________________
શ્રી હિ મતલાલ ન્યાલચંદ દોશી
“ કર્મણ્યેવ માધકારતે... ” ભગવાન શ્રીકૃષ્ણના ઉપદે હોય કે જૈન દર્શનને જ કર્મ મ’ હોય. આપે એ ઉપદેશને અક્ષરશઃ આપના જીવનમાં ઉતારી વતન વાંકાનેરથી મોહમયી: મુંબઈ નગરીમાં આવી અર્થ-ઉપાર્જનમાં કાર્યરત થયા,
આપની આર્થિક પ્રગતિની સાથે વારસાગત મળેલ દાન, દયા, અનુ ક પા બાદ ધાર્મિક સંસ્કારનું જે દઢ સીંચન આપનામાં થયેલ, અને આપના લઘુબંધુ શ્રી રસિકલાલ દોશી તથા અન્ય કુટુંબીજનોના યોગ્ય સહકારથી માદરે વતન વાંકાનેરમાં ગરીબ તથા જરૂરિયાતવાળી બંધુઓની પીડાને જાણી માનવતાના તેમજ સમાજકલ્યાણના કાર્યો-સાર્વજનિક દવાખાનું અન્ય આર્થિક સહાય, મુંગા પશુઓની સારસંભાળ તથા ઘાસચારા અને ઘર આંગણે ઉચ્ચ કેળવણી આપી શકાય માટે આર્ટસ અને કોમર્સ કોલેજની સ્થાપના અને વિકાસ માટે ભારે જહેમત ઉઠાવશી-તે ખરેખર પ્રશંસનીય છે.
પરમકૃપાળુ પરમાત્મા, આવા અનેક સેવાનાં કાર્યો કરવા, આપને સંપૂર્ણ તંદુરસ્તીભર્યું દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના.