SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આપવીતી મારે અહીં રહેવું છે ત્યાં સુધી જે કંઈ વેઠવું પડે તે બધું ખમી લેવું, અપમાન સહેવું પડે તો પણ સહી લેવું, પણ દિવસમાં એક વાર જે જમવાનું મળે છે તે ખોટું નથી. એના ઉપર આપણું અધ્યયન ટકી રહ્યું છે.' ' - છત્રમાં વેઠવાં પડતાં કષ્ટો અને અપમાન બસ ન હોય તેમ તે પૂરાં કરવા સારુ જ કેમ જાણે અમારા આગલા ભવનાં કર્મે મૃત્યુંજયને કાશી મોકલ્યો ! મૃત્યુંજય કે ચીન * તરફનો રહીશ કઈ એક સારસ્વત બ્રાહ્મણ હતો. નાની ઉમરમાં તે કાશી આવ્યા. કેટલાક લેકેએ તેને ભણાવવાની તજવીજ કરી, પણ મૃત્યુંજયે તેમને જરાય દાદ ન દીધી. મારા કાશવાસને હજુ આરંભ થયો ન હતો ત્યાર પહેલાં તે મૃત્યુંજયે કાશીમાં પંદર વર્ષ પૂરાં કર્યા હતાં. આજ. લગભગ એક તપ થયાં તે આ અન્નછત્રના માલ ઉડાવતો હતો. પણ જીભડીને લગામ નહિ તેથી એક બે વખત બાલાજીનું અન્ન છત્ર છોડવા વારે પણ આવેલો. પછી ભાઈ ભૂખે મરવા લાગ્યા એટલે અહીંની રાંધનારી વિધવા બાઈએ વચમાં પડી અને ભાઈસાહેબને ફરી જમવાનું મળવા લાગ્યું. . આમ પોતાનાં વાવ્યાણ અધિકારીઓ ઉપર છોડવાથી - કેવું પરિણામ આવે છે તેને મૃત્યુંજયને પૂરેપૂરો અનુભવ મળી , ચૂક્યો હતો. પાછલી પંગતમાં જમનારામાં બ્રાહ્મણ ઝાઝા નહોતા, અને જે હતા તેમને છેડવા જેટલી હિંમત મૃત્યુંજયમાં નહોતી. કારણ પેલા અધિકારી પાસે ફરિયાદ લઈ જાય તો સાહેબસવારીને વળી પાછી રુખસદ મળે એની તેને ખાતરી હતી. આ બધાં કારણોને લઈને મૃત્યુંજયની વાણીને સમગ્ર એઘ અમારા જેવા નિરુપદ્રવી માણસો તરફ વળ્યો એમાં P.P. Ac. Gunratnasuri M.S. jun Gun Aaradhak Trust
SR No.036401
Book TitleAapviti
Original Sutra AuthorN/A
AuthorDharmanand Kosambi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1940
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size171 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy