SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વિનિર્મિ નવાવેલિંગ અને મારે કામ કરવા ૧૫ર * આપવીતી ઘેંસ અને ગળ્યા પદાર્થો સિવાય બાકીની બધી ચીજોમાં તેઓ સુકવણી કરેલ ભીના કટકા નાંખે છે. આને “અંબલાડા' કહે છે. ભિક્ષુઓને આપવા સારુ લોકે જે બધું લાવ્યા હોય તેમાંથી દાલ વગેરે માંસમચ્છી વગરની ચીજે મારે માટે જુદી કાઢી રાખવામાં આવતી. પણ આ બધામાં “અંબાલકાંડા’ તો હોય જ; તેથી તેનું પૃથક્કરણ મારે જાતે પ્રથમ કરવું પડતું અને ત્યાર પછી જ મારાથી ખવાતું. આમ છતાં કોઈ વાર ભૂલમાં અંબલાડાને એકાદ કટકે મેઢામાં ચાલ્યો જાય અને साई कथंचिदुचितैः पिचुमंदपत्रैरास्यान्तरालगतमाम्रदलं म्रदीयः / दासेरकः सपदि संवलितं निषादैवियं पुरा पतगराडिव निर्जगार ||* આ માઘ કવિનો લોક યાદ આવે અને મારે મોઢામાં કેળિયો ઘૂંકી નાખવો પડે! અંતે એમાં પણ ધીરે ધીરે હું ટેવાયો અને આખો કાળિયો બહાર ન કાઢી નાંખતાં ફક્ત અંબલકાડાનો કટકો જ કાઢી નાંખવાની મને ટેવ પડી ! બીજે દિવસે એટલે તા. ૨૩મી માર્ચ ૧૯૦૨ને દિવસે ફાગણ સુદ પૂનમને ઉપસથ હતો. ખ્રિસ્તી લોકોમાં જેમ રવિવારનો દિવસ પવિત્ર મનાય છે, અથવા તો હિંદુ લોકમાં જેમ અગિયારશ પવિત્ર ગણાય છે, તેવી જ રીતે બૌદ્ધ લોકે ઉપાસના દિવસને પવિત્ર માને છે. બંને પક્ષની આઠમ, વદ ચૌદશ અને પૂનમ, એમ મહિનામાં ચાર ઉપસથના દિવસો * પૂર્વના કાળમાં ગરુડે નિષાદ લોકનું ભક્ષણ કરવા માંડયું, તેમાં દેવગે એક બ્રાહ્મણ આવી ગયો અને તેથી ગરુડને ખાધેલું ઓકી નાંખવું પડ્યું છે તે જ પ્રમાણે ઊંટ પોતાને પ્રિય એવો લીમડાને પાલ ખાતે હતું તેમાં ભેગોગે એક આંબાનું કુમળું પાન આવી ગયું, તેથી તેણે પણ ખાધેલું બધું કી કાઢયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036401
Book TitleAapviti
Original Sutra AuthorN/A
AuthorDharmanand Kosambi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1940
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size171 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy