________________
૩૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૫
4)
C
શ્લોક-૬૭
)
(અનુકુમ). ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि।
सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते॥६७।। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ:- [જ્ઞાનિનઃ] જ્ઞાનીના [સર્વે ભાવ:] સર્વ ભાવો [ જ્ઞાનનિવૃત્તા: દિ] જ્ઞાનથી નીપજેલા (-રચાયેલા )[ મવત્તિ]હોય છે[1] અને [ જ્ઞાનિનઃ] અજ્ઞાનીના [સર્વે જે તે] સર્વ ભાવો [૩જ્ઞાનનિવૃત્તા:] અજ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [ ભવન્તિ] હોય છે. ૬૭.
શ્લોક-૬૭ ઉપર પ્રવચન ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि।
सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते।।६७।। શ્લોકાર્થ :- જ્ઞાની નામ ધર્મીને સમસ્ત ભાવ જ્ઞાનથી રચાયેલા હોય છે. હું જ્ઞાતા છું, હું દેષ્ટા છું-આનંદ છું-શાંતિ છું-વીતરાગ છું એવા ભાવ જ્ઞાનીને હોય છે. આહાહાહા ! ચાહે તો ચોથા ગુણસ્થાને સમકિતી હો, પણ એમને તો શ્રદ્ધા-જ્ઞાન-શાંતિ વીતરાગપરિણામ છે, એ જાત એની છે. આહાહા ! છે? જ્ઞાનીના તો સમસ્ત ભાવો-સર્વ ભાવો જ્ઞાનથી રચાયેલા હોય છે. જ્ઞાનથી રચાયેલા-શાંતિથી રચાયેલા–વીતરાગભાવથી રચેલા-આનંદથી રચેલા ભાવ હોય છે. આહાહાહા ! એનું નામ જ્ઞાની અથવા ધર્મી કહીએ.
અજ્ઞાનીના સમસ્ત ભાવ અજ્ઞાનથી રચાયેલાં હોય છે-અજ્ઞાનીના સર્વ ભાવ-ચાહે તો દયાદાન-વ્રત-ભક્તિ-તપ કરતા હોય પણ એ બધો રાગ ને અજ્ઞાનમય છે એને પોતાના માનીને એમાં પડયા છે, અજ્ઞાનજાતિના ભાવ છે બધા. આહાહાહાહા !
હવે આ અર્થને દૃષ્ટાંતથી દેઢ કરે છે, હવે કુંદકુંદાચાર્ય દૃષ્ટાંત કહે છે.
આ માર્ગ સમજવા માટે કાં તો વીતરાગ સંસ્કાર જોઈએ અને કાં તો વીતરાગી સંત જોઈએ. બાકી એ સિવાય આ માર્ગ બહુ ઝીણો છે; (પોતાની મેળે સમજી લે તેમ નથી). કાં તો સમ્યગ્દષ્ટિ જોઈએ, કાં એને પૂર્વના કોઈ સંસ્કાર જોઈએ; તે વિના આ તો બેસે એવી નથી. એ વસ્તુસ્થિતિ છે.
(પ્રવચન નવનીત ભાગ-૨, પેઈજ નં. ૨૦૪, નિયમસાર ગાથા-૮૩)