________________ ધ્યાનમાં બેસતા જોયા હતા, પણ ધમાનન્દજીમાં જે સાદાઈ જણાઈ તે તેમનામાં ન હતી. - તે દિવસથી હું તેમને ઓળખતે થયે. તે વખતે તેઓ અમેરિકા પણ ગયા ન હતા. બંગભંગની હિલચાલ પછી કલકત્તામાં જે રાષ્ટ્રીય કોલેજ સ્થપાઈ હતી તેમાં તેમણે થોડા દિવસ કામ કર્યું હતું એટલું જ. * ત્યાર પછી “વૃદ્ધ, ધર્મ મળ સંઘ” અને “પુત્રીત્રાસરસંઘ એ બે તેમની ચોપડીઓ બહાર પડી અને " નાથાલંગ્રહ' ' એ ચોપડી તૈયાર થઈ. પ્રસિદ્ધ થયેલી ચોપડીઓ દ્વારા તેમને મહારાષ્ટ્ર ઓળખતું થયું, પણ તેમની વિદ્વત્તાનો ઉપયોગ તે પ્રથમ અમેરિકાએ જ કર્યો. ધર્મનંદજીનું આ આત્મનિવેદન અથવા પ્રવાસવર્ણન અનેક રીતે મનોરંજક અને બોધપ્રદ છે. અંગ્રેજી કેળવણી શરૂ થઈ ત્યાર પછી આપહિંમતથી અને સ્વાશ્રયી વૃત્તિથી વિદ્વાન થયેલાઓના દાખલાઓ આપણી નજરે બહુ નથી પડતા. આજકાલના જમાનામાં ગામડાંનો એક રખડેલ છોકરો હાઈસ્કૂલ કે કોલેજની ઘરેડમાં પસાર થયા વગર અસાધારણ વિદ્વાન થઈ શકે છે, એ આપણું માન્યામાં પણ આવતું નથી. ધર્માનંદજીની આપવીતી’ વાંચીને કેટલાયે દુદૈવી પણ ઉત્સાહી તરુણોને બેધ મળશે, નવું આશ્વાસન મળશે. ધર્માનંદજીએ પિતાની કહાણે અત્યંત સાદી ભાષામાં જેવી ને તેવી જ આપેલી છે. તેમની આપવીતી માં મીઠું મરચું કશું નથી. પોતાની વાત છટાદાર કરવા માટે તેમણે કશી કળા વાપરી નથી. પણ એમાં જ એમની “આપવીતી ’ની ખાસ કળા * અને મહત્તા આવી જાય છે. વાચકે ઉપર અસર પાડવા . P.P. Ac. Gynratnasuri M.S. Jun Gun Aaradhak Trust