SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કાશીવાસ કાશીમાં નાનાંમોટાં અનેક અન્ન છત્રો છે, પણ તેમાં મુક્તકાર એવાં તો બે જ છે. એક મદ્રાસ તરફના કાઈ વેપારીએ સ્થાપેલું અને બીજું શ્રીમંત મહારાજ જયાજીરાવ સિંધિયાનું સ્થાપેલું. શ્રી. જયાજીરાવ કાશયાત્રાએ આવ્યા તે વખતે કાશીમાં વસતા દરેક બરવાળ બ્રાહ્મણને સો સો રૂપિયા દક્ષિણ આપવી એ વિચાર કર્યો. પણ કાશીના પંડિતને આ રુચ્યું નહિ. એકાદ દસગ્રંથી વૈદિકને કે સંપન્ન પંડિતને તેમ જ એક સાવ અભણ બ્રાહ્મણને સરખી જ દક્ષિણ મળે, એ કાશીવાસી પંડિતગણને પસંદ નહોતું. પરિણામે સિંધિયા સરકાર ત્રાસીને બોલ્યા, “જો આ વાત સહુને પસંદ ન હોય તો દક્ષિણ માટે જુદા કાઢેલા આ છે લાખ રૂપિયા ગંગાજીમાં પધરાવું છું ! " અંતે કેટલાક પીઢ. ગૃહસ્થો વચમાં પડ્યા અને સિંધિયાં સરકારને એવી સલાહ આપી કે એ રૂપિયા ગંગાજીમાં પધરાવવા કરતાં એ જ રકમમાંથી કાશીમાં એક અન્ન છત્ર સ્થાપવું. આ વાત કબૂલ કરવામાં આવી અને સિંધિયા સરકારે પેશ્વાઓનું બાંધેલું બાલાજીનું મંદિર અંગ્રેજ સરકારના તાબામાંથી છોડવી લીધું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036401
Book TitleAapviti
Original Sutra AuthorN/A
AuthorDharmanand Kosambi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1940
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size171 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy