કરવામાં આવી. આ પ્રસંગે સરકારે ડૉ. રાજેન્દ્રલાલ મિત્રને રેકીને તેમની પાસે બુદ્ધગયાને લગતી તમામ હકીકત ભેગી કરાવી અને તે પુસ્તકરૂપે પ્રગટ કરી. વળી ત્યાંની મૂર્તિ અને બીજી પુરાતન વસ્તુઓની દેખરેખ રાખવા એક રખેવાળ પણ ની. . મિમિન રાજાએ એક નાની ધર્મશાળા બાંધી ત્યાં પોતા તરફથી બે ત્રણ બારમી ભિક્ષુ રાખ્યા છે અને બુદ્ધ ભગવાનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #212
--------------------------------------------------------------------------
________________ 204 આપવીતી પૂજા સારુ પુષ્કળ રત્નજડિત સામગ્રી બ્રહ્મદેશથી મોકલી. મંદિરની જમીન ઉપર અહીંના મહંતને કબજે હતો. પણ બરમી ભિક્ષુઓ અને તેની વચ્ચે કેઈ દિવસ અણબનાવ નહોતે. અંગ્રેજ સરકારે ૧૮૮૬ના જાન્યુઆરીમાં થિ રાજાને પદભ્રષ્ટ કરી બ્રહ્મદેશને હિંદ સાથે જોડી દીધું. તે વખતે બુદ્ધગયાના ભિક્ષુઓ નિરાશ્રિત થવાથી દેશ ગયા અને મિમિન રાજા તરફથી આવેલ ઝવેરાત મહંતના કબજામાં આવ્યું તે હજુ સુધી તેની પાસે જ છે. ત્યારથી મહંતને આ વેરાન મંદિરની કિંમત જણાઈ આવી, અને તે ઉપર પોતાની માલિકી વધારે ને વધારે મજબૂત કરવા તેણે શરૂઆત કરી. . ૧૮૯૧માં કર્નલ. આલકોટની સાથે ધર્મપાલ સિલોનથી બૌદ્ધક્ષેત્રની યાત્રા કરવા આવ્યા. ગયાના મંદિરની દુર્દશા જોઈને તેમનું મન ઉદ્વેગ પામ્યું. બૌદ્ધ મંદિરની સંભાળ લેનારું હવે ત્યાં કેઈન રહ્યું હોવાથી રોગાનમાં જંગલ થવા માંડયું હતું અને આ જગ્યા ગામના લોકોને શૌચવિધિ કરવાનું સ્થાન થઈ પડી હતી ! ગામનાં છોકરાં દિવસ બધા મંદિરમાં ઘૂસી બુદ્ધની મૂર્તિના ચોતરા ઉપર રમતાં અને પથરા ફેકી ત્યાંની શેભાને નાશ કરતાં. મહંતે નામને એક ચોકીદાર રાખે હતો, પણ તે મંદિરનું રક્ષણ કરવા તરફ લગીરે ધ્યાન ન આપતો. તે તો બૌદ્ધ જાત્રાળુઓ તરફથી બુદ્ધની મૂર્તિ આગળ ધરવામાં આવતી વસ્તુઓ તરફ જ વિશેષ ધ્યાન રાખતો ! આવી દુર્દશા જોઈને ધર્મપાલનું ચિત્ત બૌદ્ધોના આ પવિત્ર સ્થળ તરફ વળ્યું. અને સ્વદેશ પાછા જઈ આ મંદિરના પુનરુદ્ધાર સારુ તેણે એક સભા સ્થાપી. તેનું જ નામ મહાબોધિ સભા'. . . P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ ર૦૫ બૌદ્ધક્ષેત્રોની યાત્રા ૧૮૯૩માં મહાબોધિ સભાના મંત્રી તરીકે અમેરિકામાં શિકાગો ખાતે મળેલી સર્વધર્મપરિષદમાં ધર્મપાત્રે હાજરી આપી. આને લીધે હિંદી તેમ જ યુરોપિયન લોકોમાં તેનું ભાન ખૂબ વધ્યું. અમેરિકાથી પાછા ફરતાં તે જાપાન ઊતર્યા અને ત્યાંના કોઈ પ્રાચીન મંદિરમાંથી એક સુંદર બુદ્ધમૂર્તિ લાવ્યા. તેમને ઇરાદો એવો હતો કે આ મૂર્તિને બુદ્ધગયાના મંદિરમાં ઉપલે ભાળે સ્થાપવી. પણ મહંતને આ વાતની ખબર પડી કે તરત તેણે તે સામે વાંધો લીધે. આ મૂર્તિ ગયા શહેરમાં વરસ સવા વરસ પડી રહી. છેવટે ધર્મપાલે એક દિવસ મળસકે તેને ત્યાંથી ઉઠાવી બુદ્ધગયા લઈ જઈને ઉપરના માળે સ્થાપી દીધી, અને બે ભિક્ષુને ત્યાં મૂકી પૂજાની શરૂઆત કરી. આ વાતની મહંતને ખબર પડતાં તેણે પોતાના શિષ્યો મોકલી બખેડે કરાવ્યો અને મૂર્તિને ત્યાંથી ઉપાડીને બહારના આંગણામાં ફેકી દીધી ! આથી બુદ્ધગયામાં જ નહિ પણ ગયા શહેરમાં ખૂબ શોર મચી ગયો. ગયાના મેજિસ્ટ્રેટ મિ. મેકફર્સને ધર્મપાલના અને મૂર્તિના રક્ષણ સારુ પિોલીસ મોકલી આપી. આ બધા બખેડા દરમ્યાન ધર્મપાલને તેના કેટલાક મિત્રએ મહંત ઉપર ફરિયાદ માંડવાની સલાહ આપી. પણ સિલોનવાળા અમારા ગુરુ શ્રી. સુમંગલાચાર્ય (મહાબોધિ સભાના પ્રમુખ) વગેરે વિચારી લેકે આવી ફરિયાદ માંડવાની વિરુદ્ધ હતા. તો પણ તેમણે તપાસ કરવા સારુ એક સિંહલી બેરિસ્ટરને સિલોનથી મોકલ્યો. તેણે પણ એવો જ મત આપ્યો કે ફરિયાદ ન કરવી. છતાં ધર્મપાલે પિતાના હિંદી અને અંગ્રેજ મિત્રોની સલાહથી મહંત ઉપર ફરિયાદ માંડી. મહંત ખૂબ પૈસાવાળો માણસ હોવાથી તેણે કલકત્તાના સુપ્રસિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ આપવીતી બૅરિસ્ટર મનમેહન ઘોષને પોતાની તરફથી રોક્યા. પણ આખરે મેકફર્સન સાહેબે બૌદ્ધોને હક સાચો ઠરાવી મહંતને ચાર શિષ્યોને સજા કરી. મહંતે જિલ્લા જજને ત્યાં અપીલ કરી. ત્યાં થોડી સજા કાયમ રહી અને થોડીમાં ફેરફાર થયા. ત્યાંથી મનમેહન ઘોષ આ કેસ કલકત્તાની હાઈકોર્ટમાં લઈ ગયા. અને કલકત્તાનાં દેશી તેમ જ અંગ્રેજી છાપાંઓમાં ખૂબ ચળવળ કરી. બુદ્ધગયાના મેજિસ્ટ્રેટે અને જજે આપેલા ચુકાદાથી હિંદુધર્મ ઉપર ભારે ફટકો પડવા સંભવ છે એવી બેરિસ્ટર શેષની દલીલ હતી. તે વખતે બૌદ્ધધર્મ વિષે લોકોમાં ભ્રામક ખ્યાલ હોવાથી ધર્મપાલ વિરુદ્ધ ધિક્કારની લાગણું ઉત્પન્ન થવામાં વાર ન લાગી. છેવટે હાઈ કોર્ટને કેસ ન્યાયમૂર્તિ બેનરજી અને વડા ન્યાયમૂર્તિ સમક્ષ આવ્યા. તેમણે પોતાના ચુકાદામાં એટલું તે કબૂલ રાખ્યું કે બુદ્ધગયાના મંદિરમાં પૂજા વગેરે કરવાનો બૌદ્ધોને હક ચાલ્યો આવે છે. પણ મહંતની રજા વગર ત્યાં નવી મૂર્તિની સ્થાપના કરવાનો બૌદ્ધ લોકોને અધિકાર નથી એમ કહી નીચલી અદાલતના ચુકાદાને ફેરવી નાંખે અને મહંતના શિષ્યોને છોડી મૂક્યા. આ કેસમાં ધર્મપાલને પુષ્કળ ખર્ચ થઈ ગયું. મહાબોધિ સભાએ ભેગું કરેલ ત્રીસથી ચાળીસ હજારનું ભંડોળ આ કેસમાં વપરાઈ ગયું. આથી સિલોન વગેરેમાં ધર્મપાલ સામે લોકોનાં મન ખાટાં થયાં અને મહાબોધિ સભાના કાર્ય માટે સિલેનમાંથી તેને પૈસા મેળવવા મુશ્કેલ થઈ પડ્યા. માત્ર બરમી લેકેની શ્રદ્ધા તેના ઉપરથી એછી ન થઈ. આ કેસ પછી પણ તેમના તરફથી તેને ખૂબ મદદ મળતી. આ બાજુ મહંતની પણ ધર્મપાલ ઉપર અત્યંત વક્રદૃષ્ટિ થઈ. નવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #215
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા 207 ધર્મશાળા બાંધવા થેડી જમીન ધર્મપાલને આપવાનું મહંત કબૂલ્યું હતું. વેચાણખત પણ તૈયાર થઈ ગયું હતું. પણ ધર્મપાલ પોતાની સામે પડવાનો છે એમ જાણતાં જ મહત ખતને રજિસ્ટર થવા ન દીધું. પછી તે અણબનાવ વધતો ગયો અને પરિણામે ઉપર કહ્યો તે દાવો થયો. હવે આ બુદ્ધગયાના શિવ મહંતને બૌદ્ધ મંદિરનો હક કેવી રીતે મળે, તે વિષે થોડું કહેવું અસ્થાને નહિ ગણાય. બાદશાહ શાહજહાન ગાદીએ આવ્યો તે અગાઉ ગીરી નામનો કોઈ એક શિવપંથી પંજાબી સંન્યાસી આ મંદિરની પડોશમાં આવીને રહ્યો. તે વખતે અહીં બિલકુલ વસ્તી નહોતી. આજુબાજુના વિહારો તેમ જ બીજા મકાનો ખંડેર થઈ પડ્યાં હતાં ને ઉપર ઘાસ તેમ જ કાંટાનાં ઝાડ ઊગી નીકળી જંગલ બન્યું હતું. આવા સ્થાનમાં સાપ વગેરે તો હોય જ. પણ તે ઉપરાંત વાઘ ઈત્યાદિ હિંસક પશુઓ પણ ત્યાં વસતાં એમ કહેવાય છે. પેલા સંન્યાસીએ આવા આ નિર્જન સ્થાનમાં પોતાની મઢુલી બાંધી. ધીમે ધીમે તેની કીર્તિ આસપાસનાં ગામોમાં ફેલાઈ અને તેના શિષ્યો પણ વધવા લાગ્યા. એવો જ એનો કોઈ એક સેવક શાહજહાનના દરબારમાં હશે તેની વગથી આ સંન્યાસીને મંદિરની પડોશમાં આવેલાં બે ગામ ઇનામ મળ્યાં. ત્યારથી તેના મુખ્ય શિષ્યને સૌ મહંત કહેવા લાગ્યા. મંદિરની આસપાસનાં ખંડેરોની ઈટ અને પાણા ભેગા કરી મહતે પોતાને સારુ અને પિતાના શિષ્યોને સારુ એક મેટો મઠ બાંધ્યો. મંદિર ફરતી અશોક રાજાએ કરેલા થાંભલાઓની જે વાડ કરાવી હતી તેમાંના ઘણાખરા થાંભલાઓ મહતે પિતાને મઠ બાંધવામાં વાપર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #216
--------------------------------------------------------------------------
________________ 208 આપવીતી અને બુદ્ધની કેટલીયે મૂર્તિઓને અવળાં મોં કરી મઠની ભીંતમાં તેમ જ મઠની બહારની દીવાલમાં ચણી દીધી! લેર્ડ કર્ઝને જૂની ઇમારતોને રક્ષણનો કાયદો પસાર કરી મહંતને અશોકના સ્તંભે પાછા તેની મૂળ જગ્યા ઉપર મૂકવા ફરજ પાડી. પણ બુદ્ધની તેમ જ બોધિસત્વની કેટલીયે મૂર્તિઓ હજુયે મહંતના મઠની ભીંતેમાં દટાયેલી પડી છે! કાળચક્રને ફેરો કેવો વિલક્ષણ છે તેને આ જગ્યાએ બરાબર અનુભવ થાય છે. . આ પ્રમાણે આ જગ્યા ઉપર મહંતને હક સ્થાપિત થયાથી અહીંની પરિસ્થિતિ બહુ વિચિત્ર થઈ પડી છે. બૌદ્ધ લોકે સરકારની મદદથી પિતાને હક છીનવી લેશે એવી બીકને લીધે મહંત બૌદ્ધો તરફ હમેશાં શંકાની નજરે જુએ છે. સરકાર પણ આ બાબતમાં માથું મારવા નથી માગતી અને કશું ચેકસ ધોરણ રાખતી નથી ! બૌદ્ધ લોકો બુદ્ધની મૂર્તિની પૂજા કરે છે એટલે મહંતે મંદિરમાંની બુદ્ધમૂર્તિને કપાળે એક મોટું ત્રિપુંડ કરી તેને વિષ્ણુને નવમો અવતાર બનાવ્ય! * અને તેની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરવાને એક બ્રાહ્મણ પૂજારી નીમ્યો ! આમ કરીને બૌદ્ધ લોકોને અંદર આવવાની બંધી કરવી એવો મહંતને ઘાટ હતો. પણ સરકારે તેની આ તદબીર ચાલવા ન દેતાં બૌદ્ધોને માટે મંદિર હરહમેશ મુક્તધારા રાખવા મહંતને ફરજ પાડી ! છતાં મૂર્તિને ત્રિપુંડ વગેરે કરવાની . આ મૂર્તિની વિષ્ણુના નવમા અવતાર તરીકે કઈ હિન્દુ તરફથી પૂજા થતી નહતી. આજે પણ મહાતે રાખેલ પૂજારી સિવાય કોઈ હિંદુ નવમાં અવતાર તરીકે તેની પૂજા કરતું નથી. ભા. ક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા મહંતની વિધિ જેમની તેમ ચાલુ રહેવા દીધી. બુદ્ધ સંન્યાસી હતા, અને તે કોઈ દિવસ ગંધમાલાદિક ધારણ ન કરતા. આથી મૂર્તિને ત્રિપુંડ કરેલું જોઈને બૌદ્ધ લોકોની લાગણી દુઃખાય છે. મહંતને પણ પિતાનો મોરથ પૂરો ન થયે એ મનમાં સાલે છે. અને સરકારને કોઈ વાર એક પક્ષ તરફથી તો કોઈ વાર બીજા પક્ષ તરફથી ટીકા દ્વારા કે એવા જ બીજા કોઈ ને કોઈ કારણસર ત્રાસ થાય છે જમહંતે સરકાર ઉપર ચિડાઈને પેલી બરમી ધર્મશાળા પિતાના કબજામાં લેવા હિન્દી પ્રધાન ઉપર તથા ધર્મપાલ ઉપર અદાલતમાં દાવો માંડયો હતો. સામે ધર્મપાલ પણ સરકારે મહંતને ત્રિપુંડ કરવાની બાબત છૂટ આપ્યા માટે, છાપાંઓમાં સરકાર વિરુદ્ધ અવારનવાર કડક ટીકાઓ કરે છે. ટૂંકમાં, આ સ્થળે મહંત, બૌદ્ધ અને સરકાર એમ ત્રણ સત્તાઓનો ત્રિભેટ થતો હોવાથી, બુદ્ધના વખતમાં અને તે પછી સૈકાઓ સુધી જે શાંતિ અહીં વર્તી રહી હતી, તેવી શાંતિ ફરી પાછી વર્તવી આજે અશક્ય થઈ પડી છે. મહંતને મળવા હું એક બે વાર ગયો. તેણે મારી ઠીક આગતાસ્વાગતા કરી. પોતે મને રોજ સીધુંસામગ્રી મેકલશે એમ તેણે કહ્યું, પણ તેના દાનની મને જરૂર નહોતી. મેં તેને કહ્યું : “તમારી આ ઉદારતાને સારુ હું તમારો આભારી છું પણ મને હાલ તેની જરૂર નથી. આ ગામના લોકો સાવ અજ્ઞાન છે, તેથી તેમને શિક્ષણ આપવાની બાબતમાં આપે તેમને મદદ કરવી, એ ધર્મગુરુ તરીકે આપની ફરજ છે. રાજારજવાડાંઓએ આપને જે જાગીર આપી છે તે કેવળ યાચકોને સંતોષવા સાર નહિ, પણ દેશમાં વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર P.P. Ac. Guiratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #218
--------------------------------------------------------------------------
________________ 210 આપવીતી થાય એટલા સારુ આપેલ છે. જાપાનમાં બૌદ્ધ ભિક્ષુઓ વિદ્યાના પ્રચાર માટે ખૂબ મહેનત લે છે. “સિંગાનજી' નામના બૌદ્ધપંથના ધર્માધિકારીએ ખુદ પિતાના દીકરાને જ્ઞાન મેળવવા માટે વિલાયત મેકલ્યો છે. પરંતુ આપના શિષ્ય ગૃહત્યાગ કરી સંન્યાસી બનીને ખેતરનાં રોપાં સિવાય બીજું કંઈ જ કામ કરતા હોય એમ દેખાતું નથી! તે પણ જાણે કે ઠીક, પણ આ આપના રહેઠાણના સ્થળમાં ગરીબ લેકોને સારુ એક હિન્દી નિશાળ પણું નથી! આ સ્થિતિ શોચનીય નથી? જાપાન, યુરોપ, અમેરિકા વગેરે દેશોના શ્રીમંત લોકે આ સ્થળ જોવા આવે છે, તે વખતે અહીંના લોકો તેમની પાસે હાથ લાંબો કરી ભીખ માગે છે અને પેટ ફૂટી તેમને પગે પડે છે, તેમની આગળ લાંબા થઈ સૂઈ જાય છે, આ બધું આપણને હિન્દી લોકોને અત્યંત શરમભરેલું લાગવું જોઈએ. ખાસ કરીને આપ અહીંના કુલમુખત્યાર કહેવાઓ છે, તે પછી આ છોકરાઓના વર્તનની ઘણું જોખમદારી આપના જ ઉપર આવે છે; એ ઉપર હું આપનું ધ્યાન ખેંચું છું' આવી મતલબની વાતચીત ઘણી વાર સુધી થઈ. મહંતને - મારા કહ્યાનું જરાય ખોટું ન લાગતાં મારી સૂચના વિષે પિતાની અનુમતિ જ દર્શાવી. પિતે એકાદ નિશાળ ઉઘાડવામાં મદદ કરશે; છેવટે એ બાબત વિચાર તો કરશે જ, એમ તેણે કહ્યું. પણ લગભગ મહિને વીત્યા છતાં તેણે હા કે ના કંઈ જ જવાબ ન વાળ્યા. અંતે બેઝ નામે એક સરકારી રખેવાળ તે વખતે ત્યાં હતો તેને મેં આ બાબત મહંત પાસે પૂછપરછ કરવા કહ્યું. તપાસને અંતે મહંતે જે ખુલાસો કર્યો તે આ પ્રમાણે" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ બદ્ધક્ષેત્રની યાત્રા 21 અહીંના લોકોને માટે નિશાળ કાઢવી એ મહંતને યોગ્ય નથી લાગતું. કારણ કે આ લોકો ભણીગણીને હોશિયાર થાય તો મજૂરી કરતાં શરમાતાં શીખે. અને તેમ થાય તે મહંતને મેટી અડચણ ઊભી થાય અને આસપાસનાં ખેતરો ખેડવા સારુ બહારગામથી લોક લાવવા પડે.' અંતે આ કામમાં મહંતની મદદની આશા છેડી જાતે જ બને તે મહેનત કરી જેવી, એવો વિચાર કરી ખરચમાં કરકસર કરીને થોડી બચત કરવા મેં પેલા સિંહલી ઉપાસકને કહ્યું. તેમ જ આ નિશાળના કામમાં બનતી મદદ કરવા ધર્મપાલને પણ મેં લખ્યું. એ જ અરસામાં એક મહેતાજી પણ અમને મળી ગયો. ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાનું છે તે કબૂલ કરે તો તેને અમારે માસિક પાંચ રૂપિયા આપવા, એ અમે ઠરાવ કર્યો. તેણે પણ આ વાત કબૂલ રાખી. પરંતુ છોકરાઓનાં વાલી તદ્દન મુફલિસ હોવાથી પોતાનાં છોકરાંઓને પેન, પાટી કે ચેપડીઓ પણ અપાવે નહિ. અમે ઉપાસકને ગયા મોકલી પ્રાથમિક પુસ્તકે વગેરે મંગાવ્યાં. આ વાતની મહંતને ખબર પડતાં તેણે ખૂબ વિરોધ માંડ્યો. પેલા મહેતાજીનો ભાઈ મહંતને ત્યાં કારકુન હતો, તેને મહંતે ધમકી આપી કે, “જે તમારે ભાઈ અહીંનાં છોકરાંઓને મફત ભણાવવાનું કામ કરશે તો તમને તેમ જ તમારા ભાઈને બંનેને બુદ્ધગયા મેલી ભાગવું પડશે !" બિચારો મહેતાજી ગભરાયો, અને અમારી સાથે કરેલો કરાર પોતે કોઈ રીતે પાળી શકે એમ નથી, એવું અમને ચેખું જણાવી દીધું. આખરે અમે આણેલાં પાટી, પેન અને પુસ્તકે નિશાળનાં છે કરાંઓને વહેંચી દઈ અમે ચૂપ રહ્યા ! . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #220
--------------------------------------------------------------------------
________________ 212 આપવીતી એક હરણને શિકારીનું બાણ વાગ્યું. તેણે તે મહા* મહેનતે બહાર ખેંચી કાઢી જંગલ તરફ નાસવા માંડયું. પણ જખમમાંથી લોહીની જે ધાર ચાલી તેની નિશાનીથી શિકારીએ તેનો પત્તો મેળવી અને તેને પકડ્યું. મોતની વેળાએ હરણ બેલ્યું, “જે લેહીએ આજ સુધી મારું પિષણ કર્યું તે જ લોહી મારા કમનસીબે મારા મોતનું કારણ થઈ પડ્યું !" સંન્યાસી વગેરે આપણું ધર્મપ્રચારક ગણાતા લકે વિષે વાત કરવાને પ્રસંગ આવે છે ત્યારે આવી જ જાતના ઉદ્ગારે મેઢામાંથી નીકળ્યા વિના રહેતા નથી. જે કાળે છાપવાની કળા નીકળી નહોતી તે વખતે સાધુસંન્યાસી જ દેશમાં ચાલતાં બોલતાં પુસ્તકે હતાં. સ્ત્રીપુત્રાદિકની જંજાળ ન હોવાથી તેઓ દેશાટન દ્વારા સર્વત્ર સંચાર કરી જ્ઞાન મેળવતા અને નિર્ચીજ વૃત્તિથી અને મહેનતાણું લીધા વગર તેનું વિતરણ કરતા. આવા લકાના પ્રયત્નથી ભારતવાસીઓનું શીલ કેટલું ઉજજવળ બન્યું હતું તેની સાક્ષી હ્યુએનસંગ, ફાહન વગેરે ચીની મુસાફરોએ પિતાની યાત્રાની તવારીખમાં આપેલ છે. પણ આજે એ જ સાધુસંન્યાસીઓ આપણી પ્રગતિમાં આડે આવે છે. એટલું જ નહિ, પણ કેટલેક અંશે આપણી આજની દુર્દશાનું કારણ તેઓ જ છે એમ કહેવું અયુક્ત નહિ ગણાય. હવે મહંત શિરસ્તાની રૂએ સ્થાપેલા પોતાના હકથી ઊભી થયેલી વિચિત્ર પરિસ્થિતિ હેઠળ લાંબો વખત રહેવું મને ગમ્યું નહિ. તે પણ ચાતુર્માસ હોવાથી તુરત હું બીજે ક્યાંય જઈ શકું એમ નહોતું. તેથી આ બે ત્રણ મહિના મેં સિયામી લિપિમાં છાપેલ ત્રિપિટક ગ્રંથ વાંચવામાં ગાળ્યા. માત્ર સાંજને વખતે ઘણુંખરું હું નિરંજરા નદીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #221
--------------------------------------------------------------------------
________________ બોદ્ધક્ષેત્રોની યાત્રા કાંઠે જઈને બેસતો, અને બાકીનો બધે વખત વાંચનમાં ગાળતો. - ચાતુર્માસ પૂરો થતાં હું, ઉપાસક અને અનવરત્ન - અમે ત્રણે જણ રાજગૃહ જેવા ગયા. આ જગ્યા ઈસ્ટ ઇન્ડિયા રેલવેના તિલધ્યા સ્ટેશનથી સોળ માઈલ છે. બુદ્ધના વખતમાં એ મગધ દેશની રાજધાનીનું શહેર હતું. આસપાસ ગૃધ્રકૂટ, પાંડવ, વૈભારે વગેરે ટેકરીઓ આવેલ છે. અંદર દાખલ થવાના રસ્તામાં એક ગરમ પાણીને ઝરો આવે છે. બુદ્ધના વખતમાં તેને તપદા કહેતા. આગળ જતાં હૈડે છે. સપ્તપર્ણી ગુફા છે. બુદ્ધના પરિનિર્વાણ પછી મહાકાશ્યપ સ્થવિરે અહીં જ પાંચસો ભિક્ષુઓની સભા ભરી ધર્મવિનયાદિ બુદ્ધના ઉપદેશનો સંગ્રહ કર્યો. ભિક્ષુઓની સભા સારુ અજાતશત્રુ રાજાએ આ ગુફાના મેં આગળ મોટો મંડપ તૈયાર કરાવ્યો હતો એમ કહેવાય છે. બુદ્ધ પછી થોડે જ વર્ષે રાજગૃહને ઊતરતી કળા બેડી. નંદે પોતાની રાજધાની પાટલીપુત્રમાં સ્થાપી એટલે રાજગૃહ સૂનું થઈ પડયું. આજે પણ આ સ્થાન વેરાન પડ્યું છે. એક ઉદાસી પંથના સંન્યાસીએ પાડોશના ગામમાં પોતાનો મઠ બાંધ્યો છે, તો પણ બુદ્ધગયાના મહંતની પેઠે તેણે આ સ્થળ ઉપર કબજે નથી જમાવ્યો. અહીં મગધરાજાને રાજમહેલ હતો. મૂળ એ જગ્યા જરાસંધને મહેલની છે એમ કહેવાય છે. અને આજે તો ગરમ પાણી ઝરે અને એવાં જ. બીજાં સ્થળાને પૌરાણિક સ્વરૂપ આપીને બ્રાહ્મણે જાત્રાળુઓ પાસેથી પૈસા કઢાવે છે! છતાં ગયાના જેટલું આ સ્થળને મહત્ત્વ નથી મળ્યું. અમે એક દિવસ ત્યાં ગાળી પાછા બુદ્ધગયા આવ્યા. ત્યાંથી હું અને ઉપાસક કુશિનારા ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #222
--------------------------------------------------------------------------
________________ 214 આપવીતી આ શિયાળાની શરૂઆત હતી, એટલે મેં મારા અગાઉના સ્થાન ઉપર ચીવરની એક નાની ઝૂંપડી બનાવી અને તેમાં એક ખાટલો રખાવી રહેવા લાગ્યા. ચાતુમાંસ બુદ્ધગયામાં ગાળ્યાથી મારા એકાંતવાસમાં ભંગ પડ્યો હતો. મહંત અને તેને શિષ્યોનાં અનેક દુષ્કર્મ કાને પડવાથી શાંતિનો ભંગ થતો. આથી ફરી સાત આઠ મહિના એકાંતમાં રહેવું એવી પ્રબળ ઈચ્છા થઈ. ચંદ્રમુનિ નામે તરુણ બારમી ભિક્ષુ હાલ કુશિનારામાં હતા. બેજારીએ તેને સંસ્કૃત અને હિંદી ભાષા શીખવા સારુ પુષ્કળ પૈસો ખચ મદદ કરી હતી. અને મહાવીર ભિક્ષુ પછી કુશિનારાની ધર્મશાળાની વ્યવસ્થા તેના જ હાથમાં આવનાર હતી. તેણે મને એવી સલાહ આપી કે જે મારે એકાંતવાસ કરવો હોય તો માંડલે જવું. ત્યાં સગાઈ કરીને એક પર્વત છે. તેના ઉપર પુષ્કળ ગુફાઓ હોવાથી ધ્યાનભાવનાદિ કરનારા ઘણા ભિક્ષુઓ ત્યાં રહે છે. ચંદ્રમુનિ બ્રહ્મદેશથી તાજો જ આવેલ હોવાથી મને તેના કથન ઉપર વિશ્વાસ બેઠો અને ફરી એક વાર બ્રહ્મદેશ જવાને મેં વિચાર કર્યો. આમ છતાં કુશિનારામાં એક મહિનો તો રહેવું જ પડયું. અહીંના લોકો બહુ ચોરટા. મહાવીર ભિક્ષ ધર્મશાળાને સારુ 1500 રૂપિયા સાથે લઈને તહસીલ દૌરિયાથી આવતા હતા, ત્યાં રસ્તામાં તેમની ગાડી ઊંધી વાળી ગેરેએ તેમની પૈસાથી ભરેલી થેલી પડાવી ! ધર્મશાળા બંધાયા પહેલાં મહાવીર ભિક્ષુ અને તેને એક શિષ્ય ઝૂંપડીમાં રહેતા. રાતને . વખતે એ ઝૂંપડીની એક બાજુમાં કાણું પાડી મહાવીર ભિક્ષના ઓશીકા નીચેથી રેશમી ચીવર કાઢી લીધું ! બીજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #223
--------------------------------------------------------------------------
________________ 215 બોદ્ધક્ષેત્રોની યાત્રા એક પ્રસંગે તે તેમણે બુદ્ધમંદિરનાં તાળાં તોડી કાંબડિયાના રાજકુમારે બુદ્ધની મૂર્તિને ચડાવેલ કીમતી વાઘા સિક્કે ચોરી જઈ ખેતરમાં દાટવા ! પાછળથી પાંચ છ મહિને પોલીસે આ ચોરી પકડેલી. . આવા આ લોકે હાઈ બૌદ્ધ લોકો સામે તેમનો વિરોધ દેખાઈ આવતો; છતાં મેં જોયું કે મારી સાથેનું તેમનું વર્તન જુદા જ પ્રકારનું હતું. મારાં ચીવર અને ભિક્ષાપાત્ર હું ગમે ત્યાં નાંખીને ચાલ્યો જાઉં, તેને કઈ હાથ અડાડતું નહિ. આ વખતે કુશિનારામાં આવીને રહ્યો ત્યારે ગામના લોકે મને ખૂબ પ્રેમભાવથી પિતાને ત્યાં બોલાવે અને જમાડે પણ ખરા. મારી સાથે આમ વર્તવાનું તેમને શું પ્રયોજન, એનો ઉકેલ હું ઘણું દિવસ સુધી કરી શક્યો નહિ. એક દિવસ ગામના એક ખેડૂતને ઘેરથી જમીને પાછી વળતાં ભારે હાથ લૂછવાને નાને ટુવાલ રસ્તામાં પડી ગયો. એક છોકરાએ ઉપાડી ઘેર લઈ જઈ તે પોતાની માને આપ્યો. આ વાતની આજુબાજુના લોકોને જાણ થતાં જ તેઓ તે બિચારી બાઈ પર કાપ્યા. પેલા બાવાનું કપડું ચોરી લાવી ઘરમાં રાખીને તારે આ ગામ ઉપર આફત આણવી છે કે શું?' એમ કહી તેનો પીછો પકડયો! બિચારી બાઈ એમ ને એમ ધામ તડકામાં . દોડતી હાંફતી મારી પાસે આવી અને મારે પગે પડીને કહેવા લાગી કે, આ રસ્તામાં પડેલું તમારું કપડું મારો છોકો અજાણતાં ઉપાડીને ઘેર લાવ્યા. આટલો આ મારે . ગુનો થયો. મને માફ કર. મારા ગામના લોકોએ નાહક મારા ઉપર ચોરીનું આળ ચડાવ્યું છે.” મેં વસ્ત્ર એ બિચારી બાઈને જ આપી દીધું, અને ત્યાંના એક ખેડૂતને કહ્યું કે, * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #224
--------------------------------------------------------------------------
________________ - આપવીતી આ બિચારી ડોશીને કે તેના દીકરાને કોઈ સતાવશો નહિ, મેં તેને મારી રાજીખુશીથી એ કપડું આપ્યું છે.' બીજે એક ખેડૂત મારી પાસે આવી મને કહેવા લાગ્યો, “તમે આ જંગલમાં રાતની વેળાએ એકલા રહો છો, એને તે શું કહેવું? દી આથમ્યા પછી એકલા જવાની અમારી તો છાતી નથી ચાલતી. આ જગ્યાએ તો ભયંકર દેવતાઓનાં થાનક છે.' મેં જવાબ આપ્યો, “એ દેવતાઓ મારું કશું જ અકલ્યાણ કરે એમ નથી. કરશે તો મારું રક્ષણ જ કરશે; નહિ તો ચૂપ રહેશે. મને કશી હરકત નહિ કરે.” આ બે બનાવો ઉપરથી મારા તરફની ગામલોકની લાગણીના મૂળમાં બીક હતી એમ મારા મનમાં શંકા થઈ, અને તપાસ કરતાં એ વાત સાચી નીકળી. આ ગામમાં પુષ્કળ ભૂતપિશાચ અને ઉપદ્રવ કરનાર દેવતાઓનો વાસ હતો. તેમને નસાડવા સારુ ગામલોકો એક નામીચા ભૂવાને લાવ્યા. તે મંતરેલા ચેખા ખેાળામાં લઈ ખાટલા ઉપર બેઠો અને ખાટલાને ચાર માણસ પાસે ઉપડાવી જ્યાં જ્યાં ભૂતપિશાચનાં થાનક મનાતાં હતાં ત્યાં ત્યાં તે ખાટલે તેણે ફેરવા. ભૂવ મંત્રના જપ કરતો જાય અને ચારે દિશામાં ચેખા ફેંકતો જાય. પણ જેવો તે મારા સ્થાન . આગળ આવ્યો તેવો જ તે એકાએક ખાટલા ઉપરથી હેઠે ઊછળી પડ્યો. પાછળથી મંત્રો ભણવાનું પૂરું કર્યા પછી તેણે એ ખુલાસો કર્યો કે, “બધા યક્ષપિશાચ વગેરેનું તે હું દમન , કરી શક્યો, પણ બુદ્ધમંદિરની પાછળ જે દેવતા રહે છે તેની આગળ મારું કઈ ચાલ્યું નહિ!” આથી આવા ભયંકર દેવતાના સ્થાનકમાં રહેનારો જે હું તે નાનાંસૂનાં ભૂતપ્રેત ઉપર - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak' Trust
Page #225
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા 217 આણ વર્તાવતો હોવો જ જોઈએ; તેથી આવા માણસના માલની ચોરી વગેરે કરીને જે તેના ગુનામાં આવીશું, તો તે તે કદાચ કોક દિવસ બધી મહાભયંકર દેવતાઓને ગામ ઉપર છેડી મૂકે અને પરિણામે ગામમાં ગમે તે રોગચાળો ફાટી નીકળી ગામ બધું ખેદાનમેદાન થઈ જાય એમાં શી નવાઈ? આવી જ બીકથી ડરીને ગામના લેકે મારી સાથે અત્યંત નમ્રતાથી વર્તતા અને મારા ગુનામાં આવ્યાથી આફત આવશે એમ માનતા! ' મહાવીર ભિક્ષુનો પેલો બ્રાહ્મણ ભિક્ષુ શિષ્ય આંખે આંધળે થયો. બંને આંખમાં મેતિયા આવવાથી તેની આંખો એકદમ જવા જેવી થઈ ગઈ. તેને કયા લઈ જઈ ત્યાંના બંગાળી દાક્તર પાસે મેં તેની આંખો તપાસાવડાવી. તેણે કહ્યું કે, “આંખમાં મોતિયા આવ્યા છે અને તે ઉતારવા સારુ એમને ગોરખપુર લઈ જવા જોઈશે.' આથી એક છોકરે, હું અને તે * વૃદ્ધ ભિક્ષ એમ અમે ત્રણ જણ ગોરખપુર ગયા. કમનસીબે જે દાક્તર મોતિયાના કામને સારુ પંકાતે તેની ત્યાંથી બદલી થઈ ગઈ હતી અને તેની જગ્યાએ બીજો એક સિવિલ સર્જન આવ્યો હતો. સંયુક્ત પ્રાંતમાં ઇસ્પિતાલો કેવી ગંદી હોય છે તે હું અગાઉના એક પ્રકરણમાં વર્ણવી ગયો છું. આ ઈસ્પિતાલમાં પણ રોગીઓની બહુ ગેરવ્યવસ્થા હતી. આ તરફના લોકેં પણ ભારે અનાડી. એકને બીજાનું રાંધેલું ખપે નહિ. બ્રાહ્મણ રસોઈયે રાખ્યો હોય તો પણ તેના હાથનું રાંધેલું ન ખાનાર તેના જ જાતભાઈઓ ચેડા નીકળે. આથી જ્યાં ને ત્યાં ચૂલા માંડીને ઇસ્પિતાલમાં ગંદકી કરી મૂકેલી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #226
--------------------------------------------------------------------------
________________ 218 આપવીતી ' અમે પહોંચ્યા તે જ દિવસે વૃદ્ધ ભિક્ષુની આંખને એક મોતિયો ઉતાર્યો. પણ મોતિયો ઉતારવા પહેલાં જે સંભાળ લેવાવી જોઈએ તે લેવાઈ નહિ. હું પણ એ બાબતમાં તદ્દન અજાણે તેથી કંઈ કહી શક્યો નહિ. આસિસ્ટન્ટ સર્જન તેના સાહેબની વિરુદ્ધ બબડતો, પણ સાહેબ અમલદાર રહ્યા તેથી તે પણ કંઈ બોલી શકતો નહિ. મારે તેની જોડે ઠીક દસ્તી થઈ ગઈ અને ગોરખપુરમાં રહ્યો તે દરમ્યાન હું તેને જ ઘેર જમતો. અમારી જોડેના છોકરાને વૃદ્ધ ભિક્ષુની સેવા કરવા મૂકી તથા આસિસ્ટંટ સિવિલ સર્જનને તેની સંભાળ લેવાનું કહી હું શ્રાવસ્તી વગેરે બૌદ્ધ તીર્થક્ષેત્રે જોવા ગયો. સાથે પૈસા તે કાંઈ રાખવા નહોતા. તેથી ટપાલની ટિકિટ રૂપિયા દોઢ રૂપિયાની પાસે રાખી અને પેલા છોકરા મારફત આગગાડીની ટિકિટ મંગાવી હું બલરામપુર ગયો. ત્યાં હું સવારે પહોંચ્યા. . આ જગ્યાના કોઈ મહારાજ જમીનદાર છે. તેને વરસે દહાડે : સાઠથી સિત્તેર લાખની ઊપજ છે. મારે તો તેની પાસેથી કશું લેવાનું નહોતું. પણ ઉત્તર હિંદુસ્તાનના બીજા રાજારજવાડાની માફક આમણે પણ મુસાફરો માટે કંઈ સગવડ રાખી હશે, એમ વિચાર કરી હું છેક રાજમહેલ સુધી પહોંચ્યો. ચકીદારે તે મને રોક્યો જ, પણ બીજા કોઈએ પણ ત્યાં મારી ભાળ લીધી નહિ. અંતે રાજાના પુરોહિતને દીકરે મને મળ્યો અને તેણે મને પિતાને ઘેર તેડી જઈ જમાડવો. જમ્યા પછી મેં શ્રાવસ્તીને રસ્તો પકડ્યો. આજે આ સ્થળને સહ્યટ મઘટ કહે છે. આ જગ્યા બલરામપુરથી દસ માઈલને છેટે છે. હું સાંજે પાંચને સુમારે ત્યાં પહોંચ્યો. હાલમાં ત્યાં મનુષ્યની વસ્તી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #227
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા 219 બિલકુલ નથી. ચોમેર ઘેર જંગલ થઈ પડ્યું છે. નજીક જ અચિરવતી નદી (જેને હાલ લોકો રાબેતી કહે છે) વહે છે. અને આસપાસનું સૃષ્ટિસૌંદર્ય ભારે છે. અહીં મેં અનાથપિંડિકના આરામ (વિહાર)ની જગ્યા છે. હાલ તો આ જગ્યાએ મોટી મોટી ઇમારતની ઈટો અને માટીના ઢગલા વળ્યા છે. પુરાણવસ્તુસંશોધન ખાતાએ કેટલાંક ખંડેર ખોદી પુષ્કળ ઉપયોગી શિલાલેખો, બુદ્ધમૂતિઓ વગેરે વસ્તુઓ ભેગી કરી છે. પણ આ બાજુ કયાંય સંગ્રહસ્થાન ન હોવાથી તે બધું કલકત્તાના સંગ્રહસ્થાનમાં મોકલી દેવામાં આવ્યું છે. આ જગ્યા જોયા પછી રસ્તા ઉપરના એક ગામમાં જઈ રાત રહ્યો, અને બીજે દિવસે સવારે વાટમાં એક બ્રાહ્મણને ઘેર જમ્યા પછી સાથે રાખેલી (ટપાલની) ટિકિટમાંથી થોડી એક ગૃહસ્થને આપી ઉલ્કાબજારની ટિકિટ ખરીદી. આ સ્ટેશન નેપાળની સરહદ નજીક આવેલું છે. અહીંથી બુદ્ધનું જન્મસ્થાન લગભગ છવ્વીસ માઈલ પર છે. હું સવારમાં જ આ સ્ટેશને પહોંચ્યો. મારા પગમાં બરમી સપાટ હતાં તેનો મુસાફરીમાં ઉપયોગ થવાને બદલે અડચણ થવા લાગી. તેથી સ્ટેશનમાસ્તરને તેની ઑફિસમાં મૂકવા દેવા. મેં વિનંતિ કરી. સ્ટેશનમાસ્તર બંગાળી ગૃહસ્થ હતાં. તેમણે કહ્યું, “સપાટ મૂકવાની ના નથી, પણ તમે ક્યાં જાઓ છો? ક્યાંથી આવો છે? વગેરે જાણવાની મારી ઇચ્છા છે. આ ઘડીએ મારે સ્ટેશનનું જરૂરી કામ છે, પંદર વીસ મિનિટમાં હું પાછો આવીને આપને મળું છું. એટલી વાર થોભશો તે હું આપનો આભારી થઈશ.” મેં હા પાડી. તેણે અંદર જઈને પોતાનું કામ ઉતાવળે આપવા માંડયું. હું બહાર બાંકડા ઉપર બેસી રહ્યો. અર્ધા કલાકમાં તે પાછા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #228
--------------------------------------------------------------------------
________________ 220 આપવીતી બહાર આવ્યા અને મને કહ્યું: “હું પરવાર્યો. હવે મને આપની હકીકત કહે.” મારો ઉદ્દેશ ટૂંકમાં જણાવ્યું. તેણે કહ્યું : બ્રહ્મદેશથી કેટલાક જાત્રાળુઓ અગાઉ અહીં આવ્યા હતા. અહીંથી બુદ્ધજન્મસ્થાન ઘણું દૂર છે એમ મેં સાંભળ્યું છે. એ જાત્રાળુઓની વાત તે જુદી હતી કારણ કે તેમની પાસે પૈસા હોવાથી ગાડાં ભાડે કરી તેઓ ગયેલા, પણ તમારાથી પગે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે. છતાં બીજી એક સગવડ થાય એમ છે, અને તેથી જ મેં તમને થંભવા કહ્યું. અહીંથી સેહતગંજ સુધી નવી રેલવે લાઈન નીકળી છે. ઉતારુગાડીઓ હજુ ચાલુ નથી થઈ; ફક્ત માલગાડી વચ્ચે વચ્ચે આવે જાય છે. અહીં એક કાયસ્થ જાતિનો રેલવે સ્ટોરકીપર છે, તેને આજકાલ કોઈ ગાડી જવાની છે કે નહિ તેની ખબર હશે. જે ગાડી મળે એમ હોય તો તમે સેહરતગંજ સુધી માલગાડીમાં જાઓ. ત્યાં સોહરતસિંગ કરીને એક ક્ષત્રિય જમીનદાર છે તે સરસ માણસ છે અને મુસાફરોને ખૂબ મદદ કરે છે. મારું નામ લેશે એટલે તે તમને નેપાળની તરાઈ સુધી મુસાફરીની બધી સગવડ કરી આપશે.' સ્ટેશનમાસ્તરની આ સલાહ મને ગમી. તેણે પેલા સ્ટોરકીપરને બોલાવી મારી ગોઠવણ થઈ શકશે કે કેમ એ વિષે તપાસ કરી. સ્ટોરકીપર બહુ જ ભલો માણસ હતો. તેણે મને ઠેઠ સેહરતગંજ સુધી આરામપૂર્વક પહોંચાડવાનું માથે લીધું એટલું જ નહિ, પણ તે દિવસની મારી જમવાની * હિમાલયને તળેટીનો પ્રદેશ, જે બ્રિટિશ સરકાર તરફથી નેપાળને મળ્યો છે, તેને તરાઈ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #229
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા. 221 ગોઠવણ પણ તેણે પિતાને ઘેર કરી. જમ્યા પછી એક લારી સોહરતગંજ જતી હતી તેમાં તેણે મને ત્યાં પહોંચાડ્યો. સાંજે પાંચને સુમારે હું સહરતગંજ પહોંચ્યું, અને ત્યાંથી તરત જ સેહરતસિંગ બાબુને ઘેર ગયે. બાબુએ પિતાના રિવાજ મુજબ મારે સારે આદરસત્કાર કર્યો. અને પોતાની પાસેના એક બે બૌદ્ધ ગ્રંથે પણ મને બતાવ્યા. આ ગ્રંથ બૌદ્ધ જાત્રાળુઓએ તેને ભેટ આપ્યા હતા. આ ઉપરાંત તેની પાસે બૌદ્ધધર્મને લગતાં એક બે બીજાં પણ પુસ્તકો હતાં. રાતે મારે જમવું નહોતું. તે પણ તેણે પોતાના આશ્રિત એક પંડિતને ઘેર મારે માટે ગોઠવણ કરી આપી. પંડિતજીને સંસ્કૃત ભાષા સાધારણ આવતી હતી. પણ હું કાશીમાં ભણીને આવેલો તેથી તેમણે મારી સાથે વાગયુદ્ધ માંડવાની હિંમત ન કરી ! વળી તેના આશ્રયદાતાએ મને તેમને ત્યાં મોકલો તેથી મને કઈ પણ રીતે માઠું લાગે એવું વર્તન કરવામાં તેને લાભ નહોતો. બીજે દિવસે પંડિતજીએ “પક્કી' રસોઈ કરાવી મને જમાડ્યો. મને તો “ક” રસાઈ તેમ કરવું યોગ્ય ન લાગ્યું. જમ્યા પછી હું કપિલવસ્તુ જવા નીકળ્યો. સેહરતસિંગ બાબુને થોડા દિવસ ત્યાં રોકાઈ જવાને ઘણે આગ્રહ હતો * દૂધ, પૂરી, અને લોટ વગેરે ન અડકાડયાં હોય તેવું શાક, એને ઉત્તર હિન્દુસ્તાનમાં “પક્કી " રસાઈ કહે છે. ભાત અગર ચોખાની બનાવેલી બીજી કોઈ વસ્તુ હોય તો તે “કચ્ચી” રઈ ગણાય અને તે પવિત્ર માણસને ખપે નહિ ! ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #230
--------------------------------------------------------------------------
________________ 222 આપવીતી પણ પેલા વૃદ્ધ ભિક્ષુને ગોરખપુર મૂકી આવે તેથી તેને ખાતર મારે વધુ દિવસ ન ભાંગતાં ઉતાવળે પાછા જવું જોઈએ એમ કહી મેં તેને મનાવ્યો; પણ નેપાળની તરાઈમાં મને * ખૂબ હાડમારી પડશે એમ જાણી તેણે પિતાના વસવાયામાંથી એક વાળંદને મારી જોડે મોકલ્યો. બાબુએ વાળંદને સીધુંસામાન તથા વાટખરચી માટે એક રૂપિયે પણ આ. અહીંથી કપિલવસ્તુવાળી જગ્યા સાત માઈલ થાય; પણ તે સ્થાન વેરાન હોઈ તેના ઉપર શાલવૃક્ષનું જંગલ ઊગી ગયું છે. પાસે જનિશ્લિવા નામનું એક ગામ વસ્યું છે. આ ગામની પાસે અશોકે કોણગમન બુદ્ધના સ્મારક તરીકે બંધાવેલે એક પથ્થરને સ્તંભ ભાંગીને પડ્યો છે. આને અહીંના લોકે નિગાલી કહે છે, અને તે ઉપરથી જ આ ગામનું નામ નિશ્લિવા પડ્યું છે. સેહરતગંજથી બે માઈલને છેટેથી નેપાળની સરહદ શરૂ થાય છે. અને ત્યાંથી પાંચ માઈલ ઉપર આ નિશ્કિવા ગામ આવેલું છે. પણ નેપાળની તરાઈમાં રસ્તા એટલા તે ખરાબ કે કંઈ કહેવાની વાત નહિ. ખેતરમાં નાના નાના બંધ ઉપર થઈને ચાલવાનું. આ વખતે ખેતરમાં ખૂબ * પાણું ભરાયાં હતાં. થોડુંક ચાલીએ ને બંધ તૂટી તણાઈ ગર્યો હોય એટલે પાણીમાં થઈને ચાલવું પડે. આવા વિકટ માર્ગને લીધે અમે સેહરતગંજથી વહેલા નીકળ્યા હતા છતાં સૂર્યાસ્તને અર્ધો કલાક બાકી હશે ત્યારે નિશ્મિવા પહોંચ્યા. મારાં પીળાં વસ્ત્રો જોઈને ત્યાંના લોક કઈ અમને ઊભા પણ રહેવા ન દે. છેવટે પેલો વાળંદ કહે, “તમે આ લોકે પાસે કંઈ માગવું કે કહેવું રહેવા દે, હું જાતે જઈને પેલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #231
--------------------------------------------------------------------------
________________ બોદ્ધોની યાત્રા 223 ઘરમાં તપાસ કરી આવું છું, તમે અહીં રસ્તા પર જ * ઊભા રહે.” એની સલાહ માન્યા વગર બીજો રસ્તો ન હતો. સામે જ એક ખેડૂતનું ઘર હતું. ત્યાં જઈને તેણે બેઠેલા લોકેને કહ્યું કે, હું સહરતબાબુનો મહેમાન હતો અને તેમણે જ અહીં મોકલ્યા છે તથા પોતાને મારી બરદાસને સારુ સાથે મેકલ્યો છે. સેહરબાબુની પુષ્કળ જમીનદારી નેપાળની તરાઈમાં હોવાથી સોહરતબાબુને આ લોકે સારી પેઠે માનતા. આથી તેનું નામ સાંભળતાં જ તેમણે મને બોલાવીને મારો ખૂબ આદરસત્કાર કર્યો. મેં કહ્યું: “ગૃહસ્થ, થડા વખત પહેલાં તો તમે મારી સાથે બોલવા પણ નહોતા માગતા અને હવે એના એ જ તમે મારે આટલો બધો સત્કાર કરે છે.” તેમનામાંને એક જણ બોલ્યા, “મહારાજ, તમારે આ વિચિત્ર વેશ જોઈને અમે ગભરાયા. આવા માણસને અમે આશ્રય આપીએ તે નેપાળી સરકાર અમને હેરાન કરે એવી અમને બીક લાગી ! તમારા અંગ્રેજી રાજ જેવું અમારે ત્યાં નથી. અહીં તો નજીવી બાબતમાંયે અમારે બીને ચાલવું જોઈએ! શેને સારુ અમે દંડાઈએ અને શેને સારુ નહિ, એનું કંઈ જ ઠેકાણું નહિ. પણ જ્યારે અમે સેહરબાબુનું નામ સાંભળ્યું ત્યારે અમારી બીક જતી રહી. નેપાળી સરકારમાં સેહરબાબુનું વજન જમ્બર, તેથી તેમની તરફથી આવેલ માણસને આશ્રય આપવામાં અમારે લગીરે બીવાપણું ન હોય, એવી અમને પાકી ખાતરી થવાથી અમે આપને સત્કાર કરવા તૈયાર થયા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #232
--------------------------------------------------------------------------
________________ 224 * આપવીતી આ લોકોના કહેવા પ્રમાણે નેપાળી અમલદારે તરફથી આ લોકોને જુલમ સહન કરવો પડતો હશે કે કેમ તે કંઈ હું કહી શકતો નથી. એકાદ અજાણ્યા માણસને આશ્રય આપવામાં તેમના ઉપર એટલું બધું વીતે એ જરા ન માનવા જેવું તો ખરું જ. પણ નેપાળ સરકારનો મુખ્ય વાંક તો એ જ છે કે આ લોકમાં કેળવણીનો પ્રચાર મુદ્દલ નથી થયો. આ તરાઈના લેક અયોધ્યા વગેરે તરફના લોકે જેવા હતા, નેપાળી લોક જેવા નહિ. હિંદુસ્તાની ' કે જ અહીં વસ્યા છે, પણ ઉત્તર હિંદુસ્તાનના તેમના જાતભાઈઓના જેટલા આ લકે સુધરેલા નથી. કેળવણીની બાબતમાં આખું ઉત્તર હિંદુસ્તાન પછાત છે એમ અગાઉ કહી ગયો છું. તે પણ હિંદુસ્તાની લો કે અતિથિસત્કાર કરી જાણે છે. પણ આ નેપાળી તરાઈના કેમાં એ ગુણ દેખાતો નથી. આ લોક ખાસ નિર્દય છે, બીજાને ખપ લાગવાનું તેઓ જાણતા જ નથી, એમ મારી સાથેને વાળંદ કેટલીયે વેળા કહેતા. જોકે તે પોતે પણ નેપાળી સરહદ ઉપર જ રહેનારો હતો. કદાચ તેનાં સગાંસંબંધીઓ પણ આ ભાગમાં વસતાં હોય. છતાં તેને આ લેકેની એક જાતની બીક લાગતી. ગમે તેમ હો, પણ અમને સોહરતસિંગનું નામ ઠીક ઉપયોગી થઈ પડયું. જ્યાં જઈએ ત્યાં પેલે વાળંદ અગાઉથી એકાદ સારા ખેડૂત આસામીને ઘેર જઈને કહે કે, હું સહરતબાબુ પાસેથી આવું છું અને અમારી સાથે સીધુંસામાન વગેરે છે, માત્ર આશરે જોઈએ છે, એટલે એની મેળે જ બધી ગોઠવણ થઈ જતી ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #233
--------------------------------------------------------------------------
________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા 225 નિગ્લિવા ગામથી લુંબિન્દથી પૂર્વ તરફ ચૌદ માઈલ ઉપર આવેલ છે. રાતે એક ખેડૂતને ઘેર સૂઈ રહી બીજે દિવસે અમે સવારે જ લુબિન્દવી પહોંચ્યા. બુદ્ધભગવાનના જન્મસ્થાનથી દક્ષિણ તરફ બે ભાઈલને છે. લુબિન્દવી ગામ વસ્યું છે. પહેલાં અમે ગામમાં જવાને બદલે આ સ્થાનનાં દર્શન કરવા જ ગયા. બૌદ્ધ ગ્રંથમાં આ સ્થાનને લેબિનિયન કહ્યું છે. અહીં છૂટાંછવાયાં ખંડેરે અને તે ઉપર ઊગી નીકળેલ ઝાડનાં ઝૂંડ સિવાય બીજું કંઈ જ દૂરથી નજરે પડતું નથી. અમે અશોક સ્તંભ જોવા ગયા. “ભગવાન બુદ્ધ આ સ્થળે જમ્યા તેથી મેં જાતે આવીને આ સ્થાનની પૂજા કરી અને આ શિલાતંભ બંધાવ્યો છે,” એવી મતલબનું લખાણ અશોક રાજાએ આ પાષાણતંભ ઉપર કોતરાવેલ છે. કેટલાંક વર્ષો પહેલાં પુરાણવસ્તુસંશોધન ખાતાએ ખંડેરોનાં દટ્ટણમાંથી આ પાષાણતંભ ખોદી કાઢો. તેનો ઉપરનો ભાગ તૂટેલો છે અને નીચલો ફક્ત આઠથી દસ ફૂટનો ભાગ ઊભો છે. ખાડામાં ઊતરી જ્યારે તે શિલાલેખ મેં વાંચ્યા ત્યારે મારી આંખમાંથી દડ દડ આંસુ ખરવા લાગ્યાં. વાળંદ બિચારે મારી તરફ વિસ્મિત થઈને જોયા કરતો હતો ! પાંચ દસ મિનિટ હું તે સ્તંભ આગળ ઊભો રહ્યો. આ સ્થળનું આવી વિપન્નાવસ્થામાં પણ– દર્શન થયું તેને સારુ મને અત્યંત આનંદ - થયે. પણ તે બહુ વખત ન ટકી શક્યો. * આ માટી અને ઈટના ઢગલાઓમાંથી માયાદેવીની મૂર્તિ શોધી કાઢી તેના ઉપર એક નાનું મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિર નેપાળી સરકારે આપ્યું છે કે બીજા કોઈએ એની મને ભાળ ન લાગી. નેપાળી રાજ્યમાંથી એક તિબેટી લામા Jun Gun Aaradhak Trust P.P. AG. Gunratnasuri M.S. આ 16
Page #234
--------------------------------------------------------------------------
________________ 226 આપવીતી અહીં રહેતો હતો. તેણે ભીંત ઉપર કાઢેલ કેટલાંક ચિત્રો અને લખેલા મંત્રો મેં જોયા. માયાદેવીની મૂર્તિ તદ્દન ખંડિત થઈ . ગઈ છે, તો પણ બૌદ્ધ પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે બુદ્ધ જન્મને દેખાવ આ મૂર્તિમાં દેખાડવામાં આવ્યો છે. બ્રહ્મા જાતે આવી જન્મેલા બાળકનું ગ્રહણ કરે છે, ઈટ બનાવો આ મૂર્તિમાં કરેલા છે. પણ દુઃખની વાત તો એ છે કે આજે આને લંબિન્દવી નામ આપી એના મેં આગળ લોકે પશુઓના ભોગ ચડાવે છે ! હું ગમે ત્યારે મંદિરની બહારની જગ્યા બધી લેહીથી તરબોળ હતી ! આ દેખાવ જોઈ મને કમકમાટી છૂટી અને ચિત્ત ઉદ્વિગ્ન થઈ ગયું. જેણે દુનિયાનાં દુઃખોનું શમન કરનાર અને પ્રાણીમાત્રને વિષે કરુણા બતાવનાર હિંદુસ્તાનના શ્રેષ્ઠ પુરુષને જન્મ આપ્યો, તે જ દયાળુ માતાની મૂર્તિ આગળ સેંકડે મૂગાં પ્રાણીઓનો ભેગ અપાય, એના જેવું અજ્ઞાન, અવિચાર કે દુઃખદાયક વાત બીજી કઈ હોય? પણ આ સ્થિતિ બદલવાનો કશે જ ઉપાય મારા હાથમાં નહોતો. અને તેથી ચિત્તક્ષેભથી કશું જ ફળ નીપજે એમ નહોતું. તેથી ફરી એક વાર આ સ્થળને નિહાળી, જેમતેમ મનનું સાંત્વન કરતો હું લુબિન્દવી ગામમાં ગયે. લુંબિદેવીમાં કોને ઘેર જ, અને પછીની મુસાફરી કેવી રીતે કરી, એ મને બિલકુલ યાદ નથી રહ્યું. આનું કારણ એ કે માયાદેવીના મંદિર આગળ જોયેલ દેખાવ મારા મનમાંથી કેમે કર્યો ખસે નહિ. અને તેથી એક જાતનું નિરાશામય દુઃખ મને થયા કરતું. ભગવાનપુરથી ઉસ્કાબજાર સુધી વાળંદ અને હું પગરસ્તે ચાલતા આવ્યા. વાળંદ પાસેના પૈસા કે સીધાસામગ્રીમાંથી કંઈ જ વપરાયું નહોતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #235
--------------------------------------------------------------------------
________________ બદ્ધક્ષેત્રની યાત્રા 227 ગોરખપુર જવાની ટિકિટને માટે જોઈતાં નાણું પૂરતી ટપાલની ટિકિટો સ્ટેશનમાસ્તરને આગળથી જ આપી રાખી હતી. આથી પૈસાની મને જરૂર નહોતી. તેથી વાળંદ પાસેનો રૂપિયે તથા બધે સામાન તેને જ આપી દઈને સ્ટેશને આવી હું ગોરખપુર ગયે. - પેલા વૃદ્ધ ભિક્ષુની આંખ તદ્દન બગડી ગઈ અને તે સારુ તેણે ડાકટરને જ નહિ, પણ મને સંપૂર્ણ દોષ દીધે. પણ બન્યું ન બન્યું થાય એમ નહતું. તેને લઈને હું કુશિનારા આવ્યો અને તેને ધર્મશાળામાં મૂકી બ્રહ્મદેશની સફરની તૈયારીમાં ગૂંથાય. આ એક વર્ષમાં મેં ઠીક દેશાટન તીર્થાટન કર્યા. જુદા જુદા લોકોના સંબંધમાં આવ્યો. તેમાંયે ખાસ કરીને ઉપર વર્ણવ્યા પ્રમાણે કુશિનારા, બુદ્ધગયા, રાજગૃહ, શ્રાવસ્તી, કપિલવસ્તુ અને લંબિનિવન એટલાં સ્થળોની યાત્રા મેં કરી. આથી આ પ્રકરણનું નામ “દ્ધિક્ષેત્રની યાત્રા' આપ્યું છે. આ બધાં ક્ષેત્રમાં બુદ્ધનું જન્મસ્થાન લુંબિન્દવી, ભગવાન બુદ્ધને બુદ્ધ પદનો લાભ થય તે બુદ્ધગયા, ભગવાને પહેલો ઉપદેશ આપ્યો તે સારનાથનું સ્થાન અને પરિનિર્વાણ પામ્યા તે કુશિનારા, આ ચાર ક્ષેત્રોને બદલેકે અત્યંત પવિત્ર ગણે છે. * * રૂ તથા તો વાતતિ....રૂધ તથા ૩નુત્ત સન્મसंबोधिं अभिसंबुद्धोति...इध तथागतेन अनुत्तरं धम्मचक्कं पवत्तितंति...इध तथागतो अनुपादिसेसाय निबानधातुया परि-. निबुतोति आनंद सद्धस्स कुलघुत्तस्स दस्सनीयं संवेजनीयं ठानं // - : —–મહાપરિનિરવાનપુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #236
--------------------------------------------------------------------------
________________ 15 વળી બ્રહ્મદેશ ચંદ્રમુનિએ ખેજારીને કાગળ લખી કલકત્તાથી બરમા જવાને જોઈતાં નાણાંની મને અગાઉથી જ ગોઠવણ કરી દીધી હતી. મારી સાથે બુદ્ધગયાવાળા સિંહલી ઉપાસક હતા એમ લાગે છે. તે કુશિનારા આવ્યા હતા, અને ત્યાંથી તેમને પણ બરમાં જવું હતું. તહસીલદૌરિયાથી કલકત્તાની ટિકિટના પૈસા મહાવીર ભિક્ષએ અપાવ્યા. આ વખતે હું કલકત્તામાં એક કે બે દિવસ જ હતું. ત્યાંથી રંગૂન ગયો. રંગૂનમાં મને જ્ઞાનત્રિલોકનો મેળાપ થયો. તેને પણ માંડલે જઈ થોડા દિવસ સગાઈના ડુંગર પર રહેવું હતું. તે મુજબ અમે બંને માંડલે ગયા, અને સગાઈ જઈ ઊ* રાજેન્દ્રના વિહારમાં રહેવા લાગ્યા. અહીં સંખ્યાબંધ નાની મઢીઓ અને ઉપરાંત ચાર પાંચ ગુફાઓ હતી. આવી જાતના વિહાર આ ડુંગરમાં ઓછામાં એાછા પચાસ સાઠ હશે. માંડલે અને સગાઈ ગામના લેકે પાસેથી ભિક્ષુઓને અન્નસામગ્રી પહોંચાડવામાં આવતી. અહીં કેટલીક દશશીલધારિણે સંન્યાસિનીઓ પણ વસે છે. તેઓ ગૃહસ્થો પાસેથી અન્નસામગ્રી મેળવી ભિક્ષુઓને રાંધેલું ભજન આપે છે. કોઈ જગ્યાએ વળી વિહારમાં જ એકાદ ઉપાસક - * બારમી ભાષામાં માનવાચક શબ્દ છે. તે ભિક્ષના કે મોટા પુરુષોના નામ આગળ લગાડવામાં આવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #237
--------------------------------------------------------------------------
________________ વળી બ્રહ્મદેશ 229 - ભોજન તૈયાર કરી ભિક્ષુઓને આપે છે અને પિતાનું પણ .. ઉદરપોષણ કરે છે. સંન્યાસિનીઓને આશ્રમ ભિક્ષુઓના આશ્રમથી ઘણે દૂર છે અને ત્યાં ભિક્ષુઓને જ નહિ પણ બીજા પુરુષોને પણ ગમે તે વખતે જવાની મનાઈ હોય છે. આવા એક આશ્રમમાં 250 થી 300 સંન્યાસિની રહે છે એમ કહેવાય છે. હું સગાઈ ડુંગર પર હતો તે વખતે આ આશ્રમની મુખ્ય સંન્યાસિની બરમાના એક પ્રખ્યાત કુટુંબની બાઈ હતી. તેને ત્રિપિટક - ખાસ કરીને અભિધર્મપિટક - ગ્રંથ બહુ જ સરસ આવડતો. છેલ્લા ગ્રંથનાં તો કેટલાંક પ્રકરણનાં પ્રકરણ તેને મોઢે હતાં! આથી બૌદ્ધ તત્ત્વજ્ઞાન વિષે તેની સાથે ચર્ચા કરતાં સાધારણ ભિક્ષુઓ અચકાતા. . આવો એક સંન્યાસિનીઓનો આશ્રમ અમારા આશ્રમથી ખૂબ આઘે નદીને તીરે હતું. હું અને જ્ઞાનત્રિલોક ત્યાં ભિક્ષા લેવા જતા. ખાવાનું સવારે દશ પહેલાં પતી જતું. અને દિવસને બાકીનો ભાગ અમને ધ્યાનભાવનાદિ માટે મળતો. ઉત્તર નામે એક ધ્યાન કરતાં શીખવનાર સ્થવિર અહીં રહેતો હતો. તેની પાસે જઈ અમે રોજ ધ્યાનનો માર્ગ (કર્મસ્થાન) શીખવાનું શરૂ કર્યું. પણ તે અમારી ભાષા ન સમજી શકે તેમ તેને પાલિ પણ પૂરું બોલતાં ન આવડે. આથી અમારી બાજુના વિહારમાંથી પાલિભાષા જાણનાર એક જુવાન ભિક્ષને અમે સાથે લઈ જતા. સ્થવિર બારમી ભાષામાં કહે તેનું ભાષાંતર પેલો તરણ ભિક્ષુ પાલિભાષામાં કરે અને પછી હું જ્ઞાનત્રિલોકને તે અંગ્રેજીમાં સમજાવું! પહેલાં તે ઉત્તરાચાર્યે અમને “અરહ’ શબ્દ બની લિપિમાં આંખ સામે રાખી તે ઉપર ધ્યાન કરવા કહ્યું. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #238
--------------------------------------------------------------------------
________________ 230 . આપવીતી પ્રમાણે અમે જુદી જુદી જગ્યાએ બેસી ધ્યાનની શરૂઆત કરી. બે દિવસ પછી અમારો અનુભવ આચાર્યને જણાવવાનો હતો. અમારા વિહારની આગળની બાજુએ એક ખૂબ ઊંચી ટેકરી હતી અને તે ટેકરીની ટોચ ઉપર એક નાની શી ભાગલી ગુફા હતી. ત્યાં જઈને હું આખો દિવસ ધ્યાન કરતો. અહીંથી નીચે ઇરાવતી નદીને મેટ પટ અને તેની આસ-- પાસને રમણીય પ્રદેશ દેખાતો. સૂર્યાસ્તને વખતે પણ અહીંથી અત્યંત સુંદર દેખાવ જોવા મળતો.. જ્ઞાનત્રિલોક બીજે આવે જ ઠેકાણે બેસતા. પણ તેનું ચિત્ત ધ્યાનમાં ચેટે નહિ. અરહું ને “અ” તેની આંખ આગળ બરાબર ઠરે. પણ ર” આંખ સામે લાવતાની સાથે જ “રને પૂછડાં ફૂટી તેના સર્પ બની જાય અને પછી ધ્યાનમાં વિઘા આવે ! માત્ર મને આ શબ્દનું ધ્યાન બરાબર કરતાં આવડયું. આચાર્યને અમે અમારે અનુભવ કહ્યો, એટલે તેમણે અમને પછીનું પગલું બતાવ્યું. તે એમ હતું કે, આંખો મીંચીને આ શબ્દ ઉપર ધ્યાન કરતાં કરતાં જે જે કંઈ દેખાવો દેખાય તેનું બરોબર અવલોકન કરી તે અમારે આચાર્યને કહેવા. મારી આંખ આગળ શરૂઆતમાં તો બે ધોળાં કમળ અને પાછળથી આથમતો સૂર્ય દેખાવા લાગ્યાં. આચાર્યે આ દેખાવ સારા છે એમ કહી તેને ઉપર જ ધ્યાન કરવાનું ચાલુ રાખવા કહ્યું. પણ જ્ઞાનત્રિલોકની આંખ આગળ દેખાવો કેમે કર્યો કરે નહિ અને તે સારા પણ ન હતા. કોઈ કોઈ વાર તેને ખાવાની વસ્તુ દેખાય, તે કઈ વાર સર્પ દેખાય ! તે વખતે જમવાની બાબતમાં અમારે વેઠવું પડતું અને એકંદર સંજોગોથી તેનું ચિત્ત જરા ભ્રમિત જેવું થઈ ગયું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #239
--------------------------------------------------------------------------
________________ વળી બ્રહ્માદેશ 231 આના ઉદાહરણ તરીકે એક વાત અહીં રજૂ કર્યું. જે ગુફામાં અમે રહેતા તેને બારણું નહોતું અને હોત તો પણ તે બંધ કરીને સૂવાનું બને એમ નહતું. કારણ કે હવા આવવાને સારુ દરવાજા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. આ ગુફાના બે ભાગ હતા. એક અંદર અને બીજો આગળને. બંને એટલા તે સાંકડા કે અંદર બે ખાટલાથી વધુ કશું રહી શકે એમ નહોતું. બહારનો ભાગ જરા પહોળે હતો. ત્યાં એક ખાટલો નાખી હું સૂતો અને અંદરના ભાગમાં બીજા એક ખાટલા ઉપર જ્ઞાનત્રિલોક સૂતો. તે અંદર એટલા સારુ સૂતો કે વાઘ વગેરે હિંસક પ્રાણીઓની તેને બીક લાગતી. એક દિવસ રાતે સૂતા પહેલાં મારાથી મશ્કરીમાં સહેજે કહેવાઈ ગયું : “ધારો કે આ ગુફાનું માં નીચે તૂટી પડે અને આપણે અહીં દબાઈ જઈએ તો આપણી શી દશા થાય! બે ત્રણ દિવસે આપણને ખોદીને બહાર કાઢે. પણ તેટલો વખત આ અંધારી ઓરડીમાં ગોંધાઈ ગૂંગળાઈ ભરવું પડે! તારા ભાગને તો મારા કરતાંયે વળી વધુ જોખમ છે. કેમકે તું ગુફાના પેટમાં ઊડે પેઠે છે!' મારી આ વાતની જ્ઞાનત્રિલોકના ભ્રમિત ચિત્ત ઉપર બહુ વિચિત્ર અસર થઈ! તેણે એની એ અંદરની એારડીમાં સૂવાની સાફ ના પાડી ! અને મને કહે, “જો તમે તમારી જગ્યા મને આપશો તે જ હું અહીં રહીશ, નહિ તો મારે આ ગુફા છોડી જવી રહી. આ ગુફાની અંદરના ભાગમાં તે હું કદી રહેનાર નથી.” મેં મારી આગલી જગ્યા તેને આપી અને બંનેએ પોતાના ખાટલા બદલી નાંખ્યા. આમ જ્ઞાનત્રિલોકનું . ચિત્ત ધ્યાનમાં ન ચાટવાથી તે સગાઈ છેડી રંગુન ગયા. પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #240
--------------------------------------------------------------------------
________________ 232 આપવીતી મેં તો સગાઈમાં જ રહેવાનો નિશ્ચય કર્યો. કુશિનારાથી ૧૯૦૪ના ડિસેંબરમાં હું પ્રથમ સગાઈ આવેલા. મેં અને જ્ઞાનત્રિલે કે ત્યાં બે ત્રણ મહિના કાઢયા. ૧૯૦૫ના જાન્યુઆરીમાં જ્ઞાનત્રિલોક રંગૂન પાછો ગયો. આ જ અરસામાં મને જમવાની વધુ ને વધુ મુશ્કેલી પડવા લાગી. અમને અન્ન આપનારી સંન્યાસિનીઓ ત્યાંથી ધીરે ધીરે બીજે ઠેકાણે ગઈ આ સ્ત્રીઓ અને કેટલાક ભિક્ષુઓ અહીં શિયાળો ગાળવા પૂરતા જ આવી વસે છે. શિયાળામાં આ પ્રદેશ સુખકારી લાગે છે. ટાઢને ઝાઝો ત્રાસ હોતો નથી. પણ ઉનાળે થયો કે અહીંના ખડકે તાપને લીધે ધખી ઊઠે છે અને ભારે ત્રાસ થવા લાગે છે. પાણીની પણ ખૂબ હાડમારી હતી. અમારા વિહારના એક બે ભિક્ષુ સિવાય બાકીના માર્ચ મહિનાના અરસામાં બીજી તરફ ગયા અને જે બાકી રહ્યા તેમને ભિક્ષા સારુ સગાઈ શહેરમાં જવું પડતું. અમારા વિહારથી શહેર અઢી ત્રણ માઈલ હતું. ત્યાં પણ ઘેર ઘેર ફરીને પૂરતું અન્ન મેળવતાં મુશ્કેલી પડતી અને જવાઆવવાનો થાક પણ મારાથી સહન થઈ શકે એમ નહોતો. અમારી પડોશમાં પાંડવ સ્થવિર વિહાર હતો. ત્યાં મને એક નાની ઝૂંપડી મળે એમ હતી અને તે સ્થવિરના અનેક શિષ્યો હોવાથી જમવાને લગતી હાડમારી પણ મટે એમ હતું. ઉપરાંત, સ્થવિર અને તેના શિષ્યો શાકાહારી હતા અને બધું અન્ન વિહારમાં જ રંધાતું. તેથી મેં સ્થવિર પાસે જઈ આશ્રયને માટે પૂછયું. આ સ્થવિર પાલિભાષાના જ્ઞાનમાં ખૂબ પંકાતા. પણ મારી પાલિભાષા તેને સમજાય નહિ, અને છતાં એ વાત કબૂલ કરવી તેને ગમે નહિ ! આથી તે ગુસ્સે થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #241
--------------------------------------------------------------------------
________________ વળી બ્રહ્મદેશ અધકચરી પાલિમાં મને કહે, “તમારા પાલિ ઉચ્ચાર બહુ જ ખરાબ છે. “ચ વર્ગને ઉચ્ચાર સંસ્કૃતના નિયમ પ્રમાણે કરવાને બદલે તમે બરમી ઢબે કરતા જાઓ.” મેં કહ્યું : “મહારાજ, મારા ઉચ્ચાર પ્રમાણે જ સિલોની લોકોના ઉચ્ચાર હોય છે. તેથી બારમી ઉચ્ચાર જ ઉત્તમ છે એમ જ કંઈ ન કહેવાય. પણ ઉચ્ચારની બાબતમાં વાદવિવાદ કરવાનું પ્રયોજન નથી; અર્થ ઉપર નજર રાખીને જ વર્તવું, એવો બુદ્ધગુરુને ઉપદેશx છે. આથી મારા ઉચ્ચાર આપને પસંદ ન હોય તો તે સામું ન જોતાં મારા કહેવાની મતલબ તરફ જુઓ એટલે થયું.' આથી તો પાંડવ સ્થવિર ધૂંઆપૂંઆ થઈ ગયા અને તાડૂકી ઊઠયા: “તમારા અને સિંહલી લોકોના ઉચ્ચાર મળતા આવે એમાં શી નવાઈ? આવા ઉચ્ચારને લીધે જ હિંદી અને સિંહલી લોક બૌદ્ધધર્મથી ભ્રષ્ટ થવા લાગ્યા છે ! હિંદુસ્તાનમાં ઈસ્લામ, ખ્રિસ્તી વગેરે ધર્મોનો પ્રચાર ધમધેકાર વધતો જાય છે, અને બૌદ્ધધર્મ જુઓ તો એકેએક હિંદીએ તજી દીધે છે. સિલોનમાં પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર સભેર વધતો જાય છે!' આ સ્થવિર સાથે પાલિ શબ્દોના ઉચ્ચાર વિષે વધારે વાદમાં ઊતરવું વ્યર્થ છે એમ જોઈ મેં તેમની રજા લીધી. * દાખલા તરીકે બરમી લેકે “સચ્ચ” શબ્દને ઉચ્ચાર હિસ્સા” કરે છે. xअत्थं हि नाथो सरणं अवोच न व्यंजनं लोकहितो महेसि / तस्मा अकत्वा. रतिमक्खरेसु अत्ये निवेसेय्य मतिं मुतीमा / - कंखावितरणी * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #242
--------------------------------------------------------------------------
________________ 234 . આપવીતી પણ જતાં જતાં મને રહેવા સારુ ઝૂંપડી મળી શકશે કે કેમ એ ફરી એક વાર પૂછી જોયું. સ્થવિરે, પોતે વિચાર કરી બીજે દિવસે જવાબ આપશે, કહી મને વિદાય કર્યો. બીજે દિવસે જગ્યા મળી શકે તેમ નથી એમ તેમણે કહેવરાવ્યું. ખલાસ! મારા “ચ” વર્ગના ઉચ્ચારે બધો મામલો બગાડ્યો. હવે બીજે કંઈ શોધ કરી જેવી એમ ધારી કોઈની ઓળખાણથી હું એક ટેકરી પર આવેલા વિહારમાં ગયા. ત્યાં એક મધ્યમ વયનો ભિક્ષુ અને બે ત્રણ નાના ગ્રામસેર રહેતા હતા. તેમણે જગ્યા આપવા હા પાડી, માત્ર જમવાની ગોઠવણ નથી એમ કહ્યું ! ત્યાંથી એક માઈલ છેટે ઈરાવતીને તીરે કેટલીક સંન્યાસિનીઓ રહેતી, અને નદીને ઉપરવાસ એક ગામ પણ હતું. બને તો આ જગ્યાએ રહી મારી સાધના આગળ ચલાવવી એમ મેં ઠરાવ્યું. પંદર વીસ દિવસ તે જેમ તેમ કરીને ચલાવ્યું. પણ ડુંગર ચડવા ઊતરવાની મહેનત અને બરમી કેના તેલમાં વઘારેલા તળેલા પદાર્થો ખાઈ ખાઈ મને એકાએક ભયંકર તાવ ચડ્યો. વળી આ વિહારનું પાણી પણ તદ્દન ગંદુ હતું. એક મોટા હાજમાં વરસાદનું પાણી ભરી લેવામાં આવતું, તે જ બીજું માસું આવે ત્યાં સુધી વપરાતું. નીચે ઊતરવાની મારામાં જ્યાં સુધી શક્ત હતી ત્યાં સુધી તો ઇરાવતીનું જ પાણી હું પીવાને સારુ લઈ આવતો. પણ તાવને લીધે માંદે પડવાથી હાજનું પાણી પીધા વગર છૂટકો ન રહ્યો. એટલે આ પાણીને ઉકાળી ગાળીને પીવા લાગ્યા. તોપણ મારાથી તે પિવાય. નહિ! ચાર પાંચ દિવસ આમ હેરાન થયા બાદ હું આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #243
--------------------------------------------------------------------------
________________ 235 વળી બ્રાદેશ જગ્યાથી ખૂબ કંટાળ્યો. અને સહેજ સુવાણ થતાં જ મેં શરીરને ઉપાડી માંડલે શહેરમાં લઈ જઈ નાંખ્યું. માંડલેમાં હું ઊી ત્રિલોક સ્થવિરના આશ્રમમાં રહેતાતેમને શુદ્ધ પાલિ ભાષા બોલતાં આવડતું. અને સદ્ભાગ્યે તેમના ઉચ્ચાર અને મારા ઉચ્ચાર સરખા હતા! વ્રતનિયમાદિ પાળવાની બાબતમાં પતે ખૂબ પંકાતા. કેઈ ભિક્ષુ સવારે મોડો ઊઠતો તો તેને કહેતાઃ “આ માંડલે શહેરમાં નાની નાની છોકરીઓ પરેટિયામાં ઊઠી તમારે સારુ રાંધી રહી છે, અને તમે તે અન્ન ઉપર જીવનારા નિરાંતે ઘોરો છો એની શરમ નથી આવતી?” મોડા ઊઠનાર ભિક્ષુઓ માટે તેમણે સજા ઠરાવી હતી. તે એ કે, તેણે આશ્રમનાં ઝાડને પાણી પાવું અને બુદ્ધભૂતિ પાસે અમુક ઘડા પાણીના ભરીને રાખવા. એક દિવસ સવારે ત્રિલોકાચાર્યને પોતાને મેં આ કામ કરતા જોયા. મેં આશ્ચર્યથી પૂછયું : “ગુરુજી, આજ આપ આ સજાનું કામ કરે છે એ શું?' તેમણે કહ્યું, “આજ હું મોડે ઊડ્યો.” મેં કહ્યું, “પણ આ નિયમ તો આપે શિષ્યોને પાળવા સારુ કર્યો છે; તે આપને પોતાને શી રીતે લાગુ પડે ?" આચાર્ય કહે, “આયુષ્મન ! આપણે જે કાયદા કરીએ તે કંઈ તોડવા સારુ નથી કરતા. જ્યાં સુધી સારા કાયદાઓને માન આપીને આપણે ચાલીએ ત્યાં સુધી જ આપણી ઉન્નતિ. થાય છે. કાયદે આપણા બધાના કરતાં ઉચ્ચ સ્થાને છે, એમ માનીને આપણે બધાએ અંતઃકરણપૂર્વક તેને અનુસરવું જોઈએ. બીજે એક દિવસે મેં ત્રિલોકાચાર્યને માંડલે શહેરમાં કાદવવાળા રસ્તામાં ભિક્ષાને સારુ ફરતા જોયા. સાઠ વર્ષની ઉમરે પહોંચેલા આ વૃદ્ધ સ્થવિરને વરસતે વરસાદે ગારાકીચડમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #244
--------------------------------------------------------------------------
________________ 236 આપવીતી ફરતા જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું ! વિહારમાં આવ્યા પછી મેં તેમને પૂછ્યું: “ગુરુજી, આજે વરસાદ હતું છતાં . આપ ભિક્ષાને સારુ ગયા એ કેમ?' તેમણે જવાબ આપ્યોઃ “આયુષ્મન ! જે હું જાતે ન જાઉં તો વિહારના બધા ભિક્ષુઓને પૂરું થાય એટલું શાકભાજી વગેરે ન મળે. તરુણ ભિક્ષુઓને ગામમાં કોઈ ઓળખતું ન હોવાથી તેમની કેઈ દરકાર કરતું નથી અને નર્યો ભાત આપી તેમને વિદાય કરે છે. તેથી વરસાદ કે કાદવકીચડ છતાં જાતે ભિક્ષા સારુ નીકળું છું. હું ચારે ચીજ જમું અને ભિક્ષુઓ લૂખે ભાત ખાય એ મારાથી કેમ જોવાય?” આ વાત અહીં કહેવાનું કારણ એટલું જ કે, ત્રિલોકાચાર્ય જેટલા કડક હતા તેટલા જ દયાળુ હતા તે વાચકો સમજી શકે. ત્રિલોકાચાર્યની મારા ઉપર પૂરી કૃપા હતી. મને મહેમાન * ગણું તેમણે વહેલા ઊઠવાનો નિયમ મને લાગુ ન પાડયો. વિહારમાંથી વાળવાઝૂડવાનું કામ પણ મને નહોતું આપ્યું. ઉપરાંત ગામના કેટલાક ગૃહસ્થોને ખાસ કહેવરાવી હિન્દી રીત પ્રમાણે બનાવેલાં શાકભાજી મને મળે એવી પણ તેમણે ગોઠવણ કરી ! લગભગ દસ બાર ગૃહસ્થને ઘેર હું જતો અને થોડી થોડી ભિક્ષા લઈ વિહારમાં પાછો આવતે. એક માંડલે શહેરમાં દસ હજાર ભિક્ષુઓ અને ત્યાંના લોકે કંઈ એવા શ્રીમંત નહિ. તેથી ઘણા ભિક્ષુઓને ભિક્ષા મેળવવી મુશ્કેલ થઈ પડતી. સોએક ઘર ફરે ત્યારે માંડ પેટપૂરતો ભાત મળે. નવા ભિક્ષુને તે દાળશાક મેળવવાનું લગભગ અશક્ય જ હતું. . તે પણ હું પરદેશી તેમ જ ન ભિક્ષુ છતાં મને અહીં ઠીક ફાવતું. માંડલેનું પાણું પણ સારું હતું એટલે એકંદરે મને સગાઈ P.P.As. Gunratnasuri M.S. .: Jun Gun Aaradhak Trust
Page #245
--------------------------------------------------------------------------
________________ 237 વળી બ્રાદેશ કરતાં અહીં ઠીક ગોઠતું. પણ કેટલાક દિવસ પછી બરમ લેકેનું રાંધેલું અન્ન મારી તબિયતને માફક ન જ આવ્યું. એક તો દૂધ, ઘી વગેરે લગભગ મળતાં જ નહિ, શાકમાં તેલ હોય અને તે પણ કેટલીક ચીજોમાં તે કાચું. આથી મને ભારે ત્રાસ થવા લાગ્યો. અધૂરામાં પૂરું માંડલેની હવા. પણ મે મહિના લગભગમાં બહુ સખત હોય છે. તેથી મેં ત્યાંથી મોમિન જવાનું નક્કી કર્યું. બૌદ્ધધર્મના પ્રચાર માટે તે વખતે માંડમાં એક સભા સ્થપાઈ હતી. ભિક્ષુઓને મદદ કરવી, વ્યાખ્યાન આપવાં, બરમભાષામાં બૌદ્ધધર્મ વિષે પુસ્તકે પ્રસિદ્ધ કરવાં, વગેરે કામ આ સભા કરતી. આ સભાએ રંગૂન સુધીની ટિકિટ મને કઢાવી આપી. પછીની મુસાફરી મેં આગબોટ રસ્તે કરી. માંડલે અને માલમિન શહેરના વિહારમાં જમીન આસમાનનો ફેર છે. મોલિમિનના કેટલાક વિહારો માંડલેના બરમી રાજાઓના વખતના વિહારને પણ આંટે એવા છે. અહીંના વેપારીઓ ખૂબ શ્રીમંત હોવાથી તેમણે મોટા મોટા વિહાર બંધાવ્યા છે. આ વિહારમાં સોનાના વરખનાં નકશીકામ કરેલાં છે. માત્ર અહીં માંડલે જેટલા ભિક્ષુઓ નથી. માટે વિશાળ વિહાર હોય પણ તેમાં ચાર પાંચ ભિક્ષુ રહેતા હોય ! અહીં ભિક્ષુઓને દાન પણ ખૂબ મળતાં. ચાતુર્માસમાં તે અનેક સ્થળે સાર્વજનિક દાન અપાય. આવે વખતે તે ભિક્ષુઓને એક એક મજૂરને સાથે લઈને જવું પડે ! અહીં હું જ સાગર સ્થવિરના વિજયંત વિહારમાં રહેતા હતો. આ વિહાર ખૂબ મટે છે. પણ હું તો સ્તૂપને પડખે એક નાની ઓરડી હતી તેમાં રહેતો. જે દિવસે વરસાદ ન .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #246
--------------------------------------------------------------------------
________________ 238 આપવીતી હોય તે દિવસે બપોરે હું પડોશમાં આવેલી ટેકરી ઉપર જઈને બેસતો. અહીંથી નીચેના પ્રદેશનો દેખાવ બહુ રમણીય દેખાતો. આ વિહારમાં પણ મારી જમવાની હાડમારી એવી ને એવી જ ચાલુ રહી ! માંસમાછલી વિનાનું ભેજન મળવું અશક્ય હેવાથી બાફેલા મગ, ભાત અને ડમ્બાને માખણ પર મારે દિવસો કાઢવા પડતા. કોઈ વાર દહીં મળતું. અને કેટલાક દિવસ સુધી એક હિન્દુસ્તાની સિપાઈ મારે સારુ દાળ મોકલતા. આટલી હાડમારી છતાં માંડલે કરતાં અહીં મારા દિવસે ઠીક ગયા. ચાતુર્માસ પૂરો થયા પછી પ્રજ્ઞાસ્વામી સ્થવિરે મને પિતાના વિહારમાં રહેવા લાવ્યો. સાગર સ્થવિરની રજાથી - હું ત્યાં રહેવા ગયો. પ્રજ્ઞાસ્વામી સ્થવિરને હું “મુગ્ધબોધ' વ્યાકરણ શીખવતો, અને તે મને અભિધર્માર્થસંગ્રહ શીખવતા. પરંતુ અહીં સુધ્ધાં તેલવાળો ખોરાક ખાવો પડતો, તેથી મારી તબિયત વળી પાછી બગડી. એક પારસી દાક્તરની દવા કરી જોઈ પણ કંઈ ફાયદો ન થા. હવે હું સાવ કંટાળે. જીવવું અકારું થઈ પડ્યું. એક દિવસ તો દાક્તરે પગે ચેળવી દવા આપેલી તે પર ઝેર (Poison) એમ લખ્યું હતું. તે રાત્રે આ દવા પીને જીવનો અંત આણવાનો વિચાર મારા મનમાં કેટલીયે વાર આવ્યો ! અંતે તે બાટલીને બારી વાટે બહાર ઢોળી નાંખી હું ઊંઘી ગયો ! - , થડા દિવસ હવાફેર કરવાનો વિચાર કરી હુમલમિનની પેલી મેર આવેલ “બિલૂચાઊન' નામે બેટમાં રહેવા ગયો. ત્યાં ઘીચ જંગલવાળી એક ટેકરી પર એક નાની ઝૂંપડીમાં હું રહેતો. થેડેક છે. કેટલાક ભિક્ષુઓ રહેતા હતા. પણ રાતે હું મારી ઝૂંપડીમાં એક જ સૂતો. અહીં પણ મારી તબિયત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #247
--------------------------------------------------------------------------
________________ વળી બ્રહ્મદેશ 239 સારી ન રહી. મોલમિનથી પાંચ છ માઈલને છે. એક જંગલમાં લાકડાની કેટલીક સુંદર ઝૂંપડીઓ હતી. ત્યાં કેટલાક ભિક્ષુઓ રહેતા. ત્યાં આગળ પાણીના ઝરા પણ બહુ સુંદર છે. ત્યાં જઈને હું પંદર વીસ દિવસ રહ્યો. મારી ઝૂંપડી બીજી ઝૂંપડીઓથી ખૂબ દૂર હતી. વળી આ જંગલમાં વાઘને ભો પણ ઠીક હતો. પણ મને આ હિંસક પશુઓ તરફથી કશી હેરાનગતિ ન થઈ માત્ર જમવાની બાબતમાં મારી હાડમારી ટળી નહિ. ભિક્ષા માટે રોજ બે અઢી માઈલ જવું પડતું અને તેમ કરીને પણ ભાત ઉપરાંત બીજું કંઈ ભાગ્યે જ મળતું. માંસ માછલી વગેરે મળતાં, પણ મને તે શા ખપનાં? મતલબ કે બ્રહ્મદેશમાં ભિક્ષુ બનીને વસવું મને લગભગ અશક્ય જણાયું. ભિક્ષુથી પિતાનું રંધાય નહિ, અને બીજાનું આપેલું ભિક્ષાન્ન ખાઈને રહેવું મારે સારુ હવે અશક્ય હતું. આ સ્થિતિમાં બાકીના દિવસો હિંદુસ્તાનમાં જ ક્યાંક ગાળવા એવો મેં વિચાર કર્યો. પણ પ્રજ્ઞાસ્વામી વગેરે સ્થવિરોનું કહેવું એમ હતું કે, હિન્દુસ્તાનમાં બૌદ્ધ ભિક્ષુઓ ન હોવાથી ત્યાં એકલા ભિક્ષુથી વિનયાદિ નિયમોને અનુસરીને રહેવું કપરું છે. જમવાની બાબતમાં હવે વધુ વખત ભિક્ષુત્વને વળગી રહેવામાં સાર નથી એમ જોઈ મને તે મૂકી દેવાની છૂટ આપવા મેં વિરોને વિનંતિ કરી. મારે પાસે પૈસા રાખવા પડે, કેઈ વાર હાથે રસાઈ કરી લેવાનો પણ વખત આવે, કદી બાર વાગી ગયા પછી જમવાનો પ્રસંગ આવે, આમ ભિક્ષુના બધા નિયમ પાળવાનું મારાથી બની ન શકે. તેથી વિધિસર ભિક્ષુત્વનો ત્યાગ કરી મને જવા દો એમ મેં કહ્યું. પ્રજ્ઞાસ્વામી સ્થવિરે આ બાબતમાં મને ટેકો આપ્યો. અને મારે સારુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #248
--------------------------------------------------------------------------
________________ 240 આપવીતી કેટલાંક ભગવાં કપડાં તૈયાર કરવાની પણ તૈયારી કરી. પણ પાછળથી તેમને વિચાર બદલાયો અને તેમણે મને કહ્યું, “તમારું. કહેવું ખરું છે, પણ અમારી આંખ સામે તમે ભિક્ષુઅવસ્થા છેડે તે અમને આઘાત આપનારું થઈ પડે. માટે તમે કલકત્તા જઈ ત્યાં સંઘબહાર થવાને વિધિ કરજે.' સ્થવિરનું આ કહેવું કંઈક નિરુપાયને કારણે અને કંઈક તેમને ઉપરના મારા. પ્રેમને લીધે મારે માનવું પડયું. બ્રહ્મદેશથી કલકત્તા આવતાં મને મુદ્દલ હાડમારી ન પડી. આગબોટનું ભાડું વગેરે સહેજે મળી ગયું. રંગૂનથી આગબોટની સફર બીજા વર્ગમાં કરી. * ૧૯૦૪ના જાન્યુઆરીથી ૧૯૦૬ના જાન્યુઆરી સુધીમાં જે બે વર્ષ મેં દેશાટનમાં વીતાવ્યાં તેમાં અનેક વેળા શરીરદુઃખ વેઠવું પડ્યું છે તે ઉપર કહ્યું જ છે. પણ માનસિક ઉન્નતિ પુષ્કળ થઈ. ચિત્તની એકાગ્રતા કરવાને ધીરે ધીરે મહાવરો થવાથી અભિધર્મ જેવા અઘરા ગ્રંથો પણ ભણી જવામાં મને વાર ન લાગી. કુરસદના વખતમાં અનેક પાલિ ગ્રંથ મેં વાંચ્યા. વિશુદ્ધિમાર્ગના આરંભના એક બે ભાગ તો મેં બે ત્રણ વખત વાંચ્યા. આ ઉપરાંત અનેક દેશ જેવાની અને અનેક સ્થવિરેના સમાગમની મને તક મળી અને તે દ્વારા દુનિયાને ઠીક અનુભવ મળ્યો. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #249
--------------------------------------------------------------------------
________________ - 16 પરાવર્તન ગાવા છોડ્યું ત્યારથી તે બ્રહ્મદેશ છોડી ૧૯૦૬ની સાલના જાન્યુઆરીમાં કલકત્તે આવ્યો ત્યાં સુધીના મારા દિવસે શિક્ષણમાં જ વીત્યા એમ કહેવું જોઈએ. આ બધો સમય બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવું એ જ એક ધ્યેય મારી આંખ સામે હતું, પણ હવે બને તો બૌદ્ધધર્મના જ્ઞાનનો પ્રચાર કરવા સારુ કંઈક મહેનત કરવી એવી ઇચ્છા થવા લાગી. તેપણ કર્યો રતે હિન્દુસ્તાનને ભારે કંઈકે ઉપયોગ થાય, એ બરાબર સમજાતું નહિ. કલકત્તે આવ્યા પછી ઉમરાવતી જઈ ત્યાં છેડે વખત રહેવું અને પછી બને તો પૂના તરફ જઈ કંઈ મહેનત કરી જેવી એવો વિચાર હતો. પરંતુ એક આકસ્મિક કારણને લીધે મારા પરાવર્તનને અણધારી દિશા મળી. આ કઈ રીતે બન્યું તે આ પ્રકરણમાં કહેવા ધારું છું. કલકત્તામાં કપાલીતોલા કરીને એક અત્યંત ગંદા લત્તામાં બૌદ્ધધર્માકુર નામે એક વિહાર કરતમાં જ બંધાયે હતો. બુદ્ધની મૂર્તિની અહીં સ્થાપના થઈ હતી, એટલા ઉપરથી જ આ જગ્યાને વિહાર નામ અપાયું હશે ! પણ મારી સમજણ પ્રમાણે આ જગ્યા વિહાર નામને તદ્દન અગ્ય હતી. કલકત્તામાં બીજે ક્યાંયે ઉતરવાની સગવડ ન હોવાથી જ હું આ વિહારમાં ઉતર્યો. (મહાબોધિ સભાએ પોતાની ભાડાની આ 16 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #250
--------------------------------------------------------------------------
________________ 242 આપવીતી જગ્યા ખાલી કરી હતી અને તેને બધો સામાન કાશી લઈ જવામાં આવ્યો હતો. તેથી તે સ્થાનમાં ઊતરાય તેમ ન હતું. આથી આ વિહારમાં હું ઊતર્યો.) બે દિવસ આરામ લઈ આગળ જવું એવા વિચારથી હું ત્યાં રહ્યો. કૃપાચરણ અને ગુણાલંકાર કરીને ચિત્તગાંવના બે ભિક્ષુ અહીં રહેતા હતા. તેમને અને હરિનાથ દે નામના. ગૃહસ્થને સારી ઓળખાણ હતી. હરિનાથ દે પાલિભાષા શીખવા પ્રયાસ કરી રહ્યા હતા અને તેથી જ તેઓ વચ્ચે વચ્ચે આ વિહારમાં આવતા. ' પૂર્ણ કરીને બીજા એક બરમી ભિક્ષુ પડેશમાં જ એક ભાડૂતી ઘરમાં રહેતા હતા. તેને અને હરિનાથ દેને પણ ઠીક પરિચય હતો. આ ભિક્ષુને હું સિલોનમાં હતો ત્યારે મળેલો, અને પાછળથી હું બરમામાં હતો ત્યારે પણ મારી હકીકતથી તે વાકેફ હતો. હું ધર્માકુર વિહારમાં એક દિવસ રહ્યો ન રહે ત્યાં તો કૃપાચરણ અને ગુણાલંકાર ભિક્ષુ મારા જવા માટે આતુર જણાવા લાગ્યા. મેં તેમને કહ્યું કે મને તેમની પાસેથી પૈસા વગેરેની કશી અપેક્ષા નહોતી. માત્ર આરામને સારુ હું એકાદ બે દિવસ ત્યાં રહેવા માગતો હતો. કદાચ થોડા વધુ દિવસ રહેવા વિચાર થઈ આવત પણ તેમની આતુરતા જોઈ જલદી વિહાર છોડી જવાનો મેં સંકલ્પ કર્યો. અને સોમવારનો દિવસ રહી મંગળવારની ગાડીમાં નાગપુર તરફ જવાનું ઠરાવ્યું. પણ દૈવજોગે મારા આ નિર્ણયની પૂર્ણ ભિક્ષને ખબર પડી. ઘણું કરીને તે જ દિવસે કલકત્તામાં મારી અને તેમની પહેલી વાર મુલાકાત થયેલી. તેણે તરત જ જઈને હરિનાથ દેને કહ્યું કે, “તમારે પાલિ શીખવું હોય તો સિલોન કે બરમામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #251
--------------------------------------------------------------------------
________________ પરાવર્તન 283 ક્યાંયે ન મળે એવો એક માણસ અહીં આવેલ છે. પણ તે આવતી કાલે જ જનાર છે.” હરિનાથ દેને ઘેર તે દિવસે તેના ભાઈનાં લગ્ન હતાં અને તેમાં પોતે જ કરતાકાવતા હતા. આમ લગ્નના કામમાં રોકાયેલા છતાં આ ખબર મળતાં જરા નવરાશ મળી કે લાગલા જ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા કે, આપ ગમે તેમ કરી બીજા એક બે દિવસ રોકાઈ જાઓ. મારે જે કંઈ જરૂર છે તે બધું હું આપને પાછળથી કહીશ. આજે હું મારા ભાઈનાં લગ્નની ધાંધલમાં છું. કાલે જ આપ બીજી તરફ જનાર છો એમ ખબર મળ્યા તેથી દોડાદોડ અહીં આવ્યો છું. આટલું મારું સાંભળો જ એવી મારી વિનંતિ છે.” હરિનાથ દેએ બીજી પણ વાત મને કરી. પોતે કલકત્તા યુનિવર્સિટીની સેનેટના સભાસદ હતા, અંગ્રેજીના અધ્યાપક હતા અને પાલિભાષાનો પ્રચાર કરવાની તેમને ભારે ઉત્કંઠા હતી વગેરે વાતો તેમણે કરી. તે ઉપરથી તે મારા ઉપર ઝાઝી અસર ન થઈ ! બંગાળીઓ ઘણુંખરું ભારે બોલકા હોય છે પણ તેમની મારફત કશું કામ પાર પડવું મુશ્કેલ હોય છે ! ખાસ કરીને બૌદ્ધધર્મ વિષે તેમને આસ્થા હોય એ તો કેમે કર્યું. મારે હૈયે બેસે નહિ. તાપણ આવડી લાયકાતવાળા ગૃહસ્થ એક દિવસ રોકાઈ જવા વિનંતિ કરે છે તે આવતી કાલ જવાને બદલે બે દિવસ પછી જવું, એવો વિચાર કરી હું મંગળવારનો દિવસ ધર્માકુર વિહારમાં રહ્યો. અહીં શ્રી. હરિનાથ દે વિષે થોડી હકીકત આપવી અસ્થાને નહિ થાય. જોકે આ હકીકત મને તે પાછળથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #252
--------------------------------------------------------------------------
________________ આપવીતી મળી છતાં વાચકની અનુકૂળતાને ખાતર તે અહીં જ આપવી યોગ્ય માનું છું. ભૂતનાથ દે નામના કાયસ્થ જ્ઞાતિના એક બંગાળી ગૃહસ્થ પિતાની જાતમહેનતથી બી. એલ. ની પરીક્ષા પાસ કરીને રાયપુર (મધ્યપ્રાંત)માં વકીલાત કરતા હતા. હરિનાથ તેમના વડીલ પુત્ર. નાનપણમાં આ છોકરે બહુ નબળો હોવાથી બાપે દીકરાની કેળવણું પાછળ જરા પણ ધ્યાન ન આપ્યું. પણ તેને પોતાને શીખવાની ભારે હોંશ. મા પાસે બંગાળી બારાખડી શીખીને બંગાળી પડીઓ વાંચવાની તેણે શરૂઆત કરી. માને થોડું હિન્દી આવડતું. તે પણ શીખ્યો. પછી એક પાદરી પાસે જઈ અંગ્રેજી શીખવા માંડ્યું. આઠ વર્ષનો થયે એટલે બાપે નિશાળે મૂકવાનો વિચાર કર્યો. પણ જુએ છે તો છોકરાએ ઉમરના પ્રમાણમાં આ ત્રણે ભાષામાં ખૂબ પ્રગતિ કરેલી. આથી બાપે ઘેર શિક્ષક રાખી અને પોતે પણ શીખવી છોકરાને આગળ ધપાવ્યો. બાર વર્ષનો ન થયો ત્યાં તો હરિનાથે અંગ્રેજી ભાષામાં ખૂબ પ્રગતિ કરી અને તેરમા કે ચૌદમા વર્ષમાં કલકત્તા યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં પાસ થઈ સ્કોલરશીપ મેળવી. પછી ભૂતનાથ દેએ તેને સેન્ટ ઝેવિયર કોલેજમાં મૂક્યો. યુનિવર્સિટીની બધી પરીક્ષાઓમાં ભાષાના વિષયમાં હરિનાથે નામના મેળવી. * એમ. એ. થયા પછી હરિનાથને હિન્દી સરકાર તરફથી સ્કોલરશીપ મળી અને તે ઈંગ્લેંડ ગયા. પહેલાં તો તેણે સિવિલ સર્વિસની પરીક્ષામાં પાસ થવા મહેનત કરી. પણ ગણિત અને કાયદાના વિષયમાં સહેજ કાચા હોવાથી અને કદાચ દારૂને છંદ વળગ્યો તેથી આ પરીક્ષામાં નાપાસ થયા. પણ ધીરજ ન છેડતાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની બી. એ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #253
--------------------------------------------------------------------------
________________ પરાવર્તન : ડિગ્રી મેળવવા તેણે મહેનત કરી. કલકત્તા યુનિવર્સિટીમાં લેટિન ભાષા લઈ પોતે પાસ થયા હતા. અહીંયાં ગ્રીક, લેટિન અને અંગ્રેજી ભાષામાં પહેલો નંબર મેળવ્યો. ઉપરાંત ફ્રેંચ, જર્મન અને અરબી ભાષાનું પણ તેણે સરસ જ્ઞાન મેળવ્યું, કઈ પણ ભાષા શીખી લેતાં તેને વાર જ ન લાગતી. અરબી ભાષાને કાપ તેણે લગભગ મોઢે કરેલો એમ એક ગૃહસ્થ મને કહ્યું ! અંગ્રેજી ભાષામાં તે ગદ્ય અને પદ્ય બંને બહુ સરસ લખતા. કેબ્રિજની બી. એ. ની પરીક્ષા પાસ કર્યા પછી તેમને ‘ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસમાં નોકરી મળી, અને શરૂઆતમાં તેને ઢાકા કૅલેજમાં અંગ્રેજીના પ્રોફેસર નીમવામાં આવ્યા. આ પછી લગભગ એક વર્ષે તેમના પિતા ગુજરી ગયા. હું કલકત્તે આવ્યો તે પહેલાં હરિનાથ દેની પ્રેસિડન્સી કોલેજમાં બદલી થઈ હતી. અને ધરમતોલા સ્ટ્રીટમાં એક ભાડાના - ઘરમાં તે રહેતા હતા. કરાર પ્રમાણે બીજે દિવસે હરિનાથ મને ફરી મળ્યા અને મારે કલકત્તામાં ત્રણ મહિના તો રહેવું જ એવો આગ્રહ માંડ્યો. તેમણે કહ્યું: “પાલિભાષા લઈને એમ. એ. થવાની મારી ખૂબ ઇચ્છા છે. આ પરીક્ષાના ઘણાખરા ગ્રંથો મેં વાંચ્યા છે. પણ અસલિની' ગ્રંથ મને બિલકુલ નથી સમજાતો. અનેક ભિક્ષઓને મેં પૂછી જોયું, જર્મની વગેરેમાં અનેક પંડિતોને લખ્યું, પણ આ કામમાં કોઈની મદદ મળી શકી નથી; અને અત્યારે અહીં પણ કેાઈ કરે એવું નથી. માટે ગમે તેમ કરી અહીં બે મહિના રહી જાઓ અને મને આટલો ગ્રંથ ભણાવો. પછી મરજી પડે ત્યાં જજે. હું તમારો - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #254
--------------------------------------------------------------------------
________________ 246 ' આપવીતી હમેશને સારુ શિંગણ રહીશ. તમારે અહીં જે કંઈ જોઈતું કરતું હશે તે બધાની તજવીજ હું કરી લઈશ.” " મેં કહ્યું: “તમને મદદ કરવા હું ઇચ્છું, પરંતુ આ વિહારમાં રહીને તે કામ કરવું અશક્ય છે. મને એકાંતમાં રહેવાની ટેવ પડી ગઈ છે, અને અહીં તે રાતદહાડે લેકેની ધમાલ ચાલુ હોય છે. તેથી ધંધાટ વગરની કોઈ જગ્યાએ મને રાખી શકતા હે તે હું તમારે સારુ બે મહિના અહીં રહીશ.' હરિનાથ દેએ આ તરત જ કબૂલ રાખ્યું. તેમના સસરાનું ઘર તેમના ઘરની નજીકમાં જ હતું. તેના કમ્પાઉન્ડમાં બે ઈલાયદી ઓરડીઓ હતી. અને તેમણે તે બતાવી. તે પસંદ - ન હોય તે બીજું પણ એક જુદું ઘર મારે સારુ ભાડે લેવી પિતે તૈયાર છે એમ જણાવ્યું. પણ એ નકામે ખર્ચને બેજે તેમની ઉપર ન નાંખવા ખાતર મેં ઓરડીઓ પસંદ કરી, અને લાગલો જ ત્યાં રહેવા ગયે. હરિનાથ દેનું ઘર નજીક જ હોવાથી હું જમવા તેમને ત્યાં જ જતો. ૧૯૦૬ના. માર્ચ મહિનાની ૧૫મી તારીખ સુધી હું અહીં રહ્યો. આટલી વખતમાં હરિનાથ દેને “અક્સાલિની ગ્રંથ' બરાબર સમજાવી દીધે. “પાલિ ટેકસ્ટ સોસાયટી એ છાપેલ આવૃત્તિની અનેક ભૂલે પણ મેં તેમને બતાવી. તેઓ ખૂબ રાજી થયા અને કલકત્તામાં જ રહી જવા મને આગ્રહ કરવા લાગ્યા. . આ અરસામાં બીજા એક ગૃહસ્થની સાથે હરિનાથ દેને ઘેર મારે મૈત્રી થઈ આ ગૃહસ્થ પ્રેસિડન્સી કોલેજના અંગ્રેજી સુધારક રાજનારાયણ અસૂના તે દોહિત્ર થાય. તેમના પિતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #255
--------------------------------------------------------------------------
________________ પરાવતન 247 ઇડિયન મેડિકલ સર્વિસમાં હતા. મોટા ભાઈ કૂચબિહારના મહારાજાને સેક્રેટરી હતા. અને નાના ભાઈ શ્રી. અરવિન્દ ' ઘોષ વડોદરા રાજ્યમાં મોટી પાયરીએ હતા, જે પાછળથી કલકત્તાની નેશનલ કેલેજના આચાર્ય થયા. છેલ્લા ભાઈ બારીન્દ્ર દેવને માણિકતોલા બેબના કેસમાં આજન્મ કાળાપાણીની સજા થઈ હતી. મનમોહન ઘોષ અંગ્રેજી ભાષામાં એવા તે પ્રવીણ હતા કે તેમની કવિતા ખુદ વિલાયતમાં ખૂબ વખણાઈ હતી. ૧૯૦૬ની સાલમાં આ ગૃહસ્થ ઉપર મોટી આફત આવી પડી હતી. તેમની સ્ત્રી ગાંડી થઈ જવાથી બહુ ખરાબ હાલતમાં હતી. ઘેપબાબુ બિચારા સ્વભાવે કવિ તેથી આ પ્રસંગે તેમને અસહ્ય થઈ પડ્યો. આવી સ્થિતિમાં અમારી વચ્ચે મૈત્રી થઈમેં તેમને મારી પાસેના કેટલાક બૌદ્ધગ્રંથ વાંચવા આપ્યા. તે તેમને ખૂબ ગમ્યા, અને ત્યારથી બૌદ્ધધર્મ વિષે તે મારી સાથે ચર્ચા કરવા લાગ્યા. - માર્ચની ૧૫મી તારીખ પછી કલકત્તા છોડી સિકીમ જવા મારો વિચાર થયો. આમાં મારો ખાસ હેતુ એ હતો કે, જેમ દક્ષિણ તરફના બૌદ્ધધર્મની મેં માહિતી મેળવી તેવી જ રીતે ઉત્તર તરફના બૌદ્ધધર્મથી પણ પરિચિત થવું. હરિનાથ દે આ કામમાં મને મદદરૂપ થયા. ૧૯૦૫ના ડિસેમ્બરમાં તાશી લામા કલકત્તે આવ્યા. તે વખતે બૌદ્ધધર્માકુર સભા તરફથી તેમનું સારું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે બધાં કામમાં હરિનાથ દેએ આગળ પડતો ભાગ લીધો હતો. અને કેપ્ટન કેનર, સિકીમના રેસિડન્ટ મિ. હાઈટ વગેરે ગૃહસ્થ સાથે તેમને સારો પરિચય થયો. બૌદ્ધધર્માકર સભા મારફત સિકીમના મહારાજ કુમાર ઉપર P.P. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #256
--------------------------------------------------------------------------
________________ 248 આપવીતી તથા પોતે મિ. હાઈટ ઉપર એવા બે ભલામણપત્રો તેમણે મને આપ્યા. મનમોહન ઘોષે દાર્જિલિંગની સરકારી હાઈસ્કૂલના હેડમાસ્તરને અગાઉથી કાગળ લખી મારા ઉતરવાની ગોઠવણ કરી આપી. કપડાંલત્તાનું ખર્ચ બધું હરિનાથ દેએ જ ઉપાડ્યું. માર્ચની ૨૦મી તારીખ લગભગ હું કલકત્તેથી નીકળ્યા. હવે પાસે પૈસા રાખવા પડે એમ હતું. તથા વેળાકળા જમવું પણ પડે. તેથી નીકળવાને આગલે દિવસે મેં વિધિપૂર્વક ભિક્ષુવનો ત્યાગ કર્યો. | દાર્જિલિંગ સુધી આગગાડીની મુસાફરી હોવાથી મને કશી અડચણ પડી નહિ. પરંતુ દાર્જિલિંગથી સિકીમ સુધી પગરસ્તે જવાનું હતું, અને વળી પ્રદેશ તદ્દન અપરિચિત; તેથી એકલા તિબેટી મજૂરોને ભરોસે મુસાફરી કરવી મને ઠીક ન લાગ્યું. આથી મને સિકીમ સુધી પહોંચાડી આવવા સારુ દાર્જિલિંગના હેડમાસ્તરે પોતાનો માળી સાથે આપ્યો. મારાં કપડાં, પુસ્તક વગેરે સામાન ઉપાડવા સારુ બે ભાટિયા મજૂર કર્યા, અને એમ હું, હેડમાસ્તરનો માળી તથા બે મજૂરે અમે સિકીમને રસ્તે પડ્યા. વાટમાં રાઈ ઈત્યાદિ તૈયાર કરવામાં હેડમાસ્તરનો માળી મને ખૂબ કામ આવ્યો. એક વર્ષ પહેલાં યંગ હસબંડનું મિશન તિબેટ ગયું ? હતું. અને તેને સારુ સિકીમ થઈને જનારી એક સાધારણ સડક તૈયાર કરવામાં આવી હતી. આથી રસ્તે અમને બહુ વેઠવું ન પડ્યું. માત્ર એક ઠેકાણે એક તિબેટીનું ખૂન થયું હતું તેનું શબ સડકની બાજુએ પડયું હતું. અમે સાંજે આ જગ્યાએ પહોંચ્યા. તિબેટી લેકનાં કેટલાંક ઝૂંપડાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #257
--------------------------------------------------------------------------
________________ : પરાવર્તન 249 આસપાસ હતાં. પણ તેમાં રાતવાસે રહેવું જોખમભરેલું લાગવાથી હું સરકારી ડાકબંગલા તરફ ગયો. પણ ત્યાંના ચેકીદારે બંગલામાં જવા દેવાની સાફ ના પાડી. તે બોલ્યો, આજની રાત જોઈએ તો તમે બહારને એટલે સૂઈ રહો. પણ સિકીમ સરકારની રજા વગર તમને અંદર રહેવા ન દઈ શકું.' મેં કહ્યું, “હું સિકીમને રાજાને ત્યાં જ ઊતરનાર છું. સિકીમમાં જઈને ત્યાંના દરબારગઢમાં રહેવાનો છું. તે પછી આ ડાકબંગલામાં રાત રહેવા દેવામાં તને શો વાંધો છે?' બિચારો સિપાઈ મહારાજ કુમાર વગેરે મોટા લોકોનાં નામ સાંભળતાં જ ગળી ગયો, અને તરત ડાકબંગલો ઉઘાડી આપ્યો ! રાત્રે મેં પેલા ભેટિયા મજૂરોને બહારની ઓસરીમાં સુવાડી, માળીને અંદર સુવાક્યો, અને હું થાકી ગયો હોવાથી નિરાતે ઊંઘી ગયો. આ એક પ્રસંગ સિવાય રસ્તે બીજે કાંઈ ઉલ્લેખનીય પ્રસંગ બન્યો ન હતો. - સિકીમ પહોંચતાં જ હું સીધે રાજકુમારને બંગલે પહોંચ્યા, અને બૌદ્ધધમકુર સભાનો કાગળ આપ્યો. કાગળ વાંચીને તેણે પોતાના બંગલામાં જ એક બાજુએ મારા ' ઉતારાની ગોઠવણ કરી. તેમનો એક નેકર મારું જમવાનું મારી દેખરેખ નીચે બનાવતો. અહીં એક એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ તરતમાં જ નીકળી હતી. તેના હેડમાસ્તર દાવ સાદ, કાજી નામના એક ભોટિયા ગૃહસ્થ હતા. તેમની પાસેથી મેં તિબેટની ભાષા શીખવા પ્રયત્ન કર્યો. પરંતુ તેમને વિશેષ કુરસદ ન હોવાથી અને મારામાં પણ અગાઉ જેટલી ચિત્ત લગાડીને મહેનત કરવાની શક્તિ રહી ન હોવાથી, તિબેટી અક્ષરોની ઓળખાણ ઉપરાંત મારાથી વધુ પ્રગતિ થઈ શકી નહિ. ખરું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #258
--------------------------------------------------------------------------
________________ 250 આપવીતી જોતાં અહીં રહેવાને જ મને એક રીતે કંટાળો આવ્યો. જ્યારે હું હરિનાથ નો કાગળ લઈને અહીંના રેસિડન્ટ મિ. હાઈટને મળવા ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે, “અહીંની પરિસ્થિતિને તમને જલદી જ કંટાળો આવશે. અહીંના બૌદ્ધધર્મમાં સિલોનના બૌદ્ધધર્મના જેવું ઊજળું કશું જ નથી, બલ્ક અહીંના લોકોને બૌદ્ધ કહી શકાય કે કેમ એ જ સવાલ છે.’ મને પણ જલદી જ આને અનુભવ થયો. સિકીમના મઠમાં ગાય. મારીને તેનું માંસ ભિક્ષુઓને આપવાની પ્રથા હતી તે થોડા જ વખત પર બંધ કરવામાં આવી હતી. પણ ભુંડ વગેરે પશુઓને મારી તેના ઉપર નિર્વાહ ચલાવવામાં અહીંના લામાઓને બિલકુલ સંકેચ થતું નથી. ઉપરાંત, અહીંના લોકેની રહેણી એવી તે ગંદી છે કે તેમના હાથનું રાંધેલું ખાવું મને ગમતું નહિ. સિકોમના રાજાએ બાંધેલા એક બૌદ્ધ મઠમાં ખાસ તિબેટથી એક લામા આવીને રહ્યો હતો. આ લામા જબરે વિદ્વાન હતો એવી તેની ખ્યાતિ હતી. તેને હિંદુસ્તાની ભાષા પણ બેલતાં આવડતી. તેના શિષ્યને તે સરસ આવડતી. એક દિવસ તેના શિષ્ય ગુરુની વતી મને જમવાનું નોતરું દીધું. મેં તેને કહ્યું, “માછલાં કે માંસ કશું મને નહિ ખપે. તમે નાહક આગ્રહ ન કરે.' તેણે કહ્યું, “એ પાંતીની મુદ્દલ ચિંતા , ન કરશે, અમે બધી ગોઠવણ કરીશું.” અંતે મેં તેનું આમંત્રણ સ્વીકાર્યું અને બપોરે તેમના મઠમાં જમવા ગયે. આસને માંડી પેલા લામાગુરુ આગળ અને મારા આગળ એમ બે - મોટા થાળ મૂકવામાં આવ્યા. બાજુએ બબ્બે ચિનાઈ માટીનાં ચલાણમાં કંઈક પીરસેલું હતું. તે જોતાં જ મને માંસ જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #259
--------------------------------------------------------------------------
________________ પરાવતની . એ રીતે, જેના ' લાગ્યું તેથી હું બોલ્યો, “લામાસાહેબ, અમાસર, હેલ–એવું લાગે છે !' લામાએ આવડી જીભ બહાર કાઢી મને કહ્યું, આપ માંસમાછલી કશું જ નથી ખાતા એવું મારા શિષ્ય સાથે આપે કહેવરાવ્યું અને પછી હું એવી ચીજ કદી તૈયાર કરાવું ખરો ? આ તો આપને માટે ખાસ શાક તૈયાર કરાવ્યું , છે.” મેં કહ્યું, “પણ એ શાક શાનું છે તે તો કહો.' પેલ . કહે, “એકલાં દેડકાંનું છે. તમે જરાય શંકા ન કરતા. તમારા હિંદુસ્તાનનાં મોટાં દેડકાંની માફક અહીંના દેડકાં ગંધાતા નથી હોતાં. અને આજે તો મેં આ દેડકાં તમારે ખાતર મુદ્દામ માણસ જંગલમાં એકલી ખાસ પકડાવી મંગાવ્યાં છે.” હું તો દિમૂઢ બની ગયો. બિચારો લામા પણ ચકિત થઈ ખિસિયાણો પડી ગયો ! આવડી મહેનતે તૈયાર કરાવેલું શાક મહેમાનને પસંદ ન આવે એ કેવી વાત ! આ ગૂંચ તેનાથી કેમે કરી ઊકળે નહિ ! અંતે તેના માનને ખાતર થોડાં દૂધભાત ખાધાં. પણ તેય ઓસડની માફક ખાવાં પડ્યાં. " લામાગુરુએ તો દેડકાંના શાક ઉપર અચ્છી રીતે હાથ માર્યો ! માત્ર આવી તેફા વાનીને સ્વાદ હું ન લઈ શક્યો તેને સારુ રહી રહીને તે દુઃખ પ્રદર્શિત કરતો હતો ! બે ચાર દિવસ પછી ત્યાંની મહારાણીએ મને જમવા નોતર્યો. તે વખતે મારે વળી વળીને સમજાવવું પડ્યું કે હું માંસ, માછલાં કે દેડકાં સુધ્ધાં ખાતો નથી! એટલું જ નહિ, પણ કોઈ પણ પ્રાણીનું માંસ ખાતો નથી! કોણ જાણે, દેડકાં નથી ખાતો એટલું જ * માફી માગવી હોય કે આશ્ચર્ય બતાવવું હોય ત્યારે તિબેટી: લોકોમાં જીભ બહાર કાઢવાનો રિવાજ છે. PP'Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #260
--------------------------------------------------------------------------
________________ 252 આપવીતી કહી રાખું તો કદાચ કઈ ઉંદર કે એવું જ બીજું ભાણામાં આવી પડે ! મારા સિકીમ આવ્યા પછી એપ્રિલ મહિનામાં હરિનાથ દે બરધાનના મહારાજા સાથે વિલાયત ગયા. જતાં જતાં . એડનથી. તેમણે મને કલકત્ત પાછા આવવા કાગળ લખે, પણ તેની ખાસ અસર મારા ઉપર ન થઈ. પછી શ્રી. મનમેહન ઘોષનો બીજો એક કાગળ આવ્યો. તેમાં તેમણે સિકીમમાં રહેવાથી દેશનું કંઈ ભલું નહિ થઈ શકે અને કલકત્તે આવી રહેવાથી પ્રજામાં બૌદ્ધધર્મને જ્ઞાનથી ઉત્પન્ન થયેલી નવી જાગૃતિને સારું વલણ મળશે, એવી મતલબનું લખ્યું હતું. આ કાગળની મારા મન ઉપર વિલક્ષણ અસર થઈ. આટલા દિવસ વનજંગલમાં અને બૌદ્ધ વિહારોમાં ગાળ્યા એટલા બસ થયા, હવે પછી કંઈક દેશસેવા બને તે યથાશક્તિ કરવી, એ હું અંતઃકરણપૂર્વક વિચાર કરવા લાગ્યો, પણ સ્વદેશસેવા કંઈ સહેલ નથી. લોકહિતને કાલે ડોળ કરવામાં કંઈ સાર નહિ. હું વળી કઈ યુનિવર્સિટીને ' ગ્રેજ્યુએટ પણ નહિ, તેમ કોઈ ધરખમ કે જામેલ સંસ્થાનો મને ટેકે નહિ, આ સ્થિતિમાં ભારે હાથે કેટલું લોકહિત થઈ શકે એ સવાલ હતો. લોકહિત તે રહ્યું, પણ આત્મહિત પણ સાધી શકાશે કે નહિ એની મને શંકા હતી. કલકત્તામાં હતો ત્યારે દા. પી. કે. રાય વગેરે મોટા લોકોને મળી કલકત્તામાં એકાદ પાલિવર્ગ ખેલવાનો ભારે વિચાર મેં તમને જણાવેલું. તે વખતે મને જમવારહેવાની જગ્યા સિવાય બીજી કોઈ ચીજની જરૂર નહોતી. ચીવર વગેરે કપડાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ,
Page #261
--------------------------------------------------------------------------
________________ 25 3 . " પરાવર્તન બરમાથી મળી શકે એમ હતું. પણ આટલી બાબતમાં પણ મને તેમની સહાનુભૂતિ નહિ મળેલી. ઊલટું, બૌદ્ધધર્મ વિષે તેમના મનમાં એક જાતનો તિરસ્કાર જ દેખાયેલ. હરિનાથ. દેની મને મદદ હતી. પણ તેમને તે કઈ જ ધર્મ ઉપર વિશ્વાસ ન હોવાથી કેવળ સ્વાર્થ પૂરતો તે મારો ઉપયોગ કરી લેત. તેમના બે મહિનાના પરિચયથી આ વિષે મારી ખાતરી , થઈ ચૂકી હતી! હવે તે ભિક્ષત્વ છેડેલું હોવાથી મને પૈસા વગેરે લેવામાં કશી હરકત રહી નહોતી. તેથી જાતે મહેનત કરીને જ, બંગાળના ભેડાઘણું પ્રમુખ ગૃહસ્થોની સહાનુભૂતિ મેળવી, સેવાવૃત્તિને ધોરી માર્ગે પાલિ ભાષાના પ્રચારની કંઈ મહેનત કરી જેવી એવો મેં નિશ્ચય કર્યો. હવે જે સેવા જ કરવી તે પછી કુટુંબને પણ યથાશક્તિ મદદ કાં ન કરવી એમ મને લાગ્યું, અને કુટુંબની સ્થિતિ શી છે એ જાણવા મેં ગોવે એક બે કાગળો લખ્યા. પિતાના કરજના ચૌદસો રૂપિયાનો દસ્તાવેજ શ્રી. વિષ્ણુ નાયકને આપ્યાનું પાછળના એક પ્રકરણમાં હું કહી ગયો છું. આ કરજનું શું થયું વગેરે બાબતો મેં તેમને પહેલા કાગળમાં પૂછી. તેનો જવાબ આવ્યો કે, “કરજ ફીટયું નથી એટલું જ નહિ, પણ તે ઉપર કેટલાંય વર્ષોનું વ્યાજ ચડયું છે. છતાં મારા ઘરનાં માણસોને આટલે વર્ષે મારે કાગળ આવ્યાથી ખૂબ આનંદ થયો છે - ઈ. ઈ.” મદ્રાસ છોડયા પછી મેં ઘેર એક પણ કાગળ લખ્યો નહોતો. તેથી હું મરી ગયો. હોઈશ એમ જ સહુ કોઈ માનવા લાગ્યા હતા. મારા કાગળથી તે ખોટું કર્યાથી બધાંને આનંદ થાય એ સ્વાભાવિક મદદ ક ન કરાવે એક એકથા વિષ્ણુ નાયક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #262
--------------------------------------------------------------------------
________________ 254 આપવીતી * ( ૧૯૦૬ના જુલાઈ મહિનામાં હરિનાથ દે વિલાયતથી પાછા આવ્યા. અને મને ફરી એક વાર કલકત્તા આવી જવા આગ્રહભર્યો કાગળ લખ્યો. મેં પણ ઘણું સંકલ્પવિકલ્પ પછી, લોકપ્રવાહમાં એક વાર પડી જેવું જ, એવો છેવટનો નિશ્ચય કર્યો અને જુલાઈની આખરમાં હું કલકત્તે આવ્યો. આવતાં વેંત હરિનાથ દેની સાથે એમ. એ. ના અભ્યાસમાં નીમેલે “થેરગાથા' નામના ગ્રંથ વાંચવાની શરૂઆત કરી. પણ હવે તેમના ઉપર જ આધાર રાખીને રહેવાની જરૂર રહી નહોતી. સર ગુરુદાસ બેનરજી, દા. રાસબિહારી ઘોષ વગેરે લોકેએ આ જ અરસામાં કલકત્તામાં નેશનલ કોલેજ ઉઘાડવાની યોજના ઘડી હતી. તે કોલેજ ઓગસ્ટની ૧૫મી તારીખે ખૂલવાની હતી. આ કેલેજમાં પાલિભાષા દાખલ કરાવવા મેં ખૂબ પ્રયાસ કર્યો. શ્રી. મનમોહન ઘોષે મને આ કામમાં ખૂબ મદદ કરી. તેમણે મને શ્રી. સત્યેન્દ્રનાથ ટાગોર જોડે મુલાકાત કરાવી દીધી, અને શ્રી. ટાગેરે મુદત થેડી હતી છતાં નેશનલ કોલેજના વિષયપત્રકમાં પાલિભાષા પણ દાખલ કરાવી દીધી. મને પગાર ફક્ત બહુ થોડો એટલે દર મહિને માત્ર * 30 રૂપિયા આપવાનું ઠરાવ્યું. પણ પગાર ગમે તેટલો નજીવો હાય તથાપિ કામ કરી બતાવવાની તક મળી એટલી વાતથી જ મને બહુ આનંદ થયો, અને ૧૯૦૬ના ઓગસ્ટ મહિનાની ૧૫મી તારીખથી એટલે નેશનલ કોલેજ ઊઘડી ત્યારથી હું ત્યાં પાલિના અધ્યાપકનું કામ કરવા લાગ્યો. પરંતુ હરિનાથ દેને આ બિલકુલ રુચ્યું નહિ. તેમને પૂછળ્યા વગર કે તેમની જાણ વગર હું આ નવી સંસ્થામાં ભળે એ તેમને ગમ્યું નહિ હોય ! તેમણે કહ્યું, “નેશનલ P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #263
--------------------------------------------------------------------------
________________ * પરાવર્તન 255 કેલેજની સંસ્થા સરકાર વિરુદ્ધ છે અને હું તો સરકારી નોકર છું; આથી મારે તમારે કેમ મેળ ખાશે? જે તમારે નોકરી જ કરવી હોત તો હું આથી કેટલીયે સરસ નોકરી તમને ગોતી દેત, પણ તમે આ સંસ્થા સાથે સંબંધ બાંધ્યો એટલે હવે મારાથી કંઈ જ થઈ શકે નહિ.” મેં કહ્યું, “નોકરી મેળવવી એ કંઈ મારો મુખ્ય હેતુ નથી. દુનિયાના પ્રવાહમાં “ભળી કંઈક કામ કરવું, અને સીધે રસ્તે ચાલીને બને તો કુટુંબને મદદ કરવી એવા ઉદ્દેશથી મેં આ નેકરી સ્વીકારી છે. સર ગુરુદાસ બૅનરજી, દા. રાસબિહારી દેવ વગેરે સરકારના માનીતા લેકે આ સંસ્થાના વ્યવસ્થાપકોમાં છે. આ સ્થિતિમાં સરકારને મારે વિષે વહેમ આવવાનું કંઈ જ કારણ નથી. વળી કઈ સંસ્થા ગમે એટલી આકરા મતવાળી ? હોય તો પણ પાલિભાષા મારફત આકરાપણું શીખવવાનો મુદ્દલ સંભવ નથી. છતાં મારી દોસ્તીને લીધે તમારા ભવિષ્યને ધકકો પહોંચવાનો સંભવ હોય તો હું આજે જ તમારું ઘર છોડી જવા તૈયાર છું. તમારું અન્ન થેડા દિવસ પણ મેં ખાધું છે અને એક મહારાષ્ટ્રીય તરીકે તમને નુકસાન પહોંચે એવું કંઈ પણ વર્તન કરવું, એ મારે મન ભારેમાં ભારે નીચાજોણું છે.' વાત આટલી હદે આવી ગઈ તેથી હરિનાથ વિમાસણમાં પડયા, અને મને કહ્યું, “હમણાં તમે મારે ત્યાંથી ન જાઓ, પહેલાં તો હું મારા મિત્રો મારફત તપાસ કરી જોઉં છું, અને જે સરકારની ઈતરાજી થાય એવું કંઈ હશે તો હું તમને કહીશ.” પણ તેના આ દિલાસામાં ઝાઝું વજૂદ નહોતું. સરકારની ઇતરાજી ન થાય એ એને તો ચેકસ માલૂમ હોવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #264
--------------------------------------------------------------------------
________________ - આપવીતી 256 જોઈએ તેવું હતું. તે દિવસે તે હું તેમના કહેવા પ્રમાણે તેમને ત્યાં જ રહ્યો. બીજે દિવસે તેમણે મને કહ્યું, “ગઈ કાલે તમને ખોટું લાગે એવી રીતે હું વર્તે તેનું મને બહુ દુઃખ થાય છે. તપાસ કરતાં નેશનલ કોલેજ સાથે તમારા સંબંધ મને કોઈ પણ રીતે હરકત થઈ પડે એમ નથી એવા મને ખબર મળ્યા છે. માટે તમે મારે ઘેર રહીને ખુશીથી નેશનલ કોલેજમાં કામ કરતા રહો.” આટલેથી જ બસ ન કરતાં 'હરિનાથ તે દિવસથી પ્રેસિડન્સી કોલેજમાં જતી વખતે મને પિતાની ગાડીમાં લઈ જઈ નેશનલ કેલેજમાં પહોંચાડતા ! - નેશનલ કોલેજમાં કંઈ મને બહુ વિદ્યાર્થી ન મળ્યા. તોપણ જે પાંચ છ વિદ્યાર્થી હતા તેમાંના ઘણાખરા મહેનતું હતા. તેમાંના બે ૧૯૧૫ની સાલમાં હાવર્ડ યુનિવર્સિટીની ડિગ્રી મેળવી આવ્યાં છે. પાર્જનની દિશાએ કંઈ વિશેષ. લાભ ન થયો. ઘર માંડીને રહેવા વખત આવ્યો હોત તો તો. માસિક ત્રીસ રૂપિયા મને એકલાને પણ પૂરા થાત કે કેમ " એ જ સવાલ છે. - આરંભમાં કૅલેજના પ્રિન્સિપાલ શ્રી અરવિંદ ઘેષ હતા. પણ ટૂંકમાં જ “વન્દમાતરમ” પત્રના કેસમાં તેઓ પકડાયા. તેથી તેમણે પોતાની જગ્યાનું રાજીનામું આપ્યું, અને પ્રિન્સિપાલ તરીકેનું બધું કામ શ્રી. સતીશચંદ્ર મુકરજી પાસે આવ્યું. મારે વિષે શ્રી. મુકરજીને મત સારે નહોતો. મારી નિમણુક વખતે પણ તેમણે ખૂબ વિરોધ કરેલો એમ મેં સાંભળ્યું હતું. પ્રિન્સિપાલ થયા પછી તેમણે મને વર્ગમાં વિદ્યાર્થીઓને બૌદ્ધધર્મ વિષે કંઈ પણ શીખવવાની સખત મના કરી ! મેં કહ્યું: “જે એમ જ હોય તે પાલિને વર્ગ જેમ જલદી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #265
--------------------------------------------------------------------------
________________ પરાવર્તન 57 બંધ કરો તેમ સારું. કારણ બૌદ્ધધર્મ સાથે સંબંધ ન હોય એવો ગ્રંથ પાલિ ભાષામાં જવલ્લે જ હશે. આ ઉપરથી તેમણે કહ્યું: “ગ્રંથમાં હોય તે શીખવવાને વાંધો નથી પણ વિદ્યાર્થીઓને બૌદ્ધ થવાનો ઉપદેશ તમારે કરવો નહિ.' મેં જવાબ આપ્યો, “હું કંઈ બૌદ્ધ પ્રચારક તરીકે આ કૉલેજમાં નથી આવ્યો. જે મારે ઉપદેશ કરવો હશે તો તેને સારુ હું જુદી જગ્યા શોધી લઈશ. પણ ગ્રંથમાં જે આવતું હશે તે તે મારે બરાબર સમજાવવું જ પડવાનું અને તમે જે એની પણ વિરુદ્ધ હે તો હું આજે જ રાજીનામું આપી છૂટો થવા રાજી છું.” આ પછી પ્રિન્સિપાલ મુકરજી અને મારી વચ્ચે ખટરાગ થવાને કરી પ્રસંગ ન આવ્યો. કોલેજના વિદ્યાર્થીઓમાં માત્ર મારે વિષે બહુ જ સારો મત બંધાયો હતો અને તેથી અંતે પ્રિન્સિપાલ મુકરજીને પણ પિતાનો મત ફેરવવો પડ્યો. છેલ્લે છેલ્લે તો “ૌદ્ધધર્મ વિષે વિદ્યાર્થીઓને એકાદ વ્યાખ્યાનમાળા આપે એવો પણ તેમણે આગ્રહ માંડ્યો હતો ! ૧૯૦૬ના કટોબરમાં મેં ગોવા જવાને વિચાર કર્યો. પાલિત નામના એક ગૃહસ્થ મારી સાથે મુંબઈ આવ્યા. પણ ત્યાં એકાએક તેમની તબિયત નરમ થઈ જવાથી ગોવા જવાનું માંડી વાળી તે પાછા કલકત્તે ગયા. મુંબઈ આવતાં વાટમાં અમે નાગપુરમાં શ્રી. માધવરાવ પાબેને ત્યાં બે દિવસ ઊતર્યા હતા.. અને ત્યાંથી શ્રી. ગોવિંદરાવ કાણને મળવા ઉમરાવતી ગયા. શ્રી. કાણેએ મને કહ્યું કે, “દા. ભાંડારકર તમને મળવા ઉત્સુક છે.” મેં કહ્યું, “એ વાત અસંભવનીય લાગે છે. કેમકે મારા ઉપર તો તેઓ ખૂબ ગુસ્સે થયા હતા. ગોવિંદરાવ બોલ્યા, “એ સાચું. તમે ૧૯૦૪માં અહીં આવી ગયા તે પછી તેઓ મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #266
--------------------------------------------------------------------------
________________ ર૫૮ આપવીતી લાનેલીમાં મળેલા. તે વખતે તમારી વાત નીકળી. દાક્તર સાહેબ બોલ્યા “અરે તે છોકરો તો સાવ ગાંડે છે. એની વાત શું કરવા કરો છે ?" પછી મેં તમારા બધા સમાચાર - કહ્યા. અને તમે પાલિ ભાષાને સરસ અભ્યાસ કર્યો છે, એમ જાણતાં તેઓ તમને મળવા ખૂબ ઉત્સુક થયા છે અને મને કહી રાખ્યું છે કે, જો તમે ફરી આ તરફ આવો તે તેમને જરૂર મળવા મારે તમને કહેવું.” દા. ભાંડારકરને મળવા હું નાખુશ તો હતો જ નહિ. તેમની મારા ઉપર ગમે એટલી ઇતરાજી હોત તો પણ પૂને જાત તો હું તેમને મળ્યા વગર કદાપિ રહેત નહિ. પણ આ વખતે પૂને જવું અશક્ય હતું. તેથી મેં શ્રી. કાણેને કહ્યું, “મારે મુંબઈથી બારેબાર ગોવા જવું છે એટલે આ વખતે તે હું તેમને કઈ રીતે મળું?' પરંતુ આ જ દિવસોમાં મુંબઈના પ્રાર્થનાસમાજનો વાર્ષિક ઉત્સવ ચાલતો હતો એની શ્રી. કાણેને ખબર હતી. આથી દા. ભાંડારકર ત્યાં હોવા જોઈએ એવું અનુમાન કરી તેમણે પ્રાર્થનાસમાજને સરનામે તાર કર્યો. ઉમરાવતીમાં આ વખતે વ્યાખ્યાન વગેરે કશું આપવાની ભાંજગડમાં ન પડતાં હું સીધે મુંબઈ આવ્યો. શ્રી. (હવે દાક્તર) દેવદત્તરાવ ભાંડારકર મને મળવા સારુ સ્ટેશને આવ્યા હતા, પણ સ્ટેશન પર તેમની અને મારી નજર ચૂક થઈ ગઈ અને અમારી મુલાકાત ન થઈ તેથી હું અને મારા મિત્ર પાલિત ગિરગામ ફિરંગીના દેવળ આગળ આવેલા સુખનિવાસમાં ઊતર્યા અને ઝટ જમવા કરવાનું આપી હું એકલો પ્ર. શ્રીધરપંત ભાંડારકરને ઘેર ગયો. દાક્તરસાહેબ આ વખતે નાહવા ગયા હતા. પાંચ દશ મિનિટમાં નાહવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #267
--------------------------------------------------------------------------
________________ પરાવતન રપલ ઝભ્ભો (બાથરબ) પહેરીને બહાર આવ્યા અને તરત જ વાત કરવા માંડી. પ્રાર્થનાસમાજ તરફથી તે દિવસે જુદા જુદા ગૃહસ્થોનાં જુદાં જુદાં સંતોનાં ચરિત્ર ઉપર ચાર વ્યાખ્યાનો થવાનાં હતાં. દાક્તરસાહેબે મને પણ આ તકે બુદ્ધચરિત્રની કથા કરવા કહ્યું. ઘણાં વર્ષોથી મરાઠીમાં બોલવાનો મને મહાવરો રહ્યો નહોતો, છતાં તેમના આગ્રહને લીધે બુદ્ધચરિત્ર ઉપર બે શબ્દ બોલવા હું કબૂલ થયો. સાંજે ભાષણ વખતે શ્રોતાઓ પાસે મારી ઓળખાણ કરાવતાં દાકતરસાહેબે મારો પૂર્વ ઇતિહાસ કહી પૂનામાં પોતે મને ઉત્સાહી યુવાનમાં ગણી કાઢેલો વગેરે વાત કહી સંભળાવી અને ઉમેર્યું કે, “પણ આટલી ખંત અને આટલો આગ્રહ આમનામાં હશે તેની તે વખતે મને કલ્પના સરખી નહતી.' મારું ભાષણ કેવું થયું એ હું કહી શકતો નથી. પણ દા. ભાંડારકરે કરેલી મારી પ્રસ્તાવનાને લીધે મુંબઈના લોકોમાં - ખાસ કરીને પ્રાર્થનાસમાજના સભાસદોમાં - હું સારી રીતે ઓળખીતો થઈ ગયો. આ પછી હું જ્યારે જ્યારે મુંબઈ આવતો ત્યારે સમાજના રામમોહન આશ્રમમાં જ ઊતરતો. બે દિવસ મુંબઈમાં રહી હું આગબોટ રસ્તે પણજી અને ત્યાંથી મછવામાં રાતે મુરગાંવ ગયો. બીજે દિવસે સવારે સીધો સાંખવળ ન જતાં મડગાંવ ગયો. મારા જૂના સંબંધી ભિકુનાયકે આ વખતે ભારે ખૂબ સત્કાર કર્યો. શ્રી. વિષ્ણુનાયક પણ પ્રેમથી વર્યો. અમે ગાડી કરી નાંખવળ ગયા. ત્યાં તો મારા આગમનના સમાચાર અગાઉથી જ પહોંચી ગયા હતા. મારી સ્ત્રીએ તો મને બંગાળી :વેશમાં જઈને એકદમ રડવા જ માંડયું ! આખરે શ્રી. વિષ્ણુ નાયકે બધાંને સાંત્વન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #268
--------------------------------------------------------------------------
________________ 260 આપવીતી ઘેર મારાથી બહુ દિવસ રોકાવાય એમ ન હતું. ઓકટોબર મહિનામાં દુર્ગાપૂજાની રજા પૂરી થાય તે પહેલાં મારે પાછું કલકત્તા પહોંચવું જોઈએ, આથી ઘેર બે ત્રણ દિવસ રોકાઈ મડગાંવ આવ્યો. મારી સ્ત્રી મારી સાથે કલકત્તે આવવા તૈયાર થઈ, પણ મારી દીકરી મારી દાઢીથી એવી તો ડરતી કે તે કેમે કરી અમારી સાથે આવવા તૈયાર ન થાય ! આખરે તેને મડગાંવથી ચીખલીમાં તેની નાનીને ઘેર મોકલી આપી અને હું તથા મારી સ્ત્રી કલકત્તે આવ્યાં. અમારા આવવાની મેં હરિનાથ દેને તારથી ખબર આપી હતી, તેથી તેમણે પોતાના જ ઘરમાં જુદી જગ્યા સાફસૂફ કરાવી અમારે સારુ રસોઈ વગેરેની તૈયારી કરાવી રાખી હતી. તેમને ત્યાં જ અમારા રહેવાની પણ તેમણે ગોઠવણ કરી. દર મહિને ત્રીસ રૂપિયા પગાર સાવ ઓછો હતો, છતાં ઘરભાડું, બાળવાના કેલસા વગેરેનું અમારે કશું જ ખર્ચ ન હોવાથી અમારું જેમતેમ નભે જતું. પણ ડિસેમ્બર મહિનામાં મારી સ્ત્રી માંદી પડી અને તેને ગાવા પાછી પહોંચાડવી પડી. આને અંગે થયેલો બધે ખર્ચ હરિનાથ દેએ પિતાની પાસેથી આપે. ૧૯૦૬ની આખરમાં એમ. એ.ની પરીક્ષાનું પરિણામ આવ્યું તેમાં હરિનાથ દે પાલિ ભાષામાં પહેલા વર્ગમાં પાસ થયા. પછી ન્યાયમૂર્તિ મુકરજીની મદદથી યુનિવર્સિટીની સિંડિકેટમાં દાખલ થયા. યુનિવર્સિટીના નવા કાયદા પ્રમાણે કેટલાક વ્યાખ્યાતાઓ નીમવામાં આવનાર હતા. તેમાં પાલિભાષાના વ્યાખ્યાતા તરીકે મારી નિમણુક કરાવવા હરિનાથ દેએ પ્રયાસ : માંડ્યો, અને યુનિવર્સિટીમાં તેમનું વજન ખૂબ તેથી તેમાં તે .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #269
--------------------------------------------------------------------------
________________ પરાવર્તન સફળ થયા. ઘણાખરા વ્યાખ્યાતાઓ વગર પગારે કામ કરનારા હતા. માત્ર હું અને સત્યવ્રત સામાશમી બેને માસિક સો રૂપિયા આપવા એવો ઠરાવ થયે. ૧૯૦૭ના જુલાઈ મહિનાથી હું આ જગ્યાએ નિમાય. પણ અગાઉથી જ ન્યાયમૂર્તિ આશુતપ મુકરજીને મળીને, “હું યુનિવર્સિટીનું કામ કરું તે પણ નેશનલ કોલેજ સાથેનો સંબંધ નહિ તોડું.' એમ મેં તેમને કહ્યું હતું. તેમણે એ બાબત કશો વાંધો ન લીધો. તેમણે કહ્યું, “અમારી યુનિવર્સિટીનું કામ તમે નિયમિતપણે કરો એટલે થયું. બીજે ક્યાં ક્યાં તમે કેટલો વખત આપો છો એનો વિચાર કરવાની સિંડિકેટને જરૂર નથી.” આ નોકરી મળી ત્યારથી નેશનલ કોલેજનું કામ મેં વગર પગારે કરવા માંડયું અને કલકત્તામાં રહ્યો ત્યાં સુધી તે છોડયું નહિ. કલકત્તા યુનિવર્સિટીમાં મેં નોકરી સ્વીકારી તેથી મને * ઠીક ફાયદો થયો. માસિક પગાર ઉપરાંત પરીક્ષક તરીકે મને 600 થી 900 રૂપિયા મળતા. માત્ર મારાથી ધાર્યા મુજબ મારું કામ અહીં થઈ શક્યું નહિ. - વ્યાખ્યાતા તરીકે મારે અઠવાડિયામાં ત્રણ જ કલાક કામ કરવું પડતું. તેમાંયે જે બે ત્રણ વિદ્યાર્થીઓ હતા તેમને પાલિભાષામાં પારંગત થવા વિષે બહુ ઉત્સાહ નહતો. જેમતેમ કરીને પાસ થઈ ડિગ્રી મેળવવી અને પોતાનો પગાર વધારો અથવા તો કોઈ નવી નોકરી મેળવવી, એ તરફ જ મેં તેમનું વલણ જોયું. એકંદરે કલકત્તામાં રહીને ડી પ્રસિદ્ધિ મેળવવા ઉપરાંત મને કશે ખરો લાભ થયે ન કહેવાય. મહામહેનતે મેળવેલું પાલિભાષાનું જ્ઞાન હિન્દુસ્તાનમાં ફેલાવવું, એ જ મારા જીવનનું મુખ્ય કાર્ય હું માનતે અને હજી માનું છું. તેથી કલકત્તામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #270
--------------------------------------------------------------------------
________________ આપવીતી રહેવાથી બીજા લાભો અનેક થાય એમ હતું છતાં મારું મન તે તરફ વધ્યું નહિ. વળી, પિતાના જે અણુમાંથી અંશતઃ પણ છૂટવા સારુ મેં આ સેવાધર્મ સ્વીકાર્યો હતો તે ફેડવાની બાબતમાં હું જરાય સફળ ન થયું. પહેલાં તો જે કંઈ પૈસા મળ્યા, તે થોડાં વર્ષનું વ્યાજ ચડયું હતું તે પતાવવામાં ગયા. તે પછી એટલે ૧૯૦૭ના ઓગસ્ટ મહિનામાં પિતાની જમીનની બાબતમાં એક કેસ ઊભો થશે. ચાળીસ વર્ષ ઉપર એક સોની અને મારા પિતા વચ્ચે જમીન સંબંધે વાંધો પડેલો. પણ છેલ્લાં ચાળીસ વર્ષમાં કઈ દિવસ તેનું કેઈએ સ્મરણ સરખું કરેલું અમારી જાણમાં નહોતું. ૧૯૦૭માં અમારી પડોશના ગામવાળા શ્રી. રામનાયક બાણવલીકરે સનીના તમામ હક તેના વારસો પાસેથી મેળવી લઈ મેટો કેસ ઊભો કર્યો. ૧૯૦૭ના ડિસેમ્બરમાં સુરત ખાતે મળેલી મહાસભામાં હાજરી આપી : આ કેસની માંડવાળ કરાવવાના ઉદ્દેશથી હું ગોવા ગયે. પણ દુઃખની વાત એટલી જ કે રામનાયકે અગાઉથી જ મારા મોટા ભાઈ ઉપર ફોજદારી માંડી હતી, અને સરકાર- - માંથી જમીનનો કબજો મેળવ્યો હતો. મારાં સગાંસંબંધીઓ બધાં વિરુદ્ધ છતાં, તેને ઘેર જઈ મેં કેસને ઘરમેળે નિકાલ કરવા તેના મોટા ભાઈને વિનંતી કરી. પણ તેની કશી જ અસર થઈ નહિ. ઊલટું રામનાયકે એ જમીનની ભળતી જ કિંમત આંકવા માંડી. આથી નિરુપાયે, અમારે અમારો પક્ષ જ ખરો હતો એ, કેર્ટ મારફત પુરવાર કરવાની ફરજ પડી. ગામના ઘણાખરા જમીનદારોએ અમારા તરફથી સાક્ષીએ * આપી. સામાવાળાના સાક્ષીઓમાં માત્ર ચાર પાંચ મજૂરો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #271
--------------------------------------------------------------------------
________________ 263 પરાવતન હતા. આથી જિલ્લા જજે અને હાઈકોર્ટે અમારી તરફેણમાં ચુકાદ* આપે. મારા મોટા ભાઈ ઉપર માંડેલ ફોજદારી કેસ પણ કોર્ટમાં તરકટી ઠર્યો. આ બધું તો યથાયોગ્ય જ થયું. પણ આ કામમાં, કલકત્તામાં રહી મેં જે કંઈ બચાવ્યું હતું, તે બધું જ ખરચાઈ ગયું. લગભગ 1000 રૂપિયા આ પાછળ ખાયા. આથી પિતાનું કરજ મારે હાથે કદી પણ ફીટશે કે કેમ એની મારા મનમાં ભારે શંકા ઊભી થઈ મેં યુનિવર્સિટીમાં હજુ નોકરી લીધી ન લીધી એટલામાં તો મારા છેક નાનપણના મિત્રે પણ મારી સામે કેસ કર્યો અને સાવ ખોટા સાક્ષીઓને મારી સામે ઊભા કરી કોર્ટમાં લડતાં આઘુંપાછું જોયું નહિ! આ બધો વિચાર કરતાં ચિત્ત અત્યંત ખિન્ન બની ગયું. ગાવાની હાલની સ્થિતિ એવી તો વિચિત્ર થઈ પડી છે કે ત્યાંના હિંદુ લોકોને પિતાનું હિતઅહિત શેમાં છે એટલું પણ સમજાવું મુશ્કેલ થઈ પડયું છે. આવી સ્થિતિમાં પિતાનું કરજ પતાવી જમીન છોડાવું તે પણ તે ઉપર શા શા સંસ્કાર ન થાય અને તેના ઉપર કેટલા નવા કજિયા ઉભા થાય કેમ કહી શકાય? આવા વિચારોથી આ બાબતમાં હું લગભગ ઉદાસીન બની ગયો. હરિનાથ દેને મારા ઉપર પ્રેમ હતો એમાં તો શંકા જ નહિ. ૧૯૦૬ની સાલમાં હું જ્યારે તેમને ઘેર રહેતા ત્યારે ફક્ત મારા માનની ખાતર તેમણે દારૂ પીવાનું છોડયું હતું. આ સુધારો મારા આવવાથી થયો એમ માની તેમની મા મારો બહુ ઉપકાર માનતી. બૌદ્ધધર્મને અભ્યાસથી પોતાનો દીકરો સુધરશે એવું કોઈ જોશીએ પણ તેને કહેલું. અને તે ઉપર - ** આ બંને ચુકાદા હું અમેરિકામાં હતો ત્યારે અપાયા હતા. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #272
--------------------------------------------------------------------------
________________ 214 આપવીતી તેની શ્રદ્ધા હતી. પરંતુ ૧૯૦૭ની સાલમાં હરિનાથ દેની , બદલી હુગલી કોલેજના પ્રિન્સિપાલની જગ્યાએ થઈ અને ત્યાં તેમનું વ્યસન પાછું ચાલુ થયું. આગળ ઉપર ઇમ્પિરિયલ લાયબ્રેરીને મુખ્ય અધિકારીની પણ જગ્યા તેમને મળી. એ વખતે તેમને પગાર વધીને માસિક 1100 રૂપિયા થયો. આ જગ્યા મળવામાં મુખ્ય કારણ હું જ હતો એમ તે કહેતા. પાલિભાષામાં પ્રવીણતા મેળવ્યાથી કલકત્તાના જોર્ડ બિશપ કાપલટનની હરિનાથ ઉપર મહેરબાની થઈ. બિશપ કોપલસ્ટન પિતે પાલિભાષાના સારા જાણકાર હતા અને ક્યાંક અટકતા ત્યારે તરત હરિનાથ દેને પુછાવતા. તેમની મહેનતથી હરિનાથને આવડી મોટી જગ્યા મળી. હરિનાથની ઉન્નતિ જોઈને હું ખૂબ આનંદિત થતું. પણ સાથે સાથે તેનું વ્યસન પણ વધતું સાંભળીને ખેદ પામતો. તેઓ હુગલીથી પાછા આવ્યા પછી હું તમને ઘેર નહોતો રહેતો. ધર્મપાલે મહાબોધિ સભા માટે અગાઉની જ જગ્યા ભાડે રાખી હતી. ત્યાં હું થોડા દિવસ રહ્યો. અને પછી થોડા દિવસ બાલીગંજમાં શ્રી. અંબિકાચરણ સેનને ઘેર રહેતા. અહીં હતા તે દરમ્યાન એક દિવસ હરિનાથ દેને મળવા હું કલકત્તા કલબમાં ગયો. આ કલબમાં માસિક નેવું રૂપિયા ભાડાને ઓરડે હરિનાથે રાખે હતો. બે ત્રણ મહિના પછી જર્મનીથી દા. પિશલ આવનાર છે તેને સારુ * આ જગા રાખી છે એમ તે કહેતા. હું ગમે ત્યારે બે ત્રણ બંગાળી પંડિતે તેમને મળવા આવેલા. તેમના બીજા બે દારૂડિયા મિત્રો પણ ત્યાં હતા. હરિનાથે તે દિવસ મારી સામે જ પિતાનું મદિરાપાન ચલાવ્યું. આમ કરીને તેણે મારું ઉઘાડું અપમાન કર્યું એમ કહેવાનો આશય નથી, પણ આટલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #273
--------------------------------------------------------------------------
________________ પરાવર્તન 265 દિવસ ભારે વિષે તેને આંખની શરમ હતી તે આજે તેણે મેલી એટલું જ. આ બનાવની મારા ઉપર ઊંડી અસર થઈ. હવે જેમ બને તેમ જલદી કલકત્તા છોડવું એવો મેં ઠરાવ કર્યો. કલકત્તામાં ઘણું લોકે જોડે મારે ઓળખાણ થઈ હતી. - હરિનાથ દેના વિરુદ્ધ પક્ષવાળાઓમાંથી પણ કેટલાક મોટા માણસે મને ચાહતા, એવું મારા સાંભળવામાં આવ્યું હતું. છતાં મેં ખુલ્લી કે ખાનગી રીતે આ લોકો સાથે કદી સંબંધ રાખ્યો નહોતો. આ લોકોમાં કેટલાક ચારિત્ર્યવાન અને ઉદાર દિલના માણસે પણ હતા. પણ હરિનાથ દેને ખોટું લાગે એ શંકાએ મેં તેમની સાથે મોઢાની પણ એાળખાણ રાખેલી નહિ. હું તેમના પક્ષમાં ભળ્યો હોત તો કદાચ મને લાભ પણ થાત, છતાં એવી વડવાગળની વૃત્તિ પ્રત્યે મને મૂળથી જ તિરસ્કાર; તેથી એ ખ્યાલ સરખો મારા મનમાં આવ્યો નહિ. હરિનાથ દેને રસ્તે આણી સુમાર્ગે દોરવા, એ કામ હવે શક્તિ બહારનું હતું. તેથી મારે માટે હવે એક જ રસ્તો ખુલ્લો હતો, તે એ કે કલકત્તા છોડી જવું. ટૂંકમાં, જે ઉદ્દેશથી મેં આ નોકરી સ્વીકારી હતી તે ઉદ્દેશ પાર ન પડ્યો. બંગાળી વિદ્યાર્થીઓનું પણ મારે હાથે ઝાઝું કલ્યાણ થવાને મને. સંભવ ન જણાય, અને જે મિત્રે મને મદદ કરી આટલો આગળ આણે, તેના પગ પણ કીચડમાં વધુ ને વધુ ખેંચતા જતા જોઈ અને તેને તેમાંથી બહાર કાઢવાની મારી અશક્તિ જોઈ મારું મન ઉદ્વિગ્ન થઈ ગયું. અને કલકત્તા છેડી સ્વતંત્રપણે યથાશક્તિ સ્વકર્તવ્ય કરવાની ઉત્કંઠા થઈ. આ પ્રયત્નમાં અચાનક કેવી મદદ મળી એ આવતા પ્રકરણમાં Sisle. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #274
--------------------------------------------------------------------------
________________ 17 શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય - વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ વિદ્યાપ્રિય દેશી રાજાઓમાં અગ્રસ્થાને છે, એવી તેમની ખ્યાતિ અનેક વર્ષો પહેલાં મારા સાંભળવામાં આવી હતી. ૧૯૦૬ના ડિસેમ્બરમાં ઔદ્યોગિક પરિષદના પ્રમુખ તરીકે તેમનું કલકત્તામાં આગમન થયું. આ વખતે તેમને મળવાની મને ખાસ ઇચ્છા હતી. શ્રી. સત્યેન્દ્રનાથ ટાગોરની અને મારી નેશનલ કોલેજ સ્થપાઈ ત્યારની સારી ઓળખાણ હતી. તેમાંય મહારાષ્ટ્રના લોકે વિષે તેમને મનમાં કંઈક ખાસ આદરભાવ હતો. આથી તેમની પાસે જઈ “મને મહારાજા ગાયક્વાડની જોડે ઓળખાણ કરાવી આપશે ?' એવો મેં સવાલ કર્યો. તેમણે કહ્યું, “મહારાજાને મળવા કરતાં તેમના દીવાન સર રમેશચંદ્ર દત્તને જ મળે. તેમને ને મારે સારી પિછાન છે, અને તેમની મારફત તમારી અને મહારાજાની મુલાકાત થાય એ ઠીક છે.” આટલી વાત થયા પછી તે જ દિવસે કે બીજે દિવસ સત્યેન્દ્રબાબુ મને સાથે લઈને રમેશચંદ્ર દત્તને ઘેર ગયા. પણ દર સાહેબે કહ્યું, “મહારાજાની જોડે મુલાકાત કર્યાથી ઝાઝું વળે એવી મને આશા નથી. બૌદૈધર્મને વડોદરાને કંઈ ઉપગ નથી. અને મહારાજાને પણ એ વિષે બહુ આસ્થા નથી.” આમ ઉડાઉ જવાબ આપીને તેમણે અમને વિદાય કર્યા ! મને તો હવે મહારાજાની મુલાકાતની બિલકુલ આશા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #275
--------------------------------------------------------------------------
________________ શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય ર૬૭ * ન રહી. પરંતું ટાગોરે મને કહ્યું, “તમે નાસીપાસ ન થતા; પિત મહારાજાને સારી પેઠે પિછાનું છું. તમે કાલે સવારે સાતને સુમારે મારે ત્યાં આવજો. પંડે તમને મહારાજા પાસે તેડી જઈશ.' તેમના કહેવા મુજબ બીજે દિવસે બાલીગંજમાં આવેલા નંબર 19 સ્ટાર રેડવાળે તેમને ઘેર હું ગયો. સત્યેન્દ્રબાબુ પિતાના રોજના જ પોશાકમાં નીકળ્યા. હું તેમને સારુ ગાડી આણવા જવા તૈયાર થયે, (તેમની ગાડી કાંઈ કામસર તે દિવસે રોકાયેલી હતી, પણ તેમણે ગાડીમાં જવાની ના પાડી. રોજ સવારે માઈલ દેઢ માઈલ ચાલવાની મને ટેવ છે, ચાલ્યા વગર ઠીક જ નથી પડતું.” એમ કહી મારી સાથે પગપાળા જ ચાલ્યા. તે દિવસે મહારાજા સવારના જ ક્યાંક બહાર નીકળી ગયા હતા. એટલે અમારી મુલાકાત ન થઈ પણ શ્રીમંતના ખાનગી મંત્રી શ્રી. (હવે સર) મનુભાઈ મહેતાને ભારે વિષે જે કંઈ કહેવાનું હતું તે કહી સત્યેન્દ્રબાબુ પગે ચાલતા જ પાછા ઘેર ગયા. સત્યેન્દ્રબાબુની આ મહેનત પછી પણ કદાચ શ્રીમંત સયાજીરાવની અને મારી મુલાકાત ન થાત. પણ તેમના જ આશ્રિતોમાંથી એક બે ગૃહસ્થાએ શ્રી. મનુભાઈને વારંવાર યાદ દેવડાવીને બીજે કે ત્રીજે દિવસે મહારાજા સાહેબ જેડે મારી મુલાકાત કરાવી દીધી. મહારાજાને દસ પંદર મિનિટથી વધુ વખત નહોતો. તેથી મને વિદાય કરતા પહેલાં તેમણે કહ્યું, “તમે એક વાર જરૂર વડેદરે આવજે, મારે તમારી જે ખૂબ વાતો કરવી છે. હમણાં તે હું ખૂબ રોકાયેલો છું અને પાંચ મિનિટ પણ કાઢવી મુશ્કેલ છે. Ad Gunratnasurf Jun Gun Aaradhak Trust
Page #276
--------------------------------------------------------------------------
________________ 278 આપવીતી આમ મહારાજાએ તે મને વડોદરે બોલાવ્યો, પણ વીસ પચીસ દિવસ સુધી તે મારાથી કઈ રીતે કલકત્તા છેડી શકાય એમ નહોતું. આગળ જતાં નેશનલ કોલેજમાંથી થોડાક દિવસની રજા લઈ મારી સ્ત્રીને મૂકવા હું ગાવા ગયે અને ત્યાંથી વડોદરા ગયા. શ્રી. રાવજી રઘુનાથ શિરગાંવકર જોડે કલકત્તાથી જ મારે ખાસી પિછાન થઈ હતી. હાલ (સને ૧૯૦૭માં) તેઓ આસિસ્ટંટ ખાનગી કારભારી હતા. વડેદરામાં બીજું કોઈ ઓળખતું ન હોવાથી હું તેમને જ ઘેર ઊતર્યો. વડોદરામાં મારે ઘણા દિવસ રહેવું પડ્યું. પહેલાં તો મહારાજા દૂર શિકારે ગયા હતા, અને તે પછી તેમનાં કાકી કે કોઈ મરણ પામ્યું. આમ આઠ દસ દિવસ ભાંગ્યા તેય મહારાજાની મુલાકાત ન થઈ. પણ હું આટલા દિવસથી અહીં છું એમ જાણતાં જ કાકીના મરણને ત્રીજે દિવસે તેમણે મને રાજમહેલમાં મળવા બોલાવ્યો. ઘણી વાર સુધી અમારે વાત થઈ. પછી તેમણે કહ્યું, “સોગને લીધે જાહેર રીતે તમારું વ્યાખ્યાન વગેરે કશું રાજમહેલમાં કરાવાય એમ નથી. છતાં ફરી વાર આ બાજુ આવવાનું થાય તો મને ભળ્યા વગર જતા નહિ.' ઊઠતી વેળાએ મારા જવા આવવાના ખરચ સારુ 16 0 રૂપિયા તેમણે ખાનગીમાંથી અપાવ્યા અને મને વિદાય આપી. કલકત્તે ગયા પછી વડોદરા સરકાર સાથે મારે કશે પત્રવ્યવહાર નહે, પણ લગભગ એક વર્ષે હજૂર કામદાર તરફથી એક કાગળ આવ્યા. તેમાં લખેલું કે, “મહારાજા સાહેબ વખતે વખતે તમને યાદ કરે છે અને આ બાજુ આ તો વડેદરે આવીને મહારાજા સાહેબને મળે એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #277
--------------------------------------------------------------------------
________________ શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય 269 . તેમની ઈચ્છા છે,” વગેરે. કોલેજનું કામ છોડીને તે વખતે : જવું બને એમ નહોતું, તેથી મેં લખ્યું કે, “હમણાં તો મહારાજા સાહેબને મળવા આવવું બને એમ નથી, પણ ઉનાળાની રજાઓ પડળે આવીશ. તે પહેલાં મહારાજા . સાહેબની સ્વારી ક્યાં છે તે પુછાવીશ.” ઉનાળાની રજામાં હું ગોવા ગયો અને ત્યાં જ ઘણીખરી રજા ગાળી. પછી વળતાં જુલાઈ મહિનામાં વડેદરે ગયો અને મહારાજાને મળ્યો. આ વખતે મહારાજાએ મને એક વ્યાખ્યાન આપવા કહ્યું અને તે પ્રમાણે ન્યાયમંદિરમાં મારું વ્યાખ્યાન થયું. વ્યાખ્યાનમાં મહારાજા પોતે હાજર રહેનાર હતા, પણ બરાબર તે જ વખતે તેમને બીજે રોકાવું પડ્યું અને હાજર રહી શક્યા નહિ. મારા વ્યાખ્યાનની શ્રોતાઓ ઉપર ઠીક અસર થઈ એમ પાછળ એક બે ગૃહસ્થાએ કરેલાં ભાષણ ઉપરથી જણાયું. તે પછી રાજમહેલમાં મહારાજા જોડે મુલાકાત થઈ. તે વખતે તેમણે કહ્યું, “કલકત્તા છોડીને અહીં કંઈ કામ કરવાની તમારી ઈચ્છા છે?' મેં કહ્યું, પૈસે કમાઈને શ્રીમંત થવાની મને બિલકુલ ઈચ્છા નથી. મને ગમતું કામ કરવા મળે ને ગુજરાન પૂરતા પૈસા મળે એટલે મને સંતોષ છે.' તેમણે કહ્યું, “તમે જે અહીં આવીને રહે તે હું તમને બધી રીતે મદદ કરવા તૈયાર છું.’ મેં જવાબ આપ્યો, “મારે વડોદરામાં જ રહેવું એવો આગ્રહ મહારાજાએ ન રાખવો. હું ગમે ત્યાં હોઈશ, તોપણું બૌદ્ધધર્મનું જ્ઞાન મહારાષ્ટ્રની જનતાને કરાવવું એ કર્તવ્યને હું ભૂલવાને નથી. તેથી મહારાજા સાહેબને પસંદ હોય તો પૂનો મુંબઈ જેવી હરકોઈ જગાએ રહી મારું કામ મને કરવા P.PIAC! Gunia nasul M.S Jun Gun Aaradhak Trust
Page #278
--------------------------------------------------------------------------
________________ ર૭૦ આપવીતી * દેવું અને વડોદરા સરકાર તરફથી નિર્વાહ પૂરતી મને મદદ આપવી.” તે વખતે મહારાજાએ કશો ચક્કસ જવાબ આપ્યો નહિ, અને તે જ દિવસે કે વળતે દિવસે તેઓ પૂના તરફ ઊપડી ગયા. હું કલકત્તે ગયે. પંદર વીસ દિવસે પૂનાથી મહારાજાના ખાનગી કારભારીને મારા પર અરજ. તાર આવ્યું. તેમાં લખ્યું હતું કે, “હું મહારાષ્ટ્રમાં કઈ પણ શહેરમાં રહી મારું કામ કરવા તૈયાર હોઉ તે વડોદરા સરકાર તરફથી માસિક 50 રૂપિયા આપવામાં આવશે અને આ મદદ ત્રણ વર્ષ સુધી ચાલુ રહેશે. માત્ર ભારે વરસમાં એકાદ પુસ્તક વડેદરા સરકારને સારુ લખીને તૈયાર કરી આપવું.” આ તાર ગોવે થઈ ત્યાંથી રખડતે રખડત આવેલો તેથી બહુ મોડે મળે. પાછળ જ કારભારી તરફથી, પહેલા તારનો જવાબ તરત મોકલો, એવો બીજો તાર આવ્યો. હું હરિનાથ દેને અને ન્યાયમૂર્તિ મુકરજીને મળે અને તેમને મારો ઉદ્દેશ જણાવી મહારાજ સાહેબ તરફનું કહેણ મેં સ્વીકાર્યું, અને તારથી જ તેમને ઉપકાર માન્યો. કાગળ પણ લખ્યો તેમાં જણાવ્યું કે હું મહિને રહીને પૂને જઈશ. આ બાબતમાં મહારાજા સાહેબના કારભારી તરફથી સંમતિ દર્શાવનાર જવાબ પણ થડા રેજમાં આવી ગયો. કલકત્તામાં મારે ઓનરેબલ માંગ બા ટુ નામના બરમી ગૃહસ્થ ડે ઓળખાણ થઈ હતી. તેમણે મને ખાસ બ્રહ્મદેશ તેડાવ્યો હતો. જે હું ત્યાં જાઉં તો ત્રિપિટક ગ્રંથો છપાઈને પ્રસિદ્ધ થયેલે બધો ભાગ મને આપવા તેમણે કબૂલ કર્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં તેમને મળવા હું બ્રહ્મદેશ ગયો. કલકત્તા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #279
--------------------------------------------------------------------------
________________ શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય ર૭૧ યુનિવર્સિટીએ પણ પાલિભાષામાં છપાઈને પ્રસિદ્ધ થયેલ બધાં પુસ્તક લાવવા અને 300 થી 400 રૂપિયાની રકમ આપી હતી. આ વખતે માલમિનવાળા અમારા વિરોને મળવા હું ખાસ ગયો. હવે કે હું સંધમાં નહોતે તોપણ તેમણે મારે સારો સત્કાર કર્યો. મેંગ બા ટુએ લગભગ 250 રૂપિયાનાં પાલિ પુસ્તક મને આપ્યાં. આ પુસ્તકો મને આજે પણ ખૂબ ખપ આવે છે. બકે આ પુસ્તકો વંગર મારું કામ ડગલે ને પગલે અટક્યું હોત અને પાલિભાષા શીખવવાના કામમાં મને હમેશ ખૂબ અડચણ આવી હોત. સપ્ટેમ્બર આખરે હું બ્રહ્મદેશથી કલકત્તે પાછો આવ્યો. મારી ગેરહાજરી દરમ્યાન અહીં કંઈ જુદું જ ચાલી રહ્યું હતું. કલકત્તા યુનિવર્સિટીએ મારો પગાર માસિક 100 રૂપિયા હતો તે વધારીને 250 કર્યો, અને બદલામાં મારી તરફથી ત્રણ વરસ સુધી કલકત્તામાં રહેવાની બંધણી માગી ! આ બધું હરિનાથ દે તેમ જ જસ્ટિસ મુકરજીની મહેનતનું પરિણામ હશે. આ વાતની ખબર પડતાં જ મેં હરિનાથ દેને કહ્યું, તમારી જ ઈચ્છાથી મેં વડોદરાનું વેતન સ્વીકાર્યું. અને હવે તમે જ મને મારા વચનની વિરુદ્ધ વર્તવા કહે છે એ કેવું ?" ઘણી આનાકાની પછી છેવટે તે મને લઈને જસ્ટિસ મુકરજી પાસે ગયા. જસ્ટિસ મુકરજીને પણ મેં એ જ પ્રશ્ન કર્યો. તેમણે કહ્યું કે, “તે વખતે તમારા જેવા સામે અમે કંઈ વાંધો ન લીધે, પણ આજે અમને એમ જણાય છે કે તમારું કલકત્તામાં રહેવું થાય તો પાલિભાષાને વધુ પ્રચાર થાય; અને એટલા જ સાર અમે તમને અહીં રહેવા આગ્રહ કરીએ છીએ. મહારાજા ગાયકવાડને આપેલું વચન કેમ AC. Guna Jun Gun Aaradhak Trust
Page #280
--------------------------------------------------------------------------
________________ ૨૭ર આપવીતી તોડાય એમ જે તમને લાગતું હોય તો તમને બીજાં ત્રણ વર્ષ અહીં રહેવા દેવા સારુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે મહારાજાને હું આજે જ તાર કરું, પણ અમારો બેલ ન રાખતાં તમે અહીંથી જાઓ એ ઠીક નહિ.” તે દિવસે ન્યાયમૂર્તિ મુકરજીને હા ના નો જવાબ ન આપતાં વિચાર માટે મુદત માગી લઈ હું ઘેર આવ્યો. ' હવે મારા મનની સ્થિતિ એવી તે વિચિત્ર બની ગઈ. કે કંઈ કહેવાની વાત નહિ. એક તરફ દર મહિને 250 રૂપિયાના પગારને લેભ અને બીજી તરફ ધર્મ ચૂકવાની બીક, આ બે વચ્ચે મારું મન ચકડોળે ચડ્યું. પણ છેવટે ફરજ ન ચૂકવાનો નિશ્ચય દઢ થયા અને મારા મનને નિરાંત વળી. બીજે દિવસ બધાં પુસ્તક પેટીમાં ભરી શ્રી. આનંદરાવ માડગાંવકરની મારફત મુંબઈ રવાના કર્યા. તેમના પિતા શ્રી. દીનાનાથ માડગાંવકરને મેં કહ્યું, “આજે બુદ્ધની અને બોધિસત્ત્વની કૃપાથી મેં લોભ ઉપર વિજય મેળવ્યો છે અને એને મને આનંદ થાય છે !' . પણ હરિનાથ દેને કંઈક ને કંઈક જવાબ આપવો રહ્યો હતો. તેમને મળીને મેં કહ્યું, “મહારાજા ગાયકવાડની રજા અહીં બેઠાં મંગાવવી એ મને બરાબર નથી લાગતું. હું તેમને એક વાર મળું અને પછી જે કંઈ થશે તે જણાવીશ. ત્યાં સુધી યુનિવર્સિટી સિન્ડિકેટને હું કંઈ નક્કી જવાબ આપતો નથી.' હરિનાથ દેએ મને શ્રીમંત ગાયકવાડ મહારાજાને આપવા સારુ એક કાગળ લખી આપ્યું. તેમાં મારા કલકત્તામાં રહેવાથી ખૂબ ફાયદો છે વગેરે બાબતો લખી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #281
--------------------------------------------------------------------------
________________ શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય ર૭૩ ન્યાયમૂર્તિ મુકરજી અને હરિનાથ દેની રજા લઈ ૧૯૦૮ના ઑકટોબર મહિનામાં હું મુંબઈ આવ્યા. અને અગાઉથી જ નિશ્ચય કર્યા પ્રમાણે કલકત્તા યુનિવર્સિટીના મહામાત્રને મારું રાજીનામું મેકલી આપ્યું. હરિનાથ દે તેમ જ ન્યાયમૂર્તિ મુકરજીને પણ કાગળથી જણાવ્યું કે, “હું આપનો અત્યંત આભારી છું, પણ ફક્ત પૈસાને ખાતર મેં યુનિવર્સિટીના નવા ઠરાવને સ્વીકાર્યો એમ કહેવાય એ બીકે રાજીનામું આપું છું. શ્રીમંત ગાયકવાડ સરકારે મને મનાઈ કરી હતી કે નહિ એ હું જાણતો નથી. આ બાબત તેમને પૂછવા સુધી જવાની મારી ઇરછી નથી, વગેરે. મુંબઈમાં મારી અને દા. વાસુદેવ અનંત સુખઠણુકરની આ વખતે પહેલી જ ઓળખાણ થઈ. શ્રી. કૃષ્ણરાવ માડગાંવકર અને તેમના નાના ભાઈ શ્રી. બળવંતરાવ માડગાંવકરની પણ આ વખતે પિછાન થઈ. જોતજોતામાં તે દસ્તીમાં પરિણમી. માડગાંવકરે પિતાને બોરીવલીનો બંગલો મને રહેવા સારુ આપ્યો. ત્યાં હું એક બે મહિના સહકુટુંબ રહ્યો. આ જ વખતે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર દા. જેમ્સ એચ. વુડસ સંસ્કૃત ભાષાનો અભ્યાસ વધારવાના ઉદ્દેશથી. અહીં આવીને રહ્યા હતા. તેઓ જર્મનીમાં હતા ત્યારે દા. સુખઠણકર એમની સાથે ભણેલા. દા. સુખઠણકર અને તેમની વચ્ચે ભારે વિષે વાતો થયેલી. આથી મને મળવાની તેમણે ઈચ્છા દેખાડી. હું મુંબઈ આવ્યો ત્યારે તેમનાં પત્નીની તબિયત નરમ હોવાથી તેઓ માથેરાન હતા. તેમની વિનંતીથી દા. સુખઠણકર અને હું ત્યાં જઈને તેમને મળ્યા. પછી નવેમ્બર મહિનામાં તેઓ સહકુટુંબ તાજમહાલ હોટેલમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #282
--------------------------------------------------------------------------
________________ ર૭૪ આપવીતી * આવીને રહ્યા અને ત્યાંથી રોજ પાલિ ભાષા શીખવા બેરીવલી આવતા. , પણ થોડા જ દિવસમાં તેમની પત્નીની તબિયત ફરી લથડી. આથી તેમની સગવડ ખાતર મેં પ્રાર્થનાસમાજની સામે એક ચાલીમાં એરડી ભાડે રાખી ઘર કર્યું. ભાડા વગેરેનું ખર્ચ તેમણે આપ્યું. મારે તાજમહાલ હોટેલમાં જ તેમને શીખવવા જવું એમ તેમણે દા. સુખઠણકર આગળ સૂચવ્યું. પણ દા. સુખઠણકરે જ તે સૂચના બારોબાર નામંજૂર કરી. હું કઈ રીતે તેમને ત્યાં ભણાવવા નહિ જાઉં, અને એવી સૂચના કરવા જવામાં તેમના પિતાને જ હકમાં નુકસાન થશે એમ કહ્યું. દા. વુસે મને આ સંબંધે સીધું તો કંઈ પૂછયું જ નહિં; ફક્ત મને મુંબઈ આવીને રહેવા વિનંતી કરી, અને તેટલી તેમની સગવડ ખાતર મેં પણ માન્ય રાખી. મારા નવા રહેઠાણની બધી વ્યવસ્થા દા. સુખઠણકરે જ કરી. મારે તો ભારે સરસામાન બોરીવલીથી મુંબઈ લઈ આવવા ઉપરાંત બીજું કશું કરવું પડયું નહિ. દા. વુલ્સ ૧૯૦૯ના ફેબ્રુઆરી આખર સુધી રહી જાપાન થઈને સ્વદેશ પાછા ગયા. માર્ચ મહિનામાં મારી સ્ત્રીને. ગોવા મોકલી હું પૂનામાં કાયમનું રહેઠાણ કરવાના ઇરાદાથી, આવ્યો. પ્રથમ તો સદાશિવ પૈઠમાં એક નાનું ઘર લઈ ત્યાં થોડા દિવસ ગાળ્યા; પછી રવિવાર પેઠમાં એક મેડા પર છેડે વખત રહ્યો. દરમ્યાન મારે હાથે કશું જાણવાજોગ કામ થયું નહિ, છતાં “વિશુદ્ધિમાર્ગને ઘણે ભાગ મેં દેવનાગરી લિપિમાં લખી કાઢયો. બધિચર્યા–અવતારનું મરાઠી ભાષાંતર તૈયાર કર્યું. એક નાનું પાલિ વ્યાકરણ સંસ્કૃત ભાષામાં લખ્યું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #283
--------------------------------------------------------------------------
________________ * શ્રીમંત મહારાજા ગાયકવાડને આશ્રય ર૭૫ અને વડોદરામાં જુદી જુદી જગ્યાએ પાંચ વ્યાખ્યાન આપ્યાં. તેમાંનાં ત્રણ વ્યાખ્યાનો “બુદ્ધ, ધર્મ અને સંઘ' નામે પુસ્તકરૂપે છપાઈને પ્રસિદ્ધ થયાં છે. ' ૧૯૧૦ના ફેબ્રુઆરી મહિનામાં દા. લુસ તરફથી મારા પર જરૂરી કાગળ આવ્યું કે, હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્વ. મિ. વરને શરૂ કરેલ “વિશુદ્ધિમાર્ગના સંશોધનકાર્યને મારી મદદની જરૂર હોવાથી ભારે તરત અમેરિકા આવવાની તૈયારી કરવી. આગબોટમાં કેવી રીતે આવવું એની બધી વિગત તેમણે આ જ કાગળમાં લખી મોકલી હતી અને પોતાનું તારનું સરનામું અને અમુક રૂપિયાની રકમ માટે સંકેતશબ્દ (Code-word) પણ લખીને તારથી જ પૈસા મંગાવવા લખ્યું હતું. આ પ્રમાણે 1800 રૂપિયા મેં તારથી મંગાવ્યા અને શ્રીમંત ગાયકવાડની રજા લઈ હું અમેરિકા જવા તૈયાર થયો. મહારાજા પણ આ જ અરસામાં જાપાનથી અમેરિકા જનાર હતા. તેઓ મને પિતાની સાથે આવવા કહેતા હતા, પણ અમેરિકાથી પૈસા મારા હાથમાં આવી જવાથી અને ઈંગ્લેંડથી આગળની મુસાફરી કરવાની ગોઠવણ દા. વુલ્સ પોતે કરનાર હોવાથી હું તેમ કરી શક્યો નહિ. મેં ઇંગ્લંડને જ રસ્તે જવાનો નિશ્ચય કર્યો. મહારાજા સાહેબે વધુ આગ્રહ ન કરતાં ભારે પ્રસન્નતાપૂર્વક મને અમેરિકા જવા રજા આપી. એટલું જ નહિ, પણ કંઈ મુશ્કેલી આવે તો તારથી જણાવજે, જરૂર મદદ કરીશું,' એવું અભયવચન પણ આપ્યું. આ ઉપરાંત “બુદ્ધ, ધર્મ અને સંઘ'નું પુસ્તક છપાવવા સારુ તેમણે મને એકસાથે પાંચસો રૂપિયાની રકમ addled 32). atnasuri M.SE Jun Gun Aaradhak Trust
Page #284
--------------------------------------------------------------------------
________________ ર૭૬ આપવીતી માસિક 250 રૂપિયાની નોકરી છોડી શ્રીમંત મહારાજા ગાયકવાડે આપેલા 50 રૂપિયાનું વેતન સ્વીકાર્યા માટે મને કદી પણ પસ્તા થયેલ નથી. જે આ વેતન સ્વીકાર્યું ન હોત તે દા. વુલ્સની મને ઓળખાણ ન થાત અને અમેરિકા જવાની તક પણ ન મળત. ઉપરાંત પૂને આવીને રહેવાથી દા. ભાંડારકર સાથે મારે નિકટ સંબંધ બંધાયે, અને પરિણામે મુંબઈ યુનિવર્સિટીમાં પાલિ ભાષા દાખલ થઈ શકી. વળી, મહારાષ્ટ્રમાં વસતા મારા દેશબંધુઓની સેવા કરવાની મારી ઇચ્છા કંઈ પણ અંશે પાર પડી હોય તો તે શ્રીમંત મહારાજા ગાયકવાડના આશ્રયને જ પ્રતાપે; અને મુંબઈ ઇલાકામાં પાલિ ભાષાને પ્રચાર થઈ શક્યો તેનું પણ ઘણુંખરું શ્રેય તેમને જ આપવું ઘટે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #285
--------------------------------------------------------------------------
________________ 18 અમેરિકાની સફર જેના આયુષ્યનાં બાવીસ વીસ વર્ષ ગાવા જેવા પછાત . પ્રાંતમાં વીત્યાં અને તે પછી પણ ઘણાં વર્ષ કાશીને મઠામાં કે બૌદ્ધ વિહારમાં ગયાં, તેને એકાએક અમેરિકાની મુસાફરી કરવાને પ્રસંગ એ જરા વિચિત્ર તો ખરું જ. જન્મારામાં કદી ઈજારે પહેરેલી નહિ, બૂટ પહેરવાની ટેવ નહિ, યુરેપિયન ઢબે ટેબલ ઉપર જમવાને કદી પ્રસંગ નહિ,– આવી સ્થિતિમાં મારા મનની સ્થિતિ કેવી થઈ પડી હશે તેની કલ્પના વાચકે જ કરી લેવી. આમ છતાં અજાણ્યા મુલકમાં મુસાફરીના અનેક પ્રસંગે આવી ગયા હોવાથી અને કલકત્તાના વસવાટ દરમ્યાન ત્યાંના કેટલાક મિત્રોની સાહેબશાહી રહેણી જોયેલી તેથી આ નવી મુસાફરીથી હું ગભરાયો નહિ. દા. સુખઠણકર હાલ લાહોરની દયાળસિંગ કૅલેજમાં અધ્યાપક હતા. મારું અમેરિકા જવાનું નક્કી થતાં તેઓ આવીને મને મળ્યા. હું સફરની તૈયારીમાં પડેલો તેથી બુદ્ધ, * ધર્મ અને સંધ' પુસ્તકનાં છેવટનાં પ્રફે પણ તેમણે જ તપાસ્યાં અને શુદ્ધિપત્રક તૈયાર કર્યું. વિલાયતની સફર દરમ્યાન જરૂરી વસ્તુઓની એક યાદી પણ તેમણે મારે સારુ તૈયાર કરી. આ યાદી પ્રમાણે શ્રી. બળવંતરાવ માડગાંવકરે બધી વસ્તુઓ ખરીદવામાં મને મદદ કરી. પૂનાના સ્ટેશને મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #286
--------------------------------------------------------------------------
________________ 278 આપવીતી. કુટુંબીઓની છેલ્લી વિદાય લઈ હું મુંબઈ આવ્યો અને ત્યાંથી તારીખ ૨૩મી એપ્રિલ ૧૯૧૦ને રોજ પી. એ. કંપનીની મૈન્યુઆ' બેટમાં ઇંગ્લેંડ જવા ઊંપડ્યો. બંદર ઉપર મારા મિત્ર શ્રી. બળવંતરાવ માડગાંવકર વગેરે મને વળાટાવવા આવ્યા હતા. આ જ સ્ટીમરમાં મહારાજા હોલકર વિલાયત જવા નીકળ્યા હતા. તેમની સાથે તેમનાં બહેન શ્રીમંત * સૌ. સીતાબાઈ પણ હતાં; મને આ વાતની મુદ્દલ ખબર નહોતી અને હોત તોપણ તેથી કશો લાભ થયે હોત એમ નહિ. પણ મારા મિત્ર પ્રાર્થનાસમાજના ઉપદેશક શ્રી. વિઠ્ઠલ રામજી શિંદેને આ વાતની ખબર હતી અને સ્ટીમર ઉપર કશી અગવડ પડે તો મને આ શ્રીમંત લોકો તરફથી કંઈ મદદ થાય, એવા ઉદ્દેશથી તેમણે સૌ. સીતાબાઈ સાહેબ ઉપર લખેલો એક કાગળ મને બંદર ઉપર આપે. દા. સુખઠણકરે ઈંગ્લંડના ઘણું ગૃહસ્થ ઉપર ભારે વિષે લખી રાખ્યું હતું. ઉપરાંત દ. લિવરપુલમાં એક માજી આર્ચડિકન (ખ્રિસ્તી પુરોહિત)ને મારી તજવીજ કરી આપવા લખ્યું સ્ટીમર ઉપર મને જે બીજા વર્ગની કેબિન મળી હતી, તેમાં ઈગ્લેંડ જાતો એક જૈન વિદ્યાર્થી અને તેની જ કોમને પારીસમાં ઝવેરાતને ધંધો કરનાર બીજો કોઈ વેપારી, એમ બે ઉતારુઓ હતા. પહેલે દિવસે તે કેટલાક લોકે દરિયાની હવા લાગવાથી “સીક થઈ પડ્યા; પણ હું તો મદ્રાસથી અને કલકત્તાથી રંગૂન જતાં આવતાં ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સ્ટીમરમાં રહેલ તેથી મને જરા પણ અડચણ ન પડી એટલું જ નહિ, પણ મુંબઈમાં બે દિવસ વારંવાર શૌચ જવું પડયાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #287
--------------------------------------------------------------------------
________________ મને સહેજ તાવ આવી ગયો હતો તે પણ અરબી સમુદ્રમાં 24 કલાકની સફર થતાં જ જતો રહી તબિયતને સંપૂર્ણ આરામ લાગવા માંડયો. વળી સ્ટીમર ઉપર માખણ અને પાંઉ વગેરેનો સાદે ખોરાક પણ મારી તબિયતને અનુકૂળ - થઈ પડ્યો. સવારે ઊઠતાવેંત ચા, ડાં ફળ અને બિસ્કૂટ કે પાંઉના બે કટકા એટલું મળતું. પછી 10 વાગ્યે જમવાનું (બ્રેકફાસ્ટ), ફરી 1 વાગ્યે નાસ્તો (લંચ), પછી 4 વાગ્યે ચા, સાંજે 7 વાગ્યે સરસ ખાણું (ડિનર), અને રાત્રે 10 વાગ્યે થોડું વાળું, –એટલું અમને મળતું. કેટલાક યુરોપિયન મુસાફરો આ બધા ઉપર બરાબર હાથ મારતા. પણ હું જે એમ કરવા જાઉં તો મારે સંગ્રહણી રોગ પાછો ઊથલે ખાઈ મરણ જ આવે એમ હતું, તેથી હું તેમ જ બીજા હિંદુ મુસાફરો પણ દિવસમાં બે ત્રણ વખત ફક્ત જરૂર જેટલો જ ખોરાક લેતા. . માત્ર અમારી જોડે એક જુવાન દેશસ્થ બ્રાહ્મણ હતો તે પેલા ગોરા મુસાફરોથી હાર ખાય એમ નહોતું. પહેલે જ દિવસે તેણે હેમ (ડુક્કરનું માંસ), બીફ (માંસ) ઈ. પર રીતસર હાથ મારવાની શરૂઆત મેં તેને મરાઠીમાં પૂછયું, “તમે પિતાને દેશસ્થ બ્રાહ્મણ કહેવરાવો છે અને આ પહેલે જ દિવસે સ્ટીમર ઉપર આવું અભક્ષ્ય ભક્ષણ કરે છે એ કેવું?' તેણે કહ્યું, “ત્રણ ચાર મહિના પર વિલાયત જવાનો મારો નિશ્ચય થયો ત્યારથી જ મુંબઈની હોટેલોમાં જઈ આ બધી ચીજો ખાવાનો મેં ઠીક મહાવરે કરી લીધો છે સમજ્યા કની ?" આ સાંભળી અમે ચૂપ થઈ ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #288
--------------------------------------------------------------------------
________________ 280 - આપવીતી મારી કેબિનમાંના પેલા જૈન વેપારી સ્ટીમર પરના ખોરાકને બિલકુલ અડતા નહિ. ચા, બિસ્કૂટ કે પાંઉ એટલી જ વસ્તુઓ પર તે રહેતા. બાકી, પિતાને સારુ હળદરનો ભૂકે નાંખીને બનાવેલ અનેક દિવસ રહે એવી ખાખરીઓ, બીજાં મેવામઠાઈ તેમ જ કરી, સંતરાં, મોસંબી વગેરે ફળોના બે ત્રણ કંડિયા તેમની સાથે હતા તે ઉપર તે પોતાનું ચલાવતા. પેલો જૈન વિદ્યાર્થી એટલે ચુસ્ત નહોતો છતાં માંસની સૂગ તેને ચડતી જ. આ ઉપરાંત બીજા એક બાપના અટકવાળા હેલકર મહારાજાના કોઈ જૈન શિક્ષક પણ આ સ્ટીમર પર હતા. તેઓ પણ શાકાહારી હતા. મને પોતાને માછલી ખાવામાં વધે નહોતો; પણ સ્ટીમર પર તે કવચિત જ મળે. આથી જમવાની બાબતમાં અમને ત્રણે જણને ઠીક પડતું. બે ત્રણ દિવસ પછી મુખ્ય બબરચીને કહી અમે દાળભાત મેળવવાની પણ ગોઠવણ કરાવી લીધી. અને પાંઉ, માખણ, ફળ અને દાળભાત, એટલી વસ્તુઓ ઉપર અમારું ખાતું નભતું. સ્ટીમર રાતા સમુદ્રમાં પહોંચી એ અરસામાં મારી સાથે શ્રી. શિંદેવાળે કાગળ શ્રી. બાપના મારફત મેં શ્રીમંત સા. સીતાબાઈને મોકલાવ્યો. વળતે જ દિવસે તેમણે મને મળવા બોલાવ્યો. સ્ટીમર ભૂમધ્ય સમુદ્રમાં દાખલ થઈ તે પહેલાં હું તેમને એક બે વખત મળ્યો. ઘડી ઘડી ફર્સ્ટ કલાસમાં જવું મને પસંદ ન હોવાથી મને ત્યાં જવાનો કંટાળો આવતો. પરંતુ એક દિવસ ભૂમધ્ય સમુદ્રમાં થોડું તોફાન થયું અને તેથી સીતાબાઈ સાહેબ બહુ ગભરાઈ ગયાં. અધૂરામાં પૂરું તેમને કેાઈએ કહ્યું કે બિસ્કેના ઉપસાગરમાં આથી પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #289
--------------------------------------------------------------------------
________________ અમેરિકાની સફર - 281 બહુ વધારે ભયંકર તોફાનો થાય છે, અને તેમણે તે મારી પેઠે જ સીધી લંડનની ટિકિટ કઢાવેલી. તેથી હવે તે ટિકિટ બદલાવી નાંખીને માર્સેલ્સને રસ્તે જવાને તેમણે વિચાર કર્યો. પણ આ કામમાં મોટી અડચણ એ હતી કે, મહારાજા હલકર, ગાર રક્ષક, અને બીજા રસાલાને માર્સેલ્સથી કેલે જનારી સ્પેશ્યલ ટ્રેનમાં મેકલવાની ગોઠવણ કરવામાં આવી હતી. આમાંના એકાદ જણને પાછળ રાખીને શ્રી સીતાબાઈ જોડે રહેવાનું કરી શકાત. પરંતુ તે પ્રમાણે કેમ કરવામાં ન આવ્યું તે મને સમજાયું નહિ. અડચણ માર્સેલ્સથી કેલે સુધીની જ હતી. ત્યાં મહારાજાની ખાસ ટ્રેન અને અમારી ટ્રેન ભેગી થવાની હતી. આથી સૌ. સીતાબાઈએ મહારાજાના રક્ષકને પોતાની ટિકિટ બદલાવી મંગાવવા કહ્યું, પણ તે ગૃહસ્થ તેમને એકલાં આવવા હા ન પાડે. અંતે સીતાબાઈએ મારું નામ સૂચવ્યું. સાહેબે મને પૂછ્યું કે, “બાઈના સામાન વગેરેની જવાબદારી તમે લેવા તૈયાર છે?' મેં કહ્યું, “હું સાવ નવોસવો માણસ છું, પણ મારાથી બનતી બધી મદદ હું કરીશ.” બીજો રસ્તો ન હોવાથી તેણે “વાટમાં કંઈ અડચણ પડે તો તાર કરજે” એમ કહી માર્સેલ્સમાં મહારાજા સાથેની સ્પેશ્યલ ટ્રેન પકડી. સૌ. સીતાબાઈએ પોતાને પૈસે મારી ટિકિટ પણ બદલાવી લીધી હતી. આમ અનાયાસે માંસ દેશમાં એક દિવસની ઉડતી મુસાફરી કરવાની તક મને મળી. - અમે માસને બંદરે ઊતર્યા તે જ દિવસે શહેનશાહ સાતમા એડવર્ડના મરણના સમાચાર સાંભળ્યા. સૌ. સીતાબાઈની સાથે તેમનાં એક દીકરી ઇંદિરાબાઈ પણ હતાં. આ બંને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #290
--------------------------------------------------------------------------
________________ 282 આપવીતી બાઈઓને સામાન ખૂબ હતો. બંદર ઉપર જ એવી મુશ્કેલી - ઊભી થઈ કે તેમનાં કીમતી કસબી કપડાં વગેરે માટે ભારે જકાત માગવા લાગ્યા. આખરે બધી પેટીઓ ન ઉઘાડતાં, એમ ને એમ બંધ કરી, થોમસ કુક મારફત ઠેઠ ઇંગ્લંડમાં જ્યાં સીતાબાઈ ઊતરનાર હતાં ત્યાં મોકલી દેવામાં આવી. મારી ટ્રેક પણ મને લિવરપુલમાં થેમસ કુકની ઓફિસમાંથી મળે છે એવી ગોઠવણ કરી. આટલું પત્યા પછી ગામમાં જઈને સૌ પહેલાં તે જમવાની સગવડ કરી. પછી અમે માર્સેલ્સ શહેર જોવા નીકળ્યાં. સીતાબાઈની હેન્ડબેગમાં કેટલુંક ઝવેરાત હતું આથી દરેક જગ્યાએ હેન્ડબેગની તેમને બહુ જ ચિંતા રહેતી. સંગ્રહસ્થાન વગેરે ઠેકાણે હેન્ડબેગ ઈ. ચીજો નકરોને સંપીને અંદર જવું પડે તે વખતે તેમના મનને બહુ જ ફફડાટ રહેતો. અંતે તેમણે મને આ વાત કરી. મેં કહ્યું, “બૅગમાં કશું કીમતી છે એ વાતની કઈને શંકા જ ન આવતા દેતાં, નહિ તે સુખે આગળ જવું મુશ્કેલ થઈ પડશે.” થોમસ કુક મારફત માર્સેલ્સનાં જોવાલાયક સ્થળે જોઈને સાંજે અમે એક ઉપાહારગૃહમાં આવ્યાં. કુકને દુભાષિયો સાથે જ હતો. તેણે હોટેલવાળાને કહીને અમારે સારુ લીલા વટાણું વગેરે તૈયાર કરવા કહ્યું. જમી રહ્યા પછી દુભાષિયાએ અમને સ્ટેશને પહોંચાડ્યાં અને કુકને બીજા એક આડતિયાને હવાલે કર્યો. આ આડતિયાએ અમને ફર્સ્ટ કલાસના ડબામાં ગોઠવ્યાં. આ દુભાષિયા તથા આડતિયાએ અમારા ખીસાના દસ બાર ફેંક સહેજે ઓછા કર્યા હશે! આપણા દેશમાં જેમ “બક્ષિસ'ની પીડા છે તેવી જ તે ફ્રાન્સમાં પણ છે એમ અમે જોયું. P.P. A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #291
--------------------------------------------------------------------------
________________ પાર : 2 22માંથી અમેરિકાની સફર 283 ફ્રાન્સની આગગાડીઓ બહુ સગવડવાળી નથી હોતી. અમે પહેલા વર્ગનાં ઉતારુઓ હતાં તોપણ ડબામાં સૂવાની સગવડ બિલકુલ નહોતી ! માંડ માંડ બેસવા જેટલી જગ્યા હતી. બીજા બે ત્રણ એસારુ અમારા ડબામાં હતા. તેમાં એક મુસલમાન વિદ્યાર્થી હતો. તે કાન્સનો સારો માહિતગાર હોવાથી અમને ઠીક ખપ આવ્યો. હવે પછી થોમસ કુકનું શરણુ શોધવાનો અમારે પ્રસંગ રહ્યો નહિ. બીજે દિવસે સવારે અમે પારીસ પહોંચ્યાં. એક સ્ટેશનથી બીજે સ્ટેશન જવા અમે મોટર ભાડે કરી અને પારીસ પર ઊડતી નજર નાખીને શહેર સોંસરાં અમારે સ્ટેશને પહોંચ્યાં. પેલા મુસલમાન વિદ્યાર્થીએ રસ્તામાં કેટલાંક સ્થળો બતાવ્યાં. પણ મોટરમાંથી ઊતરી એ બધું નિહાળીને જોવાની ફુરસદ અમને નહોતી. કેલે જતી ગાડીના સ્ટેશન આગળ જ પારીસમાં એક મોટી હોટેલ છે ત્યાં અમે બધાએ જમી લીધું. બધા પૈસા જો કે હું ચૂકવતે હતો છતાં પેલા જુવાન મુસલમાન વિદ્યાથીએ તે ન લેતાં પોતે જ બિલ ચૂકવ્યું. પારીસથી કે અમે કેટલા વાગ્યે પહોંચ્યાં તે અત્યારે બરાબર યાદ નથી. પણ ત્યાં મહારાજા હલકરવાળી પી. ઓ. કંપનીની સ્પેશ્યલ ટ્રેન અને અમારી ટ્રેન ભેગી થનાર હતી એટલું યાદ છે. મહારાજા કદાચ અમારી પહેલાં જ ઇંગ્લિશ ચેનલ ઊતરી ગયા હોય પરંતુ ડાવરથી તે તેઓ જે ગાડીમાં જનાર હતા તે જ ગાડીમાં અમારે પણ જવાનું હતું. એટલે તે સ્ટેશને તેમનો ખાસ ડઓ શેધી કાઢી સૌ. સીતાબાઈ તથા તેમનાં દીકરીને મેં ત્યાં પહોંચતાં કર્યા અને હું પાસેના બીજા એક ડબામાં બેઠે. સ્ટેશને ભીડ ખૂબ હતી. મારો સામાન ઊંચકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #292
--------------------------------------------------------------------------
________________ 284 - આપવીતી લાવનાર મજૂરની અને મારી નજરચૂક થવાથી તે ભળતે જ ઠેકાણે ચડી ગયો અને આખી ગાડી ફરી વળીને અંતે ઘણી વારે મને શોધી કાઢી મારે સામાન મને સોંપ્યો, ને સામાન તપાસી લેવા કહી પિતાની મજૂરી માગી. મેં તે ચૂકવી આપી. અહીંથી લંડનના ચેરિંગ ક્રોસ સ્ટેશન સુધી મેં એકલા મુસાફરી કરી. અહીં એક બે પંજાબી વિદ્યાર્થીઓ મળી ગયા. ચેરિંગ ક્રોસની હોટેલમાં 18 શિલિંગ આપી હું એક રાત રહ્યો. બીજે દિવસે સવારે લિવરપુલ જવા ઊપડ્યો. કારણ દા. વુના મિત્ર લિવરપુલવાળા આચંડિકન પાસેથી ક્યાં રહેવું, અમેરિકા જનારી સ્ટીમર ક્યારે મળશે, વગેરે માહિતી માટે મેળવવી રહી હતી. લિવરપુલને સ્ટેશને ઊતર્યા પછી દા. વુડસનો કાગળ હાથમાં લઈ તેમાં લખેલ આર્ચડિકનનું ઠેકાણું હું જેને તેને પૂછવા લાગે. પણ તપાસ કરતાં જણાયું કે સદરહુ આચંડિકનને ગુજરી ગયે તો એક વર્ષ થઈ ગયું ! અંતે એક ગાડીવાળે મને ઠેઠ લિવરપુલના બિશપને ઘેર લઈ જઈ, ત્યાં આચંડિકન કોણ છે વગેરે તપાસ કરી જેવા કહ્યું. બિશપ સાહેબ ફાટકમાં ગાડી આવતી જોતાં જ બહાર આવ્યા અને મને પોતાના દીવાનખાનામાં તેડી જઈ ખુરશી પર બેસાડી આવવાનું પ્રયોજન પૂછ્યું. મેં પેલા ડિકનનું ઠેકાણું પૂછયું એટલે તે બોલ્યા કે, “આજે તેઓ હયાત નથી, પણ તેમને બદલે મારાથી તમને કશી મદદ થઈ શકે એમ હોય તો નિઃસંકોચે કહે.' કહ્યું: “આ દેશમાં હજી તાજે જ આવું છું તેથી મને અનુકૂળ પડે એવી કોઈ હોટેલ મને ઊતરવા સારુ બતાવો. અમે હિંદુઓ મોટે ભાગે શાકાહારી હોઈએ છીએ, એ તો આપ જાણતા જ હશે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #293
--------------------------------------------------------------------------
________________ અમેરિકાની સફર 285 બિશપ સાહેબે કહ્યું, ‘હિંદુ લોકે વિષે મેં ખૂબ વાંચ્યું તેમ જ સાંભળ્યું છે અને તેથી તેમને વિષે મારા મનમાં ખૂબ આદર છે. મારા ઘરની પાસે જ એક ટેમ્પરન્સ હોટેલ છે. ત્યાં તમારી સરસ ગોઠવણ થઈ શકશે. છતાં કંઈ અડચણ પડે તો હું તમારી પાડેશમાં જ છું. મને કહેજે એટલે બીજી સગવડ જોઈ આપીશ.” આમ કહી અત્યંત વિનયપૂર્વક તેમણે મારો ઓવરકોટ મને પહેરાવ્યો અને બહાર આવી મને ટેમ્પરન્સ હોટેલમાં લઈ જવા ગાડીવાળાને ભલામણ કરી. બિશપ સાહેબ ઘરમાં’ ગયા એટલે ગાડીવાળો ભારે આશ્ચર્ય પ્રગટ કરી બોલ્યો કે, “એઓ આ શહેરના બિશપ છે. છતાં તેમણે તમને આટલું માન આપ્યું એ જોઈ મને બહુ નવાઈ લાગી !" મેં કહ્યું: “મોટા માણસનો સ્વભાવ જ એ હોય છે.' પછી ગાડીવાળા મને ટેમ્પરન્સ હોટેલમાં લઈ ગયો. અને ત્યાંના મેનેજરને મને બિશપ સાહેબે મોકલ્ય છે વગેરે ભલામણ કરી, કશો વાંધે તકરાર ન કરતાં પ્રસન્નતાપૂર્વક ભાડું લઈ ચાલતો થયો. સ્ટીમર ઉપર તો હિંદીઓની સબત હતી એટલે આનંદવિનોદ થતાં. ઉપરાંત સાથે વાંચવાને પુસ્તકો પણ હતાં. પણ તે બધાં માર્સેસથી પેટીમાં ભરી પેટી થોમસ કુકની ઓફિસમાં મોકલી આપેલ હોવાથી હવે મારી પાસે વિનોદનું કશું જ . સાધન ન રહ્યું. અજાણ્યા ગામમાં હોવાથી બહાર ફરવા જવું પણ જરા જોખમકારક લાગ્યું. થેમસ કુકની ઓફિસ ગોતી સામાનની તપાસ કરીપણ સામાન હજી આવ્યો નહોતો. આ હોટેલમાં થોડાં વાંચવાનાં પુસ્તકે રાખેલાં હતાં, પણ તેમાં મને ગમે એવું એકે નહોતું. છાપાં વાંચતો પણ તેમાં ઘણાંખરાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #294
--------------------------------------------------------------------------
________________ 286 આપવીતી શહેનશાહ એડવર્ડના મરણને લગતા લેખોથી ભરેલાં હોય, અને બીજા લેખે હું ઈગ્લેંડના રાજદ્વારી વાતાવરણથી માહિતગાર નહિ તેથી સમજું નહિ. ટૂંકમાં, આ હોટેલમાં એક બે દિવસ તો મેં કેદીની જેમ ગાળ્યા. ત્રીજે કે ચોથે દિવસે હું હોટેલના દીવાનખાનામાં બેઠે હતો ત્યાં એક ગૃહસ્થ મને, “ક્યાંથી આવે છે ?' વગેરે સવાલ પૂછી મારી સાથે ઓળખાણ કરી. આવી રીતે ઓળખાણ કરી લેનાર હું ઈગ્લેંડમાં આવ્યા ત્યાર પછી આ પહેલા જ ગૃહસ્થ હતા, તેથી મને સાનંદાશ્ચર્ય થયું. પાછળથી મને ખબર પડી કે આ ગૃહસ્થ અંગ્રેજ નહિ પણ ડચ હતો અને વેપાર અર્થે લિવરપુલ આવ્યો હતો. બ્રસેલ્સની એક પેઢીનો પોતે * મુનીમ હતો, અને ત્યાંથી ચક્કસ કાગળપત્રો આવે ત્યાં સુધી તેને પણ લિવરપુલમાં દિવસ કાઢવાના હતા. આમ “આવો ભાઈ હરખા ને આપણે બેઉ સરખા' એ ન્યાયે અમને બંનેને એકબીજાની સોબત મળી. તેણે મને શહેરના જુદા જુદા ભાગો બતાવ્યા. કેટલાંક સસ્તાં છતાં સારાં ઉપહારગૃહો પણ બતાવ્યાં. સવારનું ખાણું તે હોટેલમાં જ લેવું જોઈએ એ એ હોટેલનો નિયમ હતો. બાકીને વખતે ગમે ત્યાં ખાઈ લેવામાં હરકત નહોતી. આથી વચ્ચે વચ્ચે એકાદ શાકાહાર મળે એવા ઉપહારગૃહમાં જઈને અમે સુધાશાંતિ કરી આવતા. . એક દિવસ પેલા ડચ મિત્રે મને કહ્યું, “અંગ્રેજો કે શ્રીમંત પ્રજા છે છતાં આ દેશમાં દારિદ્રશ્ય પણ ઘણું છે. મજૂરોની સ્થિતિ કંઈ બહુ સારી નથી. હું વેપારી છું, છતાં મને કાર્લ માર્ક્સ વગેરે ગ્રંથકારોનું કહેવું સંપૂર્ણપણે માન્ય છે. મેં પૂછ્યું, " કાર્લ માકર્સ કે?' પેલા ગૃહસ્થ ભારે 1. હું વેપારી, છે. વગેરે ગ્રંથકા મે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #295
--------------------------------------------------------------------------
________________ * અમેરિકાની સફર 287 અજાયબી દર્શાવી કહ્યું, “અરે વાહ! તમને કાલ માર્કસની પણ ખબર નથી ? એ તો આજના સેશિયાલિઝમને પિતા છે. ઇંગ્લંડના કેર હાર્ડ વગેરે બધા તેના અનુયાયી છે.” મેં કહ્યું, “આ સેશિયાલિઝમ વળી શું છે? અમારા હિંદુસ્તાનમાં તે આવી જાતની કઈ હિલચાલ નથી. તેણે કહ્યું, “યુરોપમાં મહિનોમાસ : રહેશે એટલે સોશિયાલિઝમની તમને આપોઆપ ખબર પડી રહેશે. છતાં જે તમારી મરજી હોય તો ચાલો હું તમને આ વિષયનાં કેટલાંક પુસ્તક અપાવું. પાંચ છ પેન્સ ખર્ચો કે તમને સોશિયાલિઝમ શું છે એની બધી ખબર પડી રહેશે.” આમ કહીને તે મને પડોશમાં આવેલી એક ચોપડીઓની દુકાને લઈ ગયો અને ત્યાંથી ખેચફર્ડનાં એક બે પુસ્તક લઈ આપ્યાં. તેમાંનું Merrie England . નામનું પુસ્તક (આની ફક્ત ત્રણ જ પેન્સ કિંમત હતી) મને બહુ ગમ્યું. અમેરિકા પહોંચતાં પહેલાં મેં તે બે વખત વાંચ્યું, પણ તેટલાથી તે સોશિયાલિઝમનો પરિચય મેળવવાની મારી ભૂખ વધી. અમેરિકા જઈને મેં સોશિયાલિઝમ ઉપર જુદા જુદા ગ્રંથકારોને અનેક લેખો અને પુસ્તકો વાંચ્યાં, અને જોન સ્પાર્ગોએ લખેલ કાર્લ માકર્સનું ચરિત્ર પણ આખું વાંચ્યું. - દાક્તર વસે લેલેંડ કંપની મારફત લિવરપુલથી ઠેઠ બોસ્ટન : જવાની ગોઠવણ મારે માટે કરી રાખી હતી. પણ જે દિવસે હું લિવરપુલ પહોંચ્યો તે જ દિવસે આ કંપનીની સ્ટીમર ઊપડી ગઈ તેથી બીજી સ્ટીમર ઊપડે ત્યાં સુધી આઠ દશ દિવસ મારે વાટ જોવી રહી. મારે ડચ મિત્ર પણ ટેમ્પરન્સ હોટેલ છોડી બીજે ઠેકાણે રહેવા ગયો ને હું એકલો પડ્યો. તેથી વચમાં એકાદ બે દિવસ માન્ચેસ્ટર જોઈ આવવાનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #296
--------------------------------------------------------------------------
________________ 288 આપવીતી વિચાર કરી બધે સામાન ટેમ્પરન્સ હોટેલમાં રાખી અને ફક્ત જરૂરગાં કપડાં સાથે રાખી હું માન્ચેસ્ટર ગયા. ત્યાં દ. સુખઠણકરે પિતાના સસરા રેવરંડ બિશપને ભારે વિષે લખી રાખ્યું હતું. અને મારી પાસે પણ તેમને આપવા સારુ શ્રીમતી સુખડણકરનો એક કાગળ હતો. આગગાડીમાંથી બિશપને ઘેર (સ્ટેશનથી તેમનું ઘર ખૂબ આવ્યું હતું) પહોંચે. ઘર મેં આટલું જલદી શોધી કાઢયું તેની રેવરંડ સાહેબને પણ નવાઈ લાગી ! તેમણે પિતાને જ ઘેર મને ઉતારે આપ્યો અને એક જ દિવસમાં મને આખું માન્ચેસ્ટર શહેર ફેરવી લાવ્યા. બીજે દિવસે તે મને યુનિટરિયન કૅલેજના પ્રિન્સિપાલની મુલાકાતે લઈ ગયા. મારી ઓળખાણ કરાવતાં રેવરંડ બિશપે હું પાલિ ભાષાના ગ્રંથનું સંશોધન કરવાને અમેરિકા જાઉં છું વગેરે વાત કરી. આ ઉપરથી પ્રિન્સિપાલ સાહેબ એચર્યા, “આ જંગલી લોકોની ભાષા પાછળ અમેરિકન લોકોને આવડે પ્રેમ છે?” જરા રહીને જમવાની તૈયારી કરવા તે ઊઠી ગયા. રેવરંડ બિશપ શાકાહારી હતા અને મને પણ માંસ ખપતું નથી એમ જ્યારે તેમણે કહ્યું, ત્યારે પ્રિન્સિપાલ સાહેબ વળી વિદ્યા: “તમે ઘાસખાઉ લોક શું જોઈને આ દેશમાં આવતા હશે?” હું તો તેમનું આ બધું વર્તન જોઈ બળી ઊડ્યો. ટેબલ ઉપર મારી પડખે એક વિદ્યાર્થી બેઠે હતો તે મને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મેં કહ્યું, “એક ધાર્મિક કોલેજના આચાર્યના મગજમાં આટલી રાઈ ભરી છે તો પછી અંગ્રેજ અધિકારીઓ હિન્દુસ્તાનની રાંકડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #297
--------------------------------------------------------------------------
________________ અમેરિકાની સફર ફયત સાથે કેવી રીતે વર્તતા હશે તેની કલ્પના જ કરવી જોઈએ. ગઈ સદીમાં આવી ઉદ્ધતાઈ નભી શકી હશે, પણ આજની જુવાન હિંદી પ્રજા આવી તુમાખી બિલકુલ બરદાસ્ત કરે એમ નથી. જ્યાં ને ત્યાં હિંદુઓ માટે તિરસ્કાર બતાવ્યાંથી પિતાની શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે એમ જે અંગ્રેજો માનતા હોય તે તેમની ભૂલ છે.” પ્રિન્સિપાલ સાહેબ પાસે જ બેઠેલા તેથી તેમણે મારા શબ્દો સાંભળ્યા હશે જ. જમ્યા પછી પ્રિન્સિપાલ મહાશય અમને મેડી ઉપર લઈ ગયા અને ત્યાંના દીવાનખાનામાં સૌ બેઠા પછી મારી તરફ વળી મેં પર વિવેક આણી બોલ્યા, “મારા જોગ કશી કામસેવા હોય તો ફરમાવો.” મેં જવાબ આપ્યો, “તમારી પાસેથી મને કોઈ પણ જાતની અપેક્ષા હતી નહિ અને છે પણ નહિ. બિશપ સાહેબે આગ્રહ ન કર્યો હોત તો હું અહીં આવત પણ નહિ. પણ તેમને હું મહેમાન તેથી તેમને ખાતર મારે આટલે સુધી આવીને આપને કદી આપવી પડી.” પછી ઇધરતિધરની વાતો કરીને પ્રિન્સિપાલ સાહેબે અમને વિદાય કર્યા. કોલેજના દરવાજા સુધી પોતે અમને વળાવવા આવ્યા, અને ત્યાં ફરીથી શેકહેન્ડ કરી તેમણે અમારી પાસેથી રજા લીધી. બીજા બે ત્રણ દિવસ હું માન્ચેસ્ટર શહેરમાં રહ્યું. પણ તે દરમ્યાન બિશપ સાહેબને ઘેર ન રહેતાં એક ભાડાની જગ્યામાં રહેતો. બિશપ સાહેબની એક ઓળખીતી બાઈને ધરમાં તેમણે મને ઓરડી અપાવી. માન્ચેસ્ટરની પડખે જ લીથમ કરીને એક ગામ છે ત્યાં શ્રી રામચંદ્ર વિષ્ણુ ભાડગાંવકર (બળવંતરાવ ભાડગાંવકરના પિતા) રહેતા હતા. બે ત્રણ દિવસ માન્ચેસ્ટરમાં રહી હું ત્યાં ગયા. તેમણે મને પિતાને ઘેર PP Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust આ 18
Page #298
--------------------------------------------------------------------------
________________ 290 આપવીતી ત્રણ ચાર દિવસ રાખ્યો. ત્યાંથી પાછો હું માન્ચેસ્ટર ન ફરતાં સીધો લિવરપુલ ગયા, અને ત્યાં બે ત્રણ દિવસ રહી ઠરાવેલ દિવસે વેલેંડ કંપનીની “ડેનિયન' સ્ટીમરમાં બેસ્ટન જવા ઊપડ્યો. આ દિવસમાં અમેરિકા જનાર બહુ ઉતારુઓ નથી , હતા. મે જૂન મહિનામાં અમેરિકાથી યુરેપ આવનારા મુસાફરે પુષ્કળ હોય છે, જનારા છેડા. અમારી સ્ટીમરમાં બહુ તો આઠ દશ ઉતારુઓ હતા. દા. વુસે મારે સારુ ડેક ઉપરની એક સરસ એારડી રિઝર્વ કરાવી હતી. આ ઓરડીમાં ત્રણ બર્થ અથવા બિછાનાં હતાં. પણ ઉતારુ તો હું એક જ હત. દરિયે એવો તે શાંત હતો કે સ્ટીમર કોઈ મોટા તળાવમાં થઈને ચાલી જતી હોય એવો જ ભાસ થાય. માત્ર અમેરિકા નજીક પહોંચ્યા ત્યારે ધૂમસ ભારે નયું. ધૂમસને લીધે સામેથી આવતી કે આજુબાજુએથી પસાર થતી સ્ટીમરે મુદ્દલ ન દેખાય અને તેથી ખબર કરવા સારુ સ્ટીમરને વારે વારે પાવો વગાડવો પડે. આ પાવાને ખલાસીઓ ફગ હોર્ન કહે છે. આ પાવાના અવાજેથી રાતે ઊંઘમાં ખલેલ થતી. પણ એક બે દિવસમાં આનાથી પણ અમે ટેવાઈ ગયા. અમારી સ્ટીમર બેસ્ટન નજીક આવી પહોંચતાં, વાયરલેસ ટેલિગ્રાફીને એક જુવાન અંગ્રેજ અમલદારે મારી પાસે આવી વાતો કરવા માંડી: “ક્યાં જાઓ છે ? ક્યાંથી આવો છે ?' વગેરે વિગતો તેણે મારી પાસેથી જાણ લીધી. સ્ટીમર બારામાં આવતાં, કસ્ટમ ખાતાને અમલદાર અમારી તપાસ માટે આવ્યો. હું મારો સરસામાન બાંધવામાં રોકાયા હતો. એટલામાં ટુડે અમલદાર આવ્યાની ખબર આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #299
--------------------------------------------------------------------------
________________ અમેરિકાની સફર - 291 મારી પાસે 50 ડોલર છે કે કેમ એવો મુખ્ય અમલદારે મને સવાલ કર્યો. મેં કહ્યું, “મારી પાસે 80 ડોલર છે. વધુ જોઈતા હોય તો પણ બંદર ઉપર ઊતરતાવેંત હું મારા મિત્ર પાસેથી મેળવી શકીશ.' તેણે કહ્યું, “ના ના, તમે રખે ખોટું લગાડતા, અમારે ત્યાં એ કાયદો છે તેથી પૂછવું પડ્યું. ડૉલર કાઢી બતાવવાની કંઈ જરૂર નથી, તમારી વાત હું માનું છું.' પછી હું બંદર પર ઊતર્યો. દા. વુલ્સને આવતાં જરા વિલંબ થયો, પણ પાંચ દશ મિનિટ નહિ થઈ હોય એટલામાં તે આવી પહોંચ્યા. સાથે જ છાપાંને એક બે ખબરપત્રીઓ પણ મારી આસપાસ હાજર ! તેમણે તરેહવાર સવાલોનો મારા ઉપર મારો ચલાવ્યો ! “હાર્વર્ડ યુનિવૅસિટીમાં જનારા હિન્દી ગૃહસ્થ તમે જ કે?' વગેરે તેમના સવાલે પરથી મને થયું કે દા. વસે છાપાંવાળાંઓને આ ખબર આપી હશે. મેં તેમને પૂછયું પણ તેઓ તો કહે, “મને કઈ છાપાના ખબરપત્રી નથી મળ્યા અને મળ્યા હોત તો પણ હું કંઈ એમને દાદ ન દેત. પણ તમારા વિષે તો કાલનાં ઘણાં છાપાંઓમાં ખબર છપાઈ છે ! અરે આ છાપાવાળાઓનું તો પૂછો જ ના. આ લોકોએ પોતાના અખબારેમાં તમારી મગજમાંથી દોરેલ એકાદ ચિત્રવિચિત્ર છબી આ ખબરની સાથે જ ન છાપી મારી એ જ મોટું સદ્ભાગ્ય સમજે !" આ ખુલાસો સાંભળીને પેલો વાયરલેસવાળો અમલદાર સ્ટીમર પર શું કરવા મને બધું વળીવળીને પૂછતો હતો એ વિષે મને શંકા ન રહી. ખબરપત્રીઓને દ. વસને હવાલે કરી હું છૂટયો. દા. વુક્ષે જતાં જતાં તેમની સાથે થોડાક શબ્દોમાં વાતચીત કરી લીધી. પણ મારું ઠેકાણું તો તેમણે ટપકાવી જ લીધું ! Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #300
--------------------------------------------------------------------------
________________ ૨૯ર આપવીતી | મારો બધો સામાન એક એકસ્પેસ કંપનીને સોંપી દઈ દા. વુલ્સ મને હાર્વર્ડ યુનિયન કલબમાં લઈ ગયા. થેડા દિવસ તે મારી રહેવાની સગવડ ત્યાં જ કરવામાં આવી. પણ ચાર પાંચ દિવસમાં પ્રોફેસર લેનમન અને દા. વચ્ચે અંદર અંદર કંઈ મસલત કરી લીધી અને વોરન હાઉસમાં મને એક ઓરડી આપવામાં આવી. આ બહુ અગવડભરેલી હતી. મને ત્યાં રહેવું બિલકુલ ન ફાવે. આથી દા. વચ્ચે મારી સાથે આવી ફેલ્ટન હોલ નામના મકાનમાં એક સરસ એારડી લઈ આપી. આનું ભાડું દર મહિને 60 રૂપિયા હતું! આ પ્રમાણે રહેવાની સગવડ થઈ અને મેં પ્ર. લેનમનની સાથે મળી “વિશુદ્ધિ માર્ગ'નું કામ કરવાની શરૂઆત કરી. પહેલાં એક બે અઠવાડિયાં તો તેમને મારા કામની બહુ ઉપયોગિતા ન જણાઈ રન ફંડમાંથી મારું ખરચ આપવા પણ તે આરંભમાં નારાજ હતા, એમ દા. વુક્ષે મને કહ્યું; પણ થોડા દિવસ પછી મારી ઉપયોગિતા જણાતાં મને દર વર્ષે 800 ડોલર આપવાનું કબૂલ કરવામાં આવ્યું. પૂનાના ઘરખરચ માટે દરમહિને સાઠ રૂપિયા મોકલવા પડતા, અને સિવાય અહીંનો ખરચ વગેરે કાઢતાં આ બહુ ઓછું પડતું. તે પણ આવી દશામાં મેં આઠ દશ મહિને કાઢયા. “વિશુદ્ધિમાગનું સંશોધન પૂરું થતાં કેબ્રિજ (હાર્વર્ડ)માં મારે નથી રહેવું એવો વિચાર મેં દા. વલ્સને ઘણી વાર * એકસ્પેસ કંપની એટલે સામાનને તેની યોગ્ય જગ્યાએ અમેરિકામાં સામાનના મેટા દાગીને આવી કંપનીઓ મારફત જ મેકલવા પડે છે. P.P. Ac. Sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #301
--------------------------------------------------------------------------
________________ અમેરિકાની સફર. 24 જણાવ્યો. પ્ર. લેનમને મને રહેવા વેર હાઉસમાં જ ઓરડી આપીને તેમ જ ખરચખૂટણ માટે બહુ જ નાની રકમ આપીને મને નારાજ કર્યો હતો, એ વાત દા. વુના ધ્યાનમાં હોવાથી તેમણે મને સીધે આગ્રહ ન કરતાં એકાકુરા નામના જાપાની ગૃહસ્થ મારફત આગ્રહ માંડ્યો. મિ. એકાકુરા બેસ્ટનના સંગ્રહસ્થાનની પૌરસ્ય શાખાના મુખ્ય અમલદાર હતા, અને મારે તેમની જોડે સારી મૈત્રી હતી. એક તો તેમને પૂર્વ તરફના લેકે વિષે બહુ માન હતું અને બીજું હું બૌદ્ધ હતો. આથી તે મારા ઉપર સારે નેહ રાખતા. એક વખત તેમણે દા. વંસના કહેવાથી હાર્વર્ડમાં વધુ રહેવા સારુ મને આગ્રહ કર્યો. તે ઉપરથી મેં તેમને બનેલી બધી હકીકત મૂળથી માંડીને કહી. એ સાંભળી તેમને બહુ ખોટું લાગ્યું. હિંદુસ્તાનથી આવતા પહેલાં જ મેં ચોકસ શરત ન કરી એ મારી ભૂલ થઈ એમ તેમને લાગ્યું. પછી તેમણે કહ્યું, “બન્યું તે બન્યું, હવે તે ન બન્યું થવાનું નથી. પણ હવે પછી પણ જો લૅનમન તમારી જોડે વધુ સારી રીતે વર્તવા બંધાતો ન હોય તે તમે પાછા સ્વદેશ જાઓ. અને તેમ કરવામાં તમને પૈસાટકાની મદદ જોઈશે તે તે હું આપીશ. તમારી મરજી હોય તે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખને મળીને તેના કાન ઉપર પણ હું આ વાત નાખું.” પણ પ્રમુખ પાસે ઓકાકુર મારફત તેવી ફરિયાદ લઈ જવી એ મને ઠીક ન લાગ્યું. છતાં જે પ્રો. લૅનમન યુનિવર્સિટીના પ્રમુખને દરમ્યાન રાખીને શરતો ન લખી આપે તે એકાકુરાની મદદ લઈને સ્વદેશ પાછું ફરવું એવું તો મેં નક્કી કર્યું જ, અને પછી તક જોઈને લેનમન આગળ વાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #302
--------------------------------------------------------------------------
________________ 294 આપવીતી કાઢી. સવારી ખૂબ ધૂંઆપૂંઆ થઈ, પણ અંતે મારા કહ્યા મુજબનું પ્રમુખની સહીવાળું કરારનામું લખી આપ્યું. આ કરારનામાની રૂએ હું મુંબઈથી નીકળ્યો તે દિવસથી માંડીને માસિક પાંચસો રૂપિયા એટલે વરસના બે હજાર ડોલરને પગાર મને મળે એમ થયું અને તે દિવસથી અત્યાર લગી ખર્ચને માટે મને અપાયેલાં નાણાં બાદ જતાં બચતી રકમ મને મળી. આમ એકસામટા સાત આઠ સે ડોલર મારા હાથમાં આવ્યા. આ રકમ મેં એક બેંકમાં મૂકી. આ પછી દર મહિનાને પગાર નિયમિતપણે યુનિવર્સિટીના ખજાનચી તરફથી જ મને સી મળવા લાગ્યો. બીજો સવાલ, “વિશુદ્ધિમાર્ગ'ના તંત્રી તરીકે લેનમનનું અને મારું એમ બે નામ પૂંઠા ઉપર છપાય એ હતો. એકાકુરાનું કહેવું એવું હતું કે આ સવાલનો નિકાલ પણ પગારના નિકાલ સાથે જ કરી લેવો. પણ તેમ કરવાથી લેનમન ખૂબ નારાજ થાય અને બિલકુલ કરાર જ કરતાં છટકી જાય એ વિષે મને શંકા નહોતી, તેથી આ સવાલ તે વખતે મેં એમ ને એમ રહેવા દીધો. પણ છેવટે કામ પૂરું થતાં લેનમનને, પૂંઠા ઉપર નામ કઈ રીતે છપાશે, એવો મેં સવાલ કર્યો. તેણે સંપાદક તરીકે પોતાનું નામ અને વૉરનની હસ્તલિખિત પ્રતે ઉપરથી તેમ જ મારી મદદથી આ ગ્રંથ તૈયાર કર્યો છે એમ પોતે પૂઠા ઉપર છાપશે, એ જવાબ આપ્યો. મેં કહ્યું કે, “એમ કરવું કદી વાજબી નહિ કહેવાય. વોરનની અત્યંત મહેનત અને ઉદારતાથી આ કામ આટલે આવ્યું છે. તેણે જ સ્થાપેલા ફંડમાંથી આજ સુધી મારો પગાર અપાયો છે. તેથી કાં તો વોરનલૅનમન-કોસંબી એમ . . .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #303
--------------------------------------------------------------------------
________________ અમેરિકાની સફર ત્રણેના નામથી આ ગ્રંથ બહાર પડે, અથવા તો ફક્ત વોરનને જ નામે પ્રસિદ્ધ કરીને આપણે કરેલા ફેરફારને માત્ર પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરે. આ સૂચના છે. લેનમનને મુદ્દલ ન ગમી. તે મારા ઉપર એટલો તો બળી ઊઠ્યો કે મને ગાળો ભાંડવાની શરૂઆત કરી દીધી ! ' . - તે દિવસથી લેનમનને મળવું જ નહિ એવો મેં નિશ્ચય કર્યો. તે પોતે અનેક પ્રપંચ રચીને મને ખાડામાં નાંખવા . ભથશે એમ લાગવાથી દા. વડસને બનેલી તમામ હકીકત મેં કહી. આ પહેલાંથી જ હિન્દુસ્તાન પાછા ફરવા સારુ સ્ટીમરના પિસા ભરીને તારીખ 4 જાન્યુઆરીને રોજ ન્યુયોર્કથી નીકળનારી હંબુર્ગ અમેરિકન કંપનીની સ્ટીમર “હબુગમાં મેં મારી જગ્યા રિઝર્વ કરાવી લીધી હતી. પરંતુ આ પહેલાં દસ બાર દિવસ અગાઉ ઉપરનો બનાવ બન્યો. તેથી દા. યુસનું કહેવું એમ હતું કે મારે હાર્વર્ડ તરત જ છોડવું અને ન્યુયોર્ક જઈ ત્યાં બાકીના દિવસે ગાળવા, જેથી લેનમનની બીક ન રહે. આ સલાહ મને બિલકુલ મ ગમી. મારા અનેક . મિત્રોને મારે મળવાનું હતું, અનેક ઘરનાં નોતરાં પણ હતાં. એ બધું મૂકીને આમ નાસી છૂટવું એ મને તદ્દન અનુચિત લાગ્યું. દા. યુસને મેં કહ્યું: “લેનમનને જે મારા પર વેર લેવું હોય તો ભલે લે. એ વાતનો મને ડર નથી. જે કંઈ આફત માર પર આવવાની હોય તે સહન કરવા હું તૈયાર છું, પરંતુ એકાદ ડરકુની પેઠે એકાએક ન્યુયોર્ક ભાગી જવું એ મારાથી બનશે નહિ.” પછી તો નિરાંતે સ્ટીમરને દિવસ આવી પહોંચતાં સુધી કૅબ્રિજમાં જ રહ્યો. બધા મિત્રોનાં નેતરાં સ્વીકાર્યા, - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #304
--------------------------------------------------------------------------
________________ - આપવીતી સહુને મળી લીધું અને મારો સરસામાન બાંધીવટી તૈયાર કર્યો. આ દિવસો દરમ્યાન પ્રોફેસર લેનમને મને બે ત્રણ વખત ચિઠ્ઠીઓ મોકલી તેડાં કર્યો, પણ તેની ચિઠ્ઠીઓમાં કંઈ બીક દેખાડી હશે એમ માની મેં તે ઉઘાડી જ નહિ અને સ્ટીમર ઉપર ગયા પહેલાં હું તે ઉઘાડવાનો પણ નથી એવું દા. લુસ મારફત મેં તેને કહેવડાવી દીધું ! તેણે ફરી દા. વુક્સ મારફત મને જમવાનું નિમંત્રણ મોકલ્યું; પણ હું એકલે તેમની પાસે આવવા રાજી નથી, જે દા. લુસ મારી સાથે આવે તે જ હું આવું, એવો મેં ઉત્તર મોકલ્યો. મતલબ કે, છેવટ સુધી પ્રો. લેનમનની અને મારી તેને ઘેર કે બીજી કઈ જગ્યાએ મુલાકાત થઈ નહિ. એક બે વખત તે મારી એારડીએ આવ્યા, પણ બે ચાર શબદ બોલવા ઉપરાંત વધુ કંઈ જ વાત ન થઈસ્ટીમર ઉપડવાને ત્રણ ચાર દિવસ હતા ત્યારે મેં કૅબ્રિજ છોડયું. આ ચાર દિવસ ન્યુયોર્કમાં ગાળી શહેર આખું જોઈ લેવું એવો વિચાર હતો. દવુસે ન્યુર્કમાં હાર્વર્ડ કલબમાં ઊતરવાની મારે સારુ અગાઉથી જ ગોઠવણ કરી રાખી હતી. વાઈસબુખ કરીને એક યહૂદી વિદ્યાર્થી હાર્વર્ડમાં હતો. તેને પિતા અને ભાઈ ન્યુયોર્કમાં રહેતા હતા. વાઈસબુખના કાગળ ઉપરથી તેઓ મને સ્ટેશને લેવા આવ્યા હતા અને તેમણે મને કશી અડચણ પડવા ન દેતાં હાર્વર્ડ કલબમાં પહોંચાડ્યો. હું ન્યુયોર્કમાં રહ્યો તેટલા દિવસ તેમનામાંથી એક જણ મારી સાથે આવી મને જવું હોય ત્યાં ફરવા લઈ જતા અને જોવા લાયક સ્થળો દેખાડતા. એક દિવસ મિ. વાઈસબુખ મને હિપોમમાં લઈ ગયા. હિપોડમ ન્યુયોર્કનું એક મોટું ભવ્ય થિયેટર છે. અને તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #305
--------------------------------------------------------------------------
________________ અમેરિકાની સફર રહ૭ દુનિયાના જુદા જુદા દેશોની બધી આશ્ચર્યકારક વસ્તુઓ અને બનાવે બતાવવામાં આવે છે. દાખલા તરીકે, હિંદુસ્તાનના રાજામહારાજાઓની દશેરાને દિવસે નીકળતી સવારીઓ, સંખ્યાબંધ સાચા હાથીડા છે. વળી આસપાસ તાજમહાલ જેવી ઈમારતો વગેરે દેખાડવામાં આવે છે. તે પછી તુટી સુલતાનના જનાનખાનાં, તેની સેંકડો સ્ત્રીઓ, કેટલીક અવનવી કસરતો વગેરે દેખાવો બતાવવામાં આવે છે. હાથી, ઘેડા, ઊંટ વગેરે જીવતાં પ્રાણીઓ અને સે પચાસ સ્ત્રીઓ, તથા પુરુષો સામટાં એક જ જગ્યાએ આ જંગી થિયેટરમાં જોવા મળે છે. આ પ્રમાણે ન્યુયોર્કમાં અનેક જગ્યાઓ મેં જેથી . અને પછી મુકરર થયેલે દિવસે સ્ટીમર પર ચડ્યો. અમેરિકામાં હું રહ્યો તે દરમ્યાનની મારી દિનચર્યાને ટૂંક હેવાલ અહીં આપવો અસ્થાને નહિ ગણાય. શરૂઆતમાં તો જ્યારે હું હાર્વર્ડમાં ફેલ્ટન હોલમાં રહેતો ત્યારે મારા જમવાની સગવડ ત્યાં જ કરવામાં આવી હતી. યુરોપિયન રીત પ્રમાણે દિવસમાં ત્રણ વખત જમતો અને બે વખત ચા પીતો. અહીં ખોરાકમાં મોટેભાગે માંસ હોય છે તેથી બાફેલાં બટેટાં, પાંઉ, માખણ વગેરે વસ્તુઓ ઉપર જ મારે ચલાવવું પડતું. ખાધાખરચ મહિને 16 ડોલર (48 રૂપિયા) જેટલું આવતું. પણ આ સ્થિતિ અને અનુકૂળ ન લાગી. આ જ મકાનમાં એક ચીને વિદ્યાથી રહે, તેણે મને કહ્યું કે, આવું દુઃખ વેઠવાની જરૂર નથી; આટલામાં કોઈ દુકાનેથી જોઈતી ચીજો મંગાવવાનું રાખશો તો તે તમારે ત્યાં આવીને પહોંચાડી જશે, અને સસ્તી કિંમતે સાદું ખાણું મળશે. તેની આ સલાહ મને ગમી અને પ્રો. લેનમન મારફત મિ. વોરનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #306
--------------------------------------------------------------------------
________________ 298 આપવીતી બહેનની ડેરીમાંથી રોજ એક કવાટે દૂધ અને કોઈ દુકાનદાર . પાસેથી છડેલ ઘઉન શેવ જેવો પદાર્થ મળતો તે મંગાવીને ઘણુંખરું બંને વખત આ વસ્તુઓ ઉપર મેં ચલાવવા માંડ્યું. - સવારમાં ઊઠીને હું છડેલ ઘઉંનાં બે બિસ્કૂટ અને પ્યાલો ભરીને ઠંડું દૂધ લેતો. તે પછી પ્રો. લૅનમનની લાયબ્રેરીમાં 8 થી ૧ર સુધી કામ કરતો. પાછો ઘેર આવીને એક પ્યાલો દૂધ પી કસરત કરવા જતો. ઉનાળાના દિવસોમાં તદ્દન નિયમસર હોડી ચલાવવાની કસરત કરતો અને ટાઢના દિવસોમાં જીમખાને જતો. બપોરન જ વખત પસંદ કરવાનું કારણ એ કે, કસરત પછી નાહવાનું બટ-કલબની એક મોટી ઓરડીમાં કરવું પડતું અને બપોર સિવાય બીજે વખતે ત્યાં હમેશ વિદ્યાર્થીઓની ખૂબ ભીડ રહેતી. બધા વિદ્યાર્થીઓ નાગા જ નહાય અને મારે પણ તેમ જ કરવું પડતું. પણ બધાને દેખતાં એમ નાગા નાહવું એ આપણે ત્યાંના સંસ્કારવિરુદ્ધ હોવાથી, મને તે બિલકુલ ગમતું નહિ. બીજી અગવડ હેડી મળવાની હતી. પણ 12 થી 2 સુધી ઘણુંખરું હું એક જ બોટ-કલબમાં જતો તેથી હેડી મળવાની તેમ જ એકાંતમાં નાહવાની અને સગવડ સરસ મળી જતી. જીમખાનામાં નાહવાની અગવડ નહોતી. અહીં પ્રોફેસરોને સારુ એક જુદી રહી છે. તે મને આપવામાં આવી હતી. પણ કસરતનાં જુદાં જુદાં સાધનો મળવાનો સારામાં સારો વખત 12 થી 2 નો જ હતો, તેથી ત્યાં પણ હું એ જ વખતે જઈને કસરત કરતો. કસરત પછી એકાદ ચાની દુકાને જઈ કળમિશ્રિત રેટીનો કટકે અને એક પ્યાલો કેક લેતા. સાંજનો વખત હાર્વર્ડ લાયબ્રેરીમાં કે ઘેર વાંચવામાં ગાળતો. રાત્રે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #307
--------------------------------------------------------------------------
________________ અમેરિકાની સફર રહe ઘણે ભાગે વિશુદ્ધિ માર્ગને અઘરા પાઠનો નિર્ણય કરતો અગર તો તેમાં આવેલા બીજા ઉતારાઓ શોધી કાઢતે. રવિવારે આ દિનચર્યામાં ફેર પડતો. અમેરિકન લોકે આ દિવસે ઘણુંખરું મેડા ઊઠે છે. તે પણ હું સાતને સુમારે ઊઠતો. માત્ર પ્ર. લેનમનને ઘેર સહેજ મોડે જ. ત્યાં 10 કે 11 વાગ્યા સુધી કામ કરીને કેઈ ચર્ચમાં - ઘણુંખરું એપલટન દેવળમાં - સર્મન (ધર્મોપદેશ) સાંભળવા જતો. આ દેવળ હાર્વર્ડ યુનિવર્સિટીનું હાઈ તેમાં સાંપ્રદાયિક ભેદભાવ ન રખાતા. યહૂદી રાબીઓ (ઉપદેશકો)ને પણ અહીં ધર્મોપદેશ કરવા નોતરવામાં આવતા. અમેરિકાના નામાંકિત ધર્મોપદેશકોનાં વ્યાખ્યાનો સાંભળવાની અહીં સરસ તક મળે છે. માત્ર યુનિવર્સિટી બંધ હોય ત્યારે અહીં નિત્યનિયમ ઉપરાંત વિશેષ સારાં સર્મને થતાં નથી. આથી ઉનાળાની રજામાં વળી બીજા કોઈ દેવળોમાં હું સર્મન સાંભળવા જતો. બેસ્ટનની જુદી જુદી સંસ્થાઓના આશરા હેઠળ થતાં ભાષણો સાંભળવા પણ જતો. એટલે કે એકાદ રવિવારે નેશનલિસ્ટ સભાના ભાષણમાં જાઉં તો બીજે રવિવારે વળી સોશિયાલિસ્ટ સભાના કોઈ ભાષણમાં હાજર રહે. વળી ભાષણના વખત એકની પાછળ એક એમ હોય તેથી કોઈ કોઈ વાર એક જ દિવસમાં બે ત્રણ વ્યાખ્યાન સાંભળવાનો લાભ મળે. વાંચનમાં મારે મુખ્ય વિષય સમાજશાસ્ત્ર (Social Science) હતો. આ વિષય ઉપર લખાયેલાં અનેક પુસ્તકો મેં વાંચ્યાં. કેટલાંક તો વેચાતાં પણ લીધાં. બકે આ વિષયનું મને એક જાતનું ઘેલું જ લાગ્યું હતું એમ કહું તે ખોટું . નથી. આ જ અરસામાં મેં સહકારિતાના સિદ્ધાંત ઉપર Jun Gun Aaradhak Trust P.P. AG. Gunratnasuri M.S.
Page #308
--------------------------------------------------------------------------
________________ 300 આપવીતી મુંબઈને મજૂરોની સ્થિતિ કેવી રીતે સુધારી શકાય, એ વિષય - ઉપર “સુબોધપત્રિકા' અને “સુધારક'માં કેટલાક લેખો પણ - લખ્યા. હિંદી પ્રજાની શક્તિને અપવ્યય અટકાવી તેનો ઉપયોગ શારીરિક અને માનસિક સુખ તરફ કેમ વાળી શકાય એનો હું સતત વિચાર કરતો. વિચાર પ્રમાણે કાર્ય કરી બતાવવાને આપણે દેશ એગ્ય ક્ષેત્ર નથી અથવા તો મારામાં તેટલું સામર્થ્ય પણ નથી એ હું જાણતો. તોપણુ આવા વિચારથીકે જોઈએ તે સ્વપ્નાંઓથી કહે - મારા મનને ખૂબ આનંદ થતા, અને હિન્દુસ્તાનની દારિદ્યપીડિત જનતાને આજે કેળવણી વગેરેના લાભ કેમ મળી શકે તેને વિચાર કરવો હજી આજે પણ મને બહુ જ ગમે છે. આ વિચારોમાં હું ઘડીક મારાં શારીરિક તેમ જ માનસિક બધાં દુઃખો ભૂલી જાઉં છું. આમ અમેરિકા જવાથી જે મને સૌથી બે લાભ થયે ન હોય તો તે એ કે સમાજશાસ્ત્રના અભ્યાસની મારામાં રુચિ ઉત્પન્ન થઈ. હિન્દુસ્તાનમાં રહ્યા હોત તો એકલા ધાર્મિક વિચારમાં મારું આયુષ્ય વીત્યું હોત. “શરીરમાર્થ રવ ધર્મસાધનમ્” એ સુત્રને જરૂર હું ભૂલી ગયા હોત. પણ અમેરિકા જવાથી આ સિદ્ધાંતને મને સંગીન પરિચય થયો અને તેની પાધિમાત્ય શાસ્ત્રોએ કરેલ ચર્ચા જાણવાની મને તક મળી. આને અર્થ કોઈ એમ ન કરે કે સમાજરચનામાં સારીરમાર્થ વહુ ધર્માધન' અથવા તો મમર્મવંતિ મૂતાનિ' એ સૂત્ર મારા મનને કબજે લીધો. પણ એટલું જ કે અગાઉ આ સૂત્રો વિષે હું આંધળોભીંત હતો તે નષ્ટ થતાં સામાજિક જીવનમાં હું તેને ઘટતું ભાન આપવા લાગ્યો. ધાર્મિક ઉન્નતિ વગર માનવજાતિની ઉન્નતિ નથી એ સૂત્ર મને આજે પણ માન્ય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #309
--------------------------------------------------------------------------
________________ લી. ઝી હિસાગર ર ાનધિ અમેરિકાની સફર. # অহাৰী ৰ কাৰাগলা , কাশ પણ શરીરની અવગણના કરીને કે શરીરિણમનિસ્થિતિમાં 09, રાખીને ધાર્મિક ઉન્નતિ કરવા તાકવું એ લગભગ અસંભવિત છે: युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु / युक्तस्वप्नावबोधस्य योगो भवति दःखहा // . આ સૂત્ર આખા સમાજને લાગુ પાડવું જોઈએ. એ જ પ્રમાણે “વરિત વારોની ત્રાગારી ફળવણી મી ત્રહ્મચારી !' એ વચનમાં ગૂંથેલા સિદ્ધાંત મુજબ માણસની ઉન્નતિ સંજોગો ઉપર આધાર રાખે છે, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. દાખલા તરીકે, બાર કલાક મજૂરી કરીને માંડ માંડ પેટ ભરનાર અને ગંદામાં ગંદી ચાલીઓમાં રહેનાર મજૂર પિતાની ધાર્મિક ઉન્નતિ કઈ રીતે કરે ? પહેલાં તો તેને શુદ્ધ અને ઘટતાં આહારવિહાર મળે એ બંદોબસ્ત થવો જોઈએ અને પછી ધાર્મિકતાને નડતર કરનાર ગંદી ચાલીમાંથી કાઢી સ્વચ્છ અને ખુલ્લા મકાનમાં તેને વસાવવો જોઈએ. આમ થાય તો જ દારૂ વગેરેનાં વ્યસનોથી છૂટીને ધાર્મિક માર્ગે તેનું વલણ થવું સંભવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #310
--------------------------------------------------------------------------
________________ ઉપસંહાર શ્રી ધર્મનંદજીએ પોતાનું “નિવેદન” ૧૯૧રના જાન્યુઆરી સુધી લખ્યું છે. આ દુનિયામાં વસતા એક અજ્ઞાત જિજ્ઞાસુએ યથાશક્તિ અને યથામતિ પિતાને ઇચ્છિત હેતુ પાર ઉતારવા કેવી કેવી જહેમત ઉઠાવી, એટલું જ વર્ણવવાને તેમનો ઉદ્દેશ હેવાથી પાછળની હકીકત તેમણે આમાં લખી નથી, છતાં વાચકને તો સ્વાભાવિકપણે જ શ્રી. ધર્માનંદજીની ૧૯૧૨ની સાલ પછીની પ્રવૃત્તિ વિષે પણ જાણવાની ઈચ્છા થાય. આ દષ્ટિએ તેવી હકીકત સંક્ષેપમાં અહીં આપવી અસ્થાને નહિ ગણાય. ( અમેરિકાથી પાછા ફર્યા બાદ શ્રી. ધર્માનંદજીના મિત્ર પ્રાર્થનાસમાજવાળા શ્રી વિઠ્ઠલ રામજી, શિંદેની ઇચ્છા હતી કે શ્રી. ધર્માનંદજી ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં જોડાય. તેથી શ્રી. ધર્માનંદજીની આ વિષયમાં ઈચ્છા જાણી લઈ તેમના તરફથી એ સામે કશો વાંધો નથી એવું જેમાં શ્રી. શિંદેએ પ્રો. કાનિટકરને આ વિષે લખ્યું. તેમણે આ બાબત સોસાયટીના આજન્મ સભ્યોની કાંઉન્સિલ આગળ રજૂ કરી, પણ કાઉન્સિલ તરફથી તેને ઠંડે જવાબ આપવામાં આવ્યો. પ્રિન્સિપાલ પરાંજપેએ ધર્માનંદને લખ્યું જે, " આજન્મ સભ્યોને પગાર હાલમાં જ માસિક 100 રૂપિયા * કર્યો છે. અને તમને તો આજન્મ સભ્ય કરાય તેમ નથી. તેથી તમને માસિક 75 રૂપિયા પગાર આપી શકાય. વળી તમારે ઓછામાં ઓછાં પાંચ વર્ષ સોસાયટીમાં કામ કરવા બંધાવું જોઈએ.” * શ્રી. ધર્માનંદજી પોતાના પિતાનું કરજ ફેડી ચૂક્યા હતા, અને નિર્વાહ ઉપરાંત કશો દ્રવ્યસંચય કરવાની તેમની બિલકુલ વૃત્તિ ન હોવાથી સોસાયટીની ઉપલી શરતાને અપમાનકારક માનવાની તેમણે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #311
--------------------------------------------------------------------------
________________ 30 ના પાડી એટલું જ નહિ, પણ પિતાનું શ્રેય જે પાલિભાષાપ્રચાર, તેનું કામ કરવા આવી તક આખ્યાને માટે તેમણે ડેક્કન એજ્યુકેશન સંસાયટીને આભાર માની સને ૧૯૧૨ના માર્ચ મહિનાથી પૂનાની ફર્ગ્યુસન કોલેજ તેમ જ ન્યુ ઇગ્લિશ સ્કૂલમાં કામ કરવા માંડયું. ન્યુ ઇગ્લિશ સ્કૂલમાં મૅટ્રિકના કલાસને અને કૉલેજમાં પ્રિવિયસ તથા બી. એ. કલાસને તેઓ પાલિ શીખવતા. વિદ્યાથી થોડા છતાં પોતે અતિ શ્રમ લેતા. આ ઉપરાંત ઘેર એમ. એ.ના વર્ગને શીખવતા. પણ પાંચ વર્ષ પૂરાં થતાં પહેલાં જ શ્રી. ધર્માનંદજીએ જોયું કે, પાલિ શીખવા આવનાર વિદ્યાથીઓમાં ખરા જિજ્ઞાસુ જવલ્લે જ નીકળતા. ઘણાખરા વિદ્યાથી પાલિ ભાષા સહેલી છે અને તે લેવાથી ઝટ પાસ થવાશે એવી જ વૃત્તિથી તે લેતા. વળી માત્ર કોલેજના વર્ગોમાં પાલિ ભાષા શીખવ્યાથી બૌદ્ધધર્મનાં તો પ્રજામાં પ્રચાર પામી લોકોની ઉન્નતિ થશે એમ તેમને લાગ્યું નહિ. મરાઠી ભાષામાં આમપ્રજાને સમજાય તેવું સાહિત્ય બહાર પાડીને એ કામ થઈ શકે એમ હતું, પણ તે કામમાં જરૂરી લોકાશ્રય નહોતો. આમ છતાં સને ૧૯૧૪માં તેમણે “બુદ્ધલીલાસારસંગ્રહ” નામનું પુસ્તક તૈયાર કર્યું, અને માસિક મનોરંજનવાળા સ્વ. કાશીનાથ રઘુનાથ મિત્રે તે બહાર પાડયું. આ પુસ્તકને સારુ “ડેક્કન વર્નાક્યુલર ટ્રાન્સલેશન સોસાયટી, તરફથી શ્રી. ધર્માનંદજીને પહેલા નંબરનું ઇનામ મળ્યું (છતાં મરાઠીમાં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ હજુ ખપી ગઈ નથી!). બીજાં પણ એક બે પુસ્તક ધર્માનંદજીએ તૈયાર કર્યા, પણ વચમાં જ યુરોપનું મહાયુદ્ધ જાગ્યું અને કાગળ વગેરેની મેઘવારીને લીધે પુસ્તક પ્રકાશનનું કામ અશક્ય થઈ પડ્યું. એટલામાં પ્રો૦ વસ તરફથી અમેરિકા આવવા સારુ આગ્રહભર્યું આમંત્રણ આવવાથી સને ૧૯૧૮ના ઑગસ્ટ માસમાં તેઓ ફરી અમેરિકા ગયા ડેક્કન એજ્યુકેશન સોસાયટીને શ્રી. ધર્માનંદજીએ પાંચને બદલે છ વર્ષ આપ્યાં. આ અરસામાં સોસાયટીના ઘણાખરા આજન્મ સભ્યોના તે પ્રિયપાત્ર થઈ પડયા. પરિણામે પાંચ વર્ષ પૂરાં થયે P.P. Ac. Gunratnasuti M.S. Jun Gun Aaradhak Trust
Page #312
--------------------------------------------------------------------------
________________ 304 જ્યારે તેમણે પોતાની જગ્યાનું રાજીનામું પેશ કર્યું ત્યારે આજન્મ સના મંડળે તે સ્વીકાર્યું નહિ. - શ્રી. ધર્માનંદજીના વિદ્યાર્થીઓમાંથી બે મુખ્ય હતા. તેમાંના એક સ્વર્ગવાસી ચિંતામણુ વિનાયક રાજવાડે ડેક્કન એજ્યુકેશન સાયટીના સભ્ય થવાને દરેક રીતે લાયક હતા, પણ વીસ વરસ સુધી સોસાયટી જોડે બંધાવું ઇષ્ટ ન લાગવાથી તેઓ વડોદરા કોલેજમાં અધ્યાપક થયા હતા. અહીં રહી પોતાના ટૂંકા આયુષ્યમાં અવિશ્રાંત પરિશ્રમ કરી તેમણે “દીઘનિકાય' ગ્રંથનું મરાઠી ભાષાંતર - કર્યું. આ ગ્રંથના ત્રણેય ભાગ વડોદરા રાજ્ય તરફથી બહાર પડ્યા છે. શ્રી. ધર્માનંદજીના બીજા વિદ્યાથી શ્રીયુત પુરુષોત્તમ વિશ્વનાથ બાપટને સોસાયટીએ પોતાના જન્મ સભ્ય બનાવી લીધા અને હાલ તેઓ કામ કરી રહ્યા છે. પણ શ્રી. ધર્માનંદજીનું રાજીનામું તો સંસાયટીએ ન જ સ્વીકાર્યું. અમેરિકા જવા સારુ તેમની બે વર્ષ સુધી વગર પગારે રજા મંજૂર કરવામાં આવી, અને તે પૂરી થતાં જ્યારે ધર્માનંદજીએ અમેરિકાથી ફરી પોતાનું રાજીનામું સોસાયટીને મે કહ્યું ત્યારે વળી બીજાં બે વર્ષની તેવી વધુ રજા મંજૂર કરવામાં આવી ! પણ અમેરિકાથી પાછા ફર્યા બાદ ફરી ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં જવું શ્રી. ધર્માનંદજીથી બને તેમ નહોતું, તેથી તેઓ ગુજરાતમાં આવી ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા અને ત્યાં તેમણે ત્રણ વર્ષ સુધી કામ કર્યું. - પ્રો. લૅનમન ૧૯૨૫ની સાલમાં નિવૃત્ત થયા, ત્યાં સુધી તેમની મારફત વિશુદ્ધિમાગ'નું સંપાદનકાર્ય આગળ વધ્યું ન હતું. આ એ કામ શ્રી. કોસંબીજને ઍપવાનું નક્કી થતાં તેઓ ફરી એક વાર ૧૯૨૬ના જાન્યુઆરીમાં અમેરિકા ગયા. ત્યાંથી તેઓ તેમને સોંપાયેલું કામ પૂરું કરીને ૧૯૨ના નવેમ્બરમાં હિન્દ પાછા ફર્યા. સ્વદેશ આવીને તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં રહ્યા અને ત્યાં રહીને “સુત્તનિપાતનું ભાષાંતર અને “મંઝિમનિકાય'નાં પચાસ સૂત્રોના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #313
--------------------------------------------------------------------------
________________ 305 સાર તૈયાર કર્યા. આ બંને ગ્રંથે પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા મારફત પ્રસિદ્ધ થયા છે. એ અરસામાં પંડિત જવાહરલાલ નેહરુ રશિયાને પ્રવાસેથી પાછા આવ્યા હતા અને તેમણે રશિયા વિષે એક લેખમાળાયંગ ઇન્ડિયામાં શરૂ કરી હતી. એમાંના એક લેખમાં લેનિનઝાદમાં બૌદ્ધ સંસ્કૃતિના સંશોધન માટે એક સંસ્થા સ્થપાયાનું શ્રી. કે સંબજીએ વાંચ્યું. તરત જ તેમણે મજકૂર સંસ્થાના સંચાલક પ્રો. વસ્કી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. અને તેમનું નિમંત્રણ મળતાં ૧૯૨૯ના માર્ચમાં તેઓ લેનિનગ્રાઇ ગયા. રશિયામાં તેમણે સાત મહિના ગાળ્યા, તે દરમ્યાન લેનિનગ્રાદની એકેડેમીમાં તથા યુનિવર્સિટીમાં અધ્યાપકનું કામ કર્યું. પરંતુ રશિયાની ઘણી જ ! સખત ઠંડી હવા તેમનાથી સહન થઈ શકી નહિ અને રહેવા માટે જગ્યા પણ અનુકૂળ ન મળી. ( ટાઢના દિવસે માં જેવી ગરમ ઓરડી જોઈએ તેવી મળી શકે તેમ ન હતું.) આથી લેનિનગ્રાદ . છોડી ૧૯૩૦ના જાન્યુઆરીની આખરમાં તેઓ હિન્દુસ્તાન પાછા આવ્યા. એ જ સાલના માર્ચ મહિનામાં ગાંધીજીની દાંડીકુચ શરૂ . થઈ અને મુંબઈમાં સત્યાગ્રહી સ્વયંસેવકે નોંધાવા લાગ્યા. તેમાં શ્રી. કોસંબીજી પણ એક હતા. તેમણે સત્યાગ્રહમાં જુદે જુદે સ્થળે ભાગ લીધો અને આખરે ૧૯૩૦ના ઓકટોબરની ૧૧મી તારીખે તેઓ વિલેપારલેમાં પકડાયા અને દોઢ વર્ષની સખત સજા થઈ. તેમણે અપીલ તો ન કરી, તેમ છતાં એ સજા કાયદેસર થઈ ન હોવાથી હાઈટે આપોઆપ સા રદ કરતાં ડિસેંબરની ૧રમીએ તેમને સરકારે જેલમુક્ત કર્યા. તે પછી ગાંધી-ઇરવિન સંધિ થતાં લગભગ બધા સત્યાગ્રહી કેદીઓ છુટયા. : - છે. વુલ્સને વળી આગ્રહ થતાં ૧૯૩૧ના સપ્ટેમ્બરમાં તેઓ ફરી એક વાર અમેરિકા ગયા અને ત્યાં એક વર્ષ રહ્યા. ત્યાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #314
--------------------------------------------------------------------------
________________ પછી તેમાં થી કાખી. એ છે ઢીને હિંદ પાછા આવતાં રશિયામાં તેઓ બે અઠવાડિયાં રોકાયા. હિદ આવ્યા પછી તેઓ પૂનામાં રહેવા લાગ્યા. ૧૯૩૪ની સાલમાં શ્રી. કોસંબીજી છ મહિના સુધી હિંદુ યુનિવર્સિટીમાં અતિથિ તરીકે રહ્યા હતા. એ છ માસ દરમ્યાનનું , બધું ખર્ચ ડૉ. જીવરાજ મહેતાએ અગાઉથી જ યુનિવર્સિટીને આપી દીધું હતું. છ મહિના પછી તેઓ કાશી વિદ્યાપીઠમાં રહેવા આવ્યા. બાબુ શિવપ્રસાદ ગુપ્તાએ તેમને રહેવા માટે એક નાનકડું મકાન બાંધી આપ્યું હતું. (આજે એ મકાન અતિથિગૃહ તરીકે વપરાય છે.) હિંદી સંસ્કૃતિ અને અહિંસાનું પુસ્તક તેમણે કાશી વિદ્યાપીઠમાં પૂરું કર્યું અને છપાવ્યું. એ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર તે વખતે ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ વિનયમંદિરના એક શિક્ષક શ્રી. ભાસ્કરરાવ વિક્રાંસે કહ્યું છે અને શ્રી. ‘જીવણલાલ એન્ડ સન્સ તરફથી પ્રસિદ્ધ થયું છે. ૧૯૩૫ની સાલમાં ડે આંબેડકરે હરિજનોને ધર્માતર કરાવવાની પ્રવૃત્તિ શરૂ કરી. ધર્માતર કર્યા વગર જ બૌધસંપ્રદાય મારફત ફક્ત અસ્પૃશ્યોની જ નહિ પણ સમસ્ત હિંદુ સમાજની ઉન્નતિ થઈ શકશે, એ શ્રી. કોસંબીજને અભિપ્રાય પડયો. અને તેથી જ તેમણે શ્રી. જુગલકિશોર બિરલાની મદદથી મુંબઈના પરેલ વિભાગમાં બહુજનવિહાર નામના એક નાના બુદ્ધ મંદિરની સ્થાપના કરી. એ તરફ અનેક સ્પૃશ્ય તથા અસ્પૃશ્ય બહુજનો (મજૂરો) મેટા પ્રમાણમાં રહે છે. એ મંદિરમાં સ્વર્યાસ્પશ્ય ભેદ પાળવામાં નથી આવતો અને સર્વ કોઈને માટે મંદિર ખુલ્લું છે. આજે શ્રી. ધર્માનંદજી એ જ મંદિરના આંગણામાં બંધાવેલા મકાનની ઓરડીમાં રહીને નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે અને શક્તિ અનુસાર બૌદ્ધધર્મની સેવા કરી રહ્યા છે. શ્રાવણ, 1995 ભા. ક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #315
--------------------------------------------------------------------------
________________ परिशिष्ट* वैशाख पूर्णिमा वैशाखो मास एष साधु शोभते, साधु शोभते / आनन्दो जनमनसि येन वर्धते, येन वर्धते / सन्मानसमिव भाति स्वच्छतमनभः, स्वच्छतमनभः / . मरुतः श्रमक्लान्तिहरा वान्ति सुरभयः, वान्ति सुरभयः / नतकुसुमाञ्जलियुक्ताः सुगतसेविनः, सुगतसेविनः / भक्तजना इव विविधाः पादपा अमी, पादपा अमी / कोकिलादिपक्षिगणो मञ्जुलस्वरः, मञ्जुलस्वरः / गायन्निव बुद्धगुणान् तुष्टमानसः, तुष्टमानस: / .. आम्रादिकवृक्षवृन्दमाश्रयत्यसौ, आश्रयत्यसौ / . भूवनश्री वैभवेन पूर्णतां गता, पूर्णतां गता / वैशाखो मास एष साधु शोभते. साधु शोभते // मासेऽस्मिञ्छुभदिवसे पूर्णिमातिथी, पूर्णिमातिथौ / वज्रासनबन्धधरो विवुधपूजितः, विबुधपूजितः / शास्तानो धर्मात्मा बोधितरुतले, वोधितरुतले / / जित्वा कामादिरिपून्बुद्धतामगात, बुद्धतामगात् / सैष सुदिन उदितोऽस्ति बौद्धजनमुदे, बौद्धजनमुदे / मासेऽस्मिञ्छुभदिवसे पूर्णिमातिथी, पूर्णिमातिथौ // सुगतमन्दिरम् / दीपशोभितम् / बद्धतोरणम् / पुष्परञ्जितम् / यायाम वयं तत्र, पश्याम बुद्धपादौ / P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #316
--------------------------------------------------------------------------
________________ 308 कुर्याम धर्मश्रवणं, शृणुयाम साधुवादम् / नत्वा संघ, धृत्वा शीलं, पूजां कृत्वा मुनिधातोः / पापं हृत्वाजनिसाफल्यं प्राप्नुयाम सपदि / यायाम वयं तत्र, पश्याम बुद्धपादौ // * तुओ पृ. 157 नायनी नांध. P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #317
--------------------------------------------------------------------------
________________ - આ જ ગ્રંથકારના બીજા બૈદ્ધ ગ્રં બુદ્ધ, ધર્મ અને સંધ બૌદ્ધ સંધનો પરિચય સમાધિમાર્ગ ધમ્મપદ બધિચર્યાવતાર (સાર). સુત્તનિપાત ભગવાન બુદ્ધના પચાસ ધર્મસંવાદ અભિધમ્મસ્થ સંગહો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #318
--------------------------------------------------------------------------
________________ શાયગી તો 0-14-0. 1-9-0 આત્મકથા (ગુજરાતી લિપિમાં) . , (નાગરી લિપિમાં) હિમાલયનો પ્રવાસ (ટિપ્પણ સાથે) ઓતરાતી દીવાલો લોકમાતા સ્મરણયાત્રા જીવતા તહેવાર બુધલીલા મધપૂડા સીતાહરણ કુંવરબાઈનું મામેરું (ટિપ્પણ સાથે) આબાદ હિન્દુસ્તાન ! હિન્દુસ્તાનની ગરીબાઈ કાવ્યપરિચય ભા. 19 , ભા. રજે નામાનાં તો . નવલગ્રંથાવલિ સાર્થ ગુજરાતી જોડણીકેશ રાષ્ટ્રભાષાને ગુજરાતી કેશ ખિસ્સાકેશ (જેડણી માટે) 040 1-8-0 0-12-0 0-12-0 0-10-0 0-12-0 - 1 -0 -0 0-14-0 0-10-0 0-12-0 2-8-0 2 -0-0 4-8-0 1-8-0 નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust