Book Title: Tilakamanjiri Part 1
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad

View full book text
Previous | Next

Page 31
________________ હન રીતિજ જતે દિવસે નાશ પામશે અને શ્રદ્ધા તથા જ્ઞાનભક્તિમાં શિથિલતા આવશે. આથી ગોદ્વહન તથા પંચમસ્થાનની આરાધનાપૂર્વક સંઘના અતિઆગ્રહથી ભાવનગરમાં વિ. સં. ૧૯૬૪માં સ્વ. પૂજ્ય ગુરૂદેવ આ કાળના પ્રથમ આચાર્ય થયા. ગોહનપૂર્વકની પૂજ્યશ્રીની આચાર્ય પદનું પરિણામ એ આવ્યું કે ગહન વિના કોઈપણ કાર્ય શુદ્ધ નથી તે માન્યતા સમાજમાં દઢ બની અને જેને સમાજ તેના શ્રદ્ધા અને સંસ્કાર વળાંકમાં ખુબજ મક્કમ બને એટલું જ નહિ પણ જે કઈ દ્વહન વિના આચાર્યપદ લેનારા હતા તેમની પરંપરામાં પણ ગદ્વહન દાખલ થયાં અને તેઓ પણ દ્વહનની મહત્તાને પૂજક બન્યા “તું મોળાને છિન્નત્તિ શિષ્યëરા આ પદને સ્વ. પૂજ્ય આચાર્યદેવે કેઈની કાંઈપણ ટીકા કર્યા વગર સમગ્ર શાસનમાં પ્રવર્તાવ્યું અને શાસનના મૂળરૂપ શ્રદ્ધાના બીજક ગોદ્વહન ક્રિયાને વિના વિવાદે સર્વસંમત બનાવી. સાન. આપણે સૌ કે જાણીએ છીએ કે સ્વ. પૂજ્ય આચાર્યદેવના દક્ષાકાળ વખતે કલ્પસૂબેધિકા વાંચી શકે તેવા મુનિએ પણ મહાવિદ્વાન્ ગણાતા. સામાન્ય પ્રકરણસાન, રબા, સ્તવન, અઝાય વિગેરેનું જ્ઞાન આથી તે કાળના મુનિઓને માટે પર્યાપ્ત ગણાતું. સ્વ. પૂજ્ય આચાર્યદેવે જ્ઞાનની પિપાસાને નાદ મુનિઓમાં પ્રવર્તાવ્યું. તેમણે પિતે વ્યાકરણ, ન્યાય સદ્ધિત્યના ગ્રંથોના અભ્યાસ સાથે જૈન શાસનનાં સર્વ શાસ્ત્રો અવગાહ્યા અને વ્યાકરણ, ન્યાય વિગેરેના અનેક મહાકાય ગ્રંથ બનાવ્યા. આનુ પરિણામ એ આવ્યું કે આને પ્રભાવ સમગ્ર શાસન ઉપર પડશે અને જેને શાસનમાં અભ્યાસની રૂચિ પ્રગટી. ઠેર ઠેર તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસા જાગી અને સર્વ સમુદાયે પણ પઠન પાઠનની પ્રવૃત્તિથી ગાજવા લાગ્યા. આમ ખરું કહીયે તે આ કાળમાં જ્ઞાનનાદને પલવિત કરવાનું મૂળ તે સ્વ. પૂજ્ય આચાર્ય દેવજ છે. પ્રતિષ્ઠા અંજનશલાકા. શાસન અને તેનાં બધાં અંગોનું અસ્તિત્વ અને વિકાસ તેના દેવતત્વ ઉપર છે. આગમ એ દેવની ધાણી છે. મુનિએ એ દેવના વચનને અનુસરીને ભેખ લેનારા છે અને ક્રોડેને થય પણ શ્રાવકે દેવના વચનને અનુલક્ષીને કરે છે. ભગવાનની મૂર્તિ દેવસદશજ છે તે તે પ્રતિષ્ઠા અને અંજનશલાકાથીજ બની શકે તેમ છે. અંજનશલાકા અને પ્રતિષ્ઠાથી દેવતવ પ્રગટાવવું એ પવિત્ર અને પ્રભાવક પુરૂષ સિવાય સંભવતું નથી. સ્વ. પૂ. આચાર્યદેવે સેંકડે વર્ષથી વિસરાયેલી આ વિધિને જાગૃત કરી અને વિશાળ સ્વરૂપમાં સૌ પ્રથમજ તેમના હાથે અંજનશલાકા, કદંબગિરિમાં થઈ. આ રીતે સર્વ વિધિવિધાનના ઉદ્દગમ પણ આ કાળે સ્વ. પૂજ્ય આચાર્ય દેવજ છે. પ્રહલાવના. આપના કે પ્રભાવના કેને કહેવાય તેની શબ્દોથી આપણે ભલે વ્યાખ્યા કરીએ પણ ખરી સમજ તે આ કાળે જેણે પામવી હોય તે તેમના દર્શન વિના પામી શકે તેમ નહતું.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196