Book Title: Samaysara Siddhi 5
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 482
________________ શ્લોક–૯૫ ૪૬૭ ને એને જાણ્યું... આહાહા... એમ થયું ને એમાં ? ભાઈ, તમે શાંતિથી વિચાર કરો, પોતાનું અસ્તિત્વ છે, પોતાનું અસ્તિત્વ ઉત્પાઠ્યય અને ધ્રુવ એટલામાં જ સમાઇ ગયું છે. અત્યારે પણ અને ત્રિકાળ એની પોતાની ઉત્પાદ્બયની સત્તાની મર્યાદા સિવાય બહાર મર્યાદા એની જાતી નથી કોઇ દિ', એવાં ઉત્પાદ્, વ્યય ને ધ્રુવવાળું હવે એને તો ઇ ન બેસે, ઉત્પાદ્-વ્યય ને. પણ અહીં તો કહે છે કે, ધ્રુવ તો છે, પણ અહીંયા એને ભૂલીને મિથ્યાત્વભાવ જે પર્યાયમાં કર્યો છે, તે સ્વતંત્ર કર્તા થઇને કર્યો છે. આહાહા ! સ્વતંત્ર કર્તા થઇને કર્યો છે ને સ્વતંત્ર કર્તા થઇને તોડી શકે છે. તોડી શકે છે, એ પણ એક કથન અપેક્ષા છે, સ્વભાવ સન્મુખ ઢળે છે એટલે એ ભાવ ઉત્પન્ન થતો નથી, તેને તોડે છે એમ કહેવું, એ કહી શકાય ઉપદેશની શૈલીમાં. આહાહા! “સવિકલ્પસ્ય જ એ જે જીવ વિકલ્પસહિત છે, આહાહા ! જે જીવ નિર્વિકલ્પ ભગવાન વિજ્ઞાનનથી સંસ૨ણું ખસી ગ્યો છે, સંસ૨ણ ખસી ગયો છે, મિથ્યાત્વરૂપી સંસાર છે. આહાહા ! સ્વભાવ, વિજ્ઞાનઘન છે, તે મુક્ત સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ કહ્યું, મુક્ત સ્વરૂપ. એ પર્યાયમાં બંધભાવમાં રાગમાં આવ્યો, એ પણ સ્વતંત્રપણે રાગનો કર્તા થઈને કાર્ય કરે છે. આહાહા ! વાંધા છે આ બધાં ઘણાં... એ ક૨મને લઇને કાંઇક થાય, કરમ કાંઇક–કાંઇક કરે અંદર શેમાં કરે ઈ ? પોતાનાં અસ્તિત્વમાં કરે કે કો'કનાં અસ્તિત્વમાં કરે ? આહાહા ! બીજાનાં અસ્તિત્વના ઉત્પાદ્-વ્યયનું અસ્તિત્વ છે,અને આનું અસ્તિત્ત્વ ત્યાં જાતું નથી,ને આનું ઉત્પાદ્-વ્યય ત્યાં જાય તો આ ઉત્પાદ–વ્યય વિનાનું દ્રવ્ય, દ્રવ્ય જ રહેતું નથી, એ પોતાના જ ઉત્પાદ્, વ્યય ને ધ્રુવની સત્તામાં જ અનાદિ-અનંત પોતે છે. એ સત્તાને ભૂલીને ત્રિકાળી સત્તાને ઉત્પાદ્-વ્યય ભલે એ સત્તા એની છે, પણ તે અંશરૂપ સત્તા છે. ત્રિકાળી મહાસત્તા પ્રભુની તેને ભૂલીને, મહાપ્રભુ, ચૈતન્ય ભગવાન, ૫૨મેશ્વર પ્રભુ, આહાહા ! આપણે આવ્યું'તું આમાં વિજ્ઞાનઘન એક જ ભગવાન છે, પેલામાં આવી ગયું છે ૯૩ માં, વિજ્ઞાનએકરસ, ભગવાન આત્મા, છે ? વિજ્ઞાન એક ૨સ ભગવાન એવો જે ભગવાન, છે ? આ...હા...હા... એ તો વિજ્ઞાન૨સઘન ભગવાન સ્વરૂપે છે, એ પર્યાયમાં ભૂલ કરીને કા૨ણ કે બે માંથી એક તો હોય ને ? કાં એનું દ્રવ્ય વિજ્ઞાનઘન ઉ૫૨ લક્ષ હોય, કાં એનું વર્તમાન અંશ પર (લક્ષ ) હોય, સત્તા તો બે ય છે. એટલે કાં એનું લક્ષ ત્રિકાળી ઉ૫૨ હોય તો તો ભૂલ ન થાય, અને ભૂલેલો છે એનો અર્થ, એ વર્તમાન પર્યાયમાં એની સત્તામાં, એનાં અસ્તિત્વમાં, પૂરણ સ્વરૂપથી વિરૂદ્ધભાવ એવાં મિથ્યાત્વને પોતે સ્વતંત્રપણે કર્તા થઇને કરે છે. આહાહા ! ( શ્રોતાઃ- પૈસા, દાન આપીને કેટલાંક કામ સુધારી દઈએ છીએ ) ધૂળેય સુધારતાં નથી, આ દાકતરો દવા-બવા કરીને સુધારતાં હશે એમ ને... ? આ દાકતર રહ્યાં ત્રણેય...વકીલો બીજાને જીતાવી દેતાં હશે ? આહા ! દરેક દ્રવ્યનું ઉત્પાદ્વ્યય ને ધ્રુવની સત્તામાં જ જેનો સમાવેશ છે. આહાહા ! આ તો વસ્તુનું સ્વરૂપ છે, એની ઉત્પા–વ્યયમાં ભૂલ કરે અને ટાળે, ૫૨ને લઈને નહીં ને સ્વને લઇને નહી... ત્રિકાળીમાં નહીં. આહાહા ! આવું સ્વરૂપ છે. જે જીવ વિકલ્પ સહિત છે, જેમ ત્રિકાળી વિજ્ઞાનઘન છે, તેમ જે જીવ રાગસહિત છે, અને તે જ હું છું એમ માન્યું છે, આહાહા ! આમ પ્રભુ, ત્રિકાળી વિજ્ઞાનઘન છે, તે છે, તે તે રીતે જ છે. એનાથી વિરૂદ્ધ

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510